મળી રહી છે મારી નાખવાની ધમકી, ફરિયાદ બાદ શાહરૂખને સરકારે આપી Y+ કેટેગરી સુરક્ષા

બોલિવુડના બાદશાહ શાહરુખ ખાનને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. શાહરુખની સેફ્ટીને જોતા તેની સુરક્ષા વધારી દેવામાં આવી છે. હવે તેને Y+ સિક્યોરિટી આપવામાં આવશે. શાહરુખની ફિલ્મોએ વર્ષ 2023માં બોક્સ ઓફિસ પર શાનદાર પરફોર્મ કર્યું છે. તેણે ‘જવાન’ અને ‘પઠાણ’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોની ભેટ આપી છે. મોટી બોક્સ ઓફિસ ઇનિંગ બાદ શાહરૂખને ધમકીના કોલ આવી રહ્યા હતા, જેને જોતા મહારાષ્ટ્ર સરકારે શાહરુખની સુરક્ષા વધારવાનો નિર્ણય લીધો છે.

શાહરુખે રાજ્ય સરકારને એક લેખિત ફરિયાદ કરી હતી કે તેની ફિલ્મ ‘પઠાણ’ અને ‘જવાન’ની સફળતા બાદ જ તેને જીવથી મારી નાખવાના કોલ આવી રહ્યા છે. એવામાં રાજ્ય સરકાર શાહરૂખની સેફટી સાથે કો બેદરકારી રાખવા માગતી નથી. રાજ્ય સરકારે કિંગ ખાનની સુરક્ષા માટે IG VIP સિક્યોરિટીનો આદેશ આપ્યો છે. તેણે કહ્યું કે, શાહરુખની સુરક્ષા વ્યવસ્થાને અપગ્રેડ કરવામાં આવે. શાહરૂખને હવેથી Y+ સિક્યોરિટી આપવામાં આવશે. જો કે, આ પેઇડ સુરક્ષા છે. પોતાની સિક્યોરિટીનો ખર્ચ શાહરુખ પોતે ઉઠાવશે. તેની ચૂકવણી શાહરુખે સરકારને કરવી પડશે.

મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે શાહરુખ ખાન સાથે હવેથી 6 પોલીસ કમાન્ડો રહેશે. એક્ટર દેશભરમાં જ્યાં પણ જશે, તેને દરેક જગ્યાએ સિક્યોરિટી આપવામાં આવશે. તેના ઘર બહાર પણ પોલીસ તૈનાત રહેશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે આવેલી શાહરુખની ફિલ્મ ‘પઠાણ’ અને ‘જવાન’એ બોક્સ ઓફિસ પર રેકોર્ડતોડ કમાણી કરી છે. ફિલ્મની મોટી સફળતાને જોતા કહેવામાં આવ્યું છે કે શાહરૂખના જીવને જોખમ છે. તેની સુરક્ષાને ધ્યાનમાં લઈને તેને એસ્કોર્ટ સ્કેલ સાથે Y+ સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે.

શાહરુખ અગાઉ સલમાન ખાનની સુરક્ષાને X થી વધારીને Y+ કરી દેવામાં આવી હતી. કંગનાને પણ Y+ સિક્યોરિટી આપવામાં આવી હતી. શાહરૂખના સ્ટારડમ આ વર્ષે અલગ લેવલ પર જલવો વિખેરી રહ્યા છે. અત્યાર સુધી તેની બે ફિલ્મો રીલિઝ થઈ ચૂકી છે. વર્લ્ડવાઈડ 1055 કરોડના કલેક્શનવાળી ‘પઠાણ’ અને તેને પાછળ છોડીને 1,100 કરોડ કામનારી ‘જવાન’થી શાહરુખે ધમાકો કર્યો. વર્ષની તેની ત્રીજી રીલિઝ ‘ડંકી’ ડિસેમ્બરમાં રીલિઝ થવાની છે અને તેની પાસેથી પણ સારી આશા રાખવામાં આવી રહી છે.

About The Author

Related Posts

Top News

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે

માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
Business 
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે શેરબજારમાં 2016 જેવી મંદી આવશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.