<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.khabarchhe.com/magazine--%E0%AA%AC%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5/category-87348" rel="self" type="application/rss+xml" />
                <generator>Khabarchhe RSS Feed Generator</generator>
                <title>Magazine: બક્ષીત્વ - Khabarchhe</title>
                <link>https://www.khabarchhe.com/category/87348/rss</link>
                <description>Magazine: બક્ષીત્વ RSS Feed</description>
                
                            <item>
                <title>હું, ઝૈલસિંઘ, ઈશ્વરના નામે શપથ લઉં છું કે...</title>
                                    <description><![CDATA[<p>“હું ઝૈલસિંઘ, ઈશ્વરના નામે શપથ લઉં છું કે હું વફાદારીથી ભારતના રાષ્ટ્રપતિ તરીકેનું ઉત્તરદાયિત્વ નિભાવીશ અને મારી સર્વોત્તમ યોગ્યતા પ્રમાણે સંવિધાન અને કાયદાને સંભાળીશ, સાચવીશ, સુરક્ષા કરીશ અને હું ભારતવર્ષની જનતાની સેવા અને સમૃદ્ધિ માટે જીવન ન્યોછાવર કરીશ...”</p>
<p>નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનના ઐતિહાસિક દરબાર હૉલમાં જુલાઈ, 25, 1982ને દિવસે પંજાબના ફરીદકોટના 3500ની વસતિવાળા સાંધવા ગામના એક સુથારના બેટા જર્નાઈલ સિંઘ ઉર્ફ ઝૈલસિંઘ ભારતીય સંવિધાનના પાંચમા ભાગના પ્રથમ પ્રકરણની 60મી કલમ મુજબ શપથ લીધા હતા અને 180 ફુટ ઉંચા દરબારહોલના ઘુમ્મટની નીચે બેલ્જિયમ કાચનું આદ્વિતીય ઝુમ્મર ઝગારા મારી રહ્યું હતું. આજે મે 1989માં ભારતવર્ષના સાતમાં રાષ્ટ્રપતિ ઝૈલસિંઘને ફરીથી એ શપથ યાદ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/magazine--%E0%AA%AC%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5/oath-ceremony-giani-zail-singh/article-169723"><img src="https://www.khabarchhe.com/media/400/2018-02/1519290494rajiv-gandhi-d.jpg" alt=""></a><br /><p>“હું ઝૈલસિંઘ, ઈશ્વરના નામે શપથ લઉં છું કે હું વફાદારીથી ભારતના રાષ્ટ્રપતિ તરીકેનું ઉત્તરદાયિત્વ નિભાવીશ અને મારી સર્વોત્તમ યોગ્યતા પ્રમાણે સંવિધાન અને કાયદાને સંભાળીશ, સાચવીશ, સુરક્ષા કરીશ અને હું ભારતવર્ષની જનતાની સેવા અને સમૃદ્ધિ માટે જીવન ન્યોછાવર કરીશ...”</p>
<p>નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનના ઐતિહાસિક દરબાર હૉલમાં જુલાઈ, 25, 1982ને દિવસે પંજાબના ફરીદકોટના 3500ની વસતિવાળા સાંધવા ગામના એક સુથારના બેટા જર્નાઈલ સિંઘ ઉર્ફ ઝૈલસિંઘ ભારતીય સંવિધાનના પાંચમા ભાગના પ્રથમ પ્રકરણની 60મી કલમ મુજબ શપથ લીધા હતા અને 180 ફુટ ઉંચા દરબારહોલના ઘુમ્મટની નીચે બેલ્જિયમ કાચનું આદ્વિતીય ઝુમ્મર ઝગારા મારી રહ્યું હતું. આજે મે 1989માં ભારતવર્ષના સાતમાં રાષ્ટ્રપતિ ઝૈલસિંઘને ફરીથી એ શપથ યાદ કરવાનો દિવસ આવી ગયો છે : સંવિધાન અને કાયદાને સંભાળીશ, સાચવીશ, સુરક્ષા કરીશ અને ભારતવર્ષની જનતાની સેવા અને સમૃદ્ધિ માટે જીવન ન્યોછાવર કરીશ.</p>
<p>દેશના કાયદાશાસ્ત્રીઓ, બૌદ્ધિકો, દેશપ્રેમીઓ વચારે છે કે જૂન-જુલાઈ સુધીમાં નવી દિલ્હીમાં કંઈક હલચલ થશે. રાષ્ટ્રપતિ પાસે હુકમનો એક્કો છે એવું ઘણા માને છે. બીજા કેટલાક માને છે કે ભારતીય રાષ્ટ્રપતિ  વડાપ્રધાનનો એક પડછાયો માત્ર છે. એ રબર-સ્ટેમ્પ છે, નિરાધાર છે. બંને પક્ષો તર્ક-વિતર્ક, વાદ-પ્રતિવાદ કરી શકે એટલા બુદ્ધિમંત છે. પણ સામાન્ય નાગરિકને એક પ્રશ્નમાં જરૂર રસરુચિ છે : દેશની આજની અસ્થિરતામાં રાષ્ટ્રપતિની કોઈ ભૂમિકા છે ખરી?</p>
<p>કાયદાનું અર્થઘટન કરનારા કરશે, અને કાયદાનું અર્થઘટન દ્વિમુખી પણ હોઈ શકે છે. સંવિધાન શુષ્ક, નિર્જીવ અચલ વસ્તુ નથી. – સંવિધાનમાં એક જીવંત પરિવર્તનશીલ શક્તિ છે અને જનમતને પરાવર્ત કરનારા ત્રિપાશ્વનું પણ કામ કરે છે. સંવિધાન એક ઓર્ગેનિક, સતત સંવૃદ્ધ થતો ઘટક છે. જગતભરનાં સંવિધાનોના અર્થઘટન દેશકાળ પ્રમાણે બદલાતાં રહ્યાં છે. લખાયેલા કાળા મૃત શબ્દની પાછળ એક અપેક્ષા અને ચેતનાનો ઈતિહાસબોધ નિહિત છે.</p>
<p>ડૉ. રાધાકૃષ્ણનનું નામ રાષ્ટ્રપતિપદ માટે જ્યારે સૂચવાયું હતું ત્યારે વિરોધ પક્ષોએ સરકારને સહકાર આપ્યો હતો અને એ નામ માટે સર્વસંમતિ હતી. ડૉ. ઝાકીરહુસેનનું નામ સૂચવાય્ ત્યારે વિરોધ પક્ષોએ જજ સુબ્બારાવનું નામ સૂચવ્યું હતું. 1974માં જ્યારે ખફરુદ્દીન અલીઅહમદને કોંગ્રેસે ઊભા કર્યા ત્યારે વિરોધ પક્ષોએ સમસ્વરે એક નામ પ્રસ્તુત કર્યું હતું : ત્રિદીબકુમાર ચૌધરી! વિપ્લવી સમાજવાદી પક્ષના 63 વર્ષીય ઉમેદવાર ત્રિદીબ ચૌધરી રાષ્ટ્રપતિપદના નિર્વાચનમાં પરાજિત થાય એ નિશ્ચિત હતું. અને ત્રિદીબબાબુ હારી ગયા હતા. પણ ઓગસ્ટ 1974માં મને મુંબઈમાં એમનો ઈન્ટર્વ્યૂ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. મારા મિત્ર ડૉ. ઉદય મહેતાને ઘેર! અનુશીલન પક્ષના ભૂતપૂર્વ ક્રાન્તિકારી ત્રિદીબબાબુ આઝાદી પૂર્વે 15 વર્ષ જેલોમાં રહ્યા હતા અને આઝાદી પછી એક વર્ષ ગોવાની જેલમાં રહ્યા હતા. અર્થશાસ્ત્રી સાથે એમ.એ. થયા હતા, અપરિણીત હતા, પચીસ વર્ષથી સંસદસભ્ય હતા. એમની સાથે તેર વર્ષ પહેલાં થયેલી વાતો અને પ્રશ્નોત્તરી આજના અસ્થિર કાળમાં સાંદર્ભિક લાગે છે.</p>
<p>રાષ્ટ્રપતિપદ માટેના 1974ના ઉમેદવાર અને અનુભવી સાંસદ ત્રિદીબ ચૌધરીને મેં પૂછેલા કેટલાક પ્રશ્નોના ઉત્તરો :</p>
<p>પ્રશ્ન : તમને લાગે છે કે ભારતના રાષ્ટ્રપતિ ફ્રાંસમાં ચાર્લ્સ દ’ગોલે જે પ્રકારનું મજબૂત રાષ્ટ્રપતિત્વ પ્રાપ્ત કર્યું એ પ્રકારનું પ્રાપ્ત કરી શકશે?</p>
<p>ઉત્તર : દ’ગોલનું વ્યક્તિત્વ અન એનો ભૂતકાળ અંશતઃ આ માટે જવાબદાર હતા. મને લાગતું નથી ભારતમાં એ પ્રકારનું મજબૂત રાષ્ટ્રપતિત્વ આવે.</p>
<p>પ્રશ્ન : ડૉ. રાજેન્દ્રપ્રસાદે નવેમ્બર 1960માં ઈન્ડિયન લૉ ઈન્સ્ટિટ્યૂટની સામે રાષ્ટ્રપતિની સત્તાનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. ડૉ. રાધાકૃષ્ણને અઢારમા પ્રજાસત્તાક દિવસે પોતાની સરકારની જ કડક આલોચના કરી હતી. વી.વી. ગિરિએ 28 જુલાઈ 1973ને દિવસે લખનૌમાં કેન્દ્ર સરકારની કટુ સમીક્ષા કરી હતી. રાષ્ટ્રપતિને પોતાની જ સરકારની આલોચના કરવાનો અધિકાર છે?</p>
<p>ઉત્તર : હા, એમાં અવૈધ નથી. રાષ્ટ્રપતિને અમુક ફરજો છે. અને જવાબદારીઓ છે. પ્રધાનમંડળ રાષ્ટ્રપતિને મદદ કરવા અને સલાહ આપવા માટે છે. પણ રાષ્ટ્રપતિ જો પ્રધાનમંડળની સલાહ ન માને તો? સંવિધાન આ વિશે ચુપ છે. જો રાષ્ટ્રપતિ આ પ્રશ્ન પ્રજા પાસે મૂકી શકે અથવા સંવિધાનની 61મી કલમ (ઈમ્પીચમેનટ ક્લૉઝ) અનુસાર સંવિધાન-ભંગ માટે રાષ્ટ્રપતિ સામે કામ ચાલી શકે. આ પ્રસંગે સંવિધાન રાષ્ટ્રપતિને સંસદ સામે આવવાનો હક આપે છે અને રાષ્ટ્રપતિ પૂરી સમસ્યા સંસદ સામે મૂકી શકે છે.</p>
<p>પ્રશ્ન : તમે રાષ્ટ્રપતિના શપથ વિશે વારંવાર કહ્યું છે, એ વિશે કંઈ સ્પષ્ટતા કરશો?</p>
<p>ઉત્તર : જે વ્યક્તિ ભારતના રાષ્ટ્રપતિ બને છે એ સંવિધાનમાં લખ્યા મુજબ શપથ લે છે. અહીં ક વાત ધ્યાનાકર્ષક છે : રાષ્ટ્રપતિ જે શપથ લે છે એ પ્રધાનોના કે સંસદસભ્યોના શપથથી જુદા છે. રાષ્ટ્રપતિના શપત સંવિધાનનો એક ભાગ છે. જ્યારે અન્યના શપથ પાછળના વધારામાં આપ્યા છે. સંવિધાનનું રક્ષણ રાષ્ટ્રપતિનું કર્તવ્ય છે, એક ખાસ જવાબદારી છે... રાષ્ટ્રપતિ શોભાનું પૂતળું નથી. આપણા દેશમાં સંવિધાન સવાયત્ત (સોવરેઈન) છે, પ્રજા સ્વાયત્ત છે એવું હું સમજું છું.</p>
<p>એ ઈન્ટરર્વ્યૂ મેં ત્રદીબબાબુને એક વાત કરી હતી. જેમાં એમને બહુ રસ પડ્યો હતો અને એમણે કહ્યું હતું : કાલે મારે ત્રિવેન્દ્રમ જવાનું છે. આ પ્રશ્ન મને લખી આપો. હું જોઈ લઈશ, નિષ્ણાતોને પૂછી લઈશ. આ મુદ્દો રસિક છે –</p>
<p>એ મુદ્દો હતો : પ્રધાનમંડળની સંસદમાં બહુમતી હોય પણ રાજાને લાગે કે જનતાનો ટેકો પ્રધાનમંડળને નથી તો રાજાને પ્રધાનમંડળ પણ બરતરફ કરવાની સત્તા છે. રાષ્ટ્રપતિ આ પ્રમાણે કરી શકે? આપણું સંવિધાન આ વિશે શું કહે છે? 1970માં સંવિધાનતજજ્ઞ અને ભૂતપૂર્વ મંત્રી અશોક ચંદાએ એક લેખમાં લખ્યું હતું કે, કેનેડામાં એક વાર આવી ઘટના ઘટી હતી.</p>
<p>આ પ્રશ્ન આજના ઝૈલસિંહ-રાજીવ ગાંધી મતભેદના સંદર્બમીં અત્યંત સ્ફૉટક બની શકે છે, અને ઘણા ઉપપ્રશ્નો ઊભા કરી શકે છે. જો સરકાર અતિભ્રષ્ટ થઈ જાય પણ સંસદમાં બહુમતી હોય અને જનમત વિરોધી થઈ ગયો હોય તો રાષ્ટ્રપતિએ સંવિધાનના સંરક્ષણ માટે શું કરવું જોઈએ?</p>
<p>ડિસેમ્બર 1948માં કચ્છની સંસદસભ્ય પ્રો. કે.ટી. શાહે સૂચન કર્યું હતું કે વયસ્ક મતદાનના આધાર પર રાષ્ટ્રપતિનું સીધું નિર્વાચન થવું જોઈએ. અત્યારની નિર્વાચનપદ્ધતિને લીધે રાષ્ટ્રપતિની સ્થિતિ રબર-સ્ટેમ્પ જેવી બની ગઈ છે? 1950માં સરદાર વલ્લભભાઈ પટેલનું અવસાન થઈ ગયું ત્યારે રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદની ઈચ્છા હતી કે સરદારની સ્મશાયનયાત્રામાં હાજર રહેવું. સરદાર અને પ્રસાદ જીવનભરના સંગ્રામસાથીઓ હતા. પણ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદને મુંબઈ જવા દીધા નહીં. રાજેન્દ્ર પ્રસાદના મિલિટરી સેક્રેટરી બિમાનેશ ચેરટ્જીએ એક પુસ્તકમાં લખ્યું છે કે ડૉ. પ્રસાદની આંખોમાં આંસુ આવી ગયાં હતાં. પણ પછી સોમનાથના મંદિરના પુનરુદ્ધારના ઉદ્દઘાટન સમયે નેહરુએ ના પાડી છતાં પણ ડૉ. પ્રસાદ ગયા હતા!</p>
<p>ડૉ. રાધાકૃષ્ણનના કાળમાં ત્રણ પ્રધાનમંત્રી આવી ગયા. જવહરલાલ નેહરુ, લાલબહાદુર શાસ્ત્રી અને ઇંદિરા ગાંધી. આમાં પણ ઈંદિરા ગાંધી ઇંગ્લેંડમાં ડૉ. રાધાકૃષ્ણનનાં વિદ્યાર્થિની રહી ચૂક્યાં હતાં. ડૉ. રાધાકૃષ્ણન જેવી આંતરરાષ્ટ્રીય ઊંચાઈવાળી વ્યક્તિને આદેશ આપવો સરળ કામ ન હતું.</p>
<p>જ્યારે સંવિધાન ઘડાતું હતું ત્યારે રાજેન્દ્રપ્રસાદ બંધારણીય સભા (કોન્સ્ટિટ્યૂઅન્ટ સેમ્બલી) ના અધ્યક્ષ હતા. નવેમ્બર 26, 1949ને દિવસે એમણે આ પ્રશ્ન વિશે પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો. ડૉ. પ્રસાદના મંતવ્ય પ્રમાણે સંવિધાનમાં એવી કોઈ સૂચના નથી કે પ્રધાનમંડળની સલાહ રાષ્ટ્રપતિને માન્ય રાખવી જ પડે. આ પ્રકારનો રિવાજ ફક્ત ઇંગ્લેન્ડમાં છે.</p>
<p>સંવિધાન તજજ્ઞ સર ઈવોર જેનિંગ્સે પણ સ્પષ્ટ કહ્યું છે ડૉ. રાજેન્દ્રપ્રસાદ અને એમના અનુગામીઓને અંગ્રેજી સંવિધાનના મોડેલનું અનુસરણ કરતા જ રહેવું આવશ્યક નથી. કનૈયાલાલ મુનશીએ આ જ સંદર્ભમાં પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો કે રાષ્ટ્રપતિ ‘નિશ્ચલ શબ’ નતી.</p>
<p>આજના ભારતની ઉપલબ્ધ રાજકીય પરિસ્થિતિ એક દિશાહીનતા તરફ જઈ રહી છે ત્યારે રાષ્ટ્રપતિની ભૂમિકા વિશે પ્રશ્નો ઉદ્દભવે એ સ્વાભાવિક છે. કોઈ પણ હોદ્દો અંતે તો હોદ્દેદારની શખ્સિયત પર નિર્ભર છે. ઝૈલસિંહે શપથ લીધા હતા એ દિવસો અને આજે એમના રાષ્ટ્રપતિપદનો અંતિમ મહિનો બે જુદી સ્થિતિઓ છે. ભારતના આઠમા રાષ્ટ્રપતિ માટેના તલાશ થોડા જ સમયમાં તેજ બની જશે. 1987ના જુલાઈમાં આપણે કયા માણસને ‘સંવિધાન અને કાયદાની સંભાળ અને સુરક્ષા આપીશું?’ અને એ માણસ વડાપ્રધાનની પણ ‘સંભાળ’ રાખશે? સંવિધાનના શપથમાં તો એવું લખ્યું નથી!</p>]]></content:encoded>
                
                                                            <category>Magazine: બક્ષીત્વ</category>
                                    

                <link>https://www.khabarchhe.com/magazine--%E0%AA%AC%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5/oath-ceremony-giani-zail-singh/article-169723</link>
                <guid>https://www.khabarchhe.com/magazine--%E0%AA%AC%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5/oath-ceremony-giani-zail-singh/article-169723</guid>
                <pubDate>Thu, 22 Feb 2018 14:43:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2018-02/1519290494rajiv-gandhi-d.jpg"                         length="185062"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[chandrakant-bakshi - (ચંદ્રકાંત બક્ષી)]]></dc:creator>
                            </item>
            <item>
                <title>લોકશાહી સાળાના સાળાના સાળા સુધી પહોંચવી જોઈએ!</title>
                                    <description><![CDATA[<p>એક જમાનામાં સગાવાદ કે ભઈભત્રીજાવાદ ભ્રષ્ટાચાર ગણાતો હતો. આજે હવે આપણે જ નેતાઓનાં સગાંઓની ગણતરી કરીને થાકી ગયા છીએ! દીકરો, જમાઈ, ભાઈ, પત્ની બધા જ રાજનેતા બની શકે છે. વેશ્યા, ઈલેક્ટ્રિક મિસ્ત્રી, ડૉક્ટર, મોટર મિકેનિક, અણુ વૈજ્ઞાનિક જલ્લાદ... દરેકને પરમિટ કે લાઈસન્સ કે અમુક લઘુત્તમ ઉપાધિ હોવી જરૂરી છે પણ દેશનેતા થવા માટે કોઈ ડિગ્રી કે લાઈસન્સની જરૂર નથી. એકાદ સગો રાજકારણમાં હોય તો ઠીક રહે છે. પાછળનો દરવાજો ખુલ્લો હોય તો ઘૂસવામાં સહૂલિયત રહે છે...</p>
<p>મોરારજીના પુત્ર કાન્તિ, લાલબહાદુર શાસ્ત્રીના પુત્ર હરિ, જગજીવનરામના પુત્ર સુરેશ રામ, વી.વી. ગિરિના પુત્ર શંકરગિરિ કે પછી ખફરૂદ્દીન અલી અહમદની પત્ની કે ઝાકિરહુસેનના જમાઈ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/magazine--%E0%AA%AC%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5/an-article-on-democracy-by-chandrakant-bakshi/article-169722"><img src="https://www.khabarchhe.com/media/400/2018-02/1518702822loksahi-zsdf.jpg" alt=""></a><br /><p>એક જમાનામાં સગાવાદ કે ભઈભત્રીજાવાદ ભ્રષ્ટાચાર ગણાતો હતો. આજે હવે આપણે જ નેતાઓનાં સગાંઓની ગણતરી કરીને થાકી ગયા છીએ! દીકરો, જમાઈ, ભાઈ, પત્ની બધા જ રાજનેતા બની શકે છે. વેશ્યા, ઈલેક્ટ્રિક મિસ્ત્રી, ડૉક્ટર, મોટર મિકેનિક, અણુ વૈજ્ઞાનિક જલ્લાદ... દરેકને પરમિટ કે લાઈસન્સ કે અમુક લઘુત્તમ ઉપાધિ હોવી જરૂરી છે પણ દેશનેતા થવા માટે કોઈ ડિગ્રી કે લાઈસન્સની જરૂર નથી. એકાદ સગો રાજકારણમાં હોય તો ઠીક રહે છે. પાછળનો દરવાજો ખુલ્લો હોય તો ઘૂસવામાં સહૂલિયત રહે છે...</p>
<p>મોરારજીના પુત્ર કાન્તિ, લાલબહાદુર શાસ્ત્રીના પુત્ર હરિ, જગજીવનરામના પુત્ર સુરેશ રામ, વી.વી. ગિરિના પુત્ર શંકરગિરિ કે પછી ખફરૂદ્દીન અલી અહમદની પત્ની કે ઝાકિરહુસેનના જમાઈ હવે જૂના થઈ ગયા. ઇંદિરાજીના સંજય અને રાજીવ વિશે હવે એવું લખવું બંધ થયું છે. મુંબઈના એક ગુજરાતી સમાચારપત્રના તંત્રી રાજીવ માટે આખું નામ ‘રાજીવ લોચન’ લખે છે જે ખોટું છે. રાજીવનું મૂળ નામ ‘રાજીવ રત્ન’ છે અને નામ કોંગ્રેસના તત્કાલીન મહામંત્રી શંકરરાવ દેવે પાડ્યું હતું. આની પાછળ અર્થ પણ હતો! ‘રત્ન’ એટલે જવાહર અને ‘રાજીવ’ એટલે કમળ (કે કમલા)! કમલા નેહરુ અને જવાહરલાલ નહેરુનાં નામોનું સંયોજન કરીને એમના પ્રથમ પૌત્રનું નામ પાડવામાં આવ્યું હતું.</p>
<p>ભારતના રાજકારણમાં બેટાવાદ કે ભાઈચારાનાં દ્રષ્ટાંતો ગણાવા બેસીને તો ગાંડા થઈ જઈએ. હવે આ પ્રેમ ભાઈ કે બેટા સુધી સીમિત રહ્યો નથી. ચરણસિંહ અને બહુગુણાની પત્નીઓ પણ સંસદસભ્યો હતી! 1980માં ટિકિટો વહેંચી ત્યારે કોને કોને મળી હતી? કમલાપતિ ત્રિપાઠીના પુત્ર અને જમાઈ, રાજેન્દ્રકુમાર બાજપેયીના પુત્ર શાલિગ્રામ જયસ્વાલના પુત્ર, દિનેશસિંહના ત્રણ સગાઓ, ઉત્તરપ્રદેશના રાજ્યપાલના સલાહકાર ઈસ્લામ એહમદના પુત્ર, મોહસીના કિદવઈના બનેવી, બિહારના અનંદપ્રસાદ શર્માના ભાઈ, કેદાર પાંડેની પત્ની. રામદુલાર સિન્હાના પુત્ર... આ સૂચિ અહીં જ અટકતી નથી. જો આટલાથી જ આશ્ચર્ય થઈ શકતું હોય તો નમ્રતાપૂર્વક કહેવું પડશે કે આપણે હજી બિહાર અને ઉત્તર પ્રદેશ સુધી જ આવ્યા છીએ. હજી આપણે હરિયાણા પહોંચ્યા નથી!</p>
<p>ભારતીય લોકશાહીને સમજવી હોય તો બે વસ્તુઓને સમજવી પડશે : હરિયાણા અને અબ્દુલ રહમાન અંતુલે! ભારતીય લોકશાહી જ આ બે વસ્તુઓ પેદા કરી શકે...</p>
<p>હરિયાણામાં મુખ્યમંત્રી ભજનલાલ પાસે ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટોમાંથી પ્લોટ આપવાનો મુખ્યમંત્રીનો ખાસ ક્વોટા છે. આ ક્વૉટામાંથી જેમને મુખ્યમંત્રીએ પ્લોટ ફાળવ્યા એમાંનાં થોડાં નામો અને એમનાં સંબંધો : પત્ની જસમા દેવી, પુત્રી રોશનદેવી, પુત્રી રોશનીદેવીની સાસુ વિભાદેવી, ભાઈ માનફૂલનો પુત્ર દ્વારકા, ભજનલાલના મામાનો છોકરો હનુમાન, ભજનલાલનો સાળો સુરજા, ભજનલાલનો દાણાના જથ્થાબંધ ધંધામાં ભાગીદાર પોખરમલ, ભાગીરદાર પોખરમલનો જમાઈ અચિંતરામ, ભાગીદાર પોખરમલની પુત્રવધૂ રાજબાલા, ભજનલાલના સાળા સુરજાનો સગો અને ભજનલાલનો જૂનો ખાનગી કારભારી જયપ્રકાશ, ભજનલાલના સાળા સુરજાના સગા જયપ્રકાશનો સાળો આત્મારામ બિશ્નોઈ, ભજનલાલના બેટાઓ જે સ્કૂલમાં ભણ્યા હતા એ સ્કૂલના હેડમાસ્તર, ભજનલાલના મિત્ર શિવકુમાર શર્મા...</p>
<p>અને અંતે ભજનલાલ ખુદ! મુખ્યમંત્રીના ખાસ ક્વૉટામાંથી એક પ્લોટ મુખ્યમંત્રીએ પોતે જ પોતાને આપી દીધો હતો...!</p>
<p>આપણા માધવસિંહ સોલંકી, પ્રબોધ રાવળ, સનત મહેતા વગેરે વગેરે મંત્રીઓએ જમાઈવાદ, ભાઈવાદ, સાળાવાદ, સાળાના સાળાના સાળાનો સાળાવાદ વગેરે વગેરે વગેરે વિદ્યાઓમાં હવે પારંગત થઈ જવું જોઈએ!</p>
<p>અને આપણે સગાવાદની બીજી પેઢી અને એની સમસ્યાઓ સુધી આવી પહોંચ્યા છીએ. આપણો ભાઈ-ભદ્રીજાવાદ પણ હવે બીજી ત્રીજી પેઢી પર આવીને પુખ્ત બની ગયો છે. હવે રાજકારણમાં એલ્જિબ્રાની ફોર્મ્યુલા વાપરવી પડે એ દિવસો પણ આવશે. કાશ્મીરને જ જોઈએ! શેરે કાશ્મીર શેખ મહંમદ અબ્દુલ્લા હતા. એમના જ્યેષ્ઠ બેટા. ડૉ. ફારૂક અબ્દુલ્લા એમના પછી ગાદીના વારસદાર બન્યા. અબ્દુલ્લાની વિધવા બેગમે ફારૂકનો પક્ષ લીધો. બીજા દીકરા તારીક અબ્દુલ્લા ગાદીના હકદાર તરીકે દાવો કરવા આપી ગયા. એમના પક્ષમાં શેખ અબ્દુલ્લાની બેટી અને જમાઈ ગુલમોહમ્મદ શાહ આવી ગયા. આ દરેકને એલ્જિબ્રાની એક એક સંજ્ઞા લગાવી દો તો દાખલો ઘણો સરળ થઈ જાય...</p>
<p>શ્રીલંકા ફ્રીડમ પાર્ટીના સર્વોચ્ચ નેતા અને ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સિરિમાવો ભંડાર નાયકોને પણ આવી જ ચિંતા છે. પતિ સોલોમન વેસ્ટ રીજ ડાયઝ ભંડારનાયકે પ્રધાનમંત્રી હતા, એમનું ખૂન થઈ ગયું. એટલે સિરિમાવો પ્રધાનમંત્રી બની. પછી એમના બેટા અનુરા ભંડારનાયકે ને પ્રધાનમંત્રી બનાવવા તૈયાર કર્યો... અને જમાઈ વિજયકુમાર ટુંગેએ બળવો કર્યો! પુત્ર અને જમાઈ વચ્ચેનો ઝઘડો એ શ્રીલંકાની રાજનીતિનો નવો ખેલ છે! ભારતનું સદ્દભાગ્ય છે કે શ્રીમતી ઇંદિરા ગાંધીને પુત્રી નથી અને જમાઈ નથી નહીં તો... કંઈક જુદી જ ઇંદિરાલીલા રમાતી હોત!</p>
<p>સગાઓના જંગલમાં કદાચ સૌથી સુખી એક બેટીના બાપ લાગે છે! પરિવારમાં બેટીનું સ્થાન ઋતુઓમાં વસંત જેવું છે. વસંતદાદા પાટિલની પુત્રી ઉચ્ચકક્ષાની ભારતનાટ્યમ્ નર્તકી છે. બીજુ પટનાયકની પુત્રી ગીતા મહેતા ઇંગ્લેંડાં સ્થાયી થઈ ગઈ છે અને અંગ્રેજીમાં લેખિકા છે. આપા પંતની પુત્રી ડૉ. અદિતિ પંત દક્ષિણ ધ્રુવ ગયેલા ભારતીય વૈજ્ઞાનિક મંડળની બે સ્ત્રી વૈજ્ઞાનિકોમાંની એક સ્ત્રી હતી. ઝૈલસિંહની બેટી હોમિયોપથિક ડૉક્ટર છે : સોવેયિત રશિયાના પ્રથમ નેતા ચેરનેન્કોને એક જ બેટી છે. ડૉ. હેલેના ચેરનેસ્કોને, જે દસ વર્ષથી સિનિયર રીસર્ચ વૈજ્ઞાનિક છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રુમેનની એક પુત્રી માર્ગારેટ ટ્રુમેન સરસ પિયાનો-વાદક હતી. અને જવાહરલાલ નહેરુને પણ એક જ બેટી હતી. ઇંદિરા પ્રિયદર્શની!</p>
<p>એક બેટીના પિતા મને હંમેશાં સુખી લાગ્યા છે. હિન્દી લેખક કમલેશ્વરને એક જ પુત્રી છે. અને ગુજરાતી ભાષામાં આજે બે જ મહાન હાસ્યલેખકો છે અને એ બંનેને એક એક પુત્રી જ છે. બકુલ ત્રિપાઠી અને તારક મહેતા અને જેવા સાદા સુખી સંતોષી નરો ગુજરાતી સાહિત્યના મંડીઓ અને ગુજરાતીઓ બહુ ઓછા જોવા મળે છે.</p>]]></content:encoded>
                
                                                            <category>Magazine: બક્ષીત્વ</category>
                                    

                <link>https://www.khabarchhe.com/magazine--%E0%AA%AC%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5/an-article-on-democracy-by-chandrakant-bakshi/article-169722</link>
                <guid>https://www.khabarchhe.com/magazine--%E0%AA%AC%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5/an-article-on-democracy-by-chandrakant-bakshi/article-169722</guid>
                <pubDate>Thu, 15 Feb 2018 19:25:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2018-02/1518702822loksahi-zsdf.jpg"                         length="54743"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[chandrakant-bakshi - (ચંદ્રકાંત બક્ષી)]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ગૉડ સસરા, ગૉડ મધર, ગૉડ અંકલ વગેરે વગેરે...</title>
                                    <description><![CDATA[<p>ભારતમાં વંશ-વારસાગત લોકશાહી છે. જવાહરલાલજી, ઇંદિરાજી અને રાજીવજીએ આનું દ્રષ્ટાંત મૂક્યું છે. કદાચ આમાંથી પ્રેરણા લઈને ભારતવર્ષમાં કેટલાય પરિવારો દેશસેવા માટે જિંદગાની ફના કરવાના ભગીરથ કાર્યમાં ડૂબી ચૂક્યા છે. થોડા સમય પહેલાં એક કુબુદ્ધિ સૂઝેલી અને કોણ કોનું સગું છે એનું એક લિસ્ટ બનાવવાની ગમ્મત કરેલી અને... વાતાયનમાં ગૉડ ફાધર, ગૉડ ક્વિન, ગૉડ સાળા એવા શીર્ષકવાળું કંઈક લખેલું. વંશ વૃક્ષ નહીં પણ મશરૂમ (બિલાડીના ટોપ) વૃક્ષ! લોકસભા નિર્વાચન વખતે ઘણાં પગેરાં મળેલાં. હવે વિધાનસભાની ચૂંટણીઓમાં તો લગભગ દરેક ઉમેદવાર કોઈકનો વહાલો કે સગો હોય એવું લાગે છે. કૉલેજમાં કૉલેજમાં પ્રવેશ વખતે પ્રિન્સિપાલ પાસે કોઈની ચિઠ્ઠી લીધા વિના એકલો વિદ્યાર્થી આવે</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/magazine--%E0%AA%AC%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5/godfather-god-cousins-and-politics-part-2/article-169721"><img src="https://www.khabarchhe.com/media/400/2018-02/1518079406sdgsdgsdg.jpg" alt=""></a><br /><p>ભારતમાં વંશ-વારસાગત લોકશાહી છે. જવાહરલાલજી, ઇંદિરાજી અને રાજીવજીએ આનું દ્રષ્ટાંત મૂક્યું છે. કદાચ આમાંથી પ્રેરણા લઈને ભારતવર્ષમાં કેટલાય પરિવારો દેશસેવા માટે જિંદગાની ફના કરવાના ભગીરથ કાર્યમાં ડૂબી ચૂક્યા છે. થોડા સમય પહેલાં એક કુબુદ્ધિ સૂઝેલી અને કોણ કોનું સગું છે એનું એક લિસ્ટ બનાવવાની ગમ્મત કરેલી અને... વાતાયનમાં ગૉડ ફાધર, ગૉડ ક્વિન, ગૉડ સાળા એવા શીર્ષકવાળું કંઈક લખેલું. વંશ વૃક્ષ નહીં પણ મશરૂમ (બિલાડીના ટોપ) વૃક્ષ! લોકસભા નિર્વાચન વખતે ઘણાં પગેરાં મળેલાં. હવે વિધાનસભાની ચૂંટણીઓમાં તો લગભગ દરેક ઉમેદવાર કોઈકનો વહાલો કે સગો હોય એવું લાગે છે. કૉલેજમાં કૉલેજમાં પ્રવેશ વખતે પ્રિન્સિપાલ પાસે કોઈની ચિઠ્ઠી લીધા વિના એકલો વિદ્યાર્થી આવે એવું તો ભાગ્યે જ બન્યું છે. વિધાનસભામાં પણ જે જઈને બેસશે એમાંના ઘણાખરાં ચિઠ્ઠીઓવાળા જ હશે એમ લાગે છે.</p>
<p>અત્યારનું સગાવાદી લિસ્ટ ફાઈનલ નથી પણ લેટેસ્ટ છે. સર્વ પ્રથમ અત્યાર સુધી જે નામો આવી ગયાં છે. એમની સૂચિ :</p>
<p>ચરણસિંહનાં પત્ની ગાયત્રીદેવી, શેખ અબ્દુલ્લાનાં પત્ની અકબરજહાં, ખફરુદ્દીન અલી અહમદનાં પત્ની આબિદા બેગમ, શેખ અબ્દુલ્લાની બેટી ખાલિદા, બેટા ફારૂક અને તારીક, જમાઈ ગુલશાહ, બેટી ખાલિદા, પૌત્રી શરફફર શાહ, કરૂણાનિધિનો બેટો સ્તાલિન, બહુગુણાની પત્ની કમલા બહુગુણા, કરૂણાનિધિનો બેટો સ્તાલિન, બહુગુણાની પત્ની કમલા બહુગુણા, ઓરિસ્સાના મુખ્યમંત્રી પટનાયકની પત્ની જયંતિ, મહારાષ્ટ્રના વસંતદાદા પાટીલની પત્ની શાલિનીતાઈ, પુત્ર પ્રકાશ, ગુજરાતના માધવસિંહ સોલંકીના સસરા, બિહારના મુખ્યમંત્રી ચંદ્રશેખરસિંહની પત્ની મનોરમા, રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મોહનલાલ સુખડિયાનાં પત્ની ઈન્દુબાલા, આંધ્રના રાજ્યપાલ શંકરદયાલ શર્માનાં પત્ની વિમલા શર્મા અને પુત્ર અને જમાઈ લલિત માકન, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ ઉમાશંકર દીક્ષિતની પુત્રવધૂ શીલા દીક્ષિત, કોંગ્રેસે સેક્રેટરી રાજેન્દ્રકુમારી બાજપેયીના સુપુત્ર અશોક બાજપેયી, પુલીસ અધ્યક્ષ ભિંડરની પત્ની, યોગેન્દ્ર મકવાણા અને હરિહર ખંભોળજાની પત્નીઓ, બાલીરામ હીરે અને ઝુમકલાલ ભેડિયાની પત્નીઓ, જસવંત ચૌહાણનાં પત્ની, જયદીપસિંહ બારીયાનાં સુપુત્રી ઉર્વશીદેવી...</p>
<p>આ બધાને તો આપણે જાણતા હતા...</p>
<p>આ લિસ્ટમાં થોડાં નવાં નામો ઉમેરી શકાય એમ છે, જે વિધાનસભા માટે ટિકિટો મેળવવા ભાગ્યશાળી બન્યાં છે. આ નામો જો ચૂંટાશે તો દેશસેવા કરશે એ અવશ્યંભાવી છે. આજે દેશપ્રેમ અને દેશસેવાની તમન્ના પરાકાષ્ઠાએ છે.</p>
<p>બિહારનાં આરામાં રામલખન યાદવના ચિરંજીવી પ્રકાશચંદ્ર યાદવ છે. બાબુ કમલાપતિ ત્રિપાઠી અને જગન્નાથ મિશ્રના સગાઓ, આત્મીયો, સ્વજનોનાં બધાં નામો આ લેખમાં લખી શકાય એમ નથી. કારણ કે એટલી જગ્યા પણ નથી! પુલિસ અધ્યક્ષ ભિંડરના કાકા છે : સેવાસિંઘ! સ્પીકર બલરામ જાખડના સુપુત્ર સજ્જનકુમાર છે. ઝૈલસિંઘના ખાનગી કારભારી પ્રાઈવેટ સેક્રેટરી સંતરામ સિંગલા છે. અરૂણ નેહરૂ, શીલા કૉલ કે મેનકા ગાંધીનો આપણે વિચાર કરતાં નથી. વિજયરાજે સિંધીયા, પુત્ર માધવરામ અને પુત્રી વસુંધરા રાજે છે. આ બધા સંસદ કે વિધાનસભા માટે ઊભાં રહ્યાં છે, ચૂંટાયા છે અથવા એમને ટિકિટો મળી છે અથવા એમ કહીએ કે દેશસેવકો છે!</p>
<p>લાલબહાદુર શાસ્ત્રીના પુત્ર હરિકૃષ્ણે દેશસેવાની પરંપરા ચાલુ રાખી છે. શાસ્ત્રીજીના નાના બેટા સુનીલ શાસ્ત્રી ઉત્તરપ્રદેશના શ્રમ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી છે. ઉત્તરપ્રદેશ કોંગ્રેસના સેક્રેટરી અને ભૂતપૂર્વ મંત્રી શ્રીકિશન ગોયલના સુપુત્ર હરિકિશન ગોયલને ટિકિટ મળી છે. પી.વી. જી. રાજુ ઘણા સમય પહેલાં સંસદસભ્ય હતા. આજે એમનો પુત્ર આનંદ ગજપતિ રાજુ તેલગુ દેશમનો સંસદસભ્ય છે. કેન્દ્રના જૂના રેલવેમંત્રી અને જગન્નાથ મિશ્રાના ભાઈ લક્ષ્મીનારાયણના પુત્ર વિજય મિશ્રા સંસદસભ્ય છે. એ જ રીતે ભૂતપૂર્વ કેન્દ્રમંત્રી મોહનકુમાર મંગલમનો પુત્ર રંગરાજન કુમારમંગલમ્ પણ પિતાની જેમ સંસદસભ્ય છે.</p>
<p>હેનોવર ફેઈમ રામરાવ આદિક કદાચ યાદ હશે. આદિકની પુત્રી વિજ્યા દ્યોતે વિધાનસભાની સભ્ય હતી અને જમાઈ જબુવંતરાવ દ્યોતે સંસદસભ્ય હતા. આદિકના ભાઈ ગોવિંદરાવ આદિક આશ્ચર્યજનક રીતે રહી ગયા છે.</p>
<p>મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ એન.કે. તીરપુંડેના બેટા રાજકુમાર તીરપુંડેને ટિકિટ મળી છે. કેંદ્રપ્રધાન વસંત સાઠેના ભત્રીજા અરૂણ દીવેકર મહારાષ્ટ્રના રમત-ગમત મંત્રી છે. પણ આ વખતે એમને ટિકિટ મળી નથી. સિંચાઈ મંત્રી શિવાજીરાવ પાટીલ નિલંગેકરના બેટા દિલીપને ટિકિટ મળી છે. શ્રીમતી પ્રતિભા પાટીલને પતિ દેવીસિંઘ રામસિંઘ શેખાવતને ટિકિટ અપાઈ છે. ડૉ. બાલીરામ હીરેને ટિકિટ મળી નથી. એમની પત્ની ઈંદિરાબાઈને મળી છે. અને એમની સામે એમનાં નણંદ ઊભાં છે પુષ્પાવતી હીરે જે શરદ પવારની કોંગ્રેસમાં છે. ઉદ્યોગપ્રધાન કલપ્પા આવડેના પુત્ર પ્રકાશ આવડે ઊભા છે. ભૂતપૂર્વ શિક્ષામંત્રી શરદચન્દ્રિકા પાટીલના પતિ ડૉ. સુરેશ પાટીલ પણ ઉમેદવાર છે.</p>
<p>હિમાલયના મુખ્યમંત્રી વીરભદ્રસિંહે એમના સાળા યોગેન્દ્રચંદ્રને ટિકિટ અપાવી છે. અને રાજસ્થાનમાં મુખ્યમંત્રી શિવચરણ માથુરે એમના સાળા દીનબંધુ વર્માને ટિકિટ અપાવી છે. સ્વાસ્થ્ય મંત્રી ખેતસિંહના ભત્રીજાને ટિકિટ અપાવી છે. રાજ્યકક્ષાના એક મંત્રી શ્રી રામ ગોટેવાલાના મોટાભાઈને ટિકિટ મળી છે. રાજ્યકક્ષાના બીજા એક મંત્રુ પ્રદ્યુમ્નસિંહના પિતરાઈ ભાઈને ટિકિટ અપાઈ છે.</p>
<p>મોહસીના કિદવઈના પરિવારમાં ઘણાબધા રાજકારણમાં છે. રાજ્યસભાની એક સભ્ય અઝીઝા ઈમામના સર અલી ઈમામ વાઈસરોયની એક્ઝીક્યુટિવ કાઉન્સિલના પ્રથમ ભારતીય સભ્ય હતા.</p>
<p>આપણા ભાઈઓ, સસરાઓ, સાળો, પુત્રો, પુત્રવધૂઓ, પતિઓ... બધી જ જાતનાં સગાંઓ, સ્નેહીઓ સંબંધીઓ દેશની સેવા માટે, વિધાનસભા અને લોકસભાઓમાં જવા માટે થનગની રહ્યા છે. આ દેશનું ભાવિ ઉજ્જવળ છે. જે દેશસેવા માટે નીકળી પડ્યા છે એમનું ભાવિ પણ ઉજ્જવળ છે. પ્રગતિ સિવાય હવે કોઈ ચારો નથી.</p>
<p>આ તો ફક્ત બીજા ભાગ છે. ત્રીજો ભાગ પણ આવી શકે છે અને ચોથો પણ! પણ હવે આ સૂચિ બનાવવાની હિમ્મત ચાલતી નથી. હવે આ વિષયનો ઈતિહાસ રહ્યો નથી, ગણિતનો છે અને મારું ગણિત કાચું છે!</p>]]></content:encoded>
                
                                                            <category>Magazine: બક્ષીત્વ</category>
                                    

                <link>https://www.khabarchhe.com/magazine--%E0%AA%AC%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5/godfather-god-cousins-and-politics-part-2/article-169721</link>
                <guid>https://www.khabarchhe.com/magazine--%E0%AA%AC%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5/godfather-god-cousins-and-politics-part-2/article-169721</guid>
                <pubDate>Thu, 08 Feb 2018 14:05:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2018-02/1518079406sdgsdgsdg.jpg"                         length="226949"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[chandrakant-bakshi - (ચંદ્રકાંત બક્ષી)]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ગૉડફાધર, ગૉડકઝિન, ગૉડસાળા, ગૉડસસરા... અને રાજીવરંજન</title>
                                    <description><![CDATA[<p>ભારતવર્ષમાં બે જ પ્રકારની વ્યક્તિઓ પૂજાય છે : ગૉડમેન અને ગૉડફાધર! ગૉડમેને એટલે સાધુ, સંત, બાવા, ફકીર, સ્વામી, બાપુ, મહર્ષિ, મહારાજ... એવા મેન જેમને ગૉડ સાથે હૉટ-લાઈન ચાલુ છે. જેમને એમના આત્મા કરતાં વધારે તમારા આત્માની ચિંતા છે એ ભગવાનની ડિસ્પેન્સરીના કમ્પાઉન્ડરો છે અને અધ્યાત્મના સોદાગરો છે અને તમારા દૂષિત મનના સેનીટરી ઈન્સ્પેક્ટરો છે. કાર્લ માર્ક્સે દોઢસો વર્ષ પહેલાં કહ્યું હતું કે ધર્મ એ લોકોનું અફીણ છે! અને એ વાક્યે ડધી દુનિયાને હલાવી મૂકી હતી. ભારતવર્ષમાં ધનપતિઓથી ઘેરાયેલા ગૉડમેન જે રીતે રોજ ધર્મનું થોડું થોડું સેવન કરાવી રહ્યા છે એ જોતાં લાગે છે કે આ દેશમાં ધર્મ અફીણ નથી. ભારતમાં</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/magazine--%E0%AA%AC%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5/godfather-godcousins-and-politics/article-169720"><img src="https://www.khabarchhe.com/media/400/2018-01/1517405272congress-d.jpg" alt=""></a><br /><p>ભારતવર્ષમાં બે જ પ્રકારની વ્યક્તિઓ પૂજાય છે : ગૉડમેન અને ગૉડફાધર! ગૉડમેને એટલે સાધુ, સંત, બાવા, ફકીર, સ્વામી, બાપુ, મહર્ષિ, મહારાજ... એવા મેન જેમને ગૉડ સાથે હૉટ-લાઈન ચાલુ છે. જેમને એમના આત્મા કરતાં વધારે તમારા આત્માની ચિંતા છે એ ભગવાનની ડિસ્પેન્સરીના કમ્પાઉન્ડરો છે અને અધ્યાત્મના સોદાગરો છે અને તમારા દૂષિત મનના સેનીટરી ઈન્સ્પેક્ટરો છે. કાર્લ માર્ક્સે દોઢસો વર્ષ પહેલાં કહ્યું હતું કે ધર્મ એ લોકોનું અફીણ છે! અને એ વાક્યે ડધી દુનિયાને હલાવી મૂકી હતી. ભારતવર્ષમાં ધનપતિઓથી ઘેરાયેલા ગૉડમેન જે રીતે રોજ ધર્મનું થોડું થોડું સેવન કરાવી રહ્યા છે એ જોતાં લાગે છે કે આ દેશમાં ધર્મ અફીણ નથી. ભારતમાં તો ધર્મ મન સાફ રાખવા માટે ઈસબગુલ જુલાબનું કામ કરી રહ્યો છે. અને અફીણ કરતાં જુલાબ બહુ ખરાબ તો નહીં હોય!</p>
<p>હવે બીજા છે ગૉડફાધર, જે રાજકારણ પર છવાઈ ગયા છે. જન્મથી નહીં પણ ગુણને કારણે તમે આ દેશમાં ઉપર આવી શકો છો એવું કોંગ્રેસે 1984ના લોકસભાના જાહેરનામામાં કહ્યું હતું. આ દેશમાં બધા જ પક્ષોમા સગાવાદ છે! અને રાષ્ટ્રના રાહબરોએ કહ્યું જ છે ને? આ દેશ એમ નહીં ડૂબે. કંઈક એવું જરૂર છે જે દેશને ટકાવી રાખે છે. એકબીજાને મદદ કરવાની ભાવના આપણા અસ્તિત્વના પાયામાં છે. કુછ બાત હૈ કિ હસ્તી મિટતી નહીં જહાં સે...</p>
<p>કોણ કોનું સગું છે એ વિશે કોઈએ હજી “હુઝ-હુ” પ્રકટ કર્યું નથી. એનું પારાવાર આશ્ચર્ય છે. એ વાંચતાં ગર્વ થાય છે, ગમ્મત થાય છે, ગદ્દગદ્દ થઈ જવાય છે અને ગલગલિયાં પણ થાય છે! થોડા જ પ્રસંગો નજરે ચડી શકે છે કારણ કે આ એવું ક્ષેત્ર છે કે જેમાં વ્યક્તિ પોતે જાહેર કરતો નથી કે આ મારો સગો છે! એટલે એ વિશે માહિતી મેળવવી જરૂર અઘરી છે.</p>
<p>ગૉડફાધર વિશે પછી વિચારીશું. પણ અબ્દુલ રહમાન અંતુલેની પુત્રીના લગ્ન થયા ત્યારે એ લગ્નમાં કોણ કોણ આવ્યા હતા? રાષ્ટ્રપતિ ઝૈલસિંઘ પરિવારના સદસ્યો સાથે આવ્યા હતા, સ્પીકર બલરામ જાખડ બીજી બધી વિધાનસભાઓના સ્પીકરોને સાથે લઈ આવ્યા હતા. કેંદ્રના મિનિસ્ટરો હતા : નરસિંહ રાવ, ગુલામ નબી આઝાદ, કલ્પનાથી રાય, આરીફ મોહંમદખાન, જાફર શરીફ! કુવૈતના કોન્સલ જનરલ, ઉદ્યોગપતિ એસ.પી. જૈન, હૃદય-નિષ્ણાત બી.કે. ગોયલ, સુનીલ દત્ત, અજીત વાડેકર, સુનીલ ગાવસ્કર, કલ્યાણજી, આણંદજી, દેવ આનંદ, નૂતન, સંજય ખાન, નિમ્મી, નિરૂપારોય, રાજેન્દ્રકુમાર વગેરે હતા. ટાટાના અજીત કેરકર હતા. લંડનથી ઉદ્યોગપતિ નિર્મલ સેઠીઆ સપત્ની આવ્યા હતા, શિવસેનાધ્યક્ષ બાલ ઠાકરે, મુંબઈના દાદાઓ કરીમલાલા, યુસુફ પટેલ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વસંતદાદા પાટીલ, પત્ની શાલિનીતાઈ, પૂરું મંત્રીમંડળ હતાં! ગવર્નર ઈદ્રિસ લતીફ હતા, નેતા શરદ પવાર હતા, હાઈકોર્ટ જજ પ્રતાપ હતા! અંતુલેનો જમાઈ મુશ્તાક આ ભીડભાડમાં ભૂલાઈ જાય એ સ્વાભાવિક હતું! બધા કુલ્ફી ઝાપટતા હતા, રાષ્ટ્રપતિજી નારિયેળનું પાણી પીતા હતા... અને આ લગ્નોત્સવ ક્યારે ઉજવાયો? જાન્યુઆરી 1984માં જ્યારે અબ્દુલ રહમાન અંતુલે સિંહાસન પર બેઠા ન હતા...! રાજકારણમાં બધા જ બધાને ઓળખતા હોય છે.</p>
<p>કોંગ્રેસમાં તો બધા જ એક પરિવારના છે ! દરેક ગુરુભાઈ છે. સસરાઓ અને જમાઈઓ છે, ભાઈઓ અને બહેનો અને વહુઓ છે. માતાઓ અને પુત્રો છે, બનેવીઓ અને સાળાઓ છે, કોણ નથી? ભારતીય લોકશાહી કુટુંબશાહી બની રહી છે કે બની ગઈ છે? શાસ્ત્રોમાં કહ્યું છે ને કે વસુધૈવ કુટુમ્બકમ! આખું જગત એક કુટુંબ છે...</p>
<p>પહેલાં વિરોધી પક્ષોમાંથી ગોર મહારાજની જેમ ગોત્ર શોધીએ. થોડા નમૂના જ આપી શકાય કારણ કે પેલા જૂના શ્લોકમાં કહ્યું છે એમ અનંત શાસ્ત્રો છે, બહુ વિદ્યાઓ છે, અલ્પ સમય છે અને પારાવાર વિઘ્નો છે! ચૌધરી ચરણસિંહના સગા સરૂપ સિંહ ઊભ રહ્યા હતા, પત્ની ગાયત્રી દેવી હતાં. પિતા દેવીલાલ સોનપતમાં હતા તો પુત્ર ઓમપ્રકાશ હિસારમાંથી જંગે ચડ્યા હતા. કાશ્મીરમાં માદરે-મહેરબાન (દયામાતા) બેગમ અકબર જહાં એમના સ્વર્ગસ્થ પતિ શેખ અબ્દુલ્લાનો વારસો સાચવી રહ્યાં હતાં. દીકરી ખાલિદ, જમાઈ ગુલશાહ, પુત્ર ફારૂક અબ્દુલ્લા, બીજો બેટો તારીક, ને પૌત્ર મુઝફફર શાહ (ખાલિદા અને ગુલશાહનો બેટો) બધા જ ચૂંટણી જંગમાં એકબીજાની સામે તલવારો ખેંચી ચૂક્યા હતાં. બેંગ્લોરમાં જ્યોર્જ ફર્નાન્ડીઝ ઊભા હતા. એમના એક ભાઈ માઈકલ કર્ણાટક વિધાનસભામાં છે. બીજા ભાઈ લોરન્સ કૉર્પોરેશનમાં છે, જ્યોર્જ ફર્નાન્ડીઝના સસરા હૂમાયું કબીર જવાહરલાલ નેહરુના મંત્રીમંડળમાં હતા. દ્રવિડ મુન્ને કળગમના કરૂણાનિધિ એમના નામની આગળ “કલાઈગ્નાર” લગાવે છે જેનો અર્થ તમિળમાં “કલાકાર” થાય છે! “કલાકાર” કરૂણાનિધિના સુપુત્રનું નામ છે એમ.કે. સ્તાલિન (બરાબર છે. પેલા રશિયાવાળા સ્તાલિનના નામ પરથી જ?) જે મદ્રાસમાં “થાઉઝન્ડ લાઈટ્સ” વિસ્તારમાંથી ઊભા રહ્યા હતા! ભારતના ઈતિહાસમાં તો ઘણી ગમ્મતો મળે છે – બંગાળના કમ્યુનિસ્ટ મુખ્યમંત્રી જ્યોતિ બસુ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં મોહનકુમાર મંગલમ, ભૂપેશ ગુપ્તા અને ઇંદિરા ગાંધીની સાથે ભણતા હતા. ત્યાં જ રજની પટેલ પણ હતા!</p>
<p>પણ કુટુમ્બકમના ધંધામાં કોંગ્રેસી વધારે જબરા છે. દેશને આગળ લઈ જવાનો કોંગ્રેસનો અબાધિત અધિકાર પણ છે! કોંગ્રેસી સગાઓની સૂચિ બનાવવા બેસીએ તો શાહી ખતમ થઈ જાય. પણ થોડા સેમ્પલો જોવી જોઈએ! આંધ્રના રાજ્યપાલ શંકરદયાલ શર્મા. એમનો જમાઈ લલિત માકન દિલ્હીથી ચૂંટાયો. એમના બેટાને બિહારના બકસરથી ઊભો કરવાની હિલચાલ હતી. શ્રમમંત્રી શ્રીમતી પ્રભાવતીદેવી ગુપ્તાએ એમના પતિને ટિકિટ અપાવવા કોશિશ કરી હતી. પ્રદેશ કોંગ્રેસના રામસરનસિંઘના પુત્ર રાજીવરંજન (કેટલું આદર્શ નામ છે?) નાલંદાથી ઊભા રહે એવી યોજના થઈ હતી. જગન્નાથ મિશ્રાએ એમના ફક્ત બે જ સગાઓનો ક્વૉટા રાખ્યો હતો.</p>
<p>અંત નથી આ સૂચિનો! ઉડિસાના મુખ્યમંત્રીની પત્ની જયંતિ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી વસંદતાતા પાટિલની પત્ની શાલિનીતાઈ અને ઓરમાન પુત્ર પ્રકાશ, ગુજરાતના મુખ્યમંત્રીના સસરાજી, બિહારના મુખ્યમંત્રી ચંદ્રશેખરસિંઘની પત્ની મનોરમા, રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મોહનલાલ સુખડિયાની વિધવા ઈન્દુબાલા, સ્વ. લાલબહાદુર શાસ્ત્રીના સુપુત્ર હરિકૃષ્ણ, પી.પી. કુમારમંગલના પુત્ર રંગરાજન કુમારમંગલમ, કમલાપતિ ત્રિપાઠીના ખાનદાનમાંથી ગણ્યા ગણાય નહીં. એટલા સભ્યો, પશ્ચિમ બંગાળના ગવર્નર ઉમાશંકર દીક્ષિતની પુત્રવધૂ શીલા દક્ષિત, કોંગ્રેસની જનરલ સેક્રેટરી રાજેન્દ્રકુમારી બાજપેયીના સુપુત્ર અશોક બાજપેયી બધા જ સંસદ કે વિધાનસભાઓમાં છે. રાજસ્થાનના મુખ્યમંત્રી શિવચરન માથુરે એમનાં સાળાસાહેબ દીનબંધુ માટે ટિકિટનો જુગાડ કરવા કોશિશ કરી હતી. પણ મળી નહીં. સ્પીકર બલરામ જાખડના સુપુત્ર સજ્જન કુમાર, તત્કાલીન ગૃહમંત્રી ઝૈલસિંઘના પ્રાઈવેટ સેક્રેટરી સંતરામ સીંગલા, દિલ્હી પુલિસના અધ્યક્ષ ભિંડરની પત્ની અને કાકા સેવાસિંઘ પણ ચૂંટાયા હતા! આ જ્ઞાનગંગામાં જેટલી ડૂબકીઓ મારીએ એટલી ઓછી છે. યશપાલ કપૂર અને આર.કે.ધવન એકબીજાના “કઝીન-બ્રધર” (જગતમાં ક્યાંય આ શબ્દ વપરાતો નથી, ભારત સિવાય!) થતા હતા.</p>
<p>ભગવદ્દગીતાના યુગની જૈમ પ્રપૌત્રો અને પ્રપિતામહો એક જ સાથે આજકાલ જીવી શકતા નથી, નહીં તો કરક્ષેત્રના મેદાનમાં જેમ એક સાથે છ પેઢીઓ યુયુત્સા માટે સામસામી આવી ગઈ હતી. એમ કોંગ્રેસીઓની છ પેઢીઓ એકસાથે દેશસેવા માટે સંસદમાં જમા થઈ ગઈ હોત! </p>
<p>“ષડયંત્રને” છ યંત્રો જોડેલાં રહેતાં હતાંને?...</p>]]></content:encoded>
                
                                                            <category>Magazine: બક્ષીત્વ</category>
                                    

                <link>https://www.khabarchhe.com/magazine--%E0%AA%AC%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5/godfather-godcousins-and-politics/article-169720</link>
                <guid>https://www.khabarchhe.com/magazine--%E0%AA%AC%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5/godfather-godcousins-and-politics/article-169720</guid>
                <pubDate>Wed, 31 Jan 2018 19:01:59 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2018-01/1517405272congress-d.jpg"                         length="54703"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[chandrakant-bakshi - (ચંદ્રકાંત બક્ષી)]]></dc:creator>
                            </item>
            <item>
                <title>જનતા સમુદ્ર છે અને નેતા સમુદ્રે ફેંકેલું એક મોજું છે...</title>
                                    <description><![CDATA[<p>‘રાજીવ પછી, કોણ?’ એ એક લોકરમતનું નામ છે. થોડાં થોડાં વર્ષે આ રમત રમાયા કરે છે. શરૂમાં આ રમતનું નામ હતું. ‘નેહરુ પછી, કોણ?’ વચ્ચે આ રમત ‘ઇંદિરા પછી, કોણ?’ બની ગઈ હતી. રાજીવ ગાંધી એમની સમયમર્યાદાના અડધા માર્ગ સુધી પહોંચ્યા છે એટલે આ પ્રશ્ન અત્યારે બહુ સાંદર્ભિક નથી પણ આ રમત કે ગમ્મતમાં બધાને રસ છે જ. જ્યાં પ્રજાવાદ છે ત્યાં આનો ઉત્તર સ્પષ્ટ છે : પ્રજા જેને પસંદ કરે એ! પણ હિંદુસ્તાનનો પ્રજાવાદ એ પ્રકારનો છે જેવો જગતભરમાં ક્યાંય નથી. ચાલીસ વર્ષથી નાના, મમ્મી અને બેટો એમ એક જ વંશની વાંશિક પરિવારશાહી ચાલે છે અને એ જ ડેમોક્રસી</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/magazine--%E0%AA%AC%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5/an-article-on-politics-of-india-by-chandrakant-bakshi/article-169719"><img src="https://www.khabarchhe.com/media/400/2018-01/1516879704rajiv-gandhi.jpg" alt=""></a><br /><p>‘રાજીવ પછી, કોણ?’ એ એક લોકરમતનું નામ છે. થોડાં થોડાં વર્ષે આ રમત રમાયા કરે છે. શરૂમાં આ રમતનું નામ હતું. ‘નેહરુ પછી, કોણ?’ વચ્ચે આ રમત ‘ઇંદિરા પછી, કોણ?’ બની ગઈ હતી. રાજીવ ગાંધી એમની સમયમર્યાદાના અડધા માર્ગ સુધી પહોંચ્યા છે એટલે આ પ્રશ્ન અત્યારે બહુ સાંદર્ભિક નથી પણ આ રમત કે ગમ્મતમાં બધાને રસ છે જ. જ્યાં પ્રજાવાદ છે ત્યાં આનો ઉત્તર સ્પષ્ટ છે : પ્રજા જેને પસંદ કરે એ! પણ હિંદુસ્તાનનો પ્રજાવાદ એ પ્રકારનો છે જેવો જગતભરમાં ક્યાંય નથી. ચાલીસ વર્ષથી નાના, મમ્મી અને બેટો એમ એક જ વંશની વાંશિક પરિવારશાહી ચાલે છે અને એ જ ડેમોક્રસી કહેવાય છે! માટે આ લોકગમ્મત : રાજીવ પછી, કોણ?</p>
<p>શ્રીમતી ગાંધીની હત્યા થઈ ત્યારે રાષ્ટ્રપતિ ઝૈલસિંઘે રાજીવ ગાંધીને પ્રધાનમંત્રી તરીકે શપથ લેવડાવી દીધા હતા. આ પૂરી વિધિ અવૈધ હતી. પ્રથમ પ્રધાનમંત્રી નિમાયા અને પછી કોંગ્રેસ સાંસદીય પક્ષે રાજીવ ગાંધીને પક્ષના નેતા તરીકે ચૂંટ્યા! ગાંડીની સાથે ઘોડો જોડવાની ક્રિયા કરવાને બદલે આપણે પ્રથમ ઘોડો લઈ આવ્યા અને પછી એને ગાડી જોડી દીધી. લોકશાહીની પ્રણાલિકા એ છે કે પક્ષ નેતા ચૂંટે અને એ પક્ષ સંસદમાં બહુમતી ધરાવતો હોય માટે એ નેતાને રાષ્ટ્રપતિ મંત્રીમંડળમાં રચવા આમંત્રણ આપે – એ માણસ પ્રધાનમંત્રી બને. પણ પ્રધાનમંત્રી બનતાં પહેલાં એ માણસ બહુમતી પક્ષનો નેતા ચૂંટાય એ આવશ્યક હોય છે. અહીં ઊંધું થયું.</p>
<p>પણ હિંદુસ્તાનમાં અને આપણી લોકશાહીમાં ઊંધું શું છે? જગતના કોઈ લોકશાહીમાં ઊંધું શું છે? જગતના કોઈ લોકશાહી દેશમાં આવું થયું નથી જેવું ભારતમાં થયું છે. ભારતના કોંગ્રેસ પક્ષમાં છેલ્લા બાર વર્ષથી કોઈ જ આંતરિક ચૂંટણીઓ થઈ નથી! પક્ષનેતાઓ આ ચૂંટણીઓ ન કરાવવા માટે તર્ક કરતા રહે છે કે ઘણા બોગસ અથવા જૂઠા સભ્યો બની ગયા છે. બોગસ અથવા જૂઠા એટલે માણસનું નામ જ હોય પણ એ માણસ ન હોય! કોંગ્રેસ પક્ષ એક સામંતશાહી પક્ષ બની ગયો છે જેમાં આંતરિક નિર્વાચન નથી. કમિટીઓ પણ ચૂંટણીઓ વિના જ નિમાતી રહે છે અને એમાં સ્થાનિક ગુન્ડા-પ્રકારનાં તત્ત્વો ઘણી વાર સૂત્રો સંભાળતાં હોયછે. આ રાષ્ટ્રીય પક્ષ કે મહાત્મા ગાંધીની કોંગ્રેસ નથી. રાજીવ ગાંધીએ શિસ્તભંગ માટે પગલાં લીધાં છે. વી.પી.સિંહથી કેટલાય ધારાસભ્યો સુધી વિરુદ્ધવિચાર કોંગ્રેસીઓને પક્ષમાંથી કાઢી મૂક્યા છે. એ વિશે પક્ષના સાંસદીય મંડળમાં કે કાર્યવાહક કમિટીમાં ક્યારેય વિચારવિમર્શ થયો નથી. કથિત કોંગ્રેસી નિષ્કાષિતોને કારણદર્શક નોટિસો કે શૉકોઝ નોટિસો અપાઈ નથી. એમણે એમની સફાઈ પ્રસ્તુત કરવાની કોઈ તક આપવામાં આવી નથી. રાજીવ ગાંધીનું ફરમાન છૂટ્યું છે અને માણસો પક્ષની બહાર કોઈ જ સુનવાઈ વિના ફેંકાઈ ગયા છે. સામાન્ય રીતે લોકશાહીમાં આ પ્રકારની આપખુદશાહી આ રીતે ચાલતી નથી.</p>
<p>રાજીવ ગાંધીનો સત્તાધીશ કોંગ્રેસ પક્ષ સ્વયં જો બાર વર્ષથી પોતાની ચૂંટણીઓ જન કરતો હોય તો આ પક્ષ જ્યારે કેન્દ્રસ્થાને હોય ત્યારે લોકશાહીનું એનું અર્થઘટન કેટલું સ્વીકાર્ય બની શકે? રાજીવ ગાંધી પછી, કોણ? પક્ષની સામાન્ય સભા નક્કી કરે એ, કે રાજીવ ગાંધી સ્વયં નિયુક્ત કરે એ? લોકશાહીમાં લોકો પસંદ કરે એ નેતા બને છે એવું પ્રધાનમંત્રીએ ખુદ કહ્યું છે પણ ભારતની લોકશાહીમાં નેહરુ ઇંદિરાજીને તૈયાર કરીને મૂકતા ગયા. ઇંદિરાજીની ઈચ્છા હતી કે સંજય ગાંધી રાષ્ટ્રનેતા બને. એમનું અકસ્માતે અવસાન થવાથી મોટાભાઈ રાજીવજી પર ઝૈલસિંઘે કળશ ઢોળ્યો! રાજીવ ગાંધી પાસે અત્યારે બહુમતી તાકાત છે. એમણે ત્યાગપત્ર આપી દેવાનું કોઈ કારણ નથી અને એ સ્વયં ત્યાગપત્ર ન આપે ત્યાં સુધી સંવૈધાનિક રીતે એમને માટે સ્થાનભ્રષ્ટ થવું કઠિન છે.</p>
<p>જનતા અને નેતા વિશે થોડા ભ્રામક ખ્યાલો પ્રવર્તે છે. રાજીવ ગાંધી પછી. કોણ, પ્રશ્નના ઉત્તરમાં ઘણી વાર સાંભળવા મળે છે કે અત્યારે તો કોઈ દેખાતો નથી! આપણા વિરોધી પક્ષો આપસી ટાંગખેચમાં માહિર છે. એમની પાસે સમસ્ત રાષ્ટ્ર-સંચાલનનો વિશાળ વ્યાપ નથી. માત્ર એકસૂત્રી વ્યક્તિ વિરોધવાદ સમયના મોટા ફલક પર બહુ ઉપકારક થતો નથી. બધા જ પ્રધાનમંત્રી થવાની લાલસા રાખે છે એવું એક વિધાન છે. લોકશાહીમાં સૈદ્ધાંતિક રીતે તમે અને હું પણ પ્રધાનમંત્રી બની શકીએ છીએ માટે પ્રધાનમંત્રી થવાની લાલસા રાખવામાં કોઈ અનૌચિત્ય નથી. દરેક ભારતીય નાગરિક રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી બની શકે છે.</p>
<p>પણ કોંગ્રેસ પક્ષમાં રાજીવ ગાંધી પછી કોણ છે? આ પ્રશ્ન સાંદર્ભિક એટલા માટે છે કે કોંગ્રેસ પક્ષ પાસે બહુમતી છે અને જો અન્ય નેતા આવે તો એ કોંગ્રેસ પક્ષમાંથી આવી શકે છે.</p>
<p>માઓ ત્સે-તુંગે આ આખી પ્રક્રિયા જરા જુદી રીતે સમજાવી છે. ભારતની રાજનીતિ નેતાકેંદ્રી છે જ્યાં જનતાએ ફર્જરૂપે નેતાના કહ્યા પ્રમાણે કરવાનું છે. નેતા હજી ઘેટાવાદમાં માને છે. એ પોતે કાયદાથી ઉપર છે અને એ ક્રૂર વાસ્તવ આપણે રોજ જોઈ રહ્યા છીએ. માઓ ત્સે-તુંગને વિધાન હતું કે, જનતા સમુદ્ર છે અને નેતા એ સમુદ્રમાંથી ઊઠેલું એક મોજું છે. આ મોજું સમુદ્રના ખળખળાટમાંથી જન્મે છે, ઊભરે છે, ઊંચાઈ પ્રાપ્ત કરે છે, કિનારા તરફ દોડે છે, આખા સમદ્ર પર ક્ષિતિજથી ક્ષિતિજ સુધી છવાઈ જાય છે, પણ મોજાએ એક વાત ભૂલવાની નથી-એ સમુદ્રમાંથી જન્મ્યું છે, એણે કિનારાની રેતી પર પટકાવાનું છે, એની જે પણ ઊંચાઈ હોયએ સમુદ્રે એને આપી છે અને એની પાછળ બીજું નાનું મોજું જન્મી ચૂક્યું છે જે કાળક્રમે એ રીતે જ સમુદ્ર પર છવાઈને કિનારા પર પટકાવાનું છે. સમુદ્ર સનાતન છે, મોજું સામયિક છે. સમુદ્ર જીવે છે, મોજાંએ મરવાનું છે. જનતા, જાગૃત અને ખળભળી ચૂકેલી જનતા, હંમેશાં દરેક દેશમાં નેતા ફેંકતી રહેશે. ભારતની જનતા દેશકાળ પ્રમાણે નેતાઓ રાષ્ટ્રીય ફલક પર ફેંકતી રહી છે. આ જ જનતાએ ગાંધી આપ્યાં અને નેહરુ આપ્યા, આ જ જનતા રાજીવ ગાંધી અને વી.પી.સિંહને સહન કરશે અથવા નહીં કરે. પ્રશ્ન જનજાગિતનો છે. જગતની દરેક પ્રજાને પોતાની જાગૃત કે અર્ધજાગૃત કે સુષુપ્ત અવસ્થા પ્રમાણે જ નેતા મળી રહે છે!  બિહારને બિન્દેશ્વરી દુબે મળે અને ગુજરાતને અમરસિંહ ચૌધરી મળે કારણ કે ગુજરાત અમરસિંહ ચૌધરીને જ સહન કરી લે છે. લોકશાહી જો જનજાગૃતિની રાજીવ, ચેતનવંત લોકશાહી હોય તો એ પોતાની જરૂર પ્રમાણે નેતા પસંદ કરી લે છે. આપણામાં કહેવત છે : ‘ચોરો નિર્વશ થતો નથી! ચોરા પર બેસનારો મળી જરહે છે. રાજીવ ગાંધી પછી કોણનો ઉત્તર ભારતીય જનસમુદ્ર આપશે. બહુરત્ના, વસુંધરા, પૃથ્વી રત્નો પેદા કરતી રહે છે, અને સમુદ્ર નેતાઓ ફેંકતો રહે છે.’</p>
<p>માએ ત્સે-તુંગ કહે છે એમ સમુદ્ર એ અંતિમ સાતત્ય છે...</p>]]></content:encoded>
                
                                                            <category>Magazine: બક્ષીત્વ</category>
                                    

                <link>https://www.khabarchhe.com/magazine--%E0%AA%AC%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5/an-article-on-politics-of-india-by-chandrakant-bakshi/article-169719</link>
                <guid>https://www.khabarchhe.com/magazine--%E0%AA%AC%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5/an-article-on-politics-of-india-by-chandrakant-bakshi/article-169719</guid>
                <pubDate>Thu, 25 Jan 2018 16:59:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2018-01/1516879704rajiv-gandhi.jpg"                         length="102994"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[chandrakant-bakshi - (ચંદ્રકાંત બક્ષી)]]></dc:creator>
                            </item>
            <item>
                <title>રાજીવ ગાંધી વિરુદ્ધ વિપક્ષો : ચંદ્રની બીજી બાજુ અંધારું છે, દેખાય છે એ ચંદ્રમાં ડાઘા છે</title>
                                    <description><![CDATA[<p>મુલાયમસિંહથી ભીમસિંહ સુધી બધાને થવું છે. અજિતસિંહથી જિતસિંહ સુધી બધાને થવું છે. ચંદ્રશેખર સિંહથી વિશ્વનાથ પ્રતાપસિંહ સુધી બધાને થવું છે. ભારતના વડાપ્રધાન થવા માટે બધા જ યોગ્ય છે. જો રાજીવગાંધી વડાપ્રધાન થઈ શકે અને રહી શકે તો બાકી બધા નેતાઓની શા માટે ઈચ્છા ન થાય? ઈટાલીઅન ગુચ્ચી શૂઝ અને રેબનના સનગ્લાસીસ પહેરીને તુર્કી કે સ્પેન જતાં આવડવું જોઈએ. જોકે આઈસલેન્ડ અને લિચટેનસ્ટાઈન અને લીવર્ડ આઈલેન્ડ અને મોનેકો જવાનું હજી બાકી છે અને વડાપ્રધાનપદ માટે મુરતિયાઓની કતાર લાગી છે. હવે વિપક્ષોને ચૂંટણીમાંથી વિજયની ખુશ્બુ આવી રહી છે. રાજીવ ગાંધી પછી કોણ? પછી... વી.પી.સિંહ, દેવીલાલ, અજિતસિંહ, ચંદ્રશેખર, બહુગુણા, અડવાણી, એન.ટી. રામરાવ, રામકૃષ્ણ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/magazine--%E0%AA%AC%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5/opposition-against-rajiv-gandhi/article-169718"><img src="https://www.khabarchhe.com/media/400/2018-01/1516276125rajiv-gandhi.jpg" alt=""></a><br /><p>મુલાયમસિંહથી ભીમસિંહ સુધી બધાને થવું છે. અજિતસિંહથી જિતસિંહ સુધી બધાને થવું છે. ચંદ્રશેખર સિંહથી વિશ્વનાથ પ્રતાપસિંહ સુધી બધાને થવું છે. ભારતના વડાપ્રધાન થવા માટે બધા જ યોગ્ય છે. જો રાજીવગાંધી વડાપ્રધાન થઈ શકે અને રહી શકે તો બાકી બધા નેતાઓની શા માટે ઈચ્છા ન થાય? ઈટાલીઅન ગુચ્ચી શૂઝ અને રેબનના સનગ્લાસીસ પહેરીને તુર્કી કે સ્પેન જતાં આવડવું જોઈએ. જોકે આઈસલેન્ડ અને લિચટેનસ્ટાઈન અને લીવર્ડ આઈલેન્ડ અને મોનેકો જવાનું હજી બાકી છે અને વડાપ્રધાનપદ માટે મુરતિયાઓની કતાર લાગી છે. હવે વિપક્ષોને ચૂંટણીમાંથી વિજયની ખુશ્બુ આવી રહી છે. રાજીવ ગાંધી પછી કોણ? પછી... વી.પી.સિંહ, દેવીલાલ, અજિતસિંહ, ચંદ્રશેખર, બહુગુણા, અડવાણી, એન.ટી. રામરાવ, રામકૃષ્ણ હેગડે, જ્યોતિ બસુ, મેનકા ગાંધી, અટલ બિહારી વાજપેયી, વી.સી.શુકલ, અરીફ અહમદ ખાન, અરુણ નહેરુ, હાજી મસ્તાન, સુબ્રહ્મણ્યમ સ્વામી, સૈયદ શાહબુદ્દીન, જામા મસ્જિદના ઈમામ અબદુલ્લા બેખારી, રામ બિલાસ પાસવાન, ઈન્દુભાઈ પટેલ, હરિકેશ બહાદુર, જયલલિતા, સાહિબરાવ કદમ, વેલજી મેઘજી, ગફૂર ડાયા, સન્તા સિંહ, બન્ટુસિંહ, પિન્કુચિન્ટુ...</p>
<p>આ સ્વતંત્ર દેશ છે. દરેક વયસ્ક સ્થિરચિત્ત નાગરિક વડાપ્રધાન બની શકે છે. વડાપ્રધાનની દીકરી વડાપ્રધાન બની શકે છે. વડાપ્રધાનની દીકરીનો દીકરો વડાપ્રધાન બની શકે છે. દરેક નાગરિક આ દેશમાં વડાપ્રધાન બની શકે છે અને વિપક્ષો પાસે એટલી બધી ટેલન્ટ છે કે વડાપ્રધાનપદ વિશે કંઈક નવું વિચારવું પડશે. સંવિધાનના અર્થઘટનમાં કંઈક ન્યુ ટેકનોલૉજી લાવવી પડશે.</p>
<p>વડાપ્રધાન રાજીવ ગાંધીના વિકલ્પરૂપે વિપક્ષો પાસે શું છે? એક ઈટાલીઅન પત્રે ઈટાલીના વિપક્ષો માટે લખ્યું હતું : વિપક્ષોનો વિકલ્પ ચંદ્રની બીજી અંધારી બાજુ જેવો છે જે આપણે જોઈ શકતા નથી! આ સ્થિતિ ભારતવર્ષના વિપક્ષોને સૌથી વધુ લાગુ પડે છે. દેખાઈ રહ્યો છે એ ચંદ્ર ડાઘાવાળો છે. એનો ક્ષય થઈ રહ્યો છે, જ્યારે ચંદ્રની દૃશ્યમાન નથી એ અંધારી બાજુ વિશે કોઈ જ અનુમાન થઈ શકતું નથી! વિપક્ષોની સ્થિતિ એ પરિણીતા જેવી છે જેના ઘરમાં આઠદસ વર્ષ પછી પારણું બંધાવાના સંજોગો આવી રહ્યા છે.</p>
<p>સૌથી મોટી સમસ્યા એ છે કે આ 80 કરોડનાં દેશ માટે વડાપ્રધાન ફક્ત એક જ છે, અને વિપ7 મુરતિયાથી ફોજ અસ્થિર થઈ રહી છે. વિપક્ષોમાં એક પ્રસ્તાવ આવ્યો છે કે એક નેતા નહીં પણ ત્રણ નેતાઓની ત્રિમૂર્તિ કરવી જોઈએ, વિશ્વનાથ, પ્રતાપસિંહ, ચંદ્રશેખર અને અટલ બિહારી વાજપેયી! એક સૂચન કેમ કોઈને સ્ફુર્યું નથી એનું ખરેખર આશ્ચર્ય છે : આપણા દેશમાં ત્રણ વડાપ્રધાનો હોવા જોઈએ! આ દેશ એટલો મહાન અ મોટો છે કે ત્રણ વડાપ્રધાનવાળો વિચાર બિલકુલ સંગત છે.</p>
<p>ત્રણ રાજાઓ કે ત્રણ શાસકોવાળો વિચાર ગંભીરતા માગી લે છે, દેખાય એવો હાસ્યાસ્પદ નથી. વિપક્ષોનો જે જનતા પક્ષ દસ વર્ષ પહેલાં તૂટી ગયો એમાં ત્રણ વૃદ્ધો સહ-રાજ્ય ચલાવતા હતા અને એમનાં નામો : મોરારજી દેસાઈ, ચૌધરી ચરણસિંહ અને બાબુ જગજીવન રામ! ત્રણે વૃદ્ધોને વડાપ્રધાન થવાની અદમ્ય, દર્દનાક ઈચ્છા હતી. બે થયા પણ ખરા, એક રહી ગયા. પણ અંદર અંદર એટલી બધી કાપાકાપી થઈ ગઈ કે આખું વહાણ ડૂબી ગયું અને “જનતા પક્ષ”માંથી પક્ષ રહી ગયો, જનતા કોંગ્રેસ પાસે ચાલી ગઈ. એ જમાનાનો સંઘ (જે આજે ભારતીય જનતા પક્ષ છે) ત્યાગમૂર્તિ મોટીબહેન જેવો હતો, એનામાં કોઈ જ સત્તાલોલુપતા ન હતી, એની બહુમતી હતી પણ એના લીડરો સતીવૃત્તિવાળા હતા. દેશપ્રેમ સિવાય એમને જગતમાં બીજો કોઈ જ રસ ન હતો. ગૃહસ્થાશ્રમી થવાનો સમય હતો ત્યારે એ હજી પણ બ્રહ્મચર્યાશ્રમના પ્રખર તેજમાં ચકાચૌંધ હતા. એ જમાનામાં રાજકારણમાં ગુડ-કૉન્ડક્ટ પ્રાઈઝ જીતી જાય એવો એક જ પક્ષ હતો.</p>
<p>પણ જો એટલા બધા વિપક્ષો ભેગા થઈને, જો કોંગ્રેસને હરાવી દે અને સત્તા પર આવી જાય તો એ બધાનો અત્યારે પ્રાપ્ત ખુરશીઓ પર સમાવેશ શી રીતે કરીશું એ પણ દરેક દૂરંદેશી દેશપ્રેમીની ચિંતાનો વિષય છે. આપણા દેશમાં ત્રણ વિચારધારાઓ છે. દક્ષિણપંથી ભાજપ, વામપક્ષી સામ્યવાદીઓ અને મધ્યપંથી જનતા-લોકદળ-જનમોરચા કંપની, આ ત્રણેમાંથી એક એક લઈને ત્રણ વડાપ્રધાનોની ત્રિમૂર્તિ રાજ્ય ચલાવી શકે. પણ કામ માત્ર આટલાથી જ શેષ થતું નથી. વિપક્ષોના ત્રણસો, સાડા ત્રણસો સભ્ય લોકસભામાં આવી જાય તો એમાંથી ઘણાંને મિનિસ્ટરો તો બનાવવા પડે. અર્થપ્રધાન અને અન્નપ્રધાન અને ગૃહપ્રધાન વગેરે તો જૂનાં ખાતાં થયાં. આપણે પ્રગતિ કરવી જ પડે. ચીનમાં એપ્રિલ 1988માં સરકારનું નવું વિભાગીકરણ થયું. એક રાષ્ટ્રપતિ, એક વડાપ્રધાન, ત્રણ વાઈસ-પ્રીમિયર અથવા ઉપ-વડાપ્રધાનોની, નવ ટેસ્ટ કાઉન્સિલર આપણે ત્યાં ત્રણ વડાપ્રધાનો અને છ ઉપ-વડાપ્રધાનોની વ્યવસ્થા કરવી જોઈએ! ચીનમાં મિનિસ્ટર છે અને ‘વાઈસ મિનિસ્ટર’ છે. ભારતમાં વિપક્ષો જીતીને સત્તા પર આવે પછીની રચના આ પ્રમાણે થઈ શકે છે : રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ, ત્રણ વડાપ્રધાનો, છ ઉપ-વડાપ્રધાનો, મિનિસ્ટરો અથવા પ્રધાનો અને ઉપપ્રધાનો અને ઉપવડાપ્રધાનો, ક્યુબામાં તો એક કાયદેસર મંત્રાલય છે : ‘જનતા સાથે સારા સંબંધો રાખવાનું મંત્રાલય!’ એટલે ‘જનતા સાથે સારા સંબંધોના પ્રધાન’ હોવા જોઈએ. ઇંગ્લેંડનાં વડાપ્રદાન માર્ગારેટ હિલ્ડા થેચરના પ્રધાનમંડળના થોડા પ્રધાનો એમના હોદ્દા સાથે લૉર્ડ ચાન્સેલર એમ્પ્લૉયમેન્ટ સેક્રેટરી, એન્વાયરોનમેન્ટ સેક્રેટરી, સોશલ સર્વિસીઝ સેક્રેટરી વગેરે! ભારતે પોતાની આવશ્યકતા પ્રમાણે મંત્રાલયો રાખવાં જોઈએ. એક ઉદ્દઘાટન પ્રધાનનો દરેક રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં સમાવેશ થઈ શકે એટલી જગ્યા હોય જ છે. મધ્યપ્રદેશમાં એક ‘સુપર ચીફ સેક્રેટરી પણ નમાયો હતો. એક વાચકે થોડા નવા હોદ્દા સૂચવ્યા હતા જે વિપક્ષ વિજયના સંદર્ભમાં વિચારણીય છે. : ચીફ મિનિસ્ટર (સી.એમ.), મેનેજિંગ ચીફ મિનિસ્ટર (એમ.સી.એમ.), ચીફ ચીફ મિનિસ્ટર (સી.સી.એમ.) સુપર ચીફ મિનિસ્ટર (એમ.સી.એમ.) આદિ...!’ રાજ્યોમાં વિદેશપ્રધાનો પણ નીમી શકાય. અલબત્ત એને માટે સંવિધાનમાં વિધેયક લાવવું પડે.</p>
<p>ગાંધીનગરની વિધાનસભામાં આ વાતની હજી ખબર પડી નથી. એ સારું છે! સોવિયેત રશિયાનાં પંદર રાજ્યોને પોતાના ફોરેઈન મિનિસ્ટરો છે! જ્યારે અફઘાનિસ્તાનમાં રશિયન સેનાઓએ પ્રવેશ કર્યો ત્યારે કિરગીઝ સોવિયેત સમાજવાદી ગણરાજ્યના વિદેશપ્રધાન સાકિન બેગમાતોનાએ કહ્યું હતું : અમે અફઘાનિસ્તાની જનક્રાંતિને કોઈ દબાવી દેશે એ સહન કરીશું નહીં...!</p>
<p>વિપક્ષો સત્તા પર આવે પછી રાજ્યકક્ષાએ આ ફેરફાર વિચારવા જેવો છે.</p>
<p>અલગ-અલગ પક્ષવાળાઓ સંસદ કે વિધાનસભાઓમાં સત્તા પર આવે પછી ફાધર વાલેસની બધી પુસ્તિકાઓ વાંચીને મોટું દિલ કરીને સામેની પાટલીઓ પર બેસી જશે એવું માનવાને કોઈ કારણ નથી. આજે કોંગ્રેસી મુખ્યપ્રધાન પ્રધાનમંડળનું વિસ્તરણ કરીશું. વિસ્તરણ કરી રહ્યા છીએ, દિલ્હીથી આવ્યા પછી વિસ્તરણ થઈ જ જશે, એવું કહી કહીને, કોણીએ ગોળ-ચૉકલેટ-કટકી લગાવીને બે ચાર વર્ષ કાઢી નાખે છે અ વૈધાનિક મુનશીની નવલકથાઓમાં આવતા કાપાલિકોની જેમ લાલ આંખે પ્રધાનપદની સામે તાકતા અને જાગતા રહે છે. પણ આંકડાઓ વધારે માર્ગદર્શક છે. વિધાનસભાના કુલ સભ્યોમાંથી કેટલા મિનિસ્ટરો હોઈ શકે એ સીધુ અંકગણિત નથી! ગુજરાતના 182 સભ્યોમાંથી 19 પ્રધાનો છે એટલે કે કુલ સભ્યસંખ્યાના લગભગ સાડા દસ ટકા પ્રધાનો છે. દરેક હસમી વ્યક્તિ પ્રધાન છે.</p>
<p>આ આંકડાઓ દરેક ધારાસભ્યના મોઢામાં (અથવા આંખોમાં) પાણી લાવી દે એવા છે. પ્રધાનબાજીમાં કોઈ પક્ષ નથી, કોઈ વિપક્ષ નથી. સમગ્ર ભારતવર્ષની બધી જ રાષ્ટ્રીય, ક્ષેત્રિય, સ્થાનીય પાર્ટીઓ સમાન છે! અરુણાચલ પ્રદેશમાં કુલ વિધાનસભ્યો? 30! એમાંથી 7 પ્રધાનો એટલે કે 23.3 ટકા સભ્યો પ્રધાનો છે. આગળ ચાલો. આસામ, આસામ વિધાનસભાની કુલ સભ્યસંખ્યા 126, એમાંથી 29 પ્રધાનો છે. એટલે કે 23 ટકા પ્રધાનો છે. જમ્મુ અને કાશ્મીરની વિધાનસભામાં 76 ચૂંટાયા, એમાંથી 18 પ્રધાનો બન્યા એટલે કે 23.7 ટકાને પ્રધાન બનવાનો ચાન્સ મળ્યો (એક વાતનો ખ્યાલ રહે : આ આંકડા વિધાનસભાની કુલ સભ્યસંખ્યાના છે. બહુમતી શાસક પક્ષના નથી. જો એ ગણવામાં આવે તો પ્રધાનમહોદયોની ટકાવારીનું પ્રમાણ સારું વધી જાય. પણ એ ક્ષેત્ર અંકગણિતનું નથી. એપ્લાઈડ મેથેમેટિક્સનું છે.)</p>
<p>ચાલો મણિપુર. એમાં વિધાનસભ્યો 60 અને પ્રધાનો 18, એટલે કે 30 ટકા સભ્યો મિનિસ્ટરો છે. મેઘાલયમાં પણ 60 વિધાનસભ્યોમાંથી 20 પ્રધાનો છે એટલે પૂરા 33.3 અથવા 1/3 પ્રધાનો જ છે! જો આ આંકડા ધ્રુજાવનારા લાગતા હોયતો તમે બહુ નર્મદિલ દેશપ્રેમી છો. નાગાલેન્ડમાં કુલ 60 વિધાનસભ્યો છે જેમાંથી 22 પ્રધાનપદ પામ્યા હતા, એટલે કે 38.3 ટકા વિધાનસભ્યો પ્રધાન હતા! સિક્કિમના 32માંથી 11 પ્રધાનો છે. એટલે 34.4 ટકા સભ્યો પ્રધાનો! હરિયાણામાં 91 વિધાનસભ્યોમાંથી 26 પ્રધાનો, મતલબ કે 29 ટકા પ્રધાનો છે. ત્રિપુરામાં 60માંથી 13 પ્રધાનો એટલે કે 21.7 ટકા પ્રધાનો.</p>
<p>દેશ ચલાવવો એ સહેલું કામ નથી. મોટા મોટા કોંગ્રેસી, અન્ય ક્ષેત્રિય પક્ષો અને રાજકીય પક્ષોની સરકારો રાજ્યોમાં ચાલે છે. કુલ વિધાનસભ્યોના 11થી 16 ટકા પ્રધાનો છે...</p>
<p>વિરોધી પક્ષો જ્યારે દિલ્હીના સંસદભવન પર કબજો કરે ત્યારે આ ધ્યાન રાખવું જ પડસે. કોંગ્રેસ તો એકપક્ષી છે, વિરોધપક્ષો બહુપક્ષી છે. એમણે વધારે પ્રધાનોની શક્યતાઓ તરફ ધ્યાન રાખવું પડશે. એમણે આવી ઘણીબધી બાબતોનાં ધ્યાન રાખવાં પડશે.</p>
<p>વિપક્ષના મુલાયમસિંહથી ભીમસિંહ સુધી દરેકને વડાપ્રધાન થવું છે. કોઈ જયપ્રકાશ નારાયણ જેવાર જપુરોહિત રહ્યા નથી. જૂના જમાનામાં ગાંધીજી હતા. એમણે 1937માં પ્રથમ કોમગ્રેસી પ્રધાનમંડળોમાં પ્રથમકક્ષાના કોંગ્રેસી નેતાઓને પ્રધાન બનાવી દીધા ન હતા. દ્વિતીય કક્ષાના કોંગ્રેસી નેતાઓ રાજ્યોનાં કોંગ્રેસ પ્રધાનમંડળોના મુખ્યપ્રધાન બન્યા હતા. ગાંધીજી રિમોટ કન્ટ્રોલથી એમના ‘હરિજન બંધુ’માં લેખો લખીને એમને ધ્રુજાવતા રહેતા હતા. મિનિસ્ટર બન્યા પછી માણસ પાસેથી વધારે શુદ્ધતા અને પ્રામાણિકતાની અપેક્ષા રાખવામાં આવતી હતી. જુલાઈ 1937માં મોહનદાસ કરમચંદ ગાંધીએ એમની અનુકરણીય શૈલીમાં લખ્યું હતું : સત્તા ધારણ કરવાની બાબતમાં કોંગ્રેસ કાર્યકારી અને અન્ય કોંગ્રેસીજનોએ મારા અભિપ્રાયથી પ્રભાવિત થવાનું ચાલુ રાખ્યું છે એટલે કદાચ એ વિશે જાહેર જનતાને મારા વિચારો સમજાવવાની ફરજ બની જાય છે... આ એક અત્યંત ફિક્કો અને નિર્બળ પ્રયત્ન છે. તરવારરાજને બહુમતી રાજમાં બદલવાનો. ત્રણ કરોડ સ્ત્રીઓ અને પુરુષો મતદાતા બન્યાં છે... મંત્રાલયો તરત સતર્ક બની જશે અને દારૂબંધી લાગુ કરી દેશે. દારૂની આવકમાંથી શિક્ષણનાં અનુદાનો નહીં અપાય. જેલો સુધારક સંસ્થાઓ અને ઉદ્યોગો બની જશે. ગરીબ માણસ માટે નમક સસ્તું બનશે પણ એ બન્યું નથી. કાપડની કોઈ પણ ખરીદી એટલે ખાદીની જ હશે... પ્રધાનોની વ્યક્તિગત વર્તણૂંક વિશે કહેવું જોઈએ. કોંગ્રેસી પ્રધાનો એમની ફરજો કેવી રીતે નિભાવશે? એમનો અધ્યક્ષ, કોંગ્રેસનો રાષ્ટ્રપતિ તો રેલવેમાં ત્રીજા વર્ગમાં પ્રવાસ કરે છે.આ પ્રધાનો પ્રથમ વર્ગમાં પ્રવાસ કરશે? એમનો અધ્યક્ષ, કોંગ્રેસનો રાષ્ટ્રપતિ બરછટ ખાદીની ધોતી, કુર્તુ અને બંડી સંતોષથી પહેરે છે. કોંગ્રેસીપ્રધાનો પશ્ચિમી ધોરણો પ્રમાણે પશ્ચિમી સ્ટાઈલનો ખર્ચ કરશે? છેલ્લાં સત્તર વર્ષથી કોંગ્રીસોઓએ સખ્ત સાદગીની શિસ્તબદ્ધ જિંદગી બસર કરી છે. રાષ્ટ્ર એમના પ્રસાસનમાં પણ આ જ શિસ્તબદ્ધ સાદગીની અપેક્ષા રાખે છે. એ લોકોએ શરમાવાનું કોઈ કારણ નથી...</p>
<p>આ પ્રકારની ભાષા ગાંધીજી જ લખી શકતા હતા અને એમની સામે થવાનું કે વિરોધમાં જવાનું કોંગ્રેસીનું ગજું ન હતું. કારણ કે ગાંધીજી લોકપાલથી પાલક સુધી બધું જ હતા. શરમાવવું કોઈ કારણ નથી એમ એ લખી શકતા...!</p>
<p>અને એ વખતે ગાંધીજીના આગ્રથી નક્કી થયું હતું કે કોંગ્રેસશાસિત રાજ્યનો દરેક પ્રધાન મહિને રૂપિયા પાંચસો પગારરૂપે લેશે! આ વાતની એટલી ભયાનક અસર થયેલી કે પંજાબ અને બંગાળમાં જ્યાં ગેરકોંગ્રેસી સરકારો હતી ત્યાં પ્રતિમાસ 3000 રૂપિયા પગાર લેતા પ્રધાનોનો જનતાએ વિરોધ કર્યો અને એમને એ વિશે કદમ ભરવા પડ્યાં હતાં.</p>
<p>પણ વિપક્ષો આપણી પાસે રાજીવ ગાંધીની કોંગ્રેસનો વિકલ્પ છે અને આ વિકલ્પ ચંદ્રની બીજી અંધારી બાજુ જેવો છે. અત્યારે તો ચંદ્રની ઉજ્જવળ બાજુ પણ બીજના ચાંદ જેવી લગભગ પૂર્ણતઃ અંધકારમાં દબાઈ ચૂકેલી છે. ત્રણ વડાપ્રધાનો આવ્યા પછી કંઈક તેજ વધશે.</p>]]></content:encoded>
                
                                                            <category>Magazine: બક્ષીત્વ</category>
                                    

                <link>https://www.khabarchhe.com/magazine--%E0%AA%AC%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5/opposition-against-rajiv-gandhi/article-169718</link>
                <guid>https://www.khabarchhe.com/magazine--%E0%AA%AC%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5/opposition-against-rajiv-gandhi/article-169718</guid>
                <pubDate>Thu, 18 Jan 2018 17:32:24 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2018-01/1516276125rajiv-gandhi.jpg"                         length="199548"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[chandrakant-bakshi - (ચંદ્રકાંત બક્ષી)]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ચૂંટણીમાં રિંગિંગ અથવા ગોલમાલ : બંદૂક લઈને વોટ આપવા જવું પડશે?</title>
                                    <description><![CDATA[<p>વી.પી. ધ સિંહની જીત થઈ છે. કોંગ્રેસ અને વિપક્ષોની એક જીવલેણ દંગલ શરૂ થઈ ચૂકી છે. ડિસેમ્બર 1989ના અંત તરફ આખરી કશ્મકશ થઈ જશે. પણ એ પહેલાં હજી 11 લોકસભા અને 18 વિધાનસભાની સીટો માટે મુકાબલા બાકી છે. જંગનું નિશાન બંને તરફ ચડી ચૂક્યું છે! વી.પી., ધ સિંહ,ના વિજયે કેન્દ્રના પ્રધાનમંડળને જંકયાર્ડ બનાવી દીધું છે. તૂટેલા, ફાટેલા, ખખડેલા બગડેલા મુખ્ય પ્રધાનોનું કબાડખાનું કેન્દ્રમાં ખૂલી ગયું છે એવું લાગે છે. રાજ્યોનાં કબાડખાનું કેન્દ્રમાં ખૂલી ગયું છે એવું લાગે છે. રાજ્યોનાં કોંગ્રેસી ટોળાંઓમાં ભાગદોડ થઈ જાય એ સમજી શકાય એવું છે. દોઢ વર્ષ પછી નિર્વાચન આવી રહ્યું છે અને આ વખતનું મધ્યસત્ર</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/magazine--%E0%AA%AC%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5/an-article-on-election-by-chandrakant-bakshi/article-169717"><img src="https://www.khabarchhe.com/media/400/2018-01/1515677218vote.jpg" alt=""></a><br /><p>વી.પી. ધ સિંહની જીત થઈ છે. કોંગ્રેસ અને વિપક્ષોની એક જીવલેણ દંગલ શરૂ થઈ ચૂકી છે. ડિસેમ્બર 1989ના અંત તરફ આખરી કશ્મકશ થઈ જશે. પણ એ પહેલાં હજી 11 લોકસભા અને 18 વિધાનસભાની સીટો માટે મુકાબલા બાકી છે. જંગનું નિશાન બંને તરફ ચડી ચૂક્યું છે! વી.પી., ધ સિંહ,ના વિજયે કેન્દ્રના પ્રધાનમંડળને જંકયાર્ડ બનાવી દીધું છે. તૂટેલા, ફાટેલા, ખખડેલા બગડેલા મુખ્ય પ્રધાનોનું કબાડખાનું કેન્દ્રમાં ખૂલી ગયું છે એવું લાગે છે. રાજ્યોનાં કબાડખાનું કેન્દ્રમાં ખૂલી ગયું છે એવું લાગે છે. રાજ્યોનાં કોંગ્રેસી ટોળાંઓમાં ભાગદોડ થઈ જાય એ સમજી શકાય એવું છે. દોઢ વર્ષ પછી નિર્વાચન આવી રહ્યું છે અને આ વખતનું મધ્યસત્ર નિર્વાચન સત્તારૂઢ પક્ષનું એક નવું શસ્ત્ર બહાર લાવ્યું છે : રિંગિંગ અથવા ગોલમાલ! હવે જે ચૂંટણીઓ થશે એ માત્ર મતદાનથી નહીં જીતી શકાય, માત્ર ફેંકાફેંક પૈસાથી નહીં જીતી શકાય, દરેક પક્ષે પોતાના મસલમેન કે પહેલવાનો રાખવા પડશે અને નિર્વાચન થઈ ગયા પછી મતપેટીઓ પર ભરેલી બંદૂકો લઈને પહેરેગીરો ગોઠવવા પડશે. અલ્હાબાદમાં રાતભર જાગીને હજારો મતદાતાઓએ જે રીતે રક્ષણ કર્યું છે એમ રક્ષણ કરવું પડશે.</p>
<p>ફિલિપિન્સમાં માર્કોસે, બાંગ્લાદેશમાં ઈર્શાદે પાકિસ્તાનમાં ભુટ્ટોએ મોટા પાયે ગોલમાલ કરાવ્યો હતો. આ વખતે હિંદુસ્તાનમાં જૂન 1988ના મધ્યસત્ર ચનાવમાં જબરદસ્ત રિંગિંગ થયું છે. કોંગ્રેસના રક્ષા રાજ્યપ્રધાન સંતોષ મોહન દેવે કહ્યું કે અલ્હાબાદમાં વી.પી.સિંહે ગોલમાલ કરાવ્યો. મોટા ભાગે ગોલમાલ કરાવ્યો નહીં તો એ ફક્ત 20,000 વોટથી જ જીતી શકત! દેવના કહેવા પ્રમાણે સિંહના 70,000 વોટ રિંગિંગના વોટ હતા. કોંગ્રેસે આરોપ મૂક્યો કે ફરીદાબાદ અને તાઓરુમાં દેવીલાલના લોકદળે ગોલમાલ કર્યો છે. ઉધમપુરમાં વિપક્ષોના ભીમસિંહે કોંગ્રેસીઓ પર રિંગિંગના આરોપો મૂક્યા જે નિર્વાચન આયોગે સ્વીકારી લીધા. મધ્યપ્રદેશના ખરસિયામાં અર્જુનસિંહને એટલા બધા વોટ મળ્યા છે કે વિપક્ષોને ગોલમાલની વાસ આવ્યા કરે છે.</p>
<p>મધ્યપ્રદેશનું ખરસિયા, જ્યાં મુખ્યપ્રધાન અર્જુનસિંહ કોંગ્રેસી ઉમેદવાર હતાં. મતદાન થયું : 87.82 ટકા (અલ્હાબાદથી 18 ટકા વધારે). આ વિસ્તારમાં 51 ટકા પછાત વર્ગો, 29 ટકા આદિવાસીઓ, 12 ટકા હરિજનો છે. કુલ 95729 મતોમાંથી 84153 વોટ મતપેટીઓમાં પડ્યા! નિર્વાચન આયોગનો કાયદો છે કે જ્યાં 90 ટકા મતદાન થયા ત્યાં એ મતદાન ખોટું છે એમ સમજવું. 1972માં મતદાન 50 ટકા હતું. 1977ના જનતાપક્ષ જુવાળ વખતે મતદાન 55 ટકા હતું. 1984માં મતદાન 48 ટકા હતું. આ વખતે મધ્યસત્ર ચૂંટણી હોવા છતાં 88 ટકા મતદાન થયું! દક્ષિણ અમેરિકાના મિલિટરી શાસકો, સ્તાલિનનું રશિયા, જમાલ અબ્દેલ નાસરનું જિપ્ત, આફ્રિકાના જુલ્મી સરમુખત્યારો, નાઝી આપખુદોમાં મતદાનનું આવું પ્રમાણ હોય છે. પશ્ચિમ યુરોપ, ઇંગ્લેંડ, અમેરિકા જ્યાં આપણી જેમ મતદાતા માટે ફરજિયાત મતદાન નથી. 90 ટકા જેટલું મતદાન ક્યારેય થતું નથી! ઇંગ્લેન્ડ-અમેરિકા-યુરોપમાં પછાત વર્ગો, આદિવાસીઓ, હરિજનો નથી. કોઈ પછાત નથી. બધા જ અગ્રસર છે અને શિક્ષિતને જ મતાધિકાર છે.</p>
<p>1984માં કોંગ્રેસ 22000 વોટથી જીતી હતી, જ્યારે મતદાન 48 ટકા હતું. જ્યારે 1988માં કોંગ્રેસ ફક્ટ 9000 વોટથી જીતી છે જ્યારે મતદાન 88 ટકા થયું છે! જીવનમાં કોઈ પણ ઉંમર વિસ્મય માટે નાની નથી...! ખરસિયામાં આંગળી પર ટપકું કરવા માટેની શાહી બદલવામાં આવી હતી અને એ માટે કારણ અપાયું હતું કે પહેલાંની શાહીમાં દોષ હતો.</p>
<p>જમ્મુ અને કાશ્મીરનું ઉધમપુર, કોંગ્રેસના અય્યુબ ખાન વિરુદ્ધ વિપક્ષોના સંયુક્ત ઉમેદવાર ભીમસિંહ, નિર્વાચનના ગોલમાલો માટે કાશ્મીર પ્રથમથી જ બદનામ છે. ઉધમપુરમાં ભીમસિંહની 32000 વોટની સરસાઈ હતી. પછી બનિહાલ અને ગુલ-ગુલાબગઢ વિસ્તારોની મતગણતરી થઈ. ભીમસિંહની સરસાઈ ફક્ત 2229 વોટની રહી ગઈ અને 3523 વોટોની ગણતરી હજી બાકી હતી!</p>
<p>ઉધમપુર શાસક પક્ષના ચૂંટણી ગોલમાલનો અને ભવિષ્યના ભયસ્થાનનો એક પ્રતીક નમૂનો છે. ઉધમપુરમાં 50 ટકાથી ઓછું મતદાન થયું છે, પણઆ બે દૂર દૂર ફેંકાયેલા પર્વતીય વિસ્તારોમાં કોંગ્રેસી અય્યુબખાનને 91 ટકાથી વધારે વોટ મળે છે! એક કેન્દ્રમાં કુલ મતદાનનું 95 ટકા મતદાન કોંગ્રેસના પક્ષમાં જાય છે! એક મતપેટીમાં 300 મતપત્રકો સમાઈ શકે છે પણ ઉધમપુરમાં આ દૂરદરાઝના પહાડી ઈલાકાની એક મતપેટીમાં 1139 મતો નાખવામાં આવ્યા હતા. કોંગ્રેસી અય્યુબખાન માટેનો આ અગાધ જનપ્રેમ વૈજ્ઞાનિક તર્કથી સમજાવતો કઠિન છે, કારણ કે 1977નાં નિર્વાચનમાં આજ અય્યુબકાને અહીં પોતાની જમાનત ખોઈ હતી. વિધાનસભાની ચૂંટણી વખતે અહીંનું મતદાન 45 ટકા હતું. અન્યત્ર દરેક વિભાગમાં મતદાન 50 ટકાથી નીચે હતું અને ઘણાખરા મત ભીમસિંહને ગયા હતા. કોંગ્રેસના પક્ષમાં પડેલા ઘણા મતોની પાછળ રિટર્નિંગ ઑફિસરની સહી ન હતી. ભીમસિંહનો આગ્રહ હતો કે કાઉન્ટરફોઈલો નહીં બતાવો ત્યાં સુધી હું મતગણતરી નહીં થવા દઉં! એક સૂચક વાત એ હતી કે આ બે વિસ્તારોથી મતપેટીઓ ચૂંટણી પછી ત્રણ દિવસ બાદ ગણતરી કેન્દ્ર પર આવી હતી અને ગણતરી શરૂ થયે કલાકો વીતી ગયા પછી આ પેટીઓ પહોંચી હતી.</p>
<p>ચૂંટણી આયોગ અહીં અમુક વિસ્તારોમાં જ પુનઃનિર્વાચન કરાવવા માંગે છે જ્યારે ફરીદાબાદમાં 161 મતદાન કેન્દ્રોમાં પુનઃનિર્વાચન કરાવવાનું આગ્રહી છે. આ લખાય છે ત્યારે (જૂન 27, 1988) વિપક્ષો પુરા ઉધમપુર વિસ્તારમાં ફરીથી મતગણના માગે છે. ચૂંટણીમાં આયોગ કોંગ્રેસ તરફી ઝોક બતાવી રહ્યું છે એવો વિપક્ષોનો અભિયોગ અંશતઃ સાચો છે અને એ આ નિર્વાચનની કરુણતા છે, એક ખતરનાક કરુણતા છે. ભીમસિંહે કહ્યું છે, હું ગાંધીનો અનુયાયી નથી. હું નેતાજી સુભાષ બોઝનો અનુયાયી છું... જ્યારે તમે બેલટ (વોટ)થી નિર્ણય લાવવા માંગતા નથી તો પછી બુલેટ (બંદૂકની ગોળી) જ નિર્ણય લાવશે...</p>
<p>જ્યારે ચૂંટણી આયોગની વિશ્વસનીયતા ખતમ થવા લાગે, જ્યારે શાસકોને આટલા બધા ગોલમાલ કરવાની જરૂર પડી જાય ત્યારે લોકશાહી શબ્દ અર્થહીન નહીં પણ અનર્થહીન બની જવાનો ભય છે. આ વખતે કેટલીક ઘટનાઓ નોંધપત્ર છે. રાજીવ ગાંધી, બહાનાં બતાવીને પેટા ચૂંટણીઓ મોકૂફ રાખતા હતા. ઉત્તર ભારતમાં સખત ઠંડી છે. પછી સખત ગરમી હતી. પછી મુસ્લિમ ભાઈઓનો પવિત્ર રમજાન મહિનો આવી ગયો અને મુસ્લિમ ભાઈઓને મતદાનમાં કષ્ટ પડે માટે જાહેર કરેલી તારીખો ફેરવવામાં આવી. પછી સરકારી કર્મચારીઓની હડતાળની વાત આવી. અંતે ચોઘડિયું, વાર નીકળ્યાં. છેલ્લી ઘડીએ સસ્પેન્સ ફિલ્મની જેમ સુનીલ શાસ્ત્રી ગોઠવાયા અને બચ્ચન અમિતાભ રણભૂમિ છોડીને ભાગી છૂટ્યો. કોંગ્રેસના લગભગ બધા જ જવાબદાર નેતાઓએ વી.પી.સિંહ માટે લગભગ ગુંડાગર્દીની ભાષા વાપરી : દેશદ્રોહી, ટ્રેઈટર, મીરજાફર, દસ મોઢાવાળો રાવણ, દગાબાજનું ખૂન વગેરે વગેરે.</p>
<p>અલ્હાબાદનું નિર્વાચનમાં 68 ઉમેદવારો ઊભાહતા. જેમાંથી 65 અપક્ષ હતા. એક અપક્ષ હતા. એક અપક્ષ ઉમેદવાર રામ નિજહવાન પર 31મીં મેએ હુમલો કરવામાં આવ્યો. એ બચી ગયો. જો એ મરી ગયો હોત તો આખી પેટાચૂંટણીમાં મુલતવી રાખવી પડત. ‘ઑર્ગનાઈઝર’ સાપ્તાહિકમાં લાલકૃષ્ણ અડવાનીએ આ પ્રશ્નનું પૃથક્કરણ કર્યું છે. જો કોઈ એક ઉમેદવાર મરી જાય તો ચૂંટણીમાં વિલંબ કરી શકાય છે. 1985માં પંજાબની વિધાનસભા માટેની ચૂંટણી વખતે એક ઓર્ડિનન્સ કે અધ્યાદેશ જારી કરવામાં આવ્યો હતો. એ વખતે ત્રાસવાદીઓ ઉમેદવારોને ઉડાવી દેતા હતા. આ અધ્યાદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે અધિકૃત રાજકીય પક્ષોના ઉમેદવારોમાંથી જો કોઈની હત્યા થશે તો જ એ ચૂંટણી મોકૂફ રાખવામાં આવશે, પણ જો કોઈ અપક્ષ ઉમેદવારની હત્યા થશે તો એનાથી ચૂંટણીમાં વિલંબ નહીં થાય અને દરેક રાજકીય પક્ષના ઉમેદવારને સલામતી રક્ષકો આપવામાં આવ્યા હતા. પણ આ ઓર્ડિનન્સની અવધિ પૂરી થઈ પછી એને અખિલ ભારતીય ધોરણે સજીવ કરવા માટે કોઈ કાર્યવાહી થઈ નહીં.</p>
<p>કોંગ્રેસને ખબર પડી ગઈ હતી કે આ વખતે વી.પી.સિંહ અને વિપક્ષો જીતી જશે એટલે એક વાત વહેતી કરવામાં આવી કે કોઈપણ બાયઈલેકશન કે ઉપ-નિર્વાચન કે પેટાચૂંટણીમાં પ્રધાનમંત્રી ભાગ લેતા નથી અને પ્રવચનો આપતા નથી. આ નિયમના સમર્થનરૂપે રાજીવગાંધી રણભૂમિથી દૂર રહ્યા અને અલ્હાબાદ આવ્યા નહીં. પણ આ વાત તદ્દન સાચી નથી. 1972માં ગઢવાલમાં હેમવતી નંદન બહુગુણાનું નિર્વાચન થઈ ગયા પછી રદ થયું હતું અને પુનનિર્વાચન કરવું પડ્યું હતું. એ એક પેટાચૂંટણી હતી અને શ્રીમતી ગાંધીએ એ અલિખિત નિયમ તોડ્યો હતો અને એ ગઢવાલ જઈને પ્રવચનો કરી આવ્યાં હતાં. નહેરુ વંશ જે કરે છે એ કાયદો ચે. શ્રીમતી ગાંધી એમની રીતે અને રાજીવ ગાંધી એમની રીતે અર્થઘટન કરે છે.</p>
<p>કોંગ્રેસે આ પેટાચૂંટણીમાં એક નવું પ્રતિમાન સ્થાપ્યું. અલ્હાબાદના નિર્વાચનની લગભગ પૂર્વસંધ્યાએ એમનાં પાળેલાં પત્રોમાં લોકમત કોના પક્ષમાં છે એના વરતારા છાપવા માંડ્યા. જૂન 12ના ‘સન્ડે’માં અને જૂન 16ના ‘ટેલિગ્રાફ’માં આગાહીઓ પ્રકટ થઈ ગઈ : વી.પી. સિંહ બહુ જ પાછળ છે... હારી જશે... સુનીલ શાસ્ત્રી આગળ છે... જીતી જશે! આ આગાહીઓ દિલ્હીથી ફીડ કરવામાં આવી હતી. કારણ કે પાળેલા કોંગ્રેસી તંત્રીઓમાં એમ.જે.અકબરનો નંબર ઉપર છે. આ દેશમાં સરકારી તંત્રીઓ અને સરકારી પત્રકારો દરેક ભાષામાં છે, રાજીવ ગાંધીના ખવાસ તરીકે પાછળ પાછળ ફરનારા ગુજરાતી તંત્રીઓ-પત્રકારોની કલમ માટેની નમકહલાલી કે નમકહરામી એ બીજો વિષય છે. પણ આ આવું અભિયાન એવી હવા ઊભી કરવા માટે થયું હતું કે કોંગ્રેસનો સિતારો અલ્હાબાદમાં તેજ છે અને વૈજ્ઞાનિક મતગણના અથવા પેલના લિબાસમાં આ બધું પેશ કરવામાં આવ્યું હતું.</p>
<p>વિનાશકાળે વિપરીત બુદ્ધિવાળો શ્લોક આવા પ્રસંગો માટે લખાયો હશે? અલ્હાબાદને 80 કરોડ ઑફર થયા. પ્રલોભનો, અનુદાનો, લહાણીઓ, સખાવતો, દક્ષિણાઓ દસે હાથોથી દસે દિશાઓમાં ફેંકવામાં આવ્યા. રાજસ્થાનમાં અકાલગ્રસ્ત વિસ્તારના 60,000 મજદૂરોને એકાએક જૂના પગારો એકસાથે અપાઈ ગયા. બીજા 16,000 મજદૂરોને જૂન 30 સુધીની મજૂરીના પૈસા એડવાન્સમાં આપી દીધા. આખું ઉત્તર પ્રદેશનું પ્રધાનમંડળ અને 15 કેન્દ્રીય પ્રધાનોની ફોજ વી.પી.સિંહને ઝબ્બે કરવા છૂટી ગઈ, લગભગ ધામા નાખીને પ્રયાગના તીર્થસ્થાનમાં બેસી ગઈ. બુડાપેસ્ટમાં રાજીવ ગાંધી કહ્યું કે ગમે તે કિંમતે... અલ્હાબાદ જીતીશું!</p>
<p>‘ગમે તે કિંમતે એટલે’? ટેલિવિઝનની નૌટંકી ‘રામાયણ’ના રામ, નટ અરુણ ગોવિલને છોડી મૂકવામાં આવ્યો. કોંગ્રેસી લીડર અશોક બાજપાયીએ કહ્યું : આ ધર્મયુદ્ધ છે, રામ અને મૌલાના રાજ બબ્બર વચ્ચે (રાજ બબ્બરની પત્ની નદિરા મુસ્લિમ છે કે હતી. હિન્દી ફિલ્મી નટોની લેટેસ્ટ ધર્મપત્ની કે અધર્મપત્ની કોણ છે એનો ટ્રેક-રેકર્ડ રાખવા માટે મિલ્ખા સિંઘ કે પી.ટી. ઉષા જેટલી ઝડપ જોઈએ!) બીજી તરફ નામીચા તમંચાબાજ ગુંડાઓને છોડવામાં આવ્યા. ઉત્તર પ્રદેશનો એક હૂડ (અમેરિકન શબ્દ, ગુંડા માટે અમેરિકનો કોમિક શબ્દો વાપરે છે : હૂડ ! અથવા ગુન ! કદાચ આ ‘ગુન’ શબ્દ આપણે ત્યાંથી એક્સપોર્ટ થયો છે, ગુન્ડા પરથી.) ... હા, તો આ હૂડ મુખલ મહારાજ મતદાન કેન્દ્રો કબજે કરવાનો એક્સપર્ટ હતો. એક પત્રે વર્ણ કર્યું છે : હૂડ મુખલ અને એના ગુન્સ બંદૂકો – તમંચાઓ લઈને આવ્યા. પોલિંગ એજન્ટ ભાગ્યા. હવામાં વાર થયા, પુલિસ ભાગ્યા, મતદાતાઓ ભાગ્યા, ફક્ત પોલિંગ ઑફિસરને ગુન્સે રોકી રાખ્યો (મતપત્રકોની પાછળ એ મૂઆની સહી જોઈએ). થપ્પા પડ્યા, મતપેટી ભરાઈ ગઈ, હૂડ એની ગેંગ લઈને જીપોમાં ભાગી ગયો, પછી બધા પાછા આવ્યા, ખેલ પતી ગયો. પણ એ પછી કોઈ જ મતદાતા મત નાખવા આવ્યો નહીં ! ભયનું વાતાવરણ સ્ત્રી-મતદાતાઓને સૌ પ્રથમ ભગાડી મૂકે છે.</p>
<p>ભારતીય લોકશાહીનું આ બહુ મોટું યોગદાન છે. એને બુથ-કેપ્ચરિંગ અથવા મતદાન કેન્દ્ર કબજો કહેવાય છે!</p>
<p>અને આ બધું થઈ ગયા પછી પણ મતદાન કેન્દ્રો પર મતપેટીઓની હિફાઝત કરતા જાગતા રહેવું પડે છે. ભરેલી પેટીઓ બદલાઈ ન જાય એ વિશે સતર્ક રહેવું પડે છે. મધ્યપ્રદેશમાં ભાજપના નેતા પટવા મતદાન થયા પછી નિરાંતથી પાછા ઘરે આવી ગયા હતા, જ્યારે અર્જુનસિંહ ત્યાં જ રહ્યા હતા. વી.પી.સિંહે પોતાની સહી અલગ અલગ ભાષાઓમાં કરીને, નંબરવાર પર્ચી દરેક પેટીમાં છૂપી રીતે નખાવ્યા હતા. જો એ પર્ચી મળે તો જ સમજવું કે પેટી બદલાઈ નથી.એ પેટીનું સીલ કોઈ તોડી ન નાખે માટે દરેક પેટીને એક રૂપિયાની નોટ ચોંટાડી બંધ કરી હતી! એક રૂપિયાની એક જ નંબરવાળી એક જ નોટ હોય અને એ નંબર વી.પી.સિંહના માણસોએ લખી રાખ્યા હતા એટલે એને બદલે બીજી નોટથી પેટી સીલ કરી શકાય નહીં.</p>
<p>આ નિર્વાચન જેટલું ગોલમાલિયું નિર્વાચન કદાચ આપણે જોયું નથી. હજી દોઢ વર્ષ છે. નવું શીખવા માટે પર્યાપ્ત સમય છે. હમણાં તો એક જ ગીત ગાવાનું છે : કૌન જીતા, કૌન હારા, યહ કહાની ફિર કભી...</p>]]></content:encoded>
                
                                                            <category>Magazine: બક્ષીત્વ</category>
                                    

                <link>https://www.khabarchhe.com/magazine--%E0%AA%AC%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5/an-article-on-election-by-chandrakant-bakshi/article-169717</link>
                <guid>https://www.khabarchhe.com/magazine--%E0%AA%AC%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5/an-article-on-election-by-chandrakant-bakshi/article-169717</guid>
                <pubDate>Thu, 11 Jan 2018 19:09:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2018-01/1515677218vote.jpg"                         length="149700"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[chandrakant-bakshi - (ચંદ્રકાંત બક્ષી)]]></dc:creator>
                            </item>
            <item>
                <title>સંસદસંહિતા : પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિને કેટલું મળવું જોઈએ?</title>
                                    <description><![CDATA[<p>ભારતવર્ષમાં સંવિધાન છે અને સંવિધાનના નિયમો પ્રમાણે રાષ્ટ્રપતિથી રામરુચિરાય દરવાન સુધી દરેક સરકારી માણસ અથવા સંસદથી સહકારી બેંક સુધી દરેક સંસ્થાને એના અધિકાર અને દાયિત્વો નિયત કરેલાં છે. કોઈ ને અબાધિત કે એબ્સોલ્યુટ અધિકાર નથી. દરેક અધિકાર લેખિત અથવા / અને મર્યાદાબદ્ધ છે. જ્યાં અધિકાર લેખિત નથી ત્યાં પારંપરિક કે પ્રણાલિકાગત છે. રાજીવગાંધી-પ્રધાનમંત્રીએ ઝૈલસિંહ-રાષ્ટ્રપતિને ક્યારે અને કેટલી વાર મળવું જોઈએ? રાજીવ ગાંધી દિવસો, અઠવાડિયાંઓ, મહિનાઓ સુધી ઝૈલસિંહને મળ્યા ન હતા અને સંસદ સામે જૂઠ્ઠું વિધાન કહ્યું હતું કે દરેક મહત્વપૂર્ણ તબક્કે એ રાષ્ટ્રપતિને મળતા રહ્યા છે! બીજી લોકશાહીમાં અને હિંદુસ્તાની લોકશાહીમાં ફર્ક છે. બીજે લોકો શાહ છે. લોકો શહેનશાહછે અને</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/magazine--%E0%AA%AC%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5/how-much-pm-should-meet-president/article-169716"><img src="https://www.khabarchhe.com/media/400/2018-01/1515071085rashtrapati-bhavan.jpg" alt=""></a><br /><p>ભારતવર્ષમાં સંવિધાન છે અને સંવિધાનના નિયમો પ્રમાણે રાષ્ટ્રપતિથી રામરુચિરાય દરવાન સુધી દરેક સરકારી માણસ અથવા સંસદથી સહકારી બેંક સુધી દરેક સંસ્થાને એના અધિકાર અને દાયિત્વો નિયત કરેલાં છે. કોઈ ને અબાધિત કે એબ્સોલ્યુટ અધિકાર નથી. દરેક અધિકાર લેખિત અથવા / અને મર્યાદાબદ્ધ છે. જ્યાં અધિકાર લેખિત નથી ત્યાં પારંપરિક કે પ્રણાલિકાગત છે. રાજીવગાંધી-પ્રધાનમંત્રીએ ઝૈલસિંહ-રાષ્ટ્રપતિને ક્યારે અને કેટલી વાર મળવું જોઈએ? રાજીવ ગાંધી દિવસો, અઠવાડિયાંઓ, મહિનાઓ સુધી ઝૈલસિંહને મળ્યા ન હતા અને સંસદ સામે જૂઠ્ઠું વિધાન કહ્યું હતું કે દરેક મહત્વપૂર્ણ તબક્કે એ રાષ્ટ્રપતિને મળતા રહ્યા છે! બીજી લોકશાહીમાં અને હિંદુસ્તાની લોકશાહીમાં ફર્ક છે. બીજે લોકો શાહ છે. લોકો શહેનશાહછે અને અહીં શાહ-શહેનશાહલોકોની એક જાગીરદારી જાતિ છે. ગીતાના ઉચ્ચતમ આદર્શની જેમ એમને શસ્ત્રો છેદી શકતાં નથી, અગ્નિ બાળી શકતો નથી, વાયુ સૂકવી શકતો નથી. લોકો ભારતવર્ષમાં દર પાંચ વર્ષે મળતો મતદાનોન લોલીપોપ મમળાવ્યા કરે છે. એક ફ્રેંચ કૂટનીતિજ્ઞે ઈંગ્લેન્ડની મતદાનપ્રથા પર તેજાબી ટિપ્પણી કરતાં કહ્યું હતું : ઇંગ્લેન્ડની પ્રજાને દર પાંચ વર્ષે એક આઝાદી મળે છે એ નક્કી કરવાની કે આવતાં પાંચ પર્ષોમાં કોની ગુલામી કરવી?</p>
<p>ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી હેરોલ્ડ વિલ્સને એપ્રિલ 1976માં એકાએક પ્રધાનમંત્રી પદ છોડી દીધું ત્યારે જગતભરમાં આશ્ચર્યની લાગણી ફેલાઈ ગઈ હતી. સંસદમાં બહુમતી હોય એ પ્રધાનમંત્રી શા માટે સ્વૈચ્છિક સત્તાત્યાગ કરે? વિલ્સને ઉત્તર આપ્યો... કારણ કે મને 60 વર્ષ પૂર્ણ થઈ ગયાં છે! એટલે માટે કાર્યભાર છોડવો જોઈએ... આ મહાન ભારતવર્ષમાં દિવસમાં બે ડઝન વાર વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમની દંભી અને જૂઠી વાતો કરનારા એક પણ ધર્મનેતા, રાજનેતા, સમાજનેતાએ હજી સુધી આ કારણે પોતાની ખુરશી કે પીઠિકા કે આસન કે સિંહાસન છોડ્યાં નથી. સંવિધાનમાં પણ એ વિશે ક્યાંય લખ્યું નથી. પણ ઘોર અનીતિમાં ખદબદતા વિકૃત પશ્ચિમી પરિવેશમાં આને કદાચ નીતિ કહેતા હશે...! અહીં પાંચમાંથી ત્રણ પ્રધાનમંત્રી સત્તા પર હતા ત્યારે મર્યા છે.</p>
<p>હેરૉલ્ડ વિલ્સને પદત્યાગ પછી તરત જ એક પુસ્તક પ્રકટ કર્યું : ‘ધ ગવર્નન્સ ઑફ બ્રિટન!’ પૂરાં સાત વર્ષ ને નવ માસ સુદી બ્રિટનના પ્રધાનમંત્રી રહેનાર વિલ્સન વીસમી સદીમાં સૌથી લાંબો સમય રહેલા પ્રધાનમંત્રી હતા (હવે શ્રીમતી થેચરે એમનો રેકર્ડ તોડ્યો છે.) એમણે પ્રધાનમંત્રી અને રાણી એલિઝાબેથની મુલાકાત વિશે આ પુસ્તકમાં લખ્યું છે. ઇંગ્લેન્ડમાં લેખિત સંવિધાન નથી પણ એક પરંપરા જન્મી ચૂકી છે. પ્રદાનમંત્રીઓ રાણીને ક્યારે અને કેટલી વાર મળવું જોઈએ? ભારતવર્ષમાં રાજીવ ગાંધી અર્થઘટન કરે એ જ કાયદો છે પણ ઇંગ્લેન્ડમાં એવું નથી. ‘ટાઈમ’ના લંડન બ્યૂરોના અધ્યક્ષને આ વિશે વિશેષ માહિતી આપતાં વિલ્સને કહ્યું :  દરેક સપ્તાહે તમારે મહારાણીને મળવાનું હોય છે અને એ મિટિંગ એકાદ કલાક જેટલી ચાલતી હોય છે. ક્યારેક એ તમને ચીત કરી નાખે છે. મારા પ્રધાનમંત્રી પદના આરંભના વર્ષમાં એક વાર એવું થયું હતું. મહારાણીએ એક કેબિનેટ કમિટી પેપર વિશે મને પૂછ્યું જે આગલી રાતે વાંચી ગઈ હતી અને હું શનિ-રવિની વીકએન્ડ રજાઓમાં વાંચવાનો વિચાર કરતો હતો. મારી હાલત પરીક્ષામાં ફેલ થઈ ગયેલા છોકરા જેવી થઈ ગઈ...</p>
<p>ઇંગ્લેન્ડની રાણીને આપણા ગ્યાની ઝૈલસિંહની જેમ કોઈ ત્રીસ-ચાળીસ કરોડ રૂપિયા આપવા આવતું નથી. આપણા ગ્યાની હિન્દી કે અંગ્રેજીના ભાષાજ્ઞાન વિનાના નિર્દોષ જ્ઞાની હતા અને આપણા રાજીવજી દર અઠવાડિયે એક કલાક દરબારે-ગ્યાનીમાં જાય નહીં. એમની વાત જુદી છે, આપણી વાત જુદી છે.</p>
<p>પણ સંસદની આપણી પ્રણાલી આપણે ઇંગ્લેન્ડમાંથી લીધી છે. લંડનમાં પાર્લમેન્ટમાં મકાનો સામે હું ઊભો હતો ત્યારે એક ઝણઝણાટી પસાર થઈ ગઈ હતી. થોડાં વર્ષો મેં મુંબઈ વિશ્વવિદ્યાલયમાં ‘ઇંગ્લિશ કૉન્ટિસ્ટટ્યૂશનલ હિસ્ટરી’ વિ,ય એમ.એ.ના વિદ્યાર્થીઓને ભણાવ્યો હતો. સામે એ જ મકાનો હતાં જેની અંદર નવસો વર્ષનો ઈતિહાસ હતો. જેની આપણા પર અમીટ અસર પડી છે. આની સંસદીય ભાષા આપણે લઈ આવ્યા છીએ. આ ‘મધર ઑફ પાર્લમેન્ટસ’ હતી, જગતભરની સંસદોની પ્રેરણા! અને મને જાણવા મળ્યું કે ગમે તે વ્યક્તિ લંડનમાં પાર્લમેન્ટની બહાર દર્શકોની કતારમાં ઊભી રહી શકે છે. એક નાની અનુમતિ ટિકિટ લઈ અંદર જઈ ને બેસી શકે છે. લોકશાહી ને જોઈ શકે છે. કોઈની ઓળકાણની જરૂર નથી. વિદેસી પણ પાસપોર્ટ બતાવીને સહેલાઈથી પ્રવેશ મેળવી શકે છે. ભારતવર્ષમાં ગુજરાતના ગાંધીનગરની વિધાનસબામાં પ્રવેશ માટે પાસ મેળવવો પડે છે જે કોઈ વધાનસભ્યની મંજૂરીની જ મળી શકે છે. ગમે તે આલતુ-ફાલતુ નાગરિક વિધાનસભામાં ઇંગ્લિશન પાર્લમેન્ટની જેમ પ્રવેશ મેળવી શકાતો નથી. વિધાનસભાની અંદર બેઠા પછી (અને તમને અડધો કલાક જ બેસવાની રજા મળે છે) જો પગ પર પગ ચડાવો તો ત્યાંનો સંત્રી ઈશારાથી ધમકાવે છે, પગ નીચો કરવા ઑર્ડર આપે છે. પગ પર પગ ચડાવવો એ જેમ કોર્ટમાં હાકેમનું અપમાન છે એમ જ વિધાનસભાનું અપમાન છે. તમે વિધાનસભામાં બેઠા છો, ડિસન્સી, ડેકોરમ, એટિકેટ, સભ્તા, સૌજન્ય... કંઈ જ સમજતા નથી?</p>
<p>ઇંગ્લેન્ડમાં પાર્લમેન્ટના મકાનમાં પ્રેવશ કરવો હોય તો જોવાનું કે ઇંગ્લેન્ડનો યુનિયન જેક ધ્વજ ઉપર લહરાઈ રહ્યો છે કે નહીં. જો ધ્વજ ફરકતો હોય તો પાર્લમેન્ટ સેશનમાં છે. ન હોય તો રજા છે. એટલે બહારથી ખબર પડી જાય છે કે પાર્લમેન્ટ ચાલી રહી છે કે નહીં. આપણે ત્યાં ગાંધીનગરમાં કેન્ટીનમાં ચોકરાંને જલેબી-ગાંઠિયાનો ઑર્ડર આપતી વખતે પૂછી લેવાનું : ‘પોરિયા! આજકાલ સરકાર ચાલે છે કે?’ અને પોરિયો જો ઉત્તર આપે કે ‘હોવે...!’ તો પછી કોઈ ધારાસભ્યની આરાધના કરવાની.</p>
<p>ભારતવર્ષની સંસદ અને વિધાનસભાઓને વચ્ચે વચ્ચે સભ્યો માટે સૂચનાઓ આપતા રહેવું પડે છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં એક વાર શિક્ષા-રાજ્યમંત્રી જાવેદખાનને સ્પીકરે ધમકાવ્યા હતા : “માહિતી છુપાવવાની નહીં!” યુ.જી.સી. તરફથી એમને એક પત્ર મળ્યો હતો અને એમણે ધારાસભાને કહ્યું કે એ પત્ર મળ્યો નથી! એક વાર અર્થમંત્રી સુશીલકુમાર શિંદેએ કહ્યું : ‘પ્રશ્નોનો સમય પૂરો થઈ ગયો.’ ઊભા થઈ ગયા અને ચાલવા માંડ્યા. જ્યારે સ્પીકરે બિચારા એજન્ડાનો બીજો મુદ્દો વાંચી રહ્યા હતા. સ્પીકર ફરીથી બગડ્યા : ‘ક્વેશ્ચન અવર કે પ્રશ્નસમય પૂરો થઈ ગયો છે એ જાહેર કરવાનું કામ મંત્રીનું નથી!’</p>
<p>આપણી સંસદમાં રાજીવરાજમાં અભૂતપૂર્વ દૃશ્યો સર્જાયાં છે. પ્રધાનમંત્રી પાટલી પીટતા હતા. એકવાર પ્રધાનમંત્રીએ કહ્યું કે વિરોધ પક્ષો જૂઠું જ બોલ્યા કરે છે. પછી આ શબ્દ સ્પીકર રેકર્ડમાંથી કાઢી નાખ્યો. દેશના પ્રધાનમંત્રી સંસદમાં અસંસદીય ભાષા વાપરે અને એ રેકર્ડમાંથી કાઢી નાખવી પડે એવું સ્વતંત્ર ભારતવર્ષના ઈતિહાસમાં પ્રથમ વાર બન્યું છે. સંસદમાં જ્યારે પણ કોઈ સભ્ય પ્રથમવાર બોલવા ઊભો થાય ત્યારે એને વિક્ષેપ પાડવામાં આવતો નથી અને એને બોલવા પર સમયબંધન હોતું નથી. ઇંગ્લેન્ડમાં એકકાલીન વડાપ્રધાન હેરોલ્ડ મેક્-મિલન જ્યારે હાઉસ ઑફ લોર્ડઝમાં નિમાયા અને એ બોલવા ઊભા થયા ત્યારે બધા જ સદસ્યોએ એમને શાંતિથી સાંભળ્યા. કોઈએ એક પણ વિક્ષેપ પાડ્યો નહીં. આ સંસદીય પ્રણાલિકા છે. આપણે ત્યાં રાજ્યસભામાં રામ જેઠમલાણીની નિયુક્તિ પછી પ્રથમ વાર બોલવા ઊભા થયા ત્યારે કોંગ્રેસી સભ્યોએ ચીસાચીસ, ચિલ્લાચિલ્લી, ધાંધલ કરી મૂકી. થોડા સમય પૂર્વે મુંબઈના સંસદસભ્ય ડૉ. દત્તા સામંતને એક ઉપાધ્યક્ષે સદનની બહાર જવાનો આદેશ આપ્યો હતો. એક કલાક પછી દત્તાજી ચેમ્બરમાં પાછા આવીને ખુરશીમાં બેસી ગયેલા નજરે પડ્યા. ઉપાધ્યક્ષે સમજાવ્યું કે તમને બહાર જવાનું કહ્યું એટલે તમારે બહાર જ રહેવાનું! દત્તાજીએ પૂછ્યું : ‘આખો દિવસ બહાર રહેવાનું?’ ઉપાધ્યક્ષ મહોદયે કહ્યું : ‘હા, આખો દિવસ!’</p>
<p>સંસદમાં ટેલિવિઝન મુકાવું જોઈએ એવા તર્ક રાજ્યસભાના ભૂતપૂર્વ ચેરમેન હિદાયતુલ્લાહે કર્યો હતો. કહે છે કે મચ્છીબજારની યાદ આવી જાય એવા દૃશ્યો ઘણી વાર સર્જાય છે. જો સભ્યોનું કોરમ થઈ ગયું હોય અને સભ્યો આવ્યા હોય તો એપ્રિલ 1987નો એક નાનો સાંસદીય પ્રસંગ થોડો પ્રકાશ ફેંકી શકે છે. લોકસભાના ઉપાધ્યક્ષ થાંબીદુરૈ હતા. એ 1985માં ચૂંટાયા હતા ત્યારે ફક્ત 36 વર્ષના હતા. લોકસભાના નાનામાં નાના ઉપાધ્યક્ષ તરીકે એમનો રેકર્ડ છે.</p>
<p>સ્પીકર બલરામ જાખડે બૉફર્સની કોઈ જ ચર્ચા લોકસબામાં કરવા દીધી નથી એ જાહેર છે. પણ ડેપ્યુટી સ્પીકર થાંબી દુરૈ ક કદમ આગળ છે. બૉફર્સ બખડ-જંતર ઊઘડી રહ્યું હતું અને સંસદસભ્ય કિશોરચંદ્ર દેવે રાજીવ ગાંધી વિશે એક સંપૂર્ણતઃ સાંસદીય ટીકા કરી જે વાસ્તવમાં એવી ગંભીર પણ ન હતી. રાજીવજીએ કહ્યું : ‘સાબિત કરો, નહીં તો માફી માગો!’ કોંગ્રેસી સંસદસભ્યોને સંકેત મળી ગયો. ચીસાચીસ થઈ ગઈ. ઉપાધ્યક્ષ થાંબીદુરૈએ એ ટીકા રેકર્ડમાંથી કાઢી નાખી. થોડી વાર પછી ઉપાધ્યક્ષ મહોદયે કેશવચંદ્ર દેવને કહ્યું કે તમારી ટીકા પાછી ખેંચો! થોડા બુદ્ધિમાન સંસદસભ્યોએ ઉપાધ્યક્ષને સમજાવ્યું કે જે ટીકા રેકર્ડમાં જ લેવાઈ નથી એને પાછી ખેંચવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.</p>
<p>સાંસદ કિશોરચંદ્ર દેવે કહ્યું કે આવી ગતિવિધિઓથી હું ગભરાવાનો નથી. મેં જે કહ્યું છે એ બરાબર છે અને ઉપાધ્યક્ષ થાંબી દુરૈ ફરીથી ત્રાટક્યા : ‘ટીકા પાછી ખેંચો. માફી માગો.’ (જે ટીકા રેકર્ડમાં જ ન હતી એ વિશે આ બધી ધમાલ હતી!) એ ટીકા માટે ઉપાધ્યક્ષે કિશોરચંદ્ર દેવને એક દિવસ માટે કાઢી મૂક્યા.</p>
<p>એ પછી એક કોંગ્રેસી મંત્રી બોલતા ગયા અને એક પણ વિરોધી નેતાને બોલવા દેવાય નહીં. સરકારી મંત્રીઓ તરફથી સૂચનો પર સૂચનો આવતાં ગયાં. થાંબી દુરૈ સાંભળતા ગયા. વિરોધી નેતાઓને સૂચનો પણ એમણે આપવા દીધાં નહીં. છેવટે ઉપાધ્યક્ષ પર કાગલના ડૂચા, સાંભળવાનાં યંત્રો (ઈયરફોન) પેંકાયાં. ફક્ત એક જ વ્યક્તિએ સભ્યતા રાખી : કિશોરચંદ્ર દેવે! એ ઊભા રહ્યા, એમનો વારો આવ્યો ત્યારે જ બોલ્યા અને અસભ્યતા માટે એમને કાઢી મૂકવામાં આવ્યાં!</p>
<p>વિધાનસભા કે સંસદના ધારાધોરણ નિશ્ચિત હોય છે. થોડા સમય પર ફિલ્મી નટ રાજેશ ખન્ના વિશે ઉહાપોહથયો હતો. નટ ખન્ના વિધાનસભામાં ઘૂસી ગયેલા. પી.ડબલ્યુ. પી. પક્ષના કેશવરામ ધોંડગેએ કહ્યું : ‘આ થિયેટર નતી કે ગમે તે નટ ઘૂસી જાય અને જે ગમે તે અદાકારી કરી નાખે. એક ગરીબ ખેડૂતને જો પોતાના પ્રતિનિધિને મળવું હોય તો વિધાનસભામાં ઘૂસવા માટે પ્રવેશ પાસ કઢાવવો પડે છે...’ વિધાનસભા ચાલતી હતી ત્યારે વિધાનસભાના પરિસરમાં જ ખન્નાએ એક પત્રકાર પરિષદ ભરી હતી... જે દિવસે ખન્ના વિધાનસભાભવનમાં ઘૂસ્યો હતો તે દિવસે એના નામો કોઈ પાસ ફાડવામાં આવ્યો ન હતો.</p>
<p>સંવિધાન છે, ધારાધોરણો છે. નિયમમર્યાદાઓ છે, અધિકારો છે અને દાયિત્વો છે. એક ‘પાર્લમેન્ટરી પ્રોસિડ્યોર’ નામની વસ્તુ છે – સંસદસંહિતા ! પણ રાજીવરાજમાં સંસદ પણ કોંગ્રેસના અધિવેશન જેવી કેમ લાગતી રહે છે?...</p>]]></content:encoded>
                
                                                            <category>Magazine: બક્ષીત્વ</category>
                                    

                <link>https://www.khabarchhe.com/magazine--%E0%AA%AC%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5/how-much-pm-should-meet-president/article-169716</link>
                <guid>https://www.khabarchhe.com/magazine--%E0%AA%AC%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5/how-much-pm-should-meet-president/article-169716</guid>
                <pubDate>Thu, 04 Jan 2018 19:06:15 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2018-01/1515071085rashtrapati-bhavan.jpg"                         length="300828"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[chandrakant-bakshi - (ચંદ્રકાંત બક્ષી)]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ગંગા મેરી મા કા નામ</title>
                                    <description><![CDATA[<p>હિંદુસ્તાનનો ઈતિહાસ ભણાવાય છે, પણ એ રસરુચિથી હિંદુસ્તાનની ભૂગોળ ભણાવાતી નથી અને વિદ્વાનો માને છે કે દરેક દેશના ઇતિહાસની પાછળ એની ભૂગોળ રહેલી છે. ભૂગોળ વિના કોઈ ઇતિહાસ નથી, કોઈ ઇતિહાસ સંભવ નથી. ભૂગોળ એટલે મુખ્યતઃ પર્વતો અને નદીઓ, અને હિંદુસ્તાનમાં બે જ નામો છે : હિમાલય અને ગંગા! મારે માટે હિમાલય અને ગંગા સિવાયનું કોઈ ભારતવર્ષ નથી. પર્વતોને લીધે ઘણીવાર ઇતિહાસ કરવટ બદલતા હોય છે. પણ સંસ્કૃતિઓ નદીઓના કિનારાઓ પર અને નદીઓની ઘાટીઓમાં જન્મતી અને પનપતી હોય છે. આપણો ઇતિહાસ ‘ઈન્ડસ વેલી સિવિલાઈઝેશન’ અથવા સિંધુ-સંસ્કૃતિથી શરૂ થાય છે અને રશિયન ઇતિહાસકારો જેને ‘ગંગા વેલી સિવિલાઈઝેશન’ કહે છે એ ગંગા-સંસ્કૃતિથી</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/magazine--%E0%AA%AC%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5/an-article-on-river-ganga/article-169715"><img src="https://www.khabarchhe.com/media/400/2017-12/1514469792ganga.jpg" alt=""></a><br /><p>હિંદુસ્તાનનો ઈતિહાસ ભણાવાય છે, પણ એ રસરુચિથી હિંદુસ્તાનની ભૂગોળ ભણાવાતી નથી અને વિદ્વાનો માને છે કે દરેક દેશના ઇતિહાસની પાછળ એની ભૂગોળ રહેલી છે. ભૂગોળ વિના કોઈ ઇતિહાસ નથી, કોઈ ઇતિહાસ સંભવ નથી. ભૂગોળ એટલે મુખ્યતઃ પર્વતો અને નદીઓ, અને હિંદુસ્તાનમાં બે જ નામો છે : હિમાલય અને ગંગા! મારે માટે હિમાલય અને ગંગા સિવાયનું કોઈ ભારતવર્ષ નથી. પર્વતોને લીધે ઘણીવાર ઇતિહાસ કરવટ બદલતા હોય છે. પણ સંસ્કૃતિઓ નદીઓના કિનારાઓ પર અને નદીઓની ઘાટીઓમાં જન્મતી અને પનપતી હોય છે. આપણો ઇતિહાસ ‘ઈન્ડસ વેલી સિવિલાઈઝેશન’ અથવા સિંધુ-સંસ્કૃતિથી શરૂ થાય છે અને રશિયન ઇતિહાસકારો જેને ‘ગંગા વેલી સિવિલાઈઝેશન’ કહે છે એ ગંગા-સંસ્કૃતિથી ફેલાઈ જાય છે.</p>
<p>ગંગા અને હિમાલય હિંદુત્વના પર્યાય છે. જેને હિંદુસ્તાનમાં ગંગા અને હિમાલય માટે પણ આદર નથી, ઉદાસીનતા છે, અથવા નફરત છે એ મારી આંખોમાં નમકદ્રોહી છે, નમકહરામી છે. સંસ્કૃતમાં પહાડોની હારમાળાને માટે પર્વત શબ્દ વપરાય છે. પર્વત પુરુષ છે, નદી સ્ત્રી છે, પર્વત અચલ છે, નદી ચંચલ અને ચલાચલ છે, પર્વતનો એક જ મિજાજ હોય છે, નદી મૂડ બદલતી રહે છે. આપણી સંસ્કૃતિ અથવા સંસ્કૃતિઓ નદીઓને કિનારે કિનારે વિકસી છે.</p>
<p>હિંદુસ્તાનની ભૌગોલિક પૃષ્ઠભૂમિવાળો નકશો મળવો મુશ્કેલ છે, અને સ્કૂલોમાં એ સમજાવવાની વ્યવસ્થા પણ હોતી નથી. પૂરા ઉત્તરમાં ગંગા અને યમુનાનું સપાટ, સમતલ મેદાન છે. પછી નીચે વિન્ધ્ય પર્વતમાળા ઊપસી આવે છે, નીચે સાતપુડાની હારમાળા છે, અને એ જ વૃત્ત પર છોટા નાગપુરનો પ્લેટો કે સમતલ ઊંચું આવે છે. હિંદુસ્તાનની ભૂગોળ અહીંથી બદલાય છે અને પૂરું દક્ષિણ ભારત ઉત્તર ભારત કરતાં ઊંચું થાય છે, અંગ્રેજ ભૌગોલિકોએ આને માટે શબ્દ આપ્યો છે : ડેકન પ્લેટો! ઉત્તર નીચું છે, દક્ષિણ ઊંચું છે. બે તરફ પશ્ચિમઘાટ અને પૂર્વઘાટ છે. વચ્ચે અરાવલી કે નીલગિરિ જેવી લગભગ સ્થાનિક પર્વતરેખાઓ છે.</p>
<p>પણ ડેકન પ્લેટો ઉત્તરની ભૂમિ કરતાં ઊંચો છે માટે નદીઓના પ્રવાહો જરા વિચિત્ર રીતે વહ્યા છે! નર્મદા અને તાપી નદીઓ પૂર્વના છોટા નાગપુર પ્લેટોમાંથી નીકળીને મધ્યપ્રદેશ ઓળંગીને ગુજરાતમાં થઈને પશ્ચિમના અરબી સમુદ્રમાં પડે છે, આ નદીઓની દિશા પૂર્વથી પશ્ચિમની છે! વધારે દક્ષિણમાં જે નદીઓ છે એમની પ્રવાહદિશાઓ તદ્દન વિરોધી છે. ગોદાવરી અને કૃષ્ણા પશ્ચિમના પશ્ચિમઘાટમાંથી નીકળે છે અને પૂર્વ તરફ વહીને બંગાળના ઉપસાગરમાં પડે છે. આ નદીઓની દિશા પશ્ચિમથી પૂર્વ તરફ છે! મધ્ય ભારતની પ્રમુખ નદીઓ પૂર્વમાંથી પશ્ચિમમાં વહે છે, અને દક્ષિણ ભારતની નદીઓ પશ્ચિમમાંથી પૂર્વમાં વહે છે.</p>
<p>બીજી એક વિશેષતા એ છે કે દ્વિતીય સ્તરીય નદીઓમાં પણ લગભગ દરેક નદીનું નામ સ્ત્રીલિંગ છે. દૃષ્ટાંતરૂપે, સરયૂ, કાવેરી, મહી આદિ. માત્ર બે જ નદીઓનાં નામ નર છે : બ્રહ્મપુત્ર અને તુંગભદ્ર! મુઘલ અને અન્ય મુસ્લિમ શાસન-દુ:શાસન સમયે ઘણાં શહેરોનાં નામો મુસ્લિમ કરી નાખવામાં આવ્યાં. ભારતના લોકોએ કેટલાંક સ્વીકાર્યા, કેટલાંક ન સ્વીકાર્યા. ભાગનગરને બદલે હૈદરાબાદ સ્વીકારાયું. પણ આગ્રાને બદલે અકબરાબાદ સ્વીકારાયું નહીં. પણ એક સૂચક વાત એ છે કે નદીઓનાં નામો સંસ્કૃત અને શતાંશઃ હિન્દુ રહ્યાં, જ્યારે પર્વતોનાં નામો બદલવાનો કોઈ પ્રશ્ન જ ન હતો. ગંગા કે યમુનાને જો મુસ્લિમ નામ આપવાની કોશિશ થઈ હોત તો? તો આખું ભારતવર્ષ સળગી જાત...</p>
<p>નદીને માતાનું સ્થાન અપાયું છે. વર્ષો પહેલાં બંગાળના નવદ્વિપ (નોબોદિપ) પાસે હું એક વિપ્લવી મિત્રને મળવા ગયો હતો, અને ઢાળ ઊતરીને ગંગા હોડીમાં ઓળંગવાની હતી. મેં એક હોડીવાળાને પૂછ્યું : નદી ઓળંગવાનું શું લેશો? અને એ અર્ધશિક્ષિત હોડીવાળો મારા પર બગડ્યો હતો : બાબુજી! આને તમે નદી કહો છો? આ ગંગા છે, ગંગામૈયા! અને એ સાચો હતો. ગંગા નદી નથી, કોઈક દિવસ મારા નાસ્તિકનાં સળગીને કાળાં પડી ગયેલાં હાડકાંની અસ્થિ એના લીલા પેટમાં વહાવી જનારી માતા છે.</p>
<p>હું હોડીમાં ઊતર્યો ત્યારે દૂર ઘાટ પર એક લાશ જલી રહી હતી. જ્યારે હું મિત્રના ઘર પાસે પહોંચ્યો ત્યારે મિલિટરીના જવાનો પુલિસ પાસેથી ચાર્જ લઈ રહ્યા હતા. જે દોસ્તને હું મળવા આવ્યો હતો એનું રાત્રે ખૂન થઈ ગયું હતું, અને મેં જે લાશને દૂરથી જલતી જોઈ હતી એ મારા દોસ્તની હતી. સ્થાનિક લોકોએ તરત કોલકત્તા ભાગી જવાની સલાહ આપી હતી કારણકે શકમંદોની પકડાપકડી શરૂ થઈ ગઈ હતી.</p>
<p>એ વખતે હું એક બંગાળી ઢાબામાં ભાત અને માછલી ખાઈ રહ્યો હતો અને આંખોમાં ધુમાડો આવી ગયો હતો. બધું જ મૂકીને કોલકાતાના શ્યાલદા સ્ટેશનની દિશામાં ભાગ્યો. સ્ટેશનના પ્લેટફોર્મ પર મિલિટરીના જવાનો ગશ્ત લગાવી રહ્યા હતા. એ દિવસોમાં નકસલવાદી આતંક પરાકાષ્ઠાએ હતો. આ અનુભવ મેં મારી એક વાર્તામાં લખ્યો હતો. વાર્તાનું નામ હતું : આમાર બાડી, તોમાર બાડી, નોકશાલ બાડી!</p>
<p>નદીઓને કિનારે કિનારે ભારતવર્ષના મહાન ધર્મસ્થાનો અને મહાનગરોએ જન્મ લીધો છે. ગંગા પર વારાણસી કે બનારસ કે કાશી છે. કોલકત્તા હૂગલી અથવા ગંગા પર છે. યમુના પર દિલ્હી છે, મથુરા અને આગ્રા છે. ગંગા અને યમુનાના સંગમ પર પ્રયાગરાજ અથવા અલાહાબાદ છે. આસામમાં બ્રહ્મપુત્રા પર ગુવાહાટી છે. આંધ્ર પ્રદેશમાં કૃષ્ણા પર વિજયવાડા છે, મહારાષ્ટ્રમાં ગોદાવરી પર નાશિક છે.</p>
<p>અને ગંગા આ બધી જ નદીઓની માતા છે. ગંગોત્રીથી શુભારંભ થાય છે, અને ગંગાસાગરમાં સમાપ્તિ થાય છે. હિંદુ ધર્મનાં સર્વાધિક પવિત્ર સ્થાનો ગંગાતટ પર છે : ગંગોત્રી, ઋષિકેશ, હરિદ્વાર, અલાહાબાદ, વારાણસી! ગંગોત્રી જ્યાં નદી શરૂ થાય છે, ઋષિકેશ જ્યાં લક્ષ્મણનાં તીરોથી લક્ષ્મણઝૂલા બન્યું હતું. હરિદ્વાર જ્યાં વિષ્ણુનાં પાદચિહ્નો સચવાયાં છે. અલાહાબાદ જ્યાં ત્રણ નદીઓનો સંગમ થાય છે અને કુંભનો મેળો ભરાય છે. અને વારાણસી. અહીં અસ્થિવિસર્જન થાય છે એને સ્વર્ગમાં સીધો પ્રવેશ છે. નિનેવેહ અને બેબીલોન અને દમિશ્ક જેવું પૃથ્વી પરની મનુષ્ય વસાહતોનું પ્રાચીનતમ નગર. વારાણસી જેવું બીજું નગર હિંદુસ્તાનમાં નથી.</p>
<p>ગંગા અને વારાણસી ઈતિહાસના જન્મથી આજ સુધી એકબીજામાં એટલાં સંકળાયેલાં છે કે એકના વિના બીજાની કલ્પના અશક્ય છે. વેદો અને પુરાણો અને બૌદ્ધ જાતકકથાઓમાં વારાણસીનો ઉલ્લેખ હતો. આ એ સ્થળ હતું જ્યાં વિશ્વના નાથ, એટલે કે વિશ્વનાથ નિવાસ કરતા હતા. અને ગંગા શું હતી, કોણ હતી? દેવલોકમાં અલકનંદા, અને પિતૃલોકમાં વૈતરણી તરીકે સુખ્યાત એવી ગંગા અહીં હતી, અને ગંગા અહીંથી વહીને સાત ધારાઓમાં સમુદ્રને મળતી હતી. હરિશ્ચંદ્ર ઘાટ પર રાજા હરિશ્ચંદ્રે પુત્ર અને પત્નીને વેચ્યાં હતાં, અને મણિકાર્ણિકા ઘાટ પર ચિતાઓ પ્રાગૈતિહાસથી જલતી રહી હતી, જલતી રહી છે, જલતી રહેશે....</p>
<p><em><strong>ક્લૉઝ અપ :</strong></em></p>
<p>જેને સંતાન નથી એને વાત્સલ્ય શું છે એ ખબર નથી.</p>
<p>- ઈટાલીઅન કહેવત</p>]]></content:encoded>
                
                                                            <category>Magazine: બક્ષીત્વ</category>
                                    

                <link>https://www.khabarchhe.com/magazine--%E0%AA%AC%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5/an-article-on-river-ganga/article-169715</link>
                <guid>https://www.khabarchhe.com/magazine--%E0%AA%AC%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5/an-article-on-river-ganga/article-169715</guid>
                <pubDate>Thu, 28 Dec 2017 19:36:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2017-12/1514469792ganga.jpg"                         length="854176"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[chandrakant-bakshi - (ચંદ્રકાંત બક્ષી)]]></dc:creator>
                            </item>
            <item>
                <title>નાની બેબીની દુનિયા : કોઈને કહેવાનું નહિ ! પ્રોમિસ?</title>
                                    <description><![CDATA[<p>આપણે બધા એક બાળપણ જીવ્યા છે, શૈશવકાળ અને કિશોરાવસ્થાની વચ્ચેની સ્થિતિ, જેને અંગ્રેજીમાં એન્ચાન્ટેડ યર્સ અથવા સ્વપ્નિલ વર્ષો કહેવાય છે. બંને હાથ ટેબલ પર મૂકીને ઉપર માથું ઢાળીને, સ્વચ્છ ખુલ્લી આંખોથી બધી વસ્તુઓ પર ફોકસ કરીને કંઈ જ ન જોવાનાં વર્ષો, જ્યારે આંખો મોટી હતી અને વાળ ઓળવા જરૂરી નહોતા, જ્યારે આયનો આપણી ખૂબસૂરતી તપાસતા રહેવા માટેનું સાધન નહિ, પણ મસ્તી કરતા રહેવાનું એક રમકડું હતો. જ્યારે આયનાની સામે ઊભા રહીને બીજાને જોવાની શરારત સૂઝ્યા કરતી હતી, એ બાળપણ હતું, એ ઉલ્લાસનું સામ્રાજ્ય હતું. જેમાં સ્વપ્નો જોવા માટે આંખો બંધ કરવાની જરૂર નહોતી, જ્યાં આંસુ એ સુકાયા પહેલાં ભૂલી જવાની</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/magazine--%E0%AA%AC%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5/world-of-small-baby/article-169713"><img src="https://www.khabarchhe.com/media/400/2017-12/1513857987girl.jpg" alt=""></a><br /><p>આપણે બધા એક બાળપણ જીવ્યા છે, શૈશવકાળ અને કિશોરાવસ્થાની વચ્ચેની સ્થિતિ, જેને અંગ્રેજીમાં એન્ચાન્ટેડ યર્સ અથવા સ્વપ્નિલ વર્ષો કહેવાય છે. બંને હાથ ટેબલ પર મૂકીને ઉપર માથું ઢાળીને, સ્વચ્છ ખુલ્લી આંખોથી બધી વસ્તુઓ પર ફોકસ કરીને કંઈ જ ન જોવાનાં વર્ષો, જ્યારે આંખો મોટી હતી અને વાળ ઓળવા જરૂરી નહોતા, જ્યારે આયનો આપણી ખૂબસૂરતી તપાસતા રહેવા માટેનું સાધન નહિ, પણ મસ્તી કરતા રહેવાનું એક રમકડું હતો. જ્યારે આયનાની સામે ઊભા રહીને બીજાને જોવાની શરારત સૂઝ્યા કરતી હતી, એ બાળપણ હતું, એ ઉલ્લાસનું સામ્રાજ્ય હતું. જેમાં સ્વપ્નો જોવા માટે આંખો બંધ કરવાની જરૂર નહોતી, જ્યાં આંસુ એ સુકાયા પહેલાં ભૂલી જવાની વસ્તુ હતી, જ્યાં બપોરનો ધગધગતો તડકો રમવાની મોસમ હતી, જ્યાં છેલ્લા વરસાદમાં પણ પહેલા વરસાદની ખુશ્બૂઓ સૂંઘવાની મજા હતી, જ્યાં આંખોને ઊંઘવા માટે અને હોઠોને હસવા માટે ફક્ત સેકંડો જ જોઈતી હતી. એ બાળપણ હતું.</p>
<p>નાની નાની બેબીઓને કોણ સમજ્યું છે? એ નાહીને બહાર આવે છે ત્યારે કેટલી બધી સુવાસ પ્રસરી જાય છે? હમણાં જ પેકિંગ ખોલીને બ્રાન્ડ ન્યુ વસ્તુ બહાર મૂકી હોય એમ, એવી સ્વચ્છ ચમક કોણ પાથરી જાય છે? નાની બેબીઓ દરેક વસ્તુ તરફ હસી શકે છે, પોતે પડી જાય તો, બીજો પડી જાય તો, કોઈને ન પડે તો... છત્રી, આઈસ્ક્રીમ, ટીવીની જાહેરખબર, ડોરબેલનો અવાજ, મમ્મીનો ગુસ્સો. એક નાની બેબીમાં ભગવાને કેટલું હાસ્ય ભરી દીધું છે? અને નાની બેબી રડે ત્યારે એનું આખું શરીર રડી પડે છે, બધાં આંસુનો સ્ટોક તરત જ છલકાઈ જાય છે. નાની બેબી સિવાય વિશ્વનું કોઈ પ્રાણી રડતું હોય ત્યારે પણ આકર્ષક લાગતું નથી અને નાના પશુપક્ષીઓ અને નાની-નાની બેબીઓ વચ્ચે કઈ રીતે તરત જ સંવાદિતા સ્થપાઈ જાય છે? મૌનની ભાષા, ભાષ્ય કે તર્ક વિના, અપ્રયાસ કેવી રીતે સમજાઈ જાય છે? અને કહેવાઈ જાય છે?</p>
<p>નાની બેબીનું એક નિર્દોષ જાદુ હોય છે, જેને એક્સ-રેથી સમજી શકાતું નથી અને માઈક્રોસ્કોપમાં પકડી શકાતું નથી. એ ફોટો પડાવવા બેસે છે ત્યારે આખી પૃથ્વીની સામ્રાજ્ઞીની અદાથી બેસે છે અને એના ચહેરા પર હાસ્યને માંડ માંડ પકડી રાખેલી એક નિર્દોષ ચુસ્તી હોય છે. નાની બેબીના ચહેરા પર પડછાયાઓ રહી શકતા નથી, પૃથ્વી પર એ એક જ પાંખોવાળું મનુષ્ય પ્રાણી છે. એ બે પગ જમીન પર રાખીને ઊડી શકે છે, એ પાણી વિના તરી શકે છે, અને આંખો બંધ કરીને હંમેશાં જોઈ લેવાને ઉત્સુક હોય છે. એનો ચહેરો એની રિદ્ધિસિદ્ધ છે. આભૂષણો પહેરાવેલી નાની બેબી મા-બાપની દરિદ્રતાનો નમૂનો છે, બૌદ્ધિક અને સાંસ્કૃતિક દરિદ્રતાનો, નાની બેબીની આંખોમાં કેટલા રસ એકસાથે છલકી શકે છે નાની બેબીની આંખોમાં કેટલા રસ એકસાથે છલકી શકે છે? નાની બેબી એ રસજ્ઞોને જોઈ ખડખડાટ હસી પડે છે કારણ કે એને ખબર નથી કે આ રસજ્ઞો કહેવાય અને એની રમતિયાળ મસ્તી મર્મજ્ઞો હજી સુધી સમજી શક્યા નથી.</p>
<p>અને નાની બેબી એ જોઈ શકે છે, જે આપણી અનુભવી આંખો જોઈ શકતી નથી... ફૂલની પાછળ સંતાઈ ગયેલો ભમરો, કેરીના ઢગલાની અંદર ઘૂસી ગયેલું જીવડું, ઝાડના થડ પર ફરતો મંકોડો, કૂતરાની લટકતી જીભ પરથી ટપકતું ટીપું, સાંજનું અંધારું ઘેરાઈ રહ્યું હોય ત્યારે રસ્તો ભૂલી ગયેલું પક્ષી, વાયરની જાળીમાં છૂટાં છૂટાં ઝૂલી રહેલા વરસાદનાં બુંદ, કેન્ડી ફ્લોસ લઈને આવતા નાના છોકરાઓ, આપણે એને છોકરાથી છૂટી પાડીને, દૂર કરીને અન્યાય કરીને, એને સેકન્ડ ક્લાસ બનાવવા માટે એક આખું જીવન, પિતૃત્વ કે માતૃત્વ વાપરી નાખીએ છીએ. નાની બેબી પણ ગુસ્સો કરી શકે છે અને એ ક્ષમા કરતી રહે છે.</p>
<p>સેક્સભેદના આપણા જડ વિચારોને, નગ્ન અન્યાયને આપણા ઊંચા ખખડતા અવાજને, આપણા દંભને, જૂઠને, દ્વૈતને એ રડી લે છે. એની ઢીંગલીને બે થપ્પડો મારી લે છે, આયના સામે જોઈને વાળ ઓળી લેવાનો પ્રયત્ન કરતી રહે છે. અથવા ગાલ પર આંસુઓની લકીરો ભીની રાખીને જ એ સૂઈ જાય છે, સૂઈ શકે છે...</p>
<p>જગતભરમાં નાની બેબીને મારનાર પિતા કરતાં ક્રૂર રાક્ષસ જન્મ્યો નથી. અ નાની બેબીની દુનિયામાં એક ખાસ જગ્યા હોય છે નાની નાની ખાનગી વાતોની. કોઈને કહેવાનું નહિ. ટોપ સિક્રેટ ! આજે સ્કૂલબસમાં આવતી વખતે મેં રાકેશની વોટર બોટલમાંથી પાણી પી લીધું હતું. પ્રોમિસ ? તું મારી બેસ્ટ ફ્રેન્ડ અને હું તારી બેસ્ટ ફ્રેન્ડ! કોઈને કહેવાનું નહીં. કાલે મેં મમ્મીના નેઈલ પોલિશથી પગના નખ રંગ્યા હતા. આ રિબન મને જયેશમામાએ, હું તને ચલાવવા આપીશ. બીજા કોઈને નહિ ! પ્રોમિસ, મને મમ્મી નથી. અને મમ્મીઓ. નાની બેબીઓની સરગોશીઓ અને ગુફતગૂઓનો મુખ્ય ટોપિક : મમ્મીઓ.</p>
<p>એ નાનપણ પસાર થઈ ગયું છે. હવે રાત્રે એકલા સૂવાનો ડર લાગતો નથી, ફક્ત એકલા સૂવાની એકલતા લાગે છે. રાત્રે મમ્મીની સાડી લઈને સૂવાથી અંધારાનો દરેક ભય ભાગી જતો હોય એ બાળપણ. જાદૂથી તરબતર નાની-નાની વસ્તુઓથી આખું જીવન ભરાઈ જતું હતું. જ્યારે એક કલાક એક દિવસ જેવો લાંબો ચાલતો હતો. જ્યારે મોજું ઊંધું પહેરાઈ જતું હતું અને રિબનમાં ગૂંચ પડી જતી અને મમ્મી જિંદગીની દરેક ઉલઝન સુલઝાવવા ચોવીસે કલાક પાસે જ રહેતી હતી.</p>
<p>એ દુનિયા, મમ્મીના સ્પર્શની દુનિયા, ડેડીના ખડખડાટ હાસ્યની દુનિયા, વાળ ખેંચતા બાબાની નાની-નાની આંગળીઓની દુનિયા, હવે નથી. જ્યારે બૂટને બકલ લગાડતાં આવડતું નહોતું અને ફ્રોક ઊંધું પહેરાઈ જતું હતું અને પાણીનો ગ્લાસ ઢળી જતો હતો. એ દુનિયા, એ નાનપણ, એ એન્ચાન્ટેડ યર્સ, એ સ્વપ્નિલ વર્ષો. હવે નથી, કોઈને ખબર છે, નાની બેબી ક્યારે એકાએક મોટી બેબી થઈ જાય છે?</p>
<p> </p>
<p><strong>ક્લોઝ અપ :</strong></p>
<p><strong>જીવનમાં દરેકે એક જ કામ કરવાનું હોય છે : પોતાની જાતને શોધવાનું.</strong></p>
<p><strong>- હરમાન હાસ</strong></p>]]></content:encoded>
                
                                                            <category>Magazine: બક્ષીત્વ</category>
                                    

                <link>https://www.khabarchhe.com/magazine--%E0%AA%AC%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5/world-of-small-baby/article-169713</link>
                <guid>https://www.khabarchhe.com/magazine--%E0%AA%AC%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5/world-of-small-baby/article-169713</guid>
                <pubDate>Thu, 21 Dec 2017 17:37:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2017-12/1513857987girl.jpg"                         length="74370"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[chandrakant-bakshi - (ચંદ્રકાંત બક્ષી)]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ખલિલ જિબ્રાનની અમર કૃતિ : ‘ધ પ્રોફેટ’ : અર્થગહન, બહુઅર્થી, વૈવિધ્યસભર વિચારોનો સાગર</title>
                                    <description><![CDATA[<p>ખલિલ જિબ્રાનનું ‘ધ પ્રોફેટ’ એક જમાનામાં ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની ‘ગીતાંજલિ’ જેટલું જ લોકપ્રિય બની ગયું હતું ગુજરાતી બૌદ્ધિકોમાં અને એના અનુવાદો થતા ગયા, ટાગોરને નોબલ પારિતોષિક મળ્યું, જિબ્રાનને ન મળ્યું. કોઈ પણ બૌદ્ધિક માપદંડથી જિબ્રાન નોબલ પુરસ્કાર માટે યોગ્ય હતા, જે રીતે ગાંધીજી નોબલ શાંતિ પુરસ્કાર માટે યોગ્ય હતા, પણ જાન્યુઆરી, 1926માં ‘ધ પ્રોફેટ’ પ્રકટ થઈ ત્યારે ગોરા શાહીવાદનો પૃથ્વી પર દોરદૌરો હતો, અને લબનાનના જિબ્રાનને નજરઅંદાજ કરવામાં આવે એ સાહજિક હતું. ‘ધ પ્રોફેટ’ ખૂબ વંચાયું, હજી વેચાતું છે, ઉમર ખય્યામની રુબાઈયતની જેમ એ સર્વકાલીન બેસ્ટસેલર રહ્યું છે. જિબ્રાનનો ફ્લાસફરાનો રહસ્યવાદ કદાચ વિશ્વની યુવાનીને વિષકન્યાની જેમ ખેંચી ગયો. જિબ્રાનમાં લાઓ-ત્ઝૂની</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/magazine--%E0%AA%AC%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5/an-article-on-khalil-gibrans-book-the-prophet/article-169711"><img src="https://www.khabarchhe.com/media/400/2017-12/1513250407khalil-gibran.jpg" alt=""></a><br /><p>ખલિલ જિબ્રાનનું ‘ધ પ્રોફેટ’ એક જમાનામાં ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની ‘ગીતાંજલિ’ જેટલું જ લોકપ્રિય બની ગયું હતું ગુજરાતી બૌદ્ધિકોમાં અને એના અનુવાદો થતા ગયા, ટાગોરને નોબલ પારિતોષિક મળ્યું, જિબ્રાનને ન મળ્યું. કોઈ પણ બૌદ્ધિક માપદંડથી જિબ્રાન નોબલ પુરસ્કાર માટે યોગ્ય હતા, જે રીતે ગાંધીજી નોબલ શાંતિ પુરસ્કાર માટે યોગ્ય હતા, પણ જાન્યુઆરી, 1926માં ‘ધ પ્રોફેટ’ પ્રકટ થઈ ત્યારે ગોરા શાહીવાદનો પૃથ્વી પર દોરદૌરો હતો, અને લબનાનના જિબ્રાનને નજરઅંદાજ કરવામાં આવે એ સાહજિક હતું. ‘ધ પ્રોફેટ’ ખૂબ વંચાયું, હજી વેચાતું છે, ઉમર ખય્યામની રુબાઈયતની જેમ એ સર્વકાલીન બેસ્ટસેલર રહ્યું છે. જિબ્રાનનો ફ્લાસફરાનો રહસ્યવાદ કદાચ વિશ્વની યુવાનીને વિષકન્યાની જેમ ખેંચી ગયો. જિબ્રાનમાં લાઓ-ત્ઝૂની જેમ વિધાનોની વિરોધિતા છે, ટાગોરની જેમ સાદગી છે ને પરવાઝ છે, અને રજનીશની જેમ દાહક મૌલિકતા છે. રજનીશ બહુ પાછળ આવે છે, અને ક્યારેક ઓશો રજનીશની પાછળ જિબ્રાન લરઝતા દેખાય છે...! જિબ્રાનના ‘ધ પ્રોફેટ’ની કરોડો ડૉલરની રોયલ્ટી જમા થઈ ગઈ છે, પણ દાવેદાર વારસદારોની એક ફૌજ કાનૂની જંગ લડી રહી છે, ત્યાં સુધી આ ધનરાશિ જમા થઈ રહી છે.</p>
<p>જિબ્રાનના ‘ધ પ્રોફેટ’ના અને એમાંના ગદ્યખંડોના ગુજરાતી અનુવાદો પ્રકટ થતા રહ્યા છે. અત્યંત સરળ લાગતું અત્યંત કઠિન કામ છે જિબ્રાનનો અનુવાદ કરવાનું, એના ઉદ્દેશ્યને સમજવાનું, એના ઉદ્દેશ્યના ગોપિત અને ગર્ભિત હાર્દને સમજવાનું. ઑર્ફેલિસ નગરમાં 12 વર્ષ રહ્યા પછી અલ-મુસ્તફા એના વતનદ્વીપ તરફ જવા તૈયાર થાય છે. દૂર ધુમ્મસ પાસે આવી રહેલું જહાજ દેખાઈ રહ્યું છે. મીમાંસકોએ આ નાની ઘટનાને રૂપક તરીકે બતાવી છે, અંતિમ સફર છે. અલ-મુસ્તફા, ધ માસ્ટરની અને ગામલોકો એકત્ર થાય છે, જુદા જુદા વિષયો વિશે અલ-મુસ્તફાના વિચારો સાંભળવા. અને વિષયો છે : ‘પ્રેમ, લગ્ન, સંતાનો, દાન, ખાવું-પીવું, કામ, ઉલ્લાસ અને વિષાદ, ઘર, વસ્ત્રો, ખરીદી અને વિક્રય, દોષ અને સજા, કાનૂન, સ્વાતંત્ર્ય, મનની સ્વસ્થતા, ઉન્માદ, યંત્રણા, સ્વજ્ઞાન, શિક્ષણ, મૈત્રી, બોલવું, સમય, સારું અને ખરાબ પ્રાર્થના, મજા, સૌંદર્ય, ધર્મ, મૃત્યુ... અને અંતે વિદાયની ક્ષણ આવે છે. ધ માસ્ટર અલ-મુસ્તફા નગરજનોને સંબોધન કરે છે અને વહાણમાં ચડીને અદ્રશ્ય થઈ જાય છે. વહામ, ધુમ્મસ અને મહાપ્રયાણ સાફ પ્રતીકો છે. ‘ધ પ્રોફેટ’ પૂર્ણ ફિલસૂફી છે. આમાંનાં કેટલાંય વાક્યો વિશ્વભરની ભાષામાં હજી પણ જનપ્રિય છે. જિબ્રાનની ભાષા ક્યારેક એટલી સરળ બની જાય છે કે અર્થઘટન બહુઅર્થી બની જાય છે. ઓર્ફેલિસ નગરના લોકોથી છુટા પડતાં જિબ્રાન શરૂમાં જે ભાષા વાપરે છે એ ધુમ્મસી ભાષામાં મધ્યયુગીન વિષાદી રોમાંસભાર સતત ઝળક્યા કરે છે.’</p>
<p>... આ દીવાલોની વચ્ચે વેદનાના દિવસો મેં ગુજાર્યા છે અને એકલતાની લાંબી રાતો... આ છોડતાં એક વજન અને એક દુઃખનો અહેસાસ થાય છે. હું વસ્ત્ર ઉતારી રહ્યો નથી, મારા હાથોથી મારી ચામડી ઉતરડી રહ્યો છું...</p>
<p>... અવાજ જીભ અને હોઠોને લઈન ઊડી શકતો નથી, જે જીભ અને હોઠોએ એને પાંખો આપી છે. ગરુડે સૂર્યની સામેથી એકલા જ ઊડવાનું છે... મારી પ્રાચીન માતાના પુત્રો ! મારા સ્વપ્નમાં તમે હતા. અને મારી જાગૃતિ એ મારું વધારે ગહન સ્વપ્ન છે. નવી હવામાં હું બીજો શ્વાસ લઈશ. અને તું, વિરાટ મહાસમુદ્ર, મારી સૂતેલી માતા...</p>
<p>... હું એ વાંસલી છું, મારામાંથી એનો ઉચ્છવાસ પસાર થશે... હવે સમુદ્રનાં મોજાં આપણને છૂટાં ન પાડે. તમારા પડછાયાથી અમારા ચહેરાઓ દીપી ઊઠ્યા છે. અમારો પ્રેમ અશબ્દ હતો... અને પ્રેમને પોતાની ગહરાઈની ત્યાં સુધી સમજ પડતી નથી જ્યાં સુધી જુદાઈ આવતી નથી...</p>
<p>અને અલમિત્રા નામની એક ભવિષ્યવેત્તા સંબોધન કરે છે : પ્રોફેટ ઑફ ગોડ ! ખુદાઈ પયગંબર ! તમે અમને છોડો એ પહેલાં અમારી સાથે વાત કરો, અમને તમારું સત્ય કહો. અમે એ સત્ય અમારાં સંતાનોને કહીસું અને એ એમનાં સંતાનોને કહેશે, અને એમનાં સંતાનો એમનાં સંતાનોને કહેશે અને સત્ય અવિનાશી બનશે... જન્મ અને મૃત્યુની વચ્ચે જે છે...</p>
<p>અને અલ-મુસ્તફા કહે છે : ઓર્ફેલિસના નગરજનો ! બીજું તો હું શું કહી શકું એના સિવાય, જે અત્યારે પણ તમારા આત્માઓમાં ધબકી રહ્યું છે ! પછી અલમિત્રાએ કહ્યું : અમને પ્રેમ વિશે કહો.</p>
<p>જિબ્રાનની આ શૈલી, આ લાઘવ, આ મૌલિકતાએ વિશ્વના બૌદ્ધિકોને ઝકઝોર કરી નાખ્યા. પશ્ચિમે સત્યની આવી આષાનો અનુભવ કર્યો નહોતો. આ ઓરિયેન્ટલ મિસ્ટિશીઝમ અથવા પૌર્વાત્ય રહસ્યવાદ હતો. જ્યાં ભા, રૂપકોની હતી, વ્યંજનાની હતી, તુલનાની હતી, સાતત્યની હતી. અહીં સંશ્લેષણ કે વિશ્લેષણની જરૂર નહોતી, કારણ કે અર્થઘટન અને મર્મઘટન સામૂહિક નહિ, પણ વૈયક્તિક હતાં. એક પછી એક વિષયને જિબ્રાન રોમાંસની અને રહસ્યની રોચક ભાષામાં પ્રસ્તુત કરે છે અને પુસ્તકનાં અંત તરફ, બધી જ પ્રસ્તુતિઓ પછી વિદાય લે છે. વિદાય સમયનાં વાક્યો દાર્શનિક ઉદાત્તતા પ્રાપ્ત કરી લે છે. કિશોરલાલ મશરૂવાળાએ ‘ધ પ્રોફેટ’નો જે અનુવાદ કર્યો છે એનું નામ પણ છે : વિદાય વેળાએ ! વિદાયકાલીન આ ગદ્યખંડના અંતે જિબ્રાનનું કદાચ સૌથી સુખ્યાત વાક્ય છે : થોડી વાર... હવા પર વિશ્રામની એક ક્ષણ...અને બીજી સ્ત્રીના ગર્ભાશયમાં હું સૂઈ જઈશ...! (અ લિટલ વ્હાઈલ, અ મોમેન્ટ ઑફ રેસ્ટ અપોન ધ વિન્ડ, એન્ડ અનધર વુમન શેલ બેર મિ) જિબ્રાનનો અનુવાદ કરવો દુષ્કર છે, કારણ કે એ ગદ્ય કાવ્યમય દર્શનની કક્ષાનું છે. અને એમની ભાષા ગદ્ય અને પદ્યની વચ્ચેની લગભગ અર્ધજાગ્રતાવસ્થાની, ટ્રાન્સની ભાષા છે. સાંજ પડે છે, જહાજ આવી ગયું છે, અને ધ માસ્ટર, ધ પ્રોફેટ, અલ-મુસ્તફા પસન્દીદા અને પ્યારા (ધ ચોઝન એન્ડ ધ બિલવેડ) ભવિષ્યવેત્તા અને ઓર્ફિલિસ નગરની સ્ત્રી અલમિત્રાને કહે છે : એ હું હતો જે બોલ્યો હતો? શું હું શ્રોતા પણ નહોતો?... ઓર્ફેલિસના નગરજનો ! હું હવાઓની સાથે જ રહ્યો છું... મૃત્યુ મને સંતાડી દેશે, પણ હું ચઢતી ભરતીની સાથે પાછો આવીશ... માણસની જરૂરતો બદલાય છે, એનો પ્રેમ બદલાતો નથી. સમજી લો... હું વધારે વિરાટ ખામોશીમાંથી પાછો ફરીશ... તમારો શ્વાસ મારા ચહેરા પર હતો. હું તમને બધાને ઓળખું છું... હું તમને શબ્દોમાં કહું છું જે તમે વિચારોમાં સમજો છો. તમારા વિચારો અને મારા શબ્દો એક કૈદ સ્મૃતિમાંથી આવતાં મોજાં છે... તમે તમારા શરીરોમાં બંધ નથી...</p>
<p>ફેર યૂ વેલ, ઓર્ફેલિસના નગરજનો, આ દિવસ પૂરો થાય છે, ભૂલશો નહિ, કે હું તમારી પાસે પાછો આવવાનો છું. થોડી વાર... મારી અપેક્ષાઓ બીજા શરીર માટે મિટ્ટી અને ફીણ ભેગું કરશે... અને બીજી સ્ત્રીના ગર્ભાશયમાં હું સૂઈ જઈશ...! ફેરવેલ ટુ યૂ... અને એ જવા જે મેં તમારી સાથે ગુજારી હતી. ગઈ કાલે જ આપણે મળ્યાં હતાં, એક ખ્વાબમાં, સ્મૃતિની ગૌધૂલિમાં એક વાર ફરીથી મળીશું, આપણે ફરીથી એક ભાષા બોલીશું, અને તમે મને એક વધારે મધુર વાત સંભળાવશો... જિબ્રાનનું ‘ધ પ્રોફેટ’ વિશ્વસાહિત્યનાં મહાપુસ્તકોમાં સ્થાન પામે છે. આ માધ્યમ પૌર્વાત્ય છે ફક્ત અલમિત્રા શાંત છે, જોઈ રહી છે. જહાજ ધુમ્મસમાં અદ્રશ્ય થતું જાય છે.</p>
<p><strong>ક્લોઝ અપ:</strong></p>
<p>સ ભૂમિ વિશ્વતો વૃત્યા, અત્યતિષ્ઠદ દશાંગુલમ</p>
<p>ઋગ્વેદ</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Magazine: બક્ષીત્વ</category>
                                    

                <link>https://www.khabarchhe.com/magazine--%E0%AA%AC%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5/an-article-on-khalil-gibrans-book-the-prophet/article-169711</link>
                <guid>https://www.khabarchhe.com/magazine--%E0%AA%AC%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5/an-article-on-khalil-gibrans-book-the-prophet/article-169711</guid>
                <pubDate>Thu, 14 Dec 2017 16:51:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2017-12/1513250407khalil-gibran.jpg"                         length="48004"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[chandrakant-bakshi - (ચંદ્રકાંત બક્ષી)]]></dc:creator>
                            </item>
            <item>
                <title>પાંચ-દસ હજાર વર્ષો જૂના, 21મી સદીના શબ્દો : ઉપનિષદ</title>
                                    <description><![CDATA[<p>અને એ પછી અશ્વલના પુત્ર કૌશલ્યે પપ્પલાદ મિનને પ્રશ્ન પૂછ્યો : ભગવાન ! આ પ્રાણ ક્યાંથી ઉત્પન્ન થાય છે ?... અને પિપ્પલાદ મિનએ ઉત્તર આપ્યો : તું બહુ જ કિઠન પ્રશ્નો પૂછી રહ્યો છે, પણ તું મોટો બ્રહ્મવેત્તા છે એટલે હું તારા પ્રશ્નોના ઉત્તર આપીશ. આ પ્રાણ આત્માથી ઉત્પન્ન થાય છે, જેવી રીતે મનુષ્યના શરીરમાંથી છાયા ઉત્પન્ન થાય છે.</p>
<p>આ બહુ જ પ્રખ્યાત પ્રશ્નોત્તરી પ્રશ્નોપિનષદમાં છે.</p>
<p>મુણ્ડકોપિનષદમાં એક સ્થળે કહેવાયું છે : અવદ્યાની મધ્યમાં રહેવાવાળા અને પોતાને ખૂબ જ બુદ્ધિમાન અ પંડિત માનનારા એ મૂઢ અથવા મૂર્ખ પુરુષો, એક આંધળો બીજા આંધળાને દોરી જાય એવી રીતે, પીડિત અને ચારે તરફ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/magazine--%E0%AA%AC%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5/upnishad/article-169710"><img src="https://www.khabarchhe.com/media/400/2017-12/1512654500book--d.jpg" alt=""></a><br /><p>અને એ પછી અશ્વલના પુત્ર કૌશલ્યે પપ્પલાદ મિનને પ્રશ્ન પૂછ્યો : ભગવાન ! આ પ્રાણ ક્યાંથી ઉત્પન્ન થાય છે ?... અને પિપ્પલાદ મિનએ ઉત્તર આપ્યો : તું બહુ જ કિઠન પ્રશ્નો પૂછી રહ્યો છે, પણ તું મોટો બ્રહ્મવેત્તા છે એટલે હું તારા પ્રશ્નોના ઉત્તર આપીશ. આ પ્રાણ આત્માથી ઉત્પન્ન થાય છે, જેવી રીતે મનુષ્યના શરીરમાંથી છાયા ઉત્પન્ન થાય છે.</p>
<p>આ બહુ જ પ્રખ્યાત પ્રશ્નોત્તરી પ્રશ્નોપિનષદમાં છે.</p>
<p>મુણ્ડકોપિનષદમાં એક સ્થળે કહેવાયું છે : અવદ્યાની મધ્યમાં રહેવાવાળા અને પોતાને ખૂબ જ બુદ્ધિમાન અ પંડિત માનનારા એ મૂઢ અથવા મૂર્ખ પુરુષો, એક આંધળો બીજા આંધળાને દોરી જાય એવી રીતે, પીડિત અને ચારે તરફ ભટકતા રહેનાર છે.</p>
<p>આજથી પાંચ-દસ હજાર વર્ષ પહેલાંની આ વાતો છે, પણ હિંદુ બુદ્ધિમત્તા કઈ ચરમસીમા પર એ યુગમાં પહોંચી ચૂકી હતી. એનાં આ પ્રમાણો છે. કઠોપનિષદમાં યમ નચિકેતાને કહે છે : મનુષ્યલોકમાં જે જે ભોગ દુર્લભ છે એ બધા જ ભોગો. તું સ્વચ્છંદતાપૂર્વક માગી લે, અહીં રથો અને વાદ્યવાજિંત્રો સાથે રમણીઓ છે. એવી સ્ત્રીઓ મનુષ્ય માટે છે. મારા દ્વારા અપાયેલી આ કામિનીઓ પાસે તું સેવા કરાવ, પણ હે નચિકેતા, તું મૃત્યુ વિશે પ્રશ્નો નહિ પૂછ !</p>
<p>આ જ શ્લોકના ભાષ્યરૂપે આદિ શંકરાચાર્યે લખ્યું છે : હે નચિકેતા ! મૃત્યુ પછી જીવરહે છે કે નહિ એવા કાગડાના દાંતોની પરીક્ષા કરવા જેવા મૃત્યુ સંબંધી પ્રશ્નો મને ન પૂછ...</p>
<p>હજારો વર્ષો પહેલાં નચિકેતા મૃત્યુના દેવતા યમરાજને ઉત્તર આપે છે : હે યમરાજ ! આ ભોગવિલાસ કાલે રહેશે કે નહિ એ પ્રકારના છે. આ પૂરું જીવન જ બહુ નાનું છે. તમારાં વાહનો અને તમારરાં નાચગાન તમારી પાસે જ રાખો... અને પછી નચિકેતા એક અદ્દભુત વાક્ય કહે છે : ‘ન વિત્તેન તર્પણીયો મનુષ્યો’ અર્થાત્ મનુષ્યને ધનથી તૃપ્ત નથી કરી શકાતો.</p>
<p>કેનોપનિષદમાં એક વાક્ય છે : વિરૂપોડપિ વિદ્યાવાન્બહુ શોભતે. અર્થ છે : વિદ્યાવન પુરૂષ બદસૂરત હોય તો પણ બહુ શોભે છે.</p>
<p>અને શ્વેતાશ્વતરોપનિષદમાં કદાચ એક શ્લોક જીવનનું પૂરું સત્ય સંક્ષેપમાં કહી જાય છે : તું ત્રી છે, તું પુરૂષ છે, તું જ કુમાર કે કુમારી છે, તું જ વૃદ્થ થઈને લાકડીને સહારે ચાલે છે અને તું જ પ્રપંચરૂપથી ઉત્પન્ન થયા બાદ અનેકરૂપ બની જાય છે.</p>
<p>ઉપનિષદોના એકેએક અક્ષરમાં અને એકેએક શબ્દમાં ગાંભીર્ય અ ગૂઢાર્થ છે. પ્રપંચ એટલે ? માણ્ડૂક્યોપનિષદમાં સમજાવ્યું છે : અભિવ્યિક્તની ક્રમશઃ ત્રણ અવસ્થાઓ છે, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ। આ ત્રણના ભોગ પર સ્થૂળ, સૂક્ષ્મ અને આનંદ છે. આગળ વધારે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે જાગ્રત અવસ્થામાં જીવ જમણી આંખમાં, સ્વપ્નની અવસ્થામાં ગળામાં અને સુષુપ્તિની અવસ્થામાં હૃદયમાં રહે છે. બસ, આનું નામ પ્રપંચ છે !</p>
<p>આ ઉપનિષદો વિશેની થોડી ઝલકો છે.</p>
<p>ઉપનિષદોને હું હિંદુ ધર્મશાસ્ત્રોમાં શીર્ષસ્થ સ્થાને મૂકું છું. એક વિધાન એવું છે કે પ્રાયઃ 112 ઉપનિષદો પ્રસિદ્ધ હતાં, પણ આદ્ય શંકરાચાર્ય અને અન્ય આચાર્યોએ દસ-બાર ઉપનિષદો પર જ ભાષ્ય કે ટિપ્પણીઓ લખી છે માટે એ વધારે પ્રસિદ્ધ થયાં છે. કદાચ તથ્યની દ્રષ્ટિએ એ વધારે ઊંચી કક્ષાનાં છે. લગભગ બધાં જ ઉપનિષદો પ્રશ્નોત્તરીના રૂપમાં છે. કેનોપનિષદ એક જ છે, જેના પર શંકરાચાર્યે એક નહિ, બે ટીકાઓ લખી છે : એક પદભાષ્ય કહેવાય છે, બીજી વાક્યભાષ્ય છે.</p>
<p>આપણા પૂર્વજો કેવા ગહન અભ્યાસીઓ હતા એનું એક નાનું દ્રષ્ટાંત નોંધપાત્ર છે. કેનોપનિષદમાં શંકરભાષ્યમાં ઉક્તિ આવે છે : ‘ઈતિ સુશ્રૂમ પૂર્વેષામ્’ એટલે કે આ અમે પહેલાંના આચાર્યોને મોઢેથી સાંભળ્યું છે. શંકરાચાર્યે પદભાષ્યમાં આ સમજાવ્યું છે : આચાર્યોની ઉપદેશની પરંપરાથી પ્રાપ્ત થયેલું...! પણ વાક્યભાષ્યની બીજી ટીકામાં શંકરાચાર્યે લખ્યું છે : આવું કહીને એ આચાર્યોની અસ્વતંત્રતા બતાવી છે, જે તર્કનો વિરોધ કરવા માટે છે?</p>
<p>હિંદ તર્કશાસ્ત્ર અત્યંત વિકસિત હતું અ છાન્દોગ્યોપનિષદના સાતમા અધ્યાયમાં તર્કશાસ્ત્ર માટે એક શબ્દપ્રયોગ કરવામાં આવ્યો છે : વાકોવાક્ય ! ઉપનિષદો વાંચતાં એક બીજી વિશેષતા જે તરત જ ધ્યાન ખેંચે છે એ છે શબ્દોની વિપુલતા અને શબ્દોની સાર્થકતા. દરેક શબ્દનો એક ચોક્કસ અર્થ હોયછે, અને શબ્દના વિધાન પાછળ એ સંગીન તર્કશુદ્ધ અને આર્થિક (આપણે આજે છાપાંઓમાં વાપરીએ છીએ એ આર્થિક નહિ !) કારણ હોય છે. આજથી પાંચ-દસ હજાર વર્ષ પહેલાં ઉપનિષદોએ જે શબ્દોનો ઉપયોગ કર્યો છે એ જ શબ્દોનો આપણને 21મી સદીમાં પ્રયોગ કરવો પડશે. ઉપનિષદો શબ્દોને સમજવા માટે પમ અભ્યાસ કરવા યોગ્ય છે. હિંદુસ્તાનની અન્ય ભાષાઓની ખબર નથી, પણ ગુજરાતી ભાષામાં માત્ર ઉપનિષદોમાં વ્યવહાર થયેલા શબ્દો વિશે મુરારિદાસ હરિયાણી કે એમની કક્ષાના બાપુઓએ કંઈક કામ કરવું જોઈએ. જોકે મહાત્મા બાપુઓ રામાયણ, મહાભારત, ભાગવત વિશે પ્રવચનો આપતા ફરે છે, પણ ઉપનિષદો વિશે વ્યાખ્યાનો આપનારા બાવા-બાપુઓ ખાસ દેખાતા નથી, એ હકીકત છે. ઉપનિષદો જરાં અઘરાં પણ પડે છે.</p>
<p>ઉપનિષદોમાં દરેક ‘ક’ ‘ખ’ અને ‘ખ’ અને ‘હ’નો અર્થ હોય છે. બ્રહ્મ માટે ‘ક’ની સંજ્ઞાનો ઉપયોગ થતો હતો. ‘ખ’ સમસ્ત આકાશનું દ્યોતક હતું. ‘હ’નો સંબંધ ઈતિહાસ સાથે હતો.</p>
<p>ઈતિહાસ શબ્દ ‘ઈતિ હ આસ’ અથાવ આમ થયું પરથી આવે છે. ‘ખ’ અક્ષર સુખમાં છે. ‘સુ’ એટલે સારું, શોભિત અને ‘ખ’ એટલે આકાશ. વિશાળ આકાશમાં સ્વૈરવિહાર કરી શકો, સંપૂર્ણ સ્વાતંત્ર્ય હોય અને ઊંચી ઉડાન ભરી શકાય, મુક્ત થઈ શકાય એ જ અંશતઃ સુખ છે. ‘ક’ બ્રહ્મના અર્થમાં છે. આપણે આજે કલા નામનો શબ્દ નિરંકુશ વાપરીએ છીએ એ ઉપનિષદમાં સમજાવ્યો છે. પ્રશ્નોપનિષદના છઠ્ઠા પ્રશ્નમાં સોળ કલાઓ ગણાવી છે : પ્રાણ, શ્રદ્ધા, આકાશ, વાયુ, તેજ, જલ, પૃથિવી, ઈન્દ્રિય, મન, અન્ન, વીર્ય, તપ, મંત્ર, કર્મ, લોક અને નામ. અહીં કલાની વ્યાખ્યા આપી છે : ‘કં બ્રહ્મ લીયતે આચ્છાદ્યતે યયા, સા કલા!’ અર્થ થાય છે જેના દ્વારા ‘ક’ (બ્રહ્મ) લીન (ઢાંક્યું છે) થાય છે એને કલા કહે છે. આ 16 વસ્તુઓ બ્રહ્મના પારમાર્થિક સ્વરૂપને ઢાંકે છે માટે કલા છે.</p>
<p>કલાનો આવો અભ્યાસ કલાને દર્શનની કક્ષાએ લઈ જાય છે.</p>
<p>કલા શબ્દ બધાને ખબર છે, પણ ‘કલિલ’ એટલે ? આ શબ્દે ઉપનિષદના ભાષ્યકારોમાં થોડી ચર્ચા જન્માવી હતી, શંકરાચાર્ય અને એમના પૂર્વના ભાષ્યકારોમાં પણ. મૂળ શ્લોક શ્વેતાશ્વતરોપનિષદમાં આ પ્રમાણે છે, અને એનો અર્થ સંસ્કૃત વાંચતાં પણ સમજાય એવો છે : સૂક્ષ્મીતિસૂક્ષ્મ કલિલસ્ય મધ્યે વિશ્વસ્ય શ્રષ્ટારમનેક રૂપમ્... વિશ્વરવૈંક પરિવેષ્ટિતારં જ્ઞાત્વા શિવશાન્તિમત્યન્તમેતિ. આનો સીધો અર્થ સૂક્ષ્મથી સૂક્ષ્મ, અવિદ્યમાં સ્થિત, વિશ્વના સ્રષ્ટા અનેકરૂપ અને સંસારને એકમાત્ર ભોગપ્રદાન કરનારા શિવને મળીને/જાણીને જીવ પરમ શાંતિ પ્રાપ્ત કરે છે.</p>
<p>કેટલાક ટીકાકારોએ કલિલસ્ય મધ્યે એટલે અજ્ઞાનની મધ્યમાં, અવિદ્યાની મધ્યમાં, તમસ કે અંધકારની મધ્યમાં એવા અર્થો કર્યા છે. ઉપર જે અર્થ આપ્યો છે એ શંકરાચાર્યનો છે, પણ શંકરાનંદની વ્યાખ્યા જુદી છે, જે હવે સ્વીકૃત છે : સ્ત્રીની રજથી મળેલું પુરૂષનું વીર્ય થોડા સમય સુધી સ્થિર રહે છે, આ સ્થિતિને ‘કલિલ’ કહેવાય છે. (‘નારીવીયણ સંગત પૌરુષ વીર્ય મલ્પકાલસ્થંકલિલમિત્યુચ્યતે’.) આનો બીજો પણ એક બૃહદ અર્થ કરવામાં આવ્યો છે : જગતની રચના કરવાવાળા પાણીના પરપોટાની પૂર્વાવસ્થાને કલિલ અથવા ફીણવાળું પાણી કહેવામાં આવે છે.</p>
<p>ઉપનિષદમાં જીવન વિશે, મૃત્યુ વિશે, અનાદિની પહેલાં અને અનંતની પછી વિશેના પ્રશ્નો છે. મનુષ્યનું મસ્તક કઈ સીમા સુધી વિચાર કરી શકે છે એનું ઉપનિષદો પ્રમાણ છે, આમાં અસ્તિત્વ છે, અને મન-અસ્તિત્વ છે. અવસાન શું છે શ્વોતાશ્વતરોપનિષદ કહે છે : વિસ્તારની સમાપ્તિ ! મન શું છે? તેત્તિરીઓપનિષદ કહે છે : જેના દ્વારા જીવન મનન કરે છે એ અંતઃકરણ જ મન છે. કીર્તિ અને યશ શું છે? છાન્દોગ્યોપનિષદ કહે છે : કીર્તિ પ્રત્યક્ષ પ્રશંસા છે, યશ પરોક્ષ પ્રશંસા છે.</p>
<p>અને અપવાદ ? દોરડું જોઈને સર્પની ભ્રાંતિ થાય એ અધ્યારોપ છે, પણ કલ્પિત સર્પ પરથી દોરડાનું ભાન થાય એ અપવાદ છે. આ અત્યંત કઠિન વિષય છે. શંકરાચાર્ય લખે છે : નિષ્પ્રપંચને પ્રપંચિત કહી શકાય છે. અધ્યારોપ અને અપવાદ દ્વારા ! નિષ્પ્રપંચ બ્રહ્મમાં માયાનો આરોપ પ્રપંચ જન્માવે છે, અને પ્રપંચના અપવાદ દ્વારા શુદ્ધ બ્રહ્મનો સાક્ષાત્કાર કરાવી શકાય છે.</p>
<p><strong>ક્લોઝ અપ :</strong></p>
<p><strong>સોડહં ભગવો મન્ત્રવિદેવાસ્મિ નાત્મવિચ્છૃતં... નારદ</strong></p>
<p><strong>નારદ (સનતકુમારને) ભગવાન ! હું માત્ર શાસ્ત્રજ્ઞ છું, આત્મજ્ઞ નથી.</strong></p>
<p><strong>છાન્દોગ્યોપનિષદ : અધ્યાય : 7, ખંડ : 1, શ્લોક 3</strong></p>
<p><strong>(ગુજરાત ટાઈમ્સ : ફેબ્રુઆરી 23, 2001)</strong></p>]]></content:encoded>
                
                                                            <category>Magazine: બક્ષીત્વ</category>
                                    

                <link>https://www.khabarchhe.com/magazine--%E0%AA%AC%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5/upnishad/article-169710</link>
                <guid>https://www.khabarchhe.com/magazine--%E0%AA%AC%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AB%80%E0%AA%A4%E0%AB%8D%E0%AA%B5/upnishad/article-169710</guid>
                <pubDate>Thu, 07 Dec 2017 19:22:11 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2017-12/1512654500book--d.jpg"                         length="134948"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[chandrakant-bakshi - (ચંદ્રકાંત બક્ષી)]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        