<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.khabarchhe.com/post/default/router-v2?type=author&id=12" rel="self" type="application/rss+xml" />
                <generator>Khabarchhe RSS Feed Generator</generator>
                <title>UD - Khabarchhe</title>
                <link>https://www.khabarchhe.com/author/12/rss</link>
                <description>UD RSS Feed</description>
                
                            <item>
                <title>કોઈકના સંજોગો વિપરીત હોય તો એમને સાચવી લેજો</title>
                                    <description><![CDATA[<p><strong>(Utkarsh Patel)</strong></p>
<p>સૌના જીવનમાં સુખ દુઃખ રૂપી સંજોગો અવિરત બદલાતા રહે છે.</p>
<p>શું તમને ખબર છે સમયનો આરંભ ક્યારે થયો?</p>
<p>શું તમને ખબર છે સમયનો અંત ક્યારે થશે?</p>
<p>આ બે સવાલોના જવાબ આ સંસારમાં કોઈની પાસે નથી. એવું જ કંઈક આપણા સૌના સંજોગોનું છે. જેમ સમય બદલાય એમ સૌ કોઈના સંજોગો પણ બદલાય.</p>
<p>સામાન્યત: આપણી સમજ એમ છે કે આપણે આપણા કર્મોનું ફળ ભોગવીએ છીએ અને એ મુજબ આપણા સમય સંજોગો નિર્માણ પામતા જાય છે!</p>
<p>શું આપ જાણો છો કર્મ કેટલા પ્રકારના હોય?</p>
<p>કર્મ ના ત્રણ પ્રકાર છે...</p>
<ol>
<li>ક્રિયામણ કર્મ</li>
<li>સંચિત કર્મ</li>
<li>પ્રારબ્ધ કર્મ</li>
</ol>
<p>પ્રત્યેક કર્મની સમજની ઊંડાણ પૂર્વક સમજ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/lifestyle/if-someone-s-circumstances-are-unfavorable-take-care-of-them/article-167048"><img src="https://www.khabarchhe.com/media/400/2024-11/1732360793ud.jpg" alt=""></a><br /><p><strong>(Utkarsh Patel)</strong></p>
<p>સૌના જીવનમાં સુખ દુઃખ રૂપી સંજોગો અવિરત બદલાતા રહે છે.</p>
<p>શું તમને ખબર છે સમયનો આરંભ ક્યારે થયો?</p>
<p>શું તમને ખબર છે સમયનો અંત ક્યારે થશે?</p>
<p>આ બે સવાલોના જવાબ આ સંસારમાં કોઈની પાસે નથી. એવું જ કંઈક આપણા સૌના સંજોગોનું છે. જેમ સમય બદલાય એમ સૌ કોઈના સંજોગો પણ બદલાય.</p>
<p>સામાન્યત: આપણી સમજ એમ છે કે આપણે આપણા કર્મોનું ફળ ભોગવીએ છીએ અને એ મુજબ આપણા સમય સંજોગો નિર્માણ પામતા જાય છે!</p>
<p>શું આપ જાણો છો કર્મ કેટલા પ્રકારના હોય?</p>
<p>કર્મ ના ત્રણ પ્રકાર છે...</p>
<ol>
<li>ક્રિયામણ કર્મ</li>
<li>સંચિત કર્મ</li>
<li>પ્રારબ્ધ કર્મ</li>
</ol>
<p>પ્રત્યેક કર્મની સમજની ઊંડાણ પૂર્વક સમજ થોડો વિસ્તૃત વિષય છે. વાત કરીએ કર્મોના ફળની તો સૌના કર્મો સારા નરસા હોતા જ હોય છે એટલે જ તો આપણે માનવ કહેવાયા!! જાણ્યે અજાણ્યે ભૂલો કરવી અને સ્વાર્થ માટે પાપ કર્મ કરવા એ કળયુગનું સત્ય છે.</p>
<p>મનુષ્ય માત્રથી ભૂલ થતી આવી અને થતી રહેવાની એટલે કર્મના ફળ સ્વરૂપ સંજોગો સારા નરસા આવતા રહેવાના!!</p>
<p>જ્યારે આપણા સંજોગો સારા અનુકૂળ હોય ત્યારે આપણે ભગવાનનો આભાર માનવો જોઈએ અને કોઈકના સંજોગો વિપરીત હોય ત્યારે આપણે એ જોઈને બેસી રહેવું જોઈએ નહીં. યથા શક્તિ સમય, સહયોગ કરવો જોઈએ. અને હા કોઈકને સહયોગી થાવ તો એ ગણી ના બતાવતા કે પછી એની વાહવાહી પણ ના કરાવતા નહિ તો કરેલું પુણ્ય કર્મ ધોવાઈ જશે!!</p>
<p>હું વ્યક્તિગત રીતે માનું છું કે જેમના સંજોગો વિપરીત હોય તેમને આપણે અપેક્ષા કે આશા વિના ટેકો કરવો જોઈએ. કોઈકનો સમય સુધારવાથી, કોઈકને દુઃખમાં સથવારો કરવાથી, કોઈકને યથાશક્તિ આર્થિક સહયોગ કરી સાચવી લેવાથી ભલે થોડો ઘસારો જણાય પણ એટલું ચોક્કસ કહીશ કે આ કર્મ ઈશ્વરને જરૂર ગમશે અને આપણે કોઈકને સાચવી લઈશું તો ઈશ્વર પણ આપણને ક્યારેય સાચવી લેશે.</p>
<p>અગત્યનું:</p>
<p>સંબંધો નિભાવી જાણીએ. જેમની સાથે જીવ્યા એવા કોઈને પણ એમના વિપરીત સંજોગોમાં ગમો અણગમો દૂર કરી હાથ થામજો. સાથ આપજો.</p>
<p>આ સંસારમાં સાથે કશું જ આવવાનું નથી, ક્યાં તો મૂકીને જવાનું છે ક્યાં તો આપીને!!!</p>
<p>આપણા સત્કર્મોની નોંધ કોઈ રાખે કે ના રાખે ભગવાનના ચોપડે એની નોંધ હંમેશાં લેવાતી જ હોય છે. અને આપણા કર્મોનું ફળ આપણી આવનારી પેઢીઓ ભોગવશે એટલે એમના સારા માટે, એમના ભાલા માટે કોઈકનું ભલું કરજો. ભલું કરતા રહેજો.</p>
<p>જય રઘુનંદન, જય સીયારામ</p>]]></content:encoded>
                
                                                            <category>Lifestyle</category>
                                    

                <link>https://www.khabarchhe.com/lifestyle/if-someone-s-circumstances-are-unfavorable-take-care-of-them/article-167048</link>
                <guid>https://www.khabarchhe.com/lifestyle/if-someone-s-circumstances-are-unfavorable-take-care-of-them/article-167048</guid>
                <pubDate>Sat, 23 Nov 2024 16:43:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-11/1732360793ud.jpg"                         length="657431"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[UD]]></dc:creator>
                            </item>
            <item>
                <title>વાણી અને વર્તન શીખીએ શ્રી રામથી, વ્યવહાર શીખીએ શ્રી કૃષ્ણથી… </title>
                                    <description><![CDATA[<p>જીવન મળ્યું, જીવી જાણવું સૌને ગમે પણ કેમ જીવવું એ શીખવાનું જે ચૂકીગયા તેઓ હંમેશા પસ્તાયા. </p>
<p>કલયુગે આપણે વિચાર ભલે નવા રાખીએ પરંતુ વાણી, વર્તન અને વ્યવહાર તો જુનવાણી જ રાખવા જોઈએ એવું મારું વ્યક્તિગત માનવુ છે. </p>
<p>આજે આપણે પ્રથમ વાત કરીએ વાણી અને વર્તનની…</p>
<p>પ્રભુ શ્રી રામ એક આદર્શ પુત્ર, ભાઈ, પતિ, રાજા તરીકે તેમનું નામ યુગે યુગે યાદ કરવામાં આવ્યું અને યાદ કરવામાં આવશે. સમગ્ર જીવન શ્રી રામ સત્ય, ધર્મ, દયા અને મર્યાદાના માર્ગ પર ચાલ્યા હતા. અને આ બધુજ તેમની વાણી અને વર્તન ની મર્યાદાને આભારી હતું. ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર એવા પ્રભુ શ્રી રામના જીવનથી આપણે</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/divinity/what-should-be-learned-from-lord-rama-and-lord-krishna/article-166754"><img src="https://www.khabarchhe.com/media/400/2024-11/173087322180.jpg" alt=""></a><br /><p>જીવન મળ્યું, જીવી જાણવું સૌને ગમે પણ કેમ જીવવું એ શીખવાનું જે ચૂકીગયા તેઓ હંમેશા પસ્તાયા. </p>
<p>કલયુગે આપણે વિચાર ભલે નવા રાખીએ પરંતુ વાણી, વર્તન અને વ્યવહાર તો જુનવાણી જ રાખવા જોઈએ એવું મારું વ્યક્તિગત માનવુ છે. </p>
<p>આજે આપણે પ્રથમ વાત કરીએ વાણી અને વર્તનની…</p>
<p>પ્રભુ શ્રી રામ એક આદર્શ પુત્ર, ભાઈ, પતિ, રાજા તરીકે તેમનું નામ યુગે યુગે યાદ કરવામાં આવ્યું અને યાદ કરવામાં આવશે. સમગ્ર જીવન શ્રી રામ સત્ય, ધર્મ, દયા અને મર્યાદાના માર્ગ પર ચાલ્યા હતા. અને આ બધુજ તેમની વાણી અને વર્તન ની મર્યાદાને આભારી હતું. ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર એવા પ્રભુ શ્રી રામના જીવનથી આપણે વાણી અને વર્તન ની મર્યાદા શીખી લેવી જોઈએ. થોડો પ્રયાસ કરશો અને જીવન વ્યવહારમાં લાવશો તો કરી શકશો. જીભથી નિકળ્યા બોલ એટલે આપણી વાણી એ બધીજ સમસ્યાઓનું કારક પણ બની શકે અને સમાધાન પણ બની શકે. </p>
<p>હવે વાત કરીએ વ્યવહારની… </p>
<p>દ્વાપર યુગમાં અસંખ્ય રાક્ષસો માનવ સ્વરૂપે પૃથ્વી પર અવતર્યા હતા. જેમ કે દુર્યોધન કળિયુગનો અવતાર હતો અન્યમાં નરકાસુર અને કલયવાન પણ ભગવાનના ભક્તોને રાક્ષસોના રૂપમાં રંજાડતા હતા, પરિણામ સ્વરૂપે અધર્મ વધતો ગયો. ભગવાન વિષ્ણુ શ્રી કૃષ્ણ રૂપે આઠમે અવતાર અવતર્યા અને વ્યવહાર કુશળતાથી અધર્મીઓનો નાશ કર્યો અને ધર્મની સ્થાપના કરી. શ્રી કૃષ્ણે અર્જુનને ગીતા ઉપદેશ રૂપે જીવન વ્યવહારની નીતિ શીખવાડી અને અધર્મ પર ધર્મ નો વિજય સંભવ બનાવ્યો. પ્રભુ શ્રી કૃષ્ણના જીવનથી આપણે શીખી લેવા જેવી વાત એ છે કે જીવનમાં ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ સૌમ્ય સ્મિત સાથે પ્રેમ, સામ, દામ, દંડ, ભેદના વ્યવહારથી અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરી શકાય છે. </p>
<p>મારી વ્યક્તિગત વાત કરું તો… </p>
<p>જન્મે કુળે વ્યવહાર કર્મે હું રહ્યો હિન્દુ અને ધર્મ રક્ષાર્થે કાર્યરત રહેવું એ મને મારા લોહીમાં મળેલા સંસ્કાર છે એટલે હું રામાયણ મહાભારત અને ગીતાના ડાયરામાજ રહું છું. અન્ય ધર્મગ્રંથોમાં પણ સારા જીવન ઉપદેશ હશે એમને સમજવાનો અવસર મળશે તો એ પણ જાણવાનું સમજવાનું મને ગમશે.</p>
<p>પ્રભુ શ્રી રામ અને શ્રી કૃષ્ણના જીવન સંદર્ભે વડીલો, ગુણીજનો અને પૂજ્ય સંતો મહંતો પાસેથી વાણી, વર્તન અને વ્યવહારનું અંગત જીવન અને સામાજિક જીવન સંદર્ભે જે મહત્ત્વ હું સમજ્યો શીખ્યો અને એ મુજબનું જીવન જીવતા મને સુખ સંતોષ મળે છે. </p>
<p>હૃદયમાં શ્રી રામ તો વાણી અને વર્તન રહે મર્યાદામાં. </p>
<p>અને મનમાં રાખીએ શ્રી કૃષ્ણ તો સમયને અનુકૂળ નીતિ મુજબ મર્યાદા પૂર્વક શાંત ચિત્તે પ્રેમ, સામ, દામ, દંડ, ભેદના વ્યવહાર મુજબ ધાર્યુ કાર્ય પરિપૂર્ણ કરી શકાય. </p>
<p>અગત્યનું: </p>
<p>હૃદય અને મનનું અનુક્રમે શ્રી રામ અને શ્રી કૃષ્ણની નીતિ મુજબ સંતુલન કરીને જીભનો ઉપયોગ કરીએ તો દુનિયા જીતવા માટે અસ્ત્ર શસ્ત્રની જરૂર છેજ નહીં આપણી જીભ બધીજ પરિસ્થિને નિયંત્રિત કરી શકે છે!! </p>
<p>જય શ્રી રામ </p>]]></content:encoded>
                
                                                            <category>Divinity</category>
                                    

                <link>https://www.khabarchhe.com/divinity/what-should-be-learned-from-lord-rama-and-lord-krishna/article-166754</link>
                <guid>https://www.khabarchhe.com/divinity/what-should-be-learned-from-lord-rama-and-lord-krishna/article-166754</guid>
                <pubDate>Wed, 06 Nov 2024 11:35:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-11/173087322180.jpg"                         length="656063"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[UD]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ભાષાંતર ના કરો મારી લાગણીઓનું કેમ કે એમાં પૂર્ણવિરામ કરતા અલ્પવિરામ વધુ છે</title>
                                    <description><![CDATA[<p><strong>(Utkarsh Patel)</strong></p>
<p>લાગણીઓનું આપણા જીવનમાં ઘણું મહત્ત્વ હોય છે. ઉપરોક્ત વાત એક એવા વ્યક્તિત્વએ સોશિયલ મીડિયામાં લખી હતી કે જેમનું મારા જીવનમાં ધર્મ અને સમાજસેવામાં ડગલે ને પગલે માર્ગદર્શન રહ્યું અને માતૃત્વરૂપ વડીલ પણ ખરા. નતમસ્તક વંદન મારા સૌ વડીલોને.</p>
<p>લાગણીઓ આપણા જીવનમાં સુખ અને દુઃખ લાવતી હોય છે. લાગણીઓથી જ પ્રત્યેક વ્યક્તિનો સ્વભાવ બનતો હોય છે. વધુ લાગણીશીલ હોવું સારું સાબિત થતું નથી અને ઓછા લાગણીશીલ હોવું પણ બીજાને દુઃખ આપી જનારું સાબિત થતું હોય છે.</p>
<p>આપણે લાગણીશીલ હોઈએ એટલે લાગણીઓની વાત કરી લઈએ કેમ કે જેમનામાં લાગણીઓ ઓછી છે કે છેજ નહીં એમની પાછળ સમય વેડફવો જોઈએ નહીં</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/lifestyle/be-emotional-but-learn-to-put-commas-in-relationships/article-166273"><img src="https://www.khabarchhe.com/media/400/2024-10/1728288103ud.jpg" alt=""></a><br /><p><strong>(Utkarsh Patel)</strong></p>
<p>લાગણીઓનું આપણા જીવનમાં ઘણું મહત્ત્વ હોય છે. ઉપરોક્ત વાત એક એવા વ્યક્તિત્વએ સોશિયલ મીડિયામાં લખી હતી કે જેમનું મારા જીવનમાં ધર્મ અને સમાજસેવામાં ડગલે ને પગલે માર્ગદર્શન રહ્યું અને માતૃત્વરૂપ વડીલ પણ ખરા. નતમસ્તક વંદન મારા સૌ વડીલોને.</p>
<p>લાગણીઓ આપણા જીવનમાં સુખ અને દુઃખ લાવતી હોય છે. લાગણીઓથી જ પ્રત્યેક વ્યક્તિનો સ્વભાવ બનતો હોય છે. વધુ લાગણીશીલ હોવું સારું સાબિત થતું નથી અને ઓછા લાગણીશીલ હોવું પણ બીજાને દુઃખ આપી જનારું સાબિત થતું હોય છે.</p>
<p>આપણે લાગણીશીલ હોઈએ એટલે લાગણીઓની વાત કરી લઈએ કેમ કે જેમનામાં લાગણીઓ ઓછી છે કે છેજ નહીં એમની પાછળ સમય વેડફવો જોઈએ નહીં એવું મારું માનવું છે.</p>
<p>લાગણીશીલ વ્યક્તિઓ હંમેશાં કંઈક સારી ભાવના વાળા જ હોય છે, તેઓ સૌનું સારું જ વિચારે અને સારું જ કરે. લાગણીશીલ વ્યક્તિઓ ક્યારેય એમની સાથે છળ કપટ દગો કે અપમાન કરનારાઓનું પણ અહિત કે અપમાન કરતા નથી અને સંબંધો પર પૂર્ણવિરામ પણ મૂકતા નથી. ખોટા દુઃખદ વ્યવહાર કે અનુભવ પછી લાગણીશીલ વ્યક્તિઓ એવા સંબંધોથી મૌન અને અંતર રાખી સબંધોમાં અલ્પવિરામ મૂકી દેતા હોય છે! આવા લાગણીશીલ વ્યક્તિઓ જ સમાજમાં મનાવતા જીવીત રાખી શક્યા છે. લાગણીશીલ વ્યક્તિઓ તેમનું અહિત કરનારાઓની પણ નીંદા સાંભળતા નથી કે નીંદક બનતા પણ નથી!</p>
<p>લાગણીઓને સમજજો. પોતાની લાગણીઓ, કૌટુંબિક સ્વજનોની લાગણીઓ, મિત્રો અને સમાજજીવનમાં પરિચિતોની લાગણીઓ સમજજો. લાગણીઓને સમજીલેવાથી આપ સમજી શકશો કે સુખને આમંત્રણ આપી રહ્યા છો કે દુઃખને.</p>
<p>મારા જીવનના અનુભવ સાર મુજબ વાત અલ્પવિરામ અને પૂર્ણવિરામ ની...</p>
<p>અલ્પવિરામ આપણને પ્રભુ શ્રી રામના જીવન થી શીખી શકીએ અને ઘણા અલ્પવિરામો પછી મજબૂરીનું પૂર્ણવિરામ આપણે પ્રભુ શ્રી કૃષ્ણ પાસેથી શીખી શકીએ.</p>
<p>અગત્યનું:</p>
<p>ચોક્કસથી લાગણીશીલ બનજો પણ સંબંધોમાં અલ્પવિરામ કયા મુકવું એ જરૂરથી શીખજો.</p>]]></content:encoded>
                
                                                            <category>Lifestyle</category>
                                            <category>Relationship</category>
                                    

                <link>https://www.khabarchhe.com/lifestyle/be-emotional-but-learn-to-put-commas-in-relationships/article-166273</link>
                <guid>https://www.khabarchhe.com/lifestyle/be-emotional-but-learn-to-put-commas-in-relationships/article-166273</guid>
                <pubDate>Mon, 07 Oct 2024 13:35:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-10/1728288103ud.jpg"                         length="686165"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[UD]]></dc:creator>
                            </item>
            <item>
                <title>જીવનમાં સંબંધોનું મૂલ્ય સમજજો</title>
                                    <description><![CDATA[<p><strong>(Utkarsh Patel)</strong></p>
<p>જીવનમાં પરિવારથી બહારના સંબંધોનું મૂલ્ય સમજવું જરૂરી છે. આપણા જન્મદાતા અને એ જન્મદાતા દ્વારા મળેલા સંબંધો અનમોલ હોય છે જ્યાં ક્યારેય સ્વાર્થ કે ઇર્ષ્યાભાવ કે કઈક મેળવી લેવાનો ભાવ ના રાખવો અને બસ પ્રેમ સમર્પણ આત્મીયતાના ભાવ સાથે જીવી લેવું. આ સંબંધોની મૂડી અમૂલ્ય ખજાનો છે એને કોઈ પણ સંજોગોમાં સાચવજો.</p>
<p>પરિવારથી બહારના સંબંધોમાં કાળજી રાખવી જોઈએ. મિત્ર અને ભાગીદાર આપણી સાથે કંઈક મેળવી લેવાના ભાવથી તો નથી જોડાયાને એ સમજી લેવું જોઈએ.</p>
<p>જો આપ સક્ષમ હશો બધી જ રીતે તો કેટલાક મિત્રો પરિચિતો આપને ક્યારેય ઉપયોગી થશો એવા ભાવ સાથે સંબંધો રાખતા હશે અને જો સ્વાર્થભાવ હશે</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/lifestyle/understand-the-value-of-relationships-in-life/article-166258"><img src="https://www.khabarchhe.com/media/400/2024-10/1728216559ud.jpg" alt=""></a><br /><p><strong>(Utkarsh Patel)</strong></p>
<p>જીવનમાં પરિવારથી બહારના સંબંધોનું મૂલ્ય સમજવું જરૂરી છે. આપણા જન્મદાતા અને એ જન્મદાતા દ્વારા મળેલા સંબંધો અનમોલ હોય છે જ્યાં ક્યારેય સ્વાર્થ કે ઇર્ષ્યાભાવ કે કઈક મેળવી લેવાનો ભાવ ના રાખવો અને બસ પ્રેમ સમર્પણ આત્મીયતાના ભાવ સાથે જીવી લેવું. આ સંબંધોની મૂડી અમૂલ્ય ખજાનો છે એને કોઈ પણ સંજોગોમાં સાચવજો.</p>
<p>પરિવારથી બહારના સંબંધોમાં કાળજી રાખવી જોઈએ. મિત્ર અને ભાગીદાર આપણી સાથે કંઈક મેળવી લેવાના ભાવથી તો નથી જોડાયાને એ સમજી લેવું જોઈએ.</p>
<p>જો આપ સક્ષમ હશો બધી જ રીતે તો કેટલાક મિત્રો પરિચિતો આપને ક્યારેય ઉપયોગી થશો એવા ભાવ સાથે સંબંધો રાખતા હશે અને જો સ્વાર્થભાવ હશે તો તમારી લાગણીઓને ઠેશ પહોચવાની પૂરી શક્યતાઓ રહેશે. મિત્ર સુદામા જેવો હોય તો એનો હાથ પકડજો અને મિત્ર ધનવાન હોય તો એના ધનને નહીં મિત્રને જ પ્રેમ કરજો.</p>
<p>જો આપ કોઈક વેપારમાં નિપૂણ હશો તો કેટલાય લોકો તમારી સાથે જોડાવવા કે ભાગીદારી કરવા તત્પરતા બતાવશે. વેપારમાં ભાગીદારી કરતા પહેલા ધ્યાન રાખજો કે ભાગીદાર નફાનો જ ભાગીદાર છે કે ખોટમાં પણ ખોટ ખાઈને સાથ આપે એમ છે!! માત્ર નફાની આશા રાખનાર ભાગીદારથી છૂટા થઈ જજો અને તડકી છાયડીમાં સાથ આપે એવા ભાગીદારને સથવારે પ્રગતિ કરજો.</p>
<p>જો આપ સામાજિક જીવ કે રાજનીતિમાં અગ્રેસર છો તોતો ભગવાન તમારું ભલું કરે કેમ કે અહીંયા કોઈ કાયમી મિત્ર નથી કે શત્રુ નથી બધુજ સગવડ્યું તકવાદી છે, અહીંયા તમે એકલાજ છો અને એકલા જ રહી જશો!</p>
<p>આ કલયુગી સંસારમાં મોટેભાગે સંબંધોનો ઉપયોગ કરી લેનારા લોકો મળશે એટલે થોડું સાચવીને સમજીને લાગણીઓનો વ્યવહાર કરજો. એનો મતલબ એ નથી કે કોઈ સારા છે જ નહીં. ઘણા સારા લોકો પણ આ સંસારમાં છે જેઓ સંબંધોનું મૂલ્ય સમજે છે અને હરહંમેશ દરેક સંજોગોમાં સાથે રહે છે પછી એ સુખ હોય કે દુઃખ, નફો હોય કે નુકશાન!!</p>
<p>પવિત્ર ભાવના સાથે દરેક ક્ષેત્રે સારા નિઃસ્વાર્થ સંબંધો કેળવજો અને સારું જીવન જીવી લેજો. સંતોષ થશે અને આત્મવિશ્વાસ વધશે. તમે સ્વયં પર ગર્વ થશે અને ઈશ્વરને પણ ગમશો. સૌના આશીર્વાદ અને અમીદૃષ્ટિ રહેશે આપના પર.</p>
<p>અગત્યનું:</p>
<p>આપના ઘરના ઉંબરાની બહાર સંબંધો સૌની સાથે રાખજો પણ લાગણી અને વિશ્વાસ રાખતા પહેલા પરખ જરૂર કરજો તો ક્યારેય દુઃખી નહીં થાઓ.</p>
<p>સુખમય રહે સૌનું જીવન</p>]]></content:encoded>
                
                                                            <category>Lifestyle</category>
                                            <category>Relationship</category>
                                    

                <link>https://www.khabarchhe.com/lifestyle/understand-the-value-of-relationships-in-life/article-166258</link>
                <guid>https://www.khabarchhe.com/lifestyle/understand-the-value-of-relationships-in-life/article-166258</guid>
                <pubDate>Sun, 06 Oct 2024 17:30:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-10/1728216559ud.jpg"                         length="661547"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[UD]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ઓછા પૈસે પણ સારું અને સુખી સંતોષકારક જીવન જીવી શકાય છે</title>
                                    <description><![CDATA[<p><strong>(Utkarsh Patel)</strong> હા વાત સાચી છે,</p>
<p>ઓછા પૈસા સારું જીવન જીવી શકાય.</p>
<p>સુખ અને સંતોષ માટે પૈસા હોવા અનિવાર્ય નથી.</p>
<p>જીવન જીવવા માટે પૈસા ની જરૂર ખરી પણ પૈસા એ જ જીવન નથી! પરમાત્માએ જીવન સુખેથી જીવવા માટે આપણને જળ, વાયુ, અગ્નિ, ધરા, નભ આપ્યું છે જ્યાંથી જીવન જીવવા માટે આપણને બધું જ પર્યાપ્ત ઉપલબ્ધ હતું જ અને આજે ઘટ સાથે પણ ઉપલબ્ધ છે જ.</p>
<p>વિનિમય પછી આ જે પૈસો આવ્યોને માનવ જગતમાં ત્યારથી બધી જ કળયુગી ઉપાદીઓ ઉભી થઈ. આજે સૌને એમ છે કે પૈસો જેટલો વધુ એટલો માણસ વધુ સુખી!!</p>
<p>ના એવું નથી.</p>
<p>પૈસાના વ્યવહારના જગતમાં વ્યવહાર એટલે</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/lifestyle/even-with-less-money-one-can-live-a-good-and-happy-satisfying-life/article-163316"><img src="https://www.khabarchhe.com/media/400/2024-05/1715163744ud.jpg" alt=""></a><br /><p><strong>(Utkarsh Patel)</strong> હા વાત સાચી છે,</p>
<p>ઓછા પૈસા સારું જીવન જીવી શકાય.</p>
<p>સુખ અને સંતોષ માટે પૈસા હોવા અનિવાર્ય નથી.</p>
<p>જીવન જીવવા માટે પૈસા ની જરૂર ખરી પણ પૈસા એ જ જીવન નથી! પરમાત્માએ જીવન સુખેથી જીવવા માટે આપણને જળ, વાયુ, અગ્નિ, ધરા, નભ આપ્યું છે જ્યાંથી જીવન જીવવા માટે આપણને બધું જ પર્યાપ્ત ઉપલબ્ધ હતું જ અને આજે ઘટ સાથે પણ ઉપલબ્ધ છે જ.</p>
<p>વિનિમય પછી આ જે પૈસો આવ્યોને માનવ જગતમાં ત્યારથી બધી જ કળયુગી ઉપાદીઓ ઉભી થઈ. આજે સૌને એમ છે કે પૈસો જેટલો વધુ એટલો માણસ વધુ સુખી!!</p>
<p>ના એવું નથી.</p>
<p>પૈસાના વ્યવહારના જગતમાં વ્યવહાર એટલે કે જો સંતોષનું જીવન જીવવું હોયને તો જરૂર પૂરતો પૈસો પૂરતો છે.</p>
<p>તમારે મજાનું જમવું છે તો બસ જમવાનું સારું હોવું જોઈએ, કયાં જમો શું એ અગત્યનું?</p>
<p>એક ઉદાહરણ આપું...</p>
<p>એકવાર એક ધનાઢ્ય વ્યક્તિ જેનું જીવન સાદું, એ વ્યક્તિ રોજ મોટાભાગે જમવામાં ખીચડી ખાય. એકવાર એ વિદેશ પ્રવાસ હતા અને એમના નાના બાળકને ખીચડી ખાવી હતી તો એમને ખબર પડી કે એક મોટી હોટલમાં ખીચડી મળે છે. એમણે ખીચડી લીધી અને બાળકને જમાડી દીધું પણ એમણે બાળકને હોટલ ના બતાવી અને કેટલા પૈસાની ખીચડી લીધી એ પણ કોઇને ના જણાવ્યું!! એમના માટે અન્ન અગત્યનું હતું અને સંસ્કાર!!</p>
<p>ખીચડી ઘરે ખાઈએ કે હોટલમાં ખીચડીનો સ્વાદ તો એનો એ જ હોય ને! દાળ, ચોખા, પાણી અને પ્રમાણમાં મીઠું. બાફ્યું એટલે ખીચડી. ગરીબના ઝુપડામાં, આપણા ઘરમાં કે હોટલમાં બધે જ સરખી.</p>
<p>હવે વાત કરીએ કેટલા પૈસામાં આ ખીચડી બને...</p>
<p>ગરીબના ઝુપડામાં અને આપણા ઘરમાં ભાવે ભાવ બની જાયને?! અને હોટલમાં?</p>
<p>પેલા ધનાઢ્ય માણસે એના બાળક માટે જે ખીચડી લીધી હતી ને એની એક પ્લેટનો ભાવ હતો ભારતીય ચલણ મુજબ પૂરા રૂપિયા 6000!</p>
<p>હવે સમજો હું શું કહેવા માંગું છું...</p>
<p>તમે અન્નનો ગુણ સમજો... કયાં જમવું , સ્ટેટ્સ બતાડવું, દેખાદોવ કરવો એના માટે પૈસા ની જરૂર પડશે!!! જમવું જ છેને તો ગરીબ સાથે જમો, પોતાના ઘરે જમો... પૈસા ખર્ચીને મોંઘીદાટ હોટલોમાં શું કામ જમો છો?</p>
<p>ખીચડી તો એક દૃષ્ટાંત હતું. આવું તો કંઈક અનેક છે. પૈસો તેમને દેખાદેખી શીખવાડશે, ઊંચનીચ શિખવાડશે, લોભે લઇ જશે એનાથી થોડું સાચવીને રહેજો. જીવન જેટલું સાદુ હશેને એટલો પૈસો ઓછો વપરાશે, જરૂરિયાતો ઘટશે અને સુખથી જીવી શકશો.</p>
<p>અગત્યનું:</p>
<p>પૈસો કમાજો પણ જીવન સાદું ધરાતલ પરનું રાખજો.</p>
<p>(સુદામા)</p>]]></content:encoded>
                
                                                            <category>Lifestyle</category>
                                    

                <link>https://www.khabarchhe.com/lifestyle/even-with-less-money-one-can-live-a-good-and-happy-satisfying-life/article-163316</link>
                <guid>https://www.khabarchhe.com/lifestyle/even-with-less-money-one-can-live-a-good-and-happy-satisfying-life/article-163316</guid>
                <pubDate>Wed, 08 May 2024 16:01:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-05/1715163744ud.jpg"                         length="661008"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[UD]]></dc:creator>
                            </item>
            <item>
                <title>હું મારા નિંદકોને માન આપુ છું, તે 2 પ્રકારના હોય છે</title>
                                    <description><![CDATA[<p><strong>(Utkarsh Patel)</strong> નિંદકો બે પ્રકારના હોય છે.</p>
<ol>
<li>સાચી નિંદા કરનારા નિંદકો</li>
<li>ઈર્ષ્યાના માર્યા ખોટી નિંદા કરનારા નિંદકો</li>
</ol>
<p>સાચી નિંદા કરનારા લોકો સમજો કે ભગવાને આપણા ભલા માટે ચોકીદાર મોકલ્યા બરાબર છે. આ નિંદકો આપણું ધ્યાન રાખે અને આપણાથી જાણ્યે અજાણ્યે થતી ભૂલોને શોધી કાઢે અને એ વાતો સમાજમાં વહેતી કરે!</p>
<p>હાવેક જ્યારે આપણે માટે થતી એ વાતો આપણને ખબર પડે ત્યારે આપણે સફાળા જાગી જઈએ અને આપણામાં સુધારો કરી લઈએ તો લાભ થાય! લાભ થાયને? ચોક્કસથી લાભ થાય.</p>
<p>સાચી નિંદા સાંભળોને ત્યારે નિંદક પ્રત્યે ક્રોધ કે દ્વેષભાવ લાવવો યોગ્યક નથી. આવા નિંદકોનો હૃદયથી આભાર માની લેવો કેમકે તેમણે એમના જીવનનો</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/lifestyle/i-respect-my-critics-they-are-of-2-types/article-163285"><img src="https://www.khabarchhe.com/media/400/2024-05/1714981506ud.jpg" alt=""></a><br /><p><strong>(Utkarsh Patel)</strong> નિંદકો બે પ્રકારના હોય છે.</p>
<ol>
<li>સાચી નિંદા કરનારા નિંદકો</li>
<li>ઈર્ષ્યાના માર્યા ખોટી નિંદા કરનારા નિંદકો</li>
</ol>
<p>સાચી નિંદા કરનારા લોકો સમજો કે ભગવાને આપણા ભલા માટે ચોકીદાર મોકલ્યા બરાબર છે. આ નિંદકો આપણું ધ્યાન રાખે અને આપણાથી જાણ્યે અજાણ્યે થતી ભૂલોને શોધી કાઢે અને એ વાતો સમાજમાં વહેતી કરે!</p>
<p>હાવેક જ્યારે આપણે માટે થતી એ વાતો આપણને ખબર પડે ત્યારે આપણે સફાળા જાગી જઈએ અને આપણામાં સુધારો કરી લઈએ તો લાભ થાય! લાભ થાયને? ચોક્કસથી લાભ થાય.</p>
<p>સાચી નિંદા સાંભળોને ત્યારે નિંદક પ્રત્યે ક્રોધ કે દ્વેષભાવ લાવવો યોગ્યક નથી. આવા નિંદકોનો હૃદયથી આભાર માની લેવો કેમકે તેમણે એમના જીવનનો અમૂલ્ય સમય આપણી ભૂલો શોધવામાં ફાળવ્યો એ મોટી વાત છે.</p>
<p>આપણામાં રહેલી ભૂલો કે ઊણપ સુધારી લેવાથી ફાયદો તો આપણો જ છે, નુકશાન કશું જ નથી.</p>
<p>હવે વાત ઈર્ષ્યાના માર્યા ખોટી નિંદા કરનારા નિંદકોની. આ નિંદકો મારી દૃષ્ટીએ દયાપાત્ર લોકો છે. એક તો એ લોકો એમના જીવનનો અમૂલ્ય સમય આપણી સદંતર ખોટી નિંદા કરીને વ્યય કરે અને ઈર્ષ્યાના માર્યા એમનું મન અને શરીરમાં કઢાપો કરે એ જુદું. ઈર્ષ્યાના માર્યા તમારી ખોટી નિંદા કરનારક લોકોને એમનું કામ કર્યે રાખવા દેવું.</p>
<p>ખોટી નિંદા જેટલી વધુ થશે ને એટલો જ સમાજ તેમને ઝીણવટથી ચકાસશે અને તમારું ખરું વ્યક્તિત્વ સમાજ જાણશે. તમારા માટે ઈર્ષ્યાળુ નિંદકોએ જે ખોટી નિંદા ફેલાવી એના કરતા અનેક ઘણી તમારી સાચી અને સારી વાતો લોકો સુધી પહોંચશે.</p>
<p>મારી વ્યક્તિગત વાત કરું તો...</p>
<p>હું મારા બધા જ નિંદકોને મારી પાછળ વ્યસ્ત રાખું છું. એ મારા પ્રથમ મદદગાર લોકો છે જે મને સચેત રાખે છે અને અવિરત મારું જીવન વધુ સારું અને ચોક્કસ બને એના માટે મને જાગૃત, સચેત રાખે છે. નિંદકોને મારી નિંદામાં વ્યસ્ત રાખવા માટે હું પ્રતિક્રિયા આપવાનું પણ ટાળું છું અને હું મારા નિંદકોની નિંદા ક્યારેય કરતો નથી.</p>
<p>એક ખાસ વાત એ પણ ખરી કે હું મારા નિંદકોની નિંદા સાંભળવાનું પણ પસંદ કરતો નથી કેમકે જે લોકો મારી નિંદા પાછળ એમના જીવનનો અમૂલ્ય સમય ફાળવે એમની નિંદા સાંભળવાનું પાપ કહેવાય અને મારે એ પાપકર્મ કરવાનું થતું નથી.</p>
<p>સૌ નિંદકોનો હૃદયથી અંતઃકરણથી આભાર માનીએ અને એમનું નિંદાનું કાર્ય અવીરત વેગવંતુ રહે એવી પ્રભુને વિનમ્ર પ્રાર્થના કરીએ.</p>
<p>અગત્યનું:</p>
<p>બધા જ ગુણ અવગુણ ધરાવતા નિંદકોને એમનું કામ કરવા દેજો. બસ નિંદાથી નિરાશ થયા વિના નિંદાને આવકારી એનો અભ્યાસ કરજો અને ઉકેલ કાઢજો.</p>
<p>ઈર્ષ્યાના માર્યા ખોટી નિંદા કરનારા નિંદકોને કદીએ નિરાશ કરશો નહીં એમને વધુ નિંદા માટે પ્રોત્સાહિત કરજો.</p>
<p>(સુદામા)</p>]]></content:encoded>
                
                                                            <category>Lifestyle</category>
                                    

                <link>https://www.khabarchhe.com/lifestyle/i-respect-my-critics-they-are-of-2-types/article-163285</link>
                <guid>https://www.khabarchhe.com/lifestyle/i-respect-my-critics-they-are-of-2-types/article-163285</guid>
                <pubDate>Mon, 06 May 2024 13:15:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-05/1714981506ud.jpg"                         length="686073"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[UD]]></dc:creator>
                            </item>
            <item>
                <title>દયા કરશો તો કોઇક તમને ક્યારેક યાદ કરશે</title>
                                    <description><![CDATA[<p><strong>(Utkarsh Patel)</strong> દયાભાવ સૌનામાં હોય જ છે પણ પ્રમાણમાં વધ ઘટ હોય.</p>
<p>સફળતા, રાજસત્તા અને ધન વધે એટલે અહમ્ વધે અને અહમ્ વધેને એટલે મોટાભાગના કિસ્સામાં દયાભાવ ઘટી પડે. સમજો કે દયા મરીપરવારે!</p>
<p>આપણામાં દયાનો ભાવ સ્થિરતાપૂર્વક જળવાય રહે તો આપણને સૌ યાદ તો કરે જ ખરા પણ કર્મના હિસાબમાં સારા કર્મ વધી પણ પડે.</p>
<p>જીવનમાં આપણે સફળ થઇએ, પદ પ્રતિષ્ઠા ધન આવેને તોયે દયાભાવ ને મન અને હૈયામાંથી ઘટવા દેવો જોઈએ નહીં. આપણી પાસે જે કંઈ પણ છે તેના દાતા ભગવાન પોતે છે, એમની ઈચ્છાથી આપણે પ્રમાણમાં સુખી કે દુઃખી હોઈએ છીએ.</p>
<p>ભગવાનની દયાથી જ આપણી પાસે બધા સુખ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/lifestyle/if-you-are-kind-someone-will-remember-you-sometimes/article-163245"><img src="https://www.khabarchhe.com/media/400/2024-05/1714812112ud.jpg" alt=""></a><br /><p><strong>(Utkarsh Patel)</strong> દયાભાવ સૌનામાં હોય જ છે પણ પ્રમાણમાં વધ ઘટ હોય.</p>
<p>સફળતા, રાજસત્તા અને ધન વધે એટલે અહમ્ વધે અને અહમ્ વધેને એટલે મોટાભાગના કિસ્સામાં દયાભાવ ઘટી પડે. સમજો કે દયા મરીપરવારે!</p>
<p>આપણામાં દયાનો ભાવ સ્થિરતાપૂર્વક જળવાય રહે તો આપણને સૌ યાદ તો કરે જ ખરા પણ કર્મના હિસાબમાં સારા કર્મ વધી પણ પડે.</p>
<p>જીવનમાં આપણે સફળ થઇએ, પદ પ્રતિષ્ઠા ધન આવેને તોયે દયાભાવ ને મન અને હૈયામાંથી ઘટવા દેવો જોઈએ નહીં. આપણી પાસે જે કંઈ પણ છે તેના દાતા ભગવાન પોતે છે, એમની ઈચ્છાથી આપણે પ્રમાણમાં સુખી કે દુઃખી હોઈએ છીએ.</p>
<p>ભગવાનની દયાથી જ આપણી પાસે બધા સુખ છે!! ભગવાને દયા રાખી તો સુખી છીએને?</p>
<p>જ્યારે આપણે ભગવાનની દયાને આધારીત છીએ તો પછી કોઈક દુઃખિયારા, નબળા વ્યક્તિને એના દુઃખના જરૂરના સમયે આપણે દયા રાખીને એને મદદરૂપ ના થવું જોઈએ? યથાશક્તિ મદદરૂપ થઈને દયાભાવ દાખવવો જોઈએ.</p>
<p>પોતાના સ્વજનો, મિત્રો કે પછી પરિચીતો પર પ્રથમ દયાભાવ રાખવો જોઈએ. હું તો ત્યાં સુધી વ્યક્તિગત રીતે કહીશ કે દુશ્મન પ્રત્યે પણ દુશ્મનાવટના વિષય સિવાય અન્ય બાબતોમાં જો એને મદદની જરૂર હોય તો દયાભાવ રાખી મદદ કરવી જ જોઈએ. દુશ્મનાવટ એની જગ્યાએ અને માનવતા દયાભાવના સંસ્કાર એની જગ્યાએ.</p>
<p>જ્યારે જ્યારે તમે કોઈને દયાભાવ રાખી મદદરૂપ થશો ત્યારેક ત્યારે મદદ લેનાર જીવના હૈયામાં તમે કાયમી વસી જશો. એ વ્યક્તિ બોલે કે ના બોલે પણ એનો આત્મા જરૂરથી તમારો આભારી હશે!! </p>
<p>જગતમાં આપણું શરીર રહે કે ના રહે આપણે દાખવેલી દયા યાદ સ્વરૂપે કોઈકના હૈયામાં અને મગજમાં હંમેશ માટે વસી જતી હોય છે.</p>
<p>અગત્યનું:</p>
<p>જીવનમાં વિનમ્રભાવે દયાભાવ રાખજો તો ભગવાનનો દયાભાવ તમારા પર જળવાયેલો રેહશે.</p>
<p>(સુદામા)</p>]]></content:encoded>
                
                                                            <category>Lifestyle</category>
                                    

                <link>https://www.khabarchhe.com/lifestyle/if-you-are-kind-someone-will-remember-you-sometimes/article-163245</link>
                <guid>https://www.khabarchhe.com/lifestyle/if-you-are-kind-someone-will-remember-you-sometimes/article-163245</guid>
                <pubDate>Sat, 04 May 2024 14:31:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-05/1714812112ud.jpg"                         length="684978"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[UD]]></dc:creator>
                            </item>
            <item>
                <title>બગડેલા સંબંધોમાં સમાધાનથી જીવનમાં સંબંધોનો વ્યાપ વધે</title>
                                    <description><![CDATA[<p>આપણે આ સંસારમાં શું લઈને આવ્યા?</p>
<p>કશું જ નહીં.</p>
<p>જઈશું ત્યારે શું લઈને જવાના?</p>
<p>ઘણુંયે લઈને જવાનું મન થાય પણ લઇ જવાય તોને!!</p>
<p>ભગવાનની લીલા અનેરી છે,</p>
<p>દુનિયામાં જન્મો... પ્રકૃતિની ભેટો ભોગવો... અંતે બધું મૂકીને જતા રહો!!</p>
<p>હવે હું શું કહું છું આપને કે જો આપણે કશું જ લઈ  જઈ શકવાના નથી તો જીવનમાં સંબંધોમાં પડતી આંટીઓ શું કામ પકડી રાખવાની? જીદો અણગમા પડતાં મુકીને સમાધાન કરીને સંબંધો જાળવી લઈએ તો કેવું?</p>
<p>સંબંધોમાં વ્યવહાર, લાગણીઓ કે કોઈક વાતમાં ખાટું મોળું થઈ જાય તો વાતુને પકડી રાખવાથી શું લાભ થાય? મને તો કંઈ લાભ થાય કે સારું થાય તેવું જણાતું નથી.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/lifestyle/reconciliation-in-broken-relationships-increases-the-prevalence-of-relationships-in-life/article-163212"><img src="https://www.khabarchhe.com/media/400/2024-05/1714644273ud.jpg" alt=""></a><br /><p>આપણે આ સંસારમાં શું લઈને આવ્યા?</p>
<p>કશું જ નહીં.</p>
<p>જઈશું ત્યારે શું લઈને જવાના?</p>
<p>ઘણુંયે લઈને જવાનું મન થાય પણ લઇ જવાય તોને!!</p>
<p>ભગવાનની લીલા અનેરી છે,</p>
<p>દુનિયામાં જન્મો... પ્રકૃતિની ભેટો ભોગવો... અંતે બધું મૂકીને જતા રહો!!</p>
<p>હવે હું શું કહું છું આપને કે જો આપણે કશું જ લઈ  જઈ શકવાના નથી તો જીવનમાં સંબંધોમાં પડતી આંટીઓ શું કામ પકડી રાખવાની? જીદો અણગમા પડતાં મુકીને સમાધાન કરીને સંબંધો જાળવી લઈએ તો કેવું?</p>
<p>સંબંધોમાં વ્યવહાર, લાગણીઓ કે કોઈક વાતમાં ખાટું મોળું થઈ જાય તો વાતુને પકડી રાખવાથી શું લાભ થાય? મને તો કંઈ લાભ થાય કે સારું થાય તેવું જણાતું નથી. ઉલ્ટાનું વેરભાવ, અહંભાવ વધે અને એને લીધે મન અશાંત થાય અને જીવનમાં કલેશ પણ વધે અને અંતે શરીરમાં કેટલાય રોગને આમંત્રણ અપાય એ જુદું.</p>
<p>આંટી પડેલા, દુભાયેલા કે બગડેલા કે વેરભાવના સંબંધોમાં જતું કરવાની ભાવના જો તમે કેળવી શકો તો મારા વ્હાલા તમે તમારા ગમે તેવા મોટા શત્રુને પણ મૈત્રીના સંબંધોમાં વાળી શકો! ગઈકાલના કટ્ટર શત્રુભાવને તમે સમાધાનકારી માર્ગે મૈત્રીભાવનાં પવિત્ર ઝરણાંમાં ફેરવી શકો છો.</p>
<p>તમારામાં સંબંધોનું સમાધાન કરવાની આવડત હશે તો તમારા સંબંધોનો વ્યાપ પણ વધશે. સંબંધોનો વ્યાપ જીવનમાં જેટલો વધુ એટલા તમે વધુ સંપન્ન થાશો.</p>
<p>મારા જેવો માણસતો હંમેશા સમાધાનકારી વ્યવહાર અને ચર્ચાને અગ્રિમતાતો આપે જ પણ કોઈકના ભલા માટે સ્વમાનભેર ઘસારો ભોગવીને જતું પણ કરે. એટલે જ તો મારા જીવનમાં સંબંધોની વાડીમાં સંબંધો રૂપી લીલાછમ ઊંડા મૂળીયાવાડા વૃક્ષ રૂપી વડલાઓ, આંબાઓ, લીમડાઓ વિગેરે અડીખમ ઉભા છે!!</p>
<p>મારી સમાધાનકારી લાગણીઓની વાડીને ફરતે બાવળિયા રૂપી કાંટાળી વાડ જેવા મિત્રો પણ ખરા હો જેઓ મારા પર થતો પહેલો ઘા પોતે ખમે અને મને રક્ષણ પૂરું પાડે. એ વાતમાં હું નસીબનનો બાવડો.</p>
<p>કોઈકનો જતું કરવાનો એટલે કે સમાધાનકારી સ્વભાવ હોવો એ પલાયનવાદ કે નબળાઈ સમજવાની ભૂલ ના કરશો. સમાધાનકારી માણસો સમાજમાં સૌને સાથે લઈને જીવી જાણવાની સમજમાં વધારો કરે છે. સમાધાન તમને વધુ સંબંધો આપશે અને એ સંબંધો સાથે જીવવાનો આનંદ તમને સુખ આપશે. જેમની પણ સાથે તમારે સંબંધો બગડ્યા હોય ત્યાં એક ડગલું સમાધાનનું ચાલો તો ખરા! રસ્તો જડશે, સમાધાન થશે, સમજ થશે, સંબંધોના અબોલા દૂર થશે. બસ.. પછી તો હળતાં મળતા થશો અને જૂની વાતું ભુલાઈ જશે અને સંબંધો વધુ મજબૂત થશે.</p>
<p>અગત્યનું:</p>
<p>અંતે કશું જ સાથે આવશે નહીં એટલે બગડેલા સંબંધોમાં સામેથી પહેલ કરો અને સમાધાન કરીને સંબંધો સાચવીને સૌને ગમતા રહીને જીવન જીવી લો.</p>
<p>(સુદામા)</p>]]></content:encoded>
                
                                                            <category>Lifestyle</category>
                                            <category>Relationship</category>
                                    

                <link>https://www.khabarchhe.com/lifestyle/reconciliation-in-broken-relationships-increases-the-prevalence-of-relationships-in-life/article-163212</link>
                <guid>https://www.khabarchhe.com/lifestyle/reconciliation-in-broken-relationships-increases-the-prevalence-of-relationships-in-life/article-163212</guid>
                <pubDate>Thu, 02 May 2024 15:36:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-05/1714644273ud.jpg"                         length="662900"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[UD]]></dc:creator>
                            </item>
            <item>
                <title>બહુ રૂપિયાવાળા મોટેભાગે... બહુરૂપિયા હોય છે</title>
                                    <description><![CDATA[<p><strong>(Utkarsh Patel)</strong>જગતમાં રૂપિયાનો જબરો વટ અને જેમની પાસે રૂપિયા વધુ એમનો વટ તો જાણે કે...</p>
<p>  જેટલા સધ્ધર એટલા હવામાં અધ્ધર.</p>
<p>  ખોટું લાગશે કેટલાકને!!</p>
<p>  ખોટું લાગે તો ઘી વાળી બે રોટલી વધારે જમીલેજો.</p>
<p>આજની સમાજ વ્યવસ્થામાં રૂપિયા જેમ જેમ વધતા જાયને તેમ તેમ માણસના રૂપ પણ અલગ અલગ વધતા જાય છે.</p>
<p>  બહુ રૂપિયા વાળા કેટલાક વ્યક્તિ ક્યારેક લવારા કરવા માંડે તોયે લોકોને તો કથા સાંભળતા હોય એવું લાગે.</p>
<p>  શું કામ?</p>
<p>  કેમકે પૈસો બોલે!!</p>
<p>બહુ રૂપિયા વાળા ઘણા સજ્જનો છે આપણા સમાજમાં. પણ બહુ રૂપિયા વાળા બહુરૂપિયા પણ છે આપણી વચ્ચે છે. આ બહુરૂપિયાઓથી થોડું સાચવીને રહેવું કેમકે,</p>
<p>  બહુ રૂપિયા</p>
<p> </p>
<p>વેપાર</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/lifestyle/millionaires-may-have-many-colours/article-163160"><img src="https://www.khabarchhe.com/media/400/2024-04/171448064544.jpg" alt=""></a><br /><p><strong>(Utkarsh Patel)</strong>જગતમાં રૂપિયાનો જબરો વટ અને જેમની પાસે રૂપિયા વધુ એમનો વટ તો જાણે કે...</p>
<p> જેટલા સધ્ધર એટલા હવામાં અધ્ધર.</p>
<p> ખોટું લાગશે કેટલાકને!!</p>
<p> ખોટું લાગે તો ઘી વાળી બે રોટલી વધારે જમીલેજો.</p>
<p>આજની સમાજ વ્યવસ્થામાં રૂપિયા જેમ જેમ વધતા જાયને તેમ તેમ માણસના રૂપ પણ અલગ અલગ વધતા જાય છે.</p>
<p> બહુ રૂપિયા વાળા કેટલાક વ્યક્તિ ક્યારેક લવારા કરવા માંડે તોયે લોકોને તો કથા સાંભળતા હોય એવું લાગે.</p>
<p> શું કામ?</p>
<p> કેમકે પૈસો બોલે!!</p>
<p>બહુ રૂપિયા વાળા ઘણા સજ્જનો છે આપણા સમાજમાં. પણ બહુ રૂપિયા વાળા બહુરૂપિયા પણ છે આપણી વચ્ચે છે. આ બહુરૂપિયાઓથી થોડું સાચવીને રહેવું કેમકે,</p>
<p> બહુ રૂપિયા વાળા સજ્જનો સૌને સુખી કરે અને દેશનું ભલું કરે જ્યારે...</p>
<p> બહુ રૂપિયા વાળા બહુરૂપિયાઓ લોકોને છેતરે અને દેશને લૂટે.</p>
<p>વેપાર કરો કે પછી સબંધ રાખો બહુ રૂપિયા વાળા બહુરૂપિયાઓ થી થોડું અંતર રાખવું સારું.</p>
<p>જરૂરી નથી કે કોઈકની પાસે વધુ રૂપિયા હોય એ વ્યક્તિ સારાજ હોય.</p>
<p>બહુ રૂપિયા વાળા સજ્જનો પાસેથી પ્રેરણા લેવી જોઈએ અને એમના માર્ગે પ્રગતિ કરવી જોઈએ પરંતુ બહુ રૂપિયા વાળા બહુરૂપિયાઓથી સાચવીને રહેજો કેમ કે બહુરૂપિયા હંમેશા ઠગ હોય છે અને આ ઠગો સમાજ અને દેશ બન્ને માટે હાનિકારક છે.</p>
<p>બહુરૂપિયાઓને કેમ કરતા ઓળખાય, એ પણ જાણી લો...</p>
<p>જે લોકો ધનવાન હોવાનું સાબિત કરવા મોટમોટા ઘરો, મોંઘા વાહનો, મોંઘા મોજશોખ કરી રૂપિયાનું પ્રદર્શન કરે, મોટા દેખાવા મોટા- મોટા ખર્ચા કરે  એ બધા બહુરૂપિયા કહેવાય. બહુરૂપિયાઓની પેઢીઓને ધન પચતું નથી એટલે ધનનો વ્યય કરે.</p>
<p>બહુ રૂપિયા વાળાઓને કેમ ઓળખાય એ પણ સમજો...</p>
<p>રૂપિયાનું અભિમાન ના કરે, સાદગીથી જીવે અને કોઇકની મદદક માટે હથેળી ખુલ્લી રાખે એ સાચા અર્થમાં બહુ રૂપિયા વાળા સંપન્ન લોકો કહેવાય.</p>
<p>આ લોકો ધનનો યથાયોગ્ય ઉપયોગ કરતા હોય છે.</p>
<p>અગત્યનું:</p>
<p> બહુ રૂપિયા કમાજો, ખૂબ સુખી થાજો પણ ક્યારેય બહુ રૂપિયા વાળા બહુરૂપિયા બની કોઈક વ્યક્તિ કે સમૂહ કે પછી દેશને ઠગશો નહીં.</p>
<p>(સુદામા)</p>]]></content:encoded>
                
                                                            <category>Lifestyle</category>
                                    

                <link>https://www.khabarchhe.com/lifestyle/millionaires-may-have-many-colours/article-163160</link>
                <guid>https://www.khabarchhe.com/lifestyle/millionaires-may-have-many-colours/article-163160</guid>
                <pubDate>Tue, 30 Apr 2024 18:45:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-04/171448064544.jpg"                         length="697249"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[UD]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ભેટ (Gift) આપવાથી સંબંધો મજબૂત થતા નથી</title>
                                    <description><![CDATA[<p><strong>(Utkarsh Patel) </strong>કોઈક તમને ગિફ્ટ આપે તો બહુ ખુશ થઈ જતા હશો ને?</p>
<p>ભેટ એ લાગણીઓનું ક્ષણિક પુરતું પૂર છે.</p>
<p>નિઃસ્વાર્થભાવે અપાતી ભેટ ખૂબ અમૂલ્ય હોય છે પરંતુ આજના સમયમાં મોટેભાગે ભેટમાં પણ ભેટ આપનારનો કંઈક છૂપો સ્વાર્થ હોય શકે છે!</p>
<p>વસ્તુની ભેટથી સંબંધો ક્યારેય મજબૂત થતા જ નથી.</p>
<p>ભેટ ખૂબ સમજી વિચારીને લેવી જોઈએ.</p>
<p>નિઃસ્વાર્થભાવે ભેટ આપવામાં ક્યારેય સંકોચ કરવો જોઈએ નહીં. મારા જેવો માણસ તો કોઈની ભેટ લેતો જ નથી અને કોઈક ખૂબ લાગણીથી ભેટ આપે તો લાગણીને માન આપવાનું હું ચૂકતો નથી. મને તો ભેટ પણ કોઈકનું ઋણ ચઢ્યા જેવી જણાય અને આપણે કોઈનું ઋણ લેવું નહીં</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/lifestyle/giving-gifts-does-not-strengthen-relationships/article-163144"><img src="https://www.khabarchhe.com/media/400/2024-04/1714375331ud.jpg" alt=""></a><br /><p><strong>(Utkarsh Patel) </strong>કોઈક તમને ગિફ્ટ આપે તો બહુ ખુશ થઈ જતા હશો ને?</p>
<p>ભેટ એ લાગણીઓનું ક્ષણિક પુરતું પૂર છે.</p>
<p>નિઃસ્વાર્થભાવે અપાતી ભેટ ખૂબ અમૂલ્ય હોય છે પરંતુ આજના સમયમાં મોટેભાગે ભેટમાં પણ ભેટ આપનારનો કંઈક છૂપો સ્વાર્થ હોય શકે છે!</p>
<p>વસ્તુની ભેટથી સંબંધો ક્યારેય મજબૂત થતા જ નથી.</p>
<p>ભેટ ખૂબ સમજી વિચારીને લેવી જોઈએ.</p>
<p>નિઃસ્વાર્થભાવે ભેટ આપવામાં ક્યારેય સંકોચ કરવો જોઈએ નહીં. મારા જેવો માણસ તો કોઈની ભેટ લેતો જ નથી અને કોઈક ખૂબ લાગણીથી ભેટ આપે તો લાગણીને માન આપવાનું હું ચૂકતો નથી. મને તો ભેટ પણ કોઈકનું ઋણ ચઢ્યા જેવી જણાય અને આપણે કોઈનું ઋણ લેવું નહીં અને રાખવું નહીં. બસ આવું કઈક અમારી વ્યવહાર કુશળતા અને એવું જ અમારું જીવન.</p>
<p>હવે જો આપણે કોઇકને ભેટ આપીએને સારા ભાવથી અને જો સામે વાળી વ્યક્તિ એ ભેટની કદર ના કરે તો કેવું લાગે આપને? હું ભેટ આપી જાણું અને ધ્યાનથી નોંધ લઉ કે મારી ભેટની શું કિંમત કરી ભેટ લેનારે. હા ક્યારેક તો મેં જોયું કે આપણી ભેટ ત્રીજા વ્યક્તિને ભેટમાં અપાતી હોય!! આવો છે આ સંસાર.</p>
<p>લાગણીઓ ભેટના નામે વેચાય અને ધૂળ ધાણી પણ થાય.</p>
<p>વાત સંબંધોની...</p>
<p>સંબંધો મજબૂત થાય છે સમય આપવાથી.</p>
<p>સંબંધ મજબૂત થાય છે એકબીજાને સમજવાથી.</p>
<p>કોઇક ગમતી કે વ્હાલી વ્યક્તિને જો ભેટ આપવી જ હોયને તો તમારો અમૂલ્ય સમય એમને ભેટમાં આપજો.</p>
<p>અને જે વ્યક્તિ એનો સમય તમને આપે તો સમજજો કે એ અમૂલ્ય ભેટ છે અને આવા સંબંધોની આપણે કદર કરવી જોઈએ અને એ ઋણ ચૂકવવાની તક ક્યારેય ચૂકવી જોઈએ નહીં.</p>
<p>પૈસાની ખરીદાયેલી ભેટોથી અંજાશો નહીં.</p>
<p>જે વ્યક્તિ તમને સમય આપે એની લાગણીઓને ક્યારેય ઠેસ પહોચાડશો નહીં.</p>
<p>અગત્યનું:</p>
<p>પૈસાની ખરીદાયેલી ભેટોથી થોડું સાચવીને સમજીને રહેજો અને સમય રૂપી ભેટ આપનારનું ઋણ ક્યારેય ભૂલશો નહીં.</p>
<p>(સુદામા)</p>]]></content:encoded>
                
                                                            <category>Lifestyle</category>
                                            <category>Relationship</category>
                                    

                <link>https://www.khabarchhe.com/lifestyle/giving-gifts-does-not-strengthen-relationships/article-163144</link>
                <guid>https://www.khabarchhe.com/lifestyle/giving-gifts-does-not-strengthen-relationships/article-163144</guid>
                <pubDate>Mon, 29 Apr 2024 12:52:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-04/1714375331ud.jpg"                         length="663748"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[UD]]></dc:creator>
                            </item>
            <item>
                <title>કોલસો દૂધમાં બોળીયે સફેદ ના જ થાય, અવગુણી માણસનું પણ એવું જ હોય</title>
                                    <description><![CDATA[<p><strong>(Utkarsh Patel)</strong> કોલસાને દૂધમાં નાખો તો સફેદ થાય?</p>
<p>આ સવાલનો જવાબ તમે જાણો જ છો...</p>
<p>કોલસો દૂધમાં બોળીયે સફેદ ના જ થાય.</p>
<p>અવગુણી માણસનું પણ એવું જ હોય.</p>
<p>માણસમાં અવગુણ કોલસા જેવા હોય અને સદ્ગુણ સાકર જેવા હોય!!</p>
<p>કોલસો દૂધમાં નાખ્યે દૂધમાં ભળે નહીં અને દૂધને બગાડે. સાકર દૂધમાં નાખ્યે દૂધમાં ભળી જાય અને દૂધને ગળ્યું કરે.</p>
<p>બોલો કોલસાવાળુ દૂધ પીવાનું ગમશે કે સાકાર વાળું ગળ્યું દૂધ??</p>
<p>અવગુણી વ્યક્તિ કોલસા જેવા હોય છે, દૂધ જેવા ગુણિયલ લોકોમાં ભળી ના શકે અને અવગુણ ફેલાવે.</p>
<p>અવગુણીને સદ્ગુણ અને સારી વાતોની સમજ હોતી જ નથી અને તેઓ પોતાના અવગુણ છોડતાં પણ નથી.</p>
<p>તમે</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/lifestyle/coal-does-not-turn-white-if-it-is-mixed-with-milk/article-163082"><img src="https://www.khabarchhe.com/media/400/2024-04/1714115919ud.jpg" alt=""></a><br /><p><strong>(Utkarsh Patel)</strong> કોલસાને દૂધમાં નાખો તો સફેદ થાય?</p>
<p>આ સવાલનો જવાબ તમે જાણો જ છો...</p>
<p>કોલસો દૂધમાં બોળીયે સફેદ ના જ થાય.</p>
<p>અવગુણી માણસનું પણ એવું જ હોય.</p>
<p>માણસમાં અવગુણ કોલસા જેવા હોય અને સદ્ગુણ સાકર જેવા હોય!!</p>
<p>કોલસો દૂધમાં નાખ્યે દૂધમાં ભળે નહીં અને દૂધને બગાડે. સાકર દૂધમાં નાખ્યે દૂધમાં ભળી જાય અને દૂધને ગળ્યું કરે.</p>
<p>બોલો કોલસાવાળુ દૂધ પીવાનું ગમશે કે સાકાર વાળું ગળ્યું દૂધ??</p>
<p>અવગુણી વ્યક્તિ કોલસા જેવા હોય છે, દૂધ જેવા ગુણિયલ લોકોમાં ભળી ના શકે અને અવગુણ ફેલાવે.</p>
<p>અવગુણીને સદ્ગુણ અને સારી વાતોની સમજ હોતી જ નથી અને તેઓ પોતાના અવગુણ છોડતાં પણ નથી.</p>
<p>તમે જોયું હશે એકવાર ચોરી કરનાર, જુઠ્ઠું બોલનાર, વિશ્વાસઘાત કરનાર બીજી વાર એ કરે જ અને પછી એ આદત બને અને એ આદત જીવન બની જાય. અને આ આદતો સાથે એવા માણસો કોલસા જેવા બની જાય.</p>
<p>આપણે દૂધ જેવા ગુણિયલ લોકો.</p>
<p>કોલસા જેવા અવગુણી લોકોથી આપણે દૂર રહેવું જોઈએ. આવા લોકો હંમેશા ઉપાદી જ નોતરે અને એ તો ઉપાદીમાં પડે જ પડે આપણને પણ પાડે. </p>
<p>હું એમ કહીશ કે સાકર જેવા ગુણિયલ લોકોની સાથે જીવો જે પોતાનું ગળપણ રૂપી સારા વિચારો, સારી આવડત, સારા સંસ્કાર અને સારા વ્યવહારના ગુણો લઈને દૂધમાં સાકર ભળી સફેદ થઈ જાય તેમ આપના જીવનમાં પણ સદ્ગુણ સાથે ભળે.</p>
<p>જો જો પાછા વધુ ગળ્યા લોકોથી ચેતીને રેહવું હો. ખોરાક હોય કે સબંધો ગળપણ સપ્રમાણ સારું એનું ધ્યાન તકેદારી રાખવી.</p>
<p>અગત્યનું:</p>
<p>સંગત કોલસા જેવા અવગુણી સ્વભાવના લોકો સાથે ન રાખશો. સાકરની જેમ જ દૂધમાં ભળી જનારા સરળ લોકો સાથે જ સબંધો રાખજો તો જીવન સંસ્કારી અને સુખમય રેહશે.</p>
<p>(સુદામા)</p>]]></content:encoded>
                
                                                            <category>Lifestyle</category>
                                    

                <link>https://www.khabarchhe.com/lifestyle/coal-does-not-turn-white-if-it-is-mixed-with-milk/article-163082</link>
                <guid>https://www.khabarchhe.com/lifestyle/coal-does-not-turn-white-if-it-is-mixed-with-milk/article-163082</guid>
                <pubDate>Fri, 26 Apr 2024 12:49:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-04/1714115919ud.jpg"                         length="656574"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[UD]]></dc:creator>
                            </item>
            <item>
                <title>આ સોરી કહેનારાઓથી બચીને રહેજો</title>
                                    <description><![CDATA[<p><strong>(Utkarsh Patel)</strong> ક્ષમાયાચના! હૃદયથી ક્ષમા માંગનાર ગમે તેવી ભૂલ કરે એને માફ કરી શકાય. કોઇ વ્યક્તિ એમનાથી જાણ્યે અજાણ્યે થયેલી ભૂલ માટે હૃદયથી માફી માંગે એ વાતને માન આપવું જોઈએ. એ સોરી એટલે કે હૃદયથી નીકળેલો પસ્તાવો. માફ કરી દેવાય આવા હૃદયભાવ વાળા વ્યક્તિઓને.</p>
<p>એક બીજા પ્રકારનું પણ સોરી આવે છે જેની આજે વાત કરીએ.</p>
<p>મગજની બુદ્ધિથી કહેવાતું સોરી.</p>
<p>કેવા હોય આ બુદ્ધિના સોરી?</p>
<p>આવા...</p>
<p>- કોઈકના પર તમને ખૂબ વ્હાલ હોય વિશ્વાસ હોય અને તમારા સંકટના સમયમાં સોરી કહીને ખસી જનારા.</p>
<p>- કોઈકના ભરોસે તમે અગત્યના નિર્ણય લીધા હોય અને જરૂરના સમયે તમને સોરી કહી દેનારા.</p>
<p>આ પ્રકારના સોરી</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/lifestyle/avoid-these-kind-of-people-who-said-sorry/article-163059"><img src="https://www.khabarchhe.com/media/400/2024-04/1714034372ud.jpg" alt=""></a><br /><p><strong>(Utkarsh Patel)</strong> ક્ષમાયાચના! હૃદયથી ક્ષમા માંગનાર ગમે તેવી ભૂલ કરે એને માફ કરી શકાય. કોઇ વ્યક્તિ એમનાથી જાણ્યે અજાણ્યે થયેલી ભૂલ માટે હૃદયથી માફી માંગે એ વાતને માન આપવું જોઈએ. એ સોરી એટલે કે હૃદયથી નીકળેલો પસ્તાવો. માફ કરી દેવાય આવા હૃદયભાવ વાળા વ્યક્તિઓને.</p>
<p>એક બીજા પ્રકારનું પણ સોરી આવે છે જેની આજે વાત કરીએ.</p>
<p>મગજની બુદ્ધિથી કહેવાતું સોરી.</p>
<p>કેવા હોય આ બુદ્ધિના સોરી?</p>
<p>આવા...</p>
<p>- કોઈકના પર તમને ખૂબ વ્હાલ હોય વિશ્વાસ હોય અને તમારા સંકટના સમયમાં સોરી કહીને ખસી જનારા.</p>
<p>- કોઈકના ભરોસે તમે અગત્યના નિર્ણય લીધા હોય અને જરૂરના સમયે તમને સોરી કહી દેનારા.</p>
<p>આ પ્રકારના સોરી કહી દેનારા લોકોથી બચીને રહેવું જોઈએ. પરખ કરીને જ કોઈકની પાસે સથવારા કે સહયોગની આશા રાખજો.</p>
<p>મારી વાત... હું ક્યારેય કોઈકના ભરોસે કે કોઈકની આશામાં કંઈ જ નિર્ણય લેતો નથી એટલે આવા લોકોને ખોટી આશાઓ આપનારા અને મગજથી સોરી કહેનારાઓ મારી આસપાસ ભટકતા જ નથી.</p>
<p>તમે તમારી આસપાસ નજર દોડાવી આવા ખરા સમયે સોરી કહી દેનારા અને કહી શકનારા મગજવાળા લોકોને બને તેટલા જલ્દી ઓળખી કાઢો અને રામ રામ કરી દો. સંબંધો કાપવાના નથી બસ એમની સાથેની લાગણીઓને રામ રામ કહી દો.</p>
<p>શોધો શોધો મગજથી સોરી કહી શકનારાઓને.</p>
<p>મગજ વાળા હૃદય વાળાને સોરી કહીને છેતરી જતા હોય છે.</p>
<p>અગત્યનું:</p>
<p>કોઈની પાસે આશાઓ રાખશો નહીં કેમ કે આપણને નથી ખબર કે કોણ કયા લક્ષ્ય અને આશા અપેક્ષા સાથે સબંધ રાખી રહ્યું છે. કોઈકનાથી નિરાશ થવા કરતા આશા નહીં રાખીને જાત મહેનત કરી લેવી વધુ સારી.</p>]]></content:encoded>
                
                                                            <category>Lifestyle</category>
                                    

                <link>https://www.khabarchhe.com/lifestyle/avoid-these-kind-of-people-who-said-sorry/article-163059</link>
                <guid>https://www.khabarchhe.com/lifestyle/avoid-these-kind-of-people-who-said-sorry/article-163059</guid>
                <pubDate>Thu, 25 Apr 2024 14:11:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-04/1714034372ud.jpg"                         length="686910"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[UD]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        