<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.khabarchhe.com/magazine--%E0%AA%9F%E0%AB%87%E0%AA%95-%E0%AA%88%E0%AA%9F-%E0%AA%93%E0%AA%B0-%E0%AA%B2%E0%AB%80%E0%AA%B5-%E0%AA%88%E0%AA%9F/category-87339" rel="self" type="application/rss+xml" />
                <generator>Khabarchhe RSS Feed Generator</generator>
                <title>Magazine: ટેક ઈટ ઓર લીવ ઈટ - Khabarchhe</title>
                <link>https://www.khabarchhe.com/category/87339/rss</link>
                <description>Magazine: ટેક ઈટ ઓર લીવ ઈટ RSS Feed</description>
                
                            <item>
                <title>મૃત્યુ વિશે મંથન</title>
                                    <description><![CDATA[<p>જીવન અને મૃત્યુમાં મને મૃત્યુ વધુ પસંદ છે. મૃત્યુ વિશે આમ મારી કોઈ ફિલોસોફી નથી. ફિલોસોફી જીવનની હોય, પૂર્ણવિરામની તે વળી ફિલોસોફી કેવી? મારી સામાન્ય વાતોમાં પણ મૃત્યુની વાતો સહજપણે આવે છે. એનો અર્થ એ નથી થતો કે મને જીવવામાં કોઈ રસ નથી અને મારે મરવું છે. મારે તો છલોછલ જીવવું છે, પણ પૃથ્વી પરના તમામ જીવો સાથે સંકળાયેલી આ અદ્દભુત બાબત મને એના તરફ સતત આકર્ષે છે, મને સતત કુતૂહલ રહે છે મૃત્યુનું! લોકો મૃત્યુ પહેલાની ભૌતિક અને ઠાલી બાબતોમાં રચ્યાંપચ્યાં રહે છે. વળી, શાસ્ત્રો અને ધર્મો મૃત્યુ બાદનું જ્ઞાન આપે છે, પરંતુ મને માત્રને માત્ર મૃત્યુ નામની અવસ્થા</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/magazine--%E0%AA%9F%E0%AB%87%E0%AA%95-%E0%AA%88%E0%AA%9F-%E0%AA%93%E0%AA%B0-%E0%AA%B2%E0%AB%80%E0%AA%B5-%E0%AA%88%E0%AA%9F/churning-thoughts-about-death/article-169064"><img src="https://www.khabarchhe.com/media/400/2017-07/1499671450lemp.jpg" alt=""></a><br /><p>જીવન અને મૃત્યુમાં મને મૃત્યુ વધુ પસંદ છે. મૃત્યુ વિશે આમ મારી કોઈ ફિલોસોફી નથી. ફિલોસોફી જીવનની હોય, પૂર્ણવિરામની તે વળી ફિલોસોફી કેવી? મારી સામાન્ય વાતોમાં પણ મૃત્યુની વાતો સહજપણે આવે છે. એનો અર્થ એ નથી થતો કે મને જીવવામાં કોઈ રસ નથી અને મારે મરવું છે. મારે તો છલોછલ જીવવું છે, પણ પૃથ્વી પરના તમામ જીવો સાથે સંકળાયેલી આ અદ્દભુત બાબત મને એના તરફ સતત આકર્ષે છે, મને સતત કુતૂહલ રહે છે મૃત્યુનું! લોકો મૃત્યુ પહેલાની ભૌતિક અને ઠાલી બાબતોમાં રચ્યાંપચ્યાં રહે છે. વળી, શાસ્ત્રો અને ધર્મો મૃત્યુ બાદનું જ્ઞાન આપે છે, પરંતુ મને માત્રને માત્ર મૃત્યુ નામની અવસ્થા પ્રભાવિત કરે છે. જીવન સામાન્ય લાગે છે, મૃત્યુ અસામાન્ય લાગે છે. શરીરમાંથી જીવ નીકળી ગયા પછી એ શરીર પંચતત્ત્વમાં ભળે ત્યાં સુધીનું સ્થિતપ્રજ્ઞત્વ મને ગમે છે!</p>
<p>જીવનને હરખ છે, એને શોક છે. સ્વાર્થ છે, લોભ છે. કોઈને પામવાની ઝંખના છે, કોઈને પછાડવાની લાલસા છે. જીવન છે ત્યાં સુધી લવ છે, એ છે ત્યાં સુધી પેઈન છે. પણ મૃત્યુમાં આવું કશું નથી હોતું. જીવનનો આલેખ સતત ઉંચો નીચો થયાં કરે છે. મૃત્યુનો આલેખ હંમેશાં સુરેખ રહે છે. જીવન બંધન છે, મૃત્યુ મુક્તિ છે. જીવન આખુ આપણે ઠરીઠામ થઈ જવા મથીએ છીએ, પણ આપણો મેળ નથી પડતો અને મૃત્યુમાં એક જ ઝાટકે સ્થિરતા આવી જાય છે. પરંતુ આપણી એ વક્રતા છે કે, આજીવન સ્થિરતા માટે ઝૂરતા રહેતા આપણે મૃત્યુની પરમ સ્થિરતા સ્વીકારવા તૈયાર નથી. એ મુક્તિ, એ એમ્પ્ટીનેસ સ્વીકારવા તૈયાર નથી. મને એ સ્થિરતા, સુરેખતા, એમ્પ્ટીનેસ અને મુક્તિ ગમે છે. એટલે જ કદાચ મને જીવન કરતા મૃત્યુ વધુ ગમે છે!</p>
<p>લોકો કહે છે, આ ઉંમરે તે કંઈ મૃત્યુની વાતો થતી હશે? આ ઉંમર તો જીવવાની છે. મને એમને પૂછવાનું મન થાય કે, મૃત્યુ ક્યારેય ઉંમર જોઈને આવે છે? મેં મારા કરતા નાના સ્વજનોના મૃત્યુ જોયાં છે. જો મૃત્યુને એવું કોઈ વૈરાગ્ય નથી નડતું તો આપણે શું કામ મૃત્યુનો વિચાર નહીં કરી શકીએ?</p>
<p>મૃત્યુને લોકો ઘણા ખોટા સંદર્ભમાં લેતા હોય છે. કોઈ સ્વજન મૃત્યુ પામે ત્યારે લોકો ‘મેં સ્વજન ગુમાવ્યું’ એમ કહેતા હોય છે. હું એવું માનતો નથી. મૃત્યુ પામેલા દરેક સ્વજનોની સંપૂર્ણ હાજરી મેં મારા વિચારોમાં, મારા કર્મોમાં અને મારા જીવનમાં અનુભવી છે. એ બધા સતત યાદ આવતા રહ્યા છે, ક્યારેક કોઈ બાબતે પ્રેરણા આપતા રહ્યા છે, સાચા-ખોટાનું ભાન કરાવતા રહ્યા છે. તો પછી ગુમાવવું એટલે શું?</p>
<p>એમના શરીરની ગેરહાજરીને સ્વજનને ગુમાવવું કહી શકાય? આંખો આગળ હસતો ચહેરો અચાનક અદૃશ્ય થઈ જાય એને આપણે ગુમાવવું એમ કહેતા હોઈશું? શરીરમાંથી મુક્ત થયેલા જીવના હોવાપણાની સતત પ્રતીતિ હોવા છતાં, એના શરીરની ગેરહાજરીને આપણે ‘લૉસ’ કહીએ છીએ. પણ આ તો નકરો સ્વાર્થ છે. શરીર કામ કરી શકે છે, શરીર મહિને પંદર-પચાસ હજાર રૂપરડી કમાઈ શકે છે, શરીર પ્રેમ કરી શકે છે અને શરીર સેક્સ કરી શકે છે, એટલે આપણને શરીર પ્રત્યે મોહ છે અને એટલે જ જ્યારે કોઈ શરીર નષ્ટ થાય છે ત્યારે આપણે છાતી કૂટી લઈએ છીએ અને થોડું રડી લઈએ છીએ.</p>
<p>મૃત્યુ વિશેનું મારું કોમન ઑબ્ઝર્વેશન છે કે, જનારને ક્યારેય કોઈ રડતું નથી હોતું. બીજાના મૃત્યુ વખતે પણ લોકો પોતાની પીડાનું, પોતાના અભાવોનું રડે છે. હવે ‘મારું’ કોણ?, ‘હું’ એકલો પડી ગયો. ‘મારા’ માથેથી તમારો હાથ ઊઠી ગયો! પણ ‘મારી, મારો, મારું’ની પળોજણમાં જનારનું શું?</p>
<p>જેમ જેમ સમજણ વધતી જાય છે એમ મૃત્યુ મને દુખદ કરતા દિવ્ય વધુ લાગવા માંડ્યું છે. શૂન્ય થઈને પડેલા શરીરની બાજુમાં બેસીને આક્રંદ કરવાનું મન નથી થતું હવે. બસ, જે થોડો ઘણો સમય મળ્યો છે એ સમયમાં એ શરીરને વારંવાર સ્પર્શ કરી લેવાનું મન થાય છે. એ શરીર સાથે જીવાયેલી ક્ષણોને યાદ કરી લેવાનું મન થાય છે. આવે સમયે એમ થાય છે કે, જીવન અને મૃત્યુ વચ્ચે ફરક માત્ર સ્પર્શની અનુભૂતિનો છે. જીવન છે ત્યાં સુધી શરીર છે એટલે ત્યાં સુધી સ્પર્શ છે. એ શરીરને અડકી શકાય છે, એના ખભે ધબ્બો મારી શકાય છે, ક્યારેક એ શરીરને તમાચો મારી શકાય છે, એ શરીર સાથે બેસીને બિયરના ગ્લાસ ટકરાવીને ચિયર્સ કરી શકાય છે, એના હોઠોમાં આપણા હોઠ ભીડીને એને ચુંબન કરી શકાય છે. પણ મૃત્યુ પછી એ જીવ આપણી સાથે હોવા છતાં પણ આવું કશું કરી શકાતું નથી.</p>
<p>આવા સમયે શૂન્ય થઈને પડેલા એ નશ્વરને એમ કહેવાનું મન થઈ આવે છે કે, તારા શરીર સાથેની મારી યાત્રા બસ અહીં સુધીની જ! હવે તું સંપૂર્ણ છે અમે હજુ ય અપૂર્ણ રહેવાના. તું તો તૃપ્ત થયો, પણ અમારી અતૃપ્તિ ક્યાં સુધીની છે એની કોઈ જાણ નથી! હવે તું જાય છે ત્યારે તારો આભાર માનવાનું મન થાય છે. આપણે આનંદ-શોકમાં સાથે રહ્યા. એવું તે કયું ઋણાનુબંધન હશે કે, અબજોની ભીડમાં માત્ર તારી સાથે મારે આ યાત્રા કરવાની આવી! પણ ખૈર, આપણા સૌની નિયતિ હોય છે, તને તારી નિયતિ લઈ ગઈ. અમને પણ અમારી નિયતિ ક્યાંક લઈ જશે.</p>
<p>નશ્વરનો આભાર માનતી વખતે હ્રદય થોડું ભીંજાય છે. ક્યારેક એ ભીનાશ આંખને રસ્તે બહાર આવે છે. પણ એવા સમયે પણ જાતને પ્રશ્ન થઈ જાય છે કે, આંખે બાઝેલી આ ઝાકળમાં ક્યાંક મારો સ્વાર્થ તો નથી ને? આ આંસુમાં 'મારું મારું' તો નથી ને? કે એમાં સાથે જીવાયેલી પેલી સુગંધી ક્ષણોનું પ્રતિબિંબ છે? આંખોમાંથી સહજભાવે સરી પડતા એ મોતી પેલા શરીર સાથે કરાયેલી યાત્રાને અર્પણ થઈ જાય છે.</p>
<p>મૃત્યુ વખતનો વિષાદ બસ આટલો જ. આનાથી વિશેષ કશું જ નહીં. આને રીઢાઈ કહેવાતી હશે? કોઈકની દૃષ્ટિએ એમ હોઈ પણ શકે. પણ આ મારી સમજણ છે. જીવન ઉત્સવ હોય તો મૃત્યુ મને મહાઉત્સવ લાગ્યું છે. એનો આનંદ ન હોય તો એનો શોક પણ ના જ હોવો જોઈએ. જીવન અસ્થાયી છે, મૃત્યુ સ્થાયી છે. પણ આપણે એ સ્થાયિત્વ સ્વીકારી શકતા નથી.</p>
<p>મૃત્યુને આપણે વળગણોથી બાંધી દઈએ છીએ. જોકે મૃત્યુ દુનિયાના તમામ વળગણો, ખેવનાઓ, લાલસાથી ઉંચું છે. એને કોઈ બાંધી શકતું નથી. બંધાયેલા તો આપણે હોઈએ છીએ. આપણે આપણી જંજીરોનું રડતા હોઈએ છીએ, આપણે આપણા સ્વાર્થનું કૂટતા હોઈએ.</p>
<p>પણ એ કાગારોળ કરવા કરતા આપણી સાથે થોડી જ પળો માટે રહેલા શરીરનો સહવાસ માણી લેવો જોઈએ. એને નજરભરીને નીરખી લેવું જોઈએ. પછી એ ચહેરો ક્યારેય આપણી સાથે બોલવાનો નથી કે નથી તો એ આપણી સાથે ક્યારેય પ્રવાસ કરવાનો. એનું મુકામ આવી જ ગયું છે તો એને માનપૂર્વક (માન આપવું એટલે ફાજલ રડારોળ તો નહીં જ!) ઝાંપા સુધી વળાવી આવવો જોઈએ. ચિતા પર એ દેહને મૂકાય ત્યારે એની સમીપ રહેવું જોઈએ. એની સાથેનું એ છેલ્લું સામીપ્ય માણી લેવું જોઈએ.</p>
<p>પછી તો એ શરીરને અગ્નિ સ્પર્શે છે, ધીરે ધીરે શરીર અદૃશ્ય થવા માંડે છે. પંચતત્ત્વમાંથી ઉદભવેલું એ શરીર ફરી પંચતત્ત્વમાં ભળવા માંડે છે. અને એક ક્ષણે આપણી સહયાત્રા સમાપ્ત થાય છે. બસ, ત્યાં જ વાત પૂરી થઈ જાય છે. ત્યાર પછીના બેસણા કે બારમામાં મને રસ નથી. અસ્તિ મટી જાય છે પછી અસ્થિવિસર્જનની વાત મને અર્થ વગરની લાગે છે. મૃત્યુ પછી શું થતું હશે કે જીવ ક્યાં જતો હશે એ બધી વાતોમાં પણ મને રસ નથી. મને માત્ર મૃત્યુમાં રસ છે. મને એનું વિસ્મય રહ્યું છે. મૃત્યુની ગૂઢતા મને એની તરફ આકર્ષે છે! મૃત્યુ વિશે હું કંઈક આમ માનું છું. બની શકે કે આ વાતોનો કોઈ અર્થ ન હોઈ શકે. તમારી અને મારી દૃષ્ટિમાં ફરક હોઈ શકે છે. આ વિચારો સાથે સહમત નહીં હો તો કૉલમનું સ્લગ 'ટેક ઈટ ઓર લીવ ઈટ'ને અનુસરવું.</p>
<p>ફીલ ઈટ</p>
<p>જેને જીવવાનો ડર હોય છે એને જ મરવાની બીક લાગે છે. જે જીવનને ભરપૂર માણે છે એ ગમે ક્ષણે મરવા તત્પર હોય છે.</p>
<p>-માર્ક ટ્વેઈન</p>]]></content:encoded>
                
                                                            <category>Magazine: ટેક ઈટ ઓર લીવ ઈટ</category>
                                    

                <link>https://www.khabarchhe.com/magazine--%E0%AA%9F%E0%AB%87%E0%AA%95-%E0%AA%88%E0%AA%9F-%E0%AA%93%E0%AA%B0-%E0%AA%B2%E0%AB%80%E0%AA%B5-%E0%AA%88%E0%AA%9F/churning-thoughts-about-death/article-169064</link>
                <guid>https://www.khabarchhe.com/magazine--%E0%AA%9F%E0%AB%87%E0%AA%95-%E0%AA%88%E0%AA%9F-%E0%AA%93%E0%AA%B0-%E0%AA%B2%E0%AB%80%E0%AA%B5-%E0%AA%88%E0%AA%9F/churning-thoughts-about-death/article-169064</guid>
                <pubDate>Mon, 10 Jul 2017 13:00:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2017-07/1499671450lemp.jpg"                         length="46027"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[ankitdesai-author - (અંકિત દેસાઈ)]]></dc:creator>
                            </item>
            <item>
                <title>તમને ઈશ્વરમાં શ્રદ્ધા છે?</title>
                                    <description><![CDATA[<p>ઈશ્વરના અસ્તિત્વ બાબતે હંમેશાં બે મત રહ્યા છે. એક વર્ગ હંમેશાંથી માનતો આવ્યો છે કે ઈશ્વરનું અસ્તિત્વ છે અને બીજો વર્ગ ઈશ્વરને નકારી રહ્યો છે. ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારનારો વર્ગ એટલો મોટો છે કે, વિશ્વભરમાં ઈશ્વર, અલ્લાહ કે ગોડનું સમર્થન કરતા મસમોટા ધર્મો અસ્તિત્વમાં આવ્યા. અલબત્ત, ઈશ્વરનો આકાર છે કે એ નિરાકાર છે એ બાબતે હંમેશાં આમને-સામને દલિલો થતી રહી છે.  વળી, કાળક્રમે વિવિધ ધર્મોના વિવિધ સંપ્રદાયો થયાં અને સંપ્રદાયોમાં પણ વાડા થયાં. આ બધા ધર્મો, સંપ્રદાયો કે પેટા સંપ્રદાયોના આચાર-વિચાર જરૂર અલગ છે અને એ આચાર-વિચારો જ માનવ ઈતિહાસની અનેક અથડામણો કે સંઘર્ષના જન્મદાતા બન્યા છે એવું પણ કહી શકાય.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/magazine--%E0%AA%9F%E0%AB%87%E0%AA%95-%E0%AA%88%E0%AA%9F-%E0%AA%93%E0%AA%B0-%E0%AA%B2%E0%AB%80%E0%AA%B5-%E0%AA%88%E0%AA%9F/do-you-believe-in-god/article-169063"><img src="https://www.khabarchhe.com/media/400/2017-07/1499076839god.jpg" alt=""></a><br /><p>ઈશ્વરના અસ્તિત્વ બાબતે હંમેશાં બે મત રહ્યા છે. એક વર્ગ હંમેશાંથી માનતો આવ્યો છે કે ઈશ્વરનું અસ્તિત્વ છે અને બીજો વર્ગ ઈશ્વરને નકારી રહ્યો છે. ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારનારો વર્ગ એટલો મોટો છે કે, વિશ્વભરમાં ઈશ્વર, અલ્લાહ કે ગોડનું સમર્થન કરતા મસમોટા ધર્મો અસ્તિત્વમાં આવ્યા. અલબત્ત, ઈશ્વરનો આકાર છે કે એ નિરાકાર છે એ બાબતે હંમેશાં આમને-સામને દલિલો થતી રહી છે.  વળી, કાળક્રમે વિવિધ ધર્મોના વિવિધ સંપ્રદાયો થયાં અને સંપ્રદાયોમાં પણ વાડા થયાં. આ બધા ધર્મો, સંપ્રદાયો કે પેટા સંપ્રદાયોના આચાર-વિચાર જરૂર અલગ છે અને એ આચાર-વિચારો જ માનવ ઈતિહાસની અનેક અથડામણો કે સંઘર્ષના જન્મદાતા બન્યા છે એવું પણ કહી શકાય. પણ ઈશ્વર કે પરમ તત્ત્વના અસ્તિત્વના સ્વીકારની બાબતે એ સૌ એકમત છે. બીજી તરફ ઈશ્વરને નકારનારો વર્ગ મુઠ્ઠીભર છે અને પરમ તત્ત્વના અસ્તિત્વને પડકારનારા એ ઓછા લોકોએ હંમેશાં વિરોધ કે સંઘર્ષોનો સામનો કરવો પડ્યો છે. નિરીશ્વરવાદી અથવા રેશનાલિસ્ટ તરીકે ઓળખાતા આ લઘુમતી વર્ગે જાહેર અપમાનોથી લઈ હત્યા સુધીની વિટંબણાઓનો સામનો કરવો પડ્યો છે, જોકે ઈશ્વરમાંની શ્રદ્ધાને જ અંધશ્રદ્ધા માનતા આ લોકોએ ક્યારેય બહુમતી વર્ગથી ગભરાઈને એમની માન્યતા છોડી નથી.</p>
<p>ભારતના ઈતિહાસમાં ઘણા જાણીતા નિરીશ્વરવાદીઓ છે. શહિદ ભગતસિંહનું નામ એ યાદીમાં આગલી હરોળમાં છે. ભગતસિંહજીનો ‘હું કેમ નાસ્તિક છું’ નામનો લેખ, આજે પણ ખૂબ વંચાય છે અને એ લેખમાંની વાતો ઘણી જગ્યાએ રેફ્રન્સ તરીકે લેવાય છે. આ ઉપરાંત બાબા સાહેબ આંબેડકરને પણ ઈશ્વરમાં શ્રદ્ધા નહોતી. વર્ણવ્યવસ્થાને કારણે એમને હિન્દુ ધર્મમાં પણ આસ્થા નહોતી, જેને પગલે એમણે એમના અનેક સમર્થકો સાથે બૌદ્ધ ધર્મ અપનાવેલો. બાબાસાહેબે હિન્દુ ધર્મ વિશે લખેલા લેખો પણ એક વખત વાંચી જવા જવા છે.</p>
<p>આ ઉપરાંત ભારતના રાજકારણમાં મોતીલાલ નહેરુ અને જવાહરલાલ નહેરુ પણ એથિસ્ટ હતા એના પુરાવા પ્રાપ્ય છે. વિરોધાભાસ એ છે કે, જે નહેરુને ઈશ્વરમાં શ્રદ્ધા ન હતી, એમને મહાત્મા ગાંધીમાં ઘણી શ્રદ્ધા હતી અને ગાંધીજીને રામ નામમાં અપાર શ્રદ્ધા હતી! ભૂતપૂર્વ કેન્દ્રિય પ્રધાનો પી. ચિદમ્બરમ, સુશીલ કુમાર શિંદે અને એ.કે. એન્ટોની પણ રેશનાલિસ્ટ છે અને મજાની વાત એ છે કે, આ ત્રણેય નેતાઓ યુપીએ ટુમાં દેશના મહત્ત્વના મંત્રાલયો સંભાળતા હતા. કોંગ્રેસના અન્ય નેતાઓમાં રંગીન મિજાજી કોંગ્રેસી નેતા મણિશંકર ઐયર, પૂર્વ રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર સી.પી. જોશી અને વિરપ્પા મોઈલીને પણ એથિસ્ટ તરીકે ઓળખાવું ગમે છે. જેનું નામ જ રામ છે એવા જાણીતા વકીલ રામ જેઠમલાણીનો પક્ષ ભલે રામ મંદિર બનાવી આપવાના વાયદા કરતો હોય, પણ રામ જેઠમલાણી પોતે નાસ્તિક છે.</p>
<p>લેફ્ટિસ્ટ અથવા ડાબેરીઓ તરીકે ઓળખાતા સામ્યવાદીઓને તો આમેય ઈશ્વરમાં શ્રદ્ધા નથી હોતી. આ કારણે કોઈ આસ્થાળુ સામ્યવાદી જો ક્યાંક મળી જાય તો એ નવાઈની વાત કહેવાય. છતાં આ નામો પર નજર કરીએ તો, ઉપર જેમની વાત થઈ એ ભગતસિંહ સામ્યવાદથી પ્રભવિત હતા. રાજકીય રીતે આમ સક્રિય છતાં જેમનો રાજકારણમાં કાંણો આનોય નથી ઉપજતો એવા સામ્યવાદી પક્ષોના છેલ્લા ફરજંદોમાંના પ્રકાશ અને બ્રિન્દા કરાત, સિતારામ યેચુરી, બુદ્ધદેવ ભટ્ટાચાર્ય અને બંગાળમાં ત્રણ દાયકા સુધી લાગલગાટ મુખ્યમંત્રી રહી ચૂકેલા સ્વ. જ્યોતિ બસુ રેશનલ હતા. બંગાળના જ પૂર્વ મુખ્યમંત્રી સુબોધ બેનરજીને પણ ઈશ્વરમાં શ્રદ્ધા નહોતી.</p>
<p>બંગાળથી દક્ષિણ તરફ આવીએ તો તામિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને જયલલિતાના કટ્ટર વિરોધી કરુણાનિધિ અને ભ્રષ્ટાચારમાં જેલવાસ ભોગવી આવેલી એમની દીકરી કનિમોઝીને જેટલી પૈસામાં શ્રદ્ધા છે એટલી ઈશ્વરમાં શ્રદ્ધા નથી. એમના જ પક્ષ ડી.એમ.કે.ના સ્થાપક પેરીયર ઈ.વી. રામાસામી પણ નાસ્તિક હતા. રામોજી ફિલ્મસિટી અને ઈટીવી ન્યૂઝ નેટવર્કના સ્થાપક રામોજી રાઓએ પણ નસીબ કે ઈશ્વરમાં શ્રદ્ધા રાખવા કરવા કર્મમાં શ્રદ્ધા રાખવાનું વધુ પસંદ કરેલું.</p>
<p>નોબલ પ્રાઈઝ વિજેતા ભારતીયોના નામો પર નજર કરીશું તો ખ્યાલ આવશે કે, કેન્દ્રની ચૂંટણી વખતે મોદી સમર્થકોની અડફેટે ચઢી ગયેલા આમર્ત્ય સેન, લેખક વી.એસ. નાયપોલ, વડોદરામાં ભણી ગયેલા અને રસાયણશાસ્ત્રમાં નોબેલ જીતેલા વેંકટરામન રામક્રિષ્ણન, ફિઝિક્સમાં જેમના નામે રામન ઈફેક્ટ અમર થઈ ગઈ છે એ ચંદ્રશેખર વેંકટરામન અને ફિઝિક્સના જ ક્ષેત્રના બીજા ઝળહળતા નામ એવા સુબ્રહ્મણ્યન ચંદ્રશેખર જેવા સ્કોલર્સને વિજ્ઞાન- સંશોધન કે લેખનમાં જેટલી શ્રદ્ધા હતી એટલી શ્રદ્ધા ઈશ્વર બાબતે નહોતી.</p>
<p>લેખન જગતના જાણીતા નામોમાં સૌથી પહેલું નામ ખુશવંત સિંઘનું લેવું પડે. ત્યારબાદ નર્મદા ડેમ અને કાશ્મીરની સ્વતંત્રતાવાળા અરુંધતી રોય, જેમને સાહિત્ય જગતનું નામચીન બુકર પ્રાઈઝ પણ મળ્યું છે. બુકર પ્રાઈઝ પરથી યાદ આવ્યું કે, ‘ઈનહેરિટન્સ ઑફ લોસ’ના લેખિકા કિરણ દેસાઈ અને એવરયંગ લેખક સલમાન રશ્દીને પણ ઈશ્વરમાં શ્રદ્ધા નથી. આ ઉપરાંત ઉત્તરમાં ખૂબ વખણાતા અશોક વાજપેઈ, બોલિવુડમાં ધૂમ મચાવી ગયેલા સાહિર લુધિયાણવીને કવિતા સિવાય ઈશ્વર નામની કોઈ બાબતમાં રસ નહોતો. આપણા ગુજરાતી લેખક તારક મહેતાને એમના જન્મના દસમાં દિવસે ઈશ્વરમાંથી શ્રદ્ધા ઊઠી ગયેલી એવું એમણે 'એક્સન રિપ્લે'માં નોંધ્યું છે. આ ઉપરાંત પોતાના લેખો દ્વારા હુરત અને દક્ષિણ ગુજરાતમાં ઠીકઠીક ઉહાપોહ મચાવી ગયેલા રમણ પાઠક 'વાચસ્પતિ' ખૂબ જાણીતા ગુજરાતી રેશનલ હતા.</p>
<p>ફિલ્મ જગતના નામો તરફ નજર દોડાવીશું તો જાવેદ અખતર અને એમના સંતાનો ઝોયા અને ફરહાન અખતરને સુપરનેચરલ પાવરમાં શ્રદ્ધા નથી. સંમાતર સિનેમાની દુનિયાના જાણીતા અને માનીતા શ્યામ બેનેગલ એથિસ્ટ છે. આજકાલ વિવાદોમાં ઝળકી રહેલા અનુરાગ કશ્યપ કહે છે કે, ફિલ્મ સિવાય એમને અન્ય કોઈ ધર્મમાં આસ્થા નથી. ટેલિવિઝનને પડદેથી ફિલ્મોમાં ઝળકેળા રાજીવ ખંડેલવાલ કહે છે, 'ધાર્મિક સ્થળોએ જવામાં કે કર્મકાંડો કરવામાં સમયનો બગાડો થતો હોય એવું હું માનું છું. મારી ફિલ્મોની રિલીઝ વખતે પણ હું તો કોઈ મંદિર કે દરગાહે નથી જતો. અલબત્ત, હું કોઈને એવું કરતા નહીં રોકું, પણ જ્યાં સુધી મારી વાત છે ત્યાં સુધી હું મારી જાતને નાસ્તિક તરીકે ઓળખાવાનું પસંદ કરીશ.'</p>
<p>આપણને સૌને અનેક મજાની ફિલ્મો ઉપરાંત એ.આર. રહેમાન જેવા સંગીતકારની ભેટ આપનાર દિગ્દર્શક મણિરત્નમ, સત્યા અને સરકાર પછી ફિલ્મકળામાં ગોથું ખાઈ ગયેલા રામગોપાલ વર્મા, અમોલ પાલેકર, કમલ હસન, રાહુલ બોઝ, ગુજરાત જેનું મોસાળ છે એ અભિનેત્રી નંદિતા દાસ તેમજ મહેશ ભટ્ટ, નાગેશ કુકુનુર અને સ્વ વિજય તેંદુલકર રજત કપૂર જેવા લોકો એકથી વધુ વખત જાહેરમાં કહી ચૂક્યા છે કે એમને ઈશ્વર કે ધર્મમાં શ્રદ્ધા નથી.</p>
<p>આ યાદીને જેટલી લાંબી કરવી હોય એટલી એને લંબાવી શકાય એમ છે. અલબત્ત, એક લેખ થાય એટલા નામો આપણી પાસે છે અને આ ઉપરાંત એવા કેટલાય અજાણ્યા નામો હશે, જેમને ઈશ્વર કે ધર્મમાં શ્રદ્ધા નહીં હોય. તોય જોકે ઈશ્વરમાં માનનારા વર્ગની સામે આ લોકો મુઠ્ઠીભર જ સાબિત થવાના. આ નામો ગણાવીને આપણે અહીં કોઇ સાબિતી નથી આપવી કે, 'જુઓ આ લોકો ઈશ્વરમાં નથી માનતા તોયે તેઓ પોતપોતાના ક્ષેત્રમાં સફળ છે અને ખૂબ નામના મેળવી ચૂકેલા લોકો છે.' કારણ કે, ઈશ્વરમાં માનવું કે ન માનવું એ અત્યંત અંગત બાબત છે, જીવનની સફળતા કે નિષ્ફળતા સાથે એને સાંકળી શકાય નહીં. પરમતત્ત્વમાંની આસ્થા મુશ્કેલ સમયમાં એક પ્રકારનો માનસિક આધાર અને દિલને ધરપત આપે છે એ વાત નક્કી, પરંતુ એ વાત પણ એટલી જ સાચી કે, જીવનમાં કર્મનું મહત્ત્વ આગવું છે. આ કારણે જ એમ કહી શકાય કે, ઉપરવાળામાં આસ્થા રાખી શકાય, પરંતુ એના પર બધો આધાર તો નહીં જ રાખી શકાય. આધાર હંમેશાં કર્મ પર રાખવાનો હોય. બાય ધ વે, તમને ઈશ્વરમાં શ્રદ્ધા છે?</p>
<p><strong><em>ફીલ ઈટઃ</em></strong></p>
<p><strong><em>Is there a God? Hmm… For some people. I hope so, for them. For the people who believe in it, I hope so. There doesn’t need to be a God for me. There’s something in people that’s spiritual, that’s godlike. I don’t feel like doing things just because people say things, but I also don’t really know if it’s better to just not believe in anything, either.</em></strong></p>
<p><strong><em>- એન્જલીના જોલી</em></strong></p>
<p><strong><em>I think God is a totally man-made concept that has been more harmful than beneficial to mankind. Man has waged war and hurt and killed each other for thousands of years in the name of a God he created. I believe there is no God, no heaven and no hell. </em></strong></p>
<p><strong><em>- રજત કપુર</em></strong></p>]]></content:encoded>
                
                                                            <category>Magazine: ટેક ઈટ ઓર લીવ ઈટ</category>
                                    

                <link>https://www.khabarchhe.com/magazine--%E0%AA%9F%E0%AB%87%E0%AA%95-%E0%AA%88%E0%AA%9F-%E0%AA%93%E0%AA%B0-%E0%AA%B2%E0%AB%80%E0%AA%B5-%E0%AA%88%E0%AA%9F/do-you-believe-in-god/article-169063</link>
                <guid>https://www.khabarchhe.com/magazine--%E0%AA%9F%E0%AB%87%E0%AA%95-%E0%AA%88%E0%AA%9F-%E0%AA%93%E0%AA%B0-%E0%AA%B2%E0%AB%80%E0%AA%B5-%E0%AA%88%E0%AA%9F/do-you-believe-in-god/article-169063</guid>
                <pubDate>Mon, 03 Jul 2017 15:46:44 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2017-07/1499076839god.jpg"                         length="171256"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[ankitdesai-author - (અંકિત દેસાઈ)]]></dc:creator>
                            </item>
            <item>
                <title>વાર્તા જગતનો રામ મોરી મોરી રે...</title>
                                    <description><![CDATA[<p>રામ મોરીએ તાજેતરમાં આપણી ભાષાને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું બહુમાન અપાવ્યું. દિલ્હી કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો યુવા ગૌરવ પુરસ્કાર મેળનારા યુવાન લેખકોમાં રામ સૌથી નાની ઉંમરના છે. આવે ટાણે લેખકની વ્યક્તિગત સિદ્ધિ તો ખરી જ પણ, ગુજરાતી ટૂંકી વાર્તાઓની પણ આ એક આગવી સિદ્ધિ છે. રામ મોરીના જે વાર્તાસંગ્રહને અકાદમીએ પોંખ્યો છે એ ‘મહોતું’માં કૂલ 14 વાર્તાઓ છે, જેમાંની ‘એકવીસમું ટિફિન’ વાર્તા ખૂબ વખણાઈ છે અને હજુ દસેક દિવસ પહેલા જ મુંબઈના પૃથ્વી થિયેટરમાં એ વાર્તા પરથી એક એકોક્તિ પણ ભજવાઈ. </p>
<p>રામનો પહેલો વાર્તાસંગ્રહ ‘મહોતું’ પ્રકાશિત થયેલો ત્યારે એમની ઉંમર 22 વર્ષની હતી. હાલમાં તેઓ 24 વર્ષના છે અને તેઓ કૉલેજના પહેલા</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p>રામ મોરીએ તાજેતરમાં આપણી ભાષાને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું બહુમાન અપાવ્યું. દિલ્હી કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો યુવા ગૌરવ પુરસ્કાર મેળનારા યુવાન લેખકોમાં રામ સૌથી નાની ઉંમરના છે. આવે ટાણે લેખકની વ્યક્તિગત સિદ્ધિ તો ખરી જ પણ, ગુજરાતી ટૂંકી વાર્તાઓની પણ આ એક આગવી સિદ્ધિ છે. રામ મોરીના જે વાર્તાસંગ્રહને અકાદમીએ પોંખ્યો છે એ ‘મહોતું’માં કૂલ 14 વાર્તાઓ છે, જેમાંની ‘એકવીસમું ટિફિન’ વાર્તા ખૂબ વખણાઈ છે અને હજુ દસેક દિવસ પહેલા જ મુંબઈના પૃથ્વી થિયેટરમાં એ વાર્તા પરથી એક એકોક્તિ પણ ભજવાઈ. </p>
<p>રામનો પહેલો વાર્તાસંગ્રહ ‘મહોતું’ પ્રકાશિત થયેલો ત્યારે એમની ઉંમર 22 વર્ષની હતી. હાલમાં તેઓ 24 વર્ષના છે અને તેઓ કૉલેજના પહેલા વર્ષમાં હતા ત્યારે એમની પહેલી વાર્તા પ્રકાશિત થયેલી, જ્યારે એમની ઉંમર સત્તર વર્ષની હતી. જોકે આશ્ચર્યની વાત એ છે કે, એમની પહેલી પ્રકાશિત કૃતિ ભલે કથા સાહિત્યની જ હતી, પરંતુ એ ટૂંકી વાર્તા નહોતી. કૌશિક મહેતાના તંત્રીપદે રાજકોટથી પ્રકાશિત થતા ‘ફૂલછાબ’માં ‘સંબંધનું નામ’ નામે એમની પહેલી લઘુનવલ પ્રકાશિત થઈ હતી, જે પાંચ હપતા સુધી ચાલી હતી.</p>
<p>આનાથીય આશ્ચર્યની વાત તો એ છે કે, રામે ભલે આપણને એક એકથી ચઢે એવી ટૂંકી વાર્તાઓ આપી હોય કે, ભલે એમની પહેલી પ્રકાશિત કૃતિ લઘુનવલ હતી. પણ રામે અભ્યાસેતર લેખનમાં વાર્તાઓથી પણ પહેલા એક સ્યુસાઈડ નોટ લખી હતી, જે નોટ લખીને રામ સીધા એમની હોસ્ટેલની ટેરેસ પર જઈ આપઘાત કરવા ગયેલા, જ્યાંથી નીચે પટકાય તો સીધા કપચી અને સળિયાના ભંગાર પર પટકાય અને ઘડી બે ઘડીમાં તો એ હતા ન હતા થઈ જાય.</p>
<p>વાત એમ બનેલી કે દસમાં સુધી અભ્યાસમાં પ્રથમ રહેનાર રામે ડૉક્ટર બનવું હતું. પરિવારમાંય બધા ભાઈઓ એન્જિનિયર્સ અને ઉચ્ચ અભ્યાસ પામેલા હતા એટલે એમના માતા-પિતાને પણ એવી ઈચ્છા કે તેઓ દાક્તર જ બને. દસમાં ધોરણમાં સારું પરિણામ આવ્યું એટલે એમણે ભાવનગરના એમના ગુરુકુળમાં સાયન્સ સ્ટ્રીમમાં એડમિશન લીધું, પરંતુ ફિઝિક્સ અને મેથ્સના  વિષયો સાથે એમનો પનારો પડ્યો ત્યારે એમને ખ્યાલ આવી ગયો કે, સાયન્સ સાથેની એમની કેમિસ્ટ્રી જામે એમ નથી. કૂમળી વય હતી એટલે મૂંઝારો ખૂબ થયો અને અકળામણમાં એમણે ગામડે પિતાને પણ ફોન કર્યો. પણ પિતાએ એમને કહ્યું, ‘ભાઈ મને તો સંબંધીઓએ દૂર દૂરથી અભિનંદનના ફોન કર્યા કે, તમારા દીકરાએ સાયન્સ લીધું એ બદલ અભિનંદન! એવામાં તું સાયન્સ છોડવાની વાત કરે એ કેમ ચાલે? અને હવે ખાંડણિયામાં માથું મૂક્યું જ છે તો દસ્તાથી શું બીવે છે? જે હાથમાં લીધું છે એ પૂરું જ કર.’</p>
<p>પરંતુ રામને સાયન્સના વિષયો ન ફાવ્યા એ ન જ ફાવ્યા અને સ્કૂલની આંતરિક પરીક્ષાઓમાં તેઓ ધરાર નાપાસ થયા. અત્યાર સુધી ભણતરમાં હોશિયાર તરીકે ઓળખાતો છોકરો નાપાસ થાય એ એમના ખૂદ માટે સ્વીકારવું મુશ્કેલ હતું. આ કારણે તેઓ ડિપ્રેશનના શિકાર થયા અને એક દિવસ એમણે ગુરુકુળની હોસ્ટેલની છત પરથી પડતું મૂકવાનો નિર્ણય કર્યો. આત્મહત્યાની એ ઘટના સંદર્ભે રામ કહે છે, ‘આત્મહત્યા કરવા પહેલા મેં એક પત્ર લખેલો, જેમાં એક વાત સ્પષ્ટ કરી હતી કે, મારા મૃત્યુ પાછળ કોઈ જવાબદાર નથી. પત્ર લખીને છત પર જઈ હું કૂદવાની જ તૈયારી કરતો હતો ત્યાં રાતના અંધારામાં મારી આંખ આગળ મારી બાનો ચહેરો ઝબકી ઉઠ્યો અને કોણ જાણે કેમ મને જીવવાનું મન થયું. ત્યારે વિચાર એમ આવેલો કે, કપચી-સળિયા પર પડેલું મારું શરીર જ્યારે લાશ બનીને ઘરે પહોંચશે ત્યારે મારી બાને એ શરીર જોઈને કેટલું દુઃખ થશે? અને બસ, એ જ ક્ષણે મેં મરવાનું માંડી વાળ્યું અને એ ઘડીથી જ નક્કી કર્યું, ભલે જિંદગી ગમે એટલી કપરી રહે, પણ હવે ક્યારેય આત્મહત્યાનું નામ ન લઉં…’</p>
<p>આમ જીવનદાત્રીએ જ રામને બીજી વાર જીવન બક્ષ્યું હતું. આમેય રામની વાર્તાકળા પર એમના બાનો ઘણો પ્રભાવ રહ્યો છે. Khabarchhe.com ના જ એક મધર્સ ડે સ્પેશિયલ આર્ટિકલમાં એમણે આ વાત લખેલી કે, એમના બા સાથે એમનો ગજબનો નાતો છે. મા-દીકરા કરતા તેઓ મિત્રો તરીકે વધુ જીવ્યા છે અને એકમેક સાથે એમણે અનેક પેટછૂટી વાતો કરી છે. એમના બા પાસે વાર્તા-લોકકથાઓનો અખૂટ ખજાનો હતો અને તેઓ રામને આખો દિ વાર્તાઓ કરતા. રામ કહે છે, ‘બા પાસે દંતકથાઓ, પુરાણકથાઓ કે લોકકથાઓ સાંભળવા મળે એ લાલચે હું આખો દિવસ એમની સાથે રહેતો. એમની સાથે વાડીએ જવાથી લઈ એમને રસોઈમાં કે ઘરના બીજા કામોમાં સુદ્ધાં મદદ કરતો. આજે મને સમજાય છે કે, મારી વાર્તાઓ ભલે આજના સમયમાં લખાણી હોય, પરંતુ એનો ગર્ભ તો છેક મારા નાનપણમાં જ બંધાયેલો જ્યારે મારી બા મને જાતજાતની વાર્તાઓ કરતી…’</p>
<p>મા ઉપરાંત રામની વાર્તાઓમાં એમના દાદાનું પણ ઘણું યોગદાન રહ્યું છે. દાદા એમને ભજનો અને ડાયરાઓમાં લઈ જતા, જ્યાં રામ ડાયરામાં ભજનો પણ ગાતા. આ ઉપરાંત રામ પાસે તેઓ સ્કંદપુરાણ, શિવપુરાણ, વાયુપુરાણ, અગ્નિપુરાણ, રામાયણ કે મહાભારત જેવા પૌરાણિક ગ્રંથોનું નિયમિત વાંચન પણ કરાવતા. આ માટે રામ કહે છે, ‘ગામના વૃદ્ધો આગળ જ્યારે મારા દાદા મારી પાસે આ ગ્રંથોનું વાંચન કરાવતા ત્યારે મારે માટે એ ધાર્મિક વાંચન ઓછું અને ચમત્કૃતિ ધરાવતી વાર્તાઓ વધુ હતી!’</p>
<p>બાળપણમાં વધુ પડતું ધાર્મિક વાંચન અને સંતો સાથેના ડાયરાને કારણે ગામના લોકોને એવી બીક હતી કે, આ છોકરો ક્યાંક સંન્યાસી ન થઈ જાય. અધૂરામાં પૂરું એક વાર એક સંતે રામના બા પાસે એમના દીકરાની માગણી પણ કરેલી કે, ‘તમારો આ દીકરો અમને આપી દો.’ એટલે જ દીકરો સંન્યાસી ન થઈ જાય એ ડરથી પિતાએ રામને ભાવનગરના ગુરુકુળમાં ભણવા મૂકી દીધા.</p>
<p>ભાવનગર ભણવા જાય એ પહેલા રામે એમના ગામની સ્કૂલમાં રમણલાલ સોની, ગીજુભાઈ બધેકા અને યશવંત મહેતા જેવા બાળવાર્તાકારોના તમામ પુસ્તકો વાંચી કાઢેલા. વળી, સ્કૂલમાં એવો રિવાજ હતો કે, દર શનિવારે રામે બાળકો સમક્ષ એક વાર્તા કહેવાની. તો ભાવનગર આવીને એમણે અમર ચિત્રવાર્તાઓ, અકબર-બિરબલ અને તેનાલી રામનની વાર્તાઓ વાંચી. રામ કહે છે, ‘ભાવનગર ભણવા આવ્યો પછી મારી વાર્તા એક સ્ટેપ આગળ વધી એમ કહી શકાય. કારણ કે, ત્યાં સુધી હું ચકા-ચકી સુધી જ સીમિત રહ્યો હતો.’</p>
<p>ભાવનગર આવ્યા પછીય છેક અગિયાર સાયન્સમાં એમને પહેલી વાર એવી ખબર પડી કે, વાર્તાકળામાં નવલકથાનો પણ એક પ્રકાર છે. એક વાર લાયબ્રેરીમાં પુસ્તક શોધતી વખતે એમને  લેખિકા વર્ષા અડાલજાની નવલકથા ‘અણસાર’ જડી ગઈ અને શરૂઆતના કેટલાક પાનાં વાંચતા જ એમને એમાં રસ પડ્યો. એટલે તેઓ પુસ્તક પોતાની સાથે લઈ ગયા અને એક રાતમાં એ નવલકથા પૂરી કરી. રામ કહે, ‘ત્યારે પહેલી વાર મને ખબર પડી કે નવલકથા પણ કથા સાહિત્યનો એક પ્રકાર છે. વળી, ‘અણસાર’માં રક્તપિત્તની એક દર્દીની વાત હતી. હું એ નવલકથા વાંચીને ખૂબ રડેલો કારણ કે, એ કથા મને પોતીકી લાગતી હતી. મને એમ થતું હતું, હું પોતે જ રૂપા છું અને આ કેમિસ્ટ્રી કે ફિઝિક્સના અટપટા વિષયો મારા શરીરે થયેલો રક્તપિત્ત છે. ત્યારપછી તો વર્ષા અડાલજા મને એવા સ્પર્શી ગયા કે, એમની એક એક નવલકથા અને વાર્તાઓ મેં વીણી વીણીને વાંચી. આ તો ઠીક એમણે લખેલા પ્રવાસવર્ણનો પણ મેં વાંચી કાઢેલા.’</p>
<p>આમ તો આડવાત કહેવાય. પરંતુ ટૂંકમાં જાણીએ તો બાર સાયન્સમાં રામ મોરી ફિઝિક્સ વિષયમાં નાપાસ થયેલા. પરંતુ જૂન મહિનામાં ફરીથી પરીક્ષા આપીને ગમે એમ કરીને એ વિષય પાસ કર્યો અને ડૉક્ટર થવું હતું એટલે ભાવનગરની એક હોમિયોપોથી કૉલેજમાં એડમિશન લેવા ગયા. પરંતુ રસ્તામાં એમને ફેબ્રિકેશન એન્જિનિયરિંગની કૉલેજ નજરે ચઢી તો રામ મોરી ત્યાં જઈને દસમા ધોરણના આધારે ડિપ્લોમા કોર્સમાં એડમિશન લઈ આવ્યા! આ કૉલેજકાળ દરમિયાન એમના મિત્રો અને શિક્ષકોએ એમને ખૂબ મદદ કરી અને ગમે એમ કરીને તેઓ ડિપ્લોમા એન્જિનિયરિંગના સેમેસ્ટર પાસ કરતા રહ્યા. </p>
<p>એન્જિયરિંગ કૉલેજનો એવો નિયમ હતો કે, છઠ્ઠા અને સાતમા સેમેસ્ટરમાં વિદ્યાર્થીઓએ ફરજિયાત કોઇક કારખાનામાં કામ કરવાનું અને આઠમા સેમેસ્ટરમાં કૉલેજમાં પરીક્ષા આપવાની. આ માટે રામે અમદાવાદના એક કારખાનામાં ટ્રેનિંગ શરૂ કરી. અલબત્ત ફેબ્રિકેશન ડિપ્લોમાના ભણતર દરમિયાન પણ રામે એમનું વાંચન ચાલુ રાખ્યું અને માય ડિયર જયુ જેવા સાહિત્યકારો સાથે વાર્તાઓ કઈ રીતે આલેખી શકાય કે વાર્તામાં કયા કયા તત્ત્વો હોવા જરૂરી છે એ બાબતની તાલીમ લેતા રહ્યા. પરંતુ અમદાવાદમાં એમને જાણે ઉડવાને આકાશ મળ્યું. કારણ કે અહીં </p>
<p>જાણીતા વાર્તાકારો અને નવોદિતોના ગ્રુપ્સ હતા, જેઓ નિયમિત મળતા રહેતા અને સાહિત્ય-વાર્તાઓની ચર્ચા કરતા.</p>
<p>અમદાવાદના એમના અનુભવ વિશે રામ કહે છે, ‘અહીં તો એક વર્ષ મેં ખૂબ આનંદ કર્યો. નસીબજોગે હું જે કંપનીમાં કામ કરતો એ કંપનીના ઑફિસર્સ એટલા સારા હતા કે, એમણે મારી સામે એવો પ્રસ્તાવ મૂકેલો કે મારે એમને ટી ટાઈમમાં એક વાર્તા સંભળાવવાની અને પંદર દિવસની રજા લઈ લેવાની. એ રજાઓમાં પણ મારી હાજરી તો ત્યાં બોલાતી જ હોય! તો બીજી તરફ હું એ રજાઓમાં પરિષદમાંથી અઢળક પુસ્તકો લઈ જતો અને આખો દિવસ વાંચતો. તો ક્યારેક પરિષદની કે અન્ય કોઈક મંડળ-ગ્રુપ્સની સભાઓમાં જઈને બેસતો.</p>
<p>આ ગાળામાં મેં એક જગ્યાએ મારી ‘હવડ’ વાર્તા વાંચેલી, જે વાર્તા કેટલાક યુવા મિત્રોને ખૂબ ગમેલી. ત્યારથી મને તાહા મન્સુરી, પાર્થ તારપરા, ચિંતન શેલત અને અનંત રાઠોડ જેવા મિત્રો સાથે પરિચય થયો. વળી, એ ગાળામાં મારે ટેલિવિઝન સિરિયલો માટે સ્ક્રિપ્ટ રાઈટિંગ પણ શીખવું હતું. ત્યારે મને ખબર પડી કે, કાજલ ઓઝા-વૈદ્ય પણ અમદાવાદમાં જ રહે છે એટલે હું એમને મળવા ગયો અને એમને મારી ઈચ્છા વિશે જણાવ્યું. તો એમણે મને પરવાનગી આપતા કહ્યું, ‘હું તને પદ્ધતિસરની તાલીમ નહીં આપી શકું, પરંતુ તારે મારી ઑફિસ આવવાનું અને મારા કામને ઑબ્ઝર્વ કરતા રહેવાનું.’</p>
<p>આ વાત નીકળી છે તો મારે એક ચોખવટ કરવી છે કે, ઘણા લોકોમાં એવી ગેરમાન્યતા છે કે, હું કાજલ ઓઝા-વૈદ્યનો ઘોસ્ટ રાઈટર છું. પરંતુ વાસ્તવિક્તા એવી નથી. કાજલબેનને ખૂબ મહેનત કરતા મેં મારી નજરે જોયા છે. પરંતુ એમની સ્ટાઈલ એવી કે, તેઓ પોતે હાથેથી નહીં લખે, પણ એક ટાઈપિસ્ટ સાથે બેસીને બોલીને લખાવડાવે. કદાચ આ કારણે જ એમના લખાણ વિશે આટલી બધી ગેરમાન્યતાઓ હશે. પરંતુ સત્ય એ છે કે, કાજલબેનનું તમામ લેખન એમનું પોતાનું છે.</p>
<p>આમ, કાજલબેન પાસે પણ એ ગાળામાં હું ખૂબ શીખ્યો. પછી તો મારે પાછા ભાવનગર જવાનો સમય આવ્યો એટલે મારે ત્યાં જવું પડ્યું. પણ મને એવું લાગતું હતું કે, મારો જીવ અમદાવાદમાં અટકી ગયો છે અને મારું શરીર ભાવનગર છે. અગિયાર સાયન્સમાં જે મૂંઝવણ અનુભવેલી એ મૂંઝવણ એન્જિનિયરિંગના આઠમા સેમિસ્ટરમાં ફરી અનુભવી. પણ આ વખતે કોણ જાણે મારામાં ક્યાંથી હિંમત આવી તે મેં છેલ્લું સેમેસ્ટર પડતું મૂકીને અમદાવાદની બસ પકડી. મારા ઘરે તો એ વાતની ખબર નહોતી. પરંતુ અમદાવાદ પહોંચીને થોડા દિવસોમાં મેં એમને ફોન કરેલો કે, મેં એન્જિનિયરિંગ પડતું મૂક્યું છે! અહીં આવ્યો ત્યારે ન તો મારી પાસે ઝાઝી મૂડી કે નહીં મારી પાસે રહેવાને કોઈ આશરો. એટલે મારા મિત્ર તુષાર દવેને મેં ફોન કર્યો કે હું આ રીતે અમદાવાદ ભાગી આવ્યો છું. અને પછી હું તુષારની રૂમ પર ઠલવાણો. </p>
<p>સ્વાભાવિક છે કે, અમદાવાદ જેવા શહેરમાં પૈસાની જરૂર રહે એટલે એ સમયે મારી પાસે આવકનું કોઈક માધ્યમ હોવું અત્યંત જરૂરી હતું. ત્યાં ગયો એટલે શરૂઆતમાં જ મને કોઈ અખબાર કે ચેનલવાળા નોકરી આપી દેવાના નહોતા એટલે એ સમયમાં મેં એક કોફી શૉપમાં નોકરી લીધી. એ નોકરી કરતી વખતે દિલમાં સતત એવો ડર રહેતો કે, ક્યાંક કોઈક ઓળખીતું કે કોઈક મિત્ર ત્યાં ન આવી ચડે, નહીંતર એમને કેવું લાગશે!</p>
<p>એ સમયમાં મારું એક જ સપનું હતું કે હું ‘દિવ્ય ભાસ્કર’માં કામ કરું. કોઈક રીતે મારું ત્યાં ઈન્ટરવ્યૂ ગોઠવાયો પણ ખરો, પરંતુ એ ઈન્ટરવ્યૂમાં હું ફેઈલ થયો. મને હજુ યાદ છે એ દિવસ, જ્યારે હું ફેઈલ થયેલો એ રાત્રે મેં કશું જ નહોતું ખાધું અને હું ખૂબ રડેલો. કારણ કે, ‘દિવ્ય ભાસ્કર’ પ્રત્યે મને એવો લગાવ થઈ ગયેલો કે, મારા મોબાઈલની સ્ક્રીનમાં પણ મેં ‘દિવ્ય ભાસ્કર’નો લોગો મૂકેલો!</p>
<p>એવામાં મને TV9માં નોકરી મળી ગઈ. અલબત્ત, મારે ન્યૂઝ ચેનલમાં ક્યારેય કામ નહોતું કરવું, પરંતુ કદાચ નસીબમાં ઘણું શીખવાનું અને સારા મિત્રોને મળવાનું લખ્યું હશે એટલે મને અહીં નોકરી મળી ગઈ, જ્યાં મેં મારા મિત્ર અને ગુજરાતી ન્યૂઝ ચેનલના લોકપ્રિય એન્કર જયેશ પારકર સાથે ધર્મ આધારિત શૉ કર્યા. વળી, અહીં જયેશ પાસે સ્ક્રિપ્ટિંગને લગતું ઘણું શીખવા મળ્યું. આ ગાળામાં જ ઊષા ઉપાધ્યાય અને એમના દીકરા કૌશલ ઉપાધ્યાયે મારો વાર્તાસંગ્રહ તૈયાર કરવાનું નક્કી કર્યું અને ‘મહોતું’ પ્રકાશિત થઈ.’</p>
<p>અહીં નોંધવા જેવી વાત એ છે કે, રામ ભલે ત્યારે ‘દિવ્ય ભાસ્કર’ના ઈન્ટરવ્યૂમાં પાસ ન થયા. પરંતુ આજે ‘દિવ્ય ભાસ્કર’માં એમની ‘મુકામ વાર્તા’ કૉલમ અત્યંત લોકપ્રિય છે. નાની ઉંમરમાં ઘણા ઉતાર-ચઢાવ પછી તેઓ આ મુકામે પહોંચ્યા છે અને હજુ તો એમણે સફળતાના ઘણા શિખરો સર કરવાના. ઘણા મિત્રો રામ સાથે ઘણી મજાક-મસ્તી કરે છે, પરંતુ વાર્તાની બાબતે એ હંધાય રામને અત્યંત ગંભીરતાથી લે છે. પોતાની વાર્તાઓ બાબતે રામ કહે છે કે, એમને પહેલા પાત્રો મળે છે અને પછી એ પાત્રોની આસપાસ તેઓ એમની કલ્પનાની ગૂંથણી કરે છે. એમની વાર્તાઓમાં એમણે મોટેભાગે નારીની મનોવ્યથા અને નારીના સંવેદનને સમજવાનો પ્રયાસ કર્યો છે. આ માટે એમનું કહેવું છે કે, તેઓ સતત સ્ત્રીઓની વચ્ચે રહ્યા છે, એમની પીડાઓ, એમની ઈચ્છાઓ કે એમના સપનાંઓની નજીક રહેવાનું બન્યું છે એટલે કદાચ નારીનું મનોજગત આલેખવાનું એમને ગમ્યું છે. હવે તો રામ ટેલિવિઝન સિરિયલો પણ લખી રહ્યા છે અને ફિલ્મોનું લેખન પણ નજીકના ભવિષ્યમાં કરશે. આ સર્જક આપણને હજુ ઘણું આપવાના છે… ભાષાને હજુ તરબતર કરવાના છે…</p>]]></content:encoded>
                
                                                            <category>Magazine: ટેક ઈટ ઓર લીવ ઈટ</category>
                                    

                <link>https://www.khabarchhe.com/magazine--%E0%AA%9F%E0%AB%87%E0%AA%95-%E0%AA%88%E0%AA%9F-%E0%AA%93%E0%AA%B0-%E0%AA%B2%E0%AB%80%E0%AA%B5-%E0%AA%88%E0%AA%9F/an-article-on-raam-mori/article-169062</link>
                <guid>https://www.khabarchhe.com/magazine--%E0%AA%9F%E0%AB%87%E0%AA%95-%E0%AA%88%E0%AA%9F-%E0%AA%93%E0%AA%B0-%E0%AA%B2%E0%AB%80%E0%AA%B5-%E0%AA%88%E0%AA%9F/an-article-on-raam-mori/article-169062</guid>
                <pubDate>Tue, 27 Jun 2017 17:03:44 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[ankitdesai-author - (અંકિત દેસાઈ)]]></dc:creator>
                            </item>
            <item>
                <title>તને જો કોઈ અવગણે તો...</title>
                                    <description><![CDATA[<p>
</p><p>એકાંત અને એકલતા વચ્ચે જમીન-આસમાનનો તફાવત છે એવું આપણે વર્ષોથી વાંચતા આવ્યા છીએ. સેંકડોની ભીડની વચ્ચે થોડાં એકલા પડી, પોતાની જાત સાથેનો સમય માણસ ઝંખે એ એકાંત. એકાંતની હંમેશાં ઝંખના રખાતી હોય છે, પણ ભીડ જેને અવગણી કાઢે, ધુત્કારી કાઢે અથવા જેને ટાળે એને કહેવાય એકલતા અથવા માણસને એકલા પાડવું. કોઈને પણ પોતાની અવગણના સ્વીકાર્ય નથી એટલે જ માણસને એકલા પડવું ગમતું નથી. સામન્ય રીતે માણસ એવું કહેતો હોય છે કે, ‘હું એકલો પડી ગયો’ પરંતુ વાસ્તવિકતા એ છે કે, માણસ પોતે ક્યારેય એકલો નથી પડતો, પણ એને એકલો પાડી દેવામાં આવે છે. એકલા પાડી દેવાના દુષ્કૃત્યમાં કુદરત અને માણસના</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p>
</p><p>એકાંત અને એકલતા વચ્ચે જમીન-આસમાનનો તફાવત છે એવું આપણે વર્ષોથી વાંચતા આવ્યા છીએ. સેંકડોની ભીડની વચ્ચે થોડાં એકલા પડી, પોતાની જાત સાથેનો સમય માણસ ઝંખે એ એકાંત. એકાંતની હંમેશાં ઝંખના રખાતી હોય છે, પણ ભીડ જેને અવગણી કાઢે, ધુત્કારી કાઢે અથવા જેને ટાળે એને કહેવાય એકલતા અથવા માણસને એકલા પાડવું. કોઈને પણ પોતાની અવગણના સ્વીકાર્ય નથી એટલે જ માણસને એકલા પડવું ગમતું નથી. સામન્ય રીતે માણસ એવું કહેતો હોય છે કે, ‘હું એકલો પડી ગયો’ પરંતુ વાસ્તવિકતા એ છે કે, માણસ પોતે ક્યારેય એકલો નથી પડતો, પણ એને એકલો પાડી દેવામાં આવે છે. એકલા પાડી દેવાના દુષ્કૃત્યમાં કુદરત અને માણસના સંજોગો પણ ઘણીવાર જવાબદાર હોય છે!</p>
<p> </p>
<p>એકલા પાડી દેવાના દુષ્કર્મનો જ્યારે માણસ ભોગ બને ત્યારે સૌથી પહેલો પ્રશ્ન આત્મચિંતનનો ઊભો થાય છે. દરેક કિસ્સામાં એવું નથી બનતું કે, ભોગ બનેલો માણસ દૂધે ધોયેલો હોય. કોઈક ચંડાળ અવળચંડાઈએ ચડીને અન્યોને સતત પરેશાન કરતો રહે ત્યારેય લોકો એને કૌંસમાંથી બહાર કાઢી દેતા હોય છે. આવા ઉત્પાતિયાઓ પાસે જરા સરખી અક્કલ હોય તો એમણે આત્મચિંતન કરી એમના સ્વભાવ કે વર્તનમાં સુધારો આણી પ્રવાહમાં ભળી જવાના પ્રયત્નો આદરવા જોઈએ. નહીંતર છો અવગણનાનો ભોગ બનતા!</p>
<p> </p>
<p>પણ ક્યારેક માણસ સાવ નિર્દોષ હોય, કોઈની આડે આવવાની વાત તો દૂર પણ સતત સૌને મદદરૂપ થતો હોય, સૌને સાથે લઈને ચાલવામાં માનતો હોય કે કોઈના સુખ માટે કાર્યરત રહેતો હોય અને એને એકલો પાડી દેવાય ત્યારે? એનો કોઈ વાંકગુનો ન હોય એની અવગણના થાય ત્યારે? આવે ટાણે જેના દિલમાં સારપ હોય એવા માણસો મૂંઝાઈ જતાં હોય છે અને તેઓ પોતાની જાતને કોસતા રહે છે અથવા પોતાની જાતને અંડર-એસ્ટિમેટ કરી દેતાં હોય છે. આસપાસનો મોટો વર્ગ એમની અવહેલના શરૂ કરે ત્યારે પોતાની જાતમાં જ કોઈ કમી છે એમ સમજી ઝૂરતા રહે છે અને ટોળાંના સત્યને સાચું માની, ટોળાંના ડરે, ટોળાંને ફાવે એવું જીવતા રહેતા હોય છે.</p>
<p> </p>
<p>આગળ કહ્યું એમ માણસને એકલા પડી જવું ગમતું નથી. સમૂહ બધાને વહાલો હોય છે એટલે જ માણસ સમૂહની પસંદ- નાપસંદની સતત પરવા કરતો રહે છે. પણ આ રીતે કોઇના તાબે થઈને જિંદગી જીવી શકાય નહીં. કોઈ શું કહેશે કે કોઈને ખરાબ લાગશે તો આપણી સાથે નહીં બોલે અથવા સંબંધ નહીં રાખે એવી ચિંતાઓ કરવા જઈશું તો લાઈફમાં કરવાજોગું ક્યારેય નહીં કરી શકીશું.</p>
<p> </p>
<p>એના કરતા જો કોઈ આપણને અવગણવાનો કે એકલા પાડવાનો પ્રયત્ન કરે અને આપણે આપણી રીતે સો ટકા સાચા હોઈએ તો છો કોઈ આપણને અવગણતું. થોડો સમય માનસિક પરિતાપ જરૂર રહે, પરંતુ કેટલીક બાબતોની કાયમી શાંતિ થઈ જતી હોય છે. અને જો આપણે સાચા હોઈએ અથવા કોઈને કનડગત નહીં કરતા હોઈએ ત્યારે પ્રત્યક્ષ રીતે ભલે કોઈ આપણને એકલા પાડવાનો પ્રયત્ન કરે, પરંતુ એવા ટાઈમે એ લોકો પોતે જ એક સારી વ્યક્તિની સોબત ગુમાવતા હોય છે. એટલે જ એમની ચિંતા કરીને આપણે બળી મરવાની જરૂર નથી. પણ આપણા મનનું કરી લેવું જોઈએ.</p>
<p> </p>
<p>આ તો રોજિંદા જીવનમાં આપણે ફેસ કરીએ એવા સાવ નાના મુદ્દાની વાત થઈ. પણ આ ઉપરાંત ઘણી વખત આપણે આપણા મનગમતા ક્ષેત્રમાં કે કરિયર દરમિયાન આપણી આવડતથી કે ખંતથી ઘણું સારું પરફોર્મ કરી રહ્યા હોઈએ અથવા આપણે કોઈ પોઝિશન પર બેઠા હોઈએ ત્યારેય કેટલાક કાવતરાખોરો આપણી અવગણનાનો ખેલ ખેલતા હોય છે. કોઈ પણ રિસ્પેક્ટિવ ઑર્ગેનાઈઝેશન અથવા ઈન્સ્ટીટ્યુટમાં અમુક-તમુક મોટી જવાબદારીઓ સંભાળતા કે બે-ત્રણ-પાંચ કે પચાસ-સો કર્મચારીઓને સંભાળતા માણસે આવી કેટલીક બાબતોનો સામનો કરવો પડી શકે કે એમના સમકક્ષ કે એમનાથી થોડા સિનિયર લોકો સતત એમના કામની કે એમના યોગદાનની અવગણના કર્યા કરતા હોય અને એ રીતે એમને એકલા પાડીને એમનું મોરલ તોડ્યા કરતા હોય છે. આવી ઘટના વખતે ઉપર જણાવેલું એમ સાચા અને સંવેદનશીલ માણસો મેન્ટલી ડિસ્ટર્બ થઈ જાય છે અને પેલા કાવતરાખોરોની ચાલનો શિકાર બનીને પોતાના યોગદાનને કે કામને નાનું સમજવા માંડે છે. જેની અસર એમના કામની ગુણવત્તા પર પડે અને એમનું કામ સતત બગડતું રહે છે અથવા પહેલાની સરખામણીએ એમનું પરફોર્મન્સ ઘટતું જાય છે.</p>
<p> </p>
<p>વાસ્તવમાં જે-તે માણસ એની જગ્યાએ સાચો જ હોય છે, પરંતુ એને ડિસ્ટર્બ કરી એની પ્રગતિમાં રોડા નાંખવા માટે અથવા એની પ્રગતિથી ઈર્ષા કરીને એની અવહેલના થતી હોય છે. પરંતુ પેલો માણસ એ સમજી શકતો નથી અને જે સમયે એણે સ્થિતપ્રજ્ઞ રહી સામેવાળાની ચાલને ધરાર અવગણી કાઢી આગળ વધી જવાનું હોય છે એ સમયે એ પીડાતો રહે છે અને કાવતરાખોરોને સફળ થવા માટે માર્ગ મોકળો કરી આપતો હોય છે.</p>
<p> </p>
<p>સમાજ જીવન હોય કે કરિયર હોય કે પછી અન્ય કોઈક પણ ક્ષેત્ર હોય ત્યાં આવા અવળચંડાળો હોય હોય અને હોય જ. સમાજમાં કે આપણી રિસ્પેક્ટિવ ઑર્ગેનાઈઝેશનમાં એવા ઉપદ્રવીઓને અટકાવી શકાતા નથી. પણ દર વખતે આપણા લેવલે એક કામ જરૂર કરી શકાય કે, એવાઓ જો આપણને કે આપણા કામને અવગણવાનો પ્રયત્ન કરે અથવા આપણને એકલા પાડવાના કાવતરા કરે તો સૌથી પહેલા આપણી જાતને એક સવાલ પૂછી લેવાનો કે આપણી જે વર્તાવ થઈ રહ્યો છે અથવા આપણા કામ બાબતે જે પ્રશ્નો ઊઠી રહ્યા છે એમાં ક્યાંક આપણે કાચું તો નથી કાપ્યુંને? જો દિલમાંથી અવાજ આવે કે, આપણે સાચા છીએ અને આપણો આમાં કોઈ વાંક નથી. તો સામે ભલભલો ચમરબંદી હોય કે ગમે એટલા લોકો હોય એમની પરવા કરવી નહીં અને પહેલા જેટલી જ શ્રદ્ધાથી આપણું કામ ચાલું રાખવું. આપણી હાંક સૂણી કોઈ આપણી સાથે નહીં આવે તો એમાં ડરી જવાની કે, આપણો જ કોઈક વાંક હશે એમ માની આપણી જાતને કોસવાની જરૂર નથી. બસ ચાલતા રહેવાનું છે.... આમેય આપણે અહીં એકલા જ આવ્યા છીએ અને આપણો પ્રવાસ પણ આપણે એકલા જ કરવાનો છે. જો આપણું કામ સો ટચનું હશે અથવા આપણી દાનત શુદ્ધ હશે તો કોઈના બાપની તાકાત નથી કે કોઈ પણ આપણને અવગણી કે એકલા પાડી શકે, કારણ કે, સમય આવ્યે આપણું કામ છાપરે ચઢીને આપણી દાનત સ્પષ્ટ કરવાનું છે.</p>
]]></content:encoded>
                
                                                            <category>Magazine: ટેક ઈટ ઓર લીવ ઈટ</category>
                                    

                <link>https://www.khabarchhe.com/magazine--%E0%AA%9F%E0%AB%87%E0%AA%95-%E0%AA%88%E0%AA%9F-%E0%AA%93%E0%AA%B0-%E0%AA%B2%E0%AB%80%E0%AA%B5-%E0%AA%88%E0%AA%9F/if-someone-ignores-you/article-169061</link>
                <guid>https://www.khabarchhe.com/magazine--%E0%AA%9F%E0%AB%87%E0%AA%95-%E0%AA%88%E0%AA%9F-%E0%AA%93%E0%AA%B0-%E0%AA%B2%E0%AB%80%E0%AA%B5-%E0%AA%88%E0%AA%9F/if-someone-ignores-you/article-169061</guid>
                <pubDate>Mon, 26 Jun 2017 16:29:54 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[ankitdesai-author - (અંકિત દેસાઈ)]]></dc:creator>
                            </item>
            <item>
                <title>રાષ્ટ્રીય રમતની યાદ અચાનક કેમ આવી?</title>
                                    <description><![CDATA[<p>
</p><p>પરમ દિવસે ICC વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચેની ફાયનલ મેચમાં, જ્યારે પાકિસ્તાનનું પલ્લું ભારે થતું જણાયું ત્યારે એક ચમત્કાર થયો. એ ચમત્કાર એટલે આપણા દેશના ફેસબુકશૂરા અને વ્હોટ્સએપશૂરાઓનો દંભ ઉઘાડો પડ્યો અને એમની પાસે કેવીક સ્પોર્ટ્સમેનશીપ છે અને કેવોક એમનો દેશપ્રેમ છે એ વિશે જાણ થઈ. આ તો શું કે અમે તો જીતતા હોય એને જ સપોર્ટ કરીએ, જો હારતા હોઈશું તો ભલેને પહેલા આ રમતમાં હાકોટા પાડી પાડીને અવાજ તરડી નાંખ્યા હોય, પણ હાર્યા એટલે વાત ખલાસ. ત્યારે અમને ખેલના નિયમ ન ખબર હોય તોય અમે અમારી રાષ્ટ્રીય રમતને જ સપોર્ટ કરવાના.</p>
<p>ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ હોય</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p>
</p><p>પરમ દિવસે ICC વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાનની વચ્ચેની ફાયનલ મેચમાં, જ્યારે પાકિસ્તાનનું પલ્લું ભારે થતું જણાયું ત્યારે એક ચમત્કાર થયો. એ ચમત્કાર એટલે આપણા દેશના ફેસબુકશૂરા અને વ્હોટ્સએપશૂરાઓનો દંભ ઉઘાડો પડ્યો અને એમની પાસે કેવીક સ્પોર્ટ્સમેનશીપ છે અને કેવોક એમનો દેશપ્રેમ છે એ વિશે જાણ થઈ. આ તો શું કે અમે તો જીતતા હોય એને જ સપોર્ટ કરીએ, જો હારતા હોઈશું તો ભલેને પહેલા આ રમતમાં હાકોટા પાડી પાડીને અવાજ તરડી નાંખ્યા હોય, પણ હાર્યા એટલે વાત ખલાસ. ત્યારે અમને ખેલના નિયમ ન ખબર હોય તોય અમે અમારી રાષ્ટ્રીય રમતને જ સપોર્ટ કરવાના.</p>
<p>ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ હોય એટલે રસાકસી થાય એ સ્વાભાવિક છે. વળી, છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનની સામે ભારત લગાતાર જીતતું આવ્યું છે, જેને કારણે ભારતના ફેન્સના મનમાં એક વાત ઘર કરી ગયેલી અથવા એમણે એ વાત સ્વીકારી લીધેલી, કે આપણે બીજા કોઈકની સામે ભલે હારીએ, પરંતુ પાકિસ્તાનની સામે તો ન જ હારી શકાય.</p>
<p>એ વાત સાચી કે, કોઈ પણ દેશનો નાગરિક, જો એને ક્રિકેટ અથવા અન્ય કોઈ પણ રમતમાં રસ હોય તો એના દેશની ટીમને જ સપોર્ટ કરે. વળી, જો એની ફેવરિટ ટીમ હારે અથવા જે ખેલાડી પર એમને આશા હોય એ ઊણો ઉતરે તો ફેન્સને ફ્રસ્ટ્રેશન થાય એ પણ સ્વાભાવિક છે, પરંતુ એનો અર્થ એ તો નથી જ કે, પોતાની ફેવરિટ ટીમ હારે એટલે આખેઆખી રમતને અવગણીને કોઈક બીજી રમત તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનું અથવા પોતાની હારેલી ટીમ વિશે ગમે એમ બોલવાનું.</p>
<p>પરંતુ રવિવારે જ્યારે ભારત હારતુ જણાયું ત્યારે એક નવું જ ચિત્ર જોવા મળ્યું અને વ્હોટ્સ એપ તેમજ ફેસબુક પર જાતજાતના ફોરવર્ડ્સ જોવા મળ્યા. કેટલાકે કોહલી અને રોહિત શર્મા વિશે એલફેલ લખ્યું તો કેટલાકે મેચ ફિક્સિંગના આક્ષેપો મૂક્યા. એમની એવી દલીલ હતી કે, વર્લ્ડ બેસ્ટ બેટ્સમેન આ રીતે આવા ઓછા રનમાં આઉટ થઈ જ ન શકે… દંભના શ્રેષ્ઠ ઉદાહરણો તો ત્યારે મળ્યાં, જ્યારે લોકોએ એવા ફોરવર્ડ્સ શરૂ કર્યા કે, આ ફિક્સ્ડ મેચને શું જુઓ છો? ખરી રમત તો ફલાણી ચેનલ પર છે, જ્યાં હોકીમાં ભારત પાકિસ્તાનને પછાડી રહ્યું છે. હોકીની ગઈકાલની મેચને લઈને બીજા કેટલાક ફોરવર્ડ્સ પણ આવ્યા, જેમાં હોકી આપણી રાષ્ટ્રીય રમત છે એ જ જોવાય ને આ ને તે ને પેલું જેવું કેટકેટલુંય આવ્યું…</p>
<p>ગમ્મત કે મજાક સુધી આ બધુ ઠીક છે. ગમ્મત થવી જોઈએ અને આપણી ટીમ ખરાબ પ્રદર્શન કરતી હોય તો એના પર પણ મજાક કરી શકાય. પણ ફીલિંગ એન્ગ્રીના હેઝટેગ સાથે જે રીતે લોકોને હોકીની યાદ આવી રહી હતી એ પરથી એવું સ્પષ્ટ જણાતું હતું કે, બીજું કંઈ નહીં પણ ક્રિકેટ ફેન્સને આ દ્રાક્ષ ખાટીના હિસાબે હોકીની યાદ આવી હતી. બાકી જો ભારત જીતતું હોત તો મોટાભાગનાને એ પણ ન ખબર હોત કે, આજે ટેલિવિઝન પર આ રમતનું પણ લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે.</p>
<p>એવે ટાણે એક બાબત સ્પષ્ટ હતી કે, તમારી ટીમ સાથેની તમારી નિસ્બત માત્ર જીત પૂરતી જ સીમિત હતી. જો ટીમ જીતતી રહેતી હોય તો ઈન્ડિયા… ઈન્ડિયા… કરીને ચિયર કરવાનું, પરંતુ જો ટીમ હારતી હોય તો આપણે ક્યાં એ બધા સાથે લેવાદેવા છે? આપણી રાષ્ટ્રીય રમત તો હોકી છેને? કેમ ભાઈ? જે ખેલાડીઓની જીત પર તમે વારીવારી જતા હતા એ ખેલાડીઓ હારતા હોય ત્યારે બેટર લક નેક્સ્ટ ટાઈમ કે અમે તમારી સાથે છીએ એવુંય નહીં લખી શકાય? અલબત્ત ખેલાડીઓ કંઈ એ તમારી પર્સનલ કમેન્ટ્સ વાંચવા નથી જવાના, પરંતુ આવા લાખો અભિપ્રાયો જ ભેગા થઈને એક જનમત બનાવતા હોય છે અને એવા જનમતો જ સોશિયલ મીડિયાથી લઈ ટેલિવિઝન સુધી ટ્રેન્ડિંગ ટોપિક બનતા હોય છે.</p>
<p>આપણે એ કેમ ભૂલી જઈએ છીએ કે, હાર કે જીત એ તો કોઈ પણ રમતની આડઉપજ છે. આપણી ટીમ જીતે અથવા આપણો ગમતો ખેલાડી સારું પ્રદર્શન કરે અને એ જીતે તો એ આનંદની વાત છે. અને એ વાત પણ સાચી કે, જો આપણી ટીમ હારે તો આપણને દુઃખ પણ થાય. પરંતુ જીત વખતે ખેલાડીઓને જે સાથ અપ્યો હોય એ સાથે એમની હાર વખતે છોડી દેવાનો? આને જ તો દંભ કહેવાય કે હાર વખતે આપણે જરા સરખી સ્પોર્ટ્સમેનશીપ નહીં રાખી શકીએ. જો દંભ ન હોત તો પોતાની ટીમમાં એટલો વિશ્વાસ પણ નહીં હોય કે, તેઓ પાકિસ્તાન જેવા દેશ સામે મેચ ફિક્સિંગ ન જ કરે. આનો તો એમ અર્થ થાય કે, અત્યાર સુધી તમે જ જેમને સપોર્ટ કર્યો હતો એમના માટે તમે ઈનડિરેક્ટલી એવું કહો છો કે, આ ખેલાડીઓને એમનો દેશ વહાલો નથી. કારણ કે, પાકિસ્તાન જેવા દેશની કોઈ ટીમને જીતાડવા પૈસા લેવા એનો અર્થ તો એ જ થયો ને એ ખેલાડીઓને દેશ કરતા પૈસા વધુ વહાલા હતા. વળી, એ પણ એવા ખેલાડીઓ, જેઓ હાથમાં બે મિનિટ માટે એક શેમ્પુની બોટલ પકડે તો એમને કરોડોના ચેક મળતા હોય.</p>
<p>ખૈર, ક્રિકેટ જેવી રમત ભારતમાં ખૂબ મહત્ત્વ ધરાવે છે. અને આપણી પ્રજા ક્રિકેટ માટે જીવ આપી દેવા તત્પર થઈ જતી હોય છે. એવા સમયે આપણી ટીમ પાકિસ્તાન જેવી કટ્ટર દુશ્મન કહેવાય એવી ટીમ સામે હારે તો સ્વાભાવિક છે કે, લોકોના દિલ દુભાય કે ટીમે રમત દરમિયાન કરેલી કેટલીક ભૂલો પર એમને ગુસ્સો આવે. પરંતુ એનો અર્થ એ પણ નથી કે, છેક જ ટીમનો સાથ છોડી દેવાનો અને હોકી જેવી રમત, જેને એમણે ક્યારેય મહત્ત્વ નહીં આપ્યું હોય એને તેઓ મહત્ત્વ આપતા થઈ જાય. ખૈર, સબકી ચોઈસ હોતી હૈ, ઔર સબકી સોચ હોતી હૈ. જીસ કી જૈસી સોચ ઔર જીસકી જૈસી ચોઈસ. </p>
]]></content:encoded>
                
                                                            <category>Magazine: ટેક ઈટ ઓર લીવ ઈટ</category>
                                    

                <link>https://www.khabarchhe.com/magazine--%E0%AA%9F%E0%AB%87%E0%AA%95-%E0%AA%88%E0%AA%9F-%E0%AA%93%E0%AA%B0-%E0%AA%B2%E0%AB%80%E0%AA%B5-%E0%AA%88%E0%AA%9F/why-suddenly-national-game-reminded/article-169060</link>
                <guid>https://www.khabarchhe.com/magazine--%E0%AA%9F%E0%AB%87%E0%AA%95-%E0%AA%88%E0%AA%9F-%E0%AA%93%E0%AA%B0-%E0%AA%B2%E0%AB%80%E0%AA%B5-%E0%AA%88%E0%AA%9F/why-suddenly-national-game-reminded/article-169060</guid>
                <pubDate>Mon, 19 Jun 2017 16:31:50 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[ankitdesai-author - (અંકિત દેસાઈ)]]></dc:creator>
                            </item>
            <item>
                <title>સોશિયલ મીડિયા કો ચીરતી સનસની</title>
                                    <description><![CDATA[<p>
</p><p>સોશિયલ મીડિયામાં ઘણી વાર ખોટા સમાચાર ફરતા રહેતા હોય છે. અને મજાની વાત એ છે કે લોકો ન્યૂઝની ખરાઈ કર્યા વિના એને બેધડક ફોરવર્ડ પણ કરતા રહેતા હોય છે, જેને કારણે ઘણી વાર એમ થાય કે, નાગરિક ધર્મની જેમ સોશિયલ મીડિયામાં પણ થોડો શેરિંગ ધર્મ હોવો જોઈએ. આખરે નાહકની સનસનાટી કે અફવાઓ ફેલાવવી એ કંઈ સારી બાબત નથી. એવામાં ક્યારેક મોટી મુશ્કેલી પણ સર્જાય અને કંઈ નહીં તો ક્યારેક કોઈ સાચી વાત વાયરલ થશે તો લોકો વાઘ આવ્યો વાઘ આવ્યોની વાર્તાના સિદ્ધાંતે સોશિયલ મીડિયામાં ફરેલી વાતને ખોટી માનીને કોઈ પગલાં નહીં ભરે.</p>
<p>જોકે સોશિયલ મીડિયામાં સામાન્ય માણસો ખોટી અફવાઓ કે</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p>
</p><p>સોશિયલ મીડિયામાં ઘણી વાર ખોટા સમાચાર ફરતા રહેતા હોય છે. અને મજાની વાત એ છે કે લોકો ન્યૂઝની ખરાઈ કર્યા વિના એને બેધડક ફોરવર્ડ પણ કરતા રહેતા હોય છે, જેને કારણે ઘણી વાર એમ થાય કે, નાગરિક ધર્મની જેમ સોશિયલ મીડિયામાં પણ થોડો શેરિંગ ધર્મ હોવો જોઈએ. આખરે નાહકની સનસનાટી કે અફવાઓ ફેલાવવી એ કંઈ સારી બાબત નથી. એવામાં ક્યારેક મોટી મુશ્કેલી પણ સર્જાય અને કંઈ નહીં તો ક્યારેક કોઈ સાચી વાત વાયરલ થશે તો લોકો વાઘ આવ્યો વાઘ આવ્યોની વાર્તાના સિદ્ધાંતે સોશિયલ મીડિયામાં ફરેલી વાતને ખોટી માનીને કોઈ પગલાં નહીં ભરે.</p>
<p>જોકે સોશિયલ મીડિયામાં સામાન્ય માણસો ખોટી અફવાઓ કે ફોટો શોપ્ડ ઈમેજો ફરતી રાખે એમાં ઝાઝું નવાઈ પામવા જેવું નથી. બની શકે કે, પોતાની રોજિંદી ઘટમાળમાં વ્યસ્ત રહેતો, ક્યાંક ગૂંચવાયેલો અથવા ઓછું શિક્ષણ પામેલો કોઈ માણસ સમજદારી વાપરીને એની પાસે આવેલા કન્ટેન્ટની સાતત્યતા ચકાસ્યા વિના એને શેર કરતો રહે અને પોતે કંઈક યુનિક શેર કર્યું છે એવા આનંદમાં રાચતો રહે, પરંતુ જ્યારે પ્રબુદ્ધ વ્યક્તિ કે અખબાર કોઈક ખોટા ન્યૂઝને શેર કરે કે વાયરલ કરે ત્યારે એ બાબત આશ્ચર્ય તો પમાડે જ, પરંતુ એ થોડી ગંભીર બાબત પણ કહી શકાય કારણ કે, જે-તે વ્યક્તિ અથવા ન્યૂઝ પેપર દ્વારા પ્રકાશિત થયેલી, શેર થયેલી કે વાયરલ થયેલી અફવાને બહોળો વર્ગ સ્વીકારી લેતો હોય છે અથવા એને ખરું માનીને લેવા જોગા પગલા લેતો હોય છે.</p>
<p>તાજેતરમાં જ આવો એક અનુભવ આ લખનારને થયો. એક અગ્રગણ્ય અખબારના ફ્રન્ટપેજ પર એક ઑફબીટ ખબર નજરે ચઢી. ખબરમાં એવું હતું કે, સાઉદીનો પ્રિન્સ પોકર રમતી વખતે એમની 22 અજબની સંપત્તિ હાર્યા. આ તો ઠીક સતત છ કલાક સુધી રમ્યા બાદ પણ કશું હાથ નહીં લાગતા પ્રિન્સે એમની પત્નીઓને હોડમાં મૂકવાનું શરૂ કર્યું અને નવ પત્નીઓમાંની ત્યાં હાજર પાંચ પત્નીઓને પણ તેઓ હારી ગયા. એકવીસમી સદીનો બીજો દાયકો પૂરો થવામાં હોય ત્યારે કોઈ ખૂબ જાણીતી હસ્તી કેસીનોમાં જુગાર રમતી વખતે પોતાની પત્નીને દાવ પર મૂકે અને એમને હારી જાય ત્યારે આપણી યાદદાસ્ત પાંચ હજાર વર્ષ પાછળ ચાલી જાય, જ્યારે યુધિષ્ઠિર દ્રૌપદીને હારી ગયેલા.</p>
<p>આપણને થયું આ તો બહુ મોટી ઘટના કહેવાય, મહાભારતકાળમાં પાંચ પતિની એક પત્ની હોડમાં મૂકાયેલી તો એકવીસમી સદીમાં એક પતિએ એની પાંચ પાંચ પત્નીઓને હોડમાં મૂકી દીધી. તો ચાલો આ ઉડાઉ પ્રિન્સ વિશે થોડું વધુ જાણીએ. આખરે કસીનોમાં અબજોઅ રૂપિયા, જમીન-જાયદાદ કે હાથી-ઘોડા હારી જનારા તો ઘણા જોયા પણ પત્નીઓ હારી જવું એ કંઈ નાની વાત છે? એટલે એ ન્યૂઝનું પગેરું લઈને આપણે તો પહોંચ્યા સીધા ગુગલ બાબા પાસે અને જુદા જુદા કી વર્ડ્સ આપીને એ ન્યૂઝ શોધવાનું શરૂ કર્યું. પહેલા તો એ પ્રિન્સ વિશે સર્ચ કર્યું તો ખબર પડી કે એ નામના પ્રિન્સને તો સ્વર્ગે સોરી, જન્નતે સીધાવીને દાયકા ઉપરનો સમય થઈ ગયો છે! </p>
<p>પછી થોડું વધુ સંશોધન કર્યું તો ખબર પડી કે કોઈક વેબ પોર્ટલે ખોટી રીતે આ ન્યૂઝ ઘડી કાઢેલા અને એને અપલોડ કરેલા. ઈન્ટરનેટ પર જ વાંચવા મળ્યું કે, ‘વર્લ્ડ ન્યૂઝ ડેઈલી રિપોર્ટ’ નામની વેબસાઈટે ભૂતકાળમાં પણ આવા ગતકડાં કર્યા છે. પરંતુ આ વખતે આ ન્યૂઝ એવા ચાલ્યા કે જોતજોતામાં પોર્ટલ પરની લિંક પરથી અનેક સ્થાનિક અખબારોએ સમાચાર બનાવ્યા અને બૌદ્ધિકોએ ફેસબુક, ટ્વિટર પર એ સંદર્ભની ચર્ચા આદરી. અરે, એક વેબસાઈટ તો એવો દાવો કરે છે કે આ ફેક ન્યૂઝ શશી થરુરે પણ ઉત્સાહમાં આવીને શેર કરેલા અને પાછળથી એમને ખબર પડી કે આ સમાચાર ઉપજાવી કઢાયેલા છે ત્યારે એમણે એમની ટ્વિટ ડિલિટ કરી નાંખી. તો કેટલાક આર્મ ચેર એક્ટિવિસ્ટ્સને સાઉદીની મહિલાઓની ચિંતા થઈ આવી અને એસીમાં બેઠાં બેઠાં એમણે સાઉદીમાં મહિલા પર થતાં અમાનુષી અત્યાચાર અને એમની અત્યંત દયનિય હાલત પર એમના ઑપિનિયન આપી દીધા.</p>
<p>એક આંકડો તો એમ કહે છે કે, આ સમાચારના સંદર્ભમાં માત્ર ભારતમાં 64,000 ફેસબુક શેર અને 3660 ટ્વિટ્સ થઈ હતી. લ્યો કર લો બાત. એનો મતલબ એમ કે, જરા સરખી પણ ખરાઈ કર્યા વિના આટલા બધા લોકોએ દે ધનાધન શેરિંગ કર્યું અને જો કોઈક ભગીરથ આ બાબતને વ્હોટ્સ એપ પર લઈ આવ્યો હશે તો આ ન્યૂઝ કેટલા લોકોએ શેર કર્યા હશે અને કેટલા એ વાંચીને અચંભિત થયા હશે એનું કોઈ માપું નહીં.</p>
<p>જોકે આ આખીય બાબતમાં ચિંતાજનક બાબત એ જ રહી કે, સામાન્ય લોકોની સાથે સમાચાર પત્રો અને બૌદ્ધિકો પણ આ બાબતે ઊણા ઉતર્યા અને ‘વર્લ્ડ ન્યૂઝ ડેઈલી રિપોર્ટ’ જાણે ન્યૂયોર્ક ટાઈમ્સ કે ડેઈલી મેઈલ હોય એમ એના સમાચાર સાચા માનીને કોઈ પણ પ્રકારનું ક્રોસ વેરિફિકેશન કર્યા વિના પોતાના અખબારોમાં છાપી માર્યા. અને લોકોએ એ સનસનાટી માણી અને આગળ શેર કરી.  </p>
]]></content:encoded>
                
                                                            <category>Magazine: ટેક ઈટ ઓર લીવ ઈટ</category>
                                    

                <link>https://www.khabarchhe.com/magazine--%E0%AA%9F%E0%AB%87%E0%AA%95-%E0%AA%88%E0%AA%9F-%E0%AA%93%E0%AA%B0-%E0%AA%B2%E0%AB%80%E0%AA%B5-%E0%AA%88%E0%AA%9F/breaking-news-on-social-media/article-169059</link>
                <guid>https://www.khabarchhe.com/magazine--%E0%AA%9F%E0%AB%87%E0%AA%95-%E0%AA%88%E0%AA%9F-%E0%AA%93%E0%AA%B0-%E0%AA%B2%E0%AB%80%E0%AA%B5-%E0%AA%88%E0%AA%9F/breaking-news-on-social-media/article-169059</guid>
                <pubDate>Mon, 12 Jun 2017 17:24:18 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[ankitdesai-author - (અંકિત દેસાઈ)]]></dc:creator>
                            </item>
            <item>
                <title>શું કરે છે આજકાલ KBC વિનર્સ?</title>
                                    <description><![CDATA[<p>
</p><p>અમિતાભ બચ્ચનના અત્યંત લોકપ્રિય ટેલિવિઝન શૉ ‘કૌન બનેગા કરોડપતિ’માં જેટલા સ્પર્ધકો કરોડ રૂપિયા જીતેલા એ તમામ સ્પર્ધકો અત્યારે શું કરે છે એ વિશે તાજેતરમાં ‘ધ ક્વિન્ટે’ એક સ્ટોરી કરી. પહેલા તો KBCમાં માત્ર એક કરોડ રૂપિયા જ જીતી શકાતા, પણ પછીથી આ શૉમાં પાંચ અને સાત કરોડ સુધીની રકમ જીતી શકાતી હતી અને કેટલાક સ્પર્ધકો તો એ પણ જીત્યા.</p>
<p>સૌથી પહેલા જે સ્પર્ધક કરોડપતિ બનેલો એ સ્પર્ધક હતો હર્ષવર્ધન નવાઠે. હર્ષવર્ધને જ્યારે KBCના તમામ સવાલના જવાબો આપેલા ત્યારે દેશભરના અખબારોમાં એ વિશે ખૂબ ચર્ચા ચાલેલી. અમને યાદ આવે છે કે, ત્યારે હર્ષવર્ધનનો એપિસોડ તાત્કાલિક પ્રસારિત નહીં કરતા દર્શકોને રીતસરની રાહ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p>
</p><p>અમિતાભ બચ્ચનના અત્યંત લોકપ્રિય ટેલિવિઝન શૉ ‘કૌન બનેગા કરોડપતિ’માં જેટલા સ્પર્ધકો કરોડ રૂપિયા જીતેલા એ તમામ સ્પર્ધકો અત્યારે શું કરે છે એ વિશે તાજેતરમાં ‘ધ ક્વિન્ટે’ એક સ્ટોરી કરી. પહેલા તો KBCમાં માત્ર એક કરોડ રૂપિયા જ જીતી શકાતા, પણ પછીથી આ શૉમાં પાંચ અને સાત કરોડ સુધીની રકમ જીતી શકાતી હતી અને કેટલાક સ્પર્ધકો તો એ પણ જીત્યા.</p>
<p>સૌથી પહેલા જે સ્પર્ધક કરોડપતિ બનેલો એ સ્પર્ધક હતો હર્ષવર્ધન નવાઠે. હર્ષવર્ધને જ્યારે KBCના તમામ સવાલના જવાબો આપેલા ત્યારે દેશભરના અખબારોમાં એ વિશે ખૂબ ચર્ચા ચાલેલી. અમને યાદ આવે છે કે, ત્યારે હર્ષવર્ધનનો એપિસોડ તાત્કાલિક પ્રસારિત નહીં કરતા દર્શકોને રીતસરની રાહ જોવડાવવામાં આવેલી અને હર્ષવર્ઘન જીતેલો એના ઘણા દિવસો પછી એ એપિસોડ ટેલિકાસ્ટ કરાયેલો. જોકે ‘ધ ક્વિન્ટે’ હમણા જે સ્ટોરી કરી એમાં એવું જણાવાયું છે કે, 2000ની સાલમાં જ્યારે હર્ષવર્ધન KBC જીતેલો ત્યારે એ સિવિલ સર્વિસિસની તૈયારી કરતો હતો. પરંતુ KBCમાં એક કરોડ રૂપિયા જીત્યા બાદ હર્ષવર્ધને સિવિલ સર્વિસિસની પરીક્ષાની તૈયારી પડતી મૂકીને વિદેશમાં એમબીએ કરવા જવાનું નક્કી કર્યું અને હવે એ એના પરિવાર સાથે મુંબઈમાં સ્થાયી થયો છે.</p>
<p>કરોડ રૂપિયાની રકમ જીત્યા બાદ એણે સૌથી પહેલા એના માટે મારુતિ એસ્ટિમ કાર ખરીદી હતી. હવે તો હર્ષવર્ધનના બે સંતાનો પણ છે! તો બીજા જ વર્ષે એટલે કે, વર્ષ 2001માં કૌન બનેગા કરોડપતિના તમામ સવાલોના સાચા જવાબો આપ્યા હતા રવિ મોહન સૈનીએ. અલબત્ત, રવિ મોહન સૈનીએ ‘કૌન બનેગા કરોડપતિ જુનિયર’માં ભાગ લીધેલો. જુનિયર KBCમાં એક કરોડ રૂપિયા જીતેલો ત્યારે રવિ દસમાં ધોરણમાં ભણતો હતો. પરંતુ હવે રવિની પ્રોફાઈલ જાણીએ તો આપણને આશ્ચર્ય પણ થશે અને રવિને એક સલામ કરવાનું પણ મન થશે. કારણ કે, ત્યાર બાદ રવિએ મેડિકલમાં અભ્યાસ શરૂ કરેલો અને મેડિકલના અભ્યાસ દરમિયાન જ એમણે સિવિલ સર્વિસિસની પરીક્ષા આપેલી. આજે રવિ આઈપીએસ ઑફિસર છે અને મૂળ રાજસ્થાનના રવિ આપણા ગુજરાતમાં આઈપીએસ ઑફિસર તરીકે ફરજ બજાવે છે. રવિએ પણ એક કરોડની રકમમાંથી એક કારની ખરીદી કરી હતી અને બાકીના પૈસા એમણે મ્યુચ્યુઅલ ફંડમાં ઈન્વેસ્ટ કર્યા હતા.</p>
<p>બિહારના સુશિલ કુમાર વિશે તો સૌ જાણે છે. ‘ધ ક્વિન્ટ’નો તાજો રિપોર્ટ જણાવે છે કે સુશિલ કુમારે એની જીતેલી રકમમાંથી એના ભાઈઓને બિઝનેસ શરૂ કરવામાં મદદ કરેલી અને સો મહા દલિત બાળકોએ દત્તક લઈને ‘ગાંધી બચપન કેન્દ્ર’ની શરૂઆત કરી છે. જોકે એની સામે હિન્દુસ્તાન ટાઈમ્સનો બે વર્ષ જૂનો રિપોર્ટ વાંચીએ - જેમાં સુશિલ કુમારે એનું વર્ઝન પણ આપ્યું છે- તો ખ્યાલ આવશે કે સુશિલ કુમારની આર્થિક સ્થિતિ અત્યંત નબળી છે. હિન્દુસ્તાન ટાઈમ્સના જણાવ્યા મુજબ KBCમાં સૌથી પહેલી વખત પાંચ કરોડ રૂપિયાની રકમ જીતનારા સુશિલના હાથમાં ટેક્સ કપાયા બાદ સાડા ત્રણ કરોડ રૂપિયા જ આવ્યા હતા, જેમાંનો મોટો હિસ્સો એણે એના બહોળા પરિવાર માટે ઘર બનાવવામાં અને ભાઈઓને વેપાર શરૂ કરી આપવા માટે ખર્ચી નાખ્યો. આ ઉપરાંત એણે ખેતી માટે થોડી જમીન પણ ખરીદી હતી. પરંતુ તે ખેતીમાં પણ સફળ રહ્યો હોય એવું લાગતું નથી કારણ કે, હિન્દુસ્તાન ટાઈમ્સ આગળ કરગરતો હોય એમ એણે કહ્યું હતું કે, જીતેલી રકમના થોડા પૈસા એણે બેંકમાં વ્યાજે મૂક્યા હતા, જેના વ્યાજમાંથી એનું ગુજરાન ચાલે છે. જોકે એ રકમમાંથી એનું ગુજરાન યોગ્ય રીતે ચાલતું નથી. </p>
<p>આ ઉપરાંત પણ સુશિલ કુમાર વિશે તો એવા રિપોર્ટ્સ વાંચવા મળેલા કે, સુશિલ કુમાર બિહારના રાજકારણમાં પણ સક્રિય થવાના છે. જોકે એ બાબતે હજુ નક્કર સમાચાર આવ્યા નથી. જો રાજકારણમાં સક્રિય થાય તો સુશિલ કુમારની બાર સાંધે ત્યાં તેર તૂટેની પરિસ્થિતિ જરૂર સુધરશે એ વાત નક્કી છે.</p>
<p>આ ઉપરાંત સનમિત કૌર કરીને ચંદીગઢની એક યુવતી પણ KBCમાં જીતી હતી. સનમિતે ફેશનડિઝાઈનિંગમાં એની કરિયર બનાવવી હતી, પરંતુ એના પરિવારજનોએ ના પાડતા સનમિતે બાળકોને ભણાવવાનું શરૂ કરેલું. જોકે KBCમા જીત્યા બાદ સનમિત મુંબઈ શિફ્ટ થઈ ગયેલી અને એના એક મિત્ર સાથે એક ફેશનડિઝાઈનિંગની કંપની પણ શરૂ કરેલી. પણ પાછળથી કંઈક ડખો થયો અને હવે સનમિત એ કંપની સાથે સંકળાયેલી નથી.</p>
<p>તમને ખ્યાલ હોય તો વર્ષ 2014માં સાર્થક નિરુલ્લા અને અચીન નિરુલ્લા સાત કરોડ રૂપિયાની રકમ જીતેલા. આ બંને ભાઈઓ જ્યારે KBCમાં આવેલા ત્યારે જ એમની માને કેન્સર હતું અને એ બંનેની એવી ઈચ્છા હતી કે, KBCમાંથી જીતેલી રકમ તેઓ એમની માના ઈલાજ પાછળ ખર્ચ કરશે. અને એવું એમણે કર્યું પણ ખરું. જોકે બાકી રકમ એમણે એમના બિઝનેસમાં ઈનવેસ્ટ કરી અને મજાની વાત એ છે કે, તેઓ KBC જીતેલા એ જ દિવસથી એમના પર અનેક છોકરીઓના માગા આવ્યા હતા. આ ઉપરાંત તાજ મહોમ્મદ રંગરેજ નામના ઉદયપુરના એક શિક્ષક પણ એક કરોડ રૂપિયા જીતેલા, જેઓ KBCમા વિનર થયા બાદ માત્ર રંગરેજના નામે જ જાણીતા થયેલા. જોકે કરોડ રૂપિયા જીત્યા બાદ પણ એમણે એમની શિક્ષક તરીકેની નોકરી છોડી નહોતી. અને બે ગરીબ છોકરીઓને લગ્નમાં એમેણે આર્થિક મદદ કરી હતી એવું એમના વિશે વાંચવા મળ્યું. તો ઝારખંડની રાહત તસ્લીમે એની પોતાની ગારમેન્ટ શોપ શરૂ કરી હતી અને એ પગભર થઈ હતી.</p>
]]></content:encoded>
                
                                                            <category>Magazine: ટેક ઈટ ઓર લીવ ઈટ</category>
                                    

                <link>https://www.khabarchhe.com/magazine--%E0%AA%9F%E0%AB%87%E0%AA%95-%E0%AA%88%E0%AA%9F-%E0%AA%93%E0%AA%B0-%E0%AA%B2%E0%AB%80%E0%AA%B5-%E0%AA%88%E0%AA%9F/what-kbc-winners-are-doing-this-days/article-169048</link>
                <guid>https://www.khabarchhe.com/magazine--%E0%AA%9F%E0%AB%87%E0%AA%95-%E0%AA%88%E0%AA%9F-%E0%AA%93%E0%AA%B0-%E0%AA%B2%E0%AB%80%E0%AA%B5-%E0%AA%88%E0%AA%9F/what-kbc-winners-are-doing-this-days/article-169048</guid>
                <pubDate>Mon, 05 Jun 2017 17:31:15 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[ankitdesai-author - (અંકિત દેસાઈ)]]></dc:creator>
                            </item>
            <item>
                <title>પવન જલ્લાદની વાત...</title>
                                    <description><![CDATA[<p>
</p><p>દરેક માણસનું પ્રોફેશન સીધુ-સરળ, ઘણી કમ્ફર્ટ્સ સાથેનું, અઢળક પૈસો રળી આપતું હોય જ એવું શક્ય નથી. ઘણા પ્રોફેશન્સ એવા છે, જેને સામાન્યતઃ બધા લોકો રાજીખુશીથી અપનાવતા નથી. ગંદા-ગોબરા- ચીતરી ચઢે એવા અથવા જાન જોખમમાં મૂકવા પડે એવા અત્યંત પડકારજનક અનેક પ્રોફેશન્સ ક્યાં તો લોકોએ પૈસાની મજબૂરીથી અપનાવવા પડતા હોય અથવા ક્યાં તો એણે સામાજિક શોષણના ભોગ બનીને અપનાવવા પડતા હોય છે. અલબત્ત, એવા પ્રોફેશનોમાં ય માણસો કે કારીગરોની કમી નથી હોતી. ગટર સાફ કરવાની હોય કે મરેલા ઢોર કે કૂતરાં હટાવવાના હોય અથવા ખાટકી બનીને પ્રાણીઓ કાપવાના હોય કે ચર્મ ઉદ્યોગ માટે એમની ચામડી ઉતારવાની હોય અને આવા તો ઘણા</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p>
</p><p>દરેક માણસનું પ્રોફેશન સીધુ-સરળ, ઘણી કમ્ફર્ટ્સ સાથેનું, અઢળક પૈસો રળી આપતું હોય જ એવું શક્ય નથી. ઘણા પ્રોફેશન્સ એવા છે, જેને સામાન્યતઃ બધા લોકો રાજીખુશીથી અપનાવતા નથી. ગંદા-ગોબરા- ચીતરી ચઢે એવા અથવા જાન જોખમમાં મૂકવા પડે એવા અત્યંત પડકારજનક અનેક પ્રોફેશન્સ ક્યાં તો લોકોએ પૈસાની મજબૂરીથી અપનાવવા પડતા હોય અથવા ક્યાં તો એણે સામાજિક શોષણના ભોગ બનીને અપનાવવા પડતા હોય છે. અલબત્ત, એવા પ્રોફેશનોમાં ય માણસો કે કારીગરોની કમી નથી હોતી. ગટર સાફ કરવાની હોય કે મરેલા ઢોર કે કૂતરાં હટાવવાના હોય અથવા ખાટકી બનીને પ્રાણીઓ કાપવાના હોય કે ચર્મ ઉદ્યોગ માટે એમની ચામડી ઉતારવાની હોય અને આવા તો ઘણા કામોમાં મને-કમને જોડાયેલા માણસોની સંખ્યા વધુ હોય છે. પણ એક પ્રોફેશન એવું છે, જેના કારીગર અથવા કામ કરનારા માણસની સંખ્યા દેશભરમાં આંગળીને વેઢે ગણાય એટલી છે. એ પ્રોફેશન એટલે જલ્લાદનું એટલે કે જીવતા માણસોને ફાંસીએ લટકાવી દેવાનું… જે પ્રોફેશનની સૌથી મહત્ત્વની માગ છે, તમારું સંવેદના હિન હોવું…</p>
<p>જોકે જલ્લાદ જેમને ફાંસીએ લટકાવી દેતા હોય એ બધા કંઈ ભગત સિંઘ કે ઈસુ ખ્રિસ્ત નહીં હોય. આજના સમયમાં જેમને ફાંસી થાય છે એ બધા ક્યાં તો બળાત્કારી હોય, ખૂની હોય અથવા આતંકવાદી હોય. પણ તોય એક જીવતા માણસને સવારના પહોરમાં ફાંસીએ લટકાવી દેવાનો અને એ મરી જાય પછી તરત ચ્હા-નાસ્તો કરીને રોજિંદા કામે ચઢી જવાનું કામ કંઈ ઢીલાપોચા માણસનું નહીં. આજે આ વાત માંડવાનું એટલે મન થયું કે, આ લેખના વિષય માટે ઈન્ટરનેટ પર સર્ફિંગ કરતી વખતે આપણે ત્યાં અપાતી ફાંસી વિશે થોડું રસપ્રદ જાણવા મળ્યું અને એ બધુ વાંચતા વાંચતા પવન જલ્લાદ અને એના દાદા કલ્લુ જલ્લાદ વિશે વાંચવા મળ્યું. તો થયું ચાલો આજે ફાંસી અને પવન જલ્લાદ વિશે લખીએ. </p>
<p>અમને વાંચવા મળ્યું કે, પાછલા દસ વર્ષમાં આપણા દેશમાં કુલ 1300 ગુનેગારોને ફાંસીની સજા ફરમાવાયેલી, પરંતુ એમાં ત્રણ આતંકવાદીઓ અજમલ કસાબ, યાકૂબ મેમણ અને અફઝલ ગુરુને જ ફાંસી જ અપાઈ છે. બાકીના ગુનેગારોને સજા અપાઈ હોવા છતાં ક્યાં તો એમના કેસ ઉપલી અદાલતોમાં ચાલે છે અથવા ક્યાં તો એમની દયા અરજીની પ્રક્રિયા ચાલે છે. હજુ તાજેતરમાં જ સુપ્રિમ કોર્ટે દિલ્હીના બહુચર્ચિત નિર્ભયા કેસના ગુનેગારોની ફાંસી બરકરાર રાખી, જે સજાને હવે ક્યારે અંજામ અપાશે એ ભગવાન જાણે.</p>
<p>ફાંસી માત્ર જેલમાં જ અપાતી હોય છે અને ફાંસી અપાતી વખતે જેલના સુપરિન્ટેન્ડટ, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને જલ્લાદનું હાજર હોવું ફરજિયાત છે. જલ્લાદ ગેરહાજર હોય તો તો સ્વાભાવિક જ ફાંસી નહીં આપી શકાય, પરંતુ જેલ સુપરિન્ટેન્ડટ અને મેજિસ્ટ્રેટ હાજર નહીં હોય તો ય ફાંસી આપી શકાતી નથી. વળી, ફાંસી હંમેશાં વહેલી સવારે સૂર્યોદય પહેલા જ આપવામાં આવે છે, જેથી જેલના અન્ય રોજિંદા કામ પર અસર નહીં થાય. </p>
<p>ફાંસી પર લટકાવવાનું દોરડું પણ વિશેષરૂપે તૈયાર કરવામાં આવે છે, જે આપણે ત્યાં માત્ર બિહારના બક્સરની જેલમાં જ ત્યાંના કેદીઓ દ્વારા તૈયાર થાય છે. જેલનો રેકોર્ડ કહે છે કે વર્ષ 1930થી બક્સર જેલમાં ફાંસી માટેના દોરડા તૈયાર થાય છે, જે દોરડું ઓર્ડરના પંદર દિવસમાં તૈયાર કરી આપવામાં આવે છે. ફાંસીનું દોરડું તૈયાર કરતી વખતે ગુનેગારની ઉંચાઈની માહિતી ખાસ માગવામાં આવે છે અને દોષિતની ઉંચાઈ કરતા દોઢ ગણું લાંબું દોરડું તૈયાર કરવામાં આવે છે. એ દોરડાને મનિલા કહેવાય છે, જેની કિંમત અફઝલ ગુરુને ફાંસી આપવામાં આવી હતી ત્યારે 180 રૂપિયા કિલો હતી. જોકે બક્સર જેલના કેદીઓ માત્ર ફાંસી માટેનું જ દોરડું તૈયાર નથી કરતા. તેઓ ટેન્ટ માટેની રસ્સી, હાથે બાંધવાના દોરડા અને અન્ય કેટલાક પ્રકારના દોરડા પણ તૈયાર કરે છે, જેને ઓર્ડર પ્રમાણે આઠ માણસની ટીમ ખાસ મશીનથી તૈયાર કરવામાં આવે છે. </p>
<p>ફાંસી આપતી વખતે ગુનેગારના બંને હાથ અને પગ પણ દોરીથી સજ્જડ બાંધી દેવામાં આવે છે અને ચહેરો ઢાંકીને એમને ફાંસીએ ચડાવી દેવામાં આવે છે. જોકે ફાંસીએ ચઢાવતા પહેલા જલ્લાદ એ ગુનેગારો માટે વિશેષ પ્રાર્થના કરે છે અને પ્રાર્થના કર્યા બાદ જ એ ગુનેગારને ફાંસીએ લટકાવે છે. ફાંસી પર કેટલા સમય સુધી ગુનેગારને લટકાવવો એ માટે કોઈ ચોક્કસ સમય મર્યાદા નથી, પરંતુ ફાંસીએ લટક્યા બાદ પાંચથી દસ મિનિટ સુધી ગુનેગાર તરફડતો બંધ થાય પછી ડૉક્ટર એને તપાસે છે અને ડૉક્ટર મૃત જાહેર કરે પછી જ ગુનેગારને ફાંસીને માચડેથી ઉતારવામાં આવે છે.</p>
<p>જલ્લાદોમાં સામાન્ય રીતે વારસાગત ધંધા જેવું કશું હોતું નથી, પરંતુ પવન જલ્લાદના પરિવારમાં છેલ્લી ચાર પેઢીથી ફાંસીએ લટકાવવાનું કામ થાય છે. મેરઠમાં રહેતા પવન જલ્લાદના પરદાદા અંગ્રેજી સલતનના નોકર હતા, જેમણે એ સમય ભગતસિંઘને ફાંસીએ લટકાવેલા, જેનો વસવસો જલ્લાદ પરિવારને આજ સુધી છે. તો પવનના દાદા કલ્લુ જલ્લાદ પણ એમના સમયમાં નામી જલ્લાદ હતા. ગુનેગારોને ફાંસીએ લટકાવવાની એમની એવી તો હથોટી હતી કે, એમને મેરઠથી દિલ્હી કે દેશના અન્ય સ્થળોની જેલોમાં ફાંસીને અંજામ આપવા બોલાવવામાં આવતા. અપહરણ કાંડના દોષિત રંગા-બિલ્લાથી લઈ ઈન્દિરા ગાંધીના હત્યારા અને બળાત્કારના અનેક દોષિતોને કલ્લુ જલ્લાદે ફાંસીને માચડે ચઢાવ્યા છે. આ ઉપરાંત પવન જલ્લાદના પિતા મમ્મુ સિંઘ ફાંસીનો ફંદો તૈયાર કરવા માટે દેશભરમાં જાણીતા હતા. મમ્મુ જલ્લાદને નામે પણ બાર ફાંસીઓ બોલાય છે.</p>
<p>દાદા કલ્લુ જલ્લાદથી પ્રભાવિત પવન જલ્લાદે પણ નાનપણમાં જ જલ્લાદ બનવાનું નક્કી કરેલું અને પરદાદા, દાદા અને પિતાના રસ્તે જઈ એણે પણ ગુનેગારોને ફાંસી આપવાનું કામ શરૂ કર્યું. ઈન્ટરનેટ પર પવન જલ્લાદના અનુભવો રજૂ કરતી એક-બે ડૉક્યુમેન્ટરી પણ જોવા મળે છે. ગુનેગારોને ફાંસી આપવાના કામને પવન પોતાનું કર્મ ગણે છે અને આ કામ કરતી વખતે નથી તો એને કોઈ ખચકાટ થતો કે નથી એને દયા આવતી. એ જણાવે છે કે, ફાંસીએ લટકટતી વખતે કેટલાક ગુનેગારો અત્યંત આક્રંદ પણ કરતા હોય છે, પણ એવા સમયે તે ગુનેગારના કૃત્યો યાદ કરે છે અને એ અનેક નિર્દોષોની ચીસો યાદ કરે છે, જેમનો જીવવાનો અધિકાર એ ગુનેગારોએ છીનવી લીધો હોય છે. જેથી પવન પર એ આક્રંદની અસર થતી નથી.</p>
<p>ફાંસી તો કંઈ દર મહિને કે દર વર્ષે અપાતી નથી હોતી. પરંતુ સરકાર દ્બારા પવનને મહિને ત્રણ હજાર રૂપિયાનો પગાર ચૂકવવામાં આવે છે. અલબત્ત આટલી રકમમાં કંઈ પવનના ઘરનું ગુજરાન નહીં ચાલે એટલે ઘર ચલાવવા પવન કાપડનો ધંધો કરે છે અને ક્યારેક ફેરી પણ મારે છે. જલ્લાદ પરિવારની પાંચમી પેઢી હવે એમની ટીનએજમાં આવી ગઈ છે. હવે થોડા જ વર્ષોમાં તેઓ પણ કામધંધે વળગશે, પરંતુ પવન કહે છે કે, મારા દીકરાએ જલ્લાદ થવું હોય તો ઠીક, નહીંતર એને ગમતી નોકરી કે ધંધો કરશે તોય મારે કોઈ વાંધો નથી.  </p>
<p>અનેક લોકોને ફાંસી આપી ચૂકેલા પવન જલ્લાદ જોકે યાકુબ મેમણની ફાંસી વખતે સરકારથી થોડા રિસાયેલા હતા. કારણ કે, યાકુબ જેવા આતંકવાદીને એ પોતે ફાંસીએ લટકાવવાની ઈચ્છા ધરાવતો હતો. તો નિઠારી કાંડના નિષ્ઠુર સુરીન્દર કોલીની ફાંસીની સજા રદ્દ થયેલી એનો એને ભારોભાર વસવસો છે. પોતાની કરિયરમાં આ બે ગુનેગારોને ફાંસી ન ચઢાવી શક્યાનો વસવસો પવને અનેક ઈન્ટરવ્યૂઝમાં વ્યક્ત કર્યો છે. </p>
]]></content:encoded>
                
                                                            <category>Magazine: ટેક ઈટ ઓર લીવ ઈટ</category>
                                    

                <link>https://www.khabarchhe.com/magazine--%E0%AA%9F%E0%AB%87%E0%AA%95-%E0%AA%88%E0%AA%9F-%E0%AA%93%E0%AA%B0-%E0%AA%B2%E0%AB%80%E0%AA%B5-%E0%AA%88%E0%AA%9F/story-of-pawan-jallad/article-169058</link>
                <guid>https://www.khabarchhe.com/magazine--%E0%AA%9F%E0%AB%87%E0%AA%95-%E0%AA%88%E0%AA%9F-%E0%AA%93%E0%AA%B0-%E0%AA%B2%E0%AB%80%E0%AA%B5-%E0%AA%88%E0%AA%9F/story-of-pawan-jallad/article-169058</guid>
                <pubDate>Mon, 22 May 2017 15:56:56 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[ankitdesai-author - (અંકિત દેસાઈ)]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ફ્રિડમ ઑફ એક્સપ્રેશન્સ, ચોઈસ ઑફ ધોલધપાટ</title>
                                    <description><![CDATA[<p>
</p><p>સોશિયલ મીડિયા, ખાસ કરીને ફેસબુક પરના એક ઑબ્ઝર્વેશન પરથી આ લખવાનું મન થયું. ફેસબુક પર અને વાસ્તવિક જીવનમાં આપણે વર્ષભર અનેક વિશેષ દિવસો ઉજવતા રહેતા હોઈએ છીએ. વેલેન્ટાઈન ડે, સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિન, હજુ બે દિવસ પહેલા જ ગયો એ મધર્સ ડે કે આવતા મહિને આવનારો ફાધર્સ ડે… અને આવા તો બીજા અનેક એવા દિવસો હોય ત્યારે ફેસબુક યુઝર્સ એટલે કે, આપણે વ્યક્ત થતાં હોઈએ છીએ અને આપણને આવડે એવી ભાષામાં દેશ પ્રત્યે અથવા આપણા સ્વજનો પ્રત્યેનો પ્રેમ, આદર વ્યક્ત કરતા હોઈએ છીએ.</p>
<p>આવે ટાણે કેટલાક લોકોનો એવો મત હોય છે કે, આવી ‘દિન વિશેષ’ લાગણીઓ માત્ર એક દિવસ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p>
</p><p>સોશિયલ મીડિયા, ખાસ કરીને ફેસબુક પરના એક ઑબ્ઝર્વેશન પરથી આ લખવાનું મન થયું. ફેસબુક પર અને વાસ્તવિક જીવનમાં આપણે વર્ષભર અનેક વિશેષ દિવસો ઉજવતા રહેતા હોઈએ છીએ. વેલેન્ટાઈન ડે, સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિન, હજુ બે દિવસ પહેલા જ ગયો એ મધર્સ ડે કે આવતા મહિને આવનારો ફાધર્સ ડે… અને આવા તો બીજા અનેક એવા દિવસો હોય ત્યારે ફેસબુક યુઝર્સ એટલે કે, આપણે વ્યક્ત થતાં હોઈએ છીએ અને આપણને આવડે એવી ભાષામાં દેશ પ્રત્યે અથવા આપણા સ્વજનો પ્રત્યેનો પ્રેમ, આદર વ્યક્ત કરતા હોઈએ છીએ.</p>
<p>આવે ટાણે કેટલાક લોકોનો એવો મત હોય છે કે, આવી ‘દિન વિશેષ’ લાગણીઓ માત્ર એક દિવસ પૂરતી જ સીમિત હોય છે. અને વિશેષ દિવસોએ મૂકાયેલી વિશેષ પોસ્ટ્સ માત્ર ને માત્ર લાઈક્સ કે કમેન્ટ્સમાં છબછબિયાં કરવા જ મૂકાતી હોય છે. એવું કહેનારાઓની વાતમાં થોડું ઘણું તથ્ય હોઈ શકે, કારણ કે આપણા સમાજમાં દંભીઓ પણ હોવાના જ. પરંતુ એમની વાત ભારોભાર સાચી નથી. કારણ કે, ફેસબુક જેવા માધ્યમ પર ‘મેં સમોસા ખાધા’ જેવું સાવ વાહિયાત સ્ટેટ્સ અપલોડ કરો તોય જો તમારું ફ્રેન્ડલિસ્ટ મોટું હોય તો સો-દોઢસો લાઈક્સ અને ‘વાઉ…’, ‘કેવા હતા?’, ‘લકી યુ…’, ‘આઉચ… મને પણ ખાવા હતા…’ જેવી પાંચ-દસ કમેન્ટ્સ આવી શકતી હોય ત્યારે મોટાભાગે લોકોને લાઈક્સ કે કમેન્ટ્સની પરવા નથી હોતી.</p>
<p>વળી, કેટલાક લોકો એવી દલીલ રજૂ કરતા હોય છે કે, આવા બધા દિવસો તો પશ્ચિમ તરફથી આવેલા છે. આપણી સંસ્કૃતિ મુજબ આવું બધું યોગ્ય નથી. ખરું જોતા એવા લોકોની ફેસબુક વોલ અને મગજનો થોડો અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે કે, આ ભાઈસાહેબ અથવા બેનસાહેબા ભારતીય સંસ્કૃતિના પૂરતા અભ્યાસ અને એનું ઊંડાણ કે એની ઉંચાઈઓ જાણ્યા, સમજ્યા વિના જ એમના અભિપ્રાયોની ઠોકમઠોક કરે છે. જે સંસ્કૃતિમાં સ્વીકાર સહજ છે ત્યાં પશ્ચિમથી આવ્યું હોય કે પૂર્વથી આવ્યું હોય એમાં ફરક શું પડે? અને કેટલો પડે?</p>
<p>જોકે લેખનો ખરો મુદ્દો એ છે જ નહીં. આ તો દસ-પંદર બંદરને આવી કેટલીક કરતા ઑબ્ઝર્વ કર્યા એટલે થયું એમની દલીલોનો પ્રતિભાવ આપીએ. પણ પછી થયું શું કામ છે આપણે એમની સાથે માથાકૂટમાં ઉતરવાનું? એટલે હવે મૂળ મુદ્દા પર આવીએ. મૂળ મુદ્દો એ છે કે, સોશિયલ મીડિયામાં આવા કોઈ વિશેષ દિવસોએ કે પ્રસંગોએ અથવા વિવિધ સામાજિક-રાજકીય ઘટનાઓ અથવા ફિલ્મો જોઈ હોય તો એ બાબતે પ્રતિભાવ આપવો અથવા સમયાંતરે પોતાના પિક્ચર્સ કે વીડિયોઝ અથવા ચેક-ઈન કરતા રહેવું એ યોગ્ય છે ખરું? </p>
<p>અભિવ્યક્તિ બાબતના આ સવાલનો જવાબ વ્યક્તિએ વ્યક્તિએ જુદો હોવાનો. હોવો જ જોઈએ. પણ આ બાબતે એક માત્ર શરત એટલી કે, તમારા જવાબ અથવા તમારી માન્યતાઓના ત્રાજવામાં અન્યના સ્ટેટ્સ, ફોટોગ્રાફ્સ અથવા એની એક્ટિવિટીઝને તોળી શકાય નહીં. ‘સેક્સ સમસ્યા’માં પ્રકાશ કોઠારી જવાબ આપતા એમ આ સવાલનો જવાબ એમ આપી શકાય કે, ‘કોઈને ચ્હા ભાવતી હોય તો કોઈને કોફી ભાવતી હોય….’ પણ ચ્હા ભાવે છે એટલે કોફી ખરાબ એવું માની કે કહી શકાય નહીં. એ જ રીતે ધારો કે કોઈ પોતાની ફેસબુક વોલ પર એના પર્સનલ અથવા આવા-તેવા-ગમેતેવા ફોટોગ્રાફ્સ અપલોડ કરે, ફળિયામાં જ સામેવાળાને ત્યાં પહોંચ્યો છે એનું ચેક ઈન કરે કે ટ્રમ્પે હવે શું કરવું જોઈએ એ બાબતે અભિપ્રાય આપે ત્યારે પર્સનલી તમને આમાંનું કશું જ કરવાનું નહીં ગમતું હોય તોય તમે એમ નહીં કહી શકો કે ફલાણો કે ઢીંકણો કરે છે એ યોગ્ય નથી. એને જજમેન્ટલ થયા કહેવાય અને પહેલેના ડોસલા એમ કહી ગયેલા કે બીજું બધુ યોગ્ય હોય કે ન હોય, પણ જજમેન્ટલ થવું યોગ્ય નથી. </p>
<p>ફેસબુક અથવા ટ્વિટર અથવા ઈન્સ્ટાગ્રામ અથવા સ્નેપચેટ અથવા વ્હોટ્સ એપ અથવા આ અથવા તે જેવી અનેક સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ (જોકે વ્હોટ્સ એપને તો મેસેન્જર કહી શકાય) આપણા માધ્યમથી આમ ભલે કરોડોનો બિઝનેસ કરતી હોય, પણ આ સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ આપણને સાવ મફતમાં અભિવ્યક્ત થવાનું, આપણી અંદર જે કંઈ પણ ભર્યું, પડ્યું છે એને બીજા સાથે શેર કરવાનું અને ખાલી થઈને ફરી ભરાવાનું અને બીજાનું જોઈ-વાંચી-સાંભળીને નવું કશુંક શીખવાનું પ્લેટફારમ પૂરું પાડે છે. આપણે પર્સનલી એ વાતનો અનુભવ કર્યો છે કે અભિવ્યક્ત થતો માણસ અભિવ્યક્ત ન થતાં માણસ કરતા વધુ હેપી હોય છે કારણ કે, એણે શેર કરવાનો આનંદ માણ્યો હોય છે.</p>
<p>સોશિયલ મીડિયા પર ફ્રિડમ ઑફ ચોઈસ અને ફ્રિડમ ઑફ એક્સપ્રેશન બંનેને અવકાશ હોય છે, જે બંનેને ભારત જ નહીં, દુનિયાભરના લોકશાહી દેશોના બંધારણો માન્યતા આપે છે. એવા ટાણે જેણે જે અપલોડ કરવું હોય અથવા જે કહેવું હોય એ કહે. એને જજ ન કરી શકાય અથવા એને અનુલક્ષીને કમેન્ટ નહીં કરી શકાય. નહીંતર કોઈની અડફટે ચઢ્યા તો તમારો અલ્લાહ જ બેલી…</p>
<p>અલબત્ત, જો નાગરિકને પસંદગી અને શેરિંગ એટલે કે અભિવ્યક્તિનો અધિકાર અને સ્વતંત્રતા મળતી હોય તો એની સાથે એને માથે ઘણીબધી જવાબદારીઓ પણ આવતી હોય છે. ગમતું હોય એ શેર કરી જ શકાય પણ મનફાવે એ શેર નહીં કરી શકાય. એટલે કે, ચાહે તમે દિવસમાં તમારા દસ ફોટોગ્રાફ અપલોડ કરો અથવા કોઈ પણ સામાજિક-રાજકીય બાબતો, ફિલ્મો અથવા પુસ્તકો વિશે ગમે એવા અભિપ્રાયો આપો. એવે ટાણે બીજા શું વિચારશે એની પરવા ન જ કરવાની હોય, પરંતુ તે સાથે એ પણ એટલું જ સાચું કે, જ્યારે આપણે કોઈ પ્રતિભાવ આપીએ ત્યારે ફેંકાફેંકી કરીએ એ પણ યોગ્ય નહીં. અથવા કોઈના વિશે છેક નિમ્ન ભાષામાં કશુંક લખાય એ પણ યોગ્ય નહીં. એ જ રીતે એક વાત હંમેશાં માઈન્ડમાં કીપ કરવાની કે, સોશિયલ મીડિયામાં સોશિયલ એટલે કે સમાજ શબ્દ આવે છે. એનો મતલબ એ છે કે વર્ચ્યુઅલ વર્લ્ડમાં પણ એ જ વાસ્તવ સમાજ હાજરાહજૂર છે, એટલે ગમે એવા ફોટોગ્રાફ્સ અથવા કંઈક અંશે પર્સનલ કહી શકાય એવા ફોટોગ્રાફ્સ પણ શેર કરતા રહેવું સારું ન કહેવાય. </p>
<p>જોકે આ તો એક વાત કરી. બાકી કોઈએ ગમે એવું લખવું હોય અથવા ગમે એવા ફોટોગ્રાફ્સ અપલોડ કરો તોય તમને કોઈ ના કહેવા નહીં આવે. હા, કોઈને કંઈક વાગી પડ્યું અને એણે કાયદાનો સહારો લીધો અથવા કાયદાને હાથમાં લઈને જ તમારો કાઠલો ઝાલ્યો તો તમારો અલ્લાહ જ બેલી… આફ્ટરઑલ જેમ તમને ફ્રિડમ ઑફ ચોઈસ હોય એમ એનેય કંઈક વાગી જાય તો ધોલધપાટની ચોઈસ કરતી વખતે કોઈ રોકી શકવાનું નથી…</p>
]]></content:encoded>
                
                                                            <category>Magazine: ટેક ઈટ ઓર લીવ ઈટ</category>
                                    

                <link>https://www.khabarchhe.com/magazine--%E0%AA%9F%E0%AB%87%E0%AA%95-%E0%AA%88%E0%AA%9F-%E0%AA%93%E0%AA%B0-%E0%AA%B2%E0%AB%80%E0%AA%B5-%E0%AA%88%E0%AA%9F/an-article-on-freedom-of-expression/article-169057</link>
                <guid>https://www.khabarchhe.com/magazine--%E0%AA%9F%E0%AB%87%E0%AA%95-%E0%AA%88%E0%AA%9F-%E0%AA%93%E0%AA%B0-%E0%AA%B2%E0%AB%80%E0%AA%B5-%E0%AA%88%E0%AA%9F/an-article-on-freedom-of-expression/article-169057</guid>
                <pubDate>Mon, 15 May 2017 16:45:27 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[ankitdesai-author - (અંકિત દેસાઈ)]]></dc:creator>
                            </item>
            <item>
                <title>હારેલા પાત્રોની વાર્તા...</title>
                                    <description><![CDATA[<p>
</p><p>માનવ કૌલ અચ્છા અભિનેતા છે અને મુંબઈના પૃથ્વી થિયેટરમાં ભજવાતા એમના નાટકોથી લઈ બોલિવુડની ‘કાઈપો છે’ કે ‘જય ગંગાજલ’ જેવી ફિલ્મો સુધી એમણે એમની આગવી સ્પેશ ઊભી કરી છે. જોકે સારા અભિનેતા હોવા ઉપરાંત તેઓ ખૂબ સારા વાર્તાકાર પણ છે. અને વાર્તા કહેવાના શોખને કારણે જ તેઓ નાટકોના દિગ્દર્શન તરફ પણ આકર્ષાયા. વાર્તા કહેવાની એમની પેશન માત્ર દિગ્દર્શન સુધી જ નહીં, પણ વાર્તાસંગ્રહો સુધી પણ પહોંચી, જેને પગલે છેલ્લાં એક વર્ષમાં આપણને માનવ પાસેથી બે વાર્તાસંગ્રહો મળ્યાં છે. માનવ કૌલના પહેલા વાર્તા સંગ્રહ ‘ઠીક તુમ્હારે પીછે’ વિશે આપણે એક નહીં, પણ બે-બે લેખો માણેલા. તો આજે એમના બીજા વાર્તાસંગ્રહ ‘પ્રેમ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p>
</p><p>માનવ કૌલ અચ્છા અભિનેતા છે અને મુંબઈના પૃથ્વી થિયેટરમાં ભજવાતા એમના નાટકોથી લઈ બોલિવુડની ‘કાઈપો છે’ કે ‘જય ગંગાજલ’ જેવી ફિલ્મો સુધી એમણે એમની આગવી સ્પેશ ઊભી કરી છે. જોકે સારા અભિનેતા હોવા ઉપરાંત તેઓ ખૂબ સારા વાર્તાકાર પણ છે. અને વાર્તા કહેવાના શોખને કારણે જ તેઓ નાટકોના દિગ્દર્શન તરફ પણ આકર્ષાયા. વાર્તા કહેવાની એમની પેશન માત્ર દિગ્દર્શન સુધી જ નહીં, પણ વાર્તાસંગ્રહો સુધી પણ પહોંચી, જેને પગલે છેલ્લાં એક વર્ષમાં આપણને માનવ પાસેથી બે વાર્તાસંગ્રહો મળ્યાં છે. માનવ કૌલના પહેલા વાર્તા સંગ્રહ ‘ઠીક તુમ્હારે પીછે’ વિશે આપણે એક નહીં, પણ બે-બે લેખો માણેલા. તો આજે એમના બીજા વાર્તાસંગ્રહ ‘પ્રેમ કબૂતર’ની થોડી વાતો કરીએ.</p>
<p>આમ તો માનવના આ નવા વાર્તાસંગ્રહમાં માત્ર આઠ જ વાર્તાઓનો સમાવેશ કરાયો છે, પરંતુ એક એકથી ચઢે એવી એ આઠ વાર્તાઓ વાંચતી વખતે જે મજા આવે એ અનન્ય હોય છે. હિન્દી સાથે કામ પાર પાડવાની માનવની આવડત ગજબ છે અને એ ગજબ ભાષામાં જ્યારે માનવ કથા ગૂંથે છે ત્યારે ભાષા અને કથાના અદ્દભુત સાયુજ્યથી થોડું વિશેષ કહી શકાય એવું સર્જન આપણી સમક્ષ ઉઘડે છે. </p>
<p>આમ તો એ આઠેય વાર્તાઓ એકબીજાથી ભિન્ન કથાવસ્તુ ધરાવે છે, પરંતુ આઠેયમાં જો કોઈ એક સામ્યતા હોય તો તે કે એ હંધીય વાર્તાઓમાં કંઈક ફરિયાદ નજરે ચઢે છે ક્યાંક હાર નજરે છે અને પાત્રોની હારની કસક નજરે ચઢે છે. જોકે એ બાબતે માનવે પોતે પ્રસ્તાવનામાં ફોડ પાડ્યો છે કે, ‘મને મોટાભાગે હારેલા પાત્રો ખૂબ આકર્ષિત કરે છે. હારેલા પાત્રોની અંદર એક નાટકીય સંસાર છૂપાયેલો હોય છે. જીતની વાર્તાઓ મને હંમેશાં કંટાળાજનક લાગી છે.’</p>
<p>પ્રસ્તાવનામાં માનવે એ વાતનો પણ સ્વીકાર કર્યો છે, કે વાર્તાલેખનને કારણે તેઓ ટકી રહ્યા છે. તેઓ લખે છે, ‘હું અત્યંત નાસ્તિક માણસ છું, પણ મારી મુશ્કેલીઓના સમયમાં મારી વાર્તાઓ જ મારી વહારે આવી છે. મારા લેખનને કારણે હું ટકી રહ્યો. દરવખતે હું (જીવનના) આકરા તાપમાંથી ભાગીને આ (વાર્તાઓના) વડલાના છાંયડામાં આશ્રય મેળવી લેતો.’</p>
<p>આપણા ઘણા વાર્તાકારો, નાટ્યકારો કે અભિનેતાઓ એમની મુલાકાતોમાં એવું કહેતા હોય છે કે, એમને સર્જનની પૂર્ણતા કરતા સર્જનની પ્રક્રિયામાં વધારે મજા પડે છે. કોઈક વાર્તા, નવલકથા અથવા નાટક એમના મનમાં આકાર લેતું હોય પછી એની માવજત થાય અને વિવિધ ઘાટ આપી એ સર્જનને સાકાર કરવા આખરી ઓપ આપવાનું શરૂ થાય એ દરમિયાન સર્જકનું લાગણી જગત અનેરું હોય. એ લાગણીઓથી તરબતર થવાનું, એમાં ભીંજાવાનું એમને ખૂબ ગમતું હોય છે. સર્જન પ્રક્રિયા દરમિયાનની દૈવી હકારાત્મકતા સર્જકનું હોવાપણું સાર્થક કરે છે, લાગણીઓની આવી વાછટ માણવાનું બધાના ભાગ્યમાં નથી હોતું. સર્જન થઈ જાય પછી તો એમાં ભાવક-વાચક કે દર્શકનો પણ ભાગ હોય છે. અલબત્ત, સર્જકને એના સર્જનમાં ભાગ પાડવાનું ગમતું જ હોય છે, પરંતુ સર્જન પ્રક્રિયા પૂરી થાય અને સર્જન પૂર્ણ થાય પછી પેલી અલૌકિક અનુભૂતિની ગેરહાજરી વર્તાય છે, જેને કારણે જ સર્જકો કહેતા હોય છે કે, એમને સર્જનપ્રક્રિયામાં ઘણો આનંદ આવે છે.</p>
<p>ખૈર, માનવની વાર્તાઓની વાત કરતી વખતે આ વાત એટલે સૂઝી કે માનવે સંગ્રહની પ્રસ્તાવનામાં કંઈક આ સંદર્ભની મજાની વાતનો પણ ઉલ્લેખ કર્યો છે. એ લખે છે, </p>
<p>‘લગભગ સત્તાવીસ વર્ષ પછી હું બારામુલા (કાશ્મીર), ખ્વાજબાગ ગયેલો, જ્યાં મારો જન્મ થયેલો અને મારું બાળપણ વીતેલું. અમે જ્યાં રહેતા એ કૉલોની ખંડેર બની ગયેલી. મારા ઘરનો દરવાજો તોડીને મારે અંદર ઘૂસવું પડેલું. મારું એ ઘર, અંતિમ શ્વાસ લેતા કોઈ વૃદ્ધ જેવું હતું, જે ઢળી પડવા પહેલા કોઈક સ્વજનની રાહ જોતું હતું. એવામાં મારી નજર એક નાનકડા ગોખલા પર ગઈ, જે ગોખલામાં હું મારી ચોકલેટ્સ સંતાડી રાખતો. એ બધું જોઈને હું મારી જાતને નહીં સંભાળી શક્યો. કલાકો સુધી હું એ કૉલોનીમાં રખડપટ્ટી કરતો રહ્યો. એ તમામ ગલીઓમાં ગયો, જ્યાં અમે રમતા. કૉલોનીમાંથી નીકળતી વખતે એક સ્ત્રીએ મને અટકાવીને પૂછ્યું, </p>
<p>‘કોણ છે તું? અને અહીં તું શું કરે છે?’</p>
<p>‘પેલી સામેની ગલીમાં જે છેલ્લું ઘર છે ને? ત્યાં હું રહેતો હતો. મારો જન્મ જ ત્યાં થયેલો.’ મેં કહ્યું.</p>
<p>પણ પેલી સ્ત્રી તો મારી વાત સાંભળીને હસવા માંડી. એનું હસવું સાંભળીને જાણે મને જ મારી વાત પર ભરોસો નહીં બેઠો. મને મારી વાત એટલી ખોટી લાગી કે હું સીધો એ કૉલોનીમાંથી બહાર નીકળી આવ્યો.’</p>
<p>પ્રસ્તાવનામાં માનવે જે વાત લખી છે એ થોડી વાર અટકાવીએ. કારણ કે, તમને એવો સવાલ થયો હોવો જોઈએ કે, સર્જક અને સર્જન પ્રક્રિયાની વાતને માનવે ઉપરના લાંબા પ્રસંગ સાથે શું નિસ્બત? સર્જન પ્રક્રિયાના આનંદ વિશેની તો આમાં લેશમાત્ર વાત નથી. પણ આખી વાતનો ઉઘાડ અને એનું સૌંદર્ય જ આ આખી વાતમાં છે, જે વાંચીને આપણું દિલ બાગ બાગ થઈ જાય. ઉપરની વાતનું અનુસંધાન આગળ વધારીએ. જુઓ માનવ શું લખે છે. </p>
<p>‘પેલી સ્ત્રી તો મારી વાત સાંભળીને હસવા માંડી. એનું હસવું સાંભળીને જાણે મને જ મારી વાત પર ભરોસો નહીં બેઠો. મને મારી જ વાત એટલી ખોટી લાગી કે હું સીધો એ કૉલોનીમાંથી બહાર નીકળી આવ્યો. હવે (લખાયા બાદ) મારી વાર્તાઓ ફરી વાંચતી વખતે પણ મને કંઈક એવો જ અહેસાસ થાય છે. મારી વાર્તાઓના સર્જન દરમિયાન પણ હું વાર્તાઓને મારી અંદર અત્યંત ઉત્કટતાથી મહેસૂસ કરું છું, પરંતુ વાર્તાઓ કહેવાઈ જાય પછી અચાનક જ અંદરથી કશુંક ખરી પડે છે.’</p>
<p>હવે મજા આવી? બારામુલાના ઘર સાથેના સંબંધ, પેલી સ્ત્રીના હાસ્ય પછી પોતે જ કહેલી વાત, જે સત્ય હતી, પણ એનું અસત્ય લાગવું અને સર્જન પહેલાની વાર્તા અને સર્જન પ્રક્રિયાને એકબીજા સાથે સાંકળીને માનવે કેવી મજાની વાત કરી.</p>
<p>આ શું? આપણે તો માનવ કૌલના નવા વાર્તા સંગ્રહ ‘પ્રેમ કબૂતર’ની વાર્તાઓ વિશે વાત કરવાના હતા, પણ પ્રસ્તાવનાની વાતોમાં જ લેખ પૂરો થઈ ગયો? હવે? હવે શું? કંઈ નહીં, વિવિધ સાઈટ્સ અને સારા બુક સ્ટોર્સમાં આ વાર્તાસંગ્રહ મળે છે. એ પહેલી તકે મગાવી લેવાય અને આ બળબળતા તાપમાં થોડી મજાની વાર્તાઓ વાંચીને આનંદ માણી લેવાય. શું કહો છો?</p>
]]></content:encoded>
                
                                                            <category>Magazine: ટેક ઈટ ઓર લીવ ઈટ</category>
                                    

                <link>https://www.khabarchhe.com/magazine--%E0%AA%9F%E0%AB%87%E0%AA%95-%E0%AA%88%E0%AA%9F-%E0%AA%93%E0%AA%B0-%E0%AA%B2%E0%AB%80%E0%AA%B5-%E0%AA%88%E0%AA%9F/story-of-defeatedn-characters/article-169056</link>
                <guid>https://www.khabarchhe.com/magazine--%E0%AA%9F%E0%AB%87%E0%AA%95-%E0%AA%88%E0%AA%9F-%E0%AA%93%E0%AA%B0-%E0%AA%B2%E0%AB%80%E0%AA%B5-%E0%AA%88%E0%AA%9F/story-of-defeatedn-characters/article-169056</guid>
                <pubDate>Tue, 09 May 2017 13:29:37 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[ankitdesai-author - (અંકિત દેસાઈ)]]></dc:creator>
                            </item>
            <item>
                <title>તમે છો કોણ? ટુરિસ્ટ કે ટ્રાવેલર?</title>
                                    <description><![CDATA[<p>
</p><p>થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં કેટલીક સરસ મજાની ઈમેજીસ જોવા મળેલી. એ દસેક ઈમેજીસમાં ટુરિસ્ટ અને ટ્રાવેલર વચ્ચેના ભેદ દર્શાવાયા હતા, જે જોઈને દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયેલું. આમ તો શબ્દકોશ મુજબ ટુરિસ્ટ અને ટ્રાવેલર વચ્ચે ઝાઝો ફેર નથી. છતાં આ ઈમેજીસને ફોલો કરીએ તો ટુરિસ્ટ અને ટ્રાવેલર વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. </p>
<p>ટુરિસ્ટ્સ હંમેશાં ટોળામાં નીકળતા હોય, જ્યારે ટ્રાવેલર એક કે એથી વધીને બે હોય. ટુરિસ્ટ પ્રવાસ દરમિયાન બને એટલી કમ્ફર્ટ શોધતા હોય, જ્યારે ટ્રાવેલર્સ એમને મળતી કમ્ફર્ટની ઐસી કી તૈસી કરીને જાણીજોઈને ખરબચડો પ્રવાસ કરતા હોય. ટુરિસ્ટ જ્યાં ફરે ત્યાં શહેરના મુખ્ય માર્ગો પર ગુગલ મેપ લઈને કાર</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p>
</p><p>થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં કેટલીક સરસ મજાની ઈમેજીસ જોવા મળેલી. એ દસેક ઈમેજીસમાં ટુરિસ્ટ અને ટ્રાવેલર વચ્ચેના ભેદ દર્શાવાયા હતા, જે જોઈને દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયેલું. આમ તો શબ્દકોશ મુજબ ટુરિસ્ટ અને ટ્રાવેલર વચ્ચે ઝાઝો ફેર નથી. છતાં આ ઈમેજીસને ફોલો કરીએ તો ટુરિસ્ટ અને ટ્રાવેલર વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. </p>
<p>ટુરિસ્ટ્સ હંમેશાં ટોળામાં નીકળતા હોય, જ્યારે ટ્રાવેલર એક કે એથી વધીને બે હોય. ટુરિસ્ટ પ્રવાસ દરમિયાન બને એટલી કમ્ફર્ટ શોધતા હોય, જ્યારે ટ્રાવેલર્સ એમને મળતી કમ્ફર્ટની ઐસી કી તૈસી કરીને જાણીજોઈને ખરબચડો પ્રવાસ કરતા હોય. ટુરિસ્ટ જ્યાં ફરે ત્યાં શહેરના મુખ્ય માર્ગો પર ગુગલ મેપ લઈને કાર કે ટેમ્પોમાં ફરતા હોય અને સાઈટ સીઈંગ કરતા હોય, જ્યારે ટ્રાવેલર્સ આખા શહેરની તમામ ગલી-મહોલ્લાના ચપ્પા-ચપ્પા છાની મારીને સાઈટ સીઈંગ નહીં પરંતું જે-તે શહેર અને એના કલ્ચરનું ઈનસાઈડ સીઈંગ કરતા હોય.</p>
<p>ટુરિસ્ટ્સ પેરીસમાં પાતરા, સ્વિટ્ઝરલેન્ડમાં શ્રીખંડ અને લંડનમાં લાપસી શોધતા હોય ત્યારે અલગારી ટ્રાવેલર્સ જે-તે શહેરના લારી-ખુમચે સમાન્ય લોકો આરોગતા હોય એવું ત્યાંનું ભોજન આરોગતા હોય, ત્યાંની ધરાના ધાન્યને પોતાની જીભ વાટે પોતાના ઝહેનમાં ઉતારતા હોય અને ત્યાંના આહાર દ્વારા ત્યાંની સંસ્કૃતિને, એ સિવિલાઈઝેશનને માણતા જતા હોય. વળી, ક્યારેક પોતાની જ ધૂનમાં હોય તો એમણે વાળુ કીધું છે કે નહીં એ પણ ભૂલી જતાં હોય છે.</p>
<p>ટ્રાવેલર અને ટુરિસ્ટ વચ્ચે પાયાનો ભેદ જ એ છે કે, ટુરિસ્ટ એના પ્રવાસ દરમિયાન પણ એની રોજિંદી જિંદગીથી, એના સામાન્ય નિત્યક્રમથી અલિપ્ત નથી રહી શકતો અને બાપડો એ ટુરિસ્ટ જ્યારે એની બેગ પેક કરતો હોય ત્યારથી જ એ તેની બેગમાં એની રોજિંદી કંટાળાજનક ઘટમાળને પેક કરતો જતો હોય છે.</p>
<p>‘આટલા જોડી કપડાં લીધા? પ્રવાસ દરમિયાન ઠંડી વાગી તો? ધાબળા લીધા? શૉલ કેટલી લીધી? અને સ્વેટર? તરસ લાગી તો? એક મોટી બોટલ સાથે લઈ લઈએ? મોબાઈલ માટે ચાર્જર અને સેફ્ટી માટે બે પાવરબેન્ક લીધી? મારે કદાચ થોડું ઓફિસનું કામ આવી શકે છે, મારા સિવાય એ કોઈ કરી શકે એમ નથી! તો લેપટોપ લીધુ? ડોંગલ લીધુ? રસ્તે ક્યાંક ખાવાનું નહીં મળ્યું તો? તો? તો? તો? થેપલા લીધા? પૂરી, શક્કરપારા અને ચકરી લીધી? આમને આમ બે દિવસ સુધી લીધો…. લીધુ… લીધી… લીધા ચાલે અને જોતજોતામાં આખું ઘર અને રોજિંદુ જીવન પ્રવાસની બેગમાં પેક થઈ જતાં હોય છે. અને પછી જતી વખતે આવા શૂરાઓ ફેસબુક પર સ્ટેટ્સ મૂકશે… ‘...ઓન માય મચ નીડેડ બ્રેક!’</p>
<p>‘ઝિંદગી મિલેગી ના દોબારા’ના આ ઋત્વિક રોશનોને આવો મચ નીડેડ બ્રેક લખવાનો કોઈ અધિકાર જ નથી. કારણ કે જ્યારે તેઓ બ્રેક લઈ જ નથી રહ્યા તો વેકેશન કેવું ને આરામ કેવો? ને પ્રવાસ કેવો? આવા લોકો એમની બેગ પેક દરમિયાન એક બાબત હંમેશાં સાથે લેવાની ભૂલી જતાં હોય છે અને એ બાબત હોય છે પોતાની જાત! ટુરિસ્ટો હંમેશાં પોતાની જાતને પોતાના ઘરે કે પોતાની ઑફિસની કેબિનમાં જ મૂકી જતાં હોય છે, જેના કારણે જ તેઓ જેસલમેર હોય કે આગ્રા કે પછી મસૂરી હોય કે ઉંટી, જ્યાં હોય ત્યાંથી ફોન પર વાત કરીને કે વ્હોટ્સ એપ પર ચેટ કરીને પેલું, જે એમનાથી જ થઈ શકે એવું કામ કરતા રહેતા હોય છે!</p>
<p>એટલે જ તમને અમે આ લાખેણી સલાહ આપીએ છીએ કે પ્રવાસો ગોઠવો ત્યારે ટુરિસ્ટ નહીં પણ ટ્રાવેલર બનો. ઓછામાં ઓછી વસ્તુ સાથે લેવાનું રાખો અને વળતી વખતે વધુમાં વધુ યાદો સાથે ઘરે આવે એવો પ્રવાસ ખેડો. પ્રવાસ પહેલા બેગ પેક કરો ત્યારે દરેક વસ્તુને પૂરી આશંકા સાથે તરાશો-ચકાસો કે આ વસ્તુને મારી રુટિન લાઈફ સાથે કોઈ લેવાદેવા તો નથીને? જો એ વસ્તુમાં કશું પણ સંદિગ્ધ જણાય તો એને તરત જ ત્યજી દો, જેથી પેલી રોજિંદી ભૂતાવળ તમારી સાથે નહીં આવે અને બેગ પણ થોડી હળવી થશે.</p>
<p>પ્રવાસ દરમિયાન બીજું કંઈ સાથે હોય કે નહીં હોય, પણ આપણી જાતનું આપણી સાથે હોવું અત્યંત જરૂરી છે. પ્રવાસ તો કોઈ ફિલ્મ કે નાટક જેવો હોય છે. જેમ કોઈ ફિલ્મ કે નાટક માણવા આપણને કંપનીની જરૂર નથી હોતી અને ફિલ્મો આપણી નજરે જ જોવાની હોય છે. એ જ રીતે આપણો પ્રવાસ પણ આપણી જાતે જ માણવાનો હોય છે. કોઈ અજાણ્યું શહેર હોય કે કોઈ ઘટાટોપ જંગલ કે પછી હોય આકાશને આંબતા ડૂંગરા કે ઉંડી કંદરા! એ બધાયને આપણી અંદર સમાવી લેવાના હોય. ત્યાંની સુગંધ, ત્યાંના લોકો, ત્યાંની ભાષા કે સંસ્કૃતિ, ત્યાંની સવાર, ત્યાંનો સૂર્યાસ્ત એ સઘળુંય… જે આપણાથી અજાણ્યું છે એને જાણવાનું હોય અને આત્મસાત કરવાનું હોય.</p>
<p>આવા પ્રવાસો આપણા અંતરને ફળદ્રુપ કરતા હોય છે, જે ફળદ્રુપતાને કારણે જ જીવન પ્રત્યેની હકારાત્મકતા, નવી પ્રેરણા, બધા કરતા કંઈક જુદો દૃષ્ટિકોણ, હરીભરી તાજગી, માનવજાત અને પ્રાણી-પ્રકૃતિ માટેનો લખલૂટ પ્રેમ અને કંઈક નવું કરવાના સાહસની મબલખ ફસલ ઉતરે છે.</p>
<p>જોકે આ ફસલ ઉતારવા માટે તમારે હાર્ડકોર ટ્રાવેલર બનવું પડે. આયોજન પૂર્વકની નહીં, પણ થોડી અલગારી રખડપટ્ટી કરવી પડે અને ઉમાશંકર જોશી કહેતા એમ ભોમિયા વિના ડૂંગરા ભમવા પડે. પ્રવાસ દરમિયાન એવું એક પણ કામ નહીં કરવું, જે આપણે રોજ કરતા હોય. રોજ ભલે તાજા કે ગોલ્ડના દૂધમાં બનેલી ચ્હાની ચૂસ્કી માણતા હોઈએ, પરંતુ જો લદ્દાખ ગયા હો તો ફોર અ ચેન્જ બે’ક દિવસ યાકના દૂધની ચ્હા માણી જ શકાય. કે દક્ષિણમાં ગયા હોઈએ તો છરી-કાંટા ભૂલીને હાથથી જ આંગળીઓ ચાટીને બિરયાનીનો સ્વાદ લઈ શકાય.</p>
<p>પ્રવાસ દરમિયાન બને ત્યાં સુધી ઈન્ટરનેટ ડેટા બંધ રાખો અને બને તો દિવસ દરમિયાન ફોન પણ સ્વિચ્ડ ઑફ રાખો. અગાઉથી કૅબ કે રૂમ જેવું બધુ બુક કરાવી દેવા કરતા ‘થોભો અને રાહ જુઓ’ની નીતિ અપનાવો અને જ્યાં-ત્યાંના પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો, બ્લડી ગુગલ મેપનો ઉપયોગ કર્યા વિના ત્યાંની પ્રજાને રસ્તાઓ વિશે પૂછો અને જાતજાતની સ્ટ્રીસ્ટમાં ફરી-રખડીને પ્રમાણસરની હોટેલ્સ કે સારા ગેસ્ટહાઉસ માટે થોડી રકઝક કરો અને થોડાં લમણા ઝિંકો. ત્યાં ફરો ત્યારે આસપાસના માહોલને આસપાસની ચહલપહલને ઝીણવટથી જુઓ, ત્યાંના લોકોની મેનરિઝમ ઑબઝર્વ કરો અને ત્યાંની ભાષાના લહેકાને અથવા એ ભાષાના કેટલાક શબ્દોને શીખવાનો પ્રયત્ન કરો. તાંબ્રપત્ર પર લખી લેજો કે, તમારો પ્રવાસ જેટલો સરળ રહેશે એટલી જ એ પ્રવાસ સાથેની તમારી યાદો પણ સરળ, ફ્લેટ રહેવાની. અને તમારો પ્રવાસ જેટલો ચટપટો રહેશે એટલી જ તમારી યાદો પણ ચટપટી અને રંગીન રહેવાની.</p>
<p>બીજી એક બાબત ખાસ ધ્યાન રાખવી કે, પ્રવાસ હંમેશાં વેલ માઈન્ડેડ પીપલ સાથે જ કરવો. અક્કલના ઓથમીરો સાથે દિવ-દમણ સુધી ઠીક છે. એવા ડમ્બુ-બમ્બુઓ સાથે એકાદ બિયર પણ પી શકાય. પરંતુ જે ડફોળો ડાંગના જંગલોને ઝાડવા-ઝાંખરા કહેતા હોય કે, જેઓ તારાઓથી છલકાતા સ્વચ્છ આકાશને જોવાનું ટાળીને હોટેલના રૂમમાં ભરાઈને પાના ટીચવાની વાત કરતા હોય એવા નાદાન પરિંદાઓને ભૂલમાં પણ પ્રવાસમાં સાથે નહીં લેવા. નહીં તો તેઓ ત્યાં પણ રોજની જેમ સવારે નવ વાગ્યે ઊઠશે અને રખડપટ્ટી કરતી વખતે ક્યાંક મોલ જેવું કંઈક રુટિન જોશે તો ત્યાં પહોંચી જશે, જેને કારણે તમારા ટ્રાવેલિંગની મજા કિર-કિરી થશે અને તમે ન તો વહેલા ઊઠીને ત્યાંના રસ્તાઓ પરની ફ્રેશ ચહલકદમી માણી શકશો કે ન તો ત્યાંની સ્ટ્રીટ્સ ખૂંદવાની મજા લઈ શકશો.</p>
<p>પ્રવાસ કરવાની આ પદ્ધતિને આપણે આપણા જીવનમાં પણ લાગુ પાડી શકીએ છીએ. સતત આયોજન કરતા રહેવા કરતા, કાલની સતત ચિંતા કરવા કરતા કે, સતત રિઝર્વ્ડ રહેવા કરતા થોડા અનરિઝર્વ્ડ થઈએ, કેટલાક આયોજનો હાથે કરીને ટાળીએ, સતત મુક્તિનો અહેસાસ કરીએ, એક સારા માઈન્ડેડ કંપેનિયન અને એવા જ મિત્રોની કંપનીમાં આ જીવન પ્રવાસ ખેડીએ અને દર વખતે પત્તા જોઈને બાજી રમવા કરતા ક્યારેક બંધમાં રમીએ. પછી ભલે ને દો, તીન-પાંચની બાજી આવતી! આપણી બાજીમાં શું હશે એની ચિંતા આપણી છે જ નહીં. એ ચિંતા તો ઉપરવાળાની છે. અને બકા, આપણી ચિંતા પણ આપણે જ કરીશું તો પેલો પરવરદિગાર કોની ચિંતા કરશે? આપણે યાદ રાખવાનું છે કે, આપણી જવાબદારી તો માત્ર પ્રવાસ પુરતી જ છે. અને અંતે જો પ્રવાસ જ ખેડવાનો છે તો પછી ટુરિસ્ટ શું કામ બનીએ? ટ્રાવેલર કેમ નહીં? </p>
<p>હેવ અ હેપી જર્ની!</p>
]]></content:encoded>
                
                                                            <category>Magazine: ટેક ઈટ ઓર લીવ ઈટ</category>
                                    

                <link>https://www.khabarchhe.com/magazine--%E0%AA%9F%E0%AB%87%E0%AA%95-%E0%AA%88%E0%AA%9F-%E0%AA%93%E0%AA%B0-%E0%AA%B2%E0%AB%80%E0%AA%B5-%E0%AA%88%E0%AA%9F/are-you-a-tourist-or-a-traveller/article-169055</link>
                <guid>https://www.khabarchhe.com/magazine--%E0%AA%9F%E0%AB%87%E0%AA%95-%E0%AA%88%E0%AA%9F-%E0%AA%93%E0%AA%B0-%E0%AA%B2%E0%AB%80%E0%AA%B5-%E0%AA%88%E0%AA%9F/are-you-a-tourist-or-a-traveller/article-169055</guid>
                <pubDate>Thu, 13 Apr 2017 16:28:47 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[ankitdesai-author - (અંકિત દેસાઈ)]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ફેસબુકનું ઘેલુંઃ પ્રાણ જાય પર ફેસબુક ના જાય</title>
                                    <description><![CDATA[<p>
</p><p>'તમે ફેસબુકનો ઉપયોગ કેમ કરો છો?' આ સવાલ  થોડા સમય પહેલા  મેં મારા વ્હોટ્સ એપ કોન્ટેક્ટ્સમાંના કેટલાક મિત્રોને પૂછ્યો. જવાબો ઈન્ટ્રેસ્ટિંગ આવ્યા. કવિ તુષાર શુક્લએ કહ્યું કે, 'મને ફેસબુક ગમે છે એટલે હું એનો ઉપયોગ કરું છું. આ ઉપરાંત તમામ એઈજ ગ્રુપના લોકોની વચ્ચે મને મારો દૃષ્ટિકોણ મૂકવાની અને એમના સુધી મારું અથવા અન્ય કોઈનું લખાણ પહોંચાડવાનું પણ મને ગમે છે.' રાજકારણ અને સોશિયલ મીડિયા પ્રમોશનની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા યુવાન પાર્થેશ પટેલે કહ્યું, 'સોશિયલ એક્ટિવિટીઝ, પોલિટિક્સ પર્પઝ અને નવા-નવા લોકો સાથે સંકળાવા માટે હું એફબીનો ઉપયોગ કરું છું.'</p>
<p>પ્રતિભાશાળી અભિનેતા ફરઝાન કરંજીયાએ કહ્યું, 'જાણીતા-માનીતા લોકોને અમારા નવા-જૂના નાટકો વિશે ખબર</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p>
</p><p>'તમે ફેસબુકનો ઉપયોગ કેમ કરો છો?' આ સવાલ  થોડા સમય પહેલા  મેં મારા વ્હોટ્સ એપ કોન્ટેક્ટ્સમાંના કેટલાક મિત્રોને પૂછ્યો. જવાબો ઈન્ટ્રેસ્ટિંગ આવ્યા. કવિ તુષાર શુક્લએ કહ્યું કે, 'મને ફેસબુક ગમે છે એટલે હું એનો ઉપયોગ કરું છું. આ ઉપરાંત તમામ એઈજ ગ્રુપના લોકોની વચ્ચે મને મારો દૃષ્ટિકોણ મૂકવાની અને એમના સુધી મારું અથવા અન્ય કોઈનું લખાણ પહોંચાડવાનું પણ મને ગમે છે.' રાજકારણ અને સોશિયલ મીડિયા પ્રમોશનની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા યુવાન પાર્થેશ પટેલે કહ્યું, 'સોશિયલ એક્ટિવિટીઝ, પોલિટિક્સ પર્પઝ અને નવા-નવા લોકો સાથે સંકળાવા માટે હું એફબીનો ઉપયોગ કરું છું.'</p>
<p>પ્રતિભાશાળી અભિનેતા ફરઝાન કરંજીયાએ કહ્યું, 'જાણીતા-માનીતા લોકોને અમારા નવા-જૂના નાટકો વિશે ખબર પડતી રહે એ માટે.' સોશિયલ મીડિયા એક્સપર્ટ રોહન દેસાઈએ વાજબી જવાબ આપતા લખ્યું કે, 'મારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે મારા જીવનની મહત્ત્વની પળો શેર કરી શકાય અને એમના સંપર્કમાં રહી શકાય એ માટે. આ ઉપરાંત ફેસબુક એ મારા કામનો ભાગ પણ છે.'</p>
<p>'MY FM'ના RJ મિહિર પાઠક કહે છે, 'કારણ કે એ મારું કામ છે.' વાપીનો યુવાન ચિંતન દેસાઈ કહે છે, 'મિત્રો સાથે સંપર્કમાં રહેવા માટે.' કવયિત્રી હર્ષવી પટેલ એમના શાયરાના અંદાજમાં લખે છે, 'ફેસબુક પરના મારા મોટાભાગના મિત્રો સર્જકો છે, એટલે એમના સર્જનો અને નવા પ્રવાહોથી માહિતગાર થવા, ગમતા લોકોની ગતિવિધિ જાણવા અને ઉમળકો ઊઠે ત્યારે પોતાને પ્રકટ કરવા હું Fbનો ઉપયોગ કરું છું.'</p>
<p>ટેલિવિઝન સિરિયલ્સના પ્રોડક્શન, ડિરેક્શન સાથે સંકળાયેલા નિમિત્ત વોરા લખે છે, 'અમારા ક્ષેત્રમાં નેટવર્કિંગ બહુ જરૂરી છે એટલે ફેસબુકનો ઉપયોગ કરવો જ પડે. આ ઉપરાંત જે લોકો રિયલ લાઈફમાં કોન્ટેક્ટમાં નથી એમની સાથે હું વર્ચ્યુઅલી કનેક્ટેડ રહું છું.' વરિષ્ઠ પત્રકાર અલકેશ પટેલ લખે છે, 'હું હિન્દુત્વને બચાવવા માટે ફેસબુકનો ઉપયોગ કરું છું.'</p>
<p>...ને આ ઉપરાંત  પણ ફેસબુકના ઉપયોગ વિશે જાતજાતના રસપ્રદ જવાબો આવ્યા. આજે તમામ માણસ કોઈ ચોક્કસ હેતુથી ફેસબુકનો ઉપયોગ કરે છે. કોઈએ પોતાનો પ્રચાર કરવો છે, તો કોઈએ પોતાના વ્યવસાયનો પ્રચાર-પ્રસાર કરવો છે. કોઈએ બીજાએ લખેલું ‘સારું’ વાંચવું છે, તો કોઈએ પોતાની વિચારધારાનો ફેલાવો કરવો છે. આ બધા જવાબોનો અર્ક કાઢીએ તો દરેક માણસે જાણીતા અથવા અજાણ્યા મોટા સમુદાયની આગળ કોઈને કોઈ રીતે વ્યક્ત થવું છે, પોતાના વિચારો વ્યક્ત કરવા છે અને હાલના સમયમાં ફેસબુક ખરેખર એના માટેનું શ્રેષ્ઠ માધ્યમ છે. </p>
<p>ઉપર જે નામો લીધા એ તમામ નામો પોતપોતાના ક્ષેત્રમાં અને પોતાના કામમાં અત્યંત ખૂપેલા, સારી નામના મેળવી ચૂકેલા લોકો છે. એમનો ફેસબુકનો ઉપયોગ લિમિટેડ અને ચોક્કસ હેતુ માટેનો હોઈ શકે છે. પરંતુ આવા લોકો જૂજ છે, લઘુમતીમાં છે. અન્યથા દુનિયાભરમાં ફેલાયેલો બહુ મોટો વર્ગ એવો છે, જે દિવસનો મોટાભાગનો સમય ફેસબુક પર વેડફે છે અને તેઓ વિના કોઈ કારણ ફેસબુકનો ઉપયોગ કરે છે.</p>
<p>આવા લોકોને ફેસબુક એડિક્ટેડ કહેવાય અથવા ફેસબુકના વ્યસની, બંધાણી પણ કહેવામાં આવે છે. જેઓ થોડા થોડા સમયે અમસ્તુ જ પોતાનું ફેસબુક ચેક કરતા રહેશે, સાથે બીજાના પ્રોફાઈલ પણ ચેક કરતા રહેશે, કોઈકની પોસ્ટ અથવા ફોટોગ્રાફને લાઈક નહીં કરે તોય બીજા કેટલા લોકોએ એ સ્ટેટસમાં લાઈક કરી છે કે, કેટલાએ એમાં કોમેન્ટ કરી છે એનો હિસાબ રાખશે અને પોતે તરતા મૂકેલા સ્ટેટસ અથવા કોઈને માથે મારેલા ફોટોગ્રાફ પર વધુ સંખ્યામાં લાઈક્સ કે કમેન્ટ્સ નહીં આવે તો હિજરાતા રહેશે, ડિપ્રેસ્ડ થતાં રહેશે.</p>
<p>ઈન્ટરનેટ પર આવા લોકોની વૃત્તિ અથવા માનસિકતાને ‘ફેસબુક એડિક્શન ડિસઓર્ડર’ કહેવામાં આવે છે. ફેસબુક માટેના લોકોના વળગણને લઈને દુનિયાના કેટલાક મનોચિકિત્સકોએ સંશોધન પણ કર્યાં છે. જોકે માનસશાસ્ત્રના ક્ષેત્રમાં સત્તાવાર રીતે  FAD એટલે કે, Facebook addiction disorder ને સ્વીકારવામાં આવ્યો નથી. ઈન્ટરનેટ પર જ ખાંખાંખોળા કરતી વખતે આ સિન્ડ્રોમની વ્યાખ્યા પણ જડી આવી છે.</p>
<p>વ્યાખ્યા કંઈક આમ છે, 'જે વ્યક્તિ પોતાના દિવસનો મોટાભાગનો સમય વારંવાર ફેસબુક નોટિફિકેશન્સ ચેક કરવામાં અથવા અન્યોની ફેસબુક ગતિવિધિઓ પર નજર રાખવામાં વીતાવતી હોય તો એ વ્યક્તિના એવા લક્ષણને ફેસબુક એડિક્શન ડિસઓર્ડર કહેવામાં આવે છે, જેના કારણે તે વ્યક્તિના રોજિંદા જીવન, તેના અભ્યાસ અથવા એના કામ તેમજ તેના સંબંધો પર માઠી અસરો થાય છે!'</p>
<p>મુદ્દાની વાત જ અહીં આવે છે. જ્યાં સુધી કોઈ પણ બાબત આપણા ખપમાં આવતી હોય ત્યાં સુધી તે ઠીક છે પરંતુ જ્યારે એની માઠી અસરો શરૂ થાય ત્યારે મોકાણ પડે છે.</p>
<p>ફેસબુકનો અભ્યાસ કરીશું તો ખ્યાલ આવશે કે, કેટલાક લોકો એવા હોય છે, જેઓ મૌલિક રીતે એક પણ સ્ટેટસ અપલોડ નહીં કરે, પરંતુ એમની વૉલ પર દેખાતી તમામ પોસ્ટ, તમામ ફોટોગ્રાફ્સ પર એમની એક્સપર્ટ કમેન્ટ્સ આપશે. છેલ્લે કંઈ નહીં તો ‘વાઉઉઉ… ઓસમ..’, ‘બ્યુટીફુલ’, ‘વાહ ક્યા બાત’ તો લખશે જ.</p>
<p>આમાં કશું ખોટું નથી, લખવું જ જોઈએ. સોશિયલ નેટવર્કિંગ છે તો સામાજિક રીતભાતો ઈન્ટરનેટ પર પણ નિભાવવી જ રહી. પણ ઉપર લખ્યું એમ, પ્રશ્ન ત્યારે ઊભો થાય છે, જ્યારે જે-તે વ્યક્તિ બીજાઓ દ્વારા દિવસ-રાતના કોઈ પણ પ્રહરમાં અપલોડ થતાં ફોટોગ્રાફ્સ કે સ્ટેટ્સ પર ત્વરિત પ્રતિભાવ આપતી હોય એનો મતલબ એ કે, એ માણસ ચોવીસ કલાક ફેસબુક પર હાજરાહજુર છે. એની ચોવીસ કલાકની હાજરી જ એ વાતનો પુરાવો આપે છે કે, એ માણસ ‘ફેસબુક એડિક્શન ડિસઓર્ડર’નો શિકાર છે. બાકી યાર કોણ નવરું હોય આમ ચોવીસ કલાક કમેન્ટબાજી કરવા માટે?</p>
<p>આ તો થઈ બીજાના સ્ટેટસ-ફોટોગ્રાફ્સ પર કમેન્ટ્સ કે લાઈક્સ ઠોકવાળાની વાત. બીજી એક લૉબી એવી છે, જે દિવસના આઠે પ્રહર પોતાની તમામ ગતિવિધિઓની અપડેટ ફેસબુક પર મૂકતા રહે છે. ક્યાંક મંદિરે ગયા તો ચેક-ઈન કરશે, બગીચામાં ગયા તો ફટ દઈને ફોટોગ્રાફ અપલોડ કરશે, ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપ થયું તો પહેલા ફીલિંગ સેડ અને પછી ફીલિંગ અલોન લખશે, એક્ઝામ ટાઈમ હોય તો લેટ નાઈટ સેલ્ફી અપલોડ કરશે, વહેલા ઊઠી પડ્યાં તો ફીલિંગ ફ્રેશ સાથેની એક મોર્નિંગ સેલ્ફી મૂકશે, ઘરે બલાળંત પાળ્યંક હોય તો વળી બલળાંનેય મારી-ભટકાટીને સેલ્ફીમાં લઈ લેશે! બપોરે બાપુજી સાથે જમવા બેઠાં તો, ‘હેવિંગ ‘ડિનર’ વિથ બાપુજી’ લખશે, રાત્રે ઉંઘવા ગયા તો ફીલિંગ સ્લીપી લખીને સાથે દસ-પંદર જણાને ટેગ કરશે. એમાંય ટેગ થયેલી વ્યક્તિઓમાં સ્ત્રીઓ અને પુરુષોનું કોઈ વર્ગીકરણ નહીં કરવાનું. જે હાથે ચડ્યું એને દેમાર ટેગ કરવાના.</p>
<p>… અને આવું તો બીજું કેટલુંય. અને પછી પોતાનું સ્ટેટસ, ચેક-ઈન કે પછી ફોટોગ્રાફ અપલોડ થયાં પછી કોઈની લાઈક્સ કે કમેન્ટ આવી છે કે નહીં એ જોવા માટે દર પાંચમી મિનિટે ફેસબુક ચેક કરતા રહેવાનું. ભગવાનની મહેરબાનીથી પાંચ-પચાસ લાઈક્સ અને બે-ત્રણ કમેન્ટ્સ આવી ગઈ તો ઠીક, નહીં તો પોતાની અવગણના થઈ છે એવું માનીને જીવ બાળતા રહેવાનું. મેં તો એમ પણ વાંચ્યું છે કે, પોતાના સ્ટેટસ કે ફોટોગ્રાફ્સ પર પૂરતી લાઈક્સ-કમેન્ટ્સ નહીં આવે તો કેટલાક માણસો ડિપ્રેશનનો શિકાર બન્યાં છે!</p>
<p>જોકે મારું સામાન્ય ઑબ્ઝર્વેશન એવું છે કે, અપવાદોને બાદ કરતા ફેસબુક યુઝ કરતા લગભગ તમામ માણસોને વત્તાઓછે અંશે ફેસબુક એડિક્શન હોય છે. આ બાબત નકારીને પોતાનું સાધુત્વ સાબિત કરી શકાય એમ નથી. કારણ કે, હવે તો સાધુઓ પણ ફેસબુકનો ઉપયોગ કરતા થઈ ગયા છે. ફરક માત્ર એટલો છે કે, કેટલાક ફેસબુકનો પ્રમાણસરનો ઉપયોગ કરે છે, તો કેટલાક પ્રમાણભાન ભૂલીને ગામ ગજાવે છે.</p>
<p>હવે આપણે ‘ફેસબુક એડિક્શન ડિસઓર્ડર’ ના કેટલાક લક્ષણો જોઈએ, જે લક્ષણો પરથી તમે જ નક્કી કરજો કે, તમારે સાયકિયાટ્રીસ્ટ પાસે જવાની જરૂર છે કે નહીં. તમારી ટેસ્ટ કન્ફર્મ થઈ જાય અને તમને ખાતરી થઈ જાય કે, તમે ‘ફેસબુક એડિક્શન ડિસઓર્ડર’ શિકાર નથી તો બીજા લોકોની ગતિવિધિ પર નજર રાખીને એની બીમારીનો ક્યાસ કાઢજો અને એ વ્યક્તિ જો નજીકની હોય તો ક્યારેક એને ખૂણામાં લઈ જઈને સમજાવજો કે, ‘બકા, આ તો સારું છે કે, હાર્દિકના આંદોલન પછી ગુજરાતમાં બીજા કોઈ આંદોલન નથી થયાં. નહીંતર આનંદીબેન સરકારને છાશવારે અઠવાડિયા-દસ દિવસ સુધી ઈન્ટરનેટ પર પ્રતિબંધ લાદવાની ફરજ પડી હોત, તો તારા શા હાલ થયાં હોત? તું રઘવાયો થઈને વાંદરાની જેમ ગુલાંટો નહીં મારતો હોત?’</p>
<p>તો ચાલો હવે ફેસબુક એડિક્શન ડિસઓર્ડરના લક્ષણો વિશે જોઈએ. આ લક્ષણોમાનું પહેલું લક્ષણ એટલે,</p>
<p>ઓવર શેરિંગઃ</p>
<p>કવિ સુરેશ દલાલે કોઈક ઈન્ટરવ્યુમાં એક વાત કહેલી કે, ‘બોલવું અને બોલબોલ કરવું એ બે બાબતોમાં જમીન-આસમાનનો તફાવત છે.’ કવિની વાત ફેસબુક બાબતે પણ લાગુ પડે છે. આપણે માણસો છીએ એટલે આપણને વ્યક્ત થવાનું, કે લોકોને આપણા જીવનની સારી-નરસી બાબતો વિશે જાણકારી આપવાનું મન થાય એ સ્વાભાવિક છે. અને સોશિયલ મીડિયા તો છે જ એના માટે. પણ જે એડિક્ટેડ હોય એ એની સવારથી લઈને સાંજ સુધીની તમામ ગતિવિધિઓની જાણકારી ફેસબુક પર  આપતા રહે અને વ્યક્ત થવાની જગ્યાએ આખેઆખા ઢોળાતા રહે.</p>
<p>એવા લોકો અમૃતસરમાં ‘જલિયાંવાલા બાગ’ ગયા હોય તો પહેલા ત્યાંનું ચેક-ઈન કરશે, ત્યાંથી બહાર નીકળીને પાંચ મિનિટ પછી મસમોટો લસ્સીનો ગ્લાસ ગટગટાવશે તો એની સાથેનો એક ફોટોગ્રાફ અપલોડ કરીને ફીલિંગ હંગરી પણ લખશે અને ત્યાંથી પંદર ડગલા દૂર સુવર્ણ મંદિરમાં દર્શને જશે તો ત્યાં જઈને ફીલિંગ બ્લેસ્ડ લખીને માથે પીળા રૂમાલ વાળો ફોટોગ્રાફ પણ અપલોડ કરશે. આને ગાંડપણ નહીં કહેવાય તો બીજું શું કહેવાય? ઓવર શેરિંગ અને એડિક્શનનું આનાથી સારું ઉદારણ બીજું કોઈ હોઈ શકે?</p>
<p>ગમે ત્યારે ફેસબુક ચેક કરતા રહેવું</p>
<p>આપણે ફ્રી હોઈએ ત્યારે અથવા દિવસમાં પાંચ-સાત વાર સમય કાઢીને ફેસબુકની ન્યુઝ ફીડ ચેક કરીએ અથવા આપણા પર કોઈ નોટિફિકેશન આવે અને આપણે કોઈની કમેન્ટનો પ્રતિઉત્તર અથવા કોઈ ટેગનું અપ્રુવલ આપીએ એ એકદમ યોગ્ય છે. પણ કેટલાક લોકોના જીવને જરા સરખી શાંતિ નથી હોતી અને દર પાંચમી મિનિટે ફેસબુક એપ પર ક્લિક કરીને નોટિફિકેશન્સ ચેક કરતા રહે છે. આના કારણે થાય છે શું કે તમે જ્યાં, જે કામ માટે બેઠા હો ત્યાં તમારું પૂરું ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા અને તમારા સો ટકા નથી આપી શકતા.</p>
<p>કોઈની સાથે ગપ્પા મારતા હો ત્યાં સુધી ઠીક છે, પરંતુ કેટલાક લોકો ઓફિસમાં કોઈ મહત્ત્વનું કામ કે મિટિંગ હોય અને બોસ સામે બેઠા હોય ત્યારે પણ મોબાઈલમાં ડીંગલીચારો કરતા રહેતા હોય છે. જોકે કેટલાક કિસ્સામાં તો એમ બને કે, બોસ અને કર્મચારી બંને મિટિંગને કોરાણે મૂકીને પોતપોતાના ફેસબુકમાં ડૂબકીઓ મારી રહ્યા હોય અને ત્રીજો માણસ એમને જોઈને ઈમ્પ્રેસ થઈ જાય કે, ‘વાહ, બંને જણા તો જબરા વર્કોહોલિક છે!’ પણ એને ક્યાં ખબર હોય એ બંને ફેસબુક ચેક કર્યા સિવાય બીજું કશું જ નથી કરતા.</p>
<p>ફેસબુક પર સતત હાજરી</p>
<p>ઉપર વાત કરી એમ, કેટલાય લોકો એવા હોય છે, જેઓ ફેસબુક પર પળેપળની જાણકારી આપતા રહેતા હોય છે. આમ તો આ ઓવર શેરિંગનો જ એક પ્રકાર છે, પરંતુ આમાં પેલા બીજાની તમામ પોસ્ટ પર ‘વાઉઉઉઉ….’, ‘ઓસમ’ કરનારા લોકો પણ આવી જાય છે. જેઓ પોતે ભલે કંઈ નહીં લખતા હોય કે વરસને વચલે દિવસે પોતાનું પ્રોફાઈલ પિક્ચર પણ ચેન્જ નહીં કરતા હોય, પરંતુ તેઓ માર્ક ઝુકરબર્ગના આ એડવેન્ચરને આડે નહીં જવા દેવા માગતા હોય એમ પોતાની હાજરી જરૂર નોંધાવતા રહેશે.  </p>
<p>કટાણે લાઈક્સ, કમેન્ટ્સ કે સ્ટેટસ અપડેટ કરતા રહેવું</p>
<p>દિવસ દરમિયાન તમે કોઈ પણ સમયે તમારો ફોટોગ્રાફ અપલોડ કરો ત્યાં સુધી ઠીક છે. પરંતુ કેટલાક લોકોને રાત્રે બાર પછી કે વહેલી સવારે સાત વાગ્યે સ્ટેટસ કે ફોટોગ્રાફ શેર કરવાની આદત હોય. આવા લોકો રાત્રે ઉંઘે ત્યારે છેલ્લું કામ ફેસબુક પર ‘ગુડ નાઈટ દોસ્તો’ લખવાનું કરે અને સવારે ઉઠે એવા ‘ગુડ મોર્નિંગ’ લખે. એવામાં રાત્રે પાણી પીવા ઊઠે ત્યારે ‘ગુડ નાઈટ’ લખ્યું હોય એના લાઈક્સ-કમેન્ટ્સના નોટિફિકેશન્સ ચેક કરે એ વધારાના! આવા લોકો ફેસબુકના ચક્કરમાં પોતાની ઉંઘ કે ખોરાક પણ બરાબર લઈ શકતા નથી, જેના કારણે ઘણી મોટી સમસ્યાઓ સર્જાવાની ભીતિ રહે છે.</p>
<p>વધારે મિત્રો એડ કરતા રહેવાનું ગાંડપણ</p>
<p>આમ તો સોશિયલ નેટવર્કિંગ સાઈટ્સ પર અજાણ્યા, પણ સારા લોકો સાથે ફ્રેન્ડશીપ કરવાની પણ મજા હોય છે અને કેટલાય લોકોને આ રીતે એકબીજા સાથે સારા સંબંધો પણ બંધાતા હોય છે. પરંતુ આજના સમયમાં સોશિયલ મીડિયામાં હવામાં ગોળીબાર કરવું હિતાવહ પણ નથી. અહીં હર વખતે જો દિખતા હૈ વો હોતા નહીં. એટલે સોશિયલ મીડિયામાં છાશ તો શું, કૉલ્ડ કોકો પણ ફૂંકી ફૂંકીને પીવું જરૂરી બની જાય છે.</p>
<p>જોકે કેટલાક લોકોને આવો કોઈ ડર નથી હોતો અને તેઓ જોયા મૂક્યા વિના ગમે એને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી દે છે. એમને એવો અભરખો હોય છે કે, ફેસબુકમાં એમના મેક્સિમમ ફ્રેન્ડ્સ હોય! આ કારણે એમના ફ્રેન્ડ્સ તો વધતા જાય પણ ડે ટુ ડે એક્ટિવિટીઝમાં એમનું કોઈ ઈન્વોલ્વમેન્ટ નથી હોતું. નથી એવા અજાણ્યાઓ કોઈના સ્ટેટસ લાઈક કરતા કે નથી તેઓ કોઈના પર કમેન્ટ કરતા. તેઓ માત્ર શોભાના ગાંઠિયા પુરવાર થાય છે. જો તેઓ આપણા પર એક નાની અમસ્તી લાઈકની પણ રહેમત નહીં કરવાના હોય તો એમની આપણા ફ્રેન્ડલીસ્ટમાં જરૂર જ શું? હેં? એમને એડ કરવા પાછળનું કારણ શું? પેલો ફ્રેન્ડ્સનો આંકડો મોટો દેખાય એ એડિક્શન જ ને?</p>
<p>આ ઉપરાંત પણ ફેસબુક એડિક્શન ડિસઓર્ડરને ડિફાઈન કરવાના બીજા કેટલાય તરીકા છે, પણ હવે લેખ લાંબો થવા માંડ્યો છે. હજુ લંબાવવામાં મજા નથી. લેખનો હાર્દ એટલો જ કે આપણે આ બીમારી અથવા ગાંડપણનો ભોગ નથી બનવાનું. નહીંતર આપણે બીજા કોઈના મનોરંજનના સાધન બનીશું.</p>
]]></content:encoded>
                
                                                            <category>Magazine: ટેક ઈટ ઓર લીવ ઈટ</category>
                                    

                <link>https://www.khabarchhe.com/magazine--%E0%AA%9F%E0%AB%87%E0%AA%95-%E0%AA%88%E0%AA%9F-%E0%AA%93%E0%AA%B0-%E0%AA%B2%E0%AB%80%E0%AA%B5-%E0%AA%88%E0%AA%9F/addiction-of-facebook/article-169054</link>
                <guid>https://www.khabarchhe.com/magazine--%E0%AA%9F%E0%AB%87%E0%AA%95-%E0%AA%88%E0%AA%9F-%E0%AA%93%E0%AA%B0-%E0%AA%B2%E0%AB%80%E0%AA%B5-%E0%AA%88%E0%AA%9F/addiction-of-facebook/article-169054</guid>
                <pubDate>Mon, 10 Apr 2017 09:52:12 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[ankitdesai-author - (અંકિત દેસાઈ)]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        