CM કેજરીવાલની ધરપકડ પર અન્નાએ કહ્યું- તેમના કર્મોને કારણે...

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ અન્ના હજારેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, મને દુખ થાય છે કે  કેજરીવાલે મારી વાત ન માની અને તેઓ હવે આમાં અરેસ્ટ થઈ ગયા. જ્યારે કેજરીવાલ અને મનીષ સિસોદિયા નવા-નવા અમારી સાથે આવ્યા હતા, ત્યારે મેં કહ્યું હતું કે, હંમેશાં દેશની ભલાઈ માટે કામ કરવું, પરંતુ તેમણે આ વાત ધ્યાનમાં ન રાખી. હું હવે તેમને કોઈ સલાહ નહીં આપું. કાયદો અને સરકારને જે કરવું હશે તે કરશે.

તેમણે કહ્યું કે, હું એ વાતથી વધુ પરેશાન છું કે અરવિંદ કેજરીવાલ જેઓ મારી સાથે કામ કરતા હતા ત્યારે શરાબ સામે અવાજ ઉઠાવતા હતા, તેઓ હવે શરાબ નીતિઓ બનાવી રહ્યા છે. તેમની ધરપકડ તેમના પોતાના કર્મોને કારણે થઈ છે.

કેજરીવાલને રાજીનામું આપવું પડ્યું તો કોણ સંભાળશે CMની ખુરશી, આ 3 નામ ચર્ચામાં

2024ની લોકસભાની ચૂંટણીના થોડા દિવસ અગાઉ ગુરુવાર (21 માર્ચ)એ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડે દિલ્હીના રાજકારણમાં તોફાન લાવી દીધું છે. દિલ્હીના આબકારીનીતિ કૌભાંડ કેસ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં 2 કલાકની પૂછપરછ બાદ એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી લીધી. ત્યારબાદ ચર્ચા શરૂ થઈ ગઈ કે, જો અરવિંદ કેજરીવાલ રાજીનામું આપે છે તો આગામી મુખ્યમંત્રી કોણ હશે? આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓનું તો એ જ કહેવું છે કે, અરવિંદ કેજરીવાલ જ દિલ્હીના મુખ્યમંત્રી બન્યા રહેશે અને જેલમાં રહીને સરકાર ચલાવશે.

તેના પર જેલ પ્રશાસન અને કાયદાના જાણકારોનું કહેવું છે કે, કાયદાકીય રૂપે તેમાં કોઈ પરેશાની નથી, પરંતુ પ્રેક્ટિકલી એવું મુશ્કેલ છે કેમ કે મુખ્યમંત્રી હોવાના સંબંધે ફાઇલ સાઇન કરાવવા રોજ જેલમાં આવશે. એવામાં જેલ પ્રશાસન મુખ્યમંત્રી અને જેલની સિક્યોરિટી કંપ્રોમાઇઝ કરવા નહીં માગે. હવે સવાલ એ છે કે જો અરવિંદ કેજરીવાલ રાજીનામું આપે છે તો તમારી પાસે વિકલ્પ શું છે? એવામાં પાર્ટી સામે પડકાર યોગ્ય નેતા સામે લાવવાનો છે, જે અરવિંદ કેજરીવાલની ગેરાહાજરીમાં દિલ્હી સરકારની જવાબદારી સંભાળી શકે. બીજી તરફ ચૂંટણી માથે છે તો પાર્ટીની કમાન સંભાળવા માટે પણ યોગ્ય નેતાની જરૂરિયાત હશે.

કોણ હોય શકે છે દિલ્હીના આગામી મુખ્યમંત્રી:

અરવિંદ કેજરીવાલના રાજીનામું આપવાની સુરતમાં આગામી મુખ્યમંત્રી કોણ હશે, તેને લઈને 3 નામોની સૌથી વધુ ચર્ચા છે. દિલ્હી સરકારમાં મંત્રી આતિશી અને સૌરભ ભારદ્વાજ સાથે અરવિંદ કેજરીવાલના પત્ની સુનિતા કેજરીવાલનું નામ પણ ચર્ચમાં છે. સુનિતા કેજરીવાલ IRS અધિકારી રહી ચૂક્યા છે. બીજી તરફ મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન જેલમાં હોવાના કારણે સૌથી મજબૂત દાવેદાર આતિશી અને સૌરભ ભારદ્વાજ માનવામાં આવી રહ્યા છે. આતિશી દિલ્હી સરકારમાં શિક્ષણ, નાણાં, મહેસૂલ, PWD સહિત ઘણા વિભાગોની જવાબદારી સંભાળી રહ્યા છે તો સૌરભ ભારદ્વાજ પણ દિલ્હી મંત્રી મંડળના મુખ્ય સભ્ય છે. તેમની પાસે શહેરી વિકાસ અને સ્વાસ્થ્ય સહિત ઘણી જવાબદારીઓ છે.

કોણ સંભાળશે AAPની કમાન?

આમ આદમી પાર્ટીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં 'મેં ભી કેજરીવાલ' નામથી હસ્તાક્ષર કેમ્પેઇન ચલાવ્યું હતું અને લોકોને સવાલ કરવામાં આવ્યો કે શું કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું જોઈએ કે જેલમાંથી સરકાર ચલાવવી જોઈએ. તેના જવાબમાં 90 ટકા લોકોએ કહ્યું કે, કેજરીવાલ પાસે દિલ્હીનો જનાદેશ છે અને તેઓ ચૂંટાયેલા મુખ્યમંત્રી છે. તેઓ જેલમાં રહે કે ગમે ત્યાં, મુખ્યમંત્રી તેઓ જ રહેશે. તેને લઈને દિલ્હી સરકારે સર્વે પણ કરાવ્યો અને તેમ પણ લોકોના મંતવ્ય હતા કે અરવિંદ કેજરીવાલને જ દિલ્હીના મુખ્યમંત્રીના પદ પર રહેવું જોઈએ. તો પાર્ટીના સંયોજક તરીકે આતિશી, પંજાબ મુખ્યમંત્રી ભગવંત માન અને સુનિતા કેજરીવાલના નામની ચર્ચા છે.

About The Author

Related Posts

Top News

મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

પાકિસ્તાનની કરતૂતોનો પર્દાફાશ કરવા માટે સરકાર તરફથી વિવિધ દેશોમાં મોકલવામાં આવનાર ઓલ પાર્ટી ડેલિગેશનને લઈને એક નવો વિવાદ શરૂ થઈ...
National  Politics 
મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Gujarat 
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એશિયા કપથી બહાર થવાનો નિર્ણય લીધો છે. BCCIએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (...
Sports 
પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

મુંબઈમાં રવિવારે કંઈક એવું થયું, જે અધિકારીઓને હંમેશાં યાદ રહેશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ જ્યારે એક સાર્વજનિક મંચ...
National 
CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.