જન ધન ખાતામાં વધારે જમા થયેલી 2000ની નોટ ITની તપાસમાં ફસાઈ શકે છે, જાણો કંઈ રીતે

જો તમારા નામ પર અથવા તમારા પરિવારના સભ્યોના નામે કોઈ જન ધન ખાતું ખોલવામાં આવ્યું હોય તો સાવચેત રહેજો. જો આવા ખાતામાં રૂ. 2,000ની નોટ મોટા પાયે જમા કરવામાં આવે છે, તો તમે આવકવેરા વિભાગ (IT વિભાગ)ની તપાસ હેઠળ આવી શકો છો. વિભાગને આશંકા છે કે, જે લોકો 2,000 રૂપિયાની નોટમાં કાળું નાણું રાખે છે, તેઓ કોઈપણ જન ધન ખાતાધારકનો ઉપયોગ કરીને તેમની નોટો બદલાવી શકે છે. એટલા માટે આવા ખાતાઓની ચકાસણીની તૈયારી છે.

જાહેર ક્ષેત્રની બેંકના એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે, તેમને આવકવેરા વિભાગ તરફથી સૂચનાઓ મળતી જ રહે છે. એટલા માટે જન ધન ખાતા પર તો વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. જો જન ધન ખાતામાં 'શંકાસ્પદ' વ્યવહાર થયો હોય તો તેની જાણ કરવામાં આવે છે. આવકવેરા વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, આ મામલે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો પણ ઉપયોગ કરવામાં આવશે. તેમને લાગે છે કે, કાળું નાણું સંગ્રહ કરનારાઓ તેમની રૂ. 2,000ની નોટો બદલવા માટે કંઈક આ પ્રકારની યુક્તિઓનો આશરો લઈ શકે છે.

આવકવેરા વિભાગના અધિકારીઓનું કહેવું છે કે, જો કોઈ વ્યક્તિના ઘરે 2000 રૂપિયાની નોટો પડી હોય અને તે જમા કરાવવા બેંકની શાખામાં આવે તો તેની કોઈ પૂછપરછ કરવામાં આવશે નહીં. પરંતુ જો કોઈ ગરીબ અથવા સામાન્ય વર્ગનો વ્યક્તિ મોટી સંખ્યામાં રૂ. 2000ની નોટ જમા કરાવે છે તો આવી વ્યક્તિની પૂછપરછ થઈ શકે છે. બેંકો, ટેક્સ સત્તાવાળાઓ અને કેટલીક અન્ય એજન્સીઓ આવા લોકો પર નજર રાખવા માટે સંપૂર્ણ એલર્ટ પર છે.

હાલમાં મોટાભાગના ગરીબ લોકો પાસે જન ધન ખાતું છે. વાસ્તવમાં, ઘણા વર્ષો પહેલા સમાજના એક ખૂણામાં રહેતા લોકોને બેંકના નેટવર્ક અથવા નાણાકીય સમાવેશ સાથે જોડવા માટે જન ધન ખાતું ખોલવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. હાલમાં દેશના મોટાભાગના ગરીબ પરિવારો પાસે ઓછામાં ઓછું એક જન ધન ખાતું તો છે જ. કેટલાક કિસ્સાઓમાં, એવું જોવા મળ્યું છે કે, કેટલાક સ્વાર્થી તત્વો આવા ખાતાધારકોના ખાતાનો દુરુપયોગ પણ કરે છે. આવકવેરા વિભાગ આવા શંકાસ્પદ ખાતાઓ પર નજર રાખી રહ્યું છે.

ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBI અનુસાર, જન ધન એકાઉન્ટ (PMJDY એકાઉન્ટ) અથવા બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (BSBD) એકાઉન્ટમાં રૂ. 2000ની નોટ જમા કરતી વખતે સામાન્ય મર્યાદા લાગુ થશે. અહીં અમે તમને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી જન-ધન યોજના એ નાણાકીય સમાવેશ માટેનું રાષ્ટ્રીય મિશન છે, જે બેંકિંગ/બચત અને ડિપોઝિટ એકાઉન્ટ્સ, રેમિટન્સ, લોન, વીમા, પેન્શન જેવી નાણાકીય સેવાઓની ઍક્સેસને સરળ રીતે સુનિશ્ચિત કરે છે. ભારતીય રિઝર્વ બેંકે જન ધન ખાતામાંથી માસિક ઉપાડની મર્યાદા 10,000 રૂપિયા નક્કી કરી છે. જ્યારે, આવા ખાતામાં 50 હજાર રૂપિયાથી વધુ જમા કરી શકાતા નથી.

About The Author

Top News

ગુજરાતના ગામડામાં પ્લાસ્ટર વગરના મકાનમાં રહેતા છોકરાને IIMમાં પ્રવેશ મળ્યો

પડકારોને વીંધીને સફળતાના શિખરો સર કરનારા અનેક સફળ લોકોની ગાથા છે. 2 વર્ષ પહેલા 12th  ફેઇલ ફિલ્મ આવેલીIPS ...
Education 
ગુજરાતના ગામડામાં પ્લાસ્ટર વગરના મકાનમાં રહેતા છોકરાને IIMમાં પ્રવેશ મળ્યો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 20-05-2025 દિવસ: મંગળવાર મેષ: આજે તમારે અતિશય ખર્ચ કરવાથી બચવું પડશે, નહીં તો તમે તમારી સંચિત સંપત્તિ પણ ખતમ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?

ઓપરેશન સિંદુરમાં ભારતે પાકિસ્તાન સાથે શું કર્યું તેની વાત દુનિયાના દેશો સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર સર્વપક્ષીસ સાંસદોની ટીમ બનાવી...
Politics 
શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?

સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું

IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી. આટલો વિસ્ફોટક ખેલાડી જેના માટે લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયાની બોલી લગાવી. ટીમ...
Sports 
સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.