7.5 લાખ રૂ. સુધીની ડાયરેક્ટ ટેક્સ મુક્તિ,હજુ પણ લોકો વિકલ્પ પસંદ નથી કરી રહ્યા

કરદાતાઓને રાહત આપવા માટે સરકારે બજેટ 2023માં ટેક્સને લઈને મોટી જાહેરાત કરી હતી. આ પછી, એવું માનવામાં આવતું હતું કે, કરદાતાઓ જૂની કર વ્યવસ્થાને છોડી દેશે અને નવી વ્યવસ્થા અપનાવશે. પરંતુ, તાજેતરના સર્વેમાં કંઈક બીજું સત્ય સામે આવ્યું છે. જો કે, નવી કર વ્યવસ્થામાં ફેરફાર પછી, તેને પસંદ કરનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે, પરંતુ જૂની કર વ્યવસ્થા હજી પણ લોકોની પ્રથમ પસંદગી છે.

પોલિસીબઝારે તાજેતરમાં એક સર્વે હાથ ધર્યો હતો, જેમાં જાણવા મળ્યું હતું કે, 63 ટકા કરદાતાઓ હજુ પણ જૂની કર વ્યવસ્થાને પસંદ કરે છે. જ્યારે, માત્ર 37 ટકા કરદાતાઓએ નવી કર વ્યવસ્થા અપનાવી છે. સર્વેમાં સામેલ લગભગ 71 ટકા લોકોએ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે, રોકાણની પદ્ધતિઓ અને જાતિ પણ ટેક્સ શાસન પર મોટી અસર કરે છે. આ સર્વેમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાં જાણવા મળ્યું છે કે મહિલાઓમાં પુરૂષો કરતાં નાણાકીય જાગૃતિ વધુ છે. જ્યારે પુરૂષોમાં માત્ર 71 ટકા લોકોએ કહ્યું કે, તેઓએ ટેક્સની ગણતરીને લઈને નવી અને જૂની કર વ્યવસ્થાનું મૂલ્યાંકન કરવું જોઈએ, જ્યારે મહિલાઓમાં આ સંખ્યા 74 ટકા હતી.

સર્વેમાં બીજી એક વાત જાણવા મળી હતી કે, યુવાનોને જૂની કર વ્યવસ્થા વધુ પસંદ છે. 18 થી 30 વર્ષની વય વચ્ચેના લગભગ 62 ટકા યુવાનોએ કહ્યું કે, રોકાણ માટે તેમની પ્રથમ પસંદગી ટૂંકા ગાળાના વિકલ્પો છે. આ રોકાણકારોએ જૂની કર વ્યવસ્થામાં પણ વધુ રસ દાખવ્યો હતો.

સર્વેક્ષણ દર્શાવે છે કે, 18 થી 50 વર્ષની વય જૂથના રોકાણકારોને જૂની કર વ્યવસ્થામાં જ લાભ જોવા મળે છે. ભલે તે દિલ્હી, મુંબઈ જેવા મહાનગરનો રહેવાસી હોય કે, પછી ટિયર-2 અને ટિયર-3 જેવા નાના શહેરનો રહેવાસી હોય. ટિયર-2ના 61 ટકા અને ટિયર-3ના 59 ટકા કરદાતાઓએ કહ્યું છે કે, તેઓ જૂની કર વ્યવસ્થા પસંદ કરશે.

સર્વેમાં સૌથી વધુ પસંદગીના રોકાણ વિકલ્પ અંગે પણ ચોંકાવનારા ખુલાસા થયા છે. એવું કહેવામાં આવ્યું છે કે, રોકાણકારો યુલિપ અને પરંપરાગત પોલિસી કરતાં PPF અને જીવન વીમા જેવા વિકલ્પોને વધુ પસંદ કરી રહ્યા છે. જ્યારે 39 ટકા લોકોએ PPF અને જીવન વીમો પસંદ કર્યો હતો, જ્યારે માત્ર 34 ટકા લોકોને ULIP અને પરંપરાગત પોલિસી પસંદ હતી.

ClearTax અનુસાર, જૂની કર વ્યવસ્થાને હજુ પણ પસંદ કરવામાં આવી રહી છે, કારણ કે તે નાણાં બચાવવાની સાથે ટેક્સ બચાવવાનો વિકલ્પ આપે છે. નવી કર વ્યવસ્થામાં ભલે છૂટ વધુ હોય છતાં, કરનો દર પણ ઓછો છે. આમ છતાં સામાન્ય માણસને બચત કરવાનો કોઈ રસ્તો દેખાતો નથી. જે લોકો પોતાના પૈસા ખર્ચવામાં માને છે તેમના માટે નવી કર વ્યવસ્થા વધુ સારી છે. જો તમારે બચત કરવી હોય તો જૂની કર વ્યવસ્થા અપનાવવી વધુ સારું રહેશે, જેમાં બચતની સાથે તમને ટેક્સ સેવિંગનો વિકલ્પ પણ મળે છે.

About The Author

Top News

ગુજરાતના ગામડામાં પ્લાસ્ટર વગરના મકાનમાં રહેતા છોકરાને IIMમાં પ્રવેશ મળ્યો

પડકારોને વીંધીને સફળતાના શિખરો સર કરનારા અનેક સફળ લોકોની ગાથા છે. 2 વર્ષ પહેલા 12th  ફેઇલ ફિલ્મ આવેલીIPS ...
Education 
ગુજરાતના ગામડામાં પ્લાસ્ટર વગરના મકાનમાં રહેતા છોકરાને IIMમાં પ્રવેશ મળ્યો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 20-05-2025 દિવસ: મંગળવાર મેષ: આજે તમારે અતિશય ખર્ચ કરવાથી બચવું પડશે, નહીં તો તમે તમારી સંચિત સંપત્તિ પણ ખતમ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?

ઓપરેશન સિંદુરમાં ભારતે પાકિસ્તાન સાથે શું કર્યું તેની વાત દુનિયાના દેશો સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર સર્વપક્ષીસ સાંસદોની ટીમ બનાવી...
Politics 
શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?

સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું

IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી. આટલો વિસ્ફોટક ખેલાડી જેના માટે લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયાની બોલી લગાવી. ટીમ...
Sports 
સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.