એમેઝોને 14,000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા, કારણ છે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)

E-કોમર્સ કંપની એમેઝોને હજારો કર્મચારીઓની છટણીની જાહેરાત કરી છે. કંપનીએ મંગળવારે જાહેરાત કરી હતી કે, તે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના યુગમાં ખર્ચ ઘટાડવાની યોજનાના ભાગ રૂપે આશરે 14,000 કોર્પોરેટ કર્મચારીઓને છટણી કરશે.

કંપનીએ એક બ્લોગ પોસ્ટમાં લખ્યું છે કે, આ છટણી ટેક જાયન્ટને વધુ સુવ્યવસ્થિત કરવા માટે અમલમાં મુકવામાં આવી છે. જો કે, એમેઝોને એમ પણ જણાવ્યું હતું કે, તે મુખ્ય ક્ષેત્રોમાં ભરતી ચાલુ રાખશે અને તે પદો માટે નોકરી ગુમાવનારાઓને પ્રાથમિકતા આપશે. કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે, છટણી હજુ પુરી થઈ નથી, જેનાથી સંકેત મળે છે કે, આગળ હજુ વધુ નોકરીઓમાં કાપ આવી શકે છે.

Amazon--Cut-Jobs.jpg-2

એમેઝોનના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ બેથ ગેલેટીએ પોસ્ટમાં લખ્યું, 'આપણે એ યાદ રાખવું જોઈએ કે, દુનિયા ઝડપથી બદલાઈ રહી છે. AIની આ પેઢી ઇન્ટરનેટ પછી આપણે જોયેલી સૌથી વધુ પરિવર્તનશીલ ટેકનોલોજી છે, અને તે કંપનીઓને હાલના અને સંપૂર્ણપણે નવા બજાર વિભાગોમાં પહેલા કરતાં વધુ ઝડપથી નવીનતા લાવવા સક્ષમ બનાવી રહી છે.

તેમણે વધુમાં ઉમેર્યું, 'અમારું માનવું છે કે અમારે અમારા ગ્રાહકો અને અમારા વ્યવસાયો માટે શક્ય તેટલી ઝડપથી આગળ વધવા માટે ઓછા સ્તરો અને વધુ માલિકી સાથે વધુ ચપળતાથી સંગઠિત થવાની જરૂર છે.' એમેઝોને જણાવ્યું હતું કે, તે 2026 સુધી પસંદગીના ક્ષેત્રોમાં ભરતી ચાલુ રાખશે, જ્યારે અન્ય ક્ષેત્રોમાં ઘટાડો કરશે.

Amazon-Cut-Jobs.jpg-3

ઘણા મીડિયા આઉટલેટ્સ અનુસાર, આ છટણી એમેઝોનના ઇતિહાસમાં સૌથી મોટો કોર્પોરેટ ઘટાડો બતાવવામાં આવે છે. મીડિયા સૂત્રોએ અગાઉ અહેવાલ આપ્યો હતો કે, છટણીની કુલ સંખ્યા 30,000 સુધી પહોંચી શકે છે.

એમેઝોન યુનાઇટેડ સ્ટેટ્સમાં બીજા ક્રમનું સૌથી મોટું ખાનગી નોકરીદાતા છે, જે બીજા ક્વાર્ટરના અંત સુધીમાં વૈશ્વિક સ્તરે 1.54 મિલિયનથી વધુ લોકોને રોજગારી આપે છે. કંપની પાસે 350,000થી વધુ કોર્પોરેટ કર્મચારીઓ છે, એટલે આમ જોવા જઈએ તો આ છટણી તેના કુલ કોર્પોરેટ કર્મચારીઓના લગભગ 4 ટકા છે.

મંગળવારથી શરૂ થયેલી છટણીએ ભારત સહિત અનેક બજારોને અસર કરી છે. મોટાભાગના પ્રભાવિત કર્મચારીઓને આંતરિક રીતે નવી ભૂમિકાઓ શોધવા માટે 90 દિવસનો સમય આપવામાં આવશે, જ્યારે જે લોકો નોકરી શોધી શકતા નથી તેમને નિવૃત્તિ ભથ્થા અને વધારાના લાભો મળશે.

Amazon--Cut-Jobs

CEO એન્ડી જેસીએ જૂનમાં એક અલગ બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે, આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)થી વધેલી કાર્યક્ષમતા આખરે કંપનીને નાના માનવ કર્મચારીઓ સાથે કામ કરવા સક્ષમ બનાવશે.

જેસીએ આગળ લખ્યું, 'જેમ જેમ અમે વધુ જનરેટિવ AI અને એજન્ટો રજૂ કરીશું, તેમ તેમ તે અમારી કાર્ય કરવાની રીતમાં પરિવર્તન લાવશે. અમે અત્યારે જે કામ કરી રહ્યા છીએ તેના માટે અમને ઓછા લોકોની અને અન્ય પ્રકારના કામ માટે વધુ લોકોની જરૂર પડશે.'

About The Author

Related Posts

Top News

કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સગાઈ કરી લીધી છે. કિંજલ...
Entertainment 
કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

એક તરફ દેશમાં 70 કલાક કામ કરવાને લઈને બહેસ ચાલી રહી છે. કેટલાક લોકો તેના પક્ષમાં છે, જ્યારે Gen-Z ...
National 
‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવે તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યુ હતુ કે, સરકાર વિદેશી...
National 
કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

એક સારી એવી નોકરી છોડીને નવા પ્લાન પર કામ કરવું પડકારજનક કામ છે. એવામાં પરિવારથી લઈને સમાજ સુધી કોઈ પણ...
Offbeat 
લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.