<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.khabarchhe.com/divinity/category-64845" rel="self" type="application/rss+xml" />
                <generator>Khabarchhe RSS Feed Generator</generator>
                <title>Divinity - Khabarchhe</title>
                <link>https://www.khabarchhe.com/category/64845/rss</link>
                <description>Divinity RSS Feed</description>
                
                            <item>
                <title>કુંભમેળામાં સ્વજન ખોવાઇ જાય તો આ ટેક્નોલોજી તરત શોધી આપશે</title>
                                    <description><![CDATA[<p>તમે ઘણી એવી હિન્દી ફિલ્મો જોઇ હશે જેમાં કુંભના મેળામાં બે ભાઇઓ કે ભાઇ- બહેન વિખુટા પડી જાય અને વર્ષો પછી તેમનો ભેટો થાય. પરંતુ હવે એવી એડવાન્સ ટેક્નોલોજી આવી ગઇ છે કે મહાકુંભમાં વિખુટી પડી ગયેલી વ્યકિતને શોધવામાં વધારે સમય નહીં જાય.</p>
<p>ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી પવિત્ર મહાકુંભનો પ્રારંભ થયો છે જે 26 ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે અને સરકારે 40 કરોડ લોકો આવવાનો લક્ષ્યાંક રાખેલો છે. હવે જો મહાકુંભમાં કોઇ વ્યક્તિ ખોવાઇ જાય તો  AI બેઇઝ્ડ લોસ્ટ એન્ડ ફાઉન્ડ સેન્ટર પર માહિતી આપવાની અને મહાકુંભમાં કુલ 2800 CCTV જેમાં 328 આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ બેઇઝ્ડ કેમેરા લાગેલા છે. જેવો ખોવાયેલી</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/divinity/if-a-relative-gets-lost-at-the-kumbh-mela-this-technology-will-help-you-find-them-immediately/article-168097"><img src="https://www.khabarchhe.com/media/400/2025-01/1737029804221.jpg" alt=""></a><br /><p>તમે ઘણી એવી હિન્દી ફિલ્મો જોઇ હશે જેમાં કુંભના મેળામાં બે ભાઇઓ કે ભાઇ- બહેન વિખુટા પડી જાય અને વર્ષો પછી તેમનો ભેટો થાય. પરંતુ હવે એવી એડવાન્સ ટેક્નોલોજી આવી ગઇ છે કે મહાકુંભમાં વિખુટી પડી ગયેલી વ્યકિતને શોધવામાં વધારે સમય નહીં જાય.</p>
<p>ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી પવિત્ર મહાકુંભનો પ્રારંભ થયો છે જે 26 ફેબ્રુઆરી સુધી ચાલવાનો છે અને સરકારે 40 કરોડ લોકો આવવાનો લક્ષ્યાંક રાખેલો છે. હવે જો મહાકુંભમાં કોઇ વ્યક્તિ ખોવાઇ જાય તો  AI બેઇઝ્ડ લોસ્ટ એન્ડ ફાઉન્ડ સેન્ટર પર માહિતી આપવાની અને મહાકુંભમાં કુલ 2800 CCTV જેમાં 328 આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ બેઇઝ્ડ કેમેરા લાગેલા છે. જેવો ખોવાયેલી વ્યકિતનો ફોટો આપશો કે AI કેમેરા એ વ્યકિતને મહાકુંભમાં શોધશે અને તરત ઓળખીને એક ફોટો પાડી લેશે અને સેન્ટરને માહિતી આપી દેશે.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/_9PXGaN4-Z8?si=MN2TCta99ege_JGM" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>]]></content:encoded>
                
                                                            <category>Divinity</category>
                                    

                <link>https://www.khabarchhe.com/divinity/if-a-relative-gets-lost-at-the-kumbh-mela-this-technology-will-help-you-find-them-immediately/article-168097</link>
                <guid>https://www.khabarchhe.com/divinity/if-a-relative-gets-lost-at-the-kumbh-mela-this-technology-will-help-you-find-them-immediately/article-168097</guid>
                <pubDate>Sun, 26 Jan 2025 08:31:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2025-01/1737029804221.jpg"                         length="719813"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>પ્રયાગરાજમાં 45 દિવસના મહાકુંભમાં આટલા લાખ કરોડનો બિઝનેસ થશે</title>
                                    <description><![CDATA[<p>ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરી 2025થી પવિત્ર મહાકુંભનો પ્રારંભ થઇ ગયો છે અને 26 ફેબ્રુઆરી સુધી મહાકુંભ મેળો ચાલવાનો છે.45 દિવસ સુધીમા લગભગ 40 કરોડ શ્રધ્ધાળુઓ મહાકુંભમાં સ્થાન કરવા આવશે તેવી ધારણા રાખવામાં આવી છે.</p>
<p>ઉત્તર પ્રદેશ સરકારની ધારણા છે કે એક શ્રધ્ધાળુ જો 5,000 રૂપિયાનો ખર્ચ કરશે તો ઉત્તર પ્રદેશમાં 2 લાખ કરોડ રૂપિયાનો ધંધો થશે અને સરકારની તિજોરી ટેક્સની આવકમાંથી છલકાઇ જશે.</p>
<p>મહાકુંભને કારણે હોટલ ઇન્ડસ્ટ્રીઝને બખ્ખાં થઇ ગયા છે. માત્ર પ્રયાગરાજ જ નહી, પરંતુ નજીકના શહેરોની હોટલો પણ ફુલ થઇ ગઇ છે અને ટ્રાવેલ્સ બિઝનેસને પણ ચાંદી થઇ ગઇ છે.</p>
<p>જો કે જાણકારોનું માનવું છે કે જે</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/divinity/business-worth-lakh-crores-will-be-generated-in-the-45-day-mahakumbh-in-prayagraj/article-167922"><img src="https://www.khabarchhe.com/media/400/2025-01/173695167704.jpg" alt=""></a><br /><p>ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરી 2025થી પવિત્ર મહાકુંભનો પ્રારંભ થઇ ગયો છે અને 26 ફેબ્રુઆરી સુધી મહાકુંભ મેળો ચાલવાનો છે.45 દિવસ સુધીમા લગભગ 40 કરોડ શ્રધ્ધાળુઓ મહાકુંભમાં સ્થાન કરવા આવશે તેવી ધારણા રાખવામાં આવી છે.</p>
<p>ઉત્તર પ્રદેશ સરકારની ધારણા છે કે એક શ્રધ્ધાળુ જો 5,000 રૂપિયાનો ખર્ચ કરશે તો ઉત્તર પ્રદેશમાં 2 લાખ કરોડ રૂપિયાનો ધંધો થશે અને સરકારની તિજોરી ટેક્સની આવકમાંથી છલકાઇ જશે.</p>
<p>મહાકુંભને કારણે હોટલ ઇન્ડસ્ટ્રીઝને બખ્ખાં થઇ ગયા છે. માત્ર પ્રયાગરાજ જ નહી, પરંતુ નજીકના શહેરોની હોટલો પણ ફુલ થઇ ગઇ છે અને ટ્રાવેલ્સ બિઝનેસને પણ ચાંદી થઇ ગઇ છે.</p>
<p>જો કે જાણકારોનું માનવું છે કે જે રીતે દેશમાં માહોલ છે એ જોતા કદાચ 4 લાખ કરોડની ઉપર પણ બિઝનેસ થઇ જાય તો નવાઇ નહીં લાગશે.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/c9Iyvz392vA?si=BQcMilXquL8QuL9y" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>]]></content:encoded>
                
                                                            <category>Divinity</category>
                                    

                <link>https://www.khabarchhe.com/divinity/business-worth-lakh-crores-will-be-generated-in-the-45-day-mahakumbh-in-prayagraj/article-167922</link>
                <guid>https://www.khabarchhe.com/divinity/business-worth-lakh-crores-will-be-generated-in-the-45-day-mahakumbh-in-prayagraj/article-167922</guid>
                <pubDate>Thu, 16 Jan 2025 08:31:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2025-01/173695167704.jpg"                         length="997297"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>વાણી અને વર્તન શીખીએ શ્રી રામથી, વ્યવહાર શીખીએ શ્રી કૃષ્ણથી… </title>
                                    <description><![CDATA[<p>જીવન મળ્યું, જીવી જાણવું સૌને ગમે પણ કેમ જીવવું એ શીખવાનું જે ચૂકીગયા તેઓ હંમેશા પસ્તાયા. </p>
<p>કલયુગે આપણે વિચાર ભલે નવા રાખીએ પરંતુ વાણી, વર્તન અને વ્યવહાર તો જુનવાણી જ રાખવા જોઈએ એવું મારું વ્યક્તિગત માનવુ છે. </p>
<p>આજે આપણે પ્રથમ વાત કરીએ વાણી અને વર્તનની…</p>
<p>પ્રભુ શ્રી રામ એક આદર્શ પુત્ર, ભાઈ, પતિ, રાજા તરીકે તેમનું નામ યુગે યુગે યાદ કરવામાં આવ્યું અને યાદ કરવામાં આવશે. સમગ્ર જીવન શ્રી રામ સત્ય, ધર્મ, દયા અને મર્યાદાના માર્ગ પર ચાલ્યા હતા. અને આ બધુજ તેમની વાણી અને વર્તન ની મર્યાદાને આભારી હતું. ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર એવા પ્રભુ શ્રી રામના જીવનથી આપણે</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/divinity/what-should-be-learned-from-lord-rama-and-lord-krishna/article-166754"><img src="https://www.khabarchhe.com/media/400/2024-11/173087322180.jpg" alt=""></a><br /><p>જીવન મળ્યું, જીવી જાણવું સૌને ગમે પણ કેમ જીવવું એ શીખવાનું જે ચૂકીગયા તેઓ હંમેશા પસ્તાયા. </p>
<p>કલયુગે આપણે વિચાર ભલે નવા રાખીએ પરંતુ વાણી, વર્તન અને વ્યવહાર તો જુનવાણી જ રાખવા જોઈએ એવું મારું વ્યક્તિગત માનવુ છે. </p>
<p>આજે આપણે પ્રથમ વાત કરીએ વાણી અને વર્તનની…</p>
<p>પ્રભુ શ્રી રામ એક આદર્શ પુત્ર, ભાઈ, પતિ, રાજા તરીકે તેમનું નામ યુગે યુગે યાદ કરવામાં આવ્યું અને યાદ કરવામાં આવશે. સમગ્ર જીવન શ્રી રામ સત્ય, ધર્મ, દયા અને મર્યાદાના માર્ગ પર ચાલ્યા હતા. અને આ બધુજ તેમની વાણી અને વર્તન ની મર્યાદાને આભારી હતું. ભગવાન વિષ્ણુનો સાતમો અવતાર એવા પ્રભુ શ્રી રામના જીવનથી આપણે વાણી અને વર્તન ની મર્યાદા શીખી લેવી જોઈએ. થોડો પ્રયાસ કરશો અને જીવન વ્યવહારમાં લાવશો તો કરી શકશો. જીભથી નિકળ્યા બોલ એટલે આપણી વાણી એ બધીજ સમસ્યાઓનું કારક પણ બની શકે અને સમાધાન પણ બની શકે. </p>
<p>હવે વાત કરીએ વ્યવહારની… </p>
<p>દ્વાપર યુગમાં અસંખ્ય રાક્ષસો માનવ સ્વરૂપે પૃથ્વી પર અવતર્યા હતા. જેમ કે દુર્યોધન કળિયુગનો અવતાર હતો અન્યમાં નરકાસુર અને કલયવાન પણ ભગવાનના ભક્તોને રાક્ષસોના રૂપમાં રંજાડતા હતા, પરિણામ સ્વરૂપે અધર્મ વધતો ગયો. ભગવાન વિષ્ણુ શ્રી કૃષ્ણ રૂપે આઠમે અવતાર અવતર્યા અને વ્યવહાર કુશળતાથી અધર્મીઓનો નાશ કર્યો અને ધર્મની સ્થાપના કરી. શ્રી કૃષ્ણે અર્જુનને ગીતા ઉપદેશ રૂપે જીવન વ્યવહારની નીતિ શીખવાડી અને અધર્મ પર ધર્મ નો વિજય સંભવ બનાવ્યો. પ્રભુ શ્રી કૃષ્ણના જીવનથી આપણે શીખી લેવા જેવી વાત એ છે કે જીવનમાં ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ સૌમ્ય સ્મિત સાથે પ્રેમ, સામ, દામ, દંડ, ભેદના વ્યવહારથી અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરી શકાય છે. </p>
<p>મારી વ્યક્તિગત વાત કરું તો… </p>
<p>જન્મે કુળે વ્યવહાર કર્મે હું રહ્યો હિન્દુ અને ધર્મ રક્ષાર્થે કાર્યરત રહેવું એ મને મારા લોહીમાં મળેલા સંસ્કાર છે એટલે હું રામાયણ મહાભારત અને ગીતાના ડાયરામાજ રહું છું. અન્ય ધર્મગ્રંથોમાં પણ સારા જીવન ઉપદેશ હશે એમને સમજવાનો અવસર મળશે તો એ પણ જાણવાનું સમજવાનું મને ગમશે.</p>
<p>પ્રભુ શ્રી રામ અને શ્રી કૃષ્ણના જીવન સંદર્ભે વડીલો, ગુણીજનો અને પૂજ્ય સંતો મહંતો પાસેથી વાણી, વર્તન અને વ્યવહારનું અંગત જીવન અને સામાજિક જીવન સંદર્ભે જે મહત્ત્વ હું સમજ્યો શીખ્યો અને એ મુજબનું જીવન જીવતા મને સુખ સંતોષ મળે છે. </p>
<p>હૃદયમાં શ્રી રામ તો વાણી અને વર્તન રહે મર્યાદામાં. </p>
<p>અને મનમાં રાખીએ શ્રી કૃષ્ણ તો સમયને અનુકૂળ નીતિ મુજબ મર્યાદા પૂર્વક શાંત ચિત્તે પ્રેમ, સામ, દામ, દંડ, ભેદના વ્યવહાર મુજબ ધાર્યુ કાર્ય પરિપૂર્ણ કરી શકાય. </p>
<p>અગત્યનું: </p>
<p>હૃદય અને મનનું અનુક્રમે શ્રી રામ અને શ્રી કૃષ્ણની નીતિ મુજબ સંતુલન કરીને જીભનો ઉપયોગ કરીએ તો દુનિયા જીતવા માટે અસ્ત્ર શસ્ત્રની જરૂર છેજ નહીં આપણી જીભ બધીજ પરિસ્થિને નિયંત્રિત કરી શકે છે!! </p>
<p>જય શ્રી રામ </p>]]></content:encoded>
                
                                                            <category>Divinity</category>
                                    

                <link>https://www.khabarchhe.com/divinity/what-should-be-learned-from-lord-rama-and-lord-krishna/article-166754</link>
                <guid>https://www.khabarchhe.com/divinity/what-should-be-learned-from-lord-rama-and-lord-krishna/article-166754</guid>
                <pubDate>Wed, 06 Nov 2024 11:35:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-11/173087322180.jpg"                         length="656063"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[UD]]></dc:creator>
                            </item>
            <item>
                <title>આ વખતે દિવાળી ક્યારે ઉજવવાની છે? ધર્માચાર્યોએ તારીખ જાહેર કરી દીધી</title>
                                    <description><![CDATA[<p>આ વખતે દિવાળી કયા દિવસે મનાવવી એ બાબતે ભારે કન્ફયુઝન ઉભું થયું હતું. કોઇ કહેતું કે 31 ઓકટોબરે દિવાળી છે તો કોઇ 1 નવેમ્બરની વાત કરતું હતું. હવે ઇંદોરમાં ધર્માચાર્યોના બેઠકમાં નક્કી કરી દેવામાં આવ્યું છે કે આ વખતે દિવાળી 1 નવેમ્બરે ઉજવણી કરવી યોગ્ય રહેશે.</p>
<p>ધર્માચાર્યોએ કહ્યું કે, અલગ અલગ પંચાગોને કારણે આ વખતે દિવાળીની તારીખ વિશે વિમાસણ પેદા થઇ, પરંતુ ઇંદોરમાં ધર્માચાર્યોની બેઠકમાં આ બાબતે ઉંડાણપૂર્વકની ચર્ચાને અંતે નિર્ણય લેવાયો છે કે દિવાળી 1 નવેમ્બરે રહેશે, કારણકે, 1લી નવેમ્બરે પ્રશસ્ત નક્ષત્રની સાથે આયુષ્યમાન અને પ્રીતિ યોગ પણ જોડાયેલા રહેશે. ધર્મ શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે, જો પ્રદોષ કાળમાં</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/divinity/when-is-diwali-to-be-celebrated-this-time-the-dharmacharyas-announced-the-date/article-166248"><img src="https://www.khabarchhe.com/media/400/2024-10/172813530066.jpg" alt=""></a><br /><p>આ વખતે દિવાળી કયા દિવસે મનાવવી એ બાબતે ભારે કન્ફયુઝન ઉભું થયું હતું. કોઇ કહેતું કે 31 ઓકટોબરે દિવાળી છે તો કોઇ 1 નવેમ્બરની વાત કરતું હતું. હવે ઇંદોરમાં ધર્માચાર્યોના બેઠકમાં નક્કી કરી દેવામાં આવ્યું છે કે આ વખતે દિવાળી 1 નવેમ્બરે ઉજવણી કરવી યોગ્ય રહેશે.</p>
<p>ધર્માચાર્યોએ કહ્યું કે, અલગ અલગ પંચાગોને કારણે આ વખતે દિવાળીની તારીખ વિશે વિમાસણ પેદા થઇ, પરંતુ ઇંદોરમાં ધર્માચાર્યોની બેઠકમાં આ બાબતે ઉંડાણપૂર્વકની ચર્ચાને અંતે નિર્ણય લેવાયો છે કે દિવાળી 1 નવેમ્બરે રહેશે, કારણકે, 1લી નવેમ્બરે પ્રશસ્ત નક્ષત્રની સાથે આયુષ્યમાન અને પ્રીતિ યોગ પણ જોડાયેલા રહેશે. ધર્મ શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે, જો પ્રદોષ કાળમાં અમાવસ્યાની તિથી હોય તો તે દિવસે દીપ પર્વ એટલે લક્ષમી પૂજન કરવું યોગ્ય છે.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/U7Tg9Dbt7Y8?si=ocTmXBe5qiWVrMV-" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>]]></content:encoded>
                
                                                            <category>Lifestyle</category>
                                            <category>Festival</category>
                                            <category>Divinity</category>
                                    

                <link>https://www.khabarchhe.com/divinity/when-is-diwali-to-be-celebrated-this-time-the-dharmacharyas-announced-the-date/article-166248</link>
                <guid>https://www.khabarchhe.com/divinity/when-is-diwali-to-be-celebrated-this-time-the-dharmacharyas-announced-the-date/article-166248</guid>
                <pubDate>Sun, 06 Oct 2024 12:55:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-10/172813530066.jpg"                         length="657901"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>લાલબાગ ચા રાજાને મળ્યું 5.65 કરોડ રોકડ દાન, આટલા કિલો સોનું</title>
                                    <description><![CDATA[<p>ગણેશ વિસર્જન પુરુ થયા પછી જ્યારે લાલબાગ ચા રાજા મંડળે લોકોએ ગણેશજીને ભેટ ધરાવેલી રોકડ રકમ અને સોના-ચાંદીની ગણતરી કરી લીધી છે અને ભક્તોએ ભગવાનને 5.65 કરોડ રોકડ, 4.15 કિલો સોનું અને 64.32 કિલો ચાંદી ધરાવી હતી.</p>
<p>હાલના સોનાના ભાવ પ્રમાણે 1 કિલો સોનાની કિંમત લગભગ 76.30 લાખ રૂપિયા થાય છે, મતલબ કે 3.40 કરોડ રૂપિયાનું સોનું ભેટમાં ધરાવાયું. જ્યારે 1 કિલો ચાંદીની કિંમત 91,700 રૂપિયા છે એટલે 58 લાખ રૂપિયાની ચાંદી ભેટમાં આવી. રોકડ, સોના-ચાંદી સાથે કુલ 9.63 કરોડની રકમ થઇ.</p>
<p>આ પહેલા અનંત અંબાણીએ 20 કિલો સોનાનો 15 કરોડની કિંમતનો મુગુટ ભેટમાં આપ્યો હતો એ અલગ. લાલબાગ ચા</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/divinity/lalbagh-cha-raja-received-5-65-crore-cash-donation/article-165982"><img src="https://www.khabarchhe.com/media/400/2024-09/17270095938.jpg" alt=""></a><br /><p>ગણેશ વિસર્જન પુરુ થયા પછી જ્યારે લાલબાગ ચા રાજા મંડળે લોકોએ ગણેશજીને ભેટ ધરાવેલી રોકડ રકમ અને સોના-ચાંદીની ગણતરી કરી લીધી છે અને ભક્તોએ ભગવાનને 5.65 કરોડ રોકડ, 4.15 કિલો સોનું અને 64.32 કિલો ચાંદી ધરાવી હતી.</p>
<p>હાલના સોનાના ભાવ પ્રમાણે 1 કિલો સોનાની કિંમત લગભગ 76.30 લાખ રૂપિયા થાય છે, મતલબ કે 3.40 કરોડ રૂપિયાનું સોનું ભેટમાં ધરાવાયું. જ્યારે 1 કિલો ચાંદીની કિંમત 91,700 રૂપિયા છે એટલે 58 લાખ રૂપિયાની ચાંદી ભેટમાં આવી. રોકડ, સોના-ચાંદી સાથે કુલ 9.63 કરોડની રકમ થઇ.</p>
<p>આ પહેલા અનંત અંબાણીએ 20 કિલો સોનાનો 15 કરોડની કિંમતનો મુગુટ ભેટમાં આપ્યો હતો એ અલગ. લાલબાગ ચા રાજા મંડળે શનિવારે 1 કિલો સોનાની ઇંટ હરાજીમાં 75.9 લાખ રૂપિયામાં અને 1 કિલો સોનાનો હાર 74 લાખ રૂપિયામાં વેચી દીધો છે.</p>
<p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/46M9x_fyA3c?si=ZVZf-5RGq2HCXyZR" width="560" height="315" frameborder="0" allowfullscreen=""></iframe></p>]]></content:encoded>
                
                                                            <category>National</category>
                                            <category>Divinity</category>
                                    

                <link>https://www.khabarchhe.com/divinity/lalbagh-cha-raja-received-5-65-crore-cash-donation/article-165982</link>
                <guid>https://www.khabarchhe.com/divinity/lalbagh-cha-raja-received-5-65-crore-cash-donation/article-165982</guid>
                <pubDate>Mon, 23 Sep 2024 09:15:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-09/17270095938.jpg"                         length="1021618"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>પ્રભુ શ્રી રામની ભક્તિ કરતા કરતા મને રોજ હનુમાનજી મહારાજ મળે</title>
                                    <description><![CDATA[<p>(Utkarsh Patel) પ્રભુ શ્રી રામની ભક્તિ કરતા કરતા કલયુગના સાક્ષાતદેવ હનુમાનજી મહારાજ મળી જાય એ સત્ય છે. પ્રભુ શ્રી રામની ભક્તિ કરનારને ક્યારેય હનુમાનજી મહારાજ નિરાશ કરતા નથી.</p>
<p>શ્રી રામની ભક્તિ કરનાર હંમેશા સુખી થયા છે. તમે જો પ્રભુ શ્રી રામના ભક્ત હશો તો તમને હનુમાનજી મહારાજ કોઈ પણ રૂપમાં આવીને ઉગારી જશે.</p>
<p>મારા જીવનમાં પ્રભુ શ્રી રામ કાજે ધર્મ કાર્ય કરવાનો અવસર મને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મળ્યો. અહીં મને પ્રભુ શ્રી રામના ભક્તો સ્વરૂપે ધર્મ સમર્પિત ગુણિયલ સબંધો મળ્યા અને આજેય સૌની સાથે જીવંત સંપર્કોમાં મને ધર્મકાર્ય કરવાની અવિરાત્ પ્રેરણા પણ મળે.</p>
<p>હું જીવનમાં જ્યારે જ્યારે કોઈક સમસ્યા</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/divinity/i-ll-meet-hanumanji-everyday/article-163025"><img src="https://www.khabarchhe.com/media/400/2024-04/1713867299photo_final01.jpg" alt=""></a><br /><p>(Utkarsh Patel) પ્રભુ શ્રી રામની ભક્તિ કરતા કરતા કલયુગના સાક્ષાતદેવ હનુમાનજી મહારાજ મળી જાય એ સત્ય છે. પ્રભુ શ્રી રામની ભક્તિ કરનારને ક્યારેય હનુમાનજી મહારાજ નિરાશ કરતા નથી.</p>
<p>શ્રી રામની ભક્તિ કરનાર હંમેશા સુખી થયા છે. તમે જો પ્રભુ શ્રી રામના ભક્ત હશો તો તમને હનુમાનજી મહારાજ કોઈ પણ રૂપમાં આવીને ઉગારી જશે.</p>
<p>મારા જીવનમાં પ્રભુ શ્રી રામ કાજે ધર્મ કાર્ય કરવાનો અવસર મને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મળ્યો. અહીં મને પ્રભુ શ્રી રામના ભક્તો સ્વરૂપે ધર્મ સમર્પિત ગુણિયલ સબંધો મળ્યા અને આજેય સૌની સાથે જીવંત સંપર્કોમાં મને ધર્મકાર્ય કરવાની અવિરાત્ પ્રેરણા પણ મળે.</p>
<p>હું જીવનમાં જ્યારે જ્યારે કોઈક સમસ્યા અનુભવું ત્યારે ક્યાંકથી મને મદદ આવે અને સમસ્યા સંકટ આપો આપ દૂર થાય અને રસ્તો નીકળે. ધર્મકાર્ય હોય, વ્યવસાય હોય, અંગત કે સામાજિક જીવન હોય... કોઇ પણ ક્ષેત્રે કોઈક સંકટ સમસ્યા આવે એટલે કોઈક એવું વ્યક્તિત્વ હાજર થાય કે જે સમસ્યા સંકટનો ઉકેલ લઈને આવે અને સમસ્યા ઉકેલે કે સંકટ દૂર કરે!!</p>
<p>સવાર પડે કોઈક સમસ્યા આવે અને સાંજ થતાં એ ઉકેલાય જાય!!!</p>
<p>ધીમે ધીમે અનુભવો પરથી મને સમજાયું કે આ બીજું કોઇ નહીં હનુમાનજી મહારાજ જ છે જે કોઈકના માધ્યમથી આવે અને મને સમસ્યા સંકટમાથી ઉગારે.</p>
<p>તમે જો શ્રી રામને ભજતાં હશો તો આવા અનુભવ તમને થયા હશે અને જો થયા હોય તો સમજી જાજો કે એ સાક્ષાત હનુમાનજી મહારાજ આવીને તેમને ઉગારી ગયા.</p>
<p>અગત્યનું:</p>
<p>સંકટમાં કોઈક મિત્ર કે અન્ય કોઈ સબંધ સ્વરૂપે કોઈક તમારું બાવડું ઝાલે કે મદદે આવે તો સમજી જજો કે એ હનુમાનજી દ્વારા મોકલાયેલી મદદ છે. એ મદદગારને ક્યારેય અવગણના ના કરશો.</p>
<p>હનુમાનજી મહારાજની ભેટ સ્વરૂપે મળેલા સબંધોને પ્રેમથી જાળવજો પછી ભલેને દાદાના મંદિરે નહીં જાઓ તોયે દાદા રાજી રહેશે.</p>
<p>જય જય સીયારામ ?</p>
<p>(સુદામા)</p>]]></content:encoded>
                
                                                            <category>Divinity</category>
                                    

                <link>https://www.khabarchhe.com/divinity/i-ll-meet-hanumanji-everyday/article-163025</link>
                <guid>https://www.khabarchhe.com/divinity/i-ll-meet-hanumanji-everyday/article-163025</guid>
                <pubDate>Tue, 23 Apr 2024 20:32:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-04/1713867299photo_final01.jpg"                         length="716889"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[UD]]></dc:creator>
                            </item>
            <item>
                <title>આવા હતા મારા રામ...</title>
                                    <description><![CDATA[<p><strong>(Utkarsh Patel)</strong> હા મારા રામ, તમારા રામ... સૌના રામ.</p>
<p>મારા રામ એમના જીવનના ચોક્કસ સમય માટે વનવાસમાં હતા અને એમની સંગાથે હતા માતા જાનકી અને આદર્શ ભાઈ સ્વરૂપ શ્રી લક્ષ્મણ અને પછી સહયોગી થયા હતા પવનપુત્ર હનુમાનજી મહારાજ.</p>
<p>સૌએ અપાર પીડા અને દુઃખ ભોગવ્યું હતું.</p>
<p>અયોધ્યાનું સુખ અયોધ્યામાં જ મુકીને નીકળ્યા હતા મારા રામ. અણગમો કર્યા વિના વિનમ્ર વિવેક ભાવે સ્મિત સાથે આવકાર્યો હતો વનવાસ મારા રામે.</p>
<p>એક પ્રસંગ મેં સાંભળ્યો હતો એ આપને કહું...</p>
<p>વનવાસના શરૂઆતના સમયે એક દિવસ વનમાં માતા જાનકી અને લક્ષ્મણજી ક્રમમાં પ્રભુ શ્રી રામને પગલે એમની પાછળ ચાલ્યા જતા. માર્ગમાં આવતા કાકરા, કાંટા મારા રામના</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/divinity/my-ram/article-162907"><img src="https://www.khabarchhe.com/media/400/2024-04/1713338120ud.jpg" alt=""></a><br /><p><strong>(Utkarsh Patel)</strong> હા મારા રામ, તમારા રામ... સૌના રામ.</p>
<p>મારા રામ એમના જીવનના ચોક્કસ સમય માટે વનવાસમાં હતા અને એમની સંગાથે હતા માતા જાનકી અને આદર્શ ભાઈ સ્વરૂપ શ્રી લક્ષ્મણ અને પછી સહયોગી થયા હતા પવનપુત્ર હનુમાનજી મહારાજ.</p>
<p>સૌએ અપાર પીડા અને દુઃખ ભોગવ્યું હતું.</p>
<p>અયોધ્યાનું સુખ અયોધ્યામાં જ મુકીને નીકળ્યા હતા મારા રામ. અણગમો કર્યા વિના વિનમ્ર વિવેક ભાવે સ્મિત સાથે આવકાર્યો હતો વનવાસ મારા રામે.</p>
<p>એક પ્રસંગ મેં સાંભળ્યો હતો એ આપને કહું...</p>
<p>વનવાસના શરૂઆતના સમયે એક દિવસ વનમાં માતા જાનકી અને લક્ષ્મણજી ક્રમમાં પ્રભુ શ્રી રામને પગલે એમની પાછળ ચાલ્યા જતા. માર્ગમાં આવતા કાકરા, કાંટા મારા રામના ચરણોમાં વાગતા પરંતુ રામ કાકરો કે કાંટો વાગ્યાનો દુઃખનો અનુભવ કરવા છતા શાંતિથી ચાલ્યે જતા. રક્ત વાડા કોમળ પગ આગળ વધતા અને પાછળ ચાલતા માતા જાનકી અને લક્ષ્મણજીને સુવાળો મારગ મળતો જતો!</p>
<p>વિરામના સમયે લક્ષ્મણજીએ પ્રભુના ચરણોને જળથી ધોયા અને ત્યારે જ માતા જાનકીએ ચિંતિત અવાજે પ્રભુ શ્રી રામને કહ્યું ‘લાવો તમારા ચરણોના કાંટા કાઢી દઉ એ તમને દુઃખ આપી રહ્યા છે’</p>
<p>મારા રામે માતા જાનકી અને લક્ષ્મણજીને કહ્યું ‘ તમે જેને કાંટા કહો છો તે આગલા જન્મના પાપ કર્મ ભોગવી રહેલ જીવ છે અને એમના અવગુણ સાથે હવે તેઓ મારી શરણે આવ્યા છે. જે મારી શરણે આવ્યા એને હું કઈ રીતે મારાથી દૂર કરું?!!, એમને ત્યાં જ રહેવા દો મારી પાસે. થોડો સાથ આપવા દો મને. એમના દુઃખ હું ભોગવી લઈશ પછી સમય આવ્યે તેઓ મારાથી મુક્ત થઈ સુખી થઈ જશે.‘</p>
<p>કંઈક આવા હતા મારા રામ.</p>
<p>મારા રામ, તમારા રામ... સૌના રામ.</p>
<p>મારા રામ માટે હું સમજું અને વર્ણવું એટલું ઓછું છે. જીવનકાળ ઘટી પડશે મને કદાચ એમને સમજતા.</p>
<p>આવો ભક્તિ કરીએ મારા પ્રભુ શ્રી રામની.</p>
<p>જય સીયારામ</p>
<p>(સુદામા)</p>]]></content:encoded>
                
                                                            <category>Divinity</category>
                                    

                <link>https://www.khabarchhe.com/divinity/my-ram/article-162907</link>
                <guid>https://www.khabarchhe.com/divinity/my-ram/article-162907</guid>
                <pubDate>Wed, 17 Apr 2024 13:11:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-04/1713338120ud.jpg"                         length="924212"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[UD]]></dc:creator>
                            </item>
            <item>
                <title>પ્રાચીન યુગનો વેલેન્ટાઇન ડે એટલે વસંત પંચમી, જાણો આજના દિવસનો મહિમા</title>
                                    <description><![CDATA[<p>સંવત 2080 મહા સુદ પાંચમ તા.14-02-2024, મંગળવારના દિવસે વસંત પંચમી એટલે કે સરસ્વતી માના પૂજનનો મહાપર્વ ઊજવવામાં આવે છે. આ દિવસથી વસંત ઋતુ પ્રારંભ થાય છે.</p>
<p><strong><em>યા દેવી સર્વ ભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા ।</em></strong></p>
<p><strong><em>નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ।।</em></strong></p>
<p>મા સરસ્વતીના પૂજન અર્ચન માટે આ દિવસ વિશેષ મહત્ત્વનો હોય છે. હિન્દુ પરિવારોમાં દરેક ધાર્મિક સ્થળો પર તેમજ અનેક વિદ્યાલયોમાં વસંત પંચમીના દિવસે ધામધૂમથી મા સરસ્વતીનું પૂજન અને વંદન કરવામાં આવે છે. ખરેખર આ દિવસથી વિદ્યાભ્યાસનો પણ પ્રારંભ કરવાનું શાસ્ત્રમાં મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. મા સરસ્વતી દેવી વિદ્યાની દેવી હોવાની સાથે સાથે વાણીની પણ દેવી  છે. જેમના પણ મા સરસ્વતી</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/divinity/importance-of-vasant-panchami-01/article-161463"><img src="https://www.khabarchhe.com/media/400/2024-02/1707894579photo-(2).jpg" alt=""></a><br /><p>સંવત 2080 મહા સુદ પાંચમ તા.14-02-2024, મંગળવારના દિવસે વસંત પંચમી એટલે કે સરસ્વતી માના પૂજનનો મહાપર્વ ઊજવવામાં આવે છે. આ દિવસથી વસંત ઋતુ પ્રારંભ થાય છે.</p>
<p><strong><em>યા દેવી સર્વ ભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા ।</em></strong></p>
<p><strong><em>નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ ।।</em></strong></p>
<p>મા સરસ્વતીના પૂજન અર્ચન માટે આ દિવસ વિશેષ મહત્ત્વનો હોય છે. હિન્દુ પરિવારોમાં દરેક ધાર્મિક સ્થળો પર તેમજ અનેક વિદ્યાલયોમાં વસંત પંચમીના દિવસે ધામધૂમથી મા સરસ્વતીનું પૂજન અને વંદન કરવામાં આવે છે. ખરેખર આ દિવસથી વિદ્યાભ્યાસનો પણ પ્રારંભ કરવાનું શાસ્ત્રમાં મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. મા સરસ્વતી દેવી વિદ્યાની દેવી હોવાની સાથે સાથે વાણીની પણ દેવી  છે. જેમના પણ મા સરસ્વતી પ્રસન્ન થાય છે, તેમનામાં સ્મરણ શકિત અને જ્ઞાનતંતુઓની ક્ષમતા અદ્દભુત હોય છે. આ સંગીતની દેવી મા સરસ્વતીની ઉપાસના કરવાનો વસંત પંચમી શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસોમાં શીતળ વાયુનો પ્રવાહ વહે છે. ખેતરમાં સરસવનાં પીળાં ફૂલ લહેરાય છે. ચારેય બાજુ વૃક્ષ અને છોડમાં નવાં પાંદડાં આવે છે. આ ભારતીય સંસ્કૃતિમાં આ દિવસને યુવક-યુવતીઓ માટે વિવાહ લગ્નની દૃષ્ટિએ વેલેન્ટાઇન ડેની જેમ મહત્ત્વ આપવામાં આવ્યું છે. આ દિવસે સફેદ અને પીળાં વસ્ત્રોથી મા સરસ્વતીનું શૃંગાર કરવામાં આવે છે. કેસરીયા ભાત અને પીળી મીઠાઈનું વિશેષ નૈવેદ્ય ધરાવી ધૂપ દીપ પુષ્પ દ્વારા પૂજન કરી વંદન કરવામાં આવે છે.</p>
<p><strong><em><u>મા સરસ્વતીની પૂજા કરી વિશેષ ફળ પ્રાપ્તિ કરી શકાયો</u></em></strong></p>
<p>બૌદ્ધિક વિકાસ માટે વસંતપંચમીના દિવસે મા સરસ્વતી દેવીનો <em><strong>ૐ ઐં હ્રીં કલીં મહા સરસ્વત્યૈ નમઃ</strong></em> મંત્રનો જપ વિશેષ લાભદાયી હોય છે. આ દિવસે મંત્ર જપ ચાલુ કરી સંપૂર્ણ વર્ષ દરમિયાન મંત્ર જપ કરી શકાય. આ દિવસથી દામ્પત્યજીવનના વિવાદ ટાળવા માટે પારિવારિક મધુરતા વધારવા માટે વિદ્યાર્થીઓમાં એકાગ્રતા વધે એ માટે શાસ્ત્રમાં અર્ગલા સ્તોત્ર અને કીલક સ્તોત્રના પાઠ કરવાનું અને સફેદ વસ્ત્ર દાન કરવાનું પણ ઉલ્લેખ કરવામાં આવ્યું છે.</p>
<p>સંગીત ક્ષેત્રમાં વિશેષ સફળતા પ્રાપ્ત કરવા માટે મા સરસ્વતી દેવીના <em><strong>હ્રીં વાગ્દેવ્યૈ હ્રીં હ્રીં નમઃ</strong></em> મંત્રનો જપ કરવા લાભદાયી રહે તેમજ મધનું નૈવેદ્ય ધરાવવું એવું શાસ્ત્રમાં ઉલ્લેખ છે.</p>
<p><strong><em><u>વસંત પંચમી: પ્રાચીન યુગનો વેલેન્ટાઇન ડે</u></em></strong></p>
<p>ભારતીય સંસ્કૃતિમાં જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે ઋતુઓને છ ભાગમાં વહેંચવામાં આવી છે. તેમાં એક વસંત ઋતુ છે. વસંત ઋતુ શરૂ થતાંની સાથે પ્રકૃતિમાં પંચતત્ત્વ વધુ ઉર્જામય બને છે, જેથી મનુષ્ય પશુ-પક્ષી વધુ ઉત્સાહી થઈ જાય છે. વૃંદાવન મથુરા, બરસાનામાં ભગવાન કૃષ્ણને મા રાધાના પ્રેમ વિશેની ચર્ચાઓ શરૂ થઈ જાય છે અને ખૂબ જ આનંદ સાથે નાચ ગાન કરતાં કરતાં વેલેન્ટાઈન ડેની જેમ આ દિવસને ખૂબ ધામધૂમથી ઊજવવામાં આવે છે. બે મિત્રો, પતિ-પત્ની, ગુરુ - શિષ્ય એકબીજાને ભેટ, પુષ્પ દ્વારા આત્મીયતા દર્શાવે છે.</p>
<p>જ્યોતિષાચાર્ય ડૉ. મહેશ દશોરાએ વધુમાં જણાવ્યું હતું કે, મા સરસ્વતીનું અનેક નામો દ્વારા પૂજન કરવામાં આવે છે. મા શારદા, મા વીણાવાદિની, મા વાગ્દેવી, મા વિદ્યાદેવીનાં નામોથી પૂજન કરી આ દિવસને મા સરસ્વતીના જન્મોત્સવના રૂપમાં ખૂબ જ ધામધૂમથી ઊજવવામાં આવે છે. પ્રાકૃતિક વાતાવરણ બદલાતાં માનસિક પ્રફુલ્લતા સ્વતઃ વધે છે. પૃથ્વી પર ઋતુ પરિવર્તનના પ્રભાવના કારણે સર્જનાત્મક શક્તિ વધે છે. આ દિવસે સંપૂર્ણ વર્ષ દરમિયાન વધુ પ્રગતિ કરવા માટે ભાવિ જીવનને સફળ બનાવવા માટે નવા વિચારો દ્વારા નવું સંકલ્પ કરવાનું મહત્ત્વ છે.</p>
<p>વસંત પંચમીને ફક્ત ઋતુઓની રાણી જ નહીં પણ વિદ્યા, પ્રેમ અને જ્ઞાનને ગતિશીલ બનાવવા માટે વિશેષ મહત્ત્વ આપી શકાય. આ દિવસે મા શારદાની પૂજા કરી શકાય. વેદના અધ્યયન શરૂ કરવાનું, યુવક યુવતીઓ માટે શુભવિવાહ લગ્ન કરવાનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરવાનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે.</p>
<p>ખરેખર પ્રેમના પૂર્ણ યોગી ભગવાન કૃષ્ણની પૂજા કરવાનું, ભગવાન કૃષ્ણ અને રાધાના સ્નેહ સ્વરૂપનું દર્શન કરી પારિવારિક જીવનનું વધુમાં વધુ મધુર બનાવવા માટે સમગ્ર માનવજાતિને એકતાનો સંદેશ આપવા માટે ભગવાન રાધાકૃષ્ણની પૂજા કરવાનું મહત્ત્વ બતાવ્યું છે.</p>
<p><strong><em><u>વસંત પંચમીના દિવસે મા સરસ્વતીની પૂજા કઈ રીતે કરવી</u></em></strong></p>
<p>મા સરસ્વતીની મૂર્તિ અથવા ફોટોને બાજઠ પર પીળું વસ્ત્ર પાથરી ચોખાનું અષ્ટદળ બનાવી સ્થાપન કરવું. મા સરસ્વતીના આગળના ભાગમાં ભગવાન ગણપતિજીની સ્થાપના કરવી. મા સરસ્વતીની પાછળના ભાગમાં આજુબાજુ પીળાં પુષ્પ સજાવવાં. ઘઉં, જવના જવારા પણ આજુબાજુમાં મૂકી શકાય. ત્યારબાદ લાલ પેન, કલમ, પુસ્તક, નોટબુક પાસે મૂકવી અને ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય દ્વારા પૂજા અર્ચના કરી મા સરસ્વતીની આરતી કરવી.</p>
<p><strong><em>શુભારતિઃ પ્રકર્ત્તાવ્યા વસન્તોજ્જવલભૂષણ</em></strong></p>
<p><strong><em>નૃત્માના શુભા દેવી સમસ્તાભરણૈર્યુતા</em></strong></p>
<p><strong><em>વીણા વાદનશીલા ચ મદકર્પૂરચર્ચિતા</em></strong></p>
<p><strong><em>કામદેવસ્તુ કર્ત્તવ્યો રૂપેણાપ્રતિમો ભુવિ ।</em></strong></p>
<p><strong><em>અષ્ટબાહુઃ સ કર્ત્તવ્યઃ શંખ પદ્મવિભૂષણઃ ।।</em></strong></p>
<p><strong><em>ચાપબાણકરશ્ચેવ મદાદઞ્ચિતલોચનઃ ।।</em></strong></p>
<p><strong><em>રતિઃ પ્રતિસ્તથા શક્તિર્મદશક્તિ-સ્તથોજ્જવલા ।।</em></strong></p>
<p><strong><em>ચતષસ્તસ્ય કર્ત્તવ્યાઃ પત્ન્યો રૂપમનોહરાઃ ।</em></strong></p>
<p><strong><em>ચત્વાશ્ચ કરાસ્તસ્ય કાર્યા ભાર્યાસ્તનોપગાઃ ।।</em></strong></p>
<p><strong><em>કેતુશ્ચ મકર: કાર્યઃ પંચબાણમુખો મહાન ।।</em></strong></p>
<p>આ રીતે મા સરસ્વતીની કામદેવનું ધ્યાન કરી પુષ્પાદિ અર્પણ કરી પૂજન કરવું આ દિવસે ખેડૂતો અન્ન ગોળ અને ઘીનું મિશ્રણ કરીને હવન પણ કરે છે.</p>
<p><strong><em><u>વસંત પંચમી અને પૌરાણિક કથા</u></em></strong></p>
<p>પૌરાણિક કથા મુજબ ભગવાન વિષ્ણુના નિર્દેશનથી બ્રહ્માજીએ મનુષ્યની ઉત્ત્પતિ કરી છતાં સંતોષ ન થતાં બ્રહ્માજીએ પોતાના કમંડળમાંથી પૃથ્વી પર પાણી છાંટ્યું, જેથી પૃથ્વી પર કંપન પેદા થયું અને અદ્દભુત શકિતના રૂપમાં ચર્તુભુજધારી મા સરસ્વતીની ઉત્ત્પતિ થઈ. મા સરસ્વતીના એક હાથમાં વીણા, બીજા હાથમાં વરદ મુદ્રા, ત્રીજા હાથમાં પુસ્તક અને ચોથા હાથમાં માળા હતી. મા દેવીએ વીણાથી મધુર નાદ કર્યું. જેનાથી સમસ્ત જીવ જંતુઓને વાણી પ્રાપ્ત થઈ તેથી મા સરસ્વતીને વાણીની દેવી કહેવામાં આવે છે. પુરાણોના ઉલ્લેખ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણે પણ મા સરસ્વતીને વરદાન આપ્યું હતું કે વસંત પંચમીના દિવસે તમારી આરાધના કરવાથી લોકોને વિશેષ વિદ્યા પ્રાપ્ત થશે.</p>
<p><strong><em><u>પુરાણોમાં મા સરસ્વતી દેવીનો મહિમા</u></em></strong></p>
<p>મત્સ્ય પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, માર્કણ્ડેયપુરાણ, સ્કંધપુરાણ, વિષ્ણુર્મોત્તરપુરાણ તથા અન્ય ગ્રંથોમાં પણ મા સરસ્વતી દેવીના મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે.</p>
<p>આ ગ્રંથોમાં મા સરસ્વતી દેવીને સતરૂપા, શારદા, વીણપાણિ, વાગ્દેવી, ભારતી, પ્રજ્ઞાપારમિતા, વાગીશ્વરી તથા હંસ વાહિની વગેરે નામોથી વંદન કરવામાં આવ્યું છે. સરસ્વતી સ્તોત્રમાં શ્વેતાબ્જ પૂર્ણ વિમલાસન સંસ્થિતે એટલે કે સફેદ કમળ પર બિરાજમાન અથવા સફેદ હંસ પર બિરાજમાન દેવીના રૂપમાં વર્ણન જોવા મળે છે.</p>
<p>દુર્ગા શપ્તસતિ એટલે કે ચંડીપાઠમાં આદિશક્તિના સ્વરૂપને મહાકાલી, મહાલક્ષ્મીના રૂપમાં વર્ણન કર્યું છે. ચંડીપાઠમાં 13માંથી 8 અધ્યાયમાં મા સરસ્વતીનું વિશેષ વર્ણન જવા માળે છે. એનાથી શબ્દ શકિત, શબ્દ ધ્વનિ જ્ઞાનનું આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે. મા સરસ્વતી દેવી અદૃશ્ય રૂપમાં વાણીના રૂપમાં જીભ પર બિરાજમાન હોય છે. આ ઋતુમાં કોયલના મધુર મધુર અવાજથી દરેક માનવીના જીવનમાં આનંદની અનુભુતિ થાય છે, જેથી વસંતપંચમીના દિવસે મા સરસ્વતીની આરાધના કરી કૃતાર્થ થઈએ સમયસર નિર્ણય લેવા માટે સરસ્વતી ઉપાસનાનું મંત્રોનું ખૂબ જ મહત્ત્વ છે.</p>
<p>વિદ્યાની દેવી મા સરસ્વતી દ્વારા વાણીના ઉદ્દભવ સ્થાનમાં સ્વર અને વ્યંજનનું ખૂબ જ મહત્ત્વ છે. બ્રહ્માંડની રચનાની સાથે જ શરૂઆતમાં સ્વર ધ્વનિની શરૂઆત થઈ હતી. આજે આપણે સૌ ૐ મંત્રનું ઉચ્ચારણ કરીએ છીએ, ત્યારે એના પણ ગંભીરતાથી વિચાર કરીએ તો ૐ બોલતી વખતે જીભનું કંઈ જ કામ હોતું નથી. ખાસ કરીને શરૂઆતમાં ત્રણ ધ્વનિઓ પ્રકટ થઈ તેમાં જેને આપણે નાદબ્રહ્મ કહીએ છીએ તેમાં અ. ઉ. મ. મુખ્ય છે. આ ત્રણ ધ્વનિઓ સાથે જોડાઈને અનેક ધ્વનિઓ ઉત્પન્ન થાય છે, જેમાં જીભનો પણ ઉપયોગ કરવામાં આવે છે, માટે સરસ્વતી મંત્ર <em><strong>ૐ ઐં ૐ</strong></em> મંત્રનો મહત્ત્વ વધી જાય છે. આ મંત્રના ઉચ્ચારણ માત્રથી સમસ્ત વાતાવરણમાં સકારાત્મક ઊર્જા પેદા થાય છે. જ્ઞાનતંતુઓની ક્ષમતા વધે છે. સ્મરણશક્તિમાં વધારો થાય છે, જેથી ખરેખર દરેકે દરેક મા સરસ્વતીમાં માનનારા વ્યક્તિઓએ પોતાની નિર્ણયશક્તિ વધારવા માટે સતત <em><strong>ૐ ઐં ૐ</strong></em>નો મંત્રજાપ કરતાં રહેવું જોઈએ.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Festival</category>
                                            <category>Divinity</category>
                                    

                <link>https://www.khabarchhe.com/divinity/importance-of-vasant-panchami-01/article-161463</link>
                <guid>https://www.khabarchhe.com/divinity/importance-of-vasant-panchami-01/article-161463</guid>
                <pubDate>Wed, 14 Feb 2024 12:41:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2024-02/1707894579photo-%282%29.jpg"                         length="937409"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>શુભ કાર્ય કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ એટલે અખાત્રીજ</title>
                                    <description><![CDATA[<p>અક્ષય તૃતીયાના શુભ દિવસે ભગવાન નર-નારાયણ, ભગવાન પરશુરામ, ભગવાન શંકર- પાર્વતી દેવી, ભગવાન હયગ્રીવની પુજા આરાધના કરી અક્ષય, સમૃદ્ધિ, સંપત્તિ પ્રાપ્ત કરીએ. આ દિવસે અક્ષય કળશની પુજા કરી સોનું, ચાંદી, વાહન શુભ-લાભ-અમૃતના ચોઘડિયામાં ખરીદવું લાભદાયી લગ્ન, ગૃહ પ્રવેશ, વસ્ત્ર આભૂષણોની ખરીદી કે જમીન કે મકાન વગેરેની ખરીદી માટે શ્રેષ્ઠ દિવસ. આ દિવસે બધા જ શુભ કાર્યો કરી શકાય. </p>
<p>મુહૂર્ત ગ્રંથ પ્રમાણે અખાત્રીજ વૈશાખ સુદ ત્રીજના દિવસે હોય છે. આ અખાત્રીજને અક્ષય તૃતીયા પણ કહેવામાં આવે છે. સનાતન ધર્મ અને હિન્દુ ધર્મમાં આ તહેવારોનું ખૂબ જ મહત્ત્વ છે. આ દિવસે તમામ મુહૂર્ત શુભ ગણાય છે. આ દિવસે કરાતા કોઇપણ મંગલ કાર્ય</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/astro-and-religion/akhatrij-is-the-best-day-to-do-good-deed/article-153881"><img src="https://www.khabarchhe.com/media/400/2023-04/1682083673101.jpg" alt=""></a><br /><p>અક્ષય તૃતીયાના શુભ દિવસે ભગવાન નર-નારાયણ, ભગવાન પરશુરામ, ભગવાન શંકર- પાર્વતી દેવી, ભગવાન હયગ્રીવની પુજા આરાધના કરી અક્ષય, સમૃદ્ધિ, સંપત્તિ પ્રાપ્ત કરીએ. આ દિવસે અક્ષય કળશની પુજા કરી સોનું, ચાંદી, વાહન શુભ-લાભ-અમૃતના ચોઘડિયામાં ખરીદવું લાભદાયી લગ્ન, ગૃહ પ્રવેશ, વસ્ત્ર આભૂષણોની ખરીદી કે જમીન કે મકાન વગેરેની ખરીદી માટે શ્રેષ્ઠ દિવસ. આ દિવસે બધા જ શુભ કાર્યો કરી શકાય. </p>
<p>મુહૂર્ત ગ્રંથ પ્રમાણે અખાત્રીજ વૈશાખ સુદ ત્રીજના દિવસે હોય છે. આ અખાત્રીજને અક્ષય તૃતીયા પણ કહેવામાં આવે છે. સનાતન ધર્મ અને હિન્દુ ધર્મમાં આ તહેવારોનું ખૂબ જ મહત્ત્વ છે. આ દિવસે તમામ મુહૂર્ત શુભ ગણાય છે. આ દિવસે કરાતા કોઇપણ મંગલ કાર્ય માટે યોગ, ગ્રહ, નક્ષત્ર જોવાની જરૂર હોતી નથી. </p>
<p>આ અક્ષય તૃતિયાના દિવસે સોના-ચાંદીની ખરીદીની સાથે સાથે પ્રોપર્ટી બૂક કરાવવી હોય, ખરીદવી હોય તે માટે પણ દિવસ શ્રેષ્ઠ છે.</p>
<p>અખાત્રીજ એટલે કદી ક્ષય ન થનારી તિથિ. આ દિવસે કરાયેલા દાન પુણ્ય, હવન, જપનો વિશેષ મહત્ત્વ છે. આ દિવસે સતયુગ તેમજ ત્રેતાયુગનો પ્રારંભ થયો હતો એવું શાસ્ત્રમાં ઉલ્લેખ છે તેનાથી એને યુગાદિ તિથિ પણ કહેવામાં આવે છે. આ દિવસે નર-નારાયણ, હયગ્રીવ અને ભગવાન પરશુરામનો અવતાર થયો હતો. આ દિવસે ભારતમાં અનેક શહેરોમાં મેળાઓ, શોભાયાત્રાના આયોજન પણ થાય છે. </p>
<p>અખાત્રીજ સ્વયં સિદ્ધિ મુહૂર્ત છે. આ દિવસે વિવાહ-લગ્ન, વ્યવસાયનો શુભારંભ, ગૃહ પ્રવેશ, સોના-ચાંદી, વસ્ત્રાલંકારની ખરીદી કરી શકાય. આ દિવસથી વર્ષમાં તેજી-મંદી (કોમોડીટી) કેવી રહેશે તે વિશે ગણતરી કરવામાં આવતી હોય છે. અખાત્રીજના દિવસે આર્થિક સમૃદ્ધિ વધારવા માટે મહાલક્ષ્મીજીની ઉપાસના પણ કરવામાં આવતી હોય છે. જન્મકુંડળીના ગ્રહયોગો પ્રમાણે વિવાહ-લગ્નમાં વિલંબ યોગ બનતાં હોય તો આદિવસે ભગવાન શિવજી-મા પાર્વતી દેવીનું વિધીવત પૂજન કરી તાંબા અથવા માટીના કળશમાં પાણી ભરી પુષ્પ, ફળ, ગંધ, તલ અને અન્નવસ્ત્ર સાથે કળશ શિવ મંદિરે મૂકવામાં આવે છે અને માં પાર્વતી દેવીના ૐ કલીમ્‍ કલીમ્‍ નમઃ મંત્રના જપ કરી મનોવાંચ્છિત કન્યા-વર પ્રાપ્તિ માટે ઉપાસના કરવામાં આવતી હોય છે. આ દિવસે શુભ કાર્યો માટે મુહૂર્ત આ પ્રમાણે છે.</p>]]></content:encoded>
                
                                                            <category>Astro and Religion</category>
                                            <category>Divinity</category>
                                    

                <link>https://www.khabarchhe.com/astro-and-religion/akhatrij-is-the-best-day-to-do-good-deed/article-153881</link>
                <guid>https://www.khabarchhe.com/astro-and-religion/akhatrij-is-the-best-day-to-do-good-deed/article-153881</guid>
                <pubDate>Sat, 22 Apr 2023 08:15:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2023-04/1682083673101.jpg"                         length="88089"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>અંબાજી નજીક કોટેશ્વર મંદિરમાં ગંગા આરતીની જેમ સરસ્વતી નદીની આરતી થશે</title>
                                    <description><![CDATA[<p>દેશમાં ગંગા જેવી પવિત્ર નદીની આરતી થાય છે તેમ ગુજરાતમાં સરસ્વતી નદીની આરતી થાય તેવું આયોજન ઉત્તર ગુજરાતમાં કરવામાં આવ્યું છે. અંબાજી પાસે આવેલા કોટેશ્વર મંદિર પાસે સરસ્વતી આરતી થાય તે માટેના એક પ્રોજેક્ટ પર જિલ્લા કલેક્ટર તંત્ર કામ કરી રહ્યું છે. કોરોના કેસો હળવા થતાં આરતીનો પ્રારંભ કરવામાં આવશે. સરસ્વતી નદીના ઉદ્દગમ સ્થાન ગણાતા કોટેશ્વરમાં ગંગા આરતીની જેમ સરસ્વતી આરતીનું આયોજન કરવા માટે આ મંદિર પરિસર અને તેની આસપાસના વિસ્તારને વિકસિત કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. રામ મંદિર અને દેશ વિદેશમાં સ્થાપત્યના વિશેષજ્ઞ સીબી સોમપુરા કોટેશ્વર ધામના વિકાસ માટે સેવા આપનાર છે.</p>
<p>આ યાત્રાધામના વિકાસ માટે કોટેશ્વર મહાદેવ મંદિર</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/divinity/in-the-koteshwar-temple-near-ambaji-the-aarti-of-the-river-saraswati-will-be-like-the-ganga-aarti/article-128885"><img src="https://www.khabarchhe.com/media/400/2022-01/1643097592tample.jpg" alt=""></a><br /><p>દેશમાં ગંગા જેવી પવિત્ર નદીની આરતી થાય છે તેમ ગુજરાતમાં સરસ્વતી નદીની આરતી થાય તેવું આયોજન ઉત્તર ગુજરાતમાં કરવામાં આવ્યું છે. અંબાજી પાસે આવેલા કોટેશ્વર મંદિર પાસે સરસ્વતી આરતી થાય તે માટેના એક પ્રોજેક્ટ પર જિલ્લા કલેક્ટર તંત્ર કામ કરી રહ્યું છે. કોરોના કેસો હળવા થતાં આરતીનો પ્રારંભ કરવામાં આવશે. સરસ્વતી નદીના ઉદ્દગમ સ્થાન ગણાતા કોટેશ્વરમાં ગંગા આરતીની જેમ સરસ્વતી આરતીનું આયોજન કરવા માટે આ મંદિર પરિસર અને તેની આસપાસના વિસ્તારને વિકસિત કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. રામ મંદિર અને દેશ વિદેશમાં સ્થાપત્યના વિશેષજ્ઞ સીબી સોમપુરા કોટેશ્વર ધામના વિકાસ માટે સેવા આપનાર છે.</p>
<p>આ યાત્રાધામના વિકાસ માટે કોટેશ્વર મહાદેવ મંદિર અને તેને સંલગ્ન મિલકત તેમજ જમીનનો કબજો બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે લીધો છે. આ મિલકતોમાં પરિસર, ગૌમુખ, વાલ્મિકી આશ્રમ, ગૌશાળા અને ખેતીની જમીનનો સમાવેશ થાય છે.</p>
<p>કોટેશ્વર મહાદેવ મંદિર તથા સંલગ્ન જગ્યાઓમાં યાત્રિકો માટેની પાયાની સુવિધા જેવી કે પાર્કિંગ, મંદિર તથા આશ્રમ સુધી જવાનો રસ્તો, સ્ટ્રીટ લાઈટ, પીવાના પાણીની સગવડ, શૌચાલય વિગેરે સુવિધાઓ ઉભી કરવાનું આયોજન આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. </p>
<p>આ જગ્યાએ રિનોવેશન કરી જૂના બિનજરૂરી સ્ટ્રક્ચર કાઢી નાંખવામાં આવશે. મંદિરમાં બગીચાનું નિર્માણ કરાશે. ધર્મશાળાનું જર્જરીત માળખું કાઢીને સરસ્વતી નદીના ઉદ્દગમ સ્થાનનું ધાર્મિક મહત્વ ધરાવતી થીમ પર સરસ્વતીની મૂર્તિ ઉભી કરાશે. આ વિસ્તારમાં એક્વાયર કરવામાં આવેલી ખેતીની જમીનમાં આયુર્વેદિક ઉદ્યાન બનાવવાનું પણ આયોજન છે. આ જમીન ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવાશે. </p>
<p>અંબાજી નજીક આવેલા કોટેશ્વર ધામમાં અતિ પૌરાણિક શિવાલય છે. સીબી સોમપુરાએ વ્યસ્તતા વચ્ચે આ ધામના વિકાસ માટે જરૂરી સેવાઓ વિનામૂલ્યે આપવાનું કહ્યું છે. તેમની આર્કિટેક્ટની ટીમ દ્વારા ટૂંકસમયમાં કોટેશ્વરમાં સર્વે કરીને માસ્ટર પ્લાન બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટને સરકારની મંજૂરી અર્થે રજૂ કરાશે. સરસ્વતી નદી ભારતીય વૈદિક પરંપરાઓની મુખ્ય નદી પૈકીની એક છે. લુપ્ત સરસ્વતી કોટેશ્વર મહાદેવના મંદિર પાસેથી ગુજરાતમાં પ્રાદુર્ભાવ પામે છે ત્યારે કોટેશ્વર મંદિરનો વિકાસ કરી યાત્રાધામ તરીકે જાણીતું થાય તેવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.</p>]]></content:encoded>
                
                                                            <category>Gujarat</category>
                                            <category>North Gujarat</category>
                                            <category>Divinity</category>
                                    

                <link>https://www.khabarchhe.com/divinity/in-the-koteshwar-temple-near-ambaji-the-aarti-of-the-river-saraswati-will-be-like-the-ganga-aarti/article-128885</link>
                <guid>https://www.khabarchhe.com/divinity/in-the-koteshwar-temple-near-ambaji-the-aarti-of-the-river-saraswati-will-be-like-the-ganga-aarti/article-128885</guid>
                <pubDate>Wed, 26 Jan 2022 09:31:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2022-01/1643097592tample.jpg"                         length="242876"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Gautam Purohit]]></dc:creator>
                            </item>
            <item>
                <title>દેને કો ટુકડા ભલા, લેને કો હરિ નામ...ના નામને સાર્થક કરતા જલારામબાપા</title>
                                    <description><![CDATA[<p>રાજકોટમાં રાણબાઈ અને રૂડબાઈ નામની બે બહેનો રહેતી હતી. ભક્તિભાવવાળી બંને બહેનોને સત્કાર્યથી જગદંબાના હુલામણા નામથી લોકો ઓળખતા હતા. તેમની ખ્યાતિ વીરપુરના જલા ભગત અને સાયલાના લાલા ભગત સુધી પહોંચી. એક જ સમયે બંને ભગતોને થયું કે લાવો બંને બહેનોને મળીએ. બાપા વીરપુરથી અને લાલા સાયલાથી નીકળ્યા. બંને ભગતો રાણબાઈ અને રૂડબાઈના દરવાજે ભેગા થયા.</p>
<p>ભગતો ભેગા થતાં જાણે હરિ અને હરનું મિલન થયું. એકબીજાને રામ રામ કર્યા અને ઘરમાં પ્રવેશ્યા. રાણબાઈ અને રૂડબાઈ બંને ભગતોને જોઈ આનંદિત થઈ. સાંજે બંને ભગતોને વાળુ કરાવ્યું પછી ભગતોએ ભજનની રમઝટ બોલાવી. સમગ્ર ગામમાં આનંદ આનંદ થઈ ગયો. ટેવ પ્રમાણે બંને બહેનો સવારે</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/astro-and-religion/jalaram-jayanti-2021/article-124386"><img src="https://www.khabarchhe.com/media/400/2021-11/163661399021.jpg" alt=""></a><br /><p>રાજકોટમાં રાણબાઈ અને રૂડબાઈ નામની બે બહેનો રહેતી હતી. ભક્તિભાવવાળી બંને બહેનોને સત્કાર્યથી જગદંબાના હુલામણા નામથી લોકો ઓળખતા હતા. તેમની ખ્યાતિ વીરપુરના જલા ભગત અને સાયલાના લાલા ભગત સુધી પહોંચી. એક જ સમયે બંને ભગતોને થયું કે લાવો બંને બહેનોને મળીએ. બાપા વીરપુરથી અને લાલા સાયલાથી નીકળ્યા. બંને ભગતો રાણબાઈ અને રૂડબાઈના દરવાજે ભેગા થયા.</p>
<p>ભગતો ભેગા થતાં જાણે હરિ અને હરનું મિલન થયું. એકબીજાને રામ રામ કર્યા અને ઘરમાં પ્રવેશ્યા. રાણબાઈ અને રૂડબાઈ બંને ભગતોને જોઈ આનંદિત થઈ. સાંજે બંને ભગતોને વાળુ કરાવ્યું પછી ભગતોએ ભજનની રમઝટ બોલાવી. સમગ્ર ગામમાં આનંદ આનંદ થઈ ગયો. ટેવ પ્રમાણે બંને બહેનો સવારે વહેલી ઉઠી, પરંતુ બંને ભગતોને ઘસઘસાટ ઉંઘતા જોઈ ઘરકામ માંડી વાળી પહેલા ઢોર ચરાવવા નીકળી પડી. થોડીવાર પછી પ્રથમ જલારામ બાપાની નીંદર ઉડી. ભગવાનનું નામ લઈ ઘરમાં આંટો માર્યો. ત્યારે જોયું તો ઘંટી પાસે દોઢેક મણનું દળણું પડેલું હતું. બાપાએ વિચાર્યુ બંને બહેનો થાકીપાકી આવશે પછી દળશે ક્યારે? આથી દળવાનું શરૂ કર્યું અને દળતા દળતા પ્રભાતિયા ગાવા લાગ્યા.</p>
<p>બાપાના પ્રભાતિયાથી લાલા ભગત જાગી ગયા. તેઓ પણ બાપા સાથે બેસી દળવા લાગ્યા. જોતજોતામાં દળણું દળાઈ ગયું. રાણબાઈ અને રૂડબાઈ ઘરે આવીને જુએ તો દળણું દળાઈ ગયું હતું. તેમણે તરત જ ભગતોને કહ્યું બાપા આ શું કર્યું? બાપાએ કહ્યું કે થયું તમે બંને દીકરીઓ રોજ કામ કરો તો આજે અમે કર્યું. આમ બંને સિદ્ધ સંતો હોવા છતાં અભિમાન વગર જ્યાં જાય ત્યાં કામ કરે. એકવાર ગોમેટા ગામના દેવશી પટેલના છોકરાને સીમમાં નાગ કરડ્યો. છોકરો ત્યાં જ પડી ગયો. ત્યાંથી પસાર થતાં એક રહેવાસીએ જોયું અને ગામમાં બોલાવવા દોડ્યો. દેવશીભાઈ બે મિત્રો સાથે છોકરાને ઝોળીમાં નાંખી ધરે લઈ ગયા. ત્યારબાદ બાપા પાસે આવી કહ્યું દીકારને નાગ કરડ્યો છે અને ઝેર ખુબ ચડી ગયું છે. બાપાએ બાજુમાં પડેલો અલગારી બાવાનો ચીપિયો લીધે અને ભીમાને કહ્યું કે લે ભીમા આ ચીપિયો અને ત્રણવાર રામ બોલી છોકરા પર ફેરવી દેજે.</p>
<p>ભીમાએ છોકરા પાસે જઈ રામનામ બોલી ચીપિયો ફેરવતા જ છોકરો ઉભો થઈ ગયો. બધાએ બાપાનો જયકારો બોલાવ્યો. આવી જ રીતે બાપાની ખ્યાતિ સાંભળી ત્રણ આરબ વીરપુર આવ્યા. બાપાએ સદાવ્રતમાં તેમને ભોજન માટે બોલાવ્યા, પરંતુ તેમણે પોતાની બેગમાં મરેલા પક્ષીઓ રાખ્યા હતા. આથી શરમાઈને એકબીજાને જોવા લાગ્યા. ત્યાંજ બાપાએ કહ્યું કે આ પક્ષીઓ કેમ બેગમા મુકી રાખ્યા છે. તેમને છોડી દો. બાપાના કહેવાથી તેમણે જેવી બેગ ખોલી તેવા જ મરેલા પક્ષીઓ જીવતા થઈ પાંખ ફફડાવતા ઉડી ગયા. આવા વીરપુરના સંત જલારામ બાપાનો જન્મ કારતક સુદ સાતમ 1799માં થયો હતો.</p>
<p>16 વર્ષની ઉંમરે લગ્ન કર્યા અને 18 વર્ષની ઉંમરે ગુરુ ભોજલરામ મળ્યા. તેમણે સદાવ્રત શરૂ કરવાનો આદેશ કર્યો. બાપાએ 24 કલાક સાધુ સંતોની સેવા કરતા રામનામ જપ્યું અને લોકોની સેવા કરતા. 20 વર્ષની ઉંમરે તેમની ખ્યાતિ બધે ફેલાઈ ગઈ. 23 ફેબ્રુઆરી 1881માં તેમણે 81 વર્ષની ઉંમરે સમાધિ લીધી. બાપાએ શરૂ કરેલું સદાવ્રત આજેપણ ભૂખ્યાને ભોજન આપી રહ્યું છે. જલારામ બાપાના વીરપુરના મંદિરમાં એટલા બધા રૂપિયાનું દાન આવતું હતું કે રૂપિયા વ્યાજે મુક્યા બાદ ખર્ચ કરતા પણ વધતા હતા. ત્યારબાદ તેમના વારસદારોએ કોઈપણ ભેટ સ્વીકારવા પર આજે વરસોથી પ્રતિબંધ મુક્યો છે. ભારતમાં કદાચ આ એક જ મંદિર એવું હશે કે જેમાં તેમના વારસદારોએ ભેટ સ્વીકારવાની મનાઈ કરી છે.</p>]]></content:encoded>
                
                                                            <category>Astro and Religion</category>
                                            <category>Divinity</category>
                                    

                <link>https://www.khabarchhe.com/astro-and-religion/jalaram-jayanti-2021/article-124386</link>
                <guid>https://www.khabarchhe.com/astro-and-religion/jalaram-jayanti-2021/article-124386</guid>
                <pubDate>Thu, 11 Nov 2021 12:41:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2021-11/163661399021.jpg"                         length="63073"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>જન્માષ્ટમી પર કઈ રીતે કરશો ભગવાન કૃષ્ણની આરાધના?</title>
                                    <description><![CDATA[<p>જ્યારે-જ્યારે અસુરોનો અત્યાચાર વધ્યો છે અને ધર્મનું પતન થયું છે, ત્યારે-ત્યારે ભગવાને પૃથ્વી પર અવતાર લઈને સત્ય અને ધર્મની સ્થાપના કરી છે. હાલ, પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. અને શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રિએ અત્યાચારી કંસનો વિનાશ કરવા માટે મથુરામાં ભગવાન કૃષ્ણએ અવતાર લીધો હતો.</p>
<p>ભગવાન સ્વયં આ દિવસે પૃથ્વી પર અવતર્યા હતા, આથી આ દિવસને કૃષ્ણ જન્માષ્ટમી અથવા જન્માષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ભક્તો રાત્રે 12 વાગ્યા સુધી વ્રત કરે છે. મંદિરોમાં હિંડોળા સજાવવામાં આવે છે અને ભગવાન કૃષ્ણને પારણું ઝુલાવવામાં આવે છે. જન્માષ્ટમીનાં દિવસે ભગવાન શ્રીકૃષ્ણની ખાસ પૂજા-આરાધના કરવામાં આવે છે.</p>
<p><strong>કેવી રીતે કરશો વ્રત અને</strong></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/astro-and-religion/shri-krishna-janmashtami-puja/article-120151"><img src="https://www.khabarchhe.com/media/400/2021-08/16302421990.jpg" alt=""></a><br /><p>જ્યારે-જ્યારે અસુરોનો અત્યાચાર વધ્યો છે અને ધર્મનું પતન થયું છે, ત્યારે-ત્યારે ભગવાને પૃથ્વી પર અવતાર લઈને સત્ય અને ધર્મની સ્થાપના કરી છે. હાલ, પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. અને શ્રાવણ વદ આઠમની મધ્યરાત્રિએ અત્યાચારી કંસનો વિનાશ કરવા માટે મથુરામાં ભગવાન કૃષ્ણએ અવતાર લીધો હતો.</p>
<p>ભગવાન સ્વયં આ દિવસે પૃથ્વી પર અવતર્યા હતા, આથી આ દિવસને કૃષ્ણ જન્માષ્ટમી અથવા જન્માષ્ટમી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ભક્તો રાત્રે 12 વાગ્યા સુધી વ્રત કરે છે. મંદિરોમાં હિંડોળા સજાવવામાં આવે છે અને ભગવાન કૃષ્ણને પારણું ઝુલાવવામાં આવે છે. જન્માષ્ટમીનાં દિવસે ભગવાન શ્રીકૃષ્ણની ખાસ પૂજા-આરાધના કરવામાં આવે છે.</p>
<p><strong>કેવી રીતે કરશો વ્રત અને પૂજા</strong></p>
<ul>
<li>ઉપવાસની આગલી રાતે હળવું ભોજન કરીને બ્રહ્રચર્યનું પાલન કરવું.</li>
<li>ઉપવાસનાં દિવસે વહેલી સવારે સ્નાનાદિ વિધી પતાવવી.</li>
<li>ત્યારબાદ સૂર્ય, સોમ, યમ, કાલ, સંધિ, ભૂત, પવન, દીપક, ભૂમિ, આકાશ, ખેચર, અમર અને બ્રહ્માદીને નમસ્કાર કરી પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મોં રાખીને બેસવું,</li>
<li>ત્યારબાદ જળ, ફૂલ, દરોઈ અને ચોખા લઈ સંકલ્પ કરવો-</li>
</ul>
<p><strong>મમખિલપાપપ્રશમનપૂર્વક સર્વાભીષ્ટ સિદ્ધયે</strong></p>
<p><strong>શ્રીકૃષ્ણ જન્માષ્ટમી વ્રતમહં કરિષ્યે।।</strong></p>
<ul>
<li>હવે મધ્યાહ્નનાં સમયે કાળા તલનાં જળથી સ્નાન કરી દેવકીજી માટે સૂતિકાગૃહ નિયત કરો.</li>
<li>પછી ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો.</li>
<li>ત્યારબાદ વિધી-વિધાનથી પૂજા કરવી.</li>
<li>પૂજામાં દેવકી, વાસુદેવ, બલદેવ, નંદ, યશોદા અને લક્ષ્મી આ તમામનાં નામ ક્રમશઃ લઈ નીચે લખેલા મંત્રોચ્ચાર સાથે પુષ્પાંજલિ અર્પણ કરો-</li>
</ul>
<p><strong>પ્રણમે દેવ જનની ત્વયા જાતસ્તુ વામનઃ।</strong></p>
<p><strong>વસુદેવાત તથા કૃષ્ણો નમસ્તુભ્યં નમો નમઃ।</strong></p>
<p><strong>સુપુત્રાર્ધ્યં પ્રદત્તં મેં ગૃહાણેમં નમોસ્તુતે।।</strong></p>]]></content:encoded>
                
                                                            <category>Astro and Religion</category>
                                            <category>Festival</category>
                                            <category>Divinity</category>
                                    

                <link>https://www.khabarchhe.com/astro-and-religion/shri-krishna-janmashtami-puja/article-120151</link>
                <guid>https://www.khabarchhe.com/astro-and-religion/shri-krishna-janmashtami-puja/article-120151</guid>
                <pubDate>Sun, 29 Aug 2021 20:00:00 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2021-08/16302421990.jpg"                         length="98112"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        