<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.khabarchhe.com/opinion/category-87378" rel="self" type="application/rss+xml" />
                <generator>Khabarchhe RSS Feed Generator</generator>
                <title>Opinion - Khabarchhe</title>
                <link>https://www.khabarchhe.com/category/87378/rss</link>
                <description>Opinion RSS Feed</description>
                
                            <item>
                <title>સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો</title>
                                    <description><![CDATA[<p><strong><span lang="gu" xml:lang="gu">(ઉત્કર્ષ પટેલ)</span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">લઘુભારતની ઓળખ ધરાવતું સુરત શહેર આજે ટેક્ષટાઇલ અને હીરાઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે પરંતુ આ શહેરના વિકાસ પાછળ માત્ર રાજકારણીઓ</span>, <span lang="gu" xml:lang="gu">ઉદ્યોગપતિઓ જ નહીં પણ કેટલાક વિશિષ્ટ વ્યક્તિઓનું અમૂલ્ય યોગદાન પણ છે જેમણે પોતાની વ્યવસાયિક સફળતાને સમાજસેવામાં વાપરીને શહેરને સુરક્ષિત અને સ્વસ્થ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આવા જ એક પ્રેરણાદાયી વ્યક્તિ છે અશોક રણધીરસિંઘ જૈન (અશોકભાઈ કાનુંનગો). તેમનું વ્યક્તિત્વ સરળતા</span>, <span lang="gu" xml:lang="gu">નમ્રતા</span>, <span lang="gu" xml:lang="gu">અડગતા અને પારદર્શી સેવાના અનોખા મિશ્રણથી ભરેલું છે. તેઓ માત્ર સફળ ઉદ્યોગપતિ જ નથી પણ સુરત ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ</span>, <span lang="gu" xml:lang="gu">લાયન્સ ક્લબ અને લાયન્સ કેન્સર ડિટેક્શન સેન્ટર ટ્રસ્ટ જેવી સંસ્થાઓ દ્વારા શહેરના લોકો માટે</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/opinion/a-symbol-of-dedication-foresight-and-service-ashok-kanungo-a-prominent-social-worker-from-surat/article-178368"><img src="https://www.khabarchhe.com/media/400/2026-06/0119.jpg" alt=""></a><br /><p><strong><span lang="gu" xml:lang="gu">(ઉત્કર્ષ પટેલ)</span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">લઘુભારતની ઓળખ ધરાવતું સુરત શહેર આજે ટેક્ષટાઇલ અને હીરાઉદ્યોગ માટે વિશ્વભરમાં જાણીતું છે પરંતુ આ શહેરના વિકાસ પાછળ માત્ર રાજકારણીઓ</span>, <span lang="gu" xml:lang="gu">ઉદ્યોગપતિઓ જ નહીં પણ કેટલાક વિશિષ્ટ વ્યક્તિઓનું અમૂલ્ય યોગદાન પણ છે જેમણે પોતાની વ્યવસાયિક સફળતાને સમાજસેવામાં વાપરીને શહેરને સુરક્ષિત અને સ્વસ્થ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આવા જ એક પ્રેરણાદાયી વ્યક્તિ છે અશોક રણધીરસિંઘ જૈન (અશોકભાઈ કાનુંનગો). તેમનું વ્યક્તિત્વ સરળતા</span>, <span lang="gu" xml:lang="gu">નમ્રતા</span>, <span lang="gu" xml:lang="gu">અડગતા અને પારદર્શી સેવાના અનોખા મિશ્રણથી ભરેલું છે. તેઓ માત્ર સફળ ઉદ્યોગપતિ જ નથી પણ સુરત ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ</span>, <span lang="gu" xml:lang="gu">લાયન્સ ક્લબ અને લાયન્સ કેન્સર ડિટેક્શન સેન્ટર ટ્રસ્ટ જેવી સંસ્થાઓ દ્વારા શહેરના લોકો માટે અથાગ સેવાઓ આપી રહ્યા છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-06/0119.jpg" alt="01" width="1280" height="720"></img></span></p>
<p><span lang="gu" xml:lang="gu">અશોકભાઈનો જન્મ હરિયાણાના હિસાર જિલ્લામાં થયો. 1972માં રોહતકની વૈશ કૉલેજમાંથી બી.કોમ. પૂર્ણ કર્યા પછી તેઓ મુંબઈ અને પછી સુરત આવ્યા. વ્યવસાયમાં શરૂઆતથી જ અનેક તકલીફોનો સામનો કરવો પડ્યો છતાં તેમણે ક્યારેય હાર ન માની. વિપરીત પરિસ્થિતિમાં પણ પત્ની અને પરિવારના સમર્થનથી તેઓ આગળ વધતા રહ્યા. 1992માં તુલસી સિન્થેટિક્સની સ્થાપના કરી અને તેને તે સમયે રૂ. 10 કરોડના ટર્નઓવરવાળી અગ્રણી કંપની બનાવી હતી. આજે તેમનો સંપૂર્ણ વેપાર એમના પુત્ર કનિષ્ક સંભાળી રહ્યા છે અને અશોકભાઈ પૂર્ણ સમય સેવારત છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-06/0318.jpg" alt="03" width="1280" height="720"></img></span></p>
<p><span lang="gu" xml:lang="gu">તેમના વ્યક્તિત્વની સૌથી મોટી વિશેષતા છે નિર્ણયો અને ધ્યેય પ્રત્યે અડગતા</span>, <span lang="gu" xml:lang="gu">સરળતા</span>, <span lang="gu" xml:lang="gu">નમ્રતા અને ગુણવત્તા માટેની ઝંખના. વ્યવસાયમાં “</span>Quest for Quality” (<span lang="gu" xml:lang="gu">ગુણવત્તા માટેની શોધ) તેમનું સૂત્ર રહ્યું છે જે તેમણે લાયન્સ ક્લબમાં પણ અપનાવ્યું. જીવનમાં સફળતા મળ્યા પછી પણ તેઓ ખૂબ જ સાદગીભર્યા અને નમ્ર રહ્યા છે. તેમની આ સરળતા અને સમર્પણભાવે તેમને સમાજમાં વિશેષ સ્થાન અપાવ્યું છે. તેઓ માને છે કે સફળતા ત્યારે જ અર્થપૂર્ણ છે જ્યારે તેનો લાભ સમાજને મળે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-06/069.jpg" alt="06" width="1280" height="720"></img></span><span lang="gu" xml:lang="gu">2005ની આસપાસ સુરત પોલીસ સાથે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ (</span>PPP) <span lang="gu" xml:lang="gu">મોડલ હેઠળ સ્થપાયેલા સુરત ટ્રાફિક એડ્યુકેશન ટ્રસ્ટના માનદ સેક્રેટરી તરીકે અશોકભાઈએ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે. આ ટ્રસ્ટ “</span>Safe City Surat” <span lang="gu" xml:lang="gu">પ્રોજેક્ટનું વિશેષ હેતુ માધ્યમ (</span>SPV) <span lang="gu" xml:lang="gu">છે. તેમના નેતૃત્વમાં શહેરમાં આધુનિક </span>CCTV <span lang="gu" xml:lang="gu">નેટવર્ક વિકસાવવામાં સફળતા મળી. 2015માં સુરત ભારતનું પ્રથમ શહેર બન્યું જેણે “</span>Picture Intelligence Unit” <span lang="gu" xml:lang="gu">શરૂ કર્યું. આ સિસ્ટમમાં લાખો ફોટા અને ડેટાબેઝની મદદથી ગુનેગારો</span>, <span lang="gu" xml:lang="gu">પુરઝડપે ડ્રાઇવિંગ કરનારા વાહનો અને અન્ય અપરાધીઓને ઓળખીને પોલીસને તાત્કાલિક ચેતવણી આપવામાં આવે છે. ટુવે પબ્લિક એડ્રેસ સિસ્ટમ</span>, <span lang="gu" xml:lang="gu">ટ્રાફિક નિયમોનું શિક્ષણ અને રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમો દ્વારા તેમણે શહેરના નાગરિકોને સુરક્ષિત રાખવામાં મોટો ફાળો આપ્યો છે. તેમની આ પહેલોથી સુરત આજે વધુ સુરક્ષિત અને સુવ્યવસ્થિત શહેર બન્યું છે. આ કાર્ય માત્ર ટેક્નિકલ નથી પણ લોકોના જીવનની સુરક્ષા અને ગુનાખોર તત્વોને નાથવા માટેની એક ચોક્કસ વ્યવસ્થાનો ભાગ છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-06/0413.jpg" alt="04" width="1280" height="720"></img></span></p>
<p><span lang="gu" xml:lang="gu">લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ સાથે અશોકભાઈનું સેવાકાર્ય ઘણા વર્ષોથી છે. તેઓ 1995-96માં ડિસ્ટ્રિક્ટ ગવર્નર - </span>PDG <span lang="gu" xml:lang="gu">રહી ચૂક્યા છે અને પાસ્ટ મલ્ટિપલ કાઉન્સિલ ચેરમેન - </span>PMCC <span lang="gu" xml:lang="gu">તરીકે પણ સેવા આપી છે. તેમનું સૂત્ર “</span>Quest for Quality” <span lang="gu" xml:lang="gu">લાયન્સ સેવામાં પણ પ્રતિબિંબિત થાય છે. તેઓ વિવિધ સેવા પ્રોજેક્ટ્સમાં સક્રિય રહ્યા છે અને યુવાનોને સેવાની પ્રેરણા આપે છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">તેમના સામાજિક કાર્યોમાં સૌથી મહત્વનું અને પ્રેરણાદાયી કાર્ય છે લાયન્સ કેન્સર ડિટેક્શન સેન્ટર ટ્રસ્ટ</span>, <span lang="gu" xml:lang="gu">સુરતના ચેરમેન તરીકેનું તેઓનું યોગદાન. આ ટ્રસ્ટ ન્યૂ સિવિલ હોસ્પિટલ કેમ્પસ</span>, <span lang="gu" xml:lang="gu">મજુરા ગેટ</span>, <span lang="gu" xml:lang="gu">સુરત ખાતે કાર્યરત છે. જ્યાં લાખો દર્દીઓને મફત અથવા ઓછા ખર્ચે સારવાર પૂરી પાડવામાં આવી છે. અહીં દર્દીઓને મેડિકલ ઓન્કોલોજી</span>, <span lang="gu" xml:lang="gu">સર્જિકલ ઓન્કોલોજી</span>, <span lang="gu" xml:lang="gu">રેડિયેશન ઓન્કોલોજી</span>, <span lang="gu" xml:lang="gu">પીડિયાટ્રિક ઓન્કોલોજી</span>, CT <span lang="gu" xml:lang="gu">સ્કેન</span>, <span lang="gu" xml:lang="gu">પેથોલોજી જેવી સેવાઓ મળી રહશે. હાલમાં નિર્માણાધીન લાયન્સ કેન્સર હોસ્પિટલ આ ટ્રસ્ટનું સૌથી મોટું સ્વપ્ન છે. અશોકભાઈના નેતૃત્વમાં આ હોસ્પિટલ વિશ્વસ્તરીય સુવિધાઓ સાથે બની રહી છે અને વિશેષમાં તેની સારવાર દરેક માટે સસ્તી અને સુલભ રહેશે. તેમની દ્રષ્ટિ સ્પષ્ટ છે “આ હોસ્પિટલ માત્ર એક હોસ્પિટલ નહીં</span>, <span lang="gu" xml:lang="gu">પણ દર્દી સંભાળની સંસ્થા બને.” ધર્મ</span>, <span lang="gu" xml:lang="gu">જાતિ</span>, <span lang="gu" xml:lang="gu">વય કે લિંગના ભેદભાવ વગર દરેક દર્દીને ગૌરવ અને કરુણા સાથે સારવાર મળે એ જ તેમનું લક્ષ્ય છે. દાતાઓ દ્વારા પૂર્ણ સેવાસમર્પણ ભાવ સાથે દાન મળી રહ્યું છે અને આ પ્રોજેક્ટ દક્ષિણ ગુજરાત માટે વરદાન સાબિત થશે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-06/0218.jpg" alt="02" width="1280" height="720"></img></span></p>
<p><span lang="gu" xml:lang="gu">અશોકભાઈ કાનુંનગોનું જીવન આપણને શીખવે છે કે સફળતા માત્ર પૈસા કમાવવામાં નથી પણ તેનો ઉપયોગ સમાજના કલ્યાણ માટે કરવામાં છે. તેમની અડગતા</span>, <span lang="gu" xml:lang="gu">સરળતા અને સેવાનો આત્મભાવ તેમને સુરતના સાચા નાગરિક અને માર્ગદર્શક બનાવે છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ટ્રાફિક સુરક્ષા</span>, <span lang="gu" xml:lang="gu">લાયન્સ સેવા અને કેન્સર જેવા ગંભીર રોગ સામેની લડતમાં તેમનું યોગદાન હંમેશા સ્મરણીય નોંધનીય રહેશે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">તેઓ જેમ કહે છે તેમ</span>, “<span lang="gu" xml:lang="gu">દર્દીનું કલ્યાણ સૌથી પહેલા” આ જ વિચારથી તેઓ આગળ વધી રહ્યા છે. સુરતના લોકો માટે તેઓ એક જીવંત પ્રેરણા છે. તેમના જેવા વ્યક્તિઓના કારણે જ સુરત માત્ર આર્થિક રીતે જ નહીં પણ માનવીય અને સામાજિક રીતે પણ સમૃદ્ધ બન્યું છે.</span></p>
<p><em><span lang="gu" xml:lang="gu">(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)</span></em></p>]]></content:encoded>
                
                                                            <category>Opinion</category>
                                    

                <link>https://www.khabarchhe.com/opinion/a-symbol-of-dedication-foresight-and-service-ashok-kanungo-a-prominent-social-worker-from-surat/article-178368</link>
                <guid>https://www.khabarchhe.com/opinion/a-symbol-of-dedication-foresight-and-service-ashok-kanungo-a-prominent-social-worker-from-surat/article-178368</guid>
                <pubDate>Mon, 15 Jun 2026 12:20:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-06/0119.jpg"                         length="977578"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે</title>
                                    <description><![CDATA[<p><strong>(ઉત્કર્ષ પટેલ)</strong></p>
<p>હિન્દુ ધર્મમાં સમયને માત્ર ઘડિયાળના કાંટા તરીકે નહીં પણ દિવ્ય શક્તિ તરીકે જોવામાં આવે છે. સંધ્યાકાળ અથવા ગૌધુલી વેળાનું વિશેષ સ્થાન છે. આ સમય દિવસ અને રાત્રિના સંગમનો છે જ્યારે સૂર્યાસ્ત થાય છે અને અંધકારનું આગમન થાય છે. ગૌધુલી એટલે ગાયોના પાછા આવવાનો સમય જ્યારે ગાયોના પગથી ઊડતી ધૂળ (ગો-ધૂળિ) વાતાવરણને પવિત્ર બનાવે છે. આ સમયને હિન્દુ પરંપરામાં અત્યંત શુભ અને આધ્યાત્મિક માનવામાં આવે છે. વેદો, સ્મૃતિઓ અને પુરાણોમાં આ સમયની આ વિશેષતા વર્ણવવામાં આવી છે.</p>
<p><strong>સંધ્યાકાળ અને ગૌધુલીનું મહત્ત્વ</strong></p>
<p>હિન્દુ ધર્મમાં ત્રણ સંધ્યાઓ માનવામાં આવે છે પ્રાતઃ સંધ્યા, મધ્યાહ્ન સંધ્યા અને સાયં સંધ્યા. સાયં સંધ્યા એટલે સાંજનો</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/opinion/importance-of-sandhyakal/article-178363"><img src="https://www.khabarchhe.com/media/400/2026-06/0118.jpg" alt=""></a><br /><p><strong>(ઉત્કર્ષ પટેલ)</strong></p>
<p>હિન્દુ ધર્મમાં સમયને માત્ર ઘડિયાળના કાંટા તરીકે નહીં પણ દિવ્ય શક્તિ તરીકે જોવામાં આવે છે. સંધ્યાકાળ અથવા ગૌધુલી વેળાનું વિશેષ સ્થાન છે. આ સમય દિવસ અને રાત્રિના સંગમનો છે જ્યારે સૂર્યાસ્ત થાય છે અને અંધકારનું આગમન થાય છે. ગૌધુલી એટલે ગાયોના પાછા આવવાનો સમય જ્યારે ગાયોના પગથી ઊડતી ધૂળ (ગો-ધૂળિ) વાતાવરણને પવિત્ર બનાવે છે. આ સમયને હિન્દુ પરંપરામાં અત્યંત શુભ અને આધ્યાત્મિક માનવામાં આવે છે. વેદો, સ્મૃતિઓ અને પુરાણોમાં આ સમયની આ વિશેષતા વર્ણવવામાં આવી છે.</p>
<p><strong>સંધ્યાકાળ અને ગૌધુલીનું મહત્ત્વ</strong></p>
<p>હિન્દુ ધર્મમાં ત્રણ સંધ્યાઓ માનવામાં આવે છે પ્રાતઃ સંધ્યા, મધ્યાહ્ન સંધ્યા અને સાયં સંધ્યા. સાયં સંધ્યા એટલે સાંજનો સંધ્યાકાળ જે ગૌધુલી વેળા તરીકે પણ ઓળખાય છે. આ સમય દિવસ અને રાત્રિનો સમન્વય છે જ્યાં પ્રકૃતિની ઊર્જા સંતુલિત થાય છે. વૈદિક પરંપરા અનુસાર આ સમયે સંધ્યાવંદન કરવું જરૂરી છે. તેમાં સૂર્યને અર્ઘ્ય આપવો, હોમ હવન જપ કરવો અને ધ્યાન કરવું ઉત્તમ રહે છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-06/0317.jpg" alt="03" width="1280" height="720"></img></p>
<p>મનુસ્મૃતિમાં કહેવામાં આવ્યું છે કે સવારની સંધ્યામાં ઊભા રહીને મંત્ર જપ કરવાથી રાત્રિના પાપ દૂર થાય છે અને સાંજે બેસીને જપ કરવાથી દિવસના પાપ નાશ પામે છે. આ સમયે પ્રાણ શક્તિ (પ્રાણ) સુષુમ્ના નાડીમાં વહે છે જે ધ્યાન અને પ્રાર્થના માટે આદર્શ છે. ગૌધુલી વેળા લક્ષ્મીજીના આગમનનો સમય માનવામાં આવે છે. આ સમયે દીપ પ્રજ્વલિત કરવા, ભજન ગાવા અને વિષ્ણુના પગલાં દોરવા જેવા કાર્યો શુભ માનવામાં આવે છે. આધ્યાત્મિક રીતે આ સમય મનને શાંતિ આપે છે, અહંકારને ઘટાડે છે અને ઈશ્વર સાથે આપણો સમન્વય કરાવે છે.</p>
<p><strong>જીવનમાં આ સમયની ઉપયોગીતા</strong></p>
<p>આજના વ્યસ્ત જીવનમાં સંધ્યાકાળનો ઉપયોગ વ્યક્તિગત વિકાસ માટે અમૂલ્ય છે. સાંજે કામકાજ પૂરા થયા પછી આ સમય ચિંતન અને આત્મનિરીક્ષણ માટે આદર્શ છે. ધ્યાન અને પ્રાણાયામ કરવાથી માનસિક તાણ ઉચાટ ઘટે છે, ઊંઘ સારી આવે છે અને સ્વાસ્થ્ય સુધરે છે. પ્રકૃતિ ની અનુભૂતિ થાય છે. પક્ષીઓના અવાજ, આબોહવા નો સ્પર્શ અને સૂર્યાસ્તનું દૃશ્ય મનને શાંતિ આપે છે.</p>
<p>વ્યવહારિક જીવનમાં આ સમય નવા કાર્યોની શરૂઆત માટે શુભ માનવામાં આવે છે. લગ્ન, ગૃહપ્રવેશ જેવા શુભ કાર્યોમાં ગૌધુલી મુહૂર્ત પસંદ કરવામાં આવે છે. પરિવારના સભ્યો સાથે આ સમય વિતાવવાથી સંબંધો મજબૂત થાય છે. બાળકોને આ સમયે પ્રાર્થના શીખવવાથી તેમનામાં શિસ્ત, ભક્તિ અને સંસ્કાર વિકસે છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ પણ આ સમય સર્કેડિયન રિધમ (દૈનિક લય) સાથે મેળ ખાય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-06/0217.jpg" alt="02" width="1280" height="720"></img></p>
<p><strong>કુટુંબ પ્રબોધનમાં સંધ્યાકાળનું સ્થાન</strong></p>
<p>કુટુંબ એ હિન્દુ સંસ્કૃતિનું મૂળ છે. સંધ્યાકાળને કુટુંબી જીવન સાથે જોડવાથી પરિવારમાં આત્મીયતા, એકતા, પ્રેમ અને ધાર્મિક આધ્યાત્મિક વાતાવરણ બને છે. સાંજે પરિવારના સૌ સભ્યો એકત્રિત થઈને દીપ પ્રગટાવી, આરતી કરી અને ભજન કીર્તન કરી શકે છે. આ સમયે બાળકોને રામાયણ, મહાભારત અથવા પુરાણોની કથાઓ સંભળાવી શકાય છે જેથી તેમને ધર્મ, કર્મ અને મૂલ્યોનું જ્ઞાન મળે.</p>
<p>માતા પિતા ગૌધુલી સમયે બાળકોને મંત્ર જાપ અથવા સરળ પ્રાર્થનાઓ શીખવી શકે છે. આ રીતે બાળકોના મનમાં ભક્તિ અને સંસ્કાર વાવી શકાય છે. સંયુક્ત પરિવારમાં આ સમય વૃદ્ધો અને યુવાનોને એકબીજા સાથે જોડે છે. સ્ત્રીઓ પરિવારના સભ્યોને સંધ્યાવંદન કરવા પ્રેરિત કરી શકે છે. આવી રીતે કુટુંબ જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને આધ્યાત્મિકતા વધે છે. આધુનિક જીવનમાં પણ આ સમયને અપનાવવાથી પરિવારના સભ્યો વચ્ચેના અંતર ઘટે છે અને સંબંધો વધુ મજબૂત બને છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-06/0412.jpg" alt="04" width="1280" height="720"></img></p>
<p>સરળ ભાષામાં સમજીએ તો સંધ્યાકાળ અને ગૌધુલી સમય હિન્દુ જીવનનો અનમોલ ભાગ છે. તે માત્ર ધાર્મિક સમજ કે વિધિ નથી પણ જીવનને સુખી, સ્વસ્થ અને આધ્યાત્મિક બનાવવાનો માર્ગ છે. આ સમયને નિયમિત અપનાવવાથી વ્યક્તિ પોતાના કર્મોનું શુદ્ધિકરણ કરે છે, પરિવારમાં સુખ શાંતિ લાવે છે અને સમાજમાં સંસ્કારી પેઢી તૈયાર કરે છે. આજના યુગમાં જ્યારે જીવન વ્યસ્ત અને તણાવપૂર્ણ બની ગયું છે ત્યારે સાંજના આ પવિત્ર સમયને અપનાવીને આપણે આપણા હિન્દુત્વના મૂળ સાથે જોડાઈ શકીએ છીએ. ચાલો, આપણે સૌ આ સમયને જીવનનો અભિન્ન ભાગ બનાવીએ અને ઈશ્વરના આશીર્વાદ મેળવીએ.</p>
<p><em>(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)</em></p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Opinion</category>
                                    

                <link>https://www.khabarchhe.com/opinion/importance-of-sandhyakal/article-178363</link>
                <guid>https://www.khabarchhe.com/opinion/importance-of-sandhyakal/article-178363</guid>
                <pubDate>Sun, 14 Jun 2026 19:09:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-06/0118.jpg"                         length="927781"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે</title>
                                    <description><![CDATA[<p><strong>(ઉત્કર્ષ પટેલ)</strong></p>
<p>ગુજરાતમાં સેવા અને સાંસ્કૃતિક વારસાના ક્ષેત્રે અનારબેન પટેલ એક પ્રેરણાદાયી નામ છે. પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુત્રી  અનારબેન પટેલ માત્ર એક ઉદ્યોગસાહસી જ નહીં પરંતુ ભક્તિ, સેવા અને સમર્પણના ત્રિવેણી સંગમનું જીવંત ઉદાહરણ છે. તેમનું વ્યક્તિત્વ નિરાભિમાની, સહજ પારદર્શી અને સેવા સમર્પિત છે જે અનેક મહિલાઓ, કારીગરો અને સવિશેષ યુવાવર્ગ માટે પ્રેરણાદાયી છે. </p>
<p>અનારબેન માટે તેમની માતા આનંદીબેન પટેલ જ આદર્શ છે. માતાના સેવાભાવ, કર્મયોગ અને સમાજપ્રત્યેના સમર્પણથી પ્રભાવિત થઈને અનારબેન નાની ઉંમરથી જ સેવાના માર્ગે પગલાં માંડ્યાં હતા. 1995માં તેમણે ગ્રામશ્રી ટ્રસ્ટની સ્થાપના કરી જે અંતરિયાળ વિસ્તારોની કપરી સ્થિતિમાં જીવતી મહિલાઓને આર્થિક સ્વાવલંબન</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/opinion/anarben-patel-is-a-personality-who-is-a-triune-confluence-of-devotion--service-and-dedication/article-178110"><img src="https://www.khabarchhe.com/media/400/2026-05/0134.jpg" alt=""></a><br /><p><strong>(ઉત્કર્ષ પટેલ)</strong></p>
<p>ગુજરાતમાં સેવા અને સાંસ્કૃતિક વારસાના ક્ષેત્રે અનારબેન પટેલ એક પ્રેરણાદાયી નામ છે. પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુત્રી  અનારબેન પટેલ માત્ર એક ઉદ્યોગસાહસી જ નહીં પરંતુ ભક્તિ, સેવા અને સમર્પણના ત્રિવેણી સંગમનું જીવંત ઉદાહરણ છે. તેમનું વ્યક્તિત્વ નિરાભિમાની, સહજ પારદર્શી અને સેવા સમર્પિત છે જે અનેક મહિલાઓ, કારીગરો અને સવિશેષ યુવાવર્ગ માટે પ્રેરણાદાયી છે. </p>
<p>અનારબેન માટે તેમની માતા આનંદીબેન પટેલ જ આદર્શ છે. માતાના સેવાભાવ, કર્મયોગ અને સમાજપ્રત્યેના સમર્પણથી પ્રભાવિત થઈને અનારબેન નાની ઉંમરથી જ સેવાના માર્ગે પગલાં માંડ્યાં હતા. 1995માં તેમણે ગ્રામશ્રી ટ્રસ્ટની સ્થાપના કરી જે અંતરિયાળ વિસ્તારોની કપરી સ્થિતિમાં જીવતી મહિલાઓને આર્થિક સ્વાવલંબન અને સન્માન આપવાનું માધ્યમ બની. માતાના માર્ગદર્શનમાં અનારબેને ક્યારેય પ્રસિદ્ધિ કે પદની પાછળ દોડ્યાં નથી અને તેમનું જીવન આજ સુધી માત્ર સેવા અને સમર્પણનું પ્રતીક રહ્યું છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-05/0422.jpg" alt="04" width="1280" height="720"></img></p>
<p>અનારબેનનું વ્યક્તિત્વ સાવ નિરાભિમાની છે. તેઓ જીવનમાં યોગ અને ધ્યાન ને મહત્ત્વ આપે છે. ઘરમાં માતૃત્વની જવાબદારીઓ નિભાવતી, સેવા કાર્યોનું સંચાલન કરતી અને સમાજના દુ:ખી પીડિત વર્ગની વાતો સાંભળતી વખતે તેઓ હંમેશા સંતુલન જાળવી રાખે છે. “હું મારા શ્રેષ્ઠ પ્રયાસ કરું છું” આ સરળ વાક્ય તેમની વિનમ્રતાનું પ્રતીક છે. કોઈ પણ પ્રસંગે તેઓ પોતાની વાતને મોટી કરતાં નથી, પરંતુ સેવાના કાર્યને આગળ ધપાવે છે. આ નિરાભિમાની વલણ તેમને સમાજમાં અનોખું સ્થાન આપે છે.</p>
<p>શ્રી ખોડલધામ ટ્રસ્ટમાં અનારબેનની ભક્તિ અને પાટીદાર સમાજ માટે સેવાભાવ કેન્દ્રસ્થ રહે છે. જાન્યુઆરી 2026માં તેમને ખોડલધામ સંગઠનના અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આ પહેલાં તેઓ ટ્રસ્ટી અને મહિલા વિભાગના નેતૃત્વમાં સક્રિય હતાં. લેઉવા પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર શ્રી ખોડલધામમાં તેઓ ભક્તિના સાથે સેવા અને સમાજસુધારાને જોડી રહ્યાં છે. સમાજની યુવા પેઢીને ઇતિહાસ, સંસ્કાર, સંસ્કૃતિ અને એકતાનો પાઠ આપવા માટે તેઓ સતત પ્રયાસ કરે છે. પાટીદાર સમાજના વિકાસ, મહિલા સશક્તિકરણ અને સામાજિક સંગઠનમાં તેમની સક્રિયતા ગુજરાતની બહેન દીકરીઓ માટે એક મોટી પ્રેરણા છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-05/photo-(2)29.jpg" alt="Photo-(2)" width="1280" height="720"></img></p>
<p>અનારબેનના સેવાકીય કાર્યો અનેક છે અને તે લાખો લોકોના જીવનને સ્પર્શે છે. 1995માં ગ્રામશ્રી દ્વારા તેમણે અમદાવાદની સ્લમ વિસ્તારની મહિલાઓને સિલાઈ, કાપડકામ, એમ્બ્રોઇડરી કામ જેવી કુશળતા આપીને આર્થિક સ્વાવલંબનનો માર્ગ ખોલ્યો. આજે ગ્રામશ્રી 3000થી વધુ મહિલાઓને પ્રત્યક્ષ રીતે લાભ આપે છે. 2001ના કચ્છ ભૂકંપ પછી તેમણે લુડિયા, ગાંધીનું ગામ જેવા ગામડાઓનું પુન:નિર્માણ કર્યું અને કારીગરોને રોજગારી આપી. માનવ સાધના જેવી સંસ્થા દ્વારા 1000થી વધુ સ્લમ બાળકોને શિક્ષણ અને મૂલ્યોનું પોષણ આપવામાં પણ તેમનો મહત્વનો ફાળો છે. આ તમામ કાર્યોમાં તેમનો હેતુ માત્ર સહાય કરવાનો નથી પરંતુ સમાજને સ્વાવલંબી અને સમૃદ્ધ બનાવવાનો છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-05/0334.jpg" alt="03" width="1280" height="720"></img></p>
<p>કલા પ્રત્યે અનારબેનનો સમર્પણભાવ અસાધારણ છે. ક્રાફ્ટરૂટ્સ તેમની આ દ્રષ્ટિનું જીવંત સ્વરૂપ છે. ગ્રામશ્રી હેઠળ સ્થાપિત ક્રાફ્ટરૂટ્સે છેલ્લા બે દાયકામાં 35000થી વધુ કારીગરોને જોડ્યા છે અને ૭૫થી વધુ પરંપરાગત હસ્તકલાઓને પુનર્જીવન આપ્યું છે. મશરુ વણાટ જેવી મરતી કલાઓને પુન:સ્થાપિત કરીને ગુજરાતના મુખ્ય શહેરો ઉપરાંત દુબઈ થી મુંબઈ સુધી પ્રદર્શનો યોજીને તેઓએ કારીગરોને વૈશ્વિક ઓળખ અને બજાર આપ્યું છે. મહિલા કારીગરોને તાલીમ, ડિઝાઇન વર્કશોપ અને આર્થિક સમર્થન આપીને ક્રાફ્ટરૂટ્સે એમને સમાજમાં સન્માનનું વાતાવરણ પૂરું પાડ્યું છે. અનારબેન માને છે કે “દરેક કારીગરને સન્માન સાથે રોજગારી આપવી એ જ સાચી સેવા છે.” આ સમર્પણભાવથી તેઓ ભારતીય હસ્તકલાને આગામી પેઢી સુધી પહોંચાડી રહ્યાં છે. </p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-05/0238.jpg" alt="02" width="1280" height="720"></img></p>
<p>પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે અનારબેનનો આદરભાવ તેમની વાતો અને કાર્યોમાં સતત પ્રગટ થાય છે. તેઓ પીએમ મોદીને કર્મયોગી, અને કરુણામય વ્યક્તિત્વના આદરભાવથી હંમેશા વર્ણવે છે. તેમના કાર્યોમાં ‘નેશન ફર્સ્ટ’ની ભાવના સ્પષ્ટ જોવા મળે છે. ગ્રામશ્રી અને ક્રાફ્ટરૂટ્સ દ્વારા તેઓ મહિલા સશક્તિકરણ સાથે આત્મનિર્ભર ભારત અને સાંસ્કૃતિક વારસાના જતન જેવા પીએમ નરેન્દ્રભાઈ મોદીના વિઝનને વાસ્તવિક રૂપ આપી રહ્યાં છે. આમ જોતા તેમના કાર્યોમાં ‘સબકા સાથ, સબકા વિકાસ’નો મંત્ર સતત રણકે છે.</p>
<p>અનારબેન પટેલ એક સાદું , સમર્પિત અને પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે જેમનું જીવન સદેશ આપે છે કે સેવા એ જ સાચી ભક્તિ છે. તેમના કાર્યો દર્શાવે છે કે નિરાભિમાની હૃદયથી કરેલું કામ સમાજને કેવી રીતે બદલી શકે છે. આજની યુવા પેઢી માટે અનારબેન એક આદર્શ કહી શકાય જેમણે માતાના આદર્શને અપનાવીને, સમાજ માટે સમર્પિત થઈને અને કલાને જીવનનો અંગ બનાવીને એક નવો સેવાસેતુ બનાવ્યો છે.</p>
<p><em>(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)</em></p>]]></content:encoded>
                
                                                            <category>Opinion</category>
                                    

                <link>https://www.khabarchhe.com/opinion/anarben-patel-is-a-personality-who-is-a-triune-confluence-of-devotion--service-and-dedication/article-178110</link>
                <guid>https://www.khabarchhe.com/opinion/anarben-patel-is-a-personality-who-is-a-triune-confluence-of-devotion--service-and-dedication/article-178110</guid>
                <pubDate>Sun, 31 May 2026 12:31:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-05/0134.jpg"                         length="946711"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા</title>
                                    <description><![CDATA[<p><strong>(ઉત્કર્ષ પટેલ)</strong></p>
<p>સ્વભાવે સરળ અને સ્પષ્ટ વ્યક્તિત્વ ધરાવતા ડૉ. મહેન્દ્રસિંહ દેવસિંહ ચૌહાણ ગુજરાતના પ્રસિદ્ધ આંખના સર્જન છે. 24 ડિસેમ્બર 1964ના દિવસે તેમનો જન્મ થયો હતો. તેઓ કેશવી આંખ હોસ્પિટલના સંચાલક છે અને લાંબા સમયથી ગરીબોની સેવા કરી રહ્યા છે. તેમણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી 1987માં એમબીબીએસ, 1990માં ડીઓએમએસ, 1991માં એમએસ (ઓફ્થલ્મોલોજી) અને 2014માં પીએચડીની ડિગ્રી મેળવી છે. તેઓ ઘણા વર્ષ સુધી સરકારી મેડિકલ કોલેજ સુરતમાં અસિસ્ટન્ટ અને એસોસિયેટ પ્રોફેસર તરીકે કામ કરી ચૂક્યા છે. હાલમાં તેઓ શ્રી ભારતી મૈયા કોલેજ ઓફ ઓપ્ટોમેટ્રી એન્ડ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-05/1415.jpg" alt="14" width="1200" height="720" /></p>
<p>આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં તેમનું યોગદાન નોંધનીય રહ્યું છે. તેઓ વીર નર્મદ દક્ષિણ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/opinion/6a156634b5d26/article-178027"><img src="https://www.khabarchhe.com/media/400/2026-05/616.jpg" alt=""></a><br /><p><strong>(ઉત્કર્ષ પટેલ)</strong></p>
<p>સ્વભાવે સરળ અને સ્પષ્ટ વ્યક્તિત્વ ધરાવતા ડૉ. મહેન્દ્રસિંહ દેવસિંહ ચૌહાણ ગુજરાતના પ્રસિદ્ધ આંખના સર્જન છે. 24 ડિસેમ્બર 1964ના દિવસે તેમનો જન્મ થયો હતો. તેઓ કેશવી આંખ હોસ્પિટલના સંચાલક છે અને લાંબા સમયથી ગરીબોની સેવા કરી રહ્યા છે. તેમણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી 1987માં એમબીબીએસ, 1990માં ડીઓએમએસ, 1991માં એમએસ (ઓફ્થલ્મોલોજી) અને 2014માં પીએચડીની ડિગ્રી મેળવી છે. તેઓ ઘણા વર્ષ સુધી સરકારી મેડિકલ કોલેજ સુરતમાં અસિસ્ટન્ટ અને એસોસિયેટ પ્રોફેસર તરીકે કામ કરી ચૂક્યા છે. હાલમાં તેઓ શ્રી ભારતી મૈયા કોલેજ ઓફ ઓપ્ટોમેટ્રી એન્ડ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-05/1415.jpg" alt="14" width="1280" height="720"></img></p>
<p>આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં તેમનું યોગદાન નોંધનીય રહ્યું છે. તેઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સિંડિકેટ, સેનેટ અને મેડિસિન ફેકલ્ટીના ડીન તરીકે કામ કરી ચૂક્યા છે. રાષ્ટ્રીય સ્તરે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં પણ તેઓ ઇલેક્ટેડ મેમ્બર હતા અને ત્યાં અનેક સબ-કમિટીમાં સેવા આપી છે. દેશમાં મેડિકલની બેઠકો વધારવા અંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ સતત રજૂઆતો કરી હતી જેનું પરિણામ મળ્યું હતું. ગુજરાતમાં મેડિકલ શિક્ષણ અને હેલ્થકેર સુધારવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-05/1313.jpg" alt="13" width="1280" height="720"></img></p>
<p>ડૉ. ચૌહાણ સેવાકાર્ય માટે વિશેષ જાણીતા છે. વર્ષ 2000થી સત્ય સાઈ આંખ હોસ્પિટલમાં તેઓ ઓનરરી સર્જન તરીકે કામ કરે છે. અત્યાર સુધીમાં તેમણે 20000થી વધુ કેટેરેક્ટની સર્જરીઓ ગરીબ લોકો માટે સંપૂર્ણ મફત કરી છે. આ સેવા માટે તેમને શ્રી સત્ય સાઈ ધન્વંતરી સેવા એવોર્ડ મળ્યો છે.<br />તેઓ ભરત કેન્સર હોસ્પિટલના ચેરમેન છે. આઈ વ્યુ લેસર વિઝનના સ્થાપક છે જ્યાં દક્ષિણ ગુજરાતના 40 જેટલા આંખના ડોક્ટરો સાથે મળીને અદ્યતન લેસર સર્જરીની સુવિધા પૂરી પાડે છે. તેઓ કે.પી. સંઘવી જનરલ અને આંખ હોસ્પિટલના ટ્રસ્ટી પણ છે. સુરત પોલીસના સ્ટાફ માટે સ્માર્ટ કોપ હેલ્થ કાર્ડ શરૂ કરવામાં તેમનો મહત્વનો ફાળો રહ્યો છે.</p>
<p>સમાજસેવામાં તેઓ રાજપૂત સમાજ સાથે પણ જોડાયેલા છે. તેઓ રાજપૂત સમાજ સાઉથ ગુજરાત ક્ષત્રિય સંઘના એક્ઝિક્યુટિવ મેમ્બર અને રાજપૂત સમાજ ડોક્ટર એસોસિયેશનના સ્થાપક સેક્રેટરી છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-05/1518.jpg" alt="15" width="1280" height="720"></img></p>
<p>તેમનું વ્યક્તિત્વ નમ્ર, કાર્યક્ષમ અને સ્પષ્ટ નિર્ણયો માટે ચર્ચામાં છે. તેઓ વિવાદ ટાળીને સર્વસમ્મતિથી કાર્યો કરે છે. વિદ્યાર્થી જગત અને રાજકીય સમીકરણોમાં તેઓ હંમેશા ચર્ચાઓમાં રહેતા હોય છે. તેમણે અનેક સંશોધન પેપર્સ પ્રકાશિત કર્યા છે અને ચાર વિદ્યાર્થીઓએ તેમના માર્ગદર્શન હેઠળ પીએચડી પૂર્ણ કરી છે. તેમને ડૉ. કે.જે. ગણાત્રા રોટેટિંગ ટ્રોફી (2011-12) જેવા પુરસ્કારો મળ્યા છે. તેમના પત્ની ડૉ. બિનોદિની ચૌહાણ પણ તબીબી ક્ષેત્રમાં સક્રિય છે અને દીકરી કેશવી પણ ડોક્ટર છે. </p>
<p>ડૉ. ચૌહાણ એમના જીવનમાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીથી વિશેષ પ્રભાવિત રહ્યા છે. તેઓ કહેતા હોય છે કે " નરેન્દ્રભાઈ આપણા દેશનું ગૌરવ છે અને આપણાથી બને એટલો આપણે એમને સાથ આપવો જોઈએ. એમના કહે દેશ સેવા કરવી એ સાચી સેવા છે. " </p>
<p>ડોક્ટર હોવું અને વ્યસ્તતા વચ્ચે વિદ્યાર્થી જગત અને મેડિકલ સંસ્થાગત સેવાઓ આપવી અને એના માટે સમયનું સંતુલન કરવાની વિશેષ આવડત  ડૉ. ચૌહાણ ધરાવે છે. સમાજ પાસે વળતર મેળવવાની અપેક્ષા વિના અવિરત સેવામાં રચ્યાપચ્યા રહેતા આવા લોકોથી જ સમાજસેવા નો દીપ પ્રકાશ ફેલાવતો રહે છે.</p>
<p><em>(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)</em></p>]]></content:encoded>
                
                                                            <category>Opinion</category>
                                    

                <link>https://www.khabarchhe.com/opinion/6a156634b5d26/article-178027</link>
                <guid>https://www.khabarchhe.com/opinion/6a156634b5d26/article-178027</guid>
                <pubDate>Tue, 26 May 2026 15:15:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-05/616.jpg"                         length="48091"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dharmesh Kalsariya]]></dc:creator>
                            </item>
            <item>
                <title>દેશની તેલ કંપનીઓને રોજનું ₹1,000 કરોડનું નુકસાન</title>
                                    <description><![CDATA[<p><strong>(ઉત્કર્ષ પટેલ)</strong></p>
<p>કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ તાજેતરમાં જાહેર કર્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ અને ગેસના ભાવ આસમાને પહોંચી ગયા છે. તેલ કંપનીઓ મોંઘા ભાવે કાચો માલ ખરીદી રહી છે પરંતુ સામાન્ય જનતાને મોંઘવારીના આઘાતથી બચાવવા માટે સરકાર જૂના ભાવે જ પેટ્રોલ, ડીઝલ અને અન્ય ઈંધણ વેચી રહી છે. આ કારણે સરકારી તેલ કંપનીઓને દરરોજ ₹1,000 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. આ ત્રિમાસિક ગાળામાં કુલ ખોટ ₹1,00,000 કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. આ આંકડા માત્ર આર્થિક નથી પરંતુ દેશની ઊર્જા સુરક્ષા અને આર્થિક સ્થિરતા સાથે જોડાયેલા છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-05/0211.jpg" alt="02" width="1200" height="720" /></p>
<p>આ સંકટના ક્ષણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/opinion/oil-companies-in-the-country-are-losing-rs-1-000-crore-daily/article-177768"><img src="https://www.khabarchhe.com/media/400/2026-05/0110.jpg" alt=""></a><br /><p><strong>(ઉત્કર્ષ પટેલ)</strong></p>
<p>કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ તાજેતરમાં જાહેર કર્યું છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલ અને ગેસના ભાવ આસમાને પહોંચી ગયા છે. તેલ કંપનીઓ મોંઘા ભાવે કાચો માલ ખરીદી રહી છે પરંતુ સામાન્ય જનતાને મોંઘવારીના આઘાતથી બચાવવા માટે સરકાર જૂના ભાવે જ પેટ્રોલ, ડીઝલ અને અન્ય ઈંધણ વેચી રહી છે. આ કારણે સરકારી તેલ કંપનીઓને દરરોજ ₹1,000 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. આ ત્રિમાસિક ગાળામાં કુલ ખોટ ₹1,00,000 કરોડ સુધી પહોંચવાનો અંદાજ છે. આ આંકડા માત્ર આર્થિક નથી પરંતુ દેશની ઊર્જા સુરક્ષા અને આર્થિક સ્થિરતા સાથે જોડાયેલા છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-05/0211.jpg" alt="02" width="1280" height="720"></img></p>
<p>આ સંકટના ક્ષણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને એક મહત્વપૂર્ણ અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે “આપણા દેશની પ્રગતિ અને સ્વાવલંબન માટે આપણે બધાએ મળીને કાર્ય કરવું પડશે. ઊર્જા સંરક્ષણ એ માત્ર વ્યક્તિગત જવાબદારી નથી, પરંતુ રાષ્ટ્રીય કર્તવ્ય છે.” PM મોદીની આ અપીલ દેશ હિતની છે. તેમણે જનતાને આહ્વાન આપ્યું છે કે વ્યક્તિગત અને સામૂહિક સ્તરે ઈંધણનો બચાવ કરીને આપણે તેલ આયાત પરનો બોજ ઘટાડી શકીએ. ભારત 85 ટકાથી વધુ કાચું તેલ આયાત કરે છે. આવી સ્થિતિમાં વૈશ્વિક કિંમતોના વધારાથી વિદેશી મુદ્રા ભંડાર પર દબાણ વધે છે. PMએ કહ્યું “જો આપણે થોડુંક બચાવીએ તો દેશ મોટું બચાવી શકે છે.”</p>
<p>PM મોદીની અપીલમાં વ્યવહારુ સૂચનો પણ સામેલ છે. તેમણે જનતાને વિનંતી કરી છે કે ટ્રાફિક સિગ્નલ પર વાહનનું એન્જિન બંધ રાખવું, જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરવો, ઘરમાં ઊર્જા કાર્યક્ષમ ઉપકરણો અપનાવવા અને સૌર ઊર્જાનો વિસ્તાર કરવો. આ અપીલ એકલા સરકારી પ્રયાસ પર આધારિત નથી પરંતુ દરેક નાગરિકના સહયોગને આમંત્રણ આપે છે. આ સાથે જ સરકારે તેલ કંપનીઓને નુકસાનથી બચાવવા માટે વિવિધ પગલાં લીધાં છે જેમ કે સબસિડી વ્યવસ્થા અને કર રાહતો. પરંતુ આ બધું જનતાના સહકાર વિના અધૂરું છે.<br />આ અપીલનું મહત્વ દેશ હિતના વ્યાપક સંદર્ભમાં સમજવું જરૂરી છે. </p>
<p>તેલની કિંમતો વધવાથી માત્ર તેલ કંપનીઓને જ નહીં પરંતુ આખી અર્થવ્યવસ્થાને અસર થાય છે. ટ્રાન્સપોર્ટ, ઉદ્યોગ અને કૃષિ જેવા ક્ષેત્રો પર તેની અસર પડે છે. PM મોદીએ વારંવાર કહ્યું છે કે ‘આત્મનિર્ભર ભારત’ના સપનાને સાકાર કરવા માટે ઊર્જા ક્ષેત્રમાં સ્વાવલંબન જરૂરી છે. આ માટે રિન્યુએબલ એનર્જીના વિકાસ સાથે સાથે વર્તમાન સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ પણ આવશ્યક છે. જનતાના સહયોગથી તેલ આયાત ઘટશે, વિદેશી મુદ્રા બચશે અને તેલ કંપનીઓનું આર્થિક સ્વાસ્થ્ય સુધરશે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-05/0110.jpg" alt="01" width="1280" height="720"></img></p>
<p>આ સંકટને તકમાં ફેરવવાની તક પણ છે. PM મોદીની અપીલમાં યુવાનોને ખાસ કરીને આહ્વાન આપવામાં આવ્યું છે કે તેઓ ટેક્નોલોજી અને નવીનતા દ્વારા ઊર્જા સંરક્ષણના નવા મોડલ વિકસાવે. ગ્રામીણ વિસ્તારોમાં બાયોગેસ અને સોલાર પ્લાન્ટનો વિસ્તાર કરીને સ્થાનિક સ્તરે સ્વાવલંબન વધારી શકાય છે. સરકાર પણ આ દિશામાં કામ કરી રહી છે  ગ્રીન હાઇડ્રોજન મિશન, ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન અને તેલ કંપનીઓને આધુનિકીકરણ માટે રોકાણ વધારવું.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-05/0310.jpg" alt="03" width="1280" height="720"></img></p>
<p>PM મોદીની અપીલ એક સામૂહિક જાગૃતિનું આહ્વાન છે. જ્યારે દેશ વૈશ્વિક અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યો છે ત્યારે દરેક નાગરિકનું નાનું યોગદાન મોટું પરિણામ આપી શકે છે. તેલ કંપનીઓના નુકસાનને રોકવું એ માત્ર આર્થિક મુદ્દો નથી પરંતુ રાષ્ટ્રીય સ્વાભિમાન અને સુરક્ષાનો પ્રશ્ન છે. આપણે બધાએ મળીને આ અપીલને સ્વીકારીને દેશ હિતને પ્રાથમિકતા આપવી જોઈએ. જો આપણે આજે થોડું બચાવીએ તો આવતીકાલે દેશ મજબૂત બનશે. આ જ છે વાસ્તવિક ‘સબકા સાથ, સબકા વિકાસ’નું સ્વરૂપ.</p>
<p><em>(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)</em></p>]]></content:encoded>
                
                                                            <category>Opinion</category>
                                    

                <link>https://www.khabarchhe.com/opinion/oil-companies-in-the-country-are-losing-rs-1-000-crore-daily/article-177768</link>
                <guid>https://www.khabarchhe.com/opinion/oil-companies-in-the-country-are-losing-rs-1-000-crore-daily/article-177768</guid>
                <pubDate>Mon, 11 May 2026 19:25:58 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-05/0110.jpg"                         length="970226"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ગુજરાતમાં પાટીદાર સમાજ અને ભાજપ: અટલ વિશ્વાસની ગાથા</title>
                                    <description><![CDATA[<p><strong>(ઉત્કર્ષ પટેલ)</strong></p>
<p>ગુજરાતની રાજકીય સાતત્યતામાં પાટીદાર સમાજ એક મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી તત્વ તરીકે ભૂમિકા ભજવે છે. આ સમાજે તડકી છાંયડીમાં પણ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને સાથ આપ્યો છે. સમાજના લોકોએ હંમેશા ભાજપને ચૂંટણીઓમાં ખોબલે ને ખોબલે મતો આપી વધાવી લીધો છે અને સતત વિશ્વાસ મૂક્યો છે. </p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-05/54.jpg" alt="54" width="1200" height="720" /></p>
<p>પાટીદાર સમાજ જેને પટેલ તરીકે પણ ઓળખવામાં આવે છે ગુજરાતના ખેડૂત અને વેપારી વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે. આ સમાજ મુખ્યત્વે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સુરત શહેરમાં વસે છે અને રાજ્યની અર્થવ્યવસ્થા તેમજ સમાજિક જીવનમાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. 1980ના દાયકામાં કોંગ્રેસના તત્કાલીન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના ‘ખામ’ (ક્ષત્રિય-હરિજન-આદિવાસી-મુસ્લિમ) સૂત્રએ પાટીદારોને</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/opinion/patidar-samaj-and-bjp-unwavering-faith-saga-in-gujarat/article-177739"><img src="https://www.khabarchhe.com/media/400/2026-05/photo-shop-copy111.jpg" alt=""></a><br /><p><strong>(ઉત્કર્ષ પટેલ)</strong></p>
<p>ગુજરાતની રાજકીય સાતત્યતામાં પાટીદાર સમાજ એક મહત્વપૂર્ણ અને પ્રભાવશાળી તત્વ તરીકે ભૂમિકા ભજવે છે. આ સમાજે તડકી છાંયડીમાં પણ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ને સાથ આપ્યો છે. સમાજના લોકોએ હંમેશા ભાજપને ચૂંટણીઓમાં ખોબલે ને ખોબલે મતો આપી વધાવી લીધો છે અને સતત વિશ્વાસ મૂક્યો છે. </p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-05/54.jpg" alt="54" width="1280" height="720"></img></p>
<p>પાટીદાર સમાજ જેને પટેલ તરીકે પણ ઓળખવામાં આવે છે ગુજરાતના ખેડૂત અને વેપારી વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે. આ સમાજ મુખ્યત્વે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સુરત શહેરમાં વસે છે અને રાજ્યની અર્થવ્યવસ્થા તેમજ સમાજિક જીવનમાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. 1980ના દાયકામાં કોંગ્રેસના તત્કાલીન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના ‘ખામ’ (ક્ષત્રિય-હરિજન-આદિવાસી-મુસ્લિમ) સૂત્રએ પાટીદારોને એકલા અટુલા પાડ્યા.  પરિણામે સમાજે કોંગ્રેસથી મોઢું ફેરવ્યુ અને ભાજપ માટે પાટીદાર સમાજની લાગણી વધી. આ પરિવર્તન ગુજરાતની રાજનીતિમાં એક મોટો વળાંક હતો. 1995ની વિધાનસભા ચૂંટણીમાં કેશુભાઈ પટેલ જેવા સમાજને સમર્પિત અને ખેડૂત હિતની વાત કરનાર પાટીદાર નેતાના નેતૃત્વમાં ભાજપે સરકાર બનાવી અને પાટીદાર સમાજે આને પોતાની જીત તરીકે મુલવણી કરી. આ સમયથી જ પાટીદાર સમાજ અને ભાજપ વચ્ચે અટલ સંબંધની શરૂઆત થઈ. હવે વર્ષો વર્ષ પાટીદાર સમાજે ભાજપને હંમેશા વધાવી લીધો. પીએમ નરેન્દ્રભાઇ મોદીના મુખ્યમંત્રી કાળખંડ દરમિયાન ગુજરાતના વિકાસ મોડલે પૂર્ણતઃ પાટીદાર સમાજને આકર્ષ્યો. </p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-05/502.jpg" alt="50" width="1280" height="720"></img></p>
<p>પાટીદાર સમાજના ખેડૂત, ઉદ્યોગપતિ અને યુવાનોને ભાજપની નીતિઓમાં હિન્દુત્વ પ્રત્યેનું સમર્પણ, વિકાસ અને સ્થિરતાની આશા જોવા મળી. 2002, 2007 અને 2012ની વિધાનસભા ચૂંટણીઓમાં પાટીદાર પ્રભુત્વવાળા વિસ્તારોમાં ભાજપને અદભૂત સમર્થન મળ્યું. સમાજે પાર્ટીને માત્ર મત આપ્યા એટલુજ નહીં પરંતુ કાર્યકર્તાઓ આપી સંગઠનાત્મક કાર્યમાં પણ પૂર્ણ સહયોગ આપ્યો. પાટીદાર નેતાઓએ ભાજપના વિવિધ નાના મોટા અગત્યના પદો પર કાર્ય કરીને પાર્ટીને મજબૂત બનાવી.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-05/522.jpg" alt="52" width="1280" height="720"></img></p>
<p>તડકી છાંયડીમાં પણ પાટીદાર સમાજનું ભાજપને સમર્થન અટલ રહ્યું. 2015માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન કેટલાક વિરોધ હોવા છતાં સમાજના મોટા ભાગે ભાજપ ને મત આપી વિશ્વાસ જાળવી રાખ્યો. શહેરી વિસ્તારોના પાટીદારોએ પાર્ટીને સતત સમર્થન આપ્યું છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કેટલાક વિસ્તારોમાં અસર પડી હોવા છતાં ભાજપે સરકાર બનાવી અને પાટીદાર સમાજે તેને સ્વીકારીને આગળ વધવાનો માર્ગ અપનાવ્યો અને આ સમયે પણ સમાજે ભાજપની વિકાસલક્ષી નીતિઓ પર વિશ્વાસ કર્યો. 2021માં ભૂપેન્દ્રભાઇ પટેલને મુખ્યમંત્રી બનાવવાથી સમાજમાં નવી ઉત્સાહની લહેર આવી અને આ નિર્ણય પાટીદાર સમાજના વિશ્વાસને વધુ મજબુત કરવામાં મહત્વનું સાબિત થયો.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-05/53.jpg" alt="53" width="1280" height="720"></img></p>
<p>2022ની વિધાનસભા ચૂંટણીઓમાં આ વિશ્વાસનું પરિણામ સ્પષ્ટ જોવા મળ્યું. ભાજપે 48 પાટીદાર ઉમેદવારોને ટિકિટ આપી હતી  અને તેમાંથી 41 જીત્યા. પાટીદાર પ્રભુત્વવાળા મોટાભાગના મતવિસ્તારોમાં ભાજપે વિજય મેળવ્યો. આ ચૂંટણીમાં સમાજે ફરી એક વાર ભાજપને વધાવી લીધી  અને ભાજપની વિકાસલક્ષી કાર્યશૈલી પર વિશ્વાસ મૂક્યો. 2024ની લોકસભા ચૂંટણીઓમાં પણ પાટીદાર સમાજના સમર્થનથી ભાજપે ગુજરાતમાં અદભુત પરિણામો મેળવ્યા. વર્ષોની ચૂંટણીઓના આંકડાઓ દર્શાવે છે કે પાટીદાર સમાજે સતત ભાજપને મત આપીને તેના પ્રત્યેની પ્રતિબદ્ધતા પુરવાર કરી છે.</p>
<p><strong>પાટીદાર સમાજના આ સમર્થન પાછળ અનેક કારણો છે. </strong><br />પહેલું તો ભાજપની હિન્દુત્વ અને વિકાસની વિચારધારા સમાજના સાંસ્કૃતિક અને આર્થિક મૂલ્યો સાથે જોડાયેલી છે. <br />બીજું એ કે પાર્ટીએ સમાજના યુવાનો માટે શિક્ષણ, રોજગાર અને ઉદ્યોગ વિકાસ પર ભાર મૂક્યો છે. <br />ત્રીજું કે ભાજપના નેતૃત્વમાં ગુજરાતના સમગ્ર વિકાસમાં પાટીદારોને લાભ મળ્યો છે. કૃષિ, ડેરી, ગૃહ - લઘુ- મધ્યમ અને મોટા ઉદ્યોગ વેપારમાં તેઓ આગળ વધ્યા છે. સમાજે વિકાસને ભાજપના સ્થિર સરકારના પરિણામ તરીકે સ્વીકૃતિ આપી છે. વિશેષમાં સ્થાનિક સ્તરે પંચાયત, નગરપાલિકાઓ તથા મહાનગરપાલિકાઓ ની ચૂંટણીઓમાં પણ પાટીદારોએ ભાજપને સતત વોટ આપ્યા જેનાથી પાર્ટીનું ગ્રામ્ય અને શહેરી સ્તર પર વર્ચસ્વ અકબંધ જળવાયું છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-05/55.jpg" alt="55" width="1280" height="720"></img></p>
<p>આજે વર્ષ 2026 સુધીના સમયમાં પણ આ સમીકરણ અકબંધ છે. ભૂપેન્દ્રભાઇ પટેલ જેવા પાટીદાર મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકારે વિવિધ કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી ચલાવી છે જેમાં સમાજના યુવાનો અને મહિલાઓને લાભ મળે છે. પાટીદાર સમાજે આને પોતાના વિશ્વાસનું પરિણામ માન્યું છે. બહુમત સમાજ માને છે કે ભાજપ જ સમાજના હિતોનું રક્ષણ કરી શકે છે અને ગુજરાતને વિકસિત રાજ્ય બનાવવામાં મદદ કરી શકે છે. </p>
<p>તારણ રૂપે ચોક્કસથી કહી શકાય કે ગુજરાતમાં પાટીદાર સમાજે ભાજપને હંમેશા વધાવી લીધો છે અને સતત વિશ્વાસ મૂક્યો છે. તડકી છાંયડીમાં પણ આ સમર્થન અવિરત રહ્યું છે. આ સંબંધ માત્ર રાજકીય નહીં પરંતુ વિકાસ, સ્થિરતા અને સાંસ્કૃતિક જોડાણનું ભાવનાત્મક સમીકરણ છે.</p>
<p><em>(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)</em></p>]]></content:encoded>
                
                                                            <category>Opinion</category>
                                    

                <link>https://www.khabarchhe.com/opinion/patidar-samaj-and-bjp-unwavering-faith-saga-in-gujarat/article-177739</link>
                <guid>https://www.khabarchhe.com/opinion/patidar-samaj-and-bjp-unwavering-faith-saga-in-gujarat/article-177739</guid>
                <pubDate>Sun, 10 May 2026 10:45:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-05/photo-shop-copy111.jpg"                         length="429348"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dharmesh Kalsariya]]></dc:creator>
                            </item>
            <item>
                <title>પ્રશાંત કોરાટને કાર્ય કરતા જોઈ સવજીભાઈ કોરાટની યાદ આવે એ સહજ છે</title>
                                    <description><![CDATA[<p><strong>(ઉત્કર્ષ પટેલ)</strong></p>
<p>સવજીભાઈ કોરાટ સૌરાષ્ટ્ર અને ગુજરાત ભાજપના કાર્યકર્તાઓ માટે અજાણ્યું નામ નથી. સૌરાષ્ટ્રના છોટે સરદાર તરીકે જાણીતા સવજીભાઈ કોરાટનું જીવન અને કાર્ય એક સમાજસેવા સમર્પિત રહ્યું. જેતપુર વિસ્તારના જુની સાંકળી ગામમાં 6 ઓગસ્ટ 1953ના રોજ ખેડૂત પરિવારમાં જન્મેલા સવજીભાઈમાં બાળપણથી જ નેતૃત્વ સેવાભાવના ગુણો હતા. કોલેજના દિવસોમાં સામાજિક કાર્યો અને રાજનીતિમાં રચ્યા પચ્યા રહી પી.ડી. માલવીયા કોલેજના જનરલ સેક્રેટરી ( GS ) બન્યા હતા. ત્યારબાદ જેતપુર વિધાનસભા ક્ષેત્રમાંથી પહેલીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને 1995માં ફરી ચૂંટાઈને કેશુભાઈ પટેલ અને સુરેશભાઈ મહેતાની સરકારમાં માર્ગ અને મકાન તથા પંચાયત રાજ્યમંત્રી પણ બન્યા. ત્રીજી વખત ચૂંટાયા પછી કેબિનેટ મંત્રી તરીકે માર્ગ અને</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/opinion/it-s-natural-to-be-reminded-of-prashant-korat-when-you-see-prashant-korat-at-work/article-177726"><img src="https://www.khabarchhe.com/media/400/2026-05/018.jpg" alt=""></a><br /><p><strong>(ઉત્કર્ષ પટેલ)</strong></p>
<p>સવજીભાઈ કોરાટ સૌરાષ્ટ્ર અને ગુજરાત ભાજપના કાર્યકર્તાઓ માટે અજાણ્યું નામ નથી. સૌરાષ્ટ્રના છોટે સરદાર તરીકે જાણીતા સવજીભાઈ કોરાટનું જીવન અને કાર્ય એક સમાજસેવા સમર્પિત રહ્યું. જેતપુર વિસ્તારના જુની સાંકળી ગામમાં 6 ઓગસ્ટ 1953ના રોજ ખેડૂત પરિવારમાં જન્મેલા સવજીભાઈમાં બાળપણથી જ નેતૃત્વ સેવાભાવના ગુણો હતા. કોલેજના દિવસોમાં સામાજિક કાર્યો અને રાજનીતિમાં રચ્યા પચ્યા રહી પી.ડી. માલવીયા કોલેજના જનરલ સેક્રેટરી ( GS ) બન્યા હતા. ત્યારબાદ જેતપુર વિધાનસભા ક્ષેત્રમાંથી પહેલીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા અને 1995માં ફરી ચૂંટાઈને કેશુભાઈ પટેલ અને સુરેશભાઈ મહેતાની સરકારમાં માર્ગ અને મકાન તથા પંચાયત રાજ્યમંત્રી પણ બન્યા. ત્રીજી વખત ચૂંટાયા પછી કેબિનેટ મંત્રી તરીકે માર્ગ અને મકાન વિભાગમાં અદભુત અભૂતપૂર્વ કાર્ય કર્યું. </p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-05/029.jpg" alt="02" width="1280" height="720"></img></p>
<p>સવજીભાઈની સેવા કાર્યશૈલી વિશિષ્ટ હતી. તેઓ નિડર, ખંતીલા અને સેવાભાવી વ્યક્તિત્વના ધણી હતા. ગુજરાતના કૃષિ પરિવારમાંથી આવ્યા હોય તેઓ લોકોની સમસ્યાઓને સરળતાથી સમજઈ જતા અને તેના ઉકેલ માટે થાક્યા હાર્યા વિના પ્રયત્ન કરતા. તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાતની સરકારી કચેરીઓ, સર્કિટ હાઉસ અને બાંધકામ સ્થળો પર અચાનક રેડ કરીને ભ્રષ્ટાચાર સામે સખત કાર્યવાહી કરવાની તેમની પહેલ રાજ્યભરમાં ચર્ચામાં રહેતી હતી. તેઓ કહેતા કે “કર્મ મહાન છે, કદ નહીં.” આ મનોબળ સાથે તેઓ વિકાસના કાર્યોમાં રચ્યા પચ્યા રહેતા હતા. માર્ગ અને મકાન વિભાગમાં અનેક પુલ, રસ્તાઓ અને ગ્રામપંચાયતોની વ્યવસ્થાને મજબૂત કરવામાં તેમનું યોગદાન અમૂલ્ય હતું. તેમના સેવાલક્ષી વ્યક્તિત્વના કારણે જેતપુર અને સૌરાષ્ટ્રના લોકો તેમને “છોટે સરદાર” કહીને સંબોધતા. તેઓ જનસંપર્કને વધુ મહત્ત્વ આપતા હતા અને ગામડે-ગામડે ઘર ઘર સુધી પહોંચીને સમસ્યાઓ સાંભળતા સમજતા અને ઉકેલ લાવવા મંડી પડતા. તેમની સક્રિયતા અને નિષ્ઠા યુવાનોને પ્રેરણા આપતા.</p>
<p>26 નવેમ્બર 1998ના રોજ માત્ર 45 વર્ષની ઉંમરે તેઓ અવસાન પામ્યા ત્યારે સૌરાષ્ટ્રમાં શોકની લહેર ફેલાઈ ગઈ હતી. આજે ગુજરાતમાં તેમના નામે તેમના નામે હોસ્પિટલ, પુલ અને રસ્તાઓ બનાવવામાં આવ્યા. પીએમ નરેન્દ્ર મોદીએ તેમની પ્રતિમા અનાવરણ કર્યું હતું. શ્રી સવજીભાઈ કોરાટ ટ્રસ્ટ દ્વારા આજે પણ આરોગ્ય કેમ્પ, શિક્ષણ અને સમાજસેવાના કાર્યો ચાલે છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-05/052.jpg" alt="05" width="1280" height="720"></img></p>
<p>આવા પિતાના પુત્ર ડૉ. પ્રશાંત કોરાટને આજે સમાજની વચ્ચે એ જ જોમ જુસ્સા સાથે કર્યા કરતા જોઈને તેમની યાદ સ્વાભાવિક રીતે તાજી થાય છે. હાલ પ્રશાંત કોરાટ ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી તરીકે તરીકે કાર્યરત છે. તેઓ પણ પિતાની જેમ સેવાભાવી વ્યક્તિત્વ ધરાવે છે. ટ્રસ્ટ દ્વારા આયોજિત આરોગ્ય કેમ્પોમાં, જનસંપર્ક અભિયાનોમાં અને સંગઠનના કાર્યોમાં તેઓ અવિરત મહેનત કરે છે. પિતાની જેમ તેઓ પણ નિડર અને ખંતીલા છે. લોકોની સમસ્યાઓને સમજીને તેના નિવારણ માટે સતત પ્રયત્નશીલ રહે છે. પ્રશાંત કોરાટની કાર્યશૈલીમાં સવજીભાઈની જેમ જ ભ્રષ્ટાચાર વિરોધી અને વિકાસલક્ષી અભિગમ જોવા મળે છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-05/072.jpg" alt="07" width="1280" height="720"></img></p>
<p>સવજીભાઈએ જે વ્યક્તિત્વનો આદર્શ સ્થાપ્યો છે તેમાં સેવા, નિષ્ઠા, નિડરતા અને લોકસેવાનો ભાવ કેન્દ્ર સ્થાને છે. પ્રશાંત કોરાટ પાસે આ જ અપેક્ષા રાખવી સ્વાભાવિક છે. તેઓ પિતાના સ્વપ્નને આગળ વધારતા, સૌરાષ્ટ્ર અને ગુજરાતના વિકાસમાં યોગદાન આપી રહ્યા છે. તેમના કાર્યમાં પિતાની વિરાટ સ્મૃતિ છત્રછાયા બનીને પ્રેરણા આપે એ અપેક્ષિત છે. આજે જ્યારે ગુજરાતને યુવા ઉપમુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી મળ્યા છે ત્યારે ભાજપના સંગઠનને મહામંત્રી તરીકે પ્રશાંત કોરાટ મળ્યા છે જે એમની સક્રિય કાર્યશૈલીથી ગુજરાતના યુવાનોને પ્રેરણા મળી રહી છે. </p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-05/062.jpg" alt="06" width="1280" height="720"></img></p>
<p>સવજીભાઈ કોરાટનું જીવન એક સંદેશ કહી શકાય કે સાચી સેવા કરવી એ જ સાચી રાજનીતિ છે. પ્રશાંત કોરાટ જેવા યુવાનો જે પોતાના પિતાના જીવન સંદેશથી પ્રેરણા લઈને સેવાને જીવનમંત્ર બનાવે એ ગુજરાતની અસ્મિતાને શોભે એવું જીવતું જાગતું દૃષ્ટાંત કહી શકાય.</p>
<p><em>(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)</em></p>]]></content:encoded>
                
                                                            <category>Opinion</category>
                                    

                <link>https://www.khabarchhe.com/opinion/it-s-natural-to-be-reminded-of-prashant-korat-when-you-see-prashant-korat-at-work/article-177726</link>
                <guid>https://www.khabarchhe.com/opinion/it-s-natural-to-be-reminded-of-prashant-korat-when-you-see-prashant-korat-at-work/article-177726</guid>
                <pubDate>Sat, 09 May 2026 14:51:04 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-05/018.jpg"                         length="979636"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ભારતનો અમેરિકા-ઈરાન વચ્ચે સક્રિય મધ્યસ્થી ન કરવાનો નિર્ણય બિલકુલ યોગ્ય છે </title>
                                    <description><![CDATA[<p><strong>(ઉત્કર્ષ પટેલ)</strong></p>
<p>અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધ સંઘર્ષના સમીકરણ સંદર્ભમાં ભારત દ્વારા સક્રિય મધ્યસ્થીની ભૂમિકા ન ભજવવાનો નિર્ણય બિલકુલ યોગ્ય અને વ્યવહારુ છે. આ નિર્ણય ભારતની વિદેશનીતિ અને કૂટનીતિના મૂળ સિદ્ધાંતો સાથે બંધ બેસે છે જે દેશના આર્થિક હિતને સર્વોપરી માને છે. હાલના વૈશ્વિક વાતાવરણમાં જ્યારે ભારત વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે ત્યારે અન્ય દેશોના વિવાદોમાં પડવાને બદલે પોતાના રાષ્ટ્રહિતને પ્રાથમિકતા આપવી એ જ યોગ્ય વલણ છે. </p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/341.jpg" alt="34" width="1200" height="720" /></p>
<p>ભારતની વિદેશનીતિનો મૂળ આધાર ‘વ્યૂહાત્મક સ્વાયત્તતા’ અને ‘મલ્ટી એલાઈનમેન્ટ’ છે. આ સિદ્ધાંત હેઠળ ભારત કોઈ એક રાષ્ટ્ર શક્તિના પ્રભાવમાં આવ્યા વિના બધા પ્રમુખ દેશો સાથે સંતુલિત સંબંધો જાળવી રાખે છે.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/opinion/indias-decision-not-to-actively-mediate-between-america-and-iran/article-177361"><img src="https://www.khabarchhe.com/media/400/2026-04/321.jpg" alt=""></a><br /><p><strong>(ઉત્કર્ષ પટેલ)</strong></p>
<p>અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધ સંઘર્ષના સમીકરણ સંદર્ભમાં ભારત દ્વારા સક્રિય મધ્યસ્થીની ભૂમિકા ન ભજવવાનો નિર્ણય બિલકુલ યોગ્ય અને વ્યવહારુ છે. આ નિર્ણય ભારતની વિદેશનીતિ અને કૂટનીતિના મૂળ સિદ્ધાંતો સાથે બંધ બેસે છે જે દેશના આર્થિક હિતને સર્વોપરી માને છે. હાલના વૈશ્વિક વાતાવરણમાં જ્યારે ભારત વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે ત્યારે અન્ય દેશોના વિવાદોમાં પડવાને બદલે પોતાના રાષ્ટ્રહિતને પ્રાથમિકતા આપવી એ જ યોગ્ય વલણ છે. </p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/341.jpg" alt="34" width="1280" height="720"></img></p>
<p>ભારતની વિદેશનીતિનો મૂળ આધાર ‘વ્યૂહાત્મક સ્વાયત્તતા’ અને ‘મલ્ટી એલાઈનમેન્ટ’ છે. આ સિદ્ધાંત હેઠળ ભારત કોઈ એક રાષ્ટ્ર શક્તિના પ્રભાવમાં આવ્યા વિના બધા પ્રમુખ દેશો સાથે સંતુલિત સંબંધો જાળવી રાખે છે. અમેરિકા સાથેના આપણા દેશના સંબંધો આજે વિવિધ વેપારમાં ખાસ કરીને ટેક્નોલોજી અને સુરક્ષા ક્ષેત્રે અભૂતપૂર્વ છે. 2025-26ના આંકડા મુજબ અમેરિકા સાથેનો ભારતનો વેપાર 190 અબજ ડોલરથી વધુ છે અને તેમાં IT સેવાઓ, ફાર્મા અને ઊર્જા ક્ષેત્રનું મોટું યોગદાન છે. બીજા પક્ષે ઈરાન સાથે પણ ઊર્જા સંદર્ભે અગત્યના વ્યાપારિક સંબંધો ભારત ધરાવે છે. ચાબહાર પોર્ટ પ્રોજેક્ટ દ્વારા ભારતને મધ્ય એશિયા અને અફઘાનિસ્તાન સુધી માર્ગ મળે છે જે ભારતની આયાત નિકાસને સરળ બનાવે છે. જો ભારતે અમેરિકા ઈરાન વિવાદમાં સક્રિય મધ્યસ્થી કરી હોત તો આ બંને સંબંધોમાં તિરાડ પડી શકે તેમ હતું. તટસ્થ રહેવાથી ભારતે પોતાની આર્થિક અને વ્યાપારિક સ્થિરતા જાળવી રાખી છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/351.jpg" alt="35" width="1280" height="720"></img></p>
<p>દેશ જ્યારે પ્રગતિની દિશામાં આગળ વધી રહ્યો હોય ત્યારે વિદેશી વિવાદોમાં પડવું એ આત્મહત્યા સમાન છે. વર્તમાન સરકાર સમયે ભારતનું અર્થતંત્ર વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. GDP વૃદ્ધિ દર 7 ટકાથી વધુ છે, વિદેશી રોકાણો (FDI) આવી રહ્યા છે અને મેન્યુફેક્ચરિંગ સેક્ટર ‘મેક ઈન ઈન્ડિયા’ દ્વારા મજબૂત બની રહ્યું છે. આવી સ્થિતિમાં અન્ય દેશોના રાજકીય અથવા યુદ્ધોના વિવાદોમાં સક્રિય થવાથી દેશના આર્થિક લક્ષ્યો પર અસર પડે. કોઈનો પક્ષ લેવો અને બીજનો પક્ષ ન લેવાથી સીધી તેલની આયાત પર અસર પડે જે મોંઘવારી વધારે અને ઉદ્યોગોને નુકસાન પહોંચાડે. તેથી ‘આપણું હિત જાળવીએ’નું વલણ બિલકુલ સાચું છે. આ વલણે ભારતને યુક્રેન રશિયા સંકટમાં પણ તટસ્થ રાખ્યું હતું અને તેલની સસ્તી આયાત દ્વારા અર્થતંત્રને લાભ થયો હતો.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/331.jpg" alt="33" width="1280" height="720"></img></p>
<p>વૈશ્વિક શાંતિ અને માનવતાના હિતમાં કાર્ય કરવું એ ભારતની રાષ્ટ્રનીતિનો અનિવાર્ય ભાગ છે. આ નીતિ લાંબા ગાળે દેશને લાભકારી નીવડશે. ભારતે વૈશ્વિક સ્તરે ‘વસુધૈવ કુટુંબકમ્’ના સિદ્ધાંતને અનુસરીને જ G20 માં વિકાસશીલ દેશોના હિતની વાત કરી હતી. આવી નીતિને કારણે ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માન મળ્યું છે અને વેપાર તેમજ રોકાણના નવા દરવાજા ખુલ્યા છે. વૈશ્વિક શાંતિના પ્રયાસોમાં સક્રિય ભાગ લેવો, પરંતુ વિવાદના પક્ષકાર ન બનવું આ જ આદર્શ વલણ છે જે ભારતને આર્થિક રીતે મજબૂત બનાવશે. </p>
<p>વિશેષ કરીને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વિશ્વના નેતાઓ વચ્ચેની સ્વીકૃતિ આ સમીકરણમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. વિશ્વના અનેક નેતાઓ સાથેના તેમના વ્યક્તિગત સંબંધોને કારણે ભારતને ક્વાડ, I2U2, IMEC જેવા વ્યૂહાત્મક મંચો પર અગ્રેસર સ્થાન મળ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ સાથેની વાતચીતથી ટેક્નોલોજી ટ્રાન્સફર અને રોકાણ વધ્યાં છે જ્યારે મધ્ય પૂર્વના દેશો સાથેના સંબંધોએ ઊર્જા અને લોજિસ્ટિક્સ ક્ષેત્રે નવી તકો ઊભી કરી છે. પીએમ મોદીની આ કૂટનીતિને કારણે ભારત આજે કોઈ એક પક્ષનો ગુલામ નથી પરંતુ સ્વતંત્ર અને મજબૂત ભાગીદાર છે. </p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/361.jpg" alt="36" width="1280" height="720"></img></p>
<p>એટલું ચોક્કસ  કહી શકાય કે અમેરિકા ઈરાન સંદર્ભે ભારતની તટસ્થતા કોઈ નબળાઈ નથી પરંતુ તેની વિદેશનીતિની પરિપક્વતા છે. આ નીતિ દેશને આર્થિક પ્રગતિના લક્ષ્ય માટે અડીખમ રાખે છે, વૈશ્વિક શાંતિમાં નોંધનીય યોગદાન આપે છે અને માનવતાના હિતને સાચવે છે. જ્યારે ભારત 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આવી વ્યવહારુ અને હિતલક્ષી વિદેશનીતિ જ દેશને સફળતાની ટોચે પહોંચાડશે. આ જ વલણ ભારતને વિશ્વમંચ પર માન સન્માન અને આર્થિક સમૃદ્ધિ પણ આપશે.</p>
<p><em><span lang="gu" xml:lang="gu">(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ</span>, <span lang="gu" xml:lang="gu">સમાજસેવક અને </span>khabarchhe.com<span lang="gu" xml:lang="gu">ના સંસ્થાપક છે.)</span></em></p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Opinion</category>
                                    

                <link>https://www.khabarchhe.com/opinion/indias-decision-not-to-actively-mediate-between-america-and-iran/article-177361</link>
                <guid>https://www.khabarchhe.com/opinion/indias-decision-not-to-actively-mediate-between-america-and-iran/article-177361</guid>
                <pubDate>Mon, 13 Apr 2026 13:14:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-04/321.jpg"                         length="83057"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dharmesh Kalsariya]]></dc:creator>
                            </item>
            <item>
                <title>દ.ગુજરાતના કાંઠા વિસ્તારમાં રાજાભાઈ પટેલની મતદારો ખોટ અનુભવી રહ્યા છે</title>
                                    <description><![CDATA[<p><strong>(<span lang="gu" xml:lang="gu">ઉત્કર્ષ પટેલ</span>)</strong></p>
<p><span lang="gu" xml:lang="gu">રાજાભાઈ પટેલ જેમને લોકપ્રિય રીતે રાજાભાઈ કે રાજા પટેલ તરીકે ઓળખવામાં આવતા હતા. જેમનો જન્મ 1 જૂન 1955ના રોજ સુરત જિલ્લાના સુલતાનાબાદમાં થયો હતો. તેમનું વ્યક્તિત્વ અત્યંત સરળ</span>, <span lang="gu" xml:lang="gu">વિનમ્ર અને કાર્યપ્રધાન હતું. તેઓ ગ્રાસરૂટ લેવલથી રાજકારણમાં આવ્યા હતા અને ક્યારેય લોકોની સમસ્યાઓથી અજાણ નહોતા રહ્યા. તેમની વાતચીતમાં સૌની સાથે લાગણી અને વિશ્વાસ જણાતો જેના કારણે કાંઠા વિસ્તારના લોકો તેમને પોતાનો માણસ માનતા હતા. 5 ઓગસ્ટ 2015ના રોજ તેમનું અવસાન થયું ત્યારે આખા કાંઠા વિસ્તારમાં શોકની લહેર ફેલાઈ ગઈ હતી. તેમના અવસાને માત્ર એક પરિવારને જ નહીં પરંતુ કોળી સમાજ અને કાંઠાના મતદારોને ભારે ખોટની અનુભૂતિ</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/opinion/voters-in-the-coastal-areas-of-south-gujarat-are-feeling-the-loss-of-rajabhai-patel/article-177289"><img src="https://www.khabarchhe.com/media/400/2026-04/0118.jpg" alt=""></a><br /><p><strong>(<span lang="gu" xml:lang="gu">ઉત્કર્ષ પટેલ</span>)</strong></p>
<p><span lang="gu" xml:lang="gu">રાજાભાઈ પટેલ જેમને લોકપ્રિય રીતે રાજાભાઈ કે રાજા પટેલ તરીકે ઓળખવામાં આવતા હતા. જેમનો જન્મ 1 જૂન 1955ના રોજ સુરત જિલ્લાના સુલતાનાબાદમાં થયો હતો. તેમનું વ્યક્તિત્વ અત્યંત સરળ</span>, <span lang="gu" xml:lang="gu">વિનમ્ર અને કાર્યપ્રધાન હતું. તેઓ ગ્રાસરૂટ લેવલથી રાજકારણમાં આવ્યા હતા અને ક્યારેય લોકોની સમસ્યાઓથી અજાણ નહોતા રહ્યા. તેમની વાતચીતમાં સૌની સાથે લાગણી અને વિશ્વાસ જણાતો જેના કારણે કાંઠા વિસ્તારના લોકો તેમને પોતાનો માણસ માનતા હતા. 5 ઓગસ્ટ 2015ના રોજ તેમનું અવસાન થયું ત્યારે આખા કાંઠા વિસ્તારમાં શોકની લહેર ફેલાઈ ગઈ હતી. તેમના અવસાને માત્ર એક પરિવારને જ નહીં પરંતુ કોળી સમાજ અને કાંઠાના મતદારોને ભારે ખોટની અનુભૂતિ કરાવી. </span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/0216.jpg" alt="02" width="1280" height="720"></img></p>
<p><span lang="gu" xml:lang="gu">આજે દક્ષિણ ગુજરાતના કાંઠા વિસ્તારમાં રાજાભાઈ પટેલની ગેરહાજરી મતદારોને અનુભવાઈ રહી છે. ચોર્યાસી વિધાનસભા ક્ષેત્રના લોકો માટે તેઓ માત્ર એક નેતા નહોતા પરંતુ પરિવારના સભ્ય હતા. તેમનું સરળ વ્યક્તિત્વ અને અથાગ મહેનતે કાંઠા વિસ્તારને એક નવી ઓળખ આપી હતી. આજે પણ તેમના અવસાન પછી લગભગ એક દાયકો વીતી ગયો હોવા છતાં તેમના કાર્યોનો પ્રભાવ જીવંત છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">1990થી 2000 સુધી તેઓ સુલતાનાબાદના સરપંચ તરીકે કાર્યરત રહ્યા અને ગામના વિકાસમાં અગ્રેસર ભૂમિકા ભજવી. 2000માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ચોર્યાસી તાલુકા પંચાયતના સભ્ય તરીકે સેવા આપી. તાલુકા પંચાયતની કાર્યકારી સમિતિના પ્રમુખ તરીકે 8 વર્ષ અને બાંધકામ સમિતિના પ્રમુખ તરીકે પણ તેમણે અમૂલ્ય યોગદાન આપ્યું. 2012ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ચોર્યાસી વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે જીત્યા અને ધારાસભ્ય બન્યા. તેમની રાજકીય સફર ગ્રામ પંચાયતથી વિધાનસભા સુધીની હતી જે સેવા અને સમર્પણનું ઉદાહરણ છે.</span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/0315.jpg" alt="03" width="702" height="805"></img></p>
<p><span lang="gu" xml:lang="gu">ધારાસભ્ય તરીકે તેમની સક્રિય કામગીરી અદ્ભુત હતી. કાંઠા વિસ્તારના વિકાસ માટે તેઓ દિવસ રાત કામ કરતા. રસ્તા</span>, <span lang="gu" xml:lang="gu">પાણી</span>, <span lang="gu" xml:lang="gu">વીજળી</span>, <span lang="gu" xml:lang="gu">શિક્ષણ અને આરોગ્ય જેવા મુદ્દાઓ પર તેમણે અવિરત પ્રયાસો કર્યા. લોકોની સમસ્યાઓને તેઓ પોતાની સમસ્યા માનતા અને તેનું નિરાકરણ લાવવા માટે ક્યારેય પાછળ નહોતા હટતા. તેમની કામગીરીથી ચોર્યાસી અને આસપાસના વિસ્તારોમાં અનેક વિકાસ કાર્યો પૂર્ણ થયા જે આજે પણ લોકો યાદ કરે છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">કોળી સમાજ માટે તેમનું સમર્પણ નોંધનીય  હતું. કાંઠા વિસ્તારમાં કોળી સમાજના આગેવાન તરીકે તેઓ સમાજના ઉત્થાન માટે સતત કાર્યરત રહ્યા. સમાજના યુવાનોને શિક્ષણ</span>, <span lang="gu" xml:lang="gu">રોજગાર અને સામાજિક સુધારણા તરફ પ્રેરિત કરવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી. તેમના કારણે કોળી સમાજને રાજકીય અને સામાજિક ક્ષેત્રે નવી સિદ્ધિઓ મળી. તેઓ સમાજના દરેક વ્યક્તિ સાથે વ્યક્તિગત સંપર્ક રાખતા અને તેમની મુશ્કેલીઓનું નિરાકરણ  કરવા પ્રયત્નશીલ રહેતા.</span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/0118.jpg" alt="01" width="1280" height="720"></img></p>
<p><span lang="gu" xml:lang="gu">આજે તેમના દીકરી ઝંખનાબેન પટેલ પિતાના સેવાના વારસાને આગળ વધારી રહ્યા છે. તેઓ પિતાના નેતૃત્વ અને સમર્પણની પરંપરા જાળવીને સમાજસેવામાં કાર્યરત છે. 2016ની પેટાચૂંટણીમાં તેઓ ચોર્યાસી બેઠક પરથી ધારાસભ્ય ચૂંટાયા હતા અને ત્યારથી સતત સેવાકાર્યમાં જોડાયેલા છે. ઝંખનાબેન તેમના પિતાની જેમ સમાજના કલ્યાણ માટે કામ કરી રહ્યા છે અને કાંઠા વિસ્તારના લોકો માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યા છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">રાજાભાઈ પટેલનું જીવન સેવા</span>, <span lang="gu" xml:lang="gu">સમર્પણ અને નેતૃત્વનું પ્રતીક હતું. તેમના અવસાને કાંઠા વિસ્તારને એક પ્રજાની તકલીફ સમજનારા નેતાની ખોટ ઊભી કરી છે. રાજાભાઈ જેવા નેતાઓની કાર્યશૈલી આપણને યાદ અપાવે છે કે સાચી રાજકીય સેવા લોકોના હૃદયમાં વસે છે.</span></p>
<p><em><span lang="gu" xml:lang="gu">(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ</span>, <span lang="gu" xml:lang="gu">સમાજસેવક અને </span>khabarchhe.com<span lang="gu" xml:lang="gu">ના સંસ્થાપક છે.)</span></em></p>]]></content:encoded>
                
                                                            <category>Opinion</category>
                                    

                <link>https://www.khabarchhe.com/opinion/voters-in-the-coastal-areas-of-south-gujarat-are-feeling-the-loss-of-rajabhai-patel/article-177289</link>
                <guid>https://www.khabarchhe.com/opinion/voters-in-the-coastal-areas-of-south-gujarat-are-feeling-the-loss-of-rajabhai-patel/article-177289</guid>
                <pubDate>Thu, 09 Apr 2026 15:38:11 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-04/0118.jpg"                         length="945973"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>દિલીપભાઈ દેશમુખ: યુવાઓ માટેનું પ્રેરણાનું ઝરણું</title>
                                    <description><![CDATA[<p><strong><span lang="gu" xml:lang="gu">(ઉત્કર્ષ પટેલ)</span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">આજના યુવાનોના જીવનમાં પ્રેરણાની તરસ હોય છે. કોઈક એવી વ્યક્તિ જોઈએ જે કહે કે</span>, “<span lang="gu" xml:lang="gu">સેવા કરવાથી જ જીવન સાર્થક બને.” આવી જ એક પ્રેરણાદાયી વ્યક્તિ છે દિલીપભાઈ દેશમુખ. તેમનું જીવન યુવાનો માટે એક ખુલ્લું પુસ્તક છે જેમાંથી શીખવાનું ઘણું છે અને અનુસરવાનું વધુ.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">દિલીપભાઈની યાત્રા સામાન્ય સ્વયંસેવક તરીકે શરૂ થઈ હતી. આરએસએસના પ્રચારક તરીકે તેમણે પોતાનું આખું જીવન સમર્પિત કર્યું. ઘર</span>, <span lang="gu" xml:lang="gu">કુટુંબ અને વ્યક્તિગત સુખને પાછળ મૂકીને તેઓ સતત સમાજની સેવામાં જોડાયા. આ યાત્રા કોઈ સરળ માર્ગ નહોતો. તેમાં ત્યાગ</span>, <span lang="gu" xml:lang="gu">સંઘર્ષ અને અવિરત પ્રતિબદ્ધતા હતી. પરંતુ તેમણે ક્યારેય પાછું વળીને જોયું નહીં. તેમના આ</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/opinion/dilipbhai-deshmukh-is-a-fountain-of-inspiration-for-the-youth/article-177288"><img src="https://www.khabarchhe.com/media/400/2026-04/0117.jpg" alt=""></a><br /><p><strong><span lang="gu" xml:lang="gu">(ઉત્કર્ષ પટેલ)</span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">આજના યુવાનોના જીવનમાં પ્રેરણાની તરસ હોય છે. કોઈક એવી વ્યક્તિ જોઈએ જે કહે કે</span>, “<span lang="gu" xml:lang="gu">સેવા કરવાથી જ જીવન સાર્થક બને.” આવી જ એક પ્રેરણાદાયી વ્યક્તિ છે દિલીપભાઈ દેશમુખ. તેમનું જીવન યુવાનો માટે એક ખુલ્લું પુસ્તક છે જેમાંથી શીખવાનું ઘણું છે અને અનુસરવાનું વધુ.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">દિલીપભાઈની યાત્રા સામાન્ય સ્વયંસેવક તરીકે શરૂ થઈ હતી. આરએસએસના પ્રચારક તરીકે તેમણે પોતાનું આખું જીવન સમર્પિત કર્યું. ઘર</span>, <span lang="gu" xml:lang="gu">કુટુંબ અને વ્યક્તિગત સુખને પાછળ મૂકીને તેઓ સતત સમાજની સેવામાં જોડાયા. આ યાત્રા કોઈ સરળ માર્ગ નહોતો. તેમાં ત્યાગ</span>, <span lang="gu" xml:lang="gu">સંઘર્ષ અને અવિરત પ્રતિબદ્ધતા હતી. પરંતુ તેમણે ક્યારેય પાછું વળીને જોયું નહીં. તેમના આ પગલાએ અનેક યુવાનોને પ્રભાવિત કર્યા અને તેઓ પણ સેવાના માર્ગે આગળ વધ્યા અને આજે વિવિધ ક્ષેત્રોમાં સફળ નેતૃત્વ પણ કરી રહ્યા છે. </span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/0117.jpg" alt="01" width="1280" height="720"></img></p>
<p>2001<span lang="gu" xml:lang="gu">ના કચ્છના વિનાશકારી ભૂકંપ વખતે દિલીપભાઈનું યોગદાન ક્યારેય ભૂલી શકાય એમ નથી. જ્યારે ભૂકંપગ્રસ્ત વિસ્તાર માત્ર દુઃખ અને અંધારાથી ભરાઈ ગયો હતો ત્યારે તેઓ સીધા ક્ષેત્રમાં પહોંચી ગયા હતા. લોકોની મદદ કરવી</span>, <span lang="gu" xml:lang="gu">ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા</span>, <span lang="gu" xml:lang="gu">રાહત સામગ્રી વહેંચવી અને લોકોમાં આશાનું કિરણ જગાડવું આ બધું તેમણે અવિરતપણે કર્યું. તેમના આ કાર્યે કચ્છના લોકોના હૃદયમાં તેમના માટે કાયમી સ્થાન મેળવી લીધું. આ ઘટનાએ એક વાત સ્પષ્ટ કરી  કે સંકટના સમયે સેવા જ સાચો માર્ગ છે.</span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/0215.jpg" alt="02" width="1280" height="720"></img></p>
<p><span lang="gu" xml:lang="gu">દિલીપભાઈ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નિકટવર્તી પણ રહ્યા. આ સંબંધ માત્ર વ્યક્તિગત નથી પરંતુ વિચાર અને કર્મનો સંબંધ છે. બંને વચ્ચે સેવા અને રાષ્ટ્રનિર્માણની સમાન ભાવના રહી. દિલીપભાઈની સૌથી મોટી ખાસિયત છે યુવાનોને સેવાના માર્ગે લઈ જવાની. તેઓ ઘણા યુવાનોના હાથ પકડીને તેમને સેવાની દિશામાં માર્ગદર્શન આપે છે. માત્ર પ્રવચન આપીને નહીં પરંતુ પોતાના જીવનથી ઉદાહરણ પૂરું પાડીને. યુવાનો જ્યારે તેમની પાસે આવે છે ત્યારે તેઓ તેમને સમજાવે છે કે “સેવા એ કોઈ કામ નથી તે જીવનનો અભિન્ન ભાગ છે.” </span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/0314.jpg" alt="03" width="1280" height="720"></img></p>
<p><span lang="gu" xml:lang="gu">એક સમયે એમના જીવનમાં પણ કપરો સમય આવ્યો. વર્ષ </span>2020<span lang="gu" xml:lang="gu">ના ૧૦ જુલાઈએ અમદાવાદના </span>0<span lang="gu" xml:lang="gu">ઇન્સ્ટિટ્યુટ ઓફ કિડની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટર (</span>IKDRC)<span lang="gu" xml:lang="gu">માં તેમનું લીવર ટ્રાન્સપ્લાન્ટ થયું. અંગદાનમાંથી મળેલા લીવરથી તેમની તબિયત સુધરી અને તેઓ નવું જીવન પામ્યા. આ સર્જરી પછી તેઓ અંગદાન જાગૃતિના પૂર્ણ સમયના સક્રિય સેવક બની ગયા. “અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ” દ્વારા તેઓ સમગ્ર ગુજરાતમાં જાગૃતિ ફેલાવે છે અને યુવાનોને સમજાવે છે કે મૃત્યુ પછી પણ શરીરના અવયવો બીજાને જીવન આપી શકે છે. તેમના આ અનુભવે યુવાનોને શીખવ્યું કે સંઘર્ષને પણ સેવામાં ફેરવી શકાય છે.</span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/071.jpg" alt="07" width="1280" height="720"></img></p>
<p><span lang="gu" xml:lang="gu">આજે વર્ષ </span>2026<span lang="gu" xml:lang="gu">માં પણ દિલીપભાઈનું જીવન અવિરત સેવામય છે. કોઈ વિરામ નથી</span>, <span lang="gu" xml:lang="gu">કોઈ અપેક્ષા નથી માત્ર સેવા અને સેવા. આજે જ્યારે યુવાનો મોબાઈલ</span>, <span lang="gu" xml:lang="gu">ધન સંપદા અને વ્યક્તિગત મહત્વકાંક્ષાઓમાં ખોવાઈ જાય છે ત્યારે તેમનું જીવન એક જ્યોતિપુંજ બની રહે છે. તેઓ કહે છે કે “સેવા કરવાથી જ માણસ સાચા અર્થમાં જીવે છે.”</span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/061.jpg" alt="06" width="1280" height="720"></img></p>
<p><span lang="gu" xml:lang="gu">દિલીપભાઈ દેશમુખ જેવા વ્યક્તિત્વ આપણને સ્મરણ કરાવે છે કે જીવનનો સાચો અર્થ સેવામાં છે. યુવાનો માટે તેઓ પ્રેરણાનું ઝરણું છે. કોઈ પણ તેમના જીવનને નજીકથી જોશે તો જાણશે કે  આજે પણ આ દેશમાં સેવાભાવી લોકો છે જેમનાથી આપણે ઘણું શીખી શકીએ. દિલીપભાઈનું જીવન એક જ વાત કહે છે... સેવા કરો</span>, <span lang="gu" xml:lang="gu">સેવા કરતા રહો અને જીવનને સાર્થક બનાવો.</span></p>
<p><em><span lang="gu" xml:lang="gu">(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)</span></em></p>]]></content:encoded>
                
                                                            <category>Opinion</category>
                                    

                <link>https://www.khabarchhe.com/opinion/dilipbhai-deshmukh-is-a-fountain-of-inspiration-for-the-youth/article-177288</link>
                <guid>https://www.khabarchhe.com/opinion/dilipbhai-deshmukh-is-a-fountain-of-inspiration-for-the-youth/article-177288</guid>
                <pubDate>Thu, 09 Apr 2026 12:34:13 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-04/0117.jpg"                         length="951584"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>
            <item>
                <title>વૈશ્વિક અસ્થિરતા વચ્ચે આપણે ચૂંટેલી સરકારને સમજવાનો સમય આવી ગયો છે</title>
                                    <description><![CDATA[<p><strong>(ઉત્કર્ષ પટેલ)</strong></p>
<p>વૈશ્વિક યુદ્ધોના અસ્થિર સમીકરણો અને એ અસ્થિરતાને લીધે વેપાર પર થતી અસરો દુનિયાના દરેક દેશોમાં અસ્થિરતા અને અવ્યવસ્થાઓ લાવી રહી છે ત્યારે આપણો દેશ ભારત પણ આ અસ્થિર સમીકરણોમાંથી પસાર થઈ રહ્યો છે. દેશના દરેક નાગરિકના જીવનધોરણ પર એની વિપરીત અસરો પણ થઈ રહી છે. </p>
<p>અમેરિકા ઇઝરાયલના ઈરાન સાથેના યુદ્ધની અસર આપના દેશના અર્થતંત્ર પર્ણપણ વર્તાઈ રહી છે. આ સંજોગોમાં આપણે આપણા દેશની સરકાર અને નેતૃત્વને સભાનતા પૂર્વક સાથ આપવો જોઈશે કેમ કે આખરે તો આપણેજ મત  આપીને સરકાર બનાવીએ છીએ. એ વાત ચોક્કસ કહેવી રહી કે હાલના વૈશ્વિક અસ્થિરતાના સમીકરણોમાં આપણા દેશની સરકાર અન્ય દેશોની સરકાર કરતા</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/opinion/amid-global-instability-it-is-time-to-understand-the-government/article-177251"><img src="https://www.khabarchhe.com/media/400/2026-04/310.jpg" alt=""></a><br /><p><strong>(ઉત્કર્ષ પટેલ)</strong></p>
<p>વૈશ્વિક યુદ્ધોના અસ્થિર સમીકરણો અને એ અસ્થિરતાને લીધે વેપાર પર થતી અસરો દુનિયાના દરેક દેશોમાં અસ્થિરતા અને અવ્યવસ્થાઓ લાવી રહી છે ત્યારે આપણો દેશ ભારત પણ આ અસ્થિર સમીકરણોમાંથી પસાર થઈ રહ્યો છે. દેશના દરેક નાગરિકના જીવનધોરણ પર એની વિપરીત અસરો પણ થઈ રહી છે. </p>
<p>અમેરિકા ઇઝરાયલના ઈરાન સાથેના યુદ્ધની અસર આપના દેશના અર્થતંત્ર પર્ણપણ વર્તાઈ રહી છે. આ સંજોગોમાં આપણે આપણા દેશની સરકાર અને નેતૃત્વને સભાનતા પૂર્વક સાથ આપવો જોઈશે કેમ કે આખરે તો આપણેજ મત  આપીને સરકાર બનાવીએ છીએ. એ વાત ચોક્કસ કહેવી રહી કે હાલના વૈશ્વિક અસ્થિરતાના સમીકરણોમાં આપણા દેશની સરકાર અન્ય દેશોની સરકાર કરતા સારું કરી રહી છે. </p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/510.jpg" alt="5" width="1280" height="720"></img></p>
<p>અહીં આપણે કોઈની વાહવાહી કે નીંદાની ચર્ચા નથી કરી રહ્યા પણ હાલના વાસ્તવિક સમીકરણો પર દેશહિતની સમજ કેળવવાનો પ્રયાસ કરીશું. </p>
<p>આપણા દેશના PM નરેન્દ્રભાઈ મોદીના વિશ્વભરના શીર્ષસ્થ નેતૃત્વ સાથેના મૈત્રીપૂર્ણ સંબંધોનો આપણને લાભ મળી રહ્યો છે જેના કારણે વૈશ્વિક વેપારોના સમીકરણોનું સંતુલન જાળવવાનો ભારત સરકાર પૂરો પ્રયત્ન કરી રહી છે અને પરિણામ પણ દેશહિતમાં મળી રહ્યા છે. સાથે સાથે કેટલાક વિષયોમાં તાત્કાલિક ધાર્યા પરિણામો મેળવવામાં પૂર્ણ સફળતા ના મળે તો સરકાર નિંદાનો ભોગ પણ બની રહી છે એ પાસું પણ છે. </p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/410.jpg" alt="4" width="1280" height="720"></img></p>
<p>લોકશાહીમાં નાગરિકોનો અવાજ તો બુલંદ હોવો જ જોઈએ. પરંતુ જ્યારે વૈશ્વિક સ્થિતિ બગડી હોય ત્યારે આપણે આપણા દેશની સરકાર જે નિર્ણયો લે તેમાં સાથ આપવો જોઈએ જેથી આંતરિક સ્થિતિઓ સમીકરણો એકજૂટ રહે અને સરકાર વૈશ્વિક વેપારો અને સંબંધોના સમીકરણો પર ધ્યાન આપી શકે. </p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/210.jpg" alt="2" width="1280" height="720"></img></p>
<p>વિકટ સમયમાં દેશહિતનું ચિંતન એટલે વ્યક્તિગત અને રાજકિય પક્ષો માટેના અંગત અભિપ્રાયને થોડા સમય માટે બાજુપર મૂકીને એકતાને પ્રાથમિકતા આપવી. વૈશ્વિક યુદ્ધોની અસરોને કારણે જે અનિશ્ચિતતા ઊભી થઈ છે તેમાં ભારત જેવા વિકસતા દેશને માત્ર મજબૂત આંતરિક એકતાથી જ આગળ વધારી શકાશે. આ એકતા જ ભારતને વિશ્વના અસ્થિર મંચ પર વધુ આત્મવિશ્વાસપૂર્વક ઊભું રાખશે અને દરેક નાગરિકના જીવનમાં સ્થિરતા લાવશે.</p>
<p><em>(લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ, સમાજસેવક અને khabarchhe.comના સંસ્થાપક છે.)</em></p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Opinion</category>
                                    

                <link>https://www.khabarchhe.com/opinion/amid-global-instability-it-is-time-to-understand-the-government/article-177251</link>
                <guid>https://www.khabarchhe.com/opinion/amid-global-instability-it-is-time-to-understand-the-government/article-177251</guid>
                <pubDate>Tue, 07 Apr 2026 13:00:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-04/310.jpg"                         length="101341"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dharmesh Kalsariya]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ચૂંટણી ગમે ત્યારે જાહેર થાય, ઉમેદવાર કોઈપણ હોય પણ આપણો મત તો કમળના નિશાન પર જ…</title>
                                    <description><![CDATA[<p><strong>(<span lang="gu" xml:lang="gu">ઉત્કર્ષ પટેલ)</span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની સમર્પણભાવના અને સંગઠનશક્તિ અભ્યાસ કરવા યોગ્ય છે.  “ચૂંટણી ગમે ત્યારે જાહેર થાય</span>, <span lang="gu" xml:lang="gu">ઉમેદવાર કોઈપણ હોય પણ આપણો મત તો કમળના નિશાન પર જ…” આ વાક્ય પાર્ટીના કાર્યકર્તાઓની અંતરાત્માની ભાવનાને ઉજાગર કરે છે. તેઓ માત્ર વ્યક્તિને નહીં પરંતુ પક્ષની વિચારધારા અને સંગઠનને સમર્પણભાવથી જોડાયેલા છે. </span></p>
<img src="https://www.khabarchhe.com/media/2025-08/bjp-gujarat.jpg" alt="bjp-gujarat" width="1200" height="720" />
bjp.org

<p><span lang="gu" xml:lang="gu">ભાજપના કાર્યકર્તાઓની સમર્પણભાવના અનન્ય છે. તેઓ પક્ષના માત્ર સભ્ય નથી પરંતુ પક્ષના આત્મા તરીકે કાર્ય કરે છે. ગામડાઓથી લઈને મહાનગરો સુધી લાખો કાર્યકર્તાઓ પોતાના વ્યક્તિગત કાર્ય</span>, <span lang="gu" xml:lang="gu">વ્યવસાય અને કુટુંબને પણ પાછળ મૂકીને પક્ષના કાર્યમાં જોડાય છે. ચૂંટણીના સમયે તેઓ દિવસ રાત બુથ સ્તરે કામ કરે છે.</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/opinion/no-matter-when-the-elections-are-announced--no-matter-who-the-candidate-is--our-vote-will-be-for-bjp/article-177185"><img src="https://www.khabarchhe.com/media/400/2026-04/016.jpg" alt=""></a><br /><p><strong>(<span lang="gu" xml:lang="gu">ઉત્કર્ષ પટેલ)</span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની સમર્પણભાવના અને સંગઠનશક્તિ અભ્યાસ કરવા યોગ્ય છે.  “ચૂંટણી ગમે ત્યારે જાહેર થાય</span>, <span lang="gu" xml:lang="gu">ઉમેદવાર કોઈપણ હોય પણ આપણો મત તો કમળના નિશાન પર જ…” આ વાક્ય પાર્ટીના કાર્યકર્તાઓની અંતરાત્માની ભાવનાને ઉજાગર કરે છે. તેઓ માત્ર વ્યક્તિને નહીં પરંતુ પક્ષની વિચારધારા અને સંગઠનને સમર્પણભાવથી જોડાયેલા છે. </span></p>
<img src="https://www.khabarchhe.com/media/2025-08/bjp-gujarat.jpg" alt="bjp-gujarat" width="1280" height="720"></img>
bjp.org

<p><span lang="gu" xml:lang="gu">ભાજપના કાર્યકર્તાઓની સમર્પણભાવના અનન્ય છે. તેઓ પક્ષના માત્ર સભ્ય નથી પરંતુ પક્ષના આત્મા તરીકે કાર્ય કરે છે. ગામડાઓથી લઈને મહાનગરો સુધી લાખો કાર્યકર્તાઓ પોતાના વ્યક્તિગત કાર્ય</span>, <span lang="gu" xml:lang="gu">વ્યવસાય અને કુટુંબને પણ પાછળ મૂકીને પક્ષના કાર્યમાં જોડાય છે. ચૂંટણીના સમયે તેઓ દિવસ રાત બુથ સ્તરે કામ કરે છે. મતદારોના ઘરોના દરવાજે દરવાજે જઈને મતદારો સુધી પહોંચે છે</span>, <span lang="gu" xml:lang="gu">તેમની સમસ્યાઓ પ્રશ્નો સાંભળે છે અને તેને ઉકેલવાના પ્રયાસ કરે છે. આ સમર્પણ માત્ર ચૂંટણી સુધી મર્યાદિત નથી. કોવિડ-</span>19<span lang="gu" xml:lang="gu"> જેવા સંકટકાળમાં</span>, <span lang="gu" xml:lang="gu">ભૂકંપ પૂર અને કુદરતી આપત્તિના સમયે પણ આ કાર્યકર્તાઓ સેવા કાર્યમાં અગ્રેસર રહે છે. રાહત સામગ્રી વહેંચવી</span>, <span lang="gu" xml:lang="gu">મદદ કરવી અને લોકોના હૃદયમાં વિશ્વાસની ભાવના જાળવવી આ તેમની દૈનિક પ્રવૃત્તિ છે. આવા કાર્યોને કારણે પક્ષનું ચિહ્ન ‘કમળ’ વ્યક્તિ કે ઉમેદવારથી ઉપર ઊઠીને એક વિચારધારા આ અને વિશ્વાસનું પ્રતીક બની ગયું છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-04/photo_2026-04-03_12-30-57.jpg" alt="photo_2026-04-03_12-30-57" width="1179" height="1127"></img></span></p>
<p><span lang="gu" xml:lang="gu">સંગઠનશક્તિની વાત કરીએ તો ભાજપ વિશ્વની સૌથી મોટી અને સુસંગઠિત રાજકીય પાર્ટીઓમાંની એક છે. તેનું સંગઠન ત્રણ સ્તરે વ્યાપેલું છે લ... બુથ સ્તર</span>, <span lang="gu" xml:lang="gu">મંડલ સ્તર અને જિલ્લા રાજ્ય સ્તર. દરેક બુથ પર એક ટીમ તૈયાર રહે છે જે મતદારોની યાદી</span>, <span lang="gu" xml:lang="gu">તેમની જરૂરિયાતો / પ્રશ્નો અને પ્રતિસાદને ટ્રેક કરે છે. પાર્ટીએ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સંગઠનને વધુ મજબૂત બનાવ્યું છે. ‘નમો એપ’ જેવા પ્લેટફોર્મ દ્વારા કાર્યકર્તાઓ સાથે સીધો સંપર્ક થાય છે. આ સંગઠનશક્તિને કારણે પાર્ટી કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહે છે. ચીટણીઓમાં ઉમેદવાર બદલાય તો પણ કાર્યકર્તાઓનું સમર્પણ અને તૈયારીને કારણે પાર્ટીની વોટ બેંક અકબંધ રહે છે.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2025-11/bjp1.jpg" alt="bjp1" width="1280" height="720"></img>
gujaratsamachar.com

<p><span lang="gu" xml:lang="gu">કાર્યકર્તાઓનું આ સમર્પણ અને સંગઠનશક્તિ ભાજપને વારંવાર વિજય અપાવ્યા છે. </span>2014<span lang="gu" xml:lang="gu"> અને </span>2019<span lang="gu" xml:lang="gu">ની લોકસભા ચૂંટણીમાં તેમજ વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં આ બહુમત સ્પષ્ટ દેખાઈ છે. કાર્યકર્તાઓનું ટીમવર્ક અને સેવાભાવના ને કારણે પાર્ટીનો આધાર ઘર ઘર સુધી વિસ્તર્યો છે. ગુજરાત જેવા રાજ્યમાં તો ભાજપનું સંગઠન એટલું મજબૂત છે કે દરેક નાનામોટા કાર્યક્રમમાં હજારો કાર્યકર્તાઓ સ્વયંભૂ રીતે જોડાય છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">તટસ્થ રીતે જોવા જાઈએ તો આ સફળતા પાછળ કાર્યકર્તાઓનું ઘડતર </span>, <span lang="gu" xml:lang="gu">સમર્પણ અને સતત માર્ગદર્શન છે કારણભૂત છે. પક્ષ તેમને વિચારધારાનું ઘડતર માર્ગદર્શન આપે છે જેથી તેઓ પોતાના કાર્યમાં પ્રામાણિક અને સક્રિય રહે. જો કે આ શક્તિ માત્ર એક પક્ષ  સુધી મર્યાદિત નથી... તે ભારતીય લોકતંત્રની એકતાનું પ્રતીક પણ છે. ભાજપના કાર્યકર્તાઓની આ ઉત્સાહ અને વ્યવસ્થા અન્ય પાર્ટીઓ માટે પણ પ્રેરણારૂપ છે.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-03/bjp2.jpg" alt="BJP2" width="1280" height="720"></img>
orfonline.org

<p><span lang="gu" xml:lang="gu">તારણ રૂપે કહી તો ભાજપના કાર્યકર્તાઓનું સમર્પણ અને સંગઠનશક્તિ તેમને અજોડ બનાવે છે. ભાજપની કાર્યશૈલીની તાકાત પાર્ટીને માત્ર ચૂંટણીમાં જ નહીં પરંતુ સમાજસેવામાં પણ પ્રેરણા આપે છે. આવા લાખો અજ્ઞાત કાર્યકર્તા રૂપી દેશભક્તોના પરિશ્રમને કારણે જ ‘કમળ’નું પ્રતીક લાખો લોકોના હૃદયમાં વસી ગયું છે. આ સંગઠન અને સમર્પણ ભારતીય રાજનીતિમાં દરેક રાજકીય પક્ષો</span>, <span lang="gu" xml:lang="gu">નેતાઓ અને કાર્યકર્તાઓ માટે એક આદર્શ પ્રેરણારૂપ મોડલ તરીકે કામ કરે છે.</span></p>
<p><em>(<span lang="gu" xml:lang="gu">લેખક એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ</span>, <span lang="gu" xml:lang="gu">સમાજસેવક અને </span>khabarchhe.com<span lang="gu" xml:lang="gu">ના સંસ્થાપક છે.)</span></em></p>]]></content:encoded>
                
                                                            <category>Opinion</category>
                                    

                <link>https://www.khabarchhe.com/opinion/no-matter-when-the-elections-are-announced--no-matter-who-the-candidate-is--our-vote-will-be-for-bjp/article-177185</link>
                <guid>https://www.khabarchhe.com/opinion/no-matter-when-the-elections-are-announced--no-matter-who-the-candidate-is--our-vote-will-be-for-bjp/article-177185</guid>
                <pubDate>Fri, 03 Apr 2026 12:29:06 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-04/016.jpg"                         length="933077"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Nilesh Parmar]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        