કોણ છે બચ્ચુ કડુ, જેમના એક અવાજ પર મહારાષ્ટ્રના ખેડૂતોએ ચક્કા જામ કરી દીધો?

સોમવાર 27 ઓક્ટોબરના રોજ પ્રહાર જનશક્તિ પાર્ટી (PHJSP)ના મુખિયા અને પૂર્વ મંત્રી બચ્ચુ કડુએ મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં એક વિશાળ ટ્રેક્ટર માર્ચ શરૂ કરી. ખેડૂતો માટે પૂર્ણ લોન માફી, લઘુત્તમ ટેકાના ભાવ (MSP)ની ગેરંટી અને રાષ્ટ્રીય કૃષિ સહકારી માર્કેટિંગ ફેડરેશન (NAFED)ના માધ્યમથી સોયાબીનની ખરીદીની માગણી માટે આ કૂચ યોજાઈ રહી છે. ખેડૂતો અમરાવતીથી નાગપુર સુધી કૂચ કરશે. ખેડૂતોની માંગણીઓમાં બચ્ચુ કડુનું નામ ખૂબ ચર્ચાઈ રહ્યું છે. આપણે તેમની બાબતે જાણીશું, પરંતુ પહેલા જાણીએ, તેમણે શું કહ્યું.

Bacchu-Kadu-2

બચ્ચુ કડુના નેતૃત્વમાં હજારો ખેડૂતોએ મહા એલ્ગાર મોરચામાં ભાગ લીધો. આ ખેડૂતોએ તેમની માગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી પાછળ ન હટવાની પ્રતિજ્ઞા લીધી છે. બચ્ચુ કડુએ જણાવ્યું હતું કે જ્યાં સુધી સરકાર લોન માફી અંગે કોઈ નક્કર નિર્ણય નહીં લે ત્યાં સુધી નાગપુરમાં વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. NDTVના અહેવાલ મુજબ, પૂર્વ ધારાસભ્ય કડુએ ચેતવણી આપી હતી કે, ‘જો અમારી માગણીઓને અવગણવામાં આવી, તો મહારાષ્ટ્ર બંધની શક્યતાને નકારી શકાય નહીં.

કોણ છે બચ્ચુ કડુ?

તેમનું સાચું નામ ઓમપ્રકાશ બાબારાવ કડુ છે. જોકે, તેઓ બચ્ચુ કડુ તરીકે વધુ જાણીતા છે. તેમને મહારાષ્ટ્રમાં ખેડૂતો અને અપંગોના સૌથી લોકપ્રિય અને આક્રમક નેતા માનવામાં આવે છે. ઇન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ, બચ્ચુ કડુએ 1999માં પ્રહાર જનશક્તિ પાર્ટી (PHJSP)ની સ્થાપના કરી હતી. પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોનો વિકાસ અને તેમનું સમર્થન કરવાનો છે.

કડુએ 2004-2019 સુધી અમરાવતી જિલ્લાના અચલપુર વિધાનસભા મતવિસ્તારમાંથી સતત ચાર ચૂંટણીઓ જીતી હતી. તેમણે ડિસેમ્બર 2019 થી જૂન 2022 સુધી ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની મહા વિકાસ આઘાડી (MVA) સરકારમાં રાજ્યમંત્રી તરીકે પણ સેવા આપી હતી. બાદમાં એકનાથ શિંદેના નેતૃત્વમાં તેમણે મહારાષ્ટ્રના અપંગ વ્યક્તિઓ મંત્રાલયના અધ્યક્ષ તરીકે કેબિનેટ મંત્રી સ્તરે સેવા આપી હતી. 2020માં બચ્ચુ કડુને અકોલા જિલ્લાના વાલી મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. બાદમાં 2022ના મહારાષ્ટ્ર રાજકીય સંકટ દરમિયાન તેમણે MVA સામે બળવો કર્યો અને એકનાથ શિંદેને સમર્થન આપ્યું.

બચ્ચુ કડુની રાજકીય અંદાજ સીધો અને આક્રમક રહ્યો છે. તેમની વિરુદ્ધ ઘણા ગુનાહિત કેસ નોંધાયેલા છે, જેમાં ગેરકાયદેસર બળવા અને રમખાણો ભડકાવવાના જેવા આરોપ સામેલ છે. ઓક્ટોબર 2025માં નાસિકમાં એક રેલીમાં, તેમણે નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલા ખેડૂતોને આત્મહત્યા કરવાને બદલે ધારાસભ્યને કાપવા અથવા ધારાસભ્યની હત્યા કરવાની વાત કરી હતી. ત્યારબાદ હિંસા ભડકાવવાના આરોપમાં તેમની ભારે ટીકા થઈ હતી.

Bacchu-Kadu-3

આ ઉપરાંત 2016માં મંત્રાલયમાં એક નાયબ સચિવ પર હુમલો કરવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ વિવાદ એક ક્લાર્ક માટે સરકારી ક્વાર્ટર્સ સાથે સંબંધિત હતો. આટલું જ નહીં 2009માં, તેમના પર ક્લાર્ક પર હુમલો કરવાનો આરોપ લાગ્યો હતો. તે સમયે કલાર્કે કથિત રીતે સરકારી આદેશ જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, બચ્ચુ કડુ અને તેમના સમર્થકો ખેડૂતોની માગણીઓ પૂર્ણ ન થાય ત્યાં સુધી અડગ રહેવાનો દાવો કરી રહ્યા છે. આ આંદોલન ફરી એકવાર મહારાષ્ટ્રના રાજકારણ અને ખેડૂતોના મુદ્દાઓને લઈને ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

About The Author

Related Posts

Top News

લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

એક સારી એવી નોકરી છોડીને નવા પ્લાન પર કામ કરવું પડકારજનક કામ છે. એવામાં પરિવારથી લઈને સમાજ સુધી કોઈ પણ...
Offbeat 
લગ્ન અગાઉ 25 લાખની જોબ છોડીને ડિલિવરી બોય બન્યો યુવક, પરિવારજનો પરેશાન, જાણો કારણ

અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

ઘણીવાર જોવા મળે છે કે સારો બિઝનેસ આઇડિયા હોવા છતા જમીનના આસમાને પહોંચતા ભાવ ઉદ્યોગસાહસિકોના સપનાને ચકનાચૂર કરી નાખે છે....
Business 
અહીં સરકાર માત્ર 1 રૂપિયામાં આપી રહી છે જમીન, બસ તમારે આ શરતો પૂરી કરવી પડશે

મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

જિગ્નેશ મેવાણીએ ડો. હરિ દેસાઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, ગુજરાતમાં દારૂ- નશીલા પદાર્થના અભિયાનનું કોઇ પ્લાનીંગ નહોતુ અચાનક...
Gujarat 
 મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 07-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.