હવે તિરૂપતિ મંદિરના લાડુમાં તંબાકુ મળવાનો દાવો, જુઓ વીડિયો

તિરૂપતિ સ્થિત મંદિર પ્રસાદમાં કથિત રૂપે પશુઓની ચરબી હોવાનો વિવાદો ચાલી રહ્યો છે. આ દરમિયાન એક મહિલા તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે શ્રી વેંકટેશ્વરા મંદિરમાં મળેલા લાડુની અંદર તંબાકુનું પેકેટ મળ્યું છે. જો કે, તેને લઈને મંદિર પ્રશાસન તરફથી સત્તાવાર રૂપે કંઇ કહેવામાં આવ્યું નથી. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આરોપ લગાવ્યા હતા કે જગન મોહન રેડ્ડીની સરકારમાં તિરૂપતિ મંદિરમાં વહેચાતા લાડુઓમાં પશુઓની ચરબી હોવાનું જાણવા મળ્યું હતું.

મીડિયા રિપોર્ટ મુજબ, ખમ્મમ જિલ્લાની રહેવાસી દોન્થુ પદ્માવતીએ આરોપ લગાવ્યો છે કે તેને પ્રસાદના રૂપમાં મળેલા લાડુની અંદર કાગળમાં તંબાકુ હતું. તે 19 સપ્ટેમ્બરે તિરૂપતિ મંદિર ગઈ હતી. એ દરમિયાન તે પરિવાર અને પાડોશીઓ માટે પ્રસાદમ લઈ આવી હતી. એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં કહેવામાં આવ્યું કે, પ્રસાદ વહેચવા અગાઉ જ તેને લાડુની અંદર તંબાકુ મળી ગયું હતું. તેણે કહ્યું કે, હું લાડુ વહેચવાની જ હતી કે અચાનક એક નાનકડા કાગળના ટુકડામાં તંબાકુના અંશ મળવાથી હું ગભરાઈ ગઈ.

તેણે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. મહિલાએ કહ્યું કે, ‘પ્રસાદમ પવિત્ર હોવું જોઈએ અને એવી ભેળસેળની જાણકારી મળવી દિલ તોડનારી છે. ઉલ્લેખનીય છે કે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ તિરૂપતિ લાડુ બનાવવામાં પશુઓની ચરબીના કથિત ઉપયોગની તપાસને લઈને સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. તેમણે કોર્ટની દેખરેખમાં તપાસ કરવાની માગ કરી છે, સ્વામીએ પોતાની અરજી બાબતે સોશિયલ મીડિયા મંચ X  પર પણ પોસ્ટ કરી છે.

તેમણે પોસ્ટમાં લખ્યું કે, ‘આજે મેં એક જનહિતની અરજી દાખલ કરીને સુપ્રીમ કોર્ટ પાસે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના નિરાધાર આરોપોની તપાસના નિર્દેશ આપવાની માગ કરી છે. નાયડુએ આરોપ લગાવ્યો છે કે તિરૂપતિ તિરૂમાલા મંદિરના પ્રસાદમાં પશુઓના માંસ અને અન્ય સડેલા પદાર્થોની ભેળસેળ કરવામાં આવી છે, જેનાથી ભક્તોમાં અફરાતફરી મચી ગઈ છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -14-11-2025 વાર- શુક્રવાર મેષ - પ્રિયજનથી મુલાકાત થાય, સમાજમાં નામ પ્રતિષ્ઠા વધે, બાળકોની બાબતમાં ધ્યાન આપી શકો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જૂનાગઢની કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિની રણચંડી બની, બેકાર ભોજન અને ગંદગી સામે અવાજ ઉઠાવ્યો

પાણી અને તેલમાં તરતા બટેકાનું શાક, એમાં પણ અંદર જીવાત અને ઇયળો... આવું જ કાંઈ ભોજન ગઈકાલે જૂનાગઢમાં આવેલ...
Gujarat 
જૂનાગઢની કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિની રણચંડી બની, બેકાર ભોજન અને ગંદગી સામે અવાજ ઉઠાવ્યો

CMનો મંત્રીઓને કડક આદેશ- સોમ-મંગળવારે જનતાને મળો અને રસ્તાઓ...

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના મંત્રીમંડળની વહીવટી કાર્યશૈલીમાં સુધારો લાવવા માટે કડક સૂચનાઓ જારી કરી છે, જેનો મુખ્ય હેતુ શાસનમાં...
Gujarat 
CMનો મંત્રીઓને કડક આદેશ- સોમ-મંગળવારે જનતાને મળો અને રસ્તાઓ...

ભાવનગરના હીરા ઉદ્યોગની દયનીય સ્થિતિ! દિવાળી બાદ 65-70% કારખાના ખૂલ્યા જ નથી

આ વખતે માવઠાએ ખેડૂતોને રડાવ્યા. સાથે જ ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો પણ છીનવાઇ ગયો. જેના કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય બની...
Gujarat 
ભાવનગરના હીરા ઉદ્યોગની દયનીય સ્થિતિ! દિવાળી બાદ 65-70% કારખાના ખૂલ્યા જ નથી
Copyright (c) Khabarchhe All Rights Reserved.