<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.khabarchhe.com/dharmesh-kalsariya/author-9" rel="self" type="application/rss+xml" />
                <generator>Khabarchhe RSS Feed Generator</generator>
                <title>Dharmesh Kalsariya - Khabarchhe</title>
                <link>https://www.khabarchhe.com/author/9/rss</link>
                <description>Dharmesh Kalsariya RSS Feed</description>
                
                            <item>
                <title>HDFC બેંકે સંમતિ વગર ગ્રાહકના રૂ. 8.57 લાખના શેર વેચી દીધા, કોર્ટે આપ્યો આ આદેશ</title>
                                    <description><![CDATA[<p>સુરત: ગ્રાહકોના હિતોનું રક્ષણ કરતા એક મહત્તવપૂર્ણ ચુકાદામાં, સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (મુખ્ય) દ્વારા HDFC બેંક લિમિટેડ વિરુદ્ધ કરાયેલા હુકમમાં બેંક દ્વારા ગ્રાહકને પૂર્વ સૂચના આપ્યા વિના અથવા તેમની સંમતિ મેળવ્યા વિના પોતાની બેન્કમાં ગ્રાહકના ડીમેટ એકાઉન્ટમાં જમા કંપનીઓના શેર્સ ડીમેટ એકાઉન્ટમાંથી બારોબાર વેચી દેવાના કૃત્યને કમિશને ગંભીર સેવામાં ખામી અને ગેરકાયદેસર ગણાવ્યું છે અને વેચી નંખાયેલા રૂ. 8.57 લાખના મૂળ જે તે કું. ના શેર્સ ગ્રાહકના ડીમેટ ખાતામાં જમા આપવાનો HDFC બેન્કને આદેશ આપતો હુકમ કર્યો છે.</p>
<p>મહિધરપુરા, સુરતના રહેવાસી (ફરિયાદી નં. 1 અને 2) ના એ HDFC બેન્ક લિમિટેડ (પીપલોદ બ્રાન્ચ, સુરત) (સામાવાળા) વિરુદ્ધ સુરત જિલ્લા</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/hdfc-bank-sold-shares-worth-rs-857-lakh-to-customer/article-178065"><img src="https://www.khabarchhe.com/media/400/2026-05/244.jpg" alt=""></a><br /><p>સુરત: ગ્રાહકોના હિતોનું રક્ષણ કરતા એક મહત્તવપૂર્ણ ચુકાદામાં, સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (મુખ્ય) દ્વારા HDFC બેંક લિમિટેડ વિરુદ્ધ કરાયેલા હુકમમાં બેંક દ્વારા ગ્રાહકને પૂર્વ સૂચના આપ્યા વિના અથવા તેમની સંમતિ મેળવ્યા વિના પોતાની બેન્કમાં ગ્રાહકના ડીમેટ એકાઉન્ટમાં જમા કંપનીઓના શેર્સ ડીમેટ એકાઉન્ટમાંથી બારોબાર વેચી દેવાના કૃત્યને કમિશને ગંભીર સેવામાં ખામી અને ગેરકાયદેસર ગણાવ્યું છે અને વેચી નંખાયેલા રૂ. 8.57 લાખના મૂળ જે તે કું. ના શેર્સ ગ્રાહકના ડીમેટ ખાતામાં જમા આપવાનો HDFC બેન્કને આદેશ આપતો હુકમ કર્યો છે.</p>
<p>મહિધરપુરા, સુરતના રહેવાસી (ફરિયાદી નં. 1 અને 2) ના એ HDFC બેન્ક લિમિટેડ (પીપલોદ બ્રાન્ચ, સુરત) (સામાવાળા) વિરુદ્ધ સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (મેઇન) સમક્ષ એડવોકેટ શ્રેયસ દેસાઈ/ઈશાન દેસાઈ/પ્રાચી અર્પિત દેસાઈ દ્વારા દાખલ કરાવેલી ફરિયાદની વિગત એવી હતી કે ફરિયાદીઓએ સામાવાળા HDFC Bank માંથી શેર સામે લોન મેળવી હતી. આ લોન રૂ. 14.61 લાખની સુરક્ષિત કરવા માટે ફરિયાદી નં. (૨) એ અન્ય કું. માં ચાલતા ડીમેટ એકાઉન્ટમાં રહેલા પોતાના 51 કંપનીઓના શેર્સ બેંક પાસે ગીરો (પ્લેજ) મુક્યા હતા.</p>
<p>માર્ચ 2020માં કોવિડ-19 મહામારીના કારણે શેરબજારમાં ભારે કડાકો બોલાયો હતો, જેના લીધે ગીરો મુકેલા શેરોની કિંમત ઘટીને અંદાજિત રૂ 9,00000/- થઈ ગઈ હતી. જેની સામે ફરિયાદીઓના (લોનની લિમિટસની રકમ) ડ્રોઇંગ પાવર કરતા લોનની બાકી રકમ વધી જઈને રૂ. 15,89,711/- થઈ હોવાનું એટલે કે માન્ય લિમિટ કરતા રૂ. 1,28,711/- વધારે ફરિયાદીએ વાપરેલ હોવાનું જણાવીને, HDFC બેન્કે ફરિયાદીઓને કોઈ પણ પ્રકારની આગોતરી નોટિસ આપ્યા વિના કે સંમતિ લીધા વિના જ જાન્યુઆરી 2021માં પોતાની બેંકમાં ચાલતા ફરિયાદી નં. (૧) ના ડીમેટ એકાઉન્ટમાંથી રૂ. 8.57 લાખની કિંમતના કોલગેટ, રીલાયન્સ, લાર્સન વગેરે  શેર્સ બારોબાર વેચી નાખ્યા હતા. શેર્સ બેન્કને ગીરો કરેલ ન હતા. વળી, બેંકે લોનની બાકી નીકળતી આઉટસ્ટેન્ડિંગ રકમ એટલે કે રૂ. 1,28,711/- જેટલા જ શેર્સ વેચવાને બદલે, પૂરેપૂરા ₹8.57 લાખની કિંમતના શેર્સ વેચી નાખ્યા હતા. આ મનસ્વી પ્રક્રિયાના કારણે ફરિયાદીને ₹8,57,178.87 નું મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું. </p>
<p>સુનાવણી દરમિયાન ફરિયાદી તરફથી ધારાશાસ્ત્રીઓ શ્રેયસ દેસાઈ, ઈશાન શ્રેયસ દેસાઈ અને પ્રાચી અર્પિત દેસાઈએ દલીલો રજૂ કરી હતી. તેમણે વિવિધ વડી અદાલતોના ચુકાદાઓ ટાંકીને કમિશન સમક્ષ સાબિત કર્યું હતું કે લોન ખાતામાં શોર્ટફોલ (નાણાંની ઘટ) હોવા છતાં પણ ગ્રાહકને નોટિસ આપ્યા વિના આ પ્રકારે મનસ્વી રીતે ફરિયાદી-ગ્રાહકની માલિકીના શેર્સ વેચી શકે નહીં. વળી, બાકી પડતી રકમ રૂ. 1,28,711/- થી વધારે રકમના શેર પણ વેચી શકાય નહીં. </p>
<p>સુરત જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (મેઇન) ના પ્રમુખ પી. પી. મેખીયા અને સભ્ય તીર્થેશ મહેતા એ કરેલા હુકમમાં ફરિયાદીની ફરિયાદ અંશત: મંજૂર કરી સામાવાળા બેન્કે ફરિયાદીના વેચી નાખેલા તમામ કોલગેટ, રીલાયન્સ, લાર્સન વગેરે કું. ઓના રૂ. 8,57,178/- ના શેર્સ ફરીથી ફરિયાદીના ડીમેટ એકાઉન્ટમાં જમા કરી આપવાનો આદેશ આપતો તેમજ ખર્ચ અને વળતર માટે રૂ. 5,500/- ચૂકવી આપવાનો હુકમ કર્યો.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/hdfc-bank-sold-shares-worth-rs-857-lakh-to-customer/article-178065</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/hdfc-bank-sold-shares-worth-rs-857-lakh-to-customer/article-178065</guid>
                <pubDate>Fri, 29 May 2026 10:31:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-05/244.jpg"                         length="48404"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dharmesh Kalsariya]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ</title>
                                    <description><![CDATA[<p>તારીખ -27-05-2026</p>
<p>વાર- બુધવાર</p>
<p>મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો.</p>
<p>વૃષભ - કામ ધંધા માટે બહાર કે બહારગામ જવાનું થાય, ભાઈ-બહેનોનો સાથ સહકાર મળી રહે, આજે સુગંધિત પદાર્થોનો વપરાશ કરશો.</p>
<p>મિથુન - આર્થિક દૃષ્ટિએ પ્રગતિનો દિવસ, તમારી ધાર્મિકતામાં આજે વધારો થશે, શિવજીનું ધ્યાન આજે ચોક્કસ કરો.</p>
<p>કર્ક - માનસિક તણાવ અને ચિડિયાપણું તમારા પર હાવી થઈ શકે, તમારા પાર્ટનર ઉપર આજે કામ છોડો, માં લક્ષ્મીનું ધ્યાન આજે કરો.</p>
<p>સિંહ - તમારી બચતમાં આજે વૃદ્ધિ થાય, શારીરિક સ્વસ્થતાનો અહેસાસ થાય, બજરંગબલીનું ધ્યાન કરશો.</p>
<p>કન્યા - તમને આજે તમારી મહેનતનું પરિણામ સારું મળશે, વિદ્યા</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/astro-and-religion/good-morning-gujarat-know-your-todays-day-in-the-future/article-178018"><img src="https://www.khabarchhe.com/media/400/2026-05/150.jpg" alt=""></a><br /><p>તારીખ -27-05-2026</p>
<p>વાર- બુધવાર</p>
<p>મેષ - નોકરી ધંધામાં ઉન્નતિના યોગ બને છે, ઘરમાં આનંદ રહે, વડીલોના આશીર્વાદ લો.</p>
<p>વૃષભ - કામ ધંધા માટે બહાર કે બહારગામ જવાનું થાય, ભાઈ-બહેનોનો સાથ સહકાર મળી રહે, આજે સુગંધિત પદાર્થોનો વપરાશ કરશો.</p>
<p>મિથુન - આર્થિક દૃષ્ટિએ પ્રગતિનો દિવસ, તમારી ધાર્મિકતામાં આજે વધારો થશે, શિવજીનું ધ્યાન આજે ચોક્કસ કરો.</p>
<p>કર્ક - માનસિક તણાવ અને ચિડિયાપણું તમારા પર હાવી થઈ શકે, તમારા પાર્ટનર ઉપર આજે કામ છોડો, માં લક્ષ્મીનું ધ્યાન આજે કરો.</p>
<p>સિંહ - તમારી બચતમાં આજે વૃદ્ધિ થાય, શારીરિક સ્વસ્થતાનો અહેસાસ થાય, બજરંગબલીનું ધ્યાન કરશો.</p>
<p>કન્યા - તમને આજે તમારી મહેનતનું પરિણામ સારું મળશે, વિદ્યા અભ્યાસમાં પ્રગતિ થાય, આજે વિષ્ણુ ભગવાનનું ધ્યાન અવશ્ય કરો.</p>
<p>તુલા - ઘર પરિવારમાં આનંદ રહે, ધંધા નોકરીમાં નવા કામ મળી રહેશે, આજે તમારી કુળદેવીનું ધ્યાન અવશ્ય કરો.</p>
<p>વૃશ્ચિક - આજના દિવસમાં નવા સાહસ વિશે વિચારી શકો, નવા મિત્રો બનાવી શકશો, આજના દિવસમાં લાલ કલરની પેન તમારી પાસે અવશ્ય રાખો.</p>
<p>ધન - ભાવતા ભોજનનો આનંદ માણી શકશો, તમારી ધર્મ કાર્ય માટે આજે શુભ દિવસ, આજના દિવસે તમે કુળદેવીનું ધ્યાન અવશ્ય કરો.</p>
<p>મકર - પતિ પત્ની ના સંબંધ મજબૂત થાય, તમારા પ્રભાવથી તમારી જગ્યા લોકોમાં બનાવી શકશો.</p>
<p>કુંભ - તમારી બચતમાં વૃદ્ધિ થાય, કોર્ટ કચેરીના કામમાં ધ્યાન આપી શકશો, તમે આજે મિત્રવર્ગની સલાહ અવશ્ય લો.</p>
<p>મીન - આજના દિવસમાં તમારી પ્રતિભા સમાજમાં સુધારવાનો પ્રયાસ કરો, તમારી મહેનતનું આજે ચોક્કસ ફળ મળશે, આજે તમે માં સરસ્વતીનું ધ્યાન અવશ્ય કરો.</p>]]></content:encoded>
                
                                                            <category>Astro and Religion</category>
                                    

                <link>https://www.khabarchhe.com/astro-and-religion/good-morning-gujarat-know-your-todays-day-in-the-future/article-178018</link>
                <guid>https://www.khabarchhe.com/astro-and-religion/good-morning-gujarat-know-your-todays-day-in-the-future/article-178018</guid>
                <pubDate>Wed, 27 May 2026 07:31:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-05/150.jpg"                         length="669616"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dharmesh Kalsariya]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા</title>
                                    <description><![CDATA[<p><strong>(ઉત્કર્ષ પટેલ)</strong></p>
<p>સ્વભાવે સરળ અને સ્પષ્ટ વ્યક્તિત્વ ધરાવતા ડૉ. મહેન્દ્રસિંહ દેવસિંહ ચૌહાણ ગુજરાતના પ્રસિદ્ધ આંખના સર્જન છે. 24 ડિસેમ્બર 1964ના દિવસે તેમનો જન્મ થયો હતો. તેઓ કેશવી આંખ હોસ્પિટલના સંચાલક છે અને લાંબા સમયથી ગરીબોની સેવા કરી રહ્યા છે. તેમણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી 1987માં એમબીબીએસ, 1990માં ડીઓએમએસ, 1991માં એમએસ (ઓફ્થલ્મોલોજી) અને 2014માં પીએચડીની ડિગ્રી મેળવી છે. તેઓ ઘણા વર્ષ સુધી સરકારી મેડિકલ કોલેજ સુરતમાં અસિસ્ટન્ટ અને એસોસિયેટ પ્રોફેસર તરીકે કામ કરી ચૂક્યા છે. હાલમાં તેઓ શ્રી ભારતી મૈયા કોલેજ ઓફ ઓપ્ટોમેટ્રી એન્ડ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-05/1415.jpg" alt="14" width="1200" height="720" /></p>
<p>આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં તેમનું યોગદાન નોંધનીય રહ્યું છે. તેઓ વીર નર્મદ દક્ષિણ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/opinion/6a156634b5d26/article-178027"><img src="https://www.khabarchhe.com/media/400/2026-05/616.jpg" alt=""></a><br /><p><strong>(ઉત્કર્ષ પટેલ)</strong></p>
<p>સ્વભાવે સરળ અને સ્પષ્ટ વ્યક્તિત્વ ધરાવતા ડૉ. મહેન્દ્રસિંહ દેવસિંહ ચૌહાણ ગુજરાતના પ્રસિદ્ધ આંખના સર્જન છે. 24 ડિસેમ્બર 1964ના દિવસે તેમનો જન્મ થયો હતો. તેઓ કેશવી આંખ હોસ્પિટલના સંચાલક છે અને લાંબા સમયથી ગરીબોની સેવા કરી રહ્યા છે. તેમણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી 1987માં એમબીબીએસ, 1990માં ડીઓએમએસ, 1991માં એમએસ (ઓફ્થલ્મોલોજી) અને 2014માં પીએચડીની ડિગ્રી મેળવી છે. તેઓ ઘણા વર્ષ સુધી સરકારી મેડિકલ કોલેજ સુરતમાં અસિસ્ટન્ટ અને એસોસિયેટ પ્રોફેસર તરીકે કામ કરી ચૂક્યા છે. હાલમાં તેઓ શ્રી ભારતી મૈયા કોલેજ ઓફ ઓપ્ટોમેટ્રી એન્ડ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-05/1415.jpg" alt="14" width="1280" height="720"></img></p>
<p>આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં તેમનું યોગદાન નોંધનીય રહ્યું છે. તેઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સિંડિકેટ, સેનેટ અને મેડિસિન ફેકલ્ટીના ડીન તરીકે કામ કરી ચૂક્યા છે. રાષ્ટ્રીય સ્તરે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં પણ તેઓ ઇલેક્ટેડ મેમ્બર હતા અને ત્યાં અનેક સબ-કમિટીમાં સેવા આપી છે. દેશમાં મેડિકલની બેઠકો વધારવા અંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ સતત રજૂઆતો કરી હતી જેનું પરિણામ મળ્યું હતું. ગુજરાતમાં મેડિકલ શિક્ષણ અને હેલ્થકેર સુધારવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-05/1313.jpg" alt="13" width="1280" height="720"></img></p>
<p>ડૉ. ચૌહાણ સેવાકાર્ય માટે વિશેષ જાણીતા છે. વર્ષ 2000થી સત્ય સાઈ આંખ હોસ્પિટલમાં તેઓ ઓનરરી સર્જન તરીકે કામ કરે છે. અત્યાર સુધીમાં તેમણે 20000થી વધુ કેટેરેક્ટની સર્જરીઓ ગરીબ લોકો માટે સંપૂર્ણ મફત કરી છે. આ સેવા માટે તેમને શ્રી સત્ય સાઈ ધન્વંતરી સેવા એવોર્ડ મળ્યો છે.<br />તેઓ ભરત કેન્સર હોસ્પિટલના ચેરમેન છે. આઈ વ્યુ લેસર વિઝનના સ્થાપક છે જ્યાં દક્ષિણ ગુજરાતના 40 જેટલા આંખના ડોક્ટરો સાથે મળીને અદ્યતન લેસર સર્જરીની સુવિધા પૂરી પાડે છે. તેઓ કે.પી. સંઘવી જનરલ અને આંખ હોસ્પિટલના ટ્રસ્ટી પણ છે. સુરત પોલીસના સ્ટાફ માટે સ્માર્ટ કોપ હેલ્થ કાર્ડ શરૂ કરવામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો છે.</p>
<p>સમાજસેવામાં તેઓ રાજપૂત સમાજ સાથે પણ જોડાયેલા છે. તેઓ રાજપૂત સમાજ સાઉથ ગુજરાત ક્ષત્રિય સંઘના એક્ઝિક્યુટિવ મેમ્બર અને રાજપૂત સમાજ ડોક્ટર એસોસિયેશનના સ્થાપક સેક્રેટરી છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-05/1518.jpg" alt="15" width="1280" height="720"></img></p>
<p>તેમનું વ્યક્તિત્વ નમ્ર, કાર્યક્ષમ અને સ્પષ્ટ નિર્ણયો માટે ચર્ચામાં છે. તેઓ વિવાદ ટાળીને સર્વસમ્મતિથી કાર્યો કરે છે. વિદ્યાર્થી જગત અને રાજકીય સમીકરણોમાં તેઓ હંમેશા ચર્ચાઓમાં રહેતા હોય છે. તેમણે અનેક સંશોધન પેપર્સ પ્રકાશિત કર્યા છે અને ચાર વિદ્યાર્થીઓએ તેમના માર્ગદર્શન હેઠળ પીએચડી પૂર્ણ કરી છે. તેમને ડૉ. કે.જે. ગણાત્રા રોટેટિંગ ટ્રોફી (2011-12) જેવા પુરસ્કારો મળ્યા છે. તેમના પત્ની ડૉ. બિનોદિની ચૌહાણ પણ તબીબી ક્ષેત્રમાં સક્રિય છે અને દીકરી કેશવી પણ ડોક્ટર છે. </p>
<p>ડૉ. ચૌહાણ એમના જીવનમાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીથી વિશેષ પ્રભાવિત રહ્યા છે. તેઓ કહેતા હોય છે કે " નરેન્દ્રભાઈ આપણા દેશનું ગૌરવ છે અને આપણાથી બને એટલો આપણે એમને સાથ આપવો જોઈએ. એમના કહે દેશ સેવા કરવી એ સાચી સેવા છે. " </p>
<p>ડોક્ટર હોવું અને વ્યસ્તતા વચ્ચે વિદ્યાર્થી જગત અને મેડિકલ સંસ્થાગત સેવાઓ આપવી અને એના માટે સમયનું સંતુલન કરવાની વિશેષ આવડત  ડૉ. ચૌહાણ ધરાવે છે. સમાજ પાસે વળતર મેળવવાની અપેક્ષા વિના અવિરત સેવામાં રચ્યાપચ્યા રહેતા આવા લોકોથી જ સમાજસેવા નો દીપ પ્રકાશ ફેલાવતો રહે છે.</p>
<p><em>(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)</em></p>]]></content:encoded>
                
                                                            <category>Opinion</category>
                                    

                <link>https://www.khabarchhe.com/opinion/6a156634b5d26/article-178027</link>
                <guid>https://www.khabarchhe.com/opinion/6a156634b5d26/article-178027</guid>
                <pubDate>Tue, 26 May 2026 15:15:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-05/616.jpg"                         length="48091"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dharmesh Kalsariya]]></dc:creator>
                            </item>
            <item>
                <title>મનિષકુમાર પ્રજાપતિને 'ડોક્ટર ઓફ ફિલોસોફી' (Ph.D.)ની પદવી એનાયત</title>
                                    <description><![CDATA[<p>​ઓલપાડ :  મનિષકુમાર અમૃતભાઈ પ્રજાપતિને મનોવિજ્ઞાન (Psychology) વિષયમાં તેમની ઉત્કૃષ્ટ શૈક્ષણિક કામગીરી બદલ 'ડોક્ટર ઓફ ફિલોસોફી' (Ph.D.) ની પદવી એનાયત કરવામાં આવી છે.​તેમણે તેમનો મહાનિબંધ (સંશોધન) “સુરત શહેર અને જિલ્લામાં વસવાટ કરતા કુમાર અને કન્યાઓના કૌટુંબિક પ્રકારોના સંદર્ભમાં આક્રમકતા અને કિશોરાવસ્થાની સમસ્યાનો તુલનાત્મક અભ્યાસ” વિષય પર તૈયાર કર્યો હતો.</p>
<p>​મનિષકુમારે આ મહત્ત્વપૂર્ણ સંશોધન કાર્ય વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) સંલગ્ન એમ.ટી.બી. આર્ટસ કોલેજના એસોસિએટ પ્રોફેસર ડૉ. રુદ્રેશભાઈ એમ. વ્યાસના કુશળ માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. Ph.D. ની પ્રતિષ્ઠિત પદવી મેળવવા બદલ તેમને મિત્રો, સ્નેહીજનો અને શૈક્ષણિક જગત તરફથી ખૂબ ખૂબ અભિનંદન મળી રહ્યા છે.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/manishkumar-prajapati-was-awarded-the-degree-of-doctor-of-philosophy/article-177971"><img src="https://www.khabarchhe.com/media/400/2026-05/910.jpg" alt=""></a><br /><p>​ઓલપાડ :  મનિષકુમાર અમૃતભાઈ પ્રજાપતિને મનોવિજ્ઞાન (Psychology) વિષયમાં તેમની ઉત્કૃષ્ટ શૈક્ષણિક કામગીરી બદલ 'ડોક્ટર ઓફ ફિલોસોફી' (Ph.D.) ની પદવી એનાયત કરવામાં આવી છે.​તેમણે તેમનો મહાનિબંધ (સંશોધન) “સુરત શહેર અને જિલ્લામાં વસવાટ કરતા કુમાર અને કન્યાઓના કૌટુંબિક પ્રકારોના સંદર્ભમાં આક્રમકતા અને કિશોરાવસ્થાની સમસ્યાનો તુલનાત્મક અભ્યાસ” વિષય પર તૈયાર કર્યો હતો.</p>
<p>​મનિષકુમારે આ મહત્ત્વપૂર્ણ સંશોધન કાર્ય વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) સંલગ્ન એમ.ટી.બી. આર્ટસ કોલેજના એસોસિએટ પ્રોફેસર ડૉ. રુદ્રેશભાઈ એમ. વ્યાસના કુશળ માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું. Ph.D. ની પ્રતિષ્ઠિત પદવી મેળવવા બદલ તેમને મિત્રો, સ્નેહીજનો અને શૈક્ષણિક જગત તરફથી ખૂબ ખૂબ અભિનંદન મળી રહ્યા છે.</p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/manishkumar-prajapati-was-awarded-the-degree-of-doctor-of-philosophy/article-177971</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/manishkumar-prajapati-was-awarded-the-degree-of-doctor-of-philosophy/article-177971</guid>
                <pubDate>Sat, 23 May 2026 15:38:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-05/910.jpg"                         length="29437"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dharmesh Kalsariya]]></dc:creator>
                            </item>
            <item>
                <title>AM/NS Indiaએ ઈન્ટરનેશનલ બાયોલોજિક્લ ડાયવર્સિટી ડેની ઉજવણી 1100 છોડના વાવેતર સાથે કરી</title>
                                    <description><![CDATA[<p>આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) પર્યાવરણ જાળવણી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા સમજે છે અને તેને સતત આગળ વધારતાં અવાર-નવાર પર્યાવરણલક્ષી કાર્યો હાથ ધરતું રહે છે. શુક્રવાર, 22 મે, 2026ના રોજ AM/NS Indiaના મુખ્ય પ્લાન્ટ હજીરા ખાતે વિસ્તરણ થઈ રહેલા પ્રોજેક્ટની એક સાઇટ ખાતે આ વર્ષની વૈશ્વિક થીમ “એક્ટીંગ લોકલી ફોર ગ્લોબલ ઈમ્પેક્ટ”ને સુસંગત રહીને ઈન્ટરનેશનલ બાયોલોજિકલ ડાયવર્સિટી ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.</p>
<p>આ પ્રસંગે મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દિલીપ ઊમ્મેન, સીઈઓ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા, દ્વારા છોડનું વાવેતર કરીને કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે પ્રોજેક્ટ સાઇટ પર કુલ 1100થી વધુ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/amns-india-celebrates-international-biological-diversity-day-by-planting-1100/article-177972"><img src="https://www.khabarchhe.com/media/400/2026-05/1014.jpg" alt=""></a><br /><p>આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) પર્યાવરણ જાળવણી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા સમજે છે અને તેને સતત આગળ વધારતાં અવાર-નવાર પર્યાવરણલક્ષી કાર્યો હાથ ધરતું રહે છે. શુક્રવાર, 22 મે, 2026ના રોજ AM/NS Indiaના મુખ્ય પ્લાન્ટ હજીરા ખાતે વિસ્તરણ થઈ રહેલા પ્રોજેક્ટની એક સાઇટ ખાતે આ વર્ષની વૈશ્વિક થીમ “એક્ટીંગ લોકલી ફોર ગ્લોબલ ઈમ્પેક્ટ”ને સુસંગત રહીને ઈન્ટરનેશનલ બાયોલોજિકલ ડાયવર્સિટી ડેની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.</p>
<p>આ પ્રસંગે મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દિલીપ ઊમ્મેન, સીઈઓ, આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા, દ્વારા છોડનું વાવેતર કરીને કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે પ્રોજેક્ટ સાઇટ પર કુલ 1100થી વધુ છોડ જેવા કે લીમડો, જાંબુ અને ગુલમોહરનું છેલ્લાં 30 દિવસમાં વાવેતર કરવામાં આવ્યું હતું.</p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/amns-india-celebrates-international-biological-diversity-day-by-planting-1100/article-177972</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/amns-india-celebrates-international-biological-diversity-day-by-planting-1100/article-177972</guid>
                <pubDate>Sat, 23 May 2026 15:38:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-05/1014.jpg"                         length="173564"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dharmesh Kalsariya]]></dc:creator>
                            </item>
            <item>
                <title>અમદાવાદમાં 23મી મે 2026ના રોજ યોજાશે સૂર અને સંગીતની ભવ્ય સાંજ: “અહેસાસ – એ સોલફુલ મ્યુઝિકલ એક્સપિરિયન્સ”</title>
                                    <description><![CDATA[<p>અમદાવાદ: અમદાવાદ શહેર ટૂંક સમયમાં જ સૂર, સંગીત અને સુમધુર યાદોથી સભર એક અવિસ્મરણીય સાંજનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. “સૃજન – ધ સ્પાર્ક” ના અમદાવાદ ચેપ્ટર દ્વારા આગામી શનિવાર, 23 મે 2026 ના રોજ આશ્રમ રોડ પર આવેલા પ્રતિષ્ઠિત એચ.કે. હોલ ખાતે સાંજના સમયે એક ભવ્ય સાંસ્કૃતિક ઉત્સવ “અહેસાસ – એ સોલફુલ મ્યુઝિકલ એક્સપિરિયન્સ” (Ehsaas – A Soulful Musical Experience) નું આયોજન કરવામાં આવ્યું છે.</p>
<p>“સૃજન – ધ સ્પાર્ક” સંસ્થા કલા, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય સદ્ભાવનાને પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ છે, અને આ જ શ્રેણી અંતર્ગત આ ભવ્ય મ્યુઝિકલ ઇવનિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કલા જગતના સિતારાઓ અને વહીવટી</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/%E2%80%9Cehsaas-%E2%80%93-a-soulful-musical-experience%E2%80%9D-a-grand-evening-of/article-177939"><img src="https://www.khabarchhe.com/media/400/2026-05/3111.jpg" alt=""></a><br /><p>અમદાવાદ: અમદાવાદ શહેર ટૂંક સમયમાં જ સૂર, સંગીત અને સુમધુર યાદોથી સભર એક અવિસ્મરણીય સાંજનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. “સૃજન – ધ સ્પાર્ક” ના અમદાવાદ ચેપ્ટર દ્વારા આગામી શનિવાર, 23 મે 2026 ના રોજ આશ્રમ રોડ પર આવેલા પ્રતિષ્ઠિત એચ.કે. હોલ ખાતે સાંજના સમયે એક ભવ્ય સાંસ્કૃતિક ઉત્સવ “અહેસાસ – એ સોલફુલ મ્યુઝિકલ એક્સપિરિયન્સ” (Ehsaas – A Soulful Musical Experience) નું આયોજન કરવામાં આવ્યું છે.</p>
<p>“સૃજન – ધ સ્પાર્ક” સંસ્થા કલા, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય સદ્ભાવનાને પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ છે, અને આ જ શ્રેણી અંતર્ગત આ ભવ્ય મ્યુઝિકલ ઇવનિંગનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કલા જગતના સિતારાઓ અને વહીવટી ક્ષેત્રના ઉચ્ચ પદાધિકારીઓ એક મંચ પર ઉપસ્થિત રહેશે. </p>
<p>મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ રહેશે. આ સાંસ્કૃતિક સંધ્યામાં સમાજ અને પ્રશાસનના અગ્રણી મહાનુભાવો ગરિમાપૂર્ણ હાજરી આપશે:<br />પ્રસન્ન ખમીરા  ( નિવૃત્ત IPS અધિકારી અને "સૃજન – ધ સ્પાર્ક" ના ચીફ પેટ્રન/મુખ્ય સંરક્ષક) કાર્યક્રમની અધ્યક્ષતા કરશે.<br /> વાય. એમ. શુક્લા  (ભૂતપૂર્વ ચેરિટી કમિશનર) આ પ્રસંગે મુખ્ય અતિથિ (Chief Guest) તરીકે ઉપસ્થિત રહેશે.<br /> અજય ચૌધરી  ( એડિશનલ પોલીસ કમિશનર) પણ આ મ્યુઝિકલ ઇવનિંગમાં વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારશે.</p>
<p><strong>સંગીતની અદ્ભુત પ્રસ્તુતિઓ</strong><br />આ સાંજને વધુ આકર્ષક અને યાદગાર બનાવવા માટે, મુંબઈના જાણીતા પ્લેબેક અને ગઝલ ગાયિકા ગુલ સક્સેના પોતાના સુમધુર અવાજથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. તેમની સાથે દેશના અગ્રણી અને પ્રતિષ્ઠિત સંગીતકાર શ્રી વિશ્વનાથ બટુંગે જી સંગીત સંગત કરશે.</p>
<p>આ સંગીત મહોત્સવમાં વધુ ઉત્સાહ અને રોમાંચ ઉમેરવા માટે દેશભરમાં લોકપ્રિય ડોન મિસ્ટી એન્ડ ઓર્કેસ્ટ્રા (DON Mistry &amp; Orchestra) દ્વારા શાનદાર લાઈવ પરફોર્મન્સ રજૂ કરવામાં આવશે, જે સંગીતપ્રેમીઓ માટે એક અદ્ભુત અનુભવ બની રહેશે.</p>
<p><strong>કલા અને સાંસ્કૃતિક સદ્ભાવનાનો સમન્વય</strong><br />“અહેસાસ – એ સોલફુલ મ્યુઝિકલ એક્સપિરિયન્સ” નો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સંગીતના કાલાતીત જાદુને સેલિબ્રેટ કરવાનો અને અમદાવાદીઓ માટે એક અત્યંત યાદગાર સાંસ્કૃતિક સાંજનું નિર્માણ કરવાનો છે. આયોજકો દ્વારા તમામ સંગીતપ્રેમીઓ, કલાપ્રેમીઓ અને મહાનુભાવોને આ મધુર મહોત્સવનો હિસ્સો બનવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.</p>
<p><strong>એક નજરે કાર્યક્રમની વિગતો:</strong><br /> કાર્યક્રમનું નામ: અહેસાસ – એ સોલફુલ મ્યુઝિકલ એક્સપિરિયન્સ<br /> આયોજક: સૃજન – ધ સ્પાર્ક (અમદાવાદ ચેપ્ટર)<br /> તારીખ: 23 મે 2026 (શનિવાર)<br /> સમય: સાંજથી શરૂ<br /> સ્થળ: એચ.કે. હોલ, આશ્રમ રોડ, અમદાવાદ<br /> પ્રવેશ: માત્ર આમંત્રણ પત્રિકા / પાસ દ્વારા<br />મીડિયા સંપર્ક (Media Contact):<br />પ્રેસ પાસ, કલાકારોના ઇન્ટરવ્યુની વિનંતી અથવા વધુ માહિતી માટે સંપર્ક કરો:<br />આયોજક સમિતિ<br />સૃજન – ધ સ્પાર્ક, અમદાવાદ ચેપ્ટર<br />મોબાઈલ નંબર: +91 [મોબાઈલ નંબર લખો]<br />ઈમેઈલ: [ઈમેઈલ આઈડી લખો]</p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/%E2%80%9Cehsaas-%E2%80%93-a-soulful-musical-experience%E2%80%9D-a-grand-evening-of/article-177939</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/%E2%80%9Cehsaas-%E2%80%93-a-soulful-musical-experience%E2%80%9D-a-grand-evening-of/article-177939</guid>
                <pubDate>Thu, 21 May 2026 18:37:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-05/3111.jpg"                         length="88874"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dharmesh Kalsariya]]></dc:creator>
                            </item>
            <item>
                <title>PPSK બન્યું આશાનું કવચ : સ્વ. રમેશભાઈના પરિવારને રૂ. 10 લાખની સહાય</title>
                                    <description><![CDATA[<p>સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ-સુરત પ્રેરિત “પાટીદાર પરિવાર સુરક્ષા કવચ (PPSK)” યોજના સમાજમાં મુશ્કેલીના સમયમાં પરિવારો માટે મજબૂત આધારરૂપ બની રહી છે. PPSK યોજના અંતર્ગત સભ્ય સ્વ. રમેશભાઈ બફલીપરાના બ્રેઈનડેડ થવાને કારણે થયેલા દુઃખદ અવસાન બાદ તેમના પરિવારને રૂપિયા 10 લાખની સહાયનિધિનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.</p>
<p>સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા સ્વ. રમેશભાઈ એમ્બ્રોડરી મશીન ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના ભાઈ મુકેશભાઈ સાથે થયેલી વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે માત્ર એક મહિના અગાઉ જ તેમના પિતાનું પણ અવસાન થયું હતું. ત્યારબાદ ટૂંકા સમયમાં જ રમેશભાઈનું પણ અવસાન થતાં પરિવાર પર દુઃખનો ડબલ આઘાત આવ્યો હતો. પરિવારની આર્થિક પરિસ્થિતિ મધ્યમ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/ppsk-became-a-shield-of-hope-self-rameshbhais-family-aided/article-177926"><img src="https://www.khabarchhe.com/media/400/2026-05/227.jpg" alt=""></a><br /><p>સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ-સુરત પ્રેરિત “પાટીદાર પરિવાર સુરક્ષા કવચ (PPSK)” યોજના સમાજમાં મુશ્કેલીના સમયમાં પરિવારો માટે મજબૂત આધારરૂપ બની રહી છે. PPSK યોજના અંતર્ગત સભ્ય સ્વ. રમેશભાઈ બફલીપરાના બ્રેઈનડેડ થવાને કારણે થયેલા દુઃખદ અવસાન બાદ તેમના પરિવારને રૂપિયા 10 લાખની સહાયનિધિનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.</p>
<p>સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા સ્વ. રમેશભાઈ એમ્બ્રોડરી મશીન ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના ભાઈ મુકેશભાઈ સાથે થયેલી વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે માત્ર એક મહિના અગાઉ જ તેમના પિતાનું પણ અવસાન થયું હતું. ત્યારબાદ ટૂંકા સમયમાં જ રમેશભાઈનું પણ અવસાન થતાં પરિવાર પર દુઃખનો ડબલ આઘાત આવ્યો હતો. પરિવારની આર્થિક પરિસ્થિતિ મધ્યમ હોવાથી PPSK યોજનાની આ સહાય તેમના માટે આશીર્વાદ સમાન બની રહી છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-05/246.jpg" alt="24" width="1280" height="720"></img></p>
<p>સ્વ. રમેશભાઈની દીકરી નેત્રાબેને લાગણીસભર શબ્દોમાં જણાવ્યું હતું કે, “મારા પિતાના અવસાન પછી PPSK દ્વારા મળેલી ₹ 10 લાખની આર્થિક સુરક્ષાથી હવે મારા કોલેજનું ભણતર પૂર્ણ થઈ શકશે. આ સહાય માત્ર રકમ નથી, પરંતુ અમારા પરિવાર માટે નવી આશા અને હિંમત છે.”</p>
<p>તેમના દીકરા યજ્ઞએ જણાવ્યું હતું કે, “મેં રાજકોટ ગુરુકુલમાં એડમિશન લઈ લીધું છે અને મને 4th રેન્ક મળ્યો છે. હવે PPSK દ્વારા મળેલી આર્થિક સહાયથી મારું ભણતર પણ સારી રીતે પૂર્ણ થઈ જશે.”</p>
<p>પત્ની શિલ્પાબેને ભાવુક બની જણાવ્યું હતું કે, “મને મારી દીકરી અને દીકરાના ભવિષ્યની ખૂબ ચિંતા હતી. તેમના કરિયર અને ભણતર માટે પૈસા વગર આગળ કેવી રીતે વધવું એ મોટો પ્રશ્ન હતો. પરંતુ હવે PPSK દ્વારા મળેલી ₹ 10 લાખની સહયોગ નિધિ પછી મનમાં કોઈ ચિંતા રહી નથી. હવે બાળકોનું ભવિષ્ય વધુ સુરક્ષિત લાગે છે.”</p>
<p>PPSK યોજના અંતર્ગત 18 થી 55 વર્ષના કાર્યરત સભ્યનું અવસાન થાય ત્યારે તેમના પરિવારજનોને રૂપિયા 10 લાખની સહાય પહોંચાડવામાં આવે છે, જેથી પરિવારને તાત્કાલિક આર્થિક આધાર મળી રહે અને પત્ની તથા બાળકોને કોઈની લાચારી કરવી ન પડે. આ યોજનાની વિશેષતા એ છે કે આ માત્ર વીમા સુરક્ષા નથી, પરંતુ સમાજમાં આર્થિક સંવેદના અને સહકારનું જીવંત ઉદાહરણ છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-05/236.jpg" alt="23" width="1280" height="720"></img></p>
<p>કોઈપણ ઘરમાં આધારભૂત પરિવારજન છીનવાઈ જાય ત્યારે પરિવાર નિરાધાર બની જતો હોય છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં પરિવારને ફરી ઉભો કરવામાં PPSK યોજના મહત્વપૂર્ણ સહયોગ આપી રહી છે.</p>
<p>મૃતકના ભાઈ મુકેશભાઈએ PPSK યોજનાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, “જે પરિવારે મોભી ગુમાવ્યો હોય તેની ખોટ તો ક્યારેય પૂરી થઈ શકતી નથી, પરંતુ આવી મુશ્કેલ ઘડીએ 10 લાખ જેવી સહાય પરિવાર માટે મોટો આધાર બની શકે છે. સમાજની આ સૌથી ઉપયોગી અને માનવતાભરી યોજનાઓમાંની એક છે. હવે મારા પર એક પરિવારના બદલે બે પરિવારની જવાબદારી આવી ગઈ છે, પરંતુ PPSK દ્વારા મળેલી સહયોગ નિધિથી મારી ચિંતામાં ઘણો ઘટાડો થયો છે. સમાજ દ્વારા ચાલતી આવી ઉત્તમ યોજનામાં દરેક સભ્યએ જોડાવું જોઈએ અને આ યોજનાનો ગામે ગામ તેમજ દરેક પરિવારમાં વધુમાં વધુ પ્રસાર કરવો જોઈએ.”</p>
<p>સ્વ. રમેશભાઈ બફલીપરાના દુઃખદ અવસાન બાદ PPSK હોદ્દેદારો તથા આગેવાનો પરિવારને સાંત્વના પાઠવવા ઉપસ્થિત રહ્યા હતા.<br /> મનિષભાઈ રમેશભાઈ કાપડિયા (લોઠપુર) – PPSK પ્રમુખ<br /> ગણપતભાઈ ભુરાભાઈ ધામેલિયા (ઘેટી દુધાળા) – PPSK ઉપપ્રમુખ<br /> શૈલેષભાઈ લાલજીભાઈ રાદડીયા (સનાળિયા) – PPSK મંત્રી<br />હસમુખભાઈ રાઘવભાઈ શિંગાળા (વિકળીયા) – PPSK સહમંત્રી</p>
<p>આગેવાનોએ જણાવ્યું હતું કે PPSK યોજના સમાજના દરેક પરિવાર માટે સંવેદના અને સુરક્ષાનું મજબૂત કવચ બની રહી છે. સમાજના આગેવાનો દ્વારા વધુમાં વધુ પરિવારોને PPSK યોજના સાથે જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે, જેથી કોઈપણ પરિવાર મુશ્કેલીના સમયમાં એકલો ન રહે.</p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/ppsk-became-a-shield-of-hope-self-rameshbhais-family-aided/article-177926</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/ppsk-became-a-shield-of-hope-self-rameshbhais-family-aided/article-177926</guid>
                <pubDate>Wed, 20 May 2026 19:29:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-05/227.jpg"                         length="90731"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dharmesh Kalsariya]]></dc:creator>
                            </item>
            <item>
                <title>સુરતમાં જમનાબા વિદ્યાર્થી ભવન તૈયાર, 1000 વિદ્યાર્થીઓ રહી શકશે </title>
                                    <description><![CDATA[<p>શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સુરત ખાતે નિર્માણ થયેલ જમનાબા વિદ્યાર્થી ભવનનું આગામી તારીખ 24-05-2026 રવિવારના રોજ લોકાર્પણ થનાર છે. સુરતના પ્રવેશ દ્વારે 1000 વિદ્યાર્થીઓની હોસ્ટેલ વ્યવસ્થા સાથે અનેકવિધ વ્યવસ્થાઓ સાથે જમનાબા વિદ્યાર્થી ભવનનું નિર્માણ થયું છે. પટેલ સમાજના ડ્રીમ પ્રોજેક્ટ એવા આ ભવનમાં 100 વ્યક્તિઓ રહી શકે તેવા શ્રીમતી રાધાબેન હરજીભાઈ ઘેલાણી અતિથિભવન તૈયાર થયું છે. 425 બેઠકની ક્ષમતાવાળુ કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ તૈયાર થયું છે. કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા તથા રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા કેશુભાઈ પટેલ ઓડિટોરિયમને ખુલ્લુ મુકશે. સુરતના મુખ્ય પ્રવેશ દ્વારે 13 માળ અને 3 લાખ ચોરસ ફૂટના બાંધકામ વાળા ભવ્ય જમનાબા વિદ્યાર્થી ભવનના પરિસરમાં 31</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/jamnaba-vidyarthi-bhavan-in-surat-will-accommodate-1000-students/article-177923"><img src="https://www.khabarchhe.com/media/400/2026-05/139.jpg" alt=""></a><br /><p>શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સુરત ખાતે નિર્માણ થયેલ જમનાબા વિદ્યાર્થી ભવનનું આગામી તારીખ 24-05-2026 રવિવારના રોજ લોકાર્પણ થનાર છે. સુરતના પ્રવેશ દ્વારે 1000 વિદ્યાર્થીઓની હોસ્ટેલ વ્યવસ્થા સાથે અનેકવિધ વ્યવસ્થાઓ સાથે જમનાબા વિદ્યાર્થી ભવનનું નિર્માણ થયું છે. પટેલ સમાજના ડ્રીમ પ્રોજેક્ટ એવા આ ભવનમાં 100 વ્યક્તિઓ રહી શકે તેવા શ્રીમતી રાધાબેન હરજીભાઈ ઘેલાણી અતિથિભવન તૈયાર થયું છે. 425 બેઠકની ક્ષમતાવાળુ કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ તૈયાર થયું છે. કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા તથા રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા કેશુભાઈ પટેલ ઓડિટોરિયમને ખુલ્લુ મુકશે. સુરતના મુખ્ય પ્રવેશ દ્વારે 13 માળ અને 3 લાખ ચોરસ ફૂટના બાંધકામ વાળા ભવ્ય જમનાબા વિદ્યાર્થી ભવનના પરિસરમાં 31 ફૂટ ઊંચી અને 9 ટન વજનની  સરદાર સાહેબ વલ્લભભાઈ પટેલની કાંસ્ય પ્રતિમા મૂકવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી સરદાર સાહેબ પ્રતિમાનું અનાવરણ કરશે. ઉપરાંત 51 ફૂટ ઊંચા સ્થંભ ઉપર રાષ્ટ્રધ્વજનું આરોહણ પણ કરવામાં આવશે.</p>
<p>શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી સુરતમાં 1000 વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા માટે ફેઝ વન પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે. અને હવે ફેસ ટુ માં 500 દીકરીઓ માટે કિરણ મહિલા ભવનનું લોકાર્પણ ટૂંક સમયમાં થશે. બંને પ્રોજેક્ટ મળીને કુલ રૂપિયા 200 કરોડની કિંમતના બંને ભવનનું નિર્માણ થયું છે.</p>
<p>તારીખ 24-05-2026 રવિવારે સાંજે 5 કલાકે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં પટેલ સમાજના અગ્રણી જયંતી એકલેરા વાળા તથા અમદાવાદથી રવજી વસાણીના વરદ હસ્તે શુભ ઉદ્ઘાટન વિધિ થનાર છે. મુખ્ય નામકરણના દાતા હંસરાજભાઈ ગોંડલીયા, સરદાર સાહેબની પ્રતિમા ખર્ચના સૌજન્ય દાતા વલ્લભભાઈ પી. સવાણી, અતિથિ ભવનના નામકરણના દાતા તુષારભાઈ ઘેલાણીના ધર્મપત્ની પલ્લવીબેન તુષારભાઈ ઘેલાણી સહિત દાતાઓની ઉપસ્થિતિમાં જમનાબા વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ થનાર છે. </p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-05/1513.jpg" alt="15" width="1280" height="720"></img></p>
<p>જમનાબા વિદ્યાર્થી ભવનની બાજુમાં આવેલ સંતોકબા વિલેજ ફાર્મ ખાતે લોકાર્પણ સમારોહ યોજાનાર છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાનાર લોકાર્પણ સમારોહમાં કેન્દ્રીય મંત્રી  સી. આર. પાટીલ, કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી, આરોગ્ય મંત્રી  પ્રફુલભાઈ પાનસેરીયા, ઉર્જામંત્રી  કૌશિકભાઇ વેકરીયા, નાગરિક સંરક્ષણ મંત્રી કમલેશભાઈ પટેલ, વિધાનસભા ડેપ્યુટી સ્પીકર પુર્ણેશભાઈ મોદી, સુરતના સાંસદ મુકેશભાઈ પટેલ, અમરેલીના સાંસદ  ભરતભાઈ સુતરીયા તથા આણંદના સાંસદ મિતેશભાઇ પટેલ અને સ્થાનિક ધારાસભ્યો સહિત રાજસ્વી અતિથિઓ ખાસ ઉપસ્થિત રહેશે. </p>
<p>સમાજના અગ્રણીઓનું વર્ષોથી એક સ્વપ્ન હતું કે, વિદ્યાર્થીઓ અને સમાજ ઘડતર માટેનું કેન્દ્ર હોય તેવા ભવનનું નિર્માણ સુરતમાં થાય. સંસ્થાના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ જી. પટેલ અને સ્વ. કે ડી વાઘાણીના કાર્યકાળમાં સુરતથી કામરેજ જતા મુખ્ય રસ્તા પર જમીનની ખરીદી કરવામાં આવી હતી. </p>
<p>2021માં વિજયા દશમીના રોજ મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત અને હીરા ઉદ્યોગના અગ્રણી વલ્લભભાઈ એસ. લખાણીના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. જમનાબા વિદ્યાર્થી ભવનમાં શ્રીમતી વર્ષાબેન મનહરભાઈ કાકડીયા પુસ્તકાલય, ગોપીન વાચનાલય, મૂળચંદભાઈ અમીન ઇ-લાઈબ્રેરી, માતૃશ્રી સંતોકબા ભોજનાલય, હરિકૃષ્ણ કારકિર્દી માર્ગદર્શન સેન્ટર, ઉપરાંત જીમ, યોગા સેન્ટર અને પ્રાર્થના હોલ સહિતની સુવિધાઓ નિર્માણ પામી છે.આ ઉપરાંત મહત્વનું દાન આપનાર મુકેશભાઈ પટેલ, રમેશભાઈ વી. ગજેરા, રાકેશભાઈ એચ. દુધાત અને ઝેડ. પી. ખેની સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ રહેશે. જમનાબા વિદ્યાર્થી ભવનની છત ઉપર ગોલ્ડી સોલાર તરફથી રૂફટોપ સોલાર ફીટ કરેલ છે. જ્યારે સમગ્ર ભવનમાં ડ્રિંકિંગ વોટર સિસ્ટમનું સૌજન્ય જે. એમ. પટેલ પરિવાર તરફથી મળેલ છે. </p>
<p><strong>શ્રી જમનાબા વિદ્યાર્થી ભવનમાં કાર્યરત સુવિધાઓ અને પ્રવૃત્તિઓ</strong><br />1.    1000 વિદ્યાર્થીઓ(ભાઈઓ) રહી શકે તેવી હોસ્ટેલ સુવિધા જેમાં જમવા-રહેવા કપડાની લોન્ડ્રી-ઈસ્ત્રી વાર્ષિક ફી રૂ. 40,000 છે.  <br />2.    100 વ્યક્તિઓ રહી શકે તેવુ અતિથિભવન<br />3.    50 હજાર પુસ્તકોની ક્ષમતાવાળુ પુસ્તકાલય <br />4.    વિશાળ વાંચનાલય (સવારે 6 થી રાત્રીના 1 સુધી) <br />5.    ડીઝીટલ લાઈબ્રેરી <br />6.    425 બેઠકવાળુ કેશુભાઈ પટેલ ઓડીટોરીયમ<br />7.    300 બેઠકની ક્ષમતાવાળુ સુવિધાયુક્ત ભોજનાલય<br />8.    કારકિર્દી માર્ગદર્શન સેન્ટર, સરકારી પરીક્ષા માટે કોચીંગ વ્યવસ્થા <br />9.    સરકારી યોજનાઓ માટે માર્ગદર્શન સેન્ટર<br />10.    31 ફૂટ ઉંચી પંચધાતુની ભારતરત્ન સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા, <br />                   51 ફૂટની ઊચાઇએ રાષ્ટ્રધ્વજ લહેરાય છે.<br />11.    વિનામૂલ્યે પુસ્તક લઇ શકે તેવુ ખુલ્લુ પુસ્તકાલય.<br />12.    વિદ્યાર્થીઓ માટે જીમ અને યોગા સેન્ટર, પ્રાર્થનાહોલ<br />13.    AI રીસર્ચ લેબ <br />14.    70 બેઠકની ક્ષમતાવાળુ કોન્ફરન્સરૂમ.<br />15.    35 બેઠકની ક્ષમતાવાળો મીટીંગ હોલ <br />16.    હોસ્ટેલમાં દરેક માળે એક્ટીવીટીઝ રૂમ. <br />                  ટૂંક સમયમાં શરૂ થશે.:<br />17.    ફેઝ (I) માં - પાટીદાર ગેલેરી તૈયાર થશે.<br />18.    ફેઝ (II) માં – કેન્ટીન વ્યવસ્થા થશે</p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/jamnaba-vidyarthi-bhavan-in-surat-will-accommodate-1000-students/article-177923</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/jamnaba-vidyarthi-bhavan-in-surat-will-accommodate-1000-students/article-177923</guid>
                <pubDate>Wed, 20 May 2026 17:21:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-05/139.jpg"                         length="126146"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dharmesh Kalsariya]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ</title>
                                    <description><![CDATA[<p>તારીખ - 20-05-2026</p>
<p>વાર- બુધવાર</p>
<p>મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની ભક્તિમાં માતાજીને સુગંધિત વસ્તુ અર્પણ કરશો.</p>
<p>વૃષભ - તમારી પ્રતિભામાં વધારો થાય, પેટને લગતી સમસ્યામાં ધ્યાન રાખવું, આજે તમે માતાજીની ભક્તિ સાથે ગણેશજીનું ધ્યાન અવશ્ય કરો.</p>
<p>મિથુન - તમારી બચતમાં વધારો થાય, દૂરના સંબંધીથી મુલાકાત થાય, આજે માતાજીની સાથે પિતૃઓનું સ્મરણ અવશ્ય કરો.</p>
<p>કર્ક - આજે ઘરમાં ખર્ચના પ્રસંગો બને, સમાજમાં તમારી નામનામાં વધારો થાય, આજે મંદિરમાં દાન અવશ્ય કરવું.<br />  <br />સિંહ - ધંધામાં ઘરાકી આવતા આનંદ જણાય, ઘરમાં ખર્ચનું પ્રમાણ રહે, માતાજીની આજે વધારેમાં વધારે ભક્તિ કરો.</p>
<p>કન્યા - કોઈપણ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/astro-and-religion/good-morning-gujarat-know-your-todays-day-in-the-future/article-177906"><img src="https://www.khabarchhe.com/media/400/2026-05/1010.jpg" alt=""></a><br /><p>તારીખ - 20-05-2026</p>
<p>વાર- બુધવાર</p>
<p>મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની ભક્તિમાં માતાજીને સુગંધિત વસ્તુ અર્પણ કરશો.</p>
<p>વૃષભ - તમારી પ્રતિભામાં વધારો થાય, પેટને લગતી સમસ્યામાં ધ્યાન રાખવું, આજે તમે માતાજીની ભક્તિ સાથે ગણેશજીનું ધ્યાન અવશ્ય કરો.</p>
<p>મિથુન - તમારી બચતમાં વધારો થાય, દૂરના સંબંધીથી મુલાકાત થાય, આજે માતાજીની સાથે પિતૃઓનું સ્મરણ અવશ્ય કરો.</p>
<p>કર્ક - આજે ઘરમાં ખર્ચના પ્રસંગો બને, સમાજમાં તમારી નામનામાં વધારો થાય, આજે મંદિરમાં દાન અવશ્ય કરવું.<br /> <br />સિંહ - ધંધામાં ઘરાકી આવતા આનંદ જણાય, ઘરમાં ખર્ચનું પ્રમાણ રહે, માતાજીની આજે વધારેમાં વધારે ભક્તિ કરો.</p>
<p>કન્યા - કોઈપણ પ્રકારના વિવાદોથી દૂર રહો, આજે તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજના દિવસમાં માતાજીની સાથે ભગવાન વિષ્ણુ  ધ્યાન અવશ્ય કરો.</p>
<p>તુલા - આજે તમે તમારી ધનની સ્થિતિને મજબૂત બનાવવા પ્રયાસ વધારો, આજે તમે માતાજીને સફેદ વસ્તુ અર્પણ કરો.</p>
<p>વૃશ્ચિક - પતિ પત્નીના સંબંધો મજબૂત બને, ખોટા ખર્ચાઓથી સાવધાન, આજના દિવસે માતાજી સાથે ક્ષેત્રપાળનું ધ્યાન અવશ્ય કરો.</p>
<p>ધન - આજે કોઈપણ ખોટા ખર્ચ ટાળો, તમારા શત્રુઓથી સાવધ રહો, માતાજીને આજે હળદરની ગાંઠ અર્પણ કરો.</p>
<p>મકર - યોગ્ય મહેનત અને યોગ્ય ફળ તમને મળશે, સમાજમાં પ્રતિષ્ઠામાં વધારો થાય, માતાજી સાથે ભગવાન કૃષ્ણનું ધ્યાન કરો.</p>
<p>કુંભ - ઘર પરિવારમાં ખર્ચ વધે, નવી વસ્તુઓ ઘરમાં આવે, આજે માતાજીને મીઠી વસ્તુ અવશ્ય અર્પણ કરો.</p>
<p>મીન - કોઈપણ સાહસ કરવું નહીં, શરીરમાં કમજોરીનો અહેસાસ થાય, માતાજીના મંદિરની મુલાકાત અવશ્ય લો.</p>]]></content:encoded>
                
                                                            <category>Astro and Religion</category>
                                    

                <link>https://www.khabarchhe.com/astro-and-religion/good-morning-gujarat-know-your-todays-day-in-the-future/article-177906</link>
                <guid>https://www.khabarchhe.com/astro-and-religion/good-morning-gujarat-know-your-todays-day-in-the-future/article-177906</guid>
                <pubDate>Wed, 20 May 2026 07:31:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-05/1010.jpg"                         length="669674"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dharmesh Kalsariya]]></dc:creator>
                            </item>
            <item>
                <title>સુરતમાં દાંતના ડોક્ટર સામે થયેલી 15 લાખની વળતરની માંગ કોર્ટે ફગાવી </title>
                                    <description><![CDATA[<p>​સુરત: ફરિયાદીની પુત્રીની દાંતની સારવારમાં સ્મીમેર હોસ્પિટલના દાંત વિભાગના તબીબોએ બેદરકારી દાખવીને જમણી બાજુને બદલે ડાબી બાજુની દાઢ કાઢી નાંખી હોવાનો આક્ષેપ કરી, રૂ. 15 લાખના વળતરની માંગણી કરતી ફરિયાદ સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (એડીશનલ) ના પ્રમુખ ન્યાયાધીશ આર. એલ. ઠક્કર અને સભ્ય પૂર્વીબેન જોષીની બેન્ચે રદ કરી છે. કમિશને ઠરાવ્યું છે કે ડોક્ટરોની સેવામાં કોઈ જ ખામી કે બેદરકારી જણાઈ આવતી નથી.</p>
<p>​કેસની વિગત મુજબ એક ફરિયાદીએ સ્મીમેર હોસ્પિટલના તબીબો (ડો. તેજલ ચૌધરી અને ડો. મોહન અરોરા વગેરે) વિરુદ્ધ ગ્રાહક કમિશનમાં ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ મુજબ, તેમની પુત્રીને દાંતમાં દુખાવો થતાં તા. 16/06/2015 ના રોજ સ્મીમેર</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/the-court-rejected-the-compensation-demand-of-15-lakhs-against/article-177878"><img src="https://www.khabarchhe.com/media/400/2026-05/244.jpg" alt=""></a><br /><p>​સુરત: ફરિયાદીની પુત્રીની દાંતની સારવારમાં સ્મીમેર હોસ્પિટલના દાંત વિભાગના તબીબોએ બેદરકારી દાખવીને જમણી બાજુને બદલે ડાબી બાજુની દાઢ કાઢી નાંખી હોવાનો આક્ષેપ કરી, રૂ. 15 લાખના વળતરની માંગણી કરતી ફરિયાદ સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (એડીશનલ) ના પ્રમુખ ન્યાયાધીશ આર. એલ. ઠક્કર અને સભ્ય પૂર્વીબેન જોષીની બેન્ચે રદ કરી છે. કમિશને ઠરાવ્યું છે કે ડોક્ટરોની સેવામાં કોઈ જ ખામી કે બેદરકારી જણાઈ આવતી નથી.</p>
<p>​કેસની વિગત મુજબ એક ફરિયાદીએ સ્મીમેર હોસ્પિટલના તબીબો (ડો. તેજલ ચૌધરી અને ડો. મોહન અરોરા વગેરે) વિરુદ્ધ ગ્રાહક કમિશનમાં ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદ મુજબ, તેમની પુત્રીને દાંતમાં દુખાવો થતાં તા. 16/06/2015 ના રોજ સ્મીમેર હોસ્પિટલના દાંત વિભાગમાં બતાવવામાં આવ્યું હતું. ત્યાં ડો. તેજલ ચૌધરીએ તપાસ કરીને એક્સ-રે કરાવ્યો હતો. ફરિયાદીનો આક્ષેપ હતો કે તેમની પુત્રીને જમણી બાજુની પહેલી દાઢમાં સડો અને રૂટમાં ઈન્ફેક્શન હોવાથી તે કાઢવી જરૂરી હતી, પરંતુ તબીબોએ કેસ પેપર્સમાં ભૂલથી અને બેદરકારીથી જમણીને બદલે ડાબી બાજુની દાઢ કાઢવાનું લખી દીધું હતું. જેના આધારે ડાબી બાજુની દાઢ કાઢી ટાંકા લેવામાં આવ્યા હતા. ત્યારબાદ પણ અસહ્ય દુખાવો ચાલુ રહેતા અન્ય ડેન્ટીસ્ટ પાસે એક્સ-રે કરાવતા જમણી બાજુની દાઢની તકલીફ હોવાનું સામે આવ્યું હતું. આથી શારીરિક-માનસિક ત્રાસના વળતર પેટે રૂ. 15 લાખ અને ખર્ચના રૂ. 50,000/- ની માંગણી કરવામાં આવી હતી.</p>
<p>​ડો. મોહન અરોરા તરફથી એડવોકેટ શ્રેયસ દેસાઈ અને ડો. તેજલ ચૌધરી તરફથી રજૂ થયેલા બચાવમાં ગ્રાહક અદાલત સમક્ષ મુખ્ય ચાર મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા.</p>
<p><strong>​1. ટેકનિકલ મુદ્દો : </strong>જેની સારવાર થઈ હતી, પરંતુ તેઓ પોતે ફરિયાદમાં જોડાયા ન હતા અને તેમના વતી પિતાએ ફરિયાદ કરી હતી, જેથી કાયદાકીય રીતે આ ફરિયાદ ટકી શકે તેમ ન હતી.</p>
<p><strong>2. એક્સપર્ટ કમિટીનો રિપોર્ટ: </strong>આ કેસમાં સ્મીમેર હોસ્પિટલ દ્વારા ખાસ નીમવામાં આવેલી ડોક્ટરો/પ્રોફેસરોની 'ટેકનિકલ એક્સપર્ટ કમિટી' એ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો કે સારવારમાં કોઈ જ તબીબી બેદરકારી થઈ નથી.</p>
<p><strong>3. ડેન્ટલ કાઉન્સિલનો નિર્ણય:</strong> સામાવાળા ડોક્ટરો વિરુદ્ધ 'ગુજરાત સ્ટેટ ડેન્ટલ કાઉન્સિલ' માં પણ ફરિયાદ કરવામાં આવી હતી. જોકે, કાઉન્સિલે પણ તબીબોની સારવારમાં કોઈ ભૂલ કે બેદરકારી ન જણાતા આ ફરિયાદ દફતરે કરી હતી.</p>
<p><strong>4. તબીબી વાસ્તવિકતા અને એક્સ-રે રિપોર્ટ:</strong> તા. 16/06/2015 ના રોજ લેવાયેલા એક્સ-રે ના અવલોકન મુજબ દર્દીને જમણી તેમજ ડાબી બંને બાજુની દાઢમાં સડો અને તકલીફ હતી. આથી સારવારના ભાગરૂપે પ્રથમ ડાબી બાજુની સડેલી દાઢ ડો. તેજલ ચૌધરી દ્વારા કાઢવામાં આવી હતી, જેમાં ઓપરેશન દરમિયાન કોઈ ભૂલ, બેદરકારી કે ક્ષતિ ન હતી.</p>
<p>સુરત જિલ્લા ગ્રાહક કમિશને તમામ પુરાવાઓ ધ્યાને લઈ ઠરાવ્યું કે, ફરિયાદી પોતાની દીકરીની ડેન્ટલ ટ્રીટમેન્ટમાં સામાવાળા તબીબો કે હોસ્પિટલ પક્ષે કોઈ પણ પ્રકારની બેદરકારી હોવાનું રેકોર્ડ પર પુરવાર કરી શક્યા નથી. આથી કમિશને આ ફરિયાદ રદ કરતો આખરી હુકમ કર્યો છે.</p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/the-court-rejected-the-compensation-demand-of-15-lakhs-against/article-177878</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/the-court-rejected-the-compensation-demand-of-15-lakhs-against/article-177878</guid>
                <pubDate>Mon, 18 May 2026 23:12:46 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-05/244.jpg"                         length="48404"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dharmesh Kalsariya]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ABS પ્રમાણિત EQ70 વેલ્ડેડ પાઇપ્સ સાથે AM/NS Indiaએ સ્થાપ્યો વૈશ્વિક માપદંડ</title>
                                    <description><![CDATA[<p>હઝીરા - સુરત, મે 14, 2026: વિશ્વની અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપનીઓ આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેનું સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ હઝીરા સ્થિત તેની પાઇપ મિલ ખાતે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. કંપનીએ સબમર્જ આર્ક વેલ્ડીંગ (SAW) ટેક્નોલોજી દ્વારા EQ70 અલ્ટ્રા-હાઇ-સ્ટ્રેન્થ વેલ્ડેડ પાઇપ્સનું સફળ ઉત્પાદન કર્યું છે, જે પાઇપ ઉત્પાદન ક્ષેત્રમાં વિશ્વસ્તરે પ્રથમ સિદ્ધિ માનવામાં આવે છે. આ પાઇપ્સને અમેરિકન બ્યુરો ઓફ શિપિંગ (ABS) દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યા છે, જે ઓફશોર એપ્લિકેશન્સ માટેના કડક આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ છે.</p>
<p>AM/NS India હાલ ભારતમાં એકમાત્ર કંપની છે જે આ ગુણવત્તા સભર પાઈપ્સનું મેન્યુફેક્ચરિંગ કરી રહી છે. આ પાઈપ્સનો</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/amns-india-established-global-benchmark-with-abs-certified-eq70-welded/article-177836"><img src="https://www.khabarchhe.com/media/400/2026-05/414.jpg" alt=""></a><br /><p>હઝીરા - સુરત, મે 14, 2026: વિશ્વની અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપનીઓ આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેનું સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ હઝીરા સ્થિત તેની પાઇપ મિલ ખાતે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. કંપનીએ સબમર્જ આર્ક વેલ્ડીંગ (SAW) ટેક્નોલોજી દ્વારા EQ70 અલ્ટ્રા-હાઇ-સ્ટ્રેન્થ વેલ્ડેડ પાઇપ્સનું સફળ ઉત્પાદન કર્યું છે, જે પાઇપ ઉત્પાદન ક્ષેત્રમાં વિશ્વસ્તરે પ્રથમ સિદ્ધિ માનવામાં આવે છે. આ પાઇપ્સને અમેરિકન બ્યુરો ઓફ શિપિંગ (ABS) દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યા છે, જે ઓફશોર એપ્લિકેશન્સ માટેના કડક આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ છે.</p>
<p>AM/NS India હાલ ભારતમાં એકમાત્ર કંપની છે જે આ ગુણવત્તા સભર પાઈપ્સનું મેન્યુફેક્ચરિંગ કરી રહી છે. આ પાઈપ્સનો ઉપયોગ તેલ અને ગેસ ઉદ્યોગમાં લાંબા અંતરના પાઈપલાઈન ટ્રાન્સપોર્ટેશન માટે થાય છે. આ પાઈપ ખૂબ જ હાઈ-સ્ટ્રેન્થ, પ્રેશર-રેઝિસ્ટન્ટ અને કાટપ્રતિરોધક હોવાથી તે ઓનશોર અને ઓફશોર બંને પ્રકારની પાઈપલાઈન માટે યોગ્ય છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-05/59.jpg" alt="5" width="1280" height="720"></img></p>
<p>આ સિદ્ધિ ઓફશોર એન્જિનિયરિંગ ક્ષેત્રમાં એક નવો વૈશ્વિક માપદંડ સ્થાપિત કરે છે અને ભારત સરકારની “Make in India” પહેલને મજબૂત સમર્થન આપે છે. સાથે જ યુરોપથી સરળ રીતે આયાત થતી પાઇપ્સ પરની નિર્ભરતા ઘટાડવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે.</p>
<p>EQ70, જે API 5L X100Q સમકક્ષ ગ્રેડ છે, એક હાઇ-સ્ટ્રેન્થ લો-એલોય સ્ટીલ છે, જેમાં ઓછામાં ઓછી 690 MPa યિલ્ડ સ્ટ્રેન્થ તથા ઉત્તમ ટફનેસ છે. આ ગુણધર્મો તેને જૅકઅપ રિગ્સમાં લેગ બ્રેસિંગ અને ડીપવોટર પાઇપલાઇન્સ જેવી અત્યંત પડકારજનક ઓફશોર એપ્લિકેશન્સ માટે આદર્શ બનાવે છે. તેની ઊંચી મજબૂતીના કારણે પાઇપ્સને વધુ પાતળી અને હળવી બનાવવી શક્ય બને છે, જ્યારે તેની અદ્યતન વેલ્ડેબિલિટી અને કાટપ્રતિકારક ક્ષમતા કઠિન સમુદ્રી પરિસ્થિતિઓમાં પણ વિશ્વસનીયતા જાળવે છે.</p>
<p>EQ70 વેલ્ડેડ પાઇપ્સનું સફળ ઉત્પાદન વૈશ્વિક સ્તરે પ્રથમવાર શક્ય બન્યું છે, જે સુરક્ષા, ટકાઉપણું અને ખર્ચ-અસરકારક ઉત્પાદન માટે નવા ઉદ્યોગ ધોરણો સ્થાપિત કરે છે. આ નવીનતા ભારતની મેન્યુફેક્ચરિંગ ક્ષમતાને વધુ મજબૂત બનાવશે અને યુરોપિયન આયાત પરની નિર્ભરતા ઘટાડશે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-05/66.jpg" alt="6" width="1280" height="720"></img></p>
<p>આ કન્સેપ્ટથી લઈને ABS સર્ટિફિકેશન સુધીની સફર આશરે 12 મહિના ચાલી હતી, જેમાં સતત ટ્રાયલ્સ, પ્રક્રિયા સુધારણા અને કડક પરીક્ષણો દ્વારા ABSના ઉચ્ચ ધોરણોને પૂર્ણ કરવામાં આવ્યા હતા. AM/NS India હવે વૈશ્વિક ઓફશોર બજારોમાં EQ70 વેલ્ડેડ પાઇપ્સની સપ્લાય માટે તૈયાર છે, જે વિશ્વભરના મરીન એન્જિનિયરિંગ પ્રોજેક્ટ્સ માટે સપ્લાય સુરક્ષા વધારશે અને ખર્ચ ઘટાડવામાં મદદરૂપ થશે. આગળ વધતા, કંપનીની પાઇપ મિલ SAW ટેક્નોલોજી દ્વારા હાઇડ્રોજન ટ્રાન્સપોર્ટેશન માટેના પાઇપ </p>
<p>ગ્રેડ્સ વિકસાવવા પર કાર્યરત છે, જે સ્વચ્છ ઊર્જા અને ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કંપનીની લાંબાગાળાની વ્યૂહરચનાને અનુરૂપ છે.<br />આ સિદ્ધિ ઊર્જા અને મરીન ક્ષેત્ર માટે વિશિષ્ટ સ્ટીલ સોલ્યુશન્સ વિકસાવવાની AM/NS Indiaની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે અને “સ્માર્ટર સ્ટીલ્સ, બ્રાઈટર ફ્યુચર્સ” ના કંપનીના ઉદ્દેશને સાકાર કરતી વૈશ્વિક નવીનતામાં વિશ્વસનીય ભાગીદાર તરીકેની તેની ભૂમિકાને વધુ સશક્ત બનાવે છે.</p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/amns-india-established-global-benchmark-with-abs-certified-eq70-welded/article-177836</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/amns-india-established-global-benchmark-with-abs-certified-eq70-welded/article-177836</guid>
                <pubDate>Fri, 15 May 2026 20:03:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-05/414.jpg"                         length="133063"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dharmesh Kalsariya]]></dc:creator>
                            </item>
            <item>
                <title>સનાતન હેલ્થ કોંકલેવમાં 150થી વધુ ડોક્ટરો જોડાયા, ડો. પ્રવિણ તોગડીયાનું સંબોધન</title>
                                    <description><![CDATA[<p>આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ  AHP અંતર્ગત ડોક્ટરો દ્વારા સેવા આયામ ઇન્ડિયા હેલ્થ લાઈન IHL દ્વારા  સનાતન હેલ્થ કોંકલેવ યોજાઇ હતી. SHCના આયોજન સુરતમાં સરથાણા, કઠોદરા, પાસોદરા અને મોટા વરાછા વિસ્તારના ડોક્ટરો માટે મેડિકલ સાયન્સ- ધર્મ અને રાષ્ટ્રના સંકલન દ્વારા સમાજ અને ધર્મને કઈ રીતે શ્રેષ્ઠ રીતે ઉપયોગી થઈ શકે તેની માહિતી IHL દ્વારા વિશેષ ચર્ચા થઈ.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-05/119.jpg" alt="1" width="1200" height="720" /></p>
<p>આ કોન્ફરસમાં ડો. પ્રતીક સાવજ, ડૉ. નીરવ ગોંડલીયા, ડૉ. ભાવેશ કાચા, ડૉ. પૂર્વશ ઢાકેચા , ડૉ. રાહુલ ગેલાની અને ડૉ. નિલેશ ટાંક દ્વારા સનાતન હેલ્થ કોંકલેવમાં લેક્ચર રજૂ કરાયા હતા.  હિન્દુ હૃદય સમ્રાટ કેન્સર સર્જન ડોક્ટર પ્રવિણ તોગડીયાએ વિડિયો કોન્ફરન્સથી ડોક્ટરને સંબોધ્યા હતા.  આવનારા સમયમાં</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/more-than-150-doctors-joined-sanatan-health-conclave-address-by/article-177835"><img src="https://www.khabarchhe.com/media/400/2026-05/316.jpg" alt=""></a><br /><p>આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ  AHP અંતર્ગત ડોક્ટરો દ્વારા સેવા આયામ ઇન્ડિયા હેલ્થ લાઈન IHL દ્વારા  સનાતન હેલ્થ કોંકલેવ યોજાઇ હતી. SHCના આયોજન સુરતમાં સરથાણા, કઠોદરા, પાસોદરા અને મોટા વરાછા વિસ્તારના ડોક્ટરો માટે મેડિકલ સાયન્સ- ધર્મ અને રાષ્ટ્રના સંકલન દ્વારા સમાજ અને ધર્મને કઈ રીતે શ્રેષ્ઠ રીતે ઉપયોગી થઈ શકે તેની માહિતી IHL દ્વારા વિશેષ ચર્ચા થઈ.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-05/119.jpg" alt="1" width="1280" height="720"></img></p>
<p>આ કોન્ફરસમાં ડો. પ્રતીક સાવજ, ડૉ. નીરવ ગોંડલીયા, ડૉ. ભાવેશ કાચા, ડૉ. પૂર્વશ ઢાકેચા , ડૉ. રાહુલ ગેલાની અને ડૉ. નિલેશ ટાંક દ્વારા સનાતન હેલ્થ કોંકલેવમાં લેક્ચર રજૂ કરાયા હતા.  હિન્દુ હૃદય સમ્રાટ કેન્સર સર્જન ડોક્ટર પ્રવિણ તોગડીયાએ વિડિયો કોન્ફરન્સથી ડોક્ટરને સંબોધ્યા હતા.  આવનારા સમયમાં અને આજે ભારત ડાયાબિટીસ,બ્લડપ્રેશર અને કેન્સર જેવા રોગોનું વિશ્વમાં મુખ્ય મથક બન્યું છે. ત્યારે આવા સમયે દેશને બીમારીઓથી કેવી રીતે બચાવી શકાય. જીવનમાં કેવી રીતે ફેરફાર કરી શકાય. આપણા ભોજન અને આહાર વિહારમાં કઈ રીતે ફેરફાર કરીને રાષ્ટ્રને આવા રોગોથી બચાવીને એક સ્વસ્થ ભારત સુખી ભારત મિશન લોકો સુધી પહોંચવા દેશ ભરમાં ચાલતા 1 લાખ હનુમાન ચાલીસા કેન્દ્ર ઉપયોગી થશે તેની માહિતી આપી હતી.  150થી વધુ નામાંકિત ડોક્ટરઓ ભાગ લીધો.</p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/more-than-150-doctors-joined-sanatan-health-conclave-address-by/article-177835</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/more-than-150-doctors-joined-sanatan-health-conclave-address-by/article-177835</guid>
                <pubDate>Fri, 15 May 2026 20:01:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-05/316.jpg"                         length="89333"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dharmesh Kalsariya]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        