<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.khabarchhe.com/post/default/router-v2?type=author&id=109" rel="self" type="application/rss+xml" />
                <generator>Khabarchhe RSS Feed Generator</generator>
                <title>Khyati Gadkari - Khabarchhe</title>
                <link>https://www.khabarchhe.com/author/109/rss</link>
                <description>Khyati Gadkari RSS Feed</description>
                
                            <item>
                <title>'શમશેરા' ફિલ્મમાં જે 400 ફુટની ટ્રેન હતી, તેનો સેટ 1 મહિનામાં તૈયાર થયો હતો</title>
                                    <description><![CDATA[<p>ગયા વર્ષે રીલિઝ થયેલી રણબીર કપૂરની એક્શન એન્ટરટેઈનર ફિલ્મ 'શમશેરા' બોક્સઓફિસ પર તો કંઈ ખાસ પ્રદર્શન નહોતી કરી શકી, પરંતુ ફિલ્મના સેટ્સની ખૂબ ચર્ચા થઈ હતી અને ખાસ કરીને ફિલ્મના ટ્રેન વાળા એક્શન સીનની ખૂબ ચર્ચા થઈ હતી. ત્યારે રણવીર કપૂરની આ ફિલ્મથી જોડાયેલી રસપ્રદ વાતો સામે આવી રહી છે. થોડા સમય પહેલા જ ડિરેકટર કરણ મલ્હોત્રાએ જણાવ્યું કે એક એકશન સીનને શૂટ કરવા માટે તેમને એક મહિનો લાગી ગયો હતો.</p>  <p>ફિલ્મ માટે રણવીરે ઘણી મહેનત કરી હતી અને તેમાં ઘણા ટ્રાન્સફોર્મેશન પણ જોઈ શકાય છે. ફિલ્મમાં તેનો ડબલ રોલ હતો. એક્ટર માટે આ સફર ઘણી ચેલેન્જીંગ રહી છે. ફિલ્મમાં</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/entertainment/karan-malhotra-creates-a-400-foot-train-for-massive-action-sequence-in-shamshera/article-140184"><img src="https://www.khabarchhe.com/media/400/2023-10/1658223315118.jpg" alt=""></a><br /><p>ગયા વર્ષે રીલિઝ થયેલી રણબીર કપૂરની એક્શન એન્ટરટેઈનર ફિલ્મ 'શમશેરા' બોક્સઓફિસ પર તો કંઈ ખાસ પ્રદર્શન નહોતી કરી શકી, પરંતુ ફિલ્મના સેટ્સની ખૂબ ચર્ચા થઈ હતી અને ખાસ કરીને ફિલ્મના ટ્રેન વાળા એક્શન સીનની ખૂબ ચર્ચા થઈ હતી. ત્યારે રણવીર કપૂરની આ ફિલ્મથી જોડાયેલી રસપ્રદ વાતો સામે આવી રહી છે. થોડા સમય પહેલા જ ડિરેકટર કરણ મલ્હોત્રાએ જણાવ્યું કે એક એકશન સીનને શૂટ કરવા માટે તેમને એક મહિનો લાગી ગયો હતો.</p>  <p>ફિલ્મ માટે રણવીરે ઘણી મહેનત કરી હતી અને તેમાં ઘણા ટ્રાન્સફોર્મેશન પણ જોઈ શકાય છે. ફિલ્મમાં તેનો ડબલ રોલ હતો. એક્ટર માટે આ સફર ઘણી ચેલેન્જીંગ રહી છે. ફિલ્મમાં ઘણા એવા સીન છે જેને પૂર્ણ કરવા મોટા મોટા સેટનું નિર્માણ કરવામાં આવ્યું હતું.  ડિરેકટર કરણ મલ્હોત્રાએ એવા જ એક ભવ્ય સેટ વિશે વાત કરી જે ખૂબ જે યુનિક અને તમે પહેલા કયારેય જોયો નહીં હશે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-10/1658223411119.jpg" alt=""></img></p>  <p>એકશન સીન માટે 400 ફુટની ટ્રેન બનાવી</p>  <p>ફિલ્મમાં એક સીન માટે મેકર્સે 400 ફુટની ટ્રેન બનાવવી પડી હતી. આ સેટ ક્રિએટ કરવા ડિઝાઈનરો માટે ઘણું ચેલેન્જિંગ રહ્યું કારણકે આ ટ્રેનને 1800 સદીના સમયની બતાવવાની હતી, જે 400 ફુટની હોય. ફિલ્મના VFX પ્રમાણે એ ખોટું પણ ન લાગવું જોઈએ. રણવીર કપૂરનો એકશન સીન પણ એ પ્રમાણે જ શૂટ કરવાનો હતો. કરણે ખુલાસો કર્યો કે અમારા સમગ્ર સેટ ડિઝાઈનને લઈને એકશન સેટના દરેક ટુકડાઓ સુધી સારી રીતે તૈયાર કરવામાં આવ્યાં હતા. જેથી 'શમશેરા' દર્શકો માટે જબરજસ્ત સીનના અનુભવ આપી શકે. જો કે અમે સ્પષ્ટ હતાં કે અમે જે પણ કરવા જઈ રહ્યાં છે તે એ જોઈને કરવાનું રહેશે કે આ યુગનું લાગે, જેની અમે ફિલ્મમાં વાત કરી રહ્યાં છે. એવો જ એક લાર્જર ધેન લાઈફ એકશન સીન ટ્રેનમાં થાય છે.</p>  <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/HJO0u9-ms_A?si=ya6rZEQ1tzkvwG0L" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>  <p>કરણે વધુમાં કહ્યું કે મુશ્કેલીઓ ઘણી હતી કારણકે 1800 સદીની ટ્રેન મળવી શક્ય હતું નહીં. તેથી અમે એ સીનને સાચો બતાવવા માટે લગભગ 400 ફુટની ટ્રેન બનાવી. આ એક ઘણું મોટું કાર્ય હતું. હું 'શમશેરા' પ્રોડક્શન ડિઝાઈન અને YFX ટીમને આટલી મોટી જવાબદારી લેવા અને તેને આટલી સરસ રીતે ક્રિએટ કરવા માટે શુભકામનાઓ આપું છું. આ ટ્રેનને આટલા મોટા સ્તર પર બનાવવા લગભગ એક મહિનાનો સમય લાગ્યો હતો. જો હું પોતાની વાત કરું તો મને ટ્રેનમાં મોટા ભાગના એકશન સીન કરવા હતા અને હું એ બતાવવા અડગ હતો કે આ રીતનો સીન મોટા પદડા પર કેટલો ભવ્ય દેખાઈ શકે છે.</p>  <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/HJO0u9-ms_A?si=ya6rZEQ1tzkvwG0L" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>  <p>કરણે કહ્યું કે હું એકવારમાં કરવા માંગતો હતો જેથી દર્શકોને એડ્રેનલાઈનની ભીડ લાગે, એવું લાગે કે તેમણે ક્યારેય જોયું જ નથી. આ સીનને પૂર્ણ રીતે સાચો કરવાનો ક્રેડિટ રણવીરને જાય છે. મને યાદ છે કે મેં શુટીંગ પછી કહ્યું હતું કે તેઓ એકશન ફિલ્મો કરવા માટે જન્મયા છે કારણકે તેઓ સહજતાથી એક અભિનેતાના રૂપમાં કોઈપણ ભૂમિકાને દ્રઢતાથી નિભાવવા માટે ગિફટેડ છે. 'શમશેરા'માં એક એકશન હિરોના રૂપમાં તેણે શું કર્યું છે એ સમજવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-10/1658223638120.jpg" alt=""></img></p>  <p>રણવીર કપૂરની ફિલ્મ 'શમશેરા'માં વાણી કપૂર અને સંજય દત્ત પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મનું નિર્દેશન કરણ મલ્હોત્રાએ સંભાળ્યું છે. ફિલ્મ પર ઘણી મહેનત કરવામાં આવી છે. આ ફિલ્મ થિયેટરમાં 22 જુલાઈએ રીલિઝ થઈ હતી, હાલમાં તમે આ ફિલ્મને એમેઝોન પ્રાઇમ વીડિયો પર જોઈ શકો છો.</p>]]></content:encoded>
                
                                                            <category>Entertainment</category>
                                    

                <link>https://www.khabarchhe.com/entertainment/karan-malhotra-creates-a-400-foot-train-for-massive-action-sequence-in-shamshera/article-140184</link>
                <guid>https://www.khabarchhe.com/entertainment/karan-malhotra-creates-a-400-foot-train-for-massive-action-sequence-in-shamshera/article-140184</guid>
                <pubDate>Tue, 17 Oct 2023 10:25:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2023-10/1658223315118.jpg"                         length="284243"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Khyati Gadkari]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ધો-12 પછી NEET આપ્યા વગર આ મેડીકલ કોર્સ કરી શકો છો, લાખોમાં વેતન મળશે</title>
                                    <description><![CDATA[<p>  દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ મેડીકલના ક્ષેત્રમાં ભવિષ્ય બનાવવા માટે NEET પરીક્ષા આપે છે. પરંતુ NEET આપ્યા વગર પણ કારકિર્દી બનાવી શકાય છે. એવા ઘણાં વિકલ્પો જેના દ્વારા તમે NEET આપ્યા વગર સારી નોકરી મેળવી શકો છો. અને લાખોમાં કમાણી કરી શકો છો.</p>  <p>NEET પરીક્ષા 17 જુલાઈ 2022એ આયોજિત કરવામાં આવી હતી. જેમાં આશરે 18 લાખ ઉમેદવાર સમાવિષ્ટ થયા હતા. નેશનલ ટેસ્ટીંગ એજન્સી(NTA) દ્વારા પરિણામ જાહેર થયા બાદ NEETના સ્કોર પ્રમાણે દેશના ટોપ મેડીકલ કોલેજોના એમબીબીએસ અને બીડીએસ કોર્સીસમાં એડમિશન મળશે. મેડીકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે નેશનલ એલિજિલિટી એન્ટ્રેસ ટેસ્ટ(NEET) પરીક્ષા પાસ કરવી જોઈએ આ જરૂરી નથી. NEET પરીક્ષા કવોલિફાઈ કર્યા</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/education/medical-courses-without-neet-https-www-aajtak-in-education-career-story-medical-courses-without-neet-and-after-12th-check-fees-job-profile-and-salary-1503558-2022-07-21/article-140347"><img src="https://www.khabarchhe.com/media/400/2023-03/165840226012.jpg" alt=""></a><br /><p> દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ મેડીકલના ક્ષેત્રમાં ભવિષ્ય બનાવવા માટે NEET પરીક્ષા આપે છે. પરંતુ NEET આપ્યા વગર પણ કારકિર્દી બનાવી શકાય છે. એવા ઘણાં વિકલ્પો જેના દ્વારા તમે NEET આપ્યા વગર સારી નોકરી મેળવી શકો છો. અને લાખોમાં કમાણી કરી શકો છો.</p>  <p>NEET પરીક્ષા 17 જુલાઈ 2022એ આયોજિત કરવામાં આવી હતી. જેમાં આશરે 18 લાખ ઉમેદવાર સમાવિષ્ટ થયા હતા. નેશનલ ટેસ્ટીંગ એજન્સી(NTA) દ્વારા પરિણામ જાહેર થયા બાદ NEETના સ્કોર પ્રમાણે દેશના ટોપ મેડીકલ કોલેજોના એમબીબીએસ અને બીડીએસ કોર્સીસમાં એડમિશન મળશે. મેડીકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે નેશનલ એલિજિલિટી એન્ટ્રેસ ટેસ્ટ(NEET) પરીક્ષા પાસ કરવી જોઈએ આ જરૂરી નથી. NEET પરીક્ષા કવોલિફાઈ કર્યા વગર પણ તમે મેડીકલ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવી શકાય છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-03/165840238613.jpg" alt=""></img></p>  <p>જો તમે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી અથવા ગણિત વિષયો સાથે ઈન્ટરમિડિયેટ ધો-12 પાસ છો તો તમે NEET પરીક્ષા વગર ઘણા મેડીકલ કોર્સમાં પોતાની કારકિર્દી બનાવી શકો છો. જેમ કે,</p>  <ul>  <li>Bsc નર્સિંગ</li>  </ul>  <p>Bsc નર્સિંગ ચાર વર્ષનો ગ્રેજયુએશન લેવલનો કોર્સ છે જેને કર્યા પછી ઉમેદવાર સ્ટાફ નર્સ, રજીસ્ટર્ડ નર્સ(RAN), નર્સ શિક્ષક, મેડીકલ કોડર જેવી પોસ્ટ માટે અરજી કરી શકો છો. નર્સિંગ માટે એમ તો NEET જરૂરી નથી પરંતુ ઘણા રાજ્યોમાં NEETના સ્કોરના માધ્યમથી બીએસસી નર્નિંગના એડમિશન થવા લાગ્યા છે. આ કોર્સ પછી ઉમેદવારને વર્ષમાં 3 લાખ રૂપિયાથી 8 લાખ રૂપિયા સુધીનો પગાર મળી શકે છે.</p>  <ul>  <li>Bsc ન્યુટ્રીશ્યન અને ડાયટિશ્યન, ફૂડ ટેકનોલોજી, હ્રુમન ન્યુટ્રીશ્યન</li>  </ul>  <p>આ કોર્સ ત્રણથી ચાર વર્ષમાં કરી શકાય છે. તેને પૂર્ણ કર્યા પછી ન્યુટ્રિશનિસ્ટ, ફૂડ ટેકનોલોજિસ્ટ અને રિસર્ચ પદ પર નોકરી મેળવી શકાય છે. જ્યાં તમે વર્ષના 5 લાખ રૂપિયા સુધીનું પેકેજ મેળવી શકો છો.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-03/165840215311.jpg" alt=""></img></p>  <ul>  <li>Bsc બાયોટેકનોલજી</li>  </ul>  <p>ધો-12 પછી જો તમે NEET પરીક્ષા પાસ કર્યા વગર મેડીકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગો છો તો Bsc  બાયોટેકનોલોજી સારો વિકલ્પ છે. આ કોર્સ કરવા માટે તમને 35 હજાર રૂપિયાથી 1 લાખ ફી જમા કરવી પડી શકે છે. આ કોર્સ ત્રણથી ચાર વર્ષમાં પૂરો થાય છે. આ કોર્સ કર્યા પછી બાયોટેકનોલોજિસ્ટના પદ પર નોકરી કરી શકો છો, જ્યાં વર્ષનું પેકેજ 5 લાખ રૂપિયાથી 9 લાખ રૂપિયા સુધીનું હોઈ શકે છે.</p>  <ul>  <li>Bsc એગ્રીકલ્ચર સાયન્સ</li>  </ul>  <p>Bsc એગ્રીકલ્ચર 4 વર્ષનો અંડર ગ્રેજ્યુએટ બેચલર ડિગ્રીનો કોર્સ છે. ઘણી કોલેજમાં આ કોર્સમાં એડમિશન માટે એન્ટ્રેસ પરીક્ષા પણ આયોજિત કરે છે. જો તમે કોઈ સરકારી કોલેજ અને યુનિવર્સિટીથી Bsc એગ્રીકલ્ચર કરવા ઈચ્છો છો તો તમને 7 હજાર રૂપિયાથી 15 હજાર રૂપિયા એક વર્ષની ફી જમા કરવાની રહેશે. તેમજ ખાનગી કોલેજ અને યુનિવર્સિટીમાં તેની ફી 20 હજાર રૂપિયાથી 80 હજાર રૂપિયા પ્રતિ વર્ષ હોય છે. આ કોર્સ પછી તમે એગ્રોનોમિસ્ટ, એગ્રીકલ્ચર વૈજ્ઞાનિક અને એગ્રીબિઝનેસ જેવા પદ પર કામ કરી શકો છો. આ કોર્સ પછી તમે વર્ષમાં 5 લાખથી 9 લાખ રૂપિયા સુધી કમાઈ શકો છો.</p>]]></content:encoded>
                
                                                            <category>Education</category>
                                    

                <link>https://www.khabarchhe.com/education/medical-courses-without-neet-https-www-aajtak-in-education-career-story-medical-courses-without-neet-and-after-12th-check-fees-job-profile-and-salary-1503558-2022-07-21/article-140347</link>
                <guid>https://www.khabarchhe.com/education/medical-courses-without-neet-https-www-aajtak-in-education-career-story-medical-courses-without-neet-and-after-12th-check-fees-job-profile-and-salary-1503558-2022-07-21/article-140347</guid>
                <pubDate>Thu, 09 Mar 2023 11:31:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2023-03/165840226012.jpg"                         length="93040"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Khyati Gadkari]]></dc:creator>
                            </item>
            <item>
                <title>કેન્દ્ર સરકારે પાછલા 5 વર્ષોમાં 7 શહેરો અને નગરોના નામ બદલ્યા</title>
                                    <description><![CDATA[<p>નિત્યાનંદ રાયે લોકસભામાં એક પ્રશ્નનો લેખિતમાં ઉત્તર આપીને આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળ સરકાર તરફથી પ્રદેશનું નામ ત્રણેય ભાષાઓ બંગાળી, અંગ્રેજી અને હિંદીમાં બાંગ્લા કરવાનો પ્રસ્તાવ આવ્યો છે.</p>  <p>કેન્દ્રએ પાછલા પાંચ વર્ષોમાં અલ્હાબાદ સહિત સાત શહેર અને નગરોના નામ બદલવાની મંજૂરી આપી છે. અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ રાખવામાં આવ્યું છે. કેન્દ્રિય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળ સરકાર તરફથી પ્રદેશનું નામ ત્રણ ભાષાઓ બંગાળી, અંગ્રેજી અને હિન્દીમાં બાંગ્લા કરવાનો પ્રસ્તાવ આવ્યો છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-03/1658234950104.jpg" alt="" /></p>  <p><strong>આ એ શહેર અને નગરો છે જેના નામ બદલવામાં આવ્યાં</strong></p>  <p>નિત્યાનંદ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/national/centre-has-given-nod-to-renaming-7-cities-towns-in-last-five-years/article-140216"><img src="https://www.khabarchhe.com/media/400/2023-03/165823449299.jpg" alt=""></a><br /><p>નિત્યાનંદ રાયે લોકસભામાં એક પ્રશ્નનો લેખિતમાં ઉત્તર આપીને આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળ સરકાર તરફથી પ્રદેશનું નામ ત્રણેય ભાષાઓ બંગાળી, અંગ્રેજી અને હિંદીમાં બાંગ્લા કરવાનો પ્રસ્તાવ આવ્યો છે.</p>  <p>કેન્દ્રએ પાછલા પાંચ વર્ષોમાં અલ્હાબાદ સહિત સાત શહેર અને નગરોના નામ બદલવાની મંજૂરી આપી છે. અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ રાખવામાં આવ્યું છે. કેન્દ્રિય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં એક પ્રશ્નના લેખિત ઉત્તરમાં આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળ સરકાર તરફથી પ્રદેશનું નામ ત્રણ ભાષાઓ બંગાળી, અંગ્રેજી અને હિન્દીમાં બાંગ્લા કરવાનો પ્રસ્તાવ આવ્યો છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-03/1658234950104.jpg" alt=""></img></p>  <p><strong>આ એ શહેર અને નગરો છે જેના નામ બદલવામાં આવ્યાં</strong></p>  <p>નિત્યાનંદ રાયે કહ્યું કે ઉત્તરપ્રદેશમાં અલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરવા 15 ડિસેમ્બર,2018 એ અનાપત્તિ  પ્રમાણપત્ર(NOC) આપવામાં આવ્યું. તેના પ્રમાણે આંધ્રપ્રદેશના રાજમુંદરી શહેરનું નામ રાજા મહંદ્રવરમ કરવા, ઝારખંડમાં નગર ઉંટારીનું નામ શ્રી બંશીધર નગર કરવા પણ 2018 માં મંજૂરી આપવામાં આવી. મંત્રીએ જણાવ્યું કે મધ્યપ્રદેશના બીરસિંહપુર પાલીને માં બિરાસિની ધામ(2018), હોશંગાબાનું નામ નર્મદાપુરમ(2021) કરવા અને બાબઈનું નામ માખન નગર કરવાની(2021) મંજૂરી આપવામાં આવી. 2022 માં પંજાબના શહેરનું નામ શ્રી હરગોબિંદરપુરથી બદલીને શ્રી હરગોબિંદરપુર સાહિબ કરવામાં આવ્યું છે.</p>  <p><strong>પાછલા ત્રણ વર્ષમાં 3.92 લાખ ભારતીયોએ નાગરિકતા છોડી</strong></p>  <p>સરકારે મંગળવારે લોકસભાને જણાવ્યું કે પાછલા ત્રણ વર્ષમાં 3,92,643 ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી દીધી તથા સૌથી વધુ ભારતીયોને અમેરિકાએ નાગરિકતા આપી. લોકસભામાં હાજી ફજલપુર રહમાનના પ્રશ્વનો લેખિત ઉત્તરની સાથે ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય દ્વારા જાહેર આંકડાઓથી આ જાણકારી મળી છે. સદસ્યે વર્ષ 2019થી ચાલુ વર્ષ દરમિયાન નાગરિકતા છોડનાર ભારતીયો વિશે જાણકારી માંગી હતી.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-03/1658234950105.jpg" alt=""></img></p>  <p>ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાય સદનમાં રજૂ કરેલા આંકડાઓ પ્રમાણે વર્ષ 2019 થી વર્ષ 2021 દરમિયાન નાગરિકતા છોડનાર ભારતીયોની સંખ્યા 3,92,643 હતી. જેમાં વર્ષ 2019 માં 1,44,017 ભારતીયોએ નાગરિકતા છોડી, જ્યારે વર્ષ 2020 માં 85,256 ભારતીયો અને વર્ષ 2021 માં 1,63,370 ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી હતી.<span class="Y2IQFc" lang="gu" xml:lang="gu">ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (AITC) ના સાંસદ સઈદા અહમદે સમગ્ર દેશમાં શહેરોના નામ બદલવાની મંજૂરી મેળવવા, હેરિટેજ સ્થળોના નામ બદલવા માટે ગૃહ મંત્રાલય દ્વારા પ્રાપ્ત વિગતો અને દરખાસ્તોની સંખ્યાઅને સરકારે તેના માટેની માર્ગદર્શિકામાં સુધારો કર્યો છે કે કેમ તે અંગે પ્રશ્ન પૂછ્યો હતો. શ્રી રાયે જવાબ આપ્યો હતો કે એમએચએ પાસે હેરિટેજ સ્થાનોના નામ બદલવા માટે આવી કોઈ માર્ગદર્શિકા નથી.</span></p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.khabarchhe.com/national/centre-has-given-nod-to-renaming-7-cities-towns-in-last-five-years/article-140216</link>
                <guid>https://www.khabarchhe.com/national/centre-has-given-nod-to-renaming-7-cities-towns-in-last-five-years/article-140216</guid>
                <pubDate>Wed, 08 Mar 2023 16:01:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2023-03/165823449299.jpg"                         length="183630"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Khyati Gadkari]]></dc:creator>
                            </item>
            <item>
                <title>દુબળા-પાતળા લોકોનું વજન આ કારણોથી વધતું નથી, વૈજ્ઞાનિકોએ શોધ્યું તેનું સિક્રેટ</title>
                                    <description><![CDATA[<p>જે લોકો દુબળા-પાતળા હોય છે તેમના વિશે કહેવામાં આવે છે કે તેઓ કંઈપણ ખાઈ શકે છે કારણકે તેઓ ચાલતા-ફરતા વધુ હોય છે તેથી તેમનું વજન વધતું નથી. પરંતુ હાલમાં જ થયેલા અભ્યાસે આ વાતને ખોટી સાબિત કરી દીધી છે.</p>  <p>ઘણા સમયથી આ ઘારણા બનેલી હતી કે જે લોકો પાતળા હોય છે તેમની શારીરિક પ્રવૃત્તિ વધુ હોય છે અથવા તો તેઓ ચાલતા વધુ હોય છે. પરંતુ હાલમાં જ થયેલા એક રિસર્ચે આ વાતને ખેટી સાબિત કરી છે. રિસર્ચસે જાણ્યું કે દુબળા-પતળા લોકો બાકી લોકોની સરખામણીમાં વધુ કસરત કરતા નથી પરંતુ ઓછો ખોરાક લે છે. ઓછું ખાવાથી તેમનું વજન ઓછું રહે છે.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/health/scientists-have-discovered-how-naturally-skinny-people-manage-to-stay-so-slim/article-140127"><img src="https://www.khabarchhe.com/media/400/2023-02/165814431557.jpg" alt=""></a><br /><p>જે લોકો દુબળા-પાતળા હોય છે તેમના વિશે કહેવામાં આવે છે કે તેઓ કંઈપણ ખાઈ શકે છે કારણકે તેઓ ચાલતા-ફરતા વધુ હોય છે તેથી તેમનું વજન વધતું નથી. પરંતુ હાલમાં જ થયેલા અભ્યાસે આ વાતને ખોટી સાબિત કરી દીધી છે.</p>  <p>ઘણા સમયથી આ ઘારણા બનેલી હતી કે જે લોકો પાતળા હોય છે તેમની શારીરિક પ્રવૃત્તિ વધુ હોય છે અથવા તો તેઓ ચાલતા વધુ હોય છે. પરંતુ હાલમાં જ થયેલા એક રિસર્ચે આ વાતને ખેટી સાબિત કરી છે. રિસર્ચસે જાણ્યું કે દુબળા-પતળા લોકો બાકી લોકોની સરખામણીમાં વધુ કસરત કરતા નથી પરંતુ ઓછો ખોરાક લે છે. ઓછું ખાવાથી તેમનું વજન ઓછું રહે છે. આ રિસર્ચમાં 150 એકદમ પાતળા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રિસર્ચથી વૈજ્ઞાનિકોએ પરિણામ કાઢ્યું અને આ વાતને તથ્ય સાથે સાબિત કરી.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-02/165814441459.jpg" alt=""></img></p>  <p>રિસર્ચમાં આ જાણવા મળ્યું</p>  <p>એબરડીન વિશ્વવિદ્યાલય દ્વારા કરવામાં આવેલા રિસર્ચમાં 150 ઘણા પાતળા લોકોની ડાયટ અને શક્તિ ક્ષમતાને જોવામાં આવી અને તેની સરખામણી સામાન્ય 173 લોકો સાથે કરી બે અઠવાડિયામાં જાણ્યું કે પાતળા લોકોએ 23 ટકા ઓછી શારીરિક પ્રવૃત્તિ કરી અને બેસવામાં સમય પસાર કર્યો. આ ઉપરાંત તેમણે સામાન્ય માણસોથી 12 ટકા ઓછો ખોરાક લીધો પરંતુ જાણવા મળ્યું કે તેમનું રેસ્ટીંગ મેટાબોલિઝમ ઝડપી હતું જે તેમને સામાન્ય વ્યક્તિની સરખામણીમાં નિષ્ક્રિય હોવા છતા વધુ કેલરી બર્ન કરવામાં મદદ કરે છે.</p>  <p>એબરડીન વિશ્વવિદ્યાલય દ્વારા કરવામાં આવેલા રિસર્ચનું નેતૃત્વ કરનાર પ્રોફેસર જોન સ્પીકમૈને કહ્યું કે આ અભ્યાસનું પરિણામ ખરેખરમાં આશ્ચર્યજનક છે. સામાન્ય રીતે જયારે પાતળા લોકો સાથે વાત કરી તેમને કહીએ છીએ કે તમે જે ઈચ્છો તે ખાઈ શકો છો પરંતુ અમારો અભ્યાસ દર્શાવે છે કે પાતળા લોકો વધુ શારીરિક પ્રવૃત્તિને કારણે નહીં પરંતુ ઓછું ખાવાથી હોય છે તેઓ જે ખાઈ છે તે સામાન્ય બોડી માંસ ઈન્ડેક્સ(BMI) શ્રેણીના લોકોની સરખામણીમાં ઘણું ઓછું છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-02/165814495565.jpg" alt=""></img></p>  <p>પાતળા લોકો પોતાનો 96 ટકા સમય કોઈ પ્રવૃત્તિ કરતા નથી અથવા તો હલકી શારીરિક પ્રવૃત્તિ કરે છે પરંતુ તેઓ સામાન્ય માણસો જેમનું BMI 21.5 થી વધુ અને 25 થી ઓછું હતું. એટલે કે તેઓ ઓછી કેલરીનું સેવન કરે છે તેથી તેઓ પાતળા હોય છે.</p>  <p>શોધકર્તાઓની સલાહ છે કે રિસર્ચમાં ભાગ લીધેલ દુબળા-પાતળા લોકોને સામાન્ય વજનના લોકોની સરખામણીમાં આશરે 12 ટકા ઓછું ખાધું હશે. પરંતુ તેમણે બેઠા બેઠા કેલરી બર્ન કરી. જેનું કારણ સામાન્ય માણસોની સરખામણીમાં તેમનું મેટાબોલિઝમ ઝડપી હોવાનું છે.</p>  <p>રોજ કેટલા પ્રમાણમાં કેલરી લેવી જોઈએ</p>  <p>સામાન્ય વયની મહિલાઓએ દિવસમાં 2000 કેલરી અને પુરૂષોએ 2500 કેલરી લેવી જોઈએ. આ એનર્જીની માત્રા પર પણ નિર્ભર કરે છે જે શરીરના વિવિધ કાર્યને કરવા, પૂર્ણ દિવસ ચાલવા અને કામ કામ કરવા માટે જરૂરી છે. જે લોકો વધુ પ્રમાણમાં કસરત કરે છે તેમને વધુ કેલરી ખાવાની જરૂર હોય છે. જો તમે એક દિવસમાં જેટલી કેલરી બર્ન કરો છો તેનાથી વધુ કેલરી લો તો જાડા થઈ જશો. તમારા દ્વારા બર્ન કરેલી કેલરીથી ઓછું ખાવાથી તમારું વજન ઓછું થશે. જે ખાદ્ય પદાર્થોને પ્રોસેસ્ડ કરવામાં આવે છે અને જેમાં કાર્બોહાઈડ્રેટ, ખાંડ અને મીઠું વધુ હોય છે તેમાં તાજા ફળ અને શાકભાજીની સરખામણીમાં વધુ કેલરી હોય છે તેથી આવો ખોરાક ખાવાથી બચવું જોઈએ.</p>  <p> </p>]]></content:encoded>
                
                                                            <category>Lifestyle</category>
                                            <category>Health</category>
                                    

                <link>https://www.khabarchhe.com/health/scientists-have-discovered-how-naturally-skinny-people-manage-to-stay-so-slim/article-140127</link>
                <guid>https://www.khabarchhe.com/health/scientists-have-discovered-how-naturally-skinny-people-manage-to-stay-so-slim/article-140127</guid>
                <pubDate>Mon, 27 Feb 2023 21:15:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2023-02/165814431557.jpg"                         length="148646"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Khyati Gadkari]]></dc:creator>
                            </item>
            <item>
                <title>આમીર ખાન ડિવોર્સ પછી પણ પોતાની પત્નીઓને દર અઠવાડિયે મળવા જાય છે..</title>
                                    <description><![CDATA[<p>આમીર ખાને હાલમાં જ ખુલાસો કર્યો છે કે ડિવોર્સ થવા છતાં તે પોતાની પત્નીઓની ખૂબ નજીક છે અને તેમને પૂરો સમય આપે છે. આમીર પ્રયત્ન કરે છે કે દર અઠવાડિયે તે પોતાની પત્ની રીના અને કિરણને મળે.</p>  <p>કરણ જોહરનો શો કોફી વીથ કરણ શરૂ થઈ ગયો છે. આ ટોક શો ના અત્યારસુધી ત્રણ એપિસોડ રીલિઝ થઈ ચુક્યા છે અને ચોથો રીલિઝ માટે તૈયાર છે. આ વખતે  શો માં આમીર ખાન અને કરીના કપૂર હાજરી આપવાના છે. શો માં આમીરના જીવનથી જોડાયેલા ઘણા રાઝ સામે આવવાના છે. સાથે જ કરીનાના જીવનને લઈને પણ વાતો સામે આવી શકે છે. કહેવામાં આવી રહ્યું</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/entertainment/aamir-khan-talks-about-ex-wives-kiran-rao-and-reena-dutta/article-141248"><img src="https://www.khabarchhe.com/media/400/2023-02/1659608054amir_khan.jpg" alt=""></a><br /><p>આમીર ખાને હાલમાં જ ખુલાસો કર્યો છે કે ડિવોર્સ થવા છતાં તે પોતાની પત્નીઓની ખૂબ નજીક છે અને તેમને પૂરો સમય આપે છે. આમીર પ્રયત્ન કરે છે કે દર અઠવાડિયે તે પોતાની પત્ની રીના અને કિરણને મળે.</p>  <p>કરણ જોહરનો શો કોફી વીથ કરણ શરૂ થઈ ગયો છે. આ ટોક શો ના અત્યારસુધી ત્રણ એપિસોડ રીલિઝ થઈ ચુક્યા છે અને ચોથો રીલિઝ માટે તૈયાર છે. આ વખતે  શો માં આમીર ખાન અને કરીના કપૂર હાજરી આપવાના છે. શો માં આમીરના જીવનથી જોડાયેલા ઘણા રાઝ સામે આવવાના છે. સાથે જ કરીનાના જીવનને લઈને પણ વાતો સામે આવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આમીર પોતાના લગ્નજીવનને લઈને પણ વાત કરવાના છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-02/1659608127amir_khan1.jpg" alt=""></img></p>  <p>દર અઠવાડિયે પત્નીઓને મળવા જાય છે આમીર ખાન</p>  <p>બોલિવુડ અભિનેતા આમીર ખાન આ વખતે કોફી વીથ કરણમાં પોતાની પૂર્વ પત્નીઓ કિરણ અને રીનાની સાથે પોતાના સંબંધો વિશે વાત કરતા જોવા મળશે. શો માં તેણે કહ્યું છે કે તે બંનેની સાથે સંપર્કમાં છે અને તેમને મળતા પણ રહે છે. આમીર ખાને કહ્યું કે મારા મનમાં એ બંને માટે ઘણું સમ્માન છે. અમે લોકો હંમેશા એક પરિવાર જ રહીશું. તેણે એ પણ કહ્યું કે અમે બધા અઠવાડિયામાં એક વખત એકસાથે મળીએ છીએ, ભલે અમે કેટલા પણ વ્યસ્ત હોઈએ. એકબીજા માટે સાચી કાળજી, પ્રેમ અને સમ્માન છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-02/1659608354amir_khan2.jpg" alt=""></img></p>  <p>આમીર ખાનનું લગ્નજીવન</p>  <p>તમને જણાવી દઈએ કે આમીર ખાનની પહેલી પત્નીનું નામ રીના દત્તા છે. ફિલ્મોમાં આવવા પહેલા જ આમીર ખાને રીના સાથે લગ્ન કરી લીધા હતા. સારી રીતે તાલમેળ ન મળ્યા પછી આમીર ખાને રીનાથી ડિવોર્સ લઈ લીધા હતા. ડિવોર્સ લીધા બાદ અભિનેતાએ વર્ષ 2005 માં કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા. 15 વર્ષ એક સાથે રહ્યાં પછી બંનેએ વર્ષ 2021 માં એકબીજાથી ડિવોર્સ લીધા. બંનેએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તેમણે અલગ થવાનો નિર્ણય લીધો છે અને તે પોતાના દિકરા આઝાદ રાવ ખાનનો એકસાથે મળીને ઉછેર કરશે.  </p>]]></content:encoded>
                
                                                            <category>Entertainment</category>
                                    

                <link>https://www.khabarchhe.com/entertainment/aamir-khan-talks-about-ex-wives-kiran-rao-and-reena-dutta/article-141248</link>
                <guid>https://www.khabarchhe.com/entertainment/aamir-khan-talks-about-ex-wives-kiran-rao-and-reena-dutta/article-141248</guid>
                <pubDate>Wed, 08 Feb 2023 16:15:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2023-02/1659608054amir_khan.jpg"                         length="287962"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Khyati Gadkari]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ચીન બોર્ડર પાસે ભારત અને અમેરિકાની સેના કરશે યુદ્ધાભ્યાસ, જાણો શું છે પ્લાન</title>
                                    <description><![CDATA[<p>ચીનની સાથે તણાવ વચ્ચે ભારત અને અમેરિકાની સેના ઓક્ટોબરમાં ઉત્તરાખંડના ઔલીમાં LAC ની નજીક સૈન્યાભ્યાસ કરશે. રક્ષા વિભાગના એક સૂત્રએ જણાવ્યું કે બંને સેના વચ્ચે આ યુદ્ધાભ્યાસ 14 થી 31 ઓક્ટોબર સુધી થવાનો છે. જેનો હેતુ ભારત અને અમેરિકાની સેના વચ્ચે સમજ, સહયોગ અને અંતર-સંચાલનને વધારવાનો છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2022-08/1659595027indian_us_army2.jpg" alt="" /></p>  <p>ચીન સીમા (LAC) પર તણાવ વચ્ચે ભારત અને અમેરિકાની સેના ઓક્ટોબરમાં ઉત્તરાખંડના ઔલીમાં સૈન્યાભ્યાસ કરશે. ભારત અને અમેરિકાની સેના વચ્ચે મિલિટ્રી એકસરસાઈઝનું 18મું સંસ્કરણ છે. આ યુદ્ધાભ્યાસ એક વર્ષ અમેરિકા અને એક વર્ષ ભારતમાં થાય છે. ગયા વર્ષે યુદ્ધાભ્યાસ અમેરિકાના અલાસ્કામાં કરવામાં આવ્યું હતું. તેથી આ વર્ષે ભારતમાં થવા જઈ રહ્યું છે.</p>  <p>રક્ષા</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/world/india-us-to-hold-military-exercise-near-china-border-amid-rising-tensions/article-141220"><img src="https://www.khabarchhe.com/media/400/2022-08/1659595027indian_us_army.jpg" alt=""></a><br /><p>ચીનની સાથે તણાવ વચ્ચે ભારત અને અમેરિકાની સેના ઓક્ટોબરમાં ઉત્તરાખંડના ઔલીમાં LAC ની નજીક સૈન્યાભ્યાસ કરશે. રક્ષા વિભાગના એક સૂત્રએ જણાવ્યું કે બંને સેના વચ્ચે આ યુદ્ધાભ્યાસ 14 થી 31 ઓક્ટોબર સુધી થવાનો છે. જેનો હેતુ ભારત અને અમેરિકાની સેના વચ્ચે સમજ, સહયોગ અને અંતર-સંચાલનને વધારવાનો છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2022-08/1659595027indian_us_army2.jpg" alt=""></img></p>  <p>ચીન સીમા (LAC) પર તણાવ વચ્ચે ભારત અને અમેરિકાની સેના ઓક્ટોબરમાં ઉત્તરાખંડના ઔલીમાં સૈન્યાભ્યાસ કરશે. ભારત અને અમેરિકાની સેના વચ્ચે મિલિટ્રી એકસરસાઈઝનું 18મું સંસ્કરણ છે. આ યુદ્ધાભ્યાસ એક વર્ષ અમેરિકા અને એક વર્ષ ભારતમાં થાય છે. ગયા વર્ષે યુદ્ધાભ્યાસ અમેરિકાના અલાસ્કામાં કરવામાં આવ્યું હતું. તેથી આ વર્ષે ભારતમાં થવા જઈ રહ્યું છે.</p>  <p>રક્ષા વિભાગના જણાવ્યા પ્રમાણે બંને સેના વચ્ચે આ યુદ્ધાભ્યાસ 14 થી 31 ઓક્ટોબર સુધી થવાનું છે. જેનો હેતુ બંને સેનાઓ વચ્ચે સહયોગ વધારવાનો છે. ભારત-અમેરિકા રક્ષા સંબંધ છેલ્લા થોડા વર્ષોથી મજબૂત થઈ રહ્યાં છે. જૂન 2016 માં અમેરિકાએ ભારતને પ્રમુખ રક્ષા ભાગીદાર થી નિયુક્ત કર્યું હતું.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2022-08/1659595027indian_us_army1.jpg" alt=""></img></p>  <p>બંને દેશોએ છેલ્લાં થોડા વર્ષોમાં મહત્વપૂર્ણ રક્ષા અને સુરક્ષા માટેના કરાર પણ કર્યા છે, જેમાં 2016 માં લોજીસ્ટીક્સ એક્સચેન્જ મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ(LEMOA) નો પણ સમાવેશ થાય છે, જે તેમની સેનાને સપ્લાય થયેલા હથિયારોનું સમારકામ અને ફરીથી ભરવા માટે એકબીજાની જગ્યાઓનો ઉપયોગ કરવાની પરવાનગી આપે છે અને સાથે જ સુરક્ષા આપે છે. બંને સેનાને 2018 માં COMCASA (કમ્યુનિકેશન્સ કમ્પેટીબિલિટી એન્ડ સિક્યોરિટી એગ્રીમેન્ટ) પર પણ હસ્તાક્ષર કર્યા, જે બંને સેના વચ્ચે અંત-સંચાલનનું પ્રદાન કરે છે અને અમેરિકાથી ભારતને ઉચ્ચ ટેકનોલોજીના વેચાણની જોગવાઈ કરે છે.</p>  <p>બારાહોતીમાં ચીનના સૈનિકોએ કરી હતી આવી હરકત</p>  <p>ઉત્તરાખંડના ઔલીમાં થઈ રહેલો આ વખતનો યુદ્ધાભ્યાસ એટલે પણ મહત્વપૂર્ણ છે કારણકે ઉત્તરાખંડના બારાહોતી ક્ષેત્રમાં આગળના વર્ષમાં સપ્ટેમ્બરમાં ચીનના સૈનિકોએ નાપાક હરકત કરી હતી. ચીની સૈનિક ભારતીય સીમાની અંદર આશરે 5 કિમી સુધી ઘુસી ગયા હતા. જો કે થોડા જ કલાકોમાં આ સૈનિકો પરત ફરી ગયા હતા. કહેવામાં આવે છે કે બારાહોતીમાં એક એવું ગોચર છે જેને લઈને બંને દેશો વચ્ચે વિવાદ છે. આ ગોચર 60 સ્કેવર કિમી ક્ષેત્રમાં ફેલાયેલું છે.</p>]]></content:encoded>
                
                                                            <category>World</category>
                                    

                <link>https://www.khabarchhe.com/world/india-us-to-hold-military-exercise-near-china-border-amid-rising-tensions/article-141220</link>
                <guid>https://www.khabarchhe.com/world/india-us-to-hold-military-exercise-near-china-border-amid-rising-tensions/article-141220</guid>
                <pubDate>Sun, 07 Aug 2022 23:59:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2022-08/1659595027indian_us_army.jpg"                         length="377070"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Khyati Gadkari]]></dc:creator>
                            </item>
            <item>
                <title>નસીર જે અમિતાભ બચ્ચન સાથે કામ કરીને અમેરિકા નોકરી કરવા ચાલ્યો ગયો</title>
                                    <description><![CDATA[<p>નસીર ખાન બોલિવુડના દિગ્ગજ કોમેડિયન જોની વોકરનો પુત્ર છે. નસીર ખાને પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ખૂબ જ સારી રીતે કરી હતી. પરંતુ સારી શરૂઆત બાદ પણ તેને ઘણા સારા પ્રોજેક્ટ્સ ન મળ્યા. તે જ સમયે ઘણા વર્ષો પછી, તેણે તેના સ્ટ્રગલના દિવસો પર ખુલીને વાત કરી છે.</p>  <p>દરેક માનવીના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવતા હોય છે. ભલે તે સામાન્ય માણસ હોય કે કલાકાર. ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા કલાકારો છે જેમણે સફળતા અને નિષ્ફળતા બંનેનો સ્વાદ ચાખ્યો છે. ઘણા કલાકારો તેમની નિષ્ફળતામાંથી સાજા થાય છે. તે જ સમયે, ઘણા લોકો ઈન્ડસ્ટ્રીથી અંતર બનાવે છે. નાસિર ખાન પણ એવા જ સ્ટાર્સમાંથી</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/entertainment/nasir-khan-pens-emotional-note-on-late-johnny-walker-s-death-anniversary/article-141382"><img src="https://www.khabarchhe.com/media/400/2022-08/165978807034.jpg" alt=""></a><br /><p>નસીર ખાન બોલિવુડના દિગ્ગજ કોમેડિયન જોની વોકરનો પુત્ર છે. નસીર ખાને પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ખૂબ જ સારી રીતે કરી હતી. પરંતુ સારી શરૂઆત બાદ પણ તેને ઘણા સારા પ્રોજેક્ટ્સ ન મળ્યા. તે જ સમયે ઘણા વર્ષો પછી, તેણે તેના સ્ટ્રગલના દિવસો પર ખુલીને વાત કરી છે.</p>  <p>દરેક માનવીના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવતા હોય છે. ભલે તે સામાન્ય માણસ હોય કે કલાકાર. ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા કલાકારો છે જેમણે સફળતા અને નિષ્ફળતા બંનેનો સ્વાદ ચાખ્યો છે. ઘણા કલાકારો તેમની નિષ્ફળતામાંથી સાજા થાય છે. તે જ સમયે, ઘણા લોકો ઈન્ડસ્ટ્રીથી અંતર બનાવે છે. નાસિર ખાન પણ એવા જ સ્ટાર્સમાંથી એક છે, જેમણે ઈન્ડસ્ટ્રી છોડીને એક અલગ રસ્તો અપનાવ્યો. </p>  <p><img src="https://www.khabarchhe.com/media/2022-08/165978815737.jpg" alt=""></img></p>  <p>નસીર ખાને ઇન્ડસ્ટ્રી છોડી દીધી</p>  <p>નસીર ખાને પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ખૂબ જ સારી રીતે કરી હતી. પરંતુ સારી શરૂઆત બાદ પણ તેને ઘણા સારા પ્રોજેક્ટ્સ ન મળ્યા. આ જ કારણ છે કે તેણે ઈન્ડસ્ટ્રી છોડીને 7 વર્ષ સુધી USમાં MNCમાં કામ કર્યું. નસીર ખાને કહ્યું  કે, તેમના પિતાએ ક્યારેય તેમને કોઈ ડિરેક્ટર-પ્રોડ્યુસર પાસે રોલ અપાવવા માટે ભલામણ કરી નથી. 6 ભાઈ-બહેનોમાં નસીર એકમાત્ર એવા હતા, જેમણે બાળપણથી જ અભિનેતા બનવાનું સપનું જોયું હતું. તે અભિનેતા પણ બન્યો, પરંતુ તે ધાર્યું હતું તેટલો સફળ થઈ શક્યો નહીં. નસીર કહે છે કે તેના પિતા કહેતા હતા કે દીકરા, કોઈ કહેશે નહીં અને કોઈ કામ નહીં આપે. તેથી, તમારો પોતાનો રસ્તો પસંદ કરવો વધુ સારું છે. </p>  <p>ઈન્ડસ્ટ્રીમાંથી દૂર થઈ ગયેલા નસીર ખાન કહે છે કે તે સાચું છે કે તેને સારા પ્રોજેક્ટ્સ મળે છે. પરંતુ કોઈ કારણસર તે તેનો લાભ લઈ શક્યો ન હતો. નસીરનું કહેવું છે કે તે ક્યારેય એવા રોલ માટે લડ્યો નથી જે તેને મળવા જોઈએ. એક અભિનેતા તરીકે તેણે પોતાને બહુ મજબૂત બનાવ્યો ન હતો. એક સમય એવો આવ્યો જ્યારે તેને ઈન્ડસ્ટ્રીમાંથી દૂર કરવામાં આવ્યો. પરંતુ તેને જે મળ્યું નથી તેનો હવે તે અફસોસ કરતો નથી. 2008 થી 2015 સુધી ઇન્ડસ્ટ્રી છોડીને USની એક ટેક કંપનીમાં કામ કર્યું.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2022-08/165978807035.jpg" alt=""></img></p>  <p>પરંતુ નસીરના જીવનમાં કદાચ બે વાર અભિનય લખાયો હતો. તેથી જ્યારે તેની કંપની ખોટમાં ગઈ ત્યારે તેણે ફરીથી ટીવી પર પાછા ફરવાનું વિચાર્યું. 2016માં તેણે ટીવી પરથી નવી ઇનિંગ શરૂ કરી હતી અને તે 'અબ શુભ લાભ-આપકે ઘર મેં' માં જોવા મળી રહ્યાં છે. નસીર ખાન બાગબાન, ધ લંચ બોક્સ અને વઝીર જેવી ફિલ્મોમાં જોવા મળ્યા છે. આ સિવાય તે ડબિંગ આર્ટિસ્ટ અને હોસ્ટ તરીકે પણ જાણીતા છે. </p>]]></content:encoded>
                
                                                            <category>Entertainment</category>
                                    

                <link>https://www.khabarchhe.com/entertainment/nasir-khan-pens-emotional-note-on-late-johnny-walker-s-death-anniversary/article-141382</link>
                <guid>https://www.khabarchhe.com/entertainment/nasir-khan-pens-emotional-note-on-late-johnny-walker-s-death-anniversary/article-141382</guid>
                <pubDate>Sat, 06 Aug 2022 23:31:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2022-08/165978807034.jpg"                         length="133070"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Khyati Gadkari]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ખાદ્યમંત્રીના જિલ્લામાં ચોખાની 12000 ગુણ સડી ગઈ, 3 વર્ષથી જાળવણી થઈ રહી ન હતી</title>
                                    <description><![CDATA[<p>એમપી શિવરાજ સરકારમાં ખાદ્યમંત્રી બિસાહુલાલ સિંહના ગૃહ જિલ્લામાં ફૂડ ઈનસ્પેક્ટરે વેર હાઉસનું નિરિક્ષણ કર્યું. ફૂડ ઈન્સ્પેક્ટર સીમા સિન્હાને જણાવ્યું કે આશરે  12 હજાર જેટલી બોરીઓ ખરાબ થઈ ગઈ.</p>  <p>મધ્યપ્રદેશના અનુપપુરમાં ગરીબોની વચ્ચે વિતરણ કરવામાં આવનારા આશરે 12 હજાર બોરી ચોખા વેર હાઉસમાં સડી ગયા છે. આ ચોખા ત્રણ વર્ષથી સ્ટોકમાં રાખવામાં આવ્યા હતા. જાળવણીના અભાવે ચોખા પૂરી રીતે ખરાબ થઈ ગયા. આ ખરાબ ચોખાને ગરીબો વચ્ચે વિતરણ કરવાની તૈયારી કરવામાં આવી રહી હતી.</p>  <p>ફૂડ ઈન્સ્પેક્ટર સીમા સિન્હાએ નિરિક્ષણ કરીને જણાવ્યું કે આ ચોખા ખાવાલાયક નથી. વિભાગને ફરિયાદ મળી હતી કે સડી ગયેલા ચોખા વિતરણ કરવાની તૈયારી થઈ રહી હતી. તેમજ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/national/12000-sacks-of-rice-rotted-in-food-minister-s-district-maintenance-was-not-being-done-for-3-years-https-www-aajtak-in-india-news-story-anuppur-12-thousand-sacks-of-rotten-rice-distributed-to-the-poor-in-the-food-minister-district-ntc-1513411-2022-08-05/article-141377"><img src="https://www.khabarchhe.com/media/400/2022-08/165978513914.jpg" alt=""></a><br /><p>એમપી શિવરાજ સરકારમાં ખાદ્યમંત્રી બિસાહુલાલ સિંહના ગૃહ જિલ્લામાં ફૂડ ઈનસ્પેક્ટરે વેર હાઉસનું નિરિક્ષણ કર્યું. ફૂડ ઈન્સ્પેક્ટર સીમા સિન્હાને જણાવ્યું કે આશરે  12 હજાર જેટલી બોરીઓ ખરાબ થઈ ગઈ.</p>  <p>મધ્યપ્રદેશના અનુપપુરમાં ગરીબોની વચ્ચે વિતરણ કરવામાં આવનારા આશરે 12 હજાર બોરી ચોખા વેર હાઉસમાં સડી ગયા છે. આ ચોખા ત્રણ વર્ષથી સ્ટોકમાં રાખવામાં આવ્યા હતા. જાળવણીના અભાવે ચોખા પૂરી રીતે ખરાબ થઈ ગયા. આ ખરાબ ચોખાને ગરીબો વચ્ચે વિતરણ કરવાની તૈયારી કરવામાં આવી રહી હતી.</p>  <p>ફૂડ ઈન્સ્પેક્ટર સીમા સિન્હાએ નિરિક્ષણ કરીને જણાવ્યું કે આ ચોખા ખાવાલાયક નથી. વિભાગને ફરિયાદ મળી હતી કે સડી ગયેલા ચોખા વિતરણ કરવાની તૈયારી થઈ રહી હતી. તેમજ અનુપપુર જિલ્લાના MLA એ આરોપ લગાવ્યો છે કે અહિંયા ખાદ્ય વિભાગમાં ભારી ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે. ખાદ્યમંત્રી સાહૂ અનુપપુર જિલ્લાના રહેવાસી છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2022-08/165978513916.jpg" alt=""></img></p>  <p>છેલ્લાં ત્રણ વર્ષોથી વેર હાઉસ બિજુરીના ગોડાઉનમાં આશરે 640 ટન ચોખા સંગ્રહિત કરવામાં આવ્યા હતા. આ ચોખા જાળવણી ન થવાથી ખરાબ થઈ ગયા છે. હવે વિભાગ તેને શાસકીય વાજબી કિંમતની દુકાન પર મોકલવાની તૈયારી કરી રહ્યાં હતા. સૂચના મળવાથી સ્થાનિય પ્રશાસન જાગૃત થયું. કલેક્ટરે પત્ર જાહેર કરી બગડેલા ચોખાની તપાસ કરવા માટે ટીમ મોકલી હતી. આ ચોખા કોતમા બ્લોકના શુભ વેર હાઉસમાં રાખવામાં આવ્યા હતા. પ્રશાસને તેને સીલ કરી દીધું છે.</p>  <p>ચોખાને બિજુરીના શુભ વેર હાઉસમાં વર્ષ 2017-18 અને 2018-19 માં સંગ્રહિત કરવામાં આવ્યા હતા. પરંતુ CMR ચોખાનો સમય પર નિકાલ કરવામાં આવ્યો નહીં, જે કારણથી ગોડાઉનમાં સંગ્રહિત 4 સ્ટેક આશરે 640 ટન ચોખા પૂરી રીતે બગડી ગયા છે. આ 4 સ્ટેકમાંથી 2 સ્ટેક ચોખા ખાવાલાયક બચ્યા જ નથી.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2022-08/165978513915.jpg" alt=""></img></p>  <p>હવે નાગરિક આપૂર્તિ વિભાગ સડી ગયેલા ચોખાની અપગ્રેડેશન કરવાની તૈયારીમાં જોડાઈ ગયા હતા. જે પછી કલેક્ટરે બાબતને હાથ ધરી અને અધિકારીઓને તપાસ કરવાનો આદેશ કર્યો. સોમવારે તપાસ ટીમ શુભ વેરહાઉસ પહોંચી, જ્યાં તપાસમાં ચોખા બગડી ગયેલા જણાયા બાદ વેરહાઉસને સીલ કરી દેવામાં આવ્યું છે.</p>  <p>સ્થાનીય લોકોનું કહેવું છે કે જિલ્લામાં સતત મનમાની અને ગુણવત્તાહિન ચોખાને જમા કરાવાની કરતૂતો કોઈનાથી છૂપાયેલી નથી. આ મિલર્સની સાથે મિલીભગત કરી ગરીબોની થાળીમાં બિનમાનક ચોખાનું કન્સાઈનમેન્ટ પહોંચાડી ગરબડ કરવામાં આવી રહી છે. કેન્દ્ર પ્રભારી અને ટ્રાન્સપોર્ટરની વચ્ચચે વિવાદમાં આ ચોખા સડી ગયા છે.</p>  <p> </p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.khabarchhe.com/national/12000-sacks-of-rice-rotted-in-food-minister-s-district-maintenance-was-not-being-done-for-3-years-https-www-aajtak-in-india-news-story-anuppur-12-thousand-sacks-of-rotten-rice-distributed-to-the-poor-in-the-food-minister-district-ntc-1513411-2022-08-05/article-141377</link>
                <guid>https://www.khabarchhe.com/national/12000-sacks-of-rice-rotted-in-food-minister-s-district-maintenance-was-not-being-done-for-3-years-https-www-aajtak-in-india-news-story-anuppur-12-thousand-sacks-of-rotten-rice-distributed-to-the-poor-in-the-food-minister-district-ntc-1513411-2022-08-05/article-141377</guid>
                <pubDate>Sat, 06 Aug 2022 21:31:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2022-08/165978513914.jpg"                         length="84601"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Khyati Gadkari]]></dc:creator>
                            </item>
            <item>
                <title>KBCમાં 1 કરોડ રૂપિયા જીત્યા હતા તે મોહિતા શર્મા એવી જગ્યાએ છે કે તમે કરશો સલામ</title>
                                    <description><![CDATA[<p>કોન બનેગા કરોડપતિમાં જે રીતે મોહિતા શર્મા પોતાના આત્મવિશ્વાસ અને જ્ઞાનના દમ પર કરોડપતિ બની હતી તેના માટે બીગ બી એ પણ તેની પ્રશંસા કરી હતી. એક કરોડ જીત્યા પછી તેને 7 કરોડ માટે રમવું હતું, પરંતુ તે પોતાના ઉત્તરને લઈને મૂંઝવણમાં હતી. તેથી તેણે શો વચ્ચે જ છોડી દીધો હતો.</p>  <p>કોન બનેગા કરોડપતિની નવી સીઝનનું દમદાર આગમન થવા જઈ રહ્યું છે. બસ 2 દિવસની વાર છે જે પછી તમારો મનગમતો શો તમારી સામે હશે. KBC 14 શરૂ થઈ રહ્યું છે. આ પહેલા KBC 12 ની બીજી કરોડપતિ બનેલી મોહિતા શર્માના જીવન પર નજર નાંખી લઈએ.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2022-08/165970147442.jpg" alt="165970147442.jpg" /></p>  <p>ક્યાં છે IPS મોહિતા</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/lifestyle/where-is-ips-mohita-sharma-now-who-won-1-crore-in-kbc/article-141330"><img src="https://www.khabarchhe.com/media/400/2022-08/165970147443.jpg" alt=""></a><br /><p>કોન બનેગા કરોડપતિમાં જે રીતે મોહિતા શર્મા પોતાના આત્મવિશ્વાસ અને જ્ઞાનના દમ પર કરોડપતિ બની હતી તેના માટે બીગ બી એ પણ તેની પ્રશંસા કરી હતી. એક કરોડ જીત્યા પછી તેને 7 કરોડ માટે રમવું હતું, પરંતુ તે પોતાના ઉત્તરને લઈને મૂંઝવણમાં હતી. તેથી તેણે શો વચ્ચે જ છોડી દીધો હતો.</p>  <p>કોન બનેગા કરોડપતિની નવી સીઝનનું દમદાર આગમન થવા જઈ રહ્યું છે. બસ 2 દિવસની વાર છે જે પછી તમારો મનગમતો શો તમારી સામે હશે. KBC 14 શરૂ થઈ રહ્યું છે. આ પહેલા KBC 12 ની બીજી કરોડપતિ બનેલી મોહિતા શર્માના જીવન પર નજર નાંખી લઈએ.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2022-08/165970147442.jpg" alt="165970147442.jpg"></img></p>  <p>ક્યાં છે IPS મોહિતા શર્મા?</p>  <p>કોન બનેગા કરોડપતિ 12 ની પહેલી કરોડપતિ કોમ્યુનિકેશન ઓફિસર નાઝિયા નસીમ હતી. જેના પછી IPS મોહિતા શર્મા બીજી કરોડપતિ બની અને દરેક બાજુ તેની વાતો થવા લાગી. હિમાચલ પ્રદેશના કાંગડાની રહેવાસી IPS મોહિતા શર્મા માટે આ સફર જરાક પણ સરળ હતું નહીં, પરંતુ અશક્ય પણ ન હતું. પહેલા તે દરેક તે દરેક મુશ્કેલીને પાર કરીને IPS બની. તે પછી કરોડપતિ બનીને સાબિત કરી દીધું કે એક મહિલા પોતાની જીદ પર આવે તો દરેક વસ્તુ કરી શકે છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2022-08/165970154444.jpg" alt=""></img></p>  <p>કાંગડાની રહેવાસી મોહિતા શર્માની આ દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં પોસ્ટીંગ છે. મોહિતા શર્મા 2017 બેચની IPS છે, જે પોતાની ડ્યૂટી ખૂબ સારી રીતે નિભાવી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં તેની પાસે બે પોલિસ સ્ટેશન છે અને પડકારજનક પરિસ્થિતિવાળી જગ્યા પર તેને શાંતિ-વ્યવસ્થા બનાવી રાખવા માટે જવાબદારી સોંપવામાં આવી છે. મોહિતા શર્મા પોતાની સર્વિસની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. IPS નું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ જોઈને જાણ થાય છે કે તેને દેશની સેવામાં લાગી રહેવું કેટલું પસંદ છે.</p>  <p>મોહિતા શર્માના અંગત જીવનની વાત કરીએ તો તેણે ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસના ઓફિસર રૂશલ ગર્ગ સાથે લગ્ન કર્યા છે. રૂશલ જમ્મુ-કાશ્મીર કેડરથી જ છે, જે ચંદીગઢના રહેવાસી છે. બીગ બી એ કોન બનેગા કરોડપતિમાં મોહિતા શર્માના અત્મવિશ્વાસ અને જ્ઞાન માટે તેની ખૂબ પ્રશંસા કરી હતી.  </p>]]></content:encoded>
                
                                                            <category>Woman &amp; Kids</category>
                                            <category>Lifestyle</category>
                                    

                <link>https://www.khabarchhe.com/lifestyle/where-is-ips-mohita-sharma-now-who-won-1-crore-in-kbc/article-141330</link>
                <guid>https://www.khabarchhe.com/lifestyle/where-is-ips-mohita-sharma-now-who-won-1-crore-in-kbc/article-141330</guid>
                <pubDate>Sat, 06 Aug 2022 12:41:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2022-08/165970147443.jpg"                         length="143368"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Khyati Gadkari]]></dc:creator>
                            </item>
            <item>
                <title>મિસ યૂનિવર્સ હરનાઝ સંધૂથી નારાજ ઉપાસના સિંહ, કોર્ટમાં કર્યો કેસ</title>
                                    <description><![CDATA[<p>મિસ યૂનિવર્સ હરનાઝ કૌર સંધૂ પોતાની પહેલી ફિલ્મને લઈને વિવાદમાં ફસાઈ ગઈ છે. ફિલ્મની પ્રોડ્યુસર ઉપાસના સિંહનો દાવો છે કે હરનાઝે ફિલ્મ બાઈ જી કુટ્ટન ગૈ ના પ્રમોશન માટે તારીખ આપવા ના કહી દીધી છે. જ્યારે તેણે ફિલ્મ પ્રમોટ કરવા માટે એગ્રીમેન્ટ સાઈન કર્યું હતું.</p>  <p>પોતાની બ્યૂટી અને શોકિંગ ટ્રાન્સફોર્મેશનને લઈને હંમેશા ચર્ચામાં રહેનાર મિસ યૂનિવર્સ 2021 હરનાઝ સંધૂ વિવાદમાં ફસાઈ ગઈ છે. ધી કપિલ શર્મા શોની બુઆ જી એટલે કે અભિનેત્રી ઉપાસના સિંહે હરનાઝ સંધૂ વિરુદ્ધ કોન્ટ્રેક્ટ તોડવાનો આરોપ લગાવ્યો છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2022-08/1659680400harnaz_sadhu_and_upasna_singh1.jpg" alt="" /></p>  <p>કાનૂની વિવાદમાં ફસાઈ હરનાઝ</p>  <p>દરેકને જાણ છે કે હરનાઝ ફિલ્મ બાઈ જી કુટ્ટન ગૈ થી પંજાબી ઈન્ડસ્ટ્રીમાં પગલું</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/entertainment/actor-upasana-singh-files-case-against-miss-universe-harnaaz-kaur-for-not-honouring-her-commitment-on-punjabi-film/article-141294"><img src="https://www.khabarchhe.com/media/400/2022-08/1659680400harnaz_sadhu_and_upasna_singh.jpg" alt=""></a><br /><p>મિસ યૂનિવર્સ હરનાઝ કૌર સંધૂ પોતાની પહેલી ફિલ્મને લઈને વિવાદમાં ફસાઈ ગઈ છે. ફિલ્મની પ્રોડ્યુસર ઉપાસના સિંહનો દાવો છે કે હરનાઝે ફિલ્મ બાઈ જી કુટ્ટન ગૈ ના પ્રમોશન માટે તારીખ આપવા ના કહી દીધી છે. જ્યારે તેણે ફિલ્મ પ્રમોટ કરવા માટે એગ્રીમેન્ટ સાઈન કર્યું હતું.</p>  <p>પોતાની બ્યૂટી અને શોકિંગ ટ્રાન્સફોર્મેશનને લઈને હંમેશા ચર્ચામાં રહેનાર મિસ યૂનિવર્સ 2021 હરનાઝ સંધૂ વિવાદમાં ફસાઈ ગઈ છે. ધી કપિલ શર્મા શોની બુઆ જી એટલે કે અભિનેત્રી ઉપાસના સિંહે હરનાઝ સંધૂ વિરુદ્ધ કોન્ટ્રેક્ટ તોડવાનો આરોપ લગાવ્યો છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2022-08/1659680400harnaz_sadhu_and_upasna_singh1.jpg" alt=""></img></p>  <p>કાનૂની વિવાદમાં ફસાઈ હરનાઝ</p>  <p>દરેકને જાણ છે કે હરનાઝ ફિલ્મ બાઈ જી કુટ્ટન ગૈ થી પંજાબી ઈન્ડસ્ટ્રીમાં પગલું મુકવા જઈ રહી છે. આ ફિલ્મને લઈને વિવાદ થઈ રહ્યો છે. અભિનેત્રી અને પ્રોડ્યુસર ઉપાસના સિંહે કોર્ટનો સહારો લીધો છે. તેનો આરોપ છે કે હરનાઝ સંધૂએ ફિલ્મના પ્રમોશનને લઈને જે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો હતો તેનું સમ્માન કર્યું નથી. જ્યારે હરનાઝ મિસ યૂનિવર્સ બની નહીં હતી ત્યારે તેણે હરનાઝને પોતાની ફિલ્મમાં તક આપી હતી. પરંતુ હરનાઝ પોતાના કોન્ટ્રાક્ટનું ઉલ્લંઘન કરી રહી છે. ઉપાસનાએ ચંડીગઢ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં સિવિલ સૂટ દાખલ કર્યો છે.</p>  <p>ઉપાસના સિંહના ગંભીર આરોપ</p>  <p>ઉપાસના સિંહે ફિલ્મ બાઈ જી કુટ્ટન ગૈ ના પ્રમોશન માટે તારીખ ન આપીને કોન્ટ્રાક્ટનું ઉલ્લંઘન કરવા બદલ હરનાઝ સંધૂ પાસે નુકશાનની રકમ માંગી છે. ઉપાસનાએ કોર્ટની બહાર કહ્યું કે મેં હરનાઝને પોતાની ફિલ્મમાં એક્ટિંગની તક આપી. એ જ નહીં મેં Yaara Diyan Poo Baran પણ બનાવી જેમાં પણ હરનાઝ હિરોઈન છે. મેં હરનાઝને ત્યારે તક આપી જ્યારે તે મિસ યૂનિવર્સ નહીં બની હતી. આ ફિલ્મ પર મેં ઘણી મોટી રકમ ખર્ચ કરી છે. આ નાના બજેટની ફિલ્મ નથી.</p>  <p>પ્રોડક્શન હાઉસના ફોન અવગણી રહી છે હરનાઝ</p>  <p>હરનાઝ સંધૂ પ્રોડક્શન હાઉસના ફોન ઉઠાવી નથી રહી. મેસેજનો ઉત્તર પણ આપી રહી નથી. ફિલ્મના સ્ટેકહોલ્ડર્સને પણ હરનાઝ ટાળી રહી છે. આ કારણથી ફિલ્મને ડિસ્ટ્રીબ્યૂટર્સ નથી મળી રહ્યાં. ફિલ્મની રીલિઝ તારીખ પણ બદલવી પડી છે. પહેલા આ ફિલ્મ 27 મે 2022 ના રોજ રીલિઝ થવાની હતી. હવે તેને 19 ઓગસ્ટે રીલિઝ કરવામાં આવશે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2022-08/1659680400harnaz_sadhu_and_upasna_singh2.jpg" alt=""></img></p>  <p>ઉપાસનાએ કહ્યું હરનાઝ કૌર પ્રોડ્યુસર તરીકે પોતાની પહેલી ફિલ્મ પંજાબીમાં ઈચ્છતી હતી કારણકે પંજાબી તેની માતૃભાષા છે. પરંતુ હરનાઝને હવે લાગે છે કે અમે પંજાબી નાના માણસો છીએ. હરનાઝ વિચારે છે કે તે બોલિવુડ અને હોલિવુડ પ્રોજેક્ટ માટે બની છે.</p>  <p>દુખી છે ઉપાસના</p>  <p>ઉપાસનાએ જણાવ્યું કે તેણે હરનાઝને એક્ટિંગ શીખવી હતી. અને ખાતરી કરી હતી કે દરેક શોટમાં પરફેક્ટ લાગે. આવું તેણે એટલા માટે કર્યું કારણકે તે હરનાઝને પ્રેમ કરતી હતી. પરંતુ હરનાઝે તેની સાથે જે કર્યું તે દિલ તોડવાનું કાર્ય છે. આ જ વર્તનને કારણે તેણે કાનૂની કાર્યવાહી કરવા પર મજબૂર થવું પડ્યું.</p>]]></content:encoded>
                
                                                            <category>Entertainment</category>
                                    

                <link>https://www.khabarchhe.com/entertainment/actor-upasana-singh-files-case-against-miss-universe-harnaaz-kaur-for-not-honouring-her-commitment-on-punjabi-film/article-141294</link>
                <guid>https://www.khabarchhe.com/entertainment/actor-upasana-singh-files-case-against-miss-universe-harnaaz-kaur-for-not-honouring-her-commitment-on-punjabi-film/article-141294</guid>
                <pubDate>Sat, 06 Aug 2022 10:00:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2022-08/1659680400harnaz_sadhu_and_upasna_singh.jpg"                         length="368316"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Khyati Gadkari]]></dc:creator>
                            </item>
            <item>
                <title>કોમનવેલ્થ ગેમમાં લડ્યા ખેલાડી, હોકી મેચમાં ખેલાડીએ પકડ્યું ગળું, જુઓ વીડિયો</title>
                                    <description><![CDATA[<p>ઈંગ્લેન્ડના બર્મિધમમાં રમાઈ રહેલી 22 મી કોમનવેલ્થ ગેમ્સમાં ઈગ્લેન્ડે કેનેડાના હોકી મેચમાં 11-2 ના અંતરથી હરાવ્યું. આ મેચમાં ખેલાડીઓ વચ્ચે જોરદાર ઝઘડો થયો. વાત ત્યાં સુધી પહોંચી ગઈ કે એક ખેલાડીએ બીજા ખેલાડીનું ગળું પકડી લીધું. એકબીજાનું ટી-શર્ટ પણ ખેંચ્યું. ત્યારે વચ્ચે બચાવમાં એમ્પાયરને આવવું પડ્યું.</p>  <p>ગેમ્સમાં ગુરૂવારે એક હોકી મેચમાં ખેલાડીઓ વચ્ચે મોટો ઝઘડો થયો.આ મેચ હોસ્ટ ટીમ ઈંગ્લેન્ડ અને કેનેડા વચ્ચે રમવામાં આવી. મેચમાં ઈંગ્લેન્ડે 11-2 ના અંતરથી જીત હાસિલ કરી. ગૃપમાં હોસ્ટ ટીમ બીજી અને ભારતીય ટીમ ટોપ પર રહી. હવે સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડની મેચ ઓસ્ટ્રેલિયા સાથે થશે. જ્યારે ભારતની સાઉથ આફ્રિકા અથવા ન્યૂઝીલેન્ડ બંને માંથી કોઈપણ એકસાથે</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/sports/players-engage-in-ugly-brawl-as-hosts-england-thrash-canada/article-141326"><img src="https://www.khabarchhe.com/media/400/2022-08/165969690620.jpg" alt=""></a><br /><p>ઈંગ્લેન્ડના બર્મિધમમાં રમાઈ રહેલી 22 મી કોમનવેલ્થ ગેમ્સમાં ઈગ્લેન્ડે કેનેડાના હોકી મેચમાં 11-2 ના અંતરથી હરાવ્યું. આ મેચમાં ખેલાડીઓ વચ્ચે જોરદાર ઝઘડો થયો. વાત ત્યાં સુધી પહોંચી ગઈ કે એક ખેલાડીએ બીજા ખેલાડીનું ગળું પકડી લીધું. એકબીજાનું ટી-શર્ટ પણ ખેંચ્યું. ત્યારે વચ્ચે બચાવમાં એમ્પાયરને આવવું પડ્યું.</p>  <p>ગેમ્સમાં ગુરૂવારે એક હોકી મેચમાં ખેલાડીઓ વચ્ચે મોટો ઝઘડો થયો.આ મેચ હોસ્ટ ટીમ ઈંગ્લેન્ડ અને કેનેડા વચ્ચે રમવામાં આવી. મેચમાં ઈંગ્લેન્ડે 11-2 ના અંતરથી જીત હાસિલ કરી. ગૃપમાં હોસ્ટ ટીમ બીજી અને ભારતીય ટીમ ટોપ પર રહી. હવે સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડની મેચ ઓસ્ટ્રેલિયા સાથે થશે. જ્યારે ભારતની સાઉથ આફ્રિકા અથવા ન્યૂઝીલેન્ડ બંને માંથી કોઈપણ એકસાથે થઈ શકે છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2022-08/165969690619.jpg" alt="165969690619.jpg"></img></p>  <p>આ રીતે થઈ મેચમાં ઝઘડાની શરૂઆત</p>  <p>મેચમાં આ ઝઘડો અડધા ટાઈમ માટેની બઝલ વાગવાની થોડી મિનિટ પહેલા થયો હતો. ત્યારે ઈંગ્લેન્ડે 4-1 ની રમત બનાવી હતી. અને કેનેડા ટીમ ગોલ માટે સતત આક્રમક વલણ કરી રહ્યાં હતા. એ દરમિયાન કેનેડાના બલરાજ પનેસર અને ઈંગ્લેન્ડના ક્રિસ ગ્રિફિથ વચ્ચે બોલ ખેંચવા માટે મજબૂત જંગ થવા લાગી.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2022-08/165969690618.jpg" alt="165969690618.jpg"></img></p>  <p>પનેસરને રેડ અને ગ્રિફિથને યલો કાર્ડ</p>  <p>એ દરમિયાન રમતી વખતે બલરાજની હોકી સ્ટીક ગ્રિફિથના હાથ પર વાગીને ફસાઈ ગઈ. જેનાથી ગુસ્સે થઈને અંગ્રેજી ખેલાડીએ પનેસરને ધક્કો માર્યો. ત્યાં જ બંને ખેલાડી ગુસ્સામાં આવી ગયા અને પનેસરે ગ્રિફિથનું ગળું પકડી લીધુ.ત્યારે હોકી મેચ પૂરી રીતે જંગના મેદાનમાં બદલવા લાગ્યું. બંને ખેલાડીઓએ એકબીજાની ટી-શર્ટ પણ પકડીને ખેંચી.</p>  <blockquote class="twitter-tweet">  <p dir="ltr" lang="en" xml:lang="en">?<br /><br />Wrong hockey sport Panesar!<br />Completely let down <a href="https://twitter.com/FieldHockeyCan?ref_src=twsrc%5Etfw">@FieldHockeyCan</a> with that one. <a href="https://twitter.com/hashtag/cwg2022?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#cwg2022</a> | <a href="https://twitter.com/hashtag/Birmingham22?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#Birmingham22</a> | <a href="https://twitter.com/hashtag/hockey?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#hockey</a> <a href="https://t.co/7OyYv6ZUDr">pic.twitter.com/7OyYv6ZUDr</a></p>  — Hockey World News (@hockeyWrldNws) <a href="https://twitter.com/hockeyWrldNws/status/1555222405316247552?ref_src=twsrc%5Etfw">August 4, 2022</a></blockquote>  <p>આ લડાઈ જોઈ બંને ટીમના ખેલાડી અને મેચ રેફરી આવ્યાં. તેમણે બાબત વધુ વધારવા કે મારપીટ થવા પહેલા જ બચાવ કર્યો. રેફરીએ ઝઘડાની પહેલ કરવાના કારણે પનેસરને રેડ કાર્ડ બતાવીને મેદાનની બહાર કરી દીધો. જ્યારે ગ્રિફિથને યલો કાર્ડ બતાવીને ચેતાવણી આપવામાં આવી.</p>  <p> </p>  <p> </p>]]></content:encoded>
                
                                                            <category>Sports</category>
                                    

                <link>https://www.khabarchhe.com/sports/players-engage-in-ugly-brawl-as-hosts-england-thrash-canada/article-141326</link>
                <guid>https://www.khabarchhe.com/sports/players-engage-in-ugly-brawl-as-hosts-england-thrash-canada/article-141326</guid>
                <pubDate>Fri, 05 Aug 2022 22:44:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2022-08/165969690620.jpg"                         length="97184"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Khyati Gadkari]]></dc:creator>
                            </item>
            <item>
                <title>દર્શકોથી ડરીને ડિરેક્ટરોએ બદલ્યા ફિલ્મોના નામ, કાર્તિકની ફિલ્મનું નામ પણ બદલાયું</title>
                                    <description><![CDATA[<p>છેલ્લાં થોડા વર્ષોથી  નિર્માતા-નિર્દેશકોને ફિલ્મનું નામ રાખતા પહેલા પણ વિચારવું પડે છે કે તેનો કઈ વિરોધ ન થવા લાગે. ઘણા મેકર્સ વિવાદોથી પબ્લિસિટી પણ મેળવવા ઈચ્છે છે અને વિરોધ થયા પછી ફિલ્મનું નામ બદલી નાખે છે.</p>  <p>નામમાં શું રાખ્યું છે? પરંતુ સાચું એ જ છે કે નામથી ફરક પડે છે. વાસ્તવિક જીવનમાં અને બોલિવુડની ફિલ્મોમાં પણ. આ ફિલ્મોના નામ લોકોની લાગણીઓ સાથે જોડાઈ જાય છે. ધ્યાન રાખવું પડે છે કે લોકોની લાગણીને દુખ ન પહોંચે. અને જો રાખી પણ દેવામાં આવે તો તેને લોકો અથવા કોઈ ખાસ સમાજના દબાવમાં આવીને બદલવું જ પડે છે. સૌથી તાજેતરનો કેસ છે કાર્તિક આર્યન</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/entertainment/bollywood-films-that-changed-their-titles-prior-to-their-release/article-141255"><img src="https://www.khabarchhe.com/media/400/2022-08/165961082514.jpg" alt=""></a><br /><p>છેલ્લાં થોડા વર્ષોથી  નિર્માતા-નિર્દેશકોને ફિલ્મનું નામ રાખતા પહેલા પણ વિચારવું પડે છે કે તેનો કઈ વિરોધ ન થવા લાગે. ઘણા મેકર્સ વિવાદોથી પબ્લિસિટી પણ મેળવવા ઈચ્છે છે અને વિરોધ થયા પછી ફિલ્મનું નામ બદલી નાખે છે.</p>  <p>નામમાં શું રાખ્યું છે? પરંતુ સાચું એ જ છે કે નામથી ફરક પડે છે. વાસ્તવિક જીવનમાં અને બોલિવુડની ફિલ્મોમાં પણ. આ ફિલ્મોના નામ લોકોની લાગણીઓ સાથે જોડાઈ જાય છે. ધ્યાન રાખવું પડે છે કે લોકોની લાગણીને દુખ ન પહોંચે. અને જો રાખી પણ દેવામાં આવે તો તેને લોકો અથવા કોઈ ખાસ સમાજના દબાવમાં આવીને બદલવું જ પડે છે. સૌથી તાજેતરનો કેસ છે કાર્તિક આર્યન અને કિયારા આડવાણીની ફિલ્મ સત્યપ્રેમની કથા. પહેલા તેનું નામ સત્યનારાયણની કથા રાખવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં હીરોનું નામ સત્યનારાયણ હતું અને હિરોઈનનું નામ કથા. પરંતુ હવે હીરોનું નામ બદલીને સત્યપ્રેમ કરી દેવામાં આવ્યું છે. આવું પહેલીવાર બન્યું નથી કે ફિલ્મનું નામ બદલી દેવામાં આવ્યું. જે ફિલ્મોના નામ બદલી દેવામાં આવ્યા તેનું લિસ્ટ લાંબુ છે.</p>  <p><strong>સમ્રાટ પૃથ્વીરાજ(2022)</strong></p>  <p>હાલમાં રીલિઝ સમ્રાટ પૃથ્વીરાજ પહેલા પૃથ્વીરાજ નામથી રીલિઝ થવાની હતી, પરંતુ રાજપૂત કરણી સેનાના દબાવમાં ફિલ્મના નિર્માતાઓએ તેનું નામ બદલીને સમ્રાટ પૃથ્વીરાજ કર્યું. કરણી સેનાનું માનવું હતું કે ફિલ્મનું નામ પૃથ્વીરાજ રાખવું ભારતના એક મહાન રાજાનું અપમાન છે.</p>  <p><strong>લક્ષ્મી(2020)</strong></p>  <p>અક્ષયકુમાર સ્ટારર લક્ષ્મીનું નામ વિવાદોને કારણે બદલવામાં આવ્યું હતું. પહેલા ફિલ્મનું નામ લક્ષ્મી બોમ્બ હતું, પરંતુ લોકોની ધાર્મિક લાગણીઓ તેનાથી દુખી થઈ અને ફિલ્મનું નામ બદલીને લક્ષ્મી રાખવામાં આવ્યું.</p>  <p><strong>જજમેન્ટલ હૈ ક્યા(2019)</strong></p>  <p>કંગના રનૌત અને રાજકુમાર રાવની આ ફિલ્મનું નામ પહેલા મેન્ટલ હૈ ક્યા હતું. પરંતુ પછી તેને જજમેન્ટલ હૈ ક્યા કરવામાં આવ્યું હતું. મેન્ટલ પર મનોચિકિત્સકો અને ડોકટરોએ નારાજગી દર્શાવી હતી.</p>  <p><strong>પદ્માવત(2018)</strong></p>  <p>દીપીકા પાદુકોણ સ્ટારર ફિલ્મ પદ્માવતીને પણ કરણી સેનાના વિરોધને કારણે પદ્માવત કરવું પડ્યું. સંજયલીલા ભણશાલી પ્રોડ્યુસર-ડિરેક્ટર હતા. જેનો વિરોધ ત્યાં સુધી પહોંચી ગયો કે શૂંટિગ દરમિયાન કરણી સેનાના લોકોએ સંજય લીલા ભણશાલી સાથે મારામારી પણ કરી.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2022-08/165961101116.jpg" alt=""></img></p>  <p><strong>મદ્રાસ કૈફે(2013)</strong></p>  <p>રાજીવ ગાંધી હત્યાકાંડ પર આવેલી જોન અબ્રાહમની ફિલ્મ મદ્રાસ કૈફેનું નામ પણ વિવાદોને કારણે બદલવામાં આવ્યુ હતું. ફિલ્મનું નામ પહેલા જાફના રાખવામાં આવ્યું હતું. જાફના શ્રીલંકાનું એક શહેર છે. રાજીવ ગાંધીની હત્યાનો સંબંધ શ્રીલંકા સાથે હતો. વિવાદોથી બચવા માટે ફિલ્મનું નામ પણ જાફનાથી મદ્રાસ કૈફે કરવામાં આવ્યું.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2022-08/165961101117.jpg" alt=""></img></p>  <p><strong>બિલ્લુ(2009)</strong></p>  <p>ઈરફાન ખાનની ફિલ્મ બિલ્લુનું નામ પણ બદલવામાં આવ્યું હતું. ફિલ્મ હેર સલૂન ચલાવનાર બિલ્લુની વાર્તા હતી. પરંતુ વાળંદ પર ઘણા લોકોએ વિરોધ દર્શાવ્યો. તેમનું કહેવું હતું કે ફિલ્મનું નામ વિશેષ જાતિની વાત કરે છે. તેથી શીર્ષકથી બાર્બર કાઢીને ફિલ્મને બિલ્લુ કરી દેવામાં આવ્યું હતું.</p>  <p><strong>ગોળીઓની રાસલીલા-રામલીલા(2013)</strong></p>  <p>સંજયલીલા ભણશાલીની આ ફિલ્મના નામને કારણે ઘણો વિરોધ થયો હતો. રણવીર સિંહ અને દીપીકા પાદુકોણની ફિલ્મનું નામ પહેલા રામલીલા હતું, પરંતુ વિવાદ કોર્ટમાં પહોંચ્યો અને ફિલ્મનું નામ ગોળીઓની રાસલીલા-રામલીલા કરવામાં આવ્યું.</p>  <p><strong>લવયાત્રી(2018)</strong></p>  <p>સલમાન ખાન દ્નારા પ્રોડ્યુસ આ ફિલ્મનું શીર્ષક પહેલા લવરાત્રી હતું. વાર્તાની થીમમાં નવરાત્રીના ગરબાનું આયોજન દર્શાવાયું હતું. ફિલ્મના નામથી હિન્દુઓની લાગણીઓ દુભાઈ હતી. વિરોધ પછી ફિલ્મનું લવયાત્રી કરવામાં આવ્યું હતું.</p>]]></content:encoded>
                
                                                            <category>Entertainment</category>
                                    

                <link>https://www.khabarchhe.com/entertainment/bollywood-films-that-changed-their-titles-prior-to-their-release/article-141255</link>
                <guid>https://www.khabarchhe.com/entertainment/bollywood-films-that-changed-their-titles-prior-to-their-release/article-141255</guid>
                <pubDate>Fri, 05 Aug 2022 10:00:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2022-08/165961082514.jpg"                         length="181271"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Khyati Gadkari]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        