<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.khabarchhe.com/opinion/category-87378" rel="self" type="application/rss+xml" />
                <generator>Khabarchhe RSS Feed Generator</generator>
                <title>Opinion - Khabarchhe</title>
                <link>https://www.khabarchhe.com/category/87378/rss</link>
                <description>Opinion RSS Feed</description>
                
                            <item>
                <title>ભારતનો અમેરિકા-ઈરાન વચ્ચે સક્રિય મધ્યસ્થી ન કરવાનો નિર્ણય બિલકુલ યોગ્ય છે </title>
                                    <description><![CDATA[<p><strong>(ઉત્કર્ષ પટેલ)</strong></p>
<p>અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધ સંઘર્ષના સમીકરણ સંદર્ભમાં ભારત દ્વારા સક્રિય મધ્યસ્થીની ભૂમિકા ન ભજવવાનો નિર્ણય બિલકુલ યોગ્ય અને વ્યવહારુ છે. આ નિર્ણય ભારતની વિદેશનીતિ અને કૂટનીતિના મૂળ સિદ્ધાંતો સાથે બંધ બેસે છે જે દેશના આર્થિક હિતને સર્વોપરી માને છે. હાલના વૈશ્વિક વાતાવરણમાં જ્યારે ભારત વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે ત્યારે અન્ય દેશોના વિવાદોમાં પડવાને બદલે પોતાના રાષ્ટ્રહિતને પ્રાથમિકતા આપવી એ જ યોગ્ય વલણ છે. </p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/341.jpg" alt="34" width="1200" height="720" /></p>
<p>ભારતની વિદેશનીતિનો મૂળ આધાર ‘વ્યૂહાત્મક સ્વાયત્તતા’ અને ‘મલ્ટી એલાઈનમેન્ટ’ છે. આ સિદ્ધાંત હેઠળ ભારત કોઈ એક રાષ્ટ્ર શક્તિના પ્રભાવમાં આવ્યા વિના બધા પ્રમુખ દેશો સાથે સંતુલિત સંબંધો જાળવી રાખે છે.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/opinion/indias-decision-not-to-actively-mediate-between-america-and-iran/article-177361"><img src="https://www.khabarchhe.com/media/400/2026-04/321.jpg" alt=""></a><br /><p><strong>(ઉત્કર્ષ પટેલ)</strong></p>
<p>અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધ સંઘર્ષના સમીકરણ સંદર્ભમાં ભારત દ્વારા સક્રિય મધ્યસ્થીની ભૂમિકા ન ભજવવાનો નિર્ણય બિલકુલ યોગ્ય અને વ્યવહારુ છે. આ નિર્ણય ભારતની વિદેશનીતિ અને કૂટનીતિના મૂળ સિદ્ધાંતો સાથે બંધ બેસે છે જે દેશના આર્થિક હિતને સર્વોપરી માને છે. હાલના વૈશ્વિક વાતાવરણમાં જ્યારે ભારત વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે ત્યારે અન્ય દેશોના વિવાદોમાં પડવાને બદલે પોતાના રાષ્ટ્રહિતને પ્રાથમિકતા આપવી એ જ યોગ્ય વલણ છે. </p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/341.jpg" alt="34" width="1280" height="720"></img></p>
<p>ભારતની વિદેશનીતિનો મૂળ આધાર ‘વ્યૂહાત્મક સ્વાયત્તતા’ અને ‘મલ્ટી એલાઈનમેન્ટ’ છે. આ સિદ્ધાંત હેઠળ ભારત કોઈ એક રાષ્ટ્ર શક્તિના પ્રભાવમાં આવ્યા વિના બધા પ્રમુખ દેશો સાથે સંતુલિત સંબંધો જાળવી રાખે છે. અમેરિકા સાથેના આપણા દેશના સંબંધો આજે વિવિધ વેપારમાં ખાસ કરીને ટેક્નોલોજી અને સુરક્ષા ક્ષેત્રે અભૂતપૂર્વ છે. 2025-26ના આંકડા મુજબ અમેરિકા સાથેનો ભારતનો વેપાર 190 અબજ ડોલરથી વધુ છે અને તેમાં IT સેવાઓ, ફાર્મા અને ઊર્જા ક્ષેત્રનું મોટું યોગદાન છે. બીજા પક્ષે ઈરાન સાથે પણ ઊર્જા સંદર્ભે અગત્યના વ્યાપારિક સંબંધો ભારત ધરાવે છે. ચાબહાર પોર્ટ પ્રોજેક્ટ દ્વારા ભારતને મધ્ય એશિયા અને અફઘાનિસ્તાન સુધી માર્ગ મળે છે જે ભારતની આયાત નિકાસને સરળ બનાવે છે. જો ભારતે અમેરિકા ઈરાન વિવાદમાં સક્રિય મધ્યસ્થી કરી હોત તો આ બંને સંબંધોમાં તિરાડ પડી શકે તેમ હતું. તટસ્થ રહેવાથી ભારતે પોતાની આર્થિક અને વ્યાપારિક સ્થિરતા જાળવી રાખી છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/351.jpg" alt="35" width="1280" height="720"></img></p>
<p>દેશ જ્યારે પ્રગતિની દિશામાં આગળ વધી રહ્યો હોય ત્યારે વિદેશી વિવાદોમાં પડવું એ આત્મહત્યા સમાન છે. વર્તમાન સરકાર સમયે ભારતનું અર્થતંત્ર વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. GDP વૃદ્ધિ દર 7 ટકાથી વધુ છે, વિદેશી રોકાણો (FDI) આવી રહ્યા છે અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર ‘મેક ઈન ઈન્ડિયા’ દ્વારા મજબૂત બની રહ્યું છે. આવી સ્થિતિમાં અન્ય દેશોના રાજકીય અથવા યુદ્ધોના વિવાદોમાં સક્રિય થવાથી દેશના આર્થિક લક્ષ્યો પર અસર પડે. કોઈનો પક્ષ લેવો અને બીજનો પક્ષ ન લેવાથી સીધી તેલની આયાત પર અસર પડે જે મોંઘવારી વધારે અને ઉદ્યોગોને નુકસાન પહોંચાડે. તેથી ‘આપણું હિત જાળવીએ’નું વલણ બિલકુલ સાચું છે. આ વલણે ભારતને યુક્રેન રશિયા સંકટમાં પણ તટસ્થ રાખ્યું હતું અને તેલની સસ્તી આયાત દ્વારા અર્થતંત્રને લાભ થયો હતો.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/331.jpg" alt="33" width="1280" height="720"></img></p>
<p>વૈશ્વિક શાંતિ અને માનવતાના હિતમાં કાર્ય કરવું એ ભારતની રાષ્ટ્રનીતિનો અનિવાર્ય ભાગ છે. આ નીતિ લાંબા ગાળે દેશને લાભકારી નીવડશે. ભારતે વૈશ્વિક સ્તરે ‘વસુધૈવ કુટુંબકમ્’ના સિદ્ધાંતને અનુસરીને જ G20 માં વિકાસશીલ દેશોના હિતની વાત કરી હતી. આવી નીતિને કારણે ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માન મળ્યું છે અને વેપાર તેમજ રોકાણના નવા દરવાજા ખુલ્યા છે. વૈશ્વિક શાંતિના પ્રયાસોમાં સક્રિય ભાગ લેવો, પરંતુ વિવાદના પક્ષકાર ન બનવું આ જ આદર્શ વલણ છે જે ભારતને આર્થિક રીતે મજબૂત બનાવશે. </p>
<p>વિશેષ કરીને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વિશ્વના નેતાઓ વચ્ચેની સ્વીકૃતિ આ સમીકરણમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. વિશ્વના અનેક નેતાઓ સાથેના તેમના વ્યક્તિગત સંબંધોને કારણે ભારતને ક્વાડ, I2U2, IMEC જેવા વ્યૂહાત્મક મંચો પર અગ્રેસર સ્થાન મળ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ સાથેની વાતચીતથી ટેક્નોલોજી ટ્રાન્સફર અને રોકાણ વધ્યાં છે જ્યારે મધ્ય પૂર્વના દેશો સાથેના સંબંધોએ ઊર્જા અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે નવી તકો ઊભી કરી છે. પીએમ મોદીની આ કૂટનીતિને કારણે ભારત આજે કોઈ એક પક્ષનો ગુલામ નથી પરંતુ સ્વતંત્ર અને મજબૂત ભાગીદાર છે. </p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/361.jpg" alt="36" width="1280" height="720"></img></p>
<p>એટલું ચોક્કસ  કહી શકાય કે અમેરિકા ઈરાન સંદર્ભે ભારતની તટસ્થતા કોઈ નબળાઈ નથી પરંતુ તેની વિદેશનીતિની પરિપક્વતા છે. આ નીતિ દેશને આર્થિક પ્રગતિના લક્ષ્ય માટે અડીખમ રાખે છે, વૈશ્વિક શાંતિમાં નોંધનીય યોગદાન આપે છે અને માનવતાના હિતને સાચવે છે. જ્યારે ભારત 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આવી વ્યવહારુ અને હિતલક્ષી વિદેશનીતિ જ દેશને સફળતાની ટોચે પહોંચાડશે. આ જ વલણ ભારતને વિશ્વમંચ પર માન સન્માન અને આર્થિક સમૃદ્ધિ પણ આપશે.</p>
<p><em><span lang="gu" xml:lang="gu">(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ</span>, <span lang="gu" xml:lang="gu">સમાજસેવક અને </span>khabarchhe.com<span lang="gu" xml:lang="gu">ના સંસ્થાપક છે.)</span></em></p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Opinion</category>
                                    

                <link>https://www.khabarchhe.com/opinion/indias-decision-not-to-actively-mediate-between-america-and-iran/article-177361</link>
                <guid>https://www.khabarchhe.com/opinion/indias-decision-not-to-actively-mediate-between-america-and-iran/article-177361</guid>
                <pubDate>Mon, 13 Apr 2026 13:14:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-04/321.jpg"                         length="83057"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dharmesh Kalsariya]]></dc:creator>
                            </item>
            <item>
                <title>દ.ગુજરાતના કાંઠા વિસ્તારમાં રાજાભાઈ પટેલની મતદારો ખોટ અનુભવી રહ્યા છે</title>
                                    <description><![CDATA[<p><strong>(<span lang="gu" xml:lang="gu">ઉત્કર્ષ પટેલ</span>)</strong></p>
<p><span lang="gu" xml:lang="gu">રાજાભાઈ પટેલ જેમને લોકપ્રિય રીતે રાજાભાઈ કે રાજા પટેલ તરીકે ઓળખવામાં આવતા હતા. જેમનો જન્મ 1 જૂન 1955ના રોજ સુરત જિલ્લાના સુલતાનાબાદમાં થયો હતો. તેમનું વ્યક્તિત્વ અત્યંત સરળ</span>, <span lang="gu" xml:lang="gu">વિનમ્ર અને કાર્યપ્રધાન હતું. તેઓ ગ્રાસરૂટ લેવલથી રાજકારણમાં આવ્યા હતા અને ક્યારેય લોકોની સમસ્યાઓથી અજાણ નહોતા રહ્યા. તેમની વાતચીતમાં સૌની સાથે લાગણી અને વિશ્વાસ જણાતો જેના કારણે કાંઠા વિસ્તારના લોકો તેમને પોતાનો માણસ માનતા હતા. 5 ઓગસ્ટ 2015ના રોજ તેમનું અવસાન થયું ત્યારે આખા કાંઠા વિસ્તારમાં શોકની લહેર ફેલાઈ ગઈ હતી. તેમના અવસાને માત્ર એક પરિવારને જ નહીં પરંતુ કોળી સમાજ અને કાંઠાના મતદારોને ભારે ખોટની અનુભૂતિ</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/opinion/voters-in-the-coastal-areas-of-south-gujarat-are-feeling-the-loss-of-rajabhai-patel/article-177289"><img src="https://www.khabarchhe.com/media/400/2026-04/0118.jpg" alt=""></a><br /><p><strong>(<span lang="gu" xml:lang="gu">ઉત્કર્ષ પટેલ</span>)</strong></p>
<p><span lang="gu" xml:lang="gu">રાજાભાઈ પટેલ જેમને લોકપ્રિય રીતે રાજાભાઈ કે રાજા પટેલ તરીકે ઓળખવામાં આવતા હતા. જેમનો જન્મ 1 જૂન 1955ના રોજ સુરત જિલ્લાના સુલતાનાબાદમાં થયો હતો. તેમનું વ્યક્તિત્વ અત્યંત સરળ</span>, <span lang="gu" xml:lang="gu">વિનમ્ર અને કાર્યપ્રધાન હતું. તેઓ ગ્રાસરૂટ લેવલથી રાજકારણમાં આવ્યા હતા અને ક્યારેય લોકોની સમસ્યાઓથી અજાણ નહોતા રહ્યા. તેમની વાતચીતમાં સૌની સાથે લાગણી અને વિશ્વાસ જણાતો જેના કારણે કાંઠા વિસ્તારના લોકો તેમને પોતાનો માણસ માનતા હતા. 5 ઓગસ્ટ 2015ના રોજ તેમનું અવસાન થયું ત્યારે આખા કાંઠા વિસ્તારમાં શોકની લહેર ફેલાઈ ગઈ હતી. તેમના અવસાને માત્ર એક પરિવારને જ નહીં પરંતુ કોળી સમાજ અને કાંઠાના મતદારોને ભારે ખોટની અનુભૂતિ કરાવી. </span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/0216.jpg" alt="02" width="1280" height="720"></img></p>
<p><span lang="gu" xml:lang="gu">આજે દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારમાં રાજાભાઈ પટેલની ગેરહાજરી મતદારોને અનુભવાઈ રહી છે. ચોર્યાસી વિધાનસભા ક્ષેત્રના લોકો માટે તેઓ માત્ર એક નેતા નહોતા પરંતુ પરિવારના સભ્ય હતા. તેમનું સરળ વ્યક્તિત્વ અને અથાગ મહેનતે કાંઠા વિસ્તારને એક નવી ઓળખ આપી હતી. આજે પણ તેમના અવસાન પછી લગભગ એક દાયકો વીતી ગયો હોવા છતાં તેમના કાર્યોનો પ્રભાવ જીવંત છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">1990થી 2000 સુધી તેઓ સુલતાનાબાદના સરપંચ તરીકે કાર્યરત રહ્યા અને ગામના વિકાસમાં અગ્રેસર ભૂમિકા ભજવી. 2000માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ચોર્યાસી તાલુકા પંચાયતના સભ્ય તરીકે સેવા આપી. તાલુકા પંચાયતની કાર્યકારી સમિતિના પ્રમુખ તરીકે 8 વર્ષ અને બાંધકામ સમિતિના પ્રમુખ તરીકે પણ તેમણે અમૂલ્ય યોગદાન આપ્યું. 2012ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ચોર્યાસી વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે જીત્યા અને ધારાસભ્ય બન્યા. તેમની રાજકીય સફર ગ્રામ પંચાયતથી વિધાનસભા સુધીની હતી જે સેવા અને સમર્પણનું ઉદાહરણ છે.</span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/0315.jpg" alt="03" width="702" height="805"></img></p>
<p><span lang="gu" xml:lang="gu">ધારાસભ્ય તરીકે તેમની સક્રિય કામગીરી અદ્ભુત હતી. કાંઠા વિસ્તારના વિકાસ માટે તેઓ દિવસ રાત કામ કરતા. રસ્તા</span>, <span lang="gu" xml:lang="gu">પાણી</span>, <span lang="gu" xml:lang="gu">વીજળી</span>, <span lang="gu" xml:lang="gu">શિક્ષણ અને આરોગ્ય જેવા મુદ્દાઓ પર તેમણે અવિરત પ્રયાસો કર્યા. લોકોની સમસ્યાઓને તેઓ પોતાની સમસ્યા માનતા અને તેનું નિરાકરણ લાવવા માટે ક્યારેય પાછળ નહોતા હટતા. તેમની કામગીરીથી ચોર્યાસી અને આસપાસના વિસ્તારોમાં અનેક વિકાસ કાર્યો પૂર્ણ થયા જે આજે પણ લોકો યાદ કરે છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">કોળી સમાજ માટે તેમનું સમર્પણ નોંધનીય  હતું. કાંઠા વિસ્તારમાં કોળી સમાજના આગેવાન તરીકે તેઓ સમાજના ઉત્થાન માટે સતત કાર્યરત રહ્યા. સમાજના યુવાનોને શિક્ષણ</span>, <span lang="gu" xml:lang="gu">રોજગાર અને સામાજિક સુધારણા તરફ પ્રેરિત કરવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી. તેમના કારણે કોળી સમાજને રાજકીય અને સામાજિક ક્ષેત્રે નવી સિદ્ધિઓ મળી. તેઓ સમાજના દરેક વ્યક્તિ સાથે વ્યક્તિગત સંપર્ક રાખતા અને તેમની મુશ્કેલીઓનું નિરાકરણ  કરવા પ્રયત્નશીલ રહેતા.</span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/0118.jpg" alt="01" width="1280" height="720"></img></p>
<p><span lang="gu" xml:lang="gu">આજે તેમના દીકરી ઝંખનાબેન પટેલ પિતાના સેવાના વારસાને આગળ વધારી રહ્યા છે. તેઓ પિતાના નેતૃત્વ અને સમર્પણની પરંપરા જાળવીને સમાજસેવામાં કાર્યરત છે. 2016ની પેટાચૂંટણીમાં તેઓ ચોર્યાસી બેઠક પરથી ધારાસભ્ય ચૂંટાયા હતા અને ત્યારથી સતત સેવાકાર્યમાં જોડાયેલા છે. ઝંખનાબેન તેમના પિતાની જેમ સમાજના કલ્યાણ માટે કામ કરી રહ્યા છે અને કાંઠા વિસ્તારના લોકો માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">રાજાભાઈ પટેલનું જીવન સેવા</span>, <span lang="gu" xml:lang="gu">સમર્પણ અને નેતૃત્વનું પ્રતીક હતું. તેમના અવસાને કાંઠા વિસ્તારને એક પ્રજાની તકલીફ સમજનારા નેતાની ખોટ ઊભી કરી છે. રાજાભાઈ જેવા નેતાઓની કાર્યશૈલી આપણને યાદ અપાવે છે કે સાચી રાજકીય સેવા લોકોના હૃદયમાં વસે છે.</span></p>
<p><em><span lang="gu" xml:lang="gu">(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ</span>, <span lang="gu" xml:lang="gu">સમાજસેવક અને </span>khabarchhe.com<span lang="gu" xml:lang="gu">ના સંસ્થાપક છે.)</span></em></p>]]></content:encoded>
                
                                                            <category>Opinion</category>
                                    

                <link>https://www.khabarchhe.com/opinion/voters-in-the-coastal-areas-of-south-gujarat-are-feeling-the-loss-of-rajabhai-patel/article-177289</link>
                <guid>https://www.khabarchhe.com/opinion/voters-in-the-coastal-areas-of-south-gujarat-are-feeling-the-loss-of-rajabhai-patel/article-177289</guid>
                <pubDate>Thu, 09 Apr 2026 15:38:11 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-04/0118.jpg"                         length="945973"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>દિલીપભાઈ દેશમુખ: યુવાઓ માટેનું પ્રેરણાનું ઝરણું</title>
                                    <description><![CDATA[<p><strong><span lang="gu" xml:lang="gu">(ઉત્કર્ષ પટેલ)</span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">આજના યુવાનોના જીવનમાં પ્રેરણાની તરસ હોય છે. કોઈક એવી વ્યક્તિ જોઈએ જે કહે કે</span>, “<span lang="gu" xml:lang="gu">સેવા કરવાથી જ જીવન સાર્થક બને.” આવી જ એક પ્રેરણાદાયી વ્યક્તિ છે દિલીપભાઈ દેશમુખ. તેમનું જીવન યુવાનો માટે એક ખુલ્લું પુસ્તક છે જેમાંથી શીખવાનું ઘણું છે અને અનુસરવાનું વધુ.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">દિલીપભાઈની યાત્રા સામાન્ય સ્વયંસેવક તરીકે શરૂ થઈ હતી. આરએસએસના પ્રચારક તરીકે તેમણે પોતાનું આખું જીવન સમર્પિત કર્યું. ઘર</span>, <span lang="gu" xml:lang="gu">કુટુંબ અને વ્યક્તિગત સુખને પાછળ મૂકીને તેઓ સતત સમાજની સેવામાં જોડાયા. આ યાત્રા કોઈ સરળ માર્ગ નહોતો. તેમાં ત્યાગ</span>, <span lang="gu" xml:lang="gu">સંઘર્ષ અને અવિરત પ્રતિબદ્ધતા હતી. પરંતુ તેમણે ક્યારેય પાછું વળીને જોયું નહીં. તેમના આ</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/opinion/dilipbhai-deshmukh-is-a-fountain-of-inspiration-for-the-youth/article-177288"><img src="https://www.khabarchhe.com/media/400/2026-04/0117.jpg" alt=""></a><br /><p><strong><span lang="gu" xml:lang="gu">(ઉત્કર્ષ પટેલ)</span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">આજના યુવાનોના જીવનમાં પ્રેરણાની તરસ હોય છે. કોઈક એવી વ્યક્તિ જોઈએ જે કહે કે</span>, “<span lang="gu" xml:lang="gu">સેવા કરવાથી જ જીવન સાર્થક બને.” આવી જ એક પ્રેરણાદાયી વ્યક્તિ છે દિલીપભાઈ દેશમુખ. તેમનું જીવન યુવાનો માટે એક ખુલ્લું પુસ્તક છે જેમાંથી શીખવાનું ઘણું છે અને અનુસરવાનું વધુ.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">દિલીપભાઈની યાત્રા સામાન્ય સ્વયંસેવક તરીકે શરૂ થઈ હતી. આરએસએસના પ્રચારક તરીકે તેમણે પોતાનું આખું જીવન સમર્પિત કર્યું. ઘર</span>, <span lang="gu" xml:lang="gu">કુટુંબ અને વ્યક્તિગત સુખને પાછળ મૂકીને તેઓ સતત સમાજની સેવામાં જોડાયા. આ યાત્રા કોઈ સરળ માર્ગ નહોતો. તેમાં ત્યાગ</span>, <span lang="gu" xml:lang="gu">સંઘર્ષ અને અવિરત પ્રતિબદ્ધતા હતી. પરંતુ તેમણે ક્યારેય પાછું વળીને જોયું નહીં. તેમના આ પગલાએ અનેક યુવાનોને પ્રભાવિત કર્યા અને તેઓ પણ સેવાના માર્ગે આગળ વધ્યા અને આજે વિવિધ ક્ષેત્રોમાં સફળ નેતૃત્વ પણ કરી રહ્યા છે. </span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/0117.jpg" alt="01" width="1280" height="720"></img></p>
<p>2001<span lang="gu" xml:lang="gu">ના કચ્છના વિનાશકારી ભૂકંપ વખતે દિલીપભાઈનું યોગદાન ક્યારેય ભૂલી શકાય એમ નથી. જ્યારે ભૂકંપગ્રસ્ત વિસ્તાર માત્ર દુઃખ અને અંધારાથી ભરાઈ ગયો હતો ત્યારે તેઓ સીધા ક્ષેત્રમાં પહોંચી ગયા હતા. લોકોની મદદ કરવી</span>, <span lang="gu" xml:lang="gu">ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા</span>, <span lang="gu" xml:lang="gu">રાહત સામગ્રી વહેંચવી અને લોકોમાં આશાનું કિરણ જગાડવું આ બધું તેમણે અવિરતપણે કર્યું. તેમના આ કાર્યે કચ્છના લોકોના હૃદયમાં તેમના માટે કાયમી સ્થાન મેળવી લીધું. આ ઘટનાએ એક વાત સ્પષ્ટ કરી  કે સંકટના સમયે સેવા જ સાચો માર્ગ છે.</span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/0215.jpg" alt="02" width="1280" height="720"></img></p>
<p><span lang="gu" xml:lang="gu">દિલીપભાઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિકટવર્તી પણ રહ્યા. આ સંબંધ માત્ર વ્યક્તિગત નથી પરંતુ વિચાર અને કર્મનો સંબંધ છે. બંને વચ્ચે સેવા અને રાષ્ટ્રનિર્માણની સમાન ભાવના રહી. દિલીપભાઈની સૌથી મોટી ખાસિયત છે યુવાનોને સેવાના માર્ગે લઈ જવાની. તેઓ ઘણા યુવાનોના હાથ પકડીને તેમને સેવાની દિશામાં માર્ગદર્શન આપે છે. માત્ર પ્રવચન આપીને નહીં પરંતુ પોતાના જીવનથી ઉદાહરણ પૂરું પાડીને. યુવાનો જ્યારે તેમની પાસે આવે છે ત્યારે તેઓ તેમને સમજાવે છે કે “સેવા એ કોઈ કામ નથી તે જીવનનો અભિન્ન ભાગ છે.” </span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/0314.jpg" alt="03" width="1280" height="720"></img></p>
<p><span lang="gu" xml:lang="gu">એક સમયે એમના જીવનમાં પણ કપરો સમય આવ્યો. વર્ષ </span>2020<span lang="gu" xml:lang="gu">ના ૧૦ જુલાઈએ અમદાવાદના </span>0<span lang="gu" xml:lang="gu">ઇન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટર (</span>IKDRC)<span lang="gu" xml:lang="gu">માં તેમનું લીવર ટ્રાન્સપ્લાન્ટ થયું. અંગદાનમાંથી મળેલા લીવરથી તેમની તબિયત સુધરી અને તેઓ નવું જીવન પામ્યા. આ સર્જરી પછી તેઓ અંગદાન જાગૃતિના પૂર્ણ સમયના સક્રિય સેવક બની ગયા. “અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ” દ્વારા તેઓ સમગ્ર ગુજરાતમાં જાગૃતિ ફેલાવે છે અને યુવાનોને સમજાવે છે કે મૃત્યુ પછી પણ શરીરના અવયવો બીજાને જીવન આપી શકે છે. તેમના આ અનુભવે યુવાનોને શીખવ્યું કે સંઘર્ષને પણ સેવામાં ફેરવી શકાય છે.</span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/071.jpg" alt="07" width="1280" height="720"></img></p>
<p><span lang="gu" xml:lang="gu">આજે વર્ષ </span>2026<span lang="gu" xml:lang="gu">માં પણ દિલીપભાઈનું જીવન અવિરત સેવામય છે. કોઈ વિરામ નથી</span>, <span lang="gu" xml:lang="gu">કોઈ અપેક્ષા નથી માત્ર સેવા અને સેવા. આજે જ્યારે યુવાનો મોબાઈલ</span>, <span lang="gu" xml:lang="gu">ધન સંપદા અને વ્યક્તિગત મહત્વકાંક્ષાઓમાં ખોવાઈ જાય છે ત્યારે તેમનું જીવન એક જ્યોતિપુંજ બની રહે છે. તેઓ કહે છે કે “સેવા કરવાથી જ માણસ સાચા અર્થમાં જીવે છે.”</span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/061.jpg" alt="06" width="1280" height="720"></img></p>
<p><span lang="gu" xml:lang="gu">દિલીપભાઈ દેશમુખ જેવા વ્યક્તિત્વ આપણને સ્મરણ કરાવે છે કે જીવનનો સાચો અર્થ સેવામાં છે. યુવાનો માટે તેઓ પ્રેરણાનું ઝરણું છે. કોઈ પણ તેમના જીવનને નજીકથી જોશે તો જાણશે કે  આજે પણ આ દેશમાં સેવાભાવી લોકો છે જેમનાથી આપણે ઘણું શીખી શકીએ. દિલીપભાઈનું જીવન એક જ વાત કહે છે... સેવા કરો</span>, <span lang="gu" xml:lang="gu">સેવા કરતા રહો અને જીવનને સાર્થક બનાવો.</span></p>
<p><em><span lang="gu" xml:lang="gu">(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)</span></em></p>]]></content:encoded>
                
                                                            <category>Opinion</category>
                                    

                <link>https://www.khabarchhe.com/opinion/dilipbhai-deshmukh-is-a-fountain-of-inspiration-for-the-youth/article-177288</link>
                <guid>https://www.khabarchhe.com/opinion/dilipbhai-deshmukh-is-a-fountain-of-inspiration-for-the-youth/article-177288</guid>
                <pubDate>Thu, 09 Apr 2026 12:34:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-04/0117.jpg"                         length="951584"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>વૈશ્વિક અસ્થિરતા વચ્ચે આપણે ચૂંટેલી સરકારને સમજવાનો સમય આવી ગયો છે</title>
                                    <description><![CDATA[<p><strong>(ઉત્કર્ષ પટેલ)</strong></p>
<p>વૈશ્વિક યુદ્ધોના અસ્થિર સમીકરણો અને એ અસ્થિરતાને લીધે વેપાર પર થતી અસરો દુનિયાના દરેક દેશોમાં અસ્થિરતા અને અવ્યવસ્થાઓ લાવી રહી છે ત્યારે આપણો દેશ ભારત પણ આ અસ્થિર સમીકરણોમાંથી પસાર થઈ રહ્યો છે. દેશના દરેક નાગરિકના જીવનધોરણ પર એની વિપરીત અસરો પણ થઈ રહી છે. </p>
<p>અમેરિકા ઇઝરાયલના ઈરાન સાથેના યુદ્ધની અસર આપના દેશના અર્થતંત્ર પર્ણપણ વર્તાઈ રહી છે. આ સંજોગોમાં આપણે આપણા દેશની સરકાર અને નેતૃત્વને સભાનતા પૂર્વક સાથ આપવો જોઈશે કેમ કે આખરે તો આપણેજ મત  આપીને સરકાર બનાવીએ છીએ. એ વાત ચોક્કસ કહેવી રહી કે હાલના વૈશ્વિક અસ્થિરતાના સમીકરણોમાં આપણા દેશની સરકાર અન્ય દેશોની સરકાર કરતા</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/opinion/amid-global-instability-it-is-time-to-understand-the-government/article-177251"><img src="https://www.khabarchhe.com/media/400/2026-04/310.jpg" alt=""></a><br /><p><strong>(ઉત્કર્ષ પટેલ)</strong></p>
<p>વૈશ્વિક યુદ્ધોના અસ્થિર સમીકરણો અને એ અસ્થિરતાને લીધે વેપાર પર થતી અસરો દુનિયાના દરેક દેશોમાં અસ્થિરતા અને અવ્યવસ્થાઓ લાવી રહી છે ત્યારે આપણો દેશ ભારત પણ આ અસ્થિર સમીકરણોમાંથી પસાર થઈ રહ્યો છે. દેશના દરેક નાગરિકના જીવનધોરણ પર એની વિપરીત અસરો પણ થઈ રહી છે. </p>
<p>અમેરિકા ઇઝરાયલના ઈરાન સાથેના યુદ્ધની અસર આપના દેશના અર્થતંત્ર પર્ણપણ વર્તાઈ રહી છે. આ સંજોગોમાં આપણે આપણા દેશની સરકાર અને નેતૃત્વને સભાનતા પૂર્વક સાથ આપવો જોઈશે કેમ કે આખરે તો આપણેજ મત  આપીને સરકાર બનાવીએ છીએ. એ વાત ચોક્કસ કહેવી રહી કે હાલના વૈશ્વિક અસ્થિરતાના સમીકરણોમાં આપણા દેશની સરકાર અન્ય દેશોની સરકાર કરતા સારું કરી રહી છે. </p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/510.jpg" alt="5" width="1280" height="720"></img></p>
<p>અહીં આપણે કોઈની વાહવાહી કે નીંદાની ચર્ચા નથી કરી રહ્યા પણ હાલના વાસ્તવિક સમીકરણો પર દેશહિતની સમજ કેળવવાનો પ્રયાસ કરીશું. </p>
<p>આપણા દેશના PM નરેન્દ્રભાઈ મોદીના વિશ્વભરના શીર્ષસ્થ નેતૃત્વ સાથેના મૈત્રીપૂર્ણ સંબંધોનો આપણને લાભ મળી રહ્યો છે જેના કારણે વૈશ્વિક વેપારોના સમીકરણોનું સંતુલન જાળવવાનો ભારત સરકાર પૂરો પ્રયત્ન કરી રહી છે અને પરિણામ પણ દેશહિતમાં મળી રહ્યા છે. સાથે સાથે કેટલાક વિષયોમાં તાત્કાલિક ધાર્યા પરિણામો મેળવવામાં પૂર્ણ સફળતા ના મળે તો સરકાર નિંદાનો ભોગ પણ બની રહી છે એ પાસું પણ છે. </p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/410.jpg" alt="4" width="1280" height="720"></img></p>
<p>લોકશાહીમાં નાગરિકોનો અવાજ તો બુલંદ હોવો જ જોઈએ. પરંતુ જ્યારે વૈશ્વિક સ્થિતિ બગડી હોય ત્યારે આપણે આપણા દેશની સરકાર જે નિર્ણયો લે તેમાં સાથ આપવો જોઈએ જેથી આંતરિક સ્થિતિઓ સમીકરણો એકજૂટ રહે અને સરકાર વૈશ્વિક વેપારો અને સંબંધોના સમીકરણો પર ધ્યાન આપી શકે. </p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/210.jpg" alt="2" width="1280" height="720"></img></p>
<p>વિકટ સમયમાં દેશહિતનું ચિંતન એટલે વ્યક્તિગત અને રાજકિય પક્ષો માટેના અંગત અભિપ્રાયને થોડા સમય માટે બાજુપર મૂકીને એકતાને પ્રાથમિકતા આપવી. વૈશ્વિક યુદ્ધોની અસરોને કારણે જે અનિશ્ચિતતા ઊભી થઈ છે તેમાં ભારત જેવા વિકસતા દેશને માત્ર મજબૂત આંતરિક એકતાથી જ આગળ વધારી શકાશે. આ એકતા જ ભારતને વિશ્વના અસ્થિર મંચ પર વધુ આત્મવિશ્વાસપૂર્વક ઊભું રાખશે અને દરેક નાગરિકના જીવનમાં સ્થિરતા લાવશે.</p>
<p><em>(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)</em></p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Opinion</category>
                                    

                <link>https://www.khabarchhe.com/opinion/amid-global-instability-it-is-time-to-understand-the-government/article-177251</link>
                <guid>https://www.khabarchhe.com/opinion/amid-global-instability-it-is-time-to-understand-the-government/article-177251</guid>
                <pubDate>Tue, 07 Apr 2026 13:00:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-04/310.jpg"                         length="101341"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dharmesh Kalsariya]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ચૂંટણી ગમે ત્યારે જાહેર થાય, ઉમેદવાર કોઈપણ હોય પણ આપણો મત તો કમળના નિશાન પર જ…</title>
                                    <description><![CDATA[<p><strong>(<span lang="gu" xml:lang="gu">ઉત્કર્ષ પટેલ)</span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની સમર્પણભાવના અને સંગઠનશક્તિ અભ્યાસ કરવા યોગ્ય છે.  “ચૂંટણી ગમે ત્યારે જાહેર થાય</span>, <span lang="gu" xml:lang="gu">ઉમેદવાર કોઈપણ હોય પણ આપણો મત તો કમળના નિશાન પર જ…” આ વાક્ય પાર્ટીના કાર્યકર્તાઓની અંતરાત્માની ભાવનાને ઉજાગર કરે છે. તેઓ માત્ર વ્યક્તિને નહીં પરંતુ પક્ષની વિચારધારા અને સંગઠનને સમર્પણભાવથી જોડાયેલા છે. </span></p>
<img src="https://www.khabarchhe.com/media/2025-08/bjp-gujarat.jpg" alt="bjp-gujarat" width="1200" height="720" />
bjp.org

<p><span lang="gu" xml:lang="gu">ભાજપના કાર્યકર્તાઓની સમર્પણભાવના અનન્ય છે. તેઓ પક્ષના માત્ર સભ્ય નથી પરંતુ પક્ષના આત્મા તરીકે કાર્ય કરે છે. ગામડાઓથી લઈને મહાનગરો સુધી લાખો કાર્યકર્તાઓ પોતાના વ્યક્તિગત કાર્ય</span>, <span lang="gu" xml:lang="gu">વ્યવસાય અને કુટુંબને પણ પાછળ મૂકીને પક્ષના કાર્યમાં જોડાય છે. ચૂંટણીના સમયે તેઓ દિવસ રાત બુથ સ્તરે કામ કરે છે.</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/opinion/no-matter-when-the-elections-are-announced--no-matter-who-the-candidate-is--our-vote-will-be-for-bjp/article-177185"><img src="https://www.khabarchhe.com/media/400/2026-04/016.jpg" alt=""></a><br /><p><strong>(<span lang="gu" xml:lang="gu">ઉત્કર્ષ પટેલ)</span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની સમર્પણભાવના અને સંગઠનશક્તિ અભ્યાસ કરવા યોગ્ય છે.  “ચૂંટણી ગમે ત્યારે જાહેર થાય</span>, <span lang="gu" xml:lang="gu">ઉમેદવાર કોઈપણ હોય પણ આપણો મત તો કમળના નિશાન પર જ…” આ વાક્ય પાર્ટીના કાર્યકર્તાઓની અંતરાત્માની ભાવનાને ઉજાગર કરે છે. તેઓ માત્ર વ્યક્તિને નહીં પરંતુ પક્ષની વિચારધારા અને સંગઠનને સમર્પણભાવથી જોડાયેલા છે. </span></p>
<img src="https://www.khabarchhe.com/media/2025-08/bjp-gujarat.jpg" alt="bjp-gujarat" width="1280" height="720"></img>
bjp.org

<p><span lang="gu" xml:lang="gu">ભાજપના કાર્યકર્તાઓની સમર્પણભાવના અનન્ય છે. તેઓ પક્ષના માત્ર સભ્ય નથી પરંતુ પક્ષના આત્મા તરીકે કાર્ય કરે છે. ગામડાઓથી લઈને મહાનગરો સુધી લાખો કાર્યકર્તાઓ પોતાના વ્યક્તિગત કાર્ય</span>, <span lang="gu" xml:lang="gu">વ્યવસાય અને કુટુંબને પણ પાછળ મૂકીને પક્ષના કાર્યમાં જોડાય છે. ચૂંટણીના સમયે તેઓ દિવસ રાત બુથ સ્તરે કામ કરે છે. મતદારોના ઘરોના દરવાજે દરવાજે જઈને મતદારો સુધી પહોંચે છે</span>, <span lang="gu" xml:lang="gu">તેમની સમસ્યાઓ પ્રશ્નો સાંભળે છે અને તેને ઉકેલવાના પ્રયાસ કરે છે. આ સમર્પણ માત્ર ચૂંટણી સુધી મર્યાદિત નથી. કોવિડ-</span>19<span lang="gu" xml:lang="gu"> જેવા સંકટકાળમાં</span>, <span lang="gu" xml:lang="gu">ભૂકંપ પૂર અને કુદરતી આપત્તિના સમયે પણ આ કાર્યકર્તાઓ સેવા કાર્યમાં અગ્રેસર રહે છે. રાહત સામગ્રી વહેંચવી</span>, <span lang="gu" xml:lang="gu">મદદ કરવી અને લોકોના હૃદયમાં વિશ્વાસની ભાવના જાળવવી આ તેમની દૈનિક પ્રવૃત્તિ છે. આવા કાર્યોને કારણે પક્ષનું ચિહ્ન ‘કમળ’ વ્યક્તિ કે ઉમેદવારથી ઉપર ઊઠીને એક વિચારધારા આ અને વિશ્વાસનું પ્રતીક બની ગયું છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-04/photo_2026-04-03_12-30-57.jpg" alt="photo_2026-04-03_12-30-57" width="1179" height="1127"></img></span></p>
<p><span lang="gu" xml:lang="gu">સંગઠનશક્તિની વાત કરીએ તો ભાજપ વિશ્વની સૌથી મોટી અને સુસંગઠિત રાજકીય પાર્ટીઓમાંની એક છે. તેનું સંગઠન ત્રણ સ્તરે વ્યાપેલું છે લ... બુથ સ્તર</span>, <span lang="gu" xml:lang="gu">મંડલ સ્તર અને જિલ્લા રાજ્ય સ્તર. દરેક બુથ પર એક ટીમ તૈયાર રહે છે જે મતદારોની યાદી</span>, <span lang="gu" xml:lang="gu">તેમની જરૂરિયાતો / પ્રશ્નો અને પ્રતિસાદને ટ્રેક કરે છે. પાર્ટીએ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સંગઠનને વધુ મજબૂત બનાવ્યું છે. ‘નમો એપ’ જેવા પ્લેટફોર્મ દ્વારા કાર્યકર્તાઓ સાથે સીધો સંપર્ક થાય છે. આ સંગઠનશક્તિને કારણે પાર્ટી કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહે છે. ચીટણીઓમાં ઉમેદવાર બદલાય તો પણ કાર્યકર્તાઓનું સમર્પણ અને તૈયારીને કારણે પાર્ટીની વોટ બેંક અકબંધ રહે છે.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2025-11/bjp1.jpg" alt="bjp1" width="1280" height="720"></img>
gujaratsamachar.com

<p><span lang="gu" xml:lang="gu">કાર્યકર્તાઓનું આ સમર્પણ અને સંગઠનશક્તિ ભાજપને વારંવાર વિજય અપાવ્યા છે. </span>2014<span lang="gu" xml:lang="gu"> અને </span>2019<span lang="gu" xml:lang="gu">ની લોકસભા ચૂંટણીમાં તેમજ વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં આ બહુમત સ્પષ્ટ દેખાઈ છે. કાર્યકર્તાઓનું ટીમવર્ક અને સેવાભાવના ને કારણે પાર્ટીનો આધાર ઘર ઘર સુધી વિસ્તર્યો છે. ગુજરાત જેવા રાજ્યમાં તો ભાજપનું સંગઠન એટલું મજબૂત છે કે દરેક નાનામોટા કાર્યક્રમમાં હજારો કાર્યકર્તાઓ સ્વયંભૂ રીતે જોડાય છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">તટસ્થ રીતે જોવા જાઈએ તો આ સફળતા પાછળ કાર્યકર્તાઓનું ઘડતર </span>, <span lang="gu" xml:lang="gu">સમર્પણ અને સતત માર્ગદર્શન છે કારણભૂત છે. પક્ષ તેમને વિચારધારાનું ઘડતર માર્ગદર્શન આપે છે જેથી તેઓ પોતાના કાર્યમાં પ્રામાણિક અને સક્રિય રહે. જો કે આ શક્તિ માત્ર એક પક્ષ  સુધી મર્યાદિત નથી... તે ભારતીય લોકતંત્રની એકતાનું પ્રતીક પણ છે. ભાજપના કાર્યકર્તાઓની આ ઉત્સાહ અને વ્યવસ્થા અન્ય પાર્ટીઓ માટે પણ પ્રેરણારૂપ છે.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-03/bjp2.jpg" alt="BJP2" width="1280" height="720"></img>
orfonline.org

<p><span lang="gu" xml:lang="gu">તારણ રૂપે કહી તો ભાજપના કાર્યકર્તાઓનું સમર્પણ અને સંગઠનશક્તિ તેમને અજોડ બનાવે છે. ભાજપની કાર્યશૈલીની તાકાત પાર્ટીને માત્ર ચૂંટણીમાં જ નહીં પરંતુ સમાજસેવામાં પણ પ્રેરણા આપે છે. આવા લાખો અજ્ઞાત કાર્યકર્તા રૂપી દેશભક્તોના પરિશ્રમને કારણે જ ‘કમળ’નું પ્રતીક લાખો લોકોના હૃદયમાં વસી ગયું છે. આ સંગઠન અને સમર્પણ ભારતીય રાજનીતિમાં દરેક રાજકીય પક્ષો</span>, <span lang="gu" xml:lang="gu">નેતાઓ અને કાર્યકર્તાઓ માટે એક આદર્શ પ્રેરણારૂપ મોડલ તરીકે કામ કરે છે.</span></p>
<p><em>(<span lang="gu" xml:lang="gu">લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ</span>, <span lang="gu" xml:lang="gu">સમાજસેવક અને </span>khabarchhe.com<span lang="gu" xml:lang="gu">ના સંસ્થાપક છે.)</span></em></p>]]></content:encoded>
                
                                                            <category>Opinion</category>
                                    

                <link>https://www.khabarchhe.com/opinion/no-matter-when-the-elections-are-announced--no-matter-who-the-candidate-is--our-vote-will-be-for-bjp/article-177185</link>
                <guid>https://www.khabarchhe.com/opinion/no-matter-when-the-elections-are-announced--no-matter-who-the-candidate-is--our-vote-will-be-for-bjp/article-177185</guid>
                <pubDate>Fri, 03 Apr 2026 12:29:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-04/016.jpg"                         length="933077"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>‘બાપુજી’ વલ્લભભાઈ સવાણી: એક વ્યક્તિ જે આખા સમાજ માટે પિતા રૂપ બન્યા</title>
                                    <description><![CDATA[<p><strong>(ઉત્કર્ષ પટેલ)</strong></p>
<p>જ્યારે કોઈ વ્યક્તિ પોતાનું જીવન માત્ર પોતાને માટે નહીં પરંતુ આખા સમાજ માટે જીવવા લાગે ત્યારે તે નામ એક વ્યક્તિથી આગળ વધીને એક સંસ્થારૂપ બની જાય છે. એવા જ એક પ્રેરણાસ્રોત છે વલ્લભભાઇ સવાણી જેમને સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ પ્રેમથી “બાપુજી” તરીકે ઓળખે છે.</p>
<p>ડાયમંડ અને રિયલ એસ્ટેટના વ્યવસાયમાં સફળતા મેળવીને તેમણે જે સંપત્તિ ઉભી કરી તે માત્ર પોતાના પરિવાર માટે નહીં પરંતુ સમાજના ભવિષ્ય માટે વાપરી અને અહીંથી શરૂ થાય છે એક અનોખી માનવસેવાની ગાથા.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/021.jpg" alt="02" width="1200" height="720" /></p>
<p>વલ્લભભાઈ સવાણીએ એક વાર કહ્યું હતું કે પોતે ઊંચું શિક્ષણ મેળવી શક્યા નહોતા પરંતુ આ અભાવને તેમણે પોતાની કમજોરી નહીં પરંતુ સમાજ માટેની</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/opinion/vallabhbhai-savani--a-man-who-became-a-father-figure-to-the-entire-society/article-177153"><img src="https://www.khabarchhe.com/media/400/2026-04/011.jpg" alt=""></a><br /><p><strong>(ઉત્કર્ષ પટેલ)</strong></p>
<p>જ્યારે કોઈ વ્યક્તિ પોતાનું જીવન માત્ર પોતાને માટે નહીં પરંતુ આખા સમાજ માટે જીવવા લાગે ત્યારે તે નામ એક વ્યક્તિથી આગળ વધીને એક સંસ્થારૂપ બની જાય છે. એવા જ એક પ્રેરણાસ્રોત છે વલ્લભભાઇ સવાણી જેમને સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ પ્રેમથી “બાપુજી” તરીકે ઓળખે છે.</p>
<p>ડાયમંડ અને રિયલ એસ્ટેટના વ્યવસાયમાં સફળતા મેળવીને તેમણે જે સંપત્તિ ઉભી કરી તે માત્ર પોતાના પરિવાર માટે નહીં પરંતુ સમાજના ભવિષ્ય માટે વાપરી અને અહીંથી શરૂ થાય છે એક અનોખી માનવસેવાની ગાથા.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/021.jpg" alt="02" width="1280" height="720"></img></p>
<p>વલ્લભભાઈ સવાણીએ એક વાર કહ્યું હતું કે પોતે ઊંચું શિક્ષણ મેળવી શક્યા નહોતા પરંતુ આ અભાવને તેમણે પોતાની કમજોરી નહીં પરંતુ સમાજ માટેની પ્રેરણાશક્તિ બનાવી દીધી. એવા સમયે જ્યારે સુરતમાં કેટલીક શાળાઓની મોનોપોલી હતી, એડમિશન મેળવવું અઘરૂં હતું ત્યારે તેમણે વરાછામાં વર્ષ 1987માં માત્ર 287 વિદ્યાર્થીઓ સાથે પી.પી. સવાણી સ્કૂલની શરૂઆત કરી.</p>
<p>આજે એ નાનું બીજ એક વટવૃક્ષ બની ગયું છે. પીપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સ હેઠળ 9 સ્કૂલ્સ ચાલે છે. વર્ષ 2017માં શરૂ કરાયેલી એક યુનિવર્સિટી ચાલે છે જેમાં 14 જેટલા ડિપાર્ટમેન્ટ્સ છે. આ બધી સંસ્થાઓમાં અત્યાર સુધીમાં અંદાજે 10 લાખ વિદ્યાર્થીઓ ભણી ગયા છે. હાલમાં પણ 10થી 15 હજાર વિદ્યાર્થીઓ ભણે છે. આ આંકડા માત્ર સંખ્યા નથી આ હજારો પરિવારોના બદલાતા ભવિષ્યની ગાથા છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/031.jpg" alt="03" width="1280" height="720"></img></p>
<p>બાપુજીનું વિઝન માત્ર શાળા કે યુનિવર્સિટી પૂરતું મર્યાદિત નથી રહ્યું. અહીં વિદ્યાર્થીઓને જીવન માટે તૈયાર કરવામાં આવે છે. ભણી ગયા પછી તેમને નોકરી મળે તે માટે જીપીએસસી અને યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તાલીમનું કેન્દ્ર 2003માં શરૂ કર્યું જ્યાંથી અનેક વિદ્યાર્થીઓ તાલીમ લઇને એસપી, કલેક્ટર, મામલતદાર કે અધિકારી બની રહ્યા છે.  </p>
<p>બાપુજીએ સમજ્યું કે શિક્ષણ જેટલું જ આરોગ્ય પણ જરૂરી છે. તેમણે હોસ્પિટલ પણ શરૂ કરી જેમાં આજ દિન સુધી લગભગ 20 લાખથી વધુ દર્દીઓએ લાભ લીધો હોવાનો અંદાજ છે. આ આંકડો બતાવે છે કે આ સેવાઓ કેટલી પોટાપાયે અને અસરકારક છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/011.jpg" alt="01" width="1280" height="720"></img></p>
<p>એક પિતારૂપ વ્યક્તિત્વ તરીકે શિક્ષણ, આરોગ્ય અને રોજગાર આપ્યા પછી લગ્ન કરાવવાનું કામ બાકી રહે છે. બાપુજીએ તેની પણ શરૂઆત સમૂહલગ્નોથી કરી. તે પણ માતાપિતા વગરની દીકરીઓના લગ્ન કરાવવાથી. તેમની પ્રેરણાથી તેમના દીકરા મહેશ સવાણીએ 5000થી વધુ દીકરીઓના લગ્ન કરાવ્યા છે. </p>
<p>વલ્લભભાઇની છાપ કેટલાક લોકો માટે બાહુબલીની છે જે સિસ્ટમની અંદરથી કામ ન થાય તો બહાર જઇને પણ કરે. પરંતુ આટલા બધા સમાજસેવાના કામોને જોતા એટલું તો સ્પષ્ટ છે કે તેમણે સિસ્ટમની બહાર જઇને પણ જે કામો કર્યા છે તેનો લાભ અંતે સમાજ સુધી પહોંચાડ્યો છે. માત્ર પોતાનું ઘર નથી ભર્યું. </p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/041.jpg" alt="04" width="1280" height="720"></img></p>
<p>વલ્લભભાઇ કહે છે કે સપના ઉગે નહીં તો વાવેલા નહીં પરંતુ દાટેલા કહેવાય. તેમણે વાવેલા સપનાઓને તો વટવૃક્ષમાં ફેરવ્યા જ છે પરંતુ તેની સાથે લાખો લોકોના સપનાઓથી એક સુંદર બગીચો બનાવ્યો છે જેમાં ખિલતા પુષ્પો અનંત સમય સુધી સુગંધ પ્રસરાવતા રહેશે.</p>
<p><em>(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)</em></p>]]></content:encoded>
                
                                                            <category>Opinion</category>
                                    

                <link>https://www.khabarchhe.com/opinion/vallabhbhai-savani--a-man-who-became-a-father-figure-to-the-entire-society/article-177153</link>
                <guid>https://www.khabarchhe.com/opinion/vallabhbhai-savani--a-man-who-became-a-father-figure-to-the-entire-society/article-177153</guid>
                <pubDate>Wed, 01 Apr 2026 13:48:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-04/011.jpg"                         length="992542"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>દેશમાં નક્સલવાદનો અંત: ગૃહમંત્રી અમિતભાઈ શાહે જે કહ્યું તે કરી બતાવ્યું! </title>
                                    <description><![CDATA[<p><strong>(ઉત્કર્ષ પટેલ)</strong></p>
<p>કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે લોકસભામાં જાહેર કર્યું કે દેશના જુદા જુદા વિસ્તારોમાંથી નક્સલવાદ લગભગ સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયો છે. 31 માર્ચ 2026ની પૂર્વ નિર્ધારિત તારીખ પહેલાં જ આ વિષયને આટોપી લેવામાં આવ્યો છે. દેશ માટે આ કોઈ સામાન્ય સિદ્ધિ નથી આ એક ઐતિહાસિક વિજય છે!</p>
<p>દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહે વારંવાર કહ્યું હતું કે “નક્સલવાદનો અંત લાવવો જ છે.” ઉપરાંત તેમણે એ વચન પૂરું કરી બતાવ્યું. કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં આદિવાસીઓની અવગણના થઈ, તેમની જમીન, પાણી અને વિકાસની અવગણના થઈ. નક્સલવાદે તેનો લાભ લઈને વિસ્તાર કર્યો. પરંતુ 2014 પછી ભાજપ સરકારે સુરક્ષા અને વિકાસનું સંયુક્ત મોડલ અપનાવ્યું. પરિણામ? નક્સલ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/opinion/the-end-of-naxalism-in-the-country-showed-what-home/article-177128"><img src="https://www.khabarchhe.com/media/400/2026-03/538.jpg" alt=""></a><br /><p><strong>(ઉત્કર્ષ પટેલ)</strong></p>
<p>કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે લોકસભામાં જાહેર કર્યું કે દેશના જુદા જુદા વિસ્તારોમાંથી નક્સલવાદ લગભગ સંપૂર્ણપણે નાબૂદ થઈ ગયો છે. 31 માર્ચ 2026ની પૂર્વ નિર્ધારિત તારીખ પહેલાં જ આ વિષયને આટોપી લેવામાં આવ્યો છે. દેશ માટે આ કોઈ સામાન્ય સિદ્ધિ નથી આ એક ઐતિહાસિક વિજય છે!</p>
<p>દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહે વારંવાર કહ્યું હતું કે “નક્સલવાદનો અંત લાવવો જ છે.” ઉપરાંત તેમણે એ વચન પૂરું કરી બતાવ્યું. કોંગ્રેસના 60 વર્ષના શાસનમાં આદિવાસીઓની અવગણના થઈ, તેમની જમીન, પાણી અને વિકાસની અવગણના થઈ. નક્સલવાદે તેનો લાભ લઈને વિસ્તાર કર્યો. પરંતુ 2014 પછી ભાજપ સરકારે સુરક્ષા અને વિકાસનું સંયુક્ત મોડલ અપનાવ્યું. પરિણામ? નક્સલ પ્રભાવિત જિલ્લાઓની સંખ્યા 125માંથી માત્ર 6 પર આવી ગઈ છે. આજે આ વિસ્તારોમાં શાંતિનો વાયરો વાઈ રહ્યો છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-03/637.jpg" alt="6" width="1280" height="720"></img></p>
<p>આ કાર્યસિદ્ધિ માત્ર કહેવા પૂરતી નથી તે આદિવાસી ભાઈ બહેનોના જીવનની સુરક્ષાની સિદ્ધિ છે. જે વિસ્તારમાં એક સમયે બંદૂકો અને બોમ્બનો અવાજ ગુંજતો હતો ત્યાં આજે રસ્તા, શાળા, હોસ્પિટલ અને વિકાસના કાર્યો ઝડપથી આગળ વધી રહ્યા છે. આદિવાસીઓને તેમના અધિકારો મળી રહ્યા છે અને તેઓ દેશના મુખ્ય પ્રવાહમાં જોડાઈ રહ્યા છે. આ એક તેવી ક્રાંતિ છે જેનાથી દેશના સૌથી પછાત વિસ્તારો પણ આત્મનિર્ભર બની રહ્યા છે અને દેશ અંત્યોદયની અનુભૂતિ કરી રહ્યો છે. </p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-03/430.jpg" alt="4" width="1280" height="720"></img></p>
<p>દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં કેન્દ્રીય ગૃહમંત્રાલયે જે સુરક્ષા દળોની વ્યૂહરચના અને વિકાસ કાર્યક્રમોનું સંકલન કર્યું તેના પરિણામ આજે સ્પષ્ટ જોવા મળે છે. આ માત્ર એક રાજ્યની વાત નથી આ સમગ્ર ભારતની સુરક્ષાની વાત છે. PM મોદીની સરકારે દેશને વચન આપ્યું હતું કે કોઈ પણ આંતરિક ખતરો ભારતની પ્રગતિને રોકી શકશે નહીં અને આજે તે વચન પણ પૂરું થઈ રહ્યું છે.</p>
<p>(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)</p>]]></content:encoded>
                
                                                            <category>Opinion</category>
                                    

                <link>https://www.khabarchhe.com/opinion/the-end-of-naxalism-in-the-country-showed-what-home/article-177128</link>
                <guid>https://www.khabarchhe.com/opinion/the-end-of-naxalism-in-the-country-showed-what-home/article-177128</guid>
                <pubDate>Tue, 31 Mar 2026 13:51:11 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-03/538.jpg"                         length="87272"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dharmesh Kalsariya]]></dc:creator>
                            </item>
            <item>
                <title>પરાવલંબન હંમેશાં ગણતરી બગાડે છે, એટલે જ આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવવી જોઈએ</title>
                                    <description><![CDATA[<p><strong>(<span lang="gu" xml:lang="gu">ઉત્કર્ષ પટેલ)</span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">પરાવલંબન એક એવી વ્યવસ્થા છે જે દેશના અર્થતંત્રની ગણતરીને હંમેશા બગાડે છે. જ્યારે કોઈ રાષ્ટ્ર વિદેશી વસ્તુઓ પર આધારિત બને છે ત્યારે તેની સ્વાયત્તતા અને સ્વાભિમાનને ફટકો પડે જ છે. આજે વિશ્વભરમાં યુદ્ધોના ભણકારા અને ભૂતકાળના કોરોના રોગચાળાના અનુભવો આપણને એક જ સંદેશ આપે છે કે આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવવી જોઈએ. આ માત્ર વ્યવહારિક અનિવાર્યતા નથી પણ રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણ અને દરેક નાગરિકના સારા જીવનધોરણની આવશ્યકતા છે.</span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-03/0161.jpg" alt="01" width="1200" height="720" /></p>
<p><span lang="gu" xml:lang="gu">કોરોના મહામારીએ આપણને કડવો અનુભવતો કરાવ્યો જ છે. વિદેશી પુરવઠા પર આધારિત હોવાથી દવાઓ</span>, <span lang="gu" xml:lang="gu">વેક્સીન અને માસ્ક જેવી મૂળભૂત વસ્તુઓની અછત સર્જાઈ. અસંખ્ય જીવનો ગુમાવ્યા. પછી આપણે સ્વદેશી દવાઓ</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/opinion/dependence-always-ruins-the-calculation--that-s-why-we-should-adopt-indigenous-things/article-177078"><img src="https://www.khabarchhe.com/media/400/2026-03/0161.jpg" alt=""></a><br /><p><strong>(<span lang="gu" xml:lang="gu">ઉત્કર્ષ પટેલ)</span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">પરાવલંબન એક એવી વ્યવસ્થા છે જે દેશના અર્થતંત્રની ગણતરીને હંમેશા બગાડે છે. જ્યારે કોઈ રાષ્ટ્ર વિદેશી વસ્તુઓ પર આધારિત બને છે ત્યારે તેની સ્વાયત્તતા અને સ્વાભિમાનને ફટકો પડે જ છે. આજે વિશ્વભરમાં યુદ્ધોના ભણકારા અને ભૂતકાળના કોરોના રોગચાળાના અનુભવો આપણને એક જ સંદેશ આપે છે કે આપણે સ્વદેશી વસ્તુઓ અપનાવવી જોઈએ. આ માત્ર વ્યવહારિક અનિવાર્યતા નથી પણ રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણ અને દરેક નાગરિકના સારા જીવનધોરણની આવશ્યકતા છે.</span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-03/0161.jpg" alt="01" width="1280" height="720"></img></p>
<p><span lang="gu" xml:lang="gu">કોરોના મહામારીએ આપણને કડવો અનુભવતો કરાવ્યો જ છે. વિદેશી પુરવઠા પર આધારિત હોવાથી દવાઓ</span>, <span lang="gu" xml:lang="gu">વેક્સીન અને માસ્ક જેવી મૂળભૂત વસ્તુઓની અછત સર્જાઈ. અસંખ્ય જીવનો ગુમાવ્યા. પછી આપણે સ્વદેશી દવાઓ વેક્સીન માટે સફાળા જાગવું પડ્યું અને સરકારની સમયસુચકતા એ આપણને મહામારીમાંથી બહાર કાઢ્યા. આજે પણ યુક્રેન રશિયા યુદ્ધ</span>, <span lang="gu" xml:lang="gu">અમેરિકા ઇઝરાયલ - ઈરાન યુદ્ધ મધ્ય પૂર્વના કલેશ વિશ્વભરની સપ્લાય ચેઇનને તોડી રહ્યા છે. ક્રૂડ</span>, <span lang="gu" xml:lang="gu">ખાદ્યપદાર્થો અને ઔદ્યોગિક રો મટીરીયલના ભાવ આકાશે છે. આવી પરિસ્થિતિમાં પરાવલંબન દેશને નબળો બનાવે છે. તેથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના આહ્વાનને વ્યાપક સ્વરૂપે અમલમાં મૂકવાનો સમય આવી ગયો છે. સરકારે નીતિઓ બનાવી છે પરંતુ તેની  સફળતા દેશના દરેક નાગરિકના હાથમાં છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">સ્વદેશી વસ્તુઓ અપનાવવાથી દેશની અર્થવ્યવસ્થા મજબૂત બને છે. જ્યારે આપણે સ્થાનિક ઉત્પાદનો ખરીદીએ ત્યારે પૈસો દેશમાં જ રહે છે. તેનાથી લઘુ ઉદ્યોગો</span>, <span lang="gu" xml:lang="gu">કુટીર ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન મળે છે. ખાસ કરીને યુવાનો માટે રોજગારીની તકો વધે છે. આજે ભારતના યુવાનો વિજ્ઞાન</span>, AI <span lang="gu" xml:lang="gu">ટેકનોલોજી અને નવીનતા વડે વિશ્વભરમાં દેશને પ્રથમ હરોળમાં લઈજઈ રહ્યા છે. સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન મળે તો દેશના યુવાનો વિદેશમાં નોકરીની શોધમાં નહીં પરંતુ સ્વદેશમાં જ નવી સફળતાઓ આંબી શકે. ખેડૂતોના ઉત્પાદનોને બજાર મળે</span>, <span lang="gu" xml:lang="gu">હસ્તકલા કારીગરોનું માન વધે અને મધ્યમ વર્ગની આવક વધે. આવું કરવાથી દરેક નાગરિકનું જીવનધોરણ ઊંચું જશે. સારું આરોગ્ય હશે</span>, <span lang="gu" xml:lang="gu">શિક્ષણ અને આર્થિક સ્થિરતા હશે. </span></p>
<p><span lang="gu" xml:lang="gu">રાષ્ટ્ર પ્રત્યે સમર્પણ એ માત્ર વાતોમાં અને નેતાઓના ભાષણોમાં નહીં પરંતુ રોજિંદા જીવનમાં સમાવિષ્ટ થવું જોઈએ. દરેક ભારતીયે વિચારવું જોઈએ કે મારી ખરીદી કેવી રીતે મારા દેશને મજબૂત કરે છે. ગામડાઓમાં સ્થાનિક ઉત્પાદનોને વેચવા માટે ‘વોકલ ફોર લોકલ’નું સૂત્ર અપનાવવું જોઈએ. સરકારે પણ ટેક્સ છૂટ</span>, <span lang="gu" xml:lang="gu">સબસિડી અને તાલીમ વડે સ્વદેશી ઉદ્યોગોને વેગ આપવો જોઈશે અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવો જોઈશે. આપણે યાદ રાખવું જોઈએ કે મહાત્મા ગાંધીજીએ સ્વદેશી અને સ્વરાજના માર્ગે જ દેશને આઝાદી અપાવી હતી. આજે પણ તે જ માર્ગ આપણને આત્મનિર્ભરતા તરફ લઈ જશે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-03/0263.jpg" alt="02" width="1280" height="720"></img></span></p>
<p><span lang="gu" xml:lang="gu">દેશની યુવા પેઢી અને આવનારી પેઢીઓને સ્થિર જીવન અને સમૃદ્ધ અર્થવ્યવસ્થા આપવી હોય તો આજે જ સ્વદેશી અપનાવવું પડશે. દરેક નાગરિકના સારા જીવનધોરણ માટે રાષ્ટ્ર પ્રત્યેનું સમર્પણ આવશ્યક છે. જ્યારે આપણે સ્વદેશી વસ્તુઓ પસંદ કરીશું ત્યારે આપણા યુવાનો બાળકોને બેરોજગારીનો ભય નહીં રહે તેઓ આત્મવિશ્વાસથી દેશનું વર્તમાન અને ભવિષ્ય નિર્માણ કરશે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ભારત માતા પ્રત્યે સમર્પણ એ જ સાચી દેશભક્તિ છે. સ્વદેશી અપનાવીએ</span>, <span lang="gu" xml:lang="gu">આત્મનિર્ભર બનીએ અને દરેક ભારતીયને સ્વાભિમાની જીવનધોરણ આપીએ એજ આપણી આવનારી પેઢીઓને અપાયેલો સાચો વારસો હશે.</span></p>
<p>(<span lang="gu" xml:lang="gu">લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ</span>, <span lang="gu" xml:lang="gu">સમાજસેવક અને </span>khabarchhe.com<span lang="gu" xml:lang="gu">ના સંસ્થાપક છે.)</span></p>]]></content:encoded>
                
                                                            <category>Opinion</category>
                                    

                <link>https://www.khabarchhe.com/opinion/dependence-always-ruins-the-calculation--that-s-why-we-should-adopt-indigenous-things/article-177078</link>
                <guid>https://www.khabarchhe.com/opinion/dependence-always-ruins-the-calculation--that-s-why-we-should-adopt-indigenous-things/article-177078</guid>
                <pubDate>Sat, 28 Mar 2026 17:02:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-03/0161.jpg"                         length="941199"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>મનહરભાઈ સાંસપરાઃ સતત નવા ક્ષેત્રોમાં સફળ ખેડાણ કરનાર ઉદ્યોગકાર અને ઉદાર સમાજસેવી</title>
                                    <description><![CDATA[<p><strong>(<span lang="gu" xml:lang="gu">ઉત્કર્ષ પટેલ)</span></strong></p>
<p>7<span lang="gu" xml:lang="gu"> ઓક્ટોબર </span>1969<span lang="gu" xml:lang="gu">ના રોજ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના બાદલપર ગામે જન્મેલા મનહરભાઈએ એચ.એસ.સી. સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. સામાન્ય શૈક્ષણિક પૃષ્ઠભૂમિ હોવા છતાં તેઓએ પોતાના દૃઢ સંકલ્પ</span>, <span lang="gu" xml:lang="gu">મહેનત અને સતત શીખવાની ઇચ્છાશક્તિના બળ પર ઉદ્યોગ અને સમાજ જગતમાં વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું છે.</span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-03/0355.jpg" alt="03" width="1200" height="720" /></p>
<p><span lang="gu" xml:lang="gu">માત્ર </span>18<span lang="gu" xml:lang="gu"> વર્ષની ઉંમરે વર્ષ </span>1986<span lang="gu" xml:lang="gu">માં તેઓ પોતાના વતન ગામમાંથી સુરત આવ્યા. હીરાના વ્યવસાયમાં ઝંપલાવ્યું. તેમની ઝડપી શીખવાની ક્ષમતા અહીં સ્પષ્ટ જોવા મળી માત્ર એક વર્ષની અંદર જ હીરા વેપારની બારીકીઓ શીખી ગયા. પછી તો તેમણે બેલ્જિયમથી ખરીદી અને વેચાણ શરૂ કર્યું. હવે વેપાર મોટો થયો એટલે પોતાના ભાઈઓ સાથે મળી</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/opinion/manharbhai-sanspara--an-industrialist-and-a-generous-social-worker-who-consistently-ventured-into-new-fields/article-177070"><img src="https://www.khabarchhe.com/media/400/2026-03/0160.jpg" alt=""></a><br /><p><strong>(<span lang="gu" xml:lang="gu">ઉત્કર્ષ પટેલ)</span></strong></p>
<p>7<span lang="gu" xml:lang="gu"> ઓક્ટોબર </span>1969<span lang="gu" xml:lang="gu">ના રોજ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના બાદલપર ગામે જન્મેલા મનહરભાઈએ એચ.એસ.સી. સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. સામાન્ય શૈક્ષણિક પૃષ્ઠભૂમિ હોવા છતાં તેઓએ પોતાના દૃઢ સંકલ્પ</span>, <span lang="gu" xml:lang="gu">મહેનત અને સતત શીખવાની ઇચ્છાશક્તિના બળ પર ઉદ્યોગ અને સમાજ જગતમાં વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું છે.</span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-03/0355.jpg" alt="03" width="1280" height="720"></img></p>
<p><span lang="gu" xml:lang="gu">માત્ર </span>18<span lang="gu" xml:lang="gu"> વર્ષની ઉંમરે વર્ષ </span>1986<span lang="gu" xml:lang="gu">માં તેઓ પોતાના વતન ગામમાંથી સુરત આવ્યા. હીરાના વ્યવસાયમાં ઝંપલાવ્યું. તેમની ઝડપી શીખવાની ક્ષમતા અહીં સ્પષ્ટ જોવા મળી માત્ર એક વર્ષની અંદર જ હીરા વેપારની બારીકીઓ શીખી ગયા. પછી તો તેમણે બેલ્જિયમથી ખરીદી અને વેચાણ શરૂ કર્યું. હવે વેપાર મોટો થયો એટલે પોતાના ભાઈઓ સાથે મળી સુરત અને મુંબઈમાં “સાહિલ સ્ટાર ગ્રુપ”ની સ્થાપના કરી. પોતાની કુનેહથી પરિવારને સાથે લઇ આગળ વધીને “જે.આર. ગ્રુપ” ઉભું કર્યું. આજે “જે.આર. ગ્રુપ”નો વ્યવસાય ભારત ઉપરાંત બેલ્જિયમ</span>, <span lang="gu" xml:lang="gu">હોંગકોંગ</span>, <span lang="gu" xml:lang="gu">દુબઈ</span>, <span lang="gu" xml:lang="gu">તાઈવાન</span>, <span lang="gu" xml:lang="gu">થાઈલેન્ડ</span>, <span lang="gu" xml:lang="gu">અમેરિકા</span>, <span lang="gu" xml:lang="gu">યુ.કે.</span>, <span lang="gu" xml:lang="gu">જર્મની</span>, <span lang="gu" xml:lang="gu">સ્વિટ્ઝરલેન્ડ</span>, <span lang="gu" xml:lang="gu">સ્પેન</span>, <span lang="gu" xml:lang="gu">ઇટાલી સહિત </span>15<span lang="gu" xml:lang="gu">થી વધુ દેશોમાં વિસ્તરેલો છે. તેમના કાર્યમાં ગુણવત્તા પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતા તેમને વૈશ્વિક સ્તરે સફળતા અપાવી છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">મનહરભાઈનો નવીનતા તરફનો અભિગમ તેમને હંમેશા નવા ક્ષેત્રોમાં આગળ ધપાવે છે. વર્ષ </span>2005<span lang="gu" xml:lang="gu">થી તેમણે “જે.આર. ડેવલોપર્સ”શરૂ કરી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. સુરતમાં અનેક કોમર્શિયલ</span>, <span lang="gu" xml:lang="gu">રેસિડેન્શિયલ તેમજ ટેક્સટાઈલ પાર્ક જેવા પ્રોજેક્ટ્સ વિકસાવ્યા. સતત ડાયવર્સિફિકેશન અને રીસ્ક ટેકિંગ તેમનો મૂળમંત્ર છે એટલે ત્યારબાદ વર્ષ </span>2010<span lang="gu" xml:lang="gu">થી ખૂબ જ સ્પર્ધા ધરાવતી ફૂડ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરીને “યુરો ઇન્ડિયા ફ્રેશ ફૂડ્સ લિમિટેડ”ની સ્થાપના કરી.  આજે “યુરો” બ્રાન્ડના ઉત્પાદનો ભારત ઉપરાંત યુરોપ</span>, <span lang="gu" xml:lang="gu">અમેરિકા</span>, <span lang="gu" xml:lang="gu">ઓસ્ટ્રેલિયા અને મિડલ ઈસ્ટના અનેક દેશોમાં નિકાસ થાય છે. હવે તેમણે વાપી નજીક દેશનો પહેલો હાઇટેક થીમ બેસ્ડ ફૂડ પાર્ક વિકસાવ્યો છે જ્યાં વિદેશોની જેમ પ્રવાસીઓ જઇ શકશે અને ફૂડ ઇન્ડસ્ટ્રીનો ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ કરી શકશે. પાર્કની થીમ ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રવાદના આધારે તૈયાર થઇ છે. યુરોના પ્રોડક્ટ્સમાં તેઓ ગુણવત્તા પ્રત્યે એટલા સજાગ છે કે એકવાર તળ્યા પછી તેલનો બીજીવાર ઉપયોગ કરતા નથી.  ઉદ્યોગમાં તેમની કુનેહ અને સફળતા જોઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની નિમણૂક રાષ્ટ્રીય સ્તરની સંસ્થા સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના બોર્ડ ઓફ ગવર્નન્સમાં કરી હતી. </span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-03/0262.jpg" alt="02" width="1280" height="720"></img></p>
<p><span lang="gu" xml:lang="gu">મનહરભાઈ વ્યવસાયમાં  જુદા જુદા ક્ષેત્રોમાં સક્રિય હોવા છતાં સમાજસેવામાં પણ એટલા જ સમર્પિત રહે છે. તેઓ અનેક સામાજિક</span>, <span lang="gu" xml:lang="gu">શૈક્ષણિક અને આરોગ્યલક્ષી સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે જોડાયેલા છે. “સ્વ. જીવણભાઈ રાઘવજીભાઈ સાંસપરા ચેરિટેબલ ટ્રસ્ટ”ના પ્રમુખ તરીકે તેઓ સેવાકીય પ્રવૃત્તિઓને આગળ વધારે છે. સાથે જ સરદારધામ (દક્ષિણ ગુજરાત ઝોન)</span>, <span lang="gu" xml:lang="gu">સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ</span>, <span lang="gu" xml:lang="gu">સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ</span>, <span lang="gu" xml:lang="gu">પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ (કિરણ હોસ્પિટલ)</span>, <span lang="gu" xml:lang="gu">સુરત ડાયમંડ હોસ્પિટલ</span>, <span lang="gu" xml:lang="gu">રમાબા કૅન્સર હોસ્પિટલ સહિત અનેક સંસ્થાઓમાં તેઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">તેમની સેવા માત્ર પદ સુધી મર્યાદિત નથી. સમાજમાં કોઈને દવાખાનાની જરૂર હોય</span>, <span lang="gu" xml:lang="gu">શિક્ષણ માટે સહાયતા જોઈએ કે રમતગમતમાં પ્રોત્સાહન આપવાનું હોય દરેક પ્રસંગે લોકો સીધા મનહરભાઈનો સંપર્ક કરે છે અને તેઓ નિઃસ્વાર્થભાવથી મદદ કરે છે. ખાસ વાત એ છે કે તેઓ પોતાની સેવાકીય પ્રવૃત્તિઓનો ક્યારેય પ્રચાર કરતા નથી</span>; <span lang="gu" xml:lang="gu">શાંતિપૂર્વક અને નિષ્ઠાપૂર્વક સેવા આપવી તેમની જીવનશૈલી બની ગઈ છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">તેમના વતન ગામ પ્રત્યેની લાગણી પણ એટલી જ વિશેષ છે. દર વર્ષે ગામની શાળામાં વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સહાયરૂપ પ્રવૃત્તિઓ યોજીને તેઓ શિક્ષણને પ્રોત્સાહન આપે છે. વિવિધ ટ્રસ્ટોના માધ્યમથી વિદ્યાર્થીઓને સ્કૂલબેગ</span>, <span lang="gu" xml:lang="gu">પાઠ્યપુસ્તકો અને જરૂરી સામગ્રી પૂરી પાડી તેઓ ભવિષ્યની પેઢીને સશક્ત બનાવી રહ્યા છે.</span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-03/0160.jpg" alt="01" width="1280" height="720"></img></p>
<p><span lang="gu" xml:lang="gu">મનહરભાઈ સાંસપરા એક એવા વ્યક્તિ છે જેઓ ઉદ્યોગ</span>, <span lang="gu" xml:lang="gu">પરિવાર અને સમાજ ત્રણેય ક્ષેત્રોમાં સંતુલન જાળવીને આગળ વધ્યા છે. તેમની સાદગી</span>, <span lang="gu" xml:lang="gu">સમર્પણ</span>, <span lang="gu" xml:lang="gu">નવીનતા અને ગુણવત્તા પ્રત્યેની અડગતા તેમને અન્યો માટે પ્રેરણાસ્ત્રોત બનાવે છે. તેઓ એ સાબિત કરે છે કે સાચી સફળતા માત્ર વ્યવસાયમાં નહીં પરંતુ સમાજ માટે કરેલી નિઃસ્વાર્થ સેવા અને મૂલ્ય આધારિત જીવનમાં વસે છે.</span></p>
<p><em>(<span lang="gu" xml:lang="gu">લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ</span>, <span lang="gu" xml:lang="gu">સમાજસેવક અને </span>khabarchhe.com<span lang="gu" xml:lang="gu">ના સંસ્થાપક છે.)</span></em></p>]]></content:encoded>
                
                                                            <category>Opinion</category>
                                    

                <link>https://www.khabarchhe.com/opinion/manharbhai-sanspara--an-industrialist-and-a-generous-social-worker-who-consistently-ventured-into-new-fields/article-177070</link>
                <guid>https://www.khabarchhe.com/opinion/manharbhai-sanspara--an-industrialist-and-a-generous-social-worker-who-consistently-ventured-into-new-fields/article-177070</guid>
                <pubDate>Sat, 28 Mar 2026 13:17:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-03/0160.jpg"                         length="946507"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી</title>
                                    <description><![CDATA[<p><strong>(<span lang="gu" xml:lang="gu">ઉત્કર્ષ પટેલ)</span></strong></p>
<p><br />ગુજરાતના ટેક્સટાઇલ જગતમાં સુરતનું રચના ગ્રુપનું અગ્રણી નામ છે. જેની સ્થાપના વર્ષ 1980માં જયપ્રકાશ અગ્રવાલે કરી હતી. જયપ્રકાશ અગ્રવાલની ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલી કંપનીઓ આજે કરોડોનું ટર્નઓવર કરે છે. જેઓની કંપની આજે 30થી વધુ દેશોમાં નિકાસ કરી રહી છે. આજે તેમની કંપની હજારો પરિવારોને રોજગાર આપી રહી છે. આ બધું જયપ્રકાશ અગ્રવાલની મહેનતને આભારી છે. </p>
<p>જયપ્રકાશ અગ્રવાલનું જીવન ફક્ત વ્યાવસાયિક સિદ્ધિઓથી ભરેલું નથી. પણ તેમનું હૃદય સમાજ સેવા માટે પણ ધબકે છે. તેમનું માનવું છે કે સફળતા ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે તે સમાજ સાથે વહેંચી શકાય. તેઓ તેમના સામાજિક કાર્ય દ્વારા આ ભાવનાને જીવંત રાખે</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/opinion/jaiprakash-agarwal-is-one-businessman-who-has-left-no-stone/article-176988"><img src="https://www.khabarchhe.com/media/400/2026-03/260.jpg" alt=""></a><br /><p><strong>(<span lang="gu" xml:lang="gu">ઉત્કર્ષ પટેલ)</span></strong></p>
<p><br />ગુજરાતના ટેક્સટાઇલ જગતમાં સુરતનું રચના ગ્રુપનું અગ્રણી નામ છે. જેની સ્થાપના વર્ષ 1980માં જયપ્રકાશ અગ્રવાલે કરી હતી. જયપ્રકાશ અગ્રવાલની ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલી કંપનીઓ આજે કરોડોનું ટર્નઓવર કરે છે. જેઓની કંપની આજે 30થી વધુ દેશોમાં નિકાસ કરી રહી છે. આજે તેમની કંપની હજારો પરિવારોને રોજગાર આપી રહી છે. આ બધું જયપ્રકાશ અગ્રવાલની મહેનતને આભારી છે. </p>
<p>જયપ્રકાશ અગ્રવાલનું જીવન ફક્ત વ્યાવસાયિક સિદ્ધિઓથી ભરેલું નથી. પણ તેમનું હૃદય સમાજ સેવા માટે પણ ધબકે છે. તેમનું માનવું છે કે સફળતા ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે તે સમાજ સાથે વહેંચી શકાય. તેઓ તેમના સામાજિક કાર્ય દ્વારા આ ભાવનાને જીવંત રાખે છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-03/330.jpg" alt="3" width="1280" height="720"></img></p>
<p>આજે શિક્ષણ, સ્વાસ્થ્ય, વૃદ્વાશ્રમ, ગૌ સેવા, ધાર્મિક ટ્રસ્ટ, નારી સુરક્ષા અને વનવાસી કલ્યાણ જેવા ક્ષેત્રોમાં તેઓ પ્રમુખ દાતા છે.  ટ્ર્સ્ટી તરીકે તેઓ સમય આપી લોકોની સેવા પણ કરી રહ્યા છે. સુરતમાં પોલીસની સુરક્ષા વિશે તેઓ તન,મન અને ધનથી સહયોગ આપી રહ્યા છે. ટેક્સટાઇલ ઉદ્યોગની સમસ્યાનું તેઓ સકારાત્મક રીતે સમાધાન લાવવાનો પ્રયત્ન કરે છે.</p>
<p>તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે વિશેષ લગાવ રાખે છે. અને તેઓના આહ્વાનથી શરૂ કરેલ કોઇપણ કાર્યમાં હંમેશા આગળ પડતા હોય છે. </p>
<p>જયપ્રકાશ અગ્રવાલનું જીવન યુવાનોને સંદેશ આપે છે કે સાચી સફળતા નફો કમાવવામાં નહીં પણ સમાજને કંઈક પાછું આપવામાં રહેલી છે. સુરતમાં સમૃદ્ધિ મેળવ્યા પછી, તેમણે શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી. તેઓ સુરતના સાચા નગરશેઠ કહેવાને લાયક છે, જેમના હાથ હંમેશા સેવા માટે ખુલ્લા રહે છે.</p>
<p><em>(<span lang="gu" xml:lang="gu">લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ</span>, <span lang="gu" xml:lang="gu">સમાજસેવક અને </span>khabarchhe.com<span lang="gu" xml:lang="gu">ના સંસ્થાપક છે.)</span></em></p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Opinion</category>
                                    

                <link>https://www.khabarchhe.com/opinion/jaiprakash-agarwal-is-one-businessman-who-has-left-no-stone/article-176988</link>
                <guid>https://www.khabarchhe.com/opinion/jaiprakash-agarwal-is-one-businessman-who-has-left-no-stone/article-176988</guid>
                <pubDate>Tue, 24 Mar 2026 12:15:01 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-03/260.jpg"                         length="26531"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dharmesh Kalsariya]]></dc:creator>
                            </item>
            <item>
                <title>જયેશ દેસાઈ: હસતા મોઢે સૌનું હૈયું જીતી સફળતાની સીડી ચઢનાર વ્યક્તિત્વ</title>
                                    <description><![CDATA[<p><strong>(<span lang="gu" xml:lang="gu">ઉત્કર્ષ પટેલ)</span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">સુરતનું એક એવું વ્યક્તિત્વ જે સુરતમાં વેપાર કરનાર એવા સૌના માટે જાણીતું છે જયેશભાઈ દેસાઈ. રાજહંસ ગ્રુપ (</span>Rajhans Desai-Jain Group)<span lang="gu" xml:lang="gu">ના સ્થાપક અને ચેરમેન</span>, <span lang="gu" xml:lang="gu">એક સાહસિક ઉદ્યોગકાર જેમણે ગુજરાતના સુરતમાં એક નાના એડિબલ ઓઇલના યુનિટથી શરૂ કરીને આજે વિવિધ વેપારો થકી કરોડોનું ટર્નઓવર કરતું રાજહંસ એમ્પાયર ઊભું કર્યું છે. તેમની સફળતાની યાત્રા "</span>Wings of Happiness"<span lang="gu" xml:lang="gu">ના સ્લોગનને સાર્થક કરનારી જણાઈ રહી છે. </span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-03/0347.jpg" alt="03" width="1200" height="720" /></span></p>
<p><span lang="gu" xml:lang="gu">જયેશભાઈનો જન્મ ભાવનગર જિલ્લાના એક નાના ગામ પરવડીમાં થયો હતો. કુટુંબની આર્થિક સ્થિતિ સામાન્ય હતી. પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા બાદ તેઓ માયાવીનગરી મુંબઈ ગયા અને નોકરી કરી. પરંતુ થોડા સમય પછી તેઓ</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/business/jayesh-desai--a-personality-who-won-everyone-s-hearts-with-a-smiling-face-and-climbed-the-ladder-of-success/article-176967"><img src="https://www.khabarchhe.com/media/400/2026-03/0151.jpg" alt=""></a><br /><p><strong>(<span lang="gu" xml:lang="gu">ઉત્કર્ષ પટેલ)</span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">સુરતનું એક એવું વ્યક્તિત્વ જે સુરતમાં વેપાર કરનાર એવા સૌના માટે જાણીતું છે જયેશભાઈ દેસાઈ. રાજહંસ ગ્રુપ (</span>Rajhans Desai-Jain Group)<span lang="gu" xml:lang="gu">ના સ્થાપક અને ચેરમેન</span>, <span lang="gu" xml:lang="gu">એક સાહસિક ઉદ્યોગકાર જેમણે ગુજરાતના સુરતમાં એક નાના એડિબલ ઓઇલના યુનિટથી શરૂ કરીને આજે વિવિધ વેપારો થકી કરોડોનું ટર્નઓવર કરતું રાજહંસ એમ્પાયર ઊભું કર્યું છે. તેમની સફળતાની યાત્રા "</span>Wings of Happiness"<span lang="gu" xml:lang="gu">ના સ્લોગનને સાર્થક કરનારી જણાઈ રહી છે. </span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-03/0347.jpg" alt="03" width="1280" height="720"></img></span></p>
<p><span lang="gu" xml:lang="gu">જયેશભાઈનો જન્મ ભાવનગર જિલ્લાના એક નાના ગામ પરવડીમાં થયો હતો. કુટુંબની આર્થિક સ્થિતિ સામાન્ય હતી. પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા બાદ તેઓ માયાવીનગરી મુંબઈ ગયા અને નોકરી કરી. પરંતુ થોડા સમય પછી તેઓ પોતાના ગામ પરત ફર્યા અને પિતાના વ્યવસાયમાં મદદ કરવા લાગ્યા. આ સમયે તેઓએ જીવનની કઠોર વાસ્તવિકતાઓનો અનુભવ કર્યો પરંતુ તેમનામાં મહેનત કરવાની અનેરી ધગસ હતી.  તેઓ સુરત આવ્યા જ્યાં જ્યાં સીમિત મૂડી લઈને તેમણે વેપારની નવી શરૂઆત કરી અને સફળતાની પાંખો ફેલાતી ગઈ જે આજે પણ અવિરત છે. </span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-03/0616.jpg" alt="06" width="1280" height="720"></img></span></p>
<p><span lang="gu" xml:lang="gu">સૌપ્રથમ </span>1996<span lang="gu" xml:lang="gu">માં જયેશભાઈએ રાજહંસ ગ્રુપની શરૂઆત એક નાના એડિબલ ઓઇલ યુનિટથી કરી જેમાં ફિલ્ટર્ડ ગ્રાઉન્ડનટ અને કોટનસીડ ઓઇલનું ઉત્પાદન થતું હતું. તેમની દીર્ઘદૃષ્ટિ અને વેપાર કરવાની સૂઝબૂઝથી ગ્રુપ ઝડપથી વિસ્તર્યું. આજે રાજહંસ ગ્રુપ રિયલ એસ્ટેટ (</span>Rajhans Realty), <span lang="gu" xml:lang="gu">સિનેમા (</span>160+ <span lang="gu" xml:lang="gu">સ્ક્રીન્સ સાથે </span>Rajhans Cinemas), <span lang="gu" xml:lang="gu">હોસ્પિટાલિટી</span>, <span lang="gu" xml:lang="gu">કન્ફેક્શનરી (</span>Schmitten <span lang="gu" xml:lang="gu">ચોકલેટ્સ)</span>, <span lang="gu" xml:lang="gu">ટેક્સટાઇલ અને અન્ય ક્ષેત્રોમાં પૂર્ણ સક્રિય છે. ગ્રુપે </span>30<span lang="gu" xml:lang="gu"> મિલિયન </span>sq.ft.<span lang="gu" xml:lang="gu">થી વધુ બાંધકામ પૂરું કર્યું છે અને એમના ગ્રાહકો સંતુષ્ટ પણ જણાઈ રહ્યા છે. તેમની સફળતાઓ</span><span lang="gu" xml:lang="gu">ની</span> <span lang="gu" xml:lang="gu">નોંધ ફોર્બ્સે લીધી છે તો </span><span lang="gu" xml:lang="gu">ઈન્ડિયા</span><span lang="gu" xml:lang="gu">ના </span>'Indian Business Legends' (2021) <span lang="gu" xml:lang="gu">અને </span>'India’s 100 Richest' (2022)<span lang="gu" xml:lang="gu">માં સમાવેશ</span>, ET Inspiring Leader, Gujarat Ratna, Entrepreneur of the Year <span lang="gu" xml:lang="gu">જેવા અવોર્ડ્સ એમને મળ્યા છે. </span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-03/0713.jpg" alt="07" width="1280" height="720"></img></p>
<p><span lang="gu" xml:lang="gu">જયેશભાઈનું પારિવારિક જીવન અતિ સુમેળભર્યું છે. તેઓ પોતાના ભાઈ વિજય દેસાઈ સાથે પૂર્ણ આત્મીયતાના સંબંધ ધરાવે છે અને તેઓ એમની સાથે રાજહંસ ગ્રુપમાં સક્રિય છે. હરહંમેશ તેમના સંયુક્ત પરિવાર સાથે તેઓ જાહેર પ્રસંગોમાં જોવા મળે છે. તાજેતરમાં તેઓ સચિન તેંડુલકરના પુત્રના લગ્નમાં પોતાના સંયુક્ત પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. તેઓ પોતાના કર્મચારીઓને પણ "રાજહંસ ફેમિલી" તરીકે જોવે છે અને વર્તે પણ છે. </span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-03/0444.jpg" alt="04" width="1280" height="720"></img></p>
<p><span lang="gu" xml:lang="gu">જયેશભાઈ એક ધૈર્યશીલ</span>, <span lang="gu" xml:lang="gu">ઉત્સાહી</span>, <span lang="gu" xml:lang="gu">આશાવાદી અને ગણતરી પૂર્વકનું જોખમ લેનાર વ્યક્તિ છે. તેમની વિશેષતા છે કે તેમનામાં વેપારની તકો યોગ્ય સમયે અને યોગ્ય પદ્ધતિથી ઝડપથી ઓળખવાની અને તેને અમલમાં મૂકવાની ક્ષમતા છે. તેમનું માનવું  કે "લીડર નહીં</span>, <span lang="gu" xml:lang="gu">ટીમ વર્ક જ પરિણામ લાવે છે". તેઓ પોતાના ગ્રાહકોના સંતોષને કેન્દ્રમાં રાખે છે અને "</span>customer happiness through delightful products and services"<span lang="gu" xml:lang="gu">ને  અગત્યતા આપે છે. </span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-03/0151.jpg" alt="01" width="1280" height="720"></img></p>
<p><span lang="gu" xml:lang="gu">વિશેષ નોંધનીય છે કે જયેશભાઈ </span>PM <span lang="gu" xml:lang="gu">નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે ખૂબ જ આદર અને સમર્પણ ધરાવે છે. તેઓ અને તેમનો પરિવાર </span>PM <span lang="gu" xml:lang="gu">મોદીને મળ્યા હતા એ અનુભવને "રાજહંસ ફેમિલી માટે ગર્વની ક્ષણ" ગણાવે છે. તેઓ </span>PM <span lang="gu" xml:lang="gu">નરેન્દ્રભાઈ મોદીના વિકાસના વિઝનને પૂર્ણતઃ સમર્થન કરે છે. </span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-03/0253.jpg" alt="02" width="1280" height="720"></img></p>
<p><span lang="gu" xml:lang="gu">ધન</span>, <span lang="gu" xml:lang="gu">વૈભવ અને સિદ્ધિના સમીકરણને જીવનમાં સંતુલિત કરીને પ્રગતિ કરવાનો એમનો જીવનસંદેશ ગુજરાતના યુવાનો માટે એક આદર્શ પ્રેરણારૂપ ઉદાહરણ કહી શકાય જ્યાં આત્મવિશ્વાસ</span>, <span lang="gu" xml:lang="gu">મહેનત</span>, <span lang="gu" xml:lang="gu">ગણતરી મુજબનું સાહસ અને માનવતા સાથે કોઈ પણ કાર્ય પાર પાડી શકાય છે.</span></p>
<p><em>(<span lang="gu" xml:lang="gu">લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ</span>, <span lang="gu" xml:lang="gu">સમાજસેવક અને </span>khabarchhe.com<span lang="gu" xml:lang="gu">ના સંસ્થાપક છે.)</span></em></p>]]></content:encoded>
                
                                                            <category>Business</category>
                                            <category>Opinion</category>
                                    

                <link>https://www.khabarchhe.com/business/jayesh-desai--a-personality-who-won-everyone-s-hearts-with-a-smiling-face-and-climbed-the-ladder-of-success/article-176967</link>
                <guid>https://www.khabarchhe.com/business/jayesh-desai--a-personality-who-won-everyone-s-hearts-with-a-smiling-face-and-climbed-the-ladder-of-success/article-176967</guid>
                <pubDate>Mon, 23 Mar 2026 12:20:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-03/0151.jpg"                         length="1013708"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>આર્કિટેક્ટ બંકિમ દવે: સુરતમાં આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના ક્ષેત્રમાં ત્રીજી પેઢીનું મોટું નામ</title>
                                    <description><![CDATA[<p><strong>(<span lang="gu" xml:lang="gu">ઉત્કર્ષ પટેલ)</span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">સોનાની મૂરત એવા સુરતમાં આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના ક્ષેત્રમાં મોટું નામ કહી શકાય બંકિમ તરુણ દવે. તેમના પિતા તરુણ દવે પણ જાણીતા આર્કિટેક્ટ હતા દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર તેમનું કાર્યક્ષેત્ર રહ્યું. દાદા રમણલાલ દવેએ </span>1949<span lang="gu" xml:lang="gu">માં સુરતની પ્રથમ આર્કિટેક્ચર ફર્મ ‘રમણલાલ દવે એન્ડ સન્સ’ શરૂ કરી હતી જેમણે સુરત શહેરનું પહેલું </span>RCC <span lang="gu" xml:lang="gu">બિલ્ડિંગ ડિઝાઇન કર્યું હતું. આ વારસાને આજે બંકિમભાઈ ખૂબ કુશળતાથી આગળ વધારી રહ્યા છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-03/0443.jpg" alt="04" width="1200" height="720" /></span></p>
<p><span lang="gu" xml:lang="gu">બંકિમભાઈએ અભ્યાસ પૂર્ણ કરી </span>1985<span lang="gu" xml:lang="gu">માં પિતાની ફર્મમાં જોડાઈને ઇન્ટિરિયર ડિઝાઇનનો નવો આયામ ઉમેર્યો. આજે તેમની પાસે </span>35<span lang="gu" xml:lang="gu">થી વધુ વર્ષનો અનુભવ છે અને તેઓ સરકાર માન્ય વેલ્યુઅર પણ છે.</span></p>
<p> <span lang="gu" xml:lang="gu">તેમના</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/opinion/architect-bankim-dave-a-big-name-in-the-field-of-architecture-and-interior-design-in-surat/article-176959"><img src="https://www.khabarchhe.com/media/400/2026-03/0150.jpg" alt=""></a><br /><p><strong>(<span lang="gu" xml:lang="gu">ઉત્કર્ષ પટેલ)</span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">સોનાની મૂરત એવા સુરતમાં આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના ક્ષેત્રમાં મોટું નામ કહી શકાય બંકિમ તરુણ દવે. તેમના પિતા તરુણ દવે પણ જાણીતા આર્કિટેક્ટ હતા દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર તેમનું કાર્યક્ષેત્ર રહ્યું. દાદા રમણલાલ દવેએ </span>1949<span lang="gu" xml:lang="gu">માં સુરતની પ્રથમ આર્કિટેક્ચર ફર્મ ‘રમણલાલ દવે એન્ડ સન્સ’ શરૂ કરી હતી જેમણે સુરત શહેરનું પહેલું </span>RCC <span lang="gu" xml:lang="gu">બિલ્ડિંગ ડિઝાઇન કર્યું હતું. આ વારસાને આજે બંકિમભાઈ ખૂબ કુશળતાથી આગળ વધારી રહ્યા છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-03/0443.jpg" alt="04" width="1280" height="720"></img></span></p>
<p><span lang="gu" xml:lang="gu">બંકિમભાઈએ અભ્યાસ પૂર્ણ કરી </span>1985<span lang="gu" xml:lang="gu">માં પિતાની ફર્મમાં જોડાઈને ઇન્ટિરિયર ડિઝાઇનનો નવો આયામ ઉમેર્યો. આજે તેમની પાસે </span>35<span lang="gu" xml:lang="gu">થી વધુ વર્ષનો અનુભવ છે અને તેઓ સરકાર માન્ય વેલ્યુઅર પણ છે.</span></p>
<p> <span lang="gu" xml:lang="gu">તેમના પ્રોજેક્ટ્સમાં હાઇએન્ડ બંગલા</span>, <span lang="gu" xml:lang="gu">કોમર્સિયલ કોમ્પ્લેક્સ</span>, <span lang="gu" xml:lang="gu">હોસ્પિટલ</span>, <span lang="gu" xml:lang="gu">ઓપન એર થિએટર અને ઔદ્યોગિક ઇમારતો જેવા વિશેષ પ્રોજેક્ટ્સ પર સફળતાપૂર્વક કાર્યો થયા છે. ખાસ કરીને હાઇએન્ડ ઘરોના ઇન્ટિરિયરમાં તેઓ મકાનમાલિકની જીવનશૈલી</span>, <span lang="gu" xml:lang="gu">પરિવાર અને લાગણીઓને સમજીને ડિઝાઇન કરે છે. તેમની ફર્મ ‘બંકિમ દવે આર્કિટેક્ટ્સ’ સુરતમાં અગ્રણી આર્કિટેક્ટ ફર્મ તરીકે જાણીતી છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-03/0526.jpg" alt="05" width="1280" height="720"></img><img src="https://www.khabarchhe.com/media/2026-03/0526.jpg" alt="05" width="1280" height="720"></img></span></p>
<p> <span lang="gu" xml:lang="gu">સ્વભાવે બંકિમભાઈ પર્ફેક્શનિસ્ટ છે. તેઓ તેમના પ્રત્યેક પ્રોજેક્ટમાં ઝીણવટભર્યું પ્લાનિંગ</span>, <span lang="gu" xml:lang="gu">નિયમિત સાઇટ વિઝિટ અને સમય બજેટમાં કામ પૂરું કરવા માટે જાણીતા છે. નવીનતા અને આધુનિકતા પ્રત્યે તેમને હંમેશા રુચિ રહે છે. તેઓ વિવેકી વક્તા પણ છે. 1989થી રોટરી ક્લબમાં સક્રિય છે અને 100% તેમનું યોગદાન જાળવી રાખ્યું છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-03/0346.jpg" alt="03" width="1280" height="720"></img></span></p>
<p><span lang="gu" xml:lang="gu">ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન ઇન્ટિરિયર ડિઝાઇનર્સ (</span>IIID)<span lang="gu" xml:lang="gu">ના નેશનલ પ્રેસિડેન્ટ તરીકે (2010-12) તેમણે સંસ્થાનું ગવર્નન્સ સુધાર્યું</span>, <span lang="gu" xml:lang="gu">શિક્ષણ સિલેબસને આંતરરાષ્ટ્રીય સ્તરનો બનાવ્યો અને અનેક વર્કશોપ સેમિનાર યોજ્યા. તેમણે ભારતીય ઇન્ટિરિયર ડિઝાઇનને વૈશ્વિક માન્યતા મળે એ માટે પણ મહેનત કરી. </span>APSDA <span lang="gu" xml:lang="gu">અને </span>CWLID <span lang="gu" xml:lang="gu">સાથે પણ સમર્પણ ભાવ સાથે સક્રિય રહ્યા છે. </span>WADE Asia 2024<span lang="gu" xml:lang="gu">ના જ્યુરી સભ્ય રહ્યા અને હર્મિસ એન્ડ આઇરિસ પ્રાઇઝ જેવા એવોર્ડ્સ પણ એમને મળ્યા છે. સુરતની </span>SCET<span lang="gu" xml:lang="gu">માં પણ અધ્યાપન કર્યું છે અને વિદ્યાર્થીઓના પ્રિય રહ્યા છે.</span> </p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-03/0252.jpg" alt="02" width="1280" height="720"></img></p>
<p><span lang="gu" xml:lang="gu">બંકિમ દવે માત્ર બાંધકામ સજાવટ જ નહીં પરંતુ લોકોના સપનાંને આકાર આપે છે. દવે પરિવારની ત્રણ પેઢીએ સુરતને નિખારવામાં પોતાનું યોગદાન આપ્યું છે જે સુરત શહેર માટે ગર્વની વાત પણ કહી શકાય.</span></p>
<p><em><span lang="gu" xml:lang="gu">(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ</span>, <span lang="gu" xml:lang="gu">સમાજસેવક અને </span>khabarchhe.com<span lang="gu" xml:lang="gu">ના સંસ્થાપક છે.)</span></em></p>]]></content:encoded>
                
                                                            <category>Opinion</category>
                                    

                <link>https://www.khabarchhe.com/opinion/architect-bankim-dave-a-big-name-in-the-field-of-architecture-and-interior-design-in-surat/article-176959</link>
                <guid>https://www.khabarchhe.com/opinion/architect-bankim-dave-a-big-name-in-the-field-of-architecture-and-interior-design-in-surat/article-176959</guid>
                <pubDate>Sun, 22 Mar 2026 18:24:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-03/0150.jpg"                         length="952779"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        