રાહુલ ગાંધીના ભાષણ પર ધમાસાણ, મુસ્લિમ ધર્મગુરુ રોષમાં, બોલ્યા- હું તેનું...

સંસદમાં સોમવારે વિપક્ષ નેતા રાહુલ ગાંધી તરફથી આપવામાં આવેલા ભાષણને લઈને ખૂબ વિવાદ થઈ રહ્યો છે. એક તરફ જ્યાં ભાજપ અને હિન્દુવાદી પક્ષ તેના પર હુમલાવર છે, તો હવે ઈસ્લામિક ધર્મગુરુએ પણ એક વાત પર આપત્તિ દર્શાવી છે. રાહુલ ગાંધી તરફથી અભય મુદ્રાને લઈને આપવામાં આવેલા નિવેદનનું ઓલ ઈન્ડિયા સૂફી સજ્જાદાનશીને ખંડન કર્યું છે. તેમણે તેની નિંદા કરતા કહ્યું કે, ઇસ્લામમાં એવું ક્યાંય કહેવામાં આવ્યું નથી. તેમણે અભય મુદ્રાને ઇસ્લામ સાથે જોડાવાને ખોટું બતાવતા તેની નિંદા કરી અને કોંગ્રેસ નેતા પાસે નિવેદન સુધારવાની માગ કરી છે.

તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીનું સંસદમાં જે નિવેદન હતું જેમાં તેમણે અભય મુદ્રાનો ઉલ્લેખ કર્યો છે. અભય મુદ્રાને ઇસ્લામ સાથે જોડાવી ખોટું છે.  ઇસ્લામમાં દુવા માગવાને તેમણે અભય મુદ્રા સાથે તુલના કરી છે જે એકદમ ખોટું છે. ઇસ્લામમાં મૂર્તિ પૂજા નથી, હા હિન્દુ ધર્મમાં વિભિન્ન મુદ્રાઓનો ઉલ્લેખ છે અને દેવી દેવતાઓની પૂજા થાય છે, પરંતુ ઇસ્લામમાં પૂજા પણ થતી નથી એટલે આ ઇસ્લામના મૂળ સિદ્ધાંત વિરુદ્ધ છે કે અભય મુદ્રાને ઇસ્લામ સાથે જોડવામાં આવે. રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીના નિશાનને અભય મુદ્રા કહેવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તેને ઇસ્લામ સાથે જોડાવાનું ખોટું છે. હું તેની નિંદા કરું છું, તેમણે પોતાના નિવેદનને સુધારવું જોઈએ.

આ અગાઉ અજમેર શરીફના ગાદીપતિ હાજી સૈયદ સલમાન ચિશ્તીએ પણ રાહુલ ગાંધીના નિવેદન પર આપત્તિ વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, અમે રાહુલ ગાંધીનું નિવેદન સાંભળ્યું છે જે તેમણે અભય મુદ્રાને ઈસ્લામિક દુવા સાથે જોડી છે, પરંતુ ઇસ્લામમાં એવું ક્યાંય કહેવામાં આવ્યું નથી. રાહુલ ગાંધીએ સમજવું જોઈએ કે, કોઈ વિશ્વાસમાં પ્રતિકાત્મકતા શું છે. ઇસ્લામમાં અમે માનીએ છીએ કે અલ્લાહ જન્નત અને ધરતીને બનાવનાર છે, પરંતુ તેમની કોઈ છબી કે પ્રતિકાત્મકતા નથી.

લોકસભામાં વિપક્ષ નેતા બન્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સદનમાં પોતાના પહેલા ભાષણમાં કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં દરેક વર્ગ અને વ્યક્તિને ડરાવે છે, જ્યારે કોંગ્રેસનું નિશાન ભગવાન શિવ, ઇસ્લામ, ગુરુ નાનક, મહાત્મા બુદ્ધ, મહાવીરની અભય મુદ્રા છે જે દેશમાં સત્ય, અહિંસા અને નિર્ભયતા ફેલાવી રહી છે. રાષ્ટ્રપતિ અભિભાષણ પર ચર્ચમાં વિપક્ષની આગેવાની કરતા રાહુલ ગાંધીએ ભગવાન શંકર, ગુરુ નાનક દેવ, મહાત્મા બુદ્ધ, મહાવીર, ઇસ્લામમાં ઈબાદતના હાથોની તસવીરો દેખાડી અને ભારતીય જનતા પાર્ટી (BJP) પર હિંસા અને નફરત ફેલાવવાનો આરોપ લગાવ્યો.

રાહુલ ગાંધીએ ભગવાન શિવનું ચિત્ર સદનમાં દેખાડ્યું, પરંતુ અધ્યક્ષે તેમણે ટોક્યા તો તેમણે સવાલ કર્યો કે શું ભગવાન શિવના ચિત્રને નહીં દેખાડી શકાય. ભગવાન શિવ અભય મુદ્રામાં હોય છે. ગુરુ નાનકજી અભય મુદ્રામાં હોય છે. ભગવાન મહાવીરનું અભય મુદ્રાવાળું ચિત્ર પણ દેખાડ્યું. તેમણે કહ્યું કે, બધા મહાપુરુષોએ અહિંસાની વાત કરી, ડર દૂર કરવાની વાત કરી અને અને કહ્યું કે ડરો નહીં, ડરાવો નહીં. અભય મુદ્રાનો અર્થ છે કે ડરો નહીં.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-03-2025 દિવસ: શનિવાર મેષ: આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. સામાજિક ક્ષેત્રે કામ કરતા લોકોએ સાવધાન રહેવું પડશે,...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

દેશના 52માં CJI બી આર ગવઇને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ શપથ લેવડાવ્યા હતા. હવે નવા CJIએ રાષ્ટ્રપતિના 14 સવાલોના...
Governance 
રાષ્ટ્રપતિનો CJIને સવાલ- શું કોર્ટ બિલ મંજૂરીની રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ માટે સમય મર્યાદા નક્કી કરી શકે?

ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સમાચારના માલિક બાહુબલી શાહની ધરપકડ કરી હતી અને તેમની તબિયત લથડી જતા અમદાવાદની હોસ્પિટલમાં...
Gujarat 
ગુજરાત સમાચારના માલિકની EDએ ધરપકડ કરી, જામીન પણ મળી ગયા, જાણો શું છે મામલો

ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી

કચ્છ આહીર સમાજે એવો મોટો નિર્ણય લીધો છે જે બીજા સમાજના લોકોએ પણ અનુસરવા જેવો છે. બીજાની દેખા દેખીમાં લગ્નસરામાં...
Gujarat 
ગુજરાતના આ સમાજનો નિર્ણય- લગ્નમાં 6 વાનગીથી વધુ ન રાખવી, સોનાની લેતી-દેતી બંધ કરવી
Copyright (c) Khabarchhe All Rights Reserved.