iPhoneવાળું ફીચર હવે એન્ડ્રોઈડ ફોન પર પણ મળશે, Qualcommએ કર્યું લોન્ચ

iPhone 14 પ્રો સીરિઝમાં એક અલગ જ ફીચર મળે છે. તેની મદદથી તમે નેટવર્કમાં ના હોવા છતાં પણ કોઈની સાથે સંપર્ક કરી શકો છો. અમે જે ફીચરની વાત કરી રહ્યા છે તે છે સેટેલાઈટ કોમ્યુનિકેશન. આમ તો Appleએ આ ફીચરને બધા રીજનમાં લોન્ચ કર્યું નથી પરંતુ પસંદગીના જ રીજનમાં યુઝર્સ તેનો ઉપયોગ કરી શકે છે. Apple આ ફીચરને લોન્ચ કરીને એન્ડ્રોઈડ ફોનથી એક કદમ આગળ નીકળી ગયું હતું પરંતુ આવું વધારે દિવસો સુધી નહીં ચાલે. એન્ડ્રોઈડ યુઝર્સને પણ ટૂંક સમયમાં આ ફીચરની સુવિધ મળવા લાગશે.

Qualcommએ એnapdragon સેટેલાઈટ લોન્ચ કર્યું છે, જે એક ટુ-વે સેટેલાઈટ મેસેજ સર્વિસ પ્રોવાઈડ કરશે. આ ફીચરને તમે નેકસ્ટ જનરેશન એન્ડ્રોઈડ ફ્લેગશિપ ફોનમાં જોઈ શકશો. Qualcommએ આ અંગેની જાણકારી એક બ્લોગ પોસ્ટ કરીને આપી છે. આ સેટેલાઈટ લોન્ચ કરવા માટે બ્રાન્ડે ઈરીડીયમ અને ગાર્મીન સાથે કોલોબ્રેશન કર્યું છે. આ ફીચર ફોનના GPS અને સેટેલાઈટ કોમ્યુનિકેશનનો ઉપયોગ ટુ-વે ટેક્સ્ટીંગ અનેબલ કરવા માટે કરે છે. તેની મદદથી ગામડા તથા રિમોટ લોકેશન પર કોમ્યુનિકેશન કરી શકાશે.

Qualcommની માનીએ તો સ્નેપડ્રેગન સેટેલાઈટ સર્વિસનું ફીચર Snapdragon 8 Gen2 પ્રોસેસર પર કામ કરનારા પસંદગીના ફોન્સ પર પણ મળશે. કંપનીએ પોતાની આ ટેકનોલોજીને શોકેસ કરી, જેમાં દેખાડવામાં આવ્યું છે કે કેવી રીતે તમે પણ મેસેજ મોકલી તથા મેળવી શકો છો. જ્યારે તમારા ફોનમાં નેટવર્ક ન હોય.જોકે આ સર્વિસને કામ કરવા માટે કેટલીક વસ્તુઓનું હોવું જરૂરી છે. સેટેલાઈટ કોમ્યુનિકેશન માટે ક્લિયર આકાશનું હોવું જરૂરી છે. સાથે જ ફોન સેટેલાઈટ તરફ અલાઈન હોવો જોઈએ, જેથી કનેક્શન થઈ શકે.

એક વખત કનેક્શન એસ્ટાબ્લિશ થઈ જાય, પછી તમને SMS મોકલી અને રિસીવ કરી શકો છો. યુઝર્સ 160 કેરેક્ટર્સના કસ્ટમાઈઝ મેસેજ મોકલી શકે છે. આ વર્ષે આવનારા ફ્લેગશિપ એન્ડ્રોઈડ ફોનમાં આ ફીચર જોવા મળી શકે છે. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં લોન્ચ કરવામાં આવેલા iPhone 14 અને 14 Proમાં કંપનીએ આ એક ખાસ ફીચરનો ઉમેરો કર્યો હતો. જેની મદદથી તમે ઈમરજન્સીની જરૂરિયાતના સમયે દુનિયાના કોઈ પણ ખુણામાંથી તેનો ઉપયોગ કરી તમારી અથવા બીજાના જાન બચાવી શકો છો.

About The Author

Related Posts

Top News

અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Gujarat 
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એશિયા કપથી બહાર થવાનો નિર્ણય લીધો છે. BCCIએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (...
Sports 
પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

મુંબઈમાં રવિવારે કંઈક એવું થયું, જે અધિકારીઓને હંમેશાં યાદ રહેશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ જ્યારે એક સાર્વજનિક મંચ...
National 
CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો

હરિયાણા સ્થિત યૂટ્યૂબર ધ્રૂવ રાઠી દ્વારા શીખ ગુરુઓ પર બનાવેલા વીડિયો પર વિવાદ થયો છે. 'બંદા સિંહ બહાદુર કી...
National 
ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.