<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.khabarchhe.com/magazine--%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A2%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4/category-87357" rel="self" type="application/rss+xml" />
                <generator>Khabarchhe RSS Feed Generator</generator>
                <title>Magazine: નાનાં મોઢે નાની વાત - Khabarchhe</title>
                <link>https://www.khabarchhe.com/category/87357/rss</link>
                <description>Magazine: નાનાં મોઢે નાની વાત RSS Feed</description>
                
                            <item>
                <title>લોન વસુલીની પણ અનેક તરકીબો ઉપલબ્ધ છે</title>
                                    <description><![CDATA[<p>વિજય માલ્યા અને નીરવ મોદી હજારો કરોડ રૂપિયાની લોન લઈને વિદેશ ભાગી ગયા એ ઘટના આમ તો ઘણી દુખદ ગણાય, પરંતુ આપણે ભારતીયો આનંદપ્રિય પ્રજા છીએ એટલે એ વાતે દુઃખી થવાને બદલે એ વિશે મજાક કરીને ખુશ રહેવામાં માનીએ છીએ. આથી જ સોશિયલ સાઈટ્સ પર માલ્યા-મોદી વિશેની બેસુમાર જોક્સ અને મજાક વાંચવા મળે છે. હકીકતમાં મોટા ભાગના લોકો આ કાંડ માટે માલ્યા તથા નીરવને દોષીત નથી ગણતા. ઊલટું, તેઓ બહુ સ્માર્ટ અને ચાલાક હોય એમ એમની છૂપી પ્રસંશા થતી જોવા મળે છે. એમ તો લોકો બેંકના કારભાર અને સરકારની તપાસ એજન્સીઓની પણ મજાક જ કરે છે. કોઈને લૂંટાઈ ગયેલા રૂપિયાની</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/magazine--%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A2%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4/loan-recovery-techniques/article-170073"><img src="https://www.khabarchhe.com/media/400/2018-02/1519301082nirav-modi-vijay-mallya.jpg" alt=""></a><br /><p>વિજય માલ્યા અને નીરવ મોદી હજારો કરોડ રૂપિયાની લોન લઈને વિદેશ ભાગી ગયા એ ઘટના આમ તો ઘણી દુખદ ગણાય, પરંતુ આપણે ભારતીયો આનંદપ્રિય પ્રજા છીએ એટલે એ વાતે દુઃખી થવાને બદલે એ વિશે મજાક કરીને ખુશ રહેવામાં માનીએ છીએ. આથી જ સોશિયલ સાઈટ્સ પર માલ્યા-મોદી વિશેની બેસુમાર જોક્સ અને મજાક વાંચવા મળે છે. હકીકતમાં મોટા ભાગના લોકો આ કાંડ માટે માલ્યા તથા નીરવને દોષીત નથી ગણતા. ઊલટું, તેઓ બહુ સ્માર્ટ અને ચાલાક હોય એમ એમની છૂપી પ્રસંશા થતી જોવા મળે છે. એમ તો લોકો બેંકના કારભાર અને સરકારની તપાસ એજન્સીઓની પણ મજાક જ કરે છે. કોઈને લૂંટાઈ ગયેલા રૂપિયાની પડી નથી.</p>
<p>આપણી આ મજાક વૃત્તિ પાછળનું એક કારણ એ છે કે સામાન્ય પ્રજા તરીકે આપણે પણ લેણાદેણીમાં આવી જ રમતો રમતાં હોઈએ છીએ. આપણે પણ અંગત ધોરણે લેવાતી અપાતી લોનની ચૂકવણીમાં આવા જ ધાંધિયાનો અનુભવ કરતાં હોઈએ છીએ. તમે કોઈને સારી ભાવનાથી પૈસા ઉધાર આપ્યા હોય એટલે કે લોન આપી હોય પછી એ પૈસા પાછા ક્યારે અને કેવી રીતે આવ્યા એનો અનુભવ જરૂર થયો હશે. લોન લેવા માટે તો લોકો જાતજાતના નાટકો અને તરકટો કરતાં જ હોય છે, પરંતુ લોન વસુલ કરનારાની રીત રસમો પણ ગજબની હોય છે. સ્વાભાવિક છે કે દરેકને પોતાની મહેનતના પૈસા પ્યારા હોય અને કોઈ એ પૈસા ગપચાવી જાય એ પસંદ ન જ આવે. લોન આપવા પાછળનું કારણ ગમે એ હોય, પરંતુ એ પૈસા પાછાં કઢાવવા માટે સૌ કોઈ પોતપોતાની પદ્ધતિ અપનાવતા જ હોય છે. પ્રસ્તુત છે કેટલીક તરકીબો.</p>
<p><strong>માણસને શરમમાં નાંખો:</strong></p>
<p>તમે જેને લોન આપી હોય એ પાછી લેવા માટે તમે બે-ચાર વાર માંગણી કરો અને તમને બરોબર જવાબ ન મળે એટલે તમે સમજી જાવ કે હવે કંઈક અલગ કરવું પડશે. એ ભાઈ સીધી રીતે પૈસા આપશે નહીં. આથી તમે સૌથી પહેલો ઈલાજ એને શરમમાં નાંખવાનો અજમાવો. મિત્રો કે પરિચીતો સાથે હોય ત્યારે તમે એની પાસે લેણી રકમ માંગશો. પેલા ભાઈ તમારી સામે તો નફ્ફટ થઈ જતા હતા, પરંતુ બીજાની હાજરીમાં એણે સરખો જવાબ આપવો જ પડશે. કોઈ વાયદો કરવો પડશે, કોઈ તારીખ આપવી પડશે. તમે થોડી ચાલાકી વાપરીને ત્યાં હાજર એકાદ જણને વચ્ચે નાંખીને કહી શકો કે જૂઓ ચમનભાઈ, તમે સાક્ષી છો હં કે? વાયદાની તારીખે તમે ચમનભાઈને ફરીથી યાદ કરીને તમારો કેસ મજબૂત બનાવી શકો છો. આ રીતે લોનની રકમ પાછી આવે એવી શક્યતા થોડી વધે છે.</p>
<p><strong>ધાકધમકી:</strong></p>
<p>આ રીતરસમ બધે ચાલતી નથી, કારણ કે સામી વ્યક્તિ જો માથાભારે હોય તો લેવાના દેવા થઈ જાય. આમ છતાં પોતાના લેણા નીકળતા પૈસા પાછા કઢાવવા માટે લોકો થોડુંઘણું જોખમ લઈ લેતા હોય છે. લોન વસુલી માટેની ધાકધમકી બે રીતે અપાય છે. એક, દેણદાર વ્યક્તિ એકલી હોય ત્યારે તમારે તમારે બે-ચાર તગડા દોસ્તારો સાથે એની પાસે જવાનું, પૈસા માંગવાના અને ધમકી આપવાની. બીજી રીત દેણદાર વ્યક્તિ પોતાના ઘરે હોય ત્યારે એના કુટુંબીજનોની હાજરીમાં એને ધમકી આપવાની. જો તમારો રૂઆબ વખાણવાલાયક હશે અને સામેની વ્યક્તિ થોડી નબળી હશે તો આ તરકીબ કામયાબ નીવડી શકે છે.</p>
<p><strong>ચીજવસ્તુઓ ઊપાડી લાવો:</strong></p>
<p>લોન લેનાર વ્યક્તિ ગમે એટલી માથાંભારે હોય છતાં પોતે પૈસા ચુકવવાના છે એ વાતનો બોજ એના મન પર હોય જ છે. આથી એ એકદમ દિલ ખોલીને આક્રમક નથી બની શકતી. આથી જો તમે એકાદ વાર એના ઘરે કે એની ઓફિસે જઈને ખૂબ જ ગુસ્સો વ્યક્ત કરો અને પછી ગુસ્સામાં જ એના ઘર કે ઓફિસની કોઈ ચીજ વસ્તુઓ ઊપાડી લાવો તો એ કંઈ બોલી નહીં શકે. જોકે આમાં તમારે જે મળે એનાથી સંતોષ માની લેવો પડે. ચીજ વસ્તુની કીંમત અને તમે આપેલી લોનની રકમ વચ્ચે કોઈ મેળ બેસાડવાની કોશિષ ન થઈ શકે. ચીજ વસ્તુઓ ઊપાડી લાવો એટલે ફૂલ એન્ડ ફાઈનલ સેટલમેન્ટ થઈ જાય. ગણતરી તમારે માંડી લેવાની.</p>
<p><strong>લોન અને વ્યાજની રકમ વધારી દેવી:</strong></p>
<p>સૌરાષ્ટ્રમાં ઉધારીનો મહિમા બહુ મોટો છે. ખાસ તો પાનવાળાને ત્યાં મોટા ભાગના માવા ખાનારાઓને ખાતા ચાલતાં હોય. પાનવાળાને ત્યાં ખાતું હોય એને માવો ખાનારા સ્ટેટસ સિમ્બોલ સમજતાં હોય છે. એટલું જ નહીં, માવા કે પાન ખાઈને પછી હાલતાં થવાની ક્રીયાને પણ સ્ટેટસ સિમ્બોલ ગણતા હોય છે. તેઓ ક્યારે પૂછે નહીં કે ગઈકાલના કેટલા હતા અને આજે કેટલા થયા? ટોટલ કેટલા થયા? માવો ખાનારા માવો ખાઈને જાય એ પછી પાનવાળો પોતાના મનમાં આવે એટલી રકમ માવા ખાનારાનાં ખાતામાં લખી નાંખે. હવે અહીં લેણાદેણીની બહુ મોટી કશ્મકશ હોય છે. પાનવાળો એમ વિચારે આ નવાબસાહેબ ભલે પૈસાની ચિંતા નથી કરતાં, પણ એમના પૈસા ક્યારે આવશે એનું કંઈ ટેકાણું નથી. આથી પાનવાળો સમજીને જ ખાનારાનાં ખાતાંમાં ડબલ રકમ લખતો જાય. એમ વિચારીને કે અડધા આવે તોય મારા પૈસા નીકળી જશે. સામે પક્ષે માવા ખાનારો પણ એમ વિચારતો હોય કે બેટા, લખ જેટલા લખવા હોય એટલા, ચુકવવાના તો મારે જ છે ને. આ રીતે ઉધારની એટલે કે લોનની રકમ વધારી દેવાથી મુદ્દલ પાછી આવી જવાના ચાન્સ ઉજળા થઈ જાય છે. અંગત વહેવારમાં પણ ઘણા લોકો આ ટેકનિક અજમાવીને આપેલી લોનની રકમ તથા એના પર લાગેલા વ્યાજની રકમ ખૂબ વધારી ચઢાવી દેતા હોય છે. એમ કરવાથી લોન લેનાર દલીલ કરવા લાગે છે કે ના, આટલા બધા નથી આપવાના મારે. પછી માંડવલી થાય, તો પછી કેટલા આપો છો બોલો. અને આ રીતે સેટલમેન્ટમાં પૈસા પાછા આવી જાય એવી શક્યતા વધે છે.</p>
<p><strong>સહાનુભૂતિ પેદા કરવી, બીજું કંઈક માંગી લેવું:</strong></p>
<p>જ્યારે લોન લેનાર વ્યક્તિ કોઈ શરમમાં ન આવે, ધાકધમકીની એને અસર ન થાય ત્યારે છેલ્લો ઉપાય એના શરણમાં ઢળી પડવાનો છે. તમારે એની પાસેથી પૈસા લેવાના છે, પણ એ મચક ન આપે એવો માથાંભારે છે, છતાં તમે છેલ્લી બાજી રમી લેવા માંગતા હોવ તો એને તમારા પ્રત્યે સહાનુભૂતિ પેદા થાય એવું કંઈક કરો. તમે અત્યાર કેવી મોટી મુશીબતમાં છો એની સુંદર મજાની વાર્તાઓ બનાવો. એવી કહાણી એને કહો કે એનું હ્રદય પીગળી જાય. આખરે એ પણ માણસ છે. આ રીતે એ તમારા પર દયા ખાઈને તમારી લેણી રકમનો એક નાનો ભાગ તમને પાછો આપી શકે છે. આ સ્થિતિમાં તમે બીજી ટ્રીક અપનાવીને એની પાસે પડી હોય એવી બીજી કોઈ ચીજ માંગી શકો. દા. ત. એને કપડાંની દુકાન હોય તો તમે કહી શકો કે મારા ઘરે પ્રસંગ આવે છે અને મારી પાસે બિલકુલ પૈસા નથી. તો મારા કુટુંબીજનોના લગ્નના કપડાં મફતમાં આપીને મને મદદ કર. એને એમ નહીં કહેવાનું કે મારે લેવાના નીકળે છે એમાંથી આપ. આ રીતે લોનની રકમમાંથી જેટલી થઈ શકે એટલી વસુલી કરી શકો.</p>
<p><strong>બીજાને હવાલો આપી દો:</strong></p>
<p>આ એક ખૂબ જ અસરકારક તરકીબ છે લોન વસુલીની. તમારે કોઈની પાસેથી પૈસા લેવાના નીકળતા હોય અને એ વ્યક્તિ જો તમને પૈસા પાછા ન આપતી હોય તો એનો અર્થ એ નથી કે એ બીજા કોઈને પણ નહીં આપે. એ તમને મામુ સમજે છે એટલે તમને નથી આપતો, પરંતુ જો તમે એના કરતાં પણ વધુ માથાંભારે તત્ત્વોને વચ્ચે નાંખો તો વાત આખી બદલાઈ જાય. આમાં એવું કરવાનું હોય કે તમારા એરિયાના કોઈ મવાલી કે પઠાણને લઈને એની પાસે જવાનું. પઠાણ એ ભાઈને પૂછશે કે તારે આમને (એટલે કે તમને) પચાસ હજાર રૂપિયા આપવાના છે? દેણદાર વ્યક્તિ ના નહીં પાડી શકે. એ હા કહેશે એટલે પઠાણ એને કહેશે કે હવે તારે એ રકમ મને આપવાની છે. મેં હવાલો લીધો છે. દેણદારે સહમત થવું પડશે. આ રીતે તમે છૂટ્ટા. પછી પેલો પઠાણ તમારા દેણદાર સાથે ફોડી લેશે. આમ તમે લોનનો હવાલો આપી દીધો કહેવાય. પઠાણ લોન વસુલ કરીને પછી નક્કી થયા મુજબ પોતાનો કટ કાપી લેશે અને બાકીની મુદ્દલ તમને પાછી આપી દેશે.</p>
<p>હવે આ આખો મામલો વિજય માલ્યા અને નીરવ મોદીના કારણે ઊભો થયો હતો. ભારતની બેંક અને સરકારો જો આ બે ભાગેડુઓ પાસેથી લોન વસુલ કરવા માંગતી હોય તો એમની સામે કઈ રીત તરકીબ અજમાવાય? મને લાગે છે કે હવાલાવાળી તરકીબ એમના પર અજમાવી શકાય. આ બંને ફાંદેબાજો જે વિદેશમાં ભાગી ગયા છે ત્યાંની સરકારને એમની પાસેથી લેણી નીકળતી રકમનો હવાલો આપી દેવો જોઈએ. આ દેશ પાસેથી આપણે સંરક્ષણની સામગ્રી કે બીજી કોઈ મોટી ખરીદી કરીને પછી ત્યાંની સરકારને કહેવું જોઈએ કે પૈસા તમે વિજય માલ્યા તથા નીરવ મોદી પાસેથી વસુલી કરી લો. અમારે એમની પાસેથી લેવાના જ નીકળે છે. જો ત્યાંની સરકાર હવાલો લેવા સહમત થાય તો આપણા માથેથી ટેન્શન જાય. પછી માલ્યા-નીરવ અને ત્યાંની સરકાર આપસમાં ફોડી લે. કેવો સરસ આઈડીયા છે નહીં?</p>]]></content:encoded>
                
                                                            <category>Magazine: નાનાં મોઢે નાની વાત</category>
                                    

                <link>https://www.khabarchhe.com/magazine--%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A2%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4/loan-recovery-techniques/article-170073</link>
                <guid>https://www.khabarchhe.com/magazine--%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A2%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4/loan-recovery-techniques/article-170073</guid>
                <pubDate>Thu, 22 Feb 2018 17:36:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2018-02/1519301082nirav-modi-vijay-mallya.jpg"                         length="90196"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[nikhilmehta-author - (નિખિલ મહેતા)]]></dc:creator>
                            </item>
            <item>
                <title>પ્રિયા પ્રકાશના વીડિયોની સફળતાનું રહસ્ય શું છે?</title>
                                    <description><![CDATA[<p>ગયુ આખું અઠવાડિયું પ્રિયા પ્રકાશનું હતું. કેરળની આ છોકરીએ આખા દેશને ગાંડો કર્યો. વાત કંઈ બહુ મોટી નહોતી. એની આગામી ફિલ્મનો એક સીન સોશિયલ મીડિયામાં વહેતો થયો અને જોતજોતામાં એટલો લોકપ્રિય બની ગયો કે જ્યાં જુઓ ત્યાં બસ, એ જ વીડિયો દેખાય. જેને વીડિયો વાયરલ કહેવાય છે એ ઘટના બની ગઈ.</p>
<p>વાત એકદમ જેન્યુઈન હતી. આમાં કોઈ જબરજસ્તી નહોતી, કોઈએ માર્કેટિંગ કરીને એને પ્રમોટ નહોતી કરી. કોઈએ એવી ભીખ નહોતી માંગી કે આ વીડિયોને શેર કરો અને એને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. ફેસબૂક જેવી સોશિયલ સાઈટ પર તો એવી હાલત થઈ કે અમુક કલાકો સુધી ત્યાં પ્રિયા પ્રકાશ સિવાયનું</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/magazine--%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A2%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4/what-is-secret-behind-success-of-priya-varriers-viral-video/article-170072"><img src="https://www.khabarchhe.com/media/400/2018-02/1518876797priya-d.jpg" alt=""></a><br /><p>ગયુ આખું અઠવાડિયું પ્રિયા પ્રકાશનું હતું. કેરળની આ છોકરીએ આખા દેશને ગાંડો કર્યો. વાત કંઈ બહુ મોટી નહોતી. એની આગામી ફિલ્મનો એક સીન સોશિયલ મીડિયામાં વહેતો થયો અને જોતજોતામાં એટલો લોકપ્રિય બની ગયો કે જ્યાં જુઓ ત્યાં બસ, એ જ વીડિયો દેખાય. જેને વીડિયો વાયરલ કહેવાય છે એ ઘટના બની ગઈ.</p>
<p>વાત એકદમ જેન્યુઈન હતી. આમાં કોઈ જબરજસ્તી નહોતી, કોઈએ માર્કેટિંગ કરીને એને પ્રમોટ નહોતી કરી. કોઈએ એવી ભીખ નહોતી માંગી કે આ વીડિયોને શેર કરો અને એને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો. ફેસબૂક જેવી સોશિયલ સાઈટ પર તો એવી હાલત થઈ કે અમુક કલાકો સુધી ત્યાં પ્રિયા પ્રકાશ સિવાયનું બીજું કંઈ દેખાતું જ નહોતું. લોકપ્રિયતા એકદમ સ્પોન્ટેનિયસ હતી, સ્યંસ્ફૂરીત હતી. સૌએ એક અવાજે એને વખાણી એટલું જ નહીં, એન્જોય કરી, માણી. એના વિશે તરહ તરહની કમેન્ટ કરી. વીડિયોની લોકપ્રિયતા બાબતે કોઈ જ શક નથી. </p>
<p>વીડિયોનું વાયરલ થવું એ આજના ઈન્ટરનેટ મિડિયમની એક મોટી સચ્ચાઈ છે. વિશ્વભરમાં અનેક પ્રોફેશનલો પોતાની વીડિયો વાયરલ કરવા માટે સતત પ્રયાસો કરતા રહે છે. આનું એક મોટું કારણ એ કે વીડિયો વાયરલ થાય તો એનું પૈસામાં રૂપાંતર થઈ શકે છે. પહેલા આ વાત ઓછા લોકો જાણતા હતા, પરંતુ હવે ઘેર ઘેર વાત પહોંચી ગઈ છે અને દરેક યંગસ્ટર પોતાની વીડિયો વાયરલ થઈ જાય એવું સપનું જોવે છે. એક વીડિયો વાયરલ થાય અને એના પર આખી કરિયર ખડી જાય એવું પણ બને.</p>
<p>પ્રિયા પ્રકાશની વાત કરીએ તો એના પ્રોડ્યુસરોએ આ વીડિયો ખાસ કંઈ ઈન્ટરનેટ પર એને વાયરલ કરવા નથી બનાવી. આ વીડિયો એક ફિલ્મનો અંશ છે અને એક અંશ તરીકે જ સોશિયલ મીડિયામાં એ પ્રસિદ્ધ કરવામાં આવી છે. ફ્લુકમાં આ વીડિયો અનહદ સફળ થઈ ગઈ એ વાત અલગ છે. મૂળ પ્રશ્ન વિચારીએ તો એવું શું છે આ વીડિયોમાં કે યુવાનો અને મોટી ઉંમરના પુરુષો એની પાછળ આટલા ઘેલા થઈ ગયા. પુરુષોમાં કદાચ આ બાબતે એકમત હશે, પરંતુ સ્ત્રીઓને ખરેખર નવાઈ લાગતી હશે કે આ છોકરીમાં કે વીડિયોમાં એવું શું છે કે પુરુષો એની પાછળ આવા ગાંડા થઈ ગયા. વેલ, પ્રશ્ન બહુ મુદ્દાનો છે. એવું શું છે આ વીડિયોમાં ખાસ? આપણે એક પછી એક પાસાં વિશે વિચાર કરીએ.</p>
<p><strong>સુંદરતા:</strong></p>
<p>વીડિયોની હીરોઈને પ્રિયા પ્રકાશ માંડ અઢાર વર્ષની છે અને એનો ચહેરો ઘણો જ સુંદર છે. આમ છતાં પ્રિયા કંઈ એવી સુંદર નથી કે જેની કોઈએ અગાઉ કલ્પના ન કરી હોય. એના ચહેરાના ફિચર્સ પ્રમાણમાં ઓર્ડિનરી છે. હા, યંગ છે એટલે ચહેરા પર તાજગી છે, પરંતુ ચહેરાનો કોઈ પણ માપદંડથી એક્સ્ટ્રા ઓર્ડિનરી ન કહી શકાય. નિશ્ચિતપણે પ્રિયા પ્રકાશ કરતાં વધુ સુંદર ચહેરાવાળી અનેક છોકરીઓની વીડિયો બની હશે અને એ દરેક કંઈ આવી સફળ નથી થઈ. આથી ચહેરાની સુંદરતા આ વીડિયોની સફળતા માટે જવાબદાર નથી એવું માની શકાય.</p>
<p><strong>અદા, અંદાજ:</strong></p>
<p>વીડિયોનું મુખ્ય આકર્ષણ પ્રિયાની અદા છે. એના બોયફ્રેન્ડની સામે એ ઈશારા કરે છે એમાં પહેલા એ નેણ ઊંચીનીચી કરે છે અને પછી આંખ મારે છે. હવે આ નેણ ઊંચીનીચી કરવી એ કંઈ બહુ આકર્ષક અદા નથી. કદાચ સાઉથમાં ક્લાસીકલ ડાન્સીસની લોકપ્રિયતાને કારણે એનું મહત્ત્વ હશે, પરંતુ એ સિવાયના પ્રદેશોમાં નેણની ખેંચતાણ એ કોઈને ઘાયલ કરી દે એવી અદા નથી ગણાતી. એ જ રીતે આંખ મારવાની અદા પણ એકદમ આઉટડેટેડ છે. અમુક લોકોને તો એ ચીપ લાગે. આંખ મારે એ સ્ત્રીને પુરુષો ક્યારેય ગંભીરતાથી નથી લેતા અને આ વીડિયોને પણ પુરુષો ગંભીરતાથી લીધા વિના પસંદ કરે છે. આમ વીડિયોમાં પ્રિયા પોતાની અદાને કારણે લોકપ્રિય બની એવું ન માની શકાય. આમ જોઈએ તો વીડિયોમાં કોઈ નવી કે આકર્ષક અદા છે જ નહીં. અદાની દષ્ટિએ જોઈએ તો એની જે બીજી વીડિયો રિલીઝ થઈ એમાં આંગળીઓને બંદુક બનાવીને એ જે રીતે ગોળી છોડે છે એ અદા વધુ આકર્ષક અને સોફિસ્ટિકેટ છે, છતાં બીજી વીડિયો એટલી લોકપ્રિય ન બની. દંતકથા તો પહેલીવાળી વીડિયો જ બની ગઈ, જેમાં અદા એવી કોઈ વિશેષ નથી. તો અદા અને અંદાજ પણ આ વીડિયોની સફળતાનું મુખ્ય કારણ નથી.</p>
<p><strong>ગીત સંગીત અને ડાન્સ:</strong></p>
<p>આ વીડિયોની એક અનોખી વાત એ છે કે એમાં કોઈ ગીત સંગીત કે ડાન્સ નથી છતાં એ આવી લોકપ્રિય બની છે. છેલ્લા કેટલાક સમયની વાયરલ વીડિયોનો અભ્યાસ કરીએ તો એમાં સૌથી મોટું ફેકટર ગીતસંગીત અને ડાન્સ જણાયું છે. આ સંદર્ભમાં પ્રિયાની વીડિયોની સફળતા ઘણી મોટી ગણાય. અલબત્ત, વીડિયોમાં બેકગ્રાઉન્ડ સ્કોર છે, પરંતુ એ વીડિયોનું મુખ્ય પાસું નથી.</p>
<p><strong>ચહેરાના હાવભાવ અને ક્લોઝ અપ:</strong></p>
<p>પ્રિયા પ્રકાશનો ચહેરો સાઉથની એવરેજ છોકરીની દષ્ટિએ નોર્મલ ગણાય, પરંતુ એકંદર ભારતીય છોકરીના ચહેરા સાથે એની સરખામણી કરી તો એનો ચહેરો ઘણો મેચ્યોર્ડ લાગે. એના ફિચર્સ ટિપિકલ સધર્ન ગર્લના છે. આવા ચહેરા બહુ જ ભાવવાહી હોય છે. વીડિયોમાં ઘટના જેમ બનતી જાય છે એમ છોકરીના હાવભાવ પરફેક્ટ રીતે ચહેરા પર ઉપસે છે. એમાંય મોટા ભાગના શોટ ક્લોઝ અપ હોવાથી ચહેરાના હાવભાવ ખૂબ જ અસરકારક નીવડે છે. જોકે આ ફેક્ટરને એક વધારાનું આકર્ષણ કહી શકાય, એના કારણે કંઈ આખી વીડિયો વાયરલ ન થાય.</p>
<p><strong>રમૂજ, મસ્તી, સ્ક્રીપ્ટ:</strong></p>
<p>ફિક્શન પર આધારીત કોઈ પણ સફળ કૃતિમાં મુખ્ય હીરો એની સ્ક્રીપ્ટ જ હોય છે. વીડિયોની વાર્તા જે રીતે અનફોલ્ડ થતી જાય એમ ટેન્શન બિલ્ડ અપ થાય અને છેવટે ક્લાઈમેક્સ, જેમાં સુખદ ચમત્કૃતિ હોય છે. સફળ સ્ક્રીપ્ટના દરેક તત્વો આ વીડિયોમાં છે. છોકરો અને છોકરી દ્વારા નેણ ઊંચીનીચી કરવી અને છેવટે છોકરી આંખ મારે અને છોકરો સાવ પીગળી જાય. ડ્રામાના તત્વનો બરોબર પકડવામાં આવ્યું છે. આંખ મારવી અને છોકરાનું પ્રતિકાત્મક રીતે ઘાયલ થવું એ મસ્તીની છોળો ઊડાડવા સમાન છે. આ રીતે વીડિયોની સફળતામાં એની સ્ક્રીપ્ટ ઘણો જ અગત્યનો ભાગ ભજવે છે, છતાં એને સફળતાનો બધો જ જશ ન આપી શકાય, કારણ કે આવી અને આનાથી વધુ સારી સ્ક્રીપ્ટવાળી વીડિયો પણ બનતી હોય છે, પરંતુ એ બધી આટલી સફળ નથી થતી. છતાં સારી સ્ક્રીપ્ટ વિના આ વીડિયો સફળ ન બની શકી હોય એ વાત નક્કી.</p>
<p><strong>ટાઈમિંગઃ વેલેન્ટાઈન્સ વીક:</strong></p>
<p>એ ખરું કે સોશિયલ મીડિયામાં જ્યારે વેલેન્ટાઈન્સ ડેનો ફીવર હોય ત્યારે પ્રેમનો એકરાર કરતી કોઈ તાજી વીડિયો માર્કેટમાં આવે તો એને સારો આવકાર મળે, પરંતુ આ વીડિયોને જે પ્રમાણમાં સફળતા મળી એ અલગ પરીમાણ સૂચવે છે. વેલેન્ટાઈન્સ વીકને લીધે લોકોએ સોશિયલ મીડિયામાં એને વધુ શેર કરી હોય એ બની શકે. આ વીડિયો દ્વારા લોકો, ખાસ તો પુરુષો પોતાના ઈશ્કને વ્યક્ત કરવાનો આનંદ લેવા લાગ્યા એ પણ ખરું. આમ છતાં ટાઈમિંગના ફેક્ટરને એક હદથી વધુ મહત્ત્વ ન આપી શકાય.</p>
<p><strong>ટીનએજ લવ અને નોસ્ટાલ્જિયા:</strong></p>
<p>દરેક સ્ત્રીપુરુષના દિલમાં સ્કૂલ તથા કોલેજ કાળના સ્મરણો હંમેશાં માટે અંકિત થયેલા હોય છે. ક્યારેક એવું બને કે વર્ષો સુધી એનો ખ્યાલ પણ ન આવે અને પછી અચાનક એવું કંઈક બને અથવા એવું જોવા મળે, જે જૂની યાદો તાજી થઈ જાય. જૂની યાદો વાગોળવાની આ પળો બહુ જ મધુર હોય છે. જ્યારે જ્યારે ટીનએજરો પર કોઈએ સારી ફિલ્મ બનાવી છે ત્યારે એને અભૂતપૂર્વ સફળતા મળી છે અને એની પાછળનું કારણ આ જ છે. બોબી, એક દૂજે કે લિયે કે તાજેતરમાં બનેલી મરાઠી ફિલ્મ સૈરાટમાં આ જ વાત છે. આવી ફિલ્મોને ફક્ત ટીએજરો અને યુવાનો જ નહીં, દરેક ઉંમરના લોકો પસંદ કરે છે. કારણ ફક્ત એ જ કે એ સૌને અંદરથી અપીલ કરે છે. પ્રિયા પ્રકાશની વીડિયોમાં સ્કૂલના વાતાવરણનું એ દશ્ય દરેકને પોતપોતાની તરુણાવસ્થાની યાદ અપાવી ગયું. લોકોને જૂના ગીતો પસંદ પડતા હોવાનું કારણ પણ આ જ છે. તર્ક સાથે માઈન્ડને અપીલ કરવી હોય તો એ માટે પ્રયાસો કરવા પડે, પરંતુ હ્રદયને અપીલ કરવામાં વિશેષ પ્રયાસ નથી કરવા પડતા. બસ, એક ઈમોશનલ અપીલ જોઈએ. લાગણીના તંતુને સ્પર્શવાની જરૂર પડે. પ્રિયા પ્રકાશની વીડિયોએ ભલભલા પુરુષોને પીગાળી નાંખ્યા, એમને ઈમોશનલી ઓગાળી નાંખ્યા. એમને મજા પડી ગઈ અને એ મજા તેઓ સોશિયલ મીડિયામાં વ્યક્ત કરવા લાગ્યા. વાત ફેલાતી ગઈ અને વીડિયો વાયરલ બની ગઈ.</p>
<p><strong>ઈત્તેફાક, પોઝિટિવ ફેક્ટરોનું ગ્રાન્ડ મિક્સચર:</strong></p>
<p>જેમ હિન્દી ફિલ્મોની કોઈ સ્યોરશોટ ફોર્મ્યુલા નથી હોતી એમ વાયરલ વીડિયોની પણ કોઈ સ્યોર શોટ ફોર્મ્યુલા નથી હોતી. વીડિયો વાયરલ ત્યારે બને છે, જ્યારે પોઝિટિવ ફેક્ટરોનું એક આકસ્મિક મિશ્રણ બની જાય. પ્રિયા પ્રકાશની વીડિયોમાં સારી સ્ક્રીપ્ટ, ટીનએજ પાત્રો, તાજગીસભર ભાવવાહી ચહેરા, ક્લોઝ અપ્સ સાથેની ટોપ સિનેમેટોગ્રાફી, ઈમોશનલ અપીલ અને નોસ્ટાલ્જિયા ફેક્ટરનું એક પરફેક્ટ સંયોજન થયું છે, જે આ વીડિયોનો અત્યંત સફળ અને વાયરલ બનાવે છે.</p>
<p>વાત નવાઈભરી છે, પરંતુ જરા ઊંડા ઊતરીએ તો કંઈ જ નવાઈભર્યું નથી. આજે પ્રિયા પ્રકાશ છે, આવતી કાલે બીજું કોઈ આવશે. વાત તો આ જ રહેશે.</p>]]></content:encoded>
                
                                                            <category>Magazine: નાનાં મોઢે નાની વાત</category>
                                    

                <link>https://www.khabarchhe.com/magazine--%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A2%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4/what-is-secret-behind-success-of-priya-varriers-viral-video/article-170072</link>
                <guid>https://www.khabarchhe.com/magazine--%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A2%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4/what-is-secret-behind-success-of-priya-varriers-viral-video/article-170072</guid>
                <pubDate>Sun, 18 Feb 2018 19:43:22 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2018-02/1518876797priya-d.jpg"                         length="59744"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[nikhilmehta-author - (નિખિલ મહેતા)]]></dc:creator>
                            </item>
            <item>
                <title>લડાઈ-ઝઘડા કરવાની અવનવી તરકીબો</title>
                                    <description><![CDATA[<p>ભારતીય જનતા પક્ષની નારાજગી કોંગ્રેસ સાથે છે. નારાજગી એટલી બધી છે કે એ હંમેશાં કોંગ્રેસમુક્ત ભારતની વાત કરતો રહે છે. આ સપનું તો સાકાર થતું લાગતું નથી એટલે ભાજપના નેતાઓ કોંગ્રેસની ટીકા કરતાં રહે છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચેનો ઝઘડો સતત ચાલતો રહે છે અને ચાલતો રહેવાનો છે. મજાની વાત એ છે કે ઝઘડો એ જ છે, પરંતુ એના સ્વરૂપ બદલાતા રહે છે. અવારનવાર આ ઝઘડામાં નવાં ઇનોવેશન્સ આવતા રહે છે. આજે સાંઠ વર્ષ પહેલાની વાતનો ઉલ્લેખ કરીને જો અને તોના તર્ક પર ટીકા કરવી એ ઝઘડાનું બહુ ક્રિયેટિવ સ્વરૂપ ગણાય. કોંગ્રેસ પર પ્રહાર કરવાનો હોય ત્યારે ભાજપના નેતાઓની ક્રિયેટિવિટી</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/magazine--%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A2%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4/different-types-of-fights/article-170071"><img src="https://www.khabarchhe.com/media/400/2018-02/1518262785couple-fight-d.jpg" alt=""></a><br /><p>ભારતીય જનતા પક્ષની નારાજગી કોંગ્રેસ સાથે છે. નારાજગી એટલી બધી છે કે એ હંમેશાં કોંગ્રેસમુક્ત ભારતની વાત કરતો રહે છે. આ સપનું તો સાકાર થતું લાગતું નથી એટલે ભાજપના નેતાઓ કોંગ્રેસની ટીકા કરતાં રહે છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચેનો ઝઘડો સતત ચાલતો રહે છે અને ચાલતો રહેવાનો છે. મજાની વાત એ છે કે ઝઘડો એ જ છે, પરંતુ એના સ્વરૂપ બદલાતા રહે છે. અવારનવાર આ ઝઘડામાં નવાં ઇનોવેશન્સ આવતા રહે છે. આજે સાંઠ વર્ષ પહેલાની વાતનો ઉલ્લેખ કરીને જો અને તોના તર્ક પર ટીકા કરવી એ ઝઘડાનું બહુ ક્રિયેટિવ સ્વરૂપ ગણાય. કોંગ્રેસ પર પ્રહાર કરવાનો હોય ત્યારે ભાજપના નેતાઓની ક્રિયેટિવિટી બહુ જ ખીલી ઊઠતી હોય છે. કોંગ્રેસ પણ વિરોધ પક્ષ તરીકે ભાજપની તથા કેન્દ્ર સરકારની ટીકા કરતી રહે છે, પરંતુ એની ઝઘડા કરવાની સ્ટાઈલ પરંપરાગત છે અને પ્રમાણમાં હળવી છે. જો કોઈ મણિશંકર મર્યાદા ઓળંગીને બોલે તો રાહુલ ગાંધી એમને ચૂપ કરી દે છે. </p>
<p>ઝઘડા કરવામાં નવી નવી તરકીબો અજમાવવાનો ઈજારો ફક્ત રાજકારણીઓનો જ નથી, સામાન્ય લોકો પણ પોતપોતાની રીતે ઝઘડાના નવા નવા સ્વરૂપો વિકસાવતા રહે છે. પહેલાના સમયમાં તો ફક્ત બે પ્રતિસ્પર્ધીઓ વચ્ચે ફક્ત દ્વંદ યુદ્ધ થતાં. એટલે કે બે જ જણા બાથંબાથ લડીને કોઈ વધુ શક્તિશાળી છે એનો ફેંસલો કરી લેતા. ત્યાર પછી મોટા પાયે સામુહિક લડાઈઓ શરૂ થઈ. યુદ્ધ શરૂ થયા. યુદ્ધમાં કેટલાક નીતિનિયમો પાળવામાં આવતા. સાંજ પછી યુદ્ધ બંધ થઈ જતું. નિશસ્ત્ર દુશ્મન પર શસ્ત્ર ન ઊગામવું એવી પણ નીતિ સૌએ સ્વીકારી હતી. આવા શિસ્તબદ્ધ લડાઈ-ઝઘડાનો સમય તો ક્યારનો પૂરો થયો. હવે આધુનિક જમાનામાં તો લોકો અવનવી તરકીબો અજમાવીને લડતા રહે છે. કેટલીક તરકીબો અને એના તરકટ સમજવા જેવા છે.</p>
<p>લડાઈ-ઝઘડાનો પહેલો પ્રકાર છે હૂલબાજીનો. </p>
<p>પહેલાના સમયમાં યુદ્ધ થાય ત્યારે કોઈ થર્ડ પાર્ટી વચ્ચે દરમિયાનગીરી કરીને છોડાવવા નહોતી આવતી. બે સૈનિક સામસામે લડે એટલે બેમાંથી એકે મરવાનું નિશ્ચિત હોય. હવેના સમયમાં લડી રહેલી બે પાર્ટીને છોડાવનારી એક પ્રજાતિ પેદા થઈ છે, કારણ ફક્ત એ કે લડાઈ-ઝઘડાને સારી વાત નથી ગણવામાં આવતી એટલે થર્ડ પાર્ટી વચ્ચે પડીને ઝઘડી રહેલી બે પાર્ટીને છૂટી પાડે, એમને સમજાવે અને એમને વધુ ઝઘડતા અટકાવે. પ્રોબ્લેમ એ છે કે બે વ્યક્તિ ઝઘડી રહી હોય તો એ જોઈને બધાને તકલીફ નથી થતી. ફક્ત અમુક દોઢ ડાહ્યા લોકો જ એમને છૂટા પડાવવાની કોશિશ કરે છે. બાકીનાને તો મફતનો તમાશો જોવાની મજા આવતી હોય છે. છોડાવનારી થર્ડ પાર્ટીની હાજરીને કારણે ઝઘડી રહેલી પાર્ટીઓની માનસિકતા પણ ઘણી બદલાઈ જતી હોય છે. સામાન્ય સંજોગોમાં નબળી વ્યક્તિ સામેથી હાર સ્વીકારીને હરીફના હાથે વધુ માર ન ખાવો પડે એટલે શરણે આવી જતી હોય છે, પરંતુ છોડાવનારી થર્ડ પાર્ટીની હાજરી એમનામાં હિંમત ભરી દે છે. તેઓ એમ વિચારે છે કે ચાલો થોડી હિંમત કરીને ગાળાગાળી કરી લઈએ, અસલી મારામારી થશે ત્યારે છોડાવનારા તો વચ્ચે આવવાના જ છે. આ રીતે એક કાલ્પનિક લડાઈની પહેલા એકબીજાને પડકારો ફેંકવા, ધમકીઓ આપવી, ગાળાગાળી કરવી વગેરે જેવા ઝઘડા માટેના ફોરપ્લેનો તબક્કો આવે છે. ફોરપ્લેના નામ અનુસાર એમાં ઘણો આનંદ છે. લડી રહેલી બે પાર્ટીઓને શૂરાતન ચડે છે અને કોઈ જોખમ વિના તેઓ બહાદૂરી દાખવ્યાનો આનંદ મેળવે છે. આસપાસ જમા થયેલા પ્રેક્ષકો કોઈ ખતરનાક જંગ ખેલાવાની અપેક્ષાએ થ્રિલ અને આનંદ અનુભવે છે. આ પ્રકારની મોટા ભાગની ફેક ફાઈટિંગમાં છોડાવનારા વચ્ચે પડીને મામલો થાળે પાડે છે અને જો કોઈ વચ્ચે ન આવે તો લડી રહેલી બંને પાર્ટી સમજીને પોતાની મેળે જ ઠંડી પડી જાય છે. </p>
<p><strong>લડાઈ ઝઘડા કરવાનો બીજો પ્રકાર છે આક્રમણનો. </strong></p>
<p>અહીં લડાઈ કરનાર વ્યક્તિ પોતાના હરીફ સામે દરેક પ્રકારના આક્રમણનો ઉપયોગ કરે છે. હરીફની કોઈ નાની ભૂલ થઈ જાય કે પોતાને અનુકૂળ ન આવે એવી કોઈ ઘટના બને ત્યારે લડનારી પાર્ટી હરીફ પર સીધુ આક્રમણ કરે છે. દરેક વાતમાં એનો જ વાંક છે એ પ્રકારની દલીલો શરૂ કરે છે, ઊંચા અવાજે બોલવા માંડે છે. જરૂર લાગે ત્યાં અસભ્ય શબ્દોનો પ્રયોગ કરે છે અને હરીફે મોટો ગુનો કર્યો હોય એવો માહોલ ઊભો કરે છે. લગ્નના અમુક વર્ષો પછી પત્નીઓમાં આ પ્રકારના જંગની કાબિલેયત વિશેષરૂપે ખીલતી હોય છે, જેનો ભોગ એના પતિદેવો બનતા હોય છે. લડાઈ-ઝઘડા માટે આક્રમણ શસ્ત્રનો ઉપયોગ કરનારનો ક્યારેય પરાજય નથી થતો, કારણ કે આક્રમણમાં ક્યારેય હાર સ્વીકારવાની નથી હોતી.</p>
<p><strong>આક્રમણ જેવી જ એક તરકીબ છે બચાવ કરવાની.</strong> </p>
<p>લડાઈ-ઝઘડાની આ પદ્ધતિમાં મૂળ તો આક્રમણ જ કરવાનું હોય છે, પરંતુ એનો જાહેરમાં સ્વીકાર નથી કરવાનો હતો. સતત આક્રમણ કરતાં રહીને પછી જાહેરમાં એનો બચાવ કરતા રહેવાનું હોય છે. દા. ત. તમારો કોઈ મિત્ર અન્ય લોકોની સામે તમારી ખૂબ નીંદા કરે, તમને નુકસાન થાય એવી હરકતો કરે. તમને જ્યારે ખબર પડે અને તમે એને ધમકાવો ત્યારે એ ફક્ત એટલું જ બોલે કે મેં નથી કર્યું. હું એવું બોલ્યો જ નથી. જો તમે પૂરાવા સાથે એને પકડી પાડો તો એ એવો બચાવ કરે કે મેં એમ કહ્યું હતું, પરંતુ મારો ઈરાદો એવો નહોતો. પોતે જે વાત કરી હતી એને મારીમચડીને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે એવો બચાવ પણ કરવામાં આવે. મિત્રો અને સગાવહાલા તો આ કળામાં પારંગત હોય જ છે, રાજકારણીઓ પણ આમાં અવ્વલ નંબરે આવતા હોય છે. બેફામ નિવેદનો કરીને પછી રાજકારણીઓ કહેતા જ હોય છે કે મીડિયાએ મારા નિવેદનને ખોટી રીતે રજૂ કર્યું છે.</p>
<p><strong>રિસામણા અને અસહકાર એ લડાઈ-ઝઘડાની બહુ જૂની પદ્ધતિ છે. </strong></p>
<p>ખાસ તો બાળકો અને સ્ત્રીઓને આ તરકીબ વધુ ફાવતી હોય છે. બાળકોને કંઈક જોઈતું હોય ત્યારે બૂમબરાડા પાડીને એની ડિમાન્ડ કરે ત્યારે એ ચીજ એને મળશે જ એની કોઈ ગેરન્ટી નથી હોતી, પરંતુ પછી તેઓ પોતાનું અલ્ટિમેટ વેપન વાપરે ત્યારે એનું કામ લગભગ થઈ જતું હોય છે. બાળકો જમવાનું બંધ કરે અથવા પેરન્ટ્સ સાથે બોલવાનું જ બંધ કરી દે ત્યારે ભલભલા માબાપ પીગળી જતા હોય છે. જો આ છેલ્લીવાર અપાવું છું એમ કહીને એ બાળકની જિદ પૂરી કરવા તૈયાર થઈ જાય છે. લગ્ન પછી સ્ત્રીઓને તો નિયમિતપણે અને સમયાંતરે રિસાવાની ટેવ પડી જતી હોય છે. ઓફિસેથી આવીને પતિને પત્ની સાથે લટુડાપટુડા કરવાનું મન થતું હોય અને એમાં જો પત્નીની કોઈ ડિમાન્ડ પેન્ડીંગ હોય તો પ્રેમાચાર પર પ્રતિબંધ આવી જાય. લાગણીના મીઠાં શરબતમાં પલાળી પલાળીને પતિ કોઈ પ્રશ્ન પૂછે ત્યારે પત્નીનો જવાબ ફક્ત હા કે ના માં મળે ત્યારે પતિની જિંદગી હરામ થઈ જાય. રિસામણાના જંગ સામે કોઈ પતિ ક્યારેય જીતી શક્યો નથી.</p>
<p><strong>યુદ્ધના નિયમોને તોડીને યુદ્ધ કરવું એટલે ગોરીલા વોર કરવું. </strong></p>
<p>આમાં કાયદેસર સીઝફાયર ચાલતી હોય. એટલે કે બંને પાર્ટી અમુક સમયે કે અમુક સ્થળે યુદ્ધ ન કરવા માટે સહમત થઈ હોય છતાં, એક પાર્ટી ઓચિંતો જ હુમલો કરીને પછી છૂપાઈ જાય ત્યારે એણે ગોરીલા વોરની ટેકનિક અપનાવી ગણાય. આપણી આસપાસ એવા ઘણા સંબંધીઓ અને પરીચીતો હોય છે, જેઓ આપણી હાજરીમાં એવા પ્રેમાળ હોય, એવા લાગણીશીલ બનીને વાત કરે કે આપણને લાગે એમની સાથે થોડા સમય પહેલા થયેલી ગેરસમજણો દૂર થઈ ગઈ છે. હવે બંને વચ્ચે કોઈ ઝઘડનો નથી, પરંતુ થોડા જ સમયમાં તમને ખબર પડે કે એમણે તો અચાનક હુમલો કર્યો. તમે ઊંઘતા ઝડપાઈ જાવ અને ચત્તાપાટ પડી જાવ. આવા ગોરીલા વોરથી બચવાનો કોઈ ઉપાય નથી. આવા માણસોથી તમારે સતત ચેતતા રહેવું પડે અથવા કોઈના પર વિશ્વાસ ન મૂકવો.</p>
<p><strong>છેલ્લા કેટલાક સમયથી ઝઘડાની એક નવી ટેકનિક જોવા મળી છે. દુશ્મનને માત કરવા માટે એની ઈમેજ બગાડી નાંખો.</strong></p>
<p>દુશ્મનની ઇમેજ એવી ખરાબ કરી નાંખો કે એના સંપર્કમાં આવનારા સૌ એને ધિક્કારવા માટે અને તેઓ જ દુશ્મનને અધમૂઓ કરી નાંખે. દા. ત. તમારા કોઈ મિત્ર પ્રત્યે તમને નફરત છે અને તમે એનું ખરાબ ઇચ્છો છો તો તમારા બંને સાથે સંકળાયેલા કોમન લોકોમાં એ મિત્રના ચારિત્ર્યથી માંડીને એની ક્ષમતા તથા માનસિકતા વિશે એવી વાત ફેલાવો કે કોઈ એને નજીક ન આવવા દે. એટલું જ નહીં, એને ખતમ કરવાની કોશિશ કરે. લડાઈની આ તરકીબ કદાચ ઘણી હીન કક્ષાની છે એટલે સામાન્ય લોકો એનો ઉપયોગ ઓછો કરે છે, પરંતુ રાજકારણીઓમાં એનો ઉપયોગ વધ્યો છે. આ લોકો આપણી સંસ્કૃતિના વિરોધી છે, આ લોકો આતંકવાદીઓને સપોર્ટ કરે છે, આ લોકો દેશના ટુકડેટુકડા કરી નાંખશે, આ લોકો દેશદ્રોહી છે. બસ, આવી વાતો લોકોના મનમાં ઘુસાડી દો, પછી તમારે એમની સામે લડવાની જરૂર નહીં પડે. ગેરમાર્ગે દોરાયેલા લોકો જ એમની સાથે લડી લેશે.</p>
<p>પહેલાના સમયમાં જંગ કરનારા મોટા ભાગના લોકો બહાદૂર હતા. લડાઈમાં પોતાનો જાન જાય એની તેઓ ચિંતા નહોતા કરતા. હવેના લોકો કાયર બની ગયા છે. એમને લડવું છે, પરંતુ કંઈ ગુમાવવાની તૈયારી નથી. કોઈ જોખમ નથી લેવું. આવી માનસિકતાને કારણે લડાઈ-ઝઘડાનો એક નવો પ્રકાર વિકસ્યો છેઃ બીજાના ખભા પર બંદુક રાખીને લડાઈ લડવાનો. આ તરકીબમાં માણસ પોતાના દુશ્મન સાથે સીધો જંગ નથી કરતો. એ પોતાના માટે કોઈ યુદ્ધ કરે એવી થર્ડ પાર્ટીને શોધે છે અને પછી એને દુશ્મન સાથે લડવા માટે ઉશ્કેરે છે. ટૂંકમાં એ પોતાના દુશ્મનને બીજા કોઈ સાથે ઝઘડાવી મારે છે. જોકે લડાઈ-ઝઘડાની આ પદ્ધતિ સરળ નથી. એમાં સતત દિમાગ લડાવતા રહેવું પડે. ક્યારેક તો ઈતિહાસનો પણ અભ્યાસ કરવો પડે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસો પહેલા નેહરુની ટીકા કરતી વખતે સરદાર વલ્લભભાઇ પટેલને એમની સામે મૂકી દીધા. એમણે કહ્યું કે જો સરદાર દેશના પહેલા વડા પ્રધાન બન્યા હોત તો કાશ્મીરની સમસ્યા ઊભી થઈ ન હોત. આ રીતે નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને ફિક્સમાં મૂકી દીધી. ન તેઓ સરદારની ટીકા કરી શકે કે ન નેહરુનો બચાવ કરી શકે. કોંગ્રેસીઓને આ વખતે સદબુદ્ધિ સૂઝી અને તેઓ જાળમાં ફસાયા નહીં, નહીંતર એકાદ મણિશંકર ઐયરે જો સરદારની ટીકા કરી નાંખી હોત તો વડા પ્રધાનનું કામ થઈ જાત. પછી તો સરદારના ચાહકો અને કોંગ્રેસ વચ્ચે જંગ શરૂ થઈ જાત. </p>
<p>આપણા અંગત જીવનમાં પણ આવા ઘણા નમૂના મળી જાય છે, જેઓ કોઈને કોઈ રીતે આપણને સતત ઉશ્કેરતા રહે છે. કોઈ વાતે આપણી સાથે ખોટું થયું છે, આપણી સાથે અન્યાય થયો છે એ વાત આપણને સતત યાદ અપાવતા રહે, આપણા માટે સહાનુભૂતિ વ્યક્ત કરતાં રહે અને પરોક્ષ રીતે આપણને એ વ્યક્તિ કે સંસ્થા સામે જંગ છેડવા માટે ઉશ્કેરતા રહે. જો આપણે એની જાળમાં ફસાઈએ તો એને પોતાનો લડાઈ-ઝઘડો સાવ મફતમાં પડે. કંઈ જ ગુમાવવાના જોખમ વિના પોતાના દુશ્મન સાથે જંગ લડવાનો એને મોકો મળે.</p>
<p>આથી જ આધુનિક જમાનાના લડવૈયા તરીકે આપણે લડાઈ-ઝઘડની દરેક તરકીબોથી વાકેફ રહેવું જોઈએ, જેથી આપણે કોઈ ખોટી વ્યક્તિ સાથે, ખોટા સમયે અને ખોટા કારણસર ઝઘડી ન બેસીએ.</p>]]></content:encoded>
                
                                                            <category>Magazine: નાનાં મોઢે નાની વાત</category>
                                    

                <link>https://www.khabarchhe.com/magazine--%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A2%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4/different-types-of-fights/article-170071</link>
                <guid>https://www.khabarchhe.com/magazine--%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A2%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4/different-types-of-fights/article-170071</guid>
                <pubDate>Sat, 10 Feb 2018 17:16:50 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2018-02/1518262785couple-fight-d.jpg"                         length="67847"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[nikhilmehta-author - (નિખિલ મહેતા)]]></dc:creator>
                            </item>
            <item>
                <title>શું પદ્માવત જેવી ફિલ્મો બનવી જોઈએ?</title>
                                    <description><![CDATA[<p>ફિલ્મ પદ્માવત (જેનું નામ પહેલા પદ્માવતી હતું)નો વિવાદ શરૂ થયો ત્યારે જ કેટલાક ડાહ્યાં લોકોએ જાહેર કરી દીધું હતું કે હવે આ ફિલ્મ સુપર ડુપર હિટ જશે. અને ખરેખર એવું જ બન્યું. આટઆટલાં વિવાદ પછી રિલીઝ થયેલી ફિલ્મ પદ્માવતે બૉક્સ ઓફિસ પરના અનેક રેકોર્ડ્સ તોડી નાંખ્યા છે. આના પરથી એક સીધુસાદુ તારણ એ નીકળે કે જો કોઈ ફિલ્મની રિલીઝ બાબતે વિવાદ ઊભો થાય તો એને મફતમાં પબ્લિસિટી મળે છે અને એના પરિણામે ફિલ્મ હિટ જાય છે. પદ્માવત ફિલ્મમાં આ ગણિત લાગુ પડે છે કે નહીં એની ખબર નથી, પરંતુ અનેક પ્રકારના વિરોધ છતાં લોકો થિયેટરમાં એ ફિલ્મ જોવા ગયા એ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/magazine--%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A2%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4/movies-like-padmavat-should-be-made-or-not/article-170070"><img src="https://www.khabarchhe.com/media/400/2018-02/1510134439padmavati--0001.jpg" alt=""></a><br /><p>ફિલ્મ પદ્માવત (જેનું નામ પહેલા પદ્માવતી હતું)નો વિવાદ શરૂ થયો ત્યારે જ કેટલાક ડાહ્યાં લોકોએ જાહેર કરી દીધું હતું કે હવે આ ફિલ્મ સુપર ડુપર હિટ જશે. અને ખરેખર એવું જ બન્યું. આટઆટલાં વિવાદ પછી રિલીઝ થયેલી ફિલ્મ પદ્માવતે બૉક્સ ઓફિસ પરના અનેક રેકોર્ડ્સ તોડી નાંખ્યા છે. આના પરથી એક સીધુસાદુ તારણ એ નીકળે કે જો કોઈ ફિલ્મની રિલીઝ બાબતે વિવાદ ઊભો થાય તો એને મફતમાં પબ્લિસિટી મળે છે અને એના પરિણામે ફિલ્મ હિટ જાય છે. પદ્માવત ફિલ્મમાં આ ગણિત લાગુ પડે છે કે નહીં એની ખબર નથી, પરંતુ અનેક પ્રકારના વિરોધ છતાં લોકો થિયેટરમાં એ ફિલ્મ જોવા ગયા એ હકીકત છે. બૉક્સ ઓફિસના કલેક્શન્સ પરથી એ પણ સમજાય છે કે લોકોને આ ફિલ્મ પસંદ આવી છે.</p>
<p>પદ્માવત ફિલ્મનો વિષય બહુ જ સંવેદનશીલ હતો એ વાત પહેલેથી સૌ જાણતા હતા અને એને કારણે રાજપૂતોનું પ્રતિનિધિત્વ કરતી કરણી સેનાએ શરૂઆતથી એનો વિરોધ કર્યો. ફિલ્મ રિલીઝ થવાની તારીખ નજીક આવતી ગઈ એમ વિરોધ હિંસક બનતો ગયો અને પછી તો સુપ્રીમ કોર્ટ પણ વચ્ચે આવી અને રાજ્ય સરકારોની પણ કસોટી થઈ. આખા મામલામાં છેવટે તો સંજય લીલા ભણસાલી જ સૌથી વધુ ખુશ થયા. હવે આ પ્રકરણ લગભગ પૂરું થઈ ગયું છે ત્યારે એની સાથે સંકળાયેલા કેટલાક વિવાદ અને મહત્ત્વના મુદ્દા સમજવા જેવા છે.</p>
<p>સૌથી પહેલી વાત સેન્સરબોર્ડની કરીએ. ફિલ્મોને સર્ટિફિકેટ્સ આપતું આ દેશનું એકમાત્ર તંત્ર છે અને એના દ્વારા મંજૂરી મળી જાય એ પછી ફિલ્મને કાયદેસર રીતે દેશમાં કોઈ પણ સ્થળે રિલીઝ કરવા દેવી જોઈએ. સેન્સર બોર્ડે જે કોઈ સુધારાવધારા સૂચવ્યા હોય એને ફિલ્મ નિર્માતા માન્ય રાખે એ પછી આ બાબતે કોઈ વિવાદ ન રહેવો જોઈએ. આમ છતાં, ફિલ્મથી પોતાની લાગણી દુભાઈ છે એવી દલીલ સાથે કરણી સેનાએ આ ફિલ્મ રિલીઝ કરવા સામે હિંસક વિરોધ કર્યો. અમુક રાજ્ય સરકારોએ સેફ રમવા માટે આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકી દીધો, જેમાં ગુજરાત સરકારનો પણ સમાવેશ થતો હતો. મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો અને સર્વોચ્ચ અદાલતે પણ ફિલ્મને રિલીઝ કરવા માટે લીલી ઝંડી આપી દીધી. આમ છતાં વિરોધ ચાલતો રહ્યો અને કેટલીક રાજ્ય સરકારોએ કરણી સેનાના હિંસક વિરોધ સામે આંખ આડા કાન કર્યા. </p>
<p>વહીવટી દષ્ટીએ જોઈએ તો એક વાર સુપ્રીમ કોર્ટ આદેશ આપે એ પછી એનો અમલ કરવાની એટલે કે ફિલ્મને રિલીઝ થવા દેવાની જવાબદારી રાજ્ય સરકારોની બની જાય. જેમ કોઈ વીઆઈપીની સભા વખતે સલામતીનો બંદોબસ્ત કરવામાં આવે છે એમ આ ફિલ્મની રિલીઝ માટે પણ સલામતીનો બંદોબસ્ત કરવો જોઈએ અને ફિલ્મને રિલીઝ કરવા દેવાની સુવિધા ઊભી કરવી જોઈએ. અલબત્ત, આ ફક્ત વહીવટી દૃષ્ટિકોણની વાત છે.</p>
<p>ફિલ્મથી કોઈ વર્ગની લાગણી દુભાતી હોય તો એ વિશે શું કરવું જોઈએ એ વિશે આપણે પછી ચર્ચા કરીશું, પરંતુ અહીં આ મામલે ઊભી થયેલી કેટલીક નવી ગૂંચવણોનો ઉલ્લેખ પણ કરી લઈએ. ફિલ્મ જોયા પછી સ્વરા ભાસ્કર નામની એક  ટેલેન્ટેડ અને કમિટેડ અભિનેત્રીએ એમ કહ્યું કે આ ફિલ્મ સ્ત્રીઓને ફક્ત વજાઈના હોવાની નિમ્ન અનુભૂતિ કરાવે છે. હવે આ વાત ફિલ્મના વિષય તથા મૂળ વિવાદથી સાવ અલગ જ પ્રકારની હતી. આ વિષે વિવાદ પણ ઘણા થયા અને એનો એક જવાબ એ છે કે આજકાલની મોટા ભાગની ફિલ્મ અને ટીવી સિરિયલો સ્ત્રીને એક કોમોડિટી તરીકે જ રજૂ કરતી હોય છે એટલે પદ્માવત ફિલ્મે કંઈ આ ક્ષેત્રે એવું મોટું યોગદાન ન આપ્યું ગણાય.</p>
<p>બીજું, મલેશિયાએ આ ફિલ્મ મુસ્લિમ વિરોધી હોવાના કારણસર પ્રતિબંધ મૂક્યો. ભારતના પણ અનેક ફિલ્મ વિવેચકો આ પ્રકારની ટીકા કરી. જો ફિલ્મમાં આવો જ પક્ષપાત હોય તો સંજય લીલા ભણશાલીની એવી દલીલ સાર્થક ઠરે કે ફિલ્મમાં રાજપૂતોના ગૌરવની વાતને હાઈલાઈટ કરવામાં આવી છે. ટૂંકમાં કોઈ એક વર્ગની લાગણી દુભાયાની ઘટનાથી શરૂ થયેલો આ વિવાદ કમર્સિયલ સફળતા અને અનોખાં પ્રકારના વિરોધોના મસાલાને કારણે એકદમ એબસર્ડ બની ગયો.</p>
<p>આ ફિલ્મ તથા એની સાથે સંકળાયેલા વિવાદનો મુખ્ય મુદ્દો એ હતો કે કોઈ એક વર્ગની લાગણી દુભાય એવી ફિલ્મ બનવી જોઈએ કે નહીં. અથવા તો એની પરવાની મળવી જોઈએ કે નહીં. આ સવાલનો જવાબ મેળવતા પહેલા આપણે ફિલ્મના માધ્યમને સમજી લઈએ.</p>
<p>જ્યારે માસ કમ્યુનિકેશનના સાધનો ખાસ વિકસ્યા નહોતા ત્યારે મનોરંજન તથા જાહેર પ્રચાર માટેનું એકમાત્ર મીડિયમ રંગમંચ હતો. નાટક દ્વારા લોકોને મનોરંજન પીરસવામાં આવતું, ઉપદેશો આપવામાં આવતા અને જાહેર ઘોષણાઓ પણ થતી. નાટક પછી ફિલ્મનું માધ્યમ વિકસ્યું, જેમાં સમય કે સ્થળનું કોઈ બંધન નહોતું. ઓડિયો વિઝ્યુઅલ સાથેનું આ મીડિયમ એટલું પાવરફુલ હતું કે લોકો એને સમાજ સુધારણા તથા ક્રાન્તિનું માધ્યમ પણ માનવા લાગ્યા. આ મીડિયમના પ્રભાવ હેઠળ દેશવિદેશમાં અનેક ફિલ્મો બની. અનેક પ્રકારની ફિલ્મો બની. જોકે ફિલ્મનાં માધ્યમનો ઉપયોગ મુખ્ય તો મનોરંજન માટે જ થતો રહ્યો છે. પછી તો ફિલ્મોની નવી નવી જોનર વિકસી. નાટ્યશાસ્ત્રના નવ રસ પ્રમાણે અલગ અલગ પ્રકારનું મનોરંજન પીરસતી ફિલ્મો બની. ઈમોશન, એક્શન, કોમેડી, હોરર વગેરે જેવી અલગ અલગ પ્રકારની વિશિષ્ટ ફિલ્મો બની.</p>
<p>મનોરંજનની સાથોસાથ બીજા કેટલાક પ્રકારની ફિલ્મો પણ બની. એક શૈક્ષણિક મૂલ્ય ધરાવતી ફિલ્મો. બીજી સામાજિક કે રાજકીય વિસંગતીઓ તથા બદી પર પ્રહાર કરતી કમિટેડ ફિલ્મો અને ત્રીજી ફક્ત મીડિયમના ઊંડાણમાં જઈને એની સાથે રમત કરતી કળાત્મક ફિલ્મો. હવે આ પ્રકારની ફિલ્મો માસ એટલે કે વિશાળ જનસમુદાય માટે બનાવવામાં આવતી મનોરંજક ફિલ્મ કરતાં અલગ પ્રકારની હોય છે. શૈક્ષણિક ફિલ્મો મોટે ભાગે દસ્તાવેજી પ્રકારની હોવાથી અને એમાં મનોરંજનનું તત્વ ન હોવાને કારણે એને પૂરતું ઑડિયન્સ ક્યારેય નથી મળતું. સામાજિક રીતે કમિટેડ હોય એ પ્રકારની અર્થપૂર્ણ ફિલ્મો ક્યારેક બહુ ઉચ્ચ ક્ષમતા ધરાવતા ફિલ્મમેકરો દ્વારા બનતી રહી છે, પરંતુ એને જોવાવાળો વર્ગ પણ મર્યાદિત છે. આવી ફિલ્મોને પણ ક્યારેય માસીસ એટલે કે મોટો જનસમુદાય જોવાનું પસંદ નથી કરતો. કળાત્મક ફિલ્મોના ત્રીજા પ્રકારમાં વાર્તા વિનાની કે વાર્તાને સાવ અલગ રીતે રજૂ કરતી ફિલ્મોનો સમાવેશ થાય છે. ક્યારેક મીડિયમ સાથે તો ક્યારેક ફિલ્મની ટ્રીટમેન્ટમાં પ્રયોગાત્મકતા ધરાવતી આવી ફિલ્મોને જોવાવાળો વર્ગ પણ બહુ જ મર્યાદિત હોય છે, પરંતુ આવી ફિલ્મોને જોનાર તથા એની પ્રશંસા કરનાર એક ખાસ એલાઈટ વર્ગ અસ્તિત્વમાં આવ્યો. એલાઈટ ક્લાસના આ લોકોને જાણે મનોરંજન સાથે દુશ્મની હોય એમ મનોરંજનને તેઓ નીચલી કક્ષાનું ગણવા લાગ્યા. એકંદરે આવા વર્ગે પોતાનો અલગ ક્લાસ ચોકો બનાવ્યો અને તેઓ પોતાને જ સુપિરિયર માનવા લાગ્યા. મજાની વાત એ છે કે આ વર્ગને એક ભદ્ર પ્રકારની ઇમેજ પણ મળી ગઈ. </p>
<p>હવે માસીસ માટે મનોરંજક ફિલ્મો બનાવનારાને પણ ક્યારેક કળાનો ચસકો લાગ્યો. આથી મેઈનસ્ટ્રીમ ફિલ્મો બનાવનારા સર્જકોએ પણ મનોરંજનના હેતુથી બનાવવામાં આવતી ફિલ્મોમાં કળાનો છંટકાવ કરવાનું શરૂ કર્યું. અલબત્ત, આ ફિલ્મમેકરો મોટા જનસમુદાય માટે જ ફિલ્મો બનાવતા હોવાથી એમાં ક્યારેય કળાનો વધુ પડતો ડોઝ નથી નાંખતા, કળાનો ફક્ત ઉપરછલ્લો જ દેખાવ કરતા હોય છે. ક્યારેક વિષયની પસંદગીમાં, ક્યારેક વાર્તામાં તો ક્યારેક સેટ ડિઝાઈનિંગ અને ગીતસંગીતમાં નવીનતા લાવવાની આ નવા પ્રકારના ફિલ્મમેકરો કોશિશ કરતાં રહે. સંજય લીલા ભણસાલી એટલે આ નવા પ્રકારના ફિલ્મમેકર. એમની ફિલ્મોમાં કલાત્મકતા દેખાશે, પરંતુ જનસમુદાયને મનોરંજન ન મળે એવું જોખમ તેઓ ક્યારેય નહીં લે.</p>
<p>આથી જ મોટા જનસમુદાય માટે બનતી મનોરંજક ફિલ્મોની સાથે જો કળા, ઇતિહાસ કે કોઈ સામાજિક સંદેશ જોડાઈ જાય તો એને વધુ પડતું મહત્વ ક્યારેય ન આપવું, કારણ કે આ બધું એમના માટે એક મનોરંજક ફિલ્મ બનાવવાના ફક્ત સાધનો છે. અલબત્ત, આપણી લોકશાહીમાં દરેકને પોતાની રીતે કળાની અભિવ્યક્તિ કરવાનો અધિકાર છે એટલે કોઈ પણ પ્રકારની ફિલ્મ બનાવવાનું વિચારો તો એની સામે કોઈ વાંધો ન હોઈ શકે. વાંધો ફક્ત ત્યારે પડે જ્યારે કળાના નામે કોઈ પોતાનો મૂળ ઇરાદો છુપાવે.</p>
<p>જેમ કોઈ ક્રાઈમમાં ગુનેગારનો મોટિવ, એનો હેતુ સમજાઈ જાય એ પછી કેસ ઉકેલવામાં સરળતા રહે છે એમ અન્ય ગૂંચવણભરી બાબતોમાં પણ કર્તાના ઇરાદા વિશે સ્પષ્ટતા થઈ જાય તો પછી બાકીનું આસાનીથી સમજી શકાય. સંજય લીલા ભણશાલીએ બનાવેલી ફિલ્મ પદ્માવત સાથે પણ કેટલીક અસંબંધિત બાબતો જોડાઈ ગઈ અને નિષ્ણાતો એ મુદ્દાને વધુ પડતું મહત્ત્વ આપીને ભણશાલીનો બચાવ કરવામાં પડી ગયા. પહેલા તો કેટલાક લોકોએ એવી દલીલ કરી કે આ એક ઐતિહાસિક ફિલ્મ છે અને એ માટે પૂરતું રિસર્ચ કરવામાં આવ્યું છે. ત્યાર પછી કળાની અભિવ્યક્તિનો ઝંડો લઈને ફરનારા મેદાનમાં આવ્યા. આવી સેન્સરશીપ ચાલે જ કેવી રીતે? આવા મોટા ગજાંના ફિલ્મમેકરને પોતાની રીતે ફિલ્મ બનાવવાનો પણ દેશમાં અધિકાર ન મળે એ ન ચલાવી લેવાય. ત્યાર પછી એવો દાવો કરવામાં આવ્યો કે કરણી સેના જેનો વિરોધ કરે છે એનાથી વિપરીત જ વાત ફિલ્મમાં છે. એટલે કે ફિલ્મમાં રાજપૂતોના ગૌરવની ગાથા વર્ણવવામાં આવી છે. ફિલ્મ રિલીઝ થઈ ત્યારે થયેલા હિંસાચારઅને વહીવટી નિષ્ક્રિયતા માટે રાજ્ય સરકારોને દોષ આપનારાનો અવાજ પણ બહુ ઊંચો રહ્યો. આ બધી વાતોના મુદ્દા સાચા હોવા છતાં આખી કથાના મુખ્ય મુદ્દા પર કોઈએ ભાર ન મૂક્યો. મુખ્ય મુદ્દો એ હતો કે સંજય લીલા ભણશાલીએ ઇતિહાસની ગાથા વર્ણવવા, રાજપૂતોની ભવ્ય પરંપરાને હાઈલાઈટ કરવા કે કલાત્મકતાના જતન માટે આ ફિલ્મ નહોતી બનાવી. એમણે આ બિગ બજેટ ફિલ્મ ફક્ત લોકોને મનોરંજન પીરસવાના હેતુથી બનાવી હતી. એમના માટે બીજું બધું પછી તથા ઓછું મહત્વનું હતું. મોટા ફિલ્મસ્ટાર્સનું કાસ્ટિંગ, ભવ્ય સેટ્સ, ગીત સંગીત વગેરે એક ખર્ચાળ કમર્સિયલ ફિલ્મ બનાવવા માટે પ્રયોજવામાં આવ્યું હતું. ફિલ્મમેકરનો ઇરાદો એક સફળ ફિલ્મ બનાવીને એમાંથી પૈસા કમાવાનો હતો. આ કમર્સિયલ હેતુ એ પદ્માવત સાથે સંકળાયેલા મામલાનું હાર્દ હોવું જોઈએ.</p>
<p>હવે જો આપણે ફિલ્મમેકરના ઇરાદા બાબતે સ્પષ્ટ બનીએ કે તેઓ એક કમર્સિયલ ફિલ્મ બનાવવા માંગતા હતા તો પછી એમને કલાત્મકતા, કમિટમેન્ટ, સામાજિક સંદેશ વગેરે જેવા ફેક્ટર્સનો લાભ ઊઠાવવાનો અધિકાર ન મળે. આથી એમના સમર્થનમાં કૂદી પડવું એ મૂર્ખામી હતી. હા, જો કોઈએ ફક્ત એકેડેમિક ઈન્ટરેસ્ટ્સ ખાતર આ વિષય પર દસ્તાવેજી ફિલ્મ બનાવી હોય તો આપણે એને પૂરું સમર્થન આપીએ. ભલે એના એંગલ સાથે આપણે સહમત ન થતા હોઈએ તોય એની અભિવ્યક્તિની સ્વતંત્રતાનું માન આપણે જાળવીએ અને એના હક્ક માટે આપણે લડીએ, પરંતુ પદ્માવતના કેસમાં આવી સહાનુભૂતિ અસ્થાને હતી. </p>
<p>જો તમે પદ્માવત જેવી ભવ્ય, ખર્ચાળ અને કમર્સિયલ ફિલ્મ બનાવતા હોવ તો તમને કોઈ એક વર્ગની લાગણી સાથે રમવાનો અધિકાર નથી. મનોરંજન અને પૈસા કોઈની લાગણી દુભાવીને કમાવાનું કોઈ હિસાબે યોગ્ય નથી અને એને સમર્થન આપવું એ તો નાદાની જ છે.</p>]]></content:encoded>
                
                                                            <category>Magazine: નાનાં મોઢે નાની વાત</category>
                                    

                <link>https://www.khabarchhe.com/magazine--%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A2%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4/movies-like-padmavat-should-be-made-or-not/article-170070</link>
                <guid>https://www.khabarchhe.com/magazine--%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A2%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4/movies-like-padmavat-should-be-made-or-not/article-170070</guid>
                <pubDate>Mon, 05 Feb 2018 02:04:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2018-02/1510134439padmavati--0001.jpg"                         length="256721"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[nikhilmehta-author - (નિખિલ મહેતા)]]></dc:creator>
                            </item>
            <item>
                <title>વોટબેન્ક પોલિટિક્સ ભલે કરો, પણ ગણતરી તો સાચી માંડો</title>
                                    <description><![CDATA[<p>ગયા અઠવાડિયે બનેલી મોટી ઘટનાઓમાં આમ તો પ્રજાસત્તાક દિનની ઉજવણી અને દાવોસની હોવી જોઇતી હતી, પરંતુ સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતે દેશમાં એવો ઊહાપોહ મચાવ્યો કે સમાચારમાં ફક્ત આ ફિલ્મ તથા એને લગતા વિવાદ છવાયેલા રહ્યા. જેનું નામ ભાગ્યે જ ક્યારેક સાંભળવા મળ્યું હતું એવી કરણી સેના અને એના નેતાઓ ચર્ચામાં આવી ગયા. મોટી તકલીફ તો એ રહી કે કરણી સેનાના સભ્યો દેશભરમાં પદ્માવત ફિલ્મના વિરોધમાં હિંસાચાર કરતાં રહ્યા. એટલું જ નહીં, લોકશાહી પ્રણાલીથી સાવ જ વિરુદ્ધ જઈને ખુલ્લેઆમ તેઓ હિંસક માર્ગ અપનાવવાનાં પડકાર ફેંકતા રહ્યા. </p>
<p>પદ્માવત પર સંજય લીલા ભણસાલીએ ફિલ્મ બનાવવી જોઇએ કે નહીં અથવા તો એ રીલિઝ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/magazine--%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A2%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4/an-article-on-votebank-politics/article-170069"><img src="https://www.khabarchhe.com/media/400/2018-01/1517062822padmavati-virodh.jpg" alt=""></a><br /><p>ગયા અઠવાડિયે બનેલી મોટી ઘટનાઓમાં આમ તો પ્રજાસત્તાક દિનની ઉજવણી અને દાવોસની હોવી જોઇતી હતી, પરંતુ સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતે દેશમાં એવો ઊહાપોહ મચાવ્યો કે સમાચારમાં ફક્ત આ ફિલ્મ તથા એને લગતા વિવાદ છવાયેલા રહ્યા. જેનું નામ ભાગ્યે જ ક્યારેક સાંભળવા મળ્યું હતું એવી કરણી સેના અને એના નેતાઓ ચર્ચામાં આવી ગયા. મોટી તકલીફ તો એ રહી કે કરણી સેનાના સભ્યો દેશભરમાં પદ્માવત ફિલ્મના વિરોધમાં હિંસાચાર કરતાં રહ્યા. એટલું જ નહીં, લોકશાહી પ્રણાલીથી સાવ જ વિરુદ્ધ જઈને ખુલ્લેઆમ તેઓ હિંસક માર્ગ અપનાવવાનાં પડકાર ફેંકતા રહ્યા. </p>
<p>પદ્માવત પર સંજય લીલા ભણસાલીએ ફિલ્મ બનાવવી જોઇએ કે નહીં અથવા તો એ રીલિઝ થવી જોઇએ કે નહીં એ પ્રશ્ન અલગ છે, પરંતુ આ ફિલ્મના નામે દેશભરમાં જે બન્યું એ ચોંકાવનારું હતું. સૌથી પહેલા તો સેન્સર બોર્ડ ફિલ્મનું નામ બદલીને તથા બીજા કેટલાક કટ્સ સૂચવીને ફિલ્મ રીલિઝ કરવા માટેનું ગ્રીન સિગ્નલ આપી દીધું. આમ છતાં કરણી સેનાએ ફિલ્મ સામેનો વિરોધ ચાલુ રાખ્યો. મામલો કોર્ટમાં ગયો, કોર્ટે પણ ફિલ્મને રીલિઝ કરવાની મંજૂરી આપી. આમ છતાં કરણી સેનાએ ધમકીઓ આપવાનું ચાલુ રાખ્યું, જેને પગલે કેટલીક રાજ્ય સરકારોએ કોર્ટના આદેશની વિરુદ્ધમાં જઈને ફિલ્મ રીલિઝ ન કરવા દેવાનો નિર્ણય લીધો. આટલું ઓછું હોય એમ કરણી સેના દ્વારા દેશભરમાં આચરવામાં આવી રહેલી હિંસા સામે મોટા ભાગની રાજ્ય સરકારોએ ઢીલું મૂક્યું હોય એવી એક છાપ જનમાનસ પર ઊપસી.</p>
<p>પદ્માવત ફિલ્મના વિવાદ બાબતે ભલે લોકોમાં ભિન્ન મત પ્રવર્તતા હતા, પરંતુ એક બાબતે પ્રજામાં સર્વાનુમત પ્રવર્તતો હતો કે હિંસાનો જે બેફામ ખેલ થયો એ માટે રાજકારણીઓ જવાબદાર છે. દેશનો સાવ નાદાન નાગરિક પણ એ વાત સમજતો હતો કે આ વિવાદ તથા હિંસા પાછળનું કારણ વોટબેન્ક પોલિટિક્સ છે. મતદારોના એક જનસમુદાયને ખુશ કરવા માટે રાજકારણીઓ હિંસક ઘટના પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યા છે.</p>
<p>વોટબેન્ક પોલિટિક્સ એ કોઈ પણ લોકશાહી દેશમાં થોડાં ઘણા અંશે રહેવાનું જ, કારણ કે લોકશાહી એ બહુમતી મેળવીને સત્તા પ્રાપ્ત કરવાની રમત છે. ભિન્ન ભિન્ન સમુદાયોમાં વહેંચાયેલી પ્રજાએ ચૂંટણી સમયે તો ઉમેદવારની લાયકાત તથા રાજકીય પક્ષની નીતિઓને ધ્યાનમાં રાખીને મત આપવાનો હોય છે, પરંતુ અનેક કિસ્સામાં આવી યોગ્યતાને વીસરી જવામાં આવે છે. કોઈ સમુદાય એક જાતિ તરીકે, કોમ તરીકે કે વર્ગ તરીકે પોતાને અલગ સમજે અને મત આપવા માટે પોતાની આગવી માગણીઓને પૂરી કરવાની પૂર્વશરત રાખે અને કોઈ રાજકીય પક્ષ આવી સોદાબાજી માટે તૈયાર થઈ જાય ત્યારે વોટબેન્ક પોલિટિક્સનું વર્તુળ પૂરું થયું ગણાય. દર વખતે કોઈ સમુદાય પૂર્વશરત મૂકતો નથી. મોટા ભાગનું આપોઆપ થતું હોય છે.</p>
<p>એ ખરું કે રાજકારણી ફક્ત મત માંગવા આવે ત્યારે જ તેઓ તમારી માગણીઓ પર ધ્યાન આપે છે એટલે ચૂંટણી સમયે તમારી વિશેષ માગણીઓ રજૂ કરવામાં કંઈ ખોટું નથી. દા. ત. મ્યુનિસિપાલિટીની ચૂંટણી પહેલા કોઈ એક વિસ્તારના લોકો એવી પૂર્વશરત રાખે કે આ રસ્તા પરના બધા જ ખાડા પહેલા પૂરાવી દો તો જ અમે તમને મત આપીશું તો આવી માગણીમાં કંઈ ખોટું નથી. આવી જ રીતે ઘણા સમયથી પેન્ડીંગ પડેલી માગણીઓની કોઈ સમુદાય દ્વારા ચૂંટણી સમયે રજૂઆત થાય એ સમજી શકાય. આખરે તો રાજકારણીઓનું કામ જ લોકોની સમસ્યા સમજીને એનો ઉકેલ લાવવાનું છે. વિદેશોમાં વસતા ભારતીય મૂળના નાગરિકો પણ એક અલગ જનસમુદાય તરીકે ત્યાંના રાજકારણીઓ સમક્ષ પોતાની માગણીઓ રજૂ કરતાં હોય છે અને એ રીતે મતદાન પણ થતું હોય છે. આમ વોટબેન્ક પોલિટિક્સ એ કંઈ ફક્ત ભારતની વિશેષતા નથી.</p>
<p>સમસ્યા ત્યારે થાય જ્યારે વોટબેન્ક પોલિટિક્સના નામે કંઈ ખોટું કરવામાં આવે, કાયદાનો અનાદર કરવામાં આવે, એક સમુદાયના ભોગે બીજા સમુદાયને નુકસાન પહોંચાડવામાં આવે. આ પ્રકારનું વોટબેન્ક પોલિટિક્સ જરાય ઇચ્છનીય નથી. રાજકારણીઓ પણ આ વાત બરોબર સમજતા હોય છે, પરંતુ સત્તાની લાલસા એવી બાબત છે કે પછી સારા નરસાનું ભાન કોઈને રહેતું નથી. પછી નુકસાન ઘણું મોટું થઈ જાય છે. ભારતમાં આપણે વોટબેન્ક પોલિટિક્સનાં ખરાબમાં ખરાબ સ્વરૂપ જોયા છે.</p>
<p>એ કહેવાની ભાગ્યે જ જરૂર પડે કે વોટબેન્ક પોલિટિક્સ માટે કોન્ગ્રેસેની સરકારો સૌથી વધુ જવાબદાર રહી છે. સરકારી જમીનો પર ગેરકાયદે લોકો કબજો  જમાવી દે અને પછી સ્લમલોર્ડ્સ એટલે કે ઝુંપડપટ્ટીના દાદાએ લોકોના મસીહા બનીને સ્થાનિક રાજકારણીઓ સમક્ષ એમનો કેસ રજૂ કરે. સમગ્ર ઝુંપડપટ્ટીના રહેવાસીઓના મત મેળવવાની લાલચે રાજકારણીઓ ગેરકાયદે જમીન પચાવી પાડનાર લોકોને એ જમીન કાયદેસર એમના નામ પર કરી આપે. ભારતના દરેક શહેરમાં આવી સેંકડો ગેરકાયદે ઝુંપડપટ્ટીઓ આવા વોટબેન્ક પોલિટિક્સના કારણે ફૂટી નીકળી છે.</p>
<p>આ પ્રકારના વોટબેન્ક પોલિટિક્સમાં ગેરકાયદે રહેવાસી, સ્લમલોર્ડ્સ અને રાજકારણીઓ સૌને ફાયદો છે. દેખીતી રીતે કોઈને નુકસાન નથી. બીજી તરફ જાતપાત કે કોમના આધારે કરવામાં આવતાં વોટબેન્ક પોલિટિક્સ જોખમી હોય છે. એમાં એક સમુદાયને લાભ આપવા માટે બીજા સમુદાયને અન્યાય કરવામાં છે. એટલું જ નહીં, અનેકવાર લોકશાહી મૂલ્યોનો સીધી રીતે અનાદર થતો હોય છે. આવા સમયે તકવાદી રાજકારણીઓ એવી ગણતરી માંડે છે કે આપણે કયા સમુદાયને ખુશ રાખીશું તો આપણને વધુ લાભ મળશે. અને એ અનુમાનના આધારે તેઓ મોટા રાજકીય નિર્ણયો પણ લઈ લેતાં હોય છે.</p>
<p>લઘુમતીમાં પ્રવર્તતી અસલામતીની લાગણી એ આપણા દેશના વોટબેન્ક પોલિટિક્સનું મુખ્ય પાસું છે. આમાં દરેક પ્રકારની લઘુમતીનો સમાવેશ થઈ જાય છે. એમની માગણી સંતોષો, એમને ખુશ રાખો તો એ સાગમટે તમને મત આપવા આવી જશે. આ ગણિત મૂળ તો કોંગ્રેસનું અને ઘણા સમયથી સુધી એ ગણતરી સાચી પડી, પરંતુ હિન્દી ફિલ્મોની ચવાઈ ગયેલી ફૉર્મ્યુલા જેમ અમુક સમય પછી બિનઅસરકારક બની જાય એમ આવી વોટબેન્કની ગણતરીઓ પણ સાવ ખોટી પડતી હોય છે. આમ છતાં રાજકારણીઓ નવી રીતે વિચારવા સજ્જ નથી હોતા એટલે જૂની ઢબે વોટબેન્કનું પોલિટિક્સ રમતાં રહે છે.</p>
<p>જો કોંગ્રેસીઓ આ વાત વર્ષો પહેલાં સમજી ગયા હોત તો આજે તેઓ સત્તાથી બહાર ન થઈ ગયા હોત. મુસ્લિમોની કહેવાતી આળપંપાળ કરવાની એમની વોટબેન્ક પોલિટિક્સની નીતિની અસરકારકતા ક્યારે બુઠ્ઠી થઈ ગઈ હતી એનો એમને ખ્યાલ જ ન રહ્યો. આ હકીકત સમજવા માટે છેક 1985માં બનેલો શાહ બાનો કેસ અને એની અસર સમજવાનું કાફી છે, શાહ બાનો 62 વર્ષના એક મુસ્લિમ મહિલા હતા, જેમના પતીએ એમને તલાક આપી દીધા હતા. શાહ બાનોએ ભરણપોષણ માટે કેસ કર્યો. સુપ્રીમ કોર્ટે એમને ભરણપોષણ ચૂકવવાનો પતિને આદેશ આપ્યો. આ ચુકાદો રૂઢિચુસ્ત મુસ્લિમ ધર્મગુરુઓને ઇસ્લામીક કાયદાથી વિરુદ્ધનો લાગ્યો. એમણે દેકારો મચાવ્યો. ત્યારના વડા પ્રધાન રાજીવ ગાંધીના સલાહકારોએ એમને ખોટી સલાહ આપી. બસ, આ જ તબક્કો મહત્વનો હતો. સલાહકારોએ એવો ડર બતાવ્યો કે જો મુસ્લિમ ધર્મગુરુની વાત આપણે નહીં સ્વીકારીએ તો સમગ્ર મુસ્લિમ સમુદાય ચૂંટણીમાં આપણો બહિષ્કાર કરશે. આ તર્કને સાચો માનવા પાછળ કોઈ કારણ કે સાબિતી નહોતા. રાજીવ ગાંધી ઝૂકી ગયા. એમણે સુપ્રીમ કોર્ટના ચુકાદાને રદબાતલ કરી નાંખે એ પ્રકારનો કાયદો સંસદમાં ઘડ્યો. સરકારની ટીકા થઈ. મુસ્લિમ સમુદાયે પણ એની ટીકા કરી. આથી જ શાહ બાનો કેસ એ વોટબેન્ક પોલિટિક્સનો ક્લાસિક કિસ્સો ગણાય છે.</p>
<p>જ્યારે પણ કોઈ એક સમુદાય નારાજ થાય કે આંદોલન કરે ત્યારે એની સાથે કઈ રીતે ડીલ કરવું એ નક્કી કરવામાં જ રાજકારણીઓ ખરી કસોટી થતી હોય છે. અલબત્ત, રાજકારણીઓ પોતાના રાજકીય હિતને નજર સમક્ષ રાખવાના જ છે, પરંતુ શું એ વિશે તેઓ વધુ ઊંડાણથી ક્યારેય વિચાર કરતાં હોય છે ખરા? મોટા ભાગના કેસમાં આ બાબતે તેઓ નિષ્ફળ જતાં હોય છે. મુસ્લિમોનું તુષ્ટીકરણ કરવાના બહાને કોંગ્રેસે ફક્ત વોટબેન્ક પોલિટિક્સ કર્યું. એમનું ભલું થાય એવું નક્કર ખાસ ન કર્યું. આથી જ તો આજે મુસ્લિમો પણ એની વફાદાર વોટબેન્ક નથી રહી.</p>
<p>કોન્ગ્રેસની જેમ ભારતીય જનતા પક્ષનું વોટબેન્ક પોલીટિક્સ પણ સીધુને સટ છે. હિન્દુત્વની તરફેણમાં જે નિર્ણયો લેવા પડે એ લેવાના. બીજું બધુ ઘેર ગયું. પદ્માવત ફિલ્મની વાત પર પાછા ફરીએ તો ભાજપ શાસિત રાજ્યોમાં કરણી સેનાની હીંસા બાબતે જે ઢીલ મૂકવામાં આવી એની પાછળનું કારણ આ વોટબેન્ક પોલીટિક્સ જ માનવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ, હિન્દુત્ત્વ, રાજપૂત પ્રાઇડ આ બધુ એક જ લાઇનમાં આવે એટલે ભાજના શાસકો કરણી સેનાને નારાજ ન કરી શકે એવી આમાં સીધી ગણતરી હતી એમ સૌ કોઇ માને છે.</p>
<p>હવે અહીં પણ કોન્ગ્રેસ જેવી જ સમસ્યા ભાજપ સામે પણ છે. જેમ શાહ બાનો કેસના સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ કરી રહેલા મુસ્લીમ ધર્મગુરુઓ દેશના સમગ્ર મુસ્લીમ સમુદાયનું પ્રતિનિધિત્વ નહોતા કરતાં એમ કરણી સેના પણ સમગ્ર રાજપૂત જાતિનું પ્રતિનિધિત્વ કરતા હોવાનો કોઇ પૂરાવો નથી. શક્ય છે કે રાજપૂતોના એક મોટા વર્ગને આવા વિવાદમાં કોઇ રસ ન હોય. બધા હિન્દુઓ આ બાબતે કરણી સેનાની સાથે હોય એ પણ શક્ય નહોતું. બીજું, આવું વોટબેન્ક પોલીટિક્સ કરીને રાજ્ય સરકારોએ કોર્ટના આદેશનું અપમાન કર્યું એ સામાન્ય પ્રજાને પસંદ નથી આવ્યું. જે હીંસાચાર થયા એ માટે પણ લોકો અમુક અંશે રાજ્ય સરકારોને દોષિત માનવા લાગ્યા છે. તો આમાં વોટબેન્કની કઇ ગણતરી સાચી પડી રહી છે? રાજકારણીઓ જેને લાભદાયક માને છે એ ખરેખર નુકસાનકર્તા તો નથી ને? બાહોશ રાજકારણી વોટબેન્ક પોલીટિક્સ કરશે, પણ ગણતરી હંમેશાં સાચી માંડશે. </p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Magazine: નાનાં મોઢે નાની વાત</category>
                                    

                <link>https://www.khabarchhe.com/magazine--%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A2%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4/an-article-on-votebank-politics/article-170069</link>
                <guid>https://www.khabarchhe.com/magazine--%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A2%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4/an-article-on-votebank-politics/article-170069</guid>
                <pubDate>Sat, 27 Jan 2018 20:14:20 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2018-01/1517062822padmavati-virodh.jpg"                         length="220736"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[nikhilmehta-author - (નિખિલ મહેતા)]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ન્યાયતંત્ર પવિત્ર છે તો શું ન્યાય માંગનારા ગંદા છે?</title>
                                    <description><![CDATA[<p>પહેલાનો જમાનો અલગ હતો. એ સમયે લગ્ન સંસ્થા તથા કુટુંબ કબીલાની ઇજ્જતને ખૂબ જ વધુ મહત્ત્વ આપવામાં આવતું હતું. લગ્નો બે વ્યક્તિઓ વચ્ચે નહીં, પણ બે ખાનદાનો વચ્ચે થતાં. આવા લગ્ન બંને પરિવારો માટે મોટી પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનતાં. કુટુંબના મોભીઓની આબરૂનો સવાલ એટલો મોટો રહેતો કે લગ્ન કરનાર સ્ત્રી કે પુરુષે લગ્ન પહેલા અને પછી વડીલો જે કહે એ સ્વીકારી લેવાનું રહેતું. નો ક્વેશ્ચન ટુ બી આસ્ક્ડ.</p>
<p>લગ્ન પહેલાનો ફેંસલો બ્લાઈન્ડ ગેમ્બલ જેવો રહેતો અને જેના નસીબમાં જે જીવનસાથી મળે એને મરતે દમ તક નિભાવી લેવાની લોકો તૈયારી રાખતા. લગ્ન કરીને સાસરે ગયેલી દીકરીને એવી સલાહ આપવામાં આવતી કે હવે</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/magazine--%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A2%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4/an-article-on-justice-system/article-170068"><img src="https://www.khabarchhe.com/media/400/2018-01/1516524727judgeindia.jpg" alt=""></a><br /><p>પહેલાનો જમાનો અલગ હતો. એ સમયે લગ્ન સંસ્થા તથા કુટુંબ કબીલાની ઇજ્જતને ખૂબ જ વધુ મહત્ત્વ આપવામાં આવતું હતું. લગ્નો બે વ્યક્તિઓ વચ્ચે નહીં, પણ બે ખાનદાનો વચ્ચે થતાં. આવા લગ્ન બંને પરિવારો માટે મોટી પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનતાં. કુટુંબના મોભીઓની આબરૂનો સવાલ એટલો મોટો રહેતો કે લગ્ન કરનાર સ્ત્રી કે પુરુષે લગ્ન પહેલા અને પછી વડીલો જે કહે એ સ્વીકારી લેવાનું રહેતું. નો ક્વેશ્ચન ટુ બી આસ્ક્ડ.</p>
<p>લગ્ન પહેલાનો ફેંસલો બ્લાઈન્ડ ગેમ્બલ જેવો રહેતો અને જેના નસીબમાં જે જીવનસાથી મળે એને મરતે દમ તક નિભાવી લેવાની લોકો તૈયારી રાખતા. લગ્ન કરીને સાસરે ગયેલી દીકરીને એવી સલાહ આપવામાં આવતી કે હવે તારું જીવન અને મરણ બંને સાસરામાં જ. ત્યાં ગમે એવી તકલીફ પડે, તારા પર ગમે એવો ત્રાસ ગુજારવામાં આવે, તને ગમે એવી વેદના થાય તો એ તારા નસીબ. તારે એ સહન કરી જ લેવાનું. એ બાબતે કોઈ જ ફરિયાદ નહીં કરવાની અને બિસ્તરા પોટલાં બાંધીને પિયરમાં પાછાં આવી જવાની તો કલ્પના પણ નહીં કરવાની. એવો વિચાર આવે તો એમ કરતાં પહેલા ગામનો કૂવો પૂરી દેવાનો. એટલે કે મરી જવાનું, પણ તને પડતાં દુઃખ સામે અવાજ નહીં ઊઠાવવાનો. </p>
<p>આ પ્રકારની પ્રથાની પાછળનું કારણ કુટુંબની આબરૂને સેક્રોસેન્ટ એટલે ડબલ પવિત્ર ગણવામાં આવતી. કુટુંબની આબરૂ ઓછી થાય એવું કંઈ જ કરવાનો કોઈને અધિકાર નથી એ માન્યતા સર્વસ્વીકૃત હતી. આ પ્રકારની સેક્રોસેન્ટ માન્યતાઓ અનેક બાબતોમાં પ્રવર્તે છે. આપણાં ન્યાયતંત્ર માટે પણ આવી ડબલ પવિત્ર માન્યતા પ્રવર્તે છે. તમે ન્યાયતંત્રની ટીકા કરી જ ન શકો. તમે ન્યાયમૂર્તિઓની ટીકા કરી જ ન શકો. એક રીતે આ પ્રથા સારી જ છે, કારણ કે જો લોકોને ન્યાયતંત્રમાંથી જ વિશ્વાસ ઊડી જાય તો પછી દેશમાં કાયદા કાનૂન જેવું કંઈ રહે જ નહીં. ન્યાયની કોઈ ભાવના જ ન ટકી શકે. આમ છતાં દરેક પવિત્ર ચીજ કે બાબત હંમેશાં માટે અને દરેક રીતે પવિત્ર નથી રહેતી. ચાંદમાં પણ ડાઘ હોય છે. આથી જો કોઈ વાતે બહુ મોટી શંકા પેદા થાય તો એનું નિરાકરણ લાવવું જોઈએ. અલબત્ત, શંકાનો પ્રથમદર્શી કેસ બને છે કે નહીં એ તપાસવાનું જરૂરી છે. સાસરામાં ત્રાસ ભોગવીને શારીરિક ઈજાઓ સાથે આવેલી અનેક દીકરીઓને પાછી કાઢી મૂકવામાં આવી હશે અને એમણે આત્મહત્યા કરી હશે, પરંતુ ક્યારેક તો કોઈ પિતા કે ભાઈએ તર્કથી વિચાર કર્યો હશે. વિચાર્યું હશે કે ખરેખર જો કંઈ ખોટું થઈ રહ્યું હોય તો એ બંધ શા માટે ન કરાવવું? આપણી બેનદીકરીને સહન કરવાની ખોટી સલાહ શા માટે આપવી જોઈએ? </p>
<p>બસ, આવી જ પહેલ દરેક વાતમાં થવી જોઈએ. જેને પણ આપણે સેક્રોસેન્ટ માનતા હોઈએ, એના પર શંકા કરવાની જ મનાઈ ફરમાવવામાં આવી હોય એમાં જ્યારે ખરેખર કંઈક વધુ પડતું શંકાસ્પદ બને ત્યારે જૂની માન્યતાઓ વળગી ન રહેવાય. એની તહેકીકાત થવી જોઈએ.</p>
<p>આપણા ન્યાયતંત્રને આપણે અતિ પવિત્ર માનીએ છીએ અને ન્યાયમૂર્તિઓને તો આપણે મિ. લૉર્ડ કહીને સંબોધીએ છીએ. તેઓ ખોટું કરી જ ન શકે એવું માનવાનું આપણને ફરમાન કરવામાં આવ્યું છે, છતાં જ્યારે કંઈ બહુ મોટી શંકા જન્માવે એવી ઘટના બને ત્યારે શું કરવાનું? બધું ભીનું સંકેલીને ઢાંકપિછોડો કરવાની? </p>
<p>થોડા દિવસ પહેલા સુપ્રીમ કોર્ટના ચાર સૌથી સિનિયર અને સ્વચ્છ રેકૉર્ડ ધરાવતા ચાર ન્યાયમૂર્તિઓ એક બહુ મોટો મુદ્દો ઊઠાવીને ફરિયાદ કરી. આ ફરિયાદ સુપ્રીમ કોર્ટ વહીવટી તંત્રમાં પ્રવર્તતી કેટલીક ખોટી રીતભાત સામે હતી એટલે કે સુપ્રીમ કોર્ટના વડા ન્યાયમૂર્તિ દીપક મિશ્રા સામે હતી. પ્રૉબ્લેમ એટલો મોટો હતો કે ચારેય ન્યાયમૂર્તિઓએ પોતાની વ્યથાભરી વાત કહેવા માટે એક પ્રેસ કૉન્ફરન્સ બોલાવી. ન્યાયતંત્ર સિવાયના કોઈ તંત્રમાં આવી ઘટના બની હોત તો તરત જ એના વિશે તપાસનો આદેશ આપવામાં આવ્યો હોત અને તંત્રના વડાને ત્યાં સુધી રાજીનામું આપી દેવાનું જણાવવામાં આવ્યું હોત, પરંતુ આ ન્યાયતંત્રને લગતી વાત હતી એટલે વિવાદ બહુ મોટો થઈ ગયો. દેશભરમાં ફરી એકવાર સરકાર વિરોધી અને સરકાર તરફી પરિબળ સામસામે આવી ગયા.</p>
<p>સૌથી પહેલા તો આ સમગ્ર ઘટના વિશે કેટલીક વાતો સ્પષ્ટ રીતે અને નિષ્પક્ષતાથી સમજી લેવાની જરૂર છે. તો જ આગળ શું કરવું જોઈએ એ વિશે આપણે કોઈ અભિપ્રાય ઘડી શકીએ. </p>
<p>પહેલી વાત એ છે કે આ ઘટના અભૂતપૂર્વ છે. અગાઉ ન્યાયમૂર્તિઓ પર આરોપો થયા છે, પરંતુ ચાર ન્યાયમૂર્તિઓએ મુખ્ય ન્યાયમૂર્તિ પર કોઈ આક્ષેપ કર્યા હોય એવું પહેલી વાર બન્યું છે. આથી આ ઘટનાને અગાઉના માપદંડથી ન સમજી શકાય. આ માટે અગાઉના ધારાધોરણને ત્યજી દેવાની તૈયારી રાખવી પડે.</p>
<p>બીજી વાત, ચાર ન્યાયમૂર્તિઓએ કોઈ કોર્ટ ચુકાદા સામે વિરોધ નથી નોંધાવ્યો. મુખ્ય ન્યાયમૂર્તિની કાર્યપદ્ધતિમાં પ્રવર્તતી એક વિસંગતિ અને એનાથી ઉદ્ભવતી શંકાની વાત કરી છે. એ પણ કોઈ એકલદોકલ કેસની વાત નથી, છેલ્લા ઘણા સમયથી પ્રવર્તતી એક વિશેષ કાર્યપદ્ધતિ તરફ અંગુલીનિર્દેશ કર્યો છે. </p>
<p>ત્રીજી વાત છે આ ન્યાયમૂર્તિઓએ પ્રેસ કૉન્ફરન્સ સંબોધી એને લગતી છે. ન્યાયતંત્રના અમુક સિનિયર અને અન્ય કેટલાક રાજકારણીઓ એવો આક્ષેપ કરે છે કે ન્યાયમૂર્તિઓએ આ મામલો ન્યાયતંત્રની અંદર રહીને પડદા પાછળ જ પતાવી દેવાની જરૂર હતી. તેઓ આવી પ્રેસ કૉન્ફરન્સ યોજી જ ન શકે. હવે હકીકત એ છે કે આ મામલો સુલઝાવવા માટે આ ચાર ન્યાયમૂર્તિઓએ અગાઉ અનેક પ્રયાસ કર્યા હતા. જે દિવસે પ્રેસ કૉન્ફરન્સ યોજવામાં આવી એ સવારે પણ તેઓ મુખ્ય ન્યાયમૂર્તિને મળ્યા હતા અને પોતાની જૂની ફરિયાદનું નિરાકરણ લાવવાની એમને વિનંતિ કરી હતી. આમ છતાં મુખ્ય ન્યાયમૂર્તિએ એમની વાત ન સાંભળી. ચાર વરિષ્ઠ ન્યાયયમૂર્તિઓએ સ્પષ્ટ કહ્યું કે અમે દરેક પ્રકારના પ્રયાસ કર્યા અને આખરી વિકલ્પ તરીકે પ્રેસ કૉન્ફરન્સ સંબોધવાનું નક્કી કર્યું. આથી પ્રેસ કૉન્ફરન્સ યોજવા પાછળનું લોજિક અને કારણ એકદમ વેલીડ છે.</p>
<p>ચોથી વાત ફરિયાદના નક્કર મુદ્દાને લગતી છે. વરિષ્ઠ ન્યાયમૂર્તિઓનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટમાં આવતા કેસ માટે જે બેન્ચ નક્કી કરવામાં આવે છે એમાં ભારોભાર વિસંગતિ છે. મોટા ભાગના કેસમાં સિનિયર ન્યાયમૂર્તિઓને સાઈડલાઈન કરીને જુનિયર ન્યાયમૂર્તિઓની બેન્ચ બનાવવામાં આવે છે. હવે આ આક્ષેપનો એક સ્પષ્ટ સૂચિતાર્થ એ છે કે અમુક કેસમાં મુખ્ય ન્યાયમૂર્તિ પક્ષપાતી વલણ દાખવે છે, પોતાના સ્થાપિત હિતને લાભ થાય એ મુજબ વર્તે છે અને એ રીતે ન્યાયની યોગ્ય પ્રક્રિયાને મોટું નુકસાન પહોંચાડે છે. એક રીતે મુખ્ય ન્યાયમૂર્તિ સામે સીધો આરોપ છે.</p>
<p>છેલ્લી વાત, જેમણે મુખ્ય ન્યાયમૂર્તિની કાર્યપદ્ધતિ પર આ આરોપ કર્યો છે એ ચારેય ન્યાયમૂર્તિઓની નિષ્ઠા પર કોઈ શક થઈ શકે એમ નથી. એમણે કહ્યું કે ભવિષ્યની પેઢીને એમ ન લાગે કે અમે અમારું જમીર વેચી દીધું હતું એ કારણસર અમે જાહેરમાં આવ્યા છીએ. જો તમે આ ચાર ન્યાયમૂર્તિઓની દાનત ખોરી છે, એમનો કોઈ બદઈરાદો છે એવું સાબિત ન કરી શકો તો તમારે એમની ફરિયાદને ધ્યાનમાં લેવી જ પડે.</p>
<p>ઉપર જણાવેલ દરેક વાતને ધ્યાનમાં રાખીએ તો ચાર વરિષ્ઠ ન્યાયમૂર્તિઓએ ઊઠાવેલો મુદ્દો અને પ્રશ્ન અતિ ગંભીર છે. ન્યાયતંત્રની પવિત્રતાનું બહાનું આપીને આ મામલે ભીનું સંકેલવાનું બહુ જ જોખમી ગણાય. કેન્દ્ર સરકારે એવો પ્રતિસાદ આપ્યો કે આ મામલો ન્યાયમૂર્તિઓએ અંદરોઅંદર જ નિપટાવી લેવો જોઈએ. અન્ય સરકાર તરફી પંડિતોએ પણ આવો અભિપ્રાય આપ્યો. અરે ભાઈ, જે કંઈ ચાલી રહ્યું છે એના કારણે ન્યાયતંત્રને જે નુકસાન પહોંચી રહ્યું છે એનો વિચાર તમે કેમ પહેલા નથી કરતા? જ્યારે જીવ જોખમમાં હોય ત્યારે નિયમો અને આદર્શને પાછળ રાખવા પડે. આમ છતાં ચાર ન્યાયમૂર્તિઓ મુખ્ય ન્યાયમૂર્તિઓને મળીને સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. </p>
<p>સમસ્યા એ છે કે મામલો ઘણો વિસ્ફોટક બની ચૂક્યો છે. ન્યાયતંત્રની પ્રતિષ્ઠા ઑલરેડી જોખમમાં મૂકાઈ ચૂકી છે. હવે ડેમેજ કન્ટ્રોલ તો કરવાનું જ છે, સાથોસાથ જે સમસ્યા બહાર આવી છે એનો ઉકેલ લાવવાનો છે. અને એક વાત નક્કી છે કે આ ઉકેલ ન્યાયમૂર્તિઓ અંદરોઅંદર સમાધાન કરીને નહીં લાવી શકે. આ સમસ્યાનો ઉકેલ શોધવા જઈએ તો ફક્ત બે જ વિકલ્પ સામે છે. </p>
<p>એક, વરિષ્ઠ ન્યાયમૂર્તિઓએ અતિ ગંભીર પ્રકારની સમસ્યા પર પ્રકાશ ફેંક્યો છે અને એમાં મુખ્ય ન્યાયમૂર્તિ પર સીધો આરોપ છે. આથી સૌથી પહેલા તો આ ચારેય ન્યાયમૂર્તિઓને એમના આ પગલાં માટે દોષિત ઠેરવી શકાય એમ છે કે નહીં એ તપાસવું જોઈએ. એમની સામે પૂરેપૂરી તપાસ થવી જોઈએ. જો એમના મનમાં કોઈ પૂર્વયોજીત એજન્ડા હોય, જો આમાં એમનો કોઈ સ્વાર્થ હોય, જો એમણે ઈર્ષ્યાને લીધે આવું પગલું ભર્યું હોય તો એ વાત બહાર લાવવી જોઈએ. મોટા ભાગે તો આવા કેસમાં બદઈરાદો ત્યારે પુરવાર થાય, જ્યારે એમને મળનારો કોઈ લાભ અટકી જવાનો જવાનો હોય અથવા અત્યારે મળી રહેલો લાભ બંધ થઈ જવાનો હોય. ચારમાંના એક ન્યાયમૂર્તિ ગોગોઈ તો ટૂંક સમયમાં મુખ્ય ન્યાયમૂર્તિ બનવાના છે. આથી અંદરોઅંદરની ઈર્ષ્યાનો પણ કોઈ ઇરાદો દેખાતો નથી. આમ છતાં એમણે આવું મોટું પગલું ભર્યું છે ત્યારે એમની સામે તપાસ થવી જ જોઈએ.</p>
<p>બીજો વિકલ્પ. જો ચાર વરિષ્ઠ ન્યાયમૂર્તિઓની સામે કોઈ આક્ષેપ પુરવાર ન થઈ શકે તો પછી એમની વાત પર પૂરું ધ્યાન આપવામાં આવવું જોઈએ. એમની ફરિયાદ વિશે ઊંડી તપાસ થવી જોઈએ. એમના કહેવા પ્રમાણે મુખ્ય ન્યાયમૂર્તિએ ખોટું કર્યું છે તો મુખ્ય ન્યાયમૂર્તિ સામે પણ તપાસ થવી જોઈએ, આ આક્ષેપોના સંદર્ભમાં. એમની કાર્યપદ્ધતિની તપાસ થવી જોઈએ. જો એમણે ખરેખર કંઈ ખોટું કર્યું હોય તો એવી વ્યક્તિને એ હોદ્દા પર રહેવાનો અધિકાર નથી. અલબત્ત, ઈમ્પીચમેન્ટ કરીને એમને તગેડી મૂકવાનું કામ એટલું સરળ નથી, છતાં ભવિષ્યમાં કોઈ મુખ્ય ન્યાયમૂર્તિ પક્ષપાતી વલણ દાખવીને દેશની સર્વોચ્ચ ન્યાય પ્રક્રિયાને ટલ્લે ન ચડાવે એની ખાસ તકેદારી રાખવી પડે.</p>
<p>આવી મોટી સમસ્યા પેદા થઈ હોય ત્યારે ન્યાયતંત્ર એક પવિત્ર ગાય છે ફક્ત એ માન્યતાના આધારે બધું ભીનું સંકેલવું એ ન્યાયતંત્રની સાથે જ મોટો અન્યાય થયો ગણાશે. ગૂમડા પર ફક્ત એન્ટીસેપ્ટિક ક્રીમ લગાવીને એને દબાવી દેવાથી રોગ નહીં મટે. એ માટે એની સર્જરી કરવી પડે અને એન્ટીસેપ્ટીક ગોળીઓનો કોર્સ કરવો પડે. અને બાબતે કોઈ શરમ કે સંકોચ ન હોવા જોઈએ.</p>
<p>ન્યાયતંત્રની પ્રક્રિયામાં જો કોઈએ ગુનો કર્યો હોય તો એને સજા મળવી જ જોઈએ, પછી ભલે એ ગમે એવો મિ. લૉર્ડ હોય.</p>]]></content:encoded>
                
                                                            <category>Magazine: નાનાં મોઢે નાની વાત</category>
                                    

                <link>https://www.khabarchhe.com/magazine--%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A2%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4/an-article-on-justice-system/article-170068</link>
                <guid>https://www.khabarchhe.com/magazine--%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A2%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4/an-article-on-justice-system/article-170068</guid>
                <pubDate>Sun, 21 Jan 2018 14:46:03 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2018-01/1516524727judgeindia.jpg"                         length="249344"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[nikhilmehta-author - (નિખિલ મહેતા)]]></dc:creator>
                            </item>
            <item>
                <title>સ્માર્ટ બનવા માટે ક્રિટિકલ થિન્કીંગ વિકસાવો</title>
                                    <description><![CDATA[<p>આજનો જમાનો સ્માર્ટનેસનો છે. બધાને સ્માર્ટ બનવું છે અને મોટા ભાગના લોકો માને છે કે પોતે સ્માર્ટ છે. ક્યારેક ફક્ત હોંશિયારી મારતાં લોકો પોતાને સ્માર્ટ સમજતા હોય છે તો ક્યારેક ચાલાકી અને છેતરપીંડી કરતાં લોકો પોતાને સ્માર્ટ સમજતાં હોય છે. આપણે સ્માર્ટ છીએ કે નહીં એનો જવાબ એનાથી વિરુદ્ધનું વિચારવામાં મળી શકે. એટલે કે તમે ઉલ્લુ કે મૂર્ખ છો કે નહીં? જો તમે ઉલ્લુ કે મૂર્ખ ન હોવ તો તમે સ્માર્ટ હોઈ શકો, પરંતુ તમને ક્યારે ખબર પડે કે તમે ઉલ્લુ નથી? તમને કોઈ ઉલ્લુ બનાવી જાય ત્યારે? કે એ પછી? શું એ પહેલા તમે જાગ્રત રહીને એવી સ્થિતિમાંથી બચી</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/magazine--%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A2%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4/develope-critical-thinking-to-be-smart/article-170067"><img src="https://www.khabarchhe.com/media/400/2018-01/1515848898girl.jpg" alt=""></a><br /><p>આજનો જમાનો સ્માર્ટનેસનો છે. બધાને સ્માર્ટ બનવું છે અને મોટા ભાગના લોકો માને છે કે પોતે સ્માર્ટ છે. ક્યારેક ફક્ત હોંશિયારી મારતાં લોકો પોતાને સ્માર્ટ સમજતા હોય છે તો ક્યારેક ચાલાકી અને છેતરપીંડી કરતાં લોકો પોતાને સ્માર્ટ સમજતાં હોય છે. આપણે સ્માર્ટ છીએ કે નહીં એનો જવાબ એનાથી વિરુદ્ધનું વિચારવામાં મળી શકે. એટલે કે તમે ઉલ્લુ કે મૂર્ખ છો કે નહીં? જો તમે ઉલ્લુ કે મૂર્ખ ન હોવ તો તમે સ્માર્ટ હોઈ શકો, પરંતુ તમને ક્યારે ખબર પડે કે તમે ઉલ્લુ નથી? તમને કોઈ ઉલ્લુ બનાવી જાય ત્યારે? કે એ પછી? શું એ પહેલા તમે જાગ્રત રહીને એવી સ્થિતિમાંથી બચી શકો? ભૌતિક ચીજ પડાવી લેવા માટે કોઈ આપણને છેતરી જાય અથવા ઉલ્લુ બનાવી જાય એનો ખ્યાલ આપણને તરત આવી જાય, પરંતુ વૈચારીક રીતે કોઈ આપણી સાથે મેનિપ્યુલેટ કરતું હોય, પોતાની માન્યતા આપણા પર ઠોકી બેસાડવાનો પ્રયત્ન કરતું હોય અને ત્યારે જો આપણે સાવધ ન રહીએ તો આપણે ખરેખરા ઉલ્લુ છીએ, મૂર્ખ છીએ. આજના સોશિયલ મીડિયાના જમાનામાં વૈચારીક રીતે સજાગ રહેવાનું ખૂબ જરૂરી છે.</p>
<p>ખરેખરા સ્માર્ટ બનવા માટે વિચારોની સ્પષ્ટતા અને એકદમ સચોટ રીતે વિચારવાની ક્ષમતા હોય તો આપણને કોઈ મૂર્ખ ન બનાવી શકે. ખરેખરી સ્માર્ટનેસ આ પ્રકારના ક્રિટિકલ થિન્કિંગમાં જ છે. સાચું શું અને ખોટું શું એ નક્કી કરતી વખતે મોટે ભાગે આપણે ઉલ્લુ બનતા હોઈએ છીએ કારણ કે આપણે જૂની અને એક જ લઢણની વિચાર પ્રક્રીયામાંથી પસાર થતાં હોઈએ છીએ. ક્રિટિકલ થિન્કિંગની આપણને ટેવ જ નથી. </p>
<p>મોટા ભાગના લોકો લોજિક ભણ્યા નથી હોતા અને સ્કૂલ કે કોલેજમાં જે લોજિક ભણાવવામાં આવે છે એ થિયેરોટિકલ વધુ હોય છે. પ્રિમાઈસ, પ્રપોઝિનશન, ઈક્વેશન્સ વગેરેના કોન્સેપ્ટ ગૂંચવણો પેદા કરતાં હોય છે. સાચી લોજિકલ ફેલસીસ શોધવી હોય તો એ માટે કોમન સેન્સના લોજિકનો સહારો લેવો પડે.</p>
<p>જો થોડા સજાગ રહીને અમુક મુદ્દા પર ધ્યાન આપીએ તો આપણે તર્કની કેટલીક મૂળભૂત ખામીઓને સમજી શકીએ. ક્રિટિકલ થિન્કિંગ અપનાવી શકીએ અને વૈચારીક રીતે તાકાતવાન બની શકીએ. સ્માર્ટ બની શકીએ. ક્રિટિકલ થિન્કિંગ વિકસાવવા માટેની કેટલીક તરકીબ અહીં પ્રસ્તુત છે.</p>
<p>કોઈ પોતાની વાત સાચી ઠેરવવા માટે કોઈ ઓથોરિટીને ક્વોટ કરે ત્યારે એના પર વિચાર કરવો. દરેક ઓથોરિટીની મંજૂરી ફાઈનલ નથી હોતી. વઘારેલી ખીચડીમાં દહીં નાંખીને ખાવાથી શરદી થઈ જાય એવી કોઈ વાત કરે અને પછી કહે કે વ્હોટ્સ એપમાં આવ્યું છે તો એની ઓથોરિટી બોગસ છે એ તમે આરામથી સમજી શકો. આ જ રીતે કોઈ મોટી ઓથોરિટીની વાત કરે ત્યારે એને પણ ચેલેન્જ કરો અને તમારી પોતાની રીતે નિર્ણય લો.</p>
<p>ઘણી વાર લોકો પોતાની વાત તમારી સમક્ષ સાચી ઠેરવવા માટે એકની એક જ દલીલ ગોળગોળ ફેરવતા રહે છે. આને સર્ક્યુલર રીઝનિંગ કહેવાય છે. કોઈ તમને કહે કે સંજય લીલા ભણસાલીને વિવાદાસ્પદ ફિલ્મો બનાવવાનો શોખ છે. તમે દલીલ કરો કે વિવાદ તો પછી થાય, પહેલા એ ફિલ્મ બનાવે છે. તો સામે દલીલ થશે કે એ જાણી જોઈને એવા વિષય પર ફિલ્મ બનાવશે, જેમાં વિવાદ થાય. તમે ફરી દલીલ કરો કે વિવાદસ્પદ બનાવવાથી એને નુકસાન થાય એવું એ શા માટે કરે તો સામે દલીલ થશે કે જેને વિવાદમાં જ મજા આવે એ બીજી કોઈ ચિંતા શા માટે કરે? તમારી સામે નવી કોઈ જ વાત નહીં આવે. </p>
<p>જો એક ઘટના બને તો તરત એના અનુસંધાનની બીજી ઘટના બને જ એવી એક માન્યતા આપણા સૌના મનમાં ગ્રહણ કરી ગઈ હોય છે એ વાતને આપણે આખરી સત્ય તરીકે સ્વીકારી લેતાં હોઈએ છીએ, પરંતુ દરેક કિસ્સામાં એવું નથી હોતું. સચીનનો સિતારો જોરમાં હતો ત્યારે સચીન આઉટ થાય એટલે મોટા ભાગના ક્રિકેટ ચાહકો માનતા કે હવે ઈન્ડિયા હારી જશે. એવું ઘણી વાર બન્યું પણ હશે, છતાં સચીન આઉટ થયા પછીય ઈન્ડિયન ટીમ ઘણી મેચો જીત્યું છે. આથી જ કોઈ કહે કે જીડીપીનો દર વધ્યો એટલે મોંઘવારી ઘટશે તો એ વાત માનવી નહીં.</p>
<p>આપણા સાહિત્યમાં અને સંસારમાં ઉપમા અલંકારનું મહત્ત્વ અનેરું છે. કોઈ પણ વાતને સાચી કે ખોટી ઠેરવવા માટે આપણે તરત જ હાથવગાં ઉદાહરણો શોધી લેતાં હોઈએ છીએ. આમ છતાં ક્યાં કઈ ઉપમા આપી શકાય અને કઈ ઉપમા લાગુ પડે એના વિશે ભાગ્યે જ વિચાર થતો હોય છે. નોટબંધી પછી એના ફાયદા સમજાવવા માટે અનેક વિદ્વાનોએ પોતાની દલીલમાં એવા કિસ્સાની ઉપમાઓ આપી હતી, જેમાં નોટબંધીને કારણે સંબંધીત દેશને ફાયદો થયો હતો. બીજી તરફ નોટબંધીથી બરબાદ થયેલા અર્થતંત્રોની ઉપમા વિરોધ પક્ષો આપતા રહ્યા. અરે ભાઈ એવી ઉપમાઓને પડતી મૂકીને અહીંની વાત કરો ને.</p>
<p>ઝડપથી આખરી ચુકાદા પર આવી જવાની ફેલસી એ ક્રિટિકલ થિન્કીંગનું સમજવા જેવું પાસું છે. કેરી હાથમાં લઈને જરા સૂંઘવાથી એ કેટલી કાચીપાકી કે મીઠી છે એનો અંદાજ આપણને આવી જાય, પરંતુ કેટલીક ઘટનાઓ અને ઘટનાક્રમ એવા હોય છે, જેને સાચી રીતે સમજીને એનું પુરું એનાલિસિસ કર્યા વિના એના વિશેનું તારણ કાઢી શકાતું નથી. આજકાલ રાજકારણમાં આવું વધુ બને છે. ચાર ન્યાયમૂર્તિઓએ સુપ્રીમ કોર્ટ વહીવટીતંત્ર સામે વિરોધ કરવા પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે સરકાર વિરોધી પરીબળો તરત જ એવા તારણ પર આવી ગયા કે સરકારનો આમાં વાંક છે. સુબ્રહ્મણિય સ્વામીએ પણ કહ્યું કે વડા પ્રધાને આમાં દરમિયાનગીરી કરવી જોઈએ. આ દિશામાં આગળ કંઈ વાત વધે એ પહેલા સરકારના સમર્થકોએ ધાર્યા મુજબ ચારેય ન્યાયમૂર્તિઓની નિષ્ઠા પર શંકા કરવાનું શરૂ કરી દીધું. ધીરજ રાખીને પૂરી તપાસ કે અભ્યાસ કર્યા વિના તારણો કાઢવા અને ચુકાદો આપી દેવો એ આનું નામ. જો તમે ક્રિટિકલ થિન્કીંગ કરતાં હોવ તો આવી સમસ્યા ન થાય.</p>
<p>દરેક વાતને એક જ ઢાંચામાં ઢાળીને સમજવી અને વ્યક્ત કરવી એને ઓવરજનરલાઈઝેશનની ખામી કહે છે. ભાજપના નેતાઓ પોતાના બચાવમાં મોટે ભાગે એકના એક ઢાંચાનો ઉપયોગ કરીને કોન્ગ્રેસ પર પ્રહાર કરતાં હોય છે. સિત્તેર વર્ષો સુધી દેશને લૂંટનારા અમને કઈ રીતે કઈ શકે? વગેરે. બીજી તરફ કોન્ગ્રેસીઓ પણ સરકારની વિરુદ્ધની કોઈ પણ ઘટનાને આરએસએસ માનસિકતાના જૂના ઢાંચામાં ઢાળીને વ્યક્ત કરતાં જોવા મળે છે.</p>
<p>યોગ્ય રીતે વિચારી ન શકવાનું એક મુખ્ય કારણ એ હોય છે જે વાતચીત કે ચર્ચા ચાલી રહી હોય એના પર આપણે પૂરતું ધ્યાન કેન્દ્રીત નથી કરતાં હોતા. આના લીધે જે મુદ્દા વ્યક્ત થાય એને સાચા સ્વરૂપમાં સમજવાની તસ્દી પણ નથી લેવાતી. ક્રિટિકલ થિન્કીંગ માટે આ ફેલસી દૂર કરવાનું જરૂરી છે.</p>
<p>અમુક લોકોની વાત કરવાની છટા પ્રભાવશાળી હોય છે તો ક્યારેક લોકો પોતાની દલીલો વધુ મક્કમતાપૂર્વક કરતાં હોય છે. આવી સ્થિતિમાં ક્યારેક તમારી સ્વતંત્ર વિચારશક્તિ નબળી પડી જાય છે. આવી સ્થિતિમાં સારામાં સારો ઉપાય એ છે કે કોઈ પણ વાતે કન્વીન્સ થવા માટે પૂરાવા માંગવાની ટેવ રાખવી. લોકો ભલે તમને લપિયા કહે, પરંતુ જો કોઈ વાત તમે કન્વીન્સ ન થતાં હોય તો પૂરાવા માંગવા અને એ ન મળે ત્યાં સુધી ઝુકવું નહીં.</p>
<p>લોકો પોતાની વાત તમારા મનમાં ઠસાવવા માટે દુનિયાભરની બધી વાતો કરશે, પરંતુ પોતાની ફેવરમાં ન હોય એવી સૌથી વધુ મહત્વની વાત તમને નહીં કરે, વિમા એજન્ટો, એસ્ટેટ એજન્ટો અને માર્કેટિંગવાળા આ કળામાં માહેર હોય છે. એસ્ટેટ એજન્ટ તમને નવું ઘર બતાવશે ત્યારે બાજુમાં ઝુંપડપટ્ટી બની હોય એ તરફની બારી ખોલશે જ નહીં. કઈ વાત તમારા માટે મહત્ત્વની છે એ પહેલેથી નક્કી કરવું અને એ જો સામે ન આવે તો એના વિશે પૂછવું એ ક્રિટિકલ થિન્કીંગ છે. </p>
<p>જ્યારે પણ કોઈ નવી વાત કહે, તમને વાત કન્વીન્સ કરવાનો પ્રયાસ કરે ત્યારે એ વિશે તમારી પોતાની માન્યતા શી છે એ બાબતે સ્પષ્ટ રહેવું જોઈએ. અલબત્ત, ચર્ચા દરમિયાન તમે મન ખુલ્લું રાખવું અને તમારી સામે કઈ નવી વાત આવી રહી છે એના પર ધ્યાન આપવું. આ રીતે તમે સાચાં અને ખોટાં વચ્ચેના ફરક વિશે વિચારી શકશો. સામી વ્યક્તિની વાતમાં સત્વ હોય તો તમે તમારી માન્યતા બદલવાની તૈયારી રાખી શકો. આ પ્રકારની એલર્ટનેસ એટલે ક્રિટિકલ થિન્કીંગ અને એ જ સાચી સ્માર્ટનેસ.</p>]]></content:encoded>
                
                                                            <category>Magazine: નાનાં મોઢે નાની વાત</category>
                                    

                <link>https://www.khabarchhe.com/magazine--%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A2%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4/develope-critical-thinking-to-be-smart/article-170067</link>
                <guid>https://www.khabarchhe.com/magazine--%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A2%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4/develope-critical-thinking-to-be-smart/article-170067</guid>
                <pubDate>Sat, 13 Jan 2018 18:37:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2018-01/1515848898girl.jpg"                         length="70785"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[nikhilmehta-author - (નિખિલ મહેતા)]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ગુજરાતી ભાષાના વઘારમાં અંગ્રજી તડકો નંખાય કે નહીં?</title>
                                    <description><![CDATA[<p>કોઈ પૂછે કે આજકાલ કઈ મોસમ ચાલ છે તો જવાબમાં ઠંડીની મોસમ કહેવાનું ખોટું તો નહીં, પણ જરા અપૂરતું ગણાશે, કારણ કે આજકાલ માતૃભાષાપ્રેમની મોસમ પણ ચાલી રહી છે. એક તરફ અમદાવાદમાં ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ (GLF) ચાલી રહ્યો છે તો બીજી તરફ કેટલાક વિદ્વાનો ભાષાના ડીએનએ વિશેની ચર્ચા કરી રહ્યા છે. મારો અનુભવ છે કે જ્યારે વિદ્વાનો કોઈ વિષય પર ચર્ચા કરતાં હોય ત્યારે એમાં પડવું નહીં, કારણે ચર્ચા કરી રહેલા બધા જ વિદ્વાનો પોતપોતાની રીતે સાચા હોય છે. પ્રોબ્લેમ ફક્ત એ જ હોય છે કે કોઈ પોતાની વાત એકબીજાને કન્વીન્સ કરાવી નથી શકતા. આમેય પોતાની ભૂલ કબૂલ કરીને બીજાની</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/magazine--%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A2%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4/is-it-fair-to-mixing-english-language-with-gujarati-language/article-170066"><img src="https://www.khabarchhe.com/media/400/2018-01/1515330309abcd.jpg" alt=""></a><br /><p>કોઈ પૂછે કે આજકાલ કઈ મોસમ ચાલ છે તો જવાબમાં ઠંડીની મોસમ કહેવાનું ખોટું તો નહીં, પણ જરા અપૂરતું ગણાશે, કારણ કે આજકાલ માતૃભાષાપ્રેમની મોસમ પણ ચાલી રહી છે. એક તરફ અમદાવાદમાં ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ (GLF) ચાલી રહ્યો છે તો બીજી તરફ કેટલાક વિદ્વાનો ભાષાના ડીએનએ વિશેની ચર્ચા કરી રહ્યા છે. મારો અનુભવ છે કે જ્યારે વિદ્વાનો કોઈ વિષય પર ચર્ચા કરતાં હોય ત્યારે એમાં પડવું નહીં, કારણે ચર્ચા કરી રહેલા બધા જ વિદ્વાનો પોતપોતાની રીતે સાચા હોય છે. પ્રોબ્લેમ ફક્ત એ જ હોય છે કે કોઈ પોતાની વાત એકબીજાને કન્વીન્સ કરાવી નથી શકતા. આમેય પોતાની ભૂલ કબૂલ કરીને બીજાની વાતનો સ્વીકાર કરવાની આપણને કોઈને ટેવ નથી. આ તાર્કિક કારણોને આધારે આવી ચર્ચામાં પડવાનું હું ટાળું છું, પરંતુ એનો અર્થ એ નહીં કે મારે કોઈ પ્રકારનું દોઢ ડહાપણ નહીં કરવાનું. મારો કહેવાનો મતલબ એ છે કે હુંય એક કાચોકુંવારો લેખક છું અને મારા વિચારો વ્યક્ત કરવાના મનેય કોડ અને અરમાનો છે. તો પ્રસ્તુત છે ગુજરાતી ભાષા વિશેના કેટલાક અપ્રસ્તુલ લાગે એવા મુદ્દા.</p>
<p>આ વિવાદની શરૂઆત ગુજરાતી લિટેરેચર ફેસ્ટિવલ નામ અને એ સંદર્ભમાં ગુજરાતી લેખકો દ્વારા થતાં અંગ્રેજી ભાષાના શબ્દપ્રયોગના વપરાશના પ્રશ્નથી થઈ. અહીં વિદ્વાનોનો એક પક્ષ સાચો છે કે આ રીતે આપણે અંગ્રેજી ભાષાના શબ્દોને અપનાવતા રહીશું તો આપણી ભાષા ધીમે ધીમે ગરીબ થઈ જશે. આપણી ભાષા માટે આપણને પ્રેમ હોય તો આપણે અંગ્રેજી શબ્દોના ગુજરાતી પર્યાય શોધવા જોઈએ અને એનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ. તો બીજી તરફ વિદ્વાનોનો બીજો પક્ષ પણ ખોટો નથી, જે કહે છે કે ભાષામાં અભિવ્યક્તિ મહત્ત્વની છે. જે અંગ્રેજી શબ્દો વાંચકો અને શ્રાવકો સમજી શકે, વધુ સારી રીતે એનો અર્થ ગ્રહણ કરી શકે એવા અંગ્રેજી શબ્દો વાપરવામાં કંઈ ખોટું નથી.</p>
<p>આપણી ભાષામાં અંગ્રેજી ભાષાના શબ્દો વપરાશ હોવો જોઈએ કે નહીં એ વિશે આપણે ભૂતકાળના આધારે ભાર મૂકીને કંઈ કહી શકીએ એમ નથી, કારણ કે અંગ્રેજી ભાષાનો વ્યાપ છેલ્લા બે-ચાર દાયકામાં જ થયો છે અને ગુજરાતી પ્રજાની રહેણીકરણીમાં, લાઈફ સ્ટાઈલમાં અંગ્રેજી ભાષા છેલ્લા થોડા સમય દરમિયાન જ ઘર કરી ગઈ છે. ગૃહિણી, શાકવાળા અને પાનવાળા પણ વાતચીતમાં અંગ્રજી શબ્દો રમતાં રમતાં વાપરતાં હોય ત્યારે એ વાત સ્વીકારવી પડે કે આ મામલો કંઈક અલગ છે અને એને જુદી રીતે સમજવો પડે. અલબત્ત, એનો અર્થ એ નથી કે આ બાબતે કોઈ અંકુશ જ ન રહે અને ભાષામાં લોકો જેમ ફાવે એવી તોડફોડ કરે. એકંદરે આ પ્રશ્ન વિચારવા જેવો ખરો અને એ વિશે ડિસન્ટ ચર્ચા થવી જોઈએ.</p>
<p>માતૃભાષામાં અંગ્રજી ભાષાના મિક્સિંગ-અપની સમસ્યા ફક્ત ગુજરાતીની જ નથી. લાઈફ સ્ટાઈલ બદલાવાને લીધે અને અંગ્રેજી શિક્ષણ તથા એની વ્યાવસાયિક ઉપયોગીતાને કારણે તમામ ભાષામાં અંગ્રેજીના શબ્દો ઘુસ્યા છે. મહારાષ્ટ્રીયન પ્રજા પોતાની ભાષા અને સંસ્કૃતિની બાબતે બહુ સજાગ હોવાની માન્યતા છે. મરાઠી ભાષામાં લગભગ દરેક અંગ્રેજી શબ્દનું શુદ્ધ ભાષાંતર થાય છે, પરંતુ વપરાશ એનો ઓછો થાય છે. સરકાર અને મહત્ત્વની સંસ્થાઓ શુદ્ધ મરાઠી શબ્દો તથા શબ્દ પ્રયોગનો આગ્રહ રાખે છે, પરંતુ પોપ્યુલર કલ્ચરમાં એવા શુદ્ધ શબ્દો વાપરવાથી લોકો દૂર રહે છે.</p>
<p>ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ વગેરે રાજ્યોના હિન્દીભાષા લોકો પણ અંગ્રેજી ભાષાનો ઉપયોગ છૂટથી કરે છે. અલબત્ત, એ લોકો ઉચ્ચારમાં પોતાની રીતે ફેરફાર કરી લે છે, પણ જે શબ્દો અંગ્રેજીમાં ફાવી ગયા છે એ અંગ્રેજીમાં જ બોલાય છે. જેમ કે સોરીનું સારી કરી નાંખે અને કોન્ગ્રેસનું કાન્ગ્રેસ કરી નાંખે. ભારતની લગભગ દરેક ભાષાના આધુનિક સાહિત્ય અને કળામાં અંગ્રેજી ભાષાના શબ્દો પ્રવેશ્યા છે.</p>
<p>અલબત્ત, માતૃભાષા માટેનો પ્રેમ અને ભાષાશુદ્ધી માટેનો આગ્રહ રાખવો એ બહુ જ સારી વાત છે અને જે વિદ્વાનો આ દિશામાં પ્રયાસો કરતા રહે છે એમના માટે મને ખૂબ જ આદર છે. અહીં એક અનોખો કિસ્સો તપાસવા જેવો છે. 'સમકાલીન' અખબારના સ્થાપક તંત્રી હસમુખ ગાંધી શુદ્ધ ગુજરાતી ભાષાના પ્રખર આગ્રહી હતા. વ્યાકરણની ભૂલો કરનાર પર એમને બહુ જ ગુસ્સો હતો. ઊંધી માત્રા (રેફ)નો ઉપયોગ અગાઉ કોઈ કરતું નહોતું, પરંતુ હસમુખ ગાંધીએ એના ઉપયોગની પ્રથા શરૂ કરી હતી. એટલું જ નહીં, કોઈ ગુજરાતી અખબારમાં પ્રૂફ રીડિંગ વિભાગને મહત્ત્વ નહોતું અપાતું એ સમયે હસમુખ ગાંધીએ એક ઊચ્ચ સ્તરનો પ્રૂફ રીડિંગ વિભાગ ઊભો કર્યો હતો. જીતુભાઈ ઠાકર જેવા વિદ્વાન પ્રૂફ રીડરના માર્ગદર્શન હેઠળના એ પ્રૂફ રીડિંગ વિભાગના પ્રૂફ રીડરોની કક્ષા સબ એડિટર કક્ષાની હતી. આજના સમયમાં ગુજરાતી 'મિડ ડે'ના તંત્રી રાજેશ થાવાણી ભાષાશુદ્ધિના આગ્રહ માટે જાણીતા છે.</p>
<p>મજાની વાત એ છે કે હસમુખ ગાંધી ગુજરાતી ભાષાના વ્યાકરણ, જોડણી વગેરેના ચુસ્ત આગ્રહી હતા, પરંતુ અંગ્રેજી ભાષાના શબ્દો પ્રયોગો બાબતે એમને જરાય છોછ નહોતો. સમાચારના હેડીંગથી માંડીને કોલમોના નામોમાં અંગ્રેજી શબ્દો છૂટથી વપરાતા. હસમુખ ગાંધીની પોતાની કોલમો તથા એમના તંત્રીલેખોમાં પણ અંગ્રેજી શબ્દો ભરપૂર રહેતા અને એ કહેવાની જરૂર નથી કે એમના લખાણની અસરકારકતા જબરજસ્ત હતી.</p>
<p>અન્ય ભાષાના શબ્દો મિક્સ અપ કરવાની બાબતમાં સૌથી મોટું નામ ચન્દ્રકાન્ત બક્ષીનું ગણાય. બક્ષીએ અંગ્રેજી નહીં પણ ઉર્દૂ ભાષાના શબ્દોનું ગુજરાતીમાં મિશ્રણ કર્યું અને એ પણ કેવું. બક્ષીના અમુક વિચારો સાથે તમે કદાચ સહમત ન થાવ, પરંતુ એમની શૈલીની અસરકારકતા બાબતે કોઈ બેમત ન હોઈ શકે. ભેળનો જૂનો કાગળ પણ જો બક્ષીના લખાણનો હોય તો તમે એ આસાનીથી કહી શકો. બક્ષીનું આ એક અનોખું ઇનોવેશન હતું. ઉર્દૂની નજીક ગણાતી હિન્દી ભાષાના કોઈ લેખકે પણ ઉર્દૂ ભાષાના શબ્દોનું મિક્સ અપ કરીને પોતાની શૈલીને આટલી તાકાતવાન બનાવી હોય એવું મારી જાણમાં નથી. બક્ષીની લોકપ્રિયતામાં એમની શૈલીનો ફાળો બહુ મોટો હતો. બક્ષી લોકપ્રિય થયા એટલું જ નહીં, એમનું અનુકરણ કરનારાની સંખ્યા પણ ઘણી મોટી છે.</p>
<p>તો વાત એમ છે કે ભાષામાં અભિવ્યક્તિ કદાચ સૌથી વધુ મહત્ત્વની છે અને અભિવ્યક્તિને વધુ અસરકારક બનાવવા માટે શૈલી મહત્વની છે. લેખક કે વક્તા ગમે એવી સાત્વિક અને મુદ્દાની વાત કહેવા માંગતા હોય, પણ જો એમની પાસે સારી શૈલી ન હોય તો એ પોતાની વાત એટલી અસરકારક રીતે નહીં કહી શકે. ખુશવંત સિંહે એક વાર કહ્યું હતું કે મોટા ભાગના વિષયો પર બધાએ લગભગ એક જ વાત કહેવાની હોય છે, પરંતુ દરેક વ્યક્તિ એ વાત અલગ અલગ રીતે કહેતી હોય છે અને ફરક ત્યાં પડે છે.</p>
<p>જોકે અહીં એક સૌથી વધુ મહત્વની વાત એ છે કે શૈલી અભિવ્યક્તિને ફક્ત વધુ અસરકારક બનાવે છે. એ સારી કન્ટેન્ટ કે વસ્તુત્વનો પર્યાય નથી. શૈલી વિનાનું લખાણ કંટાળાજનક બની શકે, પરંતુ સારી કન્ટેન્ટ વિનાનું અને તાકાતવાન શૈલીવાળું લખાણ જોખમી બની શકે છે, કારણ કે નબળી વાત કે અસત્યને જ્યારે ખૂબ અસરકારક શૈલીમાં વ્યક્ત કરવામાં આવે ત્યારે એનો અતાર્કિક રીતે સ્વીકાર થઈ જતો હોય છે. જોકે આ એક અલગ મુદ્દો છે.</p>
<p>આ તો મારા કાચાપાકા વિચારો રજૂ કર્યા. આ વિશે વધુ ચર્ચા થતી રહે અને આપણી ભાષા વધુ સમૃદ્ધ બનતી રહે એવી આશા અને ઇચ્છા.</p>]]></content:encoded>
                
                                                            <category>Magazine: નાનાં મોઢે નાની વાત</category>
                                    

                <link>https://www.khabarchhe.com/magazine--%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A2%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4/is-it-fair-to-mixing-english-language-with-gujarati-language/article-170066</link>
                <guid>https://www.khabarchhe.com/magazine--%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A2%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4/is-it-fair-to-mixing-english-language-with-gujarati-language/article-170066</guid>
                <pubDate>Sun, 07 Jan 2018 18:38:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2018-01/1515330309abcd.jpg"                         length="60199"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[nikhilmehta-author - (નિખિલ મહેતા)]]></dc:creator>
                            </item>
            <item>
                <title>શું ઉકાળ્યું ગયા વર્ષે? શું વઘારીશ નવાં વર્ષમાં?</title>
                                    <description><![CDATA[<p>આપણે કોઈ પણ જાતિના હોઈએ, કોઈ પણ કોમના હોઈએ, પરંતુ એક ભારતીય તરીકે આપણા ધર્મમાં 31મી ડિસેમ્બરની ઉજવણીનું જેટલું માહત્મ્ય છે એટલું જ મહત્ત્વ પહેલી જાન્યુઆરીથી શરૂ થતાં નવા વર્ષના નિર્ધાર, રિઝોલ્યુશનનું ગણાવાયું છે. આથી જ આપણે 31મી ડિસેમ્બરની રાતની ધામધૂમથી (અને અમુક કિસ્સામાં ધમાધમથી) ઉજવણી કરીએ છીએ અને પછી બીજા દિવસે જીવનને સુધારવા માટેના સારા સારા રિઝોલ્યુશન્સ કરીએ છીએ. આવતા વર્ષ દરમિયાન વજન ઊતારવું જ છે, સિગરેટ છોડી જ દેવી છે, બાજુની દુકાન ખરીદી લેવી છે, પ્રમોશન લઈને જ જંપીશ, વગેરે.</p>
<p>આશ્ચર્યની વાત એ છે કે આપણા માટે તો દિવાળી પછીનો દિવસ નવાં વર્ષનો પહેલો દિવસ ગણાય છે અને</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/magazine--%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A2%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4/what-did-you-achieve-in-last-year-and-what-is-your-resolution-for-new-year/article-170065"><img src="https://www.khabarchhe.com/media/400/2017-12/1514716933new-year.jpg" alt=""></a><br /><p>આપણે કોઈ પણ જાતિના હોઈએ, કોઈ પણ કોમના હોઈએ, પરંતુ એક ભારતીય તરીકે આપણા ધર્મમાં 31મી ડિસેમ્બરની ઉજવણીનું જેટલું માહત્મ્ય છે એટલું જ મહત્ત્વ પહેલી જાન્યુઆરીથી શરૂ થતાં નવા વર્ષના નિર્ધાર, રિઝોલ્યુશનનું ગણાવાયું છે. આથી જ આપણે 31મી ડિસેમ્બરની રાતની ધામધૂમથી (અને અમુક કિસ્સામાં ધમાધમથી) ઉજવણી કરીએ છીએ અને પછી બીજા દિવસે જીવનને સુધારવા માટેના સારા સારા રિઝોલ્યુશન્સ કરીએ છીએ. આવતા વર્ષ દરમિયાન વજન ઊતારવું જ છે, સિગરેટ છોડી જ દેવી છે, બાજુની દુકાન ખરીદી લેવી છે, પ્રમોશન લઈને જ જંપીશ, વગેરે.</p>
<p>આશ્ચર્યની વાત એ છે કે આપણા માટે તો દિવાળી પછીનો દિવસ નવાં વર્ષનો પહેલો દિવસ ગણાય છે અને એનું નામ જ બેસતું વર્ષ છે, છતાં આપણે એ દિવસે ભાગ્યે જ કોઈ નિર્ધાર કરતાં હોઈએ છીએ. ખરેખર જો કોઈ માણસ નવા વર્ષ માટેના નિર્ધાર કરવા માંગતો હોય તો એણે આઈડિયલી પોતાના જન્મદિવસે રિઝોલ્યુશન્સ કરવા જોઈએ, કારણ કે એના માટે તો જીવનનું નવું વર્ષ એ જ દિવસે શરૂ થતું હોય છે. જોકે કોઈ પણ પ્રકારના નવા વર્ષના પહેલા દિવસે કરવામાં આવતાં નિર્ધારો વચ્ચે એક સામ્યતા એ હોય છે કે એ કદી પૂરા નથી થતાં. ધૂમ્રપાનની ટેવથી મુક્તિ મેળવવાનો નિર્ધાર કરનાર માણસ બીજા વર્ષના પહેલા દિવસે સિગરેટ પીતાં પીતાં જ પાછો ફરીવાર એ જ નિર્ધાર કરતો હોય છે કે હવે આ વર્ષે તો પાકું છોડવી જ છે. કુટેવો છોડવાની વાત જ નહીં, કંઈક નાની વાત સિદ્ધ કરવામાં પણ માણસે કરેલા નિર્ધાર ટકી શકતા નથી. આથી જ જાન્યુઆરી મહિનો આશાના કિરણ તરીકે અને ડિસેમ્બર મહિનો અરીસા તરીકે ઓળખાય છે. ડિસેમ્બરમાં માણસ પોતાના જીવનની આખા વર્ષની ફિલ્મ ફ્લેશબેકમાં જોઈને પોતાની નિષ્ફળતાઓની ગણતરી કરતો રહે છે. બહુ જ ઓછા લોકો એવા હશે, જેઓ નવા વર્ષ માટે કરેલા નિર્ધારને વળગી રહેવામાં સફળ થયા હશે.</p>
<p>મોટા ભાગના લોકો ધારેલા કામ વર્ષ દરમિયાન પૂરાં કરી શકતા નથી, નક્કી કરેલા ધ્યેય સિદ્ધ કરી શકતા નથી તો શું આ બધા લોકોને નિષ્ફળ ગણી શકાય? શું ચારે તરફ નિષ્ફળતા અને નિરાશા જ છવાયેલી છે? જો તમે સફળતાના પ્રવર્તમાન માપદંડના આધારે વિચારો તો આ વાત સાચી લાગશે, પરંતુ જો તમે માપદંડ બદલી નાંખો તો વાત બદલાઈ જાય અને કદાચ તમારી જિંદગી. </p>
<p>ગયા વર્ષના તમારા પરફોર્મન્સનું તમે અવલોકન અને મૂલ્યાંકન કરો ત્યારે તમે જે સિદ્ધ કર્યું કે ન કર્યું એ વિશે જરા અલગ રીતે વિચારવાની જરૂર છે. મૂળ તો તમે જે કંઈ કર્યું એ સાચું હતું કે ખોટું, એમાં તમે સફળ થયા કે નિષ્ફળ ગયા એ નક્કી માટેના માપદંડ બદલી નાંખવાની જરૂર છે. </p>
<p><strong>હેલ્થ:</strong></p>
<p>હેલ્થ ઈમ્પ્રુવ કરવાની બાબતે આપણે મોટે ભાગે અદ્ધરસદ્ધર અને અવાસ્તવિક લક્ષ્યાંકો બાંધતા હોઈએ છીએ. આવતા વર્ષે સ્ટ્રીક્ટ ડાયેટિંગ અને એક્સરસાઈઝ કરીને વીસ કીલો વજન ઘટાડી નાંખવું છે, રોજનું એક કલાક જોગિંગ કરવું જ છે વગેરે. ક્યારેક વળી બાજુમાં સ્લીમ ભાભી રહેવા આવે તો એને જોઈને પોતાનું વજન ઘટાડવાની ઈચ્છા થઈ જતી હોય છે, આ કેસમાં પતિ અને પત્ની બંનેને. આના બદલે વાસ્તવિક બનવાનું જરૂરી છે. તમારી ઉંમરના હિસાબે તમારું વજન કેટલું હોવું જોઈએ એ નક્કી કરો અને એ પ્રમાણે વજન ઊતારવાનું ધ્યેય રાખો. વર્લ્ડ માસ્ટર્સ એથ્લિટિક્સ એસોશિયેશન દ્વારા 'એજ ગ્રેડિંગ'ની એક પદ્ધતિ વિકસાવવામાં આવી છે, જેના દ્વારા વધતી ઉંમરની સાથે તમારા શરીરની ઘટતી ક્ષમતાનો અંદાજ આપવામાં આવે છે. ટૂંકમાં હેલ્થ બાબતે પ્રવર્તતા જનરલ માપદંડોને છોડીને વાસ્તવિક માપદંડ અપનાવવો.</p>
<p><strong>વ્યાવસાયિક સફળતા:</strong></p>
<p>દરેક વ્યવસાયના સફળતાના માપદંડ બદલાતા રહે છે. પહેલાના સમયમાં સફળ શિક્ષક એ ગણાતા, જેમની પોતાના વિષય પર પક્કડ હોય, જે વિદ્યાર્થીઓને સારી રીતે શીખવી શકે અને એકંદરે જેમના પર સૌને આદર હોય. હવે સફળ શિક્ષક એ ગણાય છે જે વધુ પ્રાઈવેટ ટ્યુશનો મેળવી શકે, જે પોતાના કોચિંગ ક્લાસ શરૂ કરી શકે અથવા એની સાથે સંકળાઈને વધુ પૈસા કમાઈ શકે. જો કોઈ શિક્ષક આ માપદંડથી સફળ થવાને બદલે પોતાના કાર્યમાં મશગૂલ રહ્યો હોય તો એ નિષ્ફળ ન ગણાય. આવી બનાવટી સફળતા મોટે ભાગે તમારા વ્યવસાય સાથે સંકળાયેલા લોકો જ નક્કી કરતાં હોય છે. તમે આગળ નીકળી ગયા કે પાછળ રહી ગયા એ માટે તેઓ ખોટા માપદંડ અપનાવે છે અને તમે પણ એમના અભિપ્રાયને વધુ મહત્ત્વ આપીને નિરાશ થતાં હોવ છો. આથી જો તમે કોઈ ક્રિયેટિવ ફિલ્ડમાં હોવ અને જો તમને કોઈ એવોર્ડ ન મળ્યો હોય, તમારી વિડિયો વાઈરલ ન થઈ હોય કે તમારી બૂક બેસ્ટ સેલર ન બની હોય તો એ પ્રકારની 'નિષ્ફળતા' ગંભીરતાથી લેવાની જરૂર નથી. જો તમે સર્જક છો અને તમારા ચાહકો તમારાથી ખુશ છે તો એ તમારી સફળતા જ છે.</p>
<p><strong>પ્રેસ્ટિજનો સવાલ છે:</strong></p>
<p>વર્ષ દરમિયાન તમે કોઈ મોટું બિઝનેસ સાહસ શરૂ કર્યું હોય અથવા કોઈ મોટું મિશન પૂરું કરવાનું કાર્ય હાથમાં લીધું હોય અને એ ધાર્યા પ્રમાણે પૂર્ણ ન થાય તો એ નિષ્ફળતા કહેવાય? મોસ્ટ પ્રોબેબલી નો. કોઈ પણ સ્પોર્ટ્સમાં જીત અને હારની પરિભાષા એકદમ સ્પષ્ટ હોય છે, પરંતુ ટૂંકા ગાળાની જીત એ ઘણી વાર લાંબા ગાળાની હાર બની જતી હોય છે. સફળતા મેળવ્યા પછી મોટિવેશન ગુમાવી ચૂકેલા અનેક ખેલાડીઓ મળશે. 'ધ સટલ આર્ટ ઓફ નોટ ગિવિંગ અ ફ$%#'ના લેખક માર્ક મેડસન કહે છે, 'તમે જો કોઈ બિઝનેસ વેન્ચર શરૂ કર્યું અને એમાં નિષ્ફળતા મળે તો એ સદંતર નિષ્ફળતા નથી. એ નિષ્ફળતામાંથી તમને ઘણું શીખવા મળ્યું હશે, જે કદાચ ભવિષ્યમાં બહુ મોટી સફળતા મેળવવામાં ઉપયોગી નીવડી શકે છે. આવા પાઠ તમને બીજી કોઈ રીતે શીખવા મળી શક્યા નહોત. તો સવાલ સાચા માપદંડને સમજવાનો છે. </p>
<p><strong>નોકરીના નોકર:</strong></p>
<p>સ્પેનના બુલફાઈટર જુઆન બેલમોન્ટનું એક વાક્ય પ્રખ્યાત છે, 'જીવન એ બીજું કશું નહીં પણ તમે જે કરીઅર પસંદ કરી હોય એના માધ્યમ દ્વારા તમારું ચારિત્ર્ય વિકસાવવા માટેના સંઘર્ષોની શૃંખલા છે.' જો તમે આ માપદંડથી વિચારો તો નોકરીમાં પગાર વધારો ન મળ્યો, પ્રમોશન ન મળ્યું, સારી જગ્યાએ ટ્રાન્સફર ન મળી કે સેલ્સ વધારીને મેં કંપનીમાં મારી પોઝિશન વધુ સ્ટ્રોંગ બનાવી કે નહીં વગેરે પ્રશ્નો ગૌણ બની જશે. તમારા માટે એક જ માપદંડ અને એક જ પ્રશ્ન મહત્ત્વનો હોવો જોઈએ કે આ નોકરી કરતાં કરતાં એક વ્યક્તિ તરીકે હું મારામાં કેટલું ઈમ્પ્રૂવમેન્ટ લાવી શક્યો? ગયા વર્ષ દરમિયાન નોકરીમાં તમને ભલે બીજી ગમે એવી સફળતા મળી હોય, પરંતુ જો તમારામાં પોતાનામાં કોઈ સુધારો ન થયો હોય તો નોકરી બદલવા વિશે તમારે વિચારવું જોઈએ.</p>
<p><strong>માણસોની વાત કરો ભાઈ:</strong></p>
<p>વર્ષ દરમિયાન આપણને સફળતા મળી કે ન મળી એનો અંદાજ કાઢવાનું મૂંઝવણભર્યુ છે. ક્યારેક પૈસાની બાબતમાં સફળતા મળી હોય તો સામે નામ ખરાબ થયું હોય, કયારેક કોઈ પ્રતિષ્ઠીત સન્માન મળ્યું હોત તો બીજી તરફ કોઈ મનગમતી ચીજ ખોવાઈ ગઈ હોય. ગયું વર્ષ સફળ રહ્યું કે નહીં એ નક્કી કરવા માટે રમિત શેઠી નામના લેખકે ફક્ત એક મુદ્દાનો નવો જ માપદંડ વિકસાવ્યો છે. દરરોજ પોતે કોને મળ્યા અને એની એક યાદી તેઓ રાખે છે અને 31મી ડિસેમ્બરે દરેક વ્યક્તિ સાથેના સંબંધનું મૂલ્યાંકન કરે છે. જેમ શેરબજારના વિવિધ શેરોનો પોર્ટફોલિયો હોય એમ રમિત શેઠી પોતાના જીવન સાથે સંકળાયેલા લોકો વિશે વિચારીને નક્કી કરે છે કે કોની સાથેના સંબંધો કેટલા વિકસાવવા, કોને ગાઢ દોસ્ત બનાવવા અને કોને રવાના કરવા. તેઓ માને છે કે શેરબજારનો પોર્ટફોલિયો જેમ મેનેજ કરવાનો હોય એમ આપણા જીવન સાથે સંકળાયેલા લોકોનો પોર્ટફોલિયો પણ મેનેજ કરતાં રહેવું જોઈએ. </p>
<p>તો એકંદરે વર્ષ દરમિયાન મળેલી સફળતા કે નિષ્ફળતા અને આગામી વર્ષની સફળતાના પ્લાનિંગ માટે વિચાર પદ્ધતિમાં એક જ મોટો ફેરફાર કરવાનો છે. બહુ પ્રચલીત બનેલા કે અન્ય લોકોના માપદંડને બદલે તમારા પોતાના માપદંડને અપનાવો. એ જ નક્કી કરશે તમારી સાચી સફળતા અને તમારી સાચી ખુશી.</p>]]></content:encoded>
                
                                                            <category>Magazine: નાનાં મોઢે નાની વાત</category>
                                    

                <link>https://www.khabarchhe.com/magazine--%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A2%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4/what-did-you-achieve-in-last-year-and-what-is-your-resolution-for-new-year/article-170065</link>
                <guid>https://www.khabarchhe.com/magazine--%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A2%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4/what-did-you-achieve-in-last-year-and-what-is-your-resolution-for-new-year/article-170065</guid>
                <pubDate>Sun, 31 Dec 2017 16:22:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2017-12/1514716933new-year.jpg"                         length="95075"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[None - (None)]]></dc:creator>
                            </item>
            <item>
                <title>2019 માં કોણ જીતશે, બોલો?</title>
                                    <description><![CDATA[<p>છેલ્લા કેટલાક સમયથી ભારતના રાજકારણમાં બહુ મોટી ઘટનાઓ બની રહી છે અને કેટલાક નાટ્યાત્મક પરિવર્તન આવ્યા છે. આમાં મુખ્ય તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને એ દરમિયાન થયેલા પ્રચાર તેમ જ ચૂંટણીના પરિણામોએ ઘણા લોકોને વિચાર કરતાં મૂકી દીધા છે. ચૂંટણીઓની જાહેરાત થઈ ત્યારથી જ મામલો રોચક બની ગયો હતો. ચૂંટણી પહેલા વિકાસ ગાંડો થયો છે ની જે હવા ફેલાઈ એના કારણે રાજ્યમાં એન્ટી ઇન્કમ્બન્સીનો માહોલ સર્જાયો. ભારતીય જનતા પક્ષની હાર થાય એવી શક્યતા ઊભી થઈ અને એના લીધે જ ભાજપના નેતાઓએ આ ચૂંટણીને ખૂબ જ વધુ મહત્ત્વ આપવાનો ફેંસલો લીધો. વડા પ્રધાન સહિતના કેન્દ્રના અનેક નેતાઓએ રાજ્યમાં ભરપૂર પ્રચાર કર્યો.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/magazine--%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A2%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4/who-will-win-2019-elections/article-170064"><img src="https://www.khabarchhe.com/media/400/2017-12/1514109662rahulmodi.jpg" alt=""></a><br /><p>છેલ્લા કેટલાક સમયથી ભારતના રાજકારણમાં બહુ મોટી ઘટનાઓ બની રહી છે અને કેટલાક નાટ્યાત્મક પરિવર્તન આવ્યા છે. આમાં મુખ્ય તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી અને એ દરમિયાન થયેલા પ્રચાર તેમ જ ચૂંટણીના પરિણામોએ ઘણા લોકોને વિચાર કરતાં મૂકી દીધા છે. ચૂંટણીઓની જાહેરાત થઈ ત્યારથી જ મામલો રોચક બની ગયો હતો. ચૂંટણી પહેલા વિકાસ ગાંડો થયો છે ની જે હવા ફેલાઈ એના કારણે રાજ્યમાં એન્ટી ઇન્કમ્બન્સીનો માહોલ સર્જાયો. ભારતીય જનતા પક્ષની હાર થાય એવી શક્યતા ઊભી થઈ અને એના લીધે જ ભાજપના નેતાઓએ આ ચૂંટણીને ખૂબ જ વધુ મહત્ત્વ આપવાનો ફેંસલો લીધો. વડા પ્રધાન સહિતના કેન્દ્રના અનેક નેતાઓએ રાજ્યમાં ભરપૂર પ્રચાર કર્યો. નરેન્દ્ર મોદીએ 41 રેલીઓ કરી. ગાંડા વિકાસની સામે ભાજપે 'હું છું વિકાસ' નો પ્રચાર કરીને વળતો પ્રહાર કર્યો અને આક્રમક પ્રચાર વ્યૂહ અપનાવ્યો. બીજી તરફ પાટીદારોના નેતા હાર્દિક પટેલ, દલિત નેતા જિગ્નેશ મેવાણી અને ઓબીસીના નેતા અલ્પેશ ઠાકોરની ત્રિપુટીએ ભેગાં મળીને ભાજપની તકલીફો વધારી. હાર્દિક પટેલની જબરજસ્ત રેલીઓને કારણે શાસક પક્ષ </p>
<p>ટેન્શનમાં આવી ગયો. હાર્દિકની સેક્સ સીડી બહાર આવી. કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીની સભાઓમાં અભૂતપૂર્વ જનમેદની ઊમટવા લાગી. રાહુલની લોકપ્રિયતામાં ઉછાળો આવ્યો હોય એવું સૌને લાગ્યું. ભાજપના નેતાઓએ મંદિરોની મુલાકાત લેવા માટે રાહુલની ટીકા કરી. વિજય રૂપાણીએ અહેમદ પટેલ પર ત્રાસવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાનો ગંભીર આરોપ કર્યો તો વડા પ્રધાને ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ સામે પાકિસ્તાન સાથે મિલીભગત કર્યા હોવાના અતિ ગંભીર આરોપ કર્યા. એકંદરે આ જંગ ખરેખર પ્રતિષ્ઠાનો બની ગયો હતો અને ચૂંટણી પ્રચારનું સ્તર સાવ ખાડે ગયું.</p>
<p>ચૂંટણીના પરિણામો કોંગ્રેસની ઇચ્છા પ્રમાણે ન આવ્યા, પરંતુ વિધાનસભામાં એ પક્ષની બેઠકોની સંખ્યામાં મોટો વધારો થયો. 22 વર્ષોથી શાસન કરી રહેલો ભારતીય જનતા પક્ષ માંડ માંડ બહુમતી મેળવી શક્યો. 150 બેઠકોનો દાવો કરનાર ભાજપ ફક્ત 99 બેઠકો મેળવી શક્યો, છતાં એમણે દાવો કર્યો કે જીત આખિર જીત હોતી હૈ. ગુજરાત ચૂંટણીના પરિણામો બાદ બે મોટી ઘટનાઓ બની. એક તો રાહુલ ગાંધી સત્તાવાર રીતે કોંગ્રેસ પક્ષના પ્રમુખ બન્યા અને બે, બહુ ચગાવવામાં આવેલા 2G સ્કેમ બાબતે કોર્ટે એક જબરજસ્ત ચુકાદો આપ્યો. તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા અને 2G સ્કેમ જેવું કંઈ હતું જ નહીં એવો કોર્ટે નિર્દેશ આપ્યો. ગુજરાત ચૂંટણીઓમાં કોંગ્રેસે કરેલા દેખાવને રાહુલે મોરલ વિક્ટરી ગણાવી. એમની એ વાત સાથે બધા કદાચ સહમત ન થાય, પરંતુ 2G સ્કેમ વિશેના ચુકાદા બાબતે આખા દેશમાં એક એકમત પ્રવર્તતો જોવા મળ્યો કે ભારતીય જનતા પક્ષ ખોટા પ્રચારને કારણે 2014ની લોકસભાની ચૂંટણીઓ જીતી શક્યો હતો. અરુણ જેટલીએ ભલે કહ્યું કે કોર્ટનો ચુકાદો એ કોઈ સન્માનપત્ર કે સર્ટિફિકેટ નથી, પરંતુ હકીકત એ છે કે ચુકાદામાં ન્યાયમૂર્તિએ વાત લખી છે, જે શબ્દો વાપર્યા છે એ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટ માટે પણ આ ચુકાદાને પલટાવવાનું લગભગ અશક્ય છે એવું નિષ્ણાતો માને છે. </p>
<p>તાજેતરની આ ઘટનાઓને પગલે દેશમાં રાજકીય માહોલ સાવ જ બદલાઈ ગયો છે. કોંગ્રેસ સામે ભ્રષ્ટાચારનો જે મુખ્ય આરોપ હતો એ બોગસ પુરવાર થયો છે. પ્રજા અને મીડિયા વિચાર કરતાં થઈ ગયા છે. હવે 2019ની લોકસભાની ચૂંટણીઓ બાબતે બહુ જ ઉત્સુકતા જાગી છે, કારણ કે એને હવે ફક્ત દોઢ જ વર્ષ બાકી છે. કોણ જીતશે આગામી લોકસભામાં? મોટે ભાગે તો ભારતીય જનતા પક્ષની આગેવાની હેઠળના એનડીએ અને કોંગ્રેસ તથા એની સાથે સંકળાઈને લડનારા અન્ય વિરોધ પક્ષોના મોરચા વચ્ચે સીધો જંગ થશે. વિરોધ પક્ષના મોરચાના નેતાના નામ બાબતે અગાઉ થોડી અવઢવ હતી, પરંતુ છેલ્લા થોડા સમયથી રાહુલ ગાંધીના ચમકી રહેલા સિતારાને ધ્યાનમાં લેતા હવે એ વાત કોઈ શંકા નથી કે વિપક્ષી મોરચાના નેતા રાહુલ ગાંધી જ હશે. તો ટૂંકમાં 2019ની લોકસભાનો જંગ નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધી વચ્ચેનો જ હશે. 2019 સુધીમાં તો બીજી ઘણી રાજકીય ઘટનાઓ બનશે, પરંતુ અત્યારે જે બૅકગ્રાઉન્ડ તૈયાર થયું છે એના આધારે એક આછીપાતળી રૂપરેખા દોરી શકાય છે. એમ છે. </p>
<p>સૌથી પહેલા તો હાલના સિનારીઓના આધારે બંને પક્ષોની સ્થિતિ સમજવાની કોશિશ કરીએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા બરકરાર રહી છે એવું એક રીતે માની શકાય, કારણ કે એમના ગજાંનો કોઈ નેતા ભારતીય જનતા પક્ષમાં કે અન્ય કોઈ પક્ષમાં નથી. અનેક સર્વેક્ષણોમાં પણ આ વાત સિદ્ધ થઈ છે. અમિત શાહની ગણતરી વ્યુહકાર તરીકે થઈ શકે, પરંતુ નરેન્દ્ર મોદી જેવો કરિશ્મા એમનામાં નથી. લોકસભાની ચૂંટણી વખતે એક સંભવિત મસીહા તરીકે એમની ઇમેજ એક બહાર આવી હતી. લોકો એમ વિચારતા થયા કે કોંગ્રેસના ભ્રષ્ટ શાસન બાદ આ જ વ્યક્તિ દેશનો ઉદ્ધાર કરશે. લોકોએ એમનામાં પૂરો વિશ્વાસ મૂક્યો. મીડિયા, ખાસ તો અંગ્રેજી મીડિયાએ પણ ભૂતકાળ ભૂલીને નરેન્દ્ર મોદીને પ્રતિષ્ઠાના ઉચ્ચ આસન પર બેસાડ્યા. વડા પ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીએ અનેક વિદેશ પ્રવાસો ખેડ્યા, વિદેશમાં વસતાં ભારતીયોની ચાહના મેળવી. અનેક દેશોના વડા સાથે સંબંધો કેળવ્યા અને દેશવિદેશમાં લોકોને પસંદ આવે એવી ભાષામાં ભાષણો આપ્યા. એમનો આ પ્રારંભિક કરિશ્મા સારા એવા સમય સુધી ટકી રહ્યો અને બીજી તરફ વિરોધ પક્ષો અંધારામાં જ ભટકતા રહ્યા, જેના કારણે એક પછી એક રાજ્યોની ચૂંટણીઓમાં પણ ભાજપનો વિજય થતો ગયો. અને છેવટે હનીમૂનનો સમય પૂરો થયો.</p>
<p>ભારતીય જનતા પક્ષને ટેકો આપનાર એક વર્ગ ધીમે ધીમે નરેન્દ્ર મોદીએ લીધેલાં કેટલાક નીતિવિષયક તથા વહીવટી પગલાંથી તેમ જ જમણેરી અંતિમવાદીઓને અંકુશમાં રાખવા બાબતે એમણે દાખવેલી ઉદાસીનતાથી નારાજ થયા. નોટબંધી, જીએસટી, કાશ્મીરમાં પીડીપી સાથેનું ગઠબંધન, પાકિસ્તાન સાથે કહ્યા પ્રમાણેનું કડક વલણ દાખવવાની અનિચ્છા, પેટ્રોલ તથા રાંધણ ગેસના ભાવમાં થયેલો વધારો વગેરે જેવા મુદ્દા એવા છે, જેમાં સરકારની નિષ્ફળતા ઊડીને આંખે વળગે એવી રહી. ભાજપના બોલકા સમર્થકો સતત સરકારનો બચાવ કરતાં રહ્યા એ વાત અલગ છે, પરંતુ હકીકત છૂપી રહી શકે એમ નથી. સરકાર પ્રત્યેની નારાજગીની પરાકાષ્ઠા ગુજરાતની ચૂંટણીઓમાં જોવા મળી. ભાજપ ભલે સતત છઠ્ઠી વાર વિજય મેળવવાનો દાવો કરીને ખુશી મનાવે, પરંતુ ગુજરાતમાં ભાજપ એટલી હદે છવાયેલો રહ્યો છે કે 150 બેઠકો ન આવે એ ખરેખર એક પીછેહઠ છે. પશ્ચિમ બંગાળમાં માર્ક્સવાદી પક્ષે જે રીતે પ્રજાના માનસ પર કબજો જમાવ્યો હતો એવું જ વર્ચસ ભાજપનું ગુજરાતની પ્રજા પર હતું. ચૂંટણીઓ પહેલા સિનિયર પત્રકાર સાગરિકા ઘોષે બહુ જ અસરકારક રીતે કહ્યું હતું કે ગુજરાતમાં ભાજપ એટલો મજબૂત છે કે એને ઊખાડવા માટે તમારે સુનામી લાવવી પડે. વેલ, રાહુલ ગાંધી અને ત્રણ યુવા નેતાઓની ત્રિપુટી સુનામી તો ન લાવી શકી, પરંતુ એમણે ગુજરાતમાં ભાજપના મૂળિયાં હચમચાવી નાંખ્યા એનો ઇનકાર થઈ શકે એમ નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં ખાલી ખુરસીઓ દેખાઈ એ કદાચ ગુજરાતની ચૂંટણીઓની સૌથી મોટી લાક્ષણિકતા હતી. ગુજરાતના પરિણામો અને 2G સ્કેમના ચુકાદા બાદ હવે  બીજા કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ આવી રહી છે, જેમાં કર્ણાટક, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન મુખ્ય છે. આ ચૂંટણીઓ 2019 પહેલા યોજાશે. નિશ્ચિતપણે આ વિધાનસભા ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષની સ્થિતિ વધુ નબળી પડશે.</p>
<p>હવે કોંગ્રેસની વાત કરીએ. અગાઉની બધી વાત ભૂલી જાઓ. ગુજરાત ચૂંટણીઓ દરમિયાન રાહુલ ગાંધીએ કરેલા પ્રચારને દરેક રીતે સફળ ગણી શકાય. એમના કટ્ટર ટીકાકારોએ પણ આ સમય દરમિયાન કબૂલ્યું કે રાહુલમાં ઘણું ઇમ્પ્રૂવમેન્ટ થયું છે. બીજી તરફ ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ પર કરવામાં આવેલા પાકિસ્તાન સંબંધિત પાયાવિહોણા આક્ષેપને પગલે નરેન્દ્ર મોદીની ઇમેજને ઘસારો પહોંચ્યો છે. હવે રાહુલ ગાંધી કોંગ્રેસના પ્રમુખ પણ બની ગયા છે, જે એક મોટી ઘટના ગણાય. એક તો એમના પક્ષમાં રાહુલ સામે જે કોઈ નાનોમોટો વિરોધ હતો એ નામશેષ થઈ ગયો છે. બીજી તરફ રાહુલની જે એક 'પપ્પુ' તરીકેની ઇમેજ ઊભી કરવામાં આવી હતી એ ખતમ થવાને આરે છે. કોંગ્રેસના પ્રમુખ તરીકે રાહુલ યોગ્ય છે એટલું જ નહીં, તેઓ સફળતા મેળવશે એવી આશા મોટા ભાગના રાજકીય વિશ્લેષકોએ વ્યક્ત કરી છે. લાલકૃષ્ણ અડવાણીની નજીક ગણાતા વિદ્વાન સુધેન્દ્ર કુલકર્ણીએ રાહુલના બેફામ વખાણ કર્યા છે.</p>
<p>ઓકે, તો માની લીધું કે અત્યારની સ્થિતિમાં કોંગ્રેસનો હાથ જરા ઉપર ગણાય. કમ સે કમ 2014માં જે સ્થિતિ હતી એના કરતા પક્ષની હાલત ઘણી સારી ગણાય. તો શું 2019ની લોકસભામાં કોંગ્રેસ જીત મેળવી શકશે? ના. કદાચ હા. </p>
<p>છેલ્લા કેટલાક સમયથી ભારતમાં ચૂંટણીઓ ફક્ત માર્કેટિંગના આધારે થઈ રહી છે. 2G સ્કેમ વિશેની સાચી હકીકતો બહાર આવ્યા પછી એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે મૂળ મુદ્દા અને સચ્ચાઈની કોઈને પડી નથી. માર્કેટિંગ અને પેકેજિંગ જે સારી રીતે કરી શકે એની વાતમાં ગ્રાહકો એટલે કે મતદારો આવી જાય છે. નીતિમત્તા કે ધારાધોરણનો સમય હવે નથી રહ્યો. ગુજરાતના મુખ્ય પ્રધાન નક્કી કરવા માટે દેશના વડા પ્રધાન પાકિસ્તાનીઓ સાથે કાવતરું કરી શકે એના જેટલી વાહિયાત અને હીન કક્ષાની વાત પણ ચૂંટણી જીતવા માટે થઈ શકતી હોય ત્યારે ચૂંટણી ઢંઢેરા કે પ્રજાને આપવામાં વચનોનો કોઈ અર્થ નથી રહેતો. પક્ષની નીતિમત્તા કે નિષ્ઠા હવે અસંગત બની ગઈ છે. રાજકીય પક્ષોએ પોતાની નીતિઓ કે ઉમેદવારોને આગળ નથી કરવાના, એક પ્રોડક્ટને વેચવાની છે. અને આ બાબતમાં ભારતીય જનતા પક્ષે સારી એવી નિપુણતા મેળવી છે. કોંગ્રેસ પક્ષ આ વાત સમજે છે, પરંતુ નવી વાસ્તવિકતાને અપનાવવામાં સંકોચ અનુભવી રહી છે. ખરી સમસ્યા તો એ છે કે પોતાના પક્ષ તથા પોતાના પક્ષની નીતિઓને કઈ રીતે એક પ્રોડક્ટ તરીકે વેચવી એની કોંગ્રેસ પક્ષને સૂઝ નથી.</p>
<p>આ સંદર્ભમાં એક ઉદાહરણ આપું છે, જેમાં બંને પક્ષની માર્કેટિંગ તાકાત અને નબળાઇ છતાં થાય છે. કોંગ્રેસને પાન પરાગ કે એવી કોઈ બ્રાન્ડના મુખવાસ તરીકે ધારી લો. વર્ષો સુધી લોકો આ મુખવાસ ખાતાં રહ્યા, પછી એની ગુણવત્તા થોડી નબળી પડી. મુખવાસમાં કાંકરા આવવા લાગ્યા, ધાણાની દાળ જરા ખોરી આવવા માંડી. કથળતી ગુણવત્તા બાબતે કંપની બેદરકાર રહી એવામાં જ બીજી એક કંપની બજારમાં આવી. એણે જોરશોરથી કોંગ્રેસ બ્રાન્ડ મુખવાસ પર પ્રહાર શરૂ કર્યા. લોકોને કહ્યું કે આ લોકો તમને નબળી પ્રોડક્ટ વેચી રહ્યા છે, તમને લૂંટી રહ્યા છે. એમને પડતા મૂકો. અમારી પ્રોડક્ટ અપનાવો. હવે નવી કંપનીએ મુખવાસના નામ પર માણેકચંદ કે એના જેવી કોઈ બ્રાન્ડના ગુટખાં વેચવાનું શરૂ કર્યું. શરૂઆતમાં લોકોને મજા આવી. એમાં સ્વાદ પણ હતો અને નશો પણ હતો. ધીમે ધીમે લોકોને એની આદત પડી ગઈ. થોડા સમય પછી ઘણા લોકોને ખ્યાલ આવી ગયો કે આ ચીજ મુખવાસ નથી, ગુટખાં છે. લોકો એ પણ સમજ્યા કે આ ગુટખાં ખૂબ નુકસાનકારક છે, પરંતુ લોકોને એની આદત પડી ગઈ છે. નશો ગુટખાંનો હોય કે નકલી દેશભક્તિનો હોય, એ વિનાશ જ ફેલાવે, છતાં લોકો લાચાર છે, કારણ કે એમને આ લતમાંથી બહાર કાઢી શકે એવું કોઈ દેખાતું નથી.</p>
<p>રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષ માટે આ સૌથી મોટો પડકાર છે. મુખવાસને નામે ભાજપ જે ગુટખાં વેચે છે એનાથી થનારા નુકસાન વિશે શું રાહુલ લોકોને જાગ્રત કરી શકશે? લોકો નશામાંથી બહાર આવી જાય એવી તીવ્રતાથી શું તેઓ પ્રચાર ઝુંબેશ ચલાવી શકશે? જો તેઓ એમ ન કરી શકે એમ હોય તો એમની પાસે બીજો વિકલ્પ એ છે કે લોકો ગુટખાંને પણ ભૂલી જાય એવી કોઈ ઉત્કૃષ્ટ પ્રોડક્ટ બજારમાં લાવે. એટલે કે શાસન વ્યવસ્થાની એવી બ્લુપ્રિન્ટ પ્રજા સામે રજૂ કરે કે લોકો એનાથી પ્રભાવિત થાય. આર્થિક અને સામાજિક નીતિઓની એક એવી વાસ્તવિક રૂપરેખા તૈયાર કરીને પ્રજા સમક્ષ રજૂ કરે કે લોકોને એ ખૂબ પસંદ આવે અને પ્રજા એમ વિચારે કે ઓકે, ચાલો આપણે આને એક ચાન્સ આપીએ.</p>
<p>આ કામ ઘણું ઘણું અઘરું છે. રાહુલ અને કોંગ્રેસ સામે બહુ મોટો પડકાર છે. ગુજરાતમાં ભાજપે હારના મોઢાંમાંથી છેલ્લી ઘડીએ જીત છીનવી લીધી એમ 2019માં આ પક્ષ માર્કેટિંગની કોઈ ટ્રિક અજમાવીને પોતાનો પાસો પોબારો કરી નાંખે એવી શક્યતા નકારી કઢાય નહીં. રાહુલ અને કોંગ્રેસ માટે જોકે એક ચમત્કારની આશા પણ છે. શક્ય છે કે 2019 સુધીમાં પ્રજા પોતે જ આ ગુટખાંને કારણે થતાં નુકસાન બાબતે જાગ્રત થઈ જાય અને નશામાંથી બહાર આવી જાય. એ શક્ય છે. નથિંગ ઈઝ ઈમ્પોસિબલ.</p>]]></content:encoded>
                
                                                            <category>Magazine: નાનાં મોઢે નાની વાત</category>
                                    

                <link>https://www.khabarchhe.com/magazine--%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A2%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4/who-will-win-2019-elections/article-170064</link>
                <guid>https://www.khabarchhe.com/magazine--%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A2%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4/who-will-win-2019-elections/article-170064</guid>
                <pubDate>Sun, 24 Dec 2017 15:34:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2017-12/1514109662rahulmodi.jpg"                         length="163530"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[nikhilmehta-author - (નિખિલ મહેતા)]]></dc:creator>
                            </item>
            <item>
                <title>એક ગોડફાધરની તલાશ છે</title>
                                    <description><![CDATA[<p>ગોડફાધર મૂળ તો ખ્રિસ્તી ધર્મનો શબ્દ છે, પછી હોલીવૂડની ક્લાસિક ફિલ્મને પગલે એ શબ્દ માફીયા ગેંગના વડા તરીકે પ્રચલિત થયો. આખરે ગોડફાધર શબ્દ એવી વ્યક્તિ માટે વપરાવા લાગ્યો, જેના આશીર્વાદથી, જેની કૃપાદૃષ્ટિથી નાનો માણસ આગળ આવી જાય. આ અર્થઘટન પાછળના મૂળમાં બોલીવૂડની ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે. બોલીવૂડનો ચાઇલ્ડ આર્ટિસ્ટ પણ સૌથી પહેલા એ વાત કરશે કે આ ઇન્ડસ્ટ્રીમાં ગોડફાધર વિના તમે આગળ ન આવી શકો. બોલીવૂડના ગોડફાધર એટલે મુખ્ય તો નિર્માતા. ફિલ્મના નિર્માતા કોઈ પણ વ્યક્તિને એક્ટર તરીકે, ગાયક તરીકે, સંગીતકાર તરીકે અથવા બીજી કોઈ પણ રીતે બ્રેક આપીને એના માટે મોટી સફળતાનો દરવાજો ખોલી આપવાની ક્ષમતા ધરાવતા હોય એટલે એ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/magazine--%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A2%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4/finding-a-godfather/article-170063"><img src="https://www.khabarchhe.com/media/400/2017-12/1513515842man.jpg" alt=""></a><br /><p>ગોડફાધર મૂળ તો ખ્રિસ્તી ધર્મનો શબ્દ છે, પછી હોલીવૂડની ક્લાસિક ફિલ્મને પગલે એ શબ્દ માફીયા ગેંગના વડા તરીકે પ્રચલિત થયો. આખરે ગોડફાધર શબ્દ એવી વ્યક્તિ માટે વપરાવા લાગ્યો, જેના આશીર્વાદથી, જેની કૃપાદૃષ્ટિથી નાનો માણસ આગળ આવી જાય. આ અર્થઘટન પાછળના મૂળમાં બોલીવૂડની ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે. બોલીવૂડનો ચાઇલ્ડ આર્ટિસ્ટ પણ સૌથી પહેલા એ વાત કરશે કે આ ઇન્ડસ્ટ્રીમાં ગોડફાધર વિના તમે આગળ ન આવી શકો. બોલીવૂડના ગોડફાધર એટલે મુખ્ય તો નિર્માતા. ફિલ્મના નિર્માતા કોઈ પણ વ્યક્તિને એક્ટર તરીકે, ગાયક તરીકે, સંગીતકાર તરીકે અથવા બીજી કોઈ પણ રીતે બ્રેક આપીને એના માટે મોટી સફળતાનો દરવાજો ખોલી આપવાની ક્ષમતા ધરાવતા હોય એટલે એ ગોડફાધર. નિર્માતા પછી ઊતરતા ક્રમે દિગ્દર્શક, મેલ ફિલ્મસ્ટાર, સંગીતકાર, ડિસ્ટ્રીબ્યુટર વગેરે જેવા અનેક પદાધિકારીઓ કોઈને બ્રેક અપાવવાની ક્ષમતા ધરાવતા હોય છે. આથી આવા લોકો પણ નવાંગતુકોના ગોડફાધર બની શકતા હોય છે.</p>
<p>બોલીવૂડને પગલે પછી તો અન્ય ક્ષેત્રોમાં પણ આ શબ્દ વપરાવા લાગ્યો. જે વ્યક્તિની કૃપાદૃષ્ટિથી, માથાં પર જેનો હાથ ફરવાથી ધંધાપાણી કે કરિયર ચગવા માંડે એ વ્યક્તિ ગોડફાધર. લોકોના મનમાં ગોડફાધરનો આ કૉન્સેપ્ટ એકદમ ક્લિયર છે, પરંતુ ગોડફાધર પોતે કોણ છે? એ પોતાના વિશે તથા અન્ય વિશે શું માનતો હોય છે? ગોડફાધરના કૉન્સેપ્ટને આપણે જરા વધુ જનરલાઈઝ કરીએ તો ગોડફાધર એવી વ્યક્તિ છે, જેની પાસે ખૂબ પૈસા છે અને વગ છે. પૈસા અને વગ તો ઘણા લોકો પાસે હોય છે, પરંતુ દરેક પૈસાદાર અને વગદાર વ્યક્તિ ગોડફાધર બનતી નથી હોતી. જેની પાસે સૌથી વધુ પૈસા અને વગ હોય એ વ્યક્તિ પોતાના ક્ષેત્રની ગોડફાધર બની જાય એવું પણ નથી. ગોડફાધર એવી જ વ્યક્તિ બને છે, જે બીજાને કંઈક આપે છે, જે બીજાને મદદરૂપ થાય છે અને જે કોઈની કરિયર અથવા જિંદગી બદલી નાંખે છે. બોલીવૂડના નિર્માતા કે મોટા ફિલ્મસ્ટાર્સની વાત કરીએ તો તેઓ કોઈ નવા એક્ટર કે એક્ટ્રેસને પોતાની ફિલ્મમાં બ્રેક આપે અને એ રીતે નવાગંતુકની ફિલ્મ કરિયર શરૂ થાય છે. પહેલી ફિલ્મ સફળ થાય તો એ સ્ટાર બની જાય છે અને એની આખી લાઇફ બદલાઈ જાય છે. અન્ય ક્ષેત્રોમાં પણ જેની પાસે પૈસા અને વગ છે તેઓ આ રીતે ગોડફાધરની ભૂમિકા ભજવતા હોય છે.</p>
<p>ગોડફાધરની આવી એક ભવ્ય ઇમેજને કારણે સમાજમાં પૈસાદાર અને વગદાર લોકોની ખુશામત કરવાનું એક કલ્ચર વિકસ્યું છે. મોટા માણસને સલામ કરવી એ જાણે દરેક ધંધા કે નોકરીની મૂળભૂત રસમ બની ગઈ છે. જે લોકો મહત્ત્વાકાંક્ષી છે, જેમને જીવનમાં ઝડપથી આગળ આવવાની તમન્ના છે તેઓ હંમેશાં કોઈ ગોડફાધરની તલાશ કરતા રહેતા હોય છે અને પોતાની આસપાસના આવા પૈસાદાર કે વગદાર માણસને ખુશ કરવાના પ્રયાસ કરતા રહે છે. આ પ્રકારની ખુશામત પછી ક્યારેક ભક્તિનું સ્વરૂપ ધારણ કરે છે. એ લોકોના મનમાં એ વાત ઠસી ગઈ હોય છે કે આપણો ઉદ્ધાર કરી શકે એવા આ ગોડફાધરની ખૂબ સેવા કરો, એમને ખુશ રાખો. ક્યારેક તો એમની કૃપાદૃષ્ટિ આપણા પર થશે જ. હકીકતમાં બહુ ઓછા કિસ્સામાં ગોડફાધરો નાના માણસો પર કૃપા વરસાવતા હોય છે. બાકી તો લોકો ભ્રમમાં રહીને આજીવન સેવા કરતા રહે છે અને જ્યારે ભ્રમ ભાંગે ત્યારે ગોડફાધરને ગાળો આપવા માંડે છે.</p>
<p>એક વાત સમજી લેવી જોઈએ કે ગોડફાધર એ કોઈ ગોડ નથી, ભગવાન નથી. એ પણ સામાન્ય માણસ જેવો લાલચુ અને ગણતરીબાજ માણસ છે. તમે એને દયાળુ માયાળુ સમજી લો તો એ તમારો પ્રૉબ્લેમ છે. પોતાના ખિસ્સામાંથી કોઈને કંઈ આપી દેવાનું કોઈને ગમતું નથી હોતું. પોતાના લાભ વિના કોઈ કોઈનું કામ નથી કરતું. એમને કોઈ લાભ ન થતો હોય છતાં એ તમને મદદ કરે એ વાત લગભગ અશક્ય છે. ફિલ્મોના ગોડફાધરો કાસ્ટિંગ કાઉચ પર નવી હીરોઇનોને મદદ કરવા માટે કુખ્યાત છે. ભવિષ્યમાં જેનો લાભ મળી શકે એવા ફિલ્મી બૅકગ્રાઉન્ડ ધરાવતા પરિવારના કુલદીપકને એક્ટર તરીકે બ્રેક આપવાનું તેઓ વધુ પસંદ કરશે. દરેક ક્ષેત્રમાં આ પ્રથા છે. ગુજરાતી સાહિત્યમાં પીએચડી કરવા માટે પ્રોફેસરો વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થીનીઓને તક આપવાનું વધુ પસંદ કરતા હોવાનું મનાય છે. </p>
<p>મજાની વાત એ છે કે ગોડફાધરની ઇમેજ દયાળુ માયાળુ અને એક દાનેશ્વરી કર્ણ જેવી હોય છે, પરંતુ હકીકતમાં આવા ગોડફાધરો જ્યારે અન્ય પર મહેરબાની કરે ત્યારે પોતાના ખિસ્સામાંથી કંઈ જ નથી કાઢતા. એમણે તો એ જ વહેંચવાનું છે, જેનો એમને કોઈ ખપ નથી. આમ છતાં એની પૂરી કિંમત તેઓ વસૂલ કરે છે. દા.ત. નિર્માતા જ્યારે નવા કલાકારોને લઈને ફિલ્મ લોંચ કરવાનું નક્કી કરે ત્યારે એણે કોઈકને તો બ્રેક આપવાનો જ હોય છે. નિર્માતા પોતે હીરો નથી બનવાનો હોતો. અન્ય ક્ષેત્રોમાં પણ ગોડફાધરો જ્યારે અન્યને મદદ કરે ત્યારે પોતાનો એક રૂપિયો નથી ખર્ચતા. કોઈને ફક્ત સગવડો કરી આપતા હોય છે.</p>
<p>ખરેખર તો આ પૈસાદાર અને વગદાર માણસો પાસેથી કંઈક કઢાવવાનું વધુ મુશ્કેલ હોય છે. કારણ કદાચ એ પણ છે કે આવા લોકો પૈસાની કિંમત બરોબર જાણતા હોય છે. પૈસાથી ન ખરીદી શકાય એવી ચીજો પણ ખરીદી લેવાનો એમને અનુભવ હોય છે. આથી જ કોઈને કંઈ, ખાસ તો પૈસા આપતાં પહેલા તેઓ પૂરી ગણતરી કરી લે છે અને પછી સોદાબાજી માંડે છે. મૂળભૂત રીતે પોતાની ચીજ અન્યને આપવાનું માણસની પ્રકૃતિમાં જ નથી. જોકે સાવ એવું નથી કે અન્ય માટે કોઈ કંઈ જ નથી કરતું. મુશ્કેલીના સમયમાં અન્યને મદદરૂપ થવાની અનેક ઘટનાઓ રોજબરોજ બનતી રહે છે. લોકો લાખ્ખો અને કરોડો રૂપિયાના દાન કરતા હોય છે, ચેરિટી કરતા હોય છે. </p>
<p>મૂળભૂત રીતે તો માણસ સ્વાર્થી છે છતાં શા માટે એ અન્ય માણસને મદદ કરતો હોય એ માટેના કેટલાક નિશ્ચિત કારણો છેઃ</p>
<p><strong>1. કરુણા:</strong> સાચી દયા અથવા કરુણા જેવું કોઈક કેમિકલ હશે, જેના થકી માણસ અન્ય માણસની તકલીફ જોઇને દુઃખ અનુભવે છે. દા.ત. રસ્તા પર બેસેલા ભિખારીને પૈસા આપવા કે ન આપવા અલગ વાત છે, પરંતુ એની તકલીફ જોઇને જો તમને ખરેખર દુઃખનો અનુભવ થતો હોય તો તમારામાં એ કેમિકલ સારા એવા પ્રમાણમાં છે એમ માની શકાય. આવું કેમિકલ અમુક લોકોમાં હોય અથવા અમુકમાં ન હોય. અમુકમાં ઓછું હોય અથવા અમુકમાં વધુ હોય. જોકે મારો અનુભવ કહે છે કે કુલ ફક્ત બે પાંચ ટકા માણસોમાં જ આવું કેમિકલ હોય છે. આવું કુદરતી કેમિકલ ધરાવતી વ્યક્તિ અન્યને મદદરૂપ થવાના પ્રયાસ કરતી રહેતી હોય છે.</p>
<p><strong>2. સોદાબાજી:</strong> અન્યને મદદ કરવાની પ્રક્રિયા મોટે ભાગે પારસ્પરિક સમજૂતિનો, એક સોદાબાજીનો હિસ્સો હોય છે. મદદ કરવાના નેવું ટકા કિસ્સામાં ‘એક હાથે લો, બીજા હાથે દો’ નો જ વહેવાર હોય છે. અલબત્ત, ગિવ એન્ડ ટેકનું પ્રમાણ એકસરખું ન હોય એવું બને અને મેળવવાની ચીજ ક્યારેક નક્કર સ્વરૂપની ન હોય એવું પણ બને. દા. ત. ગોવા જવા માટે તમે ઉપરી પાસે રજા મંજૂર કરાવવા જાવ ત્યારે એ પહેલા ના પાડશે, પછી તમે બહુ વિનવણી કરશો ત્યારે એ માંડ હા પાડશે, પરંતુ છેલ્લે તમને કહી દેશે કે મારા માટે ફેણી અને કાજુ લાવવાનું ભૂલતા નહીં. </p>
<p><strong>3. પ્રસિદ્ધિઃ</strong> ઘણા શ્રીમંત લોકો પોતાની કંપનીમાં કામ કરતાં લોકોના પગાર વધારાની બાબતમાં એકદમ ચિંગુસ હોય, પરંતુ કોઈ આશ્રમ કે હોસ્પિટલમાં મોટી રકમનું દાન આપતા અચકાતા નથી. કારણ ફક્ત એ કે તેઓ જે રકમ દાનમાં આપવાના છે એની સામે આશ્રમમાં એમના પિતાશ્રીનું નામ કેટલા મોટા અક્ષરે લખાશે એની સ્પષ્ટતા પહેલેથી થઈ ગઈ હોય છે. આવા લોકો પૈસા આપીને બગીચાના બાંકડા પર પણ પોતાના નામ લખાવતા હોય છે.</p>
<p><strong>4. ઇન્વેસ્ટમેન્ટઃ</strong> કેટલાક લોકો અન્યને એવી આશાએ કંઈક આપવા કંઈક મદદ કરવા તૈયાર થઈ જતાં હોય છે કે ભવિષ્યમાં એ કામ લાગશે. દા. ત. ઉદ્યોગપતિઓ જ્યારે કોઈ રાજકીય પક્ષને ડોનેશન આપે ત્યારે એવું જ વિચારતા હોય છે કે ભવિષ્યમાં એમનો કોઈક ઉપયોગ થઈ શકશે.</p>
<p><strong>5. ન્યુસન્સ વેલ્યૂ હટાવવી:</strong> ક્યારેક કોઈ વધુ પડતું માથું ખાતું હોય અને એ સહન ન થાય ત્યારે પણ લોકો પરાણે મદદ કરી નાંખતા હોય છે. અનેક રાજકારણીઓ, પોલીસ અધિકારીઓ, ગુંડા અને કેટલાક પત્રકારો આવી ન્યુસન્સ વેલ્યૂ ધરાવતા હોય છે, જેનાથી બચવા લોકો કચવાતા મને પોતાનું ખિસ્સું હળવું કરી નાંખતા હોય છે. </p>
<p><strong>6. સમાજને પાછું આપવું:</strong> મદદ કરવાનો આ શ્રેષ્ઠ પ્રકાર છે. ઘણા સફળ લોકો એવા હોય છે, જેમના હ્રદયમાં કદાચ કરુણા કે દયા નથી હોતી, પરંતુ એમનામાં એક એવી સમજણ હોય છે કે જિંદગીભર આપણે સમાજ પાસેથી લીધું તો એમાંથી થોડું સમાજને પાછું આપવાની આપણી ફરજ છે. આ રીતે તેઓ પ્રસિદ્ધિ માટે નહીં, પરંતુ એક પરિપક્વ વિચારના આધારે ચેરિટી કરતા હોય છે. બિલ ગેટ્સ અને અઝીઝ પ્રેમજી આના ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. અલબત્ત, અન્ય ઉદ્યોગપતિઓ પણ આવા આશયથી ચેરિટી કરતા જ હોય છે.</p>
<p>ફરી પાછાં આપણા ગોડફાધરો પર આવીએ તો એ વાત ભૂલાય નહીં કે આવા પૈસાદાર અને વગદાર લોકો કોઈ દયાની મૂર્તિ કે દાનેશ્વર કર્ણ નથી હોતા. હા, તેઓ અન્યને મદદરૂપ થતાં હોય છે, જેના માથાં પર એમનો હાથ ફરે એની લાઇફ બની જાય એ પણ શક્ય છે, પરંતુ અન્યને મદદરૂપ થવાના એમના ધારાધોરણ અલગ છે. જો એમાં તમે ફિટ થાવ તો જ તમારું કામ થાય, બાકી જેમને તમારી કોઈ જ જરૂરત નથી અને ભવિષ્યમાં પણ તમે એમને મદદરૂપ થાવ એવી કોઈ શક્યતા નથી એવા ગોડફાધરોની તમે ગમે એટલી સેવા કે ભક્તિ કરશો તોય હાથમાં કંઈ નહીં આવે. છેવટે તમને એમ લાગશે કે આના કરતાં સાચા ગોડની ભક્તિ કરી હોત તો એણે પણ પ્રસન્ન થઈને કોઈક ફળ આપ્યું હોત.</p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Magazine: નાનાં મોઢે નાની વાત</category>
                                    

                <link>https://www.khabarchhe.com/magazine--%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A2%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4/finding-a-godfather/article-170063</link>
                <guid>https://www.khabarchhe.com/magazine--%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A2%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4/finding-a-godfather/article-170063</guid>
                <pubDate>Sun, 17 Dec 2017 18:45:32 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2017-12/1513515842man.jpg"                         length="136063"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[nikhilmehta-author - (નિખિલ મહેતા)]]></dc:creator>
                            </item>
            <item>
                <title>નિંદાખોરી એક ભયંકર રોગ છે, માઇન્ડ ઇટ</title>
                                    <description><![CDATA[<p>માણસો દરરોજ કેટલા બધા નિર્ણયો લેતા હોય છે. કયા આધાર પર લેતા હોય છે માણસો આવા નિર્ણયો? જેમાં દેખીતાં ફાયદા કે ગેરફાયદા હોય એની વાત અલગ છે, પરંતુ જેમાં ચિત્ર એટલું સ્પષ્ટ ન હોય, જે બાબતે મનમાં થોડી અવઢવ હોય અથવા જેના વિશેની પૂરી જાણકારીનો અભાવ હોય એ વિશેના નિર્ણયો માણસો કઈ રીતે લેતા હોય છે? આ પ્રકારના મોટા ભાગના કિસ્સામાં માણસો અન્ય લોકોએ કરેલી ભલામણ, ટીકા કે નિંદા અને અથવા તો સાવ જ ઊડતી વાતોના આધારે મહત્વના નિર્ણયો લઈ લેતા હોય છે. આમ તો આ સામાન્ય વાત લાગે, પરંતુ ક્યારેક કોઈના જીવનની અતિ મહત્ત્વની બાબતો વિશેના નિર્ણયો સાવ જ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/magazine--%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A2%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4/an-article-on-slander/article-170062"><img src="https://www.khabarchhe.com/media/400/2017-12/1512913545vehm.jpg" alt=""></a><br /><p>માણસો દરરોજ કેટલા બધા નિર્ણયો લેતા હોય છે. કયા આધાર પર લેતા હોય છે માણસો આવા નિર્ણયો? જેમાં દેખીતાં ફાયદા કે ગેરફાયદા હોય એની વાત અલગ છે, પરંતુ જેમાં ચિત્ર એટલું સ્પષ્ટ ન હોય, જે બાબતે મનમાં થોડી અવઢવ હોય અથવા જેના વિશેની પૂરી જાણકારીનો અભાવ હોય એ વિશેના નિર્ણયો માણસો કઈ રીતે લેતા હોય છે? આ પ્રકારના મોટા ભાગના કિસ્સામાં માણસો અન્ય લોકોએ કરેલી ભલામણ, ટીકા કે નિંદા અને અથવા તો સાવ જ ઊડતી વાતોના આધારે મહત્વના નિર્ણયો લઈ લેતા હોય છે. આમ તો આ સામાન્ય વાત લાગે, પરંતુ ક્યારેક કોઈના જીવનની અતિ મહત્ત્વની બાબતો વિશેના નિર્ણયો સાવ જ સાહજિક રીતે લેવાઈ જતા હોય છે. કોઈ છોકરીના સગપણની વાત ચાલતી હોય એનો જ દાખલો લો. વાત આગળ વધે એ પહેલા છોકરાનો રિપોર્ટ કઢાવવાનો આપણે ત્યાં એક રિવાજ છે. હવે આ રિપોર્ટ કઢાવવો એટલે ઓળખીતાં પાળખીતાંને એ છોકરા વિશેનો અભિપ્રાય પૂછવો. છોકરા વિશેની પોઝિટિવ વાતો મળે ત્યાં સુધી ઠીક છે, પરંતુ જો કોઈ નેગેટિવ અભિપ્રાય આવ્યો તો વાત ત્યાંને ત્યાં જ ખતમ થઈ જાય. કોઈ કહે કે છોકરો છે હોશિયાર, પણ જરા આઉટલાઇન છે. હવે આ આઉટલાઇન એટલે કદાચ એ ડ્રિન્ક્સ લેતો હોય, સિગરેટ પીતો હોય, શેરબજારનું કરતો હોય અથવા તો છોકરીઓ સાથે હરતોફરતો હોય એવું પણ બની શકે. કહેવાતી આડી લાઇન કદાચ એટલી જોખમી ન પણ હોય, છતાં પરિવારજનો એમ વિચારે કે આપણી દીકરીની જિંદગીનો સવાલ છે. બીજું, રિપોર્ટ આપનારા નિખાલસતા અભિપ્રાય આપી રહ્યા છે કે પોતાની કોઈ અંગત નારાજગીને કારણે પૂર્વગ્રહયુક્ત અભિપ્રાય આપી રહ્યા છે એ વાત પણ કોઈ ચેક નથી કરતું. ફંડા એક જ કે ચાન્સ શા માટે લેવાનો?</p>
<p>આપણા મોઢે અન્ય કોઈ વિશે બોલાયેલી સાચી કે ખોટી ઘણીવાર બહુ નિર્ણાયક પુરવાર થતી હોય છે. આમ છતાં મોટા ભાગના માણસો અન્ય વિશે અભિપ્રાય આપતાં પહેલા લાંબો વિચાર નથી કરતા હોતા. કોઈના વિશે સારું બોલવું એ તો દુર્લભ બની ગયું છે, મોટા ભાગના લોકોને અન્યની ગેરહાજરીમાં એમની બુરાઈ કરવાની, નિંદા કરવાની કુટેવ હોય છે. નિંદા કરવામાં લોકોને એટલી મજા આવતી હોય છે કે નિંદાને એક પ્રકારનો રસ ગણવામાં આવે છેઃ નિંદારસ.</p>
<p>લોકો અન્યની નિંદા શા માટે કરતા હશે સમજવાનું બહુ અઘરું નથી. નિંદા કરવા પાછળનું મુખ્ય કારણ ઈર્ષ્યા અને સ્પર્ધાનો ભાવ જ હોય છે. આ ઉપરાંત પોતાની ખામીઓ અને ઉણપોને થોડા સમય માટે ભૂલીને અન્યની નબળાઇની વાતો કરીને એમના પર હસી લેવામાં એક પ્રકારનો આત્મછલના મિશ્રિત આનંદ મળતો હોય છે. કીટી પાર્ટીમાં ગેરહાજર વ્યક્તિઓ વિશે જે વાતચીત કે નિંદા થાય છે એ તો મોટે ભાગે ગોસિપ પ્રકારની હોય છે. ગોસિપનો અંત છેવટે હસીમજાકમાં આવે છે, પરંતુ ખરેખર નિંદા જોખમી અને નુકસાનકર્તા હોય છે. આવી નિંદામાં ગેરહાજર વ્યક્તિની ઇમેજને પદ્ધતિસર ખરાબ કરવામાં આવતી હોય છે, એની નબળાઇને વધુ ખરાબ રીતે રજૂ કરવામાં આવે છે, જેના પરિણામે એ વ્યક્તિ વિશે અન્ય લોકોમાં ખોટા પૂર્વાગ્રહો બંધાય છે અને એની સાથે વિના કારણ વહેવાર થાય છે. આ રીતે અસલી નિંદામાં એક પ્રકારનો ધિક્કાર હોય છે, બદઇરાદો હોય છે. ઈર્ષ્યાનું આ સૌથી વિકૃત સ્વરૂપ છે.</p>
<p>થોડીઘણી ઈર્ષ્યા અને એમાંથી ઊપજતી નિંદાની વૃત્તિ આપણા સૌમાં હોય છે, પરંતુ અમુક લોકો વધુ પડતા નિંદાખોર હોય છે અને સમસ્યા આ લોકોની જ હોય છે. આવા લોકો હકીકતમાં અર્ધસત્યને ખોટી રીતે રજૂ કરીને, સાવ જૂઠું બોલીને પણ નિંદા કરતા રહે છે. વિઘ્નસંતોષી પ્રકારના આ લોકો સતત અન્યનું ખરાબ ઇચ્છતા હોય છે અને એમાં જ એમને આનંદ મળતો હોય છે.</p>
<p>કેટલાક લોકો પોતાની મહત્તા બતાવવા માટે અન્યની નિંદા કરતા હોય છે. અરે મેં એને નોકરી પર રાખ્યો, એને લાઇન પર ચડાવ્યો અને એણે મારી સાથે જ દગાબાજી કરી. ઘણો ખરાબ માણસ. સંભાળજો. અથવા તો કોઈ એવી વાતો કરશે કે મેં એના માટે કેટકેટલું કર્યું  છે, પણ એ માણસ જ અહેસાન ફરામોશ નીકળ્યો. એ કોઈનો ન થાય, એના બાપનોય નહીં. સંભાળજો. આ પ્રકારના સ્વાનુભવના દાખલા આપીને કોઈને ઇમેજ ખલાસ કરી નાંખવાવાળાની વાતની સચ્ચાઈ ચેક કરવા કોઈ નથી જતું. કોઈ એને સામો પ્રશ્ન નથી પૂછતું કે એવું એણે કેમ કર્યું? શું તમે પણ એની સાથે કોઈ ખરાબ વર્તાવ કર્યો હતો? અથવા તો ખરેખર તમે કહો છો એવું કંઈ બન્યું હતું ખરું કે?</p>
<p>કેટલાક લોકો આસપાસ જમા થયેલા લોકોને હસાવવા માટે, એમનું મનોરંજન કરવા માટે કોઈની નિંદા કરવા લાગે છે. શરૂઆત કોઈના સ્વભાવ કે ટેવ વિશે મજાક કરવાથી થાય અને વાતમાંથી વાતમાં પછી એના આખા ખાનદાનની કૂથલી શરૂ થઈ જાય.</p>
<p>નિંદા કરનારાની રીતરસમો પણ ભાતભાતની હોય છે. કોઈ એકદમ સીધા આક્ષેપ કરવામાં માનતા હોય છે તો કોઈ વળી ગેરહાજર વ્યક્તિ વિશે જનરલ વાતો કરીને પછી આડકતરી રીતે એની નિંદા શરૂ કરી દે. જેમ કે ખોટું બોલવા વિશે અથવા બોલીને પછી ફરી જવા વિશેની જનરલ વાતો શરૂ થાય અને એમાં પછી અચાનક કોઈ ગેરહાજર વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવે અને એને આ ચોકઠાંમાં બેસાડી દેવામાં આવે. એ રીતે એવી ઇશારત કરવામાં આવે કે એના પર ક્યારેય વિશ્વાસ ન મૂકવો. આ જ રીતે આજે જમાનો બદલાઈ ગયો છે, લોકોને સ્વાર્થી બની ગયા છે એવી સાવ જનરલ વાતો શરૂ થાય અને પછી અચાનક ગેરહાજર વ્યક્તિને સ્વાર્થી તરીકે રજૂ કરતી વાતો શરૂ થાય. અધકચરાં દાખલા આપવામાં આવે અને આ રીતે એની નિંદાનો દોર શરૂ થાય. કોઈ વળી ગેરહાજર વ્યક્તિની બેચાર સારી વાતો કરે અને પછી મહત્ત્વની બાબતમાં એની એવી બદબોઈ કરે કે લોકોના મનમાં ધિક્કાર છૂટે. જેમ કે માણસ ઘણો દિલદાર અને કાબેલ, પણ એનું કૅરેક્ટર સાવ ઢીલું. હું તો એને મારા ઘરે ક્યારેય નથી બોલાવતો. </p>
<p>નિંદાની સેશનો ચાલતી હોય ત્યારે એક પ્રકારના મૌખિક એમઓયુ થયા હોય છે કે કોણે કોના વિશે કઈ વાત કહી એ જાહેર નહીં કરવાનું, પરંતુ દર વખતે એ શરતો પળાતી નથી. નારદ જેવા અમુક લોકો તરત જ ગેરહાજર વ્યક્તિને મળે ત્યારે એને કહી દે કે ફલાણાભાઇ તમારા વિશે આવું કહેતા હતા. અથવા તો બીજી કોઈ રીતે એમને ખબર પડી જાય કે મારી ગેરહાજરીમાં કોઈ શું બોલ્યું હતું. આપણી ગેરહાજરીમાં કોઈ આવી નિંદા કરે ત્યારે આપણને દુઃખ જરૂર થતું હોય છે, પરંતુ મોટે ભાગે આપણે એને હળવાશથી લેતા હોઈએ છીએ. આપણે એમ વિચારીએ કે ક્યા ફરક પડતા હૈ? ક્યારેક આપણે ખુમારીમાં એવું પણ કહી દેતા હોઈએ છીએ કે મારી પીઠ પાછળ લોકોને જે બોલવું હોય એ બોલે. આઇ ડોન્ટ કેર. </p>
<p>આપણી ગેરહાજરીમાં આપણા વિશે કોઈ આપણી નિંદા કરે તો એની ફિકર આપણે ન કરીએ એ અભિગમ એક રીતે બરોબર છે, કારણ કે લોકોના મોઢે આપણે તાળા મારવા નથી જઈ શકવાના, પરંતુ આ વિશે થોડા સતર્ક રહેવાની જરૂર છે. આપણી ગેરહાજરીમાં આપણા વિશે કોઈ ખરાબ બોલે ત્યારે આપણી છાપ નિશ્ચિતપણે બગડતી હોય છે, આપણી ઇમેજને ઘસારો પહોંચતો હોય છે. ટ્રેજડી એ છે કે કોઈએ કરેલી નિંદાના કારણે જે વ્યક્તિના મનમાં આપણી છાપ બગડી હોય છે એ વ્યક્તિ આપણને સીધી રીતે કંઈ કહેતી નથી, બસ એ મનમાં જ કંઈક માની લે છે. આપણે વિના કારણનો ખુલાસો પણ નથી કરતા. પ્રૉબ્લેમ ત્યારે થાય જ્યારે એ વ્યક્તિએ આપણા સંદર્ભમાં કોઈ નિર્ણય લેવાનો હોય અને એમાં આપણી બગડેલી છાપ વચ્ચે આવે. એક વાત હંમેશાં યાદ રાખવી કે કોઈ પણ વ્યક્તિ વિશેની નકારાત્મક બાબતને લોકો હંમેશાં ગંભીરતાથી લેતા હોય છે. જો કોઈએ ખોટી નિંદા કરીને એક વ્યક્તિ પર એવી છાપ પાડી હોય કે તમે કામચોર છો તો એ વ્યક્તિએ જ્યારે તમારા વિશે નિર્ણય લેવાનો હોય ત્યારે એ તમારી કામચોર તરીકેની ખોટી ઇમેજને નિશ્ચિતપણે યાદ કરશે અને જરૂર જણાશે તો તમારા પર ચાન્સ લેવાનું ટાળશે. આ રીતે નિંદા તમને ખરેખર નુકસાન પહોંચાડી શકે છે. નિંદા અને કૂથલીના કારણે અન્ય લોકોના મનમાં તમારી જે ઇમેજ બગડે છે એ વિશે તેઓ ક્યારેય ચર્ચા નથી કરતાં કે નથી તેઓ ખુલાસા માંગતા. મહત્ત્વના નિર્ણયો લેતી વખતે તમારી ઇમેજને ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે અને એ સમયે લોકોએ કરેલી તમારી નિંદા તમને ભારે પડે છે.</p>
<p>તો આનો ઇલાજ શો છે? સૌથી પહેલા તો આ બાબતે આપણે બહુ જ સતર્ક રહેવાની જરૂર છે. જો આપણે સજાગ રહેશું તો એટલો ખ્યાલ આવી જશે કે આપણી નજીકની અમુક ખાસ વ્યક્તિઓ આપણી સતત નિંદા કરતી હોય છે. અનેક લોકો આપણને કહી ચૂક્યા હોય છે અને અનેકવાર તેઓ પકડાઈ પણ ગયા હોય છે. મોટે ભાગે આપણે આવી વ્યક્તિઓને અવગણતા હોઈએ છીએ અને એમની સાથેનો સંબંધ ઓછો કરી નાંખતા હોઈએ છીએ. આટલું પૂરતું નથી. આ વાતને બહુ જ ગંભીરતાથી લઈને આવી વ્યક્તિ સાથેનો સંબંધ સદંતર તોડી નાંખવાનું ખૂબ જરૂરી છે. આવી નિંદાખોર વ્યક્તિઓ સાથેનો સંબંધ તોડી નાંખવાનો સૌથી મોટો લાભ એ થાય કે એ જ્યારે આપણી ગેરહાજરીમાં આપણી નિંદા કરશે ત્યારે એની કોઈ વિશ્વસનીયતા નહીં રહે. લોકો વિચારશે કે આ તો એમનો દુશ્મન છે, એની વાત ન મનાય. એ જ રીતે સંબંધ તૂટી જવાને કારણે એ નિંદાખોર વ્યક્તિને આપણી પર્સનલ બાબતો વિશેની જાણકારી મળતી બંધ થશે.</p>
<p>જો આપણે ઇચ્છતા હોઈએ કે કોઈ આપણી નિંદા ન કરે તો આપણે પણ કોઈની નિંદા ન કરવી જોઈએ. ઘણા સમય પહેલા મેં આ દિશામાં પ્રયોગો કર્યા હતા. સૌથી પહેલા તો મેં એવું વિચાર્યું કે આપણી સામે કોઈ વ્યક્તિ અન્યની નિંદા કરે ત્યારે એને અટકાવી દેવાની. આથી કોઈ વ્યક્તિ જેવું અન્ય વ્યક્તિ વિશે ખરાબ બોલવાનું શરૂ કરે ત્યારે હું એની સામે ઊલટી વાત કરતો. ફલાણી વ્યક્તિ તો એકદમ સ્વાર્થી છે એવી નિંદા થાય ત્યારે હું કહેતો કે ના ના. મારું તો એક બહુ મોટું કામ એમણે હોંશથી કરી આપ્યું હતું. ગેરહાજર વ્યક્તિ કામચોર છે એવી નિંદા થાય ત્યારે હું એમ કહેતો કે અરે એને તો મેં બાર બાર કલાક કામ કરતો જોયો છે. જરાય આળસ નહીં. મેં એમ વિચાર્યું હતું કે આમ કહેવાથી નિંદા કરનાર વ્યક્તિ ઠંડી પડી જશે, પરંતુ પરિણામ સાવ જ ઊલટું આવ્યું. નિંદા કરનાર વ્યક્તિને જ્યારે તમે ખોટી પાડો ત્યારે એ બમણી ઉશ્કેરાઈ જતી હોય છે અને પછી વધુ જોશપૂર્વક પેલી વ્યક્તિની નિંદા કરવા લાગે છે. </p>
<p>આથી કોઈ આપણી સામે નિંદાખોરી શરૂ કરે ત્યારે ચૂપચાપ સાંભળી લેવામાં જ સાર છે. જોકે નિંદા એક ચેપી રોગ જેવી સમસ્યા છે. કોઈના વિશે વધુ પડતી નિંદા થઈ રહી હોય, એની હસીમજાક થઈ રહી હોય ત્યારે તમને પણ વિના કારણ વહેતી ગંગામાં હાથ ધોઈ નાંખવાની ઇચ્છા થઈ જાય છે. થોડા સમય પહેલા એક વ્યક્તિએ મારા ખાસ દોસ્તની એટલી બધી નિંદા કરી કે મારી ઇચ્છા નહોતી છતાં એ દોસ્તની એકબે નબળાઇ વિશે મારા મોઢામાંથી બેચાર શબ્દો નીકળી ગયા.</p>
<p>જેમ પૈસો પૈસાને ખેંચે છે એમ નકારાત્મકતા બીજી નકારાત્મકતાને ખેંચે છે એ નિયમ યાદ રાખવો. બને ત્યાં સુધી નિંદાખોર જ નહીં, કોઈ પણ પ્રકારની નકારાત્મક વિશેષતાઓ ધરાવતા લોકોથી દૂર રહેવું. ફેસબૂકમાં જેમ કોઈને બ્લૉક કરી દેવાની સુવિધા છે એમ રિયલ લાઇફમાં પણ નક્કામા અને નેગેટિવ માણસોને બ્લૉક કરી દેશો તો તમને કોઈ જ નુકસાન નથી. તમારી આસપાસના પચાસ માણસોને લાઇફમાં બ્લૉક કરી દેશો તોય તમને કોઈ ફરક નહીં પડે. ત્રાસ ઓછો થશે, રાહત વધશે. નવા સંબંધો પણ કેળવાશે. અને હા, નિર્દોષભાવે અથવા હસીમજાકમાં કોઈના વિશે ખરાબ અભિપ્રાય આપતા પહેલા, કોઈની નિંદા કરતા પહેલા સો વાર વિચાર કરજો. શક્ય છે કે તમે સાવ કૅઝ્યુઅલ રીતે કરેલી કોઈ વાત સામી વ્યક્તિ માટે જીવનમરણનો પ્રશ્ન બની જાય.</p>]]></content:encoded>
                
                                                            <category>Magazine: નાનાં મોઢે નાની વાત</category>
                                    

                <link>https://www.khabarchhe.com/magazine--%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A2%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4/an-article-on-slander/article-170062</link>
                <guid>https://www.khabarchhe.com/magazine--%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AA%BE%E0%AA%82-%E0%AA%AE%E0%AB%8B%E0%AA%A2%E0%AB%87-%E0%AA%A8%E0%AA%BE%E0%AA%A8%E0%AB%80-%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A4/an-article-on-slander/article-170062</guid>
                <pubDate>Sun, 10 Dec 2017 19:31:07 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2017-12/1512913545vehm.jpg"                         length="121575"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[nikhilmehta-author - (નિખિલ મહેતા)]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        