<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.khabarchhe.com/charcha-patra/category-87585" rel="self" type="application/rss+xml" />
                <generator>Khabarchhe RSS Feed Generator</generator>
                <title>Charcha Patra - Khabarchhe</title>
                <link>https://www.khabarchhe.com/category/87585/rss</link>
                <description>Charcha Patra RSS Feed</description>
                
                            <item>
                <title>હવે ફર્સ્ટ યર સુરતના વિદ્યાર્થીઓ On track educationમાં ભણ્યા પછી વિદેશ જઇ ડિગ્રી મેળવી રહ્યા છે </title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">આજે ગ્લોબલ એજ્યુકેશનની વ્યાખ્યા ઝડપથી બદલાઈ રહી છે. હવે ગ્લોબલ એજ્યુકેશન હાઇબ્રિડ મોડેલમાં શરૂ થઇ ગયું છે જેમાં તમને ફોરેનની યુનિવર્સિટીમાં પ્રવેશ મળી જાય પછી પહેલું વર્ષ તમારા શહેરમાં રહીને ભણવાનું હોય છે અને પછી બાકીના વર્ષ તમે વિદેશ જઇને ભણી શકો છે. આ પ્રકારનું હાઇબ્રિડ મોડેલ શરૂ થઇ ચૂક્યું છે અને સૂરતમાં ઓન ટ્રેક એજ્યુકેશન (</span>On track education) <span lang="gu" xml:lang="gu">દ્વારા તે ચલાવાઇ રહ્યું છે. આ મોડલ્સ સરળ સાથે અફોર્ડેબલ પણ છે.   </span></p>
<p><span lang="gu" xml:lang="gu">ગુજરાતમાં છેલ્લા ઘણા </span>27<span lang="gu" xml:lang="gu"> વર્ષોથી વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે માર્ગદર્શન આપતા એક શિક્ષણ સલાહકાર તરીકે હું માનું છું કે ભારતની નવી શિક્ષણ નીતિ (</span>NEP 2020) <span lang="gu" xml:lang="gu">પછી</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/charcha-patra/students-now-begin-their-degree-in-surat-and-complete-it-abroad/article-178330"><img src="https://www.khabarchhe.com/media/400/2026-06/0114.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">આજે ગ્લોબલ એજ્યુકેશનની વ્યાખ્યા ઝડપથી બદલાઈ રહી છે. હવે ગ્લોબલ એજ્યુકેશન હાઇબ્રિડ મોડેલમાં શરૂ થઇ ગયું છે જેમાં તમને ફોરેનની યુનિવર્સિટીમાં પ્રવેશ મળી જાય પછી પહેલું વર્ષ તમારા શહેરમાં રહીને ભણવાનું હોય છે અને પછી બાકીના વર્ષ તમે વિદેશ જઇને ભણી શકો છે. આ પ્રકારનું હાઇબ્રિડ મોડેલ શરૂ થઇ ચૂક્યું છે અને સૂરતમાં ઓન ટ્રેક એજ્યુકેશન (</span>On track education) <span lang="gu" xml:lang="gu">દ્વારા તે ચલાવાઇ રહ્યું છે. આ મોડલ્સ સરળ સાથે અફોર્ડેબલ પણ છે.   </span></p>
<p><span lang="gu" xml:lang="gu">ગુજરાતમાં છેલ્લા ઘણા </span>27<span lang="gu" xml:lang="gu"> વર્ષોથી વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે માર્ગદર્શન આપતા એક શિક્ષણ સલાહકાર તરીકે હું માનું છું કે ભારતની નવી શિક્ષણ નીતિ (</span>NEP 2020) <span lang="gu" xml:lang="gu">પછી આ સૌથી મહત્વપૂર્ણ પરિવર્તનોમાંનું એક છે. આ પરિવર્તનને અમે ઓન ટ્રેક એજ્યુકેશન (</span>On track education)<span lang="gu" xml:lang="gu">માં અમલી બનાવ્યું છે. </span></p>
<p><span lang="gu" xml:lang="gu">અત્યાર સુધી વિદેશી શિક્ષણનો મતલબ હતો કે અમેરિકાની</span>, <span lang="gu" xml:lang="gu">કેનેડાની</span>, <span lang="gu" xml:lang="gu">બ્રિટનની કે ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીમાં જઈને અભ્યાસ કરવો. પરંતુ હવે વિશ્વભરની યુનિવર્સિટીઓ બ્રાન્ચ કેમ્પસ</span>, <span lang="gu" xml:lang="gu">ડ્યુઅલ ડિગ્રી</span>, <span lang="gu" xml:lang="gu">જ્વોઇન્ટ ડિગ્રી</span>, <span lang="gu" xml:lang="gu">ટ્વિનિંગ પ્રોગ્રામ્સ અને ઓનલાઈન-ઓફલાઈન સંયુક્ત અભ્યાસક્રમો દ્વારા દુનિયાભરમાં ગ્લોબલ એજ્યુકેશન પહોંચાડી રહી છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">સાદી ભાષામાં કહીએ તો હવે માત્ર વિદ્યાર્થી પોતાનો દેશ છોડીને વિદેશ તો જાય છે પરંતુ વિદેશ જતા પહેલા તે ત્યાંની સંસ્કૃતિ</span>, <span lang="gu" xml:lang="gu">શિક્ષકો</span>, <span lang="gu" xml:lang="gu">ભાષા વિશે આપણા શહેરમાં જ રહીને જાણકારી મેળવી લે છે. તેની સાથે સાથે એક વર્ષનું એજ્યુકેશન પણ અહીં જ પુરૂં થઇ જાય છે. એટલે પછી જ્યારે તે વિદેશ જાય છે ત્યાં જઇને તેમને ભણવા સાથે ત્યાં રહેવામાં પણ સહેલાઇ રહે છે. આ ઉપરાંત વિદેશોમાં ભણવા સાથે વિદ્યાર્થીઓ કંઇકને કંઇક કામ પણ કરતા હોય છે. એટલે તેમને તેમાં પણ સરળતા રહે છે. </span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">ગુજરાત માટે આ તક કેમ મહત્વપૂર્ણ છે</span>?</strong></p>
<p><span lang="gu" xml:lang="gu">ગુજરાત દેશના સૌથી વૈશ્વિક દૃષ્ટિકોણ ધરાવતા રાજ્યોમાંનું એક છે. એક અંદાજ મુજબ દર વર્ષે અમદાવાદ</span>, <span lang="gu" xml:lang="gu">સુરત</span>, <span lang="gu" xml:lang="gu">વડોદરા</span>, <span lang="gu" xml:lang="gu">રાજકોટ અને અન્ય શહેરોમાંથી </span>50,000<span lang="gu" xml:lang="gu">થી વધુ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જાય છે.</span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-06/0213.jpg" alt="02" width="1280" height="720"></img></p>
<p><span lang="gu" xml:lang="gu">પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં વિદેશી શિક્ષણનો મોટો ખર્ચ</span>, <span lang="gu" xml:lang="gu">વિઝા સંબંધિત અનિશ્ચિતતાઓ અને ગ્લોબલ લાઇફસ્ટાઇલ કિંમતને કારણે અનેક પરિવારો માટે વિદેશ અભ્યાસ એક મોટો આર્થિક પડકાર બની ગયો છે. આ પડકાર સામેનો ઉકેલ  હાઇબ્રિડ અને ટ્રાન્સનેશનલ એજ્યુકેશને આપ્યો છે. ખાસ કરીને મધ્યમવર્ગીય પરિવારો માટે આ મોડલ વૈશ્વિક શિક્ષણના નવા દરવાજા ખોલી શકે છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ગુજરાતના </span>GIFT City<span lang="gu" xml:lang="gu">માં પહેલેથી જ ઓસ્ટ્રેલિયાની </span>Deakin University <span lang="gu" xml:lang="gu">અને </span>University of Wollongong <span lang="gu" xml:lang="gu">પોતાના કેમ્પસ શરૂ કરી ચૂકી છે. આ ઉપરાંત બ્રિટનની </span>University of Southampton<span lang="gu" xml:lang="gu">ને પણ ભારતમાં કામગીરી માટે મંજૂરી મળી છે. અમે ઓન ટ્રેક એજ્યુકેશનમાં </span>The World Grad <span lang="gu" xml:lang="gu">સાથે મળીને આ પ્રકારની ડિગ્રી વિદ્યાર્થીઓને આપી રહ્યા છીએ.   </span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">ક્રેડિટ ટ્રાન્સફરઃ ભવિષ્યની ચાવી</span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">નવી શિક્ષણ વ્યવસ્થાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે ક્રેડિટ પોર્ટેબિલિટી. ભારતે </span>Academic Bank of Credits (ABC) <span lang="gu" xml:lang="gu">જેવી વ્યવસ્થા શરૂ કરીને વિદ્યાર્થીઓને વિવિધ સંસ્થાઓમાં મેળવેલા ક્રેડિટ્સ એકત્રિત અને ટ્રાન્સફર કરવાની સુવિધા આપી છે. આગામી સમયમાં ભારતીય અને વિદેશી યુનિવર્સિટીઓ વચ્ચે ક્રેડિટ ટ્રાન્સફર વધુ સરળ બનશે. કલ્પના કરો કે કોઈ વિદ્યાર્થી પ્રથમ વર્ષ સૂરત કે અમદાવાદમાં અને પછીનું શિક્ષણ વિદેશની યુનિવર્સિટીમાં પૂર્ણ કરે. આજે આ માત્ર કલ્પના નથી</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ ઝડપથી હકીકત બની રહ્યું છે.</span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-06/0313.jpg" alt="03" width="1280" height="720"></img></p>
<p><span lang="gu" xml:lang="gu">ગુજરાત જેવા ઔદ્યોગિક રાજ્ય માટે આ ખૂબ મહત્વપૂર્ણ છે. ટેકનોલોજી</span>, <span lang="gu" xml:lang="gu">આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ</span>, <span lang="gu" xml:lang="gu">ગ્રીન એનર્જી</span>, <span lang="gu" xml:lang="gu">મેન્યુફેક્ચરિંગ</span>, <span lang="gu" xml:lang="gu">હેલ્થકેર અને ફાઇનાન્સ જેવા ક્ષેત્રોમાં વૈશ્વિક ધોરણો મુજબ સ્કીલ્ડ મેનપાવર તૈયાર કરવા માટે આવી ભાગીદારીઓ મહત્વની સાબિત થઇ રહી છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">આગામી પાંચ વર્ષમાં ઉચ્ચ શિક્ષણનું સ્વરૂપ નોંધપાત્ર રીતે બદલાશે. વિદ્યાર્થીઓએ હવે માત્ર “ભારત કે વિદેશ” જેવી પરંપરાગત વિચારસરણીથી આગળ વધવું પડશે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ભારતની નવી શિક્ષણ નીતિએ ઉચ્ચ શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણનું જે સ્વપ્ન જોયું હતું તે હવે ધીમે ધીમે વાસ્તવિકતા બની રહ્યું છે.</span></p>]]></content:encoded>
                
                                                            <category>Charcha Patra</category>
                                    

                <link>https://www.khabarchhe.com/charcha-patra/students-now-begin-their-degree-in-surat-and-complete-it-abroad/article-178330</link>
                <guid>https://www.khabarchhe.com/charcha-patra/students-now-begin-their-degree-in-surat-and-complete-it-abroad/article-178330</guid>
                <pubDate>Fri, 12 Jun 2026 17:18:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-06/0114.jpg"                         length="952268"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mamta Dhiren Jani]]></dc:creator>
                            </item>
            <item>
                <title>કેન્સરથી પિતાના મોત પછી સુરતમાં દીકરાએ જે કર્યું તેને સલામ કરવી જોઇએ</title>
                                    <description><![CDATA[<p>આજના સમયમાં કેન્સર થવાના કારણોમાં રાસાયણિક ખાતરથી આપણા ખોરાકમાં જતા રસાયણો પણ મોટો ભાગ ભજવે છે. પરંતુ તેનો ઉપાય આજ સુધી આપણે શોધી શક્યા નથી. આપણા દેશની વસ્તીને ધ્યાને રાખતા બધા જ લોકો રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરી દે તે શક્ય પણ નથી. શક્ય હોય તેટલા નાના નાના પ્રયત્નોથી આપણે આ સમસ્યાને નિવારી શકીશું. સૂરતમાં આવી એક ઘટના બની છે. કેન્સરથી પિતાના મોત પછી એક દીકરાએ તેની ખેતીમાં રાસાયણિક ખાતર વાપરવાનું જ બંધ કરી દીધું.  </p>
<p>આ કિસ્સો છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામના ખેડૂત કલ્પેશ પટેલનો.  તેમણે વ્યક્તિગત દુઃખને સમાજ માટે પ્રેરણામાં ફેરવી દીધું છે. પિતાના કેન્સરથી થયેલા અવસાન</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/charcha-patra/what-the-son-did-in-surat-after-his-father-died-of-cancer-should-be-saluted/article-178056"><img src="https://www.khabarchhe.com/media/400/2026-05/0235.jpg" alt=""></a><br /><p>આજના સમયમાં કેન્સર થવાના કારણોમાં રાસાયણિક ખાતરથી આપણા ખોરાકમાં જતા રસાયણો પણ મોટો ભાગ ભજવે છે. પરંતુ તેનો ઉપાય આજ સુધી આપણે શોધી શક્યા નથી. આપણા દેશની વસ્તીને ધ્યાને રાખતા બધા જ લોકો રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરી દે તે શક્ય પણ નથી. શક્ય હોય તેટલા નાના નાના પ્રયત્નોથી આપણે આ સમસ્યાને નિવારી શકીશું. સૂરતમાં આવી એક ઘટના બની છે. કેન્સરથી પિતાના મોત પછી એક દીકરાએ તેની ખેતીમાં રાસાયણિક ખાતર વાપરવાનું જ બંધ કરી દીધું.  </p>
<p>આ કિસ્સો છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામના ખેડૂત કલ્પેશ પટેલનો.  તેમણે વ્યક્તિગત દુઃખને સમાજ માટે પ્રેરણામાં ફેરવી દીધું છે. પિતાના કેન્સરથી થયેલા અવસાન બાદ તેમણે રાસાયણિક ખેતી સંપૂર્ણપણે છોડી કુદરતી ખેતીનો માર્ગ અપનાવ્યો. આજે તેઓ ગુજરાતમાં કુદરતી ખેતીના સફળ ખેડૂત તરીકે ઓળખાઈ રહ્યા છે. </p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-05/0332.jpg" alt="03" width="1280" height="720"></img></p>
<p>કલ્પેશ પટેલના પિતા રમણભાઈ પટેલ વર્ષો સુધી ખેતરમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરતા હતા. કલ્પેશ જણાવે છે કે પિતાના શરીરમાંથી હંમેશા જંતુનાશકોની ગંધ આવતી હતી. જ્યારે તેમના પિતાને કેન્સર થયું, ત્યારે તેમને સમજાયું કે રાસાયણિક ખેતીના આરોગ્ય પર ગંભીર પ્રભાવ પડી શકે છે. પિતાના અવસાન પછી તેમણે નક્કી કર્યું કે હવે તેઓ ખેતીમાં ઝેરી રસાયણોનો ઉપયોગ નહીં કરે. </p>
<p>વર્ષ 2019માં કલ્પેશે પોતાની જમીન પર કુદરતી ખેતીનો પ્રયોગ શરૂ કર્યો. સુરતની ખાનગી કંપનીમાં કેમિકલ ઓપરેટર તરીકે નોકરી સાથે તેમણે ગુજરાત કૃષિ વિભાગ દ્વારા આયોજિત તાલીમમાં ભાગ લીધો અને જીવામૃત જેવી કુદરતી પદ્ધતિઓ શીખી. </p>
<p>આજે તેઓ લગભગ સાડા ત્રણ બીઘા જમીનમાં 50થી વધુ જાતની કેળાની ખેતી કરે છે. તેમાં પૂવન, રસથાળી, બસરાઈ, લાલ કેળું, એલચી અને આંતરરાષ્ટ્રીય સ્તરે લોકપ્રિય બ્લૂ જાવા જેવી જાતોનો સમાવેશ થાય છે. તેમના ખેતરમાં ઉત્પન્ન થતી કેળાની લૂમો સામાન્ય રીતે 30 કિલોથી વધુ વજન ધરાવે છે. વર્ષ 2025માં તેમના ખેતરમાં 73 કિલો વજનની કેળાની લૂમ ઉત્પન્ન થતાં કૃષિ વૈજ્ઞાનિકો અને દેશભરના ખેડૂતોનું ધ્યાન ખેંચાયું હતું. </p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-05/0235.jpg" alt="02" width="1280" height="720"></img></p>
<p>કલ્પેશ પટેલના જણાવ્યા મુજબ કુદરતી ખેતી અપનાવ્યા પછી તેઓ દર વર્ષે પ્રતિ બીઘા રૂ. 15 હજારથી 20 હજાર સુધીનો ખર્ચ બચાવે છે. જમીનની ગુણવત્તા સુધરતાં ઉત્પાદન પણ નોંધપાત્ર રીતે વધ્યું છે. હાલમાં તેઓ સાડા ત્રણ બીઘા જમીનમાંથી દર વર્ષે અંદાજે રૂ. 10 થી 12 લાખની આવક મેળવે છે. તેઓ ન વેચાયેલા કેળાંમાંથી વેફર્સ, બનાના પાવડર અને ડ્રાય બનાના ફિગ જેવી પ્રોડક્ટ્સ તૈયાર કરે છે.</p>
<p>કલ્પેશ પટેલનો આ કિસ્સો સમાજ માટે પ્રેરણારૂપ છે. તેમણે બતાવી આપ્યું છે કે માત્ર રસાયણિક ખાતરથી જ સફળ ખેતી થઇ શકે તેમ નથી.</p>]]></content:encoded>
                
                                                            <category>Charcha Patra</category>
                                    

                <link>https://www.khabarchhe.com/charcha-patra/what-the-son-did-in-surat-after-his-father-died-of-cancer-should-be-saluted/article-178056</link>
                <guid>https://www.khabarchhe.com/charcha-patra/what-the-son-did-in-surat-after-his-father-died-of-cancer-should-be-saluted/article-178056</guid>
                <pubDate>Thu, 28 May 2026 13:15:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-05/0235.jpg"                         length="1026760"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dr. Dinky Gajiwala]]></dc:creator>
                            </item>
            <item>
                <title>જો તમને સારી ઊંઘ આવતી ન હોય તો દાંત પણ ચેક કરાવી લેજો!! </title>
                                    <description><![CDATA[<p>આ હેડલાઇન વાંચીને કદાચ તમને એમ થશે કે ઊંઘ અને દાંતને વળી શું સંબંધ. પરંતુ બન્ને વચ્ચે સીધો સંબંધ છે. ઘણા લોકોના દાંત ઘસાયેલા હોય છે અને તૂટી ગયા હોય છે. તેમને ખબર નથી પડતી કે તેવું શા કારણે બને છે. કારણ કે તેઓ દાંતની ખૂબ કાળજી લેતા હોય છે. રેગ્યુલર બ્રશ કરતા હોય છે છતાં દાંત કેમ ઘસાઇ કે તૂટી જાય છે. તો તેની પાછળનું કારણ છે ઊંઘ. જે લોકોને ઊંઘ સારી નથી આવતી તેમના દાંત ઘસાઇ જવાની પૂરેપૂરી શક્યતા છે. <br />કારણ કે ઘણી વખત ઊંઘની સમસ્યાનું મૂળ કારણ હોઈ શકે છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/0244.jpg" alt="02" width="1200" height="720" /></p>
<p>તો ચાલો આપણે સમજીએ કે શું સમસ્યા</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/charcha-patra/if-you-are-not-sleeping-well--get-your-teeth-checked-too/article-177481"><img src="https://www.khabarchhe.com/media/400/2026-04/0146.jpg" alt=""></a><br /><p>આ હેડલાઇન વાંચીને કદાચ તમને એમ થશે કે ઊંઘ અને દાંતને વળી શું સંબંધ. પરંતુ બન્ને વચ્ચે સીધો સંબંધ છે. ઘણા લોકોના દાંત ઘસાયેલા હોય છે અને તૂટી ગયા હોય છે. તેમને ખબર નથી પડતી કે તેવું શા કારણે બને છે. કારણ કે તેઓ દાંતની ખૂબ કાળજી લેતા હોય છે. રેગ્યુલર બ્રશ કરતા હોય છે છતાં દાંત કેમ ઘસાઇ કે તૂટી જાય છે. તો તેની પાછળનું કારણ છે ઊંઘ. જે લોકોને ઊંઘ સારી નથી આવતી તેમના દાંત ઘસાઇ જવાની પૂરેપૂરી શક્યતા છે. <br />કારણ કે ઘણી વખત ઊંઘની સમસ્યાનું મૂળ કારણ હોઈ શકે છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/0244.jpg" alt="02" width="1280" height="720"></img></p>
<p>તો ચાલો આપણે સમજીએ કે શું સમસ્યા હોય છે. મેડિકલ સાયન્સમાં એક શબ્દ છે બ્રક્સિઝ્મ (Bruxism). આ સમસ્યા એટલે ઊંઘ દરમિયાન દાંત પીસવાની આદત. હવે સવાલ એ થાય છે કે કોઇ વ્યક્તિ ઊંઘ દરમિયાન દાંત કેમ પીસે છે. તો તેનો જવાબ છે કે </p>
<p>જ્યારે રાત્રે આપણે સૂઈએ છીએ ત્યારે આપણી ચેતનામાં ફેરફાર થાય છે. આપણે ચેતનાની એક એવી અવસ્થામાં હોઇએ છીએ જ્યારે આપણી ઇન્દ્રિયો શાંત હોય છે  પણ શરીર અને મગજ સતત કામ કરી રહ્યા હોય છે. તે દરમિયાન ઘણીવાર મગજ સામાન્ય કરતા થોડું વધારે સક્રિય બની જાય છે. જેને  માઇક્રો અરાઉસલ (micro-arousals) કહેવામાં આવે છે.  જ્યારે થોડા સમય માટે મગજ અચાનક જાગે—તો જડબાની પેશીઓ સક્રિય થઈ જાય છે. આ સ્થિતિને સ્લીપ બ્રકિસઝ્મ (Sleep bruxism)કહેવામાં આવે છે. આના પરિણામે દાંત કચકચાવા લાગે, જડબામાં તાણ આવે અને ઊંઘ તૂટતી રહે છે. </p>
<p>તમે જ્યારે ઊંઘથી ઉઠો ત્યારે  સવારે જડબામાં દુખાવો, દાંત સંવેદનશીલ લાગે, માથાનો દુખાવો રહે, ઊંઘ પૂરી થઈ હોવા છતાં થાક લાગે.  આ માત્ર ઊંઘની સમસ્યા નથી—એ દાંત અને જડબાની સમસ્યાના સંકેત છે.</p>
<p>ઘણાં કેસમાં ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા (Obstructive Sleep Apnea)પણ જવાબદાર હોય છે. આ સમસ્યામાં શરીરમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન જઇ શકતું નથી ત્યારે ઊંઘમાં શ્વાસ થોડા સમય માટે અટકે છે. શરીર તરત જ પ્રતિક્રિયા આપે છે—જડબાને હલાવીને હવા જવાના માર્ગને ખોલવાનો પ્રયત્ન કરે છે. આ પ્રક્રિયા વખતે દાંતના પીસાવાની સમસ્યા વધે છે અને ઊંઘ વધુ ખરાબ બને છે.</p>
<p>આવું થવા પાછળ ઘણા કારણો હોઇ શકે છે પરંતુ સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે માનસિક તણાવ પણ કારણ હોઇ શકે છે.  ચિંતા, ગુસ્સો, દબાયેલી લાગણીઓ, આ બધું સીધું જ જડબા પર અસર કરે છે. જ્યારે મન શાંત નથી, ત્યારે શરીર રાત્રે તેની અસર બતાવે છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/0342.jpg" alt="03" width="1280" height="720"></img></p>
<p>જો તમને સારી ઊંઘ નથી આવતી, તો માત્ર સ્લિપિંગ પીલ્સ તરફ ન દોડો. ડેન્ટિસ્ટ પાસે જઈને દાંત અને જડબાની તપાસ પણ કરાવી લો. કારણ કે<br />જો બ્રકિસ્ઝમ સમયસર પકડાઈ જાય તો દાંત બચી શકે અને ઊંઘ પણ સારી આવી શકે. </p>
<p>તો આ સમસ્યાનો ઉકેલ કઇ રીતે આવે? ચોક્કસ ઉકેલ તો જે ડેન્ટલ એક્સપર્ટે ઊંઘ અંગે પણ અભ્યાસ કર્યો હોય તે જ બતાવી શકે. જોકે, કેટલાક એવા સાધનો છે જે ઉપયોગી હોય છે. આ સાધનોમાં સ્લીપ એપ્લાયન્સેસ કે ડેન્ટલ ગાર્ડ શામેલ છે. તેનાથી દાંત બચવાની સાથે ઊંઘમાં સુધારો પણ આવતો હોય છે.</p>
<p>ક્યારેક શરીર નાના સંકેતો આપે છે—પ્રશ્ન એ છે કે આપણે તેને સમજીએ છીએ કે નહીં. જો સારી ઊંઘ નથી આવતી… તો દાંત ચેક કરાવવાનું ભૂલશો નહીં.</p>]]></content:encoded>
                
                                                            <category>Charcha Patra</category>
                                    

                <link>https://www.khabarchhe.com/charcha-patra/if-you-are-not-sleeping-well--get-your-teeth-checked-too/article-177481</link>
                <guid>https://www.khabarchhe.com/charcha-patra/if-you-are-not-sleeping-well--get-your-teeth-checked-too/article-177481</guid>
                <pubDate>Tue, 21 Apr 2026 20:17:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-04/0146.jpg"                         length="949873"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dr. Risshi D. Bhatt]]></dc:creator>
                            </item>
            <item>
                <title>હોમિયોપેથી- સફેદ ગોળિયો ખરેખર કઇ રીતે અસર કરે છે, શું કહે છે વિજ્ઞાન? </title>
                                    <description><![CDATA[<p>હોમિયોપેથીને લઈને વર્ષો જૂનો એક વિવાદ ચાલે છે. શું આ સારવાર પદ્ધતિ ખરેખર અસર કરે છે,  તેમાં વાસ્તવિક કોઇ વૈજ્ઞાનિક અસર પણ છે ખરી? તો આ પ્રશ્નોના જવાબ માટે જોઇએ કે આ અંગે વૈજ્ઞાનિક અભ્યાસો શું કહે છે?</p>
<p>દુનિયાભરમાં કરાયેલા કેટલાક મહત્વપૂર્ણ અભ્યાસોમાં જોવા મળ્યું છે કે હોમિયોપેથીની અસર ઘણા અભ્યાસોમાં  માનસિક કરતા શારિરિક વધુ જોવા મળી. આ તફાવત આંકડાકીય રીતે નોંધપાત્ર હતો. ખાસ કરીને વ્યક્તિગત રીતે આપવામાં આવેલી સારવારમાં સકારાત્મક પરિણામો જોવા મળ્યા.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/0242.jpg" alt="02" width="1200" height="720" /></p>
<p>વિશ્વમાં અત્યાર સુધી 300થી વધુ ક્લિનિકલ ટ્રાયલ્સ અને 100થી વધુ રોગોમાં હોમિયોપેથીનું પરીક્ષણ થઈ ચૂક્યું છે. આમાંના ઘણા અભ્યાસો એલોપેથી દવાઓ બનાવવાની પદ્ધતિઓ જેમ કે રેન્ડમાઇઝ્ડ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/charcha-patra/homeopathy-how-the-white-pill-really-works-what-science/article-177470"><img src="https://www.khabarchhe.com/media/400/2026-04/0144.jpg" alt=""></a><br /><p>હોમિયોપેથીને લઈને વર્ષો જૂનો એક વિવાદ ચાલે છે. શું આ સારવાર પદ્ધતિ ખરેખર અસર કરે છે,  તેમાં વાસ્તવિક કોઇ વૈજ્ઞાનિક અસર પણ છે ખરી? તો આ પ્રશ્નોના જવાબ માટે જોઇએ કે આ અંગે વૈજ્ઞાનિક અભ્યાસો શું કહે છે?</p>
<p>દુનિયાભરમાં કરાયેલા કેટલાક મહત્વપૂર્ણ અભ્યાસોમાં જોવા મળ્યું છે કે હોમિયોપેથીની અસર ઘણા અભ્યાસોમાં  માનસિક કરતા શારિરિક વધુ જોવા મળી. આ તફાવત આંકડાકીય રીતે નોંધપાત્ર હતો. ખાસ કરીને વ્યક્તિગત રીતે આપવામાં આવેલી સારવારમાં સકારાત્મક પરિણામો જોવા મળ્યા.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/0242.jpg" alt="02" width="1280" height="720"></img></p>
<p>વિશ્વમાં અત્યાર સુધી 300થી વધુ ક્લિનિકલ ટ્રાયલ્સ અને 100થી વધુ રોગોમાં હોમિયોપેથીનું પરીક્ષણ થઈ ચૂક્યું છે. આમાંના ઘણા અભ્યાસો એલોપેથી દવાઓ બનાવવાની પદ્ધતિઓ જેમ કે રેન્ડમાઇઝ્ડ અને ડબલ-બ્લાઇન્ડ પદ્ધતિથી કરવામાં આવ્યા છે, જે આધુનિક વૈજ્ઞાનિક માપદંડો મુજબ વિશ્વસનીય માનવામાં આવે છે.</p>
<p>જોકે, એલોપેથી અને હોમિયોપેથીમાં મોટો ફર્ક એ છે કે એલોપેથી દરેક દર્દીને એક શરીર તરીકે જૂએ છે. એલોપેથીમાં રોગના લક્ષણોને આધારે દવા આપવામાં આવે છે.  જ્યારે હોમિયોપેથી દરેક દર્દીને એક અલગ વ્યક્તિ તરીકે જૂએ છે.  દરેક દર્દીને વ્યક્તિગત લક્ષણોને આધારે અલગ દવા આપવામાં આવે છે.  એટલે જો એલોપેથીના માપદંડોથી હોમિયોપેથીને ચકાસવામાં આવે તો તે તેના પરિણામો જુદા જ આવશે. </p>
<p>આપણે એક સામાન્ય ઉદાહરણથી સમજીએ. દર્દીઓનું એક જૂથ છે. તમામને એક જ પ્રકારના અસ્થમાની તકલીફ છે. તમામની ઊંમર, વજન અને બીજુ બધું સરખું છે. હવે આમની સારવાર કરવી હોય તો એલોપેથીમાં તમામને લગભગ એક જ પ્રકારની દવા આપવામાં આવશે કારણ કે તમામના લક્ષણો એક જ પ્રકારના દેખાશે. જોકે, હોમિયોપેથીની પદ્ધતિ જુદી છે. હોમિયોપેથી પહેલા તમામ દર્દીઓમાં શું તફાવત છે, એ જોશે. કદાચ તમામ દર્દીઓને જુદી જુદી દવાઓ પણ આપવામાં આવે.   </p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/0340.jpg" alt="03" width="1280" height="720"></img></p>
<p>આમ, એલોપેથી અને હોમિયોપેથી બન્ને પદ્ધતિઓ જ જુદી છે. બન્નેની પોતાની ખાસિયતો છે. બન્નેની પોતાની મર્યાદાઓ છે.  જોકે, ડિબેટ વર્ષોથી ચાલી આવી છે. હજુ પણ ચાલશે. અંતે તો દર્દીને પરિણામ શું મળે છે તે જ મહત્ત્વનું છે.જ્યાં હોમિયોપેથી કામ કરે છે ત્યાં તેનો ઉપયોગ કરાય અને જ્યાં એલોપેથી અસરકારક છે ત્યાં એલોપેથીને ઉપયોગમાં લેવાય. ભારત જેવા દેશમાં હોમિયોપેથીથી સારવાર કરાવનારા લાખો લોકો છે. તેમને જો ફાયદો થતો હશે તો જ ઉપયોગ કરતા હશે. આમ, આજના સમયમાં આખી દુનિયામાં ઇન્ટિગ્રેટિવ અપ્રોચ અપનાવાઇ રહ્યો છે. જે પદ્ધતિ જે રોગોમાં વધુ અસરકારક હોય છે તેનો ઉપયોગ કરવાનું વલણ વધી રહ્યું છે.</p>]]></content:encoded>
                
                                                            <category>Charcha Patra</category>
                                    

                <link>https://www.khabarchhe.com/charcha-patra/homeopathy-how-the-white-pill-really-works-what-science/article-177470</link>
                <guid>https://www.khabarchhe.com/charcha-patra/homeopathy-how-the-white-pill-really-works-what-science/article-177470</guid>
                <pubDate>Tue, 21 Apr 2026 12:24:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-04/0144.jpg"                         length="964816"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dr. Sunil Shah]]></dc:creator>
                            </item>
            <item>
                <title>અક્ષય કુમારે પિતા ગુમાવ્યા હતા, પુરુષોને આપી PSA ટેસ્ટની સલાહ</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">જાણીતા ફિલ્મ અભિનેતા અને હેલ્થ પ્રત્યે સતત જાગૃતિ ફેલાવતા રહેતા અક્ષય કુમારે પોતાના પિતાનો દાખલો આપવા સાથે દરેક પુરુષોને નિયમિત </span>PSA <span lang="gu" xml:lang="gu">ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે.</span>  </p>
<p><span lang="gu" xml:lang="gu">ભારતમાં પ્રોસ્ટેટ કેન્સર વિશે જાગૃતિનો અભાવ હજુ પણ ગંભીર સમસ્યા છે. તાજેતરમાં બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારે પોતાના પિતાના અવસાનનો દાખલો આપતા પુરુષોને નિયમિત </span>PSA <span lang="gu" xml:lang="gu">ટેસ્ટ કરાવતાર રહેવાની અપીલ કરી છે. તેમનું કહેવું છે કે યોગ્ય સમયે તપાસ નહીં કરાવવાના કારણે તેમના પરિવારને મોટું નુકસાન ભોગવવું પડ્યું છે. </span></p>
<p><strong>PSA <span lang="gu" xml:lang="gu">ટેસ્ટ શું છે અને કેમ મહત્વનો છે</span>?</strong></p>
<p>PSA (Prostate-Specific Antigen) <span lang="gu" xml:lang="gu">એક પ્રકારનું પ્રોટીન છે</span>, <span lang="gu" xml:lang="gu">જે પ્રોસ્ટેટ ગ્રંથિ દ્વારા બને છે. એક સામાન્ય બ્લડ ટેસ્ટ</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/charcha-patra/akshay-kumar-lost-his-father--advises-men-to-get-psa-test/article-177156"><img src="https://www.khabarchhe.com/media/400/2026-04/012.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">જાણીતા ફિલ્મ અભિનેતા અને હેલ્થ પ્રત્યે સતત જાગૃતિ ફેલાવતા રહેતા અક્ષય કુમારે પોતાના પિતાનો દાખલો આપવા સાથે દરેક પુરુષોને નિયમિત </span>PSA <span lang="gu" xml:lang="gu">ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે.</span> </p>
<p><span lang="gu" xml:lang="gu">ભારતમાં પ્રોસ્ટેટ કેન્સર વિશે જાગૃતિનો અભાવ હજુ પણ ગંભીર સમસ્યા છે. તાજેતરમાં બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારે પોતાના પિતાના અવસાનનો દાખલો આપતા પુરુષોને નિયમિત </span>PSA <span lang="gu" xml:lang="gu">ટેસ્ટ કરાવતાર રહેવાની અપીલ કરી છે. તેમનું કહેવું છે કે યોગ્ય સમયે તપાસ નહીં કરાવવાના કારણે તેમના પરિવારને મોટું નુકસાન ભોગવવું પડ્યું છે. </span></p>
<p><strong>PSA <span lang="gu" xml:lang="gu">ટેસ્ટ શું છે અને કેમ મહત્વનો છે</span>?</strong></p>
<p>PSA (Prostate-Specific Antigen) <span lang="gu" xml:lang="gu">એક પ્રકારનું પ્રોટીન છે</span>, <span lang="gu" xml:lang="gu">જે પ્રોસ્ટેટ ગ્રંથિ દ્વારા બને છે. એક સામાન્ય બ્લડ ટેસ્ટ દ્વારા તેનું સ્તર માપી શકાય છે. આ ટેસ્ટ દ્વારા પ્રોસ્ટેટ કેન્સરનું શરૂઆતના તબક્કામાં જ નિદાન શક્ય બને છે. શરૂઆતના સ્ટેજમાં જો નિદાન થઇ જાય તો તે સારવારની સફળતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કૅન્સર નિષ્ણાત તરીકે મારું માનવું છે કે પ્રોસ્ટેટ કેન્સર ઘણીવાર શરૂઆતમાં કોઈ લક્ષણ આપતું નથી. તેથી</span>, <span lang="gu" xml:lang="gu">લક્ષણો દેખાય તે પહેલા સ્ક્રીનિંગ જ જીવન બચાવી શકે છે.</span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/032.jpg" alt="03" width="1280" height="720"></img></p>
<p><strong>50<span lang="gu" xml:lang="gu"> વર્ષ પછી ખાસ ધ્યાન કેમ જરૂરી</span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">અભ્યાસો અને ક્લિનિકલ અનુભવ બતાવે છે કે </span>50<span lang="gu" xml:lang="gu"> વર્ષથી વધુ વયના પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સરનો જોખમ વધે છે. અક્ષય કુમારે પણ આ જ બાબત પર ભાર મૂક્યો છે કે આ ઉંમર પછી વાર્ષિક </span>PSA <span lang="gu" xml:lang="gu">ટેસ્ટ કરાવવો જરૂરી છે.જો પરિવારમાં કોઇને કેન્સર હોય</span>, <span lang="gu" xml:lang="gu">તો તપાસ વધુ વહેલી ઉંમરે શરૂ કરી દેવી જરૂરી છે.</span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">જાગૃતિનો અભાવ – સૌથી મોટો ખતરો</span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">ભારતમાં પુરુષો સામાન્ય રીતે પોતાના આરોગ્યને જોઇએ તેટલું મહત્ત્વ આપતા નથી. ખાસ કરીને પ્રોસ્ટેટ જેવી સમસ્યાઓમાં શરમ</span>, <span lang="gu" xml:lang="gu">અજ્ઞાનતા અને “કઈ નહીં થાય” જેવી માનસિકતાને કારણે મોડું નિદાન કરાવે છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">અક્ષય કુમારે જણાવ્યું છે કે જો તેમને સમયસર </span>PSA <span lang="gu" xml:lang="gu">ટેસ્ટ વિશે જાણ હોત</span>, <span lang="gu" xml:lang="gu">તો કદાચ તેઓ પોતાના પિતાને બચાવી શક્યા હોત.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-04/022.jpg" alt="02" width="1280" height="720"></img></span></p>
<p><span lang="gu" xml:lang="gu">આમ એક કૅન્સર નિષ્ણાતની રીતે હું સ્પષ્ટ રીતે કહું છું કે </span></p>
<p>50<span lang="gu" xml:lang="gu"> વર્ષ પછી નિયમિત </span>PSA <span lang="gu" xml:lang="gu">ટેસ્ટ કરાવો</span></p>
<p><span lang="gu" xml:lang="gu">પરિવાર ઇતિહાસ હોય તો વહેલી ઉંમરે સ્ક્રીનિંગ શરૂ કરો</span></p>
<p><span lang="gu" xml:lang="gu">યુરિન સંબંધિત લક્ષણો (વારંવાર પેશાબ</span>, <span lang="gu" xml:lang="gu">દુખાવો) અવગણશો નહીં</span></p>
<p><span lang="gu" xml:lang="gu">સમયસર નિદાન = વધુ સારું સારવાર પરિણામ</span></p>]]></content:encoded>
                
                                                            <category>Charcha Patra</category>
                                    

                <link>https://www.khabarchhe.com/charcha-patra/akshay-kumar-lost-his-father--advises-men-to-get-psa-test/article-177156</link>
                <guid>https://www.khabarchhe.com/charcha-patra/akshay-kumar-lost-his-father--advises-men-to-get-psa-test/article-177156</guid>
                <pubDate>Wed, 01 Apr 2026 15:12:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-04/012.jpg"                         length="950065"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dr. Dinky Gajiwala]]></dc:creator>
                            </item>
            <item>
                <title>કેન્સરની mRNA વેક્સિન વિશે અફવાઓ કેમ ફેલાય છે?</title>
                                    <description><![CDATA[<p>કેન્સર વેક્સિન એવી સારવાર છે જે શરીરના ઇમ્યુન સિસ્ટમને કેન્સર કોષો ઓળખવા અને નાશ કરવા શીખવે છે. mRNA vaccine ટેક્નોલોજી શરીરમાં એક પ્રકારનો મેસેજ (mRNA) મોકલે છે, જેનાથી શરીર પ્રોટીન બનાવે છે અને પછી રોગ સામે લડવા માટે તૈયાર થાય છે. આ ટેક્નોલોજી COVID-19 દરમિયાન સફળ રહી હતી અને હવે તેનો ઉપયોગ કેન્સર સારવારમાં થઈ રહ્યો છે.</p>
<p>સામાન્ય ભાષામાં કહીએ તો જેમ ઘર બનતા પહેલા શરીરનો એક નક્શો તૈયાર થતો હોય તેના આધારે ઘર બને છે. તે રીતે જ આપણા શરીરમાં ડીએનએ (DNA) હોય છે. આ તેનો નક્શો છે. આ નક્શાના આધારે જ આપણું શરીર વિકસે છે. આ નક્શાની માહિતી</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/charcha-patra/why-are-rumors-spreading-about-the-mrna-cancer-vaccine/article-177110"><img src="https://www.khabarchhe.com/media/400/2026-03/0167.jpg" alt=""></a><br /><p>કેન્સર વેક્સિન એવી સારવાર છે જે શરીરના ઇમ્યુન સિસ્ટમને કેન્સર કોષો ઓળખવા અને નાશ કરવા શીખવે છે. mRNA vaccine ટેક્નોલોજી શરીરમાં એક પ્રકારનો મેસેજ (mRNA) મોકલે છે, જેનાથી શરીર પ્રોટીન બનાવે છે અને પછી રોગ સામે લડવા માટે તૈયાર થાય છે. આ ટેક્નોલોજી COVID-19 દરમિયાન સફળ રહી હતી અને હવે તેનો ઉપયોગ કેન્સર સારવારમાં થઈ રહ્યો છે.</p>
<p>સામાન્ય ભાષામાં કહીએ તો જેમ ઘર બનતા પહેલા શરીરનો એક નક્શો તૈયાર થતો હોય તેના આધારે ઘર બને છે. તે રીતે જ આપણા શરીરમાં ડીએનએ (DNA) હોય છે. આ તેનો નક્શો છે. આ નક્શાના આધારે જ આપણું શરીર વિકસે છે. આ નક્શાની માહિતી આપણા શરીરને એક દૂત મારફતે જાય છે જે RNA કહેવાય છે. આ દૂત જે માહિતી આપે તેના આધારે જ આપણું શરીર નવા કોષો બનાવે છે. હવે જો બાહરથી આપણે આ દૂતમાં એક મેસેજ મૂકીને શરીરને મોકલીએ તો શરીર તેના આધારે કામ કરવા લાગે છે. કેન્સર વખતે શરીરના ચોક્કસ કોષો પોતાની રીતે વર્તવા લાગે છે. તેઓ નિયંત્રણ બહાર થઇ જાય છે. શરીરમાં તેમની સામે લડનારા કોષો પણ હારી જાય છે. આ mRNA દ્વારા કેન્સર સામે લડનારા કોષોને મદદ કરે તેવા મેસેજ હોય છે. તેઓ પાછા લડવા તૈયાર થઇ જાય છે. આમ આ ટેક્નોલોજી ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે.    </p>
<p><strong>કેમ આ ક્રાંતિ લાવી શકે?</strong></p>
<p>mRNA વેક્સિન પર્સનલાઈઝ્ડ ટ્રીટમેન્ટ આપી શકે છે (દરેક દર્દી માટે અલગ). આ ઉપરાંત શરીરને સીધું જ કેન્સર કોષો સામે લડવા તૈયાર કરે છે.<br />ભવિષ્યમાં કેન્સર થતા પહેલા અટકાવવાની શક્યતા પણ ઊભી થાય.આ કારણે તેને મેડિકલ સાયન્સમાં ગેમ-ચેન્જર માનવામાં આવી રહી છે.</p>
<p><strong>ગેર સમજ કેમ ફેલાય છે?</strong></p>
<p>કેન્સર માટેની નવા પ્રકારની સારવારમાં mRNA ટેક્નોલોજી આશાનું કિરણ બની રહી છે. છતાં એક મોટી સમસ્યા ઉભી થઈ રહી છે—અફવાઓ (misinformation). લોકોમાં mRNA વેક્સિન વિશે ભય અને ગેરસમજ વધતી જાય છે. સવાલ એ છે કે જ્યારે વિજ્ઞાન આગળ વધી રહ્યું છે, ત્યારે ખોટી માહિતી કેમ ફેલાય છે?</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-03/0269.jpg" alt="02" width="1280" height="720"></img></p>
<p><strong>વિષય નવો છે પરંતુ ડર જૂનો છે </strong></p>
<p>mRNA ટેક્નોલોજી સામાન્ય લોકો માટે નવી છે. જ્યારે કોઈ નવી મેડિકલ ટેક્નોલોજી આવે છે, ત્યારે લોકોમાં સ્વાભાવિક રીતે ભય અને શંકા જન્મે છે. “આ આપણા શરીર પર શું અસર કરશે?” અથવા “શું આ સલામત છે?” જેવા પ્રશ્નો ગેરસમજ માટેની જમીન તૈયાર કરે છે.</p>
<p><strong>સોશિયલ મીડિયા: ઝડપી પ્રસાર, પરંતુ અધૂરી સચ્ચાઈ</strong></p>
<p>આજના ડિજિટલ યુગમાં માહિતી ઝડપથી ફેલાય છે. ખાસ કરીને WhatsApp, Facebook અને YouTube જેવા પ્લેટફોર્મ પર ઇમોશનલ અને ચોંકાવનારી માહિતી ઝડપથી વાયરલ થાય છે. દુર્ભાગ્યે, આ માહિતી હંમેશા સત્ય હોય એવું નથી હોતું.</p>
<p><strong>વિજ્ઞાનની જટિલતા અને સમજણનો અભાવ</strong></p>
<p>mRNA જેવી ટેક્નોલોજી વૈજ્ઞાનિક રીતે જટિલ છે. “જિનેટિક મટિરિયલ” જેવા શબ્દો લોકોને ભયભીત કરે છે. ઘણા લોકો માટે આ બાબતોને સરળ ભાષામાં સમજવું મુશ્કેલ બને છે. ઘણીવાર સમજાવનારા પણ પોતે સમજ્યા વગર જ આ અંગે વાત કરતા હોય છે. જેના કારણે ખોટી અને સરળ સમજણ વધુ વિશ્વસનીય લાગે છે.</p>
<p><strong>વિશ્વાસનું સંકટ</strong></p>
<p>કેટલાક લોકોમાં સરકારો, ફાર્માસ્યુટિકલ કંપનીઓ અથવા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પ્રત્યે અવિશ્વાસ હોય છે. ભૂતકાળના કેટલાક વિવાદો અથવા અફવાઓ આ અવિશ્વાસને વધુ મજબૂત બનાવે છે. પરિણામે, સાચી માહિતી પણ શંકાની નજરે જોવામાં આવે છે.</p>
<p><strong>ફાયદા માટે ફેલાવાતી અફવાઓ</strong></p>
<p>કેટલાક કિસ્સાઓમાં અફવાઓ ઇરાદાપૂર્વક ફેલાવવામાં આવે છે. સોશિયલ મીડિયા પર વધુ વ્યૂઝ, ફોલોઅર્સ અથવા વેપારી લાભ મેળવવા માટે ડર આધારિત વાતો પ્રસારિત કરવામાં આવે છે. આ રીતે ખોટી માહિતીનું બજાર ઉભું થાય છે.</p>
<p><strong>સાંસ્કૃતિક માન્યતાઓ અને મૌખિક પ્રસાર</strong></p>
<p>ભારત જેવા દેશમાં લોકો ઘણીવાર પરિવાર, મિત્રો અથવા સમાજમાં સાંભળેલી વાતો પર વધુ વિશ્વાસ રાખે છે. “કોઈએ કહ્યું છે” જેવી વાતો ઝડપથી ફેલાય છે અને સમય જતાં મિથક બની જાય છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-03/0360.jpg" alt="03" width="1280" height="720"></img></p>
<p><strong>ઝડપ સામે વિજ્ઞાન</strong></p>
<p>વિજ્ઞાનને કોઇ પણ વાત સાબિત કરવા માટે સમય જોઈએ—રીસર્ચ, ટ્રાયલ અને પરીક્ષણ. જ્યારે અફવાઓ તો મિનિટોમાં ફેલાઈ જાય છે. આ ગતિના તફાવતને કારણે ખોટી માહિતી ઘણીવાર સત્ય કરતાં આગળ નીકળી જાય છે.</p>
<p>mRNA વેક્સિન વિશે અફવાઓનું મૂળ કારણ ભય, અજ્ઞાનતા અને ઝડપી કોમ્યુનિકેશન છે. આ સમસ્યાનો ઉકેલ માત્ર એક જ છે—સાચી અને સરળ ભાષામાં વૈજ્ઞાનિક માહિતી લોકોને પહોંચાડવી. ડૉક્ટરો, સંશોધકો અને જવાબદાર મીડિયા જો આગળ આવીને જાગૃતિ ફેલાવે, તો ગેરસમજ દૂર કરી શકાય.</p>
<p>મારી લોકોને સલાહ છે કે જ્યારે કોઇ વાત તમારી સમક્ષ આવે ત્યારે સૌથી પહેલા એ ચકાસો કે માહિતી આપનારા તે વિષયમાં નિષ્ણાત છે ખરા. બીજી બાબત એ તપાસો કે શું તેમાં તેમનો કોઇ સ્વાર્થ છે. ત્રીજી એ વાત ચકાસો કે શું તે સામાન્ય જનતાના ભલા માટે છે કે કેટલાક થોડાક લોકોના ફાયદાની વાત છે. આ રીતે તમે સત્યની થોડી નજીક પહોંચી શકો છે.</p>]]></content:encoded>
                
                                                            <category>Charcha Patra</category>
                                    

                <link>https://www.khabarchhe.com/charcha-patra/why-are-rumors-spreading-about-the-mrna-cancer-vaccine/article-177110</link>
                <guid>https://www.khabarchhe.com/charcha-patra/why-are-rumors-spreading-about-the-mrna-cancer-vaccine/article-177110</guid>
                <pubDate>Mon, 30 Mar 2026 17:41:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-03/0167.jpg"                         length="945289"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dr. Dinky Gajiwala]]></dc:creator>
                            </item>
            <item>
                <title>26 વર્ષની ભારતીય મહિલાના મોઢામાં 38 દાંતનો વર્લ્ડ રેકોર્ડ, શું વધારાના દાંત પડાવી દેવા જોઇએ?</title>
                                    <description><![CDATA[<p>ભારતમાં એક અનોખો વિશ્વ રેકોર્ડ બન્યો છે. કલ્પના બાલન નામની 26 વર્ષની મહિલાના મોઢામાં કુલ 38 દાંત છે, જે સામાન્ય માણસ કરતાં 6 વધુ છે. આ કારણે તેમનું નામ Guinness World Records માં નોંધાયું છે. કોઇ વ્યક્તિના મોઢામાં વધારે દાંત હોય તો શું તે પડાવી દેવા જોઇએ કે રાખવામાં કોઇ વાંધો નથી. </p>
<p>સામાન્ય રીતે એક યુવાન વ્યક્તિના મોઢામાં 32 દાંત હોય છે. પરંતુ કલ્પના બાલનના મોઢામાં 4 વધારાના દાંત નીચેના જડબામાં અને 2 વધારાના દાંત ઉપરના જડબામાં છે. તેમના વધારાના દાંત કિશોરાવસ્થામાં ધીમે-ધીમે ઉગવા લાગ્યા હતા. તેમને ખાસ પીડા તો નથી, પરંતુ ખોરાક ખાતી વખતે ઘણીવાર ખોરાક દાંત વચ્ચે ફસાઈ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/charcha-patra/world-record-of-38-teeth-in-indian-woman-s-mouth--should-extra-teeth-be-extracted/article-176969"><img src="https://www.khabarchhe.com/media/400/2026-03/0152.jpg" alt=""></a><br /><p>ભારતમાં એક અનોખો વિશ્વ રેકોર્ડ બન્યો છે. કલ્પના બાલન નામની 26 વર્ષની મહિલાના મોઢામાં કુલ 38 દાંત છે, જે સામાન્ય માણસ કરતાં 6 વધુ છે. આ કારણે તેમનું નામ Guinness World Records માં નોંધાયું છે. કોઇ વ્યક્તિના મોઢામાં વધારે દાંત હોય તો શું તે પડાવી દેવા જોઇએ કે રાખવામાં કોઇ વાંધો નથી. </p>
<p>સામાન્ય રીતે એક યુવાન વ્યક્તિના મોઢામાં 32 દાંત હોય છે. પરંતુ કલ્પના બાલનના મોઢામાં 4 વધારાના દાંત નીચેના જડબામાં અને 2 વધારાના દાંત ઉપરના જડબામાં છે. તેમના વધારાના દાંત કિશોરાવસ્થામાં ધીમે-ધીમે ઉગવા લાગ્યા હતા. તેમને ખાસ પીડા તો નથી, પરંતુ ખોરાક ખાતી વખતે ઘણીવાર ખોરાક દાંત વચ્ચે ફસાઈ જાય છે. </p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-03/photo-(2)23.jpg" alt="Photo-(2)" width="1280" height="720"></img></p>
<p><strong>વધારાના દાંત કેમ થાય છે?</strong></p>
<p>આ સ્થિતિને Hyperdontia અથવા supernumerary teeth કહેવામાં છે. આમાં સામાન્ય કરતાં વધુ દાંત વિકસે છે. વિશ્વના લગભગ 3–4% લોકોમાં આ સમસ્યા જોવા મળે છે. </p>
<p><strong>શું છે કારણો:</strong></p>
<p>વધારા દાંત હોવાનો જુદા જુદા કારણો છે જેમાં દાંતના ટૂથ બડ્સનો વધારાનો વિકાસ થવો, જિનેટિક કારણ અને કેટલીક વખત ટૂથ બડ્સ બે ભાગમાં વહેંચાઈ જવાથી વધુ દાંત ઉગી આવતા હોય છે. </p>
<p><strong>વધારાના દાંત રાખવા જોઈએ કે કાઢી નાખવા?</strong></p>
<p>આવી બાબતમાં સામાન્ય રીતે જુદા જુદા માપદંડોથી નિર્ણય લેવામાં છે. વધારાના દાંત ક્યારે રાખી શકાય તેનો નિર્ણય એ આધારે લેવાય છે કે જો તે પીડા ન આપતા હોય તો રહેવા દઇ શકાય આ ઉપરાંત ચાવવાની પ્રક્રિયામાં અવરોધ ન કરે, અન્ય દાંતને ખસેડતા ન હોય અથવા ચેપ અથવા સડવાનું જોખમ ન હોય. જોકે, તેમણે નિયમિત ચેક-અપ કરાવવાની સલાહ આપવામાં છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-03/0348.jpg" alt="03" width="1280" height="720"></img></p>
<p><strong>જ્યારે કાઢવા જરૂરી</strong></p>
<p>સામાન્ય રીતે દાંત કાઢવાની સલાહ ત્યારે અપાય છે જો ખોરાક ફસાવાની સમસ્યા હોય, દાંત વાંકા થવા લાગે, ચાવવાની તકલીફ થાય,  ઇન્ફેક્શન અથવા સડવાનું જોખમ વધે. ઘણા કેસમાં સર્જરી દ્વારા વધારાના દાંત સરળતાથી દૂર કરી શકાય છે.</p>
<p>વધારાના દાંત હોવું દુર્લભ છે, પરંતુ દરેક કેસમાં તેમને કાઢી નાખવાની જરૂર નથી. જો તેઓ કોઈ સમસ્યા ન કરતા હોય તો ડોક્ટર દેખરેખ હેઠળ રાખી શકાય, પરંતુ દાંતની ગોઠવણી, સ્વચ્છતા અને આરોગ્ય માટે ઘણીવાર તેમને કાઢવાની સલાહ આપવામાં આવે છે.</p>]]></content:encoded>
                
                                                            <category>Charcha Patra</category>
                                    

                <link>https://www.khabarchhe.com/charcha-patra/world-record-of-38-teeth-in-indian-woman-s-mouth--should-extra-teeth-be-extracted/article-176969</link>
                <guid>https://www.khabarchhe.com/charcha-patra/world-record-of-38-teeth-in-indian-woman-s-mouth--should-extra-teeth-be-extracted/article-176969</guid>
                <pubDate>Mon, 23 Mar 2026 13:09:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-03/0152.jpg"                         length="1000550"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dr. Rachna Dave Bhatt]]></dc:creator>
                            </item>
            <item>
                <title>કેન્સરની ટ્રીટમેન્ટ વખતે પરિવારે પુરુષ કરતા મહિલાઓની સંભાળ વધુ લેવી જરૂરી છે</title>
                                    <description><![CDATA[<p>એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય અભ્યાસ દર્શાવે છે કે મહિલાઓ કેન્સરની સારવાર પછી પુરુષોની તુલનામાં વધુ સમય સુધી જીવિત રહેવાની સંભાવના ધરાવે છે. જોકે, આ જીવિત રહેવાની લડતમાં તેમને સારવારના વધુ સાઇડ ઇફેક્ટ્સનો સામનો કરવો પડે છે. એટલે કેન્સરની મહિલા દર્દીઓની પરિવારે વિશેષ સંભાળ કરવી જરૂરી છે.  </p>
<p>અભ્યાસમાં જાણવા મળ્યું કે મહિલાઓમાં સારવારના ગંભીર સાઇડ ઇફેક્ટ્સનો જોખમ પુરુષોની તુલનામાં લગભગ 34 ટકા વધારે છે. છતાં, સંશોધકોના વિશ્લેષણ મુજબ ઘણા કેસોમાં મહિલાઓ સારવાર પછી સરેરાશ પાંચ મહિના સુધી વધુ જીવિત રહેતી જોવા મળી. એટલે કે, ગંભીર સાઇડ ઇફેક્ટ્સ હોવા છતાં મહિલાઓની જીવિત રહેવાની ક્ષમતા વધારે હોવાનું આ અભ્યાસ સૂચવે છે. પરંતુ તે સમયે</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/charcha-patra/during-cancer-treatment-the-family-needs-to-take-care-of/article-176839"><img src="https://www.khabarchhe.com/media/400/2026-03/0134.jpg" alt=""></a><br /><p>એક મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય અભ્યાસ દર્શાવે છે કે મહિલાઓ કેન્સરની સારવાર પછી પુરુષોની તુલનામાં વધુ સમય સુધી જીવિત રહેવાની સંભાવના ધરાવે છે. જોકે, આ જીવિત રહેવાની લડતમાં તેમને સારવારના વધુ સાઇડ ઇફેક્ટ્સનો સામનો કરવો પડે છે. એટલે કેન્સરની મહિલા દર્દીઓની પરિવારે વિશેષ સંભાળ કરવી જરૂરી છે.  </p>
<p>અભ્યાસમાં જાણવા મળ્યું કે મહિલાઓમાં સારવારના ગંભીર સાઇડ ઇફેક્ટ્સનો જોખમ પુરુષોની તુલનામાં લગભગ 34 ટકા વધારે છે. છતાં, સંશોધકોના વિશ્લેષણ મુજબ ઘણા કેસોમાં મહિલાઓ સારવાર પછી સરેરાશ પાંચ મહિના સુધી વધુ જીવિત રહેતી જોવા મળી. એટલે કે, ગંભીર સાઇડ ઇફેક્ટ્સ હોવા છતાં મહિલાઓની જીવિત રહેવાની ક્ષમતા વધારે હોવાનું આ અભ્યાસ સૂચવે છે. પરંતુ તે સમયે તેમની કાળજી ખૂબ જરૂરી છે. </p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-03/0331.jpg" alt="03" width="1280" height="720"></img></p>
<p>સંશોધકોએ કુલ 2.74 લાખથી વધુ સારવાર સંબંધિત સાઇડ ઇફેક્ટ્સના કેસનું વિશ્લેષણ કર્યું હતું. ખાસ કરીને કેમોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી અને ઇમ્યુનોથેરાપી જેવી સારવાર દરમિયાન મહિલાઓમાં ઉલટી, ડાયેરિયા, થાક જેવી સાઇડ ઇફેક્ટસ વધુ જોવા મળી હતી. આ સમયે જો પરિવાર તરફથી તેમને યોગ્ય સપોર્ટ મળે તો તેમનો કપરો કાળ સહેલાઇથી નીકળી શકે છે.  </p>
<p>વિજ્ઞાનીઓના જણાવ્યા અનુસાર મહિલાઓમાં દવાઓ શરીરમાં કેવી રીતે કામ કરે છે, હોર્મોનલ તફાવતો અને શરીરની બાયોલોજિકલ રચના જેવા પરિબળો આ પરિણામોને અસર કરી શકે છે. આ કારણોસર મહિલાઓ સારવારને અલગ રીતે પ્રતિસાદ આપે છે—ક્યારેક વધુ સાઇડ ઇફેક્ટ્સ સાથે, પરંતુ કેટલાક કેસમાં વધુ લાંબી જીવિતતા સાથે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-03/0237.jpg" alt="02" width="1280" height="720"></img></p>
<p>સંશોધકોનું માનવું છે કે આ શોધ કેન્સર સારવારમાં વ્યક્તિગત અને જેન્ડર બેઇઝ્ડ અભિગમ અપનાવવાની જરૂરિયાત તરફ સંકેત આપે છે. ભવિષ્યમાં દર્દી પુરુષ છે કે મહિલા તે આધારે દવાઓની માત્રા, સારવારની પદ્ધતિ અને સાઇડ ઇફેક્ટ્સ મેનેજમેન્ટમાં ફેરફાર કરવામાં આવે તો દર્દીઓના પરિણામો વધુ સારા બની શકે.</p>
<p>આ અભ્યાસ એ પણ દર્શાવે છે કે કેન્સર સામેની લડતમાં માત્ર સારવાર પૂરતી નથી—દર્દીના જીવિત રહેવાના દર અને જીવનની ગુણવત્તા બંને સમાન રીતે મહત્વપૂર્ણ છે. તેથી ખાસ કરીને મહિલાઓ માટે યોગ્ય મોનિટરિંગ, સાઇડ ઇફેક્ટ્સનું સંચાલન અને માનસિક સપોર્ટ સિસ્ટમ વધુ મજબૂત બનાવવાની જરૂર છે.</p>
<p>આ સંશોધન અમેરિકાની SWOG Cancer Research Network દ્વારા કરવામાં આવ્યું છે અને પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક જર્નલ Journal of Clinical Oncologyમાં પ્રકાશિત થયો છે. આ અભ્યાસ Joseph Ungerના વડપણ હેઠળ Fred Hutchinson Cancer Research Center દ્વારા કરાયું છે. સંશોધકોએ 1980થી 2019 દરમિયાન થયેલા 202 ફેઝ-II અને ફેઝ-III કેન્સર ક્લિનિકલ ટ્રાયલ્સના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. કુલ 23,296 દર્દીઓના ડેટામાં આશરે 8,838 મહિલાઓ અને 14,458 પુરુષોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.</p>]]></content:encoded>
                
                                                            <category>Charcha Patra</category>
                                    

                <link>https://www.khabarchhe.com/charcha-patra/during-cancer-treatment-the-family-needs-to-take-care-of/article-176839</link>
                <guid>https://www.khabarchhe.com/charcha-patra/during-cancer-treatment-the-family-needs-to-take-care-of/article-176839</guid>
                <pubDate>Mon, 16 Mar 2026 18:13:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-03/0134.jpg"                         length="956477"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dr. Dinky Gajiwala]]></dc:creator>
                            </item>
            <item>
                <title>કેન્સરની ભારતમાં શું છે સ્થિતિ, સરકાર શું કરે છે?</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">ભારતમાં કેન્સરના કેસોમાં છેલ્લા થોડા વર્ષોમાં ચિંતાજનક વધારો નોંધાઇ રહ્યો છે. હાલ જ સંસદમાં આપવામાં આવેલી માહિતી અનુસાર </span>2021<span lang="gu" xml:lang="gu"> પછી દર વર્ષે સરેરાશ આશરે </span>28,000<span lang="gu" xml:lang="gu"> નવા કેન્સરના કેસ અને લગભગ </span>15,000<span lang="gu" xml:lang="gu"> વધુ મોત નોંધાઈ રહ્યા છે. આ આંકડાઓ દેશના આરોગ્ય ક્ષેત્ર માટે મોટો પડકાર ઉભો કરે છે</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ સાથે સાથે કેન્દ્ર સરકાર અને આરોગ્ય તંત્ર દ્વારા કેન્સર સામે લડવા માટે અનેક પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. </span></p>
<p><span lang="gu" xml:lang="gu">ભારતમાં કેન્સરના વધતા કેસોની પાછળ ઘણા કારણો છે. આરોગ્ય મંત્રાલયે સંસદમાં જણાવ્યું છે કે વધતું આયુષ્ય</span>, <span lang="gu" xml:lang="gu">વૃદ્ધોની વધતી વસ્તી</span>, <span lang="gu" xml:lang="gu">નવી તપાસની પદ્ધતિ</span>, <span lang="gu" xml:lang="gu">અને લોકોમાં આરોગ્ય વિશે વધતી જાગૃતિને કારણે</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/charcha-patra/what-is-the-status-of-cancer-in-india--what-is-the-government-doing/article-176795"><img src="https://www.khabarchhe.com/media/400/2026-03/0130.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">ભારતમાં કેન્સરના કેસોમાં છેલ્લા થોડા વર્ષોમાં ચિંતાજનક વધારો નોંધાઇ રહ્યો છે. હાલ જ સંસદમાં આપવામાં આવેલી માહિતી અનુસાર </span>2021<span lang="gu" xml:lang="gu"> પછી દર વર્ષે સરેરાશ આશરે </span>28,000<span lang="gu" xml:lang="gu"> નવા કેન્સરના કેસ અને લગભગ </span>15,000<span lang="gu" xml:lang="gu"> વધુ મોત નોંધાઈ રહ્યા છે. આ આંકડાઓ દેશના આરોગ્ય ક્ષેત્ર માટે મોટો પડકાર ઉભો કરે છે</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ સાથે સાથે કેન્દ્ર સરકાર અને આરોગ્ય તંત્ર દ્વારા કેન્સર સામે લડવા માટે અનેક પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. </span></p>
<p><span lang="gu" xml:lang="gu">ભારતમાં કેન્સરના વધતા કેસોની પાછળ ઘણા કારણો છે. આરોગ્ય મંત્રાલયે સંસદમાં જણાવ્યું છે કે વધતું આયુષ્ય</span>, <span lang="gu" xml:lang="gu">વૃદ્ધોની વધતી વસ્તી</span>, <span lang="gu" xml:lang="gu">નવી તપાસની પદ્ધતિ</span>, <span lang="gu" xml:lang="gu">અને લોકોમાં આરોગ્ય વિશે વધતી જાગૃતિને કારણે પણ વધુ કેસો આવી રહ્યા છે. એટલે કે ઘણા કેસો હવે સમયસર ઓળખાઈ રહ્યા છે</span>, <span lang="gu" xml:lang="gu">જે અગાઉ નોંધાતા ન હતા. </span></p>
<p><span lang="gu" xml:lang="gu">સરકારી આંકડાઓ મુજબ દેશમાં </span>2019<span lang="gu" xml:lang="gu">માં લગભગ </span>13.5<span lang="gu" xml:lang="gu"> લાખ કેન્સરના કેસ હતા</span>, <span lang="gu" xml:lang="gu">જે </span>2024<span lang="gu" xml:lang="gu"> સુધી વધીને </span>15.3<span lang="gu" xml:lang="gu"> લાખથી વધુ થઈ ગયા છે. તે જ રીતે કેન્સરથી થતા મૃત્યુ પણ સતત વધી રહ્યા છે. </span>2023<span lang="gu" xml:lang="gu">માં લગભગ </span>8.2<span lang="gu" xml:lang="gu"> લાખ લોકો કેન્સરના કારણે મૃત્યુ થયા હોવાનો અંદાજ છે. </span></p>
<p><span lang="gu" xml:lang="gu">આ પડકારને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે અનેક આરોગ્ય યોજનાઓ અને કાર્યક્રમો શરૂ કર્યા છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ યોજના નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ કેન્સર</span>, <span lang="gu" xml:lang="gu">ડાયાબિટીસ</span>, <span lang="gu" xml:lang="gu">કાર્ડિયોવાસ્ક્યુલર ડિસિઝ એન્ડ સ્ટ્રોક (</span>NPCDCS)<span lang="gu" xml:lang="gu">છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્સર સહિતના નોન-કમ્યુનિકેબલ રોગોની રોકથામ</span>, <span lang="gu" xml:lang="gu">સમયસર તપાસ</span>, <span lang="gu" xml:lang="gu">સારવાર અને જાગૃતિ વધારવાનો છે. </span></p>
<p><span lang="gu" xml:lang="gu">સરકારના જણાવ્યા અનુસાર આ યોજના હેઠળ અત્યાર સુધી દેશના </span>700<span lang="gu" xml:lang="gu">થી વધુ જિલ્લા સ્તરના </span>NCD <span lang="gu" xml:lang="gu">ક્લિનિકો</span>, <span lang="gu" xml:lang="gu">લગભગ </span>268<span lang="gu" xml:lang="gu"> ડે-કેર સેન્ટરો અને હજારો સમુદાય આરોગ્ય કેન્દ્રોમાં વિશેષ ક્લિનિકો શરૂ કરવામાં આવ્યા છે. આ કેન્દ્રોમાં લોકોને કેન્સર સહિતના રોગોની સ્ક્રીનિંગ</span>, <span lang="gu" xml:lang="gu">સલાહ અને સારવાર માટે માર્ગદર્શન આપવામાં આવે છે. </span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-03/0232.jpg" alt="02" width="1280" height="720"></img></p>
<p><span lang="gu" xml:lang="gu">કેન્સરની વહેલી ઓળખ થાય તે માટે સરકાર દ્વારા સ્ક્રીનિંગ કાર્યક્રમો પણ શરૂ કરવામાં આવ્યા છે. ખાસ કરીને સ્ત્રીઓમાં જોવા મળતા સ્તન કેન્સર</span>, <span lang="gu" xml:lang="gu">સર્વાઇકલ કેન્સર અને મોંના કેન્સરની તપાસ માટે ગામ અને શહેર બંને સ્તરે  તપાસ કરવામાં આવે છે. આ કામગીરી નેશનલ હેલ્થ મિશન હેઠળ ચલાવવામાં આવે છે</span>, <span lang="gu" xml:lang="gu">જેથી સામાન્ય લોકો સુધી આરોગ્ય સેવાઓ સરળતાથી પહોંચે. </span></p>
<p><span lang="gu" xml:lang="gu">સરકાર દ્વારા આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના દ્વારા ગરીબ અને નબળા વર્ગના લોકો માટે મફત અથવા ઓછા ખર્ચે સારવારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ યોજના હેઠળ લાખો લોકો હોસ્પિટલોમાં મોંઘી સારવાર મેળવી શક્યા છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">તે ઉપરાંત દેશભરમાં આધુનિક કેન્સર સારવાર માટે નવા હોસ્પિટલ અને સંશોધન કેન્દ્રો સ્થાપવાની કામગીરી પણ ચાલી રહી છે. ઘણા સરકારી મેડિકલ કોલેજો અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં રેડિયોથેરાપી</span>, <span lang="gu" xml:lang="gu">કીમોથેરાપી અને અન્ય આધુનિક સારવાર સુવિધાઓ વધારવામાં આવી રહી છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-03/0326.jpg" alt="03" width="1280" height="720"></img></span></p>
<p><span lang="gu" xml:lang="gu">વિશેષ કરીને મહિલાઓમાં સ્તન કેન્સર</span>, <span lang="gu" xml:lang="gu">સર્વાઇકલ કેન્સર અને ઓવેરિયન કેન્સરના કેસોમાં વધારો નોંધાયો છે. સરકાર દ્વારા મહિલાઓ માટે ખાસ તપાસ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. </span></p>
<p><span lang="gu" xml:lang="gu">કેન્સર સામેની લડતમાં સંશોધન અને ડેટા પણ ખૂબ મહત્વના છે. ભારત સરકાર ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (</span>ICMR) <span lang="gu" xml:lang="gu">દ્વારા નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ ચલાવે છે</span>, <span lang="gu" xml:lang="gu">જેમાં દેશભરના કેન્સરના કેસોનો ડેટા એકત્રિત કરવામાં આવે છે. આ ડેટાના આધારે નીતિ નિર્માણ અને આરોગ્ય સેવાઓનું આયોજન કરવામાં આવે છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">નિષ્ણાતોનું માનવું છે કે કેન્સર સામેની લડતમાં ત્રણ બાબતો સૌથી મહત્વની છે — સમયસર તપાસ</span>, <span lang="gu" xml:lang="gu">યોગ્ય સારવાર અને લોકોમાં જાગૃતિ. સરકાર આ ત્રણેય ક્ષેત્રમાં કામગીરી વધારી રહી છે</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ વસ્તીનું કદ અને જીવનશૈલીમાં થતા ફેરફારોને કારણે પડકારો પણ વધી રહ્યા છે.</span></p>]]></content:encoded>
                
                                                            <category>Charcha Patra</category>
                                    

                <link>https://www.khabarchhe.com/charcha-patra/what-is-the-status-of-cancer-in-india--what-is-the-government-doing/article-176795</link>
                <guid>https://www.khabarchhe.com/charcha-patra/what-is-the-status-of-cancer-in-india--what-is-the-government-doing/article-176795</guid>
                <pubDate>Sat, 14 Mar 2026 17:51:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-03/0130.jpg"                         length="1010812"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dr. Dinky Gajiwala]]></dc:creator>
                            </item>
            <item>
                <title>NRI તો ખરા જ, વિદેશીઓ પણ ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે ભારત આવે છે - જાણો કેટલું સસ્તું પડે</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">દુનિયામાં ડેન્ટલ ટ્રીટમેન્ટ જેમ જેમ મોંઘી થતી જાય છે તેમ-તેમ ભારત માટે ડેન્ટલ ટૂરિઝમની મોટી તક ઊભી થઈ રહી છે. હવે માત્ર </span>NRI <span lang="gu" xml:lang="gu">જ નહીં પરંતુ અમેરિકા</span>, <span lang="gu" xml:lang="gu">યુરોપ</span>, <span lang="gu" xml:lang="gu">મધ્યપૂર્વ અને આફ્રિકાના હજારો વિદેશી દર્દીઓ દાંતની સારવાર માટે ભારત આવે છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">તાજેતરના માર્કેટ અભ્યાસ મુજબ ભારતમાં ડેન્ટલ ટૂરિઝમ ઉદ્યોગ આગામી દાયકામાં ખૂબ ઝડપથી વધવાનો છે. વર્ષ </span>2024<span lang="gu" xml:lang="gu">માં ભારતનું ડેન્ટલ ટૂરિઝમ માર્કેટ લગભગ </span>1.33<span lang="gu" xml:lang="gu"> અબજ ડોલર (અંદાજે </span>₹11,000<span lang="gu" xml:lang="gu"> કરોડ)નું હતું. આગાહી મુજબ </span>2033<span lang="gu" xml:lang="gu"> સુધી આ બજાર લગભગ </span>7.16<span lang="gu" xml:lang="gu"> અબજ ડોલર (અંદાજે </span>₹59,000<span lang="gu" xml:lang="gu"> કરોડ) સુધી પહોંચી શકે છે. નિષ્ણાતોના અંદાજ પ્રમાણે </span>2025<span lang="gu" xml:lang="gu"> થી </span>2033<span lang="gu" xml:lang="gu"> દરમિયાન લગભગ </span>20.7%<span lang="gu" xml:lang="gu"> વાર્ષિક વૃદ્ધિ દર</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/charcha-patra/nris-are-real--foreigners-also-come-to-india-for-dental-treatment---know-how-cheap-it-is/article-176796"><img src="https://www.khabarchhe.com/media/400/2026-03/1013.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">દુનિયામાં ડેન્ટલ ટ્રીટમેન્ટ જેમ જેમ મોંઘી થતી જાય છે તેમ-તેમ ભારત માટે ડેન્ટલ ટૂરિઝમની મોટી તક ઊભી થઈ રહી છે. હવે માત્ર </span>NRI <span lang="gu" xml:lang="gu">જ નહીં પરંતુ અમેરિકા</span>, <span lang="gu" xml:lang="gu">યુરોપ</span>, <span lang="gu" xml:lang="gu">મધ્યપૂર્વ અને આફ્રિકાના હજારો વિદેશી દર્દીઓ દાંતની સારવાર માટે ભારત આવે છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">તાજેતરના માર્કેટ અભ્યાસ મુજબ ભારતમાં ડેન્ટલ ટૂરિઝમ ઉદ્યોગ આગામી દાયકામાં ખૂબ ઝડપથી વધવાનો છે. વર્ષ </span>2024<span lang="gu" xml:lang="gu">માં ભારતનું ડેન્ટલ ટૂરિઝમ માર્કેટ લગભગ </span>1.33<span lang="gu" xml:lang="gu"> અબજ ડોલર (અંદાજે </span>₹11,000<span lang="gu" xml:lang="gu"> કરોડ)નું હતું. આગાહી મુજબ </span>2033<span lang="gu" xml:lang="gu"> સુધી આ બજાર લગભગ </span>7.16<span lang="gu" xml:lang="gu"> અબજ ડોલર (અંદાજે </span>₹59,000<span lang="gu" xml:lang="gu"> કરોડ) સુધી પહોંચી શકે છે. નિષ્ણાતોના અંદાજ પ્રમાણે </span>2025<span lang="gu" xml:lang="gu"> થી </span>2033<span lang="gu" xml:lang="gu"> દરમિયાન લગભગ </span>20.7%<span lang="gu" xml:lang="gu"> વાર્ષિક વૃદ્ધિ દર નોંધાઈ શકે છે.</span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-03/0610.jpg" alt="06" width="1280" height="720"></img></p>
<p><span lang="gu" xml:lang="gu">ભારતમાં આધુનિક ડેન્ટલ ક્લિનિક્સ</span>, <span lang="gu" xml:lang="gu">ડિજિટલ સ્કેનિંગ ટેકનોલોજી</span>, <span lang="gu" xml:lang="gu">આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના ઈમ્પ્લાન્ટ સિસ્ટમ અને અનુભવી ડેન્ટિસ્ટ ઉપલબ્ધ હોવાથી વિદેશી દર્દીઓ અહીં સારવાર માટે વિશ્વાસપૂર્વક આવે છે. ઓછા ખર્ચે આધુનિક સારવાર</span>, <span lang="gu" xml:lang="gu">કુશળ ડોક્ટરો અને ઝડપી સેવા મળવાના કારણે ભારત ડેન્ટલ ટૂરિઝમ માટે આકર્ષક કેન્દ્ર બની રહ્યું છે.</span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">સારવારના ખર્ચમાં કેટલો ફરક પડે</span>?</strong></p>
<p><span lang="gu" xml:lang="gu">ડેન્ટલ ઈમ્પ્લાન્ટ</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ડેન્ટલ ઈમ્પ્લાન્ટ સૌથી લોકપ્રિય સારવારમાંની એક છે. અમેરિકા અથવા યુરોપમાં એક ઈમ્પ્લાન્ટ માટે સામાન્ય રીતે </span>₹2.5<span lang="gu" xml:lang="gu"> લાખથી </span>₹5<span lang="gu" xml:lang="gu"> લાખ સુધી ખર્ચ થાય છે. તેની સરખામણીએ ભારતમાં આ જ સારવાર </span>₹30,000<span lang="gu" xml:lang="gu"> થી </span>₹55,000<span lang="gu" xml:lang="gu">માં થઈ શકે છે. એટલે કે એક ઈમ્પ્લાન્ટમાં જ દર્દીઓને લાખો રૂપિયાની બચત થઈ શકે છે.</span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-03/096.jpg" alt="09" width="1280" height="720"></img></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">રૂટ કેનલ સારવાર</span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">અમેરિકા અથવા યુકેમાં રૂટ કેનલ માટે સામાન્ય રીતે </span>₹80,000<span lang="gu" xml:lang="gu"> થી </span>₹1.2<span lang="gu" xml:lang="gu"> લાખ સુધી ખર્ચ થાય છે. ભારતમાં એ જ સારવાર </span>₹8,000<span lang="gu" xml:lang="gu"> થી </span>₹12,000<span lang="gu" xml:lang="gu">માં થઈ શકે છે.</span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">ડેન્ટલ ક્રાઉન</span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">પશ્ચિમ દેશોમાં પોર્સેલિન અથવા સિરામિક ક્રાઉન માટે લગભગ </span>₹1<span lang="gu" xml:lang="gu"> લાખથી </span>₹1.5<span lang="gu" xml:lang="gu"> લાખ સુધી ખર્ચ થાય છે. ભારતમાં આ સારવાર સામાન્ય રીતે </span>₹10,000<span lang="gu" xml:lang="gu"> થી </span>₹25,000<span lang="gu" xml:lang="gu">માં થઈ શકે છે.</span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">સ્માઈલ મેકઓવર</span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">અમેરિકામાં સ્માઈલ મેકઓવર માટે સામાન્ય રીતે </span>₹8<span lang="gu" xml:lang="gu"> લાખથી </span>₹20<span lang="gu" xml:lang="gu"> લાખ સુધી ખર્ચ થાય છે. ભારતમાં આ સારવાર લગભગ </span>₹1.2<span lang="gu" xml:lang="gu"> લાખ થી </span>₹3.5<span lang="gu" xml:lang="gu"> લાખમાં થઈ શકે છે.</span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-03/085.jpg" alt="08" width="1280" height="720"></img></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">દાંત સફેદ કરવાની સારવાર</span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">પશ્ચિમ દેશોમાં દાંત સફેદ કરવાની સારવાર માટે </span>₹50,000<span lang="gu" xml:lang="gu"> થી </span>₹80,000<span lang="gu" xml:lang="gu"> સુધી ખર્ચ થાય છે</span>, <span lang="gu" xml:lang="gu">જ્યારે ભારતમાં તે </span>₹8,000<span lang="gu" xml:lang="gu"> થી </span>₹12,000<span lang="gu" xml:lang="gu">માં થઈ શકે છે.</span></p>
<p><strong>TMJ <span lang="gu" xml:lang="gu">અને </span>TMD <span lang="gu" xml:lang="gu">સારવાર માટે પણ ભારત બની રહ્યું છે કેન્દ્ર</span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">દાંતની સામાન્ય સારવાર ઉપરાંત ભારત હવે </span>TMJ (Temporomandibular Joint) <span lang="gu" xml:lang="gu">અને </span>TMD <span lang="gu" xml:lang="gu">એટલે કે જડબાના સાંધા સંબંધિત સમસ્યાઓના સારવાર માટે પણ વૈશ્વિક કેન્દ્ર બની રહ્યું છે. આ સમસ્યાઓમાં જડબામાં દુખાવો</span>, <span lang="gu" xml:lang="gu">મોઢું ખોલવામાં મુશ્કેલી</span>, <span lang="gu" xml:lang="gu">માથાનો દુખાવો અને ચાવતી વખતે તકલીફ જેવી સમસ્યાઓ થાય છે.નિષ્ણાતોના અનુસાર અમેરિકા</span>, <span lang="gu" xml:lang="gu">યુકે અથવા ઓસ્ટ્રેલિયાની સરખામણીએ ભારતમાં </span>TMJ <span lang="gu" xml:lang="gu">સારવારનો ખર્ચ </span>60<span lang="gu" xml:lang="gu"> થી </span>80<span lang="gu" xml:lang="gu"> ટકા સુધી ઓછો છે..</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-03/077.jpg" alt="07" width="1280" height="720"></img></span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">ઉદાહરણ તરીકે:</span></strong></p>
<p>-Splint Therapy : <span lang="gu" xml:lang="gu">લગભગ </span>₹5,000<span lang="gu" xml:lang="gu"> થી </span>₹25,000</p>
<p>-Arthrocentesis (Joint wash) : <span lang="gu" xml:lang="gu">લગભગ </span>₹30,000<span lang="gu" xml:lang="gu"> થી </span>₹60,000</p>
<p>-TMJ Arthroscopy : <span lang="gu" xml:lang="gu">લગભગ </span>₹80,000<span lang="gu" xml:lang="gu"> થી </span>₹1.5<span lang="gu" xml:lang="gu"> લાખ</span></p>
<p>-Open Joint Surgery : <span lang="gu" xml:lang="gu">લગભગ </span>₹1.5<span lang="gu" xml:lang="gu"> લાખ થી </span>₹3.5<span lang="gu" xml:lang="gu"> લાખ</span></p>
<p>-Total Joint Replacement : <span lang="gu" xml:lang="gu">લગભગ </span>₹4<span lang="gu" xml:lang="gu"> લાખ થી </span>₹8<span lang="gu" xml:lang="gu"> લાખ</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ભારતમાં ઘણી ક્લિનિક્સમાં </span>CBCT 3D <span lang="gu" xml:lang="gu">સ્કેન</span>, T-Scan <span lang="gu" xml:lang="gu">ડિજિટલ બાઈટ એનાલિસિસ અને </span>EMG <span lang="gu" xml:lang="gu">ટેકનોલોજી જેવી આધુનિક તપાસ પદ્ધતિઓ ઉપલબ્ધ હોવાથી દર્દીઓને ચોક્કસ નિદાન અને યોગ્ય સારવાર મળે છે.</span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-03/0515.jpg" alt="05" width="1280" height="720"></img></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">વિદેશી દર્દીઓ ભારત કેમ પસંદ કરે છે</span>?</strong></p>
<p><span lang="gu" xml:lang="gu">ભારતમાં સારવાર સસ્તી હોવાનો અર્થ ગુણવત્તા ઓછી હોવો નથી. દેશમાં ઘણા ડેન્ટિસ્ટ આંતરરાષ્ટ્રીય તાલીમ પ્રાપ્ત કરેલા છે અને ઘણી ક્લિનિક્સમાં આધુનિક સાધનો ઉપલબ્ધ છે.પશ્ચિમ દેશોમાં ઘણીવાર સારવાર માટે મહિનાઓ સુધી વેઇટિંગ લિસ્ટ હોય છે</span>, <span lang="gu" xml:lang="gu">જ્યારે ભારતમાં ઘણીવાર થોડા દિવસોમાં તપાસ અને સારવાર બંને થઈ જાય છે. આ કારણોસર ઘણા દર્દીઓ પ્રવાસ સાથે સારવાર પણ કરાવી લે છે.</span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">ડેન્ટલ ટૂરિઝમના મુખ્ય શહેરો</span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">ભારતમાં દિલ્હી</span>, <span lang="gu" xml:lang="gu">મુંબઈ</span>, <span lang="gu" xml:lang="gu">બેંગલુરુ</span>, <span lang="gu" xml:lang="gu">હૈદરાબાદ અને ચેન્નાઈ જેવા શહેરો ડેન્ટલ ટૂરિઝમ માટે મહત્વના કેન્દ્ર બની ગયા છે. ગુજરાતમાં પણ અમદાવાદ અને સૂરત જેવા શહેરો આ ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યા છે. અહીં આધુનિક ડેન્ટલ ક્લિનિક્સ અને આંતરરાષ્ટ્રીય સ્તરની સારવાર ઉપલબ્ધ હોવાથી વિદેશી દર્દીઓ મોટી સંખ્યામાં આવે છે.</span></p>
<p> </p>]]></content:encoded>
                
                                                            <category>Charcha Patra</category>
                                    

                <link>https://www.khabarchhe.com/charcha-patra/nris-are-real--foreigners-also-come-to-india-for-dental-treatment---know-how-cheap-it-is/article-176796</link>
                <guid>https://www.khabarchhe.com/charcha-patra/nris-are-real--foreigners-also-come-to-india-for-dental-treatment---know-how-cheap-it-is/article-176796</guid>
                <pubDate>Sat, 14 Mar 2026 15:29:27 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-03/1013.jpg"                         length="951385"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dr. Risshi D. Bhatt]]></dc:creator>
                            </item>
            <item>
                <title>છોકરીઓને સરકાર કેન્સર વિરોધી HPV વેક્સીન ફ્રી આપશે, PM મોદી 28 તારીખે કરાવશે પ્રારંભ</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">વડાપ્રધાન નરેન્દ્ર મોદી </span>28<span lang="gu" xml:lang="gu"> ફેબ્રુઆરીએ અજમેરથી દેશભરમાં </span>HPV (Human Papillomavirus) <span lang="gu" xml:lang="gu">સામે રસીકરણ અભિયાન શરૂ કરાવવાના છે. આનો મુખ્ય હેતુ સ્ત્રીઓમાં થતા સર્વાઇકલ કેન્સર ઘટાડવાનો છે. ભારતમાં સ્ત્રીઓમાં સર્વાઇકલ કેન્સર બીજું સૌથી સામાન્ય કેન્સર છે અને તેના અંદાજે </span>90%<span lang="gu" xml:lang="gu"> કેસ </span>HPV <span lang="gu" xml:lang="gu">ચેપના કારણે થાય છે. આ રસી માત્ર સર્વાઇકલ કેન્સર જ નહીં પરંતું એનલ કેન્સર</span>,<span lang="gu" xml:lang="gu">પેનાઇલ કેન્સર</span>,<span lang="gu" xml:lang="gu">યોનિ કેન્સર</span>,<span lang="gu" xml:lang="gu">વલ્વર કેન્સર</span>, <span lang="gu" xml:lang="gu">ગળાના કેન્સરમાં પણ અસરકારક છે. </span>HPV <span lang="gu" xml:lang="gu">એક સામાન્ય રીતે ફેલાતો વાયરસ છે</span>, <span lang="gu" xml:lang="gu">જે મુખ્યત્વે શારીરિક સંપર્ક દ્વારા ફેલાય છે. </span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-02/0333.jpg" alt="03" width="1200" height="720" /></p>
<p><span lang="gu" xml:lang="gu">અભિયાનની મુખ્ય બાબતો</span></p>
<p><span lang="gu" xml:lang="gu">આ રાષ્ટ્રીય અભિયાન હેઠળ ખાસ કરીને </span>14<span lang="gu" xml:lang="gu"> વર્ષની છોકરીઓને એક જ ડોઝની </span>HPV </p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/charcha-patra/pm-narendra-modi-to-launch-hpv-vaccination-drive/article-176513"><img src="https://www.khabarchhe.com/media/400/2026-02/0145.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">વડાપ્રધાન નરેન્દ્ર મોદી </span>28<span lang="gu" xml:lang="gu"> ફેબ્રુઆરીએ અજમેરથી દેશભરમાં </span>HPV (Human Papillomavirus) <span lang="gu" xml:lang="gu">સામે રસીકરણ અભિયાન શરૂ કરાવવાના છે. આનો મુખ્ય હેતુ સ્ત્રીઓમાં થતા સર્વાઇકલ કેન્સર ઘટાડવાનો છે. ભારતમાં સ્ત્રીઓમાં સર્વાઇકલ કેન્સર બીજું સૌથી સામાન્ય કેન્સર છે અને તેના અંદાજે </span>90%<span lang="gu" xml:lang="gu"> કેસ </span>HPV <span lang="gu" xml:lang="gu">ચેપના કારણે થાય છે. આ રસી માત્ર સર્વાઇકલ કેન્સર જ નહીં પરંતું એનલ કેન્સર</span>,<span lang="gu" xml:lang="gu">પેનાઇલ કેન્સર</span>,<span lang="gu" xml:lang="gu">યોનિ કેન્સર</span>,<span lang="gu" xml:lang="gu">વલ્વર કેન્સર</span>, <span lang="gu" xml:lang="gu">ગળાના કેન્સરમાં પણ અસરકારક છે. </span>HPV <span lang="gu" xml:lang="gu">એક સામાન્ય રીતે ફેલાતો વાયરસ છે</span>, <span lang="gu" xml:lang="gu">જે મુખ્યત્વે શારીરિક સંપર્ક દ્વારા ફેલાય છે. </span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-02/0333.jpg" alt="03" width="1280" height="720"></img></p>
<p><span lang="gu" xml:lang="gu">અભિયાનની મુખ્ય બાબતો</span></p>
<p><span lang="gu" xml:lang="gu">આ રાષ્ટ્રીય અભિયાન હેઠળ ખાસ કરીને </span>14<span lang="gu" xml:lang="gu"> વર્ષની છોકરીઓને એક જ ડોઝની </span>HPV <span lang="gu" xml:lang="gu">રસી આપવામાં આવશે. દર વર્ષે આશરે </span>1.15<span lang="gu" xml:lang="gu"> કરોડ છોકરીઓને આ રસી આપવાનું લક્ષ્ય છે.જો કિશોરાવસ્થામાં  રસી આપવામાં આવે તો વધુ મજબૂત અને લાંબા ગાળાનું રક્ષણ મળે છે.  </span></p>
<p><span lang="gu" xml:lang="gu">કંઈ રસી આપવામાં આવશે</span>?</p>
<p><span lang="gu" xml:lang="gu">હાલના રાષ્ટ્રીય અભિયાનમાં </span>Gardasil <span lang="gu" xml:lang="gu">રસીનો ઉપયોગ કરવામાં આવશે.  ભારતમાં વિકસિત </span>Cervavac (Serum Institute) <span lang="gu" xml:lang="gu">હજી </span>WHO<span lang="gu" xml:lang="gu">ની મંજૂરીની રાહમાં હોવાથી તેનો ઉપયોગ હાલમાં થતો નથી. ભવિષ્યમાં મંજૂરી મળ્યા બાદ તેનો સમાવેશ થઈ શકે છે. </span>GAVI Vaccine Alliance <span lang="gu" xml:lang="gu">ભારતને </span>2.6<span lang="gu" xml:lang="gu"> કરોડ ડોઝ પૂરા પાડશે જેમાંથી </span>1<span lang="gu" xml:lang="gu"> કરોડ ડોઝ પહેલેથી જ આવી ચૂક્યા છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">શું એક ડોઝ પૂરતો છે</span>?</p>
<p><span lang="gu" xml:lang="gu">હા. </span>WHO<span lang="gu" xml:lang="gu">ના નિષ્ણાતો અનુસાર </span>9<span lang="gu" xml:lang="gu"> થી </span>20<span lang="gu" xml:lang="gu"> વર્ષની છોકરીઓ માટે એક ડોઝ પણ અસરકારક રક્ષણ આપે છે. </span></p>
<p><span lang="gu" xml:lang="gu">જ્યારે  </span>21<span lang="gu" xml:lang="gu"> વર્ષથી ઉપરની મહિલાઓને </span>2<span lang="gu" xml:lang="gu"> ડોઝ.  ઈમ્યુનિટી ઓછી હોય તેવી વ્યક્તિઓને </span>3<span lang="gu" xml:lang="gu"> ડોઝની સલાહ આપવામાં આવે છે. </span></p>
<p> <img src="https://www.khabarchhe.com/media/2026-02/0250.jpg" alt="02" width="1280" height="720"></img></p>
<p><span lang="gu" xml:lang="gu">શું ભારતમાં આ પહેલીવાર છે</span>, <span lang="gu" xml:lang="gu">બીજા કોઇ દેશમાં અપાય છે</span>?</p>
<p><span lang="gu" xml:lang="gu">ઓસ્ટ્રેલિયામાં </span>HPV <span lang="gu" xml:lang="gu">રસીકરણ શરૂ થયા બાદ યુવાન મહિલાઓમાં </span>HPV <span lang="gu" xml:lang="gu">પ્રમાણ </span>22.7% <span lang="gu" xml:lang="gu">થી ઘટીને </span>1.5% <span lang="gu" xml:lang="gu">થયું. ભારતના કેટલાક રાજ્યો પહેલેથી જ શરૂઆત કરી ચૂક્યા છે. સિક્કિમમાં </span>2018<span lang="gu" xml:lang="gu">થી શરૂ કરાયું જેમાં </span>95% <span lang="gu" xml:lang="gu">થી વધુ છોકરીઓ આવરી લેવાઇ હતી. જ્યારે પંજાબમાં </span>2016<span lang="gu" xml:lang="gu">થી શરૂ કરાયું અને </span>97 <span lang="gu" xml:lang="gu">ટકાને વેક્સિન આપી દેવાઇ.</span></p>]]></content:encoded>
                
                                                            <category>Charcha Patra</category>
                                    

                <link>https://www.khabarchhe.com/charcha-patra/pm-narendra-modi-to-launch-hpv-vaccination-drive/article-176513</link>
                <guid>https://www.khabarchhe.com/charcha-patra/pm-narendra-modi-to-launch-hpv-vaccination-drive/article-176513</guid>
                <pubDate>Fri, 27 Feb 2026 15:07:05 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-02/0145.jpg"                         length="983377"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dr. Dinky Gajiwala]]></dc:creator>
                            </item>
            <item>
                <title>શું છે મલ્ટિપલ માયલોમા? જેને કારણે એક્ટ્રેસ પ્રવીણા દેશપાંડેનું 61 વર્ષની ઉંમરે મૃત્યુ થયું</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">બોલીવુડ અને ટીવીના સિનિયર અદાકારા પ્રવીણા દેશપાંડેનું મંગળવારે 61 વર્ષની ઉંમરે નિધન થયું. આ માહિતી એક્ટ્રેસના પરિવારે તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી. મંગળવારે બપોરે મુંબઈના અંધેરી સ્થિત સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. એક્ટ્રેસ લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યાં હતાં. 2019માં તેમને મલ્ટિપલ માયલોમાનું નિદાન થયું હતું. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન તેઓ 17 દિવસ આઇસોલેશનમાં રહ્યા હતા. તેમને કેન્સરનું નિદાન થયું પછી પણ સક્રિય હતા પરંતુ તેમણે જણાવ્યું હતું કે સતત તેમની શક્તિ ઘટી રહી હતી. કામ કરવાની તાકાત રહી ન હતી. અંતે 17 ફેબ્રુઆરીએ તેમનું નિધન થયું છે. </span></p>
<p><span lang="gu" xml:lang="gu">પ્રવીણા દેશપાંડેએ સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ ‘રેડી’માં શાલિની ચૌધરીનો</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/charcha-patra/what-is-multiple-myeloma/article-176343"><img src="https://www.khabarchhe.com/media/400/2026-02/0132.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">બોલીવુડ અને ટીવીના સિનિયર અદાકારા પ્રવીણા દેશપાંડેનું મંગળવારે 61 વર્ષની ઉંમરે નિધન થયું. આ માહિતી એક્ટ્રેસના પરિવારે તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી. મંગળવારે બપોરે મુંબઈના અંધેરી સ્થિત સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. એક્ટ્રેસ લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યાં હતાં. 2019માં તેમને મલ્ટિપલ માયલોમાનું નિદાન થયું હતું. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન તેઓ 17 દિવસ આઇસોલેશનમાં રહ્યા હતા. તેમને કેન્સરનું નિદાન થયું પછી પણ સક્રિય હતા પરંતુ તેમણે જણાવ્યું હતું કે સતત તેમની શક્તિ ઘટી રહી હતી. કામ કરવાની તાકાત રહી ન હતી. અંતે 17 ફેબ્રુઆરીએ તેમનું નિધન થયું છે. </span></p>
<p><span lang="gu" xml:lang="gu">પ્રવીણા દેશપાંડેએ સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ ‘રેડી’માં શાલિની ચૌધરીનો રોલ કર્યો હતો. આ ઉપરાંત તેમણે ‘એક વિલન’</span>, ‘<span lang="gu" xml:lang="gu">ગબ્બર ઇઝ બેક’ અને ‘પરમાણુ: ધ સ્ટોરી ઓફ પોખરણ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તાજેતરમાં તેઓ ઇમરાન હાશ્મીની વેબ સિરીઝ ‘તસ્કરી: ધ સ્મગલર્સ વેબ’માં કેમિયો રોલમાં જોવા મળ્યા હતા. </span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-02/0323.jpg" alt="03" width="1280" height="720"></img></p>
<p><span lang="gu" xml:lang="gu">શું છે મલ્ટીપલ માયલોમા</span>?</p>
<p><span lang="gu" xml:lang="gu">મલ્ટીપલ માયલોમા એ એક પ્રકારનું બ્લડ કેન્સર છે. આ બોનમેરો પ્લાઝ્મા કોષોમાં શરૂ થાય છે. તે સામાન્ય લોહીના કોશોને નષ્ટ કરે છે અને અસામાન્ય પ્રોટીન બનાવે છે. આનાથી હાડકાં નબળા પડે છે. કિડનીને નુકસાન કરી શકે છે. આ એક ગંભીર રોગ છે પરંતુ સારવાર યોગ્ય રોગ છે.  કીમોથેરાપી અને સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ દ્વારા તેની સારવાર થાય છે.</span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-02/0132.jpg" alt="01" width="1280" height="720"></img></p>
<p><span lang="gu" xml:lang="gu">લક્ષણો: કરોડરજ્જુ</span>, <span lang="gu" xml:lang="gu">છાતી અથવા નિતંબમાં હાડકાનો દુખાવો</span>, <span lang="gu" xml:lang="gu">થાક</span>, <span lang="gu" xml:lang="gu">વારંવાર ચેપ</span>, <span lang="gu" xml:lang="gu">કિડનીની સમસ્યાઓ</span>, <span lang="gu" xml:lang="gu">અને વજનમાં ઘટાડો.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">કારણ અને જોખમ: ચોક્કસ કારણ અજ્ઞાત છે</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ તે વૃદ્ધ વયસ્ક (60+)</span>, <span lang="gu" xml:lang="gu">પુરુષોમાં વધુ સામાન્ય છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">નિદાન: બ્લડ યૂરીન ટેસ્ટ (</span>M-spike <span lang="gu" xml:lang="gu">માટે)</span>, <span lang="gu" xml:lang="gu">બોનમેરો બાયોપ્સી</span>, <span lang="gu" xml:lang="gu">અને હાડકાના સ્કેન.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">વહેલું નિદાન અને નિષ્ણાત ઓન્કોલોજિસ્ટની સલાહ દ્વારા આ રોગનું અસરકારક સંચાલન શક્ય છે.</span></p>]]></content:encoded>
                
                                                            <category>Charcha Patra</category>
                                    

                <link>https://www.khabarchhe.com/charcha-patra/what-is-multiple-myeloma/article-176343</link>
                <guid>https://www.khabarchhe.com/charcha-patra/what-is-multiple-myeloma/article-176343</guid>
                <pubDate>Wed, 18 Feb 2026 16:10:52 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-02/0132.jpg"                         length="939128"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dr. Dinky Gajiwala]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        