જંત્રી વધારવાના મુદ્દે CMને મળ્યા બિલ્ડરો, બેઠક બાદ જાણો શું કહ્યું બિલ્ડરોએ

જંત્રીમાં સરકાર દ્વારા 100 ટકા વધારો કરાતા આ મામલે બિલ્ડરોમાં નારાજગી જોવા મળી રહી છે. અચાનક જંત્રીના રેટમાં વધારો છે તે 3 મહિના પછી લાગુ કરવા માંગ કરવામાં આવી છે. ક્રેડાઈના સભ્યોએ CM સાથે આ મામલે રજૂઆત કરી હતી. આ બેઠક આજે પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે બિલ્ડર એસોસિએશનનું કહેવું છે કે, રજૂઆત બાદ હજુ સુધી કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો પરંતુ CM સકારાત્મક હોવાનો તેમણે દાવો કર્યો છે.

જંત્રીની ઝંઝટ વચ્ચે બિલ્ડરો ગાંધીનગર પહોંચ્યા છે. CMને જંત્રીના ભાવ વધારાને લઈને રજૂઆત કરશે. એક મેથી ભાવ વધારો કવા રજૂઆત કરવામાં આવી હતી. સચિવાલય ખાતે બિલ્ડર એસોસિએશન દ્વારા CMની સાથે આજે મુલાકાત કરવામાં આવી હતી. જંત્રીનો ભાવ રાજ્ય સરકાર દ્વારા અચાનક વધારીને જે હતો તેના કરતા ડબલ કરાયો છે. 12 વર્ષ બાદ આ ભાવમાં વધારો કરાયો છે. જંત્રીના ભાવ વધતા જમીન અને મકાન ખરીદવા મોંઘા બની રહ્યા છે. એફોર્ડેબલ મકાનોની ખરીદી પણ મોંઘી પડશે.

ત્યારે આ મામલે મીડિયા સાથે વાતચીતમાં બિલ્ડર એસોસિએશનનું કહેવું છે કે, 1 મેના જંત્રીના ભાવ લાગુ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. સરકારે નિર્ણય જાહેર નથી કર્યો. CM સકારાત્મક હોવાનો દાવો તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી અને અધિકારીઓએ નવી જાહેર કરે તેવી શક્યતા છે. તેમણે જંત્રીના ભાવ 33-33 ટકા વધારવાની માંગ કરી છે.

About The Author

Top News

એક વ્યક્તિ કારમાં આવ્યો અને વકીલની ઓફિસ બહારથી અખબાર ચોરી ગયો!

મધ્યપ્રદેશના શિવપુરીમાં એક અનોખી ચોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક વ્યક્તિ કારમાં આવ્યો અને વકીલની ઓફિસની બહાર પડેલું...
National 
એક વ્યક્તિ કારમાં આવ્યો અને વકીલની ઓફિસ બહારથી અખબાર ચોરી ગયો!

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -14-11-2025 વાર- શુક્રવાર મેષ - પ્રિયજનથી મુલાકાત થાય, સમાજમાં નામ પ્રતિષ્ઠા વધે, બાળકોની બાબતમાં ધ્યાન આપી શકો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જૂનાગઢની કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિની રણચંડી બની, બેકાર ભોજન અને ગંદગી સામે અવાજ ઉઠાવ્યો

પાણી અને તેલમાં તરતા બટેકાનું શાક, એમાં પણ અંદર જીવાત અને ઇયળો... આવું જ કાંઈ ભોજન ગઈકાલે જૂનાગઢમાં આવેલ...
Gujarat 
જૂનાગઢની કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિની રણચંડી બની, બેકાર ભોજન અને ગંદગી સામે અવાજ ઉઠાવ્યો

CMનો મંત્રીઓને કડક આદેશ- સોમ-મંગળવારે જનતાને મળો અને રસ્તાઓ...

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના મંત્રીમંડળની વહીવટી કાર્યશૈલીમાં સુધારો લાવવા માટે કડક સૂચનાઓ જારી કરી છે, જેનો મુખ્ય હેતુ શાસનમાં...
Gujarat 
CMનો મંત્રીઓને કડક આદેશ- સોમ-મંગળવારે જનતાને મળો અને રસ્તાઓ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.