અમારી સરકારનો પ્રયાસ એ સુનિશ્ચિત કરવાનો છે કે દરેકની ઉપર પાકી છત હોયઃ PM

PM  નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે 'વિકસિત ભારત વિકસિત ગુજરાત' કાર્યક્રમને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન PMએ PM આવાસ યોજના (PMએવાય) અને અન્ય આવાસ યોજનાઓ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં નિર્માણ પામેલા 1.3 લાખથી વધુ મકાનોનું ભૂમિ પૂજન અને ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી.

PMએ જણાવ્યું હતું કે, ગરીબોની માલિકીનું ઘર તેમનાં ઉજ્જવળ ભવિષ્યની ખાતરી છે. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો અને પરિવારોનો વિકાસ થવા લાગ્યો, તેમ તેમ PMએ દરેક ગરીબ માટે નવા મકાનોનું નિર્માણ કરવાના સરકારના પ્રયાસો પર ભાર મૂક્યો અને લગભગ 1.25 લાખ લોકોનો ઉલ્લેખ કર્યો, જેમનું આજે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. તેમણે આજે પોતાનું નવું ઘર પ્રાપ્ત કરનાર તમામ પરિવારોને અભિનંદન પાઠવ્યા હતા અને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી. PM મોદીએ જણાવ્યું હતું કે, જ્યારે આ પ્રકારનાં માપદંડોની કામગીરી પૂર્ણ થાય છે, ત્યારે દેશ તેને 'મોદી કી ગેરંટી' કહે છે, જેનો અર્થ થાય છે ગેરન્ટીની પૂર્તિની બાંયધરી.

PMએ કહ્યું હતું કે, આટલી મોટી સંખ્યામાં તમારા આશીર્વાદ આપણા સંકલ્પને વધુ મજબૂત બનાવે છે. આ વિસ્તારની પાણીની તંગીને યાદ કરીને PMએ પર ડ્રોપ મોર ક્રોપ અને ટપક સિંચાઈ જેવી પહેલોનો ઉલ્લેખ કર્યો હતો, જેણે બનાસકાંઠા, મહેસાણા, અંબાજી અને પાટણમાં કૃષિમાં મદદ કરી છે. તેમણે કહ્યું હતું કે, અંબાજીમાં વિકાસનાં પ્રયાસોથી યાત્રાળુઓની સંખ્યામાં મોટું પ્રોત્સાહન મળશે. તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદથી આબુ રોડ સુધીની બ્રોડગેજ લાઈન જે બ્રિટિશ કાળથી જ પેન્ડીંગ હતી તેનાથી મોટી સંખ્યામાં રોજગારીનું સર્જન થશે.

PMએ કહ્યું કે, ગુજરાતના કરોડો લોકો આ યાત્રા સાથે જોડાયા છે. તેમણે દેશમાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં મદદ કરવાના સરકારના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને યોજનાઓનો લાભ લેવા, ભંડોળનું કુશળતાપૂર્વક સંચાલન કરવા અને ગરીબીને દૂર કરવા માટેની યોજનાઓ અનુસાર તેમના જીવનને ઘડવા બદલ તેમની પ્રશંસા પણ કરી હતી. PMએ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને લાભાર્થીઓને આ પહેલને ટેકો આપવા અને ગરીબી નાબૂદ કરવામાં યોગદાન આપવા વિનંતી કરી હતી. આજે સવારે લાભાર્થીઓ સાથે તેમની વાતચીતનો ઉલ્લેખ કરીને PMએ તેમના આત્મવિશ્વાસની પ્રશંસા કરી હતી, જેને તેમના નવા ઘરો સાથે પ્રોત્સાહન મળ્યું છે.

PMએ કહ્યું હતું કે, આજનો સમય ઇતિહાસ રચવાનો છે. તેમણે આ સમયગાળાને સ્વદેશી ચળવળ, ભારત છોડો આંદોલન અને દાંડી કૂચના સમયગાળા સાથે સરખાવ્યો હતો, જ્યારે સ્વતંત્રતા દરેક નાગરિકનું લક્ષ્ય બની હતી. તેમણે કહ્યું હતું કે, વિકસિત ભારતનું નિર્માણ એ રાષ્ટ્ર માટે સમાન ઠરાવ બની ગયો છે. તેમણે ગુજરાતની 'રાજ્યની પ્રગતિ દ્વારા રાષ્ટ્રીય વિકાસ'ની વિચારસરણી પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, આજનો કાર્યક્રમ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો ભાગ છે.

PMએ PM આવાસ યોજનામાં ગુજરાતે ભરેલી હરણફાળની નોંધ લીધી હતી અને માહિતી આપી હતી કે, રાજ્યનાં શહેરી વિસ્તારોમાં 9 લાખથી વધારે મકાનોનું નિર્માણ થયું છે. PM આવાસ - ગ્રામીણ હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં 5 લાખથી વધુ મકાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, ગુણવત્તા અને ઝડપી નિર્માણ સુનિશ્ચિત કરવા નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે લાઇટહાઉસ પ્રોજેક્ટ અંતર્ગત નિર્માણ પામેલા 1100 મકાનોનો ઉલ્લેખ કર્યો હતો.

PM મોદીએ એ વાતનો પણ પુનરોચ્ચાર કર્યો હતો કે, વર્ષ 2014 અગાઉનાં સમયગાળાની સરખામણીમાં ગરીબો માટે ઘરનું નિર્માણ ઝડપથી થઈ રહ્યું છે. અગાઉનાં સમયમાં ગરીબોનાં મકાનોનાં નિર્માણ માટે નજીવા ભંડોળ અને કમિશન વગેરે સ્વરૂપે થતી ગેરરીતિઓ તરફ ધ્યાન દોરતાં PMએ કહ્યું હતું કે, ગરીબોનાં ઘરો માટે હસ્તાંતરિત થતાં નાણાં હવે 2.25 લાખથી વધારે થઈ ગયાં છે અને વચેટિયાઓને દૂર કરીને તેમનાં બેંક ખાતામાં સીધા હસ્તાંતરિત કરવામાં આવે છે. તેમણે શૌચાલયોનું નિર્માણ, નળનાં પાણીનાં જોડાણો, વીજળી અને ગેસનાં જોડાણો પૂરાં પાડવાની સાથે-સાથે કુટુંબોની જરૂરિયાતો અનુસાર ઘરો બાંધવાની સ્વતંત્રતા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ સુવિધાઓએ ગરીબોને નાણાં બચાવવામાં મદદ કરી છે. PM મોદીએ એ વાત પર પણ ભાર મૂક્યો કે હવે આ ઘરો મહિલાઓના નામે રજિસ્ટર થઈ ગયા છે, જેનાથી તેમને ઘરમાલિક બનાવવામાં આવે છે. 

યુવા, કિસાન, મહિલા અને ગરીબ એ વિકસિત ભારતનાં ચાર આધારસ્તંભ છે એ વાત પર ભાર મૂકીને PMએ કહ્યું હતું કે, તેમનું સશક્તીકરણ સરકારની ટોચની કટિબદ્ધતા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, 'ગરીબ'માં દરેક સમુદાયનો સમાવેશ થાય છે. યોજનાઓનો લાભ કોઈ પણ જાતના ભેદભાવ વિના દરેક સુધી પહોંચી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે, જેમની પાસે કોઈ ગેરંટી નથી, તેમના માટે મોદી ગેરંટી ધરાવે છે. તેમણે મુદ્રા યોજનાનો ઉલ્લેખ પણ કર્યો હતો, જ્યાં દરેક સમુદાયનાં ઉદ્યોગસાહસિકોને કોલેટરલ-ફ્રી લોન મળી શકે છે. એ જ રીતે વિશ્વકર્મા અને શેરી વિક્રેતાઓને નાણાકીય સાધનો અને કૌશલ્યો પૂરાં પાડવામાં આવ્યાં હતાં. દરેક ગરીબ કલ્યાણ યોજનાનો સૌથી મોટો લાભ દલિત, ઓબીસી અને આદિવાસી પરિવારોને થાય છે. મોદીની ગેરંટીથી જો કોઈને સૌથી વધુ ફાયદો થયો હોય તો તે આ પરિવારો છે.

PMએ કહ્યું હતું કે, મોદીએ લખપતિ દીદીઓ બનાવવાની ગેરંટી આપી છે. PMએ જણાવ્યું હતું કે, દેશમાં પહેલેથી જ 1 કરોડ લખપતિ દીદીઓ વસે છે, જેમાં મોટી સંખ્યામાં ગુજરાતની મહિલાઓ સામેલ છે. તેમણે આગામી થોડાં વર્ષોમાં 3 કરોડ લખપતિ દીદીઓનું સર્જન કરવાનાં સરકારનાં પ્રયાસોનો પુનરોચ્ચાર કર્યો હતો અને કહ્યું હતું કે, એનાથી ગરીબ પરિવારોને મોટું સશક્તીકરણ મળશે. તેમણે આશા અને આંગણવાડીનાં કાર્યકર્તાઓનો ઉલ્લેખ પણ કર્યો હતો, જેમને આ વર્ષનાં બજેટમાં આયુષ્માન યોજના હેઠળ સામેલ કરવામાં આવ્યાં છે.

PMએ ગરીબો અને મધ્યમ વર્ગનાં ખર્ચમાં ઘટાડો કરવા માટે સરકારનાં ભાર પરત્વે ધ્યાન દોર્યુ હતું. તેમણે નિઃશુલ્ક રાશન, હોસ્પિટલોમાં સસ્તી સારવાર સુવિધાઓ, ઓછી કિંમતની દવાઓ, સસ્તા મોબાઈલ ફોન બિલ, ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ સિલિન્ડર અને વીજળીના બિલમાં ઘટાડો કરતા એલઈડી બલ્બનો ઉલ્લેખ કર્યો હતો. PM મોદીએ વીજળીના બીલ ઘટાડવા અને પેદા થતી વધારાની વીજળીમાંથી કમાણી ઉભી કરવા માટે 1 કરોડ ઘરો માટેની રૂફટોપ સોલર યોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે માહિતી આપી હતી કે આ યોજના હેઠળ લગભગ 300 યુનિટ વીજળી મફત થશે અને સરકાર દર વર્ષે હજારો રૂપિયાની વીજળી ખરીદશે. મોઢેરામાં બનેલા સોલાર વિલેજ વિશે બોલતા PM મોદીએ કહ્યું કે, આવી ક્રાંતિ હવે આખા દેશમાં જોવા મળશે. તેમણે ઉજ્જડ જમીનો પર સોલર પમ્પ અને નાના સોલર પ્લાન્ટ સ્થાપવામાં સરકાર ખેડૂતોને મદદ કરતી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખેડૂતોને દિવસે પણ સિંચાઈ માટે વીજળી મળી રહે તે માટે સૌર ઊર્જા દ્વારા ખેડૂતોને અલગથી ફીડર આપવાની કામગીરી પણ ચાલી રહી છે.

ગુજરાતને વેપારી રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે અને તેની વિકાસ યાત્રાને ઔદ્યોગિક વિકાસ માટે નવું બળ મળે છે એ બાબત પર ભાર મૂકીને PMએ જણાવ્યું હતું કે, ગુજરાતનાં યુવાનોને ઔદ્યોગિક પાવરહાઉસ તરીકે અભૂતપૂર્વ તકો મળી છે. PMએ સંબોધનનું સમાપન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતનાં યુવાનો આજે દરેક ક્ષેત્રમાં રાજ્યને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યાં છે અને દરેકને દરેક પગલે ડબલ એન્જિન ધરાવતી સરકારનાં સાથસહકારની ખાતરી આપી હતી.

About The Author

Related Posts

Top News

સુપ્રીમ કોર્ટે EDને કેમ ખખડાવી, કહ્યું- તમે બધી મર્યાદા પાર કરી દો છો

તમિલનાડુ સ્ટેટ કોર્પોરેશનની સામે EDના દરોડાના કેસની સુનાવણી સુપ્રિમ કોર્ટમાં થઇ હતી. કેન્દ્ર સરકાર વર્સીસ રાજ્ય સરકાર. આ સુનાવણી ...
National 
સુપ્રીમ કોર્ટે EDને કેમ ખખડાવી, કહ્યું- તમે બધી મર્યાદા પાર કરી દો છો

અંબાલાલે જણાવી દીધું, ગુજરાતમાં વાવાઝોડું આવવાનું છે કે નહીં

હવામાન વિભાગે શુક્રવાર માટે 13 જિલ્લાં ઓરેંજ એલર્ટ અને 20 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. છેલ્લાં કેટલાંક દિવસથી અરબી...
Gujarat 
અંબાલાલે જણાવી દીધું, ગુજરાતમાં વાવાઝોડું આવવાનું છે કે નહીં

સુરતમાં 12 વર્ષના દીકરાને દીક્ષા લેવી હતી, પિતા કોર્ટ પહોંચી ગયા અને આવ્યો આ ફેંસલો

સુરતમાં 12 વર્ષના છોકરાની દીક્ષા કોર્ટે અટકાવી છે. વાત એમ બની હતી કે સુરતનો એક છોકરો દીક્ષા લઇ રહ્યો છે...
Gujarat 
સુરતમાં 12 વર્ષના દીકરાને દીક્ષા લેવી હતી, પિતા કોર્ટ પહોંચી ગયા અને આવ્યો આ ફેંસલો

પંજાબની AAP સરકારે પોતાના જ ધારાસભ્યની ધરપકડ કરાવી, પાર્ટીએ કહ્યું, 'ભલે તે આપણો પણ કેમ ન હોય...'

પંજાબમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રમણ અરોરાની પંજાબ વિજિલન્સ બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ભ્રષ્ટાચારના કેસમાં શુક્રવારે (23...
National 
પંજાબની AAP સરકારે પોતાના જ ધારાસભ્યની ધરપકડ કરાવી, પાર્ટીએ કહ્યું, 'ભલે તે આપણો પણ કેમ ન હોય...'
Copyright (c) Khabarchhe All Rights Reserved.