બહુ રૂપિયાવાળા મોટેભાગે... બહુરૂપિયા હોય છે

(Utkarsh Patel)જગતમાં રૂપિયાનો જબરો વટ અને જેમની પાસે રૂપિયા વધુ એમનો વટ તો જાણે કે...

 જેટલા સધ્ધર એટલા હવામાં અધ્ધર.

 ખોટું લાગશે કેટલાકને!!

 ખોટું લાગે તો ઘી વાળી બે રોટલી વધારે જમીલેજો.

આજની સમાજ વ્યવસ્થામાં રૂપિયા જેમ જેમ વધતા જાયને તેમ તેમ માણસના રૂપ પણ અલગ અલગ વધતા જાય છે.

 બહુ રૂપિયા વાળા કેટલાક વ્યક્તિ ક્યારેક લવારા કરવા માંડે તોયે લોકોને તો કથા સાંભળતા હોય એવું લાગે.

 શું કામ?

 કેમકે પૈસો બોલે!!

બહુ રૂપિયા વાળા ઘણા સજ્જનો છે આપણા સમાજમાં. પણ બહુ રૂપિયા વાળા બહુરૂપિયા પણ છે આપણી વચ્ચે છે. આ બહુરૂપિયાઓથી થોડું સાચવીને રહેવું કેમકે,

 બહુ રૂપિયા વાળા સજ્જનો સૌને સુખી કરે અને દેશનું ભલું કરે જ્યારે...

 બહુ રૂપિયા વાળા બહુરૂપિયાઓ લોકોને છેતરે અને દેશને લૂટે.

વેપાર કરો કે પછી સબંધ રાખો બહુ રૂપિયા વાળા બહુરૂપિયાઓ થી થોડું અંતર રાખવું સારું.

જરૂરી નથી કે કોઈકની પાસે વધુ રૂપિયા હોય એ વ્યક્તિ સારાજ હોય.

બહુ રૂપિયા વાળા સજ્જનો પાસેથી પ્રેરણા લેવી જોઈએ અને એમના માર્ગે પ્રગતિ કરવી જોઈએ પરંતુ બહુ રૂપિયા વાળા બહુરૂપિયાઓથી સાચવીને રહેજો કેમ કે બહુરૂપિયા હંમેશા ઠગ હોય છે અને આ ઠગો સમાજ અને દેશ બન્ને માટે હાનિકારક છે.

બહુરૂપિયાઓને કેમ કરતા ઓળખાય, એ પણ જાણી લો...

જે લોકો ધનવાન હોવાનું સાબિત કરવા મોટમોટા ઘરો, મોંઘા વાહનો, મોંઘા મોજશોખ કરી રૂપિયાનું પ્રદર્શન કરે, મોટા દેખાવા મોટા- મોટા ખર્ચા કરે  એ બધા બહુરૂપિયા કહેવાય. બહુરૂપિયાઓની પેઢીઓને ધન પચતું નથી એટલે ધનનો વ્યય કરે.

બહુ રૂપિયા વાળાઓને કેમ ઓળખાય એ પણ સમજો...

રૂપિયાનું અભિમાન ના કરે, સાદગીથી જીવે અને કોઇકની મદદક માટે હથેળી ખુલ્લી રાખે એ સાચા અર્થમાં બહુ રૂપિયા વાળા સંપન્ન લોકો કહેવાય.

આ લોકો ધનનો યથાયોગ્ય ઉપયોગ કરતા હોય છે.

અગત્યનું:

 બહુ રૂપિયા કમાજો, ખૂબ સુખી થાજો પણ ક્યારેય બહુ રૂપિયા વાળા બહુરૂપિયા બની કોઈક વ્યક્તિ કે સમૂહ કે પછી દેશને ઠગશો નહીં.

(સુદામા)

About The Author

UD Picture

Top News

વિજય માલ્યા સ્ટોરીમાંથી શીખ: શું ભારત તેના જોખમ લેનારાઓ સાથે ઉભું રહે છે?

ઉદ્યોગસાહસિકતાના વાસ્તવિક ઇકોસિસ્ટમમાં, વિજય માલ્યા નામ તીક્ષ્ણ મંતવ્યો અને ધ્રુવીકરણકારી ચર્ચા પેદા કરે છે. પરંતુ કોર્ટરૂમ ડ્રામાથી આગળ એક મહત્વપૂર્ણ...
Opinion 
વિજય માલ્યા સ્ટોરીમાંથી શીખ: શું ભારત તેના જોખમ લેનારાઓ સાથે ઉભું રહે છે?

શું બોઇંગના કર્મચારીઓ તેમના વિમાનમાં મુસાફરી નથી કરતા, વિમાન દુર્ઘટના પછી કંપની પર ફરીથી સલામતીના સવાલો

આજકાલ હવાઈ મુસાફરીને સલામત માનવામાં આવે છે, પરંતુ તાજેતરના સમયમાં બોઇંગ વિમાનો વિશે ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે....
Science 
શું બોઇંગના કર્મચારીઓ તેમના વિમાનમાં મુસાફરી નથી કરતા, વિમાન દુર્ઘટના પછી કંપની પર ફરીથી સલામતીના સવાલો

પાકિસ્તાનમાં ગધેડા ચીનને કારણે મોંઘા થયા

દેવામાં ડુબેલા પાકિસ્તાનને એક વધારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પાકિસ્તાનમાં ગધેડાના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેને કારણે...
World 
પાકિસ્તાનમાં ગધેડા ચીનને કારણે મોંઘા થયા

શું એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના માટે બોઇંગ જવાબદાર છે?

અમદાવાદ એરપોર્ટ પરથી 12 જૂને એર ઇન્ડિયાના વિમાને ટેક ઓફ કર્યું અને લગભગ 2 જ મિનિટમાં વિમાન દુર્ઘટનાનો શિકાર બની...
World 
શું એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના માટે બોઇંગ જવાબદાર છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.