બિઝનેસમેનનો મોટો દાવો, જો આવું થયું તો 50 ટ્રિલિયન ડોલર થઇ જશે ભારતની GDP

ભારતના દિગ્ગજ બિઝનેસમેને એક મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે ભારતને 2047 સુધીમાં ટેક્નિકલ આઝાદી મળી શકે છે. તેમણે ભારતની GDPને લઇને પણ મોટી જાહેરાત કરી છે. Olaના CEO ભાવિશ અગ્રવાલે ભારતના વિકાસ માટે પોતાનું વિઝન શેર કર્યું છે. તેમણે દાવો કર્યો કે, આર્થિક વિકાસ દરને 8 ટકાથી વધારીને 12 ટકા કરવાથી ભારત 2047 સુધી 50 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની શકે છે. તેમણે કહ્યું કે, આ લક્ષ્યને હાંસલ કરવા માટે હાઇ ટેક્નોલોજી, AI અને ન્યૂ એનર્જીનો લાભ ઉઠાવવો ખૂબ જરૂરી છે.

ભારતે છેલ્લા એક દશકમાં શાનદાર ઇકોનોમી ડેવલપમેન્ટ જોયું છે. જેની GDP લગભગ બેગણી થઇને 3.5 ટ્રિલિયન ડોલર થઇ ગઇ છે. એવામાં હવે અગ્રવાલે ભારતની વિકાસ ગતિને લઇને પોતાનું વિઝન બતાવ્યું છે. અગ્રવાલ કહે છે કે ભારત 2047 સુધી ટેક્નિકલી સ્વાતંત્રતા હાંસલ કરી લેશે. તેની સાથે જ ગ્લોબલ ટેક્નોલોજીનો યુઝર નહીં, પરંતુ નિર્માતા અને લીડર પણ બની જશે. તેના માટે ભારતની તાકત અને પડકારોને લઇને સખત પગલાં ઉઠાવવાની જરૂરિયાત છે. તેમાં ટેક્નિકલના માધ્યમથી સામાજિક બદલાવ પર ફોકસ કરવું જોઇએ.

ભાવિશ અગ્રવાલનું કહેવું છે કે 1947માં આપણે પોતાની રાજનીતિક આઝાદી હાંસલ કરી. વર્ષ 2047માં આપણે પોતાની ટેક્નિકલી આઝાદી હાંસલ કરવી પડશે. AI ન્યૂ એનર્જી અને અન્ય ઉન્નત ટેક્નોલોજીઓમાં મહારત હાંસલ કરીને ભારત એ નક્કી કરી શકે છે કે તેનો લાભ બધા નાગરિકો સુધી પહોંચે, નવાચારને પ્રોત્સાહન મળે અને ભવિષ્ય માટે નોકરીઓ ઉત્પન્ન થાય. અગ્રવાલનું માનવું છે કે ભારત માટે એક સાચી ટેક્નિકલી મહાશક્તિ સ્વરૂપે ઉભરવા માટે સાહસિક પગલું અને મોટા સપના જરૂરી છે.

ભાવિશ અગ્રવાલ ભારત માટે પોતાનો AI ઉદ્યોગ વિકસિત કરવાની જરૂરિયાત પર ભાર આપે છે, જેની બાબતે તેમનો દાવો છે કે તેનાથી ન માત્ર રોજગાર ઉત્પન્ન થશે, પરંતુ આર્થિક વિકાસ પણ વધશે. ટેક ટાઇકુને આ ઇન હાઉસ AI સાથે પોતાના પ્રયાસ પહેલા જ શરૂ કરી દીધા છે. તેમનું માનવું છે કે ભારત, પોતાના મોટા ડેવલપર્સ, વિશાળ ડેટા ઉત્પાદન અને મહત્ત્વપૂર્ણ IT ઇન્ડસ્ટ્રી સાથે AI પાવરહાઉસ બનવાની ક્ષમતા રાખે છે.

અગ્રવાલ એનર્જી સેક્ટરને લઇને કહ્યું કે, તેઓ જીવાશ્મ ઈંધણથી રિન્યૂવેબલ એનર્જી, બેટરી ભંડારણ અને ઇલેક્ટ્રિક વાહનોમાં બદલાવ જુએ છે. તેમણે કહ્યું કે, ભારતે રિન્યૂવેબલ એનર્જી, ખાસ કરીને સોલર એનરજીમાં મહત્ત્વપૂર્ણ તેજી નોંધી છે, પરંતુ ગ્લોબલ લીડર્સ સાથે મેલ ખાવા માટે પોતાના પ્રયાસોમાં પણ તેજી લાવવાની જરૂરિયાત છે. અગ્રવાલ કહે છે કે રિન્યૂવેબલ એનર્જીના પ્રભાવી થવા માટે મજબૂત બેટરી ભંડારણ સમાધાન જરૂરી છે.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 12-05-2025 દિવસ: સોમવાર મેષ: આજનો દિવસ તમે આધ્યાત્મિકતાના કામમાં વિતાવશો, પરંતુ કાર્યક્ષેત્રમાં તમારે તમારા ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું પડશે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનને લાગ્યો વધુ એક ઝટકો, આ દેશે સીરિઝ રમવાનો કરી દીધો ઇનકાર

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે શનિવાર, 10 મેના રોજ જાહેરાત કરી હતી કે મેન્સ રાષ્ટ્રીય ટીમ 2 મેચની T20 ઇન્ટરનેશનલ સીરિઝ...
Sports 
પાકિસ્તાનને લાગ્યો વધુ એક ઝટકો, આ દેશે સીરિઝ રમવાનો કરી દીધો ઇનકાર

ભારતની સ્પષ્ટ વાત- પાકિસ્તાન સાથે PoK પાછું લેવા અંગે જ વાત થશે, કોઈ મધ્યસ્થીની પણ અમને જરૂર નથી

ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર યુદ્ધવિરામ હોવા છતાં, રાજદ્વારી યુદ્ધ હજુ પણ ચાલુ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે...
National 
ભારતની સ્પષ્ટ વાત- પાકિસ્તાન સાથે PoK પાછું લેવા અંગે જ વાત થશે, કોઈ મધ્યસ્થીની પણ અમને જરૂર નથી

દરેક જણ માતાના પ્રેમ વિશે વાત કરે છે પરંતુ કોઈ પિતાના ત્યાગ વિશે નથી બોલતું

(ઉત્કર્ષ પટેલ) દરેક જણ માતાના પ્રેમ વિશે વાત કરે છે પરંતુ કોઈ પિતાના ત્યાગ વિશે નથી બોલતું. માતાનો પ્રેમ એ...
Opinion 
દરેક જણ માતાના પ્રેમ વિશે વાત કરે છે પરંતુ કોઈ પિતાના ત્યાગ વિશે નથી બોલતું
Copyright (c) Khabarchhe All Rights Reserved.