બાળકના શબને લઇને જતા હતા, કાર ડમ્પરમાં ઘુસી ગઇ, 5ના ઘટના સ્થળે જ મોત

ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અહીં રવિવારે બપોરના સમયે એક કાર પુરઝડપે જઇ રહી હતી ત્યારે રસ્તા પર ઉભેલા ડમ્પર સાથે પાછળથી ભટકાઇ ગઇ હતી ઘટના સ્થળે જ 5 લોકોના મોત થયા હતા. ઘટનાની જાણ થતા કલેકટર અને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.  આ આખી ઘટનાની કરુણાંતિકા એવી છે કે  પરિવારના એક બાળકને હોસ્પિટલમાં બતાવવા દિલ્હી લઇ જવાયો હતો અને બાળકને પાછા લઇને પરિવાર બિહાર જઇ રહ્યો હતો. હવે થયું કે રસ્તામાં જ બાળકનું મોત થઇ ગયું હતું અને એ સદમો પરિવાર સહન કરે એની થોડી જ વારમાં અકસ્માત થઇ ગયો હતો અને 5 લોકો મોતને ભેટ્યા હતા, જેમાં 3 મહિલાઓ અને 2 પુરુષો હતા. તમે અકસ્માતની તસ્વીરો જોશો તો વિહવળ થઇ જશો, કારણ કે કારના તો ભૂક્કા બોલી ગયા હતા, પરંતુ  કારની અંદર મૃતદેહોના પણ ચિથરા ઉડી ગયા હતા. પોલીસે લોકોની મદદથી મહામહેનતે મૃતદેહોને બહાર કાઢ્યા હતા.

આ અકસ્માત અખંડ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. માહિતી મળતાં જ DM જસજીત કૌર અને એસપી સોમેન વર્મા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. DM જસજીત કૌરે કહ્યું કે, મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને અકસ્માતમાં મોતને ભેટેલાં લોકોના પરિવારને જાણ કરી દેવામાં આવી છે. DMએ કહ્યું કે કારને ભારે નુકશાન થયું છે અને કારના સવાર લોકોના મૃતદેહો પણ ખરાબ રીતે વિકૃત થઇ ગયા છે. ફસાયેલા લોકોને મહામહેનતે બહાર કઢાયા છે.

ડીએમએ કહ્યું કે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. કારને ભારે નુકસાન થયું છે. કાર સવારોના મૃતદેહ પણ ખરાબ રીતે વિકૃત થઈ ગયા છે. મૃતદેહો કારમાં ફસાયેલા હતા, જેને પોલીસકર્મીઓએ ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા. હાલ ઘટનાસ્થળની તપાસ ચાલી રહી છે.

જાણવા મળેલી માહિતી મુજબ, બિહારના સાસારામમાં રહેતા સલીમના સાડા ત્રણ મહિનાના પુત્ર એહસાનની તબિયત સારી ન હતી. પરિવારના સભ્યો તેને સારવાર માટે દિલ્હી AIMSમાં લઈ ગયા. જ્યાં તબીબોએ જવાબ આપ્યો હતો. આ પછી બધા પુત્ર સાથે સ્વિફ્ટ ડિઝાયર કારમાં બિહારના રોહતાસ પરત ઘરે જઈ રહ્યા હતા. પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર રસ્તામાં જ અહેસાનનું મોત થયું હતું. આના થોડા સમય પછી, બપોરે લગભગ 12 વાગ્યે, કાર KM-183 એક્સપ્રેસ વે પર અકસ્માતનો ભોગ બની હતી.

આ ગંભીર અકસ્માતમાં સલીમની પત્ની રૂખસાર, સાઇના ખાતુન, સાહિલ ખાન, નાની જમિલા અને કાર ચાલક શાહરૂખના ઘટના સ્થળે મોત થયા હતા. મતલબ કે એક જ દિવસે પરિવારના 6 લોકો કાળનો કોળિયો બની ગયા.

About The Author

Top News

સુપ્રીમ કોર્ટે EDને કેમ ખખડાવી, કહ્યું- તમે બધી મર્યાદા પાર કરી દો છો

તમિલનાડુ સ્ટેટ કોર્પોરેશનની સામે EDના દરોડાના કેસની સુનાવણી સુપ્રિમ કોર્ટમાં થઇ હતી. કેન્દ્ર સરકાર વર્સીસ રાજ્ય સરકાર. આ સુનાવણી ...
National 
સુપ્રીમ કોર્ટે EDને કેમ ખખડાવી, કહ્યું- તમે બધી મર્યાદા પાર કરી દો છો

અંબાલાલે જણાવી દીધું, ગુજરાતમાં વાવાઝોડું આવવાનું છે કે નહીં

હવામાન વિભાગે શુક્રવાર માટે 13 જિલ્લાં ઓરેંજ એલર્ટ અને 20 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. છેલ્લાં કેટલાંક દિવસથી અરબી...
Gujarat 
અંબાલાલે જણાવી દીધું, ગુજરાતમાં વાવાઝોડું આવવાનું છે કે નહીં

સુરતમાં 12 વર્ષના દીકરાને દીક્ષા લેવી હતી, પિતા કોર્ટ પહોંચી ગયા અને આવ્યો આ ફેંસલો

સુરતમાં 12 વર્ષના છોકરાની દીક્ષા કોર્ટે અટકાવી છે. વાત એમ બની હતી કે સુરતનો એક છોકરો દીક્ષા લઇ રહ્યો છે...
Gujarat 
સુરતમાં 12 વર્ષના દીકરાને દીક્ષા લેવી હતી, પિતા કોર્ટ પહોંચી ગયા અને આવ્યો આ ફેંસલો

પંજાબની AAP સરકારે પોતાના જ ધારાસભ્યની ધરપકડ કરાવી, પાર્ટીએ કહ્યું, 'ભલે તે આપણો પણ કેમ ન હોય...'

પંજાબમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રમણ અરોરાની પંજાબ વિજિલન્સ બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ભ્રષ્ટાચારના કેસમાં શુક્રવારે (23...
National 
પંજાબની AAP સરકારે પોતાના જ ધારાસભ્યની ધરપકડ કરાવી, પાર્ટીએ કહ્યું, 'ભલે તે આપણો પણ કેમ ન હોય...'
Copyright (c) Khabarchhe All Rights Reserved.