જે માતા-પિતા પોતાના બાળકોનો હાથ છોડતા જ નથી...

(Utkarsh Patel) આ સંસારમાં બાળક સ્વરૂપે માનવ જન્મે અને પ્રત્યે માનવને મોટેભાગે પ્રથમ ઘડતર માતા પિતા પાસેથી જ મળે.

હા માતા-પિતા પોતે જ તેમના બાળકોના ભવિષ્ય માટે જવાબદાર હોય છે.

જે માતા-પિતા પોતાના બાળકોનો હાથ પકડીને ચાલવાનું નથી શીખવાડતા તેમના બાળકો ક્યારેય ચાલવાનું નથી શીખતા,

અને

જે માતા-પિતા પોતાના બાળકોનો હાથ છોડતા જ નથી એમના બાળકો ક્યારેય દોડવાનું નથી શીખી શકતા.

હાથ પકડો તમારા બાળકનો અનેક પછી હાથ એને ખબર ના પડે એમ છોડી દો!!

બાળકને ચાલતા શીખવાડો એને કહો તુ દોડ હવે હું તારી સાથે જ છું પાછળ વળીને ના જોઈશ.

આ હાથ પકડવાના દૃષ્ટાંતનું તાત્પર્ય ભાવાર્થ એ છે કે...

બાળકને એના જીવનમાં ઉપયોગી એવી દરેક નવી આવડત કેળવવામાં માતા-પિતાએ એને સાથ આપવો જ જોઈએ પરંતુ એ સાથ મર્યાદિત હોવો જોઈએ, આવડત કેળવાઈ ગયા પછી એને માત્ર હુંફ આપવી કે હા હું તારી સાથે જ છું તું આગળ વધ.

બાળકો પર વિશ્વાસ મુકવો જોઈએ અને એની દિશા યોગ્ય છેને એ આપણે બસ દૂરથી ધ્યાન રાખવું જોઈએ તો એને ક્યાંક વાળતા ફાવે અને એને ક્યાંક સથવારાની જરૂર પડેને તો આપણે હાજર રહી સાથ આપી શકીએ.

હું મોટેભાગે કોઇ વિષયની સમજમાં મારા જીવનની જ વાત કરતો આવ્યો કેમ કે કોઈકની વાત આપણે શું કામ કરવી જ્યારે આપણે પોતે જ યોગ્ય હોઈએ... હવે સંક્ષિપ્તમાં મારા જીવનની વાત.

મારા માતા-પિતાએ મને મારી બધી જ સારી નબળી વાતોમાં મને ટેકો કર્યો.

જીવનમાં ભણતર, સમાજસેવા, બાળપણ, યુવાનીમાં મને જેમ ફાવે તેમ જીવવા દીધો, વેપાર... કહો કે સમગ્ર જીવન વ્યવસ્થાઓમાં મને બધી જ સ્વતંત્રતા આપી. પણ તેઓની મને ખબર ના પડે એમ મારી પ્રત્યેક વાત પર ધ્યાન હોય આજેય હોય અને ક્યાંક ચૂક થતી જણાય એટલે એમની હાજરીનો અનુભવ મને કરાવે!

ટૂંકમાં ઘોડાને દોડવા દેવામાં આવે પણ લગામ તો માલિક પાસે હોય. દોડનાર ઘોડાને દોડવાની ખૂબ મજા આવે પણ ખીણ કે ખાડો આવે ત્યારે માલિક લગામ ખેચી ભાન કરાવે કે થોભીજા.

બસ આવું જ કંઈક મારું જીવન.

આપણું જ લોહી છે આપણા બાળકો.

જે માતા-પિતાના લોહીમાં સંસ્કાર હશે એજ એમના બાળકોમાં આવવાના એટલે માતા-પિતાએ પ્રથમ તો સ્વયં શું છે એ સમજી લેવું જોઈએ અને પછી એ મુજબનો સુધારા સાથેનો નવો અવતાર બાળકો સ્વરૂપે જીવે આ સંસારમાં એ કરવું જોઈએ અને એ મુજબ પોતાના બાળકોનું ઘડતર કરવું જોઈએ.

અગત્યનું:

તમારા બાળકો તમારા ઘડપણની ટેકા રૂપ લાકડી બને એવી નબળી અપેક્ષાથી બાળકોને મુક્ત કરો. એમને એમના જીવનમાં આગળ વધવા ટેકો કરો પણ એમને તમારા આધારીત કરશો નહીં.

(સુદામા)

 

About The Author

UD Picture

Top News

ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

ઉત્તર ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ...
National 
ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને શનિવારે તેમણે બનાસ ડેરીમાં કેટલાક ઉદઘાટન પણ કર્યા....
Gujarat 
અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

જામનગરના ટાઉન હોલમાં એક સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલ સિંહ જાડેજાએ જૂતુ મારવાની ઘટનાને કારણે આમ આદમી પાર્ટી એકદમ જોરમાં આવી...
Politics 
શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

બરાબર એજ સમયે ભારતના ઘણા શહેરોમાં ઇન્ડિગોની અવ્યવસ્થા અને 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થવાને કારણે હાહાકાર મચી ગયો હતો,...
World 
‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.