આગામી 10 વર્ષ અમે.. PM મોદીએ રાખી દીધો 2029ના જીતનો પણ ટારગેટ, NDAએ ચૂંટ્યા PM

નરેન્દ્ર NDAની સંસદીય દળની મીટિંગમાં મોદીને નેતા તરીકે ચૂંટી લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, અમે આગામી 10 વર્ષોમાં દેશને તેજીથી વિકાસના રસ્તે લઈ જઈશું. હું આગામી 10 વર્ષવાળી વાત ખૂબ જવાબદારીથી કરી રહ્યો છું. અમે દેશમાં ગુડ ગવર્નેન્સની વાત કરીએ છીએ. અમારી ઈચ્છા છે કે દેશના સામાન્ય નાગરિકોના જીવનમાં સરકારની દાખલઅંદાજી ઓછામાં ઓછી થાય. આ પ્રકારે 10 વર્ષની વાત કરીને નરેન્દ્ર મોદીએ 2029ની સામાન્ય ચૂંટણી માટે પણ ભાજપની જીતનો ટારગેટ આપી દીધો છે.

ઉલ્લેખનીય છે કે, નરેન્દ્ર મોદીને નેતા ચૂંટવા દરમિયાન તેમણે મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ જેવા નેતાઓના પણ ભરપેટ વખાણ કર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, મારા માટે ખુશીનો અવસર છે કે આટલા લોકોનું સ્વાગત કરવાનો અવસર મળ્યો. દિવસ-રાત જે લાખો કાર્યકર્તાઓએ પરિશ્રમ કર્યો, તેના માટે હું માથું ઝુકાવીને પ્રણામ કરું છું. 2019માં જ્યારે હું અહી બોલી રહ્યો હતો અને તમે મને ચૂંટ્યો તો મેં એક શબ્દ વિશ્વાસ પર બોલી દીધો હતો.

તેમણે આગળ કહ્યું કે, હવે ફરીથી તમે મને ફરી જવાબદારી આપી છે તો તેનો અર્થ છે કે આપણી વચ્ચે વિશ્વાસ કાયમ રહે. આ વિશ્વાસ જ સૌથી મોટી પૂંજી હોય છે. આ પળ મારા માટે ભાવુક કરી દેનારી છે. તમારા બધાનો હું જેટલો આભાર માનું એટલો ઓછો છે. ઘણા ઓછા લોકો એ વાતની ચર્ચા કરે છે, પરંતુ NDAને દેશના 22 રાજ્યોમાં લોકોએ સરકાર બનાવવાનો અવસર આપ્યો છે.

આ ગઠબંધન સાચા અર્થમાં ભારતની અસલી ભાવનાનું પ્રતિનિધિત્વ કરે છે.  આજે દેશના 10 આદિવાસી બહુધા રાજ્યોમાંથી 7માં અમારી સરકાર છે. ચૂંટણી અગાઉ ગઠબંધન ભારતના રાજનીતિક ઇતિહાસમાં આટલું સફળ ક્યારેય થયું નથી, જેટલું NDA થયું છે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સરકાર ચલાવવા માટે બહુમત જરૂરી હોય છે, પરંતુ દેશ માટે સર્વમત જરૂરી છે. હું દેશવાસીઓને ભરોસો આપું છું કે આમ સર્વમતનું સન્માન કરીશું. NDAને લગભગ 3 દશક થઈ ચૂક્યા છે.

આ કોઈ સામાન્ય ઘટના નથી. NDA ગઠબંધને 3 ટર્મ પૂરી કરી છે અને હવે ચોથી શરૂ થઈ રહી છે. રાજનીતિના જે વિશ્લેષક છે, તેઓ મુક્ત મને વિચારશે તો જાણશે કે આ NDA સત્તા પ્રાપ્ત કરવા કે સરકાર ચલાવવાનો કેટલીક પાર્ટીઓનો જમાવડો નથી, પરંતુ રાષ્ટ્ર પ્રથમની મૂળ ભાવનાથી આવનાર લોકોનું ગ્રુપ છે. વડાપ્રધાન મોદીએ આ દરમિયાન અટલ બિહારી વાજપેયી, પ્રકાશ સિંહ બાદલ, બાળાસાહેબ ઠાકરે, જોર્જ ફર્નાન્ડિસ જેવા નેતાઓને યાદ કર્યા. તેમણે કહ્યું કે, આપણો આ વારસો છે, જેના પર આપણને ગર્વ છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -14-11-2025 વાર- શુક્રવાર મેષ - પ્રિયજનથી મુલાકાત થાય, સમાજમાં નામ પ્રતિષ્ઠા વધે, બાળકોની બાબતમાં ધ્યાન આપી શકો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જૂનાગઢની કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિની રણચંડી બની, બેકાર ભોજન અને ગંદગી સામે અવાજ ઉઠાવ્યો

પાણી અને તેલમાં તરતા બટેકાનું શાક, એમાં પણ અંદર જીવાત અને ઇયળો... આવું જ કાંઈ ભોજન ગઈકાલે જૂનાગઢમાં આવેલ...
Gujarat 
જૂનાગઢની કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિની રણચંડી બની, બેકાર ભોજન અને ગંદગી સામે અવાજ ઉઠાવ્યો

CMનો મંત્રીઓને કડક આદેશ- સોમ-મંગળવારે જનતાને મળો અને રસ્તાઓ...

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના મંત્રીમંડળની વહીવટી કાર્યશૈલીમાં સુધારો લાવવા માટે કડક સૂચનાઓ જારી કરી છે, જેનો મુખ્ય હેતુ શાસનમાં...
Gujarat 
CMનો મંત્રીઓને કડક આદેશ- સોમ-મંગળવારે જનતાને મળો અને રસ્તાઓ...

ભાવનગરના હીરા ઉદ્યોગની દયનીય સ્થિતિ! દિવાળી બાદ 65-70% કારખાના ખૂલ્યા જ નથી

આ વખતે માવઠાએ ખેડૂતોને રડાવ્યા. સાથે જ ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો પણ છીનવાઇ ગયો. જેના કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય બની...
Gujarat 
ભાવનગરના હીરા ઉદ્યોગની દયનીય સ્થિતિ! દિવાળી બાદ 65-70% કારખાના ખૂલ્યા જ નથી
Copyright (c) Khabarchhe All Rights Reserved.