સોનાક્ષી-ઝહીરની ટ્રોલિંગ પર શત્રુઘ્નએ કહ્યું-દીકરીએ કોઈ ગેરકાયદેસર કામ નથી કર્યુ

આ દિવસોમાં સોનાક્ષી સિન્હા ઝહીર ઇકબાલ સાથેના તેના ઇન્ટરફેથ મેરેજને કારણે ટ્રોલના નિશાને છે. તેને અને ઝહીરને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. 23 જૂને જ્યારે સોનાક્ષીએ લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી ત્યારે તેણે કોમેન્ટ સેક્શન બંધ કરી દીધું જેથી કરીને કોઈ તેને ટ્રોલ ન કરી શકે.

સોનાક્ષીના લગ્નને લઈને વિરોધ બિહાર સુધી પહોંચ્યો હતો. બિહારની હિંદુ શિવભવાની સેનાના એક કાર્યકર્તાએ લગ્નને લવ જેહાદ સાથે જોડીને ધમકી આપી હતી કે, જો શત્રુઘ્ન સિન્હા તેની પુત્રીના લગ્ન પર પુનર્વિચાર નહીં કરે તો સોનાક્ષીને બિહારમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં.

હવે શત્રુઘ્ન સિંહાએ લગ્ન સંબંધિત વિવાદો અને સોનાક્ષી અને ઝહીરના ટ્રોલિંગ પર પોતાનું મૌન તોડ્યું છે. મીડિયા સૂત્રો સાથે વાત કરતા, તેમણે કહ્યું, 'આનંદ બક્ષી સાહેબે આવા વ્યાવસાયિક વિરોધીઓ માટે ખૂબ સારી વાત લખી હતી, કુછ તો લોગ કહેંગે, લોગ કા કામ હૈ કહેના. હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે, જે લોકો કહે છે તે બેકાર અને કોઈ કામ વગરના હોય, તો આવું કહેવું જ તેમનું કામ બની જાય છે. મારી દીકરીએ કશું ગેરકાયદે કે ગેરબંધારણીય કર્યું નથી. લગ્ન એ બે વ્યક્તિઓ વચ્ચેનો અત્યંત અંગત નિર્ણય છે. આ અંગે કોઈને પણ ટિપ્પણી કરવાની કે દખલ કરવાની છૂટ નથી. જે લોકો લગ્નનો વિરોધ કરી રહ્યા છે, હું તેમને કહીશ કે જાઓ અને જીવનમાં કંઈક સારું કામ કરો.

તાજેતરમાં હિન્દુ શિવભવાની સેનાના સભ્ય લવ કુમાર સિંહ ઉર્ફે રુદ્રએ એક પોસ્ટર પ્રકાશિત કર્યું હતું, જેમાં તેણે ધમકી આપી હતી કે, તે સોનાક્ષીને બિહારમાં પ્રવેશવા દેશે નહીં.

પોસ્ટરમાં લખવામાં આવ્યું હતું કે, સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્ન લવ જેહાદને પ્રોત્સાહન આપે છે. સમગ્ર દેશનું ઇસ્લામીકરણ કરવાનો પ્રયાસ. શત્રુઘ્ન સિન્હાજીએ લગ્નના નિર્ણય પર પુનર્વિચાર કરવો જોઈએ, અન્યથા તેમના પુત્રો લવ, કુશ અને તેમના ઘર પર લખાવેલું 'રામાયણ'નું નામ તરત જ બદલી નાખવું જોઈએ. આ હિંદુ ધર્મનું અપમાન થઇ રહ્યું છે.

ઝહીર સાથેના લગ્નના સમાચાર સામે આવ્યા પછી એવી અટકળો ચાલી રહી હતી કે, સોનાક્ષી પોતાનો ધર્મ બદલીને મુસ્લિમ બની જશે, પરંતુ એવું થયું નથી. ઝહીર ઈકબાલના પિતા ઈકબાલ રત્નાસીએ એક ઈન્ટરવ્યુમાં સ્પષ્ટ કર્યું હતું કે, સોનાક્ષી પોતાનો ધર્મ બદલશે નહીં.

સોનાક્ષી અને ઝહીરે હિંદુ અને મુસ્લિમ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા વિના 23 જૂને રજિસ્ટર્ડ લગ્ન કર્યા હતા. આ પછી, તેણે 23 જૂનની રાત્રે મુંબઈના બૈસ્ટિયન રેસ્ટોરન્ટમાં લગ્નનું રિસેપ્શન આપ્યું હતું, જેમાં સલમાન ખાન, રેખા, કાજોલ સહિત ફિલ્મ ઉદ્યોગના ઘણા મોટા સ્ટાર્સે હાજરી આપી હતી.

About The Author

Related Posts

Top News

ગુજરાતના ગામડામાં પ્લાસ્ટર વગરના મકાનમાં રહેતા છોકરાને IIMમાં પ્રવેશ મળ્યો

પડકારોને વીંધીને સફળતાના શિખરો સર કરનારા અનેક સફળ લોકોની ગાથા છે. 2 વર્ષ પહેલા 12th  ફેઇલ ફિલ્મ આવેલીIPS ...
Education 
ગુજરાતના ગામડામાં પ્લાસ્ટર વગરના મકાનમાં રહેતા છોકરાને IIMમાં પ્રવેશ મળ્યો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 20-05-2025 દિવસ: મંગળવાર મેષ: આજે તમારે અતિશય ખર્ચ કરવાથી બચવું પડશે, નહીં તો તમે તમારી સંચિત સંપત્તિ પણ ખતમ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?

ઓપરેશન સિંદુરમાં ભારતે પાકિસ્તાન સાથે શું કર્યું તેની વાત દુનિયાના દેશો સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર સર્વપક્ષીસ સાંસદોની ટીમ બનાવી...
Politics 
શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?

સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું

IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી. આટલો વિસ્ફોટક ખેલાડી જેના માટે લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયાની બોલી લગાવી. ટીમ...
Sports 
સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.