શું લસણને મસાલો ગણવો કે શાકભાજી? ચર્ચા પહોંચી હાઈકોર્ટ, જાણો શું આવ્યો નિર્ણય

લસણને આપણે શું ગણવું જોઈએ, મસાલા કે શાકભાજી? લસણનો ઉપયોગ રસોડામાં મસાલા તરીકે થાય છે, પરંતુ વનસ્પતિશાસ્ત્ર તેને શાકભાજીની શ્રેણીમાં મૂકે છે. લસણને શાકભાજીના પરિવારનો એક ભાગ ગણવામાં આવે છે જેમાં ડુંગળી, લીક અને શલોટ્સનો સમાવેશ થાય છે. મસાલા વિરુદ્ધ શાકભાજીની ચર્ચા તાજેતરમાં કોર્ટમાં પહોંચી હતી. હવે કોર્ટનો નિર્ણય આવી ગયો છે.

હકીકતમાં, 2015માં, મધ્યપ્રદેશના માર્કેટ બોર્ડે એક ઠરાવ પસાર કર્યો હતો. લસણને પ્રોત્સાહન આપીને શાકભાજીની શ્રેણીમાં મૂકવામાં આવ્યું હતું. એ અલગ વાત હતી કે થોડા જ સમયમાં કૃષિ વિભાગે આ ઓર્ડર રદ કરીને લસણને ફરીથી મસાલાનો દરજ્જો આપ્યો હતો. દલીલ એવી આપવામાં આવી હતી કે, લસણને એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી એક્ટ, 1972માં મસાલા તરીકે ઓળખવામાં આવ્યો છે.

કૃષિ વિભાગના નિર્ણયથી કમિશન એજન્ટો ચોંકી ઉઠ્યા હતા. 2016માં બટાટા ઓનિયન લસણ કમિશન એજન્ટ એસોસિએશને આ આદેશને હાઈકોર્ટની ઈન્દોર બેંચમાં પડકાર્યો હતો. સિંગલ જજની બેન્ચે એસોસિએશનની તરફેણમાં ચુકાદો આપ્યો, એટલે કે લસણને શાકભાજી માનવામાં આવતું હતું. વેપારીઓને કોર્ટનો નિર્ણય પસંદ ન આવ્યો. તેમની દલીલ એવી હતી કે, આ નિર્ણયથી ખેડૂતો કરતાં કમિશન એજન્ટોને વધુ ફાયદો થયો છે.

અરજદારે જુલાઈ 2017માં રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. આ વખતે મામલો હાઈકોર્ટના બે જજોની બેંચ સમક્ષ આવ્યો હતો. જાન્યુઆરી 2024માં, આ બેન્ચે અગાઉના નિર્ણયને પલટી નાખ્યો, એટલે કે હવે કહ્યું કે, લસણ એક મસાલો છે. આદેશમાં, કોર્ટે કહ્યું કે પ્રારંભિક નિર્ણયથી મુખ્યત્વે વેપારીઓને ફાયદો થશે, લસણ ઉગાડતા ખેડૂતોને નહીં.

લસણના વેપારીઓ અને કમિશન એજન્ટો ક્યાં ચૂપ રહેવાના હતા? માર્ચમાં બે જજની બેંચના નિર્ણયની સમીક્ષા કરવા માટે અપીલ દાખલ કરવામાં આવી હતી. હવે ઈન્દોર બેન્ચે ફેબ્રુઆરી 2017ના નિર્ણયને યથાવત રાખ્યો છે. એટલે કે 2015માં માર્કેટ બોર્ડે લીધેલો એ જ નિર્ણય લસણ પર પણ લાગુ પડશે. સરળ શબ્દોમાં કહીએ તો, હાઈકોર્ટે તેના તાજેતરના નિર્ણયમાં લસણને શાકભાજી તરીકે જાહેર કર્યું છે.

મીડિયા રિપોર્ટ્સમાં કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું હતું કે 'ખેડૂતો અને વિક્રેતાઓના હિતમાં બજારની સ્થાપના કરવામાં આવી છે, જેથી તેઓ તેમની પેદાશોના વધુ સારા ભાવ મેળવી શકે, તેથી જે પણ પેટા-નિયમો બનાવવામાં આવે અથવા તો તેમાં સુધારો કરવામાં આવે છે, તેને ખેડૂતોના હિતમાં ધ્યાન પર લેવામાં આવશે. હાઈકોર્ટે કહ્યું કે, લસણ એક શાકભાજી છે કારણ કે તે નાશવંત વસ્તુ છે.

લસણ પર હાઈકોર્ટની ઈન્દોર બેંચના તાજેતરના નિર્ણય પછી, તે શાકભાજી અને મસાલા બંને બજારોમાં વેચી શકાય છે.

About The Author

Related Posts

Top News

સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન (vice-captain) સ્મૃતિ મંધાનાએ (Smriti Mandhana) રવિવારે એક જાહેર નિવેદન બહાર પાડીને સંગીતકાર પલાશ...
Sports 
સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સગાઈ કરી લીધી છે. કિંજલ...
Entertainment 
કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

એક તરફ દેશમાં 70 કલાક કામ કરવાને લઈને બહેસ ચાલી રહી છે. કેટલાક લોકો તેના પક્ષમાં છે, જ્યારે Gen-Z ...
National 
‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવે તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યુ હતુ કે, સરકાર વિદેશી...
National 
કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.