<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.khabarchhe.com/post/default/router-v2?type=author&id=104" rel="self" type="application/rss+xml" />
                <generator>Khabarchhe RSS Feed Generator</generator>
                <title>Mohit Panchal - Khabarchhe</title>
                <link>https://www.khabarchhe.com/author/104/rss</link>
                <description>Mohit Panchal RSS Feed</description>
                
                            <item>
                <title>કનેરિયા પર આફ્રિદીએ કહ્યું-તે દુશ્મન દેશને ઇન્ટરવ્યૂ આપે છે જે ધાર્મિક ભાવના...</title>
                                    <description><![CDATA[<p>પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ સાથી ખેલાડી દાનિશ કનેરિયા દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર જવાબ આપ્યો છે. કનેરિયાએ આફ્રિદી પર પોતાની સાથે દુર્વ્યવહાર કરવાના આરોપો લગાવ્યા હતા. લેગ સ્પિનરે તેમના પર ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરવાના પણ આરોપો લગાવ્યા.</p>  <p>આ આરોપોને નકારી કાઢતા શાહિદ આફ્રિદીએ કહ્યું કે, તે સમયે તે ફક્ત ધર્મનો મતલબ સમજી રહ્યા હતા, જ્યારે કનેરિયા મારા નાના ભાઇ જેવો છે. આફ્રિદીએ કનેરિયાના ઇરાદા પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે, આ આરોપો ફક્ત સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે અને પૈસા કમાવવા માટે લગાવવામાં આવ્યા છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2024-08/165184780251.jpg" alt="" /></p>  <p>આફ્રિદીએ એક પાકિસ્તાની વેબસાઇટ દ્વારા કહ્યું કે, ‘જે વ્યક્તિ આ બધુ કહી રહ્યો</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/entertainment/danish-kaneria-makes-seri-ous-alleg-ations-against-shahid-afridi/article-135642"><img src="https://www.khabarchhe.com/media/400/2024-08/165184780250.jpg" alt=""></a><br /><p>પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ સાથી ખેલાડી દાનિશ કનેરિયા દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર જવાબ આપ્યો છે. કનેરિયાએ આફ્રિદી પર પોતાની સાથે દુર્વ્યવહાર કરવાના આરોપો લગાવ્યા હતા. લેગ સ્પિનરે તેમના પર ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરવાના પણ આરોપો લગાવ્યા.</p>  <p>આ આરોપોને નકારી કાઢતા શાહિદ આફ્રિદીએ કહ્યું કે, તે સમયે તે ફક્ત ધર્મનો મતલબ સમજી રહ્યા હતા, જ્યારે કનેરિયા મારા નાના ભાઇ જેવો છે. આફ્રિદીએ કનેરિયાના ઇરાદા પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે, આ આરોપો ફક્ત સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે અને પૈસા કમાવવા માટે લગાવવામાં આવ્યા છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2024-08/165184780251.jpg" alt=""></img></p>  <p>આફ્રિદીએ એક પાકિસ્તાની વેબસાઇટ દ્વારા કહ્યું કે, ‘જે વ્યક્તિ આ બધુ કહી રહ્યો છે, તેના પોતાના જ ચરિત્રને જૂઓ. કનેરિયા મારા નાના ભાઇ જેવો હતો અને હું તેની સાથે ઘણા વર્ષો સુધી ક્રિકેટ રમ્યો છું. જો મારી વર્તણૂંક ખરાબ હતી તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ કે તે વિભાગમાં તેણે ફરિયાદ કેમ નહોતી કરી? તે આપણા દુશ્મન દેશને ઇન્ટરવ્યૂ આપી રહ્યો છે જે ધાર્મિક ભાવનાઓ ભડકાવી શકે છે.’</p>  <p>દાનિશ કનેરિયાએ દાવો કર્યો હતો કે આફ્રિદી નથી ઈચ્છતો કે તે પાકિસ્તાનની ટીમનો હિસ્સો બને અને તેમણે અભિમાનના કારણે ટીમના અન્ય ખેલાડીઓને પણ તેમના વિરૂદ્ધ ભડકાવ્યા હતા. હું સારું પ્રદર્શન કરી રહ્યો હતો અને તે મારાથી જલી રહ્યા હતા, પણ મને ગર્વ છે કે હું પાકિસ્તાન માટે રમ્યો.’</p>  <p>લેગ સ્પિનર દાનિશ કનેરિયા હમણા સુધી પાકિસ્તાન માટે 61 ટેસ્ટ મેચોમાં 261 વિકેટ લીધી છે. કનેરિયાએ 8 વન-ડે મેચોમાં પણ પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું છે, તેના નામ પર 15 વિકેટનો ખિતાબ છે. વર્ષ 2009માં ઇંગ્લિશ કાઉન્ટી ચેમ્પિયનશિપ પ્રો-લીગ મેચોમાં સ્પોટ ફિક્સિંગના આરોપામાં તેમને 2012માં ECB દ્વારા પ્રતિબંધિત કરાયા હતા.</p>]]></content:encoded>
                
                                                            <category>World</category>
                                            <category>Sports</category>
                                            <category>Entertainment</category>
                                    

                <link>https://www.khabarchhe.com/entertainment/danish-kaneria-makes-seri-ous-alleg-ations-against-shahid-afridi/article-135642</link>
                <guid>https://www.khabarchhe.com/entertainment/danish-kaneria-makes-seri-ous-alleg-ations-against-shahid-afridi/article-135642</guid>
                <pubDate>Fri, 16 Aug 2024 09:32:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-08/165184780250.jpg"                         length="124714"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohit Panchal]]></dc:creator>
                            </item>
            <item>
                <title>કંગના માટે છોકરો શોધી રહ્યો છે અર્જૂન, બોલ્યો- કંગના માટે કોણ યોગ્ય છે જાણું છું</title>
                                    <description><![CDATA[<p>બોલિવુડ એક્ટ્રેસ કંગના રણૌત હાલના દિવસોમાં કોઇને કોઇ વાતને લઇને ચર્ચામાં જ હોય છે. હાલમાં જ તેની ફિલ્મના કારણે તે ચર્ચામાં છે. હાલમાં ‘તેજસ’ ફિલ્મનું ટ્રેલર રીલિઝ થયું છે. ફિલ્મમાં એક્ટ્રેસનો નીડર સ્વભાવ દેખાઇ આવે છે. એક ઇન્ટરવ્યૂમાં કંગના રણૌતે કહ્યું હતું કે, તેના કો સ્ટાર અર્જૂન રામપાલ પણ એટલો જ વિવાદાસ્પદ છે, જેટલી તે છે. જોકે, એ વાત અલગ છે કે, તેમની જેમ અર્જૂન રામપાલ ચર્ચામાં નથી આવતો. અર્જૂન પણ ઘણી વખત વિવાદાસ્પદ નિવેદનો આપતો જ રહે છે.</p>  <p>RJ સિદ્ધાર્થ કનનની સાથે કંગના રણૌતનું કહેવું છે કે, એ સોસાયટી જ છે કે જે અર્જૂનના નિવેદનો પર ધ્યાન નથી આપતી.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/entertainment/arjun-rampal-is-in-find-of-a-life-partner-for-kangana-ranaut/article-135944"><img src="https://www.khabarchhe.com/media/400/2023-10/165227926973.jpg" alt=""></a><br /><p>બોલિવુડ એક્ટ્રેસ કંગના રણૌત હાલના દિવસોમાં કોઇને કોઇ વાતને લઇને ચર્ચામાં જ હોય છે. હાલમાં જ તેની ફિલ્મના કારણે તે ચર્ચામાં છે. હાલમાં ‘તેજસ’ ફિલ્મનું ટ્રેલર રીલિઝ થયું છે. ફિલ્મમાં એક્ટ્રેસનો નીડર સ્વભાવ દેખાઇ આવે છે. એક ઇન્ટરવ્યૂમાં કંગના રણૌતે કહ્યું હતું કે, તેના કો સ્ટાર અર્જૂન રામપાલ પણ એટલો જ વિવાદાસ્પદ છે, જેટલી તે છે. જોકે, એ વાત અલગ છે કે, તેમની જેમ અર્જૂન રામપાલ ચર્ચામાં નથી આવતો. અર્જૂન પણ ઘણી વખત વિવાદાસ્પદ નિવેદનો આપતો જ રહે છે.</p>  <p>RJ સિદ્ધાર્થ કનનની સાથે કંગના રણૌતનું કહેવું છે કે, એ સોસાયટી જ છે કે જે અર્જૂનના નિવેદનો પર ધ્યાન નથી આપતી. અર્જૂન પણ ઘણાં વિવાદાસ્પદ નિવેદનો આપે છે. કંગનાએ ખુલાસો કર્યો હતો કે અર્જૂન રામપાલે એક લીડિંગ ફિલ્મ મેકરને નોઝ ટ્રિમર ભેટ આપ્યું હતું, કારણ કે ફિલ્મ મેકરના નોઝ હેર જોઇને અર્જૂનને ખરાબ લાગી રહ્યું હતું. કંગનાનું કહેવું છે કે, અર્જૂન ગમે ત્યારે કંઇ પણ કરી શકે છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-10/165227926974.jpg" alt=""></img></p>  <p>કંગના કહે છે કે, અર્જૂન તેને ઘણો ધાકડ અને વિવાદાસ્પદ લાગે છે. અર્જૂન જે કરવા માંગે છે, તે કરીને રહે છે. પણ અર્જૂન વિશે કદી કોઇ ખરાબ નથી છાપતું. આ મુદ્દે અર્જૂને રિપ્લાય આપતા કહ્યું હતું કે, હું પ્રેમથી બોલું છું અને કંગના થોડા ધાકડ સ્ટાઇલમાં બોલે છે. સાંભળવા મળ્યું છે કે, અર્જૂન આજકાલ કંગના માટે એક સારો છોકરો શોધી રહ્યો છે. અર્જૂનનું કહેવું છે કે, કંગના એક ઘણી સારી એક્ટ્રેસ છે. તે ભગવાનથી ડરે છે અને યોગા કરે છે. હું કંગનાને જેટલી જાણું છું તેટલું ઇન્ડસ્ટ્રીમાં કોઇ નથી જાણતું. હું તો એ પણ કહી શકું છું કે કંગના માટે કોણ યોગ્ય છે.</p>]]></content:encoded>
                
                                                            <category>Entertainment</category>
                                    

                <link>https://www.khabarchhe.com/entertainment/arjun-rampal-is-in-find-of-a-life-partner-for-kangana-ranaut/article-135944</link>
                <guid>https://www.khabarchhe.com/entertainment/arjun-rampal-is-in-find-of-a-life-partner-for-kangana-ranaut/article-135944</guid>
                <pubDate>Wed, 18 Oct 2023 16:45:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2023-10/165227926973.jpg"                         length="145614"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohit Panchal]]></dc:creator>
                            </item>
            <item>
                <title>બાળકોમાં આ બીમારીનો પ્રકોપ, Adenovirus ટાઇપ 41 થઇ શકે છે તેનું કારણ</title>
                                    <description><![CDATA[<p>Adenovirusની ઓછામાં ઓછી સાત અલગ-અલગ પ્રજાતી હોય છે અને એ પ્રજાતીઓમાં કોરોના વાયરસની જેમ જ ઘણી વખત આનુવાંશિક રૂપાંતરો થાય છે. હાલમાં જ સ્વસ્થ બાળકોમાં લીવર પરના ગંભીર સોજાના કેસ મળી રહ્યા છે. 21 એપ્રિલ સુધી, 12 દેશોના બાળકોમાં અજ્ઞાત પ્રકારના ગંભીર હેપેટાઇટીસના 169 કેસ સામે આવ્યા છે, જેમાં સૌથી વધુ કેસ UKમાં જોવા મળ્યા છે. દસ વર્ષથી ઓછી વયના બાળકો આ બીમારીનો શિકાર થયા છે.</p>  <p>નાના અને સ્વસ્થ બાળકોમાં આ બીમારી સ્વાસ્થ્ય નિષ્ણાંતો માટે એક ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે. સેંકડો લોકોને લીવર ટ્રાંસપ્લાન્ટની જરૂર છે અને એક બાળકનું લીવર ફેઇલ થવાથી મોત થયું છે. પ્રત્યારોપણની સંખ્યા પાછલા</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/health/hepatitis-outbreak-in-children-explainer-on-adenovirus-type-41-the-possible-culprit/article-135496"><img src="https://www.khabarchhe.com/media/400/2023-10/1651674597106.jpg" alt=""></a><br /><p>Adenovirusની ઓછામાં ઓછી સાત અલગ-અલગ પ્રજાતી હોય છે અને એ પ્રજાતીઓમાં કોરોના વાયરસની જેમ જ ઘણી વખત આનુવાંશિક રૂપાંતરો થાય છે. હાલમાં જ સ્વસ્થ બાળકોમાં લીવર પરના ગંભીર સોજાના કેસ મળી રહ્યા છે. 21 એપ્રિલ સુધી, 12 દેશોના બાળકોમાં અજ્ઞાત પ્રકારના ગંભીર હેપેટાઇટીસના 169 કેસ સામે આવ્યા છે, જેમાં સૌથી વધુ કેસ UKમાં જોવા મળ્યા છે. દસ વર્ષથી ઓછી વયના બાળકો આ બીમારીનો શિકાર થયા છે.</p>  <p>નાના અને સ્વસ્થ બાળકોમાં આ બીમારી સ્વાસ્થ્ય નિષ્ણાંતો માટે એક ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે. સેંકડો લોકોને લીવર ટ્રાંસપ્લાન્ટની જરૂર છે અને એક બાળકનું લીવર ફેઇલ થવાથી મોત થયું છે. પ્રત્યારોપણની સંખ્યા પાછલા વર્ષોમાં સમાન સમય મર્યાદામાં સામાન્ય રીતે જોવા મળતા કેસોમાં ઘણી વધારે છે. બાળકોમાં તીવ્ર હેપેટાઇટીસ કોઇ નવી વાત નથી, પરંતુ આ નવા આંકડા અભૂતપૂર્વ છે અને તેનું કારણ હજુ સુધી આંશીક રૂપે જ સ્પષ્ટ થઇ શક્યું છે. તેનું એક શક્ય કારણ Adenovirus છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-10/1651674597105.jpg" alt=""></img></p>  <p>UKની સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સી અનુસાર UKમા પરીક્ષણ થઇ ચૂકેલા 53માંથી 40 કેસોમાં Adenovirus જ સૌથી સામાન્ય રોગજનક હતો. એજન્સીએ કહ્યું છે કે ‘હેપેટાઇટીસના ગંભીર કેસોમાં વધારો Adenovirus સંક્રમણ જ હોઇ શકે છે, તથા અન્ય કારણો પણ ગંભીરતાથી તપાસ ચાલુ છે.’</p>  <p>Adenovirusનો એક મોટો સમૂહ કે જે જાનવરોની સાથે સાથે મનુષ્યોની એક વિસ્તૃત શૃંખલાને પણ સંક્રમીત કરી શકે છે. Adenovirusમાં અલગ-અલગ પ્રજાતીઓ હોય છે અને તેમાં કોરોના વાયરસની જેમ જ આનુવાંશિક રૂપાંતરો થાય છે, પણ તેમને વેરિયન્ટની જગ્યાએ Adenovirusનો ઉપપ્રકાર કહેવામાં આવે છે. Adenovirus સામાન્ય રીતે મનુષ્યોમાં નાની બીમારીનું કારણ બને છે. તેની કેટલીક પ્રજાતી શ્વાસને લગતી બીમારીનું પણ કારણ બને છે. જેમ કે નાના બાળકોમાં કંઠ રોગનું કારણ બને છે તો કોઇક કંજક્ટીવાઇટિસનું કારણ બને છે અને તેનો ત્રીજો સમૂહ ગેસ્ટ્રોઇંટેરાઇટિસનું કારણ પણ બને છે.</p>  <p>બાળકોમાં તીવ્ર હેપેટાઇટિસના પ્રકોપથી સંગત ઉપપ્રકારને Adenovirus 41 તરીકે ઓળખવામાં આવે છે. જેમાં અત્ચાર સુધી 74 કેસોમાં વાયરસ હાજર જોવા મળ્યો છે. ઉપપ્રકાર Adenovirus 41 ક્લસ્ટરીંગથી સંબંધીત છે. જે સામાન્ય રીતે હલકાથી મધ્યમ આંત્રશોથથી જોડાયેલું હોય છે. સામાન્ય રીતે ઝાડા-ઉલટી અને પેટમાં દુખાવાના લક્ષણોની સાથે સાથે પેટની સમસ્યા પણ જોવા મળે છે.</p>  <p>સારી ઇમ્યુન સીસ્ટમ ધરાવતા બાળકોમાં અને વયસ્કોમાં Adenovirus એક નાની સમસ્યા ઉભી કરે છે, જેના પરીણામ રૂપે એક કે બે અઠવાડીયામાં બીમારી થવાની આશંકા રહેલી છે. Adenovirusના સંક્રમણથી થતા વાયરલ હેપેટાઇટીસને પહેલા ફક્ત એક દુર્લભ જટીલતા તરીકે ગણવામાં આવી છે. કેસોની સંખ્યા અને બાળકોમાં બીમારીની ગંભીરતાને જોતા વેજ્ઞાનિકો તાત્કાલીક બીમારીના કારણોની તપાસ કરી રહ્યા છે. પ્રકોપની શરૂઆતમાં, મહામારી પર રીસર્ચ કરતાં વૈજ્ઞાનીકોએ આ દર્દીઓ સાથે સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરવા માટે અપીલ કરી હતી અને જાણવા મળ્યું કે આ કેસોનો નાનો સમૂહ નહોતો.</p>  <p>સ્કોટીશ નેશનલ હેલ્થ સર્વિસ દ્વારા પ્રાપ્ત ડેટા અનુસાર જાણવા મળ્યું છે કે આમાંથી કોઇપણ બાળક એક સ્પષ્ટ ભૌગોલીક પેટર્નમાં રહેતું નહોતું અને હોસ્પિટલમાં દાખલ બાળકોની ઉંમર સામાન્ય રીતે 4 વર્ષની હતી અને રોગને લગતાં અન્ય કોઇ લક્ષણ નહોતા મળ્યા. આ પ્રકારના નિષ્કર્ષ સેન્ટર ફોર ડીઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા જણાવવામાં આવ્યા હતા.</p>  <p>કોવિડની કેટલીક વેક્સીનમાં Adenovirusનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. સોશીયલ મીડિયા પર કેટલાક લોકોનું માનવું હતું કે શું આ બીમારીના ફેલાવાનું કારણ વેક્સીન હતી. UKમા સામે આવેલા કેસોમાંથી કોઇપણ દર્દીને કોવિડ વેક્સીન આપવામાં નહોતી આવી અને કોવિડ વેક્સીનમાં જે Adenovirusનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેનો આ વાયરસ સાથે કોઇ સંબંધ નથી.</p>]]></content:encoded>
                
                                                            <category>Lifestyle</category>
                                            <category>Health</category>
                                    

                <link>https://www.khabarchhe.com/health/hepatitis-outbreak-in-children-explainer-on-adenovirus-type-41-the-possible-culprit/article-135496</link>
                <guid>https://www.khabarchhe.com/health/hepatitis-outbreak-in-children-explainer-on-adenovirus-type-41-the-possible-culprit/article-135496</guid>
                <pubDate>Thu, 12 Oct 2023 10:25:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2023-10/1651674597106.jpg"                         length="109097"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohit Panchal]]></dc:creator>
                            </item>
            <item>
                <title>બોયફ્રેન્ડને કંટ્રોલ કરવા માટે છોકરીએ 8 નિયમો બનાવ્યા</title>
                                    <description><![CDATA[<p>એવું માનવામાં આવે છે કે, કોઇપણ રીલેશનશીપ ત્યારે જ સારી ચાલે છે, જ્યારે બંને પાર્ટનરનો વચ્ચે ટ્રસ્ટ હોય. પણ એક છોકરીએ પોતાના બોયફ્રેન્ડ માટે 8 નિયમો બનાવ્યા છે, જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા ચાલી રહી છે.</p>  <p>છોકરીએ પોતાના 8 રૂલ વાળો એક વીડિયો રજૂ કર્યો છે. જે વીડિયોને ટિકટોક પર 3 મિલિયનથી પણ વધુ વ્યૂઝ મળ્યા છે. વીડિયો પર છોકરીના ચાહકોના ફેન્સની અલગ અલગ પ્રતિક્રિયા જોવા મળી રહી છે. કેટલાક લોકોએ એના વખાણ કર્યા છે તો કેટલાક લોકોએ આ વીડિયોમાં ટ્રસ્ટ ઇશ્યુ હોવાનું કહ્યું છે. વીડિયોમાં પોતાના રૂલ્સ વિશે છોકરીએ કહ્યું કે, ‘આજે હું કેટલાક વિવાદાસ્પદ રૂલ્સ વિશે કહેવા</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/offbeat/the-girl-made-8-rules-to-control-her-boyfriend/article-136133"><img src="https://www.khabarchhe.com/media/400/2023-09/1652520275control_on_boyfriend.jpg" alt=""></a><br /><p>એવું માનવામાં આવે છે કે, કોઇપણ રીલેશનશીપ ત્યારે જ સારી ચાલે છે, જ્યારે બંને પાર્ટનરનો વચ્ચે ટ્રસ્ટ હોય. પણ એક છોકરીએ પોતાના બોયફ્રેન્ડ માટે 8 નિયમો બનાવ્યા છે, જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા ચાલી રહી છે.</p>  <p>છોકરીએ પોતાના 8 રૂલ વાળો એક વીડિયો રજૂ કર્યો છે. જે વીડિયોને ટિકટોક પર 3 મિલિયનથી પણ વધુ વ્યૂઝ મળ્યા છે. વીડિયો પર છોકરીના ચાહકોના ફેન્સની અલગ અલગ પ્રતિક્રિયા જોવા મળી રહી છે. કેટલાક લોકોએ એના વખાણ કર્યા છે તો કેટલાક લોકોએ આ વીડિયોમાં ટ્રસ્ટ ઇશ્યુ હોવાનું કહ્યું છે. વીડિયોમાં પોતાના રૂલ્સ વિશે છોકરીએ કહ્યું કે, ‘આજે હું કેટલાક વિવાદાસ્પદ રૂલ્સ વિશે કહેવા જઇ રહી છું, જે હું મારા બોયફ્રેન્ડ પાસે ફોલો કરાવવા જઇ રહી છું.’ મારા અત્યાર સુધીના દરેક બોયફ્રેન્ડે આ રૂલ્સને ફોલો કર્યા છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-09/16525202751.jpg" alt=""></img></p>  <ol>  <li>જેની સાથે તેની રોમેન્ટિક વાત કરી હોય તેવી દરેક છોકરીને તેણે બ્લોક કરવી પડશે.</li>  <li>જે દિવસથી મને ડેટ કરવાનું શરૂ કર્યું છે તે દિવસથી એક પણ છોકરીને ફોલો ન કરવી.</li>  <li>સર્ચ બારમાં એક પણ છોકરીને સર્ચ નથી કરવાની.</li>  <li>છોકરીઓના ફોટોને લાઇક ન કરવા.</li>  <li>કોઇની સ્ટોરી પર રિપ્લે ન કરવો.</li>  <li>એક્સપ્લોર પેજ સ્ક્રોલ કરે તો એકથી વધુ છોકરી ન દેખાવી જોઇએ.</li>  <li>જો કોઇ છોકરી સતત બિકીની ફોટો પોસ્ટ કરે છે, તો તેને અનફોલો કરવી પડશે.</li>  <li>લિંક ટ્રી પર કદી ક્લિક ન કરવું.</li>  </ol>  <p>જે પછી વીડિયોના કમેન્ટ સેક્શનમાં અફરાતફરી મચી ગઇ હતી. કેટલાક લોકોએ છોકરીની વાતને સમર્થન આપ્યું તો કેટલાકે તેને કંટ્રોલિંગ બિહેવિયર કહ્યું. એક યુઝરે કહ્યું કે, હું એકલો છું, કે જેને આ રૂલ વધુ કડક લાગે છે?’</p>]]></content:encoded>
                
                                                            <category>Offbeat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/offbeat/the-girl-made-8-rules-to-control-her-boyfriend/article-136133</link>
                <guid>https://www.khabarchhe.com/offbeat/the-girl-made-8-rules-to-control-her-boyfriend/article-136133</guid>
                <pubDate>Thu, 28 Sep 2023 21:41:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2023-09/1652520275control_on_boyfriend.jpg"                         length="154235"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohit Panchal]]></dc:creator>
                            </item>
            <item>
                <title>10 વર્ષ પહેલા 100માં જે વસ્તુ મળતી,આજે તે કેટલામા આવે છે?જાણો કેટલી વધી મોંઘવારી</title>
                                    <description><![CDATA[<p>મોંઘવારી એક સમાન્ય વ્યક્તિ માટે શાપ સમાન છે, જે વ્યક્તિના સામાન્ય જીવનમાં ગ્રહણનું કામ કરે છે. ભારત જેવા દેશમાં મોંઘવારી વધવી એ ખૂબ ચિંતાજનક વિષય છે, કારણ કે હજુ પણ ભારતમાં એક સામાન્ય વ્યક્તિની માસિક કમાણી લગભગ 12,500 રૂપિયાની આસપાસની જ છે. સરકાર પોતે માને છે કે, દેશમાં 80 કરોડથી પણ વધારે લોકો ગરીબ છે, તેથી જ તેમને મફતમાં અનાજ આપવામાં આવે છે. કોરોના મહામારીના કારણે પહેલેથી જ સામાન્ય વ્યક્તિની કમર તૂટી ગઇ છે. હવે મોંઘવારીના કારણે પરિસ્થિત વધુ કફોડી થઇ ગઇ છે. હાલમાં જ સરકારે મોંઘવારી દરને લઇને જે આંકડા રજૂ કર્યા છે, તે કહે છે કે દેશમાં મોંઘવારી</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/business/things-that-used-to-cost-100-rupees-10-years-ago-how-much-do-they-cost-today/article-136771"><img src="https://www.khabarchhe.com/media/400/2023-09/1653373343retail_inflation.jpg" alt=""></a><br /><p>મોંઘવારી એક સમાન્ય વ્યક્તિ માટે શાપ સમાન છે, જે વ્યક્તિના સામાન્ય જીવનમાં ગ્રહણનું કામ કરે છે. ભારત જેવા દેશમાં મોંઘવારી વધવી એ ખૂબ ચિંતાજનક વિષય છે, કારણ કે હજુ પણ ભારતમાં એક સામાન્ય વ્યક્તિની માસિક કમાણી લગભગ 12,500 રૂપિયાની આસપાસની જ છે. સરકાર પોતે માને છે કે, દેશમાં 80 કરોડથી પણ વધારે લોકો ગરીબ છે, તેથી જ તેમને મફતમાં અનાજ આપવામાં આવે છે. કોરોના મહામારીના કારણે પહેલેથી જ સામાન્ય વ્યક્તિની કમર તૂટી ગઇ છે. હવે મોંઘવારીના કારણે પરિસ્થિત વધુ કફોડી થઇ ગઇ છે. હાલમાં જ સરકારે મોંઘવારી દરને લઇને જે આંકડા રજૂ કર્યા છે, તે કહે છે કે દેશમાં મોંઘવારી દર 8 ટકાની નજીક પહોંચી ગયો છે.</p>  <p>સરકાર અનુસાર, એપ્રિલમાં કન્ઝ્યૂમર પ્રાઇસ ઇન્ડેક્સ પર આધારિત રીટેલ મોંઘવારીનો દર 7.79 ટકા રહ્યો. મોંઘવારીનો આ દર 8 વર્ષના ઉચ્ચ સત્તરે છે. આ પહેલા મે 2014માં મોંઘવારી દર 8.33 ટકા રહ્યો હતો. મોંઘવારી દર એટલે કોઇપણ સામાન કે સેવાની સમય સાથે વધતી કિંમતો. મોંઘવારી દરને કોઇપણ મહિના કે વર્ષના હિસાબે માપવામાં આવે છે. કોઇ ચીજ થોડાં વર્ષો પહેલા 100 રૂપિયાની મળતી હતી, તે હવે 105 રૂપિયાની મળે છે. આ રીતે ગણતરી કરવામાં આવે તો તેનો વાર્ષિક મોંઘવારી દર 5 ટકા છે એમ કહી શકાય.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-09/1653373343retail_inflation1.jpg" alt=""></img></p>  <p>મોંઘવારી દર વધવાના કારણે એક મોટું નુકસાન એ છે કે, તેને સમય સાથે રૂપિયાની કિંમતો ઓછી થતી જાય છે. એટલે કે, આજે તમારી પાસે રહેલા 105 રૂપિયાની કિંમત એક વર્ષ પહેલા 100 રૂપિયા હતી. મોંઘવારી દરનું આંકલન હાલ 2012ની બેઝ પ્રાઇસના આધારે કરવામાં આવી રહ્યું છે. તેનાથી અનુમાન લગાવાઇ રહ્યું છે કે, 2012માં 100 રૂપિયામાં તમે જે વસ્તુ ખરીદી શકતા હતા, આજે એ વસ્તુ ખરીદવામાં તેમને કેટલો ખર્ચ આવે.</p>  <p>2012માં જો તમે 100 રૂપિયામાં કોઇ સામાન ખરીદતા હતા, તે જ સામાન ખરીદવામાં આજે 170.1 રૂપિયા ખર્ચવા પડશે. એક વર્ષ પહેલા તમે 157.8 રૂપિયા ખર્ચ આવતો. અટલે કે, એક વર્ષમાં તે જ સામાનને ખરીદવા માટે તેમને 12.3 રૂપિયા વધારે ચૂકવવા પડતા હતા. જોકે, એક વર્ષમાં જ તમારે એ જ સામાન ખરીદવા માટે 157.8 રૂપિયાની જગ્યા પર 170.1 રૂપિયા ખર્ચ કરવા પડે છે, કારણ કે વાર્ષિક મોંઘવારી દર 7.79 ટકા થઇ ગયો છે.</p>  <p>ભારતમાં મોંઘવારી માપવા માટે બે ઇન્ડેક્સ છે. પહેલો કંઝ્યૂમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે CPI અને બીજે છે હોસલેસ પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે WPI. CPI દ્વારા રીટેલ મોંઘવારી દર માપી શકાય છે અને WPI દ્વારા છુટક મોંઘવારી દર માપી શકાય છે. સામાન્ય લોકો ગ્રાહક તરીકે જે સામાન ખરીદી છે, તે છુટક બજારમાંથી ખરીદે છે. CPI દ્વારા જાણી શકાય છે કે, છુટક બજારમાં જે સામાન છે, તે કેટલો મોંઘો કે સસ્તો થઇ રહ્યો છે. જ્યારે, કારોબારી કે કંપનીઓ થોક બજારમાંથી સામાન ખરીદે છે. તે WPI દ્વારા જાણી શકાય છે અને થોક બજારમાં સામાનની કિંમતોમાં થનારા બદલાવની જાણકારી મેળવી શકાય છે.</p>]]></content:encoded>
                
                                                            <category>Business</category>
                                            <category>Industries</category>
                                    

                <link>https://www.khabarchhe.com/business/things-that-used-to-cost-100-rupees-10-years-ago-how-much-do-they-cost-today/article-136771</link>
                <guid>https://www.khabarchhe.com/business/things-that-used-to-cost-100-rupees-10-years-ago-how-much-do-they-cost-today/article-136771</guid>
                <pubDate>Thu, 07 Sep 2023 19:41:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2023-09/1653373343retail_inflation.jpg"                         length="436547"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohit Panchal]]></dc:creator>
                            </item>
            <item>
                <title>એવી 4 કાર જે બને છે તો ભારતમાં પણ વેચાય ફક્ત વિદેશમાં જ છે</title>
                                    <description><![CDATA[<p>મોટી કાર મેન્યુફેક્ચરર કંપનીઓની કેટલીક એવી ગાડીઓ પણ છે, કે જેનું નિર્માણ ભારતમાં થાય છે પણ વિદેશી બજારોમાં વેચાય છે. કેટલીક એવી ગાડીઓ પણ છે, કે જે વિદેશોમાં બીજા નામથી વેચાઇ રહી છે. જાણો એવી 4 દેશી ગાડીઓ વિશે, જે વિદેશી બજારોમાં ધૂમ મચાવી રહી છે. આ ગાડીઓની સૂચિમાં સુઝુકી જિમ્ની, ટોયોટા રૂમિયન, ટોયોટા બેલ્ટા, મહિન્દ્રા સ્કોર્પિયો પીકઅપના નામ શામેલ છે.</p>  <p><strong>સુઝુકી જીમ્ની</strong></p>  <p>મારૂતિ સુઝુકી જિમ્નીને વિદેશી બજારોમાં નિકાસ કરવામાં આવે છે. મારૂતિની આ ઓફ રોડર કાર મહિન્દ્રા થાર અને ફોર્સ ગુરખાને ટક્કર આપી શકે એવી કાર છે. એટલા માટે કંપનીએ હવે મારૂતિ જિમ્નીને ભારતમાં 2023ના વર્ષમાં 10 લાખ રૂપિયાની</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/-tech---auto/4-vehicles-of-big-companies-are-made-in-india-and-sold-abroad/article-136970"><img src="https://www.khabarchhe.com/media/400/2023-09/16535681104.jpg" alt=""></a><br /><p>મોટી કાર મેન્યુફેક્ચરર કંપનીઓની કેટલીક એવી ગાડીઓ પણ છે, કે જેનું નિર્માણ ભારતમાં થાય છે પણ વિદેશી બજારોમાં વેચાય છે. કેટલીક એવી ગાડીઓ પણ છે, કે જે વિદેશોમાં બીજા નામથી વેચાઇ રહી છે. જાણો એવી 4 દેશી ગાડીઓ વિશે, જે વિદેશી બજારોમાં ધૂમ મચાવી રહી છે. આ ગાડીઓની સૂચિમાં સુઝુકી જિમ્ની, ટોયોટા રૂમિયન, ટોયોટા બેલ્ટા, મહિન્દ્રા સ્કોર્પિયો પીકઅપના નામ શામેલ છે.</p>  <p><strong>સુઝુકી જીમ્ની</strong></p>  <p>મારૂતિ સુઝુકી જિમ્નીને વિદેશી બજારોમાં નિકાસ કરવામાં આવે છે. મારૂતિની આ ઓફ રોડર કાર મહિન્દ્રા થાર અને ફોર્સ ગુરખાને ટક્કર આપી શકે એવી કાર છે. એટલા માટે કંપનીએ હવે મારૂતિ જિમ્નીને ભારતમાં 2023ના વર્ષમાં 10 લાખ રૂપિયાની નજીકની કિંમતમાં ભારતમાં લોન્ચ કરવાની યોજના બનાવી છે. કંપનીએ જનતાની પ્રતિક્રિયાનું આકલન કરવા માટે 2020 ઓટો એક્સ્પોમાં જિમ્ની કોમ્પેક્ટ એસયુવીનું પ્રદર્શન કર્યું હતું. સુઝુકી જિમ્ની યુકે અને યુરોપિય બજારોમાં એક ખૂબ જ લોકપ્રિય છે. અન્ય દેશોમાં તેની સફળતાને જોતા કંપની આ કારને જલ્દીથી જ ભારતીય બજારમાં લાવવા માગે છે.</p>  <p><strong>ટોયોટા રૂમિયન</strong></p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-09/16535681103.jpg" alt=""></img></p>  <p>ટોયોટા રૂમિયનનું નિર્માણ પણ ભારતમાં જ થાય છે, પણ તેનું વેચાણ ભારતમાં નથી કરવામાં આવતું. ઘણા વર્ષોથી રૂમિયનની વિદેશી બજારોમાં નિકાસ કરવામાં આવે છે. જોકે, કંપની હવે ભારતમાં આ ગાડીને લોન્ચ કરવાની યોજના ઘડી રહી છે. આ ગાડી મારૂતિ સુઝુકી અર્ટીગાનું જ એક રીબ્રાન્ડેડ મોડેલ છે.</p>  <p><strong>ટોયોટા બેલ્ટા</strong></p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-09/16535681102.jpg" alt=""></img></p>  <p>ટોયોટા બેલ્ટા ઉત્તરી અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં એક લોકપ્રિય ગાડી છે. આ ગાડીને અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં યારિસ અને એશિયાના બજારોમાં વિઓસના નામે વેચવામાં આવે છે. આ ગાડી પણ ભારતમાં સીયાઝ નામથી વેચાઇ રહી છે. આ કારનું પણ જાપાની કાર મેકર કંપની ટોયોટા ભારતમાં જ ઉત્પાદન કરે છે. આ ગાડી ભારતમાં વેચાઇ રહેલી સીયાઝનું જ એક રીબ્રાન્ડેડ વર્ઝન છે.</p>  <p><strong>મહિન્દ્રા સ્કોર્પિઓ પીકઅપ</strong></p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-09/16535681101.jpg" alt=""></img></p>  <p>મહિન્દ્રા સ્કોર્પિઓ પીકઅપનું નિર્માણ પણ ભારતમાં જ થાય છે, પણ આ ગાડી ભારતીય બજારોમાં ઉપલબ્ધ નથી. આ ગાડી ઓસ્ટ્રેલિયાના બજારોમાં ખૂબ જ લોકપ્રિય છે. આ ગાડી ભારતમાં થોડા વર્ષો પહેલા સ્કોર્પિઓ ગેટઅવેના નામથી વેચાતી હતી, પણ ભારતીય બજારમાં આ ગાડીને લોકો દ્વારા પ્રતિસાદ નહોતો મળ્યો. તેથી આ ગાડીને ભારતમાં ડીસકન્ટીન્યુ કરી દેવામાં આવી.</p>]]></content:encoded>
                
                                                            <category>Science</category>
                                            <category> Tech and Auto</category>
                                    

                <link>https://www.khabarchhe.com/-tech---auto/4-vehicles-of-big-companies-are-made-in-india-and-sold-abroad/article-136970</link>
                <guid>https://www.khabarchhe.com/-tech---auto/4-vehicles-of-big-companies-are-made-in-india-and-sold-abroad/article-136970</guid>
                <pubDate>Thu, 07 Sep 2023 19:00:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2023-09/16535681104.jpg"                         length="237162"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohit Panchal]]></dc:creator>
                            </item>
            <item>
                <title>મોંઘી દવાઓ પર 1000 ગણા વધુ પૈસાની કમાણી કરી રહ્યા છે કંપનીવાળા</title>
                                    <description><![CDATA[<p>ભારતમાં દવાઓની કિંમતો પર નિયંત્રણ રાખવાવાળા નિયમનકારી સંસ્થા નેશનલ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇસિંગ ઓથોરિટી(NPPA)ના વિશ્લેષણમાં સામે આવ્યું છે કે મોંઘી દવાઓ પર ટ્રેડ માર્જીન 1000 ટકાથી પણ વધારે લેવાઇ રહ્યું છે.</p>  <p>એક મીડિયા રિપોર્ટ અનુસાર 50-100 રૂપિયાવાળી દવામાંથી 2.97 ટકા દવાના ટ્રેડ માર્જીન 50-100 ટકા અને 1.25 ટકા દવાનું ટ્રેડ માર્જીન 100-200 ટકા છે. જ્યાં. 2.41 ટકા દવાનું માર્જીન 200-500 ટકા છે. NPPAએ કહ્યું કે, જો વાત 100 રૂપિયાથી વધારેની દવાઓ વિશે કરીએ તો 8 ટકા દવાનું માર્જીન 200-500 ટકાની વચ્ચે હોય છે. 2.7 ટકા દવાનું માર્જીન 500-1000 ટકાની વચ્ચે અને 1.48 ટકા દવાનું માર્જિન 1000 ટકાથી પણ વધારે વસૂલાઇ રહ્યું છે.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/business/expensive-drugs-are-being-charged-1000-times/article-136606"><img src="https://www.khabarchhe.com/media/400/2023-09/1653127485expensive_mediceins.jpg" alt=""></a><br /><p>ભારતમાં દવાઓની કિંમતો પર નિયંત્રણ રાખવાવાળા નિયમનકારી સંસ્થા નેશનલ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇસિંગ ઓથોરિટી(NPPA)ના વિશ્લેષણમાં સામે આવ્યું છે કે મોંઘી દવાઓ પર ટ્રેડ માર્જીન 1000 ટકાથી પણ વધારે લેવાઇ રહ્યું છે.</p>  <p>એક મીડિયા રિપોર્ટ અનુસાર 50-100 રૂપિયાવાળી દવામાંથી 2.97 ટકા દવાના ટ્રેડ માર્જીન 50-100 ટકા અને 1.25 ટકા દવાનું ટ્રેડ માર્જીન 100-200 ટકા છે. જ્યાં. 2.41 ટકા દવાનું માર્જીન 200-500 ટકા છે. NPPAએ કહ્યું કે, જો વાત 100 રૂપિયાથી વધારેની દવાઓ વિશે કરીએ તો 8 ટકા દવાનું માર્જીન 200-500 ટકાની વચ્ચે હોય છે. 2.7 ટકા દવાનું માર્જીન 500-1000 ટકાની વચ્ચે અને 1.48 ટકા દવાનું માર્જિન 1000 ટકાથી પણ વધારે વસૂલાઇ રહ્યું છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-09/1653127485expensive_mediceins1.jpg" alt=""></img></p>  <p>NPPAએ શુક્રવારે દવા નિર્માતા કંપનીઓના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં દવાના ટ્રેડ માર્જીનને તર્કસંગત બનાવા માટે ટ્રેડ માર્જીન રેશનલાઇઝેશન પર ચર્ચા થઇ હતી. તેના હેઠળ સપ્લાઇ ચેનમાં ટ્રેડ માર્જીનની સીમાને નક્કી કરવામાં આવે છે. ડ્રગ નિયામકના વિશ્લેષણ દ્વારા જાણવા મળ્યું છે કે, ભારતમાં નોન શિડ્યૂલ દવાનું વાર્ષિક ટર્નઓવર 1.37 લાખ કરોડ રૂપિયાથી પણ વધારે છે. ભારતમાં ફાર્મા સેક્ટરનું વાર્ષિક ટર્નઓવર 81 ટકા છે. એક સરકારી અધિકારીએ કહ્યું કે, ફાર્મા કંપનીઓએ આ વાતનો સ્વીકાર કર્યો કે, TMRથી દવાઓની કિંમતોમાં મોટો ઘટાડો આવશે. અધિકારીઓ અનુસાર, TMR પર કોઇપણ રીતનો નિર્ણય લેવા પહેલા દવા ઉદ્યોગના વિચારો સાંભળવામાં આવે છે.</p>  <p>દવા મેન્યુફેક્ચરિંગ કંપનીઓ જે કિંમત પર દવાઓ વેચે છે અને ગ્રાહક જે કિંમત પર દવાઓ ખરીદે છે તેને ટ્રેડ માર્જીન કહેવાય છે. જેમ જેમ દવાની કિંમત વધે છે તેમ તેમ દવાનું ટ્રેડ માર્જીન પણ વધે છે. દવા મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પાસેથી ગ્રાહક સુધી દવા પહોંચતા પહોંચતા દવાઓ હોલસેલ ડિસ્ટ્રીબ્યૂટર્સ પાસે પહોંચે છે. જો NPPA પહેલા દવાઓની કિંમતો ઓછી થાય છે તો દેશની એક મોટી આબાદીને રાહત મળી શકે છે. સરકાર પણ દવાઓની કિંમતોને કાબૂમાં લેવા માટે જેનેરિક દવાના ઉત્પાદનને પ્રોત્સાહિત કરી રહી છે.</p>  <p>દવાના ભાવને નિયંત્રણમાં લેવા માટે સરકાર પગલા ઉઠાવી રહી છે અને તે જેનેરિક દવાના ઉપયોગ વિશે પણ જાહેર જનતાને જાગૃત કરી રહી છે. જેનેરિક દવાના ઉત્પાદન માટે સરકાર સબસીડી પણ આપી રહી છે અને તે મોટા શહેરોમાં જેનેરિક દવાના રીટેલ આઉટલેટના વિસ્તાર પાછળ પણ ધ્યાન આપી રહી છે.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Business</category>
                                            <category>Industries</category>
                                    

                <link>https://www.khabarchhe.com/business/expensive-drugs-are-being-charged-1000-times/article-136606</link>
                <guid>https://www.khabarchhe.com/business/expensive-drugs-are-being-charged-1000-times/article-136606</guid>
                <pubDate>Sat, 02 Sep 2023 09:45:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2023-09/1653127485expensive_mediceins.jpg"                         length="162895"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohit Panchal]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ભારતમાં પૂર્વ વડાપ્રધાનને કેવી સુરક્ષા મળે છે?</title>
                                    <description><![CDATA[<p>જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંઝો આબેની થોડા સમય પહેલા જ રોડ પર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ સમાચારે આખા વિશ્વના હોંશ ઉડાવી દીધા હતા. ફક્ત જાપાન કે એશિયાઇ મૂળના લોકો જ નહીં, આખુ વિશ્વ આ ઘટના બાદ સવાલ ઉઠાવી રહ્યું છે કે, આટલા મોટા હોદ્દા પરનો વ્યક્તિ પણ સુરક્ષિત નથી? શું કોઇ નેતા ફક્ત ત્યારે જ સુરક્ષિત છે કે જ્યાં સુધી તે હોદ્દા પર છે. હોદ્દો છૂટ્યા બાદ શું?</p>  <p>આ કોઇ પહેલી વખત નથી કે કોઇ નેતાની હત્યા આ રીતે કરવામાં આવી હોય. તેનાથી નેતાઓની સુરક્ષાને લઇને સવાલ પૈદા થાય છે. જાપાનના સંદર્ભમાં સવાલ કરતી વખતે આપણા દેશ પર</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/national/what-kind-of-security-does-a-former-prime-minister-get-in-india/article-139599"><img src="https://www.khabarchhe.com/media/400/2023-09/1693577302cask.jpg" alt=""></a><br /><p>જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંઝો આબેની થોડા સમય પહેલા જ રોડ પર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ સમાચારે આખા વિશ્વના હોંશ ઉડાવી દીધા હતા. ફક્ત જાપાન કે એશિયાઇ મૂળના લોકો જ નહીં, આખુ વિશ્વ આ ઘટના બાદ સવાલ ઉઠાવી રહ્યું છે કે, આટલા મોટા હોદ્દા પરનો વ્યક્તિ પણ સુરક્ષિત નથી? શું કોઇ નેતા ફક્ત ત્યારે જ સુરક્ષિત છે કે જ્યાં સુધી તે હોદ્દા પર છે. હોદ્દો છૂટ્યા બાદ શું?</p>  <p>આ કોઇ પહેલી વખત નથી કે કોઇ નેતાની હત્યા આ રીતે કરવામાં આવી હોય. તેનાથી નેતાઓની સુરક્ષાને લઇને સવાલ પૈદા થાય છે. જાપાનના સંદર્ભમાં સવાલ કરતી વખતે આપણા દેશ પર પણ નજર પડે જ છે. ભારતમાં વડાપ્રધાનના પદ પર રહી ચૂકેલા વ્યક્તિને SPGની સુરક્ષા આપવામાં આવે છે. આ સમયે આ અભેદ્ય સુરક્ષા હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળી રહી છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-09/1657440690security_of_former_pm2.jpg" alt=""></img></p>  <p>પણ, આ રિપોર્ટ હાલના વડાપ્રધાન વિશે નથી, પણ પૂર્વ વડાપ્રધાનો વિશે છે. શિંઝો આબે જાપાનના પૂર્વ વડાપ્રધાન હતા અને તેમને એક સામાન્ય વ્યક્તિએ સરળતાથી ગોળી મારી દીધી. તો એ વાત સામાન્ય છે કે, ભારતના પૂર્વ વડાપ્રધાન સાથે પણ આ ઘટના બની શકે છે.</p>  <p>શરૂઆતમાં જ આપણે SPGનો ઉલ્લેખ કર્યો હતો. SPG એટલે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ. આ ભારત સરકારની એક સુરક્ષા એજન્સી છે, જેની એકમાત્ર જવાબદારી વડાપ્રધાન અને તેમના પરિવારને સુરક્ષા પ્રદાન કરવાની છે. વર્ષ 1984માં ઇંદિરા ગાંધીની હત્યા બાદ વર્ષ 1988માં એક એક્ટ હેઠળ SPGની સ્થાપના કરવામાં આવી. સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ એક્ટ, 1988. દેશ અને વિદેશમાં વડાપ્રધાનની સુરક્ષાની જવાબદારી SPGની હોય છે. તેની સાથે આ ગ્રૂપ વડાપ્રધાનના નજીકના લોકોને પણ સુરક્ષા પ્રદાન કરે છે. જોકે, પરીવારના સભ્યો સુરક્ષા માટે ઇનકાર કરી શકે છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-09/1657440690security_of_former_pm1.jpg" alt=""></img></p>  <p>વર્ષ 1988 સુધી પૂર્વ વડાપ્રધાનોને આ સુરક્ષા આપવામાં નહોતી આવતી. તેના આધારે વીપી સિંહની સરકારે 1989માં રાજીવ ગાંધીની SPG સુરક્ષા પાછી ખેંચી લીધી હતી. પણ 1991માં રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી. ત્યારે SPG કાયદામાં ફેરફાર કરવામાં આવ્યા. હવે પૂર્વ વડાપ્રધાન અને તેમના પરિવારને પણ ઓછામાં ઓછા 10 વર્ષ સુધી આ સુરક્ષા આપવામાં આવે છે.</p>  <p>2003માં વધુ એક સંશોધન કરવામાં આવ્યું. તેના અનુસાર પૂર્વ વડાપ્રધાનને સત્તા છોડ્યાના 1 વર્ષ સુધી જ SPG મળશે. પણ 2019માં SPG એક્ટ, 2019 દ્વારા તેમાં થોડા વધુ ફેરફાર કરવામાં આવ્યા, જે પૂર્વ વડાપ્રધાન અને તેમના પરિવારની સુરક્ષા પર સીધી અસર કરે છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-09/1657443666security_of_former_pm1.jpg" alt=""></img></p>  <p>2019થી પૂર્વ વડાપ્રધાનોની સુરક્ષામાં શું ફેરફાર આવ્યા?</p>  <p>2019માં થયેલા નવા સંશોધનોએ SPGને ફક્ત વડાપ્રધાન અને તેમની સાથે રહેતા લોકો તથા તેમના નજીકના સભ્યો સુધી સીમીત કરી દીધી છે. તે હેઠળ પૂર્વ વડાપ્રધાન ઓફિસ છોડ્યા બાદ પોતાની સુરક્ષાને 5 વર્ષ માટે લંબાવી શકે છે. જોકે, આવું IBના થ્રેટ એસેસમેન્ટના આધારે થઇ શકે છે.</p>  <p>આ સંશોધન લાગુ થતાં જ, પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંઘ, હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન, તેમના પત્ની જશોદાબેન મોદી વગેરા જેવા લોકોને SPGની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી હતી. જોકે, તેમને કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી Z+ થી Y કેટેગરીની અલગ અલગ સુરક્ષા કવર આપવામાં આવ્યા છે.</p>  <p>શું છે X, Y અને Z સીક્યોરીટી?</p>  <p>આપણા દેશમાં ઉચ્ચ પદો પર કામ કરી રહેલા કે કરી ચૂકેલા લોકોને અલગ અલગ કેટેગરીઝ હેઠળ પ્રોટેક્શન કવર પ્રદાન કરવામાં આવે છે. X લેવલ, Y લેવલ, Z લેવલ અને Z+ લેવલના પ્રોટેક્શન હોય છે.</p>  <p>X કેટેગરી</p>  <p>આ લેવલ પાંચમા નંબરનું ક્રિટિકલ સીક્યોરીટી લેવલ છે. તેમાં બ સીક્યોરીટી પ્રોફેશનલ હોય છે. બન્ને બંદૂકધારી પોલીસ ઓફિસર. એક પર્સનલ સીક્યોરીટી ઓફિસર હોય છે. ભારતમાં ઘણા લોકોને આ કવર ઓફર કરવામાં આવે છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-09/1657443666security_of_former_pm.jpg" alt=""></img></p>  <p>Y કેટેગરી</p>  <p>આ લેવલ ચોથા નંબરનું ક્રિટિકલ સીક્યોરીટી લેવલ છે. તેમાં હેઠળ 11 લોકોનું ક્રૂ હોય છે. જેમાં, એકથી બે NSG કમાંડો અને પોલીસ કર્મીઓ હોય છે. સાથે જ, તેમાં 2 પર્સનલ સીક્યોરીટી ઓફિસર હોય છે. દેશના કેટલાક લોકોને Y કેટેગરીનું પ્રોટક્શન પ્રદાન કરવામાં આવે છે.</p>  <p>Z કેટેગરી</p>  <p>આ લેવલમાં 22 લોકોનું ક્રૂ હોય છે. તેમાં 4 – 5 કમાન્ડો હોય છે, સાથે જ પોલીસ કર્મી પણ હોય છ. આ દેશની ત્રીજી સૌથી હાઇ લેવલની સીક્યોરીટી છે. Z લેવલ પ્રોટક્શનમાં ભારત-તીબેટ બોર્ડર પોલીસ, દિલ્હી પોલીસ અને CRPFના જવાનનો દ્વારા સુરક્ષા મળે છે. સાથે એક એસ્કોર્ટ કાર પણ મળે છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-09/1657440690security_of_former_pm.jpg" alt="1657440690security_of_former_pm.jpg"></img></p>  <p> Z+ કેટેગરી</p>  <p>આ કેટેગરીમાં 55 મેમ્બર્સની વર્કફોર્સ હોય છે. તેમાં 10થી વધુ NSG કમાન્ડો અને પોલીસકર્મીઓ હોય છે. તમાં દરેક કમાન્ડોને એક્સપર્ટ લેવલની માર્શલ આર્ટ અને અનઆર્મ્ડ કોમ્બેટ ટ્રેનિંગ મળે છે.</p>  <p>Yથી લઇને Z+ કેટેગરી સુધીનું પ્રોટેક્શન કવર હલકી વાત નથી. દેશમાં સૌથી પ્રમુખ પદ પર રહેલા વ્યક્તિઓના આ 4 કવર આપવામાં આવે છે. જેમાં ટ્રેઇન્ડ પ્રોફેશનલ્સ સુરક્ષાની જવાબદારી ઉઠાવે છે.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.khabarchhe.com/national/what-kind-of-security-does-a-former-prime-minister-get-in-india/article-139599</link>
                <guid>https://www.khabarchhe.com/national/what-kind-of-security-does-a-former-prime-minister-get-in-india/article-139599</guid>
                <pubDate>Fri, 01 Sep 2023 19:45:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2023-09/1693577302cask.jpg"                         length="991931"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohit Panchal]]></dc:creator>
                            </item>
            <item>
                <title>દીકરીના પ્રેમ લગ્નથી હતાશ થઇને માતા પિતાએ ટ્રેનની આગળ કૂદીને જીવન ટૂંકાવ્યું</title>
                                    <description><![CDATA[<p>દીકરીએ કોઇ અન્ય જાતિના યુવક સાથે લગ્ન કરી લીધા. પરિવારે ખૂબ સમજાવી, પણ દીકરી પાછી આવવા માટે રાજી ન થઇ. પરેશાન માતા પિતાએ પહેલા તો પોતાના દિકરાને જોધપુરમાં રહેતા સગાને ત્યાં જતી બસમાં બેસાડ્યો. ત્યાર બાદ બન્નેએ ટ્રેનની આગળ કૂદીને જીવ આપી દીધો. પોલીસને દંપત્તી પાસેથી સ્યુસાઇડ નોટ મળી છે. તેમાં દીકરીને પરેશાન ન કરવાની વાત કરી છે. ઘટના રાજસ્થાનના પાલીની છે.</p>  <p>પાલીના હાઉસિંગ બોર્ડમાં રહેતા અશોક અને તેમની પત્ની મીનાએ આત્મહત્યા કરી છે. સામે આવ્યું છે કે, અશોકની દીકરી અન્ય જાતીના યુવકને પ્રેમ કરતી હતી. દીકરીએ પરિવારની મરજી વગર યુવક સાથે લગ્ન પણ કરી લીધા. જ્યારે આ વાત ઘરવાળાને</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/national/frustrated-by-their-daughters-love-marriage-the-parents-cut-their-lives-short-by-jumping-in-front-of-the-train/article-156626"><img src="https://www.khabarchhe.com/media/400/2023-08/169038033253.jpg" alt=""></a><br /><p>દીકરીએ કોઇ અન્ય જાતિના યુવક સાથે લગ્ન કરી લીધા. પરિવારે ખૂબ સમજાવી, પણ દીકરી પાછી આવવા માટે રાજી ન થઇ. પરેશાન માતા પિતાએ પહેલા તો પોતાના દિકરાને જોધપુરમાં રહેતા સગાને ત્યાં જતી બસમાં બેસાડ્યો. ત્યાર બાદ બન્નેએ ટ્રેનની આગળ કૂદીને જીવ આપી દીધો. પોલીસને દંપત્તી પાસેથી સ્યુસાઇડ નોટ મળી છે. તેમાં દીકરીને પરેશાન ન કરવાની વાત કરી છે. ઘટના રાજસ્થાનના પાલીની છે.</p>  <p>પાલીના હાઉસિંગ બોર્ડમાં રહેતા અશોક અને તેમની પત્ની મીનાએ આત્મહત્યા કરી છે. સામે આવ્યું છે કે, અશોકની દીકરી અન્ય જાતીના યુવકને પ્રેમ કરતી હતી. દીકરીએ પરિવારની મરજી વગર યુવક સાથે લગ્ન પણ કરી લીધા. જ્યારે આ વાત ઘરવાળાને ખબર પડી ત્યારે હલચલ મચી ગઇ.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-08/169038033252.jpg" alt=""></img></p>  <p>અશોકે દીકરીને ખૂબ સમજાવી, પણ તે ન માની. કેસમાં પોલીસને પણ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસની સામે પણ અશોકની દીકરીએ પોતાના પતિ સાથે જ રહેવાની વાત કરી હતી. પોલીસે તેમ છતાં તેને પતિ સાથે મોકલી દીધી હતી. ઘરમાં કંકાસને કારણે અશોકનો દિકરો ડિપ્રેશનનો શિકાર બની ગયો હતો. દીકરીના આ પગલાથી સમાજમાં થઇ રહેલી બદનામીનો અશોક અને તેનો પરિવાર સામનો નહોતો કરી શકતો.</p>  <p>મંગળવારે સવારે અશોક પોતાની પત્ની અને દિકરા સાથે ઘરની બહાર નીકળ્યો. દિકરાને જોધપુરમાં રહેતા સગાને ત્યાં મોકલ્યો. ત્યાર બાદ અશોક પોતાની પત્ની મીના સાથે જોધપુર રોડ સ્થિત ઘુમટી પાસે પહોંચ્યો. ત્યાંથી નીકળીને રેલવે લાઇન પર પહોંચીને જોધપુર – રતલામ ટ્રેનની આગળ કૂદીને આત્મહત્યા કરી. ટ્રેન થોભી ગઇ. ઘટનાની જાણકારી પોલીસને આપવામાં આવી. ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસે અશોક અને મીનાના મૃતદેહના ટુકડાને ભેગા કર્યા અને બાંગડ હોસ્પિટલમાં મોર્ચરીમાં મોકલાવ્યા. લગભગ એક કલાક સુધી ટ્રેન ત્યાં જ ઉભી રહી.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-08/169038033251.jpg" alt=""></img></p>  <p>પોલીસને અશોક પાસેથી સ્યુસાઇડ નોટ મળી છે. તેમાં લખ્યું હતું કે, મારી દીકરીએ અન્ય જાતીના છોકરા સાથે લવ મેરિજ કર્યા છે, તેનાથી હું, મારી પત્ની અને દિકરો ઘણા દુખી છીએ. દીકરીના આ પગલાથી આહત થઇને અમે પતિ પત્ની આ પગલું લઇ રહ્યાં છીએ. અમારો દિકરો ગૌરવ ખુબ લાયક છે, તેને ઇશ્વર ખૂબ આગળ વધારે, મારા ભાઇ ભાભી અને સાળા સાળી પાસે આશા રાખુ છું કે, તેઓ મારા દિકરાનું ધ્યાન રાખે, અમારા આશિર્વાદ હંમેશા તેની સાથે રહેશે, પોલીસ પ્રશાસન તેને હેરાન ન કરે.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.khabarchhe.com/national/frustrated-by-their-daughters-love-marriage-the-parents-cut-their-lives-short-by-jumping-in-front-of-the-train/article-156626</link>
                <guid>https://www.khabarchhe.com/national/frustrated-by-their-daughters-love-marriage-the-parents-cut-their-lives-short-by-jumping-in-front-of-the-train/article-156626</guid>
                <pubDate>Wed, 30 Aug 2023 23:41:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2023-08/169038033253.jpg"                         length="82173"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohit Panchal]]></dc:creator>
                            </item>
            <item>
                <title>કિઆની આ સ્મોલ કાર 233 કિલોમીટરની રેન્જ, ફક્ત 40 મિનિટમાં ફુલ ચાર્જ થશે</title>
                                    <description><![CDATA[<p>સાઉથ કોરિયન કાર મેન્યુફેક્ચરર કંપની કિઆ મોટર્સે પોતાના ઇલેક્ટ્રિક વ્હીકલ પોર્ટફોલિયોમાં એક નવું મોડલ શામેલ કર્યું છે. કંપનીએ ગ્લોબલ માર્કેટમાં પોતાની નાની ઇલેક્ટ્રિક કાર Kia Ray EVને રજૂ કરી દીધી છે. આ કંપનીના લાઇનઅપની એન્ટ્રી લેવલ ઇલેક્ટ્રિક કાર છે, જે તેને સસ્તી બનાવે છે. આ નવી ઇલેક્ટ્રિક કારનું ઓફિશિયલ બુકિંગ શરૂ થઇ ગયું છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-08/169297128028.jpg" alt="" /></p>  <p>કંપનીનું કહેવું છે કે, Kia Ray EV ઇલેક્ટ્રિક કારને ખાસ રૂપે અર્બન ડ્રાઇવિંગને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. તેનું લુક અને ડિઝાઇન ઘણા હદ સુધી તેના પેટ્રોલ મોડલ સાથે મળતું આવે છે. આ કાર એ  લોકો માટે છે કે જે લોકો ઓછી કિંમતમાં એક એન્ટ્રી</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/-tech---auto/this-small-car-from-kia-has-a-range-of-233-km-fully-charged-in-just-40-minutes/article-157479"><img src="https://www.khabarchhe.com/media/400/2023-08/169297128029.jpg" alt=""></a><br /><p>સાઉથ કોરિયન કાર મેન્યુફેક્ચરર કંપની કિઆ મોટર્સે પોતાના ઇલેક્ટ્રિક વ્હીકલ પોર્ટફોલિયોમાં એક નવું મોડલ શામેલ કર્યું છે. કંપનીએ ગ્લોબલ માર્કેટમાં પોતાની નાની ઇલેક્ટ્રિક કાર Kia Ray EVને રજૂ કરી દીધી છે. આ કંપનીના લાઇનઅપની એન્ટ્રી લેવલ ઇલેક્ટ્રિક કાર છે, જે તેને સસ્તી બનાવે છે. આ નવી ઇલેક્ટ્રિક કારનું ઓફિશિયલ બુકિંગ શરૂ થઇ ગયું છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-08/169297128028.jpg" alt=""></img></p>  <p>કંપનીનું કહેવું છે કે, Kia Ray EV ઇલેક્ટ્રિક કારને ખાસ રૂપે અર્બન ડ્રાઇવિંગને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. તેનું લુક અને ડિઝાઇન ઘણા હદ સુધી તેના પેટ્રોલ મોડલ સાથે મળતું આવે છે. આ કાર એ  લોકો માટે છે કે જે લોકો ઓછી કિંમતમાં એક એન્ટ્રી લેવલ મિની ઇલેક્ટ્રિક કાર ખરીદવા માગે છે. કંપની દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, આ મિની ઇલેક્ટ્રિક કારની કિંમત લગભગ 17.27 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-08/169297128031.jpg" alt=""></img></p>  <p>આ ઇલેક્ટ્રિક કારને કુલ 6 રંગોમાં રજૂ કરવામાં આવી છે, જેમાં નવો સ્મોક બ્લુ કલર ઓપ્શન પણ છે. જ્યારે, ઇન્ટીરિયરને કંપનીએ ગ્રે અને બ્લેકનું ઓપ્શન આપ્યું છે. તેના કેબિનમાં 10.25 ઇંચનું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે, જે સિવાય કોલમ સ્ટાઇલ ઇલેક્ટ્રિક શિફ્ટ લીવર, ફ્લેટ ફોલ્ડીંગ સીટ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. ફ્લેટ ફોલ્ડિંગ સીટ્સ કારના કેબિનમાં સ્પેસ વધારવાનું કામ કરે છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-08/169297128032.jpg" alt=""></img></p>  <p>Kia Ray EVમાં કંપનીએ 32.2 કિલોવોટ અવરની ક્ષમતાની લથિયમ ફેરોફોસ્ફેટ બેટરી આપવામાં આવી છે. તેમાં 64.3 કિલોવોટની ક્ષમતાની ઇલેક્ટ્રિક મોટર 86 બ્રેક હોર્સ પાવરનો પાવર આઉટપુટ અને 147 ન્યુટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે, આ કાર સિંગલ ચાર્જમાં 205 કિલોમીટર સુધીની ડ્રાઇવિંગ રેન્જ આપે છે. જ્યારે સિટી કંડિશનમાં આ રેન્જ વધીને 233 કિલોમીટર સુધી વધી જાય છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-08/169297128030.jpg" alt=""></img></p>  <p>આ ઇલેક્ટ્રિક કારને 150 કિલોવોટની ક્ષમતાના ફાસ્ટ ચાર્જરનો ઉપયોગ કરીને 40 મિનિટમાં 10 ટકાથી 80 ટકા સુધી ઝડપથી ચાર્જ કરી શકાય છે. તે સિવાય તેની સાથે 7 કિલોવોટનું ઓપ્શનલ પોર્ટેબલ ચાર્જર પણ મળે છે, જે બેટરીને થોડી ધીમી ચાર્જ કરે છે. આ ચાર્જર દ્વારા કારની બેટરીને ફુલ ચાર્જ થવામાં લગભગ 6 કલાકનો સમય લાગે છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-08/169297128034.jpg" alt=""></img></p>  <p>હાલ આ ઇલેક્ટ્રિક કારને સાઉથ કોરિયન માર્કેટમાં રજૂ કરવામાં આવી છે. જ્યાં, તેનું ઓફિશિયલ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ કારને વેચાણ માટે 12મી સપ્ટેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવશે. પોતાના પ્રાઇસ સેગમેન્ટમાં આ ઘણી સસ્તી કાર છે.</p>  <p>14 ઇંચના વ્હીલ્સ સાથે આવતી આ કારમાં વેન બોડી સ્ટાઇલનો પણ વિકલ્પ મળે છે, જેમાં ક્રમશઃ સિંગલ અને ડબલ સીટ્સ આપવામાં આવી છે. આ કારમાં સ્લાઇડિંગ ડોર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કારની બેટરી પર કંપની 10 વર્ષ કે 2 લાખ કિલોમીટર સુધીની વોરંટી આપી રહી છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-08/169297128036.jpg" alt=""></img></p>  <p>આ કાર ભારતમાં ક્યારે લોન્ચ થશે. આ સવાલનો જવાબ આપતા કંપની તરફથી કોઇ જાણકારી નથી મળી. પણ થોડા દિવસ પહેલા કિઆ સેલ્ટોસ ફેસલિફ્ટના લોન્ચ વખતે કિઆ ઇન્ડિયાના નેશનલ સેલ્સ હેડ પ્રમુખ હરદીપ સિંહ બરારે કહ્યું હતું કે, માસ માર્કેટ માટે કંપની એક સસ્તી ઇલેક્ટ્રિક કાર લાવવાની તૈયારી કરી રહી છે. જેને વર્ષ 2025 સુધીમાં ભારતીય બજારમાં રજૂ કરવામાં આવશે. હાલ આ Kia Ray EVને ગ્લોબલ માર્કેટમાં રજૂ કરવામાં આવી છે, પ્રાઇસ અને રેન્જ અનુસાર, આ મિનિ ઇલેક્ટ્રિક કાર અહીંના બજાર માટે અનુકૂળ રહેશે.</p>]]></content:encoded>
                
                                                            <category>Science</category>
                                            <category> Tech and Auto</category>
                                    

                <link>https://www.khabarchhe.com/-tech---auto/this-small-car-from-kia-has-a-range-of-233-km-fully-charged-in-just-40-minutes/article-157479</link>
                <guid>https://www.khabarchhe.com/-tech---auto/this-small-car-from-kia-has-a-range-of-233-km-fully-charged-in-just-40-minutes/article-157479</guid>
                <pubDate>Wed, 30 Aug 2023 17:01:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2023-08/169297128029.jpg"                         length="59254"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohit Panchal]]></dc:creator>
                            </item>
            <item>
                <title>કેરળ નામ બદલીને ‘કેરલમ’ નામ રાખવાના પ્રસ્તાવની આખી સ્ટોરી શું છે?</title>
                                    <description><![CDATA[<p>કેરળ વિધાનસભામાં એક પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં કેરળનું નામ બદલીને ‘કેરલમ’ કરવાની વાત કરવામાં આવી છે. બુધવારના રોજ કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયે આ પ્રસ્તાવ વિધાનસભામાં રજૂ કર્યો. તેમણે કહ્યું કે, મલયાલમમાં રાજ્યનું નામ ‘કેરલમ’ છે.</p>  <p>પ્રસ્તાવ વાંચતી વખતે મુખ્યમંત્રી વિજયને કહ્યું કે, 1લી નવેમ્બર 1956ના રોજ ભાષાના આધાર પર રાજ્યોનું ગઠન થયું હતું. કેરળનો સ્થાપના દિવસ પણ 1લી નવેમ્બર છે. સ્વતંત્રતા આંદોલનના સમયથી જ મલયાલમ ભાષીઓ માટે સંયુક્ત કેરળ બનાવવાની માગ થઇ રહી હતી. પણ સંવિધાનની પહેલી સૂચીમાં રાજ્યનું નામ કેરળ લખવામાં આવ્યું.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-08/169166750123.jpg" alt="" /></p>  <p>તેમણે આગળ કહ્યું કે, આ વિધાનસભા સર્વસમ્મતિથી કેન્દ્ર સરકાર પાસેથી સંવિધાનના અનુચ્છેદ 3 હેઠળ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/national/what-is-the-whole-story-behind-the-proposal-to-change-the-name-kerala-to-keralam/article-157057"><img src="https://www.khabarchhe.com/media/400/2023-08/169166750121.jpg" alt=""></a><br /><p>કેરળ વિધાનસભામાં એક પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં કેરળનું નામ બદલીને ‘કેરલમ’ કરવાની વાત કરવામાં આવી છે. બુધવારના રોજ કેરળના મુખ્યમંત્રી પિનરાઇ વિજયે આ પ્રસ્તાવ વિધાનસભામાં રજૂ કર્યો. તેમણે કહ્યું કે, મલયાલમમાં રાજ્યનું નામ ‘કેરલમ’ છે.</p>  <p>પ્રસ્તાવ વાંચતી વખતે મુખ્યમંત્રી વિજયને કહ્યું કે, 1લી નવેમ્બર 1956ના રોજ ભાષાના આધાર પર રાજ્યોનું ગઠન થયું હતું. કેરળનો સ્થાપના દિવસ પણ 1લી નવેમ્બર છે. સ્વતંત્રતા આંદોલનના સમયથી જ મલયાલમ ભાષીઓ માટે સંયુક્ત કેરળ બનાવવાની માગ થઇ રહી હતી. પણ સંવિધાનની પહેલી સૂચીમાં રાજ્યનું નામ કેરળ લખવામાં આવ્યું.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-08/169166750123.jpg" alt=""></img></p>  <p>તેમણે આગળ કહ્યું કે, આ વિધાનસભા સર્વસમ્મતિથી કેન્દ્ર સરકાર પાસેથી સંવિધાનના અનુચ્છેદ 3 હેઠળ તેને ‘કેરલમ’ના રૂપમાં સંશોધિત કરવા માટે તત્કાલ પગલા લેવાનો અનુરોધ કરે છે. એ પણ અનુરોધ કરવામાં આવે છે કે, સંવિધાનની આઠમી અનુસૂચીમાં ઉલ્લેખિત દરેક ભાષાઓમાં ‘કેરલમ’ નામ લખવામાં આવે.</p>  <p>કેરળ નામ કઇ રીતે પડ્યું, તેના પર વાત કરીએ તો, તેને લઇને કોઇ એકમત નથી. જોકે, એવું માનવામાં આવે છે કે, કેરળનું નામ કેરા પરથી પડ્યું છે, જેનો અર્થ નારિયેળનું ઝાડ થાય છે. પૌરાણિક કથાઓ અનુસાર, પરશુરામે પોતાનું પરશુ સમુદ્રમાં ફેંક્યું હતું. તેના કારણે તેના આકારની ભૂમિ સમુદ્રની બહાર નીકળી અને કેરળ અસ્તિત્વમાં આવ્યું. કેરળ શબ્દનો અર્થ સમુદ્રમાંથી નીકળેલી જમીન એવો થાય છે.</p>  <p>1920ના દાયકામાં મલયાલમ ભાષા બોલનારાઓએ એક આંદલોન છેડ્યું. તેમનું આંદોલન આઝાદીની લડાઇથી પ્રેરિત હતું. તેમનું માનવું હતું કે, ભાષા બોલનારા, સમાન સાસ્કૃતિક પરંપરાઓ વાળા, એક જ ઇતિહીસ, એક જ રીતિ રિવાજને માનનારા માટે એક અલગ રાજ્ય હોવું જોઇએ. તેમણે મલયાલમ ભાષીઓ માટે અલગ કેરળ રાજ્ય બનાવવાની માગ કરી. તેમની માગ હતી કે, કોચી, ત્રાવણકોર અને માલાબારને મેળવીને એક રાજ્ય બનાવવામાં આવે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-08/169166750122.jpg" alt=""></img></p>  <p>આઝાદી બેદ દેશના અલગ અલગ હિસ્સાઓમાં ભાષાના આધાર પર રાજ્યોના ભાગલાની માગ ઉઠવા લાગી. તેના માટે પહેલા શ્યામ ધર કૃષ્ણ આયોગ બન્યું. આ આયોગે ભાષાના આધાર પર રાજ્યોના ગઠનને દેશહિત વિરોધી ગમાવ્યું. આ દરમિયાન 1લી જુલાઇ 1949ના રોજ ત્રાવણકોર અને કોચીનનો વિલય થયો. તેનાથી ત્રાવણકોર કોચીન રાજ્ય બન્યું.</p>  <p>પણ સતત ઉઠી રહેલી માગ બાદ જેવીપી આયોગ બન્યું. એટલે કે, જવાહર લાલ નેહરૂ, વલ્લભ ભાઇ પટેલ અને પટ્ટાભિ સીતારામૈયા. આ આયોગે ભાષાના આધાર પર રાજ્યોના ગઠનને પ્રસ્તાવ આપ્યો. ત્યાર બાદ માલાબાર રીજીયન પણ ત્રાવણકોર કોચીન રાજ્યમાં મળી આવ્યું અને એ રીતે 1લી નવેમ્બર 1956ના રોજ કેરળ બન્યું.</p>  <p>હાલ કેરળ વિધાનસભાએ આ પ્રસ્તાવ પાસ કર્યો. હવે આ પ્રસ્તાવ કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસે જશે. ગૃહ મંત્રાલય આના પર અન્ય મંત્રાલય અને ઇન્ટેલિજન્સ એજન્સીઓ પાસે પ્રસ્તાવ માગશે. જો નામ બદલવાના આ પ્રસ્તાવને મંજૂરી મળશે તો તેના માટે સંસદમાં બિલ લાવવામાં આવશે. જો સંસદના બનને સદનોમાં આ બિલ પાસ થશે તો તેને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે. રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ જ રાજ્યનું નામ બદલીને ‘કેરલમ’ કરવામાં આવશે.</p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.khabarchhe.com/national/what-is-the-whole-story-behind-the-proposal-to-change-the-name-kerala-to-keralam/article-157057</link>
                <guid>https://www.khabarchhe.com/national/what-is-the-whole-story-behind-the-proposal-to-change-the-name-kerala-to-keralam/article-157057</guid>
                <pubDate>Wed, 30 Aug 2023 15:30:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2023-08/169166750121.jpg"                         length="27870"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohit Panchal]]></dc:creator>
                            </item>
            <item>
                <title>આ છે વિશ્વની સૌથી મોંઘી કાર, જેની કિંમત છે 250 કરોડ રૂપિયા</title>
                                    <description><![CDATA[<p>બ્રિટિશ લક્ઝરી કાર મેકર રોલ્સ રોયસે પોતાની લેટેસ્ટ કોચબિલ્ટ માસ્ટરપીસ La Rose Noire Droptail રીવીલ કરી છે. આ કમીશન કરવામાં આવેલી ડ્રોપટેલમાંની પહેલી કાર છે. એટલે કે, કંપની આ પ્રકારની ફક્ત ચાર કંપની તૈયાર કરશે. આ અલ્ટ્રા કસ્ટમાઇઝ્ડ વાહનની કિંમત 30 મિલિયન ડોલર એટલે કે, ભારતીય રૂપિયામાં લગભગ 211 કરોડ રૂપિયાથી પણ વધારે છે. તે હાલમાં કેલીફોર્નિયાના પેબલ બીચ પાસે એક ખાનગી કાર્યક્રમમાં એ ગ્રાહકોને સોંપવામાં આવી હતી કે જેમણે તેને બનાવવા માટે કંપનીને વિશેષ ઓર્ડર આપ્યો હતો. આ કિંમતની સાથે આ વિશ્વની સૌથી મોંઘી કાર બની ગઇ છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-08/169288483727.jpg" alt="" /></p>  <p>આ કારમાં એક ટ્વીન ટર્બોચાર્જ્ડ 6.75 લીટરનું વી12 એન્જીન આવે છે.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/-tech---auto/this-is-the-most-expensive-car-in-the-whole-world-which-is-worth-250-crore-rupees/article-157447"><img src="https://www.khabarchhe.com/media/400/2023-08/169288483723.jpg" alt=""></a><br /><p>બ્રિટિશ લક્ઝરી કાર મેકર રોલ્સ રોયસે પોતાની લેટેસ્ટ કોચબિલ્ટ માસ્ટરપીસ La Rose Noire Droptail રીવીલ કરી છે. આ કમીશન કરવામાં આવેલી ડ્રોપટેલમાંની પહેલી કાર છે. એટલે કે, કંપની આ પ્રકારની ફક્ત ચાર કંપની તૈયાર કરશે. આ અલ્ટ્રા કસ્ટમાઇઝ્ડ વાહનની કિંમત 30 મિલિયન ડોલર એટલે કે, ભારતીય રૂપિયામાં લગભગ 211 કરોડ રૂપિયાથી પણ વધારે છે. તે હાલમાં કેલીફોર્નિયાના પેબલ બીચ પાસે એક ખાનગી કાર્યક્રમમાં એ ગ્રાહકોને સોંપવામાં આવી હતી કે જેમણે તેને બનાવવા માટે કંપનીને વિશેષ ઓર્ડર આપ્યો હતો. આ કિંમતની સાથે આ વિશ્વની સૌથી મોંઘી કાર બની ગઇ છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-08/169288483727.jpg" alt=""></img></p>  <p>આ કારમાં એક ટ્વીન ટર્બોચાર્જ્ડ 6.75 લીટરનું વી12 એન્જીન આવે છે. આ એન્જિન રોલ્સ રોયસ ઘોસ્ટમાં પણ ફિટ કરવામાં આવે છે. તેના પરફોર્મન્સ સ્પેસિફિકેશન્સ પણ સરખા જ છે. આ એન્જિન  5250 RPM પર 563 બ્રેક હોર્સ પાવર અને 1500 RPM પર 820 ન્યુટન મીટરનો પીક ટોર્ક જનરેટ કરે છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-08/169288483725.jpg" alt=""></img></p>  <p>La Rose Noire Droptail કાર બ્લેક બકારા ગુલાબથી પ્રેરિત છે, જે એક મખમલ જેવું ફુલ છે અને ફ્રાન્સમાં ઉગે છે. આ ફુલ આ કારનો ઓર્ડર આપનારા પરિવારની માતાનું પસંદગીનું ફુલ છે. તેની પાંખડીનો રંગ દાડમ જેવો હોય છે જે પડછાયામાં લગભગ કાળા રંગની દેખાય છે પણ પ્રકાશમાં ચમકની સાથે લાલ દેખાય છે. આ બે રંગ વાહનનો પ્રાથમિક રંગ પેલેટ બનાવે છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-08/169288483728.jpg" alt=""></img></p>  <p>એક પેન્ટ થીમ વિકસિત કરવા માટે, જે ગુલાબની જેમ છે, વિભિન્ન દિશાઓથી જોવા પર રંગ બદલે છે, નિષ્ણાંતોએ એક નવી પેન્ટ પ્રક્રિયા વિકસિત કરી અને તેને 150થી વધારે પ્રકારે અજમાવવામાં આવી. સમૃદ્ધ રંગ ભિન્નતા હાસલ કરવા માટે એક સીક્રેટ બેસ કોટ બાદ ક્લીયર પેન્ટના પાંચ પડ લગાવવામા આવ્યા છે, જેમાંથી પ્રત્યેકને લાલ રંગના થોડા અલગ ટોનની સાથે મિશ્રિત કરવામાં આવ્યા હતા.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-08/169288483724.jpg" alt=""></img></p>  <p>ડ્રોપટેલનું બ્રાઇટવર્ક હાઇડ્રોશેડમાં તૈયાર કરવામાં આવ્યું છે, પણ પેન્ટ કરવાની જગ્યા પર, દરેક સ્ટેનલેસ સ્ટીલ સબ્સટ્રેક્ટનું ક્રોમ પ્લેટિંગ પ્રક્રિયા દ્વારા ક્રોમ ઇલેક્ટ્રોલાઇટ સાથે મિક્સ કરવામાં આવ્યું હતું. આ રિફ્લેક્ટિવ ફિનિશ આખા ઇન્ટીરિયરમાં અમુક મેટલ ડિટેલ્સ પર આપવામાં આવી છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-08/169288483726.jpg" alt=""></img></p>  <p>આ 2 સીટર રોડસ્ટર કાર્બન ફાઇબર અને ઇલેક્ટ્રોક્રોમિક ગ્લાસથી બનેલા રિમૂવેબલ હાર્ડટોપની સાથે આવે છે. ઢળતી છત અને એક સ્લીક એક્સ્ટીરિયર વાહનને એક હાઇટેક લક્ઝરી બોટ જેવો લુક આપે છે. ગ્રિલ પારંપરિક પૈન્થિયન શૈલીની ગ્રિલથી અલગ છે. ડ્રોપટેલ પર વેન્ટ્સ રેડિએટરના ટોપની તરફ ઢળે છે અને કંપની નવી ડિઝાઇનને ટેમ્પલબ્રો ઓવરહેન્ગના રૂપમમાં બનાવે છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-08/169288483729.jpg" alt=""></img></p>  <p>ગોળ શોલ શૈલીના લાકડાનું ડેશબોર્ડ અને મેચિંગ શેમ્પેન ચેસ્ટ પર ફક્ત ત્રણ પ્રાઇમરી બટનની સાથે ઇન્ડીરિયરની ડિઝાઇન ન્યુનતમ છે. વધારે કંટ્રોલ સેન્ટર કન્સોલમાં આપવામાં આવ્યા છે. કેબિનની અંદર 1600થી વધારે લાકડાના ટુકડાને હાથથી તૈયાર કરવામાં આવ્યા છે અને હાથથી જ લગાવવામાં આવ્યા છે, જેમાં બે વર્ષનો સમય લાગ્યો છે. ડેશબોર્ડમાં એક ઓડેમર્સ પિગુએટ રોયલ ઓક કોન્સેપ્ટ વોચ લગાવવામાં આવી છે.</p>]]></content:encoded>
                
                                                            <category>Science</category>
                                            <category> Tech and Auto</category>
                                    

                <link>https://www.khabarchhe.com/-tech---auto/this-is-the-most-expensive-car-in-the-whole-world-which-is-worth-250-crore-rupees/article-157447</link>
                <guid>https://www.khabarchhe.com/-tech---auto/this-is-the-most-expensive-car-in-the-whole-world-which-is-worth-250-crore-rupees/article-157447</guid>
                <pubDate>Fri, 25 Aug 2023 12:31:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2023-08/169288483723.jpg"                         length="43509"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mohit Panchal]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        