કર્ણ વિશે મહાભારતના દૂર્યોધને કહ્યું- 'મેં મારો ભાઈ ગુમાવ્યો', કેન્સર તો મટી ગયું હતું, પણ...

લોકપ્રિય ટેલિવિઝન અભિનેતા પંકજ ધીરનું બુધવાર, 15 ઓક્ટોબર, 2025ના રોજ અવસાન થયું હતું. તેમણે B.R. ચોપરાના ઐતિહાસિક ધારાવાહિક મહાકાવ્ય મહાભારતમાં 'કર્ણ'નું અમર પાત્ર ભજવ્યું હતું. તેમણે 68 વર્ષની વયે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી કેન્સરથી પીડાઈ રહ્યા હતા. થોડા સમય પહેલા તેમની તબિયતમાં સુધારો પણ થયો હતો, પરંતુ ગયા વર્ષે જૂનો રોગ પાછો ફર્યો.

Pankaj-Dheer-Puneet-Issar4
aajtak.in

તેમના નિધનથી TV અને ફિલ્મ ઉદ્યોગમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. મહાભારતમાં 'દુર્યોધન'ની ભૂમિકા ભજવનાર અભિનેતા પુનીત ઇસ્સરએ તેમના નજીકના મિત્રના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું, 'પંકજ ફક્ત પડદા પર જ મારો ભાઈ નહોતો, તે વાસ્તવિક જીવનમાં પણ મારા ભાઈ જેવો જ હતો. આજે મેં મારો ભાઈ ગુમાવી દીધો.'

મહાભારતના શૂટિંગ દરમિયાન પુનીત ઇસ્સર અને પંકજ ધીરની મિત્રતા ગાઢ બની. તેમના પરિવારો વચ્ચે પણ લાંબા સમયથી સંબંધ હતો, કારણ કે તેમના બંનેના પિતા સારા મિત્રો હતા. પુનીતે જણાવ્યું કે, તેઓ પ્રેમથી એકબીજાને અલગ અલગ નામોથી બોલાવતા હતા, પંકજ તેમને 'પુનિટોસ' કહેતા હતા અને પુનીત તેમને 'પિંક્સ' કહેતા હતા.

Pankaj-Dheer-Puneet-Issar2
ndtv.in

પુનીત અને પંકજે 'મહાભારત'માં કર્ણ અને દુર્યોધન તરીકે પણ અદ્ભુત ભાગીદારી કરી હતી. તેઓની વચ્ચે દોસ્તી ખૂબ જ ગાઢ હતી, અને તેમની વાસ્તવિક જીવનની મિત્રતાએ તેમને આ બંધનને ખૂબ જ સરળતાથી TV પર દર્શાવવાની મંજૂરી આપી. પુનીત ઇસ્સરએ કહ્યું કે, પંકજ એક પ્રતિભાશાળી અભિનેતા અને એક અદ્ભુત માણસ હતા. તેમણે અભિનેતાના પરિવારને શાંતિ અને શક્તિની કામના કરી.

લાગણીવશ થઇ ગયેલા તેમણે કહ્યું, 'હું હજુ તેમને 20 દિવસ પહેલા જ તેમના ઘરે મળ્યો હતો. અત્યારે મને વિશ્વાસ નથી આવતો કે તેઓ અત્યારે અહીં નથી. અમે સાથે ઘણો સમય વિતાવ્યો છે, અને શબ્દો ઓછા પડે છે અ વિશે કહેવા માટે. હું દાયકાઓથી શેર કરેલી અમારી મીઠી યાદો વિશે વાત કરવાનું પણ શરૂ કરી શકતો નથી. નિકેતન મારી સામે જ મોટો થયો.'

Pankaj-Dheer-Puneet-Issar
aajtak.in

પંકજ ધીરે 1980ના દાયકામાં પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. મહાભારત ઉપરાંત, તેમણે બાદશાહ, તુમકો ના ભૂલ પાયેંગે અને જમીન સહિત ઘણી લોકપ્રિય ફિલ્મોમાં અભિનય કર્યો હતો. ટેલિવિઝનમાં, તેમણે સસુરાલ સિમર કા, રાજા કી આયેગી બારાત અને અન્ય ધારાવાહિકોમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી હતી.

પંકજ ધીરના પરિવારમાં તેમની પત્ની, પુત્ર નિકેતન ધીર અને પુત્રવધૂ કૃતિકા સેંગરનો સમાવેશ થાય છે. તેમનું નિધન ફિલ્મ ઉદ્યોગ માટે એક મોટું નુકસાન છે.

About The Author

Top News

ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

ઉત્તર ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ...
National 
ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને શનિવારે તેમણે બનાસ ડેરીમાં કેટલાક ઉદઘાટન પણ કર્યા....
Gujarat 
અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

જામનગરના ટાઉન હોલમાં એક સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલ સિંહ જાડેજાએ જૂતુ મારવાની ઘટનાને કારણે આમ આદમી પાર્ટી એકદમ જોરમાં આવી...
Politics 
શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

બરાબર એજ સમયે ભારતના ઘણા શહેરોમાં ઇન્ડિગોની અવ્યવસ્થા અને 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થવાને કારણે હાહાકાર મચી ગયો હતો,...
World 
‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.