કંગના રનૌતનો દાવો, બોલિવુડના કેટલાક લોકોએ કર્યો તેને અલગ કરવાનો પ્રયત્ન

PC: bewakoof.com

કંગના રનૌટ બોલિવુડની એક એવી એક્ટ્રેસ છે, જે કોઇ પણ મુદ્દા પર પોતાની વાત મૂક્યા વગર નથી રહી શકતી. એ સિવાય તે ઘણીવાર પોતાના બોલ્ડ નિવેદનોના કારણે તે ઘણી ચર્ચામાં રહે છે. છેલ્લા કેટલાક વર્ષોથી રિતિક રોશન અને કરણજોહરની સાથે થયેલો વિવાદ તો બધાને ખબર હશે. હજી આ વિવાદ ઠંડો થયો છે અને કરણ જોહરની સાથે કંગનાનુ ફરી પૈચઅપ પણ થઇ ગયુ.

કંગનાએ કહ્યુ, 'ફિલ્મ સિમરનની અસફળતા બાદ હું પોતે એકલતા અનુભવવા લાગી છુ. મેં ઘણા વિવાદો, આરોપો અને મુશ્કેલીઓનો સામનો કર્યો, પરંતુ કેટલાક લોકો એવા પણ હતા જેણે મારી સ્થિતિથી પોતાને રિલેટ કર્યા અને મને સપોર્ટ કર્યો. રિપોર્ટ્સ મુજબ આ ઇન્ટર્વ્યુમાં કંગના રનૌતએ કહ્યુ કે રાકેશ રોશને કહ્યુ હતુ કે તે તેના વિશે કેટલાક ખુલાસા કરશે, પરંતુ એવુ કઇ થયુ નહી અને જે છે તે બધા તમારી સામે છે.

હવે જોવાનુ એ રહેશે કે કંગનાના આ સ્ટેટમેંન્ટ પર બોલીવુડના કેટલાક લોકોનું શુ રિએક્શન હશે. ખાસકરીને તેમનુ જેનુ નામ કંગનાએ ઇન્ટર્વ્યુમાં લખ્યુ હતુ. જો કે હાલમાં પોતાની ફિલ્મ 'મળિકર્ણિકા:ધ ક્વિન ઓફ ઝાંસી' ની રિલીઝની રાહ જોઇ રહી છે. આ ફિલ્મમાં તે ઝાંસીની રાણી લક્ષ્મીબાઇનો મુખ્ય કિરદાર કરશે. આ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp