રાજકોટ ભાજપના નેતાઓની દિવાળી બગડી, 53 વર્ષમાં પહેલીવાર મંત્રીમંડળમાં શૂન્ય 

રાજકોટને ઘણીવાર લોકો ગુજરાતના રાજકારણનું એક કેન્દ્ર કહેતા હોય છે. કારણ કે ત્યાંથી ઘણા મોટા નેતાઓ અને મુખ્યમંત્રીઓ ગુજરાતને મળ્યા છે પરંતુ 53 વર્ષમાં પહેલી વાર રાજકોટને રાજ્ય મંત્રીમંડળમાં કોઈ પ્રતિનિધિત્વ મળ્યું નથી. 1972થી અત્યાર સુધી રાજકોટમાંથી હંમેશા ઓછામાં ઓછા એક મંત્રી રહ્યા છે, પણ આ વખતે એ પરંપરા તૂટી ગઈ છે.

રાજકોટ ગુજરાતનું ઝડપથી વિકસતું ઔદ્યોગિક અને રાજકીય રીતે મહત્વનું શહેર છે. અહીંથી ઘણા જાણીતા નેતાઓ બહાર આવ્યા છે. સૌથી પહેલા કેશુભાઇ પટેલ રાજકોટની સુધરાઇથી આગળ આવીને મુખ્યમંત્રી બનેલા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ પણ પોતાની પહેલી ચૂંટણી રાજકોટની બેઠક પરથી લડી હતી. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રાજકોટ વેસ્ટમાંથી જીત મેળવી હતી. આમ ભાજપમાંથી ત્રણ-ત્રણ મુખ્યપ્રધાનો રાજકોટથી આવ્યા હતા. આ ઉપરાંત મોટા નેતાઓમાં વજુભાઇ વાળાથી લઇને ઘણાને ગણાવી શકાય. 

3

ગયા મંત્રિમંડળમાં રાજકોટની ધારાસભ્ય ભાણુબેન બબારિયા સમાજ ન્યાય અને સશક્તિકરણ વિભાગ સંભાળતા હતા. આ વખતે ઘણા લોકોને આશા હતી કે ડૉ. દર્શિતા શાહ, જે યુવાન અને લોકપ્રિય છે તથા ત્રણ પેઢીથી આરએસએસ સાથે જોડાયેલા પરિવારમાંથી આવે છે, તેમને મંત્રીપદ મળશે. પરંતુ આ વખતે ત્રણ અન્ય મહિલાઓને સ્થાન મળ્યું છે, અને જૈન સમુદાયના હર્ષ સંઘવીને પ્રમોશન મળવાથી ડૉ. શાહની સંભાવના ઘટી ગઈ.

ઉદય કાનગડને પણ મંત્રિમંડળમાં સ્થાન મળે એવી અપેક્ષા હતી, પરંતુ હવે માનવામાં આવે છે કે તેમને ભાજપના સંગઠનમાં મોટું પદ મળશે.

02

નવી મંત્રિસભામાં કુલ 26 મંત્રી છે, જેમાંથી 9 સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના છે, છતાં પણ રાજકોટને સ્થાન મળ્યું નથી. ઘણા લોકોનું માનવું છે કે આ નિર્ણય રાજકીય સંતુલન અને સમુદાય પ્રતિનિધિત્વ ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

આ નિર્ણયથી રાજકોટના રાજકીય વર્ગમાં થોડું નિરાશાનું વાતાવરણ છે, કારણ કે શહેર હંમેશા ગુજરાતની રાજનીતિમાં મહત્વની ભૂમિકા ભજવતું આવ્યું છે.

About The Author

Related Posts

Top News

લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

એક સારી એવી નોકરી છોડીને નવા પ્લાન પર કામ કરવું પડકારજનક કામ છે. એવામાં પરિવારથી લઈને સમાજ સુધી કોઈ પણ...
Offbeat 
લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

ઘણીવાર જોવા મળે છે કે સારો બિઝનેસ આઇડિયા હોવા છતા જમીનના આસમાને પહોંચતા ભાવ ઉદ્યોગસાહસિકોના સપનાને ચકનાચૂર કરી નાખે છે....
Business 
અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

જિગ્નેશ મેવાણીએ ડો. હરિ દેસાઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, ગુજરાતમાં દારૂ- નશીલા પદાર્થના અભિયાનનું કોઇ પ્લાનીંગ નહોતુ અચાનક...
Gujarat 
 મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 07-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.