CID ફેમ દિનેશ ફડનીસનું મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરથી નિધન, શું હોય છે આ બીમારી

પ્રખ્યાત ક્રાઈમ શો 'CID'માં ફ્રેડરિક્સનું પાત્ર ભજવનાર અભિનેતા દિનેશ ફડનીસનું ગઈકાલે રાત્રે એટલે કે 4 ડિસેમ્બરે નિધન થયું હતું. જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહેલા અભિનેતાનું ગઈકાલે રાત્રે લગભગ 12 વાગ્યે અવસાન થયું હતું. તેમને મુંબઈની તુંગા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના અંતિમ સંસ્કાર આજે 5મી ડિસેમ્બરે થશે અને સૌથી લાંબા સમય સુધી ચાલતા શો 'CID'ની આખી સ્ટાર કાસ્ટ હાલમાં તેમના ઘરે હાજર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિનેશની હાલત નાજુક હતી અને તે વેન્ટિલેટર સપોર્ટ પર હતા. તેઓ 57 વર્ષના હતા. 15 દિવસ પહેલા જ તેમના લગ્નની વર્ષગાંઠ ઉજવાઇ હતી. 

તેઓ લીવર ડેમેજની સમસ્યાથી પીડિત હતા. આ અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે, અભિનેતાને હાર્ટ એટેક આવ્યો હતો જેને દયાનંદ શેટ્ટીએ ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે, તેમનું લીવર જ ખરાબ હતું. તેમના નજીકના મિત્ર દયાનંદ શેટ્ટીએ મીડિયા સૂત્રો સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે, 'હા, એ સાચું છે કે તે હવે નથી રહ્યા. આ ઘટના લગભગ મોડી રાત્રે 12.08 વાગ્યે બની હતી. હું અત્યારે તેના ઘરે જ છું. તેમના અંતિમ સંસ્કાર આજે થશે. CIDના લગભગ તમામ (કલાકારો) લોકો અત્યારે અહીં હાજર છે.'

તેમના પરિવારમાં તેમની પત્ની નયના અને પુત્રી તનુ છે. દિનેશ ફડનીસ CIDના શોમાં ફ્રેડરિક્સ તરીકે ઓળખાય છે. તેણે સૌથી પ્રખ્યાત શો 'CID'માં કામ કર્યું, જે ભારતીય ટેલિવિઝન પર નંબર વન હતો. તે ઘરે ઘરે પ્રખ્યાત બની ગયો અને પ્રેક્ષકોનું ઘણું ધ્યાન આકર્ષિત કર્યું હતું. તેણે 1998 થી 2018 સુધી આ શોમાં કામ કર્યું હતું અને અન્ય કલાકારોની જેમ તે પણ બાળકોમાં ખૂબ પ્રખ્યાત થયો હતો. માત્ર 'CID' જ નહીં, દિનેશે અન્ય એક હિટ સિટકોમ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં પણ કેમિયો કર્યો હતો. તે કેટલીક ફિલ્મોમાં કેમિયો રોલમાં પણ જોવા મળ્યો છે.

1990ના દાયકામાં જન્મેલા બાળકોના દિલમાં 'CID'નું વિશેષ સ્થાન છે. તે 1990 અને 2000ના દાયકાના સૌથી લોકપ્રિય અને વ્યાપકપણે જોવાયેલા ટેલિવિઝન શોમાંનો એક હતો. તે સોની TV પર પ્રસારિત થયું અને તેની મજબૂત કાસ્ટ અને વાર્તા વડે સતત દર્શકોના દિલ જીતી લીધા. આ શોની સ્ટાર કાસ્ટમાં શિવાજી સાટમ, દયાનંદ શેટ્ટી, આદિત્ય શ્રીવાસ્તવ, જાનવી છેડા ગોપાલિયા, હૃષિકેશ પાંડે, શ્રદ્ધા મુસળે અને અન્ય ઘણા લોકો સામેલ હતા.

શું હોય છે મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોર 

તેમનું નિધન મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરના કારણે થયું હોવાનું રિપોર્ટ્સ બતાવે છે. કહેવાય છે કે તેમને કોઇ બીમારી થઇ હતી. તે બીમારીની દવા લઇ રહ્યા હતા. આ દવાની આડઅસર તેમના લીવર પર થઇ. લીવર પર અસર થવાને કારણે તેમના બીજા અંગો પણ કામ કરતા અટકી ગયા. આમ, મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોર ના કારણે તેમનું નિધન થયું. મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોર એટલે શરીરના એક કરતા વધુ અંગે જેમ કે કીડની, લીવર, હાર્ટ, મગજ કામ કરતા બંધ થઇ જાય તેને કારણે મૃત્યુ થઇ જાય છે. આવું થવા પાછળના ઘણા કારણો હોય છે. 

 

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-03-2025 દિવસ: શનિવાર મેષ: આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોએ સાવધાન રહેવું પડશે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી
Copyright (c) Khabarchhe All Rights Reserved.