iPhoneવાળું ફીચર હવે એન્ડ્રોઈડ ફોન પર પણ મળશે, Qualcommએ કર્યું લોન્ચ

iPhone 14 પ્રો સીરિઝમાં એક અલગ જ ફીચર મળે છે. તેની મદદથી તમે નેટવર્કમાં ના હોવા છતાં પણ કોઈની સાથે સંપર્ક કરી શકો છો. અમે જે ફીચરની વાત કરી રહ્યા છે તે છે સેટેલાઈટ કોમ્યુનિકેશન. આમ તો Appleએ આ ફીચરને બધા રીજનમાં લોન્ચ કર્યું નથી પરંતુ પસંદગીના જ રીજનમાં યુઝર્સ તેનો ઉપયોગ કરી શકે છે. Apple આ ફીચરને લોન્ચ કરીને એન્ડ્રોઈડ ફોનથી એક કદમ આગળ નીકળી ગયું હતું પરંતુ આવું વધારે દિવસો સુધી નહીં ચાલે. એન્ડ્રોઈડ યુઝર્સને પણ ટૂંક સમયમાં આ ફીચરની સુવિધ મળવા લાગશે.

Qualcommએ એnapdragon સેટેલાઈટ લોન્ચ કર્યું છે, જે એક ટુ-વે સેટેલાઈટ મેસેજ સર્વિસ પ્રોવાઈડ કરશે. આ ફીચરને તમે નેકસ્ટ જનરેશન એન્ડ્રોઈડ ફ્લેગશિપ ફોનમાં જોઈ શકશો. Qualcommએ આ અંગેની જાણકારી એક બ્લોગ પોસ્ટ કરીને આપી છે. આ સેટેલાઈટ લોન્ચ કરવા માટે બ્રાન્ડે ઈરીડીયમ અને ગાર્મીન સાથે કોલોબ્રેશન કર્યું છે. આ ફીચર ફોનના GPS અને સેટેલાઈટ કોમ્યુનિકેશનનો ઉપયોગ ટુ-વે ટેક્સ્ટીંગ અનેબલ કરવા માટે કરે છે. તેની મદદથી ગામડા તથા રિમોટ લોકેશન પર કોમ્યુનિકેશન કરી શકાશે.

Qualcommની માનીએ તો સ્નેપડ્રેગન સેટેલાઈટ સર્વિસનું ફીચર Snapdragon 8 Gen2 પ્રોસેસર પર કામ કરનારા પસંદગીના ફોન્સ પર પણ મળશે. કંપનીએ પોતાની આ ટેકનોલોજીને શોકેસ કરી, જેમાં દેખાડવામાં આવ્યું છે કે કેવી રીતે તમે પણ મેસેજ મોકલી તથા મેળવી શકો છો. જ્યારે તમારા ફોનમાં નેટવર્ક ન હોય.જોકે આ સર્વિસને કામ કરવા માટે કેટલીક વસ્તુઓનું હોવું જરૂરી છે. સેટેલાઈટ કોમ્યુનિકેશન માટે ક્લિયર આકાશનું હોવું જરૂરી છે. સાથે જ ફોન સેટેલાઈટ તરફ અલાઈન હોવો જોઈએ, જેથી કનેક્શન થઈ શકે.

એક વખત કનેક્શન એસ્ટાબ્લિશ થઈ જાય, પછી તમને SMS મોકલી અને રિસીવ કરી શકો છો. યુઝર્સ 160 કેરેક્ટર્સના કસ્ટમાઈઝ મેસેજ મોકલી શકે છે. આ વર્ષે આવનારા ફ્લેગશિપ એન્ડ્રોઈડ ફોનમાં આ ફીચર જોવા મળી શકે છે. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં લોન્ચ કરવામાં આવેલા iPhone 14 અને 14 Proમાં કંપનીએ આ એક ખાસ ફીચરનો ઉમેરો કર્યો હતો. જેની મદદથી તમે ઈમરજન્સીની જરૂરિયાતના સમયે દુનિયાના કોઈ પણ ખુણામાંથી તેનો ઉપયોગ કરી તમારી અથવા બીજાના જાન બચાવી શકો છો.

About The Author

Top News

સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પહેલા પ્રેક્ટિસ મેચ રમી રહી છે. આ મેચ ઈન્ડિયા A અને મુખ્ય ટીમ વચ્ચે...
Sports 
સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

રાજા રઘુવંશી કેસમાં હવે શિલોંગ પોલીસે મોટી ચોખવટ કરી છે કે, રાજા રઘુવંશી હત્યા કેસમાં રાજ કુશવાહ માસ્ટર માઇન્ડ...
National 
રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલાએ તેના પતિ પર ધાર્મિક માર્ગથી ભટકી...
National 
પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી

ભારતીય ક્રિકેટ ટીમ 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે તેની ધરતી પર પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેના માટે ભારતીય...
Sports 
કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.