સદનમાં નોટ લઈને વોટ કે ભાષણ આપ્યું તો ચાલશે કેસ, SCએ કાયદાકીય છૂટનો કર્યો ઇનકાર

સુપ્રીમ કોર્ટે વૉટના બદલામાં નોટ કેસમાં એક મોટો ચૂકાદો આપ્યો છે. હવે જો સાંસદ પૈસા લઇને સદનમાં ભાષણ કે વોટ આપે છે તો તેમની વિરુદ્ધ કેસ ચલાવી શકાશે. એટલે કે હવે તેમને આ કેસમાં કાયદાકીય છૂટ નહીં મળે.સુપ્રીમ કોર્ટની સંવિધાન પીઠે મોટો નિર્ણય સંભળાવતા ગત નિર્ણયને પલટી દીધો છે. સુપ્રીમ કોર્ટે વર્ષ 1998ના નરસિંહા રાવના નિર્ણયને પલટી દીધો છે.

વર્ષ 1998માં 5 જજોની સંવિધાન પીઠે 3:2ના બહુમતથી નક્કી કર્યું હતું કે, આ મુદ્દાને લઈને જનપ્રતિનિધિઓ પર કેસ નહીં ચલાવી શકાય, પરંતુ સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને પલટવાના કારણે હવે સાંસદ કે ધારાસભ્ય સદનમાં મતદાન માટે લાંચ લેવાના કેસની કાર્યવાહીથી બચી નહીં શકે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) ડી.વાઇ. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેન્ચે સહમતીથી આપેલા મહત્ત્વના નિર્ણયમાં કહ્યું છે કે વિધાયિકા કોઈ સભ્ય દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચાર કે લાંચ સાર્વજનિક જીવનમાં ઈમાનદારીને ખતમ કરી દે છે.

સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે, અમે વિવાદના બધા પહેલુંઓ પર સ્વતંત્ર રૂપે નિર્ણય લીધો છે. શું સાંસદોને તેનાથી છૂટ મળવી જોઈએ? એ વાતથી અમે અસહમત છીએ અને બહુમતથી તેને ફગાવીએ છીએ. નરસિંહા રાવ કેસમાં બહુમતનો નિર્ણય, જેનાથી લાંચ લેવા માટે કાર્યવાહીથી છૂટ મળે છે. તે સાર્વજનિક જીવન પર મોટો પ્રભાવ નાખે છે. અનુચ્છેદ 105 હેઠળ લાંચને છૂટ આપવામાં આવી નથી કેમ કે, ગુનો કરનાર સભ્ય વોટ નાખવા સંબંધિત નથી.

તેમણા કહ્યું કે, નરસિંહા રાવના કેસની વ્યાખ્યા ભારતીય સંવિધાનના અનુચ્છેદ 105(2) અને 194 વિરુદ્ધ છે. એટલે અમે પી. નરસિંહા રાવ કેસમાં નિર્ણયને ફગાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે, 5 સભ્યોની પીઠે આ કેસ સાથે જોડાયેલા મુદ્દાને વ્યાપક અને જનહિત સાથે જોડાયેલો માનતા 7 સભ્યોની પીઠને સોંપી દીધો હતો. ત્યારે કહેવામાં આવ્યું હતું કે આ મામલો રાજનીતિક સદાચાર સાથે જોડાયેલો છે. એમ પણ કહેવામાં આવ્યું હતું કે, સંસદ અને વિધાનસભાના સભ્યોને છૂટનું પ્રાવધાન એટલે આપવામાં આવ્યું છે જેથી તેઓ મુક્ત વાતાવરણ અને કોઈ પરિણામની ચિંતા કર્યા વિના પોતાના દાયિત્વનું પાલન કરી શકે.

1998માં શું થયું હતું?

વર્ષ 1998માં 5 જજોની બેન્ચે 3-2ની બહુમતથી નિર્ણય આપ્યો હતો કે ભાષણ કે વોટ સાથે જોડાયેલા લાંટના કેસમાં સંસદ કે રાજ્યોની વિધાનસભાના સભ્યોને કાર્યવાહીથી છૂટ મળશે. એ દરમિયાન 105(2) અને 194(2)નો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

About The Author

Top News

ગુજરાતના ગામડામાં પ્લાસ્ટર વગરના મકાનમાં રહેતા છોકરાને IIMમાં પ્રવેશ મળ્યો

પડકારોને વીંધીને સફળતાના શિખરો સર કરનારા અનેક સફળ લોકોની ગાથા છે. 2 વર્ષ પહેલા 12th  ફેઇલ ફિલ્મ આવેલીIPS ...
Education 
ગુજરાતના ગામડામાં પ્લાસ્ટર વગરના મકાનમાં રહેતા છોકરાને IIMમાં પ્રવેશ મળ્યો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 20-05-2025 દિવસ: મંગળવાર મેષ: આજે તમારે અતિશય ખર્ચ કરવાથી બચવું પડશે, નહીં તો તમે તમારી સંચિત સંપત્તિ પણ ખતમ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?

ઓપરેશન સિંદુરમાં ભારતે પાકિસ્તાન સાથે શું કર્યું તેની વાત દુનિયાના દેશો સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર સર્વપક્ષીસ સાંસદોની ટીમ બનાવી...
Politics 
શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?

સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું

IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી. આટલો વિસ્ફોટક ખેલાડી જેના માટે લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયાની બોલી લગાવી. ટીમ...
Sports 
સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.