<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.khabarchhe.com/post/default/router-v2?type=author&id=19" rel="self" type="application/rss+xml" />
                <generator>Khabarchhe RSS Feed Generator</generator>
                <title>Gautam Purohit - Khabarchhe</title>
                <link>https://www.khabarchhe.com/author/19/rss</link>
                <description>Gautam Purohit RSS Feed</description>
                
                            <item>
                <title>ગુજરાતની મહિલાઓએ છેલ્લા 20 વર્ષમાં પુરુષોને એક મામલે હરાવી દીધા</title>
                                    <description>
                        <![CDATA[<p>ગુજરાતમાં આરોગ્યની સુવિધા સુધરતાં અને મેડીકલમાં નવી ટેકનોલોજીનો સમન્વય કરતાં લોકોનું આયુષ્ય સુધર્યું છે. છેલ્લા 20 વર્ષમાં આયુષ્યમાં ચોંકાવનારો વધારો થયો છે. છેલ્લા આરોગ્ય સર્વે રિપોર્ટ પ્રમાણે પુરૂષ કરતાં મહિલાના આયુષ્યમાં વધારો જોવા મળ્યો છે. આરોગ્ય વિભાગે પુરૂષનું આયુષ્ય 70.7 વર્ષનું નિયત કર્યું છે જ્યારે મહિલાનું આયુષ્ય 73.7 દર્શાવ્યું છે.</p>
<p>એક સમય હતો જ્યારે મહિલાના આયુષ્ય કરતાં પુરૂષનું આયુષ્ય વધારે જોવા મળતું હતું પરંતુ 20 વર્ષમાં મોટો બદલાવ આવ્યો છે. 2011 થી 2015 સુધીમાં પુરૂષના આયુષ્યમાં બે વર્ષનો અને મહિલાના આયુષ્યમાં 1.5 વર્ષનો વધારો જોવા મળ્યો હતો.</p>
<p>રાજ્યના આરોગ્યના માપદંડના આધારે 2016 થી 2020ના ગાળા દરમ્યાન પુરૂષનું આયુષ્ય 70.7 અને</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/gujarat-women-beat-man/article-130932"><img src="https://www.khabarchhe.com/media/400/2024-11/1645869103gujarati.jpg" alt=""></a><br /><p>ગુજરાતમાં આરોગ્યની સુવિધા સુધરતાં અને મેડીકલમાં નવી ટેકનોલોજીનો સમન્વય કરતાં લોકોનું આયુષ્ય સુધર્યું છે. છેલ્લા 20 વર્ષમાં આયુષ્યમાં ચોંકાવનારો વધારો થયો છે. છેલ્લા આરોગ્ય સર્વે રિપોર્ટ પ્રમાણે પુરૂષ કરતાં મહિલાના આયુષ્યમાં વધારો જોવા મળ્યો છે. આરોગ્ય વિભાગે પુરૂષનું આયુષ્ય 70.7 વર્ષનું નિયત કર્યું છે જ્યારે મહિલાનું આયુષ્ય 73.7 દર્શાવ્યું છે.</p>
<p>એક સમય હતો જ્યારે મહિલાના આયુષ્ય કરતાં પુરૂષનું આયુષ્ય વધારે જોવા મળતું હતું પરંતુ 20 વર્ષમાં મોટો બદલાવ આવ્યો છે. 2011 થી 2015 સુધીમાં પુરૂષના આયુષ્યમાં બે વર્ષનો અને મહિલાના આયુષ્યમાં 1.5 વર્ષનો વધારો જોવા મળ્યો હતો.</p>
<p>રાજ્યના આરોગ્યના માપદંડના આધારે 2016 થી 2020ના ગાળા દરમ્યાન પુરૂષનું આયુષ્ય 70.7 અને મહિલાનું આયુષ્ય 73.7 નિયત કરવામાં આવ્યું છે, એટલે કે 10 વર્ષમાં પુરૂષના આયુષ્યમાં ત્રણ વર્ષ અને મહિલાના આયુષ્યમાં બે વર્ષનો વધારો જોવા મળ્યો છે. આરોગ્ય વિભાગનો દાવો છે કે એકમાત્ર ગુજરાત એવું રાજ્ય છે કે જ્યાં આરોગ્ય સેવાઓમાં 100 ટકા કવરેજ પ્રાપ્ત થાય છે.</p>
<p>ગુજરાતમાં 366 સામૂહિક આરોગ્ય કેન્દ્ર, 1425 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ 9063 જેટલા પેટાકેન્દ્રો આવેલા છે જે ગ્રામ્ય વિસ્તારમાં ફેલાયેલા છે. આરોગ્ય વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે પહેલાં પાણીજન્ય રોગ જેવાં કે ટાઇફોઇડ, કોલેરા, કમળો અને ઝાડા-ઉલ્ટીના કારણે દર્દીના મોતનો આંકડો વધતો હતો પરંતુ હવે દર્દીનું મોત થતું નથી.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Health</category>
                                            <category>Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/gujarat-women-beat-man/article-130932</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/gujarat-women-beat-man/article-130932</guid>
                <pubDate>Fri, 01 Nov 2024 21:31:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-11/1645869103gujarati.jpg"                         length="224983"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Gautam Purohit]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>ગુજરાતીઓની કમાણી ઘટી છતા દેશમાં સૌથી વધારે કમાય છે</title>
                                    <description>
                        <![CDATA[<p>ગુજરાતમાં માથાદીઠ આવક બજાર ભાવે 160028 રૂપિયા અંદાજવામાં આવી હતી જે ગયા વર્ષની સરખામણીએ ચોંકાવનારો ઘટાડો દર્શાવે છે. આવક ઘટવાના અનેક કારણો સાથે કોરોના સંક્રમણ પણ જવાબદાર હોઇ શકે છે. ગયા વર્ષે માથાદીઠ આવક 164310 રૂપિયા હતી જેમાં 2.6 ટકા એટલે કે 4282 રૂપિયા ઓછી જોવા મળી છે. જો કે ભારતની કુલ માથાદીઠ આવકની સરખામણીએ ગુજરાતની આવક વધુ જોવા મળી છે. ભારતમાં ચાલુ ભાવે માથાદીઠ આવક 150326 રૂપિયા જોવા મળી છે.</p>
<p>ગુજરાત સરકારની 2021-22ની સામાજીક આર્થિક સમીક્ષાના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે કૃષિ અને ઔદ્યોગિક સ્થિતિ એકંદરે માઇનસમાં જોવા મળી છે. રાજ્યમાં અનાજના ઉત્પાદનમાં વધારો થયો છે જ્યારે કપાસ અને તેલીબિયાંના ઉત્પાદનમાં</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/income-of-gujaratis-down-but-more-than-national-average/article-131675"><img src="https://www.khabarchhe.com/media/400/2024-11/1687069309500_notes.jpg" alt=""></a><br /><p>ગુજરાતમાં માથાદીઠ આવક બજાર ભાવે 160028 રૂપિયા અંદાજવામાં આવી હતી જે ગયા વર્ષની સરખામણીએ ચોંકાવનારો ઘટાડો દર્શાવે છે. આવક ઘટવાના અનેક કારણો સાથે કોરોના સંક્રમણ પણ જવાબદાર હોઇ શકે છે. ગયા વર્ષે માથાદીઠ આવક 164310 રૂપિયા હતી જેમાં 2.6 ટકા એટલે કે 4282 રૂપિયા ઓછી જોવા મળી છે. જો કે ભારતની કુલ માથાદીઠ આવકની સરખામણીએ ગુજરાતની આવક વધુ જોવા મળી છે. ભારતમાં ચાલુ ભાવે માથાદીઠ આવક 150326 રૂપિયા જોવા મળી છે.</p>
<p>ગુજરાત સરકારની 2021-22ની સામાજીક આર્થિક સમીક્ષાના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે કૃષિ અને ઔદ્યોગિક સ્થિતિ એકંદરે માઇનસમાં જોવા મળી છે. રાજ્યમાં અનાજના ઉત્પાદનમાં વધારો થયો છે જ્યારે કપાસ અને તેલીબિયાંના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે. રાજ્યમાં 2019-20ના વર્ષમાં અનાજનું ઉત્પાદન 95.73 લાખ ટન થયું હતું જે વધીને 2020-21માં 102.92 લાખ ટન થયું છે. બીજી તરફ કપાસનું ઉત્પાદન 86.24 લાખ ગાંસડી થી ઘટીને 72.17 લાખ ગાંસડી અને તેલીબિયાંનું ઉત્પાદન 66.52 લાખ ટનથી ઘટીને 62.30 લાખ ટન થયું છે.</p>
<p>રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં બાગાયતી પાકોના ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. બે વર્ષના તુલનાત્મક અભ્યાસ પ્રમાણે ફળોનું ઉત્પાદન 93.61 લાખ ટન થી ઘટીને 82.51 લાખ ટન, મસાલા પાકોનું ઉત્પાદન 10.96 લાખ ટન થી ઘટીને 11.99 લાખ ટન તેમજ ફુલોનું ઉત્પાદન 1.96 લાખ ટન થી ઘટીને 1.89 લાખ ટન થયું છે. જો કે શાકભાજીના ઉત્પાદનમાં વધારો થયો છે. બે વર્ષની તુલનાએ શાકભાજીનું ઉત્પાદન અનુક્રમે 132.30 લાખ ટન અને 154.11 લાખ ટન રહ્યું છે.</p>
<p> દેશની કુલ વસતીના ફક્ત 4.99 ટકા હિસ્સો ધરાવતું ગુજરાત રાષ્ટ્રના ઘરગથ્થું ઉત્પાદનમાં 8.36 ટકાનો હિસ્સો ધરાવે છે. દેશની કુલ નિકાસના 20 ટકા સાથે રાજ્ય અગ્રેસર રહ્યું છે. બીજી તરફ દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 17.44 ટકા છે જ્યારે બિન પરંપરાગત ઉર્જામાં 12.09 ટકા હિસ્સો ધરાવે છ ગુજરાતમાં માથાદીઠ વીજ વપરાશ 2143 કેવીએચ થયો છે. સમગ્ર દેશમાં દૂધ ઉત્પાદનમાં ચોથું સ્થાન જાળવી રાખ્યું છે.</p>
<p> </p>]]>
                    </content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Gujarat</category>
                                            <category>Money</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/income-of-gujaratis-down-but-more-than-national-average/article-131675</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/income-of-gujaratis-down-but-more-than-national-average/article-131675</guid>
                <pubDate>Fri, 01 Nov 2024 20:31:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-11/1687069309500_notes.jpg"                         length="74652"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Gautam Purohit]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>માણસોની જેમ આપણી જમીન પણ બીમાર પડે છે</title>
                                    <description>
                        <![CDATA[<p>જમીનની ફળદ્રુપતા ગુમાવવાની ખોટ સમગ્ર રાષ્ટ્રને ચૂકવવી પડે છે. ઉજ્જડ જમીનોને કારણે પાકનું ઉત્પાદન ઘટે છે, જેના કારણે ખેડૂતોની આવકમાં ઘટાડો થાય છે. દેશની સ્થિતિ નબળી પડે છે. રાષ્ટ્રીય કૃષિ આવકમાં ઘટાડો થાય છે.</p>
<p>માણસોની જેમ આપણી જમીન પણ બીમાર પડે છે. છોડને સામાન્ય રીતે તેમની વૃદ્ધિ માટે 17 પોષક તત્વોની જરૂર પડે છે. પોષક તત્વોની ઉણપ થાય છે. એસિડિક, ખારી અને ક્ષારયુક્ત જમીન પર પાણીનો ભરાવો એ જમીનના મુખ્ય રોગો છે.</p>
<p>ઘણા વિસ્તારોમાં પાકની ઉત્પાદકતા ઘટી રહી છે અથવા અટકી રહી છે.સ્વતંત્રતા સમયે,  જમીનમાં મુખ્યત્વે નાઈટ્રોજનની અછત હતી. પરંતુ આધુનિક ખેતીને કારણે 10 પોષક તત્વોની અછત સર્જાઈ છે. છોડની</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.khabarchhe.com/agriculture/land-also-falls-ill-like-humans/article-133709"><img src="https://www.khabarchhe.com/media/400/2024-01/16478663901.jpg" alt=""></a><br /><p>જમીનની ફળદ્રુપતા ગુમાવવાની ખોટ સમગ્ર રાષ્ટ્રને ચૂકવવી પડે છે. ઉજ્જડ જમીનોને કારણે પાકનું ઉત્પાદન ઘટે છે, જેના કારણે ખેડૂતોની આવકમાં ઘટાડો થાય છે. દેશની સ્થિતિ નબળી પડે છે. રાષ્ટ્રીય કૃષિ આવકમાં ઘટાડો થાય છે.</p>
<p>માણસોની જેમ આપણી જમીન પણ બીમાર પડે છે. છોડને સામાન્ય રીતે તેમની વૃદ્ધિ માટે 17 પોષક તત્વોની જરૂર પડે છે. પોષક તત્વોની ઉણપ થાય છે. એસિડિક, ખારી અને ક્ષારયુક્ત જમીન પર પાણીનો ભરાવો એ જમીનના મુખ્ય રોગો છે.</p>
<p>ઘણા વિસ્તારોમાં પાકની ઉત્પાદકતા ઘટી રહી છે અથવા અટકી રહી છે.સ્વતંત્રતા સમયે,  જમીનમાં મુખ્યત્વે નાઈટ્રોજનની અછત હતી. પરંતુ આધુનિક ખેતીને કારણે 10 પોષક તત્વોની અછત સર્જાઈ છે. છોડની વૃદ્ધિ અને ઉપજને ઉપજ ઘટી રહી છે.</p>
<p>નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશનો આદર્શ ગુણોત્તર બગડ્યો છે. ખાતરોના અસંતુલિત ઉપયોગથી આ સમસ્યા વધી છે.83 ટકાથી વધુ જમીનમાં નાઈટ્રોજનની ઉણપ જોવા મળે છે. ફોસ્ફરસનું સ્તર મધ્યમ અને પોટાશનું સ્તર યોગ્ય જણાયું છે. જમીનમાં 39.1% માં સલ્ફર, 34% માં ઝીંક, 31% માં આયર્ન, 22.6% માં બોરોન, 4.8% માં તાંબુ છે. અન્ય વિકારોના કારણે પણ પાકની ઉપજ ઘટે છે. દેશની લગભગ 6.73 મિલિયન હેક્ટર જમીનમાં ક્ષાર અને આલ્કલીનું પ્રમાણ વધુ છે.</p>
<p>22 કરોડ 56 લાખ ખેડૂતોને કાર્ડ છે. દર ત્રણ વર્ષે તેમના ખેતરની માટીનું પરીક્ષણ કરાવવું જોઈએ. સોઈલ હેલ્થ કાર્ડ બાદ ખાતરના વપરાશમાં 8 થી 10 ટકાનો ઘટાડો અને પાકની ઉપજમાં 5-6 ટકાનો વધારો થયો છે.</p>
<p>ગુજરાતમાં કુલ 1733000 ટન રાસાયણીક ખાતર વપરાય છે.  નાઈટ્રોઝન 1183000 ટન, ફોસ્ફરસ 417000 ટન, યુરિયા-કે 132000 ટન ખાતર વપરાય છે. </p>
<p>ખેડૂતો ખેતરમાં નાઈટ્રોજન - યુરિયા ખાતર રસાયણ તરીકે નાંખે છે તેમાં માત્ર 25 ટકા વપરાય છે. 75 ટકા યુરિયા તો વેડફાઈ જાય છે. વર્ષે 5થી 6 હજાર કરોડના નાઈટ્રોજન રસાયણ વપરાય છે. જેમાંથી 75 ટકા નકામું જાય છે.</p>
<p>ખાતર નખાય છે તેમાં કૃષિ પાક 25 ટકા જ વાપરે છે. બાકીનું રસાયણ જમીનની અંદર ઉતરે છે. વરસાદમાં જતુ રહે છે કાંતો હવામાં ઉડી જાય છે. તેનો સીધો મતલબ કે 1250 કરોડનું વપરાય છે અને 3750 કરોડનું યુરિયા પાણી સાથે વહી જાય છે. તમામ ખાતરનો બગાડ ગણવામાં આવે તો વર્ષે 25 હજાર કરોડના રસાયણીક ખાતરના વપરાશમાં 20 હજાર કરોડ ધોવાય જાય છે. ખેડૂત દીઠ 40થી 50 હજાર રુપિયા વેડફાય છે.</p>
<p>યુરિયા પર સબસિડીને 1500થી વધારીને 2 હજાર રૂપિયા કરી છે. દેશમાં રવિ સિઝનમાં 28 હજાર કરોડ રૂપિયા ખાતરની સબસિડી આપે છે. ખેડૂત દીઠ 40-50 હજારનું ખાતર નકામું થઈ જાય છે.</p>
<p>ગુજરાતમાં 10 લાખ ટન યુરિયા વપરાય છે. સરકાર રૂપિયા 3 હજાર કરોડની સબસિડી આપે છે. આમ ગુજરાતમાં રૂપિયા 6 હજાર કરોડના યુરિયા ખેડૂતો વાપરે છે.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Business</category>
                                            <category>Agriculture</category>
                                            <category>Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/agriculture/land-also-falls-ill-like-humans/article-133709</link>
                <guid>https://www.khabarchhe.com/agriculture/land-also-falls-ill-like-humans/article-133709</guid>
                <pubDate>Sat, 27 Jan 2024 10:45:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-01/16478663901.jpg"                         length="255991"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Gautam Purohit]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>રાજ્યમાં ત્રીજી વ્યક્તિએ એક ટુ-વ્હિલર અને 17મી વ્યક્તિએ એક મોટરકાર છે</title>
                                    <description>
                        <![CDATA[<p>ગુજરાત સંપૂર્ણપણે વાઇફાઇ તો થયું નથી પરંતુ હાઇ-ફાઇ જરૂર થયું છે. સરકારના મફત કે ચાર્જેબલ વાઇફાઇની લોકોને હવે જરૂર નથી પરંતુ હાઇફાઇ થવા માટે ગાડીની જરૂર છે. રાજ્યની આરટીઓ કચેરીમાં હવે દ્વિચક્રી વાહનોની સાથે મોટરકારની સંખ્યા પણ વધતી જાય છે. એવું કહી શકાય કે પ્રત્યેક ત્રીજી વ્યક્તિએ એક ટુ-વ્હિલર અને 17મી વ્યક્તિએ એક મોટરકાર છે.</p>  <p>મોટરકારનું મેન્ટેનન્સ મોંઘું પડી રહ્યું છે તે જોતાં હજી પણ ટુ-વ્હિલરનો ક્રેઝ ઓછો થયો નથી. માર્કેટમાં હવે ગિયરલેસ વાહનોનું આગમન થતાં દ્વિચક્રી વાહનોની સંખ્યા વધીને 2,02,07,808 થઇ છે, જે ગયા વર્ષે 19545553 હતી. જ્યારે ઓટોરિક્ષાની સંખ્યા વધીને 910493 થઇ છે.</p>  <p>પેટ્રોલ અને ડીઝલના પ્રતિદિન વધતા</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.khabarchhe.com/-tech---auto/every-third-person-has-two-wheeler-and-17th-have-car-in-guajrat/article-131922"><img src="https://www.khabarchhe.com/media/400/2022-07/1647079729traffic.jpg" alt=""></a><br /><p>ગુજરાત સંપૂર્ણપણે વાઇફાઇ તો થયું નથી પરંતુ હાઇ-ફાઇ જરૂર થયું છે. સરકારના મફત કે ચાર્જેબલ વાઇફાઇની લોકોને હવે જરૂર નથી પરંતુ હાઇફાઇ થવા માટે ગાડીની જરૂર છે. રાજ્યની આરટીઓ કચેરીમાં હવે દ્વિચક્રી વાહનોની સાથે મોટરકારની સંખ્યા પણ વધતી જાય છે. એવું કહી શકાય કે પ્રત્યેક ત્રીજી વ્યક્તિએ એક ટુ-વ્હિલર અને 17મી વ્યક્તિએ એક મોટરકાર છે.</p>  <p>મોટરકારનું મેન્ટેનન્સ મોંઘું પડી રહ્યું છે તે જોતાં હજી પણ ટુ-વ્હિલરનો ક્રેઝ ઓછો થયો નથી. માર્કેટમાં હવે ગિયરલેસ વાહનોનું આગમન થતાં દ્વિચક્રી વાહનોની સંખ્યા વધીને 2,02,07,808 થઇ છે, જે ગયા વર્ષે 19545553 હતી. જ્યારે ઓટોરિક્ષાની સંખ્યા વધીને 910493 થઇ છે.</p>  <p>પેટ્રોલ અને ડીઝલના પ્રતિદિન વધતા જતાં ભાવ વચ્ચે સસ્તુ અને સરળ સાધન ટુ-વ્હિલર માનવામાં આવે છે. ટૂંકા અંતરની સફારીમાં પરિવારના સભ્યો બાઇકને વધારે પસંદ કરે છે. આંકડા જોતાં કહી શકાય કે આજે દર ત્રણ વ્યક્તિએ એક વ્યક્તિ પાસે દ્નિચક્રી મોજૂદ છે.</p>  <p>ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં વાહનોની સંખ્યા 2.67 કરોડથી વધીને 2.77 કરોડ થઇ છે. એક વર્ષમાં 10 લાખ વાહનો વધી ગયા છે. વાહનોની આ રફતાર રહી તો આવનારા બે વર્ષમાં વાહનોની સંખ્યા 3 કરોડ થઇ જવાની ધારણા છે. ગુજરાતમાં ભારે વાહનોની સંખ્યા 13.21 લાખ છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2022-07/16397405325.jpg" alt=""></img></p>  <p>રાજ્યમાં 2019-20માં મોટરકારની સંખ્યા 34,45,152 હતી તે વધીને 2020-21ના અંતે 3654119 થવા જાય છે. એક વર્ષમાં મોટરકારની સંખ્યામાં બે લાખનો વધારો થયો છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગના આંકડા પ્રમાણે ગુજરાતની સડકો ઉપર 2.77 કરોડ વાહનો ફરી રહ્યાં છે.</p>  <p>ગુજરાતમાં આશ્ચર્યની બાબત તો એ છે કે 1961ની સાલમાં ગુજરાતમાં માત્ર 8132 ટુ-વ્હિલર હતા જે 2020-21માં વધીને 2.02 કરોડ થઇ ગયા છે. વાહન વ્યવહાર કમિશનરે બહાર પાડેલા એક રિપોર્ટમાં જણાવાયું છે કે રાજ્યમાં 1980માં કુલ વાહનોની સંખ્યા 4.58 લાખ હતી જે 10 વર્ષમાં એટલે કે 1990માં વધીને 18.40 લાખ થયા હતા. વાહનોની ખરીદીમાં સૌથી મોટો ઉછાળો 2010માં આવ્યો અને તે વર્ષમાં વાહનોની સંખ્યા એક કરોડને પાર થઇ ચૂકી હતી.</p>  <p>ગુજરાતના લોકોની આવકમાં વધારો થતાં ટુ-વ્હિલરની સાથે સાથે પરિવારો કારના શોખ ધરાવતા થયા છે. 1980માં ગુજરાતમાં માત્ર 52817 નોંધાયેલી કાર હતી. આજે કારની સંખ્યા 36.54 લાખને પાર છે. ઇન્ટરેસ્ટીંગ બાબત એવી છે કે રાજ્યમાં વાહનોની સંખ્યા આટલા વર્ષોમાં કદી ઘટી નથી. સૌથી વધુ વાહનો વધવાની કેટેગરીમાં પ્રથમ દ્વિચક્રી અને ત્યારબાદ મોટરકાર આવે છે.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Science</category>
                                            <category> Tech and Auto</category>
                                            <category>Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/-tech---auto/every-third-person-has-two-wheeler-and-17th-have-car-in-guajrat/article-131922</link>
                <guid>https://www.khabarchhe.com/-tech---auto/every-third-person-has-two-wheeler-and-17th-have-car-in-guajrat/article-131922</guid>
                <pubDate>Tue, 12 Jul 2022 10:41:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2022-07/1647079729traffic.jpg"                         length="121408"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Gautam Purohit]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>સુરત મેટ્રો માટે જર્મનીએ આપ્યા 3664 કરોડ, ડાયમંડ અને ટેક્સટાઇલ કોરીડોર બનશે</title>
                                    <description>
                        <![CDATA[<p>ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર પછી સુરતમાં મેટ્રોરેલ શરૂ થઇ રહી છે. આ પ્રોજેક્ટ માટે જર્મન કંપનીએ લોન સહાય આપી છે. સુરતમાં મેટ્રોરેલનો ટ્રેક 40.35 કિલોમીટર નિયત કરવામાં આવ્યો છે. સુરતમાં બે તબક્કામાં આ પ્રોજેક્ટ શરૂ થવાનો છે. જર્મન ધિરાણકર્તાએ 442.26 મિલિયન યુરો એટલે કે 3464 કરોડ રૂપિયાની લોન સહાય આપી છે.</p>  <p>ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (જીએમઆરસી) એ જણાવ્યું હતું કે સુરતની મેટ્રો રેલના પ્રોજેક્ટમાં કુલ ખર્ચ 12020.32 કરોડ રૂપિયા થવાનો છે જે પૈકી 5434.25 કરોડનું ધિરાણ લોન દ્વારા કરવાનું થાય છે. ફ્રેન્ચ ડેવલપમેન્ટ બેન્ક 250 મિલિયન યુરો એટલે કે 1970 કરોડ રૂપિયાનું ભંડોળ પુરૂં પાડશે, જ્યારે કેએફડબલ્યુ પાસેથી 3464 કરોડ</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/germany-give-rs-3664-crore-for-surat-metro-diamond-and-textile-corridor-will-be-there/article-135506"><img src="https://www.khabarchhe.com/media/400/2022-06/1651739421surat_metro.jpg" alt=""></a><br /><p>ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગર પછી સુરતમાં મેટ્રોરેલ શરૂ થઇ રહી છે. આ પ્રોજેક્ટ માટે જર્મન કંપનીએ લોન સહાય આપી છે. સુરતમાં મેટ્રોરેલનો ટ્રેક 40.35 કિલોમીટર નિયત કરવામાં આવ્યો છે. સુરતમાં બે તબક્કામાં આ પ્રોજેક્ટ શરૂ થવાનો છે. જર્મન ધિરાણકર્તાએ 442.26 મિલિયન યુરો એટલે કે 3464 કરોડ રૂપિયાની લોન સહાય આપી છે.</p>  <p>ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (જીએમઆરસી) એ જણાવ્યું હતું કે સુરતની મેટ્રો રેલના પ્રોજેક્ટમાં કુલ ખર્ચ 12020.32 કરોડ રૂપિયા થવાનો છે જે પૈકી 5434.25 કરોડનું ધિરાણ લોન દ્વારા કરવાનું થાય છે. ફ્રેન્ચ ડેવલપમેન્ટ બેન્ક 250 મિલિયન યુરો એટલે કે 1970 કરોડ રૂપિયાનું ભંડોળ પુરૂં પાડશે, જ્યારે કેએફડબલ્યુ પાસેથી 3464 કરોડ મેળવાશે.</p>  <p>કોર્પોરેશને જણાવ્યું હતું કે સુરતની મેટ્રો રેલ 2024 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. સુરતની નવી ઓળખ બનવા જઇ રહેલા મેટ્રો રેલ પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. સરથાણા થી ડ્રીમ સિટી અને ભેંસાણ થી સારોલીને જોડતા બે રૂટ પર મેટ્રો રેલનું આયોજન કરવામાં આવ્યું છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2022-06/16472653333.jpg" alt=""></img></p>  <p>સરથાણાથી ડ્રીમ સિટી સુધીના રૂટને ડાયમન્ડ કોરિડોર તરીકે જ્યારે ભેંસાણથી સારોલી રૂટને ટેક્સટાઇલ કોરિડોર તરીકે ઓળખ આપવામાં આવશે. સરથાણાથી કાપોદ્રા લાભેશ્વર ચોક, લાંબા હનુમાન રોડથી સુરત રેલવે સ્ટેશન થઈને હાઈવે થઈને, મજુરાગેટથી અલથાણ ગામ થઈને ડ્રીમ સિટી સુધી મેટ્રો દોડાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં 21.61 કિમીના રૂટ પર હીરાના કારખાના આવેલા છે. આ રૂટનો એક છેડો ડાયમન્ડનું હબ બનવા જઈ રહેલા ડ્રીમ સિટીમાં પૂર્ણ થઈ રહ્યો છે. આ કોરિડોરને ડાયમંડ કોરિડોર તરીકે વિશેષ ઓળખ આપશે. તેને ડાયમંડ કોરિડોર તરીકે લોકપ્રિય કરવામાં આવશે.</p>  <p>મેટ્રોના બીજા તબક્કામાં ભેંસાણથી સારોલીને જોડતો 18.84 કિમીનો રૂટ વિકસાવવામાં આવશે. આ માર્ગ પર ઉધના દરવાજાથી આગળ કમેલા દરવાજા, અંજના ફાર્મ, મોડલ ટાઉન અને મગોબ એક્સ્ટેંશનના ઘણા ટેક્સટાઇલ માર્કેટ આવેલા છે. આ કોરિડોર નંબર 2 એટલે કે ભેસાણથી સારોલી રૂટના ટેક્સટાઇલ કોરિડોર તરીકે ઓળખાશે, જેથી આ પ્રોજેક્ટ સાકાર થતા જ તેને સુરતની ઓળખ સમાન ડાયમંડ કોરિડોર અને ટેક્સટાઇલ કોરિડોર નામ આપીને સુરત શહેર સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                            <category>Infrastructure</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/germany-give-rs-3664-crore-for-surat-metro-diamond-and-textile-corridor-will-be-there/article-135506</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/germany-give-rs-3664-crore-for-surat-metro-diamond-and-textile-corridor-will-be-there/article-135506</guid>
                <pubDate>Fri, 17 Jun 2022 08:31:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2022-06/1651739421surat_metro.jpg"                         length="196487"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Gautam Purohit]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>ગુજરાતમાં ટેલિકોમ કંપનીઓએ મોટો ફટકો, લોકો કનેક્શન કપાવી રહ્યા છે</title>
                                    <description>
                        <![CDATA[<p>ગુજરાતમાં બે મોબાઇલ કનેક્શન રાખવાની જગ્યાએ લોકો હવે બીજું કનેક્શન સરંડર કરી રહ્યાં છે પરિણામે એક વર્ષમાં 30 લાખથી વધુ કનેક્શન ઘટી ગયા છે. જો કે ગુજરાતની વસતીની સરખામણીએ મોબાઇલ કનેક્શનની સંખ્યા જુલાઇ 2021માં 7.03 કરોડ હતી જે ઘટીને 6.70 કરોડ થઇ છે.</p>  <p>બીએસએનલના લેન્ડલાઇન ટેલીફોન સરંડર કરી દેવામાં આવ્યા છે અને રાજ્યમાં મોબાઇલ કનેક્શનની સંખ્યામાં વિક્રમી વધારો થયો છે. જીયો આવવાથી લોકોએ બે કનેક્શન લીધા હતા પરંતુ હવે ધીમે ધીમે લોકો બીજું કનેક્શન બંધ કરાવી રહ્યાં છે. અત્યારે સૌથી વધુ સ્પીડ જીયો પર મળી રહી છે તેથી લોકો તેને પોર્ટ કરાવી રહ્યાં છે.</p>  <p>ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/massive-blow-to-telecom-companies-in-gujarat/article-136710"><img src="https://www.khabarchhe.com/media/400/2022-06/16533074372.jpg" alt=""></a><br /><p>ગુજરાતમાં બે મોબાઇલ કનેક્શન રાખવાની જગ્યાએ લોકો હવે બીજું કનેક્શન સરંડર કરી રહ્યાં છે પરિણામે એક વર્ષમાં 30 લાખથી વધુ કનેક્શન ઘટી ગયા છે. જો કે ગુજરાતની વસતીની સરખામણીએ મોબાઇલ કનેક્શનની સંખ્યા જુલાઇ 2021માં 7.03 કરોડ હતી જે ઘટીને 6.70 કરોડ થઇ છે.</p>  <p>બીએસએનલના લેન્ડલાઇન ટેલીફોન સરંડર કરી દેવામાં આવ્યા છે અને રાજ્યમાં મોબાઇલ કનેક્શનની સંખ્યામાં વિક્રમી વધારો થયો છે. જીયો આવવાથી લોકોએ બે કનેક્શન લીધા હતા પરંતુ હવે ધીમે ધીમે લોકો બીજું કનેક્શન બંધ કરાવી રહ્યાં છે. અત્યારે સૌથી વધુ સ્પીડ જીયો પર મળી રહી છે તેથી લોકો તેને પોર્ટ કરાવી રહ્યાં છે.</p>  <p>ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા બહાર પાડેલા નવીનતમ ટેલિકોમ સબ્સ્ક્રિપ્શન્સ રિપોર્ટ દર્શાવે છે કે, જુલાઈ 2021 માં 7.03 કરોડની સરખામણીમાં માર્ચ 2022 માં ગુજરાતમાં (Gujarat) ગ્રાહકોની સંખ્યા ઘટીને લગભગ 6.70 કરોડ થઈ ગઈ છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2022-06/16492484402.jpg" alt=""></img></p>  <p>ટેલિકોમ ઉદ્યોગના સૂત્ર મુજબ, જુલાઈ પછી, લોકો ધીમે ધીમે ઓફિસોમાં પાછા ફર્યા, વધારાના કનેક્શન્સની જરૂરિયાત ઘટી ગઈ. પરિણામે, તેમાંથી ઘણાએ વધારાના કનેક્શન્સ રિચાર્જ કરવાનું બંધ કર્યું, અને કનેક્શન્સ સાથે પછીના મહિનાઓ દરમિયાન તેની સતત અસર જોવા મળી છે.</p>  <p>ડિસેમ્બરથી ટેલિકોમ ટેરિફમાં પણ 20% નો વધારો થયો છે, જેથી ઘણા લોકોએ વધારાના કનેક્શન્સ દૂર કર્યા છે, જ્યારે અન્ય લોકોએ સસ્તા વિકલ્પોની પસંદગી કરીને કંપની બદલી હતી. ટેરિફ વધવાથી અને ટેલિકોમ ઓપરેટરો આંતરિક મંથન તરફ આગળ વધી રહ્યા છે, સપ્ટેમ્બર 2021 ક્વાર્ટરની સરખામણીમાં ડિસેમ્બર 2021 ક્વાર્ટરમાં ટેલિકોમ કંપનીઓની વપરાશકર્તા દીઠ સરેરાશ આવક 5.6 % વધી છે.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                            <category>Infrastructure</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/massive-blow-to-telecom-companies-in-gujarat/article-136710</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/massive-blow-to-telecom-companies-in-gujarat/article-136710</guid>
                <pubDate>Fri, 17 Jun 2022 00:31:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2022-06/16533074372.jpg"                         length="75348"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Gautam Purohit]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>ગુજરાતની મહિલાઓમાં ડાયાબિટિસનું પ્રમાણ અચાનક વધી ગયું</title>
                                    <description>
                        <![CDATA[<p>ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં ડાયાબિટીશના દર્દીઓ વધી ગયા છે. કોરોના પછી તો આ આંકડો રોકેટગતિએ વધ્યો છે. મહિલાઓ કરતાં પુરૂષોમાં ડાયાબિટીશનના દર્દીઓ વધુ જોવા મળ્યા છે. છેલ્લા ચાર વર્ષમાં આ સંખ્યા બમણી થઇ છે. ચોંકાવનારી બાબત એવી છે કે મહિલાઓમાં ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે.</p>
<p>નેશનલ ફેમિલી હેલ્થ સર્વે પ્રમાણે ગુજરાતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધી છે. 14.8 ટકા મહિલાઓ અને 16.1 ટકા પુરુષોમાં રેન્ડમ બ્લડ સુગરનું પ્રમાણ વધારે છે. સૌથી વધારે ડાયાબિટીસ ધરાવતી મહિલાઓ સાથે કેરળ બધા રાજ્યો કરતાં આગળ છે.</p>
<p>આ સર્વે 2019થી 2021ની વચ્ચે હાથ ધરવામાં આવ્યો હતો. રિપોર્ટ પ્રમાણે, મહિલાઓમાં ઉચ્ચ અને ખૂબ જ ઉચ્ચ રેન્ડમ બ્લડ</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/diabitis-in-increasing-in-women-of-gujarat/article-135908"><img src="https://www.khabarchhe.com/media/400/2022-06/165227865072.jpg" alt=""></a><br /><p>ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં ડાયાબિટીશના દર્દીઓ વધી ગયા છે. કોરોના પછી તો આ આંકડો રોકેટગતિએ વધ્યો છે. મહિલાઓ કરતાં પુરૂષોમાં ડાયાબિટીશનના દર્દીઓ વધુ જોવા મળ્યા છે. છેલ્લા ચાર વર્ષમાં આ સંખ્યા બમણી થઇ છે. ચોંકાવનારી બાબત એવી છે કે મહિલાઓમાં ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે.</p>
<p>નેશનલ ફેમિલી હેલ્થ સર્વે પ્રમાણે ગુજરાતમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધી છે. 14.8 ટકા મહિલાઓ અને 16.1 ટકા પુરુષોમાં રેન્ડમ બ્લડ સુગરનું પ્રમાણ વધારે છે. સૌથી વધારે ડાયાબિટીસ ધરાવતી મહિલાઓ સાથે કેરળ બધા રાજ્યો કરતાં આગળ છે.</p>
<p>આ સર્વે 2019થી 2021ની વચ્ચે હાથ ધરવામાં આવ્યો હતો. રિપોર્ટ પ્રમાણે, મહિલાઓમાં ઉચ્ચ અને ખૂબ જ ઉચ્ચ રેન્ડમ બ્લડ ગ્લુકોઝનું જોવા મળ્યું છે. 2015-16માં કરવામાં આવેલા સર્વેમાં આ પ્રમાણ 5.8 ટકા હતું જ્યારે પુરૂષોમાં 7.6 ટકા જોવા મળ્યું હતું. ચાર વર્ષ પછી બમણો વધારો જોવા મળે છે.</p>
<p>દેશભરમાં, 12.4 ટકા મહિલાઓ અને 14.4 ટકા પુરુષોમાં ઉચ્ચ RBG નોંધાયો હતો. કેરળ સૌથી વધુ 21.4% ડાયાબિટીક મહિલાઓ સાથે આગળ હતું, ત્યારબાદ તમિલનાડુ (18.6%) અને આંધ્રપ્રદેશ (17.4%) છે. પુરુષોની કેટેગરીમાં, ગુજરાત કેરળથી આગળ હતું અને 23.6% પુરુષો ડાયાબિટીસ ધરાવતા હતા, ત્યારબાદ તમિલનાડુ (20%) અને આંધ્રપ્રદેશમાં (19.8%) હતા.</p>
<p>તબીબો જણાવે છે કે માત્ર ગળ્યું ખાવાથી ડાયાબિટીશ થતો નથી પરંતુ તે સાથે તનાવ અને હોર્મોનલ અસંતુલન પણ જવાબદાર છે. હાઇ બ્લડપ્રેશર પણ એક કારણ છે. ડાયાબિટીશમાં પહેલા મહિલાઓની સંખ્યા પ્રમાણમાં ઓછી હતી, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં તેમની સંખ્યામાં પણ વધારો થયો છે.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Health</category>
                                            <category>Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/diabitis-in-increasing-in-women-of-gujarat/article-135908</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/diabitis-in-increasing-in-women-of-gujarat/article-135908</guid>
                <pubDate>Sun, 12 Jun 2022 09:00:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2022-06/165227865072.jpg"                         length="105351"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Gautam Purohit]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>રાજનીતિમાં પરિવર્તન-જનતા આંદોલન કરતી નથી તેથી રાજકીય પાર્ટીઓને જલસા છે</title>
                                    <description>
                        <![CDATA[<p>લોકશાહીમાં પરિવર્તન આવી રહ્યું છે. કોઇપણ ચૂંટણી આવે, હવે મોંઘવારી અને બેકારી ચૂંટણી મુદ્દા રહ્યા નથી. આજે રાજ્ય અને દેશમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ બેકાબૂ બની રહ્યાં છે. દૂધ, શાકભાજી, ખાદ્યતેલ અને જીવન આવશ્યક ચીજવસ્તુઓ મોંઘી થઇ રહી છે છતાં શાસક પક્ષ કે વિપક્ષના પેટનું પાણી પણ હાલતું નથી.</p>
<p>ચૂંટણીમાં જનતાને રૂપાળા ચહેરા દેખાય છે પરંતુ વકરેલી મોંઘવારી નજર સામે આવતી નથી. રાજનીતિ એટલે રાજકીય કાદવ ઉછાળ પ્રવૃત્તિ અને જ્ઞાતિવાદને પ્રોત્સાહન. લોકોની યાતનાને વાચા આપવાનું વિપક્ષ પણ વિસરી ચૂક્યું છે. આયારામ ગયારામની નીતિના કારણે એક રાજકીય નેતા આજે કોંગ્રેસમાં હોય છે અને કાલે ભાજપનો પાલવ પકડે છે.</p>
<p>સત્તા અને</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/change-in-politics-people-protest-in-thing-of-past-political-parties-have-peace/article-137190"><img src="https://www.khabarchhe.com/media/400/2022-06/165390518791.jpg" alt=""></a><br /><p>લોકશાહીમાં પરિવર્તન આવી રહ્યું છે. કોઇપણ ચૂંટણી આવે, હવે મોંઘવારી અને બેકારી ચૂંટણી મુદ્દા રહ્યા નથી. આજે રાજ્ય અને દેશમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ બેકાબૂ બની રહ્યાં છે. દૂધ, શાકભાજી, ખાદ્યતેલ અને જીવન આવશ્યક ચીજવસ્તુઓ મોંઘી થઇ રહી છે છતાં શાસક પક્ષ કે વિપક્ષના પેટનું પાણી પણ હાલતું નથી.</p>
<p>ચૂંટણીમાં જનતાને રૂપાળા ચહેરા દેખાય છે પરંતુ વકરેલી મોંઘવારી નજર સામે આવતી નથી. રાજનીતિ એટલે રાજકીય કાદવ ઉછાળ પ્રવૃત્તિ અને જ્ઞાતિવાદને પ્રોત્સાહન. લોકોની યાતનાને વાચા આપવાનું વિપક્ષ પણ વિસરી ચૂક્યું છે. આયારામ ગયારામની નીતિના કારણે એક રાજકીય નેતા આજે કોંગ્રેસમાં હોય છે અને કાલે ભાજપનો પાલવ પકડે છે.</p>
<p>સત્તા અને સંપત્તિ વચ્ચે રાજનીતિનુ વિભાજન થયું છે. લોકોની આર્થિક સમસ્યા સાથે પાર્ટી કે સરકારને કોઇ લેવાદેવા નથી. કોરોના સંક્રમણના સમયમાં મધ્યમવર્ગીય લાખો પરિવારો ગરીબીની રેખા હેઠળ આવી ચૂક્યાં છે. દેશમાં સંપત્તિવાન અને ગરીબ એમ બે વર્ગ દેખાઇ રહ્યાં છે. મધ્યમવર્ગનો એકડો નિકળી રહ્યો છે. ભૂખમરો અને ખેડૂતોના પ્રશ્નો પણ સમાપ્ત થઇ ચૂક્યાં છે.</p>
<p>ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકીય પાર્ટીઓ પાસે મોંઘવારી અને બેકારી નહીં પણ જ્ઞાતિવાદી અને શક્તિશાળી ઉમેદવારોનો જમાનો આવ્યો છે. જે પાર્ટીમાં શક્તિશાળી ઉમેદવાર હશે તેને લોભ, લાલચ અને ડરથી પોતાના કરી લેવાની હોડ મચી છે. એક સમય હતો જ્યારે કોંગ્રેસના શાસન વખતે ગુજરાતમાં સિંગતેલના ભાવમાં એક રૂપિયાનો વધારો થતો હતો ત્યારે ભાજપના નેતાઓ તેલિયા રાજા અને સરકારની સાંઠગાંઠના આરોપ મૂકીને ગુજરાત બંધનું એલાન આપતા હતા.</p>
<p>ભાજપ વિપક્ષમાં હતો ત્યારે સિંગતેલમાં ભાવવધારાના મુદ્દે ખાડીયાના માર્ગ પર જાહેરમાં પાણીમાં પૂરી તળાતી હતી. આજે મગફળી અને કપાસના વિક્રમ વાવેતર છતાં ખાદ્યતેલના ભાવ આસમાને પહોંચી ગયા છે છતાં શાસક કે વિપક્ષને આ મુદ્દો લાગતો નથી.</p>
<p>વાહનમાં એક લીટર પેટ્રોલ પુરાવો કે ડીઝલ એક સરખું છે. ખાદ્યતેલમાં સિંગતેલ ખાવ કે કપાસિયા, એક જ ભાવે મળે છે. પ્રાઇવેટ નોકરીઓમાં લોકોના પગાર વધતા નથી પરંતુ મોંઘવારી વધે છે. પેટ્રોલિયમ પેદાશોમાં ભાવવધારાના કારણે ઘરના બજેટ છિન્નભિન્ન થયાં છે. નવી નોકરીએ લાગેલા એક યુવાનને મળતા 15000 રૂપિયાના પગારમાંથી તે ઘરખર્ચ માટે માત્ર 5000 રૂપિયા બચાવી શકે છે, બાકીની રકમ ઇંધણ અને વિવિધ પ્રકારના ટેક્સમાં જતી રહે છે. કોરોના પછી લોકોના આરોગ્ય બીલ મોટા બન્યાં છે પરંતુ તેમના પગાર સ્થિર રહ્યાં છે.</p>
<p>ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) આવ્યો ત્યારે કહેવામાં આવ્યું કે એક દેશમાં એક જ ટેક્સની આ ફોર્મ્યુલા છે, પરંતુ લોકો 25 જાતના ટેક્સ ભરી રહ્યાં છે. 2014માં જ્યારે લોકસભાની ચૂંટણી હતી ત્યારે બેન્ક ટ્રાન્ઝેક્શન ટેક્સની મોટા ઉપાડે વાતો થઇ હતી અને કહેવાતું હતું કે નવી સરકાર ઇન્કમટેક્સ નાબૂદ કરશે પરંતુ તેવું થયું નથી. ચૂંટણી સમયે આપવામાં આવેલા વચનો વિસરાઇ ચૂક્યાં છે.</p>
<p>જનતા આંદોલન કરતી નથી તેથી રાજકીય પાર્ટીઓને જલસા છે. લોક આંદોલનનો જુવાળ એ ભૂતકાળ બની ચૂક્યો છે. ઘરની પાસે કચરો છે તો તે ઉપાડીને બીજાના ઘર પાસે કેમ નાંખવો તેવી યુક્તિ અજમાવાઇ રહી છે. મોંઘવારી અને બેકારીમાં ખરેખર દેશની જનતાના ધૈર્યની કસોટી થઇ રહી છે. દેશમાં કોંગ્રેસનું શાસન હોય કે ભાજપનું શાસન હોય—મોંઘવારીના મુદ્દે બન્ને પાર્ટીઓ ચૂપ રહી છે.</p>
<p>રાજનીતિમાં એક નવો મુદ્દો ઉમેરાયો છે અને તે રાષ્ટ્ર અને રાજ્યનો વિકાસ છે. રાજકીય નેતાઓ આ મુદ્દાને વિકાસશીલ રાજનીતિ તરીકે મૂલવે છે. વધતી જતી મોંઘવારીને આસાનીથી વિકાસની રાજનીતિ કહેવામાં આવી રહી છે. માર્ગો સુધરી રહ્યાં છે. સરકારી કચેરીઓ કોર્પોરેટ કલ્ચર ધારણ કરી રહી છે. ખોટ કરતી સરકારી અસ્ક્યામતોનું ખાનગીકરણ થઇ રહ્યું છે. જો કે જનતા પણ કહી રહી છે કે સરકાર ટેક્સ લઇને લોકોને સુખાકારી આપી રહી છે.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Politics</category>
                                            <category>Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/change-in-politics-people-protest-in-thing-of-past-political-parties-have-peace/article-137190</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/change-in-politics-people-protest-in-thing-of-past-political-parties-have-peace/article-137190</guid>
                <pubDate>Thu, 02 Jun 2022 21:31:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2022-06/165390518791.jpg"                         length="130783"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Gautam Purohit]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>રાજ્યમાં આ બે પક્ષીઓ પર હાઇટેક સાધનોથી બાજનજર રખાઇ રહી છે</title>
                                    <description>
                        <![CDATA[<p>ગુજરાતમાં કુંડ અને કરકરા નામના પક્ષીઓની પ્રજાતિને સુરક્ષા આપવા માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. રાજ્યના વન વિભાગ દ્વારા બે કુંજ અને બે કરકરા પક્ષીને લેગ માઉન્ટ પ્રકારના GSM-GPS ટ્રાન્સમીટર લગાવી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.</p>  <p>રાજ્યમાં 19 ઇમ્પોર્ટેડ બર્ડ એરિયા આવેલા છે જેમાં કુલ 609 જાતિના પક્ષીઓનો વસવાટ છે. વિશ્વના જોવા મળતી કુંજ પક્ષીની 15 પ્રજાતિઓ પૈકી ત્રણ પ્રજાતિ ગુજરાતમાં જોવા મળે છે જેમાંથી કુંજ અને કરકરાની બે પ્રજાતિઓ આઇયુસીએન રેડ લિસ્ટમાં લિસ્ટ કન્સર્ન્ડ અનુસૂચિમાં સામેલ છે, જ્યારે ભારતમાં વન્યપ્રાણી અધિનિયમ ધારા 1972ની અનુસૂચિ-4માં કાયદાકીય સુરક્ષા આપવામાં આવેલી છે.</p>  <p>રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) અને ચીફ વાઇલ્ડલાઇફ</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/state-is-keeping-close-watch-on-these-two-birds/article-137295"><img src="https://www.khabarchhe.com/media/400/2022-06/1654078841kunj.jpg" alt=""></a><br /><p>ગુજરાતમાં કુંડ અને કરકરા નામના પક્ષીઓની પ્રજાતિને સુરક્ષા આપવા માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. રાજ્યના વન વિભાગ દ્વારા બે કુંજ અને બે કરકરા પક્ષીને લેગ માઉન્ટ પ્રકારના GSM-GPS ટ્રાન્સમીટર લગાવી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.</p>  <p>રાજ્યમાં 19 ઇમ્પોર્ટેડ બર્ડ એરિયા આવેલા છે જેમાં કુલ 609 જાતિના પક્ષીઓનો વસવાટ છે. વિશ્વના જોવા મળતી કુંજ પક્ષીની 15 પ્રજાતિઓ પૈકી ત્રણ પ્રજાતિ ગુજરાતમાં જોવા મળે છે જેમાંથી કુંજ અને કરકરાની બે પ્રજાતિઓ આઇયુસીએન રેડ લિસ્ટમાં લિસ્ટ કન્સર્ન્ડ અનુસૂચિમાં સામેલ છે, જ્યારે ભારતમાં વન્યપ્રાણી અધિનિયમ ધારા 1972ની અનુસૂચિ-4માં કાયદાકીય સુરક્ષા આપવામાં આવેલી છે.</p>  <p>રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક (વન્યજીવ) અને ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન શ્યામલ ટીકાદર જણાવે છે કે વિશ્વમાં કરકરા પક્ષીની સંખ્યા 2.30 લાખ થી 2.61 લાખ છે જ્યારે કુંજ પક્ષીની સંખ્યા 4.91 લાખ થી 5.03 લાખ જોવા મળી છે. આ પક્ષીઓના સ્થળાંતરની રીત, વસવાટ સ્થાનની પસંદગી, વ્યાપ વિસ્તાર, પ્રતિદિનની ગતિવિધિ અને તેમના ભવિષ્યની યોજનાઓ માટે રાજ્ય સરકારે એક એક્શન પ્લાન બનાવી રહી છે જે આ પક્ષીઓને સંરક્ષણ આપશે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2022-06/1546427578kunj-ddg.jpg" alt=""></img></p>  <p>આ પ્લાન વન્યપ્રાણી વિભાગ, સાસણ ગીર અને ગુજરાત વન વિભાગ બનાવી રહ્યો છે. તાજેતરમાં કુંડ પક્ષીઓના સેટેલાઇટ ટેલીમેટ્રી મારફતે વૈજ્ઞાનિક અભ્યાસ શરૂ કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં ટેગીંગ ટીમ દ્વારા સર્વે કરાવવામાં આવ્યો હતો ત્યારબાદ અનુભવી ટ્રેપરોની મદદથી પક્ષીઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કુલ ચાર પક્ષીઓનું ટેગીંગ કરીને ગીર હાઇટેક મોનિટરીંગ યુનિટમાં નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.</p>  <p>વન્યપ્રાણી વિભાગ, સાસણ ગીરના નાયબ વન સંરક્ષક ડો. મોહન રામના કહેવા પ્રમાણે ટેગીંગના કારણે આ પક્ષીઓની તમામ પ્રકારની માહિતી જેવી કે શિયાળા દરમ્યાનના પ્રજનન સ્થળો, સ્થળાંતર અને વસવાટ સ્થળની પસંદગી મળી રહેશે કે જેનાથી આ પક્ષીઓને સુરક્ષા આપી શકાય.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                            <category>Offbeat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/state-is-keeping-close-watch-on-these-two-birds/article-137295</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/state-is-keeping-close-watch-on-these-two-birds/article-137295</guid>
                <pubDate>Thu, 02 Jun 2022 02:31:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2022-06/1654078841kunj.jpg"                         length="204210"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Gautam Purohit]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>હવે નીલગાય પણ વિધાનસભા સુધી પહોંચવા લાગી, સંખ્યા ઘણી વધી ગઇ</title>
                                    <description>
                        <![CDATA[<p>ખેતરોમાં ખેડૂતો અને માર્ગોમાં વાહનચાલકો માટે ખતરારૂપ એવી નીલગાયની વસતીમાં ચોંકાવનારો વધારો થતો જાય છે. છેલ્લા સર્વે પ્રમાણે રાજ્યભરમાં નીલગાયની વસતી 2.70 લાખ જોવા મળી છે. એકલા અમદાવાદ જિલ્લામાં 10000 અને ગાંધીનગર જિલ્લામાં 3500થી વધુ નીલગાય જોવામાં આવી છે.</p>  <p>નીલગાયના આતંક સામે વિધાનસભામાં રાજ્યના ધારાસભ્યો અવાર નવાર રજૂઆત કરતા હોય છે અને તેને મારવાની માગણી કરતા હોય છે. ગાંધીનગરમાં નીલગાયની એટલી બઘી વસતી થઇ છે કે હવે તે સેક્ટરોમાં રહેણાંક વિસ્તારમાં ઘૂસી રહી છે. રાજ્યના વન વિભાગે ગાંધીનગરની નીલગાયોને સાસણ ગીરમાં ખસેડવાનો નિર્ણય કર્યો હોવા છતાં પરિસ્થિતિ થાળે પડતી નથી.</p>  <p>સરકારે એવું નક્કી કર્યું હતું કે સાસણ ગીરમાં સિંહોની વધતી</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/now-blue-bull-reaches-to-vidhansabha-number-has-increased-in-a-lot/article-137296"><img src="https://www.khabarchhe.com/media/400/2022-06/1654077423bluebull.jpg" alt=""></a><br /><p>ખેતરોમાં ખેડૂતો અને માર્ગોમાં વાહનચાલકો માટે ખતરારૂપ એવી નીલગાયની વસતીમાં ચોંકાવનારો વધારો થતો જાય છે. છેલ્લા સર્વે પ્રમાણે રાજ્યભરમાં નીલગાયની વસતી 2.70 લાખ જોવા મળી છે. એકલા અમદાવાદ જિલ્લામાં 10000 અને ગાંધીનગર જિલ્લામાં 3500થી વધુ નીલગાય જોવામાં આવી છે.</p>  <p>નીલગાયના આતંક સામે વિધાનસભામાં રાજ્યના ધારાસભ્યો અવાર નવાર રજૂઆત કરતા હોય છે અને તેને મારવાની માગણી કરતા હોય છે. ગાંધીનગરમાં નીલગાયની એટલી બઘી વસતી થઇ છે કે હવે તે સેક્ટરોમાં રહેણાંક વિસ્તારમાં ઘૂસી રહી છે. રાજ્યના વન વિભાગે ગાંધીનગરની નીલગાયોને સાસણ ગીરમાં ખસેડવાનો નિર્ણય કર્યો હોવા છતાં પરિસ્થિતિ થાળે પડતી નથી.</p>  <p>સરકારે એવું નક્કી કર્યું હતું કે સાસણ ગીરમાં સિંહોની વધતી જતી વસતીના કારણે તેને ખોરાક મળી રહે તે માટે નીલગાય કે જે તૃણાહારી પ્રાણી છે તેને ગીરમાં ખસેડવામાં આવશે. પ્રાયોગિક ધોરણે 10 થી 12 નિલગાયને પકડીને સાસણ ગીરમાં છોડવામાં પણ આવી હતી. જો કે ત્યારપછી નીલગાયને સાસણ મોકલવામાં આવી નથી તેથી ગાંધીનગરમાં ઉપદ્રવ વધી રહ્યો છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2022-06/160795023530.jpg" alt=""></img></p>  <p>ગાંધીનગરના વીઆઇપી એવા જ-માર્ગ પર નીલગાયના ટોળાં અવાર નવાર આવી જતાં હોવાથી અકસ્માતો સર્જાય છે. આ માર્ગ પર સરકારી ગાડીઓની રફતાર વધું હોવાથી માર્ગ પર નીલગાયથી સાવચેત રહેવાના બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. આમ છતાં નીલગાયના પ્રભાવથી પ્રતિમાસ  એક-બે અકસ્માત થાય છે.</p>  <p>2011માં રાજ્યમાં નીલગાયની વસતી 1.19 લાખ હતી જે 2015માં 1.86 થઇ હતી અને છેલ્લા સર્વેક્ષણ પ્રમાણે તેની વસતી 2.70 લાખ થવા જાય છે. ગાંધીનગર સ્થિત ગીર ફાઉન્ડેશનના સર્વે પ્રમાણે અમદાવાદ જિલ્લામાં 10,000 અને ગાંધીનગર જિલ્લામાં 3500 નીલગાય જોવા મળી છે. એ ઉપરાંત પાટણમાં 20000 અને અમરેલીમાં 18000 નીલગાય જોવા મળી છે.</p>  <p>એ ઉપરાંત રાજ્યના બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લી, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં નિલગાયની વસતી એક લાખથી વધુ જોવા મળે છે. આ એક સંરક્ષિત પ્રજાતિ છે પરંતુ તે ખેડૂતો માટે ખતરો છે. ખેતરમાં ભેલાણ કરી પાકનો નાશ કરે છે. માર્ગો પર વચ્ચે આવી વાહનચાલકો સાથે ટકરાય છે અને અકસ્માત કરે છે. વન્યજીવ અધિનિયમ પ્રમાણે તેને અનુસૂચિ-3માં સમાવિષ્ટ કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં તો નીલગાયના ત્રાસથી કંટાળેલા ખેડૂતોએ ખેતરની ફરતે ઇલેક્ટ્રિક વાડ સ્થાપિત કરી છે.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/now-blue-bull-reaches-to-vidhansabha-number-has-increased-in-a-lot/article-137296</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/now-blue-bull-reaches-to-vidhansabha-number-has-increased-in-a-lot/article-137296</guid>
                <pubDate>Thu, 02 Jun 2022 00:31:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2022-06/1654077423bluebull.jpg"                         length="218416"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Gautam Purohit]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>ગટરમાં ઉતરી સફાઇ કરવામાં છેલ્લા 3 વર્ષમાં 16 કામદારોના મોત, સૌથી વધુ સુરતમાં</title>
                                    <description>
                        <![CDATA[<p>ગુજરાતના શહેરી વિસ્તારોમાં ગટરના કામો મશીનરીથી કરવાનો અદાલતનો આદેશ હોવા છતાં હજી પણ મ્યુનિસિપલ અને મ્યુનિસિપાલિટીના વિસ્તારમાં કામદારોને સફાઇ માટે ગટરમાં ઉતારવામાં આવી રહ્યાં છે. આવી ઘટનાઓમાં સુરત અને અમદાવાદ ટોચક્રમે છે છતાં શહેરના વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવતા નથી, જ્યારે કોઇ ઘટના બને છે ત્યારે જવાબદારો સામે માત્ર ગુનો દાખલ કરવામાં આવતો હોય છે.</p>  <p>ચોંકાવનારી બાબત એવી છે કે ગુજરાત હાઇકોર્ટના ચૂકાદા પછી રાજ્યના ચાર વિભાગોએ આદેશ બહાર પાડીને સ્પષ્ટ સૂચના આપી છે કે ગટરની સફાઇના કામ માટે કોઇપણ કામદારને અંદરમાં ઉતારવા નહીં પરંતુ મશીનરીના અભાવે કામદારોને સફાઇનનું કામ સોંપવામાં આવે છે પરિણામે ગંભીર દુર્ઘટના બને છે.</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.khabarchhe.com/governance/manual-gutter-cleaning-claims-16-lives-in-3-years-highest-in-surat/article-137189"><img src="https://www.khabarchhe.com/media/400/2022-05/165390321872.jpg" alt=""></a><br /><p>ગુજરાતના શહેરી વિસ્તારોમાં ગટરના કામો મશીનરીથી કરવાનો અદાલતનો આદેશ હોવા છતાં હજી પણ મ્યુનિસિપલ અને મ્યુનિસિપાલિટીના વિસ્તારમાં કામદારોને સફાઇ માટે ગટરમાં ઉતારવામાં આવી રહ્યાં છે. આવી ઘટનાઓમાં સુરત અને અમદાવાદ ટોચક્રમે છે છતાં શહેરના વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવતા નથી, જ્યારે કોઇ ઘટના બને છે ત્યારે જવાબદારો સામે માત્ર ગુનો દાખલ કરવામાં આવતો હોય છે.</p>  <p>ચોંકાવનારી બાબત એવી છે કે ગુજરાત હાઇકોર્ટના ચૂકાદા પછી રાજ્યના ચાર વિભાગોએ આદેશ બહાર પાડીને સ્પષ્ટ સૂચના આપી છે કે ગટરની સફાઇના કામ માટે કોઇપણ કામદારને અંદરમાં ઉતારવા નહીં પરંતુ મશીનરીના અભાવે કામદારોને સફાઇનનું કામ સોંપવામાં આવે છે પરિણામે ગંભીર દુર્ઘટના બને છે.</p>  <p>સામાજીક અધિકારિતા વિભાગના ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે અદાલતના ચૂકાદા અને સરકારના આદેશ છતાં કામદારોને ગટરમાં ઉતારવાની કામગીરી ચાલુ છે. સરકારના શહેરી વિકાસ, શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ તરફથી માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવેલી છે છતાં નાના-મોટા શહેરોમાં કરૂણ ઘટનાઓ સામે આવે છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2022-05/16333497251.jpg" alt=""></img></p>  <p>તેમણે કહ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં સુરતમાં સાત, અમદાવાદમાં ચાર, અમરેલીમાં બે, સાબરકાંઠામાં એક, સુરેન્દ્રનગરમાં એક અને રાજકોટમાં એક કામદારનું ઝેરી ગેસના કારણે મોત થયાં છે. આ કામદારો ગટરની સફાઇ કરવા માટે ગટરલાઇનમાં ઉતર્યા હતા અને ગૂંગળાઇ જવાથી મોતને ભેટ્યાં હતા.</p>  <p>રાજ્યના પંચાયત વિભાગે તેના આદેશમાં કહેલું છે કે જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતના સફાઇ કામદારો મારફત ભૂગર્ભ ગટરની સફાઇની કામગીરી કરાવવી નહીં, કારણ કે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શહેરી વિકાસ વિભાગે પણ કહ્યું છે કે રાજ્યના મહાનગર તેમજ પાલિકા વિસ્તારમાં કામદારોને ભૂગર્ભ ગટરમાં ઉતારવા નહીં, જ્યારે શહેરી ગૃહ નિર્માણ વિભાગના આદેશ પ્રમાણે આવી પ્રવૃત્તિ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Governance</category>
                                            <category>Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/governance/manual-gutter-cleaning-claims-16-lives-in-3-years-highest-in-surat/article-137189</link>
                <guid>https://www.khabarchhe.com/governance/manual-gutter-cleaning-claims-16-lives-in-3-years-highest-in-surat/article-137189</guid>
                <pubDate>Tue, 31 May 2022 08:00:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2022-05/165390321872.jpg"                         length="311441"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Gautam Purohit]]>
                    </dc:creator>
                            </item>
            <item>
                <title>બુકીઓના મતે હાલ ચૂંટણી થાય તો ભાજપને કેટલી બેઠક મળે? સટ્ટાબાજી શરૂ</title>
                                    <description>
                        <![CDATA[<p>સટ્ટાબજાર અને બુકીઓના મતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતિ મળે તેવી સંભાવના દેખાઇ રહી છે. આ ચૂંટણી આડે છ મહિનાના સમયની વાર છે ત્યારે ગુજરાત અને મુંબઇના બુકીઓએ રાજ્યની ચૂંટણી માટેના દરો ખોલ્યા છે. આ દર દર્શાવે છે કે ભાજપ આરામદાયક બહુમત સાથે જીતવા હોટ ફેવરિટ છે.</p>  <p>બુકીઓ જણાવે છે કે ગુજરાતની ચૂંટણીની ખાસિયત એવી છે કે પાટીદાર સમુદાયના ટોચના નેતાઓ કોંગ્રેસ નહીં પણ ભાજપ સાથે રહીને ચૂંટણી લડશે. જ્યાં પાટીદાર સમાજનું વર્ચસ્વ છે તેવી બેઠકો પર પાટીદાર નેતાઓ પ્રભાવી સાબિત થઇ શકે છે. બીજી તરફ કોળી સમાજ અને આદિવાસી સમાજનું વર્ચસ્વ પણ હોવાથી બન્ને પાર્ટીઓ જોર લગાવી રહી છે.</p>...]]>
                    </description>
                
                                    <content:encoded>
                        <![CDATA[<a href="https://www.khabarchhe.com/assembly-elections-2022/how-many-seats-will-bjp-get-what-bookie-says/article-137191"><img src="https://www.khabarchhe.com/media/400/2022-05/165390313071.jpg" alt=""></a><br /><p>સટ્ટાબજાર અને બુકીઓના મતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતિ મળે તેવી સંભાવના દેખાઇ રહી છે. આ ચૂંટણી આડે છ મહિનાના સમયની વાર છે ત્યારે ગુજરાત અને મુંબઇના બુકીઓએ રાજ્યની ચૂંટણી માટેના દરો ખોલ્યા છે. આ દર દર્શાવે છે કે ભાજપ આરામદાયક બહુમત સાથે જીતવા હોટ ફેવરિટ છે.</p>  <p>બુકીઓ જણાવે છે કે ગુજરાતની ચૂંટણીની ખાસિયત એવી છે કે પાટીદાર સમુદાયના ટોચના નેતાઓ કોંગ્રેસ નહીં પણ ભાજપ સાથે રહીને ચૂંટણી લડશે. જ્યાં પાટીદાર સમાજનું વર્ચસ્વ છે તેવી બેઠકો પર પાટીદાર નેતાઓ પ્રભાવી સાબિત થઇ શકે છે. બીજી તરફ કોળી સમાજ અને આદિવાસી સમાજનું વર્ચસ્વ પણ હોવાથી બન્ને પાર્ટીઓ જોર લગાવી રહી છે.</p>  <p>સટ્ટાબજારના મતે ગુજરાતની ચૂંટણી માટેના આ વલણો વહેલાં છે તેમાં ફેરફારો પણ આવી શકે છે. દિલ્હીથી રાષ્ટ્રીય નેતાઓનો કેવો પ્રચાર થાય છે અને ક્યા પક્ષમાં કેવા ઉમેદવારો મેદાનમાં આવે છે તેના પર બઘો મદાર છે. જો કે બુકીઓ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના આગમનને અવગણી શકતા નથી અને તેમનું કહેવું છે કે ગુજરાતમાં આ ત્રીજો પક્ષ થોડી બેઠકો મેળવી જશે, જે સરવાળે કોંગ્રેસને નુકશાન કરશે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2022-05/1513333622bookies001.jpg" alt=""></img></p>  <p>ગુજરાતની 182 બેઠકો પૈકી ભાજપને 100 થી 130 બેઠકો મળવાનું અનુમાન બુકીઓ ધરાવે છે. ભાજપ 100 બેઠકો જીતે તો તેનો દર 10 પૈસા રાખવામાં આવ્યો છે. ભાજપને 130 બેઠકો મળે તે માટે 85 પૈસાનો દર છે જ્યારે 140 અને તેનાથી વધુ બેઠકો માટે 1.40 રૂપિયાનો દર ચાલી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસ માટે 10 બેઠકોમાં 10 પૈસા, 20 બેઠકોમાં 35 પૈસા, 30 બેઠકોમાં 85 પૈસા અને 40 બેઠકોમાં 1.80 પૈસાનો દર છે.</p>  <p>ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર મહિનામાં થવાની છે. 2017ની ચૂંટણીમાં ભાજપને 99 બેઠકો મળી હતી. કોંગ્રેસને 77, બીટીપીને બે, એનસીપીને એક અને ત્રણ અપક્ષ હતા. રાજ્યમાં ભાજપને કુલ 1.47 કરોડ એટલે કે 49.1 ટકા મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસને 1.24 કરોડ એટલે કે 41.4 ટકા મત મળ્યા હતા.</p>  <p>રાજ્યમાં છેલ્લી ચૂંટણી બે તબક્કામાં 9 અને 14 ડિસેમ્બરના રોજ યોજવામાં આવી હતી. ચૂટણી પહેલાના તારણોમાં અલગ અલગ એજન્સીઓએ ભાજપને 118 થી 152 જેટલી બેઠકો આપી હતી પરંતુ જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે ભાજપને છેલ્લી ત્રણ ચૂંટણી કરતાં ઘણી ઓછી 99 બેઠકો મળી હતી. હાલન સ્થિતિએ ભાજપ પાસે 111, કોંગ્રેસ પાસે 64, અપક્ષ 1, બીટીપી 2 અને એનસીપી 1 છે, જ્યારે ત્રણ બેઠકો ખાલી છે.</p>]]>
                    </content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                            <category>Assembly Elections 2022</category>
                                    

                <link>https://www.khabarchhe.com/assembly-elections-2022/how-many-seats-will-bjp-get-what-bookie-says/article-137191</link>
                <guid>https://www.khabarchhe.com/assembly-elections-2022/how-many-seats-will-bjp-get-what-bookie-says/article-137191</guid>
                <pubDate>Mon, 30 May 2022 21:45:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2022-05/165390313071.jpg"                         length="317955"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator>
                        <![CDATA[Gautam Purohit]]>
                    </dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        