શૈક્ષણિક સત્ર પૂરું થવા આવ્યું ત્યારે જ શિક્ષણ વિભાગને જ્ઞાન સહાયકની યાદ આવી — 6 મહિના સુધી વિદ્યાર્થીઓ ભણ્યા શિક્ષક વિના

રાજ્યના શિક્ષણ વિભાગમાં ચાલી રહેલા અંધારાનો એક જીવંત ઉદાહરણ સામે આવ્યું છે. મે મહિનાથી શરૂ થયેલું શૈક્ષણિક સત્ર હવે પૂરું થવા આવ્યું છે, ત્યારે હવે જઈને શિક્ષણ વિભાગને જ્ઞાન સહાયકોની ભરતી યાદ આવી છે. પરિણામે, છેલ્લા છ મહિનાથી રાજ્યભરની અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓને શિક્ષક વિના જ અભ્યાસ કરવો પડ્યો છે.

“વિદ્યાર્થીઓ અભ્યાસ કરે અને ભણે ગુજરાત” જેવી યોજનાઓના ધમધમતા નારા વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ છે. ધોરણ 9 થી 12 સુધીની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની અછત પૂરી કરવા માટે ‘જ્ઞાન સહાયક’ યોજના અમલમાં મુકાઈ હતી, પરંતુ આખું એક સત્ર પૂરું થવા છતાં જ્ઞાન સહાયકોની નિમણૂક થઈ શકી નથી.

gyan-sahayak1
indianexpress.com

હવે શિક્ષણ વિભાગે પ્રથમ સત્ર પૂર્ણ થયા બાદ ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. હાલમાં અમદાવાદમાં 500થી વધુ અને રાજ્યભરમાં આશરે 5,000 જ્ઞાન સહાયકોની નિમણૂક શરૂ કરવામાં આવી છે. પરંતુ આ સહાયકો શાળાઓને હવે બીજા સત્રમાં જ મળશે — તે પણ ફક્ત 11 મહિનાની સમયમર્યાદા માટે.

આ વિલંબ અંગે રાજ્યના શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે કટાક્ષ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “ગ્રાન્ટેડ શાળાઓને ધીમે ધીમે બંધ કરવાની તૈયારી ચાલી રહી છે. દર વર્ષે મે મહિનામાં જ ખબર પડી જાય છે કે કઈ શાળામાં શિક્ષક નિવૃત થયા, મૃત્યુ પામ્યા કે રાજીનામું આપ્યું. એટલે મે મહિનામાં જ નિમણૂક પ્રક્રિયા શરૂ થવી જોઈએ, જેથી 9 જૂને શાળાઓ શરૂ થાય ત્યારે શિક્ષકો હાજર રહે.”

gyan-sahayak
news18.com

તેમણે ઉમેર્યું કે, “છ મહિના સુધી સંચાલકોને જ્ઞાન સહાયક વિના શાળાઓ ચલાવવી પડી છે. વિદ્યાર્થીઓ ભણ્યા કે નહીં તેની ચિંતા કોઈને નથી, પરંતુ પરીક્ષાઓ લઈ લેવામાં આવી છે. હાલ ગણિત અને અંગ્રેજી જેવા મુખ્ય વિષયોમાં શિક્ષકો નથી. શિક્ષણ વિભાગની બેદરકારીને કારણે ગુજરાતનું શિક્ષણ ખાડામાં જઈ રહ્યું છે.”

શૈક્ષણિક નિષ્ણાતોના મતે, આવી લાપરવાહી માત્ર વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમખાણ જ નહીં, પરંતુ સમગ્ર શૈક્ષણિક વ્યવસ્થાની વિશ્વસનીયતા પર પણ પ્રશ્નચિહ્ન ઉભું કરે છે.

 

 

 

About The Author

Related Posts

Top News

સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન (vice-captain) સ્મૃતિ મંધાનાએ (Smriti Mandhana) રવિવારે એક જાહેર નિવેદન બહાર પાડીને સંગીતકાર પલાશ...
Sports 
સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સગાઈ કરી લીધી છે. કિંજલ...
Entertainment 
કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

એક તરફ દેશમાં 70 કલાક કામ કરવાને લઈને બહેસ ચાલી રહી છે. કેટલાક લોકો તેના પક્ષમાં છે, જ્યારે Gen-Z ...
National 
‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવે તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યુ હતુ કે, સરકાર વિદેશી...
National 
કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.