- National
- મધ્ય પ્રદેશમાં શાળામાં રવિવારે નહીં, જુમ્માના દિવસે રજા રહેશે; શાળાના ફરમાન પર છેડાયો વિવાદ
મધ્ય પ્રદેશમાં શાળામાં રવિવારે નહીં, જુમ્માના દિવસે રજા રહેશે; શાળાના ફરમાન પર છેડાયો વિવાદ
મધ્ય પ્રદેશના જબલપુરમાં પ્રતિષ્ઠિત અંજુમન ઇસ્લામિયા સ્કૂલના એક નિર્ણયથી વિવાદ છેડાઈ ગયો છે. શાળા મેનેજમેન્ટે જાહેરાત કરી છે કે શાળામાં રજા હવે રવિવારે નહીં, પણ શુક્રવારે રહેશે. વાલીઓ આ માહિતી શાળાના વોટ્સએપ ગ્રુપમાં આપવામાં આવી હતી. આનાથી વિવાદ છેડાઈ ગયો છે, જેના કારણે ભાજપ અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે ઘર્ષણ સુધી પહોંચી છે. શાળા મેનેજમેન્ટની દલીલ છે કે જુમ્માની નમાજને કારણે શુક્રવારે ઓછા વિદ્યાર્થીઓ શાળામાં આવે છે, એટલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નવો આદેશ શું છે?
શાળા દ્વારા જાહેર કરાયેલા સંદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે હવેથી શાળા દર શુક્રવારે બંધ રહેશે, અને રવિવારે નિયમિત વર્ગો ચાલશે. શાળા મેનેજમેન્ટે આચાર્યના સંદરે આ નિર્ણયની સૂચના આપી હતી. સંદેશમાં જણાવાયું છે કે આ નિર્ણય વિદ્યાર્થીઓની હાજરી અને અભ્યાસ પર સકારાત્મક અસર નાખવા માટે લેવામાં આવ્યો છે. અંજુમન ઇસ્લામિયા સ્કૂલનો આ નિર્ણય હવે શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. કેટલાક લોકો તેને વ્યવહારિક નિર્ણય કહી રહ્યા છે, જ્યારે કેટલાક તેને ધાર્મિક પ્રભાવ પર આધાર પર શિક્ષણ પ્રણાલી સાથે ચેડા માની રહ્યા છે.

અંજુમન ઇસ્લામિયા ટ્રસ્ટના અધ્યક્ષે આ નિર્ણય પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘જુમ્માની નમાજને કારણે ઘણા બાળકો તે દિવસે શાળામાં આવતા નથી, જેના કારણે શિક્ષણકર્યા પ્રભાવિત રહ્યું હતું. વારંવાર ઓછી હાજરીને કારણે શિક્ષણનું નુકસાન થઈ રહ્યું હતું. એટલે અમે શુક્રવારને રજા અને રવિવારને શાળા ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. અમારો ઉદ્દેશ્ય શિક્ષણ પ્રણાલીને બાધિત થતા બચાવવાનો છે. મેનેજમેન્ટનું કહેવું છે કે શાળા મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં આવેલી છે અને મોટાભાગના સ્થાનિક બાળકો જુમ્માની નમાજને કારણે શાળામાં પહોંચી શકતા નથી. એવામાં શુક્રવારે રજા રાખવી વ્યવહારિક પગલું છે.
ઘણા વાલી આ નિર્ણયથી નાખુશ છે. તેમનું કહેવું છે કે રવિવારે આખા પરિવાર સાથે સમય વિતાવવાની એકમાત્ર તક છે. એક વાલીએ કહ્યું કે, ‘જ્યારે આખું શહેર બંધ રહે છે, ત્યારે રવિવારે બાળકોને શાળામાં મોકલવા ન સુરક્ષિત કે ન તો અનુકૂળ છે. આ નિર્ણય બાળકો અને વાલીઓ બંને માટે મુશ્કેલી ઊભી કરશે. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર પ્રશ્નો ઉઠાવ્યા છે કે શું ખાનગી શાળાને ધાર્મિક કારણોસર સાપ્તાહિક રજાઓ બદલવાનો અધિકાર છે.

આ મામલે શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે વાત કરવામાં આવી તો તેમણે જણાવ્યું હતું કે તેમને આ બાબતે કોઈ ઔપચારિક સૂચના મળી નથી, પરંતુ મીડિયા અહેવાલો બાદ વિભાગે આ નિર્ણય અંગે માહિતી એકત્રિત કરવાનું શરૂ કર્યું છે. કોઈપણ શાળાને સાપ્તાહિક રજાઓ બદલવાનો અધિકાર નથી.
ભાજપના ધારાસભ્ય રામેશ્વર શર્માએ કાર્યવાહીની ચીમકી આપતા કહ્યું કે મુલ્લા મૌલવીઓ એ નક્કી નહીં કરી શકે કે શાળાઓ ક્યારે બંધ રહેશે. શાળા નક્કી કરી શકતી નથી કે રજા રવિવારને બદલે શુક્રવારે રહેશે કે નહીં. મૌલવીઓ ધ્યાનમાં રાખે, જ્યારે તેઓ બાબા સાહેબના બંધારણ વિશે વાત કરે છે, તો વાંચ્યા કરો. સરકાર બંધારણના આધારે ચાલે છે, અને સરકારના આધારે વ્યવસ્થા ચાલે છે.
જો દરેક શાળા પોતાના હિસાબે રજાઓ જાહેર કરતી રહે, તો બાળક કયા દિવસે શાળામાં જાય છે અને કયા દિવસે રજા છે તે ખબર નહીં પડે. દરેક વ્યક્તિએ કાયદાનું પાલન કરવું જોઈએ; ઇસ્લામી શાળાઓ અલગથી ટપકી નથી. એટલે, મૌલવીજી કાન ખોલીને સાંભળી લો. મધ્ય પ્રદેશ સરકારના કાયદાનું પાલન કરો. રજાનો નિર્ણય શિક્ષણ વિભાગ કરશે, મુલ્લાઓ અને મૌલવીઓ નહીં. જો તમે શુક્રવારે રજા જાહેર કરી હોય, તો તેને તાત્કાલિક રદ કરો. નહીં તો, કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને શાળાની માન્યતા જોખમમાં પડી જશે.

