મહાગઠબંધનથી અલગ થતા જ પટનામાં PM મોદી સાથે CM નીતિશ કુમારના પોસ્ટર લાગ્યા

બિહારના CM નીતિશ કુમારે રાજ્યપાલને રાજીનામું સોંપી દીધું, જેનાથી બિહારમાં ઘણા દિવસોથી ચાલી રહેલા રાજકીય સસ્પેન્સનો અંત આવ્યો. આ સાથે પટનામાં PM નરેન્દ્ર મોદી અને CM નીતિશ કુમારની તસવીરોવાળા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. CM નીતીશ કુમાર BJPની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)માં પાછા ફર્યા. તેમણે મહાગઠબંધન સાથે સંબંધો તોડી નાખ્યા છે.

બિહારના CM નીતિશ કુમારે રાજીનામું આપી દીધું છે. હવે તેઓ BJP સાથે મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. CM નીતિશ કુમાર મહાગઠબંધનથી અલગ થતાની સાથે જ રાજધાની પટનામાં PM નરેન્દ્ર મોદી સાથે CM નીતીશ કુમારની તસવીરવાળા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા, જેના પર લખવામાં આવ્યું છે કે, 'નીતિશ દરેકના છે, સબ પર બીસ- નીતિશ. ખૂબ ખૂબ અભિનંદન.'

અહીં તમને જણાવી દઈએ કે, CM નીતિશ કુમારે આજે રાજભવન ખાતે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર સાથે મુલાકાત કર્યા પછી બિહારના CM પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જનતા દળ (યુનાઈટેડ)ના દિગ્ગજ નેતાઓ હવે BJP સાથે મળીને નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.

આ સંદર્ભમાં, સોશિયલ મીડિયા હેન્ડલ X પર એક પોસ્ટ શેર કરીને કહેવામાં આવ્યું છે કે, બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે CM નીતિશ કુમારનું રાજીનામું સ્વીકાર્યું છે અને વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી કાર્યકારી CM તરીકે કામ કરવા પણ કહ્યું છે.

CM નીતીશ કુમારે આજે સવારે જનતા દળ (યુનાઈટેડ) વિધાનસભાની બેઠકમાં પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો. CM પદ પરથી રાજીનામું સુપરત કર્યા પછી પત્રકારો સાથે વાત કરતા CM નીતિશ કુમારે કહ્યું કે, તેમણે રાજ્યપાલને બિહારમાં મહાગઠબંધન ભંગ કરવા પણ કહ્યું છે.

બિહારના CM પદેથી રાજીનામું આપી ચૂકેલા નીતિશ કુમાર 2017ની રાજકીય ઘટનાઓનું પુનરાવર્તન કરતા ફરીથી BJPના સમર્થન સાથે નવી સરકાર બનાવવાનો દાવો દાખવવા જઈ રહ્યા છે.

ભૂતકાળની યાદ તાજી કરતા આજે રવિવારની શરૂઆત JDU ધારાસભ્યોની બેઠક સાથે થઈ હતી. મીટિંગ દરમિયાન CM નીતિશ કુમારે ધારાસભ્યોને રાજીનામું આપવાના નિર્ણય વિશે માહિતી આપી અને પછી રાજભવન જવા રવાના થઈ ગયા.

બીજી તરફ BJPના ધારાસભ્યોની બેઠક ચાલુ રહી અને ત્યારપછી BJPના ધારાસભ્યો એકતા દર્શાવતા CM નીતિશ કુમારના નિવાસસ્થાને પહોંચ્યા. એ જ રીતે, 2017માં, CM નીતિશ કુમારે તેમની પાર્ટીની વિધાન સમિતિ સાથે બેઠક બોલાવી હતી, ત્યારપછી તેઓ રાજ્યપાલના નિવાસસ્થાન રાજભવન પહોંચ્યા અને રાજીનામું સુપરત કર્યું હતું.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-03-2025 દિવસ: શનિવાર મેષ: આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોએ સાવધાન રહેવું પડશે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી
Copyright (c) Khabarchhe All Rights Reserved.