<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.khabarchhe.com/virang-bhatt/author-81" rel="self" type="application/rss+xml" />
                <generator>Khabarchhe RSS Feed Generator</generator>
                <title>Virang Bhatt - Khabarchhe</title>
                <link>https://www.khabarchhe.com/author/81/rss</link>
                <description>Virang Bhatt RSS Feed</description>
                
                            <item>
                <title>ઔરંગઝેબનું કડક ફરમાન- સોમનાથને એ રીતે તોડો કે ફરી ક્યારેય...</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">ભારતીય ઇતિહાસમાં સોમનાથ મંદિર માત્ર એક ધાર્મિક સ્થાન નથી</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ સંસ્કૃતિ</span>, <span lang="gu" xml:lang="gu">પુનર્જાગરણ અને અડગ શ્રદ્ધાનું પ્રતિક રહ્યું છે. આ જ કારણસર મુઘલ શાસક ઔરંગઝેબને સોમનાથ મંદિર પ્રત્યે વિશેષ દ્વેષ હતો. ઇતિહાસકારોના દસ્તાવેજો અનુસાર</span>, <span lang="gu" xml:lang="gu">ઔરંગઝેબે સોમનાથ મંદિરને ત્રણ વખત નષ્ટ કરવાના ફરમાન જાહેર કર્યા હતા.</span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">શા માટે સોમનાથ ઔરંગઝેબના નિશાન પર હતું</span>?</strong></p>
<p><span lang="gu" xml:lang="gu">ભારતના અનેક મંદિરો ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન તોડવામાં આવ્યા</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ સોમનાથ પ્રત્યે તેની નફરત વિશેષ હતી. કારણ એ હતું કે ભૂતકાળમાં મહમૂદ ગઝનવી સહિત અનેક આક્રમણકારોએ આ મંદિરને તોડી નાખ્યું હતું</span>, <span lang="gu" xml:lang="gu">છતાં દરેક વખતમાં સોમનાથ ફરીથી ઊભું થઈ જતું હતું. આ અડગ પુનર્નિર્માણ ઔરંગઝેબ</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/national/aurangzebs-strict-decree-break-somnath-like-never-again/article-175636"><img src="https://www.khabarchhe.com/media/400/2026-01/016.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">ભારતીય ઇતિહાસમાં સોમનાથ મંદિર માત્ર એક ધાર્મિક સ્થાન નથી</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ સંસ્કૃતિ</span>, <span lang="gu" xml:lang="gu">પુનર્જાગરણ અને અડગ શ્રદ્ધાનું પ્રતિક રહ્યું છે. આ જ કારણસર મુઘલ શાસક ઔરંગઝેબને સોમનાથ મંદિર પ્રત્યે વિશેષ દ્વેષ હતો. ઇતિહાસકારોના દસ્તાવેજો અનુસાર</span>, <span lang="gu" xml:lang="gu">ઔરંગઝેબે સોમનાથ મંદિરને ત્રણ વખત નષ્ટ કરવાના ફરમાન જાહેર કર્યા હતા.</span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">શા માટે સોમનાથ ઔરંગઝેબના નિશાન પર હતું</span>?</strong></p>
<p><span lang="gu" xml:lang="gu">ભારતના અનેક મંદિરો ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન તોડવામાં આવ્યા</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ સોમનાથ પ્રત્યે તેની નફરત વિશેષ હતી. કારણ એ હતું કે ભૂતકાળમાં મહમૂદ ગઝનવી સહિત અનેક આક્રમણકારોએ આ મંદિરને તોડી નાખ્યું હતું</span>, <span lang="gu" xml:lang="gu">છતાં દરેક વખતમાં સોમનાથ ફરીથી ઊભું થઈ જતું હતું. આ અડગ પુનર્નિર્માણ ઔરંગઝેબ માટે અસહ્ય હતું.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-01/016.jpg" alt="01" width="1280" height="720"></img></span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">ત્રણ વખત ફરમાન:</span> </strong></p>
<p>1669 <span lang="gu" xml:lang="gu">ઈ.માં</span>, <span lang="gu" xml:lang="gu">ઔરંગઝેબે પ્રથમ વખત સોમનાથ મંદિર તોડવાનો ફરમાન જાહેર કર્યો. જોકે આ આદેશ સંપૂર્ણ રીતે અમલમાં ન આવ્યો અથવા થોડા સમય બાદ મંદિરમાં ફરી પૂજા શરૂ થઈ ગઈ. આથી અસંતોષ અનુભવીને ઔરંગઝેબે </span>1701 <span lang="gu" xml:lang="gu">ઈ.માં બીજો</span>, <span lang="gu" xml:lang="gu">વધુ કડક આદેશ આપ્યો.</span><br /> <span lang="gu" xml:lang="gu">આ આદેશ હેઠળ ગુજરાતના </span>39<span lang="gu" xml:lang="gu">મા સુબેદાર શહઝાદા મોહમ્મદ આઝમને જવાબદારી સોંપવામાં આવી. આદેશમાં સ્પષ્ટ શબ્દોમાં લખાયું હતું કે મંદિરને</span> “<span lang="gu" xml:lang="gu">મરામતની કોઈ સંભાવના ન રહે તે રીતે</span>” <span lang="gu" xml:lang="gu">નષ્ટ કરવું. તેમ છતાં મંદિરનો અમુક ભાગ અડીખમ ઊભો રહ્યો. અંતે </span>1706 <span lang="gu" xml:lang="gu">ઈ.માં</span>, <span lang="gu" xml:lang="gu">પોતાના અવસાનથી થોડા સમય પહેલાં</span>, <span lang="gu" xml:lang="gu">ઔરંગઝેબે અંતિમ ફરમાન જાહેર કર્યો</span>, <span lang="gu" xml:lang="gu">જેમાં મંદિરને સંપૂર્ણ રીતે તોડી તેને મસ્જિદમાં રૂપાંતરિત કરવાનો હુકમ હતો.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-01/033.jpg" alt="03" width="1280" height="720"></img></span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">મંદિરથી મસ્જિદ: કેવી રીતે બદલાઈ રચના</span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">આ આદેશો બાદ મંદિરની મૂળ ઓળખ નષ્ટ કરવા માટે વિશાળ રચનાત્મક ફેરફારો કરવામાં આવ્યા:</span></p>
<p> <span lang="gu" xml:lang="gu">મંદિરના ગુઢ મંડપ અને ગર્ભગૃહ ઉપર બે મોટા ગુંબજ બનાવવામાં આવ્યા.</span><br /><span lang="gu" xml:lang="gu">મૂળ ચાલુક્ય યુગના સ્તંભોને કાપછાંટ કરીને પથ્થરની મેહરાબોમાં ફેરવવામાં આવ્યા.</span><br /> <span lang="gu" xml:lang="gu">ગુંબજનો ભાર સહન કરવા માટે ગર્ભગૃહની પશ્ચિમ બાહ્ય દિવાલ બંધ કરી દેવામાં આવી.</span><br /><span lang="gu" xml:lang="gu">મંદિરનો મહત્વનો ધાર્મિક ભાગ પ્રદક્ષિણા માર્ગ સંપૂર્ણ રીતે તોડી પાડવામાં આવ્યો.</span><br /><span lang="gu" xml:lang="gu">આ માર્ગના પથ્થરો નજીક આવેલા પાર્વતી મંદિરના ચબૂતરા પર ઢગલા તરીકે નાખવામાં આવ્યા.</span><br />1706 <span lang="gu" xml:lang="gu">ઈ.માં સફેદ પથ્થરની નવી ફરસ બિછાવવામાં આવી</span>, <span lang="gu" xml:lang="gu">જેથી મૂળ હિંદુ સ્થાપત્ય</span>, <span lang="gu" xml:lang="gu">ગર્ભગૃહની ડેહરી અને ધાર્મિક ચિહ્નો છુપાઈ જાય. આ તમામ ફેરફારોનો હેતુ માત્ર ઈમારતનો ઉપયોગ બદલવાનો નહોતો</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ મંદિરની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખને સંપૂર્ણ રીતે નષ્ટ કરવાનો હતો.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-01/042.jpg" alt="04" width="1280" height="720"></img></span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">ઉપેક્ષા</span>, <span lang="gu" xml:lang="gu">ખંડેર અને ખજાનાની લ્હાય</span></strong></p>
<p>1707 <span lang="gu" xml:lang="gu">ઈ.માં ઔરંગઝેબના અવસાન બાદ આ ઈમારત થોડાં વર્ષો સુધી જ મસ્જિદ તરીકે ઉપયોગમાં રહી. ત્યારબાદ સ્થળ ઉપેક્ષિત બની ગયું.</span> “<span lang="gu" xml:lang="gu">છુપાયેલો ખજાનો</span>” <span lang="gu" xml:lang="gu">શોધવાની લ્હાયમાં વારંવાર ખોદકામ કરવામાં આવ્યું</span>, <span lang="gu" xml:lang="gu">જેના કારણે માળખું વધુ નુકસાન પામ્યું અને સમય જતાં આ સ્થળ સંપૂર્ણ ખંડેરમાં ફેરવાઈ ગયું.</span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">પુનર્જન્મ: સરદાર પટેલ અને આધુનિક સોમનાથ</span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">સ્વતંત્રતા બાદ ભારતના પ્રથમ ઉપપ્રધાનમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલના દ્રઢ સંકલ્પથી સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ થયું. આજે ઊભેલું ભવ્ય સોમનાથ મંદિર વિનાશ પછી પણ સંસ્કૃતિ ફરી ઊભી થવાની ભારતીય પરંપરાનું જીવંત પ્રતીક છે.</span></p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                    

                <link>https://www.khabarchhe.com/national/aurangzebs-strict-decree-break-somnath-like-never-again/article-175636</link>
                <guid>https://www.khabarchhe.com/national/aurangzebs-strict-decree-break-somnath-like-never-again/article-175636</guid>
                <pubDate>Thu, 08 Jan 2026 13:39:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-01/016.jpg"                         length="984719"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Virang Bhatt]]></dc:creator>
                            </item>
            <item>
                <title>શું લાગે છે, કોણ જીતશે? આવા સવાલનો જવાબ તમે શું આપો?</title>
                                    <description><![CDATA[<p>(Virang Bhatt). આજકાલ આપણને દરેક ક્ષેત્રના એક્સપર્ટ મળી જશે. તે એક સારી વાત છે. કારણ કે કોઇ એક વ્યક્તિ તમામ બાબતો જાણતો હોય તેવું બની શકે નહીં. જીવનના જુદા જુદા પાસાઓમાં આપણે અલગ અલગ લોકોની મદદ લઇએ. બીમાર પડીએ તો ડોક્ટર પાસે જઇએ. ભણવું હોય તો શિક્ષક પાસે જઇએ, ધર્મની વાત હોય તો સાધુ-સંત કે મહારાજ પાસે જઇએ. આમ કરવાના ફાયદા પણ છે. કારણ કે જે તે વિષયમાં સતત રચ્યા પચ્યા રહેનાર પાસે આપણે જઇએ તો ઉકેલ તરત મળે છે. પરંતુ એક્સપર્ટ તમને જેટલો ફાયદો કરાવે એટલું મોટું નુક્સાન પણ કરાવી શકે. તેની પાછળ ચોક્કસ કારણો અને વૈજ્ઞાનિક તારણો પણ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/offbeat/what-do-you-think-who-will-win-what-will-you-say/article-162612"><img src="https://www.khabarchhe.com/media/400/2024-04/171213309213.jpg" alt=""></a><br /><p>(Virang Bhatt). આજકાલ આપણને દરેક ક્ષેત્રના એક્સપર્ટ મળી જશે. તે એક સારી વાત છે. કારણ કે કોઇ એક વ્યક્તિ તમામ બાબતો જાણતો હોય તેવું બની શકે નહીં. જીવનના જુદા જુદા પાસાઓમાં આપણે અલગ અલગ લોકોની મદદ લઇએ. બીમાર પડીએ તો ડોક્ટર પાસે જઇએ. ભણવું હોય તો શિક્ષક પાસે જઇએ, ધર્મની વાત હોય તો સાધુ-સંત કે મહારાજ પાસે જઇએ. આમ કરવાના ફાયદા પણ છે. કારણ કે જે તે વિષયમાં સતત રચ્યા પચ્યા રહેનાર પાસે આપણે જઇએ તો ઉકેલ તરત મળે છે. પરંતુ એક્સપર્ટ તમને જેટલો ફાયદો કરાવે એટલું મોટું નુક્સાન પણ કરાવી શકે. તેની પાછળ ચોક્કસ કારણો અને વૈજ્ઞાનિક તારણો પણ છે.</p>  <p>તાજેતરમાં જ એક રસપ્રદ મનોવૈજ્ઞાનિક અભ્યાસ કરવામાં આવ્યો. અભ્યાસમાં એ જાણવું હતું કે એક્સપર્ટ હોય તે પોતે સાચા હોય ત્યારે કેટલા કોન્ફિડન્ટ હોય અને ખોટા હોય ત્યારે કેટલા કોન્ફિડન્ટ હોય. તારણ ચોંકાવનારૂં બહાર આવ્યું. એક્સપર્ટને ખબર હોય કે તે સાચો છે ત્યારે તો તો ખૂબ કોન્ફિડન્ટ હોય જ છે પરંતુ તે ખોટો હોય ત્યારે પણ તે તેટલો જ કોન્ફિડન્ટ હોય છે. <br />એક્સપર્ટ પોતે જાણતો હોય છે. તેને શંકા હોય છે છતાં તે માનતો નથી. તેનું મન માનતું નથી અને તે ખોટા અભિપ્રાય આપી જ દે છે.</p>  <p>આ વાતને આપણે પત્રકારોના ઉદાહરણથી સરળ રીતે સમજી શકીએ. મોટાભાગના વ્યક્તિ એમ માનતા હોય છે કે પત્રકારોને દરેક બાબતની ખબર હોય છે. ખાસ કરીને રાજકારણની તો ખબર જ હોય. એટલે સામાન્ય રીતે લોકો પત્રકારોને પૂછતા હોય છે કે શું લાગે છે, ચૂટંણી કોણ જીતશે. આવા સવાલોનો સામનો દરેક પત્રકારે કરવાનો આવે છે. હવે જો તો આવા સવાલનો જવાબ ન આપે તો લોકો એવું માને છે કે આને કંઇ ખબર પડતી નથી. એટલે તેને જે મનમાં આવે તે કહી દે છે. તેની પાસે જે પણ જાણકારી હોય તે આપી દે છે. પછી તે સાચી હોય કે ખોટી. કારણ કે અહીં તેની ઇમ્પ્રેશનનો સવાલ છે. લોકો શું કહેશે, તેની ચિંતા હોય છે. ભવિષ્યમાં લોકો તેને મહત્ત્વ જ નહીં આપશે, તેની ચિંતા હોય છે. એટલે તે આવું કરવા પ્રેરાય છે. જો તે કોઇપણ જવાબ ન આપે તો નુક્સાન થાય તેમ છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2024-04/1702110947doctor.jpg" alt=""></img></p>  <p>રીસર્ચ કરનારે પણ આવું જ તારણ આપ્યું છે. એક્સપર્ટ લોકોની ઇમ્પ્રેશન ખરાબ ન થાય એટલે તેમને ખબર ન હોય તેવી બાબતનો પણ જવાબ તેઓ આપી દેતા હોય છે. કારણ કે તેની સાથે તેમનો ધંધો પણ જોડાયેલો છે. જોકે, કેટલાક એક્સપર્ટ તેમને ન ખબર હોય તો બીજા પાસે મોકલી દે છે. તબીબી ક્ષેત્રમાં આવું બનતું હોય છે. પરંતુ આવું કરનારા ઓછા હોય છે. એટલે કેટલાક લોકો સેકન્ડ કે થર્ડ ઓપિનિયન લેતા હોય છે. મહત્ત્વની બાબતોમાં તે લઇ લેવું સલાહભર્યું છે. એક્સપર્ટને ખોટું લાગશે કે તે તમારો મિત્ર છે, તેવું વિચારીને નિર્ણય કરવો નહીં. </p>  <p>અંતમાં જાણીતા શાયર નિદા ફાઝલીનો એક શેર ટાંકીને આ વાતને પૂરી કરીએ</p>  <p>કભી કભી હમને અપને દિલ કો યું ભી બહલાયા હૈ..યુ ભી બહલાયા હૈ...જિન બાતોં કો ખુદ નહીં સમઝે..ઔરોં કો સમઝાયા હૈ..</p>  <p> </p>]]></content:encoded>
                
                                                            <category>Offbeat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/offbeat/what-do-you-think-who-will-win-what-will-you-say/article-162612</link>
                <guid>https://www.khabarchhe.com/offbeat/what-do-you-think-who-will-win-what-will-you-say/article-162612</guid>
                <pubDate>Wed, 03 Apr 2024 14:21:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-04/171213309213.jpg"                         length="682223"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Virang Bhatt]]></dc:creator>
                            </item>
            <item>
                <title>કતારમાં ફંસાયેલા વાપી-દમણના 9 લોકોને સૌરાષ્ટ્રના પાટીદાર હસમુખભાઇએ છોડાવ્યા હતા</title>
                                    <description><![CDATA[<p>વાત 1990ની છે. એક કતારી વ્યક્તિએ ભારતમાંથી બોટ ખરીદી હતી. તે કતાર ખાતે બોટ લાવવા માંગતો હતો. બોટ કતાર પહોંચાડવા તેણે મુંબઈ ખાતેના એક એજન્ટનો સંપર્ક કર્યો હતો. મુંબઈના એજન્ટે આ તક ઝડપી લીધી અને 9 યુવાન માછીમારને પસંદ કર્યા. દમણ અને વાપી વિસ્તારમાંથી 18-27 વર્ષના છોકરાઓને એજન્ટે છોકરાઓને અંધારામાં રાખ્યા. તેમને સંપૂર્ણ માહિતી આપી ન હતી. તેણે માછીમારને કહ્યું હતું કે તમારી પાસે કતારમાં વ્યવસાયની તક છે.</p>  <p>આ બોટ લઈને કતાર જાઓ. કતારની વ્યક્તિ સાથે ભાગીદાર તરીકે રહીને માછીમારીનો વ્યવસાય કરી શકશો.. નિર્દોષ યુવાન છોકરાઓને એજન્ટના ઇરાદાની ખબર ન હતી. તેઓ કોર્નિસ જેટી ખાતે બોટ દ્વારા કતાર આવ્યા હતા.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/hasmukh-patel-of-saurashtra-saved-9-youth-from-vapi-daman/article-159066"><img src="https://www.khabarchhe.com/media/400/2023-10/169839324038.jpg" alt=""></a><br /><p>વાત 1990ની છે. એક કતારી વ્યક્તિએ ભારતમાંથી બોટ ખરીદી હતી. તે કતાર ખાતે બોટ લાવવા માંગતો હતો. બોટ કતાર પહોંચાડવા તેણે મુંબઈ ખાતેના એક એજન્ટનો સંપર્ક કર્યો હતો. મુંબઈના એજન્ટે આ તક ઝડપી લીધી અને 9 યુવાન માછીમારને પસંદ કર્યા. દમણ અને વાપી વિસ્તારમાંથી 18-27 વર્ષના છોકરાઓને એજન્ટે છોકરાઓને અંધારામાં રાખ્યા. તેમને સંપૂર્ણ માહિતી આપી ન હતી. તેણે માછીમારને કહ્યું હતું કે તમારી પાસે કતારમાં વ્યવસાયની તક છે.</p>  <p>આ બોટ લઈને કતાર જાઓ. કતારની વ્યક્તિ સાથે ભાગીદાર તરીકે રહીને માછીમારીનો વ્યવસાય કરી શકશો.. નિર્દોષ યુવાન છોકરાઓને એજન્ટના ઇરાદાની ખબર ન હતી. તેઓ કોર્નિસ જેટી ખાતે બોટ દ્વારા કતાર આવ્યા હતા. તેઓને મુંબઈના ભારતીય એજન્ટ દ્વારા છેતરવામાં આવ્યા હતા. ભારતીય એજન્ટે આ ગરીબ માછીમારો પાસેથી માથાદીઠ રૂ. 12000/- વિઝા અને નોકરી માટે લીધા હતા. પરંતુ, તેમણે તેમને વિઝા અને પાસપોર્ટ વગર બોટ દ્વારા મોકલ્યા હતા. બોટ માલિક કતારી વ્યક્તિએ તેમને એક દિવસનું ભોજન પૂરું પાડ્યું. બીજા દિવસે તેણે તમામ 9 છોકરાઓને ભારત પાછા જવા કહ્યું.<br /> <br />છોકરાઓએ તેમને કહ્યું કે, તેમના એજન્ટ તેમને તમારી સાથે કામ માટે મોકલ્યા છે. પરંતુ કતારના વ્યક્તિએ તેમને કહ્યું કે, તેણે એજન્ટ સાથે તેની બોટ કતારમાં પહોંચાડવાનો કરાર કર્યો હતો. તેનાથી વધુ કંઈ નથી. છોકરાઓએ તેની સાથે કામ કરવા વિનંતી કરી. પરંતુ તેણે ના પાડી અને તેમને ભોજન આપવાનું બંધ કરી દીધું. તેઓ ખોરાક અને નોકરી માટે સંઘર્ષ કરી રહ્યા હતા. તેમની પાસે પૈસા, પાસપોર્ટ કે વિઝા ન હતા. તેથી તેઓ કોર્નિશ જેટી ગેટથી બહાર આવી શક્યા ન હતા. ત્રણ દિવસ સુધી તેઓએ તમામ લોકોને મદદ માટે વિનંતી કરી. પરંતુ કોઈ તેમની મદદ માટે આગળ ન આવ્યું.<br /> <br />સંજોગવશાત, પ્રથમ વખત હું જેટી વિસ્તારમાં ગયો. તેઓએ મને અને મારી પત્ની મીનાને જોઈ અને મદદ માટે પૂછ્યું. પછી મારો પુત્ર ચિરાગ પણ આવ્યો. પછી મેં ગરીબ છોકરાઓ સાથે વાત કરી અને આખી વાતને સમજી.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-10/167818877661.jpg" alt=""></img><br /> <br />મેં તેમને નૈતિક સમર્થન આપ્યું, ભોજન પૂરું પાડવાની જવાબદારી લીધી. તેમને ભારત પાછા મોકલ્યા. કોર્નિશ જેટી વિસ્તારના નવ છોકરાઓને ઠંડા વાતાવરણમાં ટકી રહેવા માટે મેં ત્રણ મહિના માટે ખોરાક અને અન્ય પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ જેવી કે લોકો, ધાબળા, ગરમ કપડા વગેરે પૂરા પાડ્યા . દર બીજા દિવસે હું અને મારી પત્ની મીના દુખાનથી દોહા (85 KM) સુધીની મુસાફરી કરીને કોર્નિસ જેટી પર કોસ્ટ ગાર્ડની પરવાનગી સાથે તેમની મુલાકાત લઈએ લેતા હતા.</p>  <p>લાંબા સંઘર્ષ પછી, મેં સ્પોન્સર, કતારી વ્યક્તિ સામે કેસ દાખલ કર્યો. ભારતીય દૂતાવાસની મદદથી ત્રણ મહિનાની લાંબી જહેમત બાદ તેઓને ભારત ખાતે વતન પરત મોકલવામાં આવ્યા હતા.એક ગુજરાતી તરીકે અમે આટલી મોટી સમસ્યાનો ઉકેલ લાવવા અને 9 છોકરાઓને ઘરે પાછા ફરવામાં મદદ કરવા બદલ ગર્વ અનુભવ્યો.</p>  <p>હસમુખ ભાઇ જણાવે છે કે 1980 - 2019 દરમિયાન, મેં ઘણા કેસ સંભાળ્યા છે, પરંતુ આ મારા જીવનની યાદગાર ઘટનાઓમાંની એક હતી. હસમુખ પટેલ, (સોજીત્રા), ગુજરાતી સમાજ કતારના સંસ્થાપક છે. તેમણે આ માનવતાનું કામ નવેમ્બર - 1990 થી જાન્યુઆરી - 1991 (ત્રણ મહિના) સુધી કર્યું હતું.</p>  <p>હાલ ભારતના 8 પૂર્વ નેવી અધિકારીઓને કતારમાં સજા સંભળાવવામાં આવી છે. તેમને બચાવવા ભારત સરકાર પ્રયત્નો કરી રહી છે. ત્યારે ગુજરાતી સમાજ દ્વારા ત્યાં થઇ રહેલી પ્રવૃતિ વિશે જાણવાના પ્રયત્ન કરતા આ માહિતી મળી હતી. ત્યાં ગુજરાતી સમાજ ખાસ્સો સક્રિય છે. જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. હાલ હસમુખ ભાઇ સમાજ માટે કામ કરતી આ સંસ્થાના એડવાઇઝર તરીકે સેવા આપતા હોવાની જાણકારી સંસ્થાની વેબસાઇટ પરથી મળી હતી. તમે પણ આ સંસ્થા અંગે વધુ જાણવા માગતા હો તો તેની વેબસાઇટ અને સોશિયલ મીડિયાથી સંપર્ક કરી શકો છો.</p>]]></content:encoded>
                
                                                            <category>World</category>
                                            <category>Gujarat</category>
                                            <category>South Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/hasmukh-patel-of-saurashtra-saved-9-youth-from-vapi-daman/article-159066</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/hasmukh-patel-of-saurashtra-saved-9-youth-from-vapi-daman/article-159066</guid>
                <pubDate>Fri, 27 Oct 2023 14:01:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2023-10/169839324038.jpg"                         length="57409"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Virang Bhatt]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ભારતમાં ઘી-દૂધની નદીઓ વહેતી હતી, આ છે પુરાવો</title>
                                    <description><![CDATA[<p>ભારત દેશ બાબતે વાત થાય ત્યારે તેની પ્રાચીન સંસ્કૃતિની વાત પણ થાય. ત્યારે એવું કહેવાય છે કે ભારત આજે ગરીબ ભલે હોય પરંતુ એક એવો સમય હતો જ્યારે અહીં ધી-દૂધની નદીએ વહેતી હતી. આ સાયું હોવાની પૂરેપૂરી શક્યતા છે કારણ કે ગુજરાતના એક ગામમાં જે પરંપરા છે જે બતાવે છે કે ઘીની નદીં શું હોય. </p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-10/1698146452109.jpg" alt="" /></p>  <p>ગુજરાતના ગાંધીનગરથી 13 કિ,મી દુર આવેલા રૂપાલ ગામમાં નવરાત્રિના નવમા દિવસે એટલે કે નોમના દિવસે રાત્રે 12 વાગ્યે વરદાયિના માતાની પલ્લી યાત્રા કાઢવામાં આવે છે અને આ યાત્રામાં  ચોખ્ખા ઘીની નદીઓ વહે છે. આ પરંપરા 5,000 વર્ષથી ચાલતી આવી છે. રૂપાલ ગામના 27 ચોકમાં પલ્લી</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/art---culture/there-was-a-time-when-rivers-of-milk-and-butter-were-flowing-in-india/article-158988"><img src="https://www.khabarchhe.com/media/400/2023-10/1698146452108.jpg" alt=""></a><br /><p>ભારત દેશ બાબતે વાત થાય ત્યારે તેની પ્રાચીન સંસ્કૃતિની વાત પણ થાય. ત્યારે એવું કહેવાય છે કે ભારત આજે ગરીબ ભલે હોય પરંતુ એક એવો સમય હતો જ્યારે અહીં ધી-દૂધની નદીએ વહેતી હતી. આ સાયું હોવાની પૂરેપૂરી શક્યતા છે કારણ કે ગુજરાતના એક ગામમાં જે પરંપરા છે જે બતાવે છે કે ઘીની નદીં શું હોય. </p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-10/1698146452109.jpg" alt=""></img></p>  <p>ગુજરાતના ગાંધીનગરથી 13 કિ,મી દુર આવેલા રૂપાલ ગામમાં નવરાત્રિના નવમા દિવસે એટલે કે નોમના દિવસે રાત્રે 12 વાગ્યે વરદાયિના માતાની પલ્લી યાત્રા કાઢવામાં આવે છે અને આ યાત્રામાં  ચોખ્ખા ઘીની નદીઓ વહે છે. આ પરંપરા 5,000 વર્ષથી ચાલતી આવી છે. રૂપાલ ગામના 27 ચોકમાં પલ્લી યાત્રા ફરે અને દરેક ચોક પર ધી ઢોળવામાં આવે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-10/1698146452107.jpg" alt=""></img></p>  <p>એક અંદાજ મુજબ માત્ર એક જ દિવસમાં લાખો લીટર ઘીનો ઉપયોગ થાય છે અને ગામના આખા રસ્તાઓ પર તમને ઘી વહેતું જોવા મળે. એક એવી લોકવાયકા છે કે પાંડવો જ્યારે વનવાસ ભોગવતા હતા ત્યારે રૂષીના કહેવાથી માતા વરદાયિનાના શરણે ગયા હતા અને માતાએ પાંડવોને યુદ્ધ જીતવાના આર્શીવાદ આપ્યા હતા. યુદ્ધ જીત્યા પછી ભગવાન શ્રીકૃષ્ણ, પાંડવો અને દ્રોપદી રૂપાલ ગામ આવ્યા હતા અને તેમણે સોનાની પલ્લી બનાવીને આખા ગામમાં યાત્રા કાઢી હતી. ત્યારથી આ પરંપરા ચાલે છે.</p>]]></content:encoded>
                
                                                            <category>Art &amp; Culture</category>
                                            <category>Astro and Religion</category>
                                            <category>Festival</category>
                                            <category>Food</category>
                                    

                <link>https://www.khabarchhe.com/art---culture/there-was-a-time-when-rivers-of-milk-and-butter-were-flowing-in-india/article-158988</link>
                <guid>https://www.khabarchhe.com/art---culture/there-was-a-time-when-rivers-of-milk-and-butter-were-flowing-in-india/article-158988</guid>
                <pubDate>Tue, 24 Oct 2023 18:02:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2023-10/1698146452108.jpg"                         length="739093"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Virang Bhatt]]></dc:creator>
                            </item>
            <item>
                <title>તો શું ભાજપ હવે MLAને સરપંચની ચૂંટણી લડાવશે? MPમાં ટિકિટોની જાહેરાત પછી બળવાખોરી</title>
                                    <description><![CDATA[<p>તો શું ભાજપ હવે MLAને સરપંચની ચૂંટણી લડાવશે? કેમ આવો પ્રશ્ન પૂછાઇ રહ્યો છે..ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)ની જોડી પ્રયોગો કરવા માટે જાણીતી છે. ત્યાં પણ ગુજરાતની જેમ 20 વર્ષથી ભાજપનું શાસન છે. સરકાર સામે એન્ટીઇન્કમબન્સી છે. એકાદ બે મહિનામાં ચૂંટણી થવાની છે. ભાજપ માટે સ્થિતિ સારી નથી. એટલે પ્રયોગો કરવા પડે તેમ જ છે. એટલે ગુજરાતમાં જેમ પ્રયોગ કરીને જીત મેળવી તે રીતે જ ત્યાં પણ પ્રયોગો કરાઇ રહ્યા છે. પંરતુ ત્યાં ગુજરાત જેવું નથી. અહીં નેતાઓ ચુપચાપ સહન કરી લે છે. વધારે બોલતા નથી. પરંતુ ત્યાં</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/national/will-bjp-make-mla-to-fight-election-of-sarpanch-questions-asked-after-declaration-of-candidates-for-mp/article-158300"><img src="https://www.khabarchhe.com/media/400/2023-09/1695806338bjp-leaders.jpg" alt=""></a><br /><p>તો શું ભાજપ હવે MLAને સરપંચની ચૂંટણી લડાવશે? કેમ આવો પ્રશ્ન પૂછાઇ રહ્યો છે..ભારતીય જનતા પાર્ટી અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)ની જોડી પ્રયોગો કરવા માટે જાણીતી છે. ત્યાં પણ ગુજરાતની જેમ 20 વર્ષથી ભાજપનું શાસન છે. સરકાર સામે એન્ટીઇન્કમબન્સી છે. એકાદ બે મહિનામાં ચૂંટણી થવાની છે. ભાજપ માટે સ્થિતિ સારી નથી. એટલે પ્રયોગો કરવા પડે તેમ જ છે. એટલે ગુજરાતમાં જેમ પ્રયોગ કરીને જીત મેળવી તે રીતે જ ત્યાં પણ પ્રયોગો કરાઇ રહ્યા છે. પંરતુ ત્યાં ગુજરાત જેવું નથી. અહીં નેતાઓ ચુપચાપ સહન કરી લે છે. વધારે બોલતા નથી. પરંતુ ત્યાં તો સતત બળવો થઇ રહ્યો છે.</p>  <p>ત્યાં હજુ ચૂંટણી જાહેર થઇ નથી પરંતુ ભાજપે ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધું છે. સોમવારે જ 80 ઉમેદવારોની લિસ્ટ જાહેર કરાયું ત્યારે જાણે ભૂંકપ આપ્યો. તેમાં 8 નામ એવા હતા જે કેન્દ્રીય સ્તરના નેતાઓ છે તેમાં મંત્રી છે, સંગઠન મહાસચિવ છે. તેમાં 3 મંત્રી, 4 સાંસદ, 1 કેન્દ્રીય મહાસચિવને લડવાનું કહેવામાં આવ્યું છે. પરંતુ હાઇકમાન્ડે બધાને રણસંગ્રામમાં ઉતારી દીધા છે. જોકે, મોટાભાગના નેતાઓને આ ગમ્યુ હોય તેમ લાગતું નથી.</p>  <p>તો ચાલો જોઇએ કોણે શું કહ્યું-</p>  <p>1.સતના મૈહર નારાયણ ત્રિપાઠી ના બદલે સાંસદ શ્રીકાંત ચતુર્વેદીને ટિકિટ આપતા ત્રિપાઠી અકળાયા છે- તેમણે કહ્યું કે હું રેસમાં હતોજ નહીં. વિધ્યને જુદુ રાજ્ય બનાવવા માટે અંત સુધી લડતો રહીશ. ભાજપ જો આટલા સિનિયર નેતાઓને ચૂંટણી લડાવવા માગે છે તો મુરલી મનોહર જોશી અને લાલકૃષ્ણ આડવાણીનો શું વાંક હતો. સાંસદ જો વિધાનસભા લડશે તો ધારાસભ્યો શું સરપંચની ચૂંટણી લડશે. યુવા રાષ્ટ્રની વાત કરતી પાર્ટીએ આટલા વૃદ્ધ નેતાઓને કેમ મેદાનમાં ઉતાર્યા છે. ત્રિપાઠી આજ દિન સુધી આ સીટ પર કોંગ્રેસ, સપા અને ભાજપ બધી પાર્ટીઓને જીતાડી ચૂક્યા છે. હવે તેઓ વિંધ્ય પાર્ટી બનાવીને ચૂંટણી લડશે. તેઓ અહીંથી ચાર વાર જીતી ચૂક્યા છે.</p>  <p>2. કેદારનાથ શુક્લા -સીધી સીટ પરથી એમએલએ છે તેમની જગ્યા સાંસદ રીતિ પાઠકને ટિકિટ આપવામાં આવી છે. તેમના વિસ્તારમાં પેશાબ કાંડ થયો હતો જેમાં ભાજપના નેતાએ એક દલિત પર પેશાબ કર્યો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. જાહેરાત થતા જ તેમણે કહ્યું છે કે રીતિ પાઠક આખા રાજ્યમાં સૌથી વધુ મતોથી હારશે. કેદારનાથ પોતે નિર્દલીય ચૂંટણી પણ લડશે. તેમની સાથે ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ રાજેશ મિશ્રાએ પણ પાર્ટી છોડી દીધી છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-09/1695806338bjp-leaders2.jpg" alt=""></img></p>  <p>3. જાલમસિહ નરસિંહપુરથી એમએલએ છે. તેમને બદલે કેન્દ્રીય મંત્રી પ્રહલાદસિંહ પટેલને ટિકિટ આપી છે. પ્રહલાદ પટેલે કહ્યું કે મને મને પહેલીવાર વિધાનસભા લડવાનો મોકો આપનાર પાર્ટીનો હું આભાર માનું છું</p>  <p>4. કૈલાશ વિજયવર્ગીય (Kailash Vijayvargiya) મોટા નેતા છે. તેઓ કેન્દ્રીય મહાસચિવ છે. તેમને ઇંદૌર-1થી ટિકિટ આપી છે. આ બેઠક ભાજપ ગત વખતે હારી ગયું હતું. તેમણે કાર્યકરો સાથે વાતચીતમાં કહ્યું કે હવે મોટા નેતા થઇ ગયા છીએ. હવે ક્યાં હાથ-પગ જોડવા જવાના. હવે તો ભાષણ આપીને નીકળી જવાનું. અમે તો એમ હતું. મારી તો લડવાની કોઇ ઇચ્છા ન હતી. જોકે, હવે મારી અપેક્ષા છે કે તમારે બધાએ મળીને રેકોર્ડ જીત મેળવી આપવાની છે. મે તો પ્લાન પણ કરી લીધેલું કે દરરોજ 8 સભાઓ કરીશ. હેલિકોપ્ટરથી 5 સભા અને કારથી 3 સભા. પરંતુ ઇશ્વરની ઇચ્છા ન હતી. મને હજુ પણ વિશ્વાસ નથી થતો કે હું ઉમેદવાર છું. મને તો એમ હતું કે દીકરા આકાશનું રાજકીય અહિત ન થાય. તેણે શહેરમાં ખૂબ મહેનત કરી છે. દરમિયાનમાં ભીડમાંથી અવાજ આવે છે કે સીએમ બનવાના છો. તો વિજયવર્ગીય બોલે છે-ઠીક છે તે તો.</p>  <blockquote class="twitter-tweet">  <p dir="ltr" lang="en" xml:lang="en"><a href="https://twitter.com/hashtag/WATCH?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#WATCH</a> | On being named BJP candidate from Indore-1 assembly constituency for upcoming Madhya Pradesh polls, Kailash Vijayvargiya says, "I didn't have even 1% wish to contest elections. I had only planned to attend public meetings...I still can't believe I have been given a… <a href="https://t.co/XClLauKzb7">pic.twitter.com/XClLauKzb7</a></p>  — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) <a href="https://twitter.com/ANI_MP_CG_RJ/status/1706868340558528664?ref_src=twsrc%5Etfw">September 27, 2023</a></blockquote>  <blockquote class="twitter-tweet"><img src="https://www.khabarchhe.com/media/2023-09/1695806338bjp-leaders3.jpg" alt=""></img></blockquote>  <p>5. નરેન્દ્રસિંહ તોમર પણ કેન્દ્રીય મંત્રી, મુરૈનાથી લડવાના છે. તેમને ટિકિટ મળતા તે પણ હેબતાઇ ગયા હોય તેમ લાગતું હતું. તેમણે એટલું જ કહ્યું કે કોઇપણ વ્યક્તિ સૌથી પહેલા પાર્ટીનો કાર્યકર છે. એટલે જે તે નક્કી કરે તે કરવાનું હોય. પરંતુ શું હજુ પણ મોટા નેતાઓને લડાવવામાં આવશે. એવો સવાલ કરતા તેમણે કહ્યું કે આગે આગે દેખિયે હોતા હૈ ક્યા.</p>  <p>6. સાંસદ ગણેશસિંહને સતનાથી ટિકિટ અપાઇ છે. તેમની સામે ભાજપ છોડી ચૂકેલા રત્નાકર ચતુર્વેદીએ નિર્દલીય લડવાની ઘોષણા કરી દીધી છે. રત્નાકર ચતુર્વેદી યુવા મોરચાના નેતા છે. તેમણે કહ્યું કે કોરોનાકાળમાં પાર્ટી માટે ખૂબ મહેનત કરી તેનું ફળ હવે આવું મળી રહ્યું છે. પાર્ટીનો ખૂબ ખૂબ આભાર.</p>  <p>આ તો થઇ નેતાઓના રીએક્શનની વાત. પરંતુ ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે વર્ષ 2018ની ચૂંટણીમાં ભાજપ હારી ગયું હતું. ત્યાં કોંગ્રેસને તોડીમાં ફરી સરકારમાં આવ્યું હતું. પરંતુ હવે ફરી ત્યાં પાર્ટીની સ્થિતિ સારી નથી. એટલે હવે જુગાર રમવા સિવાય છૂટકો નથી. લાગ્યું તો તીર નહીં તો તુક્કો. કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે આ તો વર્ષ 2024ની ચૂંટણીની તૈયારી છે. વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો તો ભાજપ જાણે જ છે. એટલે લોકસભાની ચૂંટણીમાં ત્યાં કોઇ મોટું નુક્સાન ન થાય તેની તૈયારી છે. </p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Politics</category>
                                    

                <link>https://www.khabarchhe.com/national/will-bjp-make-mla-to-fight-election-of-sarpanch-questions-asked-after-declaration-of-candidates-for-mp/article-158300</link>
                <guid>https://www.khabarchhe.com/national/will-bjp-make-mla-to-fight-election-of-sarpanch-questions-asked-after-declaration-of-candidates-for-mp/article-158300</guid>
                <pubDate>Wed, 27 Sep 2023 16:41:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2023-09/1695806338bjp-leaders.jpg"                         length="182230"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Virang Bhatt]]></dc:creator>
                            </item>
            <item>
                <title>મોજે દરિયા- પોતાના બર્થડે પર મંત્રી રૂપાલાનું નવું સાહસ, ખાસ યુવાનો માટે છે</title>
                                    <description><![CDATA[<p>કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા જ્યારે બોલતા હોય ત્યારે લોકો ચુપચાપ સાંભળતા હોય છે. જો ગુજરાતમાં પબ્લિકને કલાકો સુધી બાંધી રાખે તેવી વક્તવ્ય કળા હોય તેવા જૂજ નેતાઓ છે તેમાં રૂપાલાનું નામ અગ્રણી છે.</p>  <p>ભાજપની રેલીઓમાં પણ લોકો તેમને સાભંળવા આવે છે એટલે તેઓ સ્ટાર પ્રચારક હોય છે. હવે તેમણે એક નવું સાહસ કર્યું છે. તેઓ પોતાની એક યૂ ટ્યૂબ ચેનલ લોન્ચ કરવા જઇ રહ્યા છે. જેનું નામ છે મોજે દરિયા. આ ચેનલ શરૂ કરવાની જાહેરાત પણ તેમણે પોતે જ કરી છે.</p>  <p>તેઓ વીડિયોમાં જણાવે છે કે લોક સાહિત્ય સાથે નવી પેઢીને જોડવા માટે ટેકનોલોજીનાં સહયોગથી પહોંચાડવા માટેનું એક આયોજન એટલે</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/art---culture/minister-rupala-s-new-venture-for-youth-on-his-birthday/article-158241"><img src="https://www.khabarchhe.com/media/400/2023-09/169563726979.jpg" alt=""></a><br /><p>કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા જ્યારે બોલતા હોય ત્યારે લોકો ચુપચાપ સાંભળતા હોય છે. જો ગુજરાતમાં પબ્લિકને કલાકો સુધી બાંધી રાખે તેવી વક્તવ્ય કળા હોય તેવા જૂજ નેતાઓ છે તેમાં રૂપાલાનું નામ અગ્રણી છે.</p>  <p>ભાજપની રેલીઓમાં પણ લોકો તેમને સાભંળવા આવે છે એટલે તેઓ સ્ટાર પ્રચારક હોય છે. હવે તેમણે એક નવું સાહસ કર્યું છે. તેઓ પોતાની એક યૂ ટ્યૂબ ચેનલ લોન્ચ કરવા જઇ રહ્યા છે. જેનું નામ છે મોજે દરિયા. આ ચેનલ શરૂ કરવાની જાહેરાત પણ તેમણે પોતે જ કરી છે.</p>  <p>તેઓ વીડિયોમાં જણાવે છે કે લોક સાહિત્ય સાથે નવી પેઢીને જોડવા માટે ટેકનોલોજીનાં સહયોગથી પહોંચાડવા માટેનું એક આયોજન એટલે મોજે દરિયા!"</p>  <p>ચેનલ અંગે માહિતી આપતા જણાવ્યું છે કે રજૂ કરીયે છીએ મોજે દરિયા : 1st ઓક્ટોબર, રવિવારે પહેલો એપિસોડ રિલીઝ થશે... જેમાં આપની સાથે જોડાશે પરશોત્તમભાઈ રૂપાલા સાથે પદ્મશ્રી ભિખુદાનભાઈ ગઢવી!</p>  <p>આવનારા એપિસોડ્માં આપની સાથે જોડાશે પરશોત્તમભાઈ રૂપાલા સાથે કાજલબેન ઓઝા, પદ્મશ્રી શાહબુદ્દીન ભાઈ રાઠોડ અને શ્રી માયાભાઈ આહિર...</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-09/169563726980.jpg" alt=""></img></p>  <p>ઉલ્લેખનીય છે કે 1 ઓક્ટોબરે તેમનો 69મોં બર્થડે આવે છે. તેમનો જન્મ 1954માં થયો હતો. તેઓ બીએસસી, બીએડ સુધી ભણ્યા, શાળામાં આચાર્ય પદ સુધી પહોંચ્યા. પછી અમરેલી નગરપાલિકાના પ્રમુખ બન્યા. પછી એમએલએ અને મંત્રીપદ સુધી પહોંચ્યા. હાલમાં કેન્દ્રમાં પશુપાલન અને ડેરીના મંત્રી છે. તેમનું નામ વાંરવાર ગુજરાતના મુખ્યમંત્રીપદ માટે પણ સતત ચર્ચાતું હોય છે.</p>  <p>તેમની પોતાની યુ ટ્યૂબ ચેનલ પર 64 હજારથી વધુ લોકો જોડાયેલા છે. જોકે, આ નવી ચેનલ પર પણ જાહેરાત થતાની સાથે જ 596 સબસ્ક્રાઇબર્સ જોડાઇ ગયા છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-09/169563696676.jpg" alt=""></img></p>  <p>રૂપાલા સોશિયલ મીડિયા પર પણ ખાસ્સા ફેમસ છે. તેમના રાજકીય ભાષણો પણ વાયરલ થતા હોય છે. તેમની અન્ય સોશિયલ મીડિયા પર પણ પ્રેઝન્સ ખૂબ સારી છે. ફેસબુક પર તેમની સાથે 4 લાખ 23 હજારથી વધુ લોકો જોડાયેલા છે. તો માઇક્રોબ્લોગિંગ સાઇટ એક્સ પર 5 લાખથી વધુ લોકો જોડાયેલા છે.</p>  <p>યુવાનો લોક સંસ્કૃતિ સાથે જોડાય તે ખૂબ જરૂરી છે. એટલે રૂપાલાનું આ સાહસ ખૂબ જ સરાહનીય છે. લોકો તેમના આ નવા સાહસને આવકારી પણ રહ્યા છે.</p>  <p> </p>]]></content:encoded>
                
                                                            <category>Politics</category>
                                            <category>Art &amp; Culture</category>
                                    

                <link>https://www.khabarchhe.com/art---culture/minister-rupala-s-new-venture-for-youth-on-his-birthday/article-158241</link>
                <guid>https://www.khabarchhe.com/art---culture/minister-rupala-s-new-venture-for-youth-on-his-birthday/article-158241</guid>
                <pubDate>Mon, 25 Sep 2023 17:11:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2023-09/169563726979.jpg"                         length="95813"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Virang Bhatt]]></dc:creator>
                            </item>
            <item>
                <title>પંજાબના ગેંગસ્ટર્સ, ડ્રગ માફિયાનું અભયારણ્ય બની રહ્યું છે કેનેડા, ISI પણ મદદમાં</title>
                                    <description><![CDATA[<p>(Virang Bhatt). ગુજરાતની સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગે હાલમાં જ કેનેડામાં ખાલિસ્તાન તરફી ગેંગસ્ટર સુખા દેનેકાની હત્યા કરવાની જવાબદારી લીધી. ગુજરાતમાં બેઠા બેઠા છેક કેનેડામાં કોઇ ગેંગસ્ટરની હત્યા કરાવવા પાછળનું કારણ શું.</p>  <p>આ આખા નેટવર્કની વાતો ચોંકાવનારી છે. જો ટૂંકમાં કહીએ તો પંજાબમાં ડ્રગ્સના માફિયા જ્યારે બચવું હોય તો કેનેડા ભાગી જાય. કેનેડામાં તેમને આશ્રય મળે. ત્યાં શીખ આતંકીઓ તેમને મદદ કરે. આ ઉપરાંત પાકિસ્તાનનું આઇએસઆઇ પણ તેમને મદદ કરે.</p>  <p>હવે જેમને માત્ર રૂપિયાથી જ મતલબ હોય, તેમના માટે પોતાનો દેશ કે પછી પાકિસ્તાન કે પછી કેનેડા. તેઓ તો રૂપિયા લઇને કંઇ પણ કરવા તૈયાર હોય છે. આમ,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/politics/canada-becomes-game-century-for-gangsters-drug-mafia-of-punjab-gets-isi-support/article-158183"><img src="https://www.khabarchhe.com/media/400/2023-09/16954703617.jpg" alt=""></a><br /><p>(Virang Bhatt). ગુજરાતની સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગે હાલમાં જ કેનેડામાં ખાલિસ્તાન તરફી ગેંગસ્ટર સુખા દેનેકાની હત્યા કરવાની જવાબદારી લીધી. ગુજરાતમાં બેઠા બેઠા છેક કેનેડામાં કોઇ ગેંગસ્ટરની હત્યા કરાવવા પાછળનું કારણ શું.</p>  <p>આ આખા નેટવર્કની વાતો ચોંકાવનારી છે. જો ટૂંકમાં કહીએ તો પંજાબમાં ડ્રગ્સના માફિયા જ્યારે બચવું હોય તો કેનેડા ભાગી જાય. કેનેડામાં તેમને આશ્રય મળે. ત્યાં શીખ આતંકીઓ તેમને મદદ કરે. આ ઉપરાંત પાકિસ્તાનનું આઇએસઆઇ પણ તેમને મદદ કરે.</p>  <p>હવે જેમને માત્ર રૂપિયાથી જ મતલબ હોય, તેમના માટે પોતાનો દેશ કે પછી પાકિસ્તાન કે પછી કેનેડા. તેઓ તો રૂપિયા લઇને કંઇ પણ કરવા તૈયાર હોય છે. આમ, કેનેડા પંજાબના ગેંગસ્ટરોનું અભયારણ્ય બની રહ્યું છે.</p>  <p>ભારત-કેનેડા સંબંધોમાં ખેંચતાણથી ડર્યા વિના, સોશિયલ મીડિયા ફેન પેજીસ અને ગેંગસ્ટરો અને શીખ ઉગ્રવાદીઓનું મહિમામંડન કરતા એકાઉન્ટ્સ વધી રહ્યા છે. ગોલ્ડી બ્રાર, બિશ્નોઈ અને અન્ય ગુંડાઓને સમર્પિત કેટલાક લોકો બંદૂકની હિંસાને ગ્લેમરાઇઝ કરતી રીલ્સ બનાવી અપલોડ કરે છે. કટ્ટરપંથી શીખ ઉપદેશક જરનૈલ સિંઘ ભિંડરાવાલેના ભૂતકાળના ભાષણોના અંશો અને "ખાલિસ્તાન ઝિંદાબાદ" જેવા કૅપ્શન્સ સાથે, ખાલિસ્તાન તરફી ઉશ્કેરણીઓ કરે છે.</p>  <p>આ વર્ષે 18 જૂનના રોજ વાનકુવરમાં ખાલિસ્તાન ટાઈગર ફોર્સના ચીફ હરપ્રીત સિંહ નિજ્જરની હત્યાના થોડા સમય પછી, ગુરુ નાનક શીખ ગુરુદ્વારાની બહાર એક ફ્રેમ વિનાનું પોસ્ટર મળી આવ્યું હતું, જેમાં તેને "શહીદ" તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.</p>  <p>તમને ખબર છે કે નિજ્જરની હત્યા ભારત અને કેનેડા વચ્ચેનો તાજેતરનો ફ્લેશ પોઈન્ટ બની ગયો છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ હત્યામાં ભારતીય એજન્ટોનો હાથ હોવાનો આરોપ મૂક્યો. ભારતે કેનેડાની સરકાર પર "આતંકવાદીઓ, ઉગ્રવાદીઓ અને સંગઠિત અપરાધ માટે સુરક્ષિત આશ્રયસ્થાન" હોવાનો આરોપ મૂક્યો હતો. પંજાબ પોલીસે કેનેડા સાથે સંબંધો ધરાવતા બ્રારના સહયોગીઓ સામે દરોડા પાડ્યા હતા અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ બબ્બર ખાલસા ઓપરેટિવ્સ માટે રોકડ પુરસ્કારોની જાહેરાત કરી હતી.</p>  <p>આ ભડકાએ ફરી એકવાર જૂની સમસ્યા તરફ ધ્યાન દોર્યું છે: ઈન્ડો-કેનેડિયન ગેંગસ્ટર અને શીખ અલગતાવાદીઓ વચ્ચે લાંબા સમયથી ચાલતી સાંઠગાંઠ. પાછું તેમાં છે પાકિસ્તાનની આઇએસઆઇનું કનેક્શન પણ છે.</p>  <p>કેનેડા સ્થિત ગુંડાઓ ખુલ્લેઆમ અલગતાવાદી વિચારધારાને સમર્થન આપે છે. આ ગુંડાઓની શરૂઆત ભારતમાં થઈ હતી, પરંતુ જેમ જેમ તેમની સામે કેસ વધતા ગયા, તેઓ વિદેશ ભાગી ગયા.આ ગુંડાઓને શીખ ઉગ્રવાદીઓએ તમામ પ્રકારની મદદ કરી. તેમના કેટલાક સહયોગીઓ ભારતમાં રહ્યા અને ભારતીય જેલોની અંદરથી તેમની ગેંગ ચલાવવાનું ચાલુ રાખ્યું.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-09/1695459543justin-trudeau31.jpg" alt=""></img></p>  <p>ગોલ્ડી બ્રાર, અર્શ દલ્લા અને બિશ્નોઈ-બંબીહાની હરીફાઈ</p>  <p>ભારતીય મૂળના કેનેડા સ્થિત ગેંગસ્ટરોમાં કદાચ સૌથી કુખ્યાત સતીન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રાર છે. ભારતીય કાયદાથી બચવા તે 2017માં કેનેડા ગયો હતો. સત્તાવાળાઓને શંકા છે કે તે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની મદદથી કેનેડાથી તેની ગેંગને ચલાવવાનું ચાલુ રાખે છે - જે હાલમાં ગુજરાતની સાબરમતી જેલમાં બંધ છે.</p>  <p>કેનેડાથી કાર્યરત, બ્રાર ગેંગ નવા સભ્યોની ભરતી કરે છે, વસૂલીનું રેકેટ ચલાવે છે અને કથિત રીતે ગત મે મહિનામાં સિદ્ધુ મૂસે વાલા સહિતની હત્યાઓમાં સામેલ હોવાનું કહેવાય છે.</p>  <p>ઈન્ડો-કેનેડિયન ગેંગસ્ટરોની સાંઠગાંઠના સંબંધમાં સામે આવતું બીજું નામ અર્શદીપ સિંહ ગિલ અથવા અર્શ દલ્લાનું છે. અલગતાવાદી સંગઠન ખાલિસ્તાન ટાઈગર ફોર્સના સભ્ય, ડલ્લાનું નામ ભારતમાં 20 થી વધુ ફોજદારી કેસોમાં છે. જેમાં દિલ્હીમાં એક વ્યક્તિનું માથું કાપી નાખવાનો સમાવેશ થાય છે. તે 2018 માં કોઈક સમયે કેનેડા ગયો હતો અને માનવામાં આવે છે કે તે હથિયારોની દાણચોરી, ડ્રગની હેરાફેરી અને હત્યાઓમાં સામેલ હતો.</p>  <p>હાલમાં તેનું નામ ફરી હેડલાઈન્સ બન્યું હતું. ગેંગસ્ટર સુખા દુનેકે - જે દલ્લાનો સહયોગી હોવાનું કહેવાય છે - કેનેડાના વિનીપેગમાં "ગેંગ વોર"માં કથિત રીતે ઠાર કરવામાં આવ્યો હતો. લોરેન્સ બિશ્નોઈ ગેંગે આ હત્યાની જવાબદારી લીધી હતી.</p>  <p>દુનેકે, હરીફ દવિન્દર બમ્બિહા ગેંગ સાથે સાથી હોવાનું માનવામાં આવે છે, તે બનાવટી પાસપોર્ટ પર 2017 માં કેનેડા ભાગી ગયો હતો.</p>  <p>ગિલ, બ્રાર અને અન્યો ઉપરાંત, પ્રિન્સ ચૌહાણ, જેલમાં બંધ ગેંગસ્ટર વિરેન્દ્ર પ્રતાપ ઉર્ફે કાલા રાણાનો સહયોગી પણ કેનેડાથી તેની ગેંગ ચલાવે છે.</p>  <p>જયપાલ ભુલ્લર ગેંગના જેલમાં બંધ ગેંગસ્ટર ગગનદીપ સિંહનો ભાઈ રમણદીપ સિંહ ઉર્ફે રમણ જજ પણ કેનેડાની ધરતી પરથી ઓપરેટ કરતો હોવાની શંકા છે. ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો કથિત ઓપરેટિવ અને ભરતી કરનાર, તે પંજાબમાં આતંકવાદી પ્રવૃત્તિઓ, ડેરાના અનુયાયીની હત્યા અને 2021 માં ફિલૌરમાં પાદરી પરના હુમલાનો આરોપી છે.</p>  <p>શું છે પુરાવા</p>  <p>તાજેતરમાં કેનેડિયન પોલીસે લગભગ એક વર્ષ સુધી ચાલેલા ઓપરેશન પછી 30 થી વધુ લોકોની ધરપકડ કરીને આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો હતો, જેમાંથી 25 પંજાબના છે.</p>  <p>કેનેડિયન મીડિયાના અહેવાલો અનુસાર, પોલીસે કેટલીક આંતરરાષ્ટ્રીય એજન્સીઓની મદદથી કેનેડામાં આંતરરાષ્ટ્રીય ડ્રગ નેટવર્કની કમર તોડવા માટે પ્રોજેક્ટ ચિતા નામના સ્પેશિયલ ઓપરેશન કોડ પર કામ કરવાનું શરૂ કર્યું. પોલીસે ઑન્ટારિયો, બ્રિટિશ કોલંબિયા અને કેલિફોર્નિયામાં 50 થી વધુ સર્ચ વોરંટ ચલાવ્યા અને હેરોઈન અને કેટામાઈન સહિત આશરે $2.3 મિલિયનની કિંમતની દવાઓ અને 48 અત્યંત અત્યાધુનિક દવાઓ જપ્ત કરી. કેનેડિયન ચલણમાં $730,000 ઉપરાંત હથિયારો જપ્ત કર્યા.</p>  <p>કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ બંને દેશો વચ્ચે જે રીતે તણાવ વધી રહ્યો છે. તે શાંતિની દ્રષ્ટિએ વિશ્વ માટે સારું નથી. પાકિસ્તાનની જેમ કેનેડા પણ આતંકવાદીઓનું આશ્રયસ્થાન બની રહ્યું છે. તે પશ્ચિમી દેશો માટે પણ મોટો ખતરો સાબિત થઈ શકે છે. ભારતના વિદેશ મંત્રાલયે ખાલિસ્તાનના મુદ્દે કેનેડાને સલાહ પણ આપી છે. ભારતે કહ્યું છે કે કેનેડાએ તેની આંતરરાષ્ટ્રીય છબીની ચિંતા કરવી જોઈએ. કાશ્મીર મુદ્દે પાકિસ્તાન જે રીતે આતંકવાદીઓને આશ્રય આપી રહ્યું છે તે જ તર્જ પર કેનેડા પણ સતત ખાલિસ્તાનીઓને આશ્રય આપી રહ્યું છે.</p>  <p>એટલું જ નહીં, ખાલિસ્તાની આતંકવાદીઓ અને ISI વચ્ચે ગઠબંધન પણ થઈ રહ્યું છે. પાકિસ્તાન આતંકવાદીઓને દેશભક્ત પણ કહે છે. તેવી જ રીતે કેનેડા ખાલિસ્તાનીઓને પોતાના દેશના નાગરિક માને છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ પણ કેનેડાને તેની બગડતી છબી સુધારવાની સલાહ આપી છે. તેમનું કહેવું છે કે કેનેડા વધુને વધુ આતંકવાદ, ઉગ્રવાદ અને સંગઠિત અપરાધનું કેન્દ્ર બની રહ્યું છે. જેના કારણે તેની આંતરરાષ્ટ્રીય છબી ખરાબ થઈ રહી છે.</p>  <p> </p>]]></content:encoded>
                
                                                            <category>World</category>
                                            <category>Politics</category>
                                    

                <link>https://www.khabarchhe.com/politics/canada-becomes-game-century-for-gangsters-drug-mafia-of-punjab-gets-isi-support/article-158183</link>
                <guid>https://www.khabarchhe.com/politics/canada-becomes-game-century-for-gangsters-drug-mafia-of-punjab-gets-isi-support/article-158183</guid>
                <pubDate>Sat, 23 Sep 2023 18:41:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2023-09/16954703617.jpg"                         length="127301"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Virang Bhatt]]></dc:creator>
                            </item>
            <item>
                <title>કેનેડામાં 20 હજારથી વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ ડરમાં છે, નવા જનારા હવે તૈયાર નથી</title>
                                    <description><![CDATA[<p>દર વર્ષે આશરે 3. 19 લાખ ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરતા હોય છે, તેમાંથી 20,000 થી વધુ ગુજરાતના હોવાનો અંદાજ છે. આ અંદાજ ઇમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટીઝનશિપ કેનેડા (IRCC) ડેટા અનુસાર લગાડવામાં આવ્યો છે. જોકે, વિદ્યાર્થીઓની સંખ્યા આનાથી પણ વધુ હોઇ શકે છે. હાલના વર્ષોમાં ગુજરાતમાંથી કેનેડા જવાનો ક્રેઝ સૌથી વધુ છે. પરંતુ તેની ઉપર હવે અસર થશે.  </p>  <p>વિનીપેગના બિઝનેસમેન અને ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા કેનેડા (OFIC)ના ઓફિસર હેમંત એમ શાહે જણાવ્યું હતું કે આ ઘટનાઓ ભારતમાં કેનેડિયન બ્રાન્ડ્સને અસર કરી રહી છે. “અમે ભારતીય અને કેનેડિયન વ્યવસાયો પર અસરને માપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. બહુપ્રતિક્ષિત વેપાર કરાર ફળીભૂત થઈ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/education/gujarati-students-in-canada-are-in-fear-new-are-altering-plans/article-158164"><img src="https://www.khabarchhe.com/media/400/2023-09/169538254518.jpg" alt=""></a><br /><p>દર વર્ષે આશરે 3. 19 લાખ ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરતા હોય છે, તેમાંથી 20,000 થી વધુ ગુજરાતના હોવાનો અંદાજ છે. આ અંદાજ ઇમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટીઝનશિપ કેનેડા (IRCC) ડેટા અનુસાર લગાડવામાં આવ્યો છે. જોકે, વિદ્યાર્થીઓની સંખ્યા આનાથી પણ વધુ હોઇ શકે છે. હાલના વર્ષોમાં ગુજરાતમાંથી કેનેડા જવાનો ક્રેઝ સૌથી વધુ છે. પરંતુ તેની ઉપર હવે અસર થશે.  </p>  <p>વિનીપેગના બિઝનેસમેન અને ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા કેનેડા (OFIC)ના ઓફિસર હેમંત એમ શાહે જણાવ્યું હતું કે આ ઘટનાઓ ભારતમાં કેનેડિયન બ્રાન્ડ્સને અસર કરી રહી છે. “અમે ભારતીય અને કેનેડિયન વ્યવસાયો પર અસરને માપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. બહુપ્રતિક્ષિત વેપાર કરાર ફળીભૂત થઈ શક્યો નથી, અને હવે દેશો વચ્ચે ઝપાઝપી થઈ રહી છે, ”તેમણે ઉમેર્યું હતું કે, કોઈપણ દેશોમાંથી કોઈપણ પગલું હજારો ભારતીય વિદ્યાર્થીઓને અસર કરશે.</p>  <p>કેનેડામાં હિન્દુ સમુદાયના સભ્યોએ ન્યૂયોર્ક સ્થિત અલગતાવાદી શીખ નેતા ગુરપતવંત સિંહ પન્નુના નિવેદન સામે સખત વાંધો ઉઠાવ્યો છે, જેમણે તેમને દેશ છોડવાનું કહ્યું હતું.</p>  <p>કેનેડિયન હિંદુ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નરેશ ચાવડાએ જણાવ્યું હતું કે પન્નુની ચેતવણી બાદ તેઓ સામાજિક, કાનૂની અને રાજકીય પગલાં લઈ રહ્યા છે. "કોઈ પણ સમુદાય માટે ભયનું વાતાવરણ ન હોઈ શકે, અને અમે આવા નિવેદનોથી ચિંતિત છીએ,"</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-09/1695365650india2.jpg" alt=""></img></p>  <p>કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોના દાવાઓનું પરિણામ હજુ પણ બહાર આવી રહ્યું છે અને તણાવ વધી રહ્યો છે. રાજદ્વારી હકાલપટ્ટી કરવામાં આવી છે. કેનેડિયનોએ "દેશભરમાં આતંકવાદી હુમલાઓ" ના કથિત જોખમને ધ્યાનમાં રાખીને ભારતની મુસાફરી સામે મુસાફરી ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે. ભારતે એડવાઈઝરી સામે વળતો જવાબ આપ્યો છે કે, "કેનેડામાં વધતી જતી ભારત વિરોધી પ્રવૃત્તિઓ અને નફરતના ગુનાઓ અને ગુનાહિત હિંસાને ધ્યાનમાં રાખીને, ત્યાંના તમામ ભારતીય નાગરિકોને અને મુસાફરી કરવાનું વિચારી રહેલા લોકોને અત્યંત સાવચેતી રાખવા વિનંતી કરવામાં આવે છે."</p>  <p>ગુજરાતમાંથી કેનેડા ભણવા જવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનો ધસારો રહ્યો છે. કારણ કે ગુજરાતીઓ જે કોર્સ કરે છે તે કેનેડામાં આસાનીથી મળે છે. ત્યાં ગુજરાતી લોકોની સંખ્યામાં પણ સારી એવી છે. આ ઉપરાંત ત્યાં વિદ્યાર્થીઓને કામ પણ મળી રહે છે. ફી પણ અમેરિકા કે ઇંગ્લેંડ કરતા ઓછી પડે છે. આમ, છેલ્લા કેટલાક વર્ષોમાં કેનેડાની યુનિવર્સિટીઓ ગુજરાતીઓને આકર્ષી રહી હતી. પરંતુ હાલમાં તેની ઉપર બ્રેક લાગી છે. </p>  <p>હાલમાં જાન્યુઆરીના સેશન માટેના પ્રવેશો ચાલી રહ્યા છે. પંરતુ સંખ્યાબંધ વિદ્યાર્થીઓએ કેનેડા જવાનું માંડી વાળ્યું હોવાની જાણકારી મળી રહી છે. કારણ કે ત્યાં અનિશ્ચિતતાનો માહૌલ તો છે જ તેની સાથે ડર પણ વધી રહ્યો છે. </p>  <p> </p>]]></content:encoded>
                
                                                            <category>World</category>
                                            <category>Politics</category>
                                            <category>Education</category>
                                    

                <link>https://www.khabarchhe.com/education/gujarati-students-in-canada-are-in-fear-new-are-altering-plans/article-158164</link>
                <guid>https://www.khabarchhe.com/education/gujarati-students-in-canada-are-in-fear-new-are-altering-plans/article-158164</guid>
                <pubDate>Fri, 22 Sep 2023 18:41:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2023-09/169538254518.jpg"                         length="119263"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Virang Bhatt]]></dc:creator>
                            </item>
            <item>
                <title>જો USA પાકમાં ઘુસી લાદેનને મારી શકે તો ભારત કેનેડામાં ઘુસીને આતંકીને કેમ નહીં?</title>
                                    <description><![CDATA[<p>(વિરાંગ ભટ્ટ). ભારતની વિદેશ નીતિમાં આ એક મોટો ફેરફાર છે જેમાં હવે ભારત પોતે પ્રોએક્ટિવ થઇને કોઇપણ દેશની દાદાગીરીને ચલાવી લેતું નથી. હાલમાં કેનેડામાં શીખ આંતકવાદીની હત્યામાં ભારતની સરકારની સંડોવણીનો આરોપ ત્યાંના પ્રધાનમંત્રીએ લગાવ્યા પછી બન્ને દેશો વચ્ચે તણખા ઝરી રહ્યા છે.</p>  <p>કેનેડાએ સખત પગલા લેવાનું શરૂ કર્યું તેની સામે ભારતે વધુ કડકાઇ દર્શાવી. બન્ને દેશો વચ્ચે સારા સંબંધો છે પરંતુ શીખ આંતકવાદીઓ મામલે પહેલાથી જ કેનેડાનું વલણ ભારતની વિરુદ્દ રહ્યું છે. તેની પાછળ કેનેડાનું સ્થાનિક રાજકારણ પણ છે. ત્યાં શીખોની સંખ્યા મોટી છે. જસ્ટિન ટુડોની સરકાર પાતળી સરસાઇથી ટકી રહી છે. જો શીખોના સમર્થનવાળી પાર્ટી સપોર્ટ ખેંચી લે તો</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/politics/if-us-can-eliminate-laden-entering-pakistan-then-why-not-india-neutralize-terrorist-in-canada/article-158159"><img src="https://www.khabarchhe.com/media/400/2023-09/16953810899.jpg" alt=""></a><br /><p>(વિરાંગ ભટ્ટ). ભારતની વિદેશ નીતિમાં આ એક મોટો ફેરફાર છે જેમાં હવે ભારત પોતે પ્રોએક્ટિવ થઇને કોઇપણ દેશની દાદાગીરીને ચલાવી લેતું નથી. હાલમાં કેનેડામાં શીખ આંતકવાદીની હત્યામાં ભારતની સરકારની સંડોવણીનો આરોપ ત્યાંના પ્રધાનમંત્રીએ લગાવ્યા પછી બન્ને દેશો વચ્ચે તણખા ઝરી રહ્યા છે.</p>  <p>કેનેડાએ સખત પગલા લેવાનું શરૂ કર્યું તેની સામે ભારતે વધુ કડકાઇ દર્શાવી. બન્ને દેશો વચ્ચે સારા સંબંધો છે પરંતુ શીખ આંતકવાદીઓ મામલે પહેલાથી જ કેનેડાનું વલણ ભારતની વિરુદ્દ રહ્યું છે. તેની પાછળ કેનેડાનું સ્થાનિક રાજકારણ પણ છે. ત્યાં શીખોની સંખ્યા મોટી છે. જસ્ટિન ટુડોની સરકાર પાતળી સરસાઇથી ટકી રહી છે. જો શીખોના સમર્થનવાળી પાર્ટી સપોર્ટ ખેંચી લે તો પડી જાય તેમ છે. એટલે જસ્ટિને ભારત વિરોધી વલણ લે તેમાં નવાઇ નથી.</p>  <p>અહીં કેનેડાના સ્થાનિક રાજકારણમાં આંતરરાષ્ટ્રીય સંબંધોની ભેળસેળ કરાઇ રહી છે. જસ્ટિનની ફોરેન પોલીસીમાં આવું ભૂતકાળમાં પણ બની ચૂક્યું છે. ચીન સાથે પણ બબાલ ઊભી થઇ હતી. પરંતુ તેની સામે કોઇ પગલા લેવાની હિંમત થઇ ન હતી. કારણ કે ચીનનું વલણ તેને ખબર છે.</p>  <p>ટ્રુડોના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોડી થોમસે કેનેડાની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરતા શંકાસ્પદ દેશોની યાદી આપી હતી.</p>  <p>તેણીએ કહ્યું: 'આમાં રશિયા, ઈરાન, ભારતનો સમાવેશ થાય છે.' પરંતુ પછી તેણીએ નોંધપાત્ર રીતે ઉમેર્યું: ' જેનું નામ સૌથી પહેલા આવે છે, અને તે કોઈને માટે આશ્ચર્યજનક નથી, તે ચીન છે.'</p>  <p>અને કેનેડાએ એક શક્તિશાળી અને સંપૂર્ણ સરમુખત્યારશાહી રાજ્ય ચીન સામે શું પગલાં લીધાં છે? તે વિશે પત્રકારો સાથે વાત કરતા, કેનેડાના વિરોધ પક્ષના નેતા, પિયરે પોઈલીવરે કહ્યું હતું: “મને તે રસપ્રદ લાગે છે કે તેઓ (ટ્રુડો) ઘણા વર્ષોથી બેઇજિંગ દ્વારા વિશાળ વિદેશી દખલ વિશે જાણતા હતા. તે એક સમયે બેઇજિંગ હતા. ચીનમાં બે કેનેડિયન નાગરિકોને બંધક બનાવ્યા. અને તેમણે કંઈ કહ્યું નહીં અને કંઈ કર્યું નહીં.</p>  <p>અહીં પોઇન્ટ એ છે કે આજે દુનિયાને ચાઇનાની જેટલી જરૂર છે તેનાથી ઓછી જરૂર ભારતની નથી. એટલે ભારતે હવે પોતાની તાકાત દર્શાવવાની શરૂઆત કરી છે તે યોગ્ય જ છે. આ વલણ દુનિયાભરના ડિફેન્સ એક્સપર્ટ્સને પણ ચોંકાવી રહ્યું છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-09/1695370329india-canada-tension2.jpg" alt=""></img></p>  <p>તમને ખબર હશે કે ભારતની રીસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ દુનિયાભરમાં છુપા ઓપરેશન્સ કરે છે. આ ઓપરેશન્સ હાલ સુધી પાકિસ્તાન કે અફઘાનિસ્તાન જેવા દેશોમાં કરતું હોવાની વાત ચર્ચાતી હતી. પશ્ચિમી દેશોમાં તે ન કરાતા હોવાની છાપ હતી. પરંતુ તે છાપ હવે ભૂંસાઇ રહી છે. આવી સંસ્થાઓની ખાસિયત એ હોય છે કે તેઓ જે ઓપરેશન્સ કરે છે તેના કોઇ પુરાવા નથી છોડતા. એટલે તેમની ઉપરના આરોપો સાબિત કરવા અઘરાં હોય છે. એટલે તેની ઉપર રાજકારણ કરવું સહેલું હોય છે. હાલમાં તે જ થઇ રહ્યું છે. </p>  <p>વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી કે જેઓ એક કડક રાજનેતાની છાપ ધરાવે છે, વિદેશ મંત્રી તરીકે એસ. જયશંકર કે જેમની જિંદગી વિદેશનીતિમાં ગઇ છે. અને પાછું રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે અજીત દોવાલ કે જેઓ પહેલા સ્પેશિયલ ઓપરેશન્સ કરવાના ખાં ગણાય છે. આ તિકડીએ ભારતની છાપ બદલી નાંખી છે.</p>  <p>લંડન થિંક-ટેન્ક રોયલ યુનાઇટેડ સર્વિસિસ ઇન્સ્ટિટ્યૂટ (RUSI)ના દક્ષિણ એશિયાની સુરક્ષાના નિષ્ણાત વોલ્ટર લેડવિગે ફાઇનાન્સિયલ ટાઇમ્સ (FT) ને કહ્યું: 'મુખ્ય મુદ્દો એ છે કે R&amp;AW પશ્ચિમમાં તેની કામગીરી હાથ ધરવા તૈયાર નથી.' એફટીએ ઉમેર્યું: 'તે ગણતરી હવે બદલાઈ ગઈ હશે.'</p>  <p>એટલે ભારત હવે દુનિયાભરમાં પોતાની તાકાત દર્શાવી રહ્યું છે. તે જરૂરી પણ છે. જો અમેરિકા, ઇસ્ત્રાઇલ જેવા દેશો પોતાના દેશની સુરક્ષા માટે બીજા દેશોમાં આવા ઓપરેશન્સ કરતા હોય તો આપણે કરવા જ જોઇએ.</p>  <p> </p>]]></content:encoded>
                
                                                            <category>World</category>
                                            <category>Politics</category>
                                    

                <link>https://www.khabarchhe.com/politics/if-us-can-eliminate-laden-entering-pakistan-then-why-not-india-neutralize-terrorist-in-canada/article-158159</link>
                <guid>https://www.khabarchhe.com/politics/if-us-can-eliminate-laden-entering-pakistan-then-why-not-india-neutralize-terrorist-in-canada/article-158159</guid>
                <pubDate>Fri, 22 Sep 2023 17:31:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2023-09/16953810899.jpg"                         length="47052"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Virang Bhatt]]></dc:creator>
                            </item>
            <item>
                <title>તબ્બૂની સાડી પ્રેસ કરતો. દિવસના રૂ. 35 કમાતા રોહિતને કેવી રીતે મળી સફળતા</title>
                                    <description><![CDATA[<p>તમે અવાર-નવાર સાંભળ્યું હશે કે, દરેક સફળ વ્યક્તિ પાછળ તેના સંઘર્ષનું રહસ્ય હોય છે. આજે અમે તમને એવા સુપરસ્ટાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેના વિશે તમે ખૂબ સારી રીતે માહિતગાર છો. આ સુપરસ્ટારે બોલીવુડની ચેન્નાઈ એક્સપ્રેસ, સિંઘમ, ગોલમાલ રીટર્ન્સ, દિલવાલે જેવી ઘણી સુપર હિટ ફિલ્મો આપી છે. અમે પ્રખ્યાત નિર્દેશક રોહિત શેટ્ટી વિશે વાત કરી રહ્યા છીએ.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-06/1604560314rohit_shetty.jpg" alt="" /></p>  <p>તેની ફિલ્મો વિષે વાત કરીએ તો રોહિત શેટ્ટીની મોટાભાગની ફિલ્મો હિટ સાબિત થઇ છે. તમે રોહિત શેટ્ટી વિશે ઘણી વાતો જાણતા હશો. પરંતુ આજે અમે તમને રોહિત શેટ્ટી વિશે એવી કેટલીક વાતો જણાવવા જઈ રહ્યા છીએ, જેને બહુ ઓછા લોકો જાણતા</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/entertainment/rohit-shetty-who-used-to-earn-rs-35-a-day-now-takes-crores-of-rupees-for-a-film/article-102503"><img src="https://www.khabarchhe.com/media/400/2023-06/1604560471rohit_shetty.jpg" alt=""></a><br /><p>તમે અવાર-નવાર સાંભળ્યું હશે કે, દરેક સફળ વ્યક્તિ પાછળ તેના સંઘર્ષનું રહસ્ય હોય છે. આજે અમે તમને એવા સુપરસ્ટાર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેના વિશે તમે ખૂબ સારી રીતે માહિતગાર છો. આ સુપરસ્ટારે બોલીવુડની ચેન્નાઈ એક્સપ્રેસ, સિંઘમ, ગોલમાલ રીટર્ન્સ, દિલવાલે જેવી ઘણી સુપર હિટ ફિલ્મો આપી છે. અમે પ્રખ્યાત નિર્દેશક રોહિત શેટ્ટી વિશે વાત કરી રહ્યા છીએ.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-06/1604560314rohit_shetty.jpg" alt=""></img></p>  <p>તેની ફિલ્મો વિષે વાત કરીએ તો રોહિત શેટ્ટીની મોટાભાગની ફિલ્મો હિટ સાબિત થઇ છે. તમે રોહિત શેટ્ટી વિશે ઘણી વાતો જાણતા હશો. પરંતુ આજે અમે તમને રોહિત શેટ્ટી વિશે એવી કેટલીક વાતો જણાવવા જઈ રહ્યા છીએ, જેને બહુ ઓછા લોકો જાણતા હશે.</p>  <p>આજે અમે તમને રોહિત શેટ્ટીના જીવનના એ સત્ય વિશે જણાવીશું, જેના વિશે જાણ્યા પછી પણ તમે માનશો નહીં. તમને જાણીને આશ્ચર્ય થશે કે તાજેતરમાં જ રોહિત શેટ્ટીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે 1995માં આવેલી ફિલ્મ 'હકીકત' દરમિયાન, જેમાં તબ્બુએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. તે સમયે તે તબ્બુની સાડી પ્રેસ કરતો હતો. તમને જાણીને આશ્ચર્ય થશે, પણ તે સત્ય છે. એટલું જ નહી, આ ઉપરાંત રોહિતે અનેક ફિલ્મોમાં કાજોલના મેકઅપ અને સ્પોટબોય બનવાનું કામ કર્યું છે.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-06/1604560314rohit_shetty1.jpg" alt=""></img></p>  <p>સાથે-સાથે રોહિત શેટ્ટીએ અજય દેવગણની ઘણી ફિલ્મો જેમ કે, 'ફૂલ ઓર કાંટે','રાજુ ચાચા','સુહાગ','પ્યાર તો હોના હી થા' વગેરે જેવી ફિલ્મોમાં સહાયક દિગ્દર્શક તરીકે પણ કામ કર્યું છે. પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે રોહિત શેટ્ટી પહેલા જે અભિનેત્રી અને અભિનેતાનું કામ કરતો હતો અને તેની આગળ પાછળ ફરતો હતો, આજે તે જ અભિનેતા અને અભિનેત્રીઓ તેની ફિલ્મમાં એક કલાકાર તરીકે કામ કરે છે.<br />રોહિત શેટ્ટીએ ફિલ્મ 'જમીન' થી ડિરેક્ટર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ વર્ષ 2003માં રીલીઝ થઇ હતી. આ સિવાય તેણે એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, તે અન્ય કામ કરનારા લોકોની ઘણી ઈજ્જત કરે છે.</p>  <p>રોહિતનું માનવું છે કે, જયારે તમે જીવનમાં ઊંચું સ્થાન પ્રાપ્ત કરો છો, ત્યારે પણ તમારે બીજાને માન તેમજ આદર આપવું જોઈએ. આ એકમાત્ર વસ્તુ છે જે વ્યક્તિને સારો વ્યક્તિ બનાવે છે.</p>]]></content:encoded>
                
                                                            <category>Entertainment</category>
                                    

                <link>https://www.khabarchhe.com/entertainment/rohit-shetty-who-used-to-earn-rs-35-a-day-now-takes-crores-of-rupees-for-a-film/article-102503</link>
                <guid>https://www.khabarchhe.com/entertainment/rohit-shetty-who-used-to-earn-rs-35-a-day-now-takes-crores-of-rupees-for-a-film/article-102503</guid>
                <pubDate>Tue, 06 Jun 2023 09:01:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2023-06/1604560471rohit_shetty.jpg"                         length="88349"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Virang Bhatt]]></dc:creator>
                            </item>
            <item>
                <title>આ ફેમસ ક્રિકેટરોના આ હિરોઇનો સાથે હતા અફેર પણ કોઈ કારણે વાત ન વધી આગળ</title>
                                    <description><![CDATA[<p>દુનિયાની બે સૌથી વધારે ફેઇમ અને પૈસાવાળી ઈન્ડસ્ટ્રી ફિલ્મ અને રમત જગત છે. ઘણી વખત આ બે અલગ ઈન્ડસ્ટ્રી વચ્ચે પ્રેમનો સંબંધ જોવા મળે છે. ઘણા બધા ક્રિકેટ અને બોલિવુડના સિતારાઓએ લગ્ન કર્યા છે અને તે ખુશ પણ છે. જ્યારે ઘણા સિતારાઓની અફેરની ખબરો લોકોમાં છવાયેલી રહે છે પણ તેમના લગ્ન થઈ શક્યા નહીં. આજે આપણે આવા જ અમુક ક્રિકેટરોની લવ સ્ટોરી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-04/1599979104dhoni_and_lakshmi_rai.jpg" alt="" /></p>  <p>આ લિસ્ટમાં પહેલું નામ મહેન્દ્ર સિંહ ધોનીનું છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો એક સમયે ધોની તમિલ એક્ટ્રેસ અને મોડલ લક્ષ્મી રાયને ડેટ કરી રહ્યો હતો. ખબરો અનુસાર બંનેનું અફેર પણ હતું, પણ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/entertainment/cricketers-and-their-affairs-with-film-stars/article-99163"><img src="https://www.khabarchhe.com/media/400/2023-04/15999791041.jpg" alt=""></a><br /><p>દુનિયાની બે સૌથી વધારે ફેઇમ અને પૈસાવાળી ઈન્ડસ્ટ્રી ફિલ્મ અને રમત જગત છે. ઘણી વખત આ બે અલગ ઈન્ડસ્ટ્રી વચ્ચે પ્રેમનો સંબંધ જોવા મળે છે. ઘણા બધા ક્રિકેટ અને બોલિવુડના સિતારાઓએ લગ્ન કર્યા છે અને તે ખુશ પણ છે. જ્યારે ઘણા સિતારાઓની અફેરની ખબરો લોકોમાં છવાયેલી રહે છે પણ તેમના લગ્ન થઈ શક્યા નહીં. આજે આપણે આવા જ અમુક ક્રિકેટરોની લવ સ્ટોરી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-04/1599979104dhoni_and_lakshmi_rai.jpg" alt=""></img></p>  <p>આ લિસ્ટમાં પહેલું નામ મહેન્દ્ર સિંહ ધોનીનું છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો એક સમયે ધોની તમિલ એક્ટ્રેસ અને મોડલ લક્ષ્મી રાયને ડેટ કરી રહ્યો હતો. ખબરો અનુસાર બંનેનું અફેર પણ હતું, પણ પછી બંનેનું બ્રેક-અપ થઈ ગયું હતું.  </p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-04/1599979125ravi_shastri_and_amrita_singh.jpg" alt=""></img>  </p>  <p>ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીનું નામ પણ એક સમયે અમૃતા સિંહ સાથે જોડાયેલું હતું. કહેવામાં આવે છે કે બંનેએ કેમેરા સામે પોતાના સંબંધને સ્વીકાર પણ કર્યો હતો. પણ આગળ જઈને આ સંબંધનો અંત આવ્યો અને 1990માં રવિ શાસ્ત્રીએ રીતુ સિંહ સાથે લગ્ન કરી લીધા અને અમૃતાએ સૈફ અલી ખાન સાથે લગ્ન કરી લીધા હતા.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-04/1599979143yuvraj_and_kim_sharma.jpg" alt=""></img></p>  <p>ટીમ ઇન્ડિયાના સૌથી હેન્ડસમ ક્રિકેટરોમાંથી એક યુવરાજ સિંહનું ફિમેલ ફેન ફોલોઇંગ ઘણું વધારે છે. હવે ભલે યુવરાજ સિંહ એક્ટ્રેસ હેઝલ કીચ સાથે વિવાહિત સંબંધમાં હોય પરંતુ એક સમયે તેનું નામ એક્ટ્રેસ કિમ શર્મા સાથે જોડાયેલું હતું. તે સમયે બંનેના સંબંધને લઈને મીડિયામાં ઘણી ખબરો ફેલાઈ હતી.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-04/1599979143wasim_akram_and_sushmita_sen.jpg" alt=""></img></p>  <p>ક્રિકેટર વસીમ અકરમ અને બોલિવુડ અભિનેત્રી સુષ્મિતા સેનના રિલેશનશિપની ખબરો ખૂબ ચર્ચામાં હતી. પરંતુ આ જોડી લગ્નના સંબંધમાં બંધાઈ શકી નહીં.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-04/1599979125rohit_sharma_and_sofia_hayat.jpg" alt=""></img></p>  <p>બોલ્ડ લુક માટે પ્રસિદ્ધ એક્ટ્રેસ સોફિયા હયાત અને રોહિત શર્મા ડેટિંગ કરતા હતા અને આ વાતનો ખુલાસો 2012માં ખુદ સોફિયાએ કર્યો હતો. પણ સમય જતા બંને અલગ થઈ ગયા હતા.</p>  <p><img src="https://www.khabarchhe.com/media/2023-04/1599979143sourav_ganguly_and_nagma.jpg" alt=""></img></p>  <p>સાઉથ એક્ટ્રેસ નગમા અને સૌરવ ગાંગુલીના અફેરની વાત પણ લોકોમાં ખૂબ ચર્ચામાં હતી. એ વાતની અફવા પણ ઉડી હતી કે બંનેએ કોલકાતાના એક એવા મંદિરમાં સાથે પૂજા કરી હતી જ્યાં માત્ર કપલ્સ જ પૂજા કરી શકે છે. નગમાએ બંને વચ્ચેના સંબંધને ઘણી વખત સ્વીકાર પણ કર્યો હતો. પરંતુ ગાંગુલીએ જાહેરમાં આ સંબંધનો ક્યારેય પણ સ્વીકાર કર્યો નથી.</p>]]></content:encoded>
                
                                                            <category>Sports</category>
                                            <category>Entertainment</category>
                                    

                <link>https://www.khabarchhe.com/entertainment/cricketers-and-their-affairs-with-film-stars/article-99163</link>
                <guid>https://www.khabarchhe.com/entertainment/cricketers-and-their-affairs-with-film-stars/article-99163</guid>
                <pubDate>Tue, 18 Apr 2023 15:01:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2023-04/15999791041.jpg"                         length="298597"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Virang Bhatt]]></dc:creator>
                            </item>
            <item>
                <title>સુરતના MLA મનુ ફોગવા અને એક મહિલા પેસેન્જર વચ્ચે વંદેભારત ટ્રેનમાં થઇ બબાલ</title>
                                    <description><![CDATA[<p>મંગળવારે ગાંધીનગરથી મુંબઇ જતી વંદેભારત ટ્રેનમાં એક મહિલા પેસેન્જર અને સુરત ઉધનાના MLA મનું ફોગવા વચ્ચે ભારે રકઝક થઇ હતી જેને લઇને ટીટી અને સિક્યુરિટી સ્ટાફ પણ ભેગો થઇ ગયો હતો. જોકે, થોડા સમય પછી સમાધાન થઇ ગયું હતું.</p>
<p>ટ્રેનમાં હાજર પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર સુરત ઉધનાના MLA મનુ ભાઇ ફોગવા ગાંધીનગરથી મુંબઇ જતી વંદેભારત ટ્રેનમાં મંગળવારે આવી રહ્યા હતા. લગભગ 3 વાગ્યાની આસપાસ તેઓ ટ્રેનમાં તેમના કેટલાક સમર્થકો સાથે હતા. ટ્રેન વડોદરા પહોંચવાની હતી ત્યારે આ ઘટના બની હોવાનું પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું. મનુભાઇ બોગી નંબર C-2માં સૌથી છેલ્લી રોમાં બેઠા હતા. ત્યારે તેઓ મોબાઇલ પર કંઇક સાંભળી રહ્યા હતા. આજુબાજુ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/south-gujarat/what-happened-between-mla-manu-fogva-and-a-lady-passenger-in-vandebharat-train/article-153562"><img src="https://www.khabarchhe.com/media/400/2023-04/1681227854manu-fogva-01.jpg" alt=""></a><br /><p>મંગળવારે ગાંધીનગરથી મુંબઇ જતી વંદેભારત ટ્રેનમાં એક મહિલા પેસેન્જર અને સુરત ઉધનાના MLA મનું ફોગવા વચ્ચે ભારે રકઝક થઇ હતી જેને લઇને ટીટી અને સિક્યુરિટી સ્ટાફ પણ ભેગો થઇ ગયો હતો. જોકે, થોડા સમય પછી સમાધાન થઇ ગયું હતું.</p>
<p>ટ્રેનમાં હાજર પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર સુરત ઉધનાના MLA મનુ ભાઇ ફોગવા ગાંધીનગરથી મુંબઇ જતી વંદેભારત ટ્રેનમાં મંગળવારે આવી રહ્યા હતા. લગભગ 3 વાગ્યાની આસપાસ તેઓ ટ્રેનમાં તેમના કેટલાક સમર્થકો સાથે હતા. ટ્રેન વડોદરા પહોંચવાની હતી ત્યારે આ ઘટના બની હોવાનું પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું. મનુભાઇ બોગી નંબર C-2માં સૌથી છેલ્લી રોમાં બેઠા હતા. ત્યારે તેઓ મોબાઇલ પર કંઇક સાંભળી રહ્યા હતા. આજુબાજુ વાળા લોકોને તેમના મોબાઇલમાંથી આવતો અવાજ વધુ લાગી રહ્યો હતો.</p>
<p>ત્યારે એક મહિલા જે મુંબઇ જઇ રહી હતી તેણે વાંધો લીધો હતો. પહેલીવાર મનુભાઇએ અવાજ ઓછો કરી દીધો હતો. જોકે, થોડીવાર પછી ફરી મોબાઇલનો અવાજ થોડો વધુ થઇ ગયો હતો. ત્યારે મહિલાએ ફરી વાંધો ઉઠાવ્યો હતો. મહિલાએ કહ્યું કે તમે બ્લુટૂથ કેમ નથી વાપરતા. તો મનુભાઇએ કહ્યું કે મારી પાસે બ્લુટૂથ નથી. હું આ રીતે જ સાંભળીશ. એવું ક્યાં લખ્યું છે કે અહીં મોબાઇલના જોવાય. તમે પોલીસને બોલાવો, સિક્યુરિટીને બોલાવો. કાયદો બતાવો કે એવું ક્યાં કહ્યું છે. તે દરમિયાન રેલ્વેનો સ્ટાફ અને સિક્યુરિટી ત્યાં પહોંચી ગયો હતો. બન્ને વચ્ચે સમજાવટ કરી હતી.</p>
<p>જોકે, મહિલા પોતે જ થોડીવારમાં શાંત થઇ ગઇ હતી. પછી મનુભાઇ પણ સમજી ગયા હતા અને તેમણે મોબાઇલનો ઉપયોગ બંધ કરી દીધો હતો. લોકોને પહેલા તો ખબર ન હતી કે તે એમએલએ છે. મનુભાઇએ પણ પોતાની ઓળખ આપી ન હતી. પરંતુ તેમની સાથે રહેલા સમર્થકોએ કહ્યું હતું કે આ સાહેબ કોણ છે તે તમને ખબર નથી. આ ઉધનાના એમએલએ છે. પરંતુ ત્યારપછી આખી બોગીમાં ભારે ચર્ચા રહી હતી. કેટલાક લોકોએ આ ઘટનાનું મોબાઇલ પર શૂટિંગ પણ કરી લીધું હતું.</p>
<p>આ ઘટના અંગે  જાણવા અમે જ્યારે મનુભાઇને ફોન કર્યો તો તેમણે કહ્યું કે આવું કંઇ થયું નથી. </p>]]></content:encoded>
                
                                                            <category>South Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/south-gujarat/what-happened-between-mla-manu-fogva-and-a-lady-passenger-in-vandebharat-train/article-153562</link>
                <guid>https://www.khabarchhe.com/south-gujarat/what-happened-between-mla-manu-fogva-and-a-lady-passenger-in-vandebharat-train/article-153562</guid>
                <pubDate>Tue, 11 Apr 2023 21:20:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2023-04/1681227854manu-fogva-01.jpg"                         length="152073"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Virang Bhatt]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        