બાહુબલી પછી કટપ્પા છવાયો ઇન્ટરનેશનલ લેવલે...
28 એપ્રિલ, 2017મા રિલીઝ થયેલી બ્લોકબાસ્ટર ફિલ્મ બાહુબલી-2 હજી સુધી ચર્ચામાં છે. તેમાં નવી અપડેટ્સ છે કે પ્રભાસ પછી કટપ્પા એટલે કે સત્યરાજનું સ્ટેચ્યુ લંડનનાં મેડમ તુસાદ મ્યુઝિયમમાં લગાવવામાં આવશે. તેમના દિકરાએ આ જાણકારી તેના ટ્વિટર અકાઉન્ટમાં શેર કરી છે. આ પછી કટપ્પાનું પત્ર ભજવનાર સત્યરાજને સોશિયલ મીડિયા પર અભિનંદન મળી રહ્યા છે.
Really proud to read this!😊🙏🏻 #Kattappa #Baahubali https://t.co/M61ZcN8OLU
— Sibi (Sathya)raj (@Sibi_Sathyaraj) March 11, 2018
મીડિયાના રિપોર્ટ પ્રમાણે ફિલ્મના મુખ્ય પાત્રોમાંથી કટપ્પાનો રોલ કરનાર સત્યરાજનું વેક્સનું સ્ટેચ્યુ લગાવવામાં આવશે. મ્યુઝિયમમાં સત્યરાજને તેના કટપ્પાના અવતારમાં જોઈ શકાશે. મેડમ તુસાદમાં પ્રભાસ પછી તેમને આ સમ્માન આપવામાં આવશે. આ સાથે જ સત્યરાજ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બીજા નંબરના એક્ટર બની ગયા છે, જેમનું વેક્સનું સ્ટેચ્યું મ્યુઝિયમમાં લાગશે.
બાહુબલી પછી કટપ્પાનું પાત્ર સૌથી વધારે પોપ્યુલર થયું હતું. ફિલ્મનો બીજો ભાગ આવ્યો ત્યાં સુધી લોકોના મનમાં એક જ સવાલ હતો કે કટપ્પાએ બાહુબલીનને કેમ માર્યો. સોશિયલ મીડિયા પર પણ આ પ્રશ્ન ટ્રેન્ડમાં હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp