આજથી 70 વર્ષથી વધુનાને આયુષ્માન યોજનાનો સીધો લાભ મળશે, શું કરવું પડશે તે જાણી લો

નરેન્દ્ર મોદી સરકારની મહત્વકાંક્ષી યોજનાઓમાંની એક આયુષ્માન ભારત છે. જેના સંદર્ભમાં નરેન્દ્ર મોદી સરકારે તાજેતરમાં જાહેરાત કરી હતી કે 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને પણ આયુષ્માન ભારત યોજના હેઠળ મફત સારવારની સુવિધા મળશે. જ્યારે પહેલા આ યોજના ગરીબી રેખા નીચે જીવતા લોકો માટે જ હતી. પરંતુ તાજેતરમાં સરકારે 70 વર્ષથી વધુ વયના વૃદ્ધોને પણ આ યોજના હેઠળ સામેલ કરવાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે, આયુષ્માન કાર્ડ માટે અરજી કરવી જરૂરી છે. જેની માહિતી અમે તમને અહીં આપવા જઈ રહ્યા છીએ.

આ યોજના દ્વારા અત્યાર સુધીમાં 35 કરોડ લોકો આયુષ્માન યોજનાનો લાભ લઈ રહ્યા છે. એવું માનવામાં આવે છે કે, 70 વર્ષથી વધુ ઉંમરના લોકોને સામેલ કર્યા પછી, લાભાર્થીઓની સંખ્યા 40 કરોડની નજીક પહોંચવાનો અંદાજ છે.

આ યોજના હેઠળ, કાર્ડ બનાવવાના સમય પહેલા થયેલા રોગોને પણ આવરી લેવામાં આવે છે. આ સાથે, બીમારી દરમિયાન હોસ્પિટલમાં દાખલ થયા પહેલા અને પછીના ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય તમામ ટેસ્ટ, ઓપરેશન અને દવાઓનો ખર્ચ તેમાં સામેલ છે.

આયુષ્માન ભારત યોજના હેઠળ કાર્ડ મેળવવા માટે, પહેલા તેની સત્તાવાર વેબસાઇટ (https://beneficiary.nha.gov.in/) પર જાઓ. અરજી માટે નોંધણી કરો. આ પછી, એપ્લિકેશન પ્રક્રિયા સાથે સંબંધિત દસ્તાવેજો અપલોડ કરો અને પછી OTP વેરિફિકેશન કરો. તમામ એપ્લિકેશન પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછી ફાઇનલ સબમિટ કરો. ત્યાર પછી આયુષ્માન કાર્ડ બનીને તૈયાર થઈ જશે.

આયુષ્માન ભારત યોજના હેઠળ અત્યાર સુધીમાં 5 કરોડથી વધુ લોકોએ સારવાર લીધી છે. આ યોજના વર્ષ 2017માં શરૂ કરવામાં આવી હતી. આ વિશ્વની સૌથી મોટી વીમા યોજના છે. આ યોજના દ્વારા દેશના લગભગ 40 ટકા લોકોને દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીની મફત સારવારની સુવિધા મળે છે. દેશના મોટાભાગના રાજ્યોએ આ યોજનાનો અમલ કર્યો હતો પરંતુ પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોએ તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને તેના બદલે રાજ્ય સરકારની યોજનાનો અમલ કર્યો હતો.

About The Author

Related Posts

Top News

સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...

ઓપરેશન સિંદુર પછી ભારતના ડિરેકટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) રાજીવ ઘઇ ચર્ચામાં છે. પાકિસ્તાનના DGMOએ રાજીવ ઘઇ...
National 
સીઝફાયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર DGMO રાજીવ ઘઈ કાશ્મીરનો ચપ્પો-ચપ્પો જાણે છે, 33 વર્ષથી...

સૌરાષ્ટ્રના આ ખેડૂત કોથિંબાની કાચરી થકી લાખોનો બિઝનેસ કરે છે

સૌરાષ્ટ્રના એક ખેડૂત કોથિંબાની કાયરીનો એવો ગૃહઉદ્યોગ ચલાવે છે જેનાથી તેઓ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ખેડૂતો અને આજના...
Gujarat 
સૌરાષ્ટ્રના આ ખેડૂત કોથિંબાની કાચરી થકી લાખોનો બિઝનેસ કરે છે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 16-05-2025 દિવસ: શુક્રવાર મેષ: તમારી કેટલીક યોજનાઓ લાંબા સમયથી કાર્યસ્થળ પર લટકી રહી હતી, તેથી તમારે તેનું ધ્યાન રાખવું...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે

સામાન્ય રીતે એવી છાપ છે કે ભારતીય આર્મીમાં ગુજરાતીઓ જોડાતા નથી, ગુજરાતીઓને માત્ર બિઝનેસમાં જ રસ છે. પરંતુ ઓપરેશન...
Gujarat 
સુરતમાં એક જ પરિવારની 2 દીકરી અને 1 દીકરો સેનામાં છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.