Video: પ્રિયંકા સાથે કેમ ઊભા નહોતા ખરગે? દૂર દરવાજામાંથી ડોકિયું કરતા રહ્યા

કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ વાયનાડ સીટ પરથી પોતાનું ઉમેદવારી પત્ર ભરી દીધું છે. આ ઉમેદવારી પત્ર ભરવા દરમિયાનનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગે દૂર ઊભા રહીને દરવાજામાંથી ડોકિયું કરી રહ્યા છે. આ વીડિયો શેર કરીને ભારતીય જનતા પાર્ટી (BJP)એ દાવો કર્યો કે ખરગેનું અપમાન કરવામાં આવ્યું છે અને બધુ સન્માન માત્ર કોંગ્રેસના એક પરિવારને મળ્યું છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ X પર વીડિયો શેર કરતા લખ્યું કે આ જોઈને માઠું લાગ્યું કે આટલા સીનિયર નેતા સાથે એવો વ્યવહાર કરવામાં આવ્યો છે.

તેમણે વધુમાં કહ્યું કે વાત પછી AICCના અધ્યક્ષની હોય કે પછી PCCની, શું આ પ્રકારે કોઈને અપમાનિત કરવાનું પરિવારને સારું લાગે છે? શું તેમને એક રબર સ્ટેમ્પની જેમ ઉપાયોગ કરવાના છે? અત્યાર સુધી કોંગ્રેસ તરફથી આ વાયરલ વીડિયો બાબતે કોઇ પ્રતિક્રિયા સામે આવી નથી. ખરગેએ પણ સામે આવીને કોઈ પ્રતિક્રિયા આપી નથી, પરંતુ એવું પહેલી વખત નથી, જ્યારે કોંગ્રેસ પર પોતાના જ સીનિયર નેતાના અપમાનનો આરોપ લાગ્યા છે. ઘણા નેતાઓ સાથે એવું થયું છે અને આ કારણે પાર્ટી વિવાદોમાં પણ ફસાઈ છે.

એ વાત અલગ છે કે પ્રિયંકા ગાંધીના નોમિનેશનને લઈને એક દાવો એવો પણ કરવામાં આવી રહ્યો છે કે થોડા સમય સુધી ખરગે તેમની સાથે જ ઊભા હતા, પરંતુ પછી તેઓ બહાર જતા રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણી જીત્યા બાદ વાયનાડ સીટ છોડી દીધી હતી. ત્યારબાદ ત્યાં પેટાચૂંટણીની જાહેરાત થઈ અને હવે પ્રિયંકા ગાંધીએ પોતાની દાવેદારી રજૂ કરી છે. કોંગ્રેસને પૂરી આશા છે કે પ્રિયંકા ગાંધીના માધ્યમથી પાર્ટી દક્ષિણ ભારતને સાધવામાં સફળ થઈ જશે અને તેનાથી ઉત્તર-દક્ષિણનું બેલેન્સ પણ યથાવત રહેશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -14-11-2025 વાર- શુક્રવાર મેષ - પ્રિયજનથી મુલાકાત થાય, સમાજમાં નામ પ્રતિષ્ઠા વધે, બાળકોની બાબતમાં ધ્યાન આપી શકો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જૂનાગઢની કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિની રણચંડી બની, બેકાર ભોજન અને ગંદગી સામે અવાજ ઉઠાવ્યો

પાણી અને તેલમાં તરતા બટેકાનું શાક, એમાં પણ અંદર જીવાત અને ઇયળો... આવું જ કાંઈ ભોજન ગઈકાલે જૂનાગઢમાં આવેલ...
Gujarat 
જૂનાગઢની કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિની રણચંડી બની, બેકાર ભોજન અને ગંદગી સામે અવાજ ઉઠાવ્યો

CMનો મંત્રીઓને કડક આદેશ- સોમ-મંગળવારે જનતાને મળો અને રસ્તાઓ...

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના મંત્રીમંડળની વહીવટી કાર્યશૈલીમાં સુધારો લાવવા માટે કડક સૂચનાઓ જારી કરી છે, જેનો મુખ્ય હેતુ શાસનમાં...
Gujarat 
CMનો મંત્રીઓને કડક આદેશ- સોમ-મંગળવારે જનતાને મળો અને રસ્તાઓ...

ભાવનગરના હીરા ઉદ્યોગની દયનીય સ્થિતિ! દિવાળી બાદ 65-70% કારખાના ખૂલ્યા જ નથી

આ વખતે માવઠાએ ખેડૂતોને રડાવ્યા. સાથે જ ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો પણ છીનવાઇ ગયો. જેના કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય બની...
Gujarat 
ભાવનગરના હીરા ઉદ્યોગની દયનીય સ્થિતિ! દિવાળી બાદ 65-70% કારખાના ખૂલ્યા જ નથી
Copyright (c) Khabarchhe All Rights Reserved.