કુંભ જઈ રહ્યા છો તો સાથોસાથ ફરી આવો આસપાસની આ 13 જગ્યાઓ

PC: youtube.com

ત્રિવેણી સંગમની નગરી પ્રયાગરાજમાં કુંભ મહાપર્વમાં શ્રદ્ધાળુઓ આવવા લાગ્યા છે. પ્રયાગરાજમાં અનેક તીર્થસ્થળ અને દર્શનીય સ્થળો છો. જો તમે પણ પ્રયગરાજમાં કુંભ મેળાનો ભાગ બનવા જઈ રહ્યા છો તો અહીંના આ પ્રાચીન મંદિર અને ઐતિહાસિક સ્મારકોની મૂલાકાત લેવાનું ન ભૂલતા. પ્રયાગરાજમાં ફરવા માટે ઘણી જગ્યાઓ છે પરંતુ અહીં અમે તમને કેટલાક પસંદ કરેલા સ્થળો વિશે જણાવી રહ્યા છીએ.

સંકટમોચન હનુમાન મંદિર

દારાગંજ મહોલ્લામાં ગંગાજીના કિનારે સંકટમોચન હનુમાન મંદિર આવેલું છે. એવું કહેવાય છે કે સંત સમર્થ ગુરુ રામદાસજીએ અહીં ભગવાન હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરી હતી. શિવ-પાર્વતી, ગણેશ, ભૈરવ, દુર્ગા, કાલિ અને નવગ્રહની મૂર્તિઓ પણ આ મંદિરના પરિસરમાં સ્થાપિત છે. આ મંદિરની નજીક શ્રી રામ જાનકી મંદિર અને હરિત માધવ મંદિર પણ આવેલું છે.

ભારદ્વાજ આશ્રમ

મુનિ ભારદ્વાજ સમયે આ એક પ્રખ્યાત શિક્ષણ કેન્દ્ર હતું. એવું કહેવામાં આવે છે કે સીતાજી અને લક્ષ્મણજી સાથે ભગવાન રામ ચિત્રકૂટ જતા આ સ્થળે આવ્યા હતા. હાલમાં ત્યાં ભારદ્વાજેશ્વર મહાદેવ મુનિ ભારદ્વાજ, તીર્થરાજ પ્રયાગ અને દેવી કાળીનાં મંદિરો છે. નજીકમાં સુંદર ભારદ્વાજ પાર્ક અને આનંદ ભવન છે.

શ્રી વેણી માધવ મંદિર

એવું માનવામાં આવે છે કે જ્યારે બ્રહ્માજી પ્રયાગરાજની ભૂમિ પર યજ્ઞ કરી રહ્યા હતા ત્યારે તેમણે પ્રયાગરાજના રક્ષણ માટે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી હતી અને તેમના બાર રૂપ સ્થાપના કરાવી હતી. પ્રયાગરાજના બાર માધવ મંદિરોમાં વિખ્યાત શ્રી વેણી માધવજીનું મંદિર દારાગંજના નીરાલા રોડ પર આવેલું છે. મંદિરમાં શાલિગ્રામ શિલા નિર્મિત શ્યામ રંગની માધવની પ્રતિમા ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી છે. શ્રી વેણી માધવને જ પ્રયાગરાજના મુખ્ય દેવ તરીકે પણ ગણવામાં આવે છે. શ્રી વેણી માધવના દર્શન વગર પ્રયાગરાજની જાત્રા અને ત્યાં થનારી પંચકોશી પરિક્રમા કર્યા વગર પ્રયાગરાજની મુલાકાત સંપૂર્ણ હોવાનું કહી શકાય નહીં. ચૈતન્ય મહાપ્રભુ સ્વયં પોતાના પ્રયાગરાજ પ્રવાસ દરમિયાન અહીં રહીને ભજન-કીર્તન કરતા હતા.

શંકર વિમાન મંડપમ

આ મંદિર દક્ષિણ ભારતીય શૈલીમાં બનાવવામાં આવ્યું છે. મંદિર ચાર સ્તંભો પર બાંધવામાં આવ્યું છે. જેમાં કુમારિલ ભટ્ટ, જગતગુરુ આદિ શંકરાચાર્ય, કમક્ષી દેવી (લગભગ શક્તિની 51 મૂર્તિઓ સાથે), તિરુપતિ બાલાજી (આશરે 108 વિષ્ણુ ભગવાન) અને યોગિકા સહસ્ત્રરાજ લિંગ (108 શિવલિંગ) ની સ્થાપના કરવામાં આવી છે.

મનકામેશ્વર મંદિર

આ મંદિર કિલ્લાના પશ્ચિમ યમુના કિનારે મિન્ટો પાર્ક નજીક આવેલું છે. અહીં કાળા પથ્થરના ભગવાન શિવનું એક લિંગ અને ગણેશ અને નંદીની મૂર્તિઓ છે. હનુમાનજીની મોટી મૂર્તિ પણ છે અને મંદિરની નજીક એક પ્રાચીન પીપળાનું વૃક્ષ પણ આવેલું છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં માંગેલી દરેક પ્રાર્થના પૂર્ણ થઈ જાય છે.

શ્રી અખિલેશ્વર મહાદેવ

ચિન્મય મિશન હેઠળ પ્રયાગરાજ (અગાઉ અલ્હાબાદ) માં રસુલબાદ ઘાટ નજીક 500 ચોરસ ફુટના લગભગ એક વિસ્તારમાં અખિલેશ્વર મહાદેવ સંકુલ ફેલાયેલું છે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રાજસ્થાનથી ગુલાબી પથ્થર મંગાવીને તેને કાપવામાં આવી રહ્યા છે અને શ્રી અખિલેશ્વર મહાદેવ ધ્યાન ધર્મ મંડપને આકાર આપવા માટે લગાવવામાં આવી રહ્યા છે.

પબ્લિક લાઇબ્રેરી

શહેરની સૌથી જૂની લાઇબ્રેરી ચંદ્રશેખર આઝાદ પાર્ક સંકુલમાં સ્થિત છે. તેમાં ઐતિહાસિક પુસ્તકો, હસ્તપ્રતો અને સામયિકોનો સંગ્રહ છે. રાજ્યની પ્રથમ વિધાનસભાની પ્રથમ બેઠક આ બિલ્ડિંગમાં યોજાઈ હતી. લોર્ડ થાર્નહિલ અને ખાણની યાદમાં બનાવવામાં આવેલી આ ઇમારત ગોથિક સ્થાપત્યનું સુંદર ઉદાહરણ છે.

અલ્હાબાદ વિશ્વવિદ્યાલય

અલ્હાબાદ યુનિવર્સિટીને 'ઓક્સફર્ડનું પૂર્વ' કહેવામાં આવે છે. કલકત્તા, બોમ્બે અને મદ્રાસ યુનિવર્સિટી પછી તે ચોથી જૂની યુનિવર્સિટી છે. વિજય નાગારામ હોલ, સેનેટ હોલ (દરબાર હોલ), એસએસએલ હોસ્ટેલ, અલ્હાબાદ યુનિવર્સિટી મોટી ઇમારતો છે.

વિક્ટોરિયા સ્મારક

રાણી વિક્ટોરિયાને સમર્પિત ઇટાલીયન ચૂનાના પત્થર સાથેનું આ સ્મારક એ આર્કિટેક્ચરનું જીવંત ઉદાહરણ છે. 24 માર્ચ, 1906ના રોજ જેમ્સ ડિગ્સ લા ટચ દ્વારા 1906માં તેને ખોલવામાં આવ્યું હતું. ત્રિકોણીય રચનામાં રાણી વિક્ટોરિયાની મૂર્તિ અહીં લાગેલી હતી જે હાલમાં અહીં નથી.

સ્વરાજ ભવન

સ્વરાજ ભવન નેહરુ પરિવારની મિલકત હતી. હવે સ્વરાજ ભવન પ્રયાગરાજના પ્રવાસી સ્થળોમાંનું એક બની ગયું છે. અહીં લોકો ગાંધીજીનો ચરખો, સ્વતંત્રતા સેનાની તસવીરો અને નેહરુ પરિવારના વારસાની મુલાકાત લે છે.

આનંદ ભવન

નેહરુ પરિવારના નિવાસસ્થાન આનંદ ભવનને હવે મ્યુઝિયમમાં પરિવર્તિત કરવામાં આવ્યું છે. ઈન્દિરા ગાંધીએ 1970માં આનંદ સરકારને ભારત સરકારને દાન આપ્યું હતું. પ્રયાગરાજ જતા લોકો આનંદ ભવન ચોક્કસ જાય છે.

ચંદ્રશેખર આઝાદ પાર્ક

તે પ્રયાગરાજનું સૌથી મોટું પાર્ક છે. તે અગાઉ આલ્ફ્રેડ પાર્ક તરીકે ઓળખાતું હતું. આ પાર્ક 133 એકરમાં ફેલાયેલું છે. આ પાર્કમાં ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદ શહીદ થયા હતા. ઉદ્યાનની અંદર સંગ્રહાલય પણ છે.

ખુસરો બાગ

ખુસરબોગ એક વિશાળ ઐતિહાસિક બગીચો છે. ચાર દિવાલની અંદર આ સુંદર બગીચામાં ચાંદીના પત્થરોથી બનેલી મકબરો મુઘલ સ્થાપત્યના ઉત્તમ ઉદાહરણો છે. એક દીવાલવાળા આ બગીચામાં 17મી સદીમાં બનાવવામાં આવેલી ચાર મહત્વપૂર્ણ મુઘલ કબરો છે. કબરોમાંથી એક જહાંગીરના સૌથી મોટા પુત્ર રાજકુમાર ખુસરોની છે. બીજી કબર ખુસરોની માતા શાહ બેગમની છે. ત્રીજો મકબરાનું નિર્માણ ખુસરોની બહેન નેસા બેગમે કરાવ્યું હતું. ચોથો અને છેલ્લો મકબરો સૌથી નાનો છે જે તૈમુરલંગની કબર રૂપે ઓળખાય છે અને તે રહસ્યમય કબર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp