Video: પ્રિયંકા સાથે કેમ ઊભા નહોતા ખરગે? દૂર દરવાજામાંથી ડોકિયું કરતા રહ્યા

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ વાયનાડ સીટ પરથી પોતાનું ઉમેદવારી પત્ર ભરી દીધું છે. આ ઉમેદવારી પત્ર ભરવા દરમિયાનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગે દૂર ઊભા રહીને દરવાજામાંથી ડોકિયું કરી રહ્યા છે. આ વીડિયો શેર કરીને ભારતીય જનતા પાર્ટી (BJP)એ દાવો કર્યો કે ખરગેનું અપમાન કરવામાં આવ્યું છે અને બધુ સન્માન માત્ર કોંગ્રેસના એક પરિવારને મળ્યું છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ X પર વીડિયો શેર કરતા લખ્યું કે આ જોઈને માઠું લાગ્યું કે આટલા સીનિયર નેતા સાથે એવો વ્યવહાર કરવામાં આવ્યો છે.

તેમણે વધુમાં કહ્યું કે વાત પછી AICCના અધ્યક્ષની હોય કે પછી PCCની, શું આ પ્રકારે કોઈને અપમાનિત કરવાનું પરિવારને સારું લાગે છે? શું તેમને એક રબર સ્ટેમ્પની જેમ ઉપાયોગ કરવાના છે? અત્યાર સુધી કોંગ્રેસ તરફથી આ વાયરલ વીડિયો બાબતે કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી. ખરગેએ પણ સામે આવીને કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ એવું પહેલી વખત નથી, જ્યારે કોંગ્રેસ પર પોતાના જ સીનિયર નેતાના અપમાનનો આરોપ લાગ્યા છે. ઘણા નેતાઓ સાથે એવું થયું છે અને આ કારણે પાર્ટી વિવાદોમાં પણ ફસાઈ છે.

એ વાત અલગ છે કે પ્રિયંકા ગાંધીના નોમિનેશનને લઈને એક દાવો એવો પણ કરવામાં આવી રહ્યો છે કે થોડા સમય સુધી ખરગે તેમની સાથે જ ઊભા હતા, પરંતુ પછી તેઓ બહાર જતા રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણી જીત્યા બાદ વાયનાડ સીટ છોડી દીધી હતી. ત્યારબાદ ત્યાં પેટાચૂંટણીની જાહેરાત થઈ અને હવે પ્રિયંકા ગાંધીએ પોતાની દાવેદારી રજૂ કરી છે. કોંગ્રેસને પૂરી આશા છે કે પ્રિયંકા ગાંધીના માધ્યમથી પાર્ટી દક્ષિણ ભારતને સાધવામાં સફળ થઈ જશે અને તેનાથી ઉત્તર-દક્ષિણનું બેલેન્સ પણ યથાવત રહેશે.

About The Author

Related Posts

Top News

પાકિસ્તાનને લાગ્યો વધુ એક ઝટકો, આ દેશે સીરિઝ રમવાનો કરી દીધો ઇનકાર

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે શનિવાર, 10 મેના રોજ જાહેરાત કરી હતી કે મેન્સ રાષ્ટ્રીય ટીમ 2 મેચની T20 ઇન્ટરનેશનલ સીરિઝ...
Sports 
પાકિસ્તાનને લાગ્યો વધુ એક ઝટકો, આ દેશે સીરિઝ રમવાનો કરી દીધો ઇનકાર

ભારતની સ્પષ્ટ વાત- પાકિસ્તાન સાથે PoK પાછું લેવા અંગે જ વાત થશે, કોઈ મધ્યસ્થીની પણ અમને જરૂર નથી

ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર યુદ્ધવિરામ હોવા છતાં, રાજદ્વારી યુદ્ધ હજુ પણ ચાલુ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે...
National 
ભારતની સ્પષ્ટ વાત- પાકિસ્તાન સાથે PoK પાછું લેવા અંગે જ વાત થશે, કોઈ મધ્યસ્થીની પણ અમને જરૂર નથી

દરેક જણ માતાના પ્રેમ વિશે વાત કરે છે પરંતુ કોઈ પિતાના ત્યાગ વિશે નથી બોલતું

(ઉત્કર્ષ પટેલ) દરેક જણ માતાના પ્રેમ વિશે વાત કરે છે પરંતુ કોઈ પિતાના ત્યાગ વિશે નથી બોલતું. માતાનો પ્રેમ એ...
Opinion 
દરેક જણ માતાના પ્રેમ વિશે વાત કરે છે પરંતુ કોઈ પિતાના ત્યાગ વિશે નથી બોલતું

ઓવૈસીએ સીઝફાયર પર ઉઠાવ્યા સવાલ, સરકારને પૂછ્યા 4 સવાલ

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ પર સહમતિ બની ગઈ છે, પરંતુ AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ યુદ્ધવિરામની જાહેરાત પર...
National  Politics 
ઓવૈસીએ સીઝફાયર પર ઉઠાવ્યા સવાલ, સરકારને પૂછ્યા 4 સવાલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.