<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.khabarchhe.com/magazine--%E0%AA%A5%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%A5%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0/category-87358" rel="self" type="application/rss+xml" />
                <generator>Khabarchhe RSS Feed Generator</generator>
                <title>Magazine: થોડો વિચાર થોડો હકાર - Khabarchhe</title>
                <link>https://www.khabarchhe.com/category/87358/rss</link>
                <description>Magazine: થોડો વિચાર થોડો હકાર RSS Feed</description>
                
                            <item>
                <title>પરિવર્તનનો સ્વીકાર એટલે જીવનનો સંચાર</title>
                                    <description><![CDATA[<p>પરિવર્તન કુદરતને ખૂબ ગમે છે. આ કારણે જ એણે આપણા વર્ષને ત્રણ ઋતુઓમાં વહેંચ્યું છે અને એ ત્રણેય ઋતુઓની મુખ્ય લાક્ષણિકતામાં વધારો ધટાડો થતો રહે છે. આ તો ઠીક છાશવારે થતાં રહેતા ભુકંપો, ત્સુનામી કે વાવાજોડા પણ એવા જ કુદરતી પરિવર્તનોના ભાગ છે. પરિવર્તનનો અર્થ જ બદલાવ થાય છે અને દરેક નવા બદલાવને એક સ્વીકાર અને શરૂઆતની જરૂર હોય છે. પ્રકૃતિ અને કુદરત પાસે સ્વીકાર અને શરૂઆત કરવાની તાકાત છે એટલે જ પ્રકૃતિમાં સતત ફેરફારો, અવનવા પરિવર્તનો થતાં રહે છે. પરંતુ આપણા પક્ષે જ્યારે પરિવર્તનના સિદ્ધાંતની વાત આવે છે ત્યારે આપણે પરિવર્તન સ્વીકારતા થોડા ગભરાઈએ છીએ, થોડા ખચકાઈએ છીએ.</p>
<p>આપણું</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/magazine--%E0%AA%A5%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%A5%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0/acceptance-of-change-means-arrangement-of-life/article-170078"><img src="https://www.khabarchhe.com/media/400/2017-07/1499942658change.jpg" alt=""></a><br /><p>પરિવર્તન કુદરતને ખૂબ ગમે છે. આ કારણે જ એણે આપણા વર્ષને ત્રણ ઋતુઓમાં વહેંચ્યું છે અને એ ત્રણેય ઋતુઓની મુખ્ય લાક્ષણિકતામાં વધારો ધટાડો થતો રહે છે. આ તો ઠીક છાશવારે થતાં રહેતા ભુકંપો, ત્સુનામી કે વાવાજોડા પણ એવા જ કુદરતી પરિવર્તનોના ભાગ છે. પરિવર્તનનો અર્થ જ બદલાવ થાય છે અને દરેક નવા બદલાવને એક સ્વીકાર અને શરૂઆતની જરૂર હોય છે. પ્રકૃતિ અને કુદરત પાસે સ્વીકાર અને શરૂઆત કરવાની તાકાત છે એટલે જ પ્રકૃતિમાં સતત ફેરફારો, અવનવા પરિવર્તનો થતાં રહે છે. પરંતુ આપણા પક્ષે જ્યારે પરિવર્તનના સિદ્ધાંતની વાત આવે છે ત્યારે આપણે પરિવર્તન સ્વીકારતા થોડા ગભરાઈએ છીએ, થોડા ખચકાઈએ છીએ.</p>
<p>આપણું જ નહીં, પરંતુ જીવમાત્રનું જીવન અત્યંત પરિવર્તનશીલ છે. જીવનમાં જો પરિવર્તનો નહીં થતાં રહે તો આપણું જીવન એની અવિરતતા પણ ગુમાવી બેસે છે. અલબત્ત, આપણા શરીર સાથે જે કુદરતી પરિવર્તનો આવે છે એ આપણે સ્વીકારતા હોઈએ છીએ. પરંતુ એમાં આપણે કશું કરી પણ નથી શકતા એટલે નાછૂટકે આપણે એ સ્વીકારતા હોઈએ છીએ. બાકી જો કોઈ એમ વિકલ્પ આપે કે આધેડાવસ્થા કે વૃદ્ધાવસ્થા નહીં સ્વીકારવાની કોઈ સ્કીમ છે તો આપણે સૌએ જરૂરથી વૃદ્ધાવસ્થાને આપણાથી દૂર રાખી હોત.</p>
<p>શારીરિક પરિવર્તનો બાદ વાત આવે છે જીવન, કરિયર કે સંબંધોમાં આવતા કેટલાક પરિવર્તનોની. આગળ કહ્યું એમ આપણે કુદરતી રીતે થતાં શારીરિક પરિવર્તનો તો મને, કમને સ્વીકારી લેતા હોઈએ છીએ, પરંતુ આપણી સાથે ગાઢ નિસ્બત ધરાવતા અન્ય પરિવર્તનો ઝડપથી સ્વીકારતા નથી અથવા એને સંપૂર્ણપણે ફગાવી દેતા હોઈએ છીએ. </p>
<p>સંબંધ હોય, કરિયર હોય કે જીવનનો કોઈ તબક્કો હોય. આ તમામ જગ્યાએ આપણી નિયતિ આપણને એક એવા મોડ પર લાવીને મૂકી દેતી હોય છે કે, એ મોડ પર આપણે કેટલાક કઠોર અથવા લાઈફ ચેન્જિંગ કહી શકાય એવા નિર્ણયો લેવાના હોય છે. એ નિર્ણયોની સાથે જ આપણા જીવનમાં મસમોટા પરિવર્તનો આવતા હોય છે. તો કેટલાક કિસ્સામાં જીવન ધરમૂળથી બદલાઈ જતું હોય છે. જોકે એવુંય નથી કે આપણે જે નિર્ણય લઈએ એ અથવા આપણે જે પરિવર્તન સ્વીકારીએ એ આપણા માટે લાભદાયી જ હોય. અથવા એવું પણ બને કે, એ નિર્ણયને કારણે શરૂ શરૂમાં આપણને ખૂબ તકલીફ પડે. અને આવા જ ડરને કારણે આપણે નક્કર નિર્ણય લઈ લેતા ગભરાઈ જઈએ છીએ અને આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી શકતા નથી. </p>
<p>જોકે આવે ટાણે એક વાત અત્યંત મહત્ત્વની છે કે, ભલે જીવનમાં થોડા ઉતાર ચઢાવ આવે અથવા ભલે થોડો સંઘર્ષ કરવો પડે. પરંતુ અમુક તબક્કે ચોટ ખાઇને પણ અમુક નિર્ણયો કરવા અને પરિવર્તનો સ્વીકારવા મહત્ત્વના બની જાય છે. એ નિર્ણયો અને એ પરિવર્તનો જ આપણી અંદર નવી ઊર્જાનો સંચાર કરે છે અને નવી ઊર્જા દ્વારા જ આપણે જાતજાતના સાહસો કરી શકીએ છીએ. </p>
<p>વળી, એકવિધ જીવન જીવવાથી જીવન પ્રત્યે હતાશા વ્યાપે છે. ઉપરવાળાએ આપણને જીવન હતાશ થઈને કશું ન કરવા માટે નથી આપ્યું. અહીં આપણે જાતજાતના એડવેન્ચર્સ કરવા આવ્યા છીએ. અહીં આપણે જીવનના જાતજાતના રંગો માણવાના છે અને જ્યારે અહીંથી વિદાય લઈએ ત્યારે જીવી લીધાનો સંતોષ લઈને જવાનું છે. અને આ બધું કરવા માટે જીવનમાં પરિવર્તનો સ્વીકારતા રહેવું અત્યંત જરૂરી છે. આગળ કહ્યું એમ પરિવર્તનો સ્વીકારતી વખતે કદાચ એમ બને કે આપણને ભવિષ્યની ચિંતા થાય અથવા નિષ્ફતાનો ડર લાગે. એવું થવું વાજબી પણ છે. પરંતુ સાથે એ વાત પણ એટલી જ વાજબી છે કે, નિષ્ફળતાની પરવા કરીને ક્યારેય આગળ વધવાની પ્રક્રિયા અટકાવવી નહીં. જીવનમાં સફળતા અને નિષ્ફળતા કરતા વધુ મહત્ત્વની એક વાત એ છે કે, જીવનમાં સતત ચાલતા રહેવું કે ટકી રહેવું ખૂબ મહત્ત્વનું છે અને એ માટે પરિવર્તન સ્વીકારવું અત્યંત મહત્ત્વનું બની રહે છે. </p>
<p> </p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Magazine: થોડો વિચાર થોડો હકાર</category>
                                    

                <link>https://www.khabarchhe.com/magazine--%E0%AA%A5%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%A5%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0/acceptance-of-change-means-arrangement-of-life/article-170078</link>
                <guid>https://www.khabarchhe.com/magazine--%E0%AA%A5%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%A5%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0/acceptance-of-change-means-arrangement-of-life/article-170078</guid>
                <pubDate>Thu, 13 Jul 2017 16:16:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2017-07/1499942658change.jpg"                         length="167626"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dr. Risshi D. Bhatt]]></dc:creator>
                            </item>
            <item>
                <title>થાય સરખામણી જો…</title>
                                    <description><![CDATA[<p>આજે સરખામણીની વાત કરવી છે. આ બાબતે સહેજ ઊંડો વિચાર કરીએ તો ખ્યાલ આવશે કે, આપણા જીવનના કેટલાક દુઃખો આપણે માત્ર ને માત્ર સરખામણીને કારણે ઊભા કર્યા છે. સરખામણીને અસંતોષ સાથે સીધો સંબંધ છે. કારણ કે જ્યારે જ્યારે આપણે કોઈની સાથે સરખામણી કરીએ છીએ ત્યારે આપણી  અંદર ક્યાંક ને ક્યાંક અસંતોષ જ ઊભો થાય છે. અને એ અસંતોષ જ આપણું ચેન, આપણા મનની શાંતિ હણી જાય છે.</p>
<p>કુદરત ક્યારેય બધાને એકસરખું આપતી નથી. એને વિવિધતા ખૂબ ગમે છે અને એ વિવિધના સિદ્ધાંતને હિસાબે જ કુદરતે આ સુંદર દુનિયાનું સર્જન કર્યું છે. અહીં ફૂલો પણ જુદા જુદા રંગો અને જુદી મહેકના</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/magazine--%E0%AA%A5%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%A5%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0/if-comparison-is-done/article-170077"><img src="https://www.khabarchhe.com/media/400/2017-07/1499328683lion.jpg" alt=""></a><br /><p>આજે સરખામણીની વાત કરવી છે. આ બાબતે સહેજ ઊંડો વિચાર કરીએ તો ખ્યાલ આવશે કે, આપણા જીવનના કેટલાક દુઃખો આપણે માત્ર ને માત્ર સરખામણીને કારણે ઊભા કર્યા છે. સરખામણીને અસંતોષ સાથે સીધો સંબંધ છે. કારણ કે જ્યારે જ્યારે આપણે કોઈની સાથે સરખામણી કરીએ છીએ ત્યારે આપણી  અંદર ક્યાંક ને ક્યાંક અસંતોષ જ ઊભો થાય છે. અને એ અસંતોષ જ આપણું ચેન, આપણા મનની શાંતિ હણી જાય છે.</p>
<p>કુદરત ક્યારેય બધાને એકસરખું આપતી નથી. એને વિવિધતા ખૂબ ગમે છે અને એ વિવિધના સિદ્ધાંતને હિસાબે જ કુદરતે આ સુંદર દુનિયાનું સર્જન કર્યું છે. અહીં ફૂલો પણ જુદા જુદા રંગો અને જુદી મહેકના છે અને અહીંની ભૂગોળ પણ જુદી જુદી છે. ક્યાંક રણ તો છે, તો ક્યાંક બરફ છે તો ક્યાંક લહેરાતા ખેતર છે. આપણા માણસોમાંય કેટકેટલી વિવિધતા… કોઈક ગોરું તો કોઈક કાળું. કોઈક ઊંચું તો કોઈક ઠીંગણું, કોઈક અત્યંત બુદ્ધિશાળી તો કોઈ એવરેજ બુદ્ધિક્ષમતા ધરાવતું… જોકે કુદરતના તમામ વશંજોમાં એકમાત્ર માણસ એવો છે જે, હંમેશાં સરખામણી કરતો રહે છે. જોકે પોતાની જાતની બીજા સાથેની આવી સરખામણી જ એને જીવનના મૂળભૂત આનંદથી દૂર કરી દે છે.</p>
<p>મોગરાનું ફૂલ ક્યારેય ગુલાબના ફૂલ સાથે એની સરખામણી કરતું કે, કે આ ગુલાબના ફૂલોને કેટકેટલા રંગ છે અને એનો આકાર તો કેવો મોટો? કારણ કે મોગરાને ખબર છે કે, ભલે એ શ્વેત ફૂલ નાનકડું હશે, પણ જો એ મહોર્યું હશે તો દૂરથી પણ કોઈ એને પારખી લેશે કે, ક્યાંક મોગરો મહોર્યો છે…! એની ફોરમ જ એવી અહ્લાદક હોવાની કે એના નાનકડા કદ વિશે કોઈને રજમાત્ર ફરિયાદ નહીં રહે.</p>
<p>આ આખી બાબતમાં બીજું એક તારણ એમ નીકળે છે કે, બીજાઓ સાથે સરખામણીઓ કરતા રહેવા કરતા પોતાને જે મળ્યું છે એનો સંતોષ માનવો જોઈએ અને એનો જ આનંદ પણ માણવો જોઈએ. પરંતુ બહુ રેર કેસમાં આપણે આવું કરી શકીએ છીએ. આપણી પાસે જે છે એનો આપણને ક્યારેય સંતોષ કે ગર્વ નથી હોતો. એટલે જ આપણે જે નથી એને પામવા ઉચાળા ભરીએ છીએ. સતત એવી બાબતોની પાછળ દોડતા રહીએ છીએ, જે બાબતો કદાચ આપણી થવાની જ નથી અને થાય તો એને માણી શકાય એવી આપણી ક્ષમતા રહેતી નથી.</p>
<p>જોકે આપણે તો સરખામણીની વાત કરતા હતા. મોટાભાગના લોકોને પોતાની જાતની, પોતાની આવડતની અથવા પોતાની પાસે જે હોય એની બીજાઓ સાથે સરખામણી કરવાની આદત હોય છે. એ અત્યંત સ્વાભાવિક છે કે, કુદરત કંઈ બધાને એક સરખી પ્રતિભા કે આવડત આપતી નથી હોતી. બધામાં કશુંક યુનિક હોવાનું, પરંતુ આપણને એ યુનિકનેસની કદર નથી હોતી. આપણે તો બસ એક જ બાબતે મૂંઝાતા રહેવાના કે આપણી પાસે આવી ક્ષમતા કે આવી પ્રતિભા કેમ નથી? કાશ મારી પાસે ફલાણા જેવી આવડત હોત તો હું આજે કોઈક જુદી જ દિશામાં હોત. </p>
<p>આ તો ઠીક આપણે ભૌતિકતાની બાબતે પણ સતત બીજાઓ સાથે સરખામણી કરતા રહેતા હોઈએ છીએ. જો આપણી પાસે નાનકડી ફેમિલી કાર હોય અને બે કે ત્રણ માણસના ખૂબ નાના કુટુંબને એટલી જ કારની જરૂર હોય તોય આપણને સતત એવી ઝંખના રહ્યા કરતી હોય છે કે, નાની કાર તો ઠીક છે. બાકી, ઘરમાં તો મોટી કાર જ શોભે. અને બસ આ જ બાબત આપણા અંતરને સતત કોરતી રહે અને આપણી પાસે જે છે એના આનંદથી દૂર કરતી રહે. પહેલી વાત તો એ જ કે, ભૌતિક બાબતોની બાબતે ક્યારેય સરખામણી હોવી જ નહીં જોઈએ. ભૌતિકતા કદાચ આપણને સગવડ આપી શકે, પરંતુ ભૌતિકતા આપણને સુખ કે આનંદ તો નહીં જ આપી શકે. કારણ કે, ભૌતિકતાને બાહ્ય બાબતો સાથે, ઉપરછલ્લી બાબતો સાથે નિસ્બત છે અને સુખ કે આનંદને આંતરિક બાબતો કે, આપણા હ્રદય સાથે સંબંધ છે. </p>
<p>ઈનશોર્ટ જો આપણું સુખ કે આપણા આનંદની આત્મહત્યા કરવી હોય તો જ બીજાની પ્રતિભા, કોઈની આવડત, કોઈની સફળતા અથવા કોઈની ભૌતિકતા સાથે આપણી સરખામણી કરવી. કારણ કે સરખામણી આપણને આપણા આનંદથી દૂર રાખે છે. હા, જીવનમાં કશુંક પામવું હોય, કોઈ એક ચોક્કસ મુકામ પર પહોંચવું હોય તો એ માટે સતત પ્રયત્નશીલ જરૂર રહેવું. ખૂબ મહેનત કરવી અને જીવનમાં કશુંક મેળવવું તો જોઈએ જ, પરંતુ મેળવવાનો ધ્યેય કે હેતુ હંમેશાં શુદ્ધ હોવો જોઈએ. કોઈકે એ મેળવ્યું છે એટલે મારે પણ એ મેળવવું છે એવું નહીં. નહીંતર બની શકે કે, તમારામાં શ્રેષ્ઠ લેખક બનવાની પ્રતિભા હશે અને તમે કોઈકને જોઈને સીએ બનવા જશો તો સીએ બની લાખોની રોકડી કરવાની વાત ઓ દૂર સીએની પરીક્ષા પણ નહીં પાસ થઈ શકો…</p>]]></content:encoded>
                
                                                            <category>Magazine: થોડો વિચાર થોડો હકાર</category>
                                    

                <link>https://www.khabarchhe.com/magazine--%E0%AA%A5%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%A5%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0/if-comparison-is-done/article-170077</link>
                <guid>https://www.khabarchhe.com/magazine--%E0%AA%A5%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%A5%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0/if-comparison-is-done/article-170077</guid>
                <pubDate>Thu, 06 Jul 2017 13:54:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2017-07/1499328683lion.jpg"                         length="96607"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dr. Risshi D. Bhatt]]></dc:creator>
                            </item>
            <item>
                <title>વર્તનનું મેનેજમેન્ટ</title>
                                    <description><![CDATA[<p>
</p><p>આજે આપણા વર્તન અને આપણા રિએક્શન્સ વિશે થોડી વાતો કરવી છે. વ્હોટ્સ એપ પર થોડા સમયથી એક મજાનું ક્વોટ ફરે છે, જેના પરથી આ આખી વાત આલેખવાનું મન થયું. એ ક્વોટ એવું હતું કે, ‘નકામા લોકો અને કપરી પરિસ્થિતિ બંનેથી મૂંઝાવું નહીં. તમે જો એમને પ્રતિભાવ ન આપો તો બંને શક્તિહિન થઈ જાય છે.’ બહુ મજાની અને ઉંડાણ ધરાવતી આ વાત છે. ચાલો આ વિશે થોડો વિચાર કરીએ, થોડો હકાર ભણીએ.</p>
<p>પહેલા તો આપણે આ ક્વોટની વાતથી જ શરૂ કરીએ. આપણે ચાહીએ કે ન ચાહીએ, પણ આપણા બહોળા કુટુંબમાં અથવા સગામાં, પાડોશમાં કે કામના સ્થળે એવા કેટલાક લોકો હોવાના જ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p>
</p><p>આજે આપણા વર્તન અને આપણા રિએક્શન્સ વિશે થોડી વાતો કરવી છે. વ્હોટ્સ એપ પર થોડા સમયથી એક મજાનું ક્વોટ ફરે છે, જેના પરથી આ આખી વાત આલેખવાનું મન થયું. એ ક્વોટ એવું હતું કે, ‘નકામા લોકો અને કપરી પરિસ્થિતિ બંનેથી મૂંઝાવું નહીં. તમે જો એમને પ્રતિભાવ ન આપો તો બંને શક્તિહિન થઈ જાય છે.’ બહુ મજાની અને ઉંડાણ ધરાવતી આ વાત છે. ચાલો આ વિશે થોડો વિચાર કરીએ, થોડો હકાર ભણીએ.</p>
<p>પહેલા તો આપણે આ ક્વોટની વાતથી જ શરૂ કરીએ. આપણે ચાહીએ કે ન ચાહીએ, પણ આપણા બહોળા કુટુંબમાં અથવા સગામાં, પાડોશમાં કે કામના સ્થળે એવા કેટલાક લોકો હોવાના જ જેઓ નાની નાની વાતોએ આપણી વાતમાં, આપણા કામમાં કે આપણી પ્રગતિમાં કે આપણા જીવનમાં અવરોધ ઊભા કરતા હશે. અથવા આપણને ન ગમે એવી પ્રવૃત્તિઓ કરતા હશે. અથવા હાથે કરીને કોઈક વાતે તલનું તાડ કરીને આપણને ઉશ્કેરતા રહેતા હશે. </p>
<p>આવું કંઈ પણ થાય ત્યારે સ્વાભાવિક રીતે આપણું મન એમની પ્રવૃત્તિઓમાં ઉલઝેલું રહેવાનું અને ઘણે અંશે અશાંત રહેવાનું. એ માનસિક અશાંતિને કારણે ન તો આપણે આપણા કામમાં ધ્યાન પરોવી શકીએ કે નહીં આપણે આપણા જીવનમાં સરખું ધ્યાન કેન્દ્રિત કરી શકીએ. આથી આપણો સ્વભાવ પણ ચીડિયો થઈ જાય છે. અંતે થાય છે શું કે, એકાગ્રતાના અભાવે કે માનસિક અશાંતિને કારણે ક્યાં તો આપણું કામ બગડે છે અથવા આપણા ચીડિયા સ્વભાવને કારણે આપણે કોઈકની સાથે સંબંધ કે સમીકરણ બગાડી બેસીએ છીએ. એ જ રીતે જેમ સામેના માણસનું વર્તન કે ક્રિયા આપણા મનને ખલેલ પહોંચાડે છે એમ જીવનની કપરી પરિસ્થિતિ અથવા અમુક સંજોગો પણ આપણી માનસિક શાંતિ છીનવીને આપણું કામ બગાડી શકે છે.</p>
<p>માનવસર્જિત અથવા કુદરતસર્જિત આવી પરિસ્થિતિઓ વખતે મૂંઝાઈને આપણે આપણું કામ બગાડીએ કે આપણા લક્ષ્યથી ભટકી જઈએ એ જરાય યોગ્ય બાબત નથી. આ રીતે મૂંઝાઈ જવાની કે એમની સામે રિએક્ટ કરી આપણું કામ બગાડવાની વાતને હું તો એમ કહીશ કે, આપણે સામે ચાલીને ઉપાધી વહોરી લીધી છે. અને સામે ચાલીને આપણે આપણા હથિયાર એ પરિસ્થિતિઓની સામે ફેંકી દીધા…!</p>
<p>યાદ રહે, માણસના રોજબરોજના જીવન કે કામમાં એણે અનેક કપરી પરિસ્થિતિ અને પડકારોનો સામનો કરવો પડવાનો જ છે. એમાં લોકો દ્વારા ઊભા કરેલા વિઘ્નો પણ હોવાના. પરંતુ એ બધી પરિસ્થિતિઓ દરમિયાન માનસિક રીતે અત્યંત સ્થિર રહેવું અત્યંત મહત્ત્વનું છે. જો માનસિક રીતે સ્થિર અથવા પ્રફુલ્લિત હોઈશું તો આપણે આપોઆપ જ એ પડકારોમાંથી સાંગોપાંગ પાર થઈશું. આ માટે એક જ બાબત કરવાની જરૂરત છે. આપણે કેટલાક માણસો અને કેટલીક પરિસ્થિતિને સમૂળગી અવગણી કાઢવાની છે અને એમની રજ માત્ર પરવા કર્યા વિના આગળ વધવાનું છે. જો આપણે રિએક્ટ જ નહીં કરીશું અથવા અમુક માણસો કે કપરી પરિસ્થિતિને ધ્યાનમાં જ નહીં લઈશું તો એક તબક્કે એમને પણ અહેસાસ થશે કે, અમે આણેલા વિઘ્નોની આમના પર કોઈ અસર થતી નથી. </p>
<p>આ તો રિએક્શનની વાત થઈ. આ સિવાય બીજો જે મુદ્દો ચર્ચવાનો તે એ કે ઘણી વખત આપણે આપણા વર્તન અથવા સ્વભાવને કારણે જીવનમાં ઘણા પાછા પડી જતા હોઈએ છીએ. એટલે કે, ઘણી વાર આપણે ખૂબ સારા મુલ્યો ધરાવતા હોવા છતાં અથવા આપણે ખૂબ સારું કે વિઝન સાથેના વિચાર કરતા હોવા આપણા સ્વભાવની કેટલીક મર્યાદાઓ કે આપણું વર્તન આપણી પ્રગતિને આડે આવે છે.</p>
<p>ઘણા માણસો ખૂબ શોર્ટ ટેમ્પર્ડ હોય છે. નાની નાની વાતોએ ગુસ્સે થઈ જતા હોય છે અને ગમે એને મન ફાવે એમ બોલી દેતા હોય છે. જોકે થોડો સમય વીતે પછી થાય એવું કે ગુસ્સો કરનાર માણસને કે ગમે એમ રિએક્ટ કરનાર માણસને થોડા સમય પછી એના વર્તન પર ખૂબ પસ્તાવો થાય અને એ પસ્તાવાથી બચવા તે સામેવાળાની માફી પણ માગી લે. પરંતુ જિંદગી કંઈ દર વખતે ભૂલ સુધારવાની તક નથી આપતી. ક્યારેક એ તક હાથમાં જ નહીં આવી તો માણસ ભલે ઘણો નિખાલસ હોય, ઘણો વિઝનરી હોય કે સિદ્ધાંતો સાથે જીવનારો હોય, પરંતુ એનું મૂલ્યાંકન એના વર્તન મુજબ જ થશે એને લાભ-ગેરલાભ પણ વર્તન મુજબના જ હોવાના. </p>
<p>એટલે કે, જો ગુસ્સામાં આવીને એક્સાઈટ થઈને તમે ગમે એમ વર્તન કરી નાંખો તો તમારી સારી બાબતો કોઈના ધ્યાનમાં નહીં આવે. અને સંબંધ હોય કે કોઈ ઑર્ગેનાઈઝેશન હશે, એમાં સામેવાળાની પ્રતિક્રિયા કે તમારું વળતર તમને તમારા વર્તનના હિસાબનું જ મળશે. </p>
<p>ઈનશોર્ટ આજથી બે વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. એક તો એ કે, આપણી વિષમ પરિસ્થિતિઓ કે આપણા માર્ગમાં કોઈ પણ રીતની બાધા નાખનારા લોકોને કે એમની વાતને ક્યારેય ધ્યાનમાં નહીં લેવાના અને એમની સામે રિએક્ટ નહીં કરવાનું. અને બીજું એ કે જ્યારે આપણી પાસે વિઝન, મિશન કે આવડત તેમજ સારપ હોય ત્યારે માત્ર શોર્ટ ટેમ્પર્ડ સ્વભાવને કારણે આપણી પ્રગતિના લાખના બાર નહીં કરવાના. તમારું શું માનવું છે આ બાબતે? </p>
]]></content:encoded>
                
                                                            <category>Magazine: થોડો વિચાર થોડો હકાર</category>
                                    

                <link>https://www.khabarchhe.com/magazine--%E0%AA%A5%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%A5%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0/behavior-management/article-170076</link>
                <guid>https://www.khabarchhe.com/magazine--%E0%AA%A5%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%A5%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0/behavior-management/article-170076</guid>
                <pubDate>Thu, 29 Jun 2017 15:56:46 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[Dr. Risshi D. Bhatt]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ઉંમરના કોઈ પણ પડાવ પર થઈ શકે છે નવી શરૂઆત</title>
                                    <description><![CDATA[<p>
</p><p>ફેસબુક પર એકવાર એક સરસ મજાનું ક્વોટ વાંચવા મળેલું. એમાં લખેલું, ‘જો તમારા શ્વાસ ચાલુ હોય તો ઉંમરના કોઈ પણ પડાવ પર કોઈક નવા કામની શરૂઆત કરી શકાય છે.’ પહેલી નજરે કદાચ એમ લાગે કે, આ ક્વોટ વ્હોટ્સ એપના કોઈ ફોરવર્ડ જેવું સામાન્ય કક્ષાનું છે. પરંતુ સહેજ વિચાર કરીશું તો ખ્યાલ આવશે કે, આ વાક્ય ઘણું હકારાત્મક છે, એ ઘણું ઉંડાણ ધરાવે છે અને કંઈક અંશે આપણને એ લાગુ પણ પડે છે. આપણી જાતની સહેજ ઉલટ તપાસ કરીશું તો આપણને ખ્યાલ આવશે કે, જીવનમાં અનેક વખત આપણને કશુંક નવું કરવાની, કશુંક જુદુ કરવાની ઈચ્છા થાય છે અથવા ઘણી વાર કોઈ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p>
</p><p>ફેસબુક પર એકવાર એક સરસ મજાનું ક્વોટ વાંચવા મળેલું. એમાં લખેલું, ‘જો તમારા શ્વાસ ચાલુ હોય તો ઉંમરના કોઈ પણ પડાવ પર કોઈક નવા કામની શરૂઆત કરી શકાય છે.’ પહેલી નજરે કદાચ એમ લાગે કે, આ ક્વોટ વ્હોટ્સ એપના કોઈ ફોરવર્ડ જેવું સામાન્ય કક્ષાનું છે. પરંતુ સહેજ વિચાર કરીશું તો ખ્યાલ આવશે કે, આ વાક્ય ઘણું હકારાત્મક છે, એ ઘણું ઉંડાણ ધરાવે છે અને કંઈક અંશે આપણને એ લાગુ પણ પડે છે. આપણી જાતની સહેજ ઉલટ તપાસ કરીશું તો આપણને ખ્યાલ આવશે કે, જીવનમાં અનેક વખત આપણને કશુંક નવું કરવાની, કશુંક જુદુ કરવાની ઈચ્છા થાય છે અથવા ઘણી વાર કોઈ તક સામે ચાલીને આપણી પાસે આવતી હોય છે, પણ પછી આપણે એમ વિચારીએ છીએ કે, હવે આ ઉંમરે આપણે કરી પણ શું શકવાના? આવા કામ તો યુવાનીમાં જ થઈ શકે. તો એનાથી ઉલટુ જુવાનિયાઓ એમ વિચારતા હોય છે કે, આપણે કશુંક નવું તો કરવું છે, પરંતુ એ કામ કરવા માટે જે અનુભવ જોઈએ એની આપણી પાસે કમી છે.</p>
<p>એ વાત સાચી કે, કોઈ પણ મોટો કે મહત્ત્વનો પ્રોજેક્ટ હાથમાં લીધો હોય તો એમાં ઉત્સાહ અને શક્તિ, થોડો અનુભવ તેમજ ઘણું બધું રિસર્ચ વર્ક- હોમ વર્ક હોવું અત્યંત જરૂરી છે. ઑવર કૉન્ફિડન્સમાં આડેધડ કોઈ બાબત પર કામ શરૂ ન કરી શકાય. પરંતુ આગળ જણાવ્યું એ બધુ હોવા છતાં જો આપણી પાસે આત્મવિશ્વાસ નહીં હોય તો આપણે જે પામવું હોય એ આસાનીથી પામી નહીં શકીએ. જીવનના કોઈ પણ પડાવ પર, કોઈ પણ પ્રકારના કામ માટે કે નવી શરૂઆત માટે આત્મવિશ્વાસ કે જાતમાંની શ્રદ્ધાનું હોવું અત્યંત મહત્ત્વનું બની જાય છે. </p>
<p>પરંતુ ઘણી વાર આપણી પાસે ક્ષમતાઓ હોવા છતાં તેમજ કામ પ્રત્યેની સમર્પણ ભાવના હોવા છતાં આપણી પાસે આત્મવિશ્વાસનો અભાવ હોય છે, જેને કારણે આપણે જીવનમાં સાહસ કરતા ગભરાઈએ છીએ. જીવનમાં આત્મવિશ્વાસ એ રીતે ઘણું મહત્ત્વનું પાસું છે. જો આત્મવિશ્વાસ હશે તો માણસ થોડીઘણી પછડાટ ખાઈને પણ અનુભવ તો મેળવી જ શકે છે અને એ અનુભવને પગલે જ, ભલે એની ઉંમર નાની હોય તોય સફળતા હાંસલ કરી શકાય છે.</p>
<p>ઉપર આપણે જે ક્વોટ વાંચ્યું એને હવે જરા જુદી રીતે પણ વિચારીએ. કારણ કે એ ક્વોટ જરા જુદા સંદર્ભમાં પણ લાગુ પડે છે. જુદો સંદર્ભ એટલે એ કે, માણસને ક્યારેક જિંદગી એવી પછડાટ આપે કે, એ અડધે રસ્ત્તે પહોંચ્યો હોય કે ખૂબ ઊંડો ઉતર્યો હોય તોય એણે પથારા સમેટીને પાછા વળવું પડે. પેલા ગીતમાં કહેવાયું છેને કે, ‘યે તો સિકંદર ને ભી નહી સોચા થા… મંજિલ પે આ કે હી જાન ચલી જાયેગી…’ વાસ્તવિક જીવનમાં ઘણા માણસો સાથે એવું થતું હોય છે. કોઈક બાબતમાં ખૂબ ઉંડા ઉતર્યા હોય ત્યારે જ એમણે અધવચ્ચેથી પાછા ફરવું પડે છે. આવા સમયે માણસ બહારથી ભલે નોર્મલ લાગતો હોય, પરંતુ અંદરથી એ તૂટી જતો હોય છે. એ તૂટનનું સંધાન થવું ખૂબ મુશ્કેલ થઈ જતું હોય છે. </p>
<p>એક વખત તૂટી ગયેલા માણસ માટે ફરી શૂન્યથી શરૂઆત કરવું ખૂબ મુશ્કેલ થઈ જતું હોય છે. એનામાં આગલી નિષ્ફળતાની નકારાત્મક્તા તો હોય જ. પરંતુ એના દિલમાં એક ભય પણ ઘર કરી ગયો હોય છે કે, એ ઘણો નિષ્ફળ માણસ છે અને એના માટે હવે નવી શરૂઆત કરવું અશક્ય છે. વળી, એણે કોઈ કામ કે પ્રોજેક્ટમાં ઘણા વર્ષો કે દાયકા પણ આપી દીધા હોય. એટલે એ એવું વિચારતો હોય કે હવે એની પાસે પહેલા જેવી ઊર્જા કે સમય નથી રહ્યા, જેનાથી એ કોઈ નવો પ્રોજેક્ટ હાથ ધરી શકે. આવે ટાણે ઉપર જણાવેલું ક્વોટ રામબાણ સાબિત થાય છે અને આવા સમયે જ એનું ઉંડાણ આપણને ખ્યાલ આવે છે કે, ભલે લાખ વખત નિષ્ફળતાઓ મળી, ભલે કોઈ કામની પાછળ વર્ષો કે દાયકા ખર્ચી કાઢ્યા હોય કે ભલે હવે પહેલા જેવી ઊર્જા કે સમય નથી. પરંતુ જો જાતમાંની શ્રદ્ધા અકબંધ હશે અને શ્વાસ ચાલતા હશે તો એકવાર નહીં વારંવાર શૂન્યથી શરૂઆત કરી શકાય છે. અને શરૂઆત જ નહીં. જો પ્રોપર પ્લાનિંગ અને આવડત હશે તો શૂન્યમાંથી સર્જન પણ કરી શકાય છે. બસ જરૂર છે થોડા આત્મવિશ્વાસની અને નવું સાહસ કરવાની હિંમતની. </p>
]]></content:encoded>
                
                                                            <category>Magazine: થોડો વિચાર થોડો હકાર</category>
                                    

                <link>https://www.khabarchhe.com/magazine--%E0%AA%A5%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%A5%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0/new-start-can-be-done-at-any-age-in-life/article-170075</link>
                <guid>https://www.khabarchhe.com/magazine--%E0%AA%A5%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%A5%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0/new-start-can-be-done-at-any-age-in-life/article-170075</guid>
                <pubDate>Thu, 22 Jun 2017 14:03:05 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[Dr. Risshi D. Bhatt]]></dc:creator>
                            </item>
            <item>
                <title>હકાર વિના સાહસ નહીં</title>
                                    <description><![CDATA[<p>
</p><p>જીવનમાં વિચારની સાથે હકારનું હોવું પણ મહત્ત્વનું છે. જો વિચારમાં હકારનો અભાવ હશે તો એને વિચાર નહીં, પણ વિકાર કહેવાય. વળી, હકારનું હોવું માત્ર વિચારમાં જ નહીં, પણ જીવનમાં પણ સતત હકારનું હોવું જરૂરી છે. કારણ કે, હકારાત્મક્તા જ આપણને શક્તિ અને સામર્થ્ય પણ પ્રદાન કરે છે અને ઘણા વિઘ્નોમાંથી હેમખેમ પસાર થઈ જવાની આપણને હામ પૂરી પાડે છે. આ બાબત સમજવી હોય તો એક વાર્તા સમજવી પડે. એક નાના શહેરનો યુવાન ઘણી આવડત ધરાવતો અને એનામાં નવું નવું શીખવા સમજવાની ધગશ પણ ખરી. બીજાને જોઈને અથવા ખૂબ વાંચીને એ નવું નવું શીખતો રહે અને એની જાણકારીમાં વધારો કરતો રહે.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p>
</p><p>જીવનમાં વિચારની સાથે હકારનું હોવું પણ મહત્ત્વનું છે. જો વિચારમાં હકારનો અભાવ હશે તો એને વિચાર નહીં, પણ વિકાર કહેવાય. વળી, હકારનું હોવું માત્ર વિચારમાં જ નહીં, પણ જીવનમાં પણ સતત હકારનું હોવું જરૂરી છે. કારણ કે, હકારાત્મક્તા જ આપણને શક્તિ અને સામર્થ્ય પણ પ્રદાન કરે છે અને ઘણા વિઘ્નોમાંથી હેમખેમ પસાર થઈ જવાની આપણને હામ પૂરી પાડે છે. આ બાબત સમજવી હોય તો એક વાર્તા સમજવી પડે. એક નાના શહેરનો યુવાન ઘણી આવડત ધરાવતો અને એનામાં નવું નવું શીખવા સમજવાની ધગશ પણ ખરી. બીજાને જોઈને અથવા ખૂબ વાંચીને એ નવું નવું શીખતો રહે અને એની જાણકારીમાં વધારો કરતો રહે.</p>
<p>જોકે એ યુવાનની એક બહુ મોટી તકલીફ હતી કે, એ દરેક બાબતમાં થોડું નકારાત્મક વલણ ધરાવતો અને એના માર્ગમાં કોઈ બાબત આવે તો એ ઝડપથી સ્વીકારી પણ નહીં શકતો. એવામાં એ યુવાનને એના જ શહેરની એક પ્રાઈવેટ બેન્કમાં નોકરી મળી. કોઈ પણ જાતની ઓળખાણ કે લાગવગ વિના એણે માત્ર પોતાની આવડતના હિસાબે એ નોકરી લીધી હતી. ઈન્ટરવ્યૂ આપતી વખતે કે લેખિત પરીક્ષા આપતી વખતે સતત એના મનમાં એવા વિચારો રમ્યાં કરતા કે, આવી નોકરી મારા જેવા યુવાનને નહીં જ મળી શકે. અથવા હું ઈન્ટરવ્યૂ આપવા જઈશ ત્યારે ઈન્ટરવ્યૂ લેનાર મને કોઈ વાતે ટોકશે તો? બીજા યુવાનો તો મારા કરતા કેટલા સ્માર્ટ અને દેખાવડા હશે. એ બધાની સામે હું તો સાવ બાઘા જેવો લાગીશ…</p>
<p>સતત આવા વિચાર કરવાને કારણે એનો આત્મવિશ્વાસ ડગી ગયો હતો. છતાંય એનામાં આવડત હતી અને વિવિધ વિષયોની જાણકારી હતી એટલે બેન્કની પરીક્ષામાં એ ખૂબ સારા માર્ક્સથી પાસ થયો અને ઈન્ટરવ્યૂ વખતે પણ એના નસીબે એને સાથ આપ્યો એટલે સ્વસ્થ રહી એ આત્મવિશ્વાસ સાથે જવાબો આપી શક્યો. એના સારા પ્રદર્શનની સામે આ વખતે એનું નકારાત્મક વલણ હારી ગયું હતું. પરંતુ આ બાબતમાંથી એણે એવો કોઈ બોધ નહોતો લીધો કે, મારી પાસે પણ ઘણું કૌશલ્ય છે અને મેં મારી આવડત કે મેરિટના હિસાબે આ નોકરી મેળવી છે. બલ્કે, દરેક બાબતને શરૂઆતમાં જ થોડી નકારાત્મક્તાથી મૂલવવાની એની વૃત્તિ એણે ચાલુ જ રાખી.</p>
<p>એના કારણે સ્થિતિ એ થઈ કે, થોડા સમય પછી જ્યારે ઑફિસમાં એની જવાબદારીઓ વધવા માંડી ત્યારે એની અડચણો વધવા માંડી. પ્રાઈવેટ ફર્મમાં મેરિટના હિસાબે નોકરી મેળવી હોય પછી પણ રોજબરોજના કામમાં જાતજાતના પડકારો તો આવતા જ હોય છે અને સાથે જ વિવિધ ટાસ્ક્સથી તમારી મૂલવણી પણ થતી હોય છે. એ યુવાનને પણ એના કામમાં અવનવા પડકારો આવવા માંડ્યા. જેટલી મહત્ત્વની જવાબદારી એટલા જ મોટા પડકાર. એની સાથેના કર્મચારીઓની સ્થિતિ પણ એવી જ. પરંતુ બીજા બધા કર્મચારીઓમાં અને એ યુવાનમાં ફરક એટલો જ હતો કે, બાકી બધા લોકો એ પડકારોને પાર્ટ ઑફ વર્ક માનીને હોંશે હોંશે સ્વીકારતા અને પડકારોની સામે પડતા, જે દરમિયાન એમની કોઈક ભૂલ પણ થાય તો એમાંથી કશુંક શીખીને આગળ વધતા. પરંતુ પેલો યુવાન તો એની સામે પડકાર આવે એવો તરત ગભરાઈ જતો અને મારાથી આ કામ નહીં જ થાય એવું વિચારીને સતત ગૂંચવાતો-ગૂંગળાતો રહેતો. એની સ્થિતિ એ હતી કે, ચાલું કામમાં કશુંક અજુગતું આવી પડે તો એ કામ પડતું મૂકીને બીજાને સોંપી દેતો અથવા એમાં અસંખ્ય ભૂલો કરતો. એવું ક્યારેય નહીં બનતું કે એ યુવાન એની સામે આવી ચડેલી પરિસ્થિતિ વિશે શાંતચિત્તે વિચાર કરતો અને એમાંથી કઈ રીતે પાર થઈ શકાય એ વિશે કોઈ વિચાર કરતો. એને તો બસ એમ જ થાય કે, એની સાથે જે થઈ રહ્યું છે એ બીજા કોઈ સાથે નથી થતું અને કુદરત માત્ર એની સામે જ આવા પડકારો ફેંકે છે.</p>
<p>આ કારણે થયું એવું કે એના કામની ગુણવત્તા સતત ઘટતી ગઈ અને એના કામને કારણે બેન્કના સ્ફાટ કે ઉપરી અધિકારીઓ ઉપરાંત કસ્ટમર્સે પણ ઘણી નુકસાની ભોગવવી પડતી. એવામાં એક દિવસ એણે અત્યંત ગંભીર ભૂલ કરી, જેને કારણે બેન્કના મેનેજરે એને ઘરનો રસ્તો બતાડી દીધો અને આખરે એણે એની નોકરીમાંથી હાથ ધોવાનો વારો આવ્યો.</p>
<p>એના કામમાં જ્યારે ભૂલો થતી અથવા એની સામે જ્યારે પડકારો આવતા ત્યારે બહુ જૂજ કિસ્સામાં એવું બનતું કે એના કોઈ સાથી કર્મચારીઓ એની મદદે આવતા. બાકી, મોટા ભાગે એની લડાઈમાં એ એકલો જ રહેતો. પણ એ તો દુનિયાનો નિયમ છે કે, આપણી લડાઈઓનો, આપણા પડકારોનો મોટેભાગે આપણે એકલાએ જ સામનો કરવાનો હોય છે. એટલે બીજાની અપેક્ષા તો આમેય નહીં રાખવાની હોય. વળી, આપણે એ બાબત પણ સમજવી રહી કે, જીવન હોય, અંગત સંબંધો હોય કે કરિયર હોય. એ બધામાં નાનીમોટી અગવડો, નાનામોટા પડકારો રહેવાના જ. અને આવું બધા સાથે જ બનતું હોય છે, માત્ર આપણી સાથે જ નહીં!</p>
<p>પરંતુ પેલા યુવાનની જેમ ઘણા લોકો એવું માની બેસતા હોય છે કે, પડકારો અને અગવડો માત્ર એમના જીવનમાં જ છે. બીજાઓના જીવનમાં તો માત્ર ને માત્ર સુખ જ છે! વળી, એ લોકો એમના કામ, જીવન કે સંબંધમાં આવેલા પડકારોને વધુ પડતી નકારાત્મક્તાથી સ્વીકારીને એવું માનતા હોય છે કે, આ તો ડેડ એન્ડ છે. અહીંથી આગળ જવાનો બીજો કોઈ રસ્તો જ નથી. પરંતુ આવે ટાણે તેઓ એવું ભૂલી જતા હોય કે, આ પડકાર તો એમના મારગમાં આવેલી નાની કાંકરી છે, જેને દૂર કરીને તેઓ ક્યાંય આગળ વધી શકે છે. જ્યારે બીજા લોકો એ પડકારોની સામે લડે છે અને અચાનક આવી પડેલી પરિસ્થિતિને હકારાત્મકતાથી સ્વીકારે છે. જેથી તેઓ જીવનની અવિરતતાને માણી શકે છે અને વિવિધ અનુભવોનું ભાથું લઈને આગળ ને આગળ વધતા રહે છે. આખરે આગળ કહ્યું એમ, પડકારો અને અગવડો તો બધાના જ જીવનમાં હોવાના પરંતુ એ અગવડો કે પડકારોને તમે હકારાત્મક રીતે કે નકારાત્મક રીતે સ્વીકારો એ વધુ મહત્ત્વનું છે. હકારાત્મકતા હશે તો સફળતા નહીં મળે તોય જીવનમાં રસ્તો તો મળી જ રહેશે અને સાથે અનુભવો મળશે એ વધારાના… પરંતુ નકારાત્મક વલણ બધા રસ્તા બંધ કરી દે છે, જેને પગલે માણસે માત્ર પસ્તાવાનો જ વારો આવે છે.</p>
<p>ચાલો તમે જ વિચારો જો પેલો યુવાન એની સામે આવેલા પડકારોને હકારાત્મક્તાથી લેતે અને એની મુશ્કેલીઓ સામે જીતવાનું તો ઠીક, માત્ર લડવાનું વલણ પણ રાખતે તો એની નોકરી ગઈ હોત ખરી? બલ્કે એની આવડત અને કામ પ્રત્યેની એની નિષ્ઠાના જોરે એ કરિયરમાં ઘણો આગળ નહીં વધી શક્યો હોત?</p>
]]></content:encoded>
                
                                                            <category>Magazine: થોડો વિચાર થોડો હકાર</category>
                                    

                <link>https://www.khabarchhe.com/magazine--%E0%AA%A5%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%A5%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0/do-not-venture-without-being-positive/article-170074</link>
                <guid>https://www.khabarchhe.com/magazine--%E0%AA%A5%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%B5%E0%AA%BF%E0%AA%9A%E0%AA%BE%E0%AA%B0-%E0%AA%A5%E0%AB%8B%E0%AA%A1%E0%AB%8B-%E0%AA%B9%E0%AA%95%E0%AA%BE%E0%AA%B0/do-not-venture-without-being-positive/article-170074</guid>
                <pubDate>Thu, 15 Jun 2017 15:37:23 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[Dr. Risshi D. Bhatt]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        