9 દિવસથી ટનલમાં ફસાયેલા કામદારોને જાણો કંઈ રીતે અને શું ખાવાનું અપાય છે

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સુરંગ તૂટી પડવાને કારણે ફસાયેલા 41 મજૂરોને બચાવવા માટે ચાલી રહેલા બચાવ અભિયાનનો આ 9મો દિવસ છે. બચાવ કામગીરીની જવાબદારી 5 એજન્સીઓ પાસે છે. આ એજન્સીઓએ કામદારોને બહાર કાઢવા માટે 5 યોજનાઓ બનાવી છે. બીજી તરફ, કેન્દ્ર સરકારે તમામ એજન્સીઓ પાસેથી અત્યાર સુધીમાં લીધેલા પગલાં વિશે માહિતી માંગી છે.

કામદારોને ખાદ્ય સામગ્રી સતત સપ્લાય કરવામાં આવી રહી છે. આ કામદારોને ડ્રાય ફ્રૂટ્સ અને ક્રિપ્સ સાથે મલ્ટિવિટામિન્સ, એન્ટી-ડિપ્રેસન્ટ્સ મોકલવામાં આવી રહ્યા છે. જેથી આ કામદારો સુરંગમાં સુરક્ષિત રહે. આ બધું કામદારોને ચાર ઇંચની પાઇપ દ્વારા મોકલવામાં આવી રહ્યું છે. આ સિવાય ટનલમાં વીજળી ચાલુ છે, તેથી સદ્ભાગ્યની વાત છે કે ટનલમાં જ્યાં કામદારો ફસાયા છે ત્યાં લાઈટ છે. આ ઉપરાંત એક પાઈપલાઈન પણ છે, જેના દ્વારા કામદારોને પાણી પણ મળી રહ્યું છે.

હકીકતમાં, ઉત્તરકાશી જિલ્લા મુખ્યાલયથી લગભગ 30 કિલોમીટરના અંતરે આવેલી સિલ્ક્યારા ટનલ કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી ચારધામ 'ઓલ વેધર રોડ' (દરેક સીઝનમાં આવા ગમન માટે ખુલી રહેનારી ટનલ) પ્રોજેક્ટનો એક ભાગ છે. બ્રહ્મખાલ-યમુનોત્રી નેશનલ હાઈવે પર બનાવવામાં આવી રહેલી આ ટનલ 4.5 કિલોમીટર લાંબી છે. 12 નવેમ્બરે ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો. જેના કારણે કામદારો ટનલની અંદર ફસાઈ ગયા હતા. તેમને મુક્ત કરવા માટે 9 દિવસથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. પરંતુ હજુ સુધી કોઈ ખાસ સફળતા મળી નથી.

રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઈવે સેક્રેટરી અનુરાગ જૈને જણાવ્યું હતું કે, મલ્ટિવિટામિન્સ, એન્ટી-ડિપ્રેસન્ટ દવાઓ અને ડ્રાય ફ્રૂટ્સ પહેલા દિવસથી જ કામદારોને મોકલવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, ટનલની અંદર બે કિલોમીટરમાં પાણી અને વીજળી છે. આ અગાઉ, કેન્દ્ર સરકારે શનિવારે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી, જેમાં વિવિધ એજન્સીઓ સાથે કામદારોને બચાવવા માટેના પાંચ વિકલ્પો પર ચર્ચા કરવામાં આવી હતી. NHIDCL (નેશનલ હાઈવે એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ), ONGC (ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન), SJVNL (સતલજ જલ વિદ્યુત નિગમ લિમિટેડ), THDC અને RVNLને આ બચાવ કામગીરીની જવાબદારી સોંપવામાં આવી છે. આ સિવાય BRO અને ભારતીય સેનાની બાંધકામ શાખા પણ બચાવ કાર્યમાં મદદ કરી રહી છે.

ઈન્ટરનેશનલ ટનલીંગ અંડરગ્રાઉન્ડ સ્પેસના પ્રમુખ પ્રોફેસર આર્નોલ્ડ ડિક્સ સિલ્ક્યારા ટનલ પહોંચ્યા. તેમણે સુરંગના મુખ્ય પ્રવેશદ્વાર પર બનેલા મંદિરમાં પૂજા પણ કરી હતી. આર્નોલ્ડ ડિક્સે કહ્યું, 'ગઈકાલથી ઘણું કામ થઈ ગયું છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે, આપણે તેમને (કામદારોને) બચાવીએ. અમે તે લોકોને બહાર નીકાળવા જઈ રહ્યા છીએ. હમણાં સુધી ઘણું કામ થઇ રહ્યું છે. અમારી આખી ટીમ અહીં છે અને અમે તેનો ઉકેલ શોધીશું અને તેમને બહાર નીકાળીશું.

About The Author

Related Posts

Top News

ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

ઉત્તર ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ...
National 
ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને શનિવારે તેમણે બનાસ ડેરીમાં કેટલાક ઉદઘાટન પણ કર્યા....
Gujarat 
અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

જામનગરના ટાઉન હોલમાં એક સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલ સિંહ જાડેજાએ જૂતુ મારવાની ઘટનાને કારણે આમ આદમી પાર્ટી એકદમ જોરમાં આવી...
Politics 
શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

બરાબર એજ સમયે ભારતના ઘણા શહેરોમાં ઇન્ડિગોની અવ્યવસ્થા અને 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થવાને કારણે હાહાકાર મચી ગયો હતો,...
World 
‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.