પતિ કુરકુરે ન લાવતા પત્ની ગુસ્સે થઈ પિયર ગઈ, પોલીસથી પણ ન સમજી, છૂટાછેડાની નોબત

લગ્ન પછી પતિ પત્ની વચ્ચે મીઠો ઝઘડો થયા કરતો હોય છે, રિસાવું, મનાવવું જિંદગીનો એક ભાગ બની જાય છે, અને આ રીતે સંસારનું ગાડું ચાલતું હોય છે, ઘણી વખત ઝઘડો વધી જતા રીસામણા, મનામણાનો સમય લાંબો ચાલે છે, સમજદાર માણસો વચ્ચે પડીને સમાધાન કરાવે છે, અને જિંદગી આગળ વધે છે. હવે અહીં તમે નહીં માનો એક સામાન્ય નાસ્તાના પેકેટે લગ્ન જીવનને દાવ પર મૂકી દીધું, અને હવે બે જિંદગી લગ્ન પછી છૂટી પડવાને આરે આવીને ઉભી છે. મામલો છુટાછેડા સુધી પહોંચી ગયો છે. આવો જાણીએ આ મામલે શું બન્યું...  

ઉત્તર પ્રદેશના આગ્રામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 5 રૂપિયાની કિંમતનું કુરકુરેનું પેકેટ ન મળતાં પત્ની ગુસ્સે થઈ ગઈ. પતિ કહે છે કે, તેની પત્ની દરરોજ કુરકુરે માંગે છે. હું રોજ કુરકુરે લાવીને કંટાળી ગયો છું. બીજી તરફ કુરકુરે ન મળવાથી ખુબ જ રોષે ભરાયેલી પત્નીએ તેના પતિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી છે.

હાલમાં પોલીસે આ ફરિયાદ ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરને મોકલી આપી છે. ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં પતિ-પત્નીનું કાઉન્સેલિંગ કરાયું હતું. બંનેને આગળની તારીખ આપવામાં આવી છે. આપસમાં શાંતિ સ્થાપવાની સલાહ પણ આપવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, શાહગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી યુવતીના લગ્ન સદર પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી છોકરા સાથે થયા હતા. બંનેના લગ્ન 2023માં હિંદુ રીતિ-રિવાજ મુજબ થયા હતા. લગ્ન પછી બંને સુખેથી રહેતા હતા. પરંતુ પત્નીની વધુ પડતી કુરકુરે ખાવાની આદતને કારણે બંને વચ્ચે ઝઘડો થયા કરતો હતો.

આરોપ છે કે, પત્ની રોજ ઓફિસથી ઘરે આવતી વખતે પતિ પાસેથી કુરકુરેનું પેકેટ લાવવાની માંગ કરતી હતી. પરંતુ એક દિવસ પતિ કુરકુરે લાવવાનું ભૂલી ગયો, જેનાથી પત્ની ગુસ્સે થઈ ગઈ. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. પત્ની ગુસ્સે થઈને તેના માતા-પિતાના ઘરે ચાલી ગઈ. તે છેલ્લા દોઢ મહિનાથી તે તેના પિયરના ઘરે રહે છે.

હાલમાં જ પત્ની તેના પતિ વિરુદ્ધ ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચી હતી. ફરિયાદ પોલીસ સ્ટેશનમાંથી ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. ફેમિલી કાઉન્સેલિંગ સેન્ટરના કાઉન્સેલર ડૉ. સતીશ ખિરવારે જણાવ્યું કે, કાઉન્સેલિંગ દરમિયાન છોકરાએ કહ્યું કે, પત્ની 5 રૂપિયાના કુરકુરેના પેકેટને લઈને ઝઘડો કરે છે. જ્યારે કુરકુરે તેને લાવી આપવામાં ન આવી, ત્યારે તે તેના માતાપિતાના ઘરે ચાલી ગઈ હતી. જ્યારે, યુવતીએ કહ્યું કે, તે તેના માતાપિતાના ઘરે ગઈ હતી, કારણ કે તેના પતિએ તેને માર માર્યો હતો. કાઉન્સેલરે એમ પણ કહ્યું કે, છોકરીને કુરકુરે ખાવાનો વધુ શોખ છે. હાલ બંને પતિ-પત્નીને આગળની તારીખ આપી દેવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Gujarat 
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે

પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એશિયા કપથી બહાર થવાનો નિર્ણય લીધો છે. BCCIએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (...
Sports 
પાકિસ્તાન સાથે 'નો ક્રિકેટ' એશિયા કપનો હિસ્સો નહીં બને ભારતીય ટીમ, BCCIનો મોટો નિર્ણય

CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

મુંબઈમાં રવિવારે કંઈક એવું થયું, જે અધિકારીઓને હંમેશાં યાદ રહેશે. ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ જ્યારે એક સાર્વજનિક મંચ...
National 
CJIએ અધિકારીઓને ખખડાવ્યા તો પોલીસ કમિશનર અને ચીફ સેક્રેટરી આગામી કાર્યક્રમમાં દોડતા પહોંચ્યા

ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો

હરિયાણા સ્થિત યૂટ્યૂબર ધ્રૂવ રાઠી દ્વારા શીખ ગુરુઓ પર બનાવેલા વીડિયો પર વિવાદ થયો છે. 'બંદા સિંહ બહાદુર કી...
National 
ધ્રૂવ રાઠી સામે ફરિયાદ, શીખ ગુરુઓનો AIના ઉપયોગથી વીડિયો બનાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.