<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.khabarchhe.com/gujarat/category-4501" rel="self" type="application/rss+xml" />
                <generator>Khabarchhe RSS Feed Generator</generator>
                <title>Gujarat - Khabarchhe</title>
                <link>https://www.khabarchhe.com/category/4501/rss</link>
                <description>Gujarat RSS Feed</description>
                
                            <item>
                <title>મિત્ર હોય તો આવો, અકસ્માતમાં મિત્રને ગુમાવ્યા બાદ તેની મૂર્તિ સ્થાપિત કરીને પૂજા કરે છે ચંદુભાઈ</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">આજના જમાનામાં કોઈ પણ વ્યક્તિ પાસે વિશ્વાસ મૂકી શકાય તેવું નથી. આજે પોતિકાઓ પણ દગો આપીને સંબંધોની હત્યા કરી નાખે છે. જો કે</span>,<span lang="gu" xml:lang="gu"> એવું જરાય નથી કે હવે માનવતા મરી પરવારી છે કે હવે સંબંધો જેવુ કઈ રહ્યું નથી. આપણે મિત્રતાની અનેક એવી કહાનીઓ સાંભળી છે</span>,<span lang="gu" xml:lang="gu"> જે બધાને ચોંકાવી દે છે. સાચી મિત્રતા સમય</span>, <span lang="gu" xml:lang="gu">અંતર કે મૃત્યુથી પણ ખતમ થતી નથી. જ્યારે કોઈ મિત્ર પોતાના મિત્રને દિલથી ચાહે છે</span>, <span lang="gu" xml:lang="gu">ત્યારે તેની યાદો માત્ર સ્મૃતિ બનીને રહેતી નથી</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ જીવન જીવવાની પ્રેરણા બની જાય છે. આવી જ કહાની છે ચંદુભાઈ મકવાણા અને હકૂભાઈની.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ગુજરાતના જેતપુરના બે</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/after-losing-a-friend-in-an-accident--chandubhai-worships-him-by-installing-his-idol/article-179112"><img src="https://www.khabarchhe.com/media/400/2026-08/friendship1.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">આજના જમાનામાં કોઈ પણ વ્યક્તિ પાસે વિશ્વાસ મૂકી શકાય તેવું નથી. આજે પોતિકાઓ પણ દગો આપીને સંબંધોની હત્યા કરી નાખે છે. જો કે</span>,<span lang="gu" xml:lang="gu"> એવું જરાય નથી કે હવે માનવતા મરી પરવારી છે કે હવે સંબંધો જેવુ કઈ રહ્યું નથી. આપણે મિત્રતાની અનેક એવી કહાનીઓ સાંભળી છે</span>,<span lang="gu" xml:lang="gu"> જે બધાને ચોંકાવી દે છે. સાચી મિત્રતા સમય</span>, <span lang="gu" xml:lang="gu">અંતર કે મૃત્યુથી પણ ખતમ થતી નથી. જ્યારે કોઈ મિત્ર પોતાના મિત્રને દિલથી ચાહે છે</span>, <span lang="gu" xml:lang="gu">ત્યારે તેની યાદો માત્ર સ્મૃતિ બનીને રહેતી નથી</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ જીવન જીવવાની પ્રેરણા બની જાય છે. આવી જ કહાની છે ચંદુભાઈ મકવાણા અને હકૂભાઈની.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ગુજરાતના જેતપુરના બે મિત્રોની આ અનોખી મિત્રતાની કહાની આજે અનેક લોકો માટે પ્રેરણારૂપ બની છે. અહીં ચંદુભાઈએ અકસ્માતમાં પોતાના મિત્ર હકૂભાઈને ગુમાવ્યા બાદ તેની યાદને માત્ર હૃદયમાં જ નહીં</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ મૂર્તિના સ્વરૂપમાં પણ જીવંત રાખી છે. ચંદુભાઈ દરરોજ સવારે પોતાના મિત્રની મૂર્તિને હાર પહેરાવી</span>, <span lang="gu" xml:lang="gu">પૂજા કરીને જ તે પોતાના દિવસની શરૂઆત કરે છે.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-08/friendship2.jpg" alt="friendship2" width="1280" height="720"></img>
gujarati.news18.com

<p><span lang="gu" xml:lang="gu">દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ</span>,<span lang="gu" xml:lang="gu"> ચંદુભાઈએ કહ્યું કે</span>,<span lang="gu" xml:lang="gu"> તેમની અને હકુભાઈની મિત્રતા ભાવનગરમાં થઈ હતી. બંને એક જ મિત્રમંડળ સાથે જોડાયેલા હતા અને વર્ષો સુધી એકબીજાના સુખ-દુઃખમાં સાથી રહ્યા હતા. પરંતુ એક દિવસ હકુભાઈ બગદાણા જતા હતા ત્યારે રસ્તામાં અકસ્માત સર્જાયો અને તેમનું દુઃખદ અવસાન થયું. આ ઘટના માત્ર તેમના પરિવાર માટે જ નહીં</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ સમગ્ર મિત્રવર્તુળ માટે મોટો આઘાત બની હતી.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">મિત્રના નિધન બાદ ચંદુભાઈ લાંબા સમય સુધી આ દુઃખમાંથી બહાર આવી શક્યા નહોતા. બાદમાં તેઓ ભાવનગર છોડીને જેતપુર રહેવા આવ્યા</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ મિત્રની યાદો સતત તેમની સાથે રહી. એક દિવસ તેમના મનમાં વિચાર આવ્યો કે કેમ પોતાના પ્રિય મિત્રની મૂર્તિ બનાવી તેની યાદને હંમેશા માટે જીવંત રાખવામાં ન આવે. આ વિચારને તેમણે હકીકતમાં બદલ્યો. પોતાના મિત્ર હકુભાઈની મૂર્તિ તૈયાર કરાવી અને તેની સ્થાપના કરી. ત્યારથી આજદિન સુધી ચંદુભાઈ દરરોજ સવારે સૌથી પહેલા પોતાના મિત્રની મૂર્તિ પાસે જાય છે</span>, <span lang="gu" xml:lang="gu">ફૂલોનો હાર અર્પણ કરે છે</span>, <span lang="gu" xml:lang="gu">દીવો પ્રગટાવે છે અને પ્રાર્થના કર્યા બાદ જ પોતાના દિવસના અન્ય તમામ કામની શરૂઆત કરે છે. તેમના માટે આ માત્ર એક નિયમ નહીં</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ મિત્ર પ્રત્યેની શ્રદ્ધા અને પ્રેમની અભિવ્યક્તિ છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ચંદુભાઈ જણાવે છે કે શરૂઆતમાં હકુભાઈના નામે </span>11<span lang="gu" xml:lang="gu"> સમૂહલગ્ન યોજાયા હતા. ત્યારબાદ </span>21, <span lang="gu" xml:lang="gu">પછી </span>51<span lang="gu" xml:lang="gu"> સમૂહલગ્ન સફળતાપૂર્વક યોજાયા અને હવે </span>71<span lang="gu" xml:lang="gu"> સમૂહલગ્ન યોજવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. તેઓ કહે છે કે ઉપર બેઠેલા તેમના મિત્રને પણ ગર્વ થવો જોઈએ કે તેમના નામે સમાજ માટે સારાં કાર્યો થઈ રહ્યા છે. </span><span lang="gu" xml:lang="gu">ચંદુભાઈ માત્ર મિત્રની યાદ જ જીવંત રાખતા નથી</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ તેમના નામે સમાજસેવાનું કાર્ય પણ આગળ વધારી રહ્યા છે. જેતપુરમાં </span>‘<span lang="gu" xml:lang="gu">હકુ ગ્રુપ</span>’<span lang="gu" xml:lang="gu"> નામથી એક સેવાકીય સંસ્થા કાર્યરત છે</span>, <span lang="gu" xml:lang="gu">જે જરૂરિયાતમંદ લોકોની મદદ કરે છે અને ગરીબ દીકરીઓના સમૂહલગ્ન જેવા સામાજિક કાર્યોનું આયોજન કરે છે.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-08/friendship3.jpg" alt="friendship3" width="1280" height="720"></img>
gujarati.news18.com

<p><span lang="gu" xml:lang="gu">સ્થાનિક રહેવાસી ગિરીશભાઈ દવે પણ ચંદુભાઈની આ લાગણીના સાક્ષી છે. તેઓ કહે છે કે છેલ્લા ઘણા વર્ષોથી દરરોજ સવારે ચંદુભાઈ પોતાના મિત્રની મૂર્તિ પાસે આવીને પૂજા કરે છે</span>, <span lang="gu" xml:lang="gu">દીવો પ્રગટાવે છે અને હાર ચડાવે છે. ત્યારબાદ જ તેઓ પોતાના રોજિંદા કાર્યો માટે નીકળે છે. તેમના મતે આવી મિત્રતા આજના સમયમાં ખૂબ જ દુર્લભ છે. ચંદુભાઈ અને હકુભાઈની મિત્રતા આજે અનેક લોકો માટે સંબંધોની સાચી વ્યાખ્યા બની ગઈ છે અને સમાજને એ શીખવે છે કે નિઃસ્વાર્થ પ્રેમ અને મિત્રતા હંમેશાં અમર રહે છે.</span></p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/after-losing-a-friend-in-an-accident--chandubhai-worships-him-by-installing-his-idol/article-179112</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/after-losing-a-friend-in-an-accident--chandubhai-worships-him-by-installing-his-idol/article-179112</guid>
                <pubDate>Sun, 02 Aug 2026 17:16:38 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-08/friendship1.jpg"                         length="196712"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Parimal Chaudhary]]></dc:creator>
                            </item>
            <item>
                <title>લોકડાઉનમાં ફ્લાઇટની ટિકિટ રદ થઇ, ટ્રાવેલ્સ સંચાલકે રૂપિયા કાપીને પરત કર્યાં, કોર્ટે 8 ટકા વ્યાજે સાથે આપવા આદેશ આપ્યો</title>
                                    <description><![CDATA[<p>સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (મુખ્ય) દ્વારા ગ્રાહકોના હિતમાં વધુ એક મહત્ત્વપૂર્ણ અને માર્ગદર્શક ચુકાદો આપવામાં આવ્યો છે અને જણાવવામાં આવ્યું છે કે, કોરોના મહામારી દરમિયાન દેશવ્યાપી લોકડાઉનને કારણે રદ થયેલી વિદેશ પ્રવાસની એર ટિકિટોની ગ્રાહકોની રકમ ટ્રાવેલ એજન્સી દ્વારા રોકી રાખી શકાય નહીં. તે ગ્રાહક પ્રત્યે સેવામાં ખામી અને અનફેર ટ્રેડ પ્રેક્ટિસ ગણાય.</p>
<p>ફરિયાદીઓએ એડવોકેટ શ્રેયસ દેસાઈ, એડવોકેટ પ્રાચી અર્પિત દેસાઈ તથા એડવોકેટ ઈશાન શ્રેયસ દેસાઈના મારફતે સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (મુખ્ય) સમક્ષ કેન્યા પ્રવાસ માટે એક ટ્રાવેલ્સ મારફતે એર કેનેડાની એર ટિકિટો બુક કરાવી હતી. તેના માટે કુલ રૂ. 4,20,048/- જેટલી રકમ ચૂકવવામાં આવી હતી.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/the-flight-ticket-was-canceled-in-the-lockdown-the-travel/article-179115"><img src="https://www.khabarchhe.com/media/400/2026-08/28.jpg" alt=""></a><br /><p>સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (મુખ્ય) દ્વારા ગ્રાહકોના હિતમાં વધુ એક મહત્ત્વપૂર્ણ અને માર્ગદર્શક ચુકાદો આપવામાં આવ્યો છે અને જણાવવામાં આવ્યું છે કે, કોરોના મહામારી દરમિયાન દેશવ્યાપી લોકડાઉનને કારણે રદ થયેલી વિદેશ પ્રવાસની એર ટિકિટોની ગ્રાહકોની રકમ ટ્રાવેલ એજન્સી દ્વારા રોકી રાખી શકાય નહીં. તે ગ્રાહક પ્રત્યે સેવામાં ખામી અને અનફેર ટ્રેડ પ્રેક્ટિસ ગણાય.</p>
<p>ફરિયાદીઓએ એડવોકેટ શ્રેયસ દેસાઈ, એડવોકેટ પ્રાચી અર્પિત દેસાઈ તથા એડવોકેટ ઈશાન શ્રેયસ દેસાઈના મારફતે સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (મુખ્ય) સમક્ષ કેન્યા પ્રવાસ માટે એક ટ્રાવેલ્સ મારફતે એર કેનેડાની એર ટિકિટો બુક કરાવી હતી. તેના માટે કુલ રૂ. 4,20,048/- જેટલી રકમ ચૂકવવામાં આવી હતી. પરંતુ માર્ચ-2020 દરમિયાન સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ફાટી નીકળતાં ભારત સરકારે દેશવ્યાપી લોકડાઉન જાહેર કર્યું. વધુમાં, Ministry Of Home Affairs  Guidelines મુજબ બિનજરૂરી મુસાફરી ન કરવા માટે પણ આદેશ આપવામાં આવેલ હતા અને તમામ આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓ સ્થગિત કરવામાં આવી. પરિણામે ફરિયાદીઓનો પ્રવાસ રદ થઈ ગયો.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-08/27.jpg" alt="27" width="1280" height="720"></img></p>
<p>ફરિયાદીઓએ બુકિંગ માટે જમા કરાવેલ રકમ કુલ રકમ રૂ।. 4,20,048/- માંથી માત્ર રૂ।. 2,97,830/- રીફંડ આપેલ અને બાકીની રકમ રૂ।. 1,22,218/- કાપી લેવા માટે કોઈ ખુલાસો કરેલ નથી. જેથી ફરિયાદીઓએ જીલ્લા કમિશન સમક્ષ ફરિયાદ કરવી પડેલી.</p>
<p>ફરિયાદીઓ તરફ્ દલીલો કરતા એડવોકેટ શ્રેયસ દેસાઈ, એડવોકેટ પ્રાચી અર્પિત દેસાઈ તથા એડવોકેટ ઈશાન શ્રેયસ દેસાઈએ ગ્રાહક કમિશન સમક્ષ જણાવ્યું હતું કે, ફરિયાદીઓને ઉદ્ભવેલ વિશેષ સંજોગો/પરિસ્થિતિના અને લોકડાઉનની પરિસ્થિતિને કારણે પ્રવાસ થઈ શકેલ નહીં.</p>
<p>વધુમાં, Gouvernement of India Office of the Director General of Civil Aviation દ્વારા તા. 07/10/2020ના રોજનો એક Circular Refund on Cancellation of air tickets during Covid-19 બાબતે બહાર પાડવામાં આવેલ હતો. જેમાં તા. 25/03/2020 થી તા. 24/05/2020 દરમ્યાન Air ticketsનું બુકિંગ કરાવનાર પ્રવાસીને Full amountનું રીફંડ આપવાનો નિર્દેશ આપવામાં આવેલ છે. </p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-08/26.jpg" alt="26" width="1280" height="720"></img></p>
<p>સુરત જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (મુખ્ય)ના પ્રમુખ પી. પી. મેખિયા અને સભ્ય તીર્થેશ મહેતાએ ચુકાદામાં મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે કે કોરોના જેવી અસાધારણ પરિસ્થિતિમાં ગ્રાહકો પહેલેથી જ આર્થિક તથા માનસિક મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં તેમની જ રકમ અટકાવી રાખવી ગ્રાહક હિત વિરુદ્ધની કાર્યવાહી ગણાય. ગ્રાહક સુરક્ષા અધિનિયમનો મુખ્ય હેતુ ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરવાનો હોવાથી આવા કેસોમાં વેપારી સંસ્થાઓ જવાબદારીમાંથી છટકી શકે નહીં.</p>
<p>જિલ્લા ગ્રાહક કમિશને ટ્રાવેલ્સ અને તેના સંચાલકને ફરિયાદીઓને રૂ.1,22,218/- ફરિયાદ દાખલ કર્યાની તારીખથી વસૂલાત સુધી 8% વાર્ષિક વ્યાજ સાથે ચૂકવવાનો હુકમ કર્યો છે. આ સમગ્ર રકમ 30 દિવસની અંદર ચૂકવવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. </p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/the-flight-ticket-was-canceled-in-the-lockdown-the-travel/article-179115</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/the-flight-ticket-was-canceled-in-the-lockdown-the-travel/article-179115</guid>
                <pubDate>Sun, 02 Aug 2026 08:31:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-08/28.jpg"                         length="36823"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dharmesh Kalsariya]]></dc:creator>
                            </item>
            <item>
                <title>સુરતના વરાછામાં પાટીદાર યુવકે પહેલા માતાને પતાવી દીધી અને પછી પોતે પણ જીવન ટૂંકાવ્યું, 40 લાખ રૂપિયા...</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">સુરતમાં વરાછાના અશ્વિનીકુમારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના વરાછામાં અશ્વિનિકુમાર રોડ પર શુક્રવારે મોડી રાત્રે </span>36<span lang="gu" xml:lang="gu"> વર્ષીય પુત્રએ માતાને ગળે ટૂંપો આપીને જાતે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.  પ્રાથમિક</span> <span lang="gu" xml:lang="gu">તપાસમાં </span>36<span lang="gu" xml:lang="gu"> વર્ષીય પાટીદાર યુવકે શેરબજારમાં અંદાજે રૂ. </span>40<span lang="gu" xml:lang="gu">થી </span>50<span lang="gu" xml:lang="gu"> લાખનું જંગી દેવું થઈ જતાં આ પગલું ભર્યું હોવાની વાત સામે આવી છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ગુજરાત સમાચારના અહેવાલ મુજબ</span>, <span lang="gu" xml:lang="gu">મૂળ ભાવનગરમાં ગારીયાધરના વતની અને હાલમાં વરાછામાં અશ્વિનિકુમાર રોડ પર રૂપમ સોસાયટીમાં </span>63<span lang="gu" xml:lang="gu"> વર્ષીય ભાનુબહેન સોનાણી અને તેનો </span>36<span lang="gu" xml:lang="gu"> વર્ષીય પુત્ર જતીન સાથે રહેતા હતા. શુક્રવારે સવારે સાડા દસ વાગ્યા સુધી</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/after-incurring-a-debt-of-40-50-lakhs-in-the-stock/article-179107"><img src="https://www.khabarchhe.com/media/400/2026-08/13.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">સુરતમાં વરાછાના અશ્વિનીકુમારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના વરાછામાં અશ્વિનિકુમાર રોડ પર શુક્રવારે મોડી રાત્રે </span>36<span lang="gu" xml:lang="gu"> વર્ષીય પુત્રએ માતાને ગળે ટૂંપો આપીને જાતે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.  પ્રાથમિક</span> <span lang="gu" xml:lang="gu">તપાસમાં </span>36<span lang="gu" xml:lang="gu"> વર્ષીય પાટીદાર યુવકે શેરબજારમાં અંદાજે રૂ. </span>40<span lang="gu" xml:lang="gu">થી </span>50<span lang="gu" xml:lang="gu"> લાખનું જંગી દેવું થઈ જતાં આ પગલું ભર્યું હોવાની વાત સામે આવી છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ગુજરાત સમાચારના અહેવાલ મુજબ</span>, <span lang="gu" xml:lang="gu">મૂળ ભાવનગરમાં ગારીયાધરના વતની અને હાલમાં વરાછામાં અશ્વિનિકુમાર રોડ પર રૂપમ સોસાયટીમાં </span>63<span lang="gu" xml:lang="gu"> વર્ષીય ભાનુબહેન સોનાણી અને તેનો </span>36<span lang="gu" xml:lang="gu"> વર્ષીય પુત્ર જતીન સાથે રહેતા હતા. શુક્રવારે સવારે સાડા દસ વાગ્યા સુધી તેના ઘરનો દરવાજો ખોલ્યો ન હતો. જેથી તેમના પડોશી અને સંબંધીએ દરવાજો ખખડાવતા અંદરથી જવાબ નહીં આપતા ચિંતામાં મુકાયા હતા. આ અંગે પોલીસને જાણ થતા ત્યાં પહોંચીને દરવાજો ખોલીને અંદર ગયા હતા. આ દરમિયાન બેડરૂમમાં જતીન લોખંડના હૂક સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. માતા ભાનુબહેન સેટી ઉપર મૃત હાલતમાં મળ્યા હતા અને નજીકમાં વાયર કે પ્લાસ્ટીક જેવી દોરી જેવું મટીરિયલ મળી આવ્યું હતું.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">દરમિયાન પોલીસે માતા અને પુત્રના મૃતદેહ સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ત્યાં બંનેના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ ડોક્ટરના જણાવ્યાનુસાર</span>, <span lang="gu" xml:lang="gu">ભાનુબહેનનું મૃત્યુ દોરી અથવા વાયર જેવા મટીરિયલ વડે ગળા ઉપર ટૂંપો આપવાના લીધે થયાનું માલૂમ પડ્યું છે. જે હત્યા હોવાનું જણાય છે. જ્યારે જતીનનું મૃત્યુ જાતે ગળે ફાંસો ખાવાથી થયું હોવાનું જણાય છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, જતીનના અગાઉ એક સ્ટેશનરીની દુકાનમાં સામાન્ય નોકરી કરતો હતો અને સાથે-સાથે શેરબજારનું નાનું-મોટું કામકાજ સંભાળતો હતો. જાતે કમાઈને આગળ વધવાની ઘેલછામાં તેણે અઢી-ત્રણ મહિના અગાઉ જ સ્ટેશનરીની નોકરી છોડી દીધી હતી અને સુરતના મિની બજાર ખાતે શેરબજારની પોતાની સ્વતંત્ર ઓફિસ શરૂ કરી હતી.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-08/11.jpg" alt="11" width="1280" height="720"></img></span></p>
<p><span lang="gu" xml:lang="gu">શેરબજારમાં નસીબ અજમાવવા ગયેલા જતીનને ધાર્યા મુજબ સફળતા ન મળી અને તેના દાવ ઊંધા પડ્યા હતા. ટૂંકા સમયમાં જ તેને શેરબજારમાં ભારે નાણાકીય નુકસાન વેઠવું પડ્યું હતું. જોતજોતામાં તેના માથે આશરે </span>40<span lang="gu" xml:lang="gu">થી </span>50<span lang="gu" xml:lang="gu"> લાખ રૂપિયાનું જંગી દેવું થઈ ગયું હતું. બીજી તરફ તેની માતા ભાનુબેન ઘર બેઠા સિલાઈ કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવાનો પ્રયાસ કરતા હતા.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ગુરુવારે રાત્રે જતીન અને તેની માતા ભાનુબેન રોજિંદા ક્રમ મુજબ જમીને પોતાના રૂમમાં સૂવા ગયા હતા. આર્થિક સંકટના કારણે માનસિક તણાવમાં જીવી રહેલા જતીને મધ્યરાત્રિએ દૂષિત માનસિકતા દર્શાવી હતી. પલંગ પર ઊંઘી રહેલી માતા ભાનુબેનને તેણે ગળાના ભાગે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધા હતા. માતાની હત્યા કર્યા બાદ તેણે પોતે પણ પંખાના હૂક સાથે દોરી બાંધીને ફાંસો ખાઈ લીધો હતો.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">શુક્રવારે બપોર સુધી ભાનુબેન કે જતીનમાંથી કોઈ પણ ઘરની બહાર ન આવતાં આસપાસના પડોશીઓને શંકા ગઈ હતી. તેઓએ દરવાજો ખખડાવ્યો</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ અંદરથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો. આખરે એક પડોશીએ ઘરની બારીમાંથી અંદર ડોકિયું કરતાં જ હોશ ઊડી ગયા હતા. અંદર માતા પલંગ પર પડેલી હાલતમાં અને પુત્રનો મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળતાં જ પડોશીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-08/12.jpg" alt="12" width="1280" height="720"></img></span></p>
<p><span lang="gu" xml:lang="gu">બનાવની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તબીબોની ટીમ દ્વારા માતા-પુત્રનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં સ્પષ્ટ થયું હતું કે ભાનુબેનનું મૃત્યુ દોરી અથવા વાયર જેવા કોઈ મટીરિયલ વડે ગળા પર ટૂંપો આપવાના કારણે થયું હતું</span>, <span lang="gu" xml:lang="gu">જ્યારે પુત્ર જતીનનું મૃત્યુ ફાંસો ખાવાથી થયું હતું.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ઉલ્લેખનીય છે કે, આ કરૂણ ઘટના પાછળ એક અત્યંત ભાવુક અતીત છુપાયેલો છે. જતીન સોનાણી મૂળ તેના નાના કાકા ત્રિભુવનભાઈનો પુત્ર હતો. જ્યારે તે માત્ર </span>6<span lang="gu" xml:lang="gu"> મહિનાનો હતો ત્યારે નિઃસંતાન મોટા પપ્પા જગદીશભાઈ અને તેમના પત્ની ભાનુબેને તેને દત્તક લીધો હતો. વર્ષ </span>2014<span lang="gu" xml:lang="gu">માં પતિના અવસાન બાદ પણ માતા-પુત્ર સાથે હસી-ખુશીથી રહેતા હતા. ગુરુવારે(</span>30<span lang="gu" xml:lang="gu"> જુલાઈ) રાત્રે પણ બંને પાડોશીઓ સાથે હસી-મજાક કરીને રૂમમાં ગયા હતા</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ કોને ખબર હતી કે જે પુત્રને બાળપણથી પ્રેમથી ઉછેર્યો હતો</span>, <span lang="gu" xml:lang="gu">એ જ પુત્ર દેવાના બોજ તળે કાળ બનીને માતાનો ભોગ લેશે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">પોલીસના જણાવ્યાનુસાર</span>, <span lang="gu" xml:lang="gu">જતીન શેરબજારનો ધંધો કરતો હતો. જોકે તેને ધંધામાં લાખો રૂપિયાનું દેવું થઈ જતા સતત ટેન્શનમાં રહેતો હોવાથી તેણે માતાની હત્યા કરીને જાતે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ભાનુબહેનના પતિનું ઘણાં સમય પહેલા અવસાન થયું હતું. ત્યારથી ભાનુબહેન અને જતીન ઘરમાં એકલા રહેતા હતા.</span></p>
<div>
<p><span lang="gu" xml:lang="gu">ભાનુબહેનના પતિ જગદીશને લગ્ન ઘણાં સમય પહેલા થયા હતા. પણ તેને સંતાન સુખ મળ્યું નહોતું. જેથી જતીન છ મહિનાનો હતો ત્યારે દત્તક લીધો હતો. જગદીશના અવસાન બાદ જતીને માતાની હત્યા કરીને જાતે જીવન ટૂંકાવી લેતા સોનાણી પરિવારમાં માતમ છવાયો છે.</span></p>
</div>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/after-incurring-a-debt-of-40-50-lakhs-in-the-stock/article-179107</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/after-incurring-a-debt-of-40-50-lakhs-in-the-stock/article-179107</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 19:15:16 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-08/13.jpg"                         length="41908"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Parimal Chaudhary]]></dc:creator>
                            </item>
            <item>
                <title>અનામત હટાવો આંદોલનથી ગુજરાતમાં ખળભળાટ, પાટીદાર આગેવાનોથી લઇને આદિવાસી આગેવાનોએ જાણો શું કહ્યું</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">દેશભરમાં હવે સોશિયલ મીડિયા પર ‘અનામત હટાવો</span>'(REMOVE RESERVATION) <span lang="gu" xml:lang="gu">નામની ઝુંબેશ ચાલી રહી છે. દેશભરમાં પેપરલીક મુદ્દે ચાલી રહેલા આંદોલન બાદ હવે સોશિયલ મીડિયા પર આ ઝુંબેશ શરૂ થઈ છે. જેમા દેશમાંથી અનામત સિસ્ટમને નાબૂદ કરવાની માગ કરવામાં આવી રહી છે. હવે તેની અસર ગુજરાતમાં પણ થઈ રહી છે. પાટીદાર</span>, <span lang="gu" xml:lang="gu">ક્ષત્રિય અને બ્રાહ્મણ સમાજના આગેવાનોએ આ કેમ્પેઇનને સમર્થન આપતા કહ્યું કે</span>, <span lang="gu" xml:lang="gu">અનામત નીતિની </span>10<span lang="gu" xml:lang="gu"> વર્ષે સમીક્ષા કરવામાં આવે અને જરૂરિયાતમંદને લાભ મળે તે રીતની વ્યવસ્થા કરવી જોઇએ. તો બીજી તરફ આદિવાસી અને ઠાકોર સમાજના આગેવાનોનું કહેવું છે કે</span>, <span lang="gu" xml:lang="gu">શિક્ષણ</span>, <span lang="gu" xml:lang="gu">સરકારી નોકરી અને રાજકીય ક્ષેત્રમાં મળતી અનામત</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/from-patidar-leaders-to-tribal-leaders-know-what-the-commotion/article-179106"><img src="https://www.khabarchhe.com/media/400/2026-08/1.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">દેશભરમાં હવે સોશિયલ મીડિયા પર ‘અનામત હટાવો</span>'(REMOVE RESERVATION) <span lang="gu" xml:lang="gu">નામની ઝુંબેશ ચાલી રહી છે. દેશભરમાં પેપરલીક મુદ્દે ચાલી રહેલા આંદોલન બાદ હવે સોશિયલ મીડિયા પર આ ઝુંબેશ શરૂ થઈ છે. જેમા દેશમાંથી અનામત સિસ્ટમને નાબૂદ કરવાની માગ કરવામાં આવી રહી છે. હવે તેની અસર ગુજરાતમાં પણ થઈ રહી છે. પાટીદાર</span>, <span lang="gu" xml:lang="gu">ક્ષત્રિય અને બ્રાહ્મણ સમાજના આગેવાનોએ આ કેમ્પેઇનને સમર્થન આપતા કહ્યું કે</span>, <span lang="gu" xml:lang="gu">અનામત નીતિની </span>10<span lang="gu" xml:lang="gu"> વર્ષે સમીક્ષા કરવામાં આવે અને જરૂરિયાતમંદને લાભ મળે તે રીતની વ્યવસ્થા કરવી જોઇએ. તો બીજી તરફ આદિવાસી અને ઠાકોર સમાજના આગેવાનોનું કહેવું છે કે</span>, <span lang="gu" xml:lang="gu">શિક્ષણ</span>, <span lang="gu" xml:lang="gu">સરકારી નોકરી અને રાજકીય ક્ષેત્રમાં મળતી અનામત યથાવત રાખવી જોઇએ. અનામત હટાવવાની વાત કરનારાઓનો હેતુ શું છે તે સમજાતો નથી. આ સમગ્ર ઝૂંબેશ </span>RSS <span lang="gu" xml:lang="gu">અને ભાજપના દોરીસંચારમાં ચાલી રહી છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-08/1.jpg" alt="1" width="1280" height="720"></img></span></p>
<p><span lang="gu" xml:lang="gu">દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ, સરદાર પટેલ ગ્રુપ (</span>SPG)<span lang="gu" xml:lang="gu">ના અધ્યક્ષ લાલજી પટેલે જણાવ્યું કે</span>, <span lang="gu" xml:lang="gu">અનામતનો લાભ જ્ઞાતિના આધારે આપવાને બદલે માત્ર આર્થિક આધારે જ મળવો જોઈએ. વર્ષ </span>2012<span lang="gu" xml:lang="gu">થી </span>SPG <span lang="gu" xml:lang="gu">દ્વારા ચલાવવામાં આવેલા અભિયાન અને આંદોલનના પરિણામે જ </span>2021<span lang="gu" xml:lang="gu">માં </span>10% EWS <span lang="gu" xml:lang="gu">અનામત શક્ય બન્યું હતું</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ વર્તમાન સ્થિતિમાં જે વર્ગ કે સમાજને અનામત મળી રહ્યું છે</span>, <span lang="gu" xml:lang="gu">તેમાં છેવાડાના અને વાસ્તવિક રીતે ગરીબ માણસ સુધી તેનો લાભ પહોંચતો નથી.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">સમાજના શિક્ષિત</span>, <span lang="gu" xml:lang="gu">આર્થિક રીતે સંપન્ન અને નોકરીયાત વર્ગના પરિવારો જ વારંવાર અનામતનો લાભ મેળવી રહ્યા છે. સરકારે જાતિ-જ્ઞાતિના ભેદભાવ વગર એક એવો કાયદો લાવવો જોઈએ જેનાથી કોઈપણ જ્ઞાતિનો ગરીબ પરિવાર અનામતનો સાચો હકદાર બને. જો સાચા અને જરૂરિયાતમંદ વર્ગને લાભ નહીં મળે તો તેનાથી દેશને મોટું નુકસાન થશે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-08/2.jpg" alt="2" width="1280" height="720"></img></span></p>
<p><span lang="gu" xml:lang="gu">પાટીદાર આગેવાન અને ભાજપ નેતા અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે</span>, <span lang="gu" xml:lang="gu">અનામતનો લાભ માત્ર આર્થિક કે સામાજિક રીતે ખરેખર જરૂરિયાતમંદ લોકોને જ મળવો જોઈએ. સરદાર પટેલ ગ્રુપ દ્વારા પણ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી આ સુધારાવાદી કેમ્પેઇનને ટેકો જાહેર કરવામાં આવ્યો છે.</span></p>
<p>EWS, OBC, SC, ST <span lang="gu" xml:lang="gu">કે ઓપન કેટેગરી સહિત દરેક વર્ગમાં સરકારે એવી નીતિ બનાવવી જોઈએ જેથી સક્ષમ લોકોને બાદ કરી ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો સુધી લાભ પહોંચી શકે. </span>90%<span lang="gu" xml:lang="gu"> કે </span>95%<span lang="gu" xml:lang="gu"> ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓ અન્યાયનો ભોગ ન બને તે માટે સરકારે તજજ્ઞો અને અનુભવીઓ સાથે મળીને નવી સુધારેલી વ્યવસ્થા ગઠિત કરવી જોઈએ.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા વરૂણ પટેલે જણાવ્યું હતું કે</span>, <span lang="gu" xml:lang="gu">રાષ્ટ્રવ્યાપી ‘અનામત હટાવો’ કેમ્પેઇનમાં યુવાનોની લાગણી અને દેશના લોકો પોતાના વિચારો મૂકી રહ્યા છે. અનામતની પદ્ધતિનું આકલન કરી બદલાયેલી પરિસ્થિતિ પ્રમાણે સુધારા થવા જોઈએ.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">અનામતનો લાભ જરૂરિયાતમંદના ઘર સુધી પહોંચવો જોઈએ. જાતિ વ્યવસ્થાની વાત કરીએ તો દુનિયામાં બે જ જ્ઞાતિ છે. એક અમીર અને એક ગરીબ. ગરીબનું હંમેશા શોષણ થયું છે અને અમીરને લાભ મળતા રહ્યા છે. અનામતમાં પણ આ જ પરિસ્થિતિનું સતત રિપિટેશન થઈ રહ્યું છે. અમારી માગણી છે કે</span>, <span lang="gu" xml:lang="gu">પોતાની નૈતિક જવાબદારી અને હિંમત દાખવે. આ વિષયમાં તમામ સમાજવર્ગોને સાથે રાખીને અનામતની સમીક્ષા અને સુધારા કરવાની તૈયારી દાખવવી જોઈએ.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">રાજકીય દોરીસંચાર અંગે વરુણ પટેલે જણાવ્યું કે</span>, <span lang="gu" xml:lang="gu">ભારતમાં અત્યારે કોઈપણ એવી રાજકીય પાર્ટી નથી કે જે આટલું મોટું કેમ્પેઇન ચલાવી શકે. જાતિગણના કેમ્પેઇન હોય કે અનામત હટાવો </span>, <span lang="gu" xml:lang="gu">આ કોઈ રાજકીય પાર્ટીની તાકાત હોય એવું મને લાગતું નથી. આ રાષ્ટ્રના યુવાનોની તાકાત છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ક્ષત્રિય સમાજના આગેવાન રમજુભા જાડેજાએ જણાવ્યું હતું કે</span>, <span lang="gu" xml:lang="gu">અનામતના દુરુપયોગને અટકાવી જરૂરિયાતવાળા વ્યક્તિને</span>, <span lang="gu" xml:lang="gu">તે કોઈપણ જ્ઞાતિનો હોય તેને લાભ મળે તેવી વ્યવસ્થા થવી જોઈએ. હાલમાં જે સિસ્ટમ છે તેના કારણે જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે જે ભેદભાવ થાય છે</span>, <span lang="gu" xml:lang="gu">તે ઓછો થાય તે રીતે પુનઃસમીક્ષા થવી જોઈએ.</span></p>
<p>‘<span lang="gu" xml:lang="gu">હાલમાં જે ઝુંબેશ ચાલી રહી છે તેને અમે સપોર્ટ કરીએ છીએ. અમારા સમાજની પણ બેઠક યોજાવાની છે. બિનઅનામત કમિટીની બેઠકમાં આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. હાલમાં આ સમગ્ર મુદ્દો પ્રાથમિક તબક્કામાં છે અને સોશિયલ મીડિયા પર જે કેમ્પેઇન ચાલી રહ્યું છે તેનું પરિણામ આવવું જોઈએ. આ ઝુંબેશમાં કંઈ ખોટું નથી.’</span></p>
<p><span lang="gu" xml:lang="gu">વધુમાં જણાવ્યું હતું કે</span>, <span lang="gu" xml:lang="gu">આ ઝુંબેશ કોઈ રાજકીય પાર્ટીથી ચાલી રહ્યું હોય તેવું મને લાગતું નથી. </span>NEET <span lang="gu" xml:lang="gu">પેપર લીક બાદ જે જાગૃતિ આવી છે</span>, <span lang="gu" xml:lang="gu">તેના પછી આ પ્રકારની ચળવળ શરૂ થઈ છે. સમાજની બેઠક બાદ સરકાર સમક્ષ રજૂઆત કરાશે કે</span>, <span lang="gu" xml:lang="gu">અનામતની સમીક્ષા ન્યાયાધીશની અધ્યક્ષતામાં થવી જોઈએ.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-08/3.jpg" alt="3" width="1280" height="720"></img></span></p>
<p><span lang="gu" xml:lang="gu">પાટીદાર સમાજના આગેવાન દિનેશ બાંભણિયાએ કહ્યું કે</span>, <span lang="gu" xml:lang="gu">અનામત નીતિની સમીક્ષા કરી સુધારા થવા જોઈએ. જે ઝુંબેશ ચાલી રહી છે</span>, <span lang="gu" xml:lang="gu">તે એક વ્યક્તિએ મૂકેલા વિચારથી શરૂ થઈ છે અને તેમાં સમગ્ર ભારતના લોકો પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા છે. અનામતમાં જે ખામીઓ છે</span>, <span lang="gu" xml:lang="gu">કેટલીક કેટેગરીના લોકોને મળતા લાભો અને અત્યાર સુધી મળેલા લાભો સહિત તમામ બાબતો પર વિચાર થવો જોઈએ.</span></p>
<p>‘<span lang="gu" xml:lang="gu">આ ઝુંબેશમાં રાજકીય હાથ કે દોરીસંચાર છે કે નહીં તે સમય જતા ખબર પડશે. સરકારને અમે વારંવાર રજૂઆત કરી છે કે આર્થિક નબળા વર્ગને ખાસ પ્રાયોરિટી આપવામાં આવે અને કોઈપણ કેટેગરીમાં આવતા યુવાનોને આર્થિક ધારાધોરણ મુજબ અનામત આપવામાં આવે. હાલ જે વ્યવસ્થા ચાલી રહી છે તેમાં સુધારાની જરૂર છે.’</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ક્ષત્રિય સમાજના આગેવાન તૃપ્તિબા રાઓલે જણાવ્યું હતું કે</span>, <span lang="gu" xml:lang="gu">મારા મતે અનામત વ્યવસ્થા જે સમયના સામાજિક સંજોગોમાં જરૂરી હતી તેણે પોતાનું ઐતિહાસિક મહત્ત્વ નિભાવ્યું છે</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ આઝાદીના દાયકાઓ પછી હવે દેશને સમાન તક</span>, <span lang="gu" xml:lang="gu">પ્રતિભા અને યોગ્યતાના આધારે આગળ વધવાની જરૂર છે. ખરેખર જરૂરિયાતમંદ હોય તેને સહાય શિક્ષણ</span>, <span lang="gu" xml:lang="gu">આર્થિક સશક્તિકરણ અને અન્ય કલ્યાણકારી યોજનાઓ દ્વારા થવી જોઈએ.</span></p>
<p>‘<span lang="gu" xml:lang="gu">આ અભિયાન પાછળ કોઈ રાજકીય એજન્ડા છે કે નહીં તે અંગે પૂરતા પુરાવા વિના કોઈ નિષ્કર્ષ આપવો યોગ્ય નથી. કોઈપણ જનઆંદોલન ત્યારે જ સફળ બને છે</span>, <span lang="gu" xml:lang="gu">જ્યારે તે લોકોની વાસ્તવિક લાગણીઓ સાથે જોડાયેલું હોય. જો તેનો હેતુ નીતિમાં સુધારો અને રાષ્ટ્રહિત હોય તો સ્વાગત યોગ્ય છે</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ જો તેનો હેતુ વિભાજન ઊભું કરવાનો હોય તો તે લાંબા ગાળે સફળ થઈ શકતું નથી.’</span></p>
<p><span lang="gu" xml:lang="gu">બ્રહ્મ સમાજના આગેવાન અશ્વિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે</span>, <span lang="gu" xml:lang="gu">હાલમાં ચાલતા કેમ્પેઇનને અમારો સપોર્ટ છે. શિક્ષણ ક્ષેત્રે પણ સામાજિક રીતે નહીં પરંતુ આર્થિક રીતે અનામત મળે તેના પક્ષમાં છીએ. આ અંગે સરકાર સમક્ષ અગાઉ પણ રજૂઆત કરી છે અને ભવિષ્યમાં પણ અનામત હટાવવા રજૂઆત કરીશું.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">બંધારણના એક્સપર્ટ અને દલિત એક્ટિવિસ્ટ ચંદુભાઈ મહેરિયાએ જણાવ્યું હતું કે</span>, <span lang="gu" xml:lang="gu">અનામતનો મૂળભૂત આધાર ભારતીય સંવિધાનમાં રહેલો પ્રતિનિધિત્વનો સિદ્ધાંત છે. જે સમાજનું વસ્તીમાં જેટલું પ્રમાણ છે</span>, <span lang="gu" xml:lang="gu">તેટલું જ પ્રતિનિધિત્વ તેમને લોકસભા</span>, <span lang="gu" xml:lang="gu">વિધાનસભા</span>, <span lang="gu" xml:lang="gu">શિક્ષણ અને સરકારી નોકરીઓમાં મળવું જોઇએ. મહિલાઓ માટે પણ અનામત એ જ કારણસર લાવવામાં આવ્યું છે</span>, <span lang="gu" xml:lang="gu">કારણ કે તેમનું પૂરતું પ્રતિનિધિત્વ નહોતું.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માટે </span>OBC <span lang="gu" xml:lang="gu">અનામત</span>, <span lang="gu" xml:lang="gu">આર્થિક રીતે નબળા વર્ગો માટે </span>EWS <span lang="gu" xml:lang="gu">અને મહિલાઓ માટે અલગ અનામતની જોગવાઈ કરવામાં આવી છે. અનામતનો મુખ્ય હેતુ પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવાનો છે. જો એવી સમાજ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થા ઉભી કરી શકાય</span>, <span lang="gu" xml:lang="gu">જેમાં દેશના તમામ વર્ગોને તેમની વસ્તીના પ્રમાણમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળે તો અનામતની જરૂરિયાત જ રહેશે નહીં. સમાજમાં સમાનતા અને સામાજિક પરિવર્તન આવશે</span>, <span lang="gu" xml:lang="gu">ત્યારે અનામત અંગે વિચાર થઈ શકે</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ માત્ર અનામત હટાવવાની વાત કરીને જાતિવાદને યથાવત રાખવો યોગ્ય નથી. આ બંને બાબતો સાથે ચાલી શકે નહીં.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ઠાકોર સમાજના નેતા અને પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે જણાવ્યું કે</span>, <span lang="gu" xml:lang="gu">અનામત હટાવવાની વાત કરનારાઓનો હેતુ શું છે તે સમજાતો નથી</span>, <span lang="gu" xml:lang="gu">જ્યારે આર્થિક રીતે નબળા વર્ગો માટે </span>EWS <span lang="gu" xml:lang="gu">અનામત આપવામાં આવી છે</span>, <span lang="gu" xml:lang="gu">ત્યારે હવે અનામત દૂર કરવાની માંગ શા માટે કરવામાં આવી રહી છે તે પ્રશ્ન ઉભો થયા છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">તેમણે આરોપ લગાવ્યો છે કે</span>, <span lang="gu" xml:lang="gu">આ સમગ્ર ઝૂંબેશ </span>RSS <span lang="gu" xml:lang="gu">અને ભાજપના દોરીસંચારમાં ચાલી રહી છે. બળદેવજી ઠાકોરે કહ્યું કે</span>, <span lang="gu" xml:lang="gu">અનામતની વ્યવસ્થા જાળવી રાખવા માટે જે કંઈ કરવું પડશે અને જેટલો પણ સંઘર્ષ કરવો પડશે તેના માટે તેઓ અને તેમનો સમાજ સંપૂર્ણપણે તૈયાર છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-08/4.jpg" alt="4" width="1280" height="720"></img></span></p>
<p><span lang="gu" xml:lang="gu">આદિવાસી નેતા અને ધારાસભ્ય અનંત પટેલે જણાવ્યું હતું કે</span>, <span lang="gu" xml:lang="gu">સોશિયલ મીડિયામાં અનામત હટાવવાની જે ઝૂંબેશ ચાલી રહી છે</span>, <span lang="gu" xml:lang="gu">તેને લઈને અમારું સ્પષ્ટ માનવું છે કે</span>, <span lang="gu" xml:lang="gu">આદિવાસી સમાજ હજુ પણ મુખ્ય પ્રવાહ સાથે સંપૂર્ણ રીતે જોડાઈ શક્યો નથી. શિક્ષણ</span>, <span lang="gu" xml:lang="gu">સરકારી નોકરી અને રાજકીય ક્ષેત્રમાં મળતી અનામત યથાવત રહેવી જોઇએ તે મારું અંગત મંતવ્ય છે.</span></p>
<p>‘<span lang="gu" xml:lang="gu">કેટલાક લોકો આર્થિક રીતે સક્ષમ થયા બાદ અનામત છોડવાની વાત કરે છે</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ અનામતના કારણે હું ભણી શક્યો અને સરકારી નોકરી મેળવી શક્યો. નોકરી કોઈની આજીવન કે પરંપરાગત મિલકત નથી. પાટીદાર</span>, <span lang="gu" xml:lang="gu">ક્ષત્રિય અથવા અન્ય આર્થિક રીતે સદ્ધર વર્ગો પાસે જમીન</span>, <span lang="gu" xml:lang="gu">ઉદ્યોગ કે અન્ય સ્થાયી આવકના સાધનો હોય છે</span>, <span lang="gu" xml:lang="gu">જ્યારે આદિવાસી સમાજ પાસે એવી પરિસ્થિતિ નથી.’ અનંત પટેલે વધુમાં કહ્યું કે</span>, 100%<span lang="gu" xml:lang="gu"> એવું લાગે છે કે આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા રાજકીય તત્વો જ આવી ઝુંબેશ ચલાવી રહ્યા છે. આ મુદ્દે સરકાર સમક્ષ પણ રજૂઆત કરાશે.</span></p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/from-patidar-leaders-to-tribal-leaders-know-what-the-commotion/article-179106</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/from-patidar-leaders-to-tribal-leaders-know-what-the-commotion/article-179106</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 17:48:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-08/1.jpg"                         length="53742"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Parimal Chaudhary]]></dc:creator>
                            </item>
            <item>
                <title>આજે સુરેન્દ્રનગરનો વારો, લખતરમાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદ, અમદાવાદ સહિત 6 જિલ્લામાં આજે રેડ એલર્ટ</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">ગુજરાતને મેઘો ફરી ઘમરોળી રહ્યો છે, મેઘરાજા આજે સુરેન્દ્રનગરને ધમરોળી રહ્યો છે. આજે સવારના </span>6<span lang="gu" xml:lang="gu">થી </span>10<span lang="gu" xml:lang="gu"> વાગ્યા સુધીમાં </span>187<span lang="gu" xml:lang="gu"> તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ સુરેન્દ્રનગરના લખતરમાં </span>4.33<span lang="gu" xml:lang="gu"> ઇંચ વરસાદથી તારાજી સર્જાઈ છે. જ્યાં જુઓ ત્યાં પાણી પાણીના જ દૃશ્યો જોવા મળી રહ્યા છે. </span></p>
<p><span lang="gu" xml:lang="gu">દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, સુરેન્દ્રનગરના લખતરમાં એકબાજુ ઉમઈ નદીના પાણી અને બીજી તરફ રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતાં લીલાપુર ગામ સંપર્કવિહોણું બન્યું છે સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના લીલાપુર ગામ નજીક આવેલી ઉમઈ નદીનો પાળો તૂટતા તેના પૂરના પાણી લીલાપુર ગામના ભરવાડ વાસમાં ફરી વળ્યા હતા. ઘરોમાં પાણી ઘૂસી જતા સ્થાનિકોની ઘરવખરી સહિતનો સામાન પલળી જતાં</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/surendranagar-storm-hits-gujarat-water-level-rises-in-ukai-dam/article-179109"><img src="https://www.khabarchhe.com/media/400/2026-08/lakhtar.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">ગુજરાતને મેઘો ફરી ઘમરોળી રહ્યો છે, મેઘરાજા આજે સુરેન્દ્રનગરને ધમરોળી રહ્યો છે. આજે સવારના </span>6<span lang="gu" xml:lang="gu">થી </span>10<span lang="gu" xml:lang="gu"> વાગ્યા સુધીમાં </span>187<span lang="gu" xml:lang="gu"> તાલુકામાં વરસાદ ખાબક્યો છે, જેમાં સૌથી વધુ સુરેન્દ્રનગરના લખતરમાં </span>4.33<span lang="gu" xml:lang="gu"> ઇંચ વરસાદથી તારાજી સર્જાઈ છે. જ્યાં જુઓ ત્યાં પાણી પાણીના જ દૃશ્યો જોવા મળી રહ્યા છે. </span></p>
<p><span lang="gu" xml:lang="gu">દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, સુરેન્દ્રનગરના લખતરમાં એકબાજુ ઉમઈ નદીના પાણી અને બીજી તરફ રેલવે અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થઈ જતાં લીલાપુર ગામ સંપર્કવિહોણું બન્યું છે સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના લીલાપુર ગામ નજીક આવેલી ઉમઈ નદીનો પાળો તૂટતા તેના પૂરના પાણી લીલાપુર ગામના ભરવાડ વાસમાં ફરી વળ્યા હતા. ઘરોમાં પાણી ઘૂસી જતા સ્થાનિકોની ઘરવખરી સહિતનો સામાન પલળી જતાં ભારે નુકસાન થયું છે. તો લીલાપુર ગામ મુખ્ય માર્ગ પર હોવાથી માર્ગ બંધ થતા આગળ આવેલા કારેલા</span>, <span lang="gu" xml:lang="gu">ઈંગરોળી અને સવલાણા સહિતના ગામોનો પણ તાલુકા મથક લખતર સાથેનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે.  જ્યારે અમદાવાદમાં પણ સવારથી કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા ગઇકાલથી મનમૂકીને વરસી રહ્યા છે. અમદાવાદ સિવાય મોરબી, રાજકોટ, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-08/whatsapp-image-2026-08-01-at-12.43.39-pm.jpeg" alt="WhatsApp Image 2026-08-01 at 12.43.39 PM" width="2560" height="1810"></img></span></p>
<p><span lang="gu" xml:lang="gu">સુરેન્દ્રનગર જિલ્લામાં જાહેર કરાયેલા રેડ એલર્ટ વચ્ચે સતત વરસાદને કારણે વાંસલ ડેમ તેની પૂર્ણ જળસપાટીએ પહોંચીને ઓવરફ્લો થયો છે</span>, <span lang="gu" xml:lang="gu">જેને પગલે નીચાણવાળા વિસ્તારના ચુડા અને ગોખરવાળા ગામના લોકોને નદીના પટથી દૂર રહેવા અને પશુધનને સુરક્ષિત સ્થળે ખસેડવા તાકીદ કરાઈ છે. બીજી તરફ</span>, <span lang="gu" xml:lang="gu">સતત આવકના કારણે મૂળી તાલુકાનો નાયકા ડેમ પણ </span>90% <span lang="gu" xml:lang="gu">ભરાઈ જતાં ગમે ત્યારે દરવાજા ખોલીને પાણી છોડાય તેવી શક્યતા છે</span>, <span lang="gu" xml:lang="gu">જેને ધ્યાનમાં રાખીને ગૌતમગઢ</span>, <span lang="gu" xml:lang="gu">કુકડા</span>, <span lang="gu" xml:lang="gu">ગોદાવરી અને શેખપર ગામના રહીશોને તંત્ર દ્વારા ખાસ સતર્ક રહેવા અને અનિચ્છનીય બનાવ ટાળવા સૂચના અપાઈ છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">સુરત શહેરમાં વરસાદે થોડા સમયના વિરામ બાદ ફરી એકવાર ધમાકેદાર ઇનિંગ શરૂ કરી છે. અગાઉ સતત વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. જોકે</span>, <span lang="gu" xml:lang="gu">વરસાદ અટકતાં પાણી ઓસરી જતાં સુરતીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ હવે ફરી એકવાર ધોધમાર વરસાદ તૂટી પડતાં માર્ગો પર પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે</span>, <span lang="gu" xml:lang="gu">જેથી સ્થાનિકોમાં ફરી જળબંબાકાર થવાની ચિંતા વ્યાપી ગઈ છે.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-08/rain2.jpg" alt="rain2" width="1280" height="720"></img>
gujaratsamachar.com

<p><span lang="gu" xml:lang="gu">સુરત શહેરની સ્થાનિક ખાડીઓમાં પાણીની વિપુલ આવક શરૂ થઈ ગઈ છે. જેના લીધે ચોમાસામાં દર વખતે પૂરનો ભોગ બનતા સણીયા હેમદ (સણીયા અહેમદ) ગામમાં ફરી એકવાર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. અગાઉના પૂર દરમિયાન આ ગામમાં </span>10<span lang="gu" xml:lang="gu"> થી </span>15<span lang="gu" xml:lang="gu"> ફૂટ જેટલાં ઊંડાં પાણી ભરાઈ જતાં ભારે તારાજી સર્જાઈ હતી. હાલમાં ફરી રસ્તાઓ પર પાણી આવતાં જ ગ્રામજનો ભય અને ચિંતામાં મૂકાયા છે તથા ગામમાં ફરી પૂરની વિકટ સ્થિતિ ન સર્જાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે સુરતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. સવારે </span>10:00 <span lang="gu" xml:lang="gu">વાગ્યાના આંકડા મુજબ ઉકાઈ ડેમમાં </span>3,46,200 <span lang="gu" xml:lang="gu">ક્યૂસેક પાણીની પુષ્કળ આવક થઈ રહી છે</span>, <span lang="gu" xml:lang="gu">જેનાથી ડેમની સપાટી </span>320.82 <span lang="gu" xml:lang="gu">ફૂટે પહોંચી છે (ભયજનક સપાટી: </span>345 <span lang="gu" xml:lang="gu">ફૂટ). બીજી તરફ</span>, <span lang="gu" xml:lang="gu">રાંદેર સ્થિત વિયર-કમ-કોઝવેની સપાટી ભયજનક </span>6 <span lang="gu" xml:lang="gu">મીટરના સ્તરને વટાવીને </span>7.90 <span lang="gu" xml:lang="gu">મીટરે પહોંચતાં કોઝવે સંપૂર્ણ ઓવરફ્લો થયો છે. કોઝવેમાંથી તાપી નદીમાં </span>1,11,223 <span lang="gu" xml:lang="gu">ક્યુસેક પાણીનો આઉટફ્લો થતાં તાપી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને બંને કાંઠે વહી રહી છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">વલસાડમાં ઔરંગા નદી ભયજનક સપાટી વટાવ્યા બાદ હવે પૂરના પાણી ઓસરતાં જ શહેર અને ભગડા ખૂર્દને જોડતા પીચિંગ વિસ્તાર સહિતના નીચાણવાળા ભાગોમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. નદી કિનારે આવેલી ડમ્પિંગ સાઈટનો કચરો અને કાદવ પૂરના પાણી સાથે ઘસડાઈને રસ્તાઓ અને મકાનો સુધી પથરાઈ જતા ગંદકી ફેલાઈ છે. પરિસ્થિતિને થાળે પાડવા માટે વલસાડ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ અશિષ દેસાઈના જણાવ્યા મુજબ </span>3<span lang="gu" xml:lang="gu">-</span>4<span lang="gu" xml:lang="gu"> વિશેષ ટીમો બનાવીને સ્લમ એરિયા અને દાણા બજાર સહિતના વિસ્તારોમાં યુદ્ધધોરણે સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે. રોગચાળો ન ફેલાય તે માટે સ્થાનિકો પણ વહેલી તકે કાદવ-કચરો દૂર કરવાની માંગ કરી રહ્યા છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">નવસારી શહેરમાં પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે શાંતાદેવી રોડ વિસ્તારમાં </span>10<span lang="gu" xml:lang="gu">થી </span>12 <span lang="gu" xml:lang="gu">ફૂટ જેટલાં પાણી ભરાઈ જતાં એક બીમાર વ્યક્તિ અટવાયા હતા. ઘટનાની જાણ થતાં જ નવસારી ફાયર બ્રિગેડના જવાનોએ ત્વરિત બોટ મારફતે પૂરના પાણીમાં ઉતરીને દર્દીનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું. દર્દીને સલામત રીતે પૂર પ્રભાવિત વિસ્તારમાંથી બહાર કાઢીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ભરૂચ જિલ્લામાં બે દિવસથી વર્ષી રહેલા ભારે વરસાદના કારણે અનેક તાલુકાઓમાં વરસાદી પાણી ભરાઈ જતા સંપર્ક વિહોણા બન્યા છે. ત્યારે ભરૂચ શહેરના વોર્ડ નંબર </span>2<span lang="gu" xml:lang="gu">માં આવેલા કૌસરપાર્ક સોસાયટીમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ જતા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-08/rain1.jpg" alt="rain1" width="1280" height="720"></img>
gujaratsamachar.com

<p><span lang="gu" xml:lang="gu">ભારે વરસાદને કારણે નડિયાદમાં રસ્તાઓ પર પાણી ભરાયા છે. બોટાદ જિલ્લાના ગઢડા શહેર અને તાલુકા માટે સંજીવની સમાન રમાઘાટ ડેમ ચાલુ ચોમાસાની સીઝનમાં પ્રથમ વખત પૂર્ણ જળસપાટીએ પહોંચીને ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. આ ડેમ છલકાવાથી ગઢડા</span>, <span lang="gu" xml:lang="gu">માંડવધાર</span>, <span lang="gu" xml:lang="gu">અડતાળા</span>, <span lang="gu" xml:lang="gu">લાખણકા</span>, <span lang="gu" xml:lang="gu">તતાણા અને પીપળ સહિત આસપાસના ૧૫ જેટલા ગામોને પીવાના તેમજ સિંચાઈના પાણીનો સીધો લાભ મળશે. ડેમ ઓવરફ્લો થવાના સમાચાર મળતાં જ ખેડૂતો અને શહેરીજનોમાં ભારે આનંદ વ્યાપી ગયો છે અને મનોરમ્ય દ્રશ્યો નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ડેમ પર ઉમટી પડ્યા છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં વરસી રહેલા સતત વરસાદને કારણે નિલકા નદીમાં પાણીની આવકમાં મોટો વધારો થયો છે. જેના પગલે સુંદરીયાણા ગામે આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સુરક્ષા અને સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા આ માર્ગ પરથી વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. કોઝવે બંધ થઈ જતાં રસ્તો રોકાઈ ગયો છે</span>, <span lang="gu" xml:lang="gu">જેના કારણે સ્થાનિક ગ્રામજનો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">રાજકોટ શહેરમાં માત્ર બે ઇંચ વરસાદ વરસતા શહેરના પોપટપરા વિસ્તારમાં આવેલ ગરનાળામાં પાણી ભરાવવાની શરૂઆત થઇ ચુકી છે. ગરનાળામાં પાણી ભરાવાની સાથે જ ગરનાળું તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે અને પોલીસ તેમજ મનપા સ્ટાફને ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યો છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">બન્ને તરફથી ગરનાળું બંધ કરી દેવામાં આવતા રેલનગર</span>, <span lang="gu" xml:lang="gu">પોપટપરા</span>, <span lang="gu" xml:lang="gu">રેફ્યુજી કોલોની</span>, <span lang="gu" xml:lang="gu">રૂખડિયાપરા વિસ્તારના 50</span>,<span lang="gu" xml:lang="gu">000 જેટલા લોકોને અવરજવર કરવામાં અસર પહોંચી શકે છે અને તેઓને ફરીને એક તરફથી બીજી તરફ અવરજવર કરવી પડે છે. વર્ષો જૂની આ વિસ્તારની સમસ્યા છે અને નજીવા એકથી બે ઇંચ વરસાદમાં જ ગરનાળામાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.</span></p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/surendranagar-storm-hits-gujarat-water-level-rises-in-ukai-dam/article-179109</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/surendranagar-storm-hits-gujarat-water-level-rises-in-ukai-dam/article-179109</guid>
                <pubDate>Sat, 01 Aug 2026 13:01:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-08/lakhtar.jpg"                         length="161569"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Parimal Chaudhary]]></dc:creator>
                            </item>
            <item>
                <title>જામનગરમાં પત્નીએ જ પતિને સાઈનાઈડ આપી પતાવી દીધો, પછી ફેક્ટરીમાં દાટ્યો... બે વર્ષ પછી દીયરે...</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">જામનગરથી પ્રેમ</span>, <span lang="gu" xml:lang="gu">વિશ્વાસઘાત અને ષડયંત્રની એક ભયાનક કહાની સામે આવી છે</span>, <span lang="gu" xml:lang="gu">જેણે બધાને હેરાન કરી દીધા છે. પોતાના અનૈતિક સંબંધમાં આડે આતે પતિને ખતમ કરવા માટે</span> <span lang="gu" xml:lang="gu">પત્નીએ તેના પ્રેમી સાથે મળીને એક ભયાનક કાવતરું ઘડ્યું. પતિના દારૂમાં સાઈનાઈડ આપીને મારી નાખ્યો અને તેની ઓળખ છુપાવવા માટે</span> <span lang="gu" xml:lang="gu">તેના શરીરને ભાડાની ફેક્ટરીમાં </span>12<span lang="gu" xml:lang="gu"> થી </span>15<span lang="gu" xml:lang="gu"> ફૂટ ઊંડા ખાડામાં દાટી દેવામાં આવ્યું હતું.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-07/495.jpg" alt="49" width="1200" height="720" /></span></p>
<p><span lang="gu" xml:lang="gu">આરોપી મહિલા</span> <span lang="gu" xml:lang="gu">પૃથ્વી</span><span lang="gu" xml:lang="gu">નું</span> <span lang="gu" xml:lang="gu">નિલેશ મનસુખભાઈ કચેતિયા નામના પુરુષ સાથે પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતી. આ સંબંધ વચ્ચે તેનો પતિ</span> <span lang="gu" xml:lang="gu">જીગ્નેશ આડે આવતો હોય તેવું લાગી રહ્યું</span> <span lang="gu" xml:lang="gu">હતું. જીગ્નેશથી છૂટકારો મેળવવા માટે</span> <span lang="gu" xml:lang="gu">પૃથ્વી અને નિલેશે એક ભયંકર પ્લાન</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/cyanide-a-secret-affair-and-a-buried-skeleton-inside-jamnagars-chilling-murder-case/article-179087"><img src="https://www.khabarchhe.com/media/400/2026-07/474.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">જામનગરથી પ્રેમ</span>, <span lang="gu" xml:lang="gu">વિશ્વાસઘાત અને ષડયંત્રની એક ભયાનક કહાની સામે આવી છે</span>, <span lang="gu" xml:lang="gu">જેણે બધાને હેરાન કરી દીધા છે. પોતાના અનૈતિક સંબંધમાં આડે આતે પતિને ખતમ કરવા માટે</span> <span lang="gu" xml:lang="gu">પત્નીએ તેના પ્રેમી સાથે મળીને એક ભયાનક કાવતરું ઘડ્યું. પતિના દારૂમાં સાઈનાઈડ આપીને મારી નાખ્યો અને તેની ઓળખ છુપાવવા માટે</span> <span lang="gu" xml:lang="gu">તેના શરીરને ભાડાની ફેક્ટરીમાં </span>12<span lang="gu" xml:lang="gu"> થી </span>15<span lang="gu" xml:lang="gu"> ફૂટ ઊંડા ખાડામાં દાટી દેવામાં આવ્યું હતું.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-07/495.jpg" alt="49" width="1280" height="720"></img></span></p>
<p><span lang="gu" xml:lang="gu">આરોપી મહિલા</span> <span lang="gu" xml:lang="gu">પૃથ્વી</span><span lang="gu" xml:lang="gu">નું</span> <span lang="gu" xml:lang="gu">નિલેશ મનસુખભાઈ કચેતિયા નામના પુરુષ સાથે પ્રેમ સંબંધ ચાલી રહ્યો હતી. આ સંબંધ વચ્ચે તેનો પતિ</span> <span lang="gu" xml:lang="gu">જીગ્નેશ આડે આવતો હોય તેવું લાગી રહ્યું</span> <span lang="gu" xml:lang="gu">હતું. જીગ્નેશથી છૂટકારો મેળવવા માટે</span> <span lang="gu" xml:lang="gu">પૃથ્વી અને નિલેશે એક ભયંકર પ્લાન બનાવ્યો. તેમણે સાથે મળીને કપટથી જીગ્નેશને દારૂમાં સાઈનાઈડ ભેળવીને પીવડાવ્યો</span>, <span lang="gu" xml:lang="gu">જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઇ ગયું. ગુનો કર્યા પછી</span>, <span lang="gu" xml:lang="gu">તેમણે દરેડ વિસ્તારમાં ભાડાની ફેક્ટરી પસંદ કરી અને ત્યાં</span> 12<span lang="gu" xml:lang="gu"> થી </span>15<span lang="gu" xml:lang="gu"> ફૂટ ઊંડો ખાડો ખોદીને જીગ્નેશના મૃતદેહને દાટી દીધો.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-07/465.jpg" alt="46" width="1280" height="720"></img></span></p>
<p><span lang="gu" xml:lang="gu">હત્યા બાદ</span> <span lang="gu" xml:lang="gu">આરોપી પત્નીએ સાસરિયાઓને ગેરમાર્ગે દોરવા માટે એક બનાવટી કહાની બનાવી. જ્યારે પણ પરિવારના સભ્યો જીગ્નેશ વિશે પૂછતા</span> <span lang="gu" xml:lang="gu">ત્યારે પૃથ્વી દાવો કરતી કે તે કામ માટે ઓસ્ટ્રેલિયા ગયો છે. જ્યારે સંબંધીઓએ તેનો ફોન નંબર માંગ્યો</span>, <span lang="gu" xml:lang="gu">ત્યારે તેણે ખોટું બોલ્યું</span>, <span lang="gu" xml:lang="gu">કહ્યું કે જીગ્નેશ જ્યાં કામ કરે છે તે કંપનીમાં મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાની કે વાત કરવાની મંજૂરી નથી. આ બનાવટી કહાનીના આધારે</span> <span lang="gu" xml:lang="gu">ચાલાક મહિલા લગભગ બે વર્ષ સુધી તેના સાસરિયાઓને છેતરવામાં સફળ રહી.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-07/484.jpg" alt="48" width="1280" height="720"></img></span></p>
<p><span lang="gu" xml:lang="gu">આ ભયાનક ષડયંત્રનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે મૃતકના ભાઈ</span> <span lang="gu" xml:lang="gu">અશોક ધર્મેશભાઈ માવડિયાએ ઓસ્ટ્રેલિયા જવાનો પ્લાન બનાવ્યો. અશોકે પૃથ્વીને કહ્યું કે તે પોતે ઓસ્ટ્રેલિયા જઈ રહ્યો છે અને જીગ્નેશની કંપનીનું સરનામું પૂછ્યું. આના પર જ્યારે પૃથ્વીએ બહાના બનાવવાનું શરૂ કર્યું</span>, <span lang="gu" xml:lang="gu">ત્યારે અશોકને શંકા ગઈ. અશોકે કડક શબ્દોમાં કહ્યું કે તેને તેના પર શંકા છે અને તે પોલીસમાં ફરિયાદ નોંધાવવા જઈ રહ્યો છે. આ સાંભળીને પૃથ્વી ગભરાઈ ગઈ અને તેણે કબૂલાત કરી કે તેણે બે વર્ષ અગાઉ જીગ્નેશની હત્યા કરી નાખી હતી.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-07/506.jpg" alt="50" width="1280" height="720"></img></span></p>
<p><span lang="gu" xml:lang="gu">પોલીસે આરોપીને કસ્ટડીમાં લીધી અને તેના દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે</span> <span lang="gu" xml:lang="gu">ફોરેન્સિક નિષ્ણાતોની હાજરીમાં દરેડ વિસ્તારમાં એક ફેક્ટરીમાં ખોદકામ હાથ ધર્યું. જીગ્નેશના હાડપિંજરના અવશેષો આશરે </span>12 <span lang="gu" xml:lang="gu">થી </span>15 <span lang="gu" xml:lang="gu">ફૂટ ઊંડા ખાડામાંથી મળી આવ્યા. પોલીસે હત્યા અને પુરાવાનો નાશ કરવાની કલમો હેઠળ કેસ નોંધીને વધું કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.</span></p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/cyanide-a-secret-affair-and-a-buried-skeleton-inside-jamnagars-chilling-murder-case/article-179087</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/cyanide-a-secret-affair-and-a-buried-skeleton-inside-jamnagars-chilling-murder-case/article-179087</guid>
                <pubDate>Fri, 31 Jul 2026 21:15:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-07/474.jpg"                         length="81569"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Parimal Chaudhary]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ 5-5 લાખ પગાર આપ્યા, પતિના સાથી કર્મીને 6 ગણી સેલેરી ચૂકવી, ABVPના અનેક આરોપો</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી ગઇ છે. </span>ABVP <span lang="gu" xml:lang="gu">દ્વારા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે કે પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ યુનિવર્સિટીને નાણાકીય નુકસાન કરાવ્યું છે. નીરજા ગુપ્તાએ ચાર્જ સંભાળ્યા બાદ અનેક હંગામી કર્મચારીઓની હકાલપટ્ટી કરી પોતાના માનીતા અને તેમના પતિ સાથે કામ કરતા કર્મચારીઓને નોકરી પર રાખી અગાઉ કરતા </span>5<span lang="gu" xml:lang="gu">-</span>6<span lang="gu" xml:lang="gu"> ગણો પગાર ચૂકવ્યો છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, નીરજા ગુપ્તાએ </span>1<span lang="gu" xml:lang="gu"> જુલાઈ </span>2023<span lang="gu" xml:lang="gu">ના રોજ યુનિવર્સિટીના કુલપતિ તરીકેનો ચાર્જ સંભાળ્યો અને </span>30<span lang="gu" xml:lang="gu"> જૂન </span>2026<span lang="gu" xml:lang="gu">ના રોજ તેમની ટર્મ પૂર્ણ થઈ હતી. આ દરમિયાન તેમણે યુનિવર્સિટીની તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડ્યું હોવાની </span>ABVP<span lang="gu" xml:lang="gu">એ ફરિયાદ કરી છે. જેના મુજબ અગાઉ જે કર્મચારીઓના</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/gujarat-university-again-in-controversy-abvp-leveled-serious-allegations-against/article-179079"><img src="https://www.khabarchhe.com/media/400/2026-07/350.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી ગઇ છે. </span>ABVP <span lang="gu" xml:lang="gu">દ્વારા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે કે પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ યુનિવર્સિટીને નાણાકીય નુકસાન કરાવ્યું છે. નીરજા ગુપ્તાએ ચાર્જ સંભાળ્યા બાદ અનેક હંગામી કર્મચારીઓની હકાલપટ્ટી કરી પોતાના માનીતા અને તેમના પતિ સાથે કામ કરતા કર્મચારીઓને નોકરી પર રાખી અગાઉ કરતા </span>5<span lang="gu" xml:lang="gu">-</span>6<span lang="gu" xml:lang="gu"> ગણો પગાર ચૂકવ્યો છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, નીરજા ગુપ્તાએ </span>1<span lang="gu" xml:lang="gu"> જુલાઈ </span>2023<span lang="gu" xml:lang="gu">ના રોજ યુનિવર્સિટીના કુલપતિ તરીકેનો ચાર્જ સંભાળ્યો અને </span>30<span lang="gu" xml:lang="gu"> જૂન </span>2026<span lang="gu" xml:lang="gu">ના રોજ તેમની ટર્મ પૂર્ણ થઈ હતી. આ દરમિયાન તેમણે યુનિવર્સિટીની તિજોરીને કરોડોનું નુકસાન પહોંચાડ્યું હોવાની </span>ABVP<span lang="gu" xml:lang="gu">એ ફરિયાદ કરી છે. જેના મુજબ અગાઉ જે કર્મચારીઓના પગાર હતા તેના કરતા </span>5<span lang="gu" xml:lang="gu">-</span>6<span lang="gu" xml:lang="gu"> ગણા પગાર વધારા સાથે બહારથી કર્મચારીઓ લાવીને નિમણૂક કરવામાં આવી હતી. આ તમામ કર્મચારીઓને લાખો રૂપિયાના પગાર આપવામાં આવ્યા હતા. આ ફરિયાદને લઈને યુનિવર્સિટી દ્વારા તપાસ સમિતિ બનાવવામાં આવી છે.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-07/290.jpg" alt="ABVP" width="1280" height="720"></img>
divyabhaskar.co.in

<p>ABVP<span lang="gu" xml:lang="gu">એ આક્ષેપ કર્યો છે કે</span>, <span lang="gu" xml:lang="gu">પવન પંડિત યુનિવર્સિટીના કર્મચારી ન હોવા છતા સીધા જ ડિરેક્ટર બનાવી દેવામાં આવ્યા છે. પવન પંડિત પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાના </span>Ph.D<span lang="gu" xml:lang="gu">ના વિદ્યાર્થી હોવાને કારણે સત્તાનો દુરુપયોગ કરી તેની નિમણૂક કરી છે. ચંદ્રશેખર ઝા અને દિનેશકુમાર જેઓ નીરજા ગુપ્તાના પતિ અરૂણકુમાર સાથે </span>ONCG<span lang="gu" xml:lang="gu">માં હતા. નિવૃત્તિ બાદ નીરજા ગુપ્તા દ્વારા તેમની નિમણૂક કરવામાં આવી છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">સરકારની મંજૂરી વિના </span>UGC<span lang="gu" xml:lang="gu">ના નિયમો વિરૂદ્ધ ઓળખીતા લોકોને મહિને </span>5<span lang="gu" xml:lang="gu"> લાખના પગારે નોકરી રાખવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના કેટલાક લોકોની </span>IKS <span lang="gu" xml:lang="gu">વિભાગમાં પણ નિમણૂક કરવામાં આવી છે. નીરજા ગુપ્તાએ બેફામ કરેલી નિમણૂકના કારણે યુનિવર્સિટીને છેલ્લા </span>3<span lang="gu" xml:lang="gu"> વર્ષમાં </span>10.93<span lang="gu" xml:lang="gu"> કરોડનું આર્થિક ભારણ સહન કરવું પડ્યું છે.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-07/428.jpg" alt="nirja gupta" width="1280" height="720"></img>
instagram.com/gusec_india

<p>ABVP<span lang="gu" xml:lang="gu">ના નેતા ધ્રુમિલ અખાણીએ જણાવ્યું હતું કે</span>, ‘<span lang="gu" xml:lang="gu">અમે ગુજરાત યુનિવર્સિટીને લેખિતમાં ફરિયાદ કરી છે. આ મામલે નિષ્પક્ષ તપાસ કરી યુનિવર્સિટીને થયેલા નુકસાનની રિકવરી કરવાની માંગ કરવામાં આવી છે.</span>’ ABVP<span lang="gu" xml:lang="gu">ની ફરિયાદના પગલે નીરજા ગુપ્તા સામે યુનિવર્સિટી દ્વારા તપાસ સમિતિની રચવામાં આવી છે. આ તપાસ સમિતિમાં સિન્ડિકેટ સભ્ય હિરેન જાદવ</span>, IQA<span lang="gu" xml:lang="gu">ના ડિરેક્ટર પ્રોફેસર સી.જી. બ્રહ્મભટ્ટ અને સ્કૂલ ઓફ લોના હેડ પ્રોફેસર ભાવેશ ભરાડની નિમણૂક કરાઈ છે. આ સમિતિ ફરિયાદની તપાસ કરશે અને જો તેમાં તથ્ય જણાય તો ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ શકે છે અને યુનિવર્સિટીના કેટલાક અધિકારીઓની ધરપકડ થઈ શકે છે.</span></p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/gujarat-university-again-in-controversy-abvp-leveled-serious-allegations-against/article-179079</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/gujarat-university-again-in-controversy-abvp-leveled-serious-allegations-against/article-179079</guid>
                <pubDate>Fri, 31 Jul 2026 19:15:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-07/350.jpg"                         length="91385"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Parimal Chaudhary]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડની શરૂઆત, ખેડામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, સુરતમાં સ્થિતિ ખરાબ</title>
                                    <description><![CDATA[<p>22‘<span lang="gu" xml:lang="gu">રેડ એલર્ટ’ વચ્ચે રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે. સવારે </span>6:00 <span lang="gu" xml:lang="gu">થી </span>10:00<span lang="gu" xml:lang="gu"> વાગ્યા સુધીમાં </span>87<span lang="gu" xml:lang="gu"> તાલુકામાં વરસાદ નોંધાયો છે</span>, <span lang="gu" xml:lang="gu">જેમાં </span>8:00 <span lang="gu" xml:lang="gu">થી </span>10:00<span lang="gu" xml:lang="gu"> વાગ્યાની બે કલાકમાં સૌથી વધુ ખેડાના વસોમાં </span>5<span lang="gu" xml:lang="gu"> ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખેડા જિલ્લામાં 2 કલાકમાં સૌથી વધુ તો 4 કલાકમાં સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લામાં નોંધાયો છે</span><span lang="gu" xml:lang="gu">    </span><span lang="gu" xml:lang="gu">સુરત</span>, <span lang="gu" xml:lang="gu">વડોદરા</span>, <span lang="gu" xml:lang="gu">ભરૂચમાં પણ ભારે વરસાદથી રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. સુરતમાં ખાડીપૂરનું સંકટ મંડરાતા તંત્ર એલર્ટમોડ પર છે. </span></p>
<p><span lang="gu" xml:lang="gu">ગુજરાતમાં આજે અનેક જિલ્લાઓમાં </span><span lang="gu" xml:lang="gu">રેડ એલર્ટની </span><span lang="gu" xml:lang="gu">આગાહી કરવામાં આવી </span><span lang="gu" xml:lang="gu">છે</span><span lang="gu" xml:lang="gu"> અને થયું પણ એવું જ. આજે નર્મદા જિલ્લાથી એન્ટ્રી બાદ મેઘરાજાએ</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/red-alert-in-several-districts-as-new-round-of-rains/article-179096"><img src="https://www.khabarchhe.com/media/400/2026-07/919.jpg" alt=""></a><br /><p>22‘<span lang="gu" xml:lang="gu">રેડ એલર્ટ’ વચ્ચે રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે. સવારે </span>6:00 <span lang="gu" xml:lang="gu">થી </span>10:00<span lang="gu" xml:lang="gu"> વાગ્યા સુધીમાં </span>87<span lang="gu" xml:lang="gu"> તાલુકામાં વરસાદ નોંધાયો છે</span>, <span lang="gu" xml:lang="gu">જેમાં </span>8:00 <span lang="gu" xml:lang="gu">થી </span>10:00<span lang="gu" xml:lang="gu"> વાગ્યાની બે કલાકમાં સૌથી વધુ ખેડાના વસોમાં </span>5<span lang="gu" xml:lang="gu"> ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખેડા જિલ્લામાં 2 કલાકમાં સૌથી વધુ તો 4 કલાકમાં સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લામાં નોંધાયો છે</span><span lang="gu" xml:lang="gu">  </span><span lang="gu" xml:lang="gu">સુરત</span>, <span lang="gu" xml:lang="gu">વડોદરા</span>, <span lang="gu" xml:lang="gu">ભરૂચમાં પણ ભારે વરસાદથી રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. સુરતમાં ખાડીપૂરનું સંકટ મંડરાતા તંત્ર એલર્ટમોડ પર છે. </span></p>
<p><span lang="gu" xml:lang="gu">ગુજરાતમાં આજે અનેક જિલ્લાઓમાં </span><span lang="gu" xml:lang="gu">રેડ એલર્ટની </span><span lang="gu" xml:lang="gu">આગાહી કરવામાં આવી </span><span lang="gu" xml:lang="gu">છે</span><span lang="gu" xml:lang="gu"> અને થયું પણ એવું જ. આજે નર્મદા જિલ્લાથી એન્ટ્રી બાદ મેઘરાજાએ હવે ખેડા જિલ્લાનો વારો પાડી દીધો છે. આજે ધોધમાર વરસાદની આ આગાહીને પગલે તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે. બાળકોની સુરક્ષાને ધ્યાને રાખીને અમદાવાદ</span>, <span lang="gu" xml:lang="gu">વડોદરા અને સુરત સહિત </span>9<span lang="gu" xml:lang="gu"> જિલ્લાઓમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલી </span>'<span lang="gu" xml:lang="gu">વેધર વૉચ ગ્રુપ</span>'<span lang="gu" xml:lang="gu">ની બેઠકમાં તમામ વિભાગોને સાધનો અને ટીમો સાથે એલર્ટ રહેવા સૂચના અપાઈ છે.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-07/1417.jpg" alt="rain" width="653" height="1017"></img>
gujaratsamachar.com

<p><span lang="gu" xml:lang="gu">રાજ્યમાં </span>2<span lang="gu" xml:lang="gu"> ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આજે અમદાવાદ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા સહિત </span>13<span lang="gu" xml:lang="gu"> જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું ‘રેડ એલર્ટ’ જારી કરાયું છે. તો રાજકોટ</span>, <span lang="gu" xml:lang="gu">અમરેલી</span>, <span lang="gu" xml:lang="gu">સુરેન્દ્રનગર સહિત </span>7<span lang="gu" xml:lang="gu"> જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’ છે. જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ‘યલો એલર્ટ’ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ</span>, <span lang="gu" xml:lang="gu">રાજ્યભરમાં વહેલી સવારથી મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વસોમાં </span>2<span lang="gu" xml:lang="gu"> કલાકમાં </span>5<span lang="gu" xml:lang="gu"> ઇંચ</span>, <span lang="gu" xml:lang="gu">બાલાસિનોરમાં </span>2<span lang="gu" xml:lang="gu"> કલાકમાં પોણા </span>3<span lang="gu" xml:lang="gu"> ઇંચ અને નડિયાદમાં </span>1<span lang="gu" xml:lang="gu"> ઇંચથી વધુ વરસાદ ખાબકતાં માર્ગો પર નદીઓ જેવા પ્રવાહ વહેતા થયા છે. વડોદરા</span>, <span lang="gu" xml:lang="gu">ભરૂચ</span>, <span lang="gu" xml:lang="gu">ખેડા અને છોટાઉદેપુરની હેરણ નદીમાં ઘોડાપૂર આવ્યા છે</span>, <span lang="gu" xml:lang="gu">જેના લીધે રાજવાસણાનો રબર ડેમ ગરકાવ થયો છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">સુરત શહેર અને જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા </span>'<span lang="gu" xml:lang="gu">રેડ એલર્ટ</span>'<span lang="gu" xml:lang="gu">ની આગાહીને પગલે જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. સાવચેતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોમાં </span>NDRF <span lang="gu" xml:lang="gu">અને </span>SDRF<span lang="gu" xml:lang="gu">ની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. કલેક્ટર તેજસ પરમારના જણાવ્યા અનુસાર</span>, <span lang="gu" xml:lang="gu">અસરગ્રસ્ત અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરાઈ છે. બપોર પછી વરસાદની તીવ્રતા વધવાની શક્યતા હોવાથી નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-07/1318.jpg" alt="rain" width="643" height="1028"></img>
gujaratsamachar.com

<p><span lang="gu" xml:lang="gu">સુરતના અલગ-અલગ વિસ્તારોમાં અચાનક ધોધમાર વરસાદ શરૂ થતાં શહેરના નીચાણવાળા ભાગોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને સુરતનું સૂર્યપુર ગરનાળુ વરસાદી પાણીથી ભરાવા લાગતાં ત્યાંથી પસાર થતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ગરનાળામાં પાણીનું સ્તર વધવાને કારણે અનેક વાહનો અટવાઈ ગયા છે</span>, <span lang="gu" xml:lang="gu">જેના લીધે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">સુરતમાં ખાડીઓનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચતાં પૂરનું સંકટ ઘેરાયું છે. કતારગામ</span>, <span lang="gu" xml:lang="gu">સૂર્યપુર ગરનાળા અને પોદાર આર્કેડ રોડ પર ગોઠણડૂબ પાણી ભરાતાં વાહનવ્યવહાર ખોરવાયો છે. કતારગામમાં ખુલ્લી ગટર અને </span>SMC <span lang="gu" xml:lang="gu">કર્મચારીઓની બેદરકારી સામે આવતાં લોકોમાં રોષ ફેલાયો છે. બીજી તરફ</span>, <span lang="gu" xml:lang="gu">નર્મદાના તિલકવાડામાં </span>SDRF<span lang="gu" xml:lang="gu">ની ટીમે પૂરના પાણીમાં ફસાયેલા યુવકનું રેસ્ક્યૂ કર્યું છે</span>, <span lang="gu" xml:lang="gu">તો રાજપીપળા-સિસોદરા માર્ગ ધોવાઈ જતાં બંધ કરાયો છે. રાજ્યભરમાં </span>SEOC <span lang="gu" xml:lang="gu">દ્વારા </span>24×7<span lang="gu" xml:lang="gu"> સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">વરસાદનું જોર એટલું વધારે છે કે સૂર્યપુર ગરનાળાથી લઈને પોદાર આર્કેડ સુધીનો આખો રોડ જાણે નદીમાં ફેરવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રસ્તાઓ પર ગોઠણડૂબ પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહાર ખોરવાયો છે. રસ્તા પર જળબંબાકારની સ્થિતિ સર્જાતાં જ જગ્યાએ જગ્યાએ લાંબો ટ્રાફિકજામ થઈ ગયો છે અને વાહનચાલકો અટવાઈ પડ્યા છે.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-07/919.jpg" alt="rain" width="1280" height="720"></img>
gujarati.news18.com

<p><span lang="gu" xml:lang="gu">સુરતના કતારગામ વિસ્તારમાં સુરત મહાનગરપાલિકા (</span>SMC)<span lang="gu" xml:lang="gu">ની મોટી બેદરકારી સામે આવી છે. રોડ પર ભરાયેલા વરસાદી પાણીના નિકાલ માટે ગટરનું ઢાંકણું ખોલી દેવાયું છે</span>, <span lang="gu" xml:lang="gu">જ્યાં પાણીનું ભમરી જેવું જોખમી વહેણ સર્જાયું છે. આ ખુલ્લી ગટર પાસે કોઈ પણ પ્રકારનું બેરિકેડિંગ કે આડશ ન મૂકાતાં અકસ્માતનો મોટો ખતરો ઊભો થયો છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">બીજી તરફ</span>, <span lang="gu" xml:lang="gu">વિસ્તારમાં ધોધમાર વરસાદ ચાલુ રહેતાં ઉમિયા પરોઠા હાઉસ સહિતની દુકાનોના દરવાજા સુધી પાણી પહોંચી ગયાં છે અને વેપારીઓનાં દુકાનોમાં પાણી ઘૂસી જવાનો ભય મંડરાઈ રહ્યો છે. સ્થાનિકોને આ માર્ગ પરથી અત્યંત સંભાળીને પસાર થવા અપીલ કરાઈ છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">સુરતમાં કતારગામ અને કતારગામ દરવાજા વિસ્તારમાં પાણી ભરાવાનું શરૂ થઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે આપત્તિ વ્યવસ્થાપન માટે આરોગ્ય મંત્રીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓફિસ પહોંચી કલેક્ટર સાથે સ્થિતિની સમીક્ષા કરી હતી. એક તરફ તંત્ર દ્વારા તમામ આગોતરી તૈયારીઓનો દાવો કરાઈ રહ્યો છે</span>, <span lang="gu" xml:lang="gu">ત્યારે બીજી તરફ પાણી ભરાયેલી જગ્યાથી માત્ર </span>500<span lang="gu" xml:lang="gu"> મીટર દૂર </span>SMC<span lang="gu" xml:lang="gu">ના કર્મચારીઓ બ્રિજ નીચે પલળવાથી બચવા ઊભા રહીને વાતોમાં મગ્ન દેખાતાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. સુરતીઓને ફરીથી પૂરનો સામનો ન કરવો પડે તે માટે પાલિકા તંત્ર કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ગૌચરીયા ગામે પાણીના તેજ પ્રવાહમાં ફસાયેલી એક વ્યક્તિને </span>SDRF<span lang="gu" xml:lang="gu">ની ટીમે સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી બચાવી લીધી છે.બીજી તરફ</span>, <span lang="gu" xml:lang="gu">ભારે વરસાદને કારણે રાજપીપળા-સિસોદરા માર્ગ પર આવેલા ડાયવર્ઝન પર પાણી ઓવરટોપિંગ થતાં સુરક્ષાના ભાગરૂપે વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે. જિલ્લા તંત્ર દ્વારા નાગરિકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અને પાણી ભરાયેલા રસ્તા પર સાહસ ન કરવા ખાસ અપીલ કરાઈ છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">છોટાઉદેપુર જિલ્લામાં મોડી રાતથી વરસેલા મુશળધાર વરસાદ અને ઉપરવાસની ભારે આવકના કારણે જિલ્લાની બીજી સૌથી મોટી હેરણ નદી બે કાંઠે વહી રહી છે. નદીમાં ભારે ઘોડાપૂર આવવાના કારણે રાજવાસણા ખાતે નવો બનાવવામાં આવેલો રબર ડેમ પણ પાણીમાં ગરકાવ થઈને ઓવરફ્લો થયો છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગણદેવા ગામ નજીક પસાર થઈ રહેલો એક ટેમ્પો અકસ્માતે વીજળીના વાયર સાથે અડી જતાં ટેમ્પોમાં સવાર મજૂરોને વીજકરંટ લાગતાં 3ના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા 2 મજૂરોને સારવાર અર્થે ખારેલ હોસ્પિટલ ખસેડાયા છે, જ્યારે વધુ એક ગંભીર દર્દીને સુરત રિફર કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ ગણદેવી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. આ દુઃખદ ઘટનાને પગલે કેન્દ્રીય મંત્રી નરેશ પટેલ સહિતના સ્થાનિક આગેવાનો પણ સ્થિતિની સમીક્ષા માટે ગણદેવા જવા રવાના થયા હતા.</span></p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/red-alert-in-several-districts-as-new-round-of-rains/article-179096</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/red-alert-in-several-districts-as-new-round-of-rains/article-179096</guid>
                <pubDate>Fri, 31 Jul 2026 12:04:47 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-07/919.jpg"                         length="82038"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Parimal Chaudhary]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ગુજરાત માથે એક સાથે 4 સિસ્ટમ સક્રિય, ભારે વરસાદની આગાહી છે, જાણો અંબાલાલ પટેલે શું કહે છે</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">થોડા દિવસ અગાઉ મેઘરાજાએ ગુજરાતને ધમરોળ્યું. સુરત, નવસારી, વલસાડ સહિત રાજ્યના અનેક ભાગોમાથી પૂરની તબાહીના દૃશ્યો સામે આવ્યા હતા. જોકે અત્યારે મેઘાએ વિરામ લીધો છે, પરંતુ હવે ગુજરાતના માથે એક સાથે વરસાદની 4 સિસ્ટમ સક્રિય થતા આજથી ફરી વરસાદી માહોલ જામશે. રાજ્યમાં એકસાથે જે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે</span>, <span lang="gu" xml:lang="gu">તેમાં </span>1. <span lang="gu" xml:lang="gu">ડીપ ડિપ્રેશન</span>, 2. <span lang="gu" xml:lang="gu">મોનસૂન ટ્રફ</span>, 3. <span lang="gu" xml:lang="gu">અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને </span>4. <span lang="gu" xml:lang="gu">વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો સમાવેશ થાય છે. જેથી આગામી </span>6<span lang="gu" xml:lang="gu"> દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિસ્ટમને કારણે આજથી વરસાદનું જોર વધશે. ડીપ ડિપ્રેશનની અસરના કારણે પણ વરસાદી સિસ્ટમ મજબૂત બની છે. </span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/meghraja-will-shake-gujarat-again-4-systems-will-be-activated/article-179085"><img src="https://www.khabarchhe.com/media/400/2026-07/3411.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">થોડા દિવસ અગાઉ મેઘરાજાએ ગુજરાતને ધમરોળ્યું. સુરત, નવસારી, વલસાડ સહિત રાજ્યના અનેક ભાગોમાથી પૂરની તબાહીના દૃશ્યો સામે આવ્યા હતા. જોકે અત્યારે મેઘાએ વિરામ લીધો છે, પરંતુ હવે ગુજરાતના માથે એક સાથે વરસાદની 4 સિસ્ટમ સક્રિય થતા આજથી ફરી વરસાદી માહોલ જામશે. રાજ્યમાં એકસાથે જે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય છે</span>, <span lang="gu" xml:lang="gu">તેમાં </span>1. <span lang="gu" xml:lang="gu">ડીપ ડિપ્રેશન</span>, 2. <span lang="gu" xml:lang="gu">મોનસૂન ટ્રફ</span>, 3. <span lang="gu" xml:lang="gu">અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને </span>4. <span lang="gu" xml:lang="gu">વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો સમાવેશ થાય છે. જેથી આગામી </span>6<span lang="gu" xml:lang="gu"> દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિસ્ટમને કારણે આજથી વરસાદનું જોર વધશે. ડીપ ડિપ્રેશનની અસરના કારણે પણ વરસાદી સિસ્ટમ મજબૂત બની છે. </span></p>
<p><span lang="gu" xml:lang="gu">દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, આજે  દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની આગાહી છે</span>, <span lang="gu" xml:lang="gu"> હવામાન વિભાગ દ્વારા આજે સુરત સહિત </span>7<span lang="gu" xml:lang="gu"> જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાત</span>, <span lang="gu" xml:lang="gu">મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી </span>3<span lang="gu" xml:lang="gu"> કલાક (બપોરે </span>1<span lang="gu" xml:lang="gu"> વાગ્યા સુધી) પંચમહાલ</span>, <span lang="gu" xml:lang="gu">છોટાઉદેપુર</span>, <span lang="gu" xml:lang="gu">વડોદરા</span>, <span lang="gu" xml:lang="gu">નર્મદા અને દાહોદ જિલ્લામાં </span>40<span lang="gu" xml:lang="gu"> કિમીની ઝડપે પવન અને વીજળી સાથે મધ્યમ વરસાદની (</span>5<span lang="gu" xml:lang="gu">થી </span>15<span lang="gu" xml:lang="gu"> મિમી/કલાક) શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે અમદાવાદ</span>, <span lang="gu" xml:lang="gu">ગાંધીનગર</span>, <span lang="gu" xml:lang="gu">સુરત અને આણંદ સહિતના જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના સાથે યલો વોચ રખાઈ છે. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને ટ્રાફિકજામની શક્યતા હોવાથી તંત્ર દ્વારા નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા તેમજ જર્જરિત મકાનો કે ઝાડ નીચે ઊભા ન રહેવા એડવાઈઝરી અપાઈ છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">જ્યારે </span>31<span lang="gu" xml:lang="gu"> જુલાઈના રોજ અમદાવાદ</span>, <span lang="gu" xml:lang="gu">આણંદ</span>, <span lang="gu" xml:lang="gu">વડોદરા</span>, <span lang="gu" xml:lang="gu">ભરૂચ</span>, <span lang="gu" xml:lang="gu">નર્મદા</span>, <span lang="gu" xml:lang="gu">સુરત</span>, <span lang="gu" xml:lang="gu">તાપી અને ડાંગ જિલ્લામાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.  </span>31<span lang="gu" xml:lang="gu"> જુલાઈએ વડોદરામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી. જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ તમામને સુરક્ષિત રહેવા અપીલ કરી છે. આજે </span>30<span lang="gu" xml:lang="gu"> જુલાઈએ જ મોડી રાતથી વડોદરા શહેર-જિલ્લા પર વરસાદનું સંકટ છે. આ ઉપરાંત </span>1<span lang="gu" xml:lang="gu"> ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સાથે મુસળધાર વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">હવામાન વિભાગના ડિરેક્ટર ડૉ. એ.કે દાસના જણાવ્યા મુજબ</span>, <span lang="gu" xml:lang="gu">રાજ્યમાં વીજળીના કડાકા-ભડાકા સાથે થંડરસ્ટોર્મની વોર્નિંગ </span>1<span lang="gu" xml:lang="gu"> ઓગસ્ટ સુધી આપવામાં આવી છે. દરિયાઈ વિસ્તારમાં પવનની દિશા દક્ષિણ-પશ્ચિમ દિશા તરફ રહેશે અને તીવ્ર પ્રેશર ગ્રેડિયન્ટના કારણે મજબૂત પવનની સ્થિતિ રહેશે</span>, <span lang="gu" xml:lang="gu">જેમાં પવનની ગતિ </span>20<span lang="gu" xml:lang="gu">થી </span>25<span lang="gu" xml:lang="gu"> નોટ્સ રહેશે. ભારે પવનની સંભાવનાથી </span>1<span lang="gu" xml:lang="gu"> ઓગસ્ટ સુધી માછીમારો માટે વોર્નિંગ જારી કરાઈ છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-07/3213.jpg" alt="32" width="1280" height="720"></img></span></p>
<p><span lang="gu" xml:lang="gu">ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (</span>SEOC) <span lang="gu" xml:lang="gu">ખાતે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાના અગ્રસ્થાને </span>'<span lang="gu" xml:lang="gu">વેધર વૉચ ગ્રુપ</span>'<span lang="gu" xml:lang="gu">ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યમાં વરસાદી પરિસ્થિતિ અને આપત્તિ વ્યવસ્થાપન માટે વહીવટી તંત્રની તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. રાહત કમિશનરે તમામ સંકલિત વિભાગોને સાધનો તથા ટીમોનું મેપિંગ કરી તુરંત એક્શન મોડમાં રહેવા</span>, <span lang="gu" xml:lang="gu">માર્ગ-મકાન વિભાગને જર્જરિત મકાનો અને હોર્ડિંગ્સ હટાવવા તેમજ કાચા મકાનો અને ઝૂંપડપટ્ટીમાં રહેતા નીચલા સ્તરના લોકો સુધી આપત્તિના સંદેશા સમયસર પહોંચાડી એક્સ્ટ્રા કેર લેવા આદેશ આપ્યા હતા.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">બેઠક દરમિયાન રાહત કમિશનરે જણાવ્યું હતું કે રાજ્યમાં વિષમ વરસાદી પેટર્ન જોવા મળી રહી છે</span>, <span lang="gu" xml:lang="gu">જ્યાં વલસાડ-નવસારીમાં </span>100<span lang="gu" xml:lang="gu"> ટકા જેટલો વરસાદ નોંધાયો છે અને ધોળકામાં ટૂંકા સમયમાં </span>20<span lang="gu" xml:lang="gu"> ઈંચ જેટલો અભૂતપૂર્વ વરસાદ પડ્યો છે. આવી પરિસ્થિતિને ધ્યાને રાખીને તમામ કલેક્ટરો અને આપત્તિ વ્યવસ્થાપન ટીમોને હાઈ એલર્ટ કરાયા છે. સુરક્ષા દળોના સંકલનથી દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ પહેલાં અગાઉથી અંદાજે </span>53,600<span lang="gu" xml:lang="gu">થી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે તથા પૂરના પાણીમાં ફસાયેલા </span>9,600<span lang="gu" xml:lang="gu">થી વધુ લોકોને સફળતાપૂર્વક ઉગારી લેવામાં આવ્યા છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">મુંબઈ સમાચારના અહેવાલ મુજબ</span>,<span lang="gu" xml:lang="gu"> અંબાલાલ પટેલે 30 જુલાઈથી ઓગસ્ટ મહિનાના પ્રથમ સપ્તાહ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી હતી. અંબાલાલ પટેલે જણાવ્યું કે</span>, <span lang="gu" xml:lang="gu">બંગાળની ખાડીમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈને ગુજરાત તરફ આવી રહી છે. જેના કારણે 30 જુલાઈની રાતથી વરસાદની શરૂઆત થશે અને 31 જુલાઈ તથા 1 ઓગસ્ટ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તોરમાં ભારે વરસાદ પડશે.  આ ઉપરાંત 3 ઓગસ્ટથી 13-14 ઑગસ્ટ સુધી પણ તબક્કાવાર વરસાદી રાઉન્ડ ચાલુ રહેવાની હવામાન નિષ્ણાંતે આગાહી કરી છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">અંબાલાલ પટેલ મુજબ</span>, <span lang="gu" xml:lang="gu">મધ્ય ગુજરાતમાં વડોદરા</span>, <span lang="gu" xml:lang="gu">આણંદ</span>, <span lang="gu" xml:lang="gu">નડિયાદ</span>, <span lang="gu" xml:lang="gu">પંચમહાલ</span>, <span lang="gu" xml:lang="gu">દાહોદ અને છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.. કેટલાક વિસ્તારોમાં 4 થી 10 ઇંચ</span>, <span lang="gu" xml:lang="gu">જ્યારે છૂટાછવાયા વિસ્તારોમાં 15-20 ઇંચ સુધીનો  વરસાદ ખાબકી શકે છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી</span>, <span lang="gu" xml:lang="gu">આહવા અને વલસાડના વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ સાથે પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મહેસાણા</span>, <span lang="gu" xml:lang="gu">બનાસકાંઠા</span>, <span lang="gu" xml:lang="gu">પાટણ</span>, <span lang="gu" xml:lang="gu">રાધનપુર</span>, <span lang="gu" xml:lang="gu">કડી</span>, <span lang="gu" xml:lang="gu">કલોલ</span>, <span lang="gu" xml:lang="gu">સાબરકાંઠા અને અરવલ્લી તેમજ સુરેન્દ્રનગર</span>, <span lang="gu" xml:lang="gu">મોરબી</span>, <span lang="gu" xml:lang="gu">રાજકોટ</span>, <span lang="gu" xml:lang="gu">જામનગર અને કચ્છના ભાગોમાં પણ હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડશે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-07/3311.jpg" alt="33" width="1280" height="720"></img></span></p>
<p><span lang="gu" xml:lang="gu">આ ઉપરાંત અંબાલાલે ખેડૂતોને સાવચેત કરતા જણાવ્યું કે ખેતરોમાં પાણી ભરાઈ રહેવાથી કપાસ જેવા પાકોમાં સુકારો આવવાની શક્યતા છે</span>, <span lang="gu" xml:lang="gu">તેથી ખેડૂતોને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. 3 ઓગસ્ટથી </span>'<span lang="gu" xml:lang="gu">આશ્લેષા</span>' <span lang="gu" xml:lang="gu">નક્ષત્ર શરૂ થઈ રહ્યું છે. આ નક્ષત્રનું પાણી ખેતી માટે ખાસ અનુકૂળ ગણાતું નથી. પરંતુ ભાલ વિસ્તારના સુકા ઘઉંના પાક માટે જમીનમાં ભેજ સંગ્રહવા માટે આ પાણી ફાયદાકારક સાબિત થશે. 17 ઓગસ્ટ પછી શરૂ થતું </span>'<span lang="gu" xml:lang="gu">મઘા</span>' <span lang="gu" xml:lang="gu">નક્ષત્રનું પાણી ખેતી અને જળ સંગ્રહ માટે ઉત્તમ માનવામાં આવે છે. </span></p>
<p><span lang="gu" xml:lang="gu">ઉલ્લેખનીય છે કે છેલ્લા </span>24<span lang="gu" xml:lang="gu"> કલાકમાં </span>50<span lang="gu" xml:lang="gu"> તાલુકામાં </span>1<span lang="gu" xml:lang="gu"> મિમીથી લઈને દોઢ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ દાહોદના સંજેલીમાં </span>1.38<span lang="gu" xml:lang="gu"> ઇંચ</span>, <span lang="gu" xml:lang="gu">સિંગવડમાં </span>1.06<span lang="gu" xml:lang="gu"> અને મહીસાગરના લુણાવાડામાં પણ એક ઈંચ વરસાદ નોંધાયો છે. ધોલેરા પંથકમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી ચારે તરફ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.</span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">રાજ્યમાં સીઝનનો 55.22 % વરસાદ</span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">રાજ્યમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત 78.49%માં નોંધાયો છે, જ્યારે મધ્ય-પૂર્વ ગુજરાતમાં 47.86%, સૌરાષ્ટ્રમાં 43.98%, ઉત્તર ગુજરાતમાં 42.18%, અને રાજ્યમાં સૌથી ઓછે વરસાદ 19.05% કચ્છમાં વરસાદ નોંધાયો છે.</span></p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/meghraja-will-shake-gujarat-again-4-systems-will-be-activated/article-179085</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/meghraja-will-shake-gujarat-again-4-systems-will-be-activated/article-179085</guid>
                <pubDate>Thu, 30 Jul 2026 15:00:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-07/3411.jpg"                         length="122094"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Parimal Chaudhary]]></dc:creator>
                            </item>
            <item>
                <title>સુરત પોલીસ કીર્તિ પટેલને સુરેન્દ્રનગરથી ઉપાડી ગઈ, આ વખતે આરોપ ગંભીર છે, જોઈએ કેટલા દિવસ જેલમાં રહે છે</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">પોતાના વિવાદિત નિવેદનો અને સોશિયલ મીડિયા પોસ્ટને કારણે હંમેશા ચર્ચામાં રહેતી સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ ફરી એકવાર કાયદાના સકંજામાં આવી છે. સુરતની પુણા પોલીસે સોશિયલ મીડિયા પર પરિવારની ભયંકર બદનક્ષી કરવા અને ધમકી આપવાના ગુનામાં કીર્તિ પટેલની સુરેન્દ્રનગરથી ધરપકડ કરી છે. ભાવનગરના વેપારી અને મહિલા સરપંચના પતિ રાજુ ભમ્મરે કીર્તિ પટેલ તથા ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, </span>12<span lang="gu" xml:lang="gu"> જુલાઈના રોજ નોંધાયેલી ફરિયાદ પ્રમાણે</span> <span lang="gu" xml:lang="gu">ફરિયાદી રાજુભાઈ ભમ્મરે જણાવ્યું હતું કે</span>, <span lang="gu" xml:lang="gu">તેઓ અગાઉ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતી નયના બારૈયા સાથે આશરે </span>21<span lang="gu" xml:lang="gu"> મહિના સુધી લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા હતા. આ</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/surat-police-arrested-controversial-social-media-influencer-kirti-patel-from/article-179082"><img src="https://www.khabarchhe.com/media/400/2026-07/2219.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">પોતાના વિવાદિત નિવેદનો અને સોશિયલ મીડિયા પોસ્ટને કારણે હંમેશા ચર્ચામાં રહેતી સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ ફરી એકવાર કાયદાના સકંજામાં આવી છે. સુરતની પુણા પોલીસે સોશિયલ મીડિયા પર પરિવારની ભયંકર બદનક્ષી કરવા અને ધમકી આપવાના ગુનામાં કીર્તિ પટેલની સુરેન્દ્રનગરથી ધરપકડ કરી છે. ભાવનગરના વેપારી અને મહિલા સરપંચના પતિ રાજુ ભમ્મરે કીર્તિ પટેલ તથા ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાવ્યો હતો.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, </span>12<span lang="gu" xml:lang="gu"> જુલાઈના રોજ નોંધાયેલી ફરિયાદ પ્રમાણે</span> <span lang="gu" xml:lang="gu">ફરિયાદી રાજુભાઈ ભમ્મરે જણાવ્યું હતું કે</span>, <span lang="gu" xml:lang="gu">તેઓ અગાઉ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતી નયના બારૈયા સાથે આશરે </span>21<span lang="gu" xml:lang="gu"> મહિના સુધી લિવ-ઇન રિલેશનશિપમાં રહ્યા હતા. આ સંબંધ પૂરો થયા બાદ</span>, <span lang="gu" xml:lang="gu">નયના બારૈયાની ઉશ્કેરણી અને કહેવાથી જ કીર્તિ પટેલે રાજુભાઈ અને તેમના પરિવાર વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ઝેર ઓકવાનું અને બદનામ કરવાનું પૂર્વયોજિત ષડયંત્ર રચ્યું હતું.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ગત </span>5<span lang="gu" xml:lang="gu"> જૂન</span>, 2026<span lang="gu" xml:lang="gu">ના રોજ કીર્તિ પટેલે રાજુભાઈના મોબાઈલ પર વ્હોટ્સએપ કોલ કરીને તેમની પત્ની (જેઓ ગામના સરપંચ છે) ને તેમના જ સગા ભાઈ સાથે અનૈતિક સંબંધ હોવાના ગંભીર અને ખોટા આક્ષેપો કર્યા હતા. આ સાથે જ કીર્તિ પટેલે ફોન પર એવી ધમકી આપી કે હું તને જોઈ લઈશ. તેમજ અત્યંત અભદ્ર અને ન બોલવાના અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-07/2416.jpg" alt="kirti patel" width="1280" height="720"></img>
bhaskarenglish.in

<p><span lang="gu" xml:lang="gu">ફોન પર ધમકી આપ્યા બાદ કીર્તિ પટેલે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ </span>ID 'KIRTI NI MOJ5143' <span lang="gu" xml:lang="gu">પરથી અવારનવાર વીડિયો અને રીલ્સ અપલોડ કર્યા હતા. જેમાં રાજુભાઈના ઘર અને પરિવાર વિશે અભદ્ર વાતો ફેલાવી પત્ની અને ભાઈના ચરિત્ર પર જાહેરમાં કાદવ ઉછાળ્યો હતો. આ જાહેર પ્લેટફોર્મ પર વીડિયો મૂકીને સમગ્ર પરિવારની સામાજિક પ્રતિષ્ઠાને ધૂળધાણી કરવાનો પ્રયાસ કરાયો હતો.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">વાયરલ વીડિયોમાં કીર્તિ પટેલે એવા પણ ગંભીર આક્ષેપો કર્યા હતા કે</span>, <span lang="gu" xml:lang="gu">રાજુએ </span>250<span lang="gu" xml:lang="gu"> છોકરીઓની જિંદગી બગાડી છે અને તેનું સમર્થન કરનારા લોકોની મા-બહેનો વિશે પણ આપત્તિજનક ટિપ્પણીઓ કરી હતી. આ ઉપરાંત</span>, <span lang="gu" xml:lang="gu">જ્યાં તું સામે મળીશ ત્યાં નયના તારા કપડાંનું બિલ આપશે અને તારે એમજ ઘરે જવું પડશે જેવી ધમકીઓ આપીને આર્થિક બાબતો તેમજ ખંડણી અંગે પણ ખોટા કથનો કર્યા હતા.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">સૌથી ચોંકાવનારી વાત એ છે કે</span>, <span lang="gu" xml:lang="gu">કીર્તિ પટેલે અપલોડ કરેલા આ બદનક્ષીકારક અને અપમાનજનક વીડિયોને કાયદાની રક્ષક ગણાતી મહિલા પોલીસ કર્મચારી નયના બારૈયાએ પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી </span>'naina paliwal 0005' <span lang="gu" xml:lang="gu">પર સ્ટોરી અને સ્ટેટસમાં શેર કરીને આ ગુનાહિત કૃત્યમાં પૂરેપૂરો સાથ આપ્યો હતો. આ મામલે પુણા પોલીસ દ્વારા કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે જ્યારે આરોપી નયનાની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-07/2122.jpg" alt="21" width="1280" height="720"></img></span></p>
<p><span lang="gu" xml:lang="gu">આ મામલે </span>DCP<span lang="gu" xml:lang="gu"> આલોક કુમારે જણાવ્યું કે</span>, <span lang="gu" xml:lang="gu"> સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં </span>BNS<span lang="gu" xml:lang="gu">ની ધારા </span>296(b) (<span lang="gu" xml:lang="gu">અશ્લીલ શબ્દોનો ઉપયોગ)</span>, <span lang="gu" xml:lang="gu">એક્સ્ટોર્શન</span>, <span lang="gu" xml:lang="gu">માનહાનિ</span>, <span lang="gu" xml:lang="gu">ગુનાહિત ધમકી અને ગુનાહિત ષડયંત્ર સહિત </span>IT <span lang="gu" xml:lang="gu">એક્ટની કલમ </span>67<span lang="gu" xml:lang="gu"> હેઠળ એક ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં કીર્તિ પટેલ અને નયના બારૈયા સામેલ છે. આરોપી કીર્તિ પટેલે નયના બારૈયા સાથે મળીને </span>₹12<span lang="gu" xml:lang="gu"> લાખ લઈને રેપની ફરિયાદમાં સેટલમેન્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત</span>, <span lang="gu" xml:lang="gu">ફરિયાદી રાજુ ભુવા ભમ્મર પાસેથી અલગ-અલગ સમયે દોઢ વર્ષના ગાળામાં કુલ </span>₹3<span lang="gu" xml:lang="gu"> કરોડ </span>12<span lang="gu" xml:lang="gu"> લાખ પડાવી લેવામાં આવ્યા છે. તપાસ બાદ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરીને કેસમાં રંગદારીની કલમ ઉમેરવામાં આવી હતી અને બંને આરોપીઓને નોટિસ પાઠવાઈ હતી. ત્યારબાદ જૂનાગઢ તરફથી કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે</span>, <span lang="gu" xml:lang="gu">જેને કોર્ટ સમક્ષ રજૂ કરીને રિમાન્ડ મેળવવાની કામગીરી કરાશે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">આરોપીના ગુનાહિત ઇતિહાસ અંગે વાત કરતા </span>DCP<span lang="gu" xml:lang="gu">એ જણાવ્યું કે</span>, <span lang="gu" xml:lang="gu">કીર્તિ પટેલ સામે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં પણ અગાઉ તોડ-એક્સટોર્શનનો ગુનો નોંધાયેલો છે. તે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર તરીકે ખોટા મેસેજ અને વીડિયો વાયરલ કરતી હોવાથી</span>, <span lang="gu" xml:lang="gu">કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત ઇન્સ્ટાગ્રામ દ્વારા તેનું એકાઉન્ટ ડીએક્ટિવેટ કરવામાં આવ્યું છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">નવા એકાઉન્ટ અને ધમકીના પ્રશ્ન અંગે તેમણે સ્પષ્ટ કર્યું કે</span>, <span lang="gu" xml:lang="gu">મહિલા </span>PSI <span lang="gu" xml:lang="gu">દ્વારા આ અંગે તપાસ ચાલી રહી છે. સામાન્ય રીતે વીડિયો બનાવવો એ ગુનો નથી</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ કયા હેતુથી વીડિયો બનાવીને કોને ટાર્ગેટ કરાય છે અને પૈસા પડાવવાનો પ્રયાસ થાય છે કે કેમ</span>? <span lang="gu" xml:lang="gu">તે બાબતો ધ્યાને રાખીને જ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. અગાઉના ગુનાઓમાં આરોપી જામીનની શરતોનું ઉલ્લંઘન કરતી હોવાથી જામીન રદ કરવા માટે પણ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરી દેવાયો છે અને બીજી આરોપીને ઝડપી પાડવા પ્રયાસો ચાલુ છે. </span></p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/surat-police-arrested-controversial-social-media-influencer-kirti-patel-from/article-179082</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/surat-police-arrested-controversial-social-media-influencer-kirti-patel-from/article-179082</guid>
                <pubDate>Thu, 30 Jul 2026 13:37:08 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-07/2219.jpg"                         length="44166"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Parimal Chaudhary]]></dc:creator>
                            </item>
            <item>
                <title>હાર્દિક પટેલે CMને પત્ર લખીને પૂર પીડિતો માટે વિશેષ રાહત પેકેજની કરી માંગ</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">તાજેતરમાં જ અમદાવાદ જિલ્લાના વિરમગામ પંથકમાં મુશળધાર વરસાદ ખાબકવાને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી. જેમાં ભારે તારાજી સર્જાઇ હતી હાલ વરસાદ બંધ થતા પૂરના પાણી ધીમે-ધીમે ઓસરી રહ્યા છે અને જનજીવન પાટે ચડવા લાગ્યું છે</span>, <span lang="gu" xml:lang="gu">ત્યારે ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને  વિરમગામ</span>, <span lang="gu" xml:lang="gu">માંડલ</span>, <span lang="gu" xml:lang="gu">દેત્રોજ તથા નળકાંઠા વિસ્તારમાં અતિભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને કારણે થયેલ નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવી અસરગ્રસ્ત પરિવારો માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, વિરમગામ</span>, <span lang="gu" xml:lang="gu">માંડલ</span>, <span lang="gu" xml:lang="gu">દેત્રોજ તથા નળકાંઠા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી થયેલા અતિભારે</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/viramgam-mla-hardik-patel-wrote-a-letter-to-the-chief-minister-demanding-a-special-relief-package-for-the-flood-victims-of-the/article-179067"><img src="https://www.khabarchhe.com/media/400/2026-07/hardik-patel3.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">તાજેતરમાં જ અમદાવાદ જિલ્લાના વિરમગામ પંથકમાં મુશળધાર વરસાદ ખાબકવાને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી. જેમાં ભારે તારાજી સર્જાઇ હતી હાલ વરસાદ બંધ થતા પૂરના પાણી ધીમે-ધીમે ઓસરી રહ્યા છે અને જનજીવન પાટે ચડવા લાગ્યું છે</span>, <span lang="gu" xml:lang="gu">ત્યારે ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને  વિરમગામ</span>, <span lang="gu" xml:lang="gu">માંડલ</span>, <span lang="gu" xml:lang="gu">દેત્રોજ તથા નળકાંઠા વિસ્તારમાં અતિભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને કારણે થયેલ નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવી અસરગ્રસ્ત પરિવારો માટે વિશેષ રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, વિરમગામ</span>, <span lang="gu" xml:lang="gu">માંડલ</span>, <span lang="gu" xml:lang="gu">દેત્રોજ તથા નળકાંઠા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી થયેલા અતિભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવેલા પાણીના કારણે અનેક ગામોમાં ગંભીર પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ઘરો</span>, <span lang="gu" xml:lang="gu">દુકાનો</span>, <span lang="gu" xml:lang="gu">ખેતીની જમીન તથા જાહેર મિલકતોમાં પાણી ફરી વળતાં મોટા પાયે નુકસાન થયું છે. અનેક પરિવારો ઘરવિહોણા બન્યા છે</span>, <span lang="gu" xml:lang="gu">ઘરવખરીને નુકસાન થયું છે તથા ખેડૂતો</span>, <span lang="gu" xml:lang="gu">પશુપાલકો</span>, <span lang="gu" xml:lang="gu">નાના વેપારીઓ અને શ્રમિક વર્ગ ભારે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-07/hardik-patel4.jpg" alt="hardik-patel4" width="1280" height="720"></img>
khabarchhe.com

<p><span lang="gu" xml:lang="gu">તેમણે પોતાના પત્રમાં વધુમાં જણાવ્યુ કે</span>,<span lang="gu" xml:lang="gu"> આપના (મુખ્યમંત્રી) માર્ગદર્શન હેઠળ અમે વિરમગામ</span>, <span lang="gu" xml:lang="gu">માંડલ</span>, <span lang="gu" xml:lang="gu">દેત્રોજ અને નળકાંઠા વિસ્તારમાં અંદાજિત 500 જેટલા પરિવારોને ઘરવખરી</span>, <span lang="gu" xml:lang="gu">મકાન અને પશુપાલન સહાય આપી ચૂક્યા છીએ. આ કુદરતી આપત્તિના કારણે સમગ્ર વિસ્તારનું જનજીવન ગંભીર રીતે પ્રભાવિત બન્યું છે. તેથી સરકારના સંબંધિત વિભાગો દ્વારા યુદ્ધના ધોરણે અસરગ્રસ્ત વિસ્તારોનો તાત્કાલિક સર્વે હાથ ધરી સરકારની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ વિશેષ રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી મારી અંગત ભલામણ છે.</span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">હાર્દિક પટેલે પોતાના પત્રમાં આ બાબતોને પ્રાથમિકતા આપવાની વિનંતી કરી છે:</span></strong></p>
<p><strong>(</strong><span lang="gu" xml:lang="gu"><strong>1) ખેડૂતો માટે પાક અને જમીન નુકસાન સહાય:</strong> ખેતરોમાં પાણી ભરાઈ જવાથી તથા જમીન ધોવાઈ જવાના કારણે ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. અસરગ્રસ્ત ખેડૂતોને હેક્ટર દીઠ ઉદાર વળતર</span>, <span lang="gu" xml:lang="gu">બિયારણ સહાય તેમજ જરૂરી કૃષિ સહાય તાત્કાલિક આપવામાં આવે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><strong>(2) નાના વેપારીઓ અને લારી-ગલ્લાધારકો માટે આર્થિક સહાય:</strong> દુકાનો અને વ્યવસાયિક એકમોમાં પાણી ભરાવાથી માલસામાનને ભારે નુકસાન થયું છે. આવા વેપારીઓને વ્યાજમુક્ત અથવા રાહત દરે લોન તેમજ આર્થિક સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-07/hardik-patel5.jpg" alt="hardik-patel5" width="1280" height="720"></img>
khabarchhe.com

<p><strong>(</strong><span lang="gu" xml:lang="gu"><strong>3) આરોગ્ય અને સ્વચ્છતા માટે વિશેષ વ્યવસ્થા:</strong> પૂરનું પાણી ઓસર્યા બાદ રોગચાળો ફેલાય નહીં તે માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક આરોગ્ય કેમ્પો</span>, <span lang="gu" xml:lang="gu">પશુ આરોગ્ય કેમ્પો</span>, <span lang="gu" xml:lang="gu">જંતુનાશક દવાઓનો છંટકાવ</span>, <span lang="gu" xml:lang="gu">શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા તથા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે.</span></p>
<p><strong>(<span lang="gu" xml:lang="gu">4) રસ્તા</span>, <span lang="gu" xml:lang="gu">વીજળી અને અન્ય જાહેર સુવિધાઓનું પુનઃસ્થાપન:</span></strong><span lang="gu" xml:lang="gu"> નુકસાનગ્રસ્ત માર્ગો</span>, <span lang="gu" xml:lang="gu">વીજ પુરવઠો</span>, <span lang="gu" xml:lang="gu">પીવાના પાણીની વ્યવસ્થા તથા અન્ય આવશ્યક જાહેર સુવિધાઓને યુદ્ધના ધોરણે પુનઃસ્થાપિત કરવા માટે વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">હાર્દિક પટેલે અંતે મુખ્યમંત્રી પાસે માંગ કરી છે કે,</span> <span lang="gu" xml:lang="gu">પુરગ્રસ્ત નાગરિકોની આ વિકટ પરિસ્થિતિને માનવતાના ધોરણે ધ્યાનમાં લઈ અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે કરાવી ઉદાર અને સર્વગ્રાહી વિશેષ પૂર રાહત પેકેજ જાહેર કરવામાં આવે</span>, <span lang="gu" xml:lang="gu">જેથી અસરગ્રસ્ત પરિવારોને ઝડપથી રાહત મળી શકે અને જનજીવન ફરીથી સામાન્ય બની શકે.</span></p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/viramgam-mla-hardik-patel-wrote-a-letter-to-the-chief-minister-demanding-a-special-relief-package-for-the-flood-victims-of-the/article-179067</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/viramgam-mla-hardik-patel-wrote-a-letter-to-the-chief-minister-demanding-a-special-relief-package-for-the-flood-victims-of-the/article-179067</guid>
                <pubDate>Wed, 29 Jul 2026 17:00:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-07/hardik-patel3.jpg"                         length="171859"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Parimal Chaudhary]]></dc:creator>
                            </item>
            <item>
                <title>શું સુરતમાં એડવર્ટાઇઝમેન્ટ બોર્ડ માટે વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે? પૂર્વ કોર્પોરેટરનો ગંભીર આક્ષેપ</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">સુરતમાં જાહેરાતના બોર્ડ</span>, <span lang="gu" xml:lang="gu">બિલ્ડરોના પ્રોજેક્ટ અને અન્ય વિકાસકાર્યોના નામે વર્ષો જૂના વૃક્ષો કાપવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે. </span></p>
<p><span lang="gu" xml:lang="gu">ગુજરાત સમાચારના અહેવાલ મુજબ</span>,<span lang="gu" xml:lang="gu"> એવો આરોપ છે કે ગાર્ડન વિભાગના કેટલાક જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓની સાંઠગાંઠના કારણે રાત્રેના સમયે પણ વૃક્ષો કપાઈ રહ્યા છે. આ સાથે જ વિજીલન્સ તપાસની માંગ કરવામાં આવી રહી છે. ચોમાસાની દરમિયાન શહેરમાં ગ્રીન કવર વધે અને પર્યાવરણનું જતન થાય તે માટે સુરત મહાનગરપાલિકાએ સ્થાયી સમિતિ સમક્ષ હરિયાળી વધારતા 3 મહત્ત્વની દરખાસ્ત મંજૂર કરી છે. તેમાં શહેરભરમાં પાંચ ફૂટ ઊંચાઈના </span>50<span lang="gu" xml:lang="gu"> હજાર રોપાની ખરીદી</span>, <span lang="gu" xml:lang="gu">ખુલ્લા પ્લોટમાં મોટા પાયે વૃક્ષારોપણ અને ભાઠા</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/gujarat/are-trees-being-cut-for-advertisement-boards-in-surat-a/article-179048"><img src="https://www.khabarchhe.com/media/400/2026-07/surat5.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">સુરતમાં જાહેરાતના બોર્ડ</span>, <span lang="gu" xml:lang="gu">બિલ્ડરોના પ્રોજેક્ટ અને અન્ય વિકાસકાર્યોના નામે વર્ષો જૂના વૃક્ષો કાપવામાં આવી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે. </span></p>
<p><span lang="gu" xml:lang="gu">ગુજરાત સમાચારના અહેવાલ મુજબ</span>,<span lang="gu" xml:lang="gu"> એવો આરોપ છે કે ગાર્ડન વિભાગના કેટલાક જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓની સાંઠગાંઠના કારણે રાત્રેના સમયે પણ વૃક્ષો કપાઈ રહ્યા છે. આ સાથે જ વિજીલન્સ તપાસની માંગ કરવામાં આવી રહી છે. ચોમાસાની દરમિયાન શહેરમાં ગ્રીન કવર વધે અને પર્યાવરણનું જતન થાય તે માટે સુરત મહાનગરપાલિકાએ સ્થાયી સમિતિ સમક્ષ હરિયાળી વધારતા 3 મહત્ત્વની દરખાસ્ત મંજૂર કરી છે. તેમાં શહેરભરમાં પાંચ ફૂટ ઊંચાઈના </span>50<span lang="gu" xml:lang="gu"> હજાર રોપાની ખરીદી</span>, <span lang="gu" xml:lang="gu">ખુલ્લા પ્લોટમાં મોટા પાયે વૃક્ષારોપણ અને ભાઠા લેક ગાર્ડનમાં મિયાવાકી પદ્ધતિથી ઘન વન ઊભું કરવાનો સમાવેશ થાય છે. કતારગામ વિસ્તારમાં ખુલ્લી જમીનમાં વૃક્ષારોપણ અને તેની જાળવણીની કામગીરી માટે પણ નિર્ણય કરાયો છે.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-07/surat13.jpg" alt="surat1" width="1280" height="720"></img>
gujarati.news18.com

<p><span lang="gu" xml:lang="gu">શહેરવ્યાપી વૃક્ષારોપણ અભિયાનને વેગ આપવા માટે 5 ફૂટ ઊંચાઈના </span>50<span lang="gu" xml:lang="gu"> હજાર રોપા માટે કવાયત થઈ રહી છે અને તેના માટે </span>22<span lang="gu" xml:lang="gu"> લાખથી વધુનો ખર્ચ થઈ રહ્યો છે. તેની વચ્ચે શહેરના અનેક વિસ્તારમાં મોટા વૃક્ષો કાપવામાં આવી રહ્યા હોવાના ગંભીર આરોપ લાગી રહ્યા છે. </span></p>
<p><span lang="gu" xml:lang="gu">રાંદેર ઝોન વિસ્તારમાં પૂર્વ કોર્પોરેટર ઉષા પટેલે ગાર્ડન વિભાગ સામે ગંભીર આક્ષેપો કરતા કહ્યું છે કે</span>, ‘<span lang="gu" xml:lang="gu">રાંદેર ઝોનમાં ગૌરવ પથ સહિત અનેક સ્થળોએ જાહેરાતના બોર્ડ લગાવવા માટે મોટા વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે. વિનસ એડવર્ટાઇઝમેન્ટના બોર્ડ સ્પષ્ટ દેખાય તે માટે રસ્તા કિનારે આવેલા પરિપક્વ વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં</span>, <span lang="gu" xml:lang="gu">પાલ કબ્રસ્તાનની બાજુમાં ચાલી રહેલા એક બિલ્ડરના પ્રોજેક્ટમાં પણ રાત્રીના સમયે વર્ષો જૂના વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે.</span>’</p>
<img src="https://www.khabarchhe.com/media/2026-07/tree-cutting.jpg" alt="tree-cutting" width="1280" height="720"></img>
downtoearth.org.in

<p><span lang="gu" xml:lang="gu">પૂર્વ કોર્પોરેટરે સવાલ ઉઠાવતા કહ્યું કે</span>, <span lang="gu" xml:lang="gu">શહેરમાં વૃક્ષો કાપવાની મંજૂરી કોણ આપે છે</span>? <span lang="gu" xml:lang="gu">કયા નિયમોના આધારે મંજૂરી આપવામાં આવે છે</span>?<span lang="gu" xml:lang="gu"> અને તેની દેખરેખ કોણ રાખે છે</span>?<span lang="gu" xml:lang="gu"> આ સાથે જ તેમણે માંગ કરી કે,</span> <span lang="gu" xml:lang="gu">સમગ્ર મામલે વિજિલન્સ દ્વારા તપાસ કરાવી વૃક્ષો કાપવા માટે આપવામાં આવેલી મંજૂરીઓની સમીક્ષા કરવામાં આવે તેમજ ગેરરીતિમાં સંડોવાયેલા અધિકારીઓ</span>, <span lang="gu" xml:lang="gu">કર્મચારીઓ અને જવાબદાર લોકો સામે દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે. અને જરૂર પડે તો પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવે જેથી ભવિષ્યમાં ગેરકાયદે વૃક્ષોનું નિકંદન અટકાવી શકાય.</span></p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                    

                <link>https://www.khabarchhe.com/gujarat/are-trees-being-cut-for-advertisement-boards-in-surat-a/article-179048</link>
                <guid>https://www.khabarchhe.com/gujarat/are-trees-being-cut-for-advertisement-boards-in-surat-a/article-179048</guid>
                <pubDate>Tue, 28 Jul 2026 20:15:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-07/surat5.jpg"                         length="307608"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Parimal Chaudhary]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        