<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.khabarchhe.com/charcha-patra/category-87585" rel="self" type="application/rss+xml" />
                <generator>Khabarchhe RSS Feed Generator</generator>
                <title>Charcha Patra - Khabarchhe</title>
                <link>https://www.khabarchhe.com/category/87585/rss</link>
                <description>Charcha Patra RSS Feed</description>
                
                            <item>
                <title>ઓસ્ટ્રેલિયામાં ભણવાનું સપનું જોનારને માત્ર એક ભૂલ ભારે પડી શકે છે  </title>
                                    <description><![CDATA[<p>ઓસ્ટ્રેલિયા આજે પણ દુનિયાના સૌથી લોકપ્રિય ભણતરના સ્થળોમાં સામેલ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા વિદ્યાર્થી વિઝા માટેના નિયમો પ્રમાણમાં કડક બનાવવામાં આવ્યા છે. ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ માટે અમલી બનેલી નવી ચેંકિગ સિસ્ટમ અને જેન્યુઇન સ્ટુડન્ટના ક્રાઇટેરિયાને કારણે હવે માત્ર સારા માર્ક્સ કે યુનિવર્સિટીનો ઓફર લેટર પૂરતો નથી.</p>
<p>આ પરિસ્થિતિમાં જેમની પાસે અનુભવ હોય અને ભરોસો કરી શકાય તેવા એજ્યુકેશન કન્સલ્ટન્ટની ભૂમિકા અગાઉ કરતાં વધુ મહત્વની બની ગઈ છે.<br />વિદ્યાર્થી વિઝા માટે અરજી કરતી વખતે ફાયનાન્શિયલ ડોક્ટુમેન્ટ્સ, એજ્યુકેશન લોન, વાલીની આવકના પુરાવા, બેન્ક સ્ટેટમેન્ટ અને અન્ય માહિતીમાં નાની અમથી ભૂલ પણ વિઝા અરજીને અસર કરી શકે છે.</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/charcha-patra/a-dreamer-of-studying-in-australia-can-suffer-only-one/article-179036"><img src="https://www.khabarchhe.com/media/400/2026-07/0241.jpg" alt=""></a><br /><p>ઓસ્ટ્રેલિયા આજે પણ દુનિયાના સૌથી લોકપ્રિય ભણતરના સ્થળોમાં સામેલ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા વિદ્યાર્થી વિઝા માટેના નિયમો પ્રમાણમાં કડક બનાવવામાં આવ્યા છે. ખાસ કરીને ભારતીય વિદ્યાર્થીઓ માટે અમલી બનેલી નવી ચેંકિગ સિસ્ટમ અને જેન્યુઇન સ્ટુડન્ટના ક્રાઇટેરિયાને કારણે હવે માત્ર સારા માર્ક્સ કે યુનિવર્સિટીનો ઓફર લેટર પૂરતો નથી.</p>
<p>આ પરિસ્થિતિમાં જેમની પાસે અનુભવ હોય અને ભરોસો કરી શકાય તેવા એજ્યુકેશન કન્સલ્ટન્ટની ભૂમિકા અગાઉ કરતાં વધુ મહત્વની બની ગઈ છે.<br />વિદ્યાર્થી વિઝા માટે અરજી કરતી વખતે ફાયનાન્શિયલ ડોક્ટુમેન્ટ્સ, એજ્યુકેશન લોન, વાલીની આવકના પુરાવા, બેન્ક સ્ટેટમેન્ટ અને અન્ય માહિતીમાં નાની અમથી ભૂલ પણ વિઝા અરજીને અસર કરી શકે છે. જો અરજી નકારવામાં આવે તો માત્ર વિઝા જ નહીં, પરંતુ એપ્લિકેશનની ફી, યુનિવર્સિટીની એડમિનિસ્ટ્રેશન ફી અને બીજા ખર્ચમાં પણ મોટું નુકસાન થઈ શકે છે. એટલા માટે તમામ દસ્તાવેજોની સંપૂર્ણ ચકાસણી અને યોગ્ય રજૂઆત અત્યંત જરૂરી બની ગઈ છે.</p>
<p>ઓસ્ટ્રેલિયાની સરકાર હવે એ પણ તપાસે છે કે વિદ્યાર્થી ખરેખર ભણવા માટે જઈ રહ્યો છે કે નહીં. વિદ્યાર્થીએ પોતાની અગાઉની ડિગ્રી , વધુ ભણવા માટે પસંદ કરેલ કોર્સ અને ભવિષ્યમાં જે કામ કરવાના છે તે તમામ બાબતો વચ્ચે સ્પષ્ટ અને તર્કસંગત સંબંધ રજૂ કરવો પડે છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2018-05/1527595285study-abroad.jpg" alt="1527595285study-abroad" width="900" height="506"></img></p>
<p>સામાન્ય રીતે ઘણા વિદ્યાર્થીઓ ખૂબ જ સામાન્ય અને અગાઉથી ગોખી રાખેલા જવાબો આપે છે, જેના કારણે તેમની અરજી નકારી દેવામાં આવે છે. જો તેમને યોગ્ય માર્ગદર્શન મળે તો આ ભૂલોથી બચી શકાય છે.</p>
<p>સૌથી મોટી ભૂલ વિદ્યાર્થીઓ એ કરે છે કે માત્ર ઓછી ફી જોઈને કોર્સ પસંદ કરી લે છે. જોકે, હકીકત એ છે કે  દરેક કોર્સ અને દરેક સંસ્થા માટે વિઝા મંજૂરીનો ટ્રેન્ડ અલગ હોઈ શકે છે. અનુભવી કન્સલ્ટન્ટ જ વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રોફાઇલ, બજેટ અને કારકિર્દીના ટારગેટને ધ્યાનમાં રાખીને યોગ્ય યુનિવર્સિટી અને યોગ્ય અભ્યાસક્રમ પસંદ કરવામાં મદદ કરે છે.</p>
<p>કેટલાક વિદ્યાર્થીઓ ઓછી ફીના શોર્ટ ટર્મ કોર્સ પસંદ કરી લે છે. પરંતુ આજની પરિસ્થિતિમાં માત્ર ફીના આધારે લેવાયેલો નિર્ણય ઇમિગ્રેશન માટે જોખમી બની શકે છે. કોર્સની ગુણવત્તા, યુનિવર્સિટીની માન્યતા અને લાંબા ગાળાની કારકિર્દી હંમેશાં પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ.</p>
<p>વિદ્યાર્થી વિદેશમાં ભણવા માટે લાખો રૂપિયાનું રોકાણ કરતા હોય છે. ઓસ્ટ્રેલિયામાં વીઝાની ફી બીજા દેશો કરતા પ્રમાણમાં ઊંચી છે. અહીં વીઝા માટેની ફી રૂ. 1.70 લાખ હોય છે. જો વીઝા રીજેક્ટ થાય તો ફી તો પાછી મળતી જ નથી પરંતુ બીજીવાર અરજી પણ કરી શકાતી નથી.  આવી સ્થિતિમાં યોગ્ય ડોક્યુમેન્ટેશન, સમયસર અરજી કરવી, યોગ્ય કોર્સની પસંદગી કરવી અને વિઝા પ્રક્રિયાની સમજ વીઝા મેળવવાની શક્યતા વધારવા સાથે સમય, મહેનત અને રૂપિયા પણ બચાવે છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-07/0241.jpg" alt="02" width="1280" height="720"></img></p>
<p>આજના સમયમાં એજ્યુકેશન કન્સલ્ટન્ટનું કામ માત્ર એડમિશન અપાવવાનું નથી. એક સારો કન્સલ્ટન્ટ વિદ્યાર્થીની આખી એજ્યુકેશનલ જર્નીનો ગાઇડ બને છે. વિદ્યાર્થી માટે યોગ્ય દેશની પસંદગીથી લઈને યોગ્ય કોર્સ, દસ્તાવેજોની તૈયારી, વિઝા પ્રક્રિયા અને ભવિષ્યની કારકિર્દી સુધી તે મદદગાર સાબિત થાય છે.</p>
<p>કોઇપણ વિદ્યાર્થી માટે વિદેશમાં અભ્યાસ એ જીવનનો એક સૌથી મહત્વપૂર્ણ નિર્ણય છે. તેથી માત્ર સપના જોવાને બદલે, યોગ્ય માહિતી અને અનુભવી માર્ગદર્શક સાથે જ આ દિશામાં આગળ વધવું એ સૌથી સમજદારીભર્યો અભિગમ છે.</p>]]></content:encoded>
                
                                                            <category>Charcha Patra</category>
                                    

                <link>https://www.khabarchhe.com/charcha-patra/a-dreamer-of-studying-in-australia-can-suffer-only-one/article-179036</link>
                <guid>https://www.khabarchhe.com/charcha-patra/a-dreamer-of-studying-in-australia-can-suffer-only-one/article-179036</guid>
                <pubDate>Mon, 27 Jul 2026 19:11:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-07/0241.jpg"                         length="947742"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mamta Dhiren Jani]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ભૂવાએ કેન્સરના દર્દીને દવા બંધ કરી બાધા રાખવા કહ્યું, પકડાયો, લોકો કેમ ફંસાય છે? </title>
                                    <description><![CDATA[<p>શું કોઇ ભૂવો કેન્સર મટાડી શકે. સ્પષ્ટ જવાબ છે ના. પરંતુ લોકો ને છેતરતા ઘણા ભૂવા સક્રિય છે. જ્યારે પોલીસને ખબર પડે ત્યારે તે એક્શન લે છે પરંતુ જ્યાં સુધી લોકો જાગૃત નહીં બને ત્યાર સુધી આવું બનતું જ  રહેશે. </p>
<p>આવા જ એક કિસ્સામાં બનાસકાંઠાના ધાનેરા તાલુકાના હડતા ગામેથી નરેશ નામનો ભુવો ઝડપાયો છે. કેન્સર જેવી ગંભીર બીમારી મટાડવાનો દાવો કરતો આ ભુવો વિજ્ઞાન જાથાની ફરિયાદ પર પોલીસની કાર્યવાહી દરમિયાન ઝડપાઈ ગયો હતો. ત્યારબાદ તેને પૂછપરછ માટે ધાનેરા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો.</p>
<p>ગંભીર વાત તો તે હતી કે  કેન્સરગ્રસ્ત દર્દીને આ ભુવાએ હોસ્પિટલમાં ચાલી રહેલી સારવાર બંધ કરીને માત્ર</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/charcha-patra/bhuva-asked-a-cancer-patient-to-stop-taking-his-medicine/article-178966"><img src="https://www.khabarchhe.com/media/400/2026-07/0230.jpg" alt=""></a><br /><p>શું કોઇ ભૂવો કેન્સર મટાડી શકે. સ્પષ્ટ જવાબ છે ના. પરંતુ લોકો ને છેતરતા ઘણા ભૂવા સક્રિય છે. જ્યારે પોલીસને ખબર પડે ત્યારે તે એક્શન લે છે પરંતુ જ્યાં સુધી લોકો જાગૃત નહીં બને ત્યાર સુધી આવું બનતું જ  રહેશે. </p>
<p>આવા જ એક કિસ્સામાં બનાસકાંઠાના ધાનેરા તાલુકાના હડતા ગામેથી નરેશ નામનો ભુવો ઝડપાયો છે. કેન્સર જેવી ગંભીર બીમારી મટાડવાનો દાવો કરતો આ ભુવો વિજ્ઞાન જાથાની ફરિયાદ પર પોલીસની કાર્યવાહી દરમિયાન ઝડપાઈ ગયો હતો. ત્યારબાદ તેને પૂછપરછ માટે ધાનેરા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો.</p>
<p>ગંભીર વાત તો તે હતી કે  કેન્સરગ્રસ્ત દર્દીને આ ભુવાએ હોસ્પિટલમાં ચાલી રહેલી સારવાર બંધ કરીને માત્ર બાધા રાખવાથી કેન્સર મટી જશે તેવો દાવો કર્યો હતો. દર્દી ત્રીજા સ્ટેજના કેન્સરથી પીડિત હોવાથી પરિવાર ચિંતામાં હતો. આ ચિંતાને કારણે તેઓ ભૂવા પાસે ગયા હતા. </p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-07/0329.jpg" alt="03" width="1280" height="720"></img></p>
<p>બધા જાણે જ છે કે કેન્સરની ખબર જો શરૂઆતના સ્ટેજમાં પણ પડી જાય તો તેનો અસરકારક ઉપચાર કરી શકાય. પરંતુ જો તે વધી ગયું હોય તો તેની સારવાર અઘરી હોય છે. આ સારવાર લાંબી પણ હોય છે. સારવારનું પરિણામ દર્દીની ઊંમર, કેન્સરના પ્રકાર અને તેની શારીરિક, માનસિક અને આર્થિક સ્થિતિ પર પણ આધાર રાખે છે. ઘણીવાર લાંબી સારવારથી કંટાળીને લોકો આવા ભૂવાઓના ચક્કરમાં પડી જાય છે. લોકોને એવી આશા હોય છે કે કદાચ ચમત્કાર થશે અને સારૂ થઇ જશે. પરંતુ આવું ક્યારેય થતું નથી. અંતે પરિવારજનોએ પોતાના કુટુંબની એક વ્યક્તિ ગુમાવવાનો વારો આવતો હોય છે. </p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-07/0230.jpg" alt="02" width="1280" height="720"></img></p>
<p>જો ભગવાન પર શ્રદ્ધા કે કોઇ બીજી રીતે કેન્સર મટી જતું હોત તો આપણા દેશના મહાન સંતોનું પણ મટી ગયું હોત. આપણે સ્વામી વિવેકાનંદથી પરિચિત છીએ. તેમના પણ ગુરુ સ્વામી રામકૃષ્ણ પરમહંસને પણ કેંસર હતું. તેમની સારવાર ડોક્ટરોએ જ કરી હતી. તેમનાથી મોટા માતાજીના ભક્ત તો આ દેશમાં કોઇ હશે નહીં પરંતુ તેમણે પણ કોઇ ચમત્કારના આશા રાખ્યા વગર ડોક્ટરો પાસે સારવાર કરાવી હતી. આ ઉપરાંત રમણ મહર્ષિ નામના પ્રખ્યાત સંતને પણ કેન્સર હતું. તેમની સારવાર પણ ડોક્ટરોએ જ કરી હતી. એટલે ભગવાનમાં માનવું અને તેમનામાં શ્રદ્ધા રાખવી એ જુદી વાત છે. પરંતુ ભગવાનના નામે લૂંટતા લોકો પણ વિશ્વાસ કરવા જેવો નથી. જો મહાન સંતો પણ ડોક્ટરની સારવાર પણ ભરોસો કરતા હોય તો આપણે કેમ ન કરીએ.</p>]]></content:encoded>
                
                                                            <category>Charcha Patra</category>
                                    

                <link>https://www.khabarchhe.com/charcha-patra/bhuva-asked-a-cancer-patient-to-stop-taking-his-medicine/article-178966</link>
                <guid>https://www.khabarchhe.com/charcha-patra/bhuva-asked-a-cancer-patient-to-stop-taking-his-medicine/article-178966</guid>
                <pubDate>Thu, 23 Jul 2026 16:59:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-07/0230.jpg"                         length="955490"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dr. Dinky Gajiwala]]></dc:creator>
                            </item>
            <item>
                <title>WHOનું મોટું નિવેદન,  30થી 50 ટકા કેન્સરના કેસો અટકાવી શકાય છે</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">દર વર્ષે દુનિયામાં કરોડો લોકો કેન્સરનો ભોગ બની જાય છે. પરંતુ એક સારા સમાચાર પણ છે. </span>World Health Organization<span lang="gu" xml:lang="gu">ના જણાવ્યા અનુસાર લાઇફસ્ટાઇલમાં યોગ્ય ફેરફાર</span>, <span lang="gu" xml:lang="gu">વેક્સિન અને સમયસરની સ્ક્રીનિંગ દ્વારા </span>30<span lang="gu" xml:lang="gu">થી </span>50<span lang="gu" xml:lang="gu"> ટકા કેન્સરના કેસો જરૂર અટકાવી શકાય છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">આનો અર્થ એ છે કે કેન્સર હંમેશા નસીબની રમત નથી. આપણે કેટલા સતર્ક છીએ તે બાબત આપણા કેન્સરના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-07/0214.jpg" alt="02" width="1200" height="720" /></span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">ભારતમાં કેન્સરની સ્થિતિ કેટલી ગંભીર છે</span>?</strong></p>
<p>International Agency for Research on Cancer<span lang="gu" xml:lang="gu">ના </span>GLOBOCAN 2022<span lang="gu" xml:lang="gu">ના આંકડા મુજબ: </span>2022<span lang="gu" xml:lang="gu">માં ભારતમાં </span>14.61<span lang="gu" xml:lang="gu"> લાખ નવા કેન્સરના કેસ નોંધાયા. </span>8.08<span lang="gu" xml:lang="gu"> લાખ લોકોના કેન્સરને કારણે મોત થયા.</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/charcha-patra/who-s-big-statement--30-to-50-percent-of-cancer-cases-can-be-prevented/article-178764"><img src="https://www.khabarchhe.com/media/400/2026-07/0214.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">દર વર્ષે દુનિયામાં કરોડો લોકો કેન્સરનો ભોગ બની જાય છે. પરંતુ એક સારા સમાચાર પણ છે. </span>World Health Organization<span lang="gu" xml:lang="gu">ના જણાવ્યા અનુસાર લાઇફસ્ટાઇલમાં યોગ્ય ફેરફાર</span>, <span lang="gu" xml:lang="gu">વેક્સિન અને સમયસરની સ્ક્રીનિંગ દ્વારા </span>30<span lang="gu" xml:lang="gu">થી </span>50<span lang="gu" xml:lang="gu"> ટકા કેન્સરના કેસો જરૂર અટકાવી શકાય છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">આનો અર્થ એ છે કે કેન્સર હંમેશા નસીબની રમત નથી. આપણે કેટલા સતર્ક છીએ તે બાબત આપણા કેન્સરના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-07/0214.jpg" alt="02" width="1280" height="720"></img></span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">ભારતમાં કેન્સરની સ્થિતિ કેટલી ગંભીર છે</span>?</strong></p>
<p>International Agency for Research on Cancer<span lang="gu" xml:lang="gu">ના </span>GLOBOCAN 2022<span lang="gu" xml:lang="gu">ના આંકડા મુજબ: </span>2022<span lang="gu" xml:lang="gu">માં ભારતમાં </span>14.61<span lang="gu" xml:lang="gu"> લાખ નવા કેન્સરના કેસ નોંધાયા. </span>8.08<span lang="gu" xml:lang="gu"> લાખ લોકોના કેન્સરને કારણે મોત થયા. દર </span>9<span lang="gu" xml:lang="gu">માંથી </span>1<span lang="gu" xml:lang="gu"> ભારતીયને જીવનકાળમાં ક્યારે ને ક્યારે કેન્સર થવાનું જોખમ છે. વર્ષ </span>2025<span lang="gu" xml:lang="gu"> સુધીમાં ભારતમાં દર વર્ષે </span>15.7<span lang="gu" xml:lang="gu"> લાખથી વધુ નવા કેસ નોંધાયા હોવાનો અંદાજ મૂકાયો છે. આ આંકડા સ્પષ્ટ રીતે બતાવે છે કે કેન્સર સામેની સૌથી અસરકારક દવા માત્ર સારવાર નહીં</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ રોકથામ છે.</span></p>
<p><strong>WHO <span lang="gu" xml:lang="gu">અનુસાર કેન્સરથી બચવાના </span>7<span lang="gu" xml:lang="gu"> અસરકારક ઉપાય</span></strong></p>
<p>1. <span lang="gu" xml:lang="gu">તમાકુનો સંપૂર્ણ ત્યાગ</span></p>
<p><span lang="gu" xml:lang="gu">તમાકુ વિશ્વમાં કેન્સરનું સૌથી મોટું કારણ છે. ભારતમાં મોઢા</span>, <span lang="gu" xml:lang="gu">ગળા અને ફેફસાના મોટા ભાગના કેન્સર માટે ગુટખા</span>, <span lang="gu" xml:lang="gu">માવો</span>, <span lang="gu" xml:lang="gu">સુપારી</span>, <span lang="gu" xml:lang="gu">બીડી અને સિગારેટ જવાબદાર છે.</span></p>
<p>2. <span lang="gu" xml:lang="gu">દારૂનું સેવન ટાળો</span></p>
<p><span lang="gu" xml:lang="gu">દારૂનું નિયમિત સેવન મોઢું</span>, <span lang="gu" xml:lang="gu">ગળું</span>, <span lang="gu" xml:lang="gu">લિવર</span>, <span lang="gu" xml:lang="gu">સ્તન અને આંતરડાના કેન્સરનું જોખમ વધારે છે.</span></p>
<p>3. <span lang="gu" xml:lang="gu">સ્વસ્થ વજન અને નિયમિત કસરત</span></p>
<p><span lang="gu" xml:lang="gu">રોજ ઓછામાં ઓછા </span>30<span lang="gu" xml:lang="gu"> મિનિટ વ્યાયામ અને સ્થૂળતા ટાળવી અનેક પ્રકારના કેન્સરનું જોખમ ઘટાડે છે.</span></p>
<p>4. <span lang="gu" xml:lang="gu">સંતુલિત આહાર</span></p>
<p><span lang="gu" xml:lang="gu">વધુ ફળો</span>, <span lang="gu" xml:lang="gu">લીલા શાકભાજી</span>, <span lang="gu" xml:lang="gu">આખા અનાજ અને ફાઇબરયુક્ત આહાર લો. પ્રોસેસ્ડ માંસ</span>, <span lang="gu" xml:lang="gu">વધારે ખાંડ અને અલ્ટ્રા-પ્રોસેસ્ડ ખોરાક ઓછો કરો.</span></p>
<p>5. HPV <span lang="gu" xml:lang="gu">અને હેપેટાઇટિસ-</span>B <span lang="gu" xml:lang="gu">રસી</span></p>
<p>HPV <span lang="gu" xml:lang="gu">રસી ગર્ભાશયના મુખના કેન્સરનું જોખમ ઘટાડે છે</span>, <span lang="gu" xml:lang="gu">જ્યારે હેપેટાઇટિસ-</span>B <span lang="gu" xml:lang="gu">રસી લિવર કેન્સર સામે રક્ષણ આપે છે.</span></p>
<p>6. <span lang="gu" xml:lang="gu">નિયમિત સ્ક્રીનિંગ</span></p>
<p><span lang="gu" xml:lang="gu">સ્તન કેન્સર માટે મેમોગ્રાફી</span></p>
<p><span lang="gu" xml:lang="gu">સર્વાઇકલ કેન્સર માટે </span>HPV/Pap <span lang="gu" xml:lang="gu">ટેસ્ટ</span></p>
<p><span lang="gu" xml:lang="gu">મોઢાની તપાસ</span>, <span lang="gu" xml:lang="gu">ખાસ કરીને તમાકુ વાપરતા લોકોમાં </span><span lang="gu" xml:lang="gu">વહેલી ઓળખ સારવારની સફળતા અનેકગણી વધારી દે છે.</span></p>
<p>7. <span lang="gu" xml:lang="gu">પ્રદૂષણ અને સૂર્યના હાનિકારક કિરણોથી બચો</span></p>
<p><span lang="gu" xml:lang="gu">વાયુ પ્રદૂષણ અને વધુ પડતા અલ્ટ્રાવાયોલેટ કિરણો પણ કેટલાક કેન્સરનું જોખમ વધારે છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-07/0313.jpg" alt="03" width="1280" height="720"></img></span></p>
<p><span lang="gu" xml:lang="gu">ગુજરાતમાં ખાસ કરીને તમાકુ અને સોપારીના વધતા ઉપયોગને કારણે મોઢા અને ગળાના કેન્સરના કેસો ચિંતાજનક પ્રમાણમાં જોવા મળે છે. </span></p>
<p><span lang="gu" xml:lang="gu">કેન્સર સામેની સૌથી મોટી લડાઈ હોસ્પિટલમાં નહીં</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ આપણા ઘરમાં શરૂ થાય છે. સ્વસ્થ જીવનશૈલી અપનાવવી</span>, <span lang="gu" xml:lang="gu">તમાકુથી દૂર રહેવું</span>, <span lang="gu" xml:lang="gu">જરૂરી રસીઓ લેવી અને સમયસર સ્ક્રીનિંગ કરાવવું—આ ચાર પગલાં લાખો લોકોને કેન્સરથી બચાવી શકે છે.</span></p>]]></content:encoded>
                
                                                            <category>Charcha Patra</category>
                                    

                <link>https://www.khabarchhe.com/charcha-patra/who-s-big-statement--30-to-50-percent-of-cancer-cases-can-be-prevented/article-178764</link>
                <guid>https://www.khabarchhe.com/charcha-patra/who-s-big-statement--30-to-50-percent-of-cancer-cases-can-be-prevented/article-178764</guid>
                <pubDate>Fri, 10 Jul 2026 18:18:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-07/0214.jpg"                         length="961098"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dr. Dinky Gajiwala]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ચોમાસામાં સાંધા અને શરીરના દુખાવા કેમ વધી જાય છે?  જાણો વૈજ્ઞાનિક કારણો અને બચાવના ઉપાયો</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">ચોમાસુ આવતા જ  ઘણા લોકો એક જ ફરિયાદ લઈને અમારી પાસે આવે છે – "સાહેબ</span>, <span lang="gu" xml:lang="gu">વરસાદ શરૂ થયો એટલે ઘૂંટણમાં દુખાવો વધી ગયો"</span>, "<span lang="gu" xml:lang="gu">આખું શરીર દુખે છે"</span>, "<span lang="gu" xml:lang="gu">કમરમાં અસહ્ય પીડા છે." ખાસ કરીને વડીલો</span>, <span lang="gu" xml:lang="gu">આર્થરાઇટિસના દર્દીઓ અને જૂની ઈજા થઈ હોય એવા લોકોને આ દર્દ વધુ સતાવે છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">હવે પ્રશ્ન એ છે કે શું ખરેખર વરસાદ અને સાંધાના દુખાવા વચ્ચે કોઈ સંબંધ છે</span>? <span lang="gu" xml:lang="gu">તેનો જવાબ છે – હા</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ તેનું કારણ માત્ર વરસાદ નહીં</span>, <span lang="gu" xml:lang="gu">હવામાનમાં થતા ફેરફારો છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-07/012.jpg" alt="01" width="1200" height="720" /></span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">ચોમાસામાં દુખાવાનું શું છે વૈજ્ઞાનિક કારણ </span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">ચોમાસાના સમયમાં હવાનું દબાણ (</span>Atmospheric Pressure) </p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/charcha-patra/why-joint-and-body-pain-increases-in-monsoon-know-the/article-178653"><img src="https://www.khabarchhe.com/media/400/2026-07/012.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">ચોમાસુ આવતા જ  ઘણા લોકો એક જ ફરિયાદ લઈને અમારી પાસે આવે છે – "સાહેબ</span>, <span lang="gu" xml:lang="gu">વરસાદ શરૂ થયો એટલે ઘૂંટણમાં દુખાવો વધી ગયો"</span>, "<span lang="gu" xml:lang="gu">આખું શરીર દુખે છે"</span>, "<span lang="gu" xml:lang="gu">કમરમાં અસહ્ય પીડા છે." ખાસ કરીને વડીલો</span>, <span lang="gu" xml:lang="gu">આર્થરાઇટિસના દર્દીઓ અને જૂની ઈજા થઈ હોય એવા લોકોને આ દર્દ વધુ સતાવે છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">હવે પ્રશ્ન એ છે કે શું ખરેખર વરસાદ અને સાંધાના દુખાવા વચ્ચે કોઈ સંબંધ છે</span>? <span lang="gu" xml:lang="gu">તેનો જવાબ છે – હા</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ તેનું કારણ માત્ર વરસાદ નહીં</span>, <span lang="gu" xml:lang="gu">હવામાનમાં થતા ફેરફારો છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-07/012.jpg" alt="01" width="1280" height="720"></img></span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">ચોમાસામાં દુખાવાનું શું છે વૈજ્ઞાનિક કારણ </span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">ચોમાસાના સમયમાં હવાનું દબાણ (</span>Atmospheric Pressure) <span lang="gu" xml:lang="gu">ઓછું થઇ જાય છે. આપણા શરીરના સાંધાઓની આસપાસના સ્નાયુઓ અને પેશીઓ પર આ દબાણની અસર પડે છે. જ્યારે બહારનું દબાણ ઓછું થાય છે ત્યારે સાંધાની આસપાસના ટિશ્યૂમાં થોડો સોજો આવી શકે છે. જેના કારણે દુખાવો અને જકડાશ વધુ અનુભવાય છે.</span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">ભેજ વધવાથી પણ સ્નાયુઓમાં જકડાશ</span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">ચોમાસામાં હવામાં ભેજનું પ્રમાણ સામાન્ય કરતા ખૂબ વધી જાય છે. આ વધેલા ભેજના કારણે સ્નાયુઓ અને લિગામેન્ટ્સમાં જકડાશ અનુભવાય છે. સવારે ઊઠ્યા પછી અથવા લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસી રહેવાથી સાંધા વધુ કડક લાગતા હોય છે.</span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">ઠંડક અને ઓછી શારીરિક પ્રવૃત્તિ</span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">વરસાદી વાતાવરણમાં લોકો બહાર નીકળવાનું પણ ઓછું કરે છે. ચાલવાનું</span>, <span lang="gu" xml:lang="gu">કસરત કરવાનું અને નિયમિત શારીરિક પ્રવૃત્તિ પ્રમાણમાં ઘટી જાય છે. પરિણામે સ્નાયુઓ નબળા પડે છે અને સાંધા વધુ કઠોર બની જાય છે. આ પણ દુખાવાનું એક મહત્વનું કારણ છે.</span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">જૂની ઈજાની અસર</span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">જે લોકોને અગાઉ ફ્રેક્ચર થયું હોય</span>, <span lang="gu" xml:lang="gu">લિગામેન્ટ ફાટ્યું હોય અથવા સાંધાનું ઓપરેશન કરાવ્યું હોય</span>, <span lang="gu" xml:lang="gu">તેમને ચોમાસામાં તે જગ્યાએ સામાન્ય કરતા વધુ દુખાવો અનુભવાય છે. હવામાનમાં ફેરફાર થતાં જૂની ઈજાવાળા ભાગ વધુ સંવેદનશીલ બની જાય છે.</span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">કેવા લોકોને વધુ અસર થાય છે</span>?</strong></p>
<p>- <span lang="gu" xml:lang="gu">ઘૂંટણના આર્થરાઇટિસના દર્દીઓ</span></p>
<p>- <span lang="gu" xml:lang="gu">કમરના દુખાવાથી પીડાતા લોકો</span></p>
<p>- <span lang="gu" xml:lang="gu">ગરદનના દુખાવાવાળા દર્દીઓ</span></p>
<p>- 50<span lang="gu" xml:lang="gu"> વર્ષથી વધુ ઉંમરના લોકો</span></p>
<p>- <span lang="gu" xml:lang="gu">સ્થૂળતા ધરાવતા લોકો</span></p>
<p>- <span lang="gu" xml:lang="gu">ડાયાબિટીસ અથવા વિટામિન-</span>D<span lang="gu" xml:lang="gu">ની ઉણપ ધરાવતા લોકો</span></p>
<p>- <span lang="gu" xml:lang="gu">જૂની ઈજા અથવા ઓર્થોપેડિક સર્જરી કરાવી હોય એવા દર્દીઓ</span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-07/022.jpg" alt="02" width="592" height="900"></img></span></strong></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">તો શું કરવું જોઇએ</span>?</strong></p>
<p><span lang="gu" xml:lang="gu">પહેલા એક ગેરસમજ દૂર કરીએ</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ઘણા લોકો માને છે કે ચોમાસામાં દુખાવો વધે એટલે હાડકાં ખરાબ થઈ રહ્યાં છે. હકીકતમાં દરેક કિસ્સામાં એવું હોતું નથી. મોટા ભાગે વાતાવરણમાં થતા ફેરફારોથી પહેલેથી રહેલી સમસ્યાના લક્ષણો વધુ સ્પષ્ટ બની જાય છે. યોગ્ય તપાસ</span>, <span lang="gu" xml:lang="gu">સમયસર સારવાર અને નિયમિત કસરતથી આ તકલીફને ઘણાં અંશે નિયંત્રિત કરી શકાય છે.</span></p>
<p>1. <span lang="gu" xml:lang="gu">દરરોજ હળવી કસરત કરો</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ઘૂંટણ</span>, <span lang="gu" xml:lang="gu">કમર અને ખભાના સાંધા માટેની સરળ કસરતો સ્નાયુઓને મજબૂત બનાવે છે.</span></p>
<p>2. <span lang="gu" xml:lang="gu">લાંબા સમય સુધી એક જ જગ્યાએ ન બેસો</span></p>
<p><span lang="gu" xml:lang="gu">દર </span>30-40<span lang="gu" xml:lang="gu"> મિનિટે થોડું ચાલો અથવા શરીરને હલાવો.</span></p>
<p>3. <span lang="gu" xml:lang="gu">શરીરને ગરમ રાખો</span></p>
<p><span lang="gu" xml:lang="gu">જરૂર પડે ત્યારે ગરમ પાણીની થેલી અથવા હોટ ફોમેન્ટેશનનો ઉપયોગ કરી શકાય.</span></p>
<p>4. <span lang="gu" xml:lang="gu">વજન નિયંત્રણમાં રાખો</span></p>
<p><span lang="gu" xml:lang="gu">વધારે વજન સીધો ભાર ઘૂંટણ અને કમરના સાંધા પર પડે છે.</span></p>
<p>5. <span lang="gu" xml:lang="gu">સંતુલિત આહાર લેવાનું રાખો </span></p>
<p><span lang="gu" xml:lang="gu">પ્રોટીન</span>, <span lang="gu" xml:lang="gu">કેલ્શિયમ અને વિટામિન-</span>D<span lang="gu" xml:lang="gu">થી ભરપૂર ખોરાક લો. પૂરતું પાણી પીવાનું પણ એટલું જ જરૂરી છે.</span></p>
<p>6. <span lang="gu" xml:lang="gu">ઘરમાં પણ સક્રિય રહો</span></p>
<p><span lang="gu" xml:lang="gu">વરસાદને કારણે બહાર ન જઈ શકો તો વાંધો નહીં પરંતુ ઘરમાં જ વૉકિંગ</span>, <span lang="gu" xml:lang="gu">સ્ટ્રેચિંગ અથવા યોગ કરો.</span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-07/032.jpg" alt="03" width="1280" height="720"></img></span></strong></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">ડૉક્ટરનો સંપર્ક ક્યારે કરવો</span>?</strong></p>
<p><span lang="gu" xml:lang="gu">જો નીચેના લક્ષણો જોવા મળે તો તરત ઓર્થોપેડિક સર્જનની સલાહ લો.</span></p>
<p>- <span lang="gu" xml:lang="gu">સાંધામાં ખૂબ સોજો આવી જવો</span></p>
<p>- <span lang="gu" xml:lang="gu">લાલાશ અને ગરમી અનુભવવી</span></p>
<p>- <span lang="gu" xml:lang="gu">ચાલવામાં મુશ્કેલી પડવી</span></p>
<p>- <span lang="gu" xml:lang="gu">તીવ્ર દુખાવો જે સામાન્ય દવાથી પણ ઓછો ન થાય</span></p>
<p>- <span lang="gu" xml:lang="gu">તાવ સાથે સાંધાનું દુખાવું</span></p>
<p><span lang="gu" xml:lang="gu"> અંતમાં</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ચોમાસું કુદરતની સૌથી સુંદર ઋતુ છે</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ જો શરીરનો યોગ્ય ખ્યાલ ન રાખવામાં આવે તો તે સાંધાના દુખાવાની ઋતુ પણ બની શકે છે. દુખાવાને અવગણશો નહીં</span>, <span lang="gu" xml:lang="gu">પેઇનકિલર સ્વયં લેતા ન રહો અને જરૂર પડે ત્યારે ઓર્થોપેડિક નિષ્ણાતની સલાહ લો. યોગ્ય જીવનશૈલી</span>, <span lang="gu" xml:lang="gu">નિયમિત કસરત અને સમયસર સારવારથી ચોમાસાનો આનંદ પણ માણી શકાય અને સાંધાઓને પણ સ્વસ્થ રાખી શકાય.</span></p>]]></content:encoded>
                
                                                            <category>Charcha Patra</category>
                                    

                <link>https://www.khabarchhe.com/charcha-patra/why-joint-and-body-pain-increases-in-monsoon-know-the/article-178653</link>
                <guid>https://www.khabarchhe.com/charcha-patra/why-joint-and-body-pain-increases-in-monsoon-know-the/article-178653</guid>
                <pubDate>Fri, 03 Jul 2026 18:18:48 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-07/012.jpg"                         length="951109"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dr. Manish M. Mendpara]]></dc:creator>
                            </item>
            <item>
                <title>Australiaની ડિગ્રી, Singaporeનો માર્ગઃ ગુજરાતી વિદ્યાર્થીઓ માટે સ્માર્ટ અને અફોર્ડેબલ વિકલ્પ</title>
                                    <description><![CDATA[<p>દર વર્ષે ગુજરાતમાંથી હજારો ભારતીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં હાયર એજ્યુકેશન મેળવવાનું સ્વપ્ન જુએ છે. ગ્લોબલ યુનિવર્સિટીઓ, સંશોધન આધારિત શિક્ષણ, આંતરરાષ્ટ્રીય કરિયરની તકો અને અભ્યાસ બાદ રોજગારની મોટી શક્યતાઓ ઓસ્ટ્રેલિયાને વિદ્યાર્થીઓમાં સૌથી પસંદગીના દેશોમાં સ્થાન ધરાવે છે.</p>
<p>પરંતુ વધતો જતો ખર્ચ, લાંબા સમય સુધી વિદેશમાં રહેવાની જરૂર અને કેટલીકવાર વિઝા સંબંધિત મુશ્કેલીઓને કારણે ઘણા વિદ્યાર્થીઓ માટે સીધું ઓસ્ટ્રેલિયા જવું સરળ નથી. આજના સમયમાં એક નવો અને વધુ સ્માર્ટ ઓપ્શન ઝડપથી લોકપ્રિય બની રહ્યો છે— અને તે છે સિંગાપોર મારફતે ઓસ્ટ્રેલિયન ડિગ્રી મેળવવાનો માર્ગ.</p>
<p><strong>શા માટે સિંગાપોર?</strong></p>
<p>સિંગાપોર આજે એશિયાનું એક મહત્વપૂર્ણ ગ્લોબલ એજ્યુકેશન હબ બની ગયું છે. અહીં અનેક સંસ્થાઓ ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/charcha-patra/australia-degree-route-to-singapore-smart-and-affordable-option-for/article-178606"><img src="https://www.khabarchhe.com/media/400/2026-06/2117.jpg" alt=""></a><br /><p>દર વર્ષે ગુજરાતમાંથી હજારો ભારતીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં હાયર એજ્યુકેશન મેળવવાનું સ્વપ્ન જુએ છે. ગ્લોબલ યુનિવર્સિટીઓ, સંશોધન આધારિત શિક્ષણ, આંતરરાષ્ટ્રીય કરિયરની તકો અને અભ્યાસ બાદ રોજગારની મોટી શક્યતાઓ ઓસ્ટ્રેલિયાને વિદ્યાર્થીઓમાં સૌથી પસંદગીના દેશોમાં સ્થાન ધરાવે છે.</p>
<p>પરંતુ વધતો જતો ખર્ચ, લાંબા સમય સુધી વિદેશમાં રહેવાની જરૂર અને કેટલીકવાર વિઝા સંબંધિત મુશ્કેલીઓને કારણે ઘણા વિદ્યાર્થીઓ માટે સીધું ઓસ્ટ્રેલિયા જવું સરળ નથી. આજના સમયમાં એક નવો અને વધુ સ્માર્ટ ઓપ્શન ઝડપથી લોકપ્રિય બની રહ્યો છે— અને તે છે સિંગાપોર મારફતે ઓસ્ટ્રેલિયન ડિગ્રી મેળવવાનો માર્ગ.</p>
<p><strong>શા માટે સિંગાપોર?</strong></p>
<p>સિંગાપોર આજે એશિયાનું એક મહત્વપૂર્ણ ગ્લોબલ એજ્યુકેશન હબ બની ગયું છે. અહીં અનેક સંસ્થાઓ ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓ સાથે ભાગીદારીમાં અભ્યાસક્રમો ચલાવે છે.  વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયન ડિગ્રી માટેના Pathway Programmeના ઓપ્શન આપે છે. ઓસ્ટ્રેલિયન સરકાર પણ વિદેશમાં આપવામાં આવતા માન્ય ઓફશોર કોર્સ અને સંસ્થાઓ અંગે સત્તાવાર માહિતી આપે છે. (singapore.embassy.gov.au)</p>
<p>એટલે કે વિદ્યાર્થી પોતાના અભ્યાસનો એક ભાગ સિંગાપોરમાં પૂર્ણ કરીને પછી ઓસ્ટ્રેલિયામાં આગળનું શિક્ષણ મેળવી શકે છે અથવા કેટલીક પરિસ્થિતિઓમાં આખી ઓસ્ટ્રેલિયન ડિગ્રી સિંગાપુરમાં જ પૂર્ણ કરી શકે છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-06/2117.jpg" alt="21" width="1280" height="720"></img></p>
<p><strong>વિદ્યાર્થીઓને શું લાભ મળે?</strong></p>
<p>1. ગ્લોબલ ક્વોલિટીનું શિક્ષણ</p>
<p>ઓસ્ટ્રેલિયન ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થા વિશ્વમાં તેની ગુણવત્તા માટે ફેમસ છે. સત્તાવાર રીતે મંજૂર ઓફશોર કાર્યક્રમોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ત્યાં જેવા જ શૈક્ષણિક ધોરણો જાળવવામાં આવે છે. (singapore.embassy.gov.au)</p>
<p>2. ઓછો કુલ ખર્ચ</p>
<p>ઘણા પરિવારો માટે પૂરો અભ્યાસ ઓસ્ટ્રેલિયામાં કરવાને બદલે શરૂઆતના તબક્કામાં સિંગાપોરમાં પૂર્ણ કરવો આર્થિક રીતે વધુ અનુકૂળ બની શકે છે. જોકે ખર્ચ પ્રોગ્રામ અને સંસ્થા પ્રમાણે બદલાય છે, તેથી દરેક વિદ્યાર્થીએ વ્યક્તિગત ગણતરી કરવી જરૂરી છે.</p>
<p>3. ભારતની નજીક</p>
<p>ભારતથી સિંગાપોરનું અંતર ઓછું હોવાથી મુસાફરી સરળ છે. વાલીઓ માટે પણ વિદ્યાર્થીઓને મળવા જવું વધુ અનુકૂળ રહે છે.</p>
<p>4. વૈશ્વિક શૈક્ષણિક વાતાવરણ</p>
<p>સિંગાપોરમાં અભ્યાસ કરતી વખતે વિદ્યાર્થીઓને વિવિધ દેશોના વિદ્યાર્થીઓ સાથે ભણવાની તક મળે છે. આ અનુભવ ભવિષ્યમાં ગ્લોબલ કરિયર માટે ઉપયોગી સાબિત થાય છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-06/2316.jpg" alt="23" width="1280" height="720"></img></p>
<p><strong>Pathway Programme શું છે?</strong></p>
<p>ઘણા વિદ્યાર્થીઓ સીધા યુનિવર્સિટીમાં એડમિશન માટે જરૂરી શૈક્ષણિક લાયકાતો પૂર્ણ કરતા નથી. આવી સ્થિતિમાં Foundation, Diploma અથવા અન્ય Pathway Programme દ્વારા તેઓ જરૂરી લાયકાત મેળવીને ઓસ્ટ્રેલિયન ડિગ્રીમાં પ્રવેશ મેળવી શકે છે. કેટલીક Pathway સ્કીમમાં આગળના અભ્યાસ માટે ક્રેડિટ પણ મળે છે. </p>
<p>આ માર્ગ ખાસ કરીને તે વિદ્યાર્થીઓ માટે ઉપયોગી બની શકે છે જેમને વધારાની શૈક્ષણિક તૈયારી અથવા અંગ્રેજી ભાષાની સ્કીલ્સ વિકસાવવાની જરૂર હોય.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-06/2417.jpg" alt="24" width="1280" height="720"></img></p>
<p><strong>યોગ્ય સંસ્થા કેવી રીતે પસંદ કરવી?</strong></p>
<p>વિદ્યાર્થીઓ અને વાલીઓએ માત્ર જાહેરાતો પર આધાર રાખવો જોઈએ નહીં. નિર્ણય લેતા પહેલાં નીચેના મુદ્દાઓ ચકાસવા જરૂરી છે:</p>
<p>- પ્રોગ્રામ ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી સાથે સત્તાવાર રીતે જોડાયેલો છે કે નહીં.<br />- ડિગ્રી કોણ આપે છે.<br />-ક્રેડિટ ટ્રાન્સફરની વ્યવસ્થા શું છે.<br />- ગુણવત્તા અને માન્યતા અંગે સત્તાવાર માહિતી ઉપલબ્ધ છે કે નહીં.<br />- ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયામાં આગળ અભ્યાસ કરવાની પ્રક્રિયા શું છે.</p>
<p>વિશ્વભરમાં ઉચ્ચ શિક્ષણ ઝડપથી બદલાઈ રહ્યું છે. Hybrid Learning, Transnational Education અને International Pathways જેવા મોડલ વિદ્યાર્થીઓને વધુ ફ્લેક્સિબલ વિકલ્પો આપી રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે સિંગાપોર માત્ર એક ટ્રાન્ઝિટ દેશ નથી, પરંતુ ક્વોલિટી ઇન્ટરનેશનલ એજ્યુકેશન તરફનો સરળ માર્ગ બની શકે છે.</p>]]></content:encoded>
                
                                                            <category>Charcha Patra</category>
                                    

                <link>https://www.khabarchhe.com/charcha-patra/australia-degree-route-to-singapore-smart-and-affordable-option-for/article-178606</link>
                <guid>https://www.khabarchhe.com/charcha-patra/australia-degree-route-to-singapore-smart-and-affordable-option-for/article-178606</guid>
                <pubDate>Tue, 30 Jun 2026 20:02:45 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-06/2117.jpg"                         length="101669"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mamta Dhiren Jani]]></dc:creator>
                            </item>
            <item>
                <title>શું લગ્ન કેન્સરથી બચાવે છે? વાયરલ રિસર્ચ પાછળનું સાચું વિજ્ઞાન</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">હાલમાં એક આંતરરાષ્ટ્રીય સંશોધન ચર્ચાનો વિષય બન્યું છે. અમેરિકાની મિયામી યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પરિણીત લોકોની સરખામણીએ અપરિણીત અથવા સિંગલ લોકોમાં કેન્સર થવાનું જોખમ વધારે જોવા મળે છે. આ અભ્યાસ ‘</span>Cancer Research Communications’ <span lang="gu" xml:lang="gu">નામના વૈજ્ઞાનિક જર્નલમાં પ્રકાશિત થયો છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">આ સમાચાર વાંચ્યા પછી ઘણા લોકોના મનમાં એક સ્વાભાવિક પ્રશ્ન ઉદ્ભવે છે – શું ખરેખર લગ્ન કેન્સર સામે રક્ષણ આપે છે</span>?</p>
<p><span lang="gu" xml:lang="gu">એક કેન્સર નિષ્ણાત તરીકે આ વિષયને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજવાની જરૂર છે.</span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-06/0229.jpg" alt="02" width="1200" height="720" /></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">રિસર્ચમાં શું જાણવા મળ્યું</span>?</strong></p>
<p><span lang="gu" xml:lang="gu">રિસર્ચ કરનારાઓએ </span>2015<span lang="gu" xml:lang="gu"> થી </span>2022<span lang="gu" xml:lang="gu"> દરમિયાન અમેરિકાના </span>12<span lang="gu" xml:lang="gu"> રાજ્યોમાં નોંધાયેલા </span>40<span lang="gu" xml:lang="gu"> લાખથી વધુ કેન્સરના કેસોનો</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/charcha-patra/does-marriage-prevent-cancer/article-178480"><img src="https://www.khabarchhe.com/media/400/2026-06/0229.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">હાલમાં એક આંતરરાષ્ટ્રીય સંશોધન ચર્ચાનો વિષય બન્યું છે. અમેરિકાની મિયામી યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પરિણીત લોકોની સરખામણીએ અપરિણીત અથવા સિંગલ લોકોમાં કેન્સર થવાનું જોખમ વધારે જોવા મળે છે. આ અભ્યાસ ‘</span>Cancer Research Communications’ <span lang="gu" xml:lang="gu">નામના વૈજ્ઞાનિક જર્નલમાં પ્રકાશિત થયો છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">આ સમાચાર વાંચ્યા પછી ઘણા લોકોના મનમાં એક સ્વાભાવિક પ્રશ્ન ઉદ્ભવે છે – શું ખરેખર લગ્ન કેન્સર સામે રક્ષણ આપે છે</span>?</p>
<p><span lang="gu" xml:lang="gu">એક કેન્સર નિષ્ણાત તરીકે આ વિષયને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજવાની જરૂર છે.</span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-06/0229.jpg" alt="02" width="1280" height="720"></img></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">રિસર્ચમાં શું જાણવા મળ્યું</span>?</strong></p>
<p><span lang="gu" xml:lang="gu">રિસર્ચ કરનારાઓએ </span>2015<span lang="gu" xml:lang="gu"> થી </span>2022<span lang="gu" xml:lang="gu"> દરમિયાન અમેરિકાના </span>12<span lang="gu" xml:lang="gu"> રાજ્યોમાં નોંધાયેલા </span>40<span lang="gu" xml:lang="gu"> લાખથી વધુ કેન્સરના કેસોનો અભ્યાસ કર્યો હતો. અભ્યાસ દરમિયાન વૈજ્ઞાનિકોએ વ્યક્તિની વૈવાહિક સ્થિતિ અને કેન્સરની ઘટનાઓ વચ્ચેનો સંબંધ તપાસ્યો.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">અભ્યાસમાં જાણવા મળ્યું કે પરિણીત લોકોની સરખામણીએ અપરિણીત પુરુષોમાં કેન્સરની ઘટનાઓ લગભગ </span>68<span lang="gu" xml:lang="gu"> ટકા વધુ હતી. જ્યારે અપરિણીત મહિલાઓમાં આ પ્રમાણ લગભગ </span>85<span lang="gu" xml:lang="gu"> ટકા વધુ જોવા મળ્યું હતું. કેટલાક વિશિષ્ટ પ્રકારના કેન્સરમાં પણ જોખમનું પ્રમાણ વધુ નોંધાયું હતું.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">તો શું લગ્ન કેન્સરથી બચાવે છે</span>?</p>
<p><span lang="gu" xml:lang="gu">આ પ્રશ્નનો સીધો જવાબ "ના" છે. આ સંશોધન એ સાબિત નથી કરતું કે લગ્ન કરવાથી કેન્સર અટકી જાય છે. વૈજ્ઞાનિક ભાષામાં કહીએ તો આ અભ્યાસ માત્ર એક "સંબંધ" (</span>Association) <span lang="gu" xml:lang="gu">દર્શાવે છે</span>, <span lang="gu" xml:lang="gu">કારણ (</span>Cause) <span lang="gu" xml:lang="gu">નહીં. એટલે કે લગ્ન અને કેન્સર વચ્ચે સંબંધ જોવા મળ્યો છે</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ એનું કારણ માત્ર લગ્ન છે એવું કહી શકાય નહીં.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">તો પછી પરિણીત લોકોમાં જોખમ ઓછું કેમ મળ્યું</span>?</p>
<p><strong><span lang="gu" xml:lang="gu">તેની પાછળ કેટલાક મહત્વના પરિબળો જવાબદાર હોઈ શકે છે.</span></strong></p>
<p>1. <span lang="gu" xml:lang="gu">સામાજિક અને ઇમોશનલ સપોર્ટ</span></p>
<p><span lang="gu" xml:lang="gu">લાંબા સમય સુધી મળતો ઇમોશનલ સપોર્ટ માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વનો છે. જીવનસાથી ઘણી વખત શરીરમાં થતા ફેરફારો અથવા લક્ષણો ઝડપથી ધ્યાને લાવી શકે છે</span>, <span lang="gu" xml:lang="gu">જેના કારણે સમયસર તબીબી હેલ્પ મળી શકે છે.</span></p>
<p>2. <span lang="gu" xml:lang="gu">નિયમિત હેલ્થ ચેકઅપ</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ઘણા પરિણીત લોકો નિયમિત હેલ્થ ચેકઅપ અને સ્ક્રિનિંગ તરફ વધુ ધ્યાન આપતા હોય છે. કેન્સરનું વહેલું નિદાન થવાથી સારવારની સફળતાનો દર નોંધપાત્ર રીતે વધી જાય છે.</span></p>
<p>3. <span lang="gu" xml:lang="gu">વધુ સ્વસ્થ જીવનશૈલી</span></p>
<p><span lang="gu" xml:lang="gu">કેટલાક અભ્યાસો દર્શાવે છે કે પરિણીત લોકોમાં ધૂમ્રપાન</span>, <span lang="gu" xml:lang="gu">દારૂનું અતિશય સેવન અથવા અન્ય જોખમી ટેવોનું પ્રમાણ સરેરાશ ઓછું હોઈ શકે છે.</span></p>
<p>4. <span lang="gu" xml:lang="gu">તણાવનો વધુ સારી રીતે સામનો </span></p>
<p><span lang="gu" xml:lang="gu">ક્રોનિક સ્ટ્રેસ શરીરની રોગપ્રતિકારક શક્તિ અને સમગ્ર આરોગ્યને અસર કરી શકે છે. મજબૂત સંબંધો અને પરિવારનો સાથ માનસિક સંતુલન જાળવવામાં મદદરૂપ બની શકે છે.</span></p>
<p>5. <span lang="gu" xml:lang="gu">મહિલાઓ માટે બાળકને જન્મ આપવું અને બ્રેસ્ટફિડિંગ કરાવવું તે બ્રેસ્ટ કેન્સર સામે રક્ષણ આપે છે.</span></p>
<img src="https://www.khabarchhe.com/media/2026-06/65.jpg" alt="marriage" width="1280" height="720"></img>
azafashions.com

<p><strong><span lang="gu" xml:lang="gu">તો અપરિણીત લોકોએ ચિંતા કરવાની જરૂર છે</span>?</strong></p>
<p><span lang="gu" xml:lang="gu">બિલકુલ નહીં.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">કેન્સરનું જોખમ કોઈ વ્યક્તિ પરિણીત છે કે નહીં તેના કરતાં વધુ પ્રમાણમાં તેની જીવનશૈલી અને આરોગ્ય સંબંધિત આદતો પર આધારિત છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">આજે પણ કેન્સરના સૌથી મોટા જોખમકારક પરિબળોમાં સામેલ છે:</span></p>
<p>- <span lang="gu" xml:lang="gu">તમાકુ અને ધૂમ્રપાન</span></p>
<p>- <span lang="gu" xml:lang="gu">દારૂનું વધુ સેવન</span></p>
<p>- <span lang="gu" xml:lang="gu">સ્થૂળતા</span></p>
<p>- <span lang="gu" xml:lang="gu">કસરતનો અભાવ</span></p>
<p>-<span lang="gu" xml:lang="gu">અસંતુલિત આહાર</span></p>
<p>- HPV <span lang="gu" xml:lang="gu">અને </span>Hepatitis <span lang="gu" xml:lang="gu">જેવા વાયરસ</span></p>
<p>- <span lang="gu" xml:lang="gu">પારિવારિક કેન્સર ઇતિહાસ</span></p>
<p>- <span lang="gu" xml:lang="gu">સમયસર સ્ક્રિનિંગ ન કરાવવું</span></p>
<p><span lang="gu" xml:lang="gu">આ પરિબળો પર નિયંત્રણ રાખવાથી કેન્સરનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">કેન્સર નિષ્ણાત તરીકે મારી સલાહ</span></p>
<p><span lang="gu" xml:lang="gu">આ રિસર્ચનો સાચો સંદેશ લગ્ન કરવાની સલાહ નથી. આ અભ્યાસ આપણને એ સમજાવે છે કે સામાજિક જોડાણ</span>, <span lang="gu" xml:lang="gu">ભાવનાત્મક ટેકો</span>, <span lang="gu" xml:lang="gu">સ્વસ્થ જીવનશૈલી અને નિયમિત સ્ક્રિનિંગ આપણા આરોગ્ય માટે કેટલા મહત્વના છે.તમે પરિણીત હો કે અપરિણીત</span>, <span lang="gu" xml:lang="gu">કેન્સર સામેનું સૌથી અસરકારક હથિયાર છે – જાગૃતિ</span>, <span lang="gu" xml:lang="gu">સમયસર તપાસ અને સ્વસ્થ જીવનશૈલી.તમારા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો</span>, <span lang="gu" xml:lang="gu">નિયમિત ચેકઅપ કરાવો અને કોઈપણ અસામાન્ય લક્ષણને અવગણશો નહીં. કેન્સર સામેની લડાઈમાં વહેલું નિદાન જ સૌથી મોટી જીત છે.</span></p>]]></content:encoded>
                
                                                            <category>Charcha Patra</category>
                                    

                <link>https://www.khabarchhe.com/charcha-patra/does-marriage-prevent-cancer/article-178480</link>
                <guid>https://www.khabarchhe.com/charcha-patra/does-marriage-prevent-cancer/article-178480</guid>
                <pubDate>Mon, 22 Jun 2026 13:48:16 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-06/0229.jpg"                         length="962030"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dr. Dinky Gajiwala]]></dc:creator>
                            </item>
            <item>
                <title>પૂણેના  વૈજ્ઞાનિકોએ બ્રેસ્ટ કેન્સરના કોષોને આડઅસર વગર ખતમ કરી દેતી નવી નેનોમેડિસિન વિકસાવી</title>
                                    <description><![CDATA[<p>આપણા ભારતના પૂણેના  વૈજ્ઞાનિકોએ બ્રેસ્ટ કેન્સરની સારવારમાં મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે. પુણે સ્થિત અઘારકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (Agharkar Research Institute - ARI)ના સંશોધકોએ એવી નવી નેનોમેડિસિન વિકસાવી છે, જે સીધા બ્રેસ્ટ કેન્સરના કોષોને ઓળખીને તેમના વિકાસ અને જીવન માટે જવાબદાર જીન્સને નિષ્ક્રિય કરી શકે છે.</p>
<p>આ સંશોધન ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) હેઠળ કાર્યરત અઘારકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના નેનોબાયોસાયન્સ ગ્રૂપ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આ અભ્યાસના પરિણામો આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક જર્નલ Advanced Healthcare Materials માં પ્રકાશિત કરવામાં આવ્યા છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-06/photo-(2)11.jpg" alt="Photo-(2)" width="1200" height="720" /></p>
<p><strong>  આ રીતે કાર્ય કરે છે નવી ટેક્નોલોજી?</strong></p>
<p>વૈજ્ઞાનિકોએ "MUC1-Targeted Silica Nanocarrier" નામની અદ્યતન નેનોમેડિસિન તૈયાર કરી છે. બ્રેસ્ટ કેન્સરના</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/charcha-patra/pune-scientists-develop-new-nanomedicine-that-kills-breast-cancer-cells-without-side-effects/article-178466"><img src="https://www.khabarchhe.com/media/400/2026-06/0326.jpg" alt=""></a><br /><p>આપણા ભારતના પૂણેના  વૈજ્ઞાનિકોએ બ્રેસ્ટ કેન્સરની સારવારમાં મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે. પુણે સ્થિત અઘારકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (Agharkar Research Institute - ARI)ના સંશોધકોએ એવી નવી નેનોમેડિસિન વિકસાવી છે, જે સીધા બ્રેસ્ટ કેન્સરના કોષોને ઓળખીને તેમના વિકાસ અને જીવન માટે જવાબદાર જીન્સને નિષ્ક્રિય કરી શકે છે.</p>
<p>આ સંશોધન ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST) હેઠળ કાર્યરત અઘારકર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના નેનોબાયોસાયન્સ ગ્રૂપ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આ અભ્યાસના પરિણામો આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક જર્નલ Advanced Healthcare Materials માં પ્રકાશિત કરવામાં આવ્યા છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-06/photo-(2)11.jpg" alt="Photo-(2)" width="1280" height="720"></img></p>
<p><strong> આ રીતે કાર્ય કરે છે નવી ટેક્નોલોજી?</strong></p>
<p>વૈજ્ઞાનિકોએ "MUC1-Targeted Silica Nanocarrier" નામની અદ્યતન નેનોમેડિસિન તૈયાર કરી છે. બ્રેસ્ટ કેન્સરના કોષોની સપાટી પર MUC1 નામનું પ્રોટીન વધુ પ્રમાણમાં જોવા મળે છે. નવી દવા આ પ્રોટીનને ઓળખીને સીધી કેન્સર કોષો સુધી પહોંચે છે.</p>
<p>કેન્સર કોષોની અંદર પહોંચ્યા પછી આ નેનોમેડિસિન MCL-1 અને Survivin નામના બે મહત્વપૂર્ણ જીન્સને નિષ્ક્રિય કરે છે. આ બંને જીન્સ કેન્સર કોષોને જીવંત રાખવામાં અને ઝડપથી વધવામાં મદદરૂપ બને છે. જીન્સ બંધ થતાં કેન્સર કોષો ધીમે ધીમે નાશ પામવા લાગે છે.</p>
<p>આ મહત્વપૂર્ણ સંશોધનમાં વૈજ્ઞાનિકો નીલાદ્રી હલધર, રાજકુમાર સામંત, સુરજીત પાત્રા, દેવયાની સેંગર, સચિન જાધવ અને વિરેન્દ્ર ગજબિયે સહિતની ટીમે યોગદાન આપ્યું છે. સંશોધકોએ જણાવ્યું હતું કે આ ટેક્નોલોજી ખાસ કરીને બ્રેસ્ટ કેન્સરના આક્રમક પ્રકારો સામે અસરકારક સાબિત થઈ શકે છે અને ભવિષ્યમાં વધુ ચોક્કસ સારવાર માટે માર્ગ મોકળો કરી શકે છે.</p>
<p>વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ નેનોમેડિસિનનું પરીક્ષણ હાલ પ્રી-ક્લિનિકલ તબક્કામાં સફળ રહ્યું છે. લેબોરેટરી પરીક્ષણો અને પ્રાણીઓ પર કરવામાં આવેલા અભ્યાસમાં હકારાત્મક પરિણામો મળ્યા છે. જોકે માનવ દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ્સ હજુ બાકી છે. વિશેષજ્ઞોનું માનવું છે કે જો આગામી વર્ષોમાં માનવ પરીક્ષણો સફળ રહેશે, તો બ્રેસ્ટ કેન્સરની સારવારમાં આ શોધ એક ક્રાંતિકારી પરિવર્તન લાવી શકે છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-06/0326.jpg" alt="03" width="1280" height="720"></img></p>
<p>હાલમાં ઉપયોગમાં લેવાતી કીમોથેરાપી ઘણી વખત સ્વસ્થ કોષોને પણ નુકસાન પહોંચાડે છે, જેના કારણે દર્દીઓને વાળ ખરવા, થાક, ઉલ્ટી અને અન્ય ગંભીર આડઅસરોનો સામનો કરવો પડે છે. નવી નેનોમેડિસિન માત્ર કેન્સરગ્રસ્ત કોષોને જ નિશાન બનાવે છે. પરિણામે ભવિષ્યમાં સારવાર વધુ અસરકારક, સુરક્ષિત અને ઓછી આડઅસરવાળી બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ શોધ ભારતના બાયોમેડિકલ અને કેન્સર સંશોધન ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન માનવામાં આવી રહી છે અને વૈશ્વિક સ્તરે પણ તેનું વિશેષ મહત્વ છે.</p>]]></content:encoded>
                
                                                            <category>Charcha Patra</category>
                                    

                <link>https://www.khabarchhe.com/charcha-patra/pune-scientists-develop-new-nanomedicine-that-kills-breast-cancer-cells-without-side-effects/article-178466</link>
                <guid>https://www.khabarchhe.com/charcha-patra/pune-scientists-develop-new-nanomedicine-that-kills-breast-cancer-cells-without-side-effects/article-178466</guid>
                <pubDate>Sat, 20 Jun 2026 20:29:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-06/0326.jpg"                         length="1021723"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dr. Dinky Gajiwala]]></dc:creator>
                            </item>
            <item>
                <title>હવે ફર્સ્ટ યર સુરતના વિદ્યાર્થીઓ On track educationમાં ભણ્યા પછી વિદેશ જઇ ડિગ્રી મેળવી રહ્યા છે </title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">આજે ગ્લોબલ એજ્યુકેશનની વ્યાખ્યા ઝડપથી બદલાઈ રહી છે. હવે ગ્લોબલ એજ્યુકેશન હાઇબ્રિડ મોડેલમાં શરૂ થઇ ગયું છે જેમાં તમને ફોરેનની યુનિવર્સિટીમાં પ્રવેશ મળી જાય પછી પહેલું વર્ષ તમારા શહેરમાં રહીને ભણવાનું હોય છે અને પછી બાકીના વર્ષ તમે વિદેશ જઇને ભણી શકો છે. આ પ્રકારનું હાઇબ્રિડ મોડેલ શરૂ થઇ ચૂક્યું છે અને સૂરતમાં ઓન ટ્રેક એજ્યુકેશન (</span>On track education) <span lang="gu" xml:lang="gu">દ્વારા તે ચલાવાઇ રહ્યું છે. આ મોડલ્સ સરળ સાથે અફોર્ડેબલ પણ છે.   </span></p>
<p><span lang="gu" xml:lang="gu">ગુજરાતમાં છેલ્લા ઘણા </span>27<span lang="gu" xml:lang="gu"> વર્ષોથી વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે માર્ગદર્શન આપતા એક શિક્ષણ સલાહકાર તરીકે હું માનું છું કે ભારતની નવી શિક્ષણ નીતિ (</span>NEP 2020) <span lang="gu" xml:lang="gu">પછી</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/charcha-patra/students-now-begin-their-degree-in-surat-and-complete-it-abroad/article-178330"><img src="https://www.khabarchhe.com/media/400/2026-06/0114.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">આજે ગ્લોબલ એજ્યુકેશનની વ્યાખ્યા ઝડપથી બદલાઈ રહી છે. હવે ગ્લોબલ એજ્યુકેશન હાઇબ્રિડ મોડેલમાં શરૂ થઇ ગયું છે જેમાં તમને ફોરેનની યુનિવર્સિટીમાં પ્રવેશ મળી જાય પછી પહેલું વર્ષ તમારા શહેરમાં રહીને ભણવાનું હોય છે અને પછી બાકીના વર્ષ તમે વિદેશ જઇને ભણી શકો છે. આ પ્રકારનું હાઇબ્રિડ મોડેલ શરૂ થઇ ચૂક્યું છે અને સૂરતમાં ઓન ટ્રેક એજ્યુકેશન (</span>On track education) <span lang="gu" xml:lang="gu">દ્વારા તે ચલાવાઇ રહ્યું છે. આ મોડલ્સ સરળ સાથે અફોર્ડેબલ પણ છે.   </span></p>
<p><span lang="gu" xml:lang="gu">ગુજરાતમાં છેલ્લા ઘણા </span>27<span lang="gu" xml:lang="gu"> વર્ષોથી વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે માર્ગદર્શન આપતા એક શિક્ષણ સલાહકાર તરીકે હું માનું છું કે ભારતની નવી શિક્ષણ નીતિ (</span>NEP 2020) <span lang="gu" xml:lang="gu">પછી આ સૌથી મહત્વપૂર્ણ પરિવર્તનોમાંનું એક છે. આ પરિવર્તનને અમે ઓન ટ્રેક એજ્યુકેશન (</span>On track education)<span lang="gu" xml:lang="gu">માં અમલી બનાવ્યું છે. </span></p>
<p><span lang="gu" xml:lang="gu">અત્યાર સુધી વિદેશી શિક્ષણનો મતલબ હતો કે અમેરિકાની</span>, <span lang="gu" xml:lang="gu">કેનેડાની</span>, <span lang="gu" xml:lang="gu">બ્રિટનની કે ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીમાં જઈને અભ્યાસ કરવો. પરંતુ હવે વિશ્વભરની યુનિવર્સિટીઓ બ્રાન્ચ કેમ્પસ</span>, <span lang="gu" xml:lang="gu">ડ્યુઅલ ડિગ્રી</span>, <span lang="gu" xml:lang="gu">જ્વોઇન્ટ ડિગ્રી</span>, <span lang="gu" xml:lang="gu">ટ્વિનિંગ પ્રોગ્રામ્સ અને ઓનલાઈન-ઓફલાઈન સંયુક્ત અભ્યાસક્રમો દ્વારા દુનિયાભરમાં ગ્લોબલ એજ્યુકેશન પહોંચાડી રહી છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">સાદી ભાષામાં કહીએ તો હવે માત્ર વિદ્યાર્થી પોતાનો દેશ છોડીને વિદેશ તો જાય છે પરંતુ વિદેશ જતા પહેલા તે ત્યાંની સંસ્કૃતિ</span>, <span lang="gu" xml:lang="gu">શિક્ષકો</span>, <span lang="gu" xml:lang="gu">ભાષા વિશે આપણા શહેરમાં જ રહીને જાણકારી મેળવી લે છે. તેની સાથે સાથે એક વર્ષનું એજ્યુકેશન પણ અહીં જ પુરૂં થઇ જાય છે. એટલે પછી જ્યારે તે વિદેશ જાય છે ત્યાં જઇને તેમને ભણવા સાથે ત્યાં રહેવામાં પણ સહેલાઇ રહે છે. આ ઉપરાંત વિદેશોમાં ભણવા સાથે વિદ્યાર્થીઓ કંઇકને કંઇક કામ પણ કરતા હોય છે. એટલે તેમને તેમાં પણ સરળતા રહે છે. </span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">ગુજરાત માટે આ તક કેમ મહત્વપૂર્ણ છે</span>?</strong></p>
<p><span lang="gu" xml:lang="gu">ગુજરાત દેશના સૌથી વૈશ્વિક દૃષ્ટિકોણ ધરાવતા રાજ્યોમાંનું એક છે. એક અંદાજ મુજબ દર વર્ષે અમદાવાદ</span>, <span lang="gu" xml:lang="gu">સુરત</span>, <span lang="gu" xml:lang="gu">વડોદરા</span>, <span lang="gu" xml:lang="gu">રાજકોટ અને અન્ય શહેરોમાંથી </span>50,000<span lang="gu" xml:lang="gu">થી વધુ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જાય છે.</span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-06/0213.jpg" alt="02" width="1280" height="720"></img></p>
<p><span lang="gu" xml:lang="gu">પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં વિદેશી શિક્ષણનો મોટો ખર્ચ</span>, <span lang="gu" xml:lang="gu">વિઝા સંબંધિત અનિશ્ચિતતાઓ અને ગ્લોબલ લાઇફસ્ટાઇલ કિંમતને કારણે અનેક પરિવારો માટે વિદેશ અભ્યાસ એક મોટો આર્થિક પડકાર બની ગયો છે. આ પડકાર સામેનો ઉકેલ  હાઇબ્રિડ અને ટ્રાન્સનેશનલ એજ્યુકેશને આપ્યો છે. ખાસ કરીને મધ્યમવર્ગીય પરિવારો માટે આ મોડલ વૈશ્વિક શિક્ષણના નવા દરવાજા ખોલી શકે છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ગુજરાતના </span>GIFT City<span lang="gu" xml:lang="gu">માં પહેલેથી જ ઓસ્ટ્રેલિયાની </span>Deakin University <span lang="gu" xml:lang="gu">અને </span>University of Wollongong <span lang="gu" xml:lang="gu">પોતાના કેમ્પસ શરૂ કરી ચૂકી છે. આ ઉપરાંત બ્રિટનની </span>University of Southampton<span lang="gu" xml:lang="gu">ને પણ ભારતમાં કામગીરી માટે મંજૂરી મળી છે. અમે ઓન ટ્રેક એજ્યુકેશનમાં </span>The World Grad <span lang="gu" xml:lang="gu">સાથે મળીને આ પ્રકારની ડિગ્રી વિદ્યાર્થીઓને આપી રહ્યા છીએ.   </span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">ક્રેડિટ ટ્રાન્સફરઃ ભવિષ્યની ચાવી</span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">નવી શિક્ષણ વ્યવસ્થાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે ક્રેડિટ પોર્ટેબિલિટી. ભારતે </span>Academic Bank of Credits (ABC) <span lang="gu" xml:lang="gu">જેવી વ્યવસ્થા શરૂ કરીને વિદ્યાર્થીઓને વિવિધ સંસ્થાઓમાં મેળવેલા ક્રેડિટ્સ એકત્રિત અને ટ્રાન્સફર કરવાની સુવિધા આપી છે. આગામી સમયમાં ભારતીય અને વિદેશી યુનિવર્સિટીઓ વચ્ચે ક્રેડિટ ટ્રાન્સફર વધુ સરળ બનશે. કલ્પના કરો કે કોઈ વિદ્યાર્થી પ્રથમ વર્ષ સૂરત કે અમદાવાદમાં અને પછીનું શિક્ષણ વિદેશની યુનિવર્સિટીમાં પૂર્ણ કરે. આજે આ માત્ર કલ્પના નથી</span>, <span lang="gu" xml:lang="gu">પરંતુ ઝડપથી હકીકત બની રહ્યું છે.</span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-06/0313.jpg" alt="03" width="1280" height="720"></img></p>
<p><span lang="gu" xml:lang="gu">ગુજરાત જેવા ઔદ્યોગિક રાજ્ય માટે આ ખૂબ મહત્વપૂર્ણ છે. ટેકનોલોજી</span>, <span lang="gu" xml:lang="gu">આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ</span>, <span lang="gu" xml:lang="gu">ગ્રીન એનર્જી</span>, <span lang="gu" xml:lang="gu">મેન્યુફેક્ચરિંગ</span>, <span lang="gu" xml:lang="gu">હેલ્થકેર અને ફાઇનાન્સ જેવા ક્ષેત્રોમાં વૈશ્વિક ધોરણો મુજબ સ્કીલ્ડ મેનપાવર તૈયાર કરવા માટે આવી ભાગીદારીઓ મહત્વની સાબિત થઇ રહી છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">આગામી પાંચ વર્ષમાં ઉચ્ચ શિક્ષણનું સ્વરૂપ નોંધપાત્ર રીતે બદલાશે. વિદ્યાર્થીઓએ હવે માત્ર “ભારત કે વિદેશ” જેવી પરંપરાગત વિચારસરણીથી આગળ વધવું પડશે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">ભારતની નવી શિક્ષણ નીતિએ ઉચ્ચ શિક્ષણના આંતરરાષ્ટ્રીયકરણનું જે સ્વપ્ન જોયું હતું તે હવે ધીમે ધીમે વાસ્તવિકતા બની રહ્યું છે.</span></p>]]></content:encoded>
                
                                                            <category>Charcha Patra</category>
                                    

                <link>https://www.khabarchhe.com/charcha-patra/students-now-begin-their-degree-in-surat-and-complete-it-abroad/article-178330</link>
                <guid>https://www.khabarchhe.com/charcha-patra/students-now-begin-their-degree-in-surat-and-complete-it-abroad/article-178330</guid>
                <pubDate>Fri, 12 Jun 2026 17:18:54 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-06/0114.jpg"                         length="952268"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Mamta Dhiren Jani]]></dc:creator>
                            </item>
            <item>
                <title>કેન્સરથી પિતાના મોત પછી સુરતમાં દીકરાએ જે કર્યું તેને સલામ કરવી જોઇએ</title>
                                    <description><![CDATA[<p>આજના સમયમાં કેન્સર થવાના કારણોમાં રાસાયણિક ખાતરથી આપણા ખોરાકમાં જતા રસાયણો પણ મોટો ભાગ ભજવે છે. પરંતુ તેનો ઉપાય આજ સુધી આપણે શોધી શક્યા નથી. આપણા દેશની વસ્તીને ધ્યાને રાખતા બધા જ લોકો રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરી દે તે શક્ય પણ નથી. શક્ય હોય તેટલા નાના નાના પ્રયત્નોથી આપણે આ સમસ્યાને નિવારી શકીશું. સૂરતમાં આવી એક ઘટના બની છે. કેન્સરથી પિતાના મોત પછી એક દીકરાએ તેની ખેતીમાં રાસાયણિક ખાતર વાપરવાનું જ બંધ કરી દીધું.  </p>
<p>આ કિસ્સો છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામના ખેડૂત કલ્પેશ પટેલનો.  તેમણે વ્યક્તિગત દુઃખને સમાજ માટે પ્રેરણામાં ફેરવી દીધું છે. પિતાના કેન્સરથી થયેલા અવસાન</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/charcha-patra/what-the-son-did-in-surat-after-his-father-died-of-cancer-should-be-saluted/article-178056"><img src="https://www.khabarchhe.com/media/400/2026-05/0235.jpg" alt=""></a><br /><p>આજના સમયમાં કેન્સર થવાના કારણોમાં રાસાયણિક ખાતરથી આપણા ખોરાકમાં જતા રસાયણો પણ મોટો ભાગ ભજવે છે. પરંતુ તેનો ઉપાય આજ સુધી આપણે શોધી શક્યા નથી. આપણા દેશની વસ્તીને ધ્યાને રાખતા બધા જ લોકો રાસાયણિક ખાતરનો ઉપયોગ બંધ કરી દે તે શક્ય પણ નથી. શક્ય હોય તેટલા નાના નાના પ્રયત્નોથી આપણે આ સમસ્યાને નિવારી શકીશું. સૂરતમાં આવી એક ઘટના બની છે. કેન્સરથી પિતાના મોત પછી એક દીકરાએ તેની ખેતીમાં રાસાયણિક ખાતર વાપરવાનું જ બંધ કરી દીધું.  </p>
<p>આ કિસ્સો છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સરસ ગામના ખેડૂત કલ્પેશ પટેલનો.  તેમણે વ્યક્તિગત દુઃખને સમાજ માટે પ્રેરણામાં ફેરવી દીધું છે. પિતાના કેન્સરથી થયેલા અવસાન બાદ તેમણે રાસાયણિક ખેતી સંપૂર્ણપણે છોડી કુદરતી ખેતીનો માર્ગ અપનાવ્યો. આજે તેઓ ગુજરાતમાં કુદરતી ખેતીના સફળ ખેડૂત તરીકે ઓળખાઈ રહ્યા છે. </p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-05/0332.jpg" alt="03" width="1280" height="720"></img></p>
<p>કલ્પેશ પટેલના પિતા રમણભાઈ પટેલ વર્ષો સુધી ખેતરમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરતા હતા. કલ્પેશ જણાવે છે કે પિતાના શરીરમાંથી હંમેશા જંતુનાશકોની ગંધ આવતી હતી. જ્યારે તેમના પિતાને કેન્સર થયું, ત્યારે તેમને સમજાયું કે રાસાયણિક ખેતીના આરોગ્ય પર ગંભીર પ્રભાવ પડી શકે છે. પિતાના અવસાન પછી તેમણે નક્કી કર્યું કે હવે તેઓ ખેતીમાં ઝેરી રસાયણોનો ઉપયોગ નહીં કરે. </p>
<p>વર્ષ 2019માં કલ્પેશે પોતાની જમીન પર કુદરતી ખેતીનો પ્રયોગ શરૂ કર્યો. સુરતની ખાનગી કંપનીમાં કેમિકલ ઓપરેટર તરીકે નોકરી સાથે તેમણે ગુજરાત કૃષિ વિભાગ દ્વારા આયોજિત તાલીમમાં ભાગ લીધો અને જીવામૃત જેવી કુદરતી પદ્ધતિઓ શીખી. </p>
<p>આજે તેઓ લગભગ સાડા ત્રણ બીઘા જમીનમાં 50થી વધુ જાતની કેળાની ખેતી કરે છે. તેમાં પૂવન, રસથાળી, બસરાઈ, લાલ કેળું, એલચી અને આંતરરાષ્ટ્રીય સ્તરે લોકપ્રિય બ્લૂ જાવા જેવી જાતોનો સમાવેશ થાય છે. તેમના ખેતરમાં ઉત્પન્ન થતી કેળાની લૂમો સામાન્ય રીતે 30 કિલોથી વધુ વજન ધરાવે છે. વર્ષ 2025માં તેમના ખેતરમાં 73 કિલો વજનની કેળાની લૂમ ઉત્પન્ન થતાં કૃષિ વૈજ્ઞાનિકો અને દેશભરના ખેડૂતોનું ધ્યાન ખેંચાયું હતું. </p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-05/0235.jpg" alt="02" width="1280" height="720"></img></p>
<p>કલ્પેશ પટેલના જણાવ્યા મુજબ કુદરતી ખેતી અપનાવ્યા પછી તેઓ દર વર્ષે પ્રતિ બીઘા રૂ. 15 હજારથી 20 હજાર સુધીનો ખર્ચ બચાવે છે. જમીનની ગુણવત્તા સુધરતાં ઉત્પાદન પણ નોંધપાત્ર રીતે વધ્યું છે. હાલમાં તેઓ સાડા ત્રણ બીઘા જમીનમાંથી દર વર્ષે અંદાજે રૂ. 10 થી 12 લાખની આવક મેળવે છે. તેઓ ન વેચાયેલા કેળાંમાંથી વેફર્સ, બનાના પાવડર અને ડ્રાય બનાના ફિગ જેવી પ્રોડક્ટ્સ તૈયાર કરે છે.</p>
<p>કલ્પેશ પટેલનો આ કિસ્સો સમાજ માટે પ્રેરણારૂપ છે. તેમણે બતાવી આપ્યું છે કે માત્ર રસાયણિક ખાતરથી જ સફળ ખેતી થઇ શકે તેમ નથી.</p>]]></content:encoded>
                
                                                            <category>Charcha Patra</category>
                                    

                <link>https://www.khabarchhe.com/charcha-patra/what-the-son-did-in-surat-after-his-father-died-of-cancer-should-be-saluted/article-178056</link>
                <guid>https://www.khabarchhe.com/charcha-patra/what-the-son-did-in-surat-after-his-father-died-of-cancer-should-be-saluted/article-178056</guid>
                <pubDate>Thu, 28 May 2026 13:15:10 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-05/0235.jpg"                         length="1026760"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dr. Dinky Gajiwala]]></dc:creator>
                            </item>
            <item>
                <title>જો તમને સારી ઊંઘ આવતી ન હોય તો દાંત પણ ચેક કરાવી લેજો!! </title>
                                    <description><![CDATA[<p>આ હેડલાઇન વાંચીને કદાચ તમને એમ થશે કે ઊંઘ અને દાંતને વળી શું સંબંધ. પરંતુ બન્ને વચ્ચે સીધો સંબંધ છે. ઘણા લોકોના દાંત ઘસાયેલા હોય છે અને તૂટી ગયા હોય છે. તેમને ખબર નથી પડતી કે તેવું શા કારણે બને છે. કારણ કે તેઓ દાંતની ખૂબ કાળજી લેતા હોય છે. રેગ્યુલર બ્રશ કરતા હોય છે છતાં દાંત કેમ ઘસાઇ કે તૂટી જાય છે. તો તેની પાછળનું કારણ છે ઊંઘ. જે લોકોને ઊંઘ સારી નથી આવતી તેમના દાંત ઘસાઇ જવાની પૂરેપૂરી શક્યતા છે. <br />કારણ કે ઘણી વખત ઊંઘની સમસ્યાનું મૂળ કારણ હોઈ શકે છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/0244.jpg" alt="02" width="1200" height="720" /></p>
<p>તો ચાલો આપણે સમજીએ કે શું સમસ્યા</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/charcha-patra/if-you-are-not-sleeping-well--get-your-teeth-checked-too/article-177481"><img src="https://www.khabarchhe.com/media/400/2026-04/0146.jpg" alt=""></a><br /><p>આ હેડલાઇન વાંચીને કદાચ તમને એમ થશે કે ઊંઘ અને દાંતને વળી શું સંબંધ. પરંતુ બન્ને વચ્ચે સીધો સંબંધ છે. ઘણા લોકોના દાંત ઘસાયેલા હોય છે અને તૂટી ગયા હોય છે. તેમને ખબર નથી પડતી કે તેવું શા કારણે બને છે. કારણ કે તેઓ દાંતની ખૂબ કાળજી લેતા હોય છે. રેગ્યુલર બ્રશ કરતા હોય છે છતાં દાંત કેમ ઘસાઇ કે તૂટી જાય છે. તો તેની પાછળનું કારણ છે ઊંઘ. જે લોકોને ઊંઘ સારી નથી આવતી તેમના દાંત ઘસાઇ જવાની પૂરેપૂરી શક્યતા છે. <br />કારણ કે ઘણી વખત ઊંઘની સમસ્યાનું મૂળ કારણ હોઈ શકે છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/0244.jpg" alt="02" width="1280" height="720"></img></p>
<p>તો ચાલો આપણે સમજીએ કે શું સમસ્યા હોય છે. મેડિકલ સાયન્સમાં એક શબ્દ છે બ્રક્સિઝ્મ (Bruxism). આ સમસ્યા એટલે ઊંઘ દરમિયાન દાંત પીસવાની આદત. હવે સવાલ એ થાય છે કે કોઇ વ્યક્તિ ઊંઘ દરમિયાન દાંત કેમ પીસે છે. તો તેનો જવાબ છે કે </p>
<p>જ્યારે રાત્રે આપણે સૂઈએ છીએ ત્યારે આપણી ચેતનામાં ફેરફાર થાય છે. આપણે ચેતનાની એક એવી અવસ્થામાં હોઇએ છીએ જ્યારે આપણી ઇન્દ્રિયો શાંત હોય છે  પણ શરીર અને મગજ સતત કામ કરી રહ્યા હોય છે. તે દરમિયાન ઘણીવાર મગજ સામાન્ય કરતા થોડું વધારે સક્રિય બની જાય છે. જેને  માઇક્રો અરાઉસલ (micro-arousals) કહેવામાં આવે છે.  જ્યારે થોડા સમય માટે મગજ અચાનક જાગે—તો જડબાની પેશીઓ સક્રિય થઈ જાય છે. આ સ્થિતિને સ્લીપ બ્રકિસઝ્મ (Sleep bruxism)કહેવામાં આવે છે. આના પરિણામે દાંત કચકચાવા લાગે, જડબામાં તાણ આવે અને ઊંઘ તૂટતી રહે છે. </p>
<p>તમે જ્યારે ઊંઘથી ઉઠો ત્યારે  સવારે જડબામાં દુખાવો, દાંત સંવેદનશીલ લાગે, માથાનો દુખાવો રહે, ઊંઘ પૂરી થઈ હોવા છતાં થાક લાગે.  આ માત્ર ઊંઘની સમસ્યા નથી—એ દાંત અને જડબાની સમસ્યાના સંકેત છે.</p>
<p>ઘણાં કેસમાં ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા (Obstructive Sleep Apnea)પણ જવાબદાર હોય છે. આ સમસ્યામાં શરીરમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન જઇ શકતું નથી ત્યારે ઊંઘમાં શ્વાસ થોડા સમય માટે અટકે છે. શરીર તરત જ પ્રતિક્રિયા આપે છે—જડબાને હલાવીને હવા જવાના માર્ગને ખોલવાનો પ્રયત્ન કરે છે. આ પ્રક્રિયા વખતે દાંતના પીસાવાની સમસ્યા વધે છે અને ઊંઘ વધુ ખરાબ બને છે.</p>
<p>આવું થવા પાછળ ઘણા કારણો હોઇ શકે છે પરંતુ સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે માનસિક તણાવ પણ કારણ હોઇ શકે છે.  ચિંતા, ગુસ્સો, દબાયેલી લાગણીઓ, આ બધું સીધું જ જડબા પર અસર કરે છે. જ્યારે મન શાંત નથી, ત્યારે શરીર રાત્રે તેની અસર બતાવે છે.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/0342.jpg" alt="03" width="1280" height="720"></img></p>
<p>જો તમને સારી ઊંઘ નથી આવતી, તો માત્ર સ્લિપિંગ પીલ્સ તરફ ન દોડો. ડેન્ટિસ્ટ પાસે જઈને દાંત અને જડબાની તપાસ પણ કરાવી લો. કારણ કે<br />જો બ્રકિસ્ઝમ સમયસર પકડાઈ જાય તો દાંત બચી શકે અને ઊંઘ પણ સારી આવી શકે. </p>
<p>તો આ સમસ્યાનો ઉકેલ કઇ રીતે આવે? ચોક્કસ ઉકેલ તો જે ડેન્ટલ એક્સપર્ટે ઊંઘ અંગે પણ અભ્યાસ કર્યો હોય તે જ બતાવી શકે. જોકે, કેટલાક એવા સાધનો છે જે ઉપયોગી હોય છે. આ સાધનોમાં સ્લીપ એપ્લાયન્સેસ કે ડેન્ટલ ગાર્ડ શામેલ છે. તેનાથી દાંત બચવાની સાથે ઊંઘમાં સુધારો પણ આવતો હોય છે.</p>
<p>ક્યારેક શરીર નાના સંકેતો આપે છે—પ્રશ્ન એ છે કે આપણે તેને સમજીએ છીએ કે નહીં. જો સારી ઊંઘ નથી આવતી… તો દાંત ચેક કરાવવાનું ભૂલશો નહીં.</p>]]></content:encoded>
                
                                                            <category>Charcha Patra</category>
                                    

                <link>https://www.khabarchhe.com/charcha-patra/if-you-are-not-sleeping-well--get-your-teeth-checked-too/article-177481</link>
                <guid>https://www.khabarchhe.com/charcha-patra/if-you-are-not-sleeping-well--get-your-teeth-checked-too/article-177481</guid>
                <pubDate>Tue, 21 Apr 2026 20:17:57 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-04/0146.jpg"                         length="949873"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dr. Risshi D. Bhatt]]></dc:creator>
                            </item>
            <item>
                <title>હોમિયોપેથી- સફેદ ગોળિયો ખરેખર કઇ રીતે અસર કરે છે, શું કહે છે વિજ્ઞાન? </title>
                                    <description><![CDATA[<p>હોમિયોપેથીને લઈને વર્ષો જૂનો એક વિવાદ ચાલે છે. શું આ સારવાર પદ્ધતિ ખરેખર અસર કરે છે,  તેમાં વાસ્તવિક કોઇ વૈજ્ઞાનિક અસર પણ છે ખરી? તો આ પ્રશ્નોના જવાબ માટે જોઇએ કે આ અંગે વૈજ્ઞાનિક અભ્યાસો શું કહે છે?</p>
<p>દુનિયાભરમાં કરાયેલા કેટલાક મહત્વપૂર્ણ અભ્યાસોમાં જોવા મળ્યું છે કે હોમિયોપેથીની અસર ઘણા અભ્યાસોમાં  માનસિક કરતા શારિરિક વધુ જોવા મળી. આ તફાવત આંકડાકીય રીતે નોંધપાત્ર હતો. ખાસ કરીને વ્યક્તિગત રીતે આપવામાં આવેલી સારવારમાં સકારાત્મક પરિણામો જોવા મળ્યા.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/0242.jpg" alt="02" width="1200" height="720" /></p>
<p>વિશ્વમાં અત્યાર સુધી 300થી વધુ ક્લિનિકલ ટ્રાયલ્સ અને 100થી વધુ રોગોમાં હોમિયોપેથીનું પરીક્ષણ થઈ ચૂક્યું છે. આમાંના ઘણા અભ્યાસો એલોપેથી દવાઓ બનાવવાની પદ્ધતિઓ જેમ કે રેન્ડમાઇઝ્ડ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/charcha-patra/homeopathy-how-the-white-pill-really-works-what-science/article-177470"><img src="https://www.khabarchhe.com/media/400/2026-04/0144.jpg" alt=""></a><br /><p>હોમિયોપેથીને લઈને વર્ષો જૂનો એક વિવાદ ચાલે છે. શું આ સારવાર પદ્ધતિ ખરેખર અસર કરે છે,  તેમાં વાસ્તવિક કોઇ વૈજ્ઞાનિક અસર પણ છે ખરી? તો આ પ્રશ્નોના જવાબ માટે જોઇએ કે આ અંગે વૈજ્ઞાનિક અભ્યાસો શું કહે છે?</p>
<p>દુનિયાભરમાં કરાયેલા કેટલાક મહત્વપૂર્ણ અભ્યાસોમાં જોવા મળ્યું છે કે હોમિયોપેથીની અસર ઘણા અભ્યાસોમાં  માનસિક કરતા શારિરિક વધુ જોવા મળી. આ તફાવત આંકડાકીય રીતે નોંધપાત્ર હતો. ખાસ કરીને વ્યક્તિગત રીતે આપવામાં આવેલી સારવારમાં સકારાત્મક પરિણામો જોવા મળ્યા.</p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/0242.jpg" alt="02" width="1280" height="720"></img></p>
<p>વિશ્વમાં અત્યાર સુધી 300થી વધુ ક્લિનિકલ ટ્રાયલ્સ અને 100થી વધુ રોગોમાં હોમિયોપેથીનું પરીક્ષણ થઈ ચૂક્યું છે. આમાંના ઘણા અભ્યાસો એલોપેથી દવાઓ બનાવવાની પદ્ધતિઓ જેમ કે રેન્ડમાઇઝ્ડ અને ડબલ-બ્લાઇન્ડ પદ્ધતિથી કરવામાં આવ્યા છે, જે આધુનિક વૈજ્ઞાનિક માપદંડો મુજબ વિશ્વસનીય માનવામાં આવે છે.</p>
<p>જોકે, એલોપેથી અને હોમિયોપેથીમાં મોટો ફર્ક એ છે કે એલોપેથી દરેક દર્દીને એક શરીર તરીકે જૂએ છે. એલોપેથીમાં રોગના લક્ષણોને આધારે દવા આપવામાં આવે છે.  જ્યારે હોમિયોપેથી દરેક દર્દીને એક અલગ વ્યક્તિ તરીકે જૂએ છે.  દરેક દર્દીને વ્યક્તિગત લક્ષણોને આધારે અલગ દવા આપવામાં આવે છે.  એટલે જો એલોપેથીના માપદંડોથી હોમિયોપેથીને ચકાસવામાં આવે તો તે તેના પરિણામો જુદા જ આવશે. </p>
<p>આપણે એક સામાન્ય ઉદાહરણથી સમજીએ. દર્દીઓનું એક જૂથ છે. તમામને એક જ પ્રકારના અસ્થમાની તકલીફ છે. તમામની ઊંમર, વજન અને બીજુ બધું સરખું છે. હવે આમની સારવાર કરવી હોય તો એલોપેથીમાં તમામને લગભગ એક જ પ્રકારની દવા આપવામાં આવશે કારણ કે તમામના લક્ષણો એક જ પ્રકારના દેખાશે. જોકે, હોમિયોપેથીની પદ્ધતિ જુદી છે. હોમિયોપેથી પહેલા તમામ દર્દીઓમાં શું તફાવત છે, એ જોશે. કદાચ તમામ દર્દીઓને જુદી જુદી દવાઓ પણ આપવામાં આવે.   </p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/0340.jpg" alt="03" width="1280" height="720"></img></p>
<p>આમ, એલોપેથી અને હોમિયોપેથી બન્ને પદ્ધતિઓ જ જુદી છે. બન્નેની પોતાની ખાસિયતો છે. બન્નેની પોતાની મર્યાદાઓ છે.  જોકે, ડિબેટ વર્ષોથી ચાલી આવી છે. હજુ પણ ચાલશે. અંતે તો દર્દીને પરિણામ શું મળે છે તે જ મહત્ત્વનું છે.જ્યાં હોમિયોપેથી કામ કરે છે ત્યાં તેનો ઉપયોગ કરાય અને જ્યાં એલોપેથી અસરકારક છે ત્યાં એલોપેથીને ઉપયોગમાં લેવાય. ભારત જેવા દેશમાં હોમિયોપેથીથી સારવાર કરાવનારા લાખો લોકો છે. તેમને જો ફાયદો થતો હશે તો જ ઉપયોગ કરતા હશે. આમ, આજના સમયમાં આખી દુનિયામાં ઇન્ટિગ્રેટિવ અપ્રોચ અપનાવાઇ રહ્યો છે. જે પદ્ધતિ જે રોગોમાં વધુ અસરકારક હોય છે તેનો ઉપયોગ કરવાનું વલણ વધી રહ્યું છે.</p>]]></content:encoded>
                
                                                            <category>Charcha Patra</category>
                                    

                <link>https://www.khabarchhe.com/charcha-patra/homeopathy-how-the-white-pill-really-works-what-science/article-177470</link>
                <guid>https://www.khabarchhe.com/charcha-patra/homeopathy-how-the-white-pill-really-works-what-science/article-177470</guid>
                <pubDate>Tue, 21 Apr 2026 12:24:37 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-04/0144.jpg"                         length="964816"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dr. Sunil Shah]]></dc:creator>
                            </item>
            <item>
                <title>અક્ષય કુમારે પિતા ગુમાવ્યા હતા, પુરુષોને આપી PSA ટેસ્ટની સલાહ</title>
                                    <description><![CDATA[<p><span lang="gu" xml:lang="gu">જાણીતા ફિલ્મ અભિનેતા અને હેલ્થ પ્રત્યે સતત જાગૃતિ ફેલાવતા રહેતા અક્ષય કુમારે પોતાના પિતાનો દાખલો આપવા સાથે દરેક પુરુષોને નિયમિત </span>PSA <span lang="gu" xml:lang="gu">ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે.</span>  </p>
<p><span lang="gu" xml:lang="gu">ભારતમાં પ્રોસ્ટેટ કેન્સર વિશે જાગૃતિનો અભાવ હજુ પણ ગંભીર સમસ્યા છે. તાજેતરમાં બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારે પોતાના પિતાના અવસાનનો દાખલો આપતા પુરુષોને નિયમિત </span>PSA <span lang="gu" xml:lang="gu">ટેસ્ટ કરાવતાર રહેવાની અપીલ કરી છે. તેમનું કહેવું છે કે યોગ્ય સમયે તપાસ નહીં કરાવવાના કારણે તેમના પરિવારને મોટું નુકસાન ભોગવવું પડ્યું છે. </span></p>
<p><strong>PSA <span lang="gu" xml:lang="gu">ટેસ્ટ શું છે અને કેમ મહત્વનો છે</span>?</strong></p>
<p>PSA (Prostate-Specific Antigen) <span lang="gu" xml:lang="gu">એક પ્રકારનું પ્રોટીન છે</span>, <span lang="gu" xml:lang="gu">જે પ્રોસ્ટેટ ગ્રંથિ દ્વારા બને છે. એક સામાન્ય બ્લડ ટેસ્ટ</span></p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.khabarchhe.com/charcha-patra/akshay-kumar-lost-his-father--advises-men-to-get-psa-test/article-177156"><img src="https://www.khabarchhe.com/media/400/2026-04/012.jpg" alt=""></a><br /><p><span lang="gu" xml:lang="gu">જાણીતા ફિલ્મ અભિનેતા અને હેલ્થ પ્રત્યે સતત જાગૃતિ ફેલાવતા રહેતા અક્ષય કુમારે પોતાના પિતાનો દાખલો આપવા સાથે દરેક પુરુષોને નિયમિત </span>PSA <span lang="gu" xml:lang="gu">ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે.</span> </p>
<p><span lang="gu" xml:lang="gu">ભારતમાં પ્રોસ્ટેટ કેન્સર વિશે જાગૃતિનો અભાવ હજુ પણ ગંભીર સમસ્યા છે. તાજેતરમાં બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારે પોતાના પિતાના અવસાનનો દાખલો આપતા પુરુષોને નિયમિત </span>PSA <span lang="gu" xml:lang="gu">ટેસ્ટ કરાવતાર રહેવાની અપીલ કરી છે. તેમનું કહેવું છે કે યોગ્ય સમયે તપાસ નહીં કરાવવાના કારણે તેમના પરિવારને મોટું નુકસાન ભોગવવું પડ્યું છે. </span></p>
<p><strong>PSA <span lang="gu" xml:lang="gu">ટેસ્ટ શું છે અને કેમ મહત્વનો છે</span>?</strong></p>
<p>PSA (Prostate-Specific Antigen) <span lang="gu" xml:lang="gu">એક પ્રકારનું પ્રોટીન છે</span>, <span lang="gu" xml:lang="gu">જે પ્રોસ્ટેટ ગ્રંથિ દ્વારા બને છે. એક સામાન્ય બ્લડ ટેસ્ટ દ્વારા તેનું સ્તર માપી શકાય છે. આ ટેસ્ટ દ્વારા પ્રોસ્ટેટ કેન્સરનું શરૂઆતના તબક્કામાં જ નિદાન શક્ય બને છે. શરૂઆતના સ્ટેજમાં જો નિદાન થઇ જાય તો તે સારવારની સફળતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કૅન્સર નિષ્ણાત તરીકે મારું માનવું છે કે પ્રોસ્ટેટ કેન્સર ઘણીવાર શરૂઆતમાં કોઈ લક્ષણ આપતું નથી. તેથી</span>, <span lang="gu" xml:lang="gu">લક્ષણો દેખાય તે પહેલા સ્ક્રીનિંગ જ જીવન બચાવી શકે છે.</span></p>
<p><img src="https://www.khabarchhe.com/media/2026-04/032.jpg" alt="03" width="1280" height="720"></img></p>
<p><strong>50<span lang="gu" xml:lang="gu"> વર્ષ પછી ખાસ ધ્યાન કેમ જરૂરી</span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">અભ્યાસો અને ક્લિનિકલ અનુભવ બતાવે છે કે </span>50<span lang="gu" xml:lang="gu"> વર્ષથી વધુ વયના પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સરનો જોખમ વધે છે. અક્ષય કુમારે પણ આ જ બાબત પર ભાર મૂક્યો છે કે આ ઉંમર પછી વાર્ષિક </span>PSA <span lang="gu" xml:lang="gu">ટેસ્ટ કરાવવો જરૂરી છે.જો પરિવારમાં કોઇને કેન્સર હોય</span>, <span lang="gu" xml:lang="gu">તો તપાસ વધુ વહેલી ઉંમરે શરૂ કરી દેવી જરૂરી છે.</span></p>
<p><strong><span lang="gu" xml:lang="gu">જાગૃતિનો અભાવ – સૌથી મોટો ખતરો</span></strong></p>
<p><span lang="gu" xml:lang="gu">ભારતમાં પુરુષો સામાન્ય રીતે પોતાના આરોગ્યને જોઇએ તેટલું મહત્ત્વ આપતા નથી. ખાસ કરીને પ્રોસ્ટેટ જેવી સમસ્યાઓમાં શરમ</span>, <span lang="gu" xml:lang="gu">અજ્ઞાનતા અને “કઈ નહીં થાય” જેવી માનસિકતાને કારણે મોડું નિદાન કરાવે છે.</span></p>
<p><span lang="gu" xml:lang="gu">અક્ષય કુમારે જણાવ્યું છે કે જો તેમને સમયસર </span>PSA <span lang="gu" xml:lang="gu">ટેસ્ટ વિશે જાણ હોત</span>, <span lang="gu" xml:lang="gu">તો કદાચ તેઓ પોતાના પિતાને બચાવી શક્યા હોત.</span></p>
<p><span lang="gu" xml:lang="gu"><img src="https://www.khabarchhe.com/media/2026-04/022.jpg" alt="02" width="1280" height="720"></img></span></p>
<p><span lang="gu" xml:lang="gu">આમ એક કૅન્સર નિષ્ણાતની રીતે હું સ્પષ્ટ રીતે કહું છું કે </span></p>
<p>50<span lang="gu" xml:lang="gu"> વર્ષ પછી નિયમિત </span>PSA <span lang="gu" xml:lang="gu">ટેસ્ટ કરાવો</span></p>
<p><span lang="gu" xml:lang="gu">પરિવાર ઇતિહાસ હોય તો વહેલી ઉંમરે સ્ક્રીનિંગ શરૂ કરો</span></p>
<p><span lang="gu" xml:lang="gu">યુરિન સંબંધિત લક્ષણો (વારંવાર પેશાબ</span>, <span lang="gu" xml:lang="gu">દુખાવો) અવગણશો નહીં</span></p>
<p><span lang="gu" xml:lang="gu">સમયસર નિદાન = વધુ સારું સારવાર પરિણામ</span></p>]]></content:encoded>
                
                                                            <category>Charcha Patra</category>
                                    

                <link>https://www.khabarchhe.com/charcha-patra/akshay-kumar-lost-his-father--advises-men-to-get-psa-test/article-177156</link>
                <guid>https://www.khabarchhe.com/charcha-patra/akshay-kumar-lost-his-father--advises-men-to-get-psa-test/article-177156</guid>
                <pubDate>Wed, 01 Apr 2026 15:12:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.khabarchhe.com/media/2026-04/012.jpg"                         length="950065"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[Dr. Dinky Gajiwala]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        