<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.khabarchhe.com/charcha-patra/category-87585" rel="self" type="application/rss+xml" />
                <generator>Khabarchhe RSS Feed Generator</generator>
                <title>Charcha Patra - Khabarchhe</title>
                <link>https://www.khabarchhe.com/category/87585/rss</link>
                <description>Charcha Patra RSS Feed</description>
                
                            <item>
                <title>બેંગલુરુની 90 હોસ્પિટલ્સમાં કેન્સરની નકલી દવાઓનું કૌભાંડ પકડાયું, દવા ખરીદતી વખતે આટલું ધ્યાન રાખો </title>
                                    <description><![CDATA[<p>બેંગલુરુ પોલીસ અને ડ્રગ્સ કંટ્રોલ વિભાગ દ્વારા કરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીમાં 90થી વધુ હોસ્પિટલો અને ક્લિનિક્સ શંકાના દાયરામાં આવ્યા છે, જ્યાં કેન્સર અને અન્ય જીવન રક્ષક નકલી દવાઓનું ઊંચા ડિસ્કાઉન્ટ પર વેચાણ કરવામાં આવતું હતું. આ ગંભીર કૌભાંડ દર્દીઓના જીવન સાથે ચેડાં સમાન છે.</p>
<p>નકલી દવાઓના કૌભાંડથી બચવા અને સારવારની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, એક કેન્સર ફિઝિશિયન (ઓન્કોલોજિસ્ટ) તરીકે દર્દીઓ અને તેમના પરિવારોને આ મહત્વપૂર્ણ સલાહ છે:<br />  <br /><strong>1. અધિકૃત ફાર્મસીઓ પર જ વિશ્વાસ કરો</strong></p>
<p>- દવાઓ માત્ર હોસ્પિટલની અંદર આવેલી કેબિન અથવા સરકાર માન્ય પ્રતિષ્ઠિત અને લાયસન્સ ધરાવતી ફાર્મસીમાંથી જ ખરીદો. અજાણી ઓનલાઈન વેબસાઈટ્સ કે બિનઅધિકૃત લોકલ ડીલર્સ પાસેથી કેન્સરની</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/charcha-patra/fake-cancer-drug-scam-busted-in-90-hospitals-in-bengaluru/article-179795"><img src="https://www.khabarchhe.com/media/400/2026-09/dinky.jpg" alt=""></a><br /><p>બેંગલુરુ પોલીસ અને ડ્રગ્સ કંટ્રોલ વિભાગ દ્વારા કરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીમાં 90થી વધુ હોસ્પિટલો અને ક્લિનિક્સ શંકાના દાયરામાં આવ્યા છે, જ્યાં કેન્સર અને અન્ય જીવન રક્ષક નકલી દવાઓનું ઊંચા ડિસ્કાઉન્ટ પર વેચાણ કરવામાં આવતું હતું. આ ગંભીર કૌભાંડ દર્દીઓના જીવન સાથે ચેડાં સમાન છે.</p>
<p>નકલી દવાઓના કૌભાંડથી બચવા અને સારવારની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે, એક કેન્સર ફિઝિશિયન (ઓન્કોલોજિસ્ટ) તરીકે દર્દીઓ અને તેમના પરિવારોને આ મહત્વપૂર્ણ સલાહ છે:<br /> <br /><strong>1. અધિકૃત ફાર્મસીઓ પર જ વિશ્વાસ કરો</strong></p>
<p>- દવાઓ માત્ર હોસ્પિટલની અંદર આવેલી કેબિન અથવા સરકાર માન્ય પ્રતિષ્ઠિત અને લાયસન્સ ધરાવતી ફાર્મસીમાંથી જ ખરીદો. અજાણી ઓનલાઈન વેબસાઈટ્સ કે બિનઅધિકૃત લોકલ ડીલર્સ પાસેથી કેન્સરની લાઈફ-સેવિંગ દવાઓ લેવાનું સખત રીતે ટાળો.</p>
<p><strong>2. અસાધારણ ડિસ્કાઉન્ટથી સાવધ રહો</strong></p>
<p> કેન્સરની અસલી અને મોંઘી દવાઓ પર જો કોઈ ફાર્મસી કે ક્લિનિક 40 થી 50 જેવું મોટું અને અસાધારણ ડિસ્કાઉન્ટ આપતું હોય, તો તરત જ સાવધ થઈ જાવ. કિંમતમાં બહુ મોટો તફાવત એ નકલી દવાનો સંકેત હોઈ શકે છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-09/0233.jpg" alt="02" width="1280" height="720"></img></p>
<p><strong>3. પેકેજિંગ અને કિંમતની ચકાસણી કરો</strong></p>
<p> દવાનું બોક્સ કે વાઈલ (Vial) ખરીદતી વખતે તેના પરનું સ્પેલિંગ, લોગો, કલર અને હોલોગ્રામ બરાબર તપાસો. તેના પર લખેલી કિંમત (MRP), મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ ધ્યાનથી જુઓ. જો પ્રિન્ટ ઝાંખી કે શંકાસ્પદ લાગે, તો દવા ન લો.</p>
<p><strong>4. હંમેશા પાકું બિલ (GST Bill) માંગો</strong></p>
<p> દવા ખરીદતી વખતે બેચ નંબર (Batch Number) અને એક્સપાયરી ડેટ સાથેનું પાકું કમ્પ્યુટરાઈઝ્ડ બિલ અચૂક મેળવો. બિલ ન આપવું અથવા કાચું બિલ આપવું એ ગેરરીતિની નિશાની હોઈ શકે છે.</p>
<p><strong>5. તમારા ઓન્કોલોજિસ્ટ (ડોક્ટર) સાથે ખુલીને વાત કરો</strong></p>
<p> જો તમને દવાની અસરકારકતા, તેની કિંમત કે પેકેજિંગ પર સહેજ પણ શંકા જાય, તો તમારા કેન્સરના ડોક્ટર અથવા હોસ્પિટલના મુખ્ય ફાર્માસિસ્ટને તેની જાણ કરો.  જો કોઈ દવા લીધા પછી શરીરમાં કોઈ અસામાન્ય કે અણધાર્યા આડઅસર (Side effects) દેખાય, તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો.</p>]]></content:encoded>
                
                                                            <category>Charcha Patra</category>
                                    

                <link>https://www.khabarchhe.com/charcha-patra/fake-cancer-drug-scam-busted-in-90-hospitals-in-bengaluru/article-179795</link>
                <guid>https://www.khabarchhe.com/charcha-patra/fake-cancer-drug-scam-busted-in-90-hospitals-in-bengaluru/article-179795</guid>
                <pubDate>Mon, 14 Sep 2026 15:17:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-09/dinky.jpg"                         length="970815"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dr. Dinky Gajiwala]]></dc:creator>
                            </item>
            <item>
                <title>કેન્સરની સારવારમાં નવા યુગની આશા</title>
                                    <description><![CDATA[<p>કેન્સરની સારવારમાં લાંબા સમયથી ચાલી રહેલા સંશોધનને નવી દિશા આપતી એક મહત્વપૂર્ણ સફળતા સામે આવી છે. મોડર્ના અને મર્ક દ્વારા વિકસાવવામાં આવેલી પર્સનલાઇઝ્ડ એમ આરએનએ વેક્સિન (personalised mRNA cancer vaccine) એ મેલાનોમા એટલે કે ગંભીર પ્રકારના ચામડીના કેન્સર સામેના ફેઝ 3 ક્લિનિકલ ટ્રાયલમાં આશાસ્પદ પરિણામો આપ્યાં છે. આ સારવારનો હેતુ માત્ર કેન્સરને ઘટાડવાનો નહીં, પરંતુ સર્જરી બાદ કેન્સર ફરી પાછું આવવાનું અને શરીરના અન્ય ભાગોમાં ફેલાવાનું જોખમ ઘટાડવાનો છે. </p>
<p><strong>1,137 દર્દીઓ પર કરવામાં આવ્યો અભ્યાસ</strong></p>
<p>આ લેઇટ સ્ટેજ ક્લિનિકલ ટ્રાયલમાં કુલ 1,137  દર્દીઓ સામેલ હતા. દર્દીઓમાં સર્જરી બાદ કેન્સર પાછું આવવાની શક્યતા વધારે હતી. સંશોધનમાં વેક્સિનને કીટ્રુડા (પેમબ્રોલિઝુમેબ) નામની ઇમ્યુનોથેરેપી</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/charcha-patra/hope-for-a-new-era-in-cancer-treatment/article-179548"><img src="https://www.khabarchhe.com/media/400/2026-08/0138.jpg" alt=""></a><br /><p>કેન્સરની સારવારમાં લાંબા સમયથી ચાલી રહેલા સંશોધનને નવી દિશા આપતી એક મહત્વપૂર્ણ સફળતા સામે આવી છે. મોડર્ના અને મર્ક દ્વારા વિકસાવવામાં આવેલી પર્સનલાઇઝ્ડ એમ આરએનએ વેક્સિન (personalised mRNA cancer vaccine) એ મેલાનોમા એટલે કે ગંભીર પ્રકારના ચામડીના કેન્સર સામેના ફેઝ 3 ક્લિનિકલ ટ્રાયલમાં આશાસ્પદ પરિણામો આપ્યાં છે. આ સારવારનો હેતુ માત્ર કેન્સરને ઘટાડવાનો નહીં, પરંતુ સર્જરી બાદ કેન્સર ફરી પાછું આવવાનું અને શરીરના અન્ય ભાગોમાં ફેલાવાનું જોખમ ઘટાડવાનો છે. </p>
<p><strong>1,137 દર્દીઓ પર કરવામાં આવ્યો અભ્યાસ</strong></p>
<p>આ લેઇટ સ્ટેજ ક્લિનિકલ ટ્રાયલમાં કુલ 1,137  દર્દીઓ સામેલ હતા. દર્દીઓમાં સર્જરી બાદ કેન્સર પાછું આવવાની શક્યતા વધારે હતી. સંશોધનમાં વેક્સિનને કીટ્રુડા (પેમબ્રોલિઝુમેબ) નામની ઇમ્યુનોથેરેપી સાથે આપવામાં આવી હતી અને તેની સરખામણી માત્ર કીટ્રુડા મેળવતા દર્દીઓ સાથે કરવામાં આવી હતી. </p>
<p><img src="https://www.khabarchhe.com/media/2025-07/cancer.jpg" alt="cancer" width="1280" height="720"></img></p>
<p>પ્રારંભિક પરિણામો અનુસાર મૃત્યુનું જોખમ લગભગ 49 ટકા ઓછું જોવા મળ્યું. કેન્સર શરીરના અન્ય ભાગોમાં ફેલાવા અથવા તેના કારણે મૃત્યુના જોખમમાં લગભગ 59 ટકાનો ઘટાડો જોવા મળ્યો. જોકે લાંબા ગાળાના સર્વાઇવલ સંબંધિત સંપૂર્ણ આંકડા હજુ ઉપલબ્ધ થવાના બાકી છે. </p>
<p>આ વેક્સિન સામાન્ય વેક્સિનથી અલગ કેવી રીતે?</p>
<p>આ ટેક્નોલોજીની સૌથી મોટી ખાસિયત તેનું પર્સનલાઇઝ્ડ હોવું છે. એટલે કે દરેક દર્દી માટે એક જ પ્રકારની વેક્સિન તૈયાર કરવામાં આવતી નથી.<br />દર્દીની સર્જરી દરમિયાન કાઢવામાં આવેલી ગાંઠનું જેનેટિક સિક્વેન્સિંગ કરવામાં આવે છે. ત્યારબાદ ગાંઠમાં રહેલા ચોક્કસ મ્યુટેશન્સ ઓળખવામાં આવે છે. આ માહિતીના આધારે દર્દીના કેન્સર સેલને ઓળખી શકે તેવી એમ આરએનએ વેક્સિન તૈયાર કરવામાં આવે છે. આ વેક્સિનમાં દર્દીના ટ્યૂમર સાથે સંબંધિત અનેક મ્યુટેશન્સને ટારગેટ કરવાની માહિતી સામેલ કરવામાં આવે છે. </p>
<p>સરળ ભાષામાં કહીએ તો, આ સારવાર ઇમ્યુન સિસ્ટમને કેન્સર કોષોને  ઓળખવાની તાલીમ' આપવાનો પ્રયાસ કરે છે. જો સર્જરી બાદ શરીરમાં ખૂબ ઓછા પ્રમાણમાં કેન્સર સેલ રહી ગયા હોય તો ઇમ્યુન સિસ્ટમ તેમને ઓળખીને હુમલો કરી શકે અને કેન્સર ફરી વિકસવાની શક્યતા ઘટાડી શકે.</p>
<p>આથી આ અભિગમ બીજી કેન્સર ટ્રીટમેન્ટથી અલગ છે. દરેક દર્દીની ગાંઠના જનીન તત્વોના લક્ષણો અલગ હોઈ શકે છે અને તે મુજબ વેક્સિન તૈયાર કરવામાં આવે છે. </p>
<img src="https://www.khabarchhe.com/media/2025-06/male-breast-cancer5.jpg" alt="Male-Breast-Cancer5" width="1280" height="720"></img>
navbharattimes.indiatimes.com

<p><strong>હજુ 'કેન્સરની વેક્સિન' તરીકે સામાન્ય ઉપયોગ માટે તૈયાર નથી</strong></p>
<p>આ સારવાર હજુ ફેઝ 3 ટ્રાયલના સ્ટેજ પર છે. તેના સામાન્ય ઉપયોગ માટે તેની લાંબાગાળાની અસરો, સરકારી મંજૂરી અને બીજી બાબતો ધ્યાને લેતા તે સામાન્ય સારવારમાં આવતા હજુ સમય લાગશે. આ ઉપરાંત આ વેક્સિન કેન્સર થયા પછી તેનો વ્યાપ ઘટાડવા અંગે છે. કેન્સરને રોકતી નથી.  </p>
<p><strong> ભવિષ્યમાં અન્ય કેન્સર માટે પણ ઉપયોગની શક્યતા</strong></p>
<p>આ સફળતા બીજા પ્રકારના કેન્સરને પણ ભવિષ્યમાં ઉપયોગી બની શકે તેવી શક્યતા છે. તે અંગેના અભ્યાસો પણ થઇ રહ્યા છે.</p>]]></content:encoded>
                
                                                            <category>Charcha Patra</category>
                                    

                <link>https://www.khabarchhe.com/charcha-patra/hope-for-a-new-era-in-cancer-treatment/article-179548</link>
                <guid>https://www.khabarchhe.com/charcha-patra/hope-for-a-new-era-in-cancer-treatment/article-179548</guid>
                <pubDate>Sat, 29 Aug 2026 15:12:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-08/0138.jpg"                         length="945194"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dr. Dinky Gajiwala]]></dc:creator>
                            </item>
            <item>
                <title>વિદેશ ભણવા જવું છે? વિદ્યાર્થી અને વાલીઓએ આ બાબતો સમજ્યા પછી જ નિર્ણય લેવો</title>
                                    <description><![CDATA[<p>વિદેશમાં અભ્યાસ આજે પણ સારા શિક્ષણ, આંતરરાષ્ટ્રીય એક્સપોઝર અને વૈશ્વિક કારકિર્દી માટે મહત્વની તક બની શકે છે. પરંતુ હવે વિદેશ ભણવાનો નિર્ણય માત્ર ટ્રેન્ડ જોઈને કે મિત્રો-સગાંના અનુભવના આધારે લેવો યોગ્ય નથી. એક સ્ટુડન્ટ ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ તરીકે મારી સલાહ છે કે વિદ્યાર્થી અને વાલીઓએ સૌથી પહેલાં પોતાની જરૂરિયાત, ક્ષમતા અને ભવિષ્યનું લક્ષ્ય સમજવું જોઈએ.</p>
<p>તાજેતરના સરકારી આંકડા પ્રમાણે અભ્યાસ માટે વિદેશ જતાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 2023માં 9.08 લાખ હતી, જે 2025માં ઘટીને 6.26 લાખ થઈ છે. આ ઘટાડાને માત્ર વિદેશી શિક્ષણ પ્રત્યેનો રસ ઘટ્યો તરીકે જોવાને બદલે, વિદ્યાર્થીઓ હવે વધુ વિચારપૂર્વક નિર્ણય લઈ રહ્યા છે તેવા સંકેત તરીકે પણ જોઈ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/charcha-patra/want-to-study-abroad--students-and-parents-should-take-a-decision-only-after-understanding-these-things/article-179545"><img src="https://www.khabarchhe.com/media/400/2026-08/0137.jpg" alt=""></a><br /><p>વિદેશમાં અભ્યાસ આજે પણ સારા શિક્ષણ, આંતરરાષ્ટ્રીય એક્સપોઝર અને વૈશ્વિક કારકિર્દી માટે મહત્વની તક બની શકે છે. પરંતુ હવે વિદેશ ભણવાનો નિર્ણય માત્ર ટ્રેન્ડ જોઈને કે મિત્રો-સગાંના અનુભવના આધારે લેવો યોગ્ય નથી. એક સ્ટુડન્ટ ઇમિગ્રેશન કન્સલ્ટન્ટ તરીકે મારી સલાહ છે કે વિદ્યાર્થી અને વાલીઓએ સૌથી પહેલાં પોતાની જરૂરિયાત, ક્ષમતા અને ભવિષ્યનું લક્ષ્ય સમજવું જોઈએ.</p>
<p>તાજેતરના સરકારી આંકડા પ્રમાણે અભ્યાસ માટે વિદેશ જતાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 2023માં 9.08 લાખ હતી, જે 2025માં ઘટીને 6.26 લાખ થઈ છે. આ ઘટાડાને માત્ર વિદેશી શિક્ષણ પ્રત્યેનો રસ ઘટ્યો તરીકે જોવાને બદલે, વિદ્યાર્થીઓ હવે વધુ વિચારપૂર્વક નિર્ણય લઈ રહ્યા છે તેવા સંકેત તરીકે પણ જોઈ શકાય. </p>
<p><strong>સૌ પ્રથમ નક્કી કરો—વિદેશ શા માટે જવું છે?</strong></p>
<p>વિદ્યાર્થીએ પોતાને એક સીધો પ્રશ્ન પૂછવો જોઈએ: “હું વિદેશમાં અભ્યાસ શા માટે કરવા માગું છું?” જો જવાબ માત્ર “બધા મિત્રો જાય છે”, “વિદેશમાં સેટલ થવું છે” અથવા “વિદેશી ડિગ્રી સારી લાગે છે” એટલો જ હોય તો થોડું રોકાઈને વિચારવું જરૂરી છે.</p>
<p>જો વિદ્યાર્થીને ચોક્કસ ક્ષેત્રમાં  સ્પેશિયલાઇઝ્ડ એજ્યુકેશન, રીસર્ચ, ઇન્ટરનેશનલ એક્સપોઝર અથવા પોતાની કારકિર્દી માટે જરૂરી કોઈ વિશિષ્ટ કોર્સ મેળવવો હોય, તો વિદેશી શિક્ષણ યોગ્ય વિકલ્પ બની શકે છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-08/0242.jpg" alt="02" width="1280" height="720"></img></p>
<p><strong>પોતાની પ્રોફાઇલ પ્રમાણે કોર્સ પસંદ કરો</strong></p>
<p>મારી સૌથી મહત્વની સલાહ છે કે પહેલા કોર્સ નક્કી કરો અને પછી દેશ તથા યુનિવર્સિટી પસંદ કરો. વિદ્યાર્થીની અગાઉની એજ્યુકેશન પર્ફોમન્સ, અંગ્રેજીની જાણકારી, કામનો અનુભવ કરિયર ઇન્ટરેસ્ટ અને લાંબા ગાળાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને કોર્સ પસંદ કરવો જોઈએ.<br />માત્ર કોઈ કોર્સ સરળ છે, એડમિશન સરળતાથી મળે છે અથવા અન્ય વિદ્યાર્થીઓ એ કોર્સ કરી રહ્યા છે તેથી તેને પસંદ કરવો યોગ્ય નથી.</p>
<p><strong>બજેટ પહેલાં નક્કી કરો</strong></p>
<p>વિદેશ જતાં પહેલાં માત્ર ટ્યૂશન ફીની ગણતરી કરવી પૂરતી નથી.<br />કુલ ખર્ચમાં સામાન્ય રીતે: ટ્યૂશન ફી, અકોમોડેશનસ, ફૂડ અને ડેઇલી ખર્ચ, હેલ્થ ઇન્શ્યુરન્સ, વિઝાનો ખર્ચ, એર ટિકિટ અને ઇમરજન્સી ફન્ડનો સમાવેશ થાય છે. </p>
<p>વાલીઓ અને વિદ્યાર્થીઓએ કોર્સ પૂરો થાય ત્યાં સુધીનો અંદાજિત કુલ ખર્ચ કાઢવો જોઈએ. લોન લેવાની હોય તો ઇએમઆઇ અને રીપેમેન્ટની પણ અગાઉથી ગણતરી કરવી જોઈએ.</p>
<p><strong>પાર્ટ ટાઇમ જોબ પર જ આધાર ન રાખી શકાય</strong></p>
<p>વિદેશમાં અભ્યાસ દરમિયાન પાર્ટ ટાઇમ કામની તક મળી શકે છે, પરંતુ તેને અભ્યાસના સમગ્ર ખર્ચ માટેની ગેરંટી માનવી યોગ્ય નથી. મારી સલાહ છે કે વિદ્યાર્થીની પ્લાનિંગ એવી હોવી જોઈએ કે પાર્ટટાઇમ ઇન્કમ ન મળે તો પણ અભ્યાસ ચાલુ રાખી શકાય. કોઈ પણ દેશના વિઝા અથવા પોસ્ટ સ્ટડી રૂલ્સને કાયમી માનીને નિર્ણય ન લેવો.નિયમોમાં સમયાંતરે ફેરફાર થઈ શકે છે.</p>
<p><strong>સૌથી મહત્વનું— માત્ર “વિદેશમાં રહેવું” લક્ષ્ય ન બનાવો</strong></p>
<p>વિદેશમાં અભ્યાસનો હેતુ માત્ર ત્યાં રહેવાનો ન હોવો જોઈએ. વિદ્યાર્થીએ વિચારવું જોઈએ:<br />“આ કોર્સ પૂર્ણ કર્યા પછી મારી પાસે કઈ સ્કીલ હશે?”<br />“આ સ્કીલથી હું કઈ કરિયર બનાવી શકીશ?”<br />“જો મને ત્યાં નોકરી ન મળે તો મારી અલ્ટરનેટિવ પ્લાન શું છે?”</p>
<p>આ ત્રણ પ્રશ્નોના જવાબ જેટલા સ્પષ્ટ હશે, તેટલો વિદેશી અભ્યાસનો નિર્ણય મજબૂત બનશે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-08/0337.jpg" alt="03" width="1280" height="720"></img></p>
<p><strong>વાલીઓએ પણ નિર્ણયમાં સક્રિય રહેવું જોઈએ</strong></p>
<p>વિદેશ જવાનો નિર્ણય માત્ર વિદ્યાર્થીનો કે માત્ર વાલીઓનો ન હોવો જોઈએ. બંનેએ સાથે મળીને ચર્ચા કરવી જોઈએ. ખાસ કરીને લોન લઈને અભ્યાસ કરવાના કિસ્સામાં પરિવારની ખુલ્લી ચર્ચા જરૂરી છે.</p>
<p>મારી વિદ્યાર્થીને એક જ સલાહ છે કે માત્ર વિદેશ જવું એ અંતિમ લક્ષ્ય નથી; સારૂ શિક્ષણ અને મજબૂત કરિયર બનાવવું એ લક્ષ્ય છે.આથી “મને વિદેશ જવું છે”થી શરૂઆત ન કરો.</p>
<p>શરૂઆત કરો—“મારે ભવિષ્યમાં શું બનવું છે?” એક કન્સલ્ટન્ટ તરીકે મારી સૌથી મોટી સલાહ છે—વિદેશ જવાની ઉતાવળ ન કરો, પરંતુ યોગ્ય તક મળે ત્યારે ડરશો પણ નહીં. નિર્ણય લાગણીથી નહીં, માહિતી અને આયોજનથી લો.</p>]]></content:encoded>
                
                                                            <category>Charcha Patra</category>
                                    

                <link>https://www.khabarchhe.com/charcha-patra/want-to-study-abroad--students-and-parents-should-take-a-decision-only-after-understanding-these-things/article-179545</link>
                <guid>https://www.khabarchhe.com/charcha-patra/want-to-study-abroad--students-and-parents-should-take-a-decision-only-after-understanding-these-things/article-179545</guid>
                <pubDate>Sat, 29 Aug 2026 14:40:35 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-08/0137.jpg"                         length="957957"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mamta Dhiren Jani]]></dc:creator>
                            </item>
            <item>
                <title>નેધરલેન્ડ્સમાં 20 વર્ષમાં પ્રથમવાર વિદેશી વિદ્યાર્થીઓમાં ઘટાડો, છતા ભારતીયો માટે તકો યથાવત</title>
                                    <description><![CDATA[<p>વિદેશમાં હાયર એજ્યુકેશન મેળવવા ઇચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે નેધરલેન્ડ્સ છેલ્લા કેટલાક વર્ષોમાં લોકપ્રિય વિકલ્પ બન્યું છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ, અંગ્રેજી માધ્યમના પ્રોગ્રામ્સ અને અભ્યાસ બાદ કામ કરવાની તકોને કારણે ભારતીય વિદ્યાર્થીઓનું આકર્ષણ વધ્યું છે. જોકે, 2025/26ના આંકડા દર્શાવે છે કે નેધરલેન્ડ્સમાં 20 વર્ષમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.</p>
<p>આ વર્ષે નેધરલેન્ડ્સની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં કુલ 1,29,764 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ગયા વર્ષની સરખામણીએ આ સંખ્યા 0.1 ટકા એટલે કે 133 વિદ્યાર્થીઓ જેટલી ઘટી છે. ટકાવારીની દૃષ્ટિએ ઘટાડો નાનો છે, પરંતુ સતત બે દાયકાથી વધતી સંખ્યાના ટ્રેન્ડમાં આ મહત્વપૂર્ણ ફેરફાર છે.</p>
<p>આ ઘટાડાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બેચલર પ્રોગ્રામ્સમાં નવા પ્રવેશમાં</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/charcha-patra/foreign-students-in-the-netherlands-decline-for-the-first-time-in-20-years--but-opportunities-for-indians-remain-unchanged/article-179331"><img src="https://www.khabarchhe.com/media/400/2026-08/0117.jpg" alt=""></a><br /><p>વિદેશમાં હાયર એજ્યુકેશન મેળવવા ઇચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે નેધરલેન્ડ્સ છેલ્લા કેટલાક વર્ષોમાં લોકપ્રિય વિકલ્પ બન્યું છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ, અંગ્રેજી માધ્યમના પ્રોગ્રામ્સ અને અભ્યાસ બાદ કામ કરવાની તકોને કારણે ભારતીય વિદ્યાર્થીઓનું આકર્ષણ વધ્યું છે. જોકે, 2025/26ના આંકડા દર્શાવે છે કે નેધરલેન્ડ્સમાં 20 વર્ષમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.</p>
<p>આ વર્ષે નેધરલેન્ડ્સની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં કુલ 1,29,764 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ગયા વર્ષની સરખામણીએ આ સંખ્યા 0.1 ટકા એટલે કે 133 વિદ્યાર્થીઓ જેટલી ઘટી છે. ટકાવારીની દૃષ્ટિએ ઘટાડો નાનો છે, પરંતુ સતત બે દાયકાથી વધતી સંખ્યાના ટ્રેન્ડમાં આ મહત્વપૂર્ણ ફેરફાર છે.</p>
<p>આ ઘટાડાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બેચલર પ્રોગ્રામ્સમાં નવા પ્રવેશમાં 3.8 ટકાનો ઘટાડો છે. ખાસ કરીને જર્મની અને ચીનમાંથી આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. ચીનના વિદ્યાર્થીઓમાં આશરે 28 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.</p>
<p>પરંતુ ભારતીય વિદ્યાર્થીઓ માટે ચિત્ર થોડું અલગ છે. માસ્ટર્સ સ્તરે પ્રવેશમાં વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાંથી આવતા વિદ્યાર્થીઓ ખાસ કરીને ટેક્નિકલ ક્ષેત્રો, ડેટા સાયન્સ, એન્જિનિયરિંગ, બિઝનેસ અને મેનેજમેન્ટ જેવા અભ્યાસક્રમોમાં રસ દાખવી રહ્યા છે. તેથી નેધરલેન્ડ્સ ભારતીય વિદ્યાર્થીઓ માટે હજુ પણ મજબૂત માસ્ટર્સ ડેસ્ટિનેશન છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-08/0219.jpg" alt="02" width="1280" height="720"></img></p>
<p><strong>હાઉસિંગ સૌથી મોટો પડકાર</strong></p>
<p>નેધરલેન્ડ્સમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા વધતા છેલ્લા કેટલાક વર્ષોમાં હાઉસિંગ ક્રાઇસિસ મોટો મુદ્દો બની છે. Amsterdam, Rotterdam અને Delft જેવા શહેરોમાં સસ્તું અને યોગ્ય અકોમોડેશન મેળવવું મુશ્કેલ છે. તેથી એડમિશન મળ્યા બાદ હાઉસિંગની શોધમાં વિલંબ કરવો વિદ્યાર્થીઓ માટે જોખમી બની શકે છે.</p>
<p>બીજી તરફ, અંગ્રેજી માધ્યમના કોર્સની સંખ્યા ઘટાડવા અંગે પણ ચર્ચા થઈ હતી. જોકે, આંતરરાષ્ટ્રીય પ્રતિભા જાળવી રાખવા માટે સરકારનો અભિગમ વધુ સંતુલિત રહ્યો છે. ભારતીય વિદ્યાર્થીઓ માટે આ મહત્વપૂર્ણ છે, કારણ કે તેઓ મોટા પ્રમાણમાં English-taught programmes પસંદ કરે છે.</p>
<p>આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ નેધરલેન્ડ્સના અર્થતંત્ર માટે પણ મહત્વપૂર્ણ છે. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઘણા વિદ્યાર્થીઓ સ્થાનિક લેબર માર્કેટમાં જોડાય છે. ઉપલબ્ધ અંદાજ મુજબ આશરે 50 ટકા આંતરરાષ્ટ્રીય ગ્રેજ્યુએટ્સ નેધરલેન્ડ્સના લેબર માર્કેટમાં રહે છે. ભારતીય વિદ્યાર્થીઓ ખાસ કરીને IT, એન્જિનિયરિંગ અને રિસર્ચ ક્ષેત્રોમાં યોગદાન આપે છે.</p>
<p><strong>ભારતીય વિદ્યાર્થીઓએ શું ધ્યાનમાં રાખવું?</strong></p>
<p>1. યોગ્ય પ્રોગ્રામ પસંદ કરો: માસ્ટર્સ અને સ્પેશિયલાઇઝ્ડ કોર્સમાં તકો વધુ હોવાથી યુનિવર્સિટી સાથે કોર્સની કારકિર્દી સંભાવનાઓ પણ તપાસવી જરૂરી છે.</p>
<p>2. હાઉસિંગનું આયોજન વહેલું કરો: મોટા શહેરોમાં આવાસની અછત હોવાથી એડમિશન મળતાં જ શોધ શરૂ કરવી યોગ્ય છે.</p>
<p>3. ખર્ચનો વાસ્તવિક અંદાજ રાખો: ટ્યુશન ફી સામાન્ય રીતે આશરે 10,000થી 40,000 યૂરો પ્રતિ વર્ષ સુધી હોઈ શકે છે. આ ઉપરાંત રહેવા, વીમા અને અન્ય ખર્ચ પણ ગણવા જરૂરી છે.</p>
<p>4. નીતિમાં થતા ફેરફારો તપાસો: અંગ્રેજી પ્રોગ્રામ્સ, ઇમિગ્રેશન અને વર્ક રાઇટ્સ સંબંધિત નિયમોમાં ફેરફાર થઈ શકે છે. અરજી પહેલાં સત્તાવાર માહિતી તપાસવી જરૂરી છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-08/0317.jpg" alt="03" width="1280" height="720"></img></p>
<p><strong>બદલાતું યુરોપિયન શિક્ષણ દૃશ્ય</strong></p>
<p>નેધરલેન્ડ્સમાં 0.1 ટકાનો ઘટાડો ભલે નાનો લાગે, પરંતુ તે યુરોપિયન ઉચ્ચ શિક્ષણમાં બદલાતા અભિગમનો સંકેત છે. હવે દેશો માત્ર વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ આકર્ષવા કરતાં જરૂરી કુશળતા ધરાવતા અને લાંબા ગાળે યોગદાન આપી શકે તેવા વિદ્યાર્થીઓ પર વધુ ધ્યાન આપી રહ્યા છે.</p>
<p>ભારતીય વિદ્યાર્થીઓ માટે આ સ્થિતિ તક અને ચેતવણી બંને છે. નેધરલેન્ડ્સ હજુ પણ ખુલ્લું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપતું મજબૂત વિકલ્પ છે, પરંતુ હવે માત્ર વિદેશમાં ભણવાનું લક્ષ્ય પૂરતું નથી. યોગ્ય કોર્સ, યુનિવર્સિટી, બજેટ, હાઉસિંગ અને ભવિષ્યની કારકિર્દી અંગે સ્પષ્ટ આયોજન સાથે નિર્ણય લેવો વધુ મહત્વપૂર્ણ બન્યો છે.</p>]]></content:encoded>
                
                                                            <category>Charcha Patra</category>
                                    

                <link>https://www.khabarchhe.com/charcha-patra/foreign-students-in-the-netherlands-decline-for-the-first-time-in-20-years--but-opportunities-for-indians-remain-unchanged/article-179331</link>
                <guid>https://www.khabarchhe.com/charcha-patra/foreign-students-in-the-netherlands-decline-for-the-first-time-in-20-years--but-opportunities-for-indians-remain-unchanged/article-179331</guid>
                <pubDate>Fri, 14 Aug 2026 16:32:02 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-08/0117.jpg"                         length="1017998"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mamta Dhiren Jani]]></dc:creator>
                            </item>
            <item>
                <title>કેન્સરને નોટિફાયેબલ (Notifiable) જાહેર કરવા સુપ્રીમે 19 રાજ્યોને કર્યો આદેશ, શું હોય છે આ? </title>
                                    <description><![CDATA[<p>કેન્સર સામેની લડાઈમાં આપણે ઘણીવાર સારવાર, દવાઓ અને ટેક્નોલોજીની વાત કરીએ છીએ. પરંતુ આ લડાઈનું એક અત્યંત મહત્વનું હથિયાર છે—સચોટ ડેટા. આ જ કારણસર સુપ્રીમ કોર્ટે તાજેતરમાં દેશના 19 States અને Union Territoriesને કેન્સરને “Notifiable Disease” જાહેર કરવા કહ્યું છે. કોર્ટને જણાવાયું હતું કે દેશના 36 રાજ્યો અને સંઘપ્રદેશોમાંથી 17માં કેન્સરને પહેલેથી Notifiable Disease તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તમને જાણીને ખુશી થશે કે ગુજરાતે વર્ષ 20 મે 2016 એટલે કે 10 વર્ષ પહેલા જ કેન્સરને નોટિફાયેબલ જાહેર કરી દીધું છે.  </p>
<p><strong>Notifiable Disease એટલે શું?</strong></p>
<p>સૌથી પહેલાં એક ગેરસમજ દૂર કરવી જરૂરી છે. કેન્સરને Notifiable Disease જાહેર કરવાનો અર્થ એ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/charcha-patra/supreme-ordered-19-states-to-declare-cancer-notifiable-disease/article-179308"><img src="https://www.khabarchhe.com/media/400/2026-08/0114.jpg" alt=""></a><br /><p>કેન્સર સામેની લડાઈમાં આપણે ઘણીવાર સારવાર, દવાઓ અને ટેક્નોલોજીની વાત કરીએ છીએ. પરંતુ આ લડાઈનું એક અત્યંત મહત્વનું હથિયાર છે—સચોટ ડેટા. આ જ કારણસર સુપ્રીમ કોર્ટે તાજેતરમાં દેશના 19 States અને Union Territoriesને કેન્સરને “Notifiable Disease” જાહેર કરવા કહ્યું છે. કોર્ટને જણાવાયું હતું કે દેશના 36 રાજ્યો અને સંઘપ્રદેશોમાંથી 17માં કેન્સરને પહેલેથી Notifiable Disease તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તમને જાણીને ખુશી થશે કે ગુજરાતે વર્ષ 20 મે 2016 એટલે કે 10 વર્ષ પહેલા જ કેન્સરને નોટિફાયેબલ જાહેર કરી દીધું છે.  </p>
<p><strong>Notifiable Disease એટલે શું?</strong></p>
<p>સૌથી પહેલાં એક ગેરસમજ દૂર કરવી જરૂરી છે. કેન્સરને Notifiable Disease જાહેર કરવાનો અર્થ એ નથી કે કેન્સર ચેપી રોગ છે. Notifiable Disease એટલે એવી બીમારી કે જેના નવા કેસની માહિતી ચોક્કસ વ્યવસ્થા હેઠળ સરકારી આરોગ્ય તંત્રને આપવી પડે, જેથી સરકાર રોગના ફેલાવા અને પ્રમાણ અંગે સચોટ માહિતી મેળવી શકે.</p>
<p>કેન્સરના કિસ્સામાં તેનો સૌથી મોટો એ ફાયદો હશે કે કયા વિસ્તારમાં કેટલા નવા દર્દીઓ છે અને કયા પ્રકારનું કેન્સર વધી રહ્યું છે તેની વધુ વ્યવસ્થિત માહિતી મેળવવી.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-08/0216.jpg" alt="02" width="1280" height="720"></img><br /> <br /><strong>શા માટે જરૂરી છે આ ડેટા?</strong></p>
<p>કેન્સર એક જ પ્રકારની બીમારી નથી.  બ્રેસ્ટ, લંગ, ઓરલ, સર્વાઇકલ, પ્રોસ્ટેસ સહિત અનેક પ્રકારના કેન્સર છે. જો સરકાર પાસે દરેક વિસ્તારનો ચોક્કસ અને સમયસરનો ડેટા હશે તો આપણે જાણી શકીશું કે:</p>
<p>કયા વિસ્તારમાં કયું કેન્સર વધારે છે?</p>
<p>કઈ ઉંમરના લોકો વધુ અસરગ્રસ્ત છે?</p>
<p>પુરુષો અને મહિલાઓમાં કયા કેન્સરનું પ્રમાણ વધારે છે?</p>
<p>કયા વિસ્તારોમાં સ્ક્રીનિંગની વધારે જરૂર છે?</p>
<p>આ માહિતીના આધારે સરકાર અને આરોગ્ય નિષ્ણાતો વધુ ચોક્કસ રોકથામ અને તપાસ કાર્યકર્મ બનાવી શકે છે.</p>
<p>કેન્સરનું સાચું ચિત્ર સામે આવશે</p>
<p>કેન્સર સામેની લડાઈમાં માત્ર દર્દીની સારવાર પૂરતી નથી. વસ્તીના સ્તર પર પણ વિચારવું પડે છે. ધારો કે કોઈ જિલ્લામાં ઓરલ કેન્સરના કેસો સતત વધી રહ્યા છે. જો આ માહિતી સમયસર મળે તો ત્યાં તમાકુ વિરોધી અભિયાન અને જનજાગૃતિ કાર્યક્રમો વધુ અસરકારક રીતે ચલાવી શકાય.<br />તે જ રીતે કોઈ વિસ્તારમાં મહિલાઓમાં સર્વાઇકલ અથવા બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધારે જોવા મળે તો ત્યાં સ્ક્રીનિંગને વધુ મજબૂત બનાવી શકાય.<br />એટલે કેન્સરની માહિતી માત્ર કાગળ પરની પ્રક્રિયા નથી; તે રોકથામની શરૂઆત બની શકે છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-08/0314.jpg" alt="03" width="1280" height="720"></img></p>
<p><strong>વહેલી ખબર એટલે વહેલી સારવાર</strong></p>
<p>કેન્સરમાં વહેલું નિદાન અત્યંત મહત્વનું છે.જ્યારે કેન્સર શરૂઆતના તબક્કામાં ઓળખાય છે ત્યારે ઘણા પ્રકારના કેન્સરમાં સારવાર વધુ અસરકારક બની શકે છે. પરંતુ ઘણા દર્દીઓમાં નિદાન ત્યારે થાય છે જ્યારે બીમારી આગળ વધી ગઈ હોય. આ પાછળનું એક કારણ જાગૃતિનો અભાવ છે, તો બીજું કારણ સ્કિનિંગની અછત છે.</p>
<p>જો સરકાર પાસે વિસ્તાર પ્રમાણે કેન્સરના કેસોનો સચોટ ડેટા હશે તો હાઇ રીસ્ક વિસ્તારો અને હાઇ રીસ્ક પોપ્યુલેશન સુધી સ્ક્રીનિંગ પહોંચાડવાનું આયોજન વધુ અસરકારક બની શકે છે.</p>
<p><strong>હવે સમાજની પણ જવાબદારી</strong></p>
<p>સરકાર કેન્સરને નોટિફાયયેબલ જાહેર કરે તે મહત્વનું પગલું છે, પરંતુ તે પૂરતું નથી. લોકોએ પણ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થવું પડશે. મોઢામાં લાંબા સમય સુધી રહેતો ઘા, શરીરમાં ગાંઠ, અચાનક વજન ઘટવું, અસામાન્ય રક્તસ્ત્રાવ, સતત ઉધરસ જેવા સંકેતોને અવગણવા નહીં.<br />અને સૌથી મહત્વની વાત—તમાકુ, ગુટખા અને માવાથી દૂર રહેવું.</p>
<p>કેન્સર સામેની લડાઈમાં હોસ્પિટલ છેલ્લો મોરચો છે. પ્રથમ મોરચો છે રોકથામ, જાગૃતિ અને વહેલું નિદાન. સુપ્રીમ કોર્ટની આ દિશા આપણને એક મહત્વનો સંદેશ આપે છે—કેન્સર સામે લડવા માટે માત્ર વધુ હોસ્પિટલ નહીં, પરંતુ વધુ સચોટ ડેટા પણ જોઈએ.કારણ કે જે બીમારીને આપણે યોગ્ય રીતે ઓળખી શકીએ છીએ, તેને રોકવા અને વહેલી તકે પકડી પાડવા માટે વધુ અસરકારક રીતે આયોજન પણ કરી શકીએ છીએ.</p>]]></content:encoded>
                
                                                            <category>Charcha Patra</category>
                                    

                <link>https://www.khabarchhe.com/charcha-patra/supreme-ordered-19-states-to-declare-cancer-notifiable-disease/article-179308</link>
                <guid>https://www.khabarchhe.com/charcha-patra/supreme-ordered-19-states-to-declare-cancer-notifiable-disease/article-179308</guid>
                <pubDate>Thu, 13 Aug 2026 13:20:49 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-08/0114.jpg"                         length="998084"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dr. Dinky Gajiwala]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ઓસ્ટ્રેલિયામાં ભણવાનું સપનું જોનારને માત્ર એક ભૂલ ભારે પડી શકે છે  </title>
                                    <description><![CDATA[<p>ઓસ્ટ્રેલિયા આજે પણ દુનિયાના સૌથી લોકપ્રિય ભણતરના સ્થળોમાં સામેલ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા વિદ્યાર્થી વિઝા માટેના નિયમો પ્રમાણમાં કડક બનાવવામાં આવ્યા છે. ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ માટે અમલી બનેલી નવી ચેંકિગ સિસ્ટમ અને જેન્યુઇન સ્ટુડન્ટના ક્રાઇટેરિયાને કારણે હવે માત્ર સારા માર્ક્સ કે યુનિવર્સિટીનો ઓફર લેટર પૂરતો નથી.</p>
<p>આ પરિસ્થિતિમાં જેમની પાસે અનુભવ હોય અને ભરોસો કરી શકાય તેવા એજ્યુકેશન કન્સલ્ટન્ટની ભૂમિકા અગાઉ કરતાં વધુ મહત્વની બની ગઈ છે.<br />વિદ્યાર્થી વિઝા માટે અરજી કરતી વખતે ફાયનાન્શિયલ ડોક્ટુમેન્ટ્સ, એજ્યુકેશન લોન, વાલીની આવકના પુરાવા, બેન્ક સ્ટેટમેન્ટ અને અન્ય માહિતીમાં નાની અમથી ભૂલ પણ વિઝા અરજીને અસર કરી શકે છે.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/charcha-patra/a-dreamer-of-studying-in-australia-can-suffer-only-one/article-179036"><img src="https://www.khabarchhe.com/media/400/2026-07/mamata.jpg" alt=""></a><br /><p>ઓસ્ટ્રેલિયા આજે પણ દુનિયાના સૌથી લોકપ્રિય ભણતરના સ્થળોમાં સામેલ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા વિદ્યાર્થી વિઝા માટેના નિયમો પ્રમાણમાં કડક બનાવવામાં આવ્યા છે. ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ માટે અમલી બનેલી નવી ચેંકિગ સિસ્ટમ અને જેન્યુઇન સ્ટુડન્ટના ક્રાઇટેરિયાને કારણે હવે માત્ર સારા માર્ક્સ કે યુનિવર્સિટીનો ઓફર લેટર પૂરતો નથી.</p>
<p>આ પરિસ્થિતિમાં જેમની પાસે અનુભવ હોય અને ભરોસો કરી શકાય તેવા એજ્યુકેશન કન્સલ્ટન્ટની ભૂમિકા અગાઉ કરતાં વધુ મહત્વની બની ગઈ છે.<br />વિદ્યાર્થી વિઝા માટે અરજી કરતી વખતે ફાયનાન્શિયલ ડોક્ટુમેન્ટ્સ, એજ્યુકેશન લોન, વાલીની આવકના પુરાવા, બેન્ક સ્ટેટમેન્ટ અને અન્ય માહિતીમાં નાની અમથી ભૂલ પણ વિઝા અરજીને અસર કરી શકે છે. જો અરજી નકારવામાં આવે તો માત્ર વિઝા જ નહીં, પરંતુ એપ્લિકેશનની ફી, યુનિવર્સિટીની એડમિનિસ્ટ્રેશન ફી અને બીજા ખર્ચમાં પણ મોટું નુકસાન થઈ શકે છે. એટલા માટે તમામ દસ્તાવેજોની સંપૂર્ણ ચકાસણી અને યોગ્ય રજૂઆત અત્યંત જરૂરી બની ગઈ છે.</p>
<p>ઓસ્ટ્રેલિયાની સરકાર હવે એ પણ તપાસે છે કે વિદ્યાર્થી ખરેખર ભણવા માટે જઈ રહ્યો છે કે નહીં. વિદ્યાર્થીએ પોતાની અગાઉની ડિગ્રી , વધુ ભણવા માટે પસંદ કરેલ કોર્સ અને ભવિષ્યમાં જે કામ કરવાના છે તે તમામ બાબતો વચ્ચે સ્પષ્ટ અને તર્કસંગત સંબંધ રજૂ કરવો પડે છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2018-05/1527595285study-abroad.jpg" alt="1527595285study-abroad" width="900" height="506"></img></p>
<p>સામાન્ય રીતે ઘણા વિદ્યાર્થીઓ ખૂબ જ સામાન્ય અને અગાઉથી ગોખી રાખેલા જવાબો આપે છે, જેના કારણે તેમની અરજી નકારી દેવામાં આવે છે. જો તેમને યોગ્ય માર્ગદર્શન મળે તો આ ભૂલોથી બચી શકાય છે.</p>
<p>સૌથી મોટી ભૂલ વિદ્યાર્થીઓ એ કરે છે કે માત્ર ઓછી ફી જોઈને કોર્સ પસંદ કરી લે છે. જોકે, હકીકત એ છે કે  દરેક કોર્સ અને દરેક સંસ્થા માટે વિઝા મંજૂરીનો ટ્રેન્ડ અલગ હોઈ શકે છે. અનુભવી કન્સલ્ટન્ટ જ વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રોફાઇલ, બજેટ અને કારકિર્દીના ટારગેટને ધ્યાનમાં રાખીને યોગ્ય યુનિવર્સિટી અને યોગ્ય અભ્યાસક્રમ પસંદ કરવામાં મદદ કરે છે.</p>
<p>કેટલાક વિદ્યાર્થીઓ ઓછી ફીના શોર્ટ ટર્મ કોર્સ પસંદ કરી લે છે. પરંતુ આજની પરિસ્થિતિમાં માત્ર ફીના આધારે લેવાયેલો નિર્ણય ઇમિગ્રેશન માટે જોખમી બની શકે છે. કોર્સની ગુણવત્તા, યુનિવર્સિટીની માન્યતા અને લાંબા ગાળાની કારકિર્દી હંમેશાં પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ.</p>
<p>વિદ્યાર્થી વિદેશમાં ભણવા માટે લાખો રૂપિયાનું રોકાણ કરતા હોય છે. ઓસ્ટ્રેલિયામાં વીઝાની ફી બીજા દેશો કરતા પ્રમાણમાં ઊંચી છે. અહીં વીઝા માટેની ફી રૂ. 1.70 લાખ હોય છે. જો વીઝા રીજેક્ટ થાય તો ફી તો પાછી મળતી જ નથી પરંતુ બીજીવાર અરજી પણ કરી શકાતી નથી.  આવી સ્થિતિમાં યોગ્ય ડોક્યુમેન્ટેશન, સમયસર અરજી કરવી, યોગ્ય કોર્સની પસંદગી કરવી અને વિઝા પ્રક્રિયાની સમજ વીઝા મેળવવાની શક્યતા વધારવા સાથે સમય, મહેનત અને રૂપિયા પણ બચાવે છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-07/0241.jpg" alt="02" width="1280" height="720"></img></p>
<p>આજના સમયમાં એજ્યુકેશન કન્સલ્ટન્ટનું કામ માત્ર એડમિશન અપાવવાનું નથી. એક સારો કન્સલ્ટન્ટ વિદ્યાર્થીની આખી એજ્યુકેશનલ જર્નીનો ગાઇડ બને છે. વિદ્યાર્થી માટે યોગ્ય દેશની પસંદગીથી લઈને યોગ્ય કોર્સ, દસ્તાવેજોની તૈયારી, વિઝા પ્રક્રિયા અને ભવિષ્યની કારકિર્દી સુધી તે મદદગાર સાબિત થાય છે.</p>
<p>કોઇપણ વિદ્યાર્થી માટે વિદેશમાં અભ્યાસ એ જીવનનો એક સૌથી મહત્વપૂર્ણ નિર્ણય છે. તેથી માત્ર સપના જોવાને બદલે, યોગ્ય માહિતી અને અનુભવી માર્ગદર્શક સાથે જ આ દિશામાં આગળ વધવું એ સૌથી સમજદારીભર્યો અભિગમ છે.</p>]]></content:encoded>
                
                                                            <category>Charcha Patra</category>
                                    

                <link>https://www.khabarchhe.com/charcha-patra/a-dreamer-of-studying-in-australia-can-suffer-only-one/article-179036</link>
                <guid>https://www.khabarchhe.com/charcha-patra/a-dreamer-of-studying-in-australia-can-suffer-only-one/article-179036</guid>
                <pubDate>Mon, 27 Jul 2026 19:11:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-07/mamata.jpg"                         length="1020783"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mamta Dhiren Jani]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ભૂવાએ કેન્સરના દર્દીને દવા બંધ કરી બાધા રાખવા કહ્યું, પકડાયો, લોકો કેમ ફંસાય છે? </title>
                                    <description><![CDATA[<p>શું કોઇ ભૂવો કેન્સર મટાડી શકે. સ્પષ્ટ જવાબ છે ના. પરંતુ લોકો ને છેતરતા ઘણા ભૂવા સક્રિય છે. જ્યારે પોલીસને ખબર પડે ત્યારે તે એક્શન લે છે પરંતુ જ્યાં સુધી લોકો જાગૃત નહીં બને ત્યાર સુધી આવું બનતું જ  રહેશે. </p>
<p>આવા જ એક કિસ્સામાં બનાસકાંઠાના ધાનેરા તાલુકાના હડતા ગામેથી નરેશ નામનો ભુવો ઝડપાયો છે. કેન્સર જેવી ગંભીર બીમારી મટાડવાનો દાવો કરતો આ ભુવો વિજ્ઞાન જાથાની ફરિયાદ પર પોલીસની કાર્યવાહી દરમિયાન ઝડપાઈ ગયો હતો. ત્યારબાદ તેને પૂછપરછ માટે ધાનેરા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો.</p>
<p>ગંભીર વાત તો તે હતી કે  કેન્સરગ્રસ્ત દર્દીને આ ભુવાએ હોસ્પિટલમાં ચાલી રહેલી સારવાર બંધ કરીને માત્ર</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/charcha-patra/bhuva-asked-a-cancer-patient-to-stop-taking-his-medicine/article-178966"><img src="https://www.khabarchhe.com/media/400/2026-07/dinky1.jpg" alt=""></a><br /><p>શું કોઇ ભૂવો કેન્સર મટાડી શકે. સ્પષ્ટ જવાબ છે ના. પરંતુ લોકો ને છેતરતા ઘણા ભૂવા સક્રિય છે. જ્યારે પોલીસને ખબર પડે ત્યારે તે એક્શન લે છે પરંતુ જ્યાં સુધી લોકો જાગૃત નહીં બને ત્યાર સુધી આવું બનતું જ  રહેશે. </p>
<p>આવા જ એક કિસ્સામાં બનાસકાંઠાના ધાનેરા તાલુકાના હડતા ગામેથી નરેશ નામનો ભુવો ઝડપાયો છે. કેન્સર જેવી ગંભીર બીમારી મટાડવાનો દાવો કરતો આ ભુવો વિજ્ઞાન જાથાની ફરિયાદ પર પોલીસની કાર્યવાહી દરમિયાન ઝડપાઈ ગયો હતો. ત્યારબાદ તેને પૂછપરછ માટે ધાનેરા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો.</p>
<p>ગંભીર વાત તો તે હતી કે  કેન્સરગ્રસ્ત દર્દીને આ ભુવાએ હોસ્પિટલમાં ચાલી રહેલી સારવાર બંધ કરીને માત્ર બાધા રાખવાથી કેન્સર મટી જશે તેવો દાવો કર્યો હતો. દર્દી ત્રીજા સ્ટેજના કેન્સરથી પીડિત હોવાથી પરિવાર ચિંતામાં હતો. આ ચિંતાને કારણે તેઓ ભૂવા પાસે ગયા હતા. </p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-07/0329.jpg" alt="03" width="1280" height="720"></img></p>
<p>બધા જાણે જ છે કે કેન્સરની ખબર જો શરૂઆતના સ્ટેજમાં પણ પડી જાય તો તેનો અસરકારક ઉપચાર કરી શકાય. પરંતુ જો તે વધી ગયું હોય તો તેની સારવાર અઘરી હોય છે. આ સારવાર લાંબી પણ હોય છે. સારવારનું પરિણામ દર્દીની ઊંમર, કેન્સરના પ્રકાર અને તેની શારીરિક, માનસિક અને આર્થિક સ્થિતિ પર પણ આધાર રાખે છે. ઘણીવાર લાંબી સારવારથી કંટાળીને લોકો આવા ભૂવાઓના ચક્કરમાં પડી જાય છે. લોકોને એવી આશા હોય છે કે કદાચ ચમત્કાર થશે અને સારૂ થઇ જશે. પરંતુ આવું ક્યારેય થતું નથી. અંતે પરિવારજનોએ પોતાના કુટુંબની એક વ્યક્તિ ગુમાવવાનો વારો આવતો હોય છે. </p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-07/0230.jpg" alt="02" width="1280" height="720"></img></p>
<p>જો ભગવાન પર શ્રદ્ધા કે કોઇ બીજી રીતે કેન્સર મટી જતું હોત તો આપણા દેશના મહાન સંતોનું પણ મટી ગયું હોત. આપણે સ્વામી વિવેકાનંદથી પરિચિત છીએ. તેમના પણ ગુરુ સ્વામી રામકૃષ્ણ પરમહંસને પણ કેંસર હતું. તેમની સારવાર ડોક્ટરોએ જ કરી હતી. તેમનાથી મોટા માતાજીના ભક્ત તો આ દેશમાં કોઇ હશે નહીં પરંતુ તેમણે પણ કોઇ ચમત્કારના આશા રાખ્યા વગર ડોક્ટરો પાસે સારવાર કરાવી હતી. આ ઉપરાંત રમણ મહર્ષિ નામના પ્રખ્યાત સંતને પણ કેન્સર હતું. તેમની સારવાર પણ ડોક્ટરોએ જ કરી હતી. એટલે ભગવાનમાં માનવું અને તેમનામાં શ્રદ્ધા રાખવી એ જુદી વાત છે. પરંતુ ભગવાનના નામે લૂંટતા લોકો પણ વિશ્વાસ કરવા જેવો નથી. જો મહાન સંતો પણ ડોક્ટરની સારવાર પણ ભરોસો કરતા હોય તો આપણે કેમ ન કરીએ.</p>]]></content:encoded>
                
                                                            <category>Charcha Patra</category>
                                    

                <link>https://www.khabarchhe.com/charcha-patra/bhuva-asked-a-cancer-patient-to-stop-taking-his-medicine/article-178966</link>
                <guid>https://www.khabarchhe.com/charcha-patra/bhuva-asked-a-cancer-patient-to-stop-taking-his-medicine/article-178966</guid>
                <pubDate>Thu, 23 Jul 2026 16:59:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-07/dinky1.jpg"                         length="992073"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dr. Dinky Gajiwala]]></dc:creator>
                            </item>
            <item>
                <title>WHOનું મોટું નિવેદન,  30થી 50 ટકા કેન્સરના કેસો અટકાવી શકાય છે</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">દર વર્ષે દુનિયામાં કરોડો લોકો કેન્સરનો ભોગ બની જાય છે. પરંતુ એક સારા સમાચાર પણ છે. </span>World Health Organization<span lang="gu" xml:lang="gu">ના જણાવ્યા અનુસાર લાઇફસ્ટાઇલમાં યોગ્ય ફેરફાર</span>, <span lang="gu" xml:lang="gu">વેક્સિન અને સમયસરની સ્ક્રીનિંગ દ્વારા </span>30<span lang="gu" xml:lang="gu">થી </span>50<span lang="gu" xml:lang="gu"> ટકા કેન્સરના કેસો જરૂર અટકાવી શકાય છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">આનો અર્થ એ છે કે કેન્સર હંમેશા નસીબની રમત નથી. આપણે કેટલા સતર્ક છીએ તે બાબત આપણા કેન્સરના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-07/0214.jpg" alt="02" width="1200" height="720" /></span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">ભારતમાં કેન્સરની સ્થિતિ કેટલી ગંભીર છે</span>?</strong></p>
<p>International Agency for Research on Cancer<span lang="gu" xml:lang="gu">ના </span>GLOBOCAN 2022<span lang="gu" xml:lang="gu">ના આંકડા મુજબ: </span>2022<span lang="gu" xml:lang="gu">માં ભારતમાં </span>14.61<span lang="gu" xml:lang="gu"> લાખ નવા કેન્સરના કેસ નોંધાયા. </span>8.08<span lang="gu" xml:lang="gu"> લાખ લોકોના કેન્સરને કારણે મોત થયા.</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/charcha-patra/who-s-big-statement--30-to-50-percent-of-cancer-cases-can-be-prevented/article-178764"><img src="https://www.khabarchhe.com/media/400/2026-07/dinky.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">દર વર્ષે દુનિયામાં કરોડો લોકો કેન્સરનો ભોગ બની જાય છે. પરંતુ એક સારા સમાચાર પણ છે. </span>World Health Organization<span lang="gu" xml:lang="gu">ના જણાવ્યા અનુસાર લાઇફસ્ટાઇલમાં યોગ્ય ફેરફાર</span>, <span lang="gu" xml:lang="gu">વેક્સિન અને સમયસરની સ્ક્રીનિંગ દ્વારા </span>30<span lang="gu" xml:lang="gu">થી </span>50<span lang="gu" xml:lang="gu"> ટકા કેન્સરના કેસો જરૂર અટકાવી શકાય છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">આનો અર્થ એ છે કે કેન્સર હંમેશા નસીબની રમત નથી. આપણે કેટલા સતર્ક છીએ તે બાબત આપણા કેન્સરના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-07/0214.jpg" alt="02" width="1280" height="720"></img></span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">ભારતમાં કેન્સરની સ્થિતિ કેટલી ગંભીર છે</span>?</strong></p>
<p>International Agency for Research on Cancer<span lang="gu" xml:lang="gu">ના </span>GLOBOCAN 2022<span lang="gu" xml:lang="gu">ના આંકડા મુજબ: </span>2022<span lang="gu" xml:lang="gu">માં ભારતમાં </span>14.61<span lang="gu" xml:lang="gu"> લાખ નવા કેન્સરના કેસ નોંધાયા. </span>8.08<span lang="gu" xml:lang="gu"> લાખ લોકોના કેન્સરને કારણે મોત થયા. દર </span>9<span lang="gu" xml:lang="gu">માંથી </span>1<span lang="gu" xml:lang="gu"> ભારતીયને જીવનકાળમાં ક્યારે ને ક્યારે કેન્સર થવાનું જોખમ છે. વર્ષ </span>2025<span lang="gu" xml:lang="gu"> સુધીમાં ભારતમાં દર વર્ષે </span>15.7<span lang="gu" xml:lang="gu"> લાખથી વધુ નવા કેસ નોંધાયા હોવાનો અંદાજ મૂકાયો છે. આ આંકડા સ્પષ્ટ રીતે બતાવે છે કે કેન્સર સામેની સૌથી અસરકારક દવા માત્ર સારવાર નહીં</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ રોકથામ છે.</span></p>
<p><strong>WHO <span lang="gu" xml:lang="gu">અનુસાર કેન્સરથી બચવાના </span>7<span lang="gu" xml:lang="gu"> અસરકારક ઉપાય</span></strong></p>
<p>1. <span lang="gu" xml:lang="gu">તમાકુનો સંપૂર્ણ ત્યાગ</span></p>
<p><span lang="gu" xml:lang="gu">તમાકુ વિશ્વમાં કેન્સરનું સૌથી મોટું કારણ છે. ભારતમાં મોઢા</span>, <span lang="gu" xml:lang="gu">ગળા અને ફેફસાના મોટા ભાગના કેન્સર માટે ગુટખા</span>, <span lang="gu" xml:lang="gu">માવો</span>, <span lang="gu" xml:lang="gu">સુપારી</span>, <span lang="gu" xml:lang="gu">બીડી અને સિગારેટ જવાબદાર છે.</span></p>
<p>2. <span lang="gu" xml:lang="gu">દારૂનું સેવન ટાળો</span></p>
<p><span lang="gu" xml:lang="gu">દારૂનું નિયમિત સેવન મોઢું</span>, <span lang="gu" xml:lang="gu">ગળું</span>, <span lang="gu" xml:lang="gu">લિવર</span>, <span lang="gu" xml:lang="gu">સ્તન અને આંતરડાના કેન્સરનું જોખમ વધારે છે.</span></p>
<p>3. <span lang="gu" xml:lang="gu">સ્વસ્થ વજન અને નિયમિત કસરત</span></p>
<p><span lang="gu" xml:lang="gu">રોજ ઓછામાં ઓછા </span>30<span lang="gu" xml:lang="gu"> મિનિટ વ્યાયામ અને સ્થૂળતા ટાળવી અનેક પ્રકારના કેન્સરનું જોખમ ઘટાડે છે.</span></p>
<p>4. <span lang="gu" xml:lang="gu">સંતુલિત આહાર</span></p>
<p><span lang="gu" xml:lang="gu">વધુ ફળો</span>, <span lang="gu" xml:lang="gu">લીલા શાકભાજી</span>, <span lang="gu" xml:lang="gu">આખા અનાજ અને ફાઇબરયુક્ત આહાર લો. પ્રોસેસ્ડ માંસ</span>, <span lang="gu" xml:lang="gu">વધારે ખાંડ અને અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખોરાક ઓછો કરો.</span></p>
<p>5. HPV <span lang="gu" xml:lang="gu">અને હેપેટાઇટિસ-</span>B <span lang="gu" xml:lang="gu">રસી</span></p>
<p>HPV <span lang="gu" xml:lang="gu">રસી ગર્ભાશયના મુખના કેન્સરનું જોખમ ઘટાડે છે</span>, <span lang="gu" xml:lang="gu">જ્યારે હેપેટાઇટિસ-</span>B <span lang="gu" xml:lang="gu">રસી લિવર કેન્સર સામે રક્ષણ આપે છે.</span></p>
<p>6. <span lang="gu" xml:lang="gu">નિયમિત સ્ક્રીનિંગ</span></p>
<p><span lang="gu" xml:lang="gu">સ્તન કેન્સર માટે મેમોગ્રાફી</span></p>
<p><span lang="gu" xml:lang="gu">સર્વાઇકલ કેન્સર માટે </span>HPV/Pap <span lang="gu" xml:lang="gu">ટેસ્ટ</span></p>
<p><span lang="gu" xml:lang="gu">મોઢાની તપાસ</span>, <span lang="gu" xml:lang="gu">ખાસ કરીને તમાકુ વાપરતા લોકોમાં </span><span lang="gu" xml:lang="gu">વહેલી ઓળખ સારવારની સફળતા અનેકગણી વધારી દે છે.</span></p>
<p>7. <span lang="gu" xml:lang="gu">પ્રદૂષણ અને સૂર્યના હાનિકારક કિરણોથી બચો</span></p>
<p><span lang="gu" xml:lang="gu">વાયુ પ્રદૂષણ અને વધુ પડતા અલ્ટ્રાવાયોલેટ કિરણો પણ કેટલાક કેન્સરનું જોખમ વધારે છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-07/0313.jpg" alt="03" width="1280" height="720"></img></span></p>
<p><span lang="gu" xml:lang="gu">ગુજરાતમાં ખાસ કરીને તમાકુ અને સોપારીના વધતા ઉપયોગને કારણે મોઢા અને ગળાના કેન્સરના કેસો ચિંતાજનક પ્રમાણમાં જોવા મળે છે. </span></p>
<p><span lang="gu" xml:lang="gu">કેન્સર સામેની સૌથી મોટી લડાઈ હોસ્પિટલમાં નહીં</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ આપણા ઘરમાં શરૂ થાય છે. સ્વસ્થ જીવનશૈલી અપનાવવી</span>, <span lang="gu" xml:lang="gu">તમાકુથી દૂર રહેવું</span>, <span lang="gu" xml:lang="gu">જરૂરી રસીઓ લેવી અને સમયસર સ્ક્રીનિંગ કરાવવું—આ ચાર પગલાં લાખો લોકોને કેન્સરથી બચાવી શકે છે.</span></p>]]></content:encoded>
                
                                                            <category>Charcha Patra</category>
                                    

                <link>https://www.khabarchhe.com/charcha-patra/who-s-big-statement--30-to-50-percent-of-cancer-cases-can-be-prevented/article-178764</link>
                <guid>https://www.khabarchhe.com/charcha-patra/who-s-big-statement--30-to-50-percent-of-cancer-cases-can-be-prevented/article-178764</guid>
                <pubDate>Fri, 10 Jul 2026 18:18:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-07/dinky.jpg"                         length="980164"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dr. Dinky Gajiwala]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ચોમાસામાં સાંધા અને શરીરના દુખાવા કેમ વધી જાય છે?  જાણો વૈજ્ઞાનિક કારણો અને બચાવના ઉપાયો</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">ચોમાસુ આવતા જ  ઘણા લોકો એક જ ફરિયાદ લઈને અમારી પાસે આવે છે – "સાહેબ</span>, <span lang="gu" xml:lang="gu">વરસાદ શરૂ થયો એટલે ઘૂંટણમાં દુખાવો વધી ગયો"</span>, "<span lang="gu" xml:lang="gu">આખું શરીર દુખે છે"</span>, "<span lang="gu" xml:lang="gu">કમરમાં અસહ્ય પીડા છે." ખાસ કરીને વડીલો</span>, <span lang="gu" xml:lang="gu">આર્થરાઇટિસના દર્દીઓ અને જૂની ઈજા થઈ હોય એવા લોકોને આ દર્દ વધુ સતાવે છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">હવે પ્રશ્ન એ છે કે શું ખરેખર વરસાદ અને સાંધાના દુખાવા વચ્ચે કોઈ સંબંધ છે</span>? <span lang="gu" xml:lang="gu">તેનો જવાબ છે – હા</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ તેનું કારણ માત્ર વરસાદ નહીં</span>, <span lang="gu" xml:lang="gu">હવામાનમાં થતા ફેરફારો છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-07/012.jpg" alt="01" width="1200" height="720" /></span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">ચોમાસામાં દુખાવાનું શું છે વૈજ્ઞાનિક કારણ </span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">ચોમાસાના સમયમાં હવાનું દબાણ (</span>Atmospheric Pressure) </p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/charcha-patra/why-joint-and-body-pain-increases-in-monsoon-know-the/article-178653"><img src="https://www.khabarchhe.com/media/400/2026-07/manish1.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">ચોમાસુ આવતા જ  ઘણા લોકો એક જ ફરિયાદ લઈને અમારી પાસે આવે છે – "સાહેબ</span>, <span lang="gu" xml:lang="gu">વરસાદ શરૂ થયો એટલે ઘૂંટણમાં દુખાવો વધી ગયો"</span>, "<span lang="gu" xml:lang="gu">આખું શરીર દુખે છે"</span>, "<span lang="gu" xml:lang="gu">કમરમાં અસહ્ય પીડા છે." ખાસ કરીને વડીલો</span>, <span lang="gu" xml:lang="gu">આર્થરાઇટિસના દર્દીઓ અને જૂની ઈજા થઈ હોય એવા લોકોને આ દર્દ વધુ સતાવે છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">હવે પ્રશ્ન એ છે કે શું ખરેખર વરસાદ અને સાંધાના દુખાવા વચ્ચે કોઈ સંબંધ છે</span>? <span lang="gu" xml:lang="gu">તેનો જવાબ છે – હા</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ તેનું કારણ માત્ર વરસાદ નહીં</span>, <span lang="gu" xml:lang="gu">હવામાનમાં થતા ફેરફારો છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-07/012.jpg" alt="01" width="1280" height="720"></img></span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">ચોમાસામાં દુખાવાનું શું છે વૈજ્ઞાનિક કારણ </span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">ચોમાસાના સમયમાં હવાનું દબાણ (</span>Atmospheric Pressure) <span lang="gu" xml:lang="gu">ઓછું થઇ જાય છે. આપણા શરીરના સાંધાઓની આસપાસના સ્નાયુઓ અને પેશીઓ પર આ દબાણની અસર પડે છે. જ્યારે બહારનું દબાણ ઓછું થાય છે ત્યારે સાંધાની આસપાસના ટિશ્યૂમાં થોડો સોજો આવી શકે છે. જેના કારણે દુખાવો અને જકડાશ વધુ અનુભવાય છે.</span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">ભેજ વધવાથી પણ સ્નાયુઓમાં જકડાશ</span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">ચોમાસામાં હવામાં ભેજનું પ્રમાણ સામાન્ય કરતા ખૂબ વધી જાય છે. આ વધેલા ભેજના કારણે સ્નાયુઓ અને લિગામેન્ટ્સમાં જકડાશ અનુભવાય છે. સવારે ઊઠ્યા પછી અથવા લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસી રહેવાથી સાંધા વધુ કડક લાગતા હોય છે.</span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">ઠંડક અને ઓછી શારીરિક પ્રવૃત્તિ</span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">વરસાદી વાતાવરણમાં લોકો બહાર નીકળવાનું પણ ઓછું કરે છે. ચાલવાનું</span>, <span lang="gu" xml:lang="gu">કસરત કરવાનું અને નિયમિત શારીરિક પ્રવૃત્તિ પ્રમાણમાં ઘટી જાય છે. પરિણામે સ્નાયુઓ નબળા પડે છે અને સાંધા વધુ કઠોર બની જાય છે. આ પણ દુખાવાનું એક મહત્વનું કારણ છે.</span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">જૂની ઈજાની અસર</span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">જે લોકોને અગાઉ ફ્રેક્ચર થયું હોય</span>, <span lang="gu" xml:lang="gu">લિગામેન્ટ ફાટ્યું હોય અથવા સાંધાનું ઓપરેશન કરાવ્યું હોય</span>, <span lang="gu" xml:lang="gu">તેમને ચોમાસામાં તે જગ્યાએ સામાન્ય કરતા વધુ દુખાવો અનુભવાય છે. હવામાનમાં ફેરફાર થતાં જૂની ઈજાવાળા ભાગ વધુ સંવેદનશીલ બની જાય છે.</span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">કેવા લોકોને વધુ અસર થાય છે</span>?</strong></p>
<p>- <span lang="gu" xml:lang="gu">ઘૂંટણના આર્થરાઇટિસના દર્દીઓ</span></p>
<p>- <span lang="gu" xml:lang="gu">કમરના દુખાવાથી પીડાતા લોકો</span></p>
<p>- <span lang="gu" xml:lang="gu">ગરદનના દુખાવાવાળા દર્દીઓ</span></p>
<p>- 50<span lang="gu" xml:lang="gu"> વર્ષથી વધુ ઉંમરના લોકો</span></p>
<p>- <span lang="gu" xml:lang="gu">સ્થૂળતા ધરાવતા લોકો</span></p>
<p>- <span lang="gu" xml:lang="gu">ડાયાબિટીસ અથવા વિટામિન-</span>D<span lang="gu" xml:lang="gu">ની ઉણપ ધરાવતા લોકો</span></p>
<p>- <span lang="gu" xml:lang="gu">જૂની ઈજા અથવા ઓર્થોપેડિક સર્જરી કરાવી હોય એવા દર્દીઓ</span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-07/022.jpg" alt="02" width="592" height="900"></img></span></strong></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">તો શું કરવું જોઇએ</span>?</strong></p>
<p><span lang="gu" xml:lang="gu">પહેલા એક ગેરસમજ દૂર કરીએ</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ઘણા લોકો માને છે કે ચોમાસામાં દુખાવો વધે એટલે હાડકાં ખરાબ થઈ રહ્યાં છે. હકીકતમાં દરેક કિસ્સામાં એવું હોતું નથી. મોટા ભાગે વાતાવરણમાં થતા ફેરફારોથી પહેલેથી રહેલી સમસ્યાના લક્ષણો વધુ સ્પષ્ટ બની જાય છે. યોગ્ય તપાસ</span>, <span lang="gu" xml:lang="gu">સમયસર સારવાર અને નિયમિત કસરતથી આ તકલીફને ઘણાં અંશે નિયંત્રિત કરી શકાય છે.</span></p>
<p>1. <span lang="gu" xml:lang="gu">દરરોજ હળવી કસરત કરો</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ઘૂંટણ</span>, <span lang="gu" xml:lang="gu">કમર અને ખભાના સાંધા માટેની સરળ કસરતો સ્નાયુઓને મજબૂત બનાવે છે.</span></p>
<p>2. <span lang="gu" xml:lang="gu">લાંબા સમય સુધી એક જ જગ્યાએ ન બેસો</span></p>
<p><span lang="gu" xml:lang="gu">દર </span>30-40<span lang="gu" xml:lang="gu"> મિનિટે થોડું ચાલો અથવા શરીરને હલાવો.</span></p>
<p>3. <span lang="gu" xml:lang="gu">શરીરને ગરમ રાખો</span></p>
<p><span lang="gu" xml:lang="gu">જરૂર પડે ત્યારે ગરમ પાણીની થેલી અથવા હોટ ફોમેન્ટેશનનો ઉપયોગ કરી શકાય.</span></p>
<p>4. <span lang="gu" xml:lang="gu">વજન નિયંત્રણમાં રાખો</span></p>
<p><span lang="gu" xml:lang="gu">વધારે વજન સીધો ભાર ઘૂંટણ અને કમરના સાંધા પર પડે છે.</span></p>
<p>5. <span lang="gu" xml:lang="gu">સંતુલિત આહાર લેવાનું રાખો </span></p>
<p><span lang="gu" xml:lang="gu">પ્રોટીન</span>, <span lang="gu" xml:lang="gu">કેલ્શિયમ અને વિટામિન-</span>D<span lang="gu" xml:lang="gu">થી ભરપૂર ખોરાક લો. પૂરતું પાણી પીવાનું પણ એટલું જ જરૂરી છે.</span></p>
<p>6. <span lang="gu" xml:lang="gu">ઘરમાં પણ સક્રિય રહો</span></p>
<p><span lang="gu" xml:lang="gu">વરસાદને કારણે બહાર ન જઈ શકો તો વાંધો નહીં પરંતુ ઘરમાં જ વૉકિંગ</span>, <span lang="gu" xml:lang="gu">સ્ટ્રેચિંગ અથવા યોગ કરો.</span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-07/032.jpg" alt="03" width="1280" height="720"></img></span></strong></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">ડૉક્ટરનો સંપર્ક ક્યારે કરવો</span>?</strong></p>
<p><span lang="gu" xml:lang="gu">જો નીચેના લક્ષણો જોવા મળે તો તરત ઓર્થોપેડિક સર્જનની સલાહ લો.</span></p>
<p>- <span lang="gu" xml:lang="gu">સાંધામાં ખૂબ સોજો આવી જવો</span></p>
<p>- <span lang="gu" xml:lang="gu">લાલાશ અને ગરમી અનુભવવી</span></p>
<p>- <span lang="gu" xml:lang="gu">ચાલવામાં મુશ્કેલી પડવી</span></p>
<p>- <span lang="gu" xml:lang="gu">તીવ્ર દુખાવો જે સામાન્ય દવાથી પણ ઓછો ન થાય</span></p>
<p>- <span lang="gu" xml:lang="gu">તાવ સાથે સાંધાનું દુખાવું</span></p>
<p><span lang="gu" xml:lang="gu"> અંતમાં</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ચોમાસું કુદરતની સૌથી સુંદર ઋતુ છે</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ જો શરીરનો યોગ્ય ખ્યાલ ન રાખવામાં આવે તો તે સાંધાના દુખાવાની ઋતુ પણ બની શકે છે. દુખાવાને અવગણશો નહીં</span>, <span lang="gu" xml:lang="gu">પેઇનકિલર સ્વયં લેતા ન રહો અને જરૂર પડે ત્યારે ઓર્થોપેડિક નિષ્ણાતની સલાહ લો. યોગ્ય જીવનશૈલી</span>, <span lang="gu" xml:lang="gu">નિયમિત કસરત અને સમયસર સારવારથી ચોમાસાનો આનંદ પણ માણી શકાય અને સાંધાઓને પણ સ્વસ્થ રાખી શકાય.</span></p>]]></content:encoded>
                
                                                            <category>Charcha Patra</category>
                                    

                <link>https://www.khabarchhe.com/charcha-patra/why-joint-and-body-pain-increases-in-monsoon-know-the/article-178653</link>
                <guid>https://www.khabarchhe.com/charcha-patra/why-joint-and-body-pain-increases-in-monsoon-know-the/article-178653</guid>
                <pubDate>Fri, 03 Jul 2026 18:18:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-07/manish1.jpg"                         length="984607"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dr. Manish M. Mendpara]]></dc:creator>
                            </item>
            <item>
                <title>Australiaની ડિગ્રી, Singaporeનો માર્ગઃ ગુજરાતી વિદ્યાર્થીઓ માટે સ્માર્ટ અને અફોર્ડેબલ વિકલ્પ</title>
                                    <description><![CDATA[<p>દર વર્ષે ગુજરાતમાંથી હજારો ભારતીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં હાયર એજ્યુકેશન મેળવવાનું સ્વપ્ન જુએ છે. ગ્લોબલ યુનિવર્સિટીઓ, સંશોધન આધારિત શિક્ષણ, આંતરરાષ્ટ્રીય કરિયરની તકો અને અભ્યાસ બાદ રોજગારની મોટી શક્યતાઓ ઓસ્ટ્રેલિયાને વિદ્યાર્થીઓમાં સૌથી પસંદગીના દેશોમાં સ્થાન ધરાવે છે.</p>
<p>પરંતુ વધતો જતો ખર્ચ, લાંબા સમય સુધી વિદેશમાં રહેવાની જરૂર અને કેટલીકવાર વિઝા સંબંધિત મુશ્કેલીઓને કારણે ઘણા વિદ્યાર્થીઓ માટે સીધું ઓસ્ટ્રેલિયા જવું સરળ નથી. આજના સમયમાં એક નવો અને વધુ સ્માર્ટ ઓપ્શન ઝડપથી લોકપ્રિય બની રહ્યો છે— અને તે છે સિંગાપોર મારફતે ઓસ્ટ્રેલિયન ડિગ્રી મેળવવાનો માર્ગ.</p>
<p><strong>શા માટે સિંગાપોર?</strong></p>
<p>સિંગાપોર આજે એશિયાનું એક મહત્વપૂર્ણ ગ્લોબલ એજ્યુકેશન હબ બની ગયું છે. અહીં અનેક સંસ્થાઓ ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/charcha-patra/australia-degree-route-to-singapore-smart-and-affordable-option-for/article-178606"><img src="https://www.khabarchhe.com/media/400/2026-06/2215.jpg" alt=""></a><br /><p>દર વર્ષે ગુજરાતમાંથી હજારો ભારતીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં હાયર એજ્યુકેશન મેળવવાનું સ્વપ્ન જુએ છે. ગ્લોબલ યુનિવર્સિટીઓ, સંશોધન આધારિત શિક્ષણ, આંતરરાષ્ટ્રીય કરિયરની તકો અને અભ્યાસ બાદ રોજગારની મોટી શક્યતાઓ ઓસ્ટ્રેલિયાને વિદ્યાર્થીઓમાં સૌથી પસંદગીના દેશોમાં સ્થાન ધરાવે છે.</p>
<p>પરંતુ વધતો જતો ખર્ચ, લાંબા સમય સુધી વિદેશમાં રહેવાની જરૂર અને કેટલીકવાર વિઝા સંબંધિત મુશ્કેલીઓને કારણે ઘણા વિદ્યાર્થીઓ માટે સીધું ઓસ્ટ્રેલિયા જવું સરળ નથી. આજના સમયમાં એક નવો અને વધુ સ્માર્ટ ઓપ્શન ઝડપથી લોકપ્રિય બની રહ્યો છે— અને તે છે સિંગાપોર મારફતે ઓસ્ટ્રેલિયન ડિગ્રી મેળવવાનો માર્ગ.</p>
<p><strong>શા માટે સિંગાપોર?</strong></p>
<p>સિંગાપોર આજે એશિયાનું એક મહત્વપૂર્ણ ગ્લોબલ એજ્યુકેશન હબ બની ગયું છે. અહીં અનેક સંસ્થાઓ ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓ સાથે ભાગીદારીમાં અભ્યાસક્રમો ચલાવે છે.  વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયન ડિગ્રી માટેના Pathway Programmeના ઓપ્શન આપે છે. ઓસ્ટ્રેલિયન સરકાર પણ વિદેશમાં આપવામાં આવતા માન્ય ઓફશોર કોર્સ અને સંસ્થાઓ અંગે સત્તાવાર માહિતી આપે છે. (singapore.embassy.gov.au)</p>
<p>એટલે કે વિદ્યાર્થી પોતાના અભ્યાસનો એક ભાગ સિંગાપોરમાં પૂર્ણ કરીને પછી ઓસ્ટ્રેલિયામાં આગળનું શિક્ષણ મેળવી શકે છે અથવા કેટલીક પરિસ્થિતિઓમાં આખી ઓસ્ટ્રેલિયન ડિગ્રી સિંગાપુરમાં જ પૂર્ણ કરી શકે છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-06/2117.jpg" alt="21" width="1280" height="720"></img></p>
<p><strong>વિદ્યાર્થીઓને શું લાભ મળે?</strong></p>
<p>1. ગ્લોબલ ક્વોલિટીનું શિક્ષણ</p>
<p>ઓસ્ટ્રેલિયન ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થા વિશ્વમાં તેની ગુણવત્તા માટે ફેમસ છે. સત્તાવાર રીતે મંજૂર ઓફશોર કાર્યક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ત્યાં જેવા જ શૈક્ષણિક ધોરણો જાળવવામાં આવે છે. (singapore.embassy.gov.au)</p>
<p>2. ઓછો કુલ ખર્ચ</p>
<p>ઘણા પરિવારો માટે પૂરો અભ્યાસ ઓસ્ટ્રેલિયામાં કરવાને બદલે શરૂઆતના તબક્કામાં સિંગાપોરમાં પૂર્ણ કરવો આર્થિક રીતે વધુ અનુકૂળ બની શકે છે. જોકે ખર્ચ પ્રોગ્રામ અને સંસ્થા પ્રમાણે બદલાય છે, તેથી દરેક વિદ્યાર્થીએ વ્યક્તિગત ગણતરી કરવી જરૂરી છે.</p>
<p>3. ભારતની નજીક</p>
<p>ભારતથી સિંગાપોરનું અંતર ઓછું હોવાથી મુસાફરી સરળ છે. વાલીઓ માટે પણ વિદ્યાર્થીઓને મળવા જવું વધુ અનુકૂળ રહે છે.</p>
<p>4. વૈશ્વિક શૈક્ષણિક વાતાવરણ</p>
<p>સિંગાપોરમાં અભ્યાસ કરતી વખતે વિદ્યાર્થીઓને વિવિધ દેશોના વિદ્યાર્થીઓ સાથે ભણવાની તક મળે છે. આ અનુભવ ભવિષ્યમાં ગ્લોબલ કરિયર માટે ઉપયોગી સાબિત થાય છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-06/2316.jpg" alt="23" width="1280" height="720"></img></p>
<p><strong>Pathway Programme શું છે?</strong></p>
<p>ઘણા વિદ્યાર્થીઓ સીધા યુનિવર્સિટીમાં એડમિશન માટે જરૂરી શૈક્ષણિક લાયકાતો પૂર્ણ કરતા નથી. આવી સ્થિતિમાં Foundation, Diploma અથવા અન્ય Pathway Programme દ્વારા તેઓ જરૂરી લાયકાત મેળવીને ઓસ્ટ્રેલિયન ડિગ્રીમાં પ્રવેશ મેળવી શકે છે. કેટલીક Pathway સ્કીમમાં આગળના અભ્યાસ માટે ક્રેડિટ પણ મળે છે. </p>
<p>આ માર્ગ ખાસ કરીને તે વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બની શકે છે જેમને વધારાની શૈક્ષણિક તૈયારી અથવા અંગ્રેજી ભાષાની સ્કીલ્સ વિકસાવવાની જરૂર હોય.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-06/2417.jpg" alt="24" width="1280" height="720"></img></p>
<p><strong>યોગ્ય સંસ્થા કેવી રીતે પસંદ કરવી?</strong></p>
<p>વિદ્યાર્થીઓ અને વાલીઓએ માત્ર જાહેરાતો પર આધાર રાખવો જોઈએ નહીં. નિર્ણય લેતા પહેલાં નીચેના મુદ્દાઓ ચકાસવા જરૂરી છે:</p>
<p>- પ્રોગ્રામ ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી સાથે સત્તાવાર રીતે જોડાયેલો છે કે નહીં.<br />- ડિગ્રી કોણ આપે છે.<br />-ક્રેડિટ ટ્રાન્સફરની વ્યવસ્થા શું છે.<br />- ગુણવત્તા અને માન્યતા અંગે સત્તાવાર માહિતી ઉપલબ્ધ છે કે નહીં.<br />- ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયામાં આગળ અભ્યાસ કરવાની પ્રક્રિયા શું છે.</p>
<p>વિશ્વભરમાં ઉચ્ચ શિક્ષણ ઝડપથી બદલાઈ રહ્યું છે. Hybrid Learning, Transnational Education અને International Pathways જેવા મોડલ વિદ્યાર્થીઓને વધુ ફ્લેક્સિબલ વિકલ્પો આપી રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે સિંગાપોર માત્ર એક ટ્રાન્ઝિટ દેશ નથી, પરંતુ ક્વોલિટી ઇન્ટરનેશનલ એજ્યુકેશન તરફનો સરળ માર્ગ બની શકે છે.</p>]]></content:encoded>
                
                                                            <category>Charcha Patra</category>
                                    

                <link>https://www.khabarchhe.com/charcha-patra/australia-degree-route-to-singapore-smart-and-affordable-option-for/article-178606</link>
                <guid>https://www.khabarchhe.com/charcha-patra/australia-degree-route-to-singapore-smart-and-affordable-option-for/article-178606</guid>
                <pubDate>Tue, 30 Jun 2026 20:02:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-06/2215.jpg"                         length="85464"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mamta Dhiren Jani]]></dc:creator>
                            </item>
            <item>
                <title>શું લગ્ન કેન્સરથી બચાવે છે? વાયરલ રિસર્ચ પાછળનું સાચું વિજ્ઞાન</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">હાલમાં એક આંતરરાષ્ટ્રીય સંશોધન ચર્ચાનો વિષય બન્યું છે. અમેરિકાની મિયામી યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પરિણીત લોકોની સરખામણીએ અપરિણીત અથવા સિંગલ લોકોમાં કેન્સર થવાનું જોખમ વધારે જોવા મળે છે. આ અભ્યાસ ‘</span>Cancer Research Communications’ <span lang="gu" xml:lang="gu">નામના વૈજ્ઞાનિક જર્નલમાં પ્રકાશિત થયો છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">આ સમાચાર વાંચ્યા પછી ઘણા લોકોના મનમાં એક સ્વાભાવિક પ્રશ્ન ઉદ્ભવે છે – શું ખરેખર લગ્ન કેન્સર સામે રક્ષણ આપે છે</span>?</p>
<p><span lang="gu" xml:lang="gu">એક કેન્સર નિષ્ણાત તરીકે આ વિષયને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજવાની જરૂર છે.</span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-06/0229.jpg" alt="02" width="1200" height="720" /></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">રિસર્ચમાં શું જાણવા મળ્યું</span>?</strong></p>
<p><span lang="gu" xml:lang="gu">રિસર્ચ કરનારાઓએ </span>2015<span lang="gu" xml:lang="gu"> થી </span>2022<span lang="gu" xml:lang="gu"> દરમિયાન અમેરિકાના </span>12<span lang="gu" xml:lang="gu"> રાજ્યોમાં નોંધાયેલા </span>40<span lang="gu" xml:lang="gu"> લાખથી વધુ કેન્સરના કેસોનો</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/charcha-patra/does-marriage-prevent-cancer/article-178480"><img src="https://www.khabarchhe.com/media/400/2026-06/dinky1.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">હાલમાં એક આંતરરાષ્ટ્રીય સંશોધન ચર્ચાનો વિષય બન્યું છે. અમેરિકાની મિયામી યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પરિણીત લોકોની સરખામણીએ અપરિણીત અથવા સિંગલ લોકોમાં કેન્સર થવાનું જોખમ વધારે જોવા મળે છે. આ અભ્યાસ ‘</span>Cancer Research Communications’ <span lang="gu" xml:lang="gu">નામના વૈજ્ઞાનિક જર્નલમાં પ્રકાશિત થયો છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">આ સમાચાર વાંચ્યા પછી ઘણા લોકોના મનમાં એક સ્વાભાવિક પ્રશ્ન ઉદ્ભવે છે – શું ખરેખર લગ્ન કેન્સર સામે રક્ષણ આપે છે</span>?</p>
<p><span lang="gu" xml:lang="gu">એક કેન્સર નિષ્ણાત તરીકે આ વિષયને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજવાની જરૂર છે.</span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-06/0229.jpg" alt="02" width="1280" height="720"></img></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">રિસર્ચમાં શું જાણવા મળ્યું</span>?</strong></p>
<p><span lang="gu" xml:lang="gu">રિસર્ચ કરનારાઓએ </span>2015<span lang="gu" xml:lang="gu"> થી </span>2022<span lang="gu" xml:lang="gu"> દરમિયાન અમેરિકાના </span>12<span lang="gu" xml:lang="gu"> રાજ્યોમાં નોંધાયેલા </span>40<span lang="gu" xml:lang="gu"> લાખથી વધુ કેન્સરના કેસોનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ દરમિયાન વૈજ્ઞાનિકોએ વ્યક્તિની વૈવાહિક સ્થિતિ અને કેન્સરની ઘટનાઓ વચ્ચેનો સંબંધ તપાસ્યો.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">અભ્યાસમાં જાણવા મળ્યું કે પરિણીત લોકોની સરખામણીએ અપરિણીત પુરુષોમાં કેન્સરની ઘટનાઓ લગભગ </span>68<span lang="gu" xml:lang="gu"> ટકા વધુ હતી. જ્યારે અપરિણીત મહિલાઓમાં આ પ્રમાણ લગભગ </span>85<span lang="gu" xml:lang="gu"> ટકા વધુ જોવા મળ્યું હતું. કેટલાક વિશિષ્ટ પ્રકારના કેન્સરમાં પણ જોખમનું પ્રમાણ વધુ નોંધાયું હતું.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">તો શું લગ્ન કેન્સરથી બચાવે છે</span>?</p>
<p><span lang="gu" xml:lang="gu">આ પ્રશ્નનો સીધો જવાબ "ના" છે. આ સંશોધન એ સાબિત નથી કરતું કે લગ્ન કરવાથી કેન્સર અટકી જાય છે. વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો આ અભ્યાસ માત્ર એક "સંબંધ" (</span>Association) <span lang="gu" xml:lang="gu">દર્શાવે છે</span>, <span lang="gu" xml:lang="gu">કારણ (</span>Cause) <span lang="gu" xml:lang="gu">નહીં. એટલે કે લગ્ન અને કેન્સર વચ્ચે સંબંધ જોવા મળ્યો છે</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ એનું કારણ માત્ર લગ્ન છે એવું કહી શકાય નહીં.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">તો પછી પરિણીત લોકોમાં જોખમ ઓછું કેમ મળ્યું</span>?</p>
<p><strong><span lang="gu" xml:lang="gu">તેની પાછળ કેટલાક મહત્વના પરિબળો જવાબદાર હોઈ શકે છે.</span></strong></p>
<p>1. <span lang="gu" xml:lang="gu">સામાજિક અને ઇમોશનલ સપોર્ટ</span></p>
<p><span lang="gu" xml:lang="gu">લાંબા સમય સુધી મળતો ઇમોશનલ સપોર્ટ માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વનો છે. જીવનસાથી ઘણી વખત શરીરમાં થતા ફેરફારો અથવા લક્ષણો ઝડપથી ધ્યાને લાવી શકે છે</span>, <span lang="gu" xml:lang="gu">જેના કારણે સમયસર તબીબી હેલ્પ મળી શકે છે.</span></p>
<p>2. <span lang="gu" xml:lang="gu">નિયમિત હેલ્થ ચેકઅપ</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ઘણા પરિણીત લોકો નિયમિત હેલ્થ ચેકઅપ અને સ્ક્રિનિંગ તરફ વધુ ધ્યાન આપતા હોય છે. કેન્સરનું વહેલું નિદાન થવાથી સારવારની સફળતાનો દર નોંધપાત્ર રીતે વધી જાય છે.</span></p>
<p>3. <span lang="gu" xml:lang="gu">વધુ સ્વસ્થ જીવનશૈલી</span></p>
<p><span lang="gu" xml:lang="gu">કેટલાક અભ્યાસો દર્શાવે છે કે પરિણીત લોકોમાં ધૂમ્રપાન</span>, <span lang="gu" xml:lang="gu">દારૂનું અતિશય સેવન અથવા અન્ય જોખમી ટેવોનું પ્રમાણ સરેરાશ ઓછું હોઈ શકે છે.</span></p>
<p>4. <span lang="gu" xml:lang="gu">તણાવનો વધુ સારી રીતે સામનો </span></p>
<p><span lang="gu" xml:lang="gu">ક્રોનિક સ્ટ્રેસ શરીરની રોગપ્રતિકારક શક્તિ અને સમગ્ર આરોગ્યને અસર કરી શકે છે. મજબૂત સંબંધો અને પરિવારનો સાથ માનસિક સંતુલન જાળવવામાં મદદરૂપ બની શકે છે.</span></p>
<p>5. <span lang="gu" xml:lang="gu">મહિલાઓ માટે બાળકને જન્મ આપવું અને બ્રેસ્ટફિડિંગ કરાવવું તે બ્રેસ્ટ કેન્સર સામે રક્ષણ આપે છે.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-06/65.jpg" alt="marriage" width="1280" height="720"></img>
azafashions.com

<p><strong><span lang="gu" xml:lang="gu">તો અપરિણીત લોકોએ ચિંતા કરવાની જરૂર છે</span>?</strong></p>
<p><span lang="gu" xml:lang="gu">બિલકુલ નહીં.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">કેન્સરનું જોખમ કોઈ વ્યક્તિ પરિણીત છે કે નહીં તેના કરતાં વધુ પ્રમાણમાં તેની જીવનશૈલી અને આરોગ્ય સંબંધિત આદતો પર આધારિત છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">આજે પણ કેન્સરના સૌથી મોટા જોખમકારક પરિબળોમાં સામેલ છે:</span></p>
<p>- <span lang="gu" xml:lang="gu">તમાકુ અને ધૂમ્રપાન</span></p>
<p>- <span lang="gu" xml:lang="gu">દારૂનું વધુ સેવન</span></p>
<p>- <span lang="gu" xml:lang="gu">સ્થૂળતા</span></p>
<p>- <span lang="gu" xml:lang="gu">કસરતનો અભાવ</span></p>
<p>-<span lang="gu" xml:lang="gu">અસંતુલિત આહાર</span></p>
<p>- HPV <span lang="gu" xml:lang="gu">અને </span>Hepatitis <span lang="gu" xml:lang="gu">જેવા વાયરસ</span></p>
<p>- <span lang="gu" xml:lang="gu">પારિવારિક કેન્સર ઇતિહાસ</span></p>
<p>- <span lang="gu" xml:lang="gu">સમયસર સ્ક્રિનિંગ ન કરાવવું</span></p>
<p><span lang="gu" xml:lang="gu">આ પરિબળો પર નિયંત્રણ રાખવાથી કેન્સરનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">કેન્સર નિષ્ણાત તરીકે મારી સલાહ</span></p>
<p><span lang="gu" xml:lang="gu">આ રિસર્ચનો સાચો સંદેશ લગ્ન કરવાની સલાહ નથી. આ અભ્યાસ આપણને એ સમજાવે છે કે સામાજિક જોડાણ</span>, <span lang="gu" xml:lang="gu">ભાવનાત્મક ટેકો</span>, <span lang="gu" xml:lang="gu">સ્વસ્થ જીવનશૈલી અને નિયમિત સ્ક્રિનિંગ આપણા આરોગ્ય માટે કેટલા મહત્વના છે.તમે પરિણીત હો કે અપરિણીત</span>, <span lang="gu" xml:lang="gu">કેન્સર સામેનું સૌથી અસરકારક હથિયાર છે – જાગૃતિ</span>, <span lang="gu" xml:lang="gu">સમયસર તપાસ અને સ્વસ્થ જીવનશૈલી.તમારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો</span>, <span lang="gu" xml:lang="gu">નિયમિત ચેકઅપ કરાવો અને કોઈપણ અસામાન્ય લક્ષણને અવગણશો નહીં. કેન્સર સામેની લડાઈમાં વહેલું નિદાન જ સૌથી મોટી જીત છે.</span></p>]]></content:encoded>
                
                                                            <category>Charcha Patra</category>
                                    

                <link>https://www.khabarchhe.com/charcha-patra/does-marriage-prevent-cancer/article-178480</link>
                <guid>https://www.khabarchhe.com/charcha-patra/does-marriage-prevent-cancer/article-178480</guid>
                <pubDate>Mon, 22 Jun 2026 13:48:16 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-06/dinky1.jpg"                         length="1019979"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dr. Dinky Gajiwala]]></dc:creator>
                            </item>
            <item>
                <title>પૂણેના  વૈજ્ઞાનિકોએ બ્રેસ્ટ કેન્સરના કોષોને આડઅસર વગર ખતમ કરી દેતી નવી નેનોમેડિસિન વિકસાવી</title>
                                    <description><![CDATA[<p>આપણા ભારતના પૂણેના  વૈજ્ઞાનિકોએ બ્રેસ્ટ કેન્સરની સારવારમાં મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે. પુણે સ્થિત અઘારકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (Agharkar Research Institute - ARI)ના સંશોધકોએ એવી નવી નેનોમેડિસિન વિકસાવી છે, જે સીધા બ્રેસ્ટ કેન્સરના કોષોને ઓળખીને તેમના વિકાસ અને જીવન માટે જવાબદાર જીન્સને નિષ્ક્રિય કરી શકે છે.</p>
<p>આ સંશોધન ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) હેઠળ કાર્યરત અઘારકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના નેનોબાયોસાયન્સ ગ્રૂપ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આ અભ્યાસના પરિણામો આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક જર્નલ Advanced Healthcare Materials માં પ્રકાશિત કરવામાં આવ્યા છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-06/photo-(2)11.jpg" alt="Photo-(2)" width="1200" height="720" /></p>
<p><strong>  આ રીતે કાર્ય કરે છે નવી ટેક્નોલોજી?</strong></p>
<p>વૈજ્ઞાનિકોએ "MUC1-Targeted Silica Nanocarrier" નામની અદ્યતન નેનોમેડિસિન તૈયાર કરી છે. બ્રેસ્ટ કેન્સરના</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/charcha-patra/pune-scientists-develop-new-nanomedicine-that-kills-breast-cancer-cells-without-side-effects/article-178466"><img src="https://www.khabarchhe.com/media/400/2026-06/dinky.jpg" alt=""></a><br /><p>આપણા ભારતના પૂણેના  વૈજ્ઞાનિકોએ બ્રેસ્ટ કેન્સરની સારવારમાં મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે. પુણે સ્થિત અઘારકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (Agharkar Research Institute - ARI)ના સંશોધકોએ એવી નવી નેનોમેડિસિન વિકસાવી છે, જે સીધા બ્રેસ્ટ કેન્સરના કોષોને ઓળખીને તેમના વિકાસ અને જીવન માટે જવાબદાર જીન્સને નિષ્ક્રિય કરી શકે છે.</p>
<p>આ સંશોધન ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) હેઠળ કાર્યરત અઘારકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના નેનોબાયોસાયન્સ ગ્રૂપ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આ અભ્યાસના પરિણામો આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક જર્નલ Advanced Healthcare Materials માં પ્રકાશિત કરવામાં આવ્યા છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-06/photo-(2)11.jpg" alt="Photo-(2)" width="1280" height="720"></img></p>
<p><strong> આ રીતે કાર્ય કરે છે નવી ટેક્નોલોજી?</strong></p>
<p>વૈજ્ઞાનિકોએ "MUC1-Targeted Silica Nanocarrier" નામની અદ્યતન નેનોમેડિસિન તૈયાર કરી છે. બ્રેસ્ટ કેન્સરના કોષોની સપાટી પર MUC1 નામનું પ્રોટીન વધુ પ્રમાણમાં જોવા મળે છે. નવી દવા આ પ્રોટીનને ઓળખીને સીધી કેન્સર કોષો સુધી પહોંચે છે.</p>
<p>કેન્સર કોષોની અંદર પહોંચ્યા પછી આ નેનોમેડિસિન MCL-1 અને Survivin નામના બે મહત્વપૂર્ણ જીન્સને નિષ્ક્રિય કરે છે. આ બંને જીન્સ કેન્સર કોષોને જીવંત રાખવામાં અને ઝડપથી વધવામાં મદદરૂપ બને છે. જીન્સ બંધ થતાં કેન્સર કોષો ધીમે ધીમે નાશ પામવા લાગે છે.</p>
<p>આ મહત્વપૂર્ણ સંશોધનમાં વૈજ્ઞાનિકો નીલાદ્રી હલધર, રાજકુમાર સામંત, સુરજીત પાત્રા, દેવયાની સેંગર, સચિન જાધવ અને વિરેન્દ્ર ગજબિયે સહિતની ટીમે યોગદાન આપ્યું છે. સંશોધકોએ જણાવ્યું હતું કે આ ટેક્નોલોજી ખાસ કરીને બ્રેસ્ટ કેન્સરના આક્રમક પ્રકારો સામે અસરકારક સાબિત થઈ શકે છે અને ભવિષ્યમાં વધુ ચોક્કસ સારવાર માટે માર્ગ મોકળો કરી શકે છે.</p>
<p>વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ નેનોમેડિસિનનું પરીક્ષણ હાલ પ્રી-ક્લિનિકલ તબક્કામાં સફળ રહ્યું છે. લેબોરેટરી પરીક્ષણો અને પ્રાણીઓ પર કરવામાં આવેલા અભ્યાસમાં હકારાત્મક પરિણામો મળ્યા છે. જોકે માનવ દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ્સ હજુ બાકી છે. વિશેષજ્ઞોનું માનવું છે કે જો આગામી વર્ષોમાં માનવ પરીક્ષણો સફળ રહેશે, તો બ્રેસ્ટ કેન્સરની સારવારમાં આ શોધ એક ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-06/0326.jpg" alt="03" width="1280" height="720"></img></p>
<p>હાલમાં ઉપયોગમાં લેવાતી કીમોથેરાપી ઘણી વખત સ્વસ્થ કોષોને પણ નુકસાન પહોંચાડે છે, જેના કારણે દર્દીઓને વાળ ખરવા, થાક, ઉલ્ટી અને અન્ય ગંભીર આડઅસરોનો સામનો કરવો પડે છે. નવી નેનોમેડિસિન માત્ર કેન્સરગ્રસ્ત કોષોને જ નિશાન બનાવે છે. પરિણામે ભવિષ્યમાં સારવાર વધુ અસરકારક, સુરક્ષિત અને ઓછી આડઅસરવાળી બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ શોધ ભારતના બાયોમેડિકલ અને કેન્સર સંશોધન ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન માનવામાં આવી રહી છે અને વૈશ્વિક સ્તરે પણ તેનું વિશેષ મહત્વ છે.</p>]]></content:encoded>
                
                                                            <category>Charcha Patra</category>
                                    

                <link>https://www.khabarchhe.com/charcha-patra/pune-scientists-develop-new-nanomedicine-that-kills-breast-cancer-cells-without-side-effects/article-178466</link>
                <guid>https://www.khabarchhe.com/charcha-patra/pune-scientists-develop-new-nanomedicine-that-kills-breast-cancer-cells-without-side-effects/article-178466</guid>
                <pubDate>Sat, 20 Jun 2026 20:29:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-06/dinky.jpg"                         length="1006107"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dr. Dinky Gajiwala]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        