ભારતીય જનતા પાર્ટીએ ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકીયાના ગુજરાતમાંથી રાજ્યસભા સાંસદ તરીકે નોમિનેટ કર્યા ત્યારથી ફરી એક વખત ગોવિંદ ધોળકીયા ચર્ચામાં આવ્યા છે. આમ તો તેમની લાઇફ વિશે ઘણા બધા લોકો જાણે છે, પરંતુ કેટલીક એવી વાતો છે જે હજુ લોકોને ખબર નથી.
ગોવિંદ ધોળકીયા જ્યારે સૌરાષ્ટ્રથી સુરત આવ્યા ત્યારે એક હીરાના કારખાનમાં તેમણે હીરા ઘસવાનું કામ શરૂ કર્યુ હતું. ગોવિંદભાઇ પર પહેલેથી કથાકાર ડોંગરે મહારાજનો ભારે પ્રભાવ હતો. એક વખત સુરતમાં ડોંગરે મહારાજની કથા હતી, ગોવિંદભાઇને કથા સાંભળવા જવું હતુ, પરંતુ કારખાનાન માલિકે ના પાડી. ગોવિંદભાઇએ કહ્યું, હું દિવસમાં કથા સાંભળીશ અને મોડી રાત સુધી બેસીની હીરા ઘસવાનું કામ કરીશ.એ પછી તેઓ કથા સાંભળવા જતા અને રાત્રે મોડે સુધી કામ કરતા.
બીજું કે ગોવિંદભાઇને માત્ર 14 વર્ષની ઉંમરે આખી ભગવદ ગીતા મોઢે થઇ ગયેલી હતી.