પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ભારતે આરોગ્યને વિકાસ સાથે જોડ્યું છેઃ મનસુખ માંડવિયા

ભારત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં કહ્યું હતું કે, વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે નવી દિલ્હીમાં વોકથોન ઈવેન્ટનું આયોજન કર્યું હતું. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયા અને ડૉ. ભારતી પ્રવિણ પવાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રીએ વૉકથૉનનું નેતૃત્વ કર્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ‘હેલ્થ ફોર ઓલ’ થીમ હેઠળ કરવામાં આવ્યું હતું. વૉકથૉનનો ઉદ્દેશ્ય માત્ર બિન-સંચારી રોગો (NCDs)ને દૂર રાખવા માટે જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય પર સકારાત્મક અસરો માટે પણ તંદુરસ્ત આદતો વિશે જાગૃતિ લાવવાનો હતો. આ કાર્યક્રમ વિજય ચોકથી કર્તવ્ય પથ થઈને ઈન્ડિયા ગેટ થઈને નિર્માણ ભવન પહોંચ્યો હતો. 350થી વધુ ઉત્સાહી સહભાગીઓ, સારા સ્વાસ્થ્ય માટે ચાલતા, ખૂબ ઉત્સાહ સાથે ભાગ લીધો. તેઓએ હાયપરટેન્શન, ડાયાબિટીસ, માનસિક બીમારી અને કેન્સર જેવી જીવનશૈલી સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓ/બીમારીઓને રોકવા અને નિયંત્રણ કરવા માટે સ્વસ્થ અને સક્રિય જીવન અપનાવવાની પ્રતિજ્ઞા લીધી.

એક ટ્વીટમાં, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન, ડૉ. મનસુખ માંડવિયાએ માનનીય પ્રધાનમંત્રીના સ્વસ્થ ભારતની વિઝનનો પુનરોચ્ચાર કર્યો.

આ પ્રસંગે બોલતા મનસુખ માંડવીયાએ કાર્યક્રમમાં ભાગ લેવા બદલ સૌનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે તે ભારતનું વસુધૈવ કુટુંબકમનું દર્શન રહ્યું છે જ્યાં આપણે માત્ર પોતાની નહીં પણ સૌની પ્રગતિ વિશે વિચારીએ છીએ. આ ફિલસૂફી કોવિડ કટોકટી દરમિયાન જોવા મળી હતી, જ્યારે ભારતે કોઈપણ વ્યાવસાયિક નફાને ધ્યાનમાં લીધા વિના જરૂરિયાતવાળા દેશોને રસી અને તબીબી પુરવઠો પૂરો પાડ્યો હતો. ભારત દરેક હિતધારકને મદદ કરવામાં મોખરે રહ્યું છે અને આ ભાવના સાથે ભારત તેના નાગરિકો અને વિશ્વના સ્વાસ્થ્ય માટે કામ કરી રહ્યું છે.

દેશના વિકાસમાં સ્વાસ્થ્યના મહત્વ પર પ્રકાશ પાડતા ડૉ. માંડવિયાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ભારતે આરોગ્યને વિકાસ સાથે જોડ્યું છે. સ્વસ્થ નાગરિકો જ સ્વસ્થ સમાજ અને બદલામાં વિકસિત રાષ્ટ્રનું નિર્માણ કરી શકે છે. આ આઝાદી કા અમૃત મહોત્સવમાં હું તમને બધાને એક વિકસિત અને સ્વસ્થ ભારત બનાવવા માટે સાથે મળીને કામ કરવા વિનંતી કરું છું.

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી, ડૉ. ભારતી પ્રવિણ પવારે નોંધ્યું હતું કે વોકેથોન હોય, યોગા હોય કે અન્ય કસરતો હોય, આપણા યુવાનો ઉત્સાહપૂર્વક આ શારીરિક પ્રવૃત્તિઓને તેમના જીવનમાં ઝીલી રહ્યા છે. તેણીએ જણાવ્યું હતું કે સૌ માટે સ્વાસ્થ્ય ખ્યાલ એ હકીકત પરથી ઉદ્દભવે છે કે એક સ્વસ્થ વ્યક્તિ માત્ર તેમના પરિવાર માટે જ નહીં પરંતુ સમાજમાં પણ સકારાત્મક યોગદાન આપે છે. તેણીએ એ પણ નોંધ્યું હતું કે દેશે માનનીય પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ ફિટ ભારત માટે મજબૂત સંકલ્પ લીધો છે, જ્યાં વર્તનમાં ફેરફાર અને વધુ શારીરિક રીતે સક્રિય જીવનશૈલીને પ્રોત્સાહન આપવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ -14-11-2025 વાર- શુક્રવાર મેષ - પ્રિયજનથી મુલાકાત થાય, સમાજમાં નામ પ્રતિષ્ઠા વધે, બાળકોની બાબતમાં ધ્યાન આપી શકો. વૃષભ -...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જૂનાગઢની કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિની રણચંડી બની, બેકાર ભોજન અને ગંદગી સામે અવાજ ઉઠાવ્યો

પાણી અને તેલમાં તરતા બટેકાનું શાક, એમાં પણ અંદર જીવાત અને ઇયળો... આવું જ કાંઈ ભોજન ગઈકાલે જૂનાગઢમાં આવેલ...
Gujarat 
જૂનાગઢની કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થિની રણચંડી બની, બેકાર ભોજન અને ગંદગી સામે અવાજ ઉઠાવ્યો

CMનો મંત્રીઓને કડક આદેશ- સોમ-મંગળવારે જનતાને મળો અને રસ્તાઓ...

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના મંત્રીમંડળની વહીવટી કાર્યશૈલીમાં સુધારો લાવવા માટે કડક સૂચનાઓ જારી કરી છે, જેનો મુખ્ય હેતુ શાસનમાં...
Gujarat 
CMનો મંત્રીઓને કડક આદેશ- સોમ-મંગળવારે જનતાને મળો અને રસ્તાઓ...

ભાવનગરના હીરા ઉદ્યોગની દયનીય સ્થિતિ! દિવાળી બાદ 65-70% કારખાના ખૂલ્યા જ નથી

આ વખતે માવઠાએ ખેડૂતોને રડાવ્યા. સાથે જ ખેડૂતોના હાથમાં આવેલો કોળિયો પણ છીનવાઇ ગયો. જેના કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય બની...
Gujarat 
ભાવનગરના હીરા ઉદ્યોગની દયનીય સ્થિતિ! દિવાળી બાદ 65-70% કારખાના ખૂલ્યા જ નથી
Copyright (c) Khabarchhe All Rights Reserved.