આ શહેરમાં તિલક વગર ખૈલેયાઓને પ્રવેશ મળશે નહીં, ગરબા ગ્રાઉન્ડ બહાર બેનરો લાગ્યા

આજથી એટલે કે રવિવાર 15 ઓકટોબરથી નવલી નવરાત્રિનો પ્રારંભ થઇ ચૂક્યો છે અને ખૈલેયાઓમાં 24 ઓકટોબર સુધી ગરબા રમવાનો થનગનાટ પણ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે ફરી એકવાર ગરબાના સ્થળે  જગ્યાઓ પર તિલક વગર પ્રવેશ નહીં મળે તેવા બેનરો લાગ્યા છે. 

ડભોઇના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાએ કહ્યું હતું કે, વડોદરના ડભોઇમાં ગઢભવાની કલ્ચર ગ્રુપ દ્રારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ખેલૈયાઓએ તેમના કપાળ પર ફરજિયાત તિલક લગાવવું પડશે. તિલક હશે તો પ્રવેશ મળશે. ડભોઇમાં ગઢ ભવાની માતાનું 850 વર્ષ જુનુ મંદિર છે અને અહીં મોટા ગરબા થાય છે.

ભાજપના કલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે પણ કહ્યું છે કે નવરાત્રિમા ગરબા તો સનાતન ધર્મની પરંપરા પ્રમાણે જ ઉજવાવવા જોઇએ.

વિશ્વ હિંદુ પરિષદના ગુજરાતના મહામંત્રી અશોક રાવલે કહ્યું છે કે, નવરાત્રિ હિંદુ ધર્મનો તહેવાર છે અને અન્ય ધર્મના લોકોએ તેમાં ચંચૂપાત ન કરવો જોઇએ. તેમણે કહ્યું કે નવરાત્રિમાં લોકો માતાજીની પૂજા કરે છે અને શ્રધ્ધા રાખે છે. કેટલાંક લોકો ગરબામાં આવી જાય છે અને બહેન દીકરીઓ સાથે પછી લવ-જેહાદ જેવા સવાલો ઉભા થાય છે. ગરબામાં તિલક લગાવીને જ જવું જઇએ અને દરેકના આઇ ડી કાર્ડ ચેક કર્યા પછી જ પ્રવેશ અપાવવો જોઇએ.

ભાજપના નેતાઓના તિલક લગાવવાના નિર્ણય સામે રાજકારણ પણ શરૂ થઇ ગયું છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ કહ્યું કે, તિલક લગાવીને પ્રવેશ મળવાના આ નિર્ણયને હું વખોડું છું. ગરબામાં તિલક લગાવવાની કોઇ જરૂર નથી. જો કે, તેમણે એમ પણ કહ્યુ કે, નવરાત્રિમાં અસમાજિક તત્વો ઘુસી ન જાય તેનું તંત્રએ ધ્યાન રાખવું પડશે. મકવાણાએ કહ્યું કે ભાજપે ગરબા આયોજનના સ્થળે હાર્ટએટેક વિશે તકેદારી રાખવાની જરૂર છે.

તો કોંગ્રેસના ધારાસભ્ય અને દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાડિયાએ કહ્યુ હતું કે, નવરાત્રિમાં દેખાડો નહી, પરંતુ શ્રધ્ધા હોવી જોઇએ. શાસ્ત્રો કે નીતિ નિયમો ભાજપ નક્કી કરી શકે નહીં. જેમને જે રીતે ગરબા રમવા હોય તે રીતે રમે. મોઢવાડિયાએ ભાજપ નેતાના તિલક લગાવવાના નિર્ણય અંગે કહ્યું હતું કે, આવા લોકોનો જન્મ હમણાં જ થયો છે અને તે પણ રાજનીતિ કરવા માટે, ધર્મ માટે થયો નથી. આખા ગુજરાતે ગરબા કરવા જોઇએ.

About The Author

Related Posts

Top News

વૈજ્ઞાનિકોએ સીસામાંથી ગોલ્ડ બનાવી દીધું

વૈજ્ઞાનિકોએ એક અદભુત સફળતા હાસંલ કરી છે. યુરોપિયન ન્યુક્લિયર રિસર્ચ ઓપરેશનના વૈજ્ઞાનિકોએ સીસા જેવી સામાન્ય ધાતુમાંથી સોનું બનાવી દીધું છે....
Science 
વૈજ્ઞાનિકોએ સીસામાંથી ગોલ્ડ બનાવી દીધું

સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...

ઓપરેશન સિંદુર પછી ભારતના ડિરેકટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) રાજીવ ઘઇ ચર્ચામાં છે. પાકિસ્તાનના DGMOએ રાજીવ ઘઇ...
National 
સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...

સૌરાષ્ટ્રના આ ખેડૂત કોથિંબાની કાચરી થકી લાખોનો બિઝનેસ કરે છે

સૌરાષ્ટ્રના એક ખેડૂત કોથિંબાની કાયરીનો એવો ગૃહઉદ્યોગ ચલાવે છે જેનાથી તેઓ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ખેડૂતો અને આજના...
Gujarat 
સૌરાષ્ટ્રના આ ખેડૂત કોથિંબાની કાચરી થકી લાખોનો બિઝનેસ કરે છે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 16-05-2025 દિવસ: શુક્રવાર મેષ: તમારી કેટલીક યોજનાઓ લાંબા સમયથી કાર્યસ્થળ પર લટકી રહી હતી, તેથી તમારે તેનું ધ્યાન રાખવું...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.