અમે માત્ર રોજગાર નથી આપતા, પણ પારદર્શક વ્યવસ્થા પણ જાળવી રહ્યા છીએઃ PM

સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ મારફતે રાષ્ટ્રીય રોજગાર મેળાને સંબોધન કર્યું હતું અને વિવિધ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવી ભરતી થયેલા લોકોને 51,000થી વધારે નિમણૂક પત્રોનું વિતરણ કર્યું હતું. દેશભરમાંથી પસંદ થયેલા આ ભરતીઓ રેલવે મંત્રાલય, ટપાલ વિભાગ, ગૃહ મંત્રાલય, મહેસૂલ વિભાગ, ઉચ્ચ શિક્ષણ વિભાગ, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ તથા સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય સહિત વિવિધ મંત્રાલયો/વિભાગોમાં સરકારમાં જોડાશે. PMના સંબોધન દરમિયાન દેશભરમાં 37 સ્થળોને મેળા સાથે જોડવામાં આવ્યા હતા.

PMએ નોંધ્યું હતું કે, ગયા વર્ષે ઓક્ટોબરમાં રોજગાર મેળાઓની શરૂઆત થઈ હતી, જેમાં કેન્દ્ર અને એનડીએ શાસિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિવિધ રોજગાર મેળાઓમાં લાખો યુવાનોને સરકારી નોકરી માટે નિમણૂક પત્રો પ્રદાન કરવામાં આવ્યાં હતાં, ત્યારે રાજગર મેળાઓની સફર મહત્ત્વપૂર્ણ સિમાચિહ્ન પર પહોંચી છે. આજે પણ 50 હજારથી વધુ યુવાનોને સરકારી નોકરી આપવામાં આવી છે. PMએ હોદેદારો અને તેમના પરિવારોને અભિનંદન પાઠવ્યા હતા.

PMએ જણાવ્યું હતું કે, વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આયોજિત રોજગાર મેળાઓ યુવાનોનાં ભવિષ્ય માટે સરકારની કટિબદ્ધતાનો સંકેત છે, જ્યાં મિશન મોડમાં કામગીરી ચાલી રહી છે. PM મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, અમે માત્ર રોજગારી જ પૂરી પાડી રહ્યા નથી, પણ પારદર્શક વ્યવસ્થા પણ જાળવી રાખી રહ્યા છીએ. તેમણે ભરતી પ્રક્રિયામાં યુવાનોના વધેલા વિશ્વાસની નોંધ લીધી હતી. તેમણે કહ્યું કે સરકાર માત્ર પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા જ નહીં પરંતુ પરીક્ષા પ્રક્રિયાનું પુનર્ગઠન કરવાનો પણ પ્રયાસ કરી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સ્ટાફની પસંદગી ચક્ર હેઠળ ભરતી માટે લેવામાં આવતો સમય પણ ઘટાડીને અડધો કરી દેવામાં આવ્યો છે. PM મોદીએ જણાવ્યું હતું કે, રોજગારીની સૂચનાથી લઈને રોજગાર પત્ર વચ્ચેનો સંપૂર્ણ સમય નોંધપાત્ર રીતે ઘટ્યો છે. એસએસસી હેઠળની કેટલીક પરીક્ષાઓ વિશે વાત કરતા PM મોદીએ માહિતી આપી હતી કે, અત્યારે આ પરીક્ષાઓ હિન્દી અને અંગ્રેજી ઉપરાંત 13 વિવિધ પ્રાદેશિક ભાષાઓમાં લેવામાં આવે છે, જેથી આ ઇચ્છુક ઉમેદવારો માટે ભાષાનાં અવરોધોને તોડવાનું સરળ બન્યું છે.

તેમણે ધોરડો ગામનો ઉલ્લેખ કર્યો હતો, જેને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા શ્રેષ્ઠ પ્રવાસન ગામનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે તથા હોયસાલા મંદિર સંકુલ અને શાંતિ નિકેતન માટે વર્લ્ડ હેરિટેજ સાઇટની માન્યતા આપવામાં આવી છે. આ વિકાસ અને પર્યટનમાં વધારો યુવાનો માટે નવી તકોનું સર્જન કરશે. તેમણે જણાવ્યું હતું કે, એ જ રીતે રમતગમતમાં હરણફાળ પણ નવા માર્ગોનું સર્જન કરી રહી છે.

https://khabarchhe.com/uploads/mc_path/1696938147125.jpg

PMએ કહ્યું હતું કે, સરકાર રોજગારીની તકો પૂરી પાડતા પરંપરાગત ક્ષેત્રોને મજબૂત કરી રહી છે, ત્યારે અક્ષય ઊર્જા, અંતરિક્ષ, ઓટોમેશન અને સંરક્ષણ નિકાસ જેવા નવા ક્ષેત્રોને પણ પ્રોત્સાહન આપી રહી છે. તેમણે ડ્રોન ટેકનોલોજી ક્ષેત્રમાં નવા માર્ગો ખોલવાની વાત પણ કરી હતી અને તેની મદદથી પાકના મૂલ્યાંકન અને પોષક તત્વોના છંટકાવના ઉદાહરણો આપ્યા હતા. સ્વામિત્વ યોજના હેઠળ PMએ માહિતી આપી હતી કે, લેન્ડ મેપિંગ માટે ડ્રોનનો ઉપયોગ થઈ રહ્યો છે. તેમણે હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતી વિસ્તારમાં ડ્રોનનો ઉપયોગ કરીને દવાઓની ડિલિવરીનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેથી અંદાજિત સમય 2 કલાકથી ઘટીને 20-30 મિનિટથી ઓછો થઈ ગયો છે. સ્ટાર્ટઅપ્સને પણ ડ્રોનથી ઘણો ફાયદો થયો છે અને નવી ડિઝાઇન અને તકનીકીઓ બનાવવામાં મદદ મળી છે.

PMએ ખાદીના પુનરુત્થાન વિશે વાત કરી હતી, જેમાં 1. 25 લાખ કરોડથી વધુનું વેચાણ થયું છે, જે 10 વર્ષ અગાઉ માત્ર 30 હજાર કરોડ હતું. તેનાથી ખાદી અને ગ્રામોદ્યોગ ક્ષેત્રમાં ઘણી નોકરીઓનું સર્જન થયું છે, ખાસ કરીને મહિલાઓને ફાયદો થયો છે.

PM મોદીએ કહ્યું કે કોઈપણ દેશના કોઈપણ સ્પર્ધાત્મક લાભને સંપૂર્ણ રીતે સાકાર કરવા માટે યુવાનોની શક્તિની જરૂર હોય છે. તેમણે કૌશલ્ય અને શિક્ષણની પહેલોનો ઉલ્લેખ કર્યો હતો, જે નવી તકોનો સંપૂર્ણ લાભ લેવા યુવાનોને સજ્જ કરી રહી છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, નવી મેડિકલ કોલેજો, આઇઆઇટી, આઇઆઇએમ અને આઇઆઇઆઇટીનો વિકાસ થયો છે અને PM કૌશલ્ય વિકાસ યોજના હેઠળ કરોડો યુવાનોને તાલીમ આપવામાં આવી છે. વિશ્વકર્મા મિત્રો માટે PM વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવી છે. PMએ જણાવ્યું હતું કે, પુનઃકૌશલ્ય અને અપસ્કિલિંગ એ આજનો ક્રમ છે, ત્યારે PMએ જાણકારી આપી હતી કે, PM વિશ્વકર્મા યોજના વિશ્વકર્મા યોજના વિશ્વકર્માને આધુનિક ટેકનોલોજી અને સાધનો સાથે જોડી રહી છે.

યુવાનો માટે રોજગારીની તકોનું સર્જન એ રાષ્ટ્રનિર્માણની પ્રક્રિયાનો મહત્ત્વપૂર્ણ ભાગ છે, જે ભારતને વિકસિત રાષ્ટ્ર બનવાનો માર્ગ મોકળો કરશે એ બાબતનો ઉલ્લેખ કરીને PMએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભરતી થયેલા લોકો જ સરકારી યોજનાઓને આગળ વધારશે અને જમીની સ્તરે તેનો અમલ કરશે. PMએ કહ્યું હતું કે, આજે તમે બધાં રાષ્ટ્રનિર્માણની અમારી સફરમાં મહત્ત્વપૂર્ણ સાથી બની રહ્યાં છો. તેમણે તેમને ભારતનાં લક્ષ્યાંકને હાંસલ કરવામાં તેમની સંપૂર્ણ તાકાત સાથે પ્રદાન કરવા અપીલ કરી હતી. તેમણે તેમને તેમની શીખવાની પ્રક્રિયા ચાલુ રાખવા અને આઇજીઓટી કર્મયોગી પોર્ટલનો ઉપયોગ કરવા પણ વિનંતી કરી. તેમણે કહ્યું હતું કે, તમારું દરેક પગલું દેશને ઝડપથી વિકાસનાં માર્ગે અગ્રેસર કરવામાં મદદરૂપ થશે. સંબોધનના સમાપનમાં PMએ શરદ પૂર્ણિમાના શુભ પ્રસંગની નોંધ લીધી હતી અને ભરતી થયેલા લોકોને વોકલ ફોર લોકલનો સંદેશો ફેલાવવા વિનંતી કરી હતી, જે દેશની અંદર રોજગારીનું સર્જન કરવા માટેનું માધ્યમ પણ છે.

About The Author

Related Posts

Top News

મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

પાકિસ્તાનની કરતૂતોનો પર્દાફાશ કરવા માટે સરકાર તરફથી વિવિધ દેશોમાં મોકલવામાં આવનાર ઓલ પાર્ટી ડેલિગેશનને લઈને એક નવો વિવાદ શરૂ થઈ...
National  Politics 
મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Gujarat 
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એશિયા કપથી બહાર થવાનો નિર્ણય લીધો છે. BCCIએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (...
Sports 
પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

મુંબઈમાં રવિવારે કંઈક એવું થયું, જે અધિકારીઓને હંમેશાં યાદ રહેશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ જ્યારે એક સાર્વજનિક મંચ...
National 
CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.